Feeds:
Posts
Comments

Posts Tagged ‘બાવાઓ’

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે પણ ….  ()

એક વહાણના મુસાફરો એક શબ્દ પ્રયોગ છે. આપણે એવું માનીએ છીએ કે એક વહાણના મુસાફરોનું ધ્યેય એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું હોય છે. સ્થળને તમે હેતુ કહી શકો.

બાવાઓ બધા ધર્મોમાં હોય છે અને એક એકથી ચડે એવા હોય છે.

પણ બાવાઓ કહેવા કોને?

priests 01

બાવાની વ્યાખ્યા શું?

() જે વ્યક્તિ બીજાના ફાયદા માટે (એટલે કે સમાજના કે સમાજના અમુક વર્ગના હિત માટે) કાર્યરત હોય છે તેને શું આપણે બાવો કહીશું?

ના જી.

વાખ્યા નહીં ચાલે.

() તો પછી જે વ્યક્તિ સમાજના હિત માટે કાર્યરત રહે અને તે માટે અપરિણિત રહે તેને શું આપણે બાવો કહીશું.

ના જી. વ્યાખ્યા તો દુનિયામાં પ્રવર્તમાન પ્રણાલીને અનુરુપ નથી.

જેમકે કેટલાક વર્ગ (સંપ્રદાયો) માં ગાદીઓ હોય છે. અને તેના ઉપર બેસનારાને ગાદીપતિ કહેવાય છે. તેઓશ્રી ગાદીના પતિ હોવા ઉપરાંત એક સ્ત્રીના પણ પતિ હોય છે. તેમને ઔરસ સંતાનો પણ હોય છે. ગાદી વંશ પરંપરાગત હોય છે. બધાઓને પણ બાવાઓ કહેવા પડે કારણ કે સામાન્ય રીતે આપણે ગુરુ અને બાવાને સમાનાર્થી શબ્દો માનીએ છીએ, અને તેમનું કામ પણ   મુખ્યત્વે લોકોને બોધપાઠ આપવાનું હોય છે.

() તો પછી જે  બોધપાઠ આપે છે તેમને બાવો કહીશું?

ના જી. બોધ પાઠનો એક સમાનાર્થી શબ્દ છે શિખામણ. જો કે સુક્ષ્મ ભેદ છે. શિખામણ તો સૌને કોઈને આપવી ગમે. એટલે કંઈ આપણે બધાને બાવા બનાવી શકીએ.

() શિખામણ એવી વસ્તુ છે કે જે સૌને આપવી ગમે પણ લેવી ગમે. તો પછી આપણે બાવા માટે એવી વ્યાખ્યા કરીએ કે જે વ્યક્તિ સૌને શિખામણ આપે પણ કોઈની શિખામણ લે નહીં એવી વ્યક્તિને બાવો કહી શકાય?

જો કે વ્યાખ્યા બરાબર છે કે નહીં તે સંશોધનનો વિષય છે. કારણ કે અહીં આપણને શિખામણ અને બોધપાઠ વચ્ચેનો ભેદ દેખાય છે.

આમાં શિખામણની વ્યાખ્યા કરવી પડશે. શિખામણ સામાન્ય રીતે કોઈ એક નિશ્ચિત વ્યક્તિને આપવાની હોય છે. અને તે સામાન્ય રીતે પ્રસંગને અનુલક્ષીને કેમ વર્તવું કે કેમ વર્તવું બાબતનું દીશા સૂચન હોય છે. એટલે કે ન્યુટનના નિયમ પ્રમાણેફોર્સ ટુ પોઈન્ટ” (બિન્દુગામી બળહોય છે. જ્યારે બોધપાઠ સમગ્ર શ્રોતાઓ માટે હોય છે અને બોધપાઠ આઈન્સ્ટાઈન ની ફીલ્ડ થીએરી (એક ક્ષેત્ર જે તેની અંદર રહેલા પદાર્થના દરેક બિન્દુ ઉપર બળ ઉત્પન્ન કરે છે. જેમ કે સમાજને સુધારવો હોય તો એક એક વ્યક્તિને પકડીને તમારી વાત મનાવો. તો તે ન્યુટનનો સિદ્ધાંત થયો. શાસકને પકડી એક એવું વાતાવરણ તૈયાર કરો કે તે વાતાવરણના ક્ષેત્રમાં આવતી બધી વ્યક્તિઓ તમારી વાત માનવા માંડે. આઈનસ્ટાઈનનો સિદ્ધાંત થયો. જો કેફોર્સ ટુ પોઈન્ટઅનેફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ તદ્દન આવી વાત નથી. પણ હાલ્યું જાશે.

સમાજમાં સુધારા લાવવા છે તો એક એક વ્યક્તિને પકડતા જાઓ અને વ્યક્તિઓ વધી જશે એટલે એક વાતાવરણ પણ તૈયાર થશે અને તે પણ કામ કરવા માંડશે.

ગાંધીજીએ વિચાર આપ્યો અને તે વિચારની સાથે (ગુલામી સામે) એક પ્રતિકારાત્મક આંદોલન આપ્યું અને તેમાં લોકોને વિચારની અનુભૂતિ સાથે સામેલ કર્યા. પ્રમાણે ગાંધીજી સમાજ શાસ્ત્રના ક્ષેત્રમાં આઈન સ્ટાઈનને સમકક્ષ હતા.

હા પણ …  બાવાઓ કોણ?

જો ઉપરોક્ત રીતે બાવાઓને પરિભાષિત કરીશું, તો તો આખું જગત બાવાઓથી બનેલું જણાશે.

અત્ર તત્ર સર્વત્ર બાવાઓ અને બાવાઓ છે. દરેક વ્યક્તિમાં એક નાનો કે મોટો બાવો પડેલો હોય છે. એટલે રીતે જો બધાને બાવાઓ બનાવીશું તો પ્રણાલીગત બાવાઓ વિષે આપણે જે લખવું છે તે મોળું પડી જશે. જેમ કે શાસકપક્ષના નેતાઓ કહે છે કે “ ‘સ્વચ્છતા અભિયાન’ માં તો જનતાએ સહકાર આપવો પડશે.”

શાસક નેતાઓ આમ કહીને, જે સરકારી નોકરોને શહેરને સ્વચ્છ રાખવા માટે પગાર આપવામાં આવે છે, તેમનો ગુનો મોળો પાડી દે છે. કારણ કે મ્યુનીસીપલ કમીશ્નર સહિતના ગુનેગારોને સજા કરવા તેઓ અશક્ત અને દાનતહીન છે અને તેઓ પોતાના આ દંભને છૂપાવવા માગે છે.

() જે વ્યક્તિએ સમાજને માટે પરમાર્થનું કામ હાથમાં લીધું છે તે બાવો.

પણ પરમાર્થ એટલે શું?

જેમ કે બાબા રામદેવ. તેઓશ્રી યોગનો પ્રચાર પ્રસાર કરે છે. તે સમાજના હિતમાં છે અને તેથી દેશના હિતમાં પણ છે. વળી તેઓશ્રી આયુર્વેદિક દવાઓ  પણ બનાવે છે અને વેચે છે. તેમનું ક્ષેત્ર વધારતા પણ જાય છે. કારણ કે તેઓ સમજે છે અને તે સાચું પણ છે.

દવા એટલે શું? દરેક વનસ્પતિ કોઈકની કોઈક રોગ હઠાવવા માટેની કે તંદુરસ્તી માટેની દવા છે. એટલે કે વનસ્પતિમાંથી બનાવેલ ખાદ્ય વાનગી સ્વયં માત્ર દવા છે. વળી બધા સાદા અને માન્યતાપ્રાપ્ત બાવાઓ પણ થોડી ઘણી દવાઓ તો વેચતા હોય છે.

હવે જો આમ હોય તો પોલીટીશ્યનો પણ બાવા ગણાય. સાદા બાવાઓ તો પારકાના સંતાનોને બાવા (જતિ) બનાવતા હોય છે જ્યારે પોલીટીશ્યનો તો પોતાના સંતાનોને (બાવાજતિ) પોતાનો વારસો આપતા હોય છે. એટલે પોલીટીશ્યનો તો મોટા બાવા કહેવાય. અને ખાસ કરીને જે હાલ સત્તાથી વિમુખ થયા છે તેમનું કામ તો ફક્ત અને ફક્ત પરમાર્થ માટેના બોધપાઠ આપવાનું છે. રાહુલ બાબા નરેન્દ્ર મોદીને સલાહ આપ્યા કરવાની ફરજ બજાવ્યા જ કરે છે. તેઓશ્રી મોદીના “કાઉન્ટર પાર્ટ” છે.

એક બાવાજી હતા. તેમણે એક દુકાને જઈને તે દુકાનના માલિકને કહ્યું

ચ્ચા, મૈં ભૂખા હૂઁ, કુછ ખાનાવાના મિલેગા ક્યા?”

શેઠને દયા આવી. શેઠ તે બાવાજીને પોતાને ઘરે લઈ ગયા. તેમને જમાડ્યા. પછી બે હાથ જોડી પૂછ્યુંબાવાજી !! કોઈ ઉપદેશ ….!!”

બાવાજી બોલ્યાઉપદેશબુપદેશ દેના હમારા કોઈ કામ નહીંહમારા કામ હૈ સિર્ફ ખાના પીના ઔર ઘુમના

મૌન રહેતા પોલીટીશ્યનો વિષે પણ આવું કહી શકાય.

પણ ઉપરોક્ત બાવાઓને તો આપણે સ્વેચ્છાએ ખવડાવીએ પીવડાવીએ છીએ. અને પોલિટીશ્યન બાવાઓ તો પેધા પડેલા અને માથા ભારે બાવાઓ છે તેઓ તો, પરાણે આપણી પાસેથી ટેક્ષના પૈસા ચરકાવે છે.

પરિભાષાની મુસીબત તો ઉભી છે. એટલે કે પ્રણાલીગત બાવાની વ્યાખ્યા શી હોઈ શકે, કે જેથી આપણે તેમને અલગ તારવી શકીએ અને તે પણ કાયદેસર રીતે.?

() વિનોબા ભાવે કહે છે કે જે બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરે છે અને કરાવે છે તે (સાચો બાવો). જો કે કૌંસમાં જે શબ્દ છે તે આપણે જોડ્યો છે.

પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

આપણે ગીતા દ્વારા જાણ્યું છે કે જ્ઞાન છે, વિજ્ઞાન છે, વિદ્યા છે, અવિદ્યા છે, કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, યોગ છે ધ્યાન છે … પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

વિનોબા ભાવેના માનવા પ્રમાણે, જે જ્ઞાનના જે વિભાગ દ્વારા, જડ વસ્તુનો (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે વિજ્ઞાન છે. જ્ઞાનના જે વિભાગ દ્વારા ચૈતન્યના (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે બ્રહ્મ વિદ્યા છે.

જો કે આપણે વિભાગીકરણ વિષે ચર્ચા નહીં કરીએ. કારણ કે આપણે બ્લોગને શુષ્ક બનાવવા માગતા નથી.

વિનોબા ભાવેના સદભાગ્યે, વિનોબા  ભાવે કબુલ રાખે છે કે જડ અને ચેતન એવા કોઈ ભેદ નથી. આખું બ્રહ્માણ્ડ ચેતનમય છે. પણ જેઓ આત્મા, પરમાત્મા વિષે અભ્યાસ કરે છે તેઓને બ્રહ્મવિદ્યાધર માનવા.

મોદીકાકા હિન્દુ ધર્મની ચાવી રુપ વિધાન અવારનવાર બોલે છે કેએકમ્હિ સત્‌ , વિપ્રા બહુધા વદન્તિ.” એટલે કે સત્ય એક છે પણ જ્ઞાનીઓ તેને જુદી જુદી (ગ્રાહ્ય થાય તે માટે) રીતે દર્શાવે છે. તમે તેને અગ્નિ કહો કે યમ કહો કે માતરિશ્વા કહો.

તો શું આપણે બાવાઓની વ્યાખ્યા રીતે કરી શું કે જેઓ બ્રહ્મવિદ્યાને જાણે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યા જાણતા હોવાનો દાવો રે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરે છે અને જેઓએ, કંઈક અંશે  જે કંઈ જાણ્યું, તે જ્ઞાન, પોતાના શિષ્યોને શિખડાવે છે તેને આપણે બાવા કહીશું?

અરે ભાઈ આવી માથાકૂટ કરવાની શી જરુર છે? જે દાઢી રાખે એ બાવો … 

અરે ભાઈ, હાલ તો દાઢીની ફેશન એક મહામારીની જેમ, ભાઈઓમાં ફેલાઈ ગઈ છે. આટલા બધાને કેવીરીતે બાવા બનાવાય? 

બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને અને સતત શિષ્યોની ભરતી માટ પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

યસ. વાખ્યા બરાબર છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

વહાણના મુસાફરો, ધ્યેય નિશ્ચિત, બાવાઓ, ધર્મ, સામાજિક હિત, પ્રણાલી, સંપ્રદાય, ગાદીપતિ, વંશ પરંપરાગત, બોધપાઠ, ન્યુટન, આઈનસ્ટાઈન, ફોર્સ ટુ પોઈન્ટ, આઈનસ્ટાઈનનો સિદ્ધાંત, ફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ, ગાંધીજી, આંદોલન, બ્રહ્મવિદ્યા, વિનોબા ભાવે, જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, અવિદ્યા, મોદીકાકા

Read Full Post »

તમારે રજનીશના ભક્ત થવું છે? મારે થવું છે.

બાવાઓ અત્ર તત્ર સર્વત્ર છે.

તમે રજનીશ, આશારામ, ધીરેન્દ્ર બ્રહ્મચારી, બાબા પરમસુખ, નિર્મલ બાબા અને લગભગ તેમના જેવાં રાધેમાં, એવાં “માં” ઓનો તૂટો નથી. જોકે આખી દુનિયામાં આવી સ્થિતિ પ્રવર્તે છે પણ ભારતમાં કંઈક વિશેષ હોય તેમ લાગે છે.

કટારીયાઓ પ્રત્યે કડવાશ નથી. દયા છે.

જેઓ પોતાને અસાધારણ નથી માનતા તેઓ આવા “બાબાઓ”ના અને “માં”ઓના ભક્ત બની જાય તો કદાચ ક્ષમ્ય ગણાય. પણ જેઓ પોતાને બુદ્ધિજીવી માનતા હોય અને સમાચાર પત્રોમાં કટારો લખતા હોય તેઓ જ્યારે આવા બાબાઓ અને માતાઓથી પ્રભાવિત થઈ જાય ત્યારે આશ્ચર્ય સહિત દુઃખ થાય છે. દુઃખ એ વાતનું કે દેશના સમાચાર માધ્યમો ઉપર કબજો ધરાવતા લોકોની જો બૌધિક કક્ષા આવા નિમ્ન સ્તરે હોય તો દેશમાટેના ઉચ્ચ સ્વપ્નો કોણ પુરા કરશે? જો કોઇ માઈનો લાલ નિકળશે તો પણ તે કેટલું પ્રદાન કરી શકશે?

આમ તો બાબા અને માતાઓ (“માં”ઓ) ના અનેક પ્રકારો છે. બધા જ બાબાઓ અને માતાઓ ઉપદ્રવી હોતા નથી.  જોકે મોટા ભાગના પોતાનું કાર્ય ક્ષેત્ર મર્યાદિત રાખે છે. કેટલાક પોતાનું ક્ષેત્ર દવા દારુ, યોગ અને આનંદ પુરતું મર્યાદિત રાખે છે. કેટલાક કૃષ્ણ, શિવ, સાંઈ, રામ, ઘનશ્યામ મહારાજની ભક્તિ કે વિદ્યા પ્રસાર સુધી સીમિત રાખે છે. અને કહે છે કે આ બુદ્ધિનો નહીં પણ શ્રદ્ધા અને પરંપરાનો વિષય છે.

કેટલાક બાવાઓ સુખીજીવન અને આનંદની વાતો કરે છે. કેટલાક બાવાઓ ચમત્કારની વાતો કરે છે તો કેટલાક વૈશ્વિક સત્યોની વાતો કરે છે.

બ્રહ્મજ્ઞાની બાવાઓ

મોટાભાગના બાવાઓ પોતાને બ્રહ્મસત્ય  એટલે કે યુનીવર્સલ ટ્રુથ ના જ્ઞાતાઓ માને છે. અને જેમ અગાઉ જે અવતારી પુરુષોના મુખેથી બોલાયેલા વાક્યો કે પછી તેમના શિષ્યોએ તેમના મુખમાં મુકેલા શબ્દો  જેવા કે તું મારે શરણે આવી જા હું તારો ઉદ્ધાર કરીશ અને તને આ લોક અને પરલોકમાં સુખી કરી દઈશ એવું કહી કહેવડાવી વસ્તાર વધારે છે.

કેટલાક પોતાના વિસ્તરિત વર્તુળ થકી અમુક જરુરીયાતવાળા લોકોની અમુક જરુરીયાતો પુરી પણ કરી અપે છે. કેટલાક બાવાઓના વાણીવિલાસથી અતિપ્રભાવિત થઈ જાય છે. તો કેટલાક આ બાવાઓએ પોતે ફેલાવેલી અફવાઓ કે તેમના શિષ્યોએ ફેલાવેલી અફવાઓથી અતિપ્રભાવિત થઈ જાય છે.

સંશોધનનો વિષય છે

આવા પ્રભાવિત થયેલા લોકોમાં છાપાંઓના કટાર ધારકો પણ હોય ત્યારે આ બાવાઓ સંશોધનનો વિષય લાગે છે. આવા પ્રભાવિત મહાનુભાવો કયા કારણથી પ્રભાવિત થાય છે તે બાબત પણ સંશોધનનો વિષય બને છે.

પણ હવે જો આરક્ષિત પ્રાણીઓનો શિકાર કરનારા હિરાભાઈઓ અને પંકાયેલા અસામાજીક તત્વો પાસેથી એકે ૫૬ જેવી બંદુક ખરીદનારા ની જાહેરાત ક્ષેત્રે અને બોલીવુડમાં બોલબાલા હોય અને જે દેશના  ન્યાયધીશો પણ તેનાથી પ્રભાવિત થતા હોય તો કટાર લેખકો વળી કઈ વાડીના મૂળા કે જેઓ આચાર્ય રજનીશના પ્રસંશક ચેલા ન બને!

પણ ધારો કે કોઈએ નક્કી કર્યું હોય કે મારે રજનીશના ચેલા બનવું છે, તો શું?

મને મારી વાત કરવી ગમતી નથી.

કારણ કે કદાચ મારી પોતાની વાત આત્મશ્લાઘામાં ગણાઈ જાય. અથવા જો કોઇ મારા વિષે જાણે તો, અને જો તેમનું ભણતર અને ઉલ્લેખિત જ્ઞાન મારા કરતાં ઓછું હોય તેવી તેમની સમજણ હોય તો, કદાચ મારી વાત અસ્પષ્ટ હોય અથવા તાર્કિક ન હોય અથવા અધુરી હોય તો, અને આવા સંજોગોમાં તેઓ જો મારી વાત સ્વિકારી લે તો એક ખોટો મેસેજ જાય.

*એવું પણ બને કે તેમની શૈક્ષણિક લાયકાત મારા કરતાં વધુ હોય, તેમનું વાચન અને લેખન પણ વધુ હોય અને ખ્યાતિ પણ વધુ હોય, પણ ફક્ત આ જ કારણોસર મારી વાત તેઓ સાચી ન માને અને આજ કારણસર ચર્ચાને નકારે, તો પણ જનતામાં એક ખોટો મેસેજ જાય.

“પ્રાણલાલ બાટલાવાળા”

આના બે દાખલા મારી પાસે છે. એક પ્રાણભાઈ જે “પ્રાણલાલ બાટલાવાળા” તરીકે ઓળખાતા હતા. તેમના વિષે મેં મારા મિત્રમંડળમાં એક ઈનામ બહાર પાડેલ. આ ઈનામ એ હતું કે જે કોઈ પ્રાણલાલભાઈને ખોટા સાબિત કરી દે તેને એક રુપીયો આપવો. જોકે એક રુપીયાને સો રુપીયા બરાબર ગણવાનો. કારણ કે આ ટોકન ઈનામ હતું.

પણ અમારા પ્રાણભાઈ એવા વક્તા કે તેમને વાત કરવામાં કોઈ પહોંચી ન શકે. એટલે અમારા મિત્રમંડળમાં બધા સમસમીને બેસી રહેતા અને મને કહેતા કે તમે એમને ચડાવો છો.

બીજું પણ એક ઈનામ જાહેર કરેલું તે ઈન્દીરા ગાંધી વિષે હતું. તે એમ હતું કે જો કોઈ એમ સાબિત કરી દે કે ઈન્દીરા ગાંધીએ કોઈપણ એક કામ સારું અને સાચું કર્યું હોય તો તેને એક રુપીયો ઈનામ આપવાનો. મારા આ બંને ઈનામ અકબંધ રહેલા. એક પ્રાણલાલભાઈને કારણે અને એક ઈન્દીરાને કારણે.

૧૯૭૧માં મારી કાળક્રમે અમદાવાદ બદલી થઈ. અહીં તો કોઈ પ્રાણલાલભાઈને ઓળખે નહીં એટલે એ ઈનામ સ્થગિત થયું.

મારે એક મારા ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર મિત્ર હતા. તેઓ બહુમોટા વિચારક પણ છે. ઈશ્વરની ઈચ્છા થકી હું બહુ ઓછી વ્યક્તિઓથી તેમના તર્ક, સમજણ અને કાર્યથી પ્રભાવિત થાઉં છું. પણ આ ભાઈ શ્રી મહેન્દ્ર ભાઈ તેમાં અપવાદ છે. તેઓ મારાથી કદાચ એકાદ વર્ષે નાના હશે પણ તેમના ત્યાગ અને કર્તવ્ય નિષ્ઠા થી ચોક્કસ કોઈપણ પ્રભાવિત થાય. આ મિત્ર થકી હું  અમદાવાદમાં  કેટલાક ગાંધીવાદીઓના સંપર્કમાં આવેલ.

મને બધા ગાંધી વાદી પ્રત્યે અત્યંત માન છે. અને સદાકાળ આ માન રહેશે. તો પણ કેટલાક અગ્રગણ્ય ગાંધીવાદીઓ પણ મારા આશ્ચર્ય વચ્ચે મને પરોક્ષ રીતે અહંકારી લાગ્યા. એટલે કે વિચારમાં તર્ક શુદ્ધતા જોવાને બદલે વિચાર ક્યાંથી (કઈ વ્યક્તિ તરફ થી) આવ્યો છે તેને વધુ મહત્વ આપતા હતા. આ વાત ની પૂર્વ ભૂમિકા સમજવા માટે ઉપરનો * માર્કા વાળો પેરા ફરીથી વાંચવો. મેં અમદાવાદમાં મારા મિત્રમંડળમાં એક ઈનામ જાહેર કર્યું. જે કોઈ મહાત્મા ગાંધીની કોઈ એક વાતને ખોટી સાબિત દેશે તેને સો રુપીયાનું ઈનામ આપીશ.

હવે આમાં થયું એવું કે જેઓ મારા કરતાં વધુ જ્ઞાની હતા અને ગાંધીજીના વધુ અભ્યાસી હતા તેમનું સ્વમાન ઘવાયું હોય તેવું લાગ્યું. આ તો એવી વાત થઈ કે કોઈ વ્યક્તિ વર્ડ્ઝવર્થને તેની આગળ કોઈ કુદરતી દૃષ્યનું પદ્યમય ગદ્ય કાવ્ય બનાવીને સંભળાવે.

એક બુઝર્ગ પ્રખર ગાંધીવાદીએ અમારી મંડળીમાં આ ચેલેન્જ ઝીલી અને એક દાખલો આપ્યો.

“એક અપરિણિત યુગલ ગાંધીજી પાસે આવ્યું. તેમના ધર્મ જુદા હતા. એક વ્યક્તિ મુસ્લિમ અને બીજી હિન્દુ એમ હતું. તેઓ ગાંધીજીની સલાહ લેવા આવ્યા કે તેમણે આ આંત‌ર્‌ ધર્મી લગ્ન કરવા કે નહીં. હવે તમે જાણો છો કે ગાંધીજી કોઈ એવા ભેદભાવમાં માનતા ન હતા કે ધર્મને કારણે લોકો જુદા પડે. સર્વધર્મ સમભાવમાં ગાંધીજી માનતા હતા. છતાં તેમણે આ યુગલને સલાહ આપી કે તેમણે આ લગ્ન ન કરવા. એટલે કે ગાંધીજી પોતે જ, પોતે પ્રબોધેલા સિદ્ધાંતથી વિરુદ્ધ ગયા. એટલે કે ગાંધીજી પોતે જ એટલા સાચા ગાંધીવાદી ન હતા. સાધ્યમ ઈતિ સિદ્ધં. લાવો ૧૦૦ રુપીયા.”

મેં કહ્યું કે યુગલે ગાંધીજીની સલાહ લેવાનું શા માટે નક્કી કર્યું? શું તેમને પોતાના ઉપર અને એકબીજા ઉપર આત્મવિશ્વાસ ન હતો? ગાંધીજીની સલાહ લેવા આવ્યા એજ વસ્તુ બતાવે છે કે તેમનામાં પુરતા આત્મવિશ્વાસ અને પરસ્પર વિશ્વાસની ઉણપ હતી. આંતર્‍ધર્મી લગ્ન એ એક પડકાર છે. એ પડકાર ઝીલવામાં કચાસ હોય તો યુગલ અને સમાજ બંનેને હાનિ થઈ શકે છે. ગાંધીજી આ વાત સમજી શકેલ તેથી તેમણે આપેલી સલાહ યોગ્ય જ હતી. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે અને સામાજિક પડકાર સહનકરવાનો આત્મવિશ્વાસ તેમનામાં હોવો જ જોઇએ.

મારી વાતનો એમની પાસે કે કોઇની પણ પાસે જવાબ ન હતો. અને હુડહુડ કરી મંડળી બરખાસ્ત થઈ.

હવે આપણા રજનીશભાઈના ભક્તોની વાત કરીએ.

એ પહેલાં એક આડવાત પણ કરી લઈએ. ગીતા વિષે કોઈ ગીતાના જ્ઞાનીને પૂછીએ કે તમે મને ગીતા વિષે કંઈ કહો. તો તે એમ કહેશે કે ભાઈ ગીતા તો એક મહાસાગર છે. તમે આ અઢાર અધ્યાય જેટલીવાર વાંચો એટલીવાર ઓછા. તમે જ્યારે જ્યારે વાંચો ત્યારે તમને નવું અને નવું વિચારવા મળે અને નવું ને નવું સત્ય લાધે.

ના છતાં પણ તમે મને કંઈક કહો. તો વિનોબા ભાવે કહે છે કે વેદોનો સાર ઉપનિષદો છે. ઉપનિષદોનો સાર ગીતા છે. ગીતાનો સાર, ગીતાના પહેલા ત્રણ અધ્યાય છે. ગીતાના પહેલા ત્રણ અધ્યાયનો સાર ગીતાનો બીજો અધ્યાય છે અને આ ગીતાનાબીજા અધ્યાય નો સાર, સ્થિતપ્રજ્ઞ લક્ષણના શ્લોકો છે અને આ શ્લોકોનો સાર શ્લોક નંબર ૬૨ અને ૬૩ છે.

આ શ્લોકો ध्यायतो विषयान्‌ पुंषः … થી શરુ કરી  बुद्धिनाशात्‍ प्रणष्यति સુધી છે. અને આ વાત ઉપર એક પ્રકરણ લખી શકાય. જોકે ગીતાના શ્રેષ્ઠ શ્લોકો આ જ છે કે બીજા તે વિષે અલગ અભિપ્રાય હોઈ શકે. મને તો “કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન …. મા તે સંગોસ્તુ અકર્મણિ” પણ એક શ્રેષ્ઠ શ્લોક કહી શકાય એમ લાગે છે. કોઈને શું વધુ બુદ્ધિગમ્ય લાગે છે અને ગમે છે તે તેની પ્રકૃતિ ઉપર આધારિત છે. પણ આ શ્લોકોમાં રહેલા સત્ય વિષે અલગ અભિપ્રાય ન હોઈ શકે. હોય તો તેની ઉપર ચર્ચા દ્વારા સમજી શકાય.

ગીતાનું બારદાનઃ અને રજનીશનું બારદાન

ગીતાની મહાનતાની વાત કરવા બેસીએ અને તેનું પુઠું કેવું સુંદર છે. તેની છપાઈ કેવી સરસ છે. તેના પ્રાસ કેવા સરસ છે. તે કયા પ્રેસમાં છપાયેલું અને કોના પ્રકાશનના સર્વહક્ક છે એવી વાતો કરીને ગીતાની ઉચ્ચતા સિદ્ધ ન થાય.

રજનીશના ભક્તો કંઈક આવું જ કરે છે. જ્યારે રજનીશજી વિષે કંઈક વાત કરવી હોય તો રજનીશની દાઢી કેવી છે, રજનીશ ક્યાં જન્મેલા, રજનીશ કયાં ભણેલા અને ક્યાં ભણાવતા, ક્યાં ફરેલા, કોને મળેલા, કોની વિષે બોલતા, કોની ટીકા કરતા, તેમના વિષયો શું હતા. તેઓ કેવા સરસ લયથી બોલતા, શ્રોતાઓની કેવી ભીડ રહેતી, ભાષા ઉપર જબરી પકડ રાખતા …વિગેરે.

ટૂંકમાં તમે રજનીશના વિચારો વિષે કે વિચારોના ઉંડાણ વિષે કે તેના વિચારોની સાર્વત્રિકતા વિષે કશું જાણી ન શકો.

ફલાણી ફિલમ બહુ સરસ હતી. તેના ગાણાં બહુ સરસ હતા. રજનીશની વાતો વિષે પણ આમ જ સમજવું.

વાસ્તવમાં ગાણાં કે સીનસીનેરી એ ફિલમની શ્રેષ્ઠતાનો માપદંડ નથી. ગાણાં, સીનસીનેરી, રંગો એ બધાં બાહ્ય જણશો છે.  ફિલમની બાબતમાં કથાવસ્તુમાં રહેલું ઉંડાણ અને તેની પ્રસ્તૂતિ એટલે કે નિર્દેશન મુખ્ય વસ્તુ છે.

રજનીશના ભક્ત

એક રજનીશના ભક્તે મને કહ્યું કે જુઓ મારી પાસે મારા પગથી શરુ કરી મારો હાથ પહોંચે એટલી રજનીશની ચોપડીઓ છે. તમે તેમની ટીકા કરો તે પહેલાં તમે એમની ચોપડીઓ વાંચો. જુઓ આ રહી ચોપડીઓ. અને તેમણે મને ચોપડીઓનો થપ્પો બતાવ્યો.

મેં તેમને કહ્યું હું તેમની જંગલમેં મોર નાચા અને બકરીની ત્રણ ટાંગ જેવી દલીલો વાળી ચોપડીઓ ન વાંચી શકું. પણ આપણા સાહિત્યમાં વિવેચનની એક પદ્ધતિ એ પણ છે જેનું નામ “શલાકા પરીક્ષા” છે.

જ્યારે કોઈ પુસ્તકનું વિવેચન કરવાનું હોય અને વિવેચક ને બહુ શ્રમ લેવો જાણ્યે અજાણે ગમતો ન હોય તો તે એક સળી પુસ્તકમાં ક્યાંક વચ્ચેના પાનાઓમાં ખોસે. જે પાનું ખુલે એ પાનું વાંચે અને તેની ઉપર ટીકા કરે. હવે જો તમારી ઈચ્છા હોય તો તમે જ એક પુસ્તક પસંદ કરો અને તમે જ તેમાં સળી ખોસો. હું એજ બે પાનાં વાંચીશ અને તમને બતાવીશ કે રજનીશની વાતો કેટલી તર્કહીન છે. તમે તમારી દલીલ કરજો હું મારી દલીલ કરીશ.  બોલો મંજુર છે. તે ભાઈએ ચેલેન્જ ન સ્વિકારી. બાંધી મુઠ્ઠી લાખની.

મારી માન્યતા છે કે દુનિયામાં કશું અલૌકિક નથી. ચમત્કારો થયા નથી, થતા નથી, અને થશે નહી. ઈશ્વર છે પણ તે તર્કથી છે. ઈશ્વર શ્રદ્ધાનો વિષય નથી. ઈશ્વર તેના ભક્તોને ઉપરવટ જઈ મદદ કરતો નથી. ઈશ્વરને પૂજો કે ન પૂજો તેથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી.

મનુષ્ય જાત, તેના સમાજની ઉન્નતિ માટે છે. માનવસમાજમાં વ્યક્તિની સુખસગવડ અને સંપત્તિ, તેને સમાજથી અળગો ન કરી દે, સંવાદ, અસંવાદ ન બને. માનવસમાજમાં અસમાનતા એટલી હદ સુધી જ હોય કે સંવાદ અને સહકાર જળવાઈ  રહે. હાથની પાંચ આંગળીઓ અસમાન હોવા છતાં અલગ અલગ અને સહયોગથી પણ કામ કરી શકે છે.  મનપસંદ જ્ઞાન માટેના દ્વારો સૌ માટે ખુલ્લાની સમાનતા પણ એટલી જ જરુરી છે.

રજનીશ ચર્ચામાં માનતા નથી. તેઓ તેમની કોઈ વાતની જવાબદારી લેવામાં પણ માનતા નથી. તેઓ કહે છે આજે હું જે કહું છું, આવતી કાલે તેથી ઉંધું પણ કહીશ. છતાં પણ તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. અને ક્યારેય તેમણે તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું કે નહીં, અને પરિવર્તન આવ્યું તો શું પરિવર્તન આવ્યું તેનો ફોડ તેમણે પાડ્યો નથી. તેમના ભક્તો પણ આ વિષે કશું કહેતા નથી. એક કાળે તેઓ અમેરિકા, તેના સંસ્કાર, તેની સરકાર, તેની જાહોજલાલી ના ચાર મોંઢે વખાણ કરતા હતા. અમેરિકાએ તેમની હકાલ પટ્ટી કરી એટલે પેટભરીને તેની બુરાઈ કરવા લાગ્યા. માંહ્યલી વાત શું હતી તેનો રજનીશે કે તેમના અનુયાયીઓએ કદી ફોડ પાડ્યો નથી. પારદર્શિતા બતાવવા માટે સિંહનું કાળજું જોઇએ. આચાર્ય રજનીશમાંથી ભગવાન રજનીશ થયા અને પછી ભગવાન રજનીશમાંથી ઑશો થયા. કારણ? રામ જાણે.

રજનીશને રામ કરતાં કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ વધુ પ્રિય છે. કારણ કે કૃષ્ણ અને મહાવીરના ઉપાસકો માલેતુજાર છે. અને બુદ્ધ આંતરરાષ્ટ્રીય છે.   

આમ તો લોકશાહી એક વ્યભિચારશાહી છે. પણ તેજ સૌથી ઓછી ખરાબ છે. અને તે જ પરવડે. તે સિવાય તેનાથી ઓછો ખરાબ કોઈ બીજો વિકલ્પ નથી.

આમ છતાં રજનીશે રાજકારણીઓને સામાન્યીકરણ વડે પેટભરીને ગાળો આપી અને પોતાની પીઠ થાબડી છે (હોલીઅર ધેન થાઉ). વિકલ્પ આપવાની દરકાર કરી નથી. રજનીશ એ વાત સમજી શક્યા નથી કે વિકલ્પ વગરના સૂચનો દેશને લોકોને અકર્મણ્યતા તરફ અને આ અકર્મણ્યતા દેશને વધુને વધુ અરાજકતા તરફ લઈ જાય છે.

દરિદ્રતા તે સામાજીક રોગ છે

રજનીશ તાનમાં ને તાનમાં લોકોને આંચકો લાગે તેવું ઘણું બોલે છે.

ગાંધીજીની ટીકા કરવી એને કેટલાક માલેતુજાર લોકો ફેશન ગણે છે. એમાં આપણા રજનીશભાઈ સહર્ષ સામેલ થાય છે.

ગ્રામોદ્યોગ, અસહકાર, અહિંસા, સત્યાગ્રહ વિષેના ઉચ્ચારણો વિષે મેં અત્ર તત્ર લખ્યું છે. તેથી પુનરાવર્તન કરતો નથી.

ગાંધીજીએ ગરીબ લોકોને દરિદ્રનારાયણ કહેલ. નારાયણ એટલે ભગવાન. દરિદ્રને એટલે કે ગરીબને ભગવાન ગણો.

રજનીશ ગાંધીજીની કંઈક આવી રીતે ટીકા કરેછેઃ

ગાંધીજી કહે છે કે દરિદ્ર વ્યક્તિ નારાયણ છે. દરિદ્રનારાયણની સેવા કરો. વાસ્તવમાં દરિદ્રતા એક રોગ છે.   રોગને નારાયણ કેવી રીતે કહેવાય. રોગ છે. દરીદ્ગતાને જો નારાયણ ગણીએ તો તો પછી ટીબી, મેલેરીયા, ફ્લ્યુ બધા નારાયણ કહેવાય…. વિગેરે.

હવે રજનીશભાઈને ખબર નથી કે દરીદ્રનારાયણ પાછળ શું વિચાર અને ઉપચાર માટેની પ્રાથમિકતા પડેલી છે. ટીબી, મેલેરીયા, ફ્લ્યુ વિગેરે શારીરિક રોગ છે. દરીદ્રતા તે સામાજીક રોગ છે.

હવે જો રાજ્ય નો વહીવટ અને નીતિ એવી હોય કે તેમાં દશકા સુધી કોઈ અસરકારક સુધારો જોવા મળે તો સમજવું જોઇએ કે ખાટલે મોટી ખોડ છે.

ગરીબને અનુકુળ સરકારની નીતિઓ હોય અને સાક્ષરો જો વિતંડાવાદમાં રાચતા હોય તો ગરીબની સ્થિતિ એવી બને કે તમે એને એક રુમમાં બહારથી તાળુ મારીને પૂરી દીધો અને પછી તેને કહો છો કે તૂં બહાર કેમ નથી નિકળતો? તારો વાંક છે. તૂં રોગીષ્ઠ છે. રજનીશની આવી વાત થઈ. રજનીશે સમજવું જોઇએ (જો વાચન સાથે વિચાર અને મંથન હોય તો સમજાયને!) કે સમાજની માનસિકતા તમે વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણીની પ્રણાલી કેવી રાખો છો તેના ઉપર અવલંબે છે.

રાજ્યે પોતાની માનસિકતા કેવી રાખવી જોઇએ?

તેને માટે ગાંધીજી કહે છે કે સૌની પાસે ઈશાવાસ્ય વૃત્તિ હોવી જોઇએ. ઈશાવાસ્ય વૃત્તિ એટલે ઈશ્વરનો વાસ સર્વત્ર છે. તેથી તૂં તને જરુર હોય તેટલું લે. વધારાનું લેવું અણહક્કનું છે.

જો રાજ્ય  ગરીબ માણસમાં પણ ઈશ્વરને જુએ તો રાજ્યની માનસિકતા બદલાય.  અને જો રાજ્યની માનસિકતા બદલાય તો તે પોતાની પ્રણાલીઓની બદલે.

પણ લોકશાહીમાંરાજ્યકોના દ્વારા વહિવટ કરે છે?

રાજ્ય લોકો દ્વારા વહીવટ કરેછે. જો લોકો ઈશાવાસ્ય વૃત્તિ નહીં રાખે તો રાજ્ય કેવી રીતે રાખશે? લોકોને દોરનાર કોણ છે? લોકોને દોરનાર મૂર્ધન્યો છે. જો રજનીશભાઈ પોતાની જાતને મૂર્ધન્યોમાં એટલે કે વિચારક અને બહુશ્રુત માનતા હોય તો તેમણે ઈશાવાસ્ય વૃત્તિ એટલે શું તે સમજવું જોઇએ અને તેને આત્મસાત્કરવી જોઇએ. પણ આપણા રજનીશભાઈનામાં કોઈ ગહનતાથી વિચારવાની આદત નથી.

રજનીશ વિષે મેં છૂટક છૂટક લખ્યું છે. જે નીચેની લીંક ઉપર મળશે.

ઓશો તો અનોશો (ઋતં નો વિરુધ્ધાર્થ જેમ અનૃતં થાય છે તેમ ઓશો નું અનોશો સમજવું) જ લાગ્યા છે. visit treenetram.wordpress.com for “ચોક્ખું ઘી અને હાથી”, “સુજ્ઞજનોએ બળાપો કરવો કે નહીં”, “નિંદારસમાં રહેલો ઈશ્વર”

જો કોઈ રજનીશની કોઈ પરમ વાત કરશે તો ચર્ચામાં આનંદ મળશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રજનીશ, આચાર્ય, ભગવાન, ઑશો, બાવાઓ, બ્રહ્મજ્ઞાની, ભક્તો, તર્કહીન, બેજવાબદારી, ચમત્કાર, ઈશ્વર, વૈશ્વિક, માલેતુજાર,

Read Full Post »

%d bloggers like this: