This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 4
માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૪
આહાર નિદ્રા, ભય અને મૈથુન શું ઘટાડ્યા ઘટી શકે છે?
આગળ જોઇએ
આંશિક શરીરને નિદ્રા
સજીવના કોષો જો હમેશા કાર્યરત રહે તો અમુક હદ પછી તે નબળા પડી જાય. તેથી તેની સક્ષમતા ઘટે. આ માટે પ્રકૃતિએ તેમને માટે નિદ્રાની જોગવાઈ કરી. પણ આ નિદ્રાની જોગવાઈ બધી જાતના કોષ માટે નથી. દરેક કોષ બેઝીક ટાઈમના પલ્સના આધારે કામ કરે છે. કેટલાક કોષો અને અંગો તેના અંતરાલમાં આરામ લઈ લે છે. જેમકે હૃદયના ધડકારા. ફેફસાંની શ્વાસોચ્છવાસની ક્રિયા. લોહીનું ભ્રમણ અને હવાનું ભ્રમણ દબાણના આધારે થાય છે. આ બધી વાતો લાંબી છે. ટૂંકમાં નિદ્રા અંગોને આરામ આપે છે. આહાર, શરીરમાં વપરાતા ઘસારાને કારણે તત્વોમાં થતી ખોટને પૂરે છે.
“આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે” આમાં વાસ્તવિકતા કેટલી?
આહારઃ
શરીરના કોષોની સક્રીયતા ટકાવી રાખવા માટે અને નવા કોષોની જરુર હોય તો તે ઉત્પન્ન કરવા માટે આહાર જરુરી હોય છે. જો આહારનું પ્રમાણ વધુ હોય અને પોષક તત્વો લોહીમાં પૂરતા પ્રમાણમાં હોય તો વધારાનો આહાર મળ-મૂત્ર સ્વરુપે બહારનીકળી જાય છે. ચરબીનો સંચય થાય છે. ચરબીના દહનથી કોષનું તાપમાન જળવાઈ રહે છે. આ કારણથી આહારને ઘણી હદસુધી ઘટાડી શકાય છે. લોહી દ્વારા કોષોને ચરબી સહિતના પોષક તત્વો મળતા રહે છે. પોષક તત્વો લોહીમાં ઘટે એટલે ભૂખ તરસ લાગે છે. આ એક વ્યવસ્થા છે. ભૂખ લગાડનારી વ્યવસ્થામાં રહેલું તંત્ર અમુક હદના ઉપવાસ પછી નિસ્ક્રીય થઈ જાય છે. પણ પાણી ઘટે તો શરીરને તરસ લાગવાથી અને પાણીના અભાવે કામ કરતું બંધ થઈ જાય છે. આમ આહાર અમુક હદ સુધી જ ઘટાડી શકાય છે. શરીર પોતે ટકી શકવાની હદ સુધી ટેવાઈ જાય છે.
નિદ્રાઃ
નિદ્રા પણ અમુક હદ સુધી ઘટાડી શકાય. નિદ્રા એટલે આમ તો મગજના એક હિસ્સાને મળતો આરામ છે જે સ્મૃતિને આરામ આપવાનો છે. આમાં ગંધ, સ્વાદ, સ્પર્ષ અને વિચારની ક્રિયા બંધ થાય છે.
ભયઃ
ભય એ એક વિઘટનની ક્રિયા વિષેનું પૂર્વાનુમાન છે. જેના પ્રમાણનો આધાર ડીએનએની સંચરના ઉપર છે. મનુષ્યમાં “વિચાર” અને “સમજણ” એ બંને ની ઘનિષ્ઠતા પણ ભાગ ભજવે છે. ભય જેટલા પ્રમાણમાં ઓછો થાય એટલા પ્રમાણમાં, વીરતામાં વૃદ્ધિ થાય છે.
મૈથુનઃ
કુદરતે આપેલી આ એક વૃત્તિ છે. જેનો હેતુ તદ્રુપ જીવોને ઉત્પન્ન કરી જીવસમૂહને ટકાવી રાખવાનો છે. આ વૃત્તિની ઘનિષ્ઠતાનો આધાર પણ ડીએનએ-આરએનએના બંધારણ ઉપર આધાર રાખે છે.
શરીરમાં કોષોને ખૂટતા તત્વો, શરીરમાં કોષોને ટેવથી પડેલા તત્વો, શરીરમાં કોષોને જોઈતા તત્વો, શરીરમાં કોષોને પરવડતા તત્વો, જેમાં બધું જ આવી જાય તેને આપણે રસાયણો કહીશું. આ રસાયણો મનુષ્યના અને સૌકોઈ સજીવના આચાર વિચાર આઘાત પ્રત્યાઘાત ઉપર અસર કરે છે. માણસ પોતાના વિચારોની ઘનિષ્ઠતાના આધારે પોતાના અમુક રસાયણોમાં ફેરફાર કરી શકે છે. અને આ રસાયણો મનુષ્યના આચારોને નિયંત્રિત કરેછે.
જો માણસ જાતીય વિચારોની ઘનિષ્ઠતામાં જ રચ્યો પચ્યો રહે તો તેનામાં તેવા રસાયણો ઉત્પન્ન થાય છે અને તેથી તેની વૃત્તિઓ પણ તે સ્વરુપની ઉત્પન્ન થાય છે. વૃત્તિઓ તેને તેવા આચારોની દીશામાં પ્રેરે છે.
જાતીય વિચારો અને આચારો ઉપર સંયમ કેટલી હદે જરુરી?
માત્ર જાતીય વિચારો જ, શરીરમાં રહેલા રસાયણ ઉપર અવલંબે છે એટલું જ નહીં પણ વિચારો માત્ર રસાયણ ઉપર આધાર રાખે છે. અમુક વિચારોને રોકનારા વિચારો પણ પ્રતિ-રસાયણો ઉપર આધાર રાખે છે. જેમ બહારના આક્ર્મક માઈક્રોઓર્ગેનીક્ઝમ (જેમકે વાઈરસ) સામે લડનારા સફેદ કણો શરીરમાં હાજર હોય છે તેવું જ રસાયણ, પ્રતિ-રસાયણનું હોય છે. અમુક અમુક જાતના ડ્ર્ગ્ઝ લેવાથી માણસને અમુક જાતના વિચારો આવે છે. માણસમાં અમુક જાતના પ્રતિભાવો આપવાની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માણસ વિચારોમાં સાતત્ય જાળવી શકતો નથી… દીશા શૂન્ય થઈ જાય છે, નાની નાની વાતોમાં ગુસ્સે થાય છે, રડવા લાગે છે… હસવા લાગે છે …. હળવો થઈ ગયો હોય … ઉડતો હોય …. તેવી અનુભૂતિઓ થવા લાગે છે. આ બધું રસાયણો ઉપર આધારિત હોય છે.
જાતીય વૃત્તિ પણ રસાયણ ઉપર આધાર રાખે છે. આ રસાયણો તેને વારસામાંના ડીએનએ-આરએનએ દ્વારા મળે છે. અને તેના પ્રમાણની વધઘટ ખોરાક અને વિચારોની ઘનિષ્ઠતા ઉપર અવલંબે છે. વિચારોના આધારે રસાયણો અને પ્રતિ રસાયણો કાર્યશીલ થઈ વૃત્તિઓને આચાર તરફ જવા પ્રેરે છે.
લગ્નની વ્યવસ્થા શા માટે ઉત્પન્ન થઈ?
જો કોઈપણ નર કોઈપણ માદા સાથે પશુઓની જેમ શારીરિક સંબંધો બાંધે તો પાશવી શક્તિ સમાજ ઉપર હામી થાય છે. કારણ કે મનુષ્ય જાતિ વિચારશીલ છે અને તે વ્યુહ રચનાઓ કરી શકે છે ઠગાઈઓ કરી શકે છે તેથી કાળાંતરે મનુષ્ય જાતિ જ નષ્ટ પામી જઈ શકે છે. પણ મનુષ્યજાતિનો સમૂહ પણ એક સજીવ છે અને તે પોતે પણ ટકી રહેવાની પ્રાકૃતિક વૃત્તિ ધરાવે છે. આ વૃત્તિની રુએ, જાતીય વૃત્તિના આચારને બેફામ થતો રોકે છે. આ માટે તે વૃત્તિને રોકવા માટે જરુરી, જે પ્રતિ-રસાયણો છે, તેને બનાવવા, પોતાના સમૂહમાં નીતિ નિયમો ઘડે છે. આ નીતિ નિયમો દ્વારા મનુષ્યસમુહે વર્તન બાબતમાં મર્યાદાઓ બાંધી છે. જાતીય સંબંધ બાંધવા માટે સગાંઓને બાધ્ય ગણ્યા. નજીકના સગાંઓને તો સાવ જ બાધ્ય ગણ્યા. ઉમરના મોટા તફાવતને બાધ્ય ગણ્યો. લગ્નપ્રથાને ઉજવણીનો પ્રસંગ ગણ્યો જેથી કોણ કોની સાથે છે તે જાહેર થાય. હક્કો અને ફરજો આપ્યા. આ બધાનો હેતુ જાતીય જીવનમાં અરાજકતા ન થાય તે માટેનો હતો.
બે વિજાતીય વ્યક્તિઓ એકબીજા સાથે પરિણિત છે. આ વ્યક્તિઓ વચ્ચે રસાયણોનો તાલમેલ ન હોય તો શું થાય? આવા લગ્નો કેવી રીતે ટકાવી શકાય? પ્રેમના રસાયણનો તાલમેલ હોય, ફરજ અને હક્કને સમજવાના રસાયણનો તાલમેલ હોય, પસંદગી નાપસંદગીના રસાયણનો તાલમેલ હોય પણ શારીરિક સંબંધની વૃત્તિના રસાયણ વચ્ચે તાલમેલ ન હોય તો શું કરવું? આના ઉપાય તરીકે વેશ્યા વ્યવસાય ઉત્પન્ન કરવામાં આવ્યો. જો કશામાં તાલમેલ ન હોય તો છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી.
જો સ્ત્રી બહુગામી હોય તો તે વેશ્યા વ્યવસાય કરી શકે અથવા પતિથી ખાનગીમાં બીજા સાથે સંબંધ રાખે. આ વાતની નરને ખબર પડે કે ખબર ન પણ પડે. જો આ આડસંબંધની ખબર પડે અને જો પુરુષ નપુંસક હોય તો આંખ આડા કાન કરે અને જો તેમ ન હોય તો ક્યારેક છૂટા છેડા પણ આપી શકે.
જો પુરુષ બહુગામી હોવાની ટેવવાળો હોય કે છૂટક હોય તો સ્ત્રી કંકાસ કરે અથવા સમસમીને બેસી રહે. પણ જવલ્લે જ એવું વિચારે કે તે અને તેના પતિની જાતીય વૃત્તિ બાબતની કેમેસ્ટ્રી મેચ થતી નથી અને તેને પોતાને સમજણ દ્વારા અને અથવા હોર્મોન થેરેપી દ્વારા મેચ થવાની જરુર છે. વાત બહુ નાની છે. પણ આ નાની વાત, સમાજમાં અસામાજીકતા અને અરાજકતા સર્જે છે.
ભ્રમર વૃત્તિ
પુરુષની ભ્રમર વૃત્તિ એ કુદરતની દેન છે. તેથી જ તત્વ વેત્તાઓએ સંયમની વાત ઉપર જોર આપ્યું છે.
શું જાતીય વૃત્તિ ઉપરનો સંયમ અને અકુદરતી રીતે થતું વિર્ય સ્ખલન નુકશાન કારક છે?
શું બ્રહ્મચર્યનો ગવાતો મહિમા એક ફરેબ છે?
જાતીય વૃત્તિ ના વિષય ઉપરના પંડિતો એવું કહેતા જોવા મળે છે કે અકુદરતી રીતે કરવામાં આવતું વીર્યસ્ખલન કુદરતી વલણ છે અને તેનાથી કશું નુકશાન નથી. સંત રજનીશમલ પણ એમજ કહે છે કે જાતીયવૃત્તિ ઉપરનો સંયમ જાતીયવૃત્તિને વધુ તીવ્રતા આપે છે. માટે લગ્ન સંસ્થા એક નિરર્થક સંસ્થા છે. લગ્ન સંસ્થાનું મૃત્યુ નિશ્ચિત છે અને તે થવાનું જ છે. સમાધિ એક આનંદ છે અને સંભોગ પણ આનંદ છે માટે સંભોગ દ્વારા સમાધિ પ્રાપ્ત કરવી.
જો કે આ એક તર્કહીન તારણ છે.
ભગવાન કૃષ્ણ ગીતામાં શું કહે છે?
અર્જુને કૃષ્ણભગવાન ને પ્રશ્ન કરેલ કે જો સંયમી થવાની ઈચ્છા હોય પણ ન થઈ શકાતું હોય તો શું કરવું?
કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે “અભ્યાસ કરવો”. અભ્યાસ એટલે કે તે કામ અવારનવાર અને સતત કર્યા કરવું. જ્યારે બાળક ચાલવાનું શિખતું હોય ત્યારે તે અવારનવાર પડી જાય છે. છતાં તે પ્રયત્ન ચાલુ રાખે છે. પોતાના પ્રયત્નો તે ચાલુ રાખે છે. પ્રયત્ન કરતાં કરતાં તે ચાલવાનું શિખી જાય છે. પછી તેને માટે ચાલવાનું એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. સંયમ વિષે પણ આમ જ છે. જોકે સંત રજનીશમલના શિષ્યો કહેશે કે આ તર્ક ખોટો છે. શરીરના હલન ચલનને કાબુમાં રાખવું અને શરીરને ટેવ પાડવી એ વાતને મનની ગતિવિધિઓ સાથે સરખાવી ન શકાય.
કૃષ્ણ ભગવાન આવો ભેદ પાડતા નથી. મૂળવાત સમજણની છે. નાનું બાળક અજ્ઞાતરીતે સમજે છે કે મારે ચાલ્યાવગર છૂટકો નથી. બધા મજાના બે પગે ચાલે છે. માટે ચાલવું તે અશક્ય નથી. આનો અર્થ એ થયો કે સામાજીક વાતાવરણ, માણસની વૃત્તિ ઉપર અસર કરે છે. જો સામાજીક નિયમો અને અંકુશો નબળા હોય તો માણસનું મન પણ નબળું પડે, કારણકે સમજણ વિકસતી નથી.
સમાજનો ભય માણસના મનને અંકુશમાં રાખે છે. જો એક વખત બુદ્ધિપૂર્વકની સમજણ ઘર કરી જાય એટલે કે જે સમજાયું તે આત્મસાત પણ થઈ જાય તો મન પણ પૂર્ણપણે અંકુશમાં આવી જાય છે.
આમ કૃષ્ણભગવાન એમ કહે છે કે;
તમારી મનની ઈચ્છાને બાજુ પર રાખો. તેનાથી અલિપ્ત બનો. તટસ્થ બનીને માત્ર બુદ્ધિથી જ વિચારો. કારણ કે જો તમે આમ નહીં કરો તો તમે ઈચ્છાપૂર્વકની કામનાની દિશામાં જ એકાંગી રીતે વિચારતા થશો. કામનાથી અલિપ્ત નહીં થાઓ તો તમે અસ્વસ્થ થશો. (પોતાના ઉપર ક્રોધ કરશો એટલે કે આત્મવિશ્વાસ ગુમાવશો. આ સ્થિતિ તમને નિરાશા તરફ દોરી જશે). નિરાશા જનક સ્થિતિમાં તમારે જે દલિલો યાદ કરવાની છે તે તમે તમારી સ્મૃતિમાંથી બહાર કાઢી શકશો નહીં. એટલે તમે તર્કનો ઉપયોગ નહીં કરી શકો. તમે તર્ક નહીં કરો એટલે તમે મનુષ્ય તરીકે ખતમ થશો.
આનો અર્થ એ થયો કે જો તમે કોઈપણ નિર્ણયમાં તટસ્થભાવ ન રાખો, અને મનની સાથે લિપ્ત રહીને જ બુદ્ધિને નિર્ણય કરવાનું કહો તો, બુદ્ધિ બારે દિશામાંથી મેળવેલી સ્મૃતિઓનો ઉપયોગ કરશે નહીં, અને તમે જે નિર્ણય કરશો તે વાસ્તવમાં મનનો જ નિર્ણય હશે. મનને તો તમે અલિપ્ત કર્યું જ નથી, એટલે જે નિર્ણય થયો તે બુદ્ધિનો નિર્ણય તો છે જ નહીં. મન પ્રમાણેનું આચરણ કરવામાં તમે મનુષ્યત્વ ગુમાવો છો.
વાસ્તવમાં મન તો તમારું નોકર છે, પણ તમે ગર્વથી કહો છો કે હું તો મનનો મોજી છું. હું તો મારા મનના (નોકરના) કહેવા પ્રમાણે જ વર્તીશ. હું કંઈ કોઈનો ગુલામ નથી.
વાસ્તવમાં તમે તો તમારા નોકરના ગુલામ છો.
બધાજ બનાવો નિશ્ચિત છે
આધુનિક ભૌતિક શાસ્ત્રીઓ કહે છે કે બ્રહ્માંડમાં બધું જ નિશ્ચિત છે. મનુષ્ય શું વિચારશે તે નિશ્ચિત છે. મનુષ્ય કેવી રીતે વર્તશે તે પણ નિશ્ચિત છે. જો કોઈ એક વ્યક્તિના રસાયણ જ એવા હોય કે લાખ વિચારો બુદ્ધિ પૂર્વક કરે અને પ્રતિ-રસાયણો ઉત્પન્ન કરે પણ આ પ્રતિરસાય્ણો જાતીય વૃત્તિનું દમન ન કરી શકે તો શું કરવું? જો દરેક મનુષ્યનો સ્વભાવ બ્રહ્માંડની નિશ્ચિતતાને આધિન હોય તો મનુષ્ય વાંકમાં આવ્યો જ ન ગણાય. હવે જો મનુષ્ય વાંકમાં જ આવ્યો ન હોય તો તેને સજા પણ કેવી રીતે થઈ શકે?
ઈશ્વર કહે છે કે તમે સમજી લો અને માની લો હું મનુષ્યની વ્યક્તિગત સુરક્ષા માટે નથી. હું ફક્ત વ્યક્તિગત મનુષ્યને જ સજીવ માનું છું તેમ નથી. હું તો સમાજને પણ સજીવ માનું છું. એટલે મનુષ્ય વ્યક્તિગતરુપે અને સમાજ સામુહિક રીતે, એ બંનેના પ્રમાણસરના મિશ્રણથી જે કંઈ નિર્ણયો અને આચરણો થશે તે, જે તે સમાજનું ભાવી નક્કી કરશે. જો એક મનુષ્ય વ્યક્તિગત રીતે પ્રતિ-રસાયણ ઉત્પન્ન નહીં કરે તો સમાજ તેને દંડ આપીને તે વ્યક્તિની અંદર રહેલા વિઘાતક રસાયણને નબળું પાડી દેશે અને સમાજમાં કુલ પ્રતિ-રસાયણનું પ્રમાણ વધશે. આ પ્રમાણે આ પ્રતિરસાયણ મનુષ્ય સમાજને જાતીય સંબંધોમાં સ્વચ્છંદતા લાવતાં રોકશે.
મહાત્મા ગાંધી શું કહે છે? તેમણે શું કર્યું?
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, કોષ, સમુહ, ઘટાડ્યાં ઘટે, વધાર્યાં વધે, જાતિય, વિચાર, સમજણ, સંયમ, અભ્યાસ, બુદ્ધિ, તર્ક, અલિપ્ત, સ્મૃતિ, વૃત્તિ, ભ્રમર, આચાર, નીતિ, નિયમ, લગ્ન, મનુષ્યત્વ, રસાયણ, પ્રતિ-રસાયણ, નિશ્ચિત, બ્રહ્મચર્ય, કુદરતી, વીર્યસ્ખલન,