Feeds:
Posts
Comments

Posts Tagged ‘બ્રહ્મચર્ય’

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૫

અગાઉ આપણે જોયું કે ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી હોવાથી તે શક્યતાના સિદ્ધાંત અનુસાર સ્વચ્છંદી થઈને છકી ન જાય તે માટે સમાજની સામુહિક બુદ્ધિ દ્વારા નીતિનિયમો ઘડાયા. સમયે સમયે અનુકુળતાની શક્યતા અનુસાર મહાપુરુષો પણ પેદા કર્યા. આ મહાપુરુષો કંઈ સર્વ ક્ષેત્રોમાં જ્ઞાની હોય તે જરુરી નથી. કારણ કે જ્ઞાનનો સીધો સંબંધ સ્મૃતિ અને વિચાર હોય છે. જો તમે દરેક વિષયમાં તમારા અંગો દ્વારા માહિતિનો સંચય કરવા જાઓ અને તે દ્વારા તર્ક કરીને નિર્ણયો કરવા જાઓ તો તમને અપાર આયુષ્ય પણ ઓછું પડે. એટલે બધી જ બાબતો માં કોઈ વ્યક્તિ નિપૂણ થઈ ન શકે. દરેક વ્યક્તિ જે તે વિષયના પોતાને સ્વિકૃત લાગે તે નિષ્ણાતોના નિર્ણયોને સ્વિકારતો થયો. જેઓ સમાજશાસ્ત્રમાં નિષ્ણાત હતા તેમાં ગાંધીજીની ગણના થાય. પણ દરેક શાસ્ત્રને સમજવા માટે તર્કની તો જરુર પડે.

પ્રયોગો અને ઉપકરણો

તર્ક એ પણ એક શાસ્ત્ર છે. દરેક શાસ્ત્રમાં ઉપકરણો અને પ્રયોગો કરવા પડે. કોઈ પણ જાતના પ્રયોગોમાં ઉપકરણો પ્રયોગથી અલિપ્ત રહેવા જોઇએ. જેમકે ગતિ માપવાનું જે ઉપકરણ હોય તે જે પદાર્થની ગતિ માપવાની હોય તેની ગતિમાં ફેરફાર કરી નાખે અથવા તો જે પદાર્થ ગતિમાં હોય તે આ ઉપકરણના કામકાજ ઉપર અસર કરતું થઈ જાય તો આપણને સાચા અવલોકનો ન મળે.

સમાજશાસ્ત્રમાં સામાન્યરીતે સમાજશાસ્ત્રી વ્યક્તિ પોતે એક ઉપકરણ બની જાય છે. આમાં ઓશો આશારામ, સંત રજનીશમલ, સમાજ સુધારક તરુણ તેજપાલ વિગેરે અનેક લોકો વિષે આવું જ થયું છે. જોકે સમાજ સુધારક તરુણ તેજપાલ પોતે કોઈ સમાજશાસ્ત્રી નથી. પણ તેમની મુખ્ય પ્રવૃત્તિનો હેતુ તો સમાજ સુધારણા નો છે.

ઈશ્વરે મૈથુની સૃષ્ટિમાં કરેલું સર્જન, આ નર અને માદા શું છે?

મનુષ્યેતર પ્રાણીઓમાં એક સંવનન કાળ હોય છે. તેઓ આ સંવનન કાળ સિવાય નર કે માદા તરીકે વર્તતા નથી. તેમજ શિકાર કે ભોજન પ્રાપ્તિ માટે પણ નર કે માદા તરીકે વર્તતા નથી. જો કે દરેક પ્રાણી માટે આ વાત સાચી નથી. પ્રજોત્પત્તિ માટે શારીરિક રીતે બળદ નપુંસક છે. પણ ગૌશાળામાં ગાય અને બળદને અલગ રાખવા પડે છે. આ નરો બીજા નરને પ્રતિસ્પર્ધી માને છે. પણ એ સિવાય તેમનું વર્તન તેઓ પોતાને નર સમજે એવું હોતું નથી.

મનુષ્યમાં હમેશા આમ નથી. મનુષ્ય પોતે, આહાર લેવો, નિદ્રા લેવી અને મૈથુન કરવું એ સિવાય અનેક જાતના અગણિત કર્મો કરે છે. તે કર્મો કરવામાં તે પોતાની જાતિ પ્રદર્શિત કર્યા કરે એ જાતનું વર્તન કરવું તેને માટે જરુરી હોતું નથી. મોટે ભાગે તેવું હોતું પણ નથી.

ફિલ્મી નર માદાઓ

પણ તમે ફિલમોમાં (ફિલમમાં ટીવી સીરીયલો પણ આવી જાય) શું થાય છે તે જુઓ. ફિલમ એ સમાજનું પ્રતિબિંબ હોવું જોઇએ. પણ તેમ નથી. મોટે ભાગે હિરીઓની (હિરોઈનોની) સ્ટાઈલો અદાઓ, પોતે માદા છે તે સભાનપણે દર્શાવતી હોય છે. હિરાભાઈઓ પણ, પોતે નર છે તે સભાનપણે બતાવતા હોય છે. હિરાભાઈ અને હિરીબેનો જવલ્લેજ અભિનેતા/અભિનેત્રી તરીકે કામ કરતા હોય છે. તમે એ પણ જોઈ શકશો કે તેમનું વિજ્ઞાપન પણ એજ રીતે થતું હોય છે. આખો સમાજ અને સમાચાર માધ્યમો પણ આ હિરાભાઈ/હિરીબેનોને આજ રીતે જોતા હોય છે. પહેલાં સમાચાર પત્રોમાં ફક્ત શુક્રવારે જ ફિલમને લગતું એક પાનુ આવતું હતું. આજે રોજ એક પાનુ આવે છે અને શુક્રવારે હિરાભાઈ/હિરીબેનો માટે એક ચાર/છ પાનાની પૂર્તિ આવે છે. આ પાનાઓમાં પણ અભિનયને લગતી ચર્ચા જવલ્લે જ હોય છે. તેમની અંગત વાતો અને જાણીજોઈને ચલાવાયેલી અફવાઓ વધુ હોય છે. આ નર અને માદાઓમાં એક પતિત્વ/પત્નિત્વ ની પ્રણાલી જોવી કે આડા સંબંધો ન જોવા તે હાસ્યાસ્પદ ગણાય છે.

શું વાસ્તવમાં સમાજમાં આવું છે?

અપવાદ રુપે કેટલાક કિસ્સોમાં થોડીક વ્યક્તિઓ એવી હશે. પણ સમાજ એવો તો નથી જ. પણ ફિલમ નિર્માતાઓ પોતાના મનોગત જગતને આ રીતે પ્રતિબિંબિત કરે છે. એક બીજું કારણ એ પણ હોય છે કે ફિલમ નિર્માતાઓ જનતાની માનસિક જાતીય અતૃપ્તિને આ રીતે સંતોષવાના અને પ્રેક્ષકોને આકર્ષવાના એક પરિબળ તરીકે તેનો ઉપયોગ કરે છે.

નરમનુષ્ય, માદામનુષ્યને શું કરવા માગે છે? જે રીતે માદા પોતાના મનમાં નર પોતાને શું કરે તો ગમે એ ક્રિયા નરના મનમાં આપોઆપ રીતે ઉત્પન્ન થાય છે. જેમકે માદાને પોતાને મનગમતો નર તેને દબાવે, તેને ઉચકી લે તેને ગોળ ગોળ ફેરવે વિગેરે વિગેરે ઈચ્છાઓ કરે છે. નરના મનમાં પણ માદા માટે એવી ઈચ્છા ઉભી થાય છે કે તે માદાને દબાવે અને ઉચકે લે વિગેરે વિગેરે. નરના મનમાં એવી ઈચ્છા ઉત્પન થતી નથી કે માદા તેને ઉચકી લે અને ગોળ ગોળ ફેરવે. આ એક કુદરતી વ્યવસ્થા છે. આ વાત મનુષ્ય માદા દરેક મનુષ્ય નર વિષે વિચારતી નથી, પણ ભય જરુર રાખે છે. અતૃપ્ત નરમનુષ્ય, બાધ્ય માદાઓ (બાધ્ય સગાંઓ) સિવાય લગભગ બધી જ માદાઓ વિષે આવું વિચારે છે.

નરમનુષ્ય અતૃપ્ત શા માટે છે? તેનું કારણ મોટે ભાગે તેની નવિનતાની ઈચ્છા અને જે માદાને તે પરણ્યો છે તેનો અપૂરતો સહકાર કારણભૂત હોય છે. મનુષ્ય સમાજમાં નર મનુષ્યો એક બીજા સાથે કોઈ એક માદા માટે લડીને કપાઈ ન મરે તે માટે સમાજે તેના ઉપર નિયંત્રણો મુક્યા. અને આ નિયંત્રણો ને લીધે માદા પોતાનામાં ઉભી થયેલી સુરક્ષાની ભાવનાના પરિણામ સ્વરુપે બહુગામી થતી નથી. પણ માદામાં એક સુસુપ્ત ભાવના હોઈ શકે કે કોઈ મનગમતો નર તેના ઉપર બળજબરી કરે. આ વાત સાવજ નકારી ન શકાય. મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે.

નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, કાલીદાસ વિગેરેની રચનાઓ માદામનુષ્યોમાં પણ મનપસંદ હોય છે.

ગાંધીજીનો પણ મુખ્ય હેતુ સમાજ સુધારણા માટેનો હતો

સમાજ રહેતી વ્યક્તિઓ સુખ, શાંતિ અને એક બીજાને પરોક્ષકે પ્રત્યક્ષ શારીરિક હાનિ પહોંચાડ્યા વગર રહે તે માટે સમાજે નિયમો અને નીતિઓ ઘડી. આહાર, નિદ્રા, ભય (અપૂરતી સુરક્ષા) અને મૈથુન વિષે સંશોધનો થયા અને તેના પણ ફરજીયાત અને મરજીયાત નિયમો થયાં. સમાજશાસ્ત્રીઓએ આવા નિયમો બનાવતી વખતે આહાર, નિદ્રા, ભય અને મૈથુનના હેતુઓ વિષે પણ વિચાર્યું.

ગાંધીજીને પ્રશ્ન થયો કે મૈથુન નો હેતુ શો છે? તેમને લાગ્યું કે મૈથુનનો હેતુ સંતાનની ઉત્પત્તિ માટે છે.

શું મૈથુનનો હેતુ ફક્ત અને ફક્ત સંતાનની ઉત્પત્તિ માટેનો જ છે?

ગાંધીજીએ બ્રહ્મચર્યને તેની સાથે સાંકળ્યું. અગાઉના લોકોએ કરેલા પ્રયોગોના તારણો પ્રમાણે બ્રહ્મચર્યનો અપાર મહિમા છે. એટલે તેમને લાગ્યું કે પરાપૂર્વથી ચાલ્યું આવતું અને અનુભવે માન્યતા પ્રાપ્ત કરતું આ તારણ ખોટું તો ન જ હોઈ શકે. તો તેનો અર્થ એમ થયો કે સામાન્ય સંજોગોમાં મનુષ્યે નપુંસક રહેવું જોઇએ.

બ્રહ્મચર્ય ફક્ત શારીરિક રીતે જ હોય તો બ્રહ્મચર્ય અસરકારક બનતું નથી. એટલે કે બ્રહ્મચર્યના લાભ મળતા નથી. એટલે મનુષ્યે મનથી પણ બ્રહ્મચર્ય પાળવું જોઇએ. મનથી પણ બ્રહ્મચારી બનવા માટે વિચારોમાં પણ વિજાતીય વ્યક્તિ સાથે શારીરિક સુખની ઈચ્છા ઉત્પન્ન જ ન થવી જોઇએ.

એક નવો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે. જો અદ્વૈતવાદ પ્રમાણે મનુષ્યનો હેતુ આનંદ પ્રાપ્ત કરવાનો છે. આનંદ તો,  શારીરિક સુખ, સગવડ, અને જ્ઞાનથી મળે છે. તો પછી જો વિજાતીય વ્યક્તિસાથે શારીરિક સુખથી જે આનંદ મળે છે તેને સીમિત શા માટે કરવો? એટલે કે તે આનંદ ફક્ત સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવા પૂરતો મર્યાદિત શા માટે રાખવો?

ગાંધીજી ગીતા પ્રમાણે સમજ્યા કે સાચો આનંદ અને કાયમી આનંદ એ જ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ છે. આહારથી જે આનંદ પ્રાપ્ત થાય છે તેને સમય મર્યાદા હોય છે. નિદ્રા ખપ પૂરતી હોવી જોઇએ. ભય નો અભાવ એ ભયને નાબુદ કરનારી સુરક્ષા માટેની સમજ છે. એટલે કે તે જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. એટલે જ્ઞાનથી પ્રાપ્ત થતો આનંદ સાચો આનંદ છે.

સાચો આનંદ એટલે શું?

જે આનંદ સ્થાઈ છે તે સાચો આનંદ. જે આનંદ અસ્થાઈ છે તે ખોટો આનંદ હોવો જરુરી નથી, પણ તે આનંદ કાયમી એટલે કે સ્થિર નથી તેથી તે આપણું ધ્યેય ન હોવું જોઈએ.

ખોટો આનંદ એટલે શું?

બીજાને નુકશાન કરીને જે આનંદ પ્રાપ્ત થાય તે ખોટો આનંદ છે. આ આનંદ પણ અસ્થાઈ હોય છે.

એટલે જેઓ સ્થાયીને છોડીને અસ્થાયીની પાસે જાય છે (સ્વિકારે છે), તેને માટે સ્થાયી તો નાશ પામ્યા બરાબર છે (કારણ કે તેણે સ્થાયી તો સ્વિકાર્યું જ નથી) અને જે અસ્થાયી સ્વિકાર્યું છે તેતો નાશ પામવાનું જ છે. યો ધૃવાણિ પરિત્યજ્ય અધૃવં પરિસેવતે, ધૃવાણી તસ્ય નશ્યંતિ, અધૃવં નષ્ટં એવ ચ. (ગીતા).

આહાર થી મળતો આનંદ અસ્થાયી છે. જો કે આહાર જરુરી છે. તેથી તેને તેનો હેતુ સરે તે પૂરતો  સીમિત રાખવો. નિદ્રા પણ અસ્થાયી છે. જો કે નિદ્રા જરુરી છે. તેથી તેને તેના હેતુ પૂરતી સિમિત રાખવી. શરીર થકી મળતા સુખોને નિયંત્રિત અને સીમિત રાખવા જેથી મન ઉપર કાબુ વધે. આ જ વાત વિજાતીય વ્યક્તિ સાથેના શારીરિક સુખને પણ લાગુ પડે છે. જે આ કરી શકે છે તેને પવિત્ર જાણવો.

પરદાર પરદ્વવ્ય પરદ્રોહ પરાંગમુખઃ

ગંગાબૃતે કદાગત્ય માં અયં પાવયિષ્યતિ?

પરસ્ત્રી, પરધન અને બીજાએ કરેલા દ્રોહથી જે વિમુખ હોય છે તેને વિષે ગંગા કહે છે કે તે આવીને મને ક્યારે પવિત્ર કરશે?

ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે મનને કેવીરીતે તાબે કરવું?

આહાર લેવાથી રસાયણો બને છે. વિચાર કરવાથી રસાયણો બને છે. અને આ રસાયણો વળી મન અને વિચારોને નિયંત્રિત કરે છે. તેથી આહાર અને મન ઉપર નિયંત્રણ રાખવા માટેની પ્રક્રિયા  સતત ચાલુ રાખવી જોઇએ. એટલે કે અભ્યાસ કરવો જોઇએ.  

મહાત્મા ગાંધીએ મનને કાબુમાં રાખવા ઘણા પ્રયોગો કર્યા. આ પ્રયોગોમાંનો એક પ્રયોગ, વિજાતીય વ્યક્તિ સાથે નપુંસક મન રાખી સહશયન કરવું એ હતો.

મહાત્મા ગાંધીનો પ્રયોગ, સંતરજનીમલ થી તદ્દન વિરોધી હતો. જાતીય સુખ ભોગવવાની મનોવૃત્તિથી તદ્દન વિરુદ્ધ હતો.

ગાંધીજી તેમના પ્રયોગમાં સફળ થયા હતા ખરા. પણ તેમણે આની જાહેરાત ન કરી. કારણ કે ગાંધીજી, આ પ્રયોગના ભયસ્થાનો જાણતા હતા.

કેટલાકને ગાંધીજીના બે સ્ત્રીઓના ખભાનો સહારો લઈને ચાલતા હોય એવા ફોટાઓ જોઇએને કરંટ લાગે છે. અને તેઓ આ ફોટાઓને આધારે ગાંધીજીને વ્યભિચારી કહેવાની ઘૃષ્ટતા કરતા હોય છે.  તેમણે જાણવું જોઇએ કે તે ગાંધીને માતા માનતા હતા.

બાપુ મારી મા

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ  શક્યતા, સિદ્ધાંત, ગાંધીજી, સમાજશાસ્ત્ર, પ્રયોગ, ઉપકરણ, વિજાતીય, શારીરિક, સુખ, આનંદ, સીમિત, મૈથુન, હેતુ, બ્રહ્મચર્ય, મહિમા, ગીતા, જ્ઞાન, કાયમી, મર્યાદિત, અસ્થાયી, નપુંસક

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 4

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૪

આહાર નિદ્રા, ભય અને મૈથુન શું ઘટાડ્યા ઘટી શકે છે?

આગળ જોઇએ

આંશિક શરીરને નિદ્રા

સજીવના કોષો જો હમેશા કાર્યરત રહે તો અમુક હદ પછી તે નબળા પડી જાય. તેથી તેની સક્ષમતા ઘટે. આ માટે પ્રકૃતિએ તેમને માટે નિદ્રાની જોગવાઈ કરી. પણ આ નિદ્રાની જોગવાઈ બધી જાતના કોષ માટે નથી. દરેક કોષ બેઝીક ટાઈમના પલ્સના આધારે કામ કરે છે. કેટલાક કોષો અને અંગો તેના અંતરાલમાં આરામ લઈ લે છે. જેમકે હૃદયના ધડકારા. ફેફસાંની શ્વાસોચ્છવાસની ક્રિયા. લોહીનું ભ્રમણ અને હવાનું ભ્રમણ દબાણના આધારે થાય છે. આ બધી વાતો લાંબી છે. ટૂંકમાં નિદ્રા અંગોને  આરામ આપે છે. આહાર, શરીરમાં વપરાતા ઘસારાને કારણે તત્વોમાં થતી ખોટને પૂરે છે.

 “આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે” આમાં વાસ્તવિકતા કેટલી?

આહારઃ

શરીરના કોષોની સક્રીયતા ટકાવી રાખવા માટે અને નવા કોષોની જરુર હોય તો તે ઉત્પન્ન કરવા માટે આહાર જરુરી હોય છે. જો આહારનું પ્રમાણ વધુ હોય અને પોષક તત્વો લોહીમાં પૂરતા પ્રમાણમાં હોય તો વધારાનો આહાર મળ-મૂત્ર સ્વરુપે બહારનીકળી જાય છે. ચરબીનો સંચય થાય છે. ચરબીના દહનથી કોષનું તાપમાન જળવાઈ રહે છે. આ કારણથી આહારને ઘણી હદસુધી ઘટાડી શકાય છે. લોહી દ્વારા કોષોને ચરબી સહિતના પોષક તત્વો મળતા રહે છે. પોષક તત્વો લોહીમાં ઘટે એટલે ભૂખ તરસ લાગે છે. આ એક વ્યવસ્થા છે. ભૂખ લગાડનારી વ્યવસ્થામાં રહેલું તંત્ર અમુક હદના ઉપવાસ પછી નિસ્ક્રીય થઈ જાય છે. પણ પાણી ઘટે તો શરીરને તરસ લાગવાથી અને પાણીના અભાવે કામ કરતું બંધ થઈ જાય છે. આમ આહાર અમુક હદ સુધી જ ઘટાડી શકાય છે. શરીર પોતે ટકી શકવાની હદ સુધી ટેવાઈ જાય છે.

નિદ્રાઃ

નિદ્રા પણ અમુક હદ સુધી ઘટાડી શકાય. નિદ્રા એટલે આમ તો મગજના એક હિસ્સાને મળતો આરામ છે જે સ્મૃતિને આરામ આપવાનો છે. આમાં ગંધ, સ્વાદ, સ્પર્ષ અને વિચારની ક્રિયા બંધ થાય છે.

ભયઃ

ભય એ એક વિઘટનની ક્રિયા વિષેનું પૂર્વાનુમાન છે. જેના પ્રમાણનો આધાર ડીએનએની સંચરના ઉપર છે. મનુષ્યમાં “વિચાર” અને “સમજણ” એ બંને ની ઘનિષ્ઠતા પણ ભાગ ભજવે છે. ભય જેટલા પ્રમાણમાં ઓછો થાય એટલા પ્રમાણમાં, વીરતામાં વૃદ્ધિ થાય છે.

મૈથુનઃ

કુદરતે આપેલી આ એક વૃત્તિ છે. જેનો હેતુ તદ્રુપ જીવોને ઉત્પન્ન કરી જીવસમૂહને ટકાવી રાખવાનો છે. આ વૃત્તિની ઘનિષ્ઠતાનો આધાર પણ ડીએનએ-આરએનએના બંધારણ ઉપર આધાર રાખે છે.

શરીરમાં કોષોને ખૂટતા તત્વો, શરીરમાં કોષોને ટેવથી પડેલા તત્વો, શરીરમાં કોષોને જોઈતા તત્વો, શરીરમાં કોષોને પરવડતા તત્વો, જેમાં બધું જ આવી જાય તેને આપણે રસાયણો કહીશું. આ રસાયણો મનુષ્યના અને સૌકોઈ સજીવના આચાર વિચાર આઘાત પ્રત્યાઘાત  ઉપર અસર કરે છે. માણસ પોતાના વિચારોની ઘનિષ્ઠતાના આધારે પોતાના અમુક રસાયણોમાં ફેરફાર કરી શકે છે. અને આ રસાયણો મનુષ્યના આચારોને નિયંત્રિત કરેછે.

જો માણસ જાતીય વિચારોની ઘનિષ્ઠતામાં જ રચ્યો પચ્યો રહે તો તેનામાં તેવા રસાયણો ઉત્પન્ન થાય છે અને તેથી તેની વૃત્તિઓ પણ તે સ્વરુપની ઉત્પન્ન થાય છે. વૃત્તિઓ તેને તેવા આચારોની દીશામાં પ્રેરે છે.

જાતીય વિચારો અને આચારો ઉપર સંયમ કેટલી હદે જરુરી?

માત્ર જાતીય વિચારો જ, શરીરમાં રહેલા રસાયણ ઉપર અવલંબે છે એટલું જ નહીં પણ વિચારો માત્ર રસાયણ ઉપર આધાર રાખે છે. અમુક વિચારોને રોકનારા વિચારો પણ પ્રતિ-રસાયણો ઉપર આધાર રાખે છે. જેમ બહારના આક્ર્મક માઈક્રોઓર્ગેનીક્ઝમ (જેમકે વાઈરસ) સામે લડનારા સફેદ કણો શરીરમાં હાજર હોય છે તેવું જ રસાયણ, પ્રતિ-રસાયણનું હોય છે. અમુક અમુક જાતના ડ્ર્ગ્ઝ લેવાથી માણસને અમુક જાતના વિચારો આવે છે. માણસમાં અમુક જાતના પ્રતિભાવો આપવાની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માણસ વિચારોમાં સાતત્ય જાળવી શકતો નથી… દીશા શૂન્ય થઈ જાય છે, નાની નાની વાતોમાં ગુસ્સે થાય છે, રડવા લાગે છે… હસવા લાગે છે …. હળવો થઈ ગયો હોય … ઉડતો હોય …. તેવી અનુભૂતિઓ થવા લાગે છે. આ બધું રસાયણો ઉપર આધારિત હોય છે.

જાતીય વૃત્તિ પણ રસાયણ ઉપર આધાર રાખે છે. આ રસાયણો તેને વારસામાંના ડીએનએ-આરએનએ દ્વારા મળે છે. અને તેના પ્રમાણની વધઘટ ખોરાક અને વિચારોની ઘનિષ્ઠતા ઉપર અવલંબે છે. વિચારોના આધારે રસાયણો અને પ્રતિ રસાયણો કાર્યશીલ થઈ વૃત્તિઓને આચાર તરફ જવા પ્રેરે છે.

લગ્નની વ્યવસ્થા શા માટે ઉત્પન્ન થઈ?

જો કોઈપણ નર કોઈપણ માદા સાથે પશુઓની જેમ શારીરિક સંબંધો બાંધે તો પાશવી શક્તિ સમાજ ઉપર હામી થાય છે. કારણ કે મનુષ્ય જાતિ વિચારશીલ છે અને તે વ્યુહ રચનાઓ કરી શકે છે ઠગાઈઓ કરી શકે છે તેથી કાળાંતરે મનુષ્ય જાતિ જ નષ્ટ પામી જઈ શકે છે. પણ મનુષ્યજાતિનો સમૂહ પણ એક સજીવ છે અને તે પોતે પણ ટકી રહેવાની પ્રાકૃતિક વૃત્તિ ધરાવે છે. આ વૃત્તિની રુએ, જાતીય વૃત્તિના આચારને બેફામ થતો રોકે છે. આ માટે તે વૃત્તિને રોકવા માટે જરુરી, જે પ્રતિ-રસાયણો છે, તેને બનાવવા, પોતાના સમૂહમાં નીતિ નિયમો ઘડે છે. આ નીતિ નિયમો દ્વારા મનુષ્યસમુહે વર્તન બાબતમાં મર્યાદાઓ બાંધી છે. જાતીય સંબંધ બાંધવા માટે સગાંઓને બાધ્ય ગણ્યા. નજીકના સગાંઓને તો સાવ જ બાધ્ય ગણ્યા. ઉમરના મોટા તફાવતને બાધ્ય ગણ્યો. લગ્નપ્રથાને ઉજવણીનો પ્રસંગ ગણ્યો જેથી કોણ કોની સાથે છે તે જાહેર થાય. હક્કો અને ફરજો આપ્યા. આ બધાનો હેતુ જાતીય જીવનમાં અરાજકતા ન થાય તે માટેનો હતો.

બે વિજાતીય વ્યક્તિઓ એકબીજા સાથે પરિણિત છે. આ વ્યક્તિઓ વચ્ચે રસાયણોનો તાલમેલ ન હોય તો શું થાય? આવા લગ્નો કેવી રીતે ટકાવી શકાય? પ્રેમના રસાયણનો તાલમેલ હોય, ફરજ અને હક્કને સમજવાના  રસાયણનો તાલમેલ હોય, પસંદગી નાપસંદગીના રસાયણનો તાલમેલ હોય પણ શારીરિક સંબંધની વૃત્તિના રસાયણ વચ્ચે તાલમેલ ન હોય તો શું કરવું? આના ઉપાય તરીકે વેશ્યા વ્યવસાય ઉત્પન્ન કરવામાં આવ્યો. જો કશામાં તાલમેલ ન હોય તો છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી.

જો સ્ત્રી બહુગામી હોય તો તે વેશ્યા વ્યવસાય કરી શકે અથવા પતિથી ખાનગીમાં બીજા સાથે સંબંધ રાખે. આ વાતની નરને ખબર પડે કે ખબર ન પણ પડે. જો આ આડસંબંધની ખબર પડે અને જો પુરુષ નપુંસક હોય તો આંખ આડા કાન કરે અને જો તેમ ન હોય તો ક્યારેક છૂટા છેડા પણ આપી શકે.

જો પુરુષ બહુગામી હોવાની ટેવવાળો હોય કે છૂટક હોય તો સ્ત્રી કંકાસ કરે અથવા સમસમીને બેસી રહે. પણ જવલ્લે જ એવું વિચારે કે તે અને તેના પતિની જાતીય વૃત્તિ બાબતની કેમેસ્ટ્રી મેચ થતી નથી અને તેને પોતાને સમજણ દ્વારા અને અથવા હોર્મોન થેરેપી દ્વારા મેચ થવાની જરુર છે. વાત બહુ નાની છે. પણ આ નાની વાત, સમાજમાં અસામાજીકતા અને અરાજકતા સર્જે છે.

ભ્રમર વૃત્તિ

પુરુષની ભ્રમર વૃત્તિ એ કુદરતની દેન છે. તેથી જ તત્વ વેત્તાઓએ સંયમની વાત ઉપર જોર આપ્યું છે.

શું જાતીય વૃત્તિ ઉપરનો સંયમ અને અકુદરતી રીતે થતું વિર્ય સ્ખલન નુકશાન કારક છે?

શું બ્રહ્મચર્યનો ગવાતો મહિમા એક ફરેબ છે?

જાતીય વૃત્તિ ના વિષય ઉપરના પંડિતો એવું કહેતા જોવા મળે છે કે અકુદરતી રીતે કરવામાં આવતું વીર્યસ્ખલન કુદરતી વલણ છે અને તેનાથી કશું નુકશાન નથી. સંત રજનીશમલ પણ એમજ કહે છે કે જાતીયવૃત્તિ ઉપરનો સંયમ જાતીયવૃત્તિને વધુ તીવ્રતા આપે છે. માટે લગ્ન સંસ્થા એક નિરર્થક સંસ્થા છે. લગ્ન સંસ્થાનું મૃત્યુ નિશ્ચિત છે અને તે થવાનું જ છે. સમાધિ એક આનંદ છે અને સંભોગ પણ આનંદ છે માટે સંભોગ દ્વારા સમાધિ પ્રાપ્ત કરવી.

જો કે આ એક તર્કહીન તારણ છે.

ભગવાન કૃષ્ણ ગીતામાં શું કહે છે?

અર્જુને કૃષ્ણભગવાન ને પ્રશ્ન કરેલ કે જો સંયમી થવાની ઈચ્છા હોય પણ ન થઈ શકાતું હોય તો શું કરવું?

કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે “અભ્યાસ કરવો”. અભ્યાસ એટલે કે તે કામ અવારનવાર અને સતત કર્યા કરવું. જ્યારે બાળક ચાલવાનું શિખતું હોય ત્યારે તે અવારનવાર પડી જાય છે. છતાં તે પ્રયત્ન ચાલુ રાખે છે. પોતાના પ્રયત્નો તે ચાલુ રાખે છે. પ્રયત્ન કરતાં કરતાં તે ચાલવાનું શિખી જાય છે. પછી તેને માટે ચાલવાનું એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. સંયમ વિષે પણ આમ જ છે. જોકે સંત રજનીશમલના શિષ્યો કહેશે કે આ તર્ક ખોટો છે. શરીરના હલન ચલનને કાબુમાં રાખવું અને શરીરને ટેવ પાડવી એ વાતને મનની ગતિવિધિઓ સાથે સરખાવી ન શકાય.

કૃષ્ણ ભગવાન આવો ભેદ પાડતા નથી. મૂળવાત સમજણની છે. નાનું બાળક અજ્ઞાતરીતે સમજે છે કે મારે ચાલ્યાવગર છૂટકો નથી. બધા મજાના બે પગે ચાલે છે. માટે ચાલવું તે અશક્ય નથી.  આનો અર્થ એ થયો કે સામાજીક વાતાવરણ, માણસની વૃત્તિ ઉપર અસર કરે છે. જો સામાજીક નિયમો અને અંકુશો નબળા હોય તો માણસનું મન પણ નબળું પડે, કારણકે સમજણ વિકસતી નથી.

સમાજનો ભય માણસના મનને અંકુશમાં રાખે છે. જો એક વખત બુદ્ધિપૂર્વકની સમજણ ઘર કરી જાય એટલે કે જે સમજાયું તે આત્મસાત પણ થઈ જાય તો મન પણ પૂર્ણપણે અંકુશમાં આવી જાય છે.

આમ કૃષ્ણભગવાન એમ કહે છે કે;

તમારી મનની ઈચ્છાને બાજુ પર રાખો. તેનાથી અલિપ્ત બનો. તટસ્થ બનીને માત્ર બુદ્ધિથી જ વિચારો. કારણ કે જો તમે આમ નહીં કરો તો તમે ઈચ્છાપૂર્વકની કામનાની દિશામાં જ એકાંગી રીતે વિચારતા થશો. કામનાથી અલિપ્ત નહીં થાઓ તો તમે અસ્વસ્થ થશો. (પોતાના ઉપર ક્રોધ કરશો એટલે કે આત્મવિશ્વાસ ગુમાવશો. આ સ્થિતિ તમને નિરાશા તરફ દોરી જશે). નિરાશા જનક સ્થિતિમાં તમારે જે દલિલો યાદ કરવાની છે તે તમે તમારી સ્મૃતિમાંથી બહાર કાઢી શકશો નહીં. એટલે તમે તર્કનો ઉપયોગ નહીં કરી શકો. તમે તર્ક નહીં કરો એટલે તમે મનુષ્ય તરીકે ખતમ થશો.

આનો અર્થ એ થયો કે જો તમે કોઈપણ નિર્ણયમાં તટસ્થભાવ ન રાખો, અને મનની સાથે લિપ્ત રહીને જ બુદ્ધિને નિર્ણય કરવાનું કહો તો, બુદ્ધિ બારે દિશામાંથી મેળવેલી સ્મૃતિઓનો ઉપયોગ કરશે નહીં, અને તમે જે નિર્ણય કરશો તે વાસ્તવમાં મનનો જ નિર્ણય હશે. મનને તો તમે અલિપ્ત કર્યું જ નથી, એટલે જે નિર્ણય થયો તે બુદ્ધિનો નિર્ણય તો છે જ નહીં. મન પ્રમાણેનું આચરણ કરવામાં તમે મનુષ્યત્વ ગુમાવો છો.

વાસ્તવમાં મન તો તમારું નોકર છે, પણ તમે ગર્વથી કહો છો કે હું તો મનનો મોજી છું. હું તો મારા મનના (નોકરના) કહેવા પ્રમાણે જ વર્તીશ. હું કંઈ કોઈનો ગુલામ નથી.

વાસ્તવમાં તમે તો તમારા નોકરના ગુલામ છો.

બધાજ બનાવો નિશ્ચિત છે

આધુનિક ભૌતિક શાસ્ત્રીઓ કહે છે કે બ્રહ્માંડમાં બધું જ નિશ્ચિત છે. મનુષ્ય શું વિચારશે તે નિશ્ચિત છે. મનુષ્ય કેવી રીતે વર્તશે તે પણ નિશ્ચિત છે. જો કોઈ એક વ્યક્તિના રસાયણ જ એવા હોય કે લાખ વિચારો બુદ્ધિ પૂર્વક કરે અને પ્રતિ-રસાયણો ઉત્પન્ન કરે પણ આ પ્રતિરસાય્ણો જાતીય વૃત્તિનું દમન ન કરી શકે તો શું કરવું? જો દરેક મનુષ્યનો સ્વભાવ બ્રહ્માંડની નિશ્ચિતતાને આધિન હોય તો મનુષ્ય વાંકમાં આવ્યો જ ન ગણાય. હવે જો મનુષ્ય વાંકમાં જ આવ્યો ન હોય તો તેને સજા પણ કેવી રીતે થઈ શકે?

ઈશ્વર કહે છે કે તમે સમજી લો અને માની લો હું મનુષ્યની વ્યક્તિગત સુરક્ષા માટે નથી. હું ફક્ત વ્યક્તિગત મનુષ્યને જ સજીવ માનું છું તેમ નથી. હું તો સમાજને પણ સજીવ માનું છું. એટલે મનુષ્ય વ્યક્તિગતરુપે અને સમાજ સામુહિક રીતે, એ બંનેના પ્રમાણસરના મિશ્રણથી જે કંઈ નિર્ણયો અને આચરણો થશે તે, જે તે સમાજનું ભાવી નક્કી કરશે. જો એક મનુષ્ય વ્યક્તિગત રીતે પ્રતિ-રસાયણ ઉત્પન્ન નહીં કરે તો સમાજ તેને દંડ આપીને તે વ્યક્તિની અંદર રહેલા વિઘાતક રસાયણને નબળું પાડી દેશે અને સમાજમાં કુલ પ્રતિ-રસાયણનું પ્રમાણ વધશે. આ પ્રમાણે આ પ્રતિરસાયણ મનુષ્ય સમાજને જાતીય સંબંધોમાં સ્વચ્છંદતા લાવતાં રોકશે.

GANDHI AND MANUBEN GANDHI

મહાત્મા ગાંધી શું કહે છે? તેમણે શું કર્યું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, કોષ, સમુહ, ઘટાડ્યાં ઘટે, વધાર્યાં વધે, જાતિય, વિચાર, સમજણ, સંયમ, અભ્યાસ, બુદ્ધિ, તર્ક, અલિપ્ત, સ્મૃતિ, વૃત્તિ, ભ્રમર, આચાર, નીતિ, નિયમ, લગ્ન, મનુષ્યત્વ, રસાયણ, પ્રતિ-રસાયણ, નિશ્ચિત, બ્રહ્મચર્ય, કુદરતી, વીર્યસ્ખલન,

Read Full Post »

This is about Rape on Female by Saints and Controversy on Mahatma Gandhi  

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ

માદાઃ

માદા એટલે નારી જાતિ. પણ આપણે ખાસા કરીને સ્ત્રીઓને માદા તરીકે ગણીને વર્તતા સંતો વિષે વિશ્લેષણ કરીશું.

શિયળઃ

શિયળ એટલે સ્ત્રીની માદા હોવાને નાતે કુદરતે આપેલી શારીરિક, બાહ્ય, આંતરિક, માનસિક અને વ્યવહારિક સંપત્તિ. સંપત્તિનો અમુક વ્યક્તિઓ સિવાય કોઈ બીજો ઉપયોગ કરી શકે. અને જો સ્ત્રીની માનસિક ઈચ્છા વિરુદ્ધ અને ખાસ કરીને તે સ્ત્રીના પતિ સિવાય જો કોઈ ઉપયોગ કરે તો તે સ્ત્રીનો શિયળ ભંગ થયો ગણાય. અને તે વ્યક્તિ અને બીજી વ્યક્તિઓએ જેણે વ્યક્તિને મદદ કરી હોય તે કાનૂની રીતે ગુનેગાર ગણાય. આમ આ બનાવને સ્ત્રીનું શિયળ લૂંટ્યું ગણાય અને લૂંટમાં મદદ કરી ગણાય.

સંતઃ

સંત એટલે મહાનુભાવ. જે પોતાને જ્ઞાની માને છે અને સમાજને સુધારવાની પોતે કોશિસ કરે છે એવું પોતાનું ધ્યેય છે તેમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માને છે તે સંત કહેવાય. આપણે ફક્ત પુરુષો પુરતી ચર્ચા કરીશું. સંત પુરુષોમાં પ્રણાલીગત રીતે ઓળખાતા સંતો અને બીજા સમાજ સુધારકો આવે છે. સંતો પરિણિત અને અપરિણિત હોય છે. જેઓ અપરિણિત છે તે બ્રહ્મચારી ગણાય છે. અને જેઓ પરિણિત છે પણ ફક્ત પોતાની પત્ની સાથે શારીરિક સુખ ભોગવે છે તેમને પણ સંત કહેવાની પ્રણાલી છે.

બ્રહ્મચારીઃ

જે વ્યક્તિ કોઈપણ વિજાતીય વ્યક્તિ સાથે મનથી, વાણીથી અને કર્મ થી શારીરિક સંબધ રાખતી નથી અને જે પરમ તત્વને પામવા જ્ઞાનની ઉપાસના કરે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચારીને પણ સંત કહેવું હોય તો કહી શકાય.

સમાજ સુધારકોઃ

સમાજ સુધારકો એટલે જેઓ સમાજને સમાજની અંદર પ્રવર્તતા તેમને સમજાયેલા દુષણોને દૂર રવાનો પ્રયત્ન કરનારા, સમાજને  ઉચ્ચ કક્ષાએ લઈ જનારા અને સમાજમાં શાંતિ, સુખ અને જ્ઞાન પ્રવર્તે તે માટે કર્મ કરનારા, ખ્યાતિ પામેલા ઉપરોક્ત સંત અને વ્યક્તિઓ  હોય છે.

આપણે આપણી ચર્ચા ત્રણ ચાર સંતો પુરતી મર્યાદિત રાખીશું.

SOCIAL REFORMERS

સંતો છે; ઓશો આશારામ, સંત રજનીશ, સમાજ સુધારક તરુણ તેજપાલ અને મહાત્મા ગાંધી.

શિયળની લૂંટઃ

આમ તો કશું ભૌતિક રીતે કશું લૂંટાતું નથી. પણ એક વ્યક્તિને સુખ થાય છે અને બીજી વ્યક્તિને પહેલી વ્યક્તિના આચારથી દુઃખ થાય છે. લૂંટ, ચોરી અને છેતરપીંડી ભૌતિક વસ્તુઓ બાબતની હોય છે. પણ અહીં તે માનસિક અને સામાજીક હોય છે.

સ્ત્રી સાથેનું જાતીય સુખ કઈ રીતે પામી શકાય છે?

સમાજની સ્વિકૃતિના નિયમો પ્રમાણે સ્ત્રી સાથેનું જાતીય સુખ મેળવાય છે.

સ્ત્રી સાથે બળ દ્વારા પણ જાતીય સુખ ભોગવી શકાય છે. બળમાં બૌધિક બળ પણ આવે છે.

સ્ત્રી પ્રતિકાર કરી શકે તેવા  સંજોગોમાં સ્ત્રી સાથે જાતીય સુખ ભોગવી શકાય છે.

સ્ત્રી ને કામ ચલાઉ રીતે પ્રતિકાર હીન કરીને બૌધિક બળથી સ્ત્રીને મોહિત કરીને સ્ત્રી સાથે જાતીય સુખ માણી શકાય છે. જોકે કામચલાઉ સમયકેટલો હોઈ શકે સાપેક્ષ છે. તે શૂન્ય થી જીવન પર્યંત સુધીનો હોઈ શકે.

સ્ત્રીને પ્રતિકાર હીન કઈ રીતે કરાય છે?

કેટલીક સ્ત્રીઓના મનને સમજીને તેને પ્રતિકાર હીન કરી શકાય છે.

 

કેટલીક સ્ત્રીઓને ભેટ સોગાદો આપીને કે લાલચો આપીને કે અમુક વચનો આપીને પ્રતિકારહીન કરી શકાય છે.

એવા સંજોગો ઉત્પન્ન કરીને કે આવી પડવાથી કેટલીક સ્ત્રીઓને પ્રતિકારહીન કરી શકાય છે.

વિશ્લેષણ શું કરી શકાય?

ઓશો આશારામઃ

ઓશો આશારામ એવા સંજોગો ઉભા કરતા હશે કે સ્ત્રી પ્રતિકાર કરી શકે. સ્ત્રીની ધાર્મિક અંધતાનો લાભ, લાલચ, ભેટ સોગાદ વિગેરેનો ઉપયોગ કરીઠગ વિદ્યા અપનાવતા હશે. તેઓ રસાયણોનો પણ ઉપયોગ પણ કરતા હશે. વાત કારી શકાય. જરુર પડે બળજબરી પણ કરતા હશે. પણ ઓશો આશારામ પાસે મહાનુભાવ હોવાનું વ્યક્તિબળ હોવાથી પીડિતા પ્રતિકાર કરતી નહીં હોય અથવા પ્રતિકાર કરવામાં નિસ્ફળ જતી હશે.

ઓશો આશારામ વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના પૂર્વાશ્રમમાં ગાંધીજીના ગુજરાતમાં દારુ પહોંચતો કરવાનું કામ કરતા હતા. જેમ દારુની લત અને પરસ્ત્રી સંગની લત નજીકના સંબંધો ગણાવાય છે, તેમ કદાચ ઓશો આશારામની બાબતમાં બન્યું હોય. એવું ન પણ હોય.

ઉત્તરભારતના બાવા-ક્ષેત્રમાં એક માન્યતા પ્રચલિત છે કે ગુજરાત એ બાવાઓ માટે સ્વર્ગ છે. આ માન્યતાના આધારે ઓશો આશારામે મંદિરના વ્યવસાયમાં ઝંપલાવ્યું હશે. થોડી ઇંટો ગોઠવવીને દેરીનો આભાસ કેવી રીતે ઉત્પન્ન કરવો અને પછી સાચે સાચ દેરી બનાવી દઈને તેને વિકસાવતા વિકસાવતા મંદિર કેવીરીતે કરી દેવું તે બાવાઓ, પોલીસભાઈઓ અને જનપ્રતિનિધિઓ જાણે છે. જો ગામ શહેરની બહાર આ ક્રિયા કરી હોય તો જમીનનો વધુ અને વધુ કબજો કેવી રીતે જમાવતા જવું અને અન્ય સુવિધાઓ કેવી રીતે ઉભી કરવી તે પણ આજ લોકો જાણે છે અને તેમાં રેવન્યુ ખાતાના ભક્તો પણ સામેલ થાય કે ભાગબટાઈ કરી લે છે. પૂર્વાશ્રમના મિત્રો નું મિલન સ્થળ કે ગુફતેગુ-સ્થળ પણ આજ હોય છે. ધીમે ધીમે નવા સભ્યો દાખલ થાય છે. ઉત્તર ભારતના થોડા નવા સવા લોકો પણ આવે જ્ઞાનની વાતો પણ થાય અને આપણા મૂળ બાવાજીના જ્ઞાનમાં વૃદ્ધિ પણ થાય. ધંધો વિકાસ પામે અને નવા ધંધાઓનો પણ સમાવેશ થાય. કેટલાક શાખાઓ ખુલે અને સામ્રાજ્ય થાય. સંપત્તિ, ધન અને ભક્તો આવે એટલે સ્ત્રી ભક્તો આવે. સ્ત્રી ભક્તો આવે એટલે મદદ વાંચ્છું સ્ત્રીઓ પણ આવે. સ્ત્રી એક વાર બાવાજીને શરણે આવે એટલે બાવાજીની દાઢ ન સળકે તો જ નવાઈ કહેવાય. દવાઓ અને રસાયણો આવે. એટલે ભલભલીઓ વશ થઈ જાય. કારણ કે દારુ કરતાં પણ રસાયણો વધુ જોરદાર હોય છે.  

સંત રજનીશમલઃ

સંત રજનીશમલ ની વાત થોડી અલગ છે. તેમની કાર્ય શૈલી થોડી અલગ છે. જૈન સાધુમહારાજ કંઈક ભણેલા હોય છે. તેઓ મર્યાદા બાંધીને કાર્ય આગળ ધપાવે છે અને તેમાં પણ મર્યાદા નક્કી કરે છે.

સંત રજનીશમલને થયું કે આ ચીલાચાલુ રીતે મહારાજ સાહેબ થઈને રહીશું તો મનુષ્ય દેહ કોઈ ખાસ આનંદ આપી શકશે નહીં. વળી આપણે આપણું કાર્યક્ષેત્ર જૈન ધર્મીઓ અને અપાસરા પુરતું મર્યાદિત રાખીશું તો આપણે પણ તેના નિયમો અને કર્તવ્યોના ગુલામ થઈને રહેવં પડશે. માટે જો મુક્ત બનવું હશે તો કંઈક બોલવું પડશે. (બોલવાથી મુક્તિ મળે છે). વળી એક જ પંથના શિષ્યો થકી દી વળશે નહીં. માલેતુજારો તો જૈન ઉપરાંત વૈષ્ણવ વણિકોમાં પણ હોય છે. એટલે મહાવીર સ્વામીને છોડ્યા વગર કૃષ્ણ ભગવાનને પણ પકડો.

સંત રજનીશમલને ખબર હતી કે એમ કંઈ વૈષ્ણવો આવશે નહીં. પહેલાં થોડી ખ્યાતિ મેળવો. પછી અહિંસા, પ્રેમ, આનંદ, તત્વ જ્ઞાન અને યોગની વાતો કરો.

છાપાંવાળાઓનું કેવું હોય છે? કુતરું માણસને કરડે તો તે “સમાચાર” ન કહેવાય. પણ જો માણસ કુતરાને કરડે તો સમાચાર કહેવાય. કારણ કે માણસ કુતરાને કરડે તે અસામાન્ય બનાવ કહેવાય. અસામાન્ય બનાવ “સમાચાર” માટે પ્રસિદ્ધિને લાયક બને છે.

ઓગણીસસો પચાસના દાયકાનો ઉત્તરાર્ધ

ઓગણીસસોપચાસના દાયકાના અંતિમ વર્ષોમાં આપણા સંત રજનીશમલ ગુજરાતના પટમાં આવેલ. અને તેમણે મહાત્મા ગાંધી ઉપર સૈધાંતિક વૈચારિક આક્રમણ કરેલ.   આમ સંત રજનીશમલે પહેલાં મહાત્મા ગાંધીની અહિંસામાં રહેલા હિંસક તત્વ ઉપર હુમલો કર્યો. ક્યારેક ગાંધીજીની હિંસાને અપૂર્ણ અહિંસામાં ખપાવી. તો ક્યારેક તેને કાયરતામાં ખપાવી. તમને થશે કે તો તો સંત રજનીશમલે ગાંધીજી વિષે ઘણું વાંચ્યું હશે. ના … જી. ના … જી. જો શબ્દોની રમત આવડતી હોય અને શ્રોતાગણ કે મુદ્રકગણ (છાપાંવાળા), અલ્પજ્ઞ હોય તો આ રમત અમુક ખાસ લોકોને ઠીક ઠીક ખ્યાતિ અપાવી શકે. આમ તો પોતે જબલપુરના હોવા છતાં આ સંત રજનીશમલે જબલપુઅરના ગાંધી ચોકના ગાંધીજીના બાવલા નીચે લખેલ ગાંધીજીના વાક્યો પણ વાંચેલ નહીં. પણ ગુજરાતના છાપાંવાળાને આવી બધી ખબર ક્યાંથી હોય? વળી એ જમાનો એવો હતો કે સાધુ મા’તમાઓ તો સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે. એવા જમાનામાં જો સંત રજનીશમલ જેવા મા’તમા જો મા’તમા ગાંધી વિષે કંઈ અજુગતું તો બોલે તો છાપાંવાળા કંઈ થોડા ઝાલ્યા રહે?

આમ સંત રજનીશમલે જરુરી ખ્યાતિ મેળવી લીધી. પછી વાણીવિલાસમાં કૃષ્ણ ભગવાનને રંગે ચંગે ભેળવ્યા. પોતે યુનીવર્સલ છે તે બતાવવા બુદ્ધ ભગવાનને ભેળવ્યા. અને માખીઓ બણબણે તેવી આકર્ષક વાનગીઓ તૈયાર કરી. કૃષ્ણ ભગવાન એક સર્વ સ્વિકૃત પાત્ર છે. જેમ “નાટ્યં ભિન્નરુચેઃ જનસ્ય એકં સમારાધનમ્‌” (નાટક ભિન્ન ભિન્ન રુચિના લોકોને પ્રસન્ન કરવાનું એક સાધન છે), તેમ કૃષ્ણભગવાન વિષે પણ તેવું જ છે. ભિન્ન ભિન્ન પુરુષો અને સ્ત્રીઓ બંનેને કૃષ્ણભગવાનની ભિન્ન ભિન્ન વાતો થી પ્રસન્ન કરી શકાય છે. આમ તો શિવ અને પાર્વતિ પણ છે. પણ તેઓ તો પ્રતિકાત્મક છે. જ્યારે કૃષ્ણ અને રાધા તો હાડમાંસના હતા. (જોકે રાધા વિષે વિવાદ છે). પણ વિવાદો તો ક્યાં નથી?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શિયળ, લૂંટ, સ્ત્રી, માદા, પુરુષ, જાતીય, આનંદ, બળજબરી, અનિચ્છા, પ્રતિકાર, બાવા, સંત, મહાનુભાવો, ઓશો, આશારામ, સંત રજનીશ, તેજપાલ, ઠગ, જૈન, મહારાજ, વૈષ્ણવ, વાણિયા, માલેતુજાર, બ્રહ્મચર્ય, આનંદ

Read Full Post »

%d bloggers like this: