Feeds:
Posts
Comments

Posts Tagged ‘ભય’

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 4

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૪

આહાર નિદ્રા, ભય અને મૈથુન શું ઘટાડ્યા ઘટી શકે છે?

આગળ જોઇએ

આંશિક શરીરને નિદ્રા

સજીવના કોષો જો હમેશા કાર્યરત રહે તો અમુક હદ પછી તે નબળા પડી જાય. તેથી તેની સક્ષમતા ઘટે. આ માટે પ્રકૃતિએ તેમને માટે નિદ્રાની જોગવાઈ કરી. પણ આ નિદ્રાની જોગવાઈ બધી જાતના કોષ માટે નથી. દરેક કોષ બેઝીક ટાઈમના પલ્સના આધારે કામ કરે છે. કેટલાક કોષો અને અંગો તેના અંતરાલમાં આરામ લઈ લે છે. જેમકે હૃદયના ધડકારા. ફેફસાંની શ્વાસોચ્છવાસની ક્રિયા. લોહીનું ભ્રમણ અને હવાનું ભ્રમણ દબાણના આધારે થાય છે. આ બધી વાતો લાંબી છે. ટૂંકમાં નિદ્રા અંગોને  આરામ આપે છે. આહાર, શરીરમાં વપરાતા ઘસારાને કારણે તત્વોમાં થતી ખોટને પૂરે છે.

 “આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે” આમાં વાસ્તવિકતા કેટલી?

આહારઃ

શરીરના કોષોની સક્રીયતા ટકાવી રાખવા માટે અને નવા કોષોની જરુર હોય તો તે ઉત્પન્ન કરવા માટે આહાર જરુરી હોય છે. જો આહારનું પ્રમાણ વધુ હોય અને પોષક તત્વો લોહીમાં પૂરતા પ્રમાણમાં હોય તો વધારાનો આહાર મળ-મૂત્ર સ્વરુપે બહારનીકળી જાય છે. ચરબીનો સંચય થાય છે. ચરબીના દહનથી કોષનું તાપમાન જળવાઈ રહે છે. આ કારણથી આહારને ઘણી હદસુધી ઘટાડી શકાય છે. લોહી દ્વારા કોષોને ચરબી સહિતના પોષક તત્વો મળતા રહે છે. પોષક તત્વો લોહીમાં ઘટે એટલે ભૂખ તરસ લાગે છે. આ એક વ્યવસ્થા છે. ભૂખ લગાડનારી વ્યવસ્થામાં રહેલું તંત્ર અમુક હદના ઉપવાસ પછી નિસ્ક્રીય થઈ જાય છે. પણ પાણી ઘટે તો શરીરને તરસ લાગવાથી અને પાણીના અભાવે કામ કરતું બંધ થઈ જાય છે. આમ આહાર અમુક હદ સુધી જ ઘટાડી શકાય છે. શરીર પોતે ટકી શકવાની હદ સુધી ટેવાઈ જાય છે.

નિદ્રાઃ

નિદ્રા પણ અમુક હદ સુધી ઘટાડી શકાય. નિદ્રા એટલે આમ તો મગજના એક હિસ્સાને મળતો આરામ છે જે સ્મૃતિને આરામ આપવાનો છે. આમાં ગંધ, સ્વાદ, સ્પર્ષ અને વિચારની ક્રિયા બંધ થાય છે.

ભયઃ

ભય એ એક વિઘટનની ક્રિયા વિષેનું પૂર્વાનુમાન છે. જેના પ્રમાણનો આધાર ડીએનએની સંચરના ઉપર છે. મનુષ્યમાં “વિચાર” અને “સમજણ” એ બંને ની ઘનિષ્ઠતા પણ ભાગ ભજવે છે. ભય જેટલા પ્રમાણમાં ઓછો થાય એટલા પ્રમાણમાં, વીરતામાં વૃદ્ધિ થાય છે.

મૈથુનઃ

કુદરતે આપેલી આ એક વૃત્તિ છે. જેનો હેતુ તદ્રુપ જીવોને ઉત્પન્ન કરી જીવસમૂહને ટકાવી રાખવાનો છે. આ વૃત્તિની ઘનિષ્ઠતાનો આધાર પણ ડીએનએ-આરએનએના બંધારણ ઉપર આધાર રાખે છે.

શરીરમાં કોષોને ખૂટતા તત્વો, શરીરમાં કોષોને ટેવથી પડેલા તત્વો, શરીરમાં કોષોને જોઈતા તત્વો, શરીરમાં કોષોને પરવડતા તત્વો, જેમાં બધું જ આવી જાય તેને આપણે રસાયણો કહીશું. આ રસાયણો મનુષ્યના અને સૌકોઈ સજીવના આચાર વિચાર આઘાત પ્રત્યાઘાત  ઉપર અસર કરે છે. માણસ પોતાના વિચારોની ઘનિષ્ઠતાના આધારે પોતાના અમુક રસાયણોમાં ફેરફાર કરી શકે છે. અને આ રસાયણો મનુષ્યના આચારોને નિયંત્રિત કરેછે.

જો માણસ જાતીય વિચારોની ઘનિષ્ઠતામાં જ રચ્યો પચ્યો રહે તો તેનામાં તેવા રસાયણો ઉત્પન્ન થાય છે અને તેથી તેની વૃત્તિઓ પણ તે સ્વરુપની ઉત્પન્ન થાય છે. વૃત્તિઓ તેને તેવા આચારોની દીશામાં પ્રેરે છે.

જાતીય વિચારો અને આચારો ઉપર સંયમ કેટલી હદે જરુરી?

માત્ર જાતીય વિચારો જ, શરીરમાં રહેલા રસાયણ ઉપર અવલંબે છે એટલું જ નહીં પણ વિચારો માત્ર રસાયણ ઉપર આધાર રાખે છે. અમુક વિચારોને રોકનારા વિચારો પણ પ્રતિ-રસાયણો ઉપર આધાર રાખે છે. જેમ બહારના આક્ર્મક માઈક્રોઓર્ગેનીક્ઝમ (જેમકે વાઈરસ) સામે લડનારા સફેદ કણો શરીરમાં હાજર હોય છે તેવું જ રસાયણ, પ્રતિ-રસાયણનું હોય છે. અમુક અમુક જાતના ડ્ર્ગ્ઝ લેવાથી માણસને અમુક જાતના વિચારો આવે છે. માણસમાં અમુક જાતના પ્રતિભાવો આપવાની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માણસ વિચારોમાં સાતત્ય જાળવી શકતો નથી… દીશા શૂન્ય થઈ જાય છે, નાની નાની વાતોમાં ગુસ્સે થાય છે, રડવા લાગે છે… હસવા લાગે છે …. હળવો થઈ ગયો હોય … ઉડતો હોય …. તેવી અનુભૂતિઓ થવા લાગે છે. આ બધું રસાયણો ઉપર આધારિત હોય છે.

જાતીય વૃત્તિ પણ રસાયણ ઉપર આધાર રાખે છે. આ રસાયણો તેને વારસામાંના ડીએનએ-આરએનએ દ્વારા મળે છે. અને તેના પ્રમાણની વધઘટ ખોરાક અને વિચારોની ઘનિષ્ઠતા ઉપર અવલંબે છે. વિચારોના આધારે રસાયણો અને પ્રતિ રસાયણો કાર્યશીલ થઈ વૃત્તિઓને આચાર તરફ જવા પ્રેરે છે.

લગ્નની વ્યવસ્થા શા માટે ઉત્પન્ન થઈ?

જો કોઈપણ નર કોઈપણ માદા સાથે પશુઓની જેમ શારીરિક સંબંધો બાંધે તો પાશવી શક્તિ સમાજ ઉપર હામી થાય છે. કારણ કે મનુષ્ય જાતિ વિચારશીલ છે અને તે વ્યુહ રચનાઓ કરી શકે છે ઠગાઈઓ કરી શકે છે તેથી કાળાંતરે મનુષ્ય જાતિ જ નષ્ટ પામી જઈ શકે છે. પણ મનુષ્યજાતિનો સમૂહ પણ એક સજીવ છે અને તે પોતે પણ ટકી રહેવાની પ્રાકૃતિક વૃત્તિ ધરાવે છે. આ વૃત્તિની રુએ, જાતીય વૃત્તિના આચારને બેફામ થતો રોકે છે. આ માટે તે વૃત્તિને રોકવા માટે જરુરી, જે પ્રતિ-રસાયણો છે, તેને બનાવવા, પોતાના સમૂહમાં નીતિ નિયમો ઘડે છે. આ નીતિ નિયમો દ્વારા મનુષ્યસમુહે વર્તન બાબતમાં મર્યાદાઓ બાંધી છે. જાતીય સંબંધ બાંધવા માટે સગાંઓને બાધ્ય ગણ્યા. નજીકના સગાંઓને તો સાવ જ બાધ્ય ગણ્યા. ઉમરના મોટા તફાવતને બાધ્ય ગણ્યો. લગ્નપ્રથાને ઉજવણીનો પ્રસંગ ગણ્યો જેથી કોણ કોની સાથે છે તે જાહેર થાય. હક્કો અને ફરજો આપ્યા. આ બધાનો હેતુ જાતીય જીવનમાં અરાજકતા ન થાય તે માટેનો હતો.

બે વિજાતીય વ્યક્તિઓ એકબીજા સાથે પરિણિત છે. આ વ્યક્તિઓ વચ્ચે રસાયણોનો તાલમેલ ન હોય તો શું થાય? આવા લગ્નો કેવી રીતે ટકાવી શકાય? પ્રેમના રસાયણનો તાલમેલ હોય, ફરજ અને હક્કને સમજવાના  રસાયણનો તાલમેલ હોય, પસંદગી નાપસંદગીના રસાયણનો તાલમેલ હોય પણ શારીરિક સંબંધની વૃત્તિના રસાયણ વચ્ચે તાલમેલ ન હોય તો શું કરવું? આના ઉપાય તરીકે વેશ્યા વ્યવસાય ઉત્પન્ન કરવામાં આવ્યો. જો કશામાં તાલમેલ ન હોય તો છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી.

જો સ્ત્રી બહુગામી હોય તો તે વેશ્યા વ્યવસાય કરી શકે અથવા પતિથી ખાનગીમાં બીજા સાથે સંબંધ રાખે. આ વાતની નરને ખબર પડે કે ખબર ન પણ પડે. જો આ આડસંબંધની ખબર પડે અને જો પુરુષ નપુંસક હોય તો આંખ આડા કાન કરે અને જો તેમ ન હોય તો ક્યારેક છૂટા છેડા પણ આપી શકે.

જો પુરુષ બહુગામી હોવાની ટેવવાળો હોય કે છૂટક હોય તો સ્ત્રી કંકાસ કરે અથવા સમસમીને બેસી રહે. પણ જવલ્લે જ એવું વિચારે કે તે અને તેના પતિની જાતીય વૃત્તિ બાબતની કેમેસ્ટ્રી મેચ થતી નથી અને તેને પોતાને સમજણ દ્વારા અને અથવા હોર્મોન થેરેપી દ્વારા મેચ થવાની જરુર છે. વાત બહુ નાની છે. પણ આ નાની વાત, સમાજમાં અસામાજીકતા અને અરાજકતા સર્જે છે.

ભ્રમર વૃત્તિ

પુરુષની ભ્રમર વૃત્તિ એ કુદરતની દેન છે. તેથી જ તત્વ વેત્તાઓએ સંયમની વાત ઉપર જોર આપ્યું છે.

શું જાતીય વૃત્તિ ઉપરનો સંયમ અને અકુદરતી રીતે થતું વિર્ય સ્ખલન નુકશાન કારક છે?

શું બ્રહ્મચર્યનો ગવાતો મહિમા એક ફરેબ છે?

જાતીય વૃત્તિ ના વિષય ઉપરના પંડિતો એવું કહેતા જોવા મળે છે કે અકુદરતી રીતે કરવામાં આવતું વીર્યસ્ખલન કુદરતી વલણ છે અને તેનાથી કશું નુકશાન નથી. સંત રજનીશમલ પણ એમજ કહે છે કે જાતીયવૃત્તિ ઉપરનો સંયમ જાતીયવૃત્તિને વધુ તીવ્રતા આપે છે. માટે લગ્ન સંસ્થા એક નિરર્થક સંસ્થા છે. લગ્ન સંસ્થાનું મૃત્યુ નિશ્ચિત છે અને તે થવાનું જ છે. સમાધિ એક આનંદ છે અને સંભોગ પણ આનંદ છે માટે સંભોગ દ્વારા સમાધિ પ્રાપ્ત કરવી.

જો કે આ એક તર્કહીન તારણ છે.

ભગવાન કૃષ્ણ ગીતામાં શું કહે છે?

અર્જુને કૃષ્ણભગવાન ને પ્રશ્ન કરેલ કે જો સંયમી થવાની ઈચ્છા હોય પણ ન થઈ શકાતું હોય તો શું કરવું?

કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે “અભ્યાસ કરવો”. અભ્યાસ એટલે કે તે કામ અવારનવાર અને સતત કર્યા કરવું. જ્યારે બાળક ચાલવાનું શિખતું હોય ત્યારે તે અવારનવાર પડી જાય છે. છતાં તે પ્રયત્ન ચાલુ રાખે છે. પોતાના પ્રયત્નો તે ચાલુ રાખે છે. પ્રયત્ન કરતાં કરતાં તે ચાલવાનું શિખી જાય છે. પછી તેને માટે ચાલવાનું એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. સંયમ વિષે પણ આમ જ છે. જોકે સંત રજનીશમલના શિષ્યો કહેશે કે આ તર્ક ખોટો છે. શરીરના હલન ચલનને કાબુમાં રાખવું અને શરીરને ટેવ પાડવી એ વાતને મનની ગતિવિધિઓ સાથે સરખાવી ન શકાય.

કૃષ્ણ ભગવાન આવો ભેદ પાડતા નથી. મૂળવાત સમજણની છે. નાનું બાળક અજ્ઞાતરીતે સમજે છે કે મારે ચાલ્યાવગર છૂટકો નથી. બધા મજાના બે પગે ચાલે છે. માટે ચાલવું તે અશક્ય નથી.  આનો અર્થ એ થયો કે સામાજીક વાતાવરણ, માણસની વૃત્તિ ઉપર અસર કરે છે. જો સામાજીક નિયમો અને અંકુશો નબળા હોય તો માણસનું મન પણ નબળું પડે, કારણકે સમજણ વિકસતી નથી.

સમાજનો ભય માણસના મનને અંકુશમાં રાખે છે. જો એક વખત બુદ્ધિપૂર્વકની સમજણ ઘર કરી જાય એટલે કે જે સમજાયું તે આત્મસાત પણ થઈ જાય તો મન પણ પૂર્ણપણે અંકુશમાં આવી જાય છે.

આમ કૃષ્ણભગવાન એમ કહે છે કે;

તમારી મનની ઈચ્છાને બાજુ પર રાખો. તેનાથી અલિપ્ત બનો. તટસ્થ બનીને માત્ર બુદ્ધિથી જ વિચારો. કારણ કે જો તમે આમ નહીં કરો તો તમે ઈચ્છાપૂર્વકની કામનાની દિશામાં જ એકાંગી રીતે વિચારતા થશો. કામનાથી અલિપ્ત નહીં થાઓ તો તમે અસ્વસ્થ થશો. (પોતાના ઉપર ક્રોધ કરશો એટલે કે આત્મવિશ્વાસ ગુમાવશો. આ સ્થિતિ તમને નિરાશા તરફ દોરી જશે). નિરાશા જનક સ્થિતિમાં તમારે જે દલિલો યાદ કરવાની છે તે તમે તમારી સ્મૃતિમાંથી બહાર કાઢી શકશો નહીં. એટલે તમે તર્કનો ઉપયોગ નહીં કરી શકો. તમે તર્ક નહીં કરો એટલે તમે મનુષ્ય તરીકે ખતમ થશો.

આનો અર્થ એ થયો કે જો તમે કોઈપણ નિર્ણયમાં તટસ્થભાવ ન રાખો, અને મનની સાથે લિપ્ત રહીને જ બુદ્ધિને નિર્ણય કરવાનું કહો તો, બુદ્ધિ બારે દિશામાંથી મેળવેલી સ્મૃતિઓનો ઉપયોગ કરશે નહીં, અને તમે જે નિર્ણય કરશો તે વાસ્તવમાં મનનો જ નિર્ણય હશે. મનને તો તમે અલિપ્ત કર્યું જ નથી, એટલે જે નિર્ણય થયો તે બુદ્ધિનો નિર્ણય તો છે જ નહીં. મન પ્રમાણેનું આચરણ કરવામાં તમે મનુષ્યત્વ ગુમાવો છો.

વાસ્તવમાં મન તો તમારું નોકર છે, પણ તમે ગર્વથી કહો છો કે હું તો મનનો મોજી છું. હું તો મારા મનના (નોકરના) કહેવા પ્રમાણે જ વર્તીશ. હું કંઈ કોઈનો ગુલામ નથી.

વાસ્તવમાં તમે તો તમારા નોકરના ગુલામ છો.

બધાજ બનાવો નિશ્ચિત છે

આધુનિક ભૌતિક શાસ્ત્રીઓ કહે છે કે બ્રહ્માંડમાં બધું જ નિશ્ચિત છે. મનુષ્ય શું વિચારશે તે નિશ્ચિત છે. મનુષ્ય કેવી રીતે વર્તશે તે પણ નિશ્ચિત છે. જો કોઈ એક વ્યક્તિના રસાયણ જ એવા હોય કે લાખ વિચારો બુદ્ધિ પૂર્વક કરે અને પ્રતિ-રસાયણો ઉત્પન્ન કરે પણ આ પ્રતિરસાય્ણો જાતીય વૃત્તિનું દમન ન કરી શકે તો શું કરવું? જો દરેક મનુષ્યનો સ્વભાવ બ્રહ્માંડની નિશ્ચિતતાને આધિન હોય તો મનુષ્ય વાંકમાં આવ્યો જ ન ગણાય. હવે જો મનુષ્ય વાંકમાં જ આવ્યો ન હોય તો તેને સજા પણ કેવી રીતે થઈ શકે?

ઈશ્વર કહે છે કે તમે સમજી લો અને માની લો હું મનુષ્યની વ્યક્તિગત સુરક્ષા માટે નથી. હું ફક્ત વ્યક્તિગત મનુષ્યને જ સજીવ માનું છું તેમ નથી. હું તો સમાજને પણ સજીવ માનું છું. એટલે મનુષ્ય વ્યક્તિગતરુપે અને સમાજ સામુહિક રીતે, એ બંનેના પ્રમાણસરના મિશ્રણથી જે કંઈ નિર્ણયો અને આચરણો થશે તે, જે તે સમાજનું ભાવી નક્કી કરશે. જો એક મનુષ્ય વ્યક્તિગત રીતે પ્રતિ-રસાયણ ઉત્પન્ન નહીં કરે તો સમાજ તેને દંડ આપીને તે વ્યક્તિની અંદર રહેલા વિઘાતક રસાયણને નબળું પાડી દેશે અને સમાજમાં કુલ પ્રતિ-રસાયણનું પ્રમાણ વધશે. આ પ્રમાણે આ પ્રતિરસાયણ મનુષ્ય સમાજને જાતીય સંબંધોમાં સ્વચ્છંદતા લાવતાં રોકશે.

GANDHI AND MANUBEN GANDHI

મહાત્મા ગાંધી શું કહે છે? તેમણે શું કર્યું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, કોષ, સમુહ, ઘટાડ્યાં ઘટે, વધાર્યાં વધે, જાતિય, વિચાર, સમજણ, સંયમ, અભ્યાસ, બુદ્ધિ, તર્ક, અલિપ્ત, સ્મૃતિ, વૃત્તિ, ભ્રમર, આચાર, નીતિ, નિયમ, લગ્ન, મનુષ્યત્વ, રસાયણ, પ્રતિ-રસાયણ, નિશ્ચિત, બ્રહ્મચર્ય, કુદરતી, વીર્યસ્ખલન,

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 3

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – 3

માદાઓને પટાવવી કે કમજોરીનો લાભ લેવો

ઓશો આશારામ અને સંત રજનીશમલ વિષે આપણે જોયું.

ઓશો આશારામ રસાયણ અને અથવા હિપ્નોટીઝમના ઉપયોગ દ્વારા માદાઓને પોતાના માટે પટાવી શકતા હતા.

સંત રજનીશમલ એવા હતા કે તેમના તર્કને ભૌતિક શાસ્ત્રીઓ માન્ય ન રાખે પણ જેઓ જાતીય રીતે અસંતુષ્ટ હોય તેવા પોતાના (અક્કલ વગરના) તર્કદ્વારા પોતાની વાત રજુ કરતા અને તેમનો અનુયાયી વર્ગ ઉપરોક્ત રીતે સંવેદના અને આર્થિક ક્ષમતાના માપ દંડ દ્વારા ગળાયેલો હોવાથી આ વર્ગને સંત રજનીશમલનો તર્ક શીરાની જેમ ગળે ઉતરી જતો હતો.

SOCIAL REFORMERS

સાહેબ તરુણ તેજપાલની વાત

ઓફીસમાં સ્ત્રી ન હોય તો એ ઓફિસ સ્ત્રીપાત્ર વગરના નાટક જેવી ગણાય. ઓફિસ એટલે દુકાનો પણ આવી જાય. મનુષ્યમાં રહેલી આવડતને વધારવા અને તેના મગજને સક્રીય બનાવવા તેમજ ઘરાકી વધારવા પુરુષો સાથે સ્ત્રીઓને પણ રાખવામાં આવે છે. આની પાછળ માનસ શાસ્ત્રીય કારણો હોય છે. અને તે ક્ષમ્ય પણ છે.

સ્ત્રી અને પુરુષ એક સાથે કામ કરે એટલે જાતીય આકર્ષણથી નીપજતા બનાવો બને તે કુદરતી છે. બે માંથી એક કે બંને પરણેલા હોય તેથી કોઈ ખાસ ફેર પડતો નથી. જો બંને કુંવારા હોય તો થોડો ઘણો ફેર પડે ખરો. આ બધું કોઈ પણ રીતે હોય પણ જો બે વિજાતીય વ્યક્તિ વચ્ચે કશું અંગત અંગત હોય તો તે છાનું રહેતું નથી. અને ન હોય તો પણ જો બે વિજાયતીય વ્યક્તિઓનો સંપર્ક સામાન્ય કરતાં થોડો વધુ પ્રમાણમાં હોય તો મોટે ભાગે અફવાઓ તો ઉડે જ છે.

સદા જુવાન નરભાઈઓ

ખાસ કરીને નરભાઈઓ સદા જુવાન હોય છે. એટલે કેટલાક અને ખાસ કરીને સાહેબ કે શેઠ સમાજમાં લાગુ પડતા ઉમરના તફાવતને ધ્યાનમાં લીધા વગર માદાઓને ફસાવવાના પેંતરાઓ કરતા હોય છે. આમાં આર્થિક મદદ, ભેટસોગાદ, બૉડી, બૉડી લેંગ્વેજ, બઢતીની પ્રત્યક્ષ કે પરોક્ષ લાલચ વિગેરેનો તેઓ ઉપયોગ કરે છે. કોઈએક માદાને કેટલી ફસાવી શકાય એમ છે તે પ્રમાણે તેને ફસાવવામાં આવે છે. નરસાહેબ જો પરિણિત હોય અને તેઓ એક કે એક કરતાં વધુ માદાઓને ફસાવવાની કોશિસ કરતા હોય કે ફસાવતા હોય તો અફવાઓ જોર પકડે છે. કાર્યાલયમાં જો કોઈ જોરદાર નર કે માદા અસહિષ્ણુ હોય તો સાહેબભાઈ ફસાય છે પણ ખરા.

મોટે ભાગે તો અફવાઓ વધુ હોય છે અને વાસ્તવિકતા ઓછી હોય છે. પણ દરેક જગ્યાએ વાસ્તવિકતા શૂન્ય હોતી નથી.

જેમ સહકાર્યકર સાહેબ હોદ્દાની રુએ કે આર્થિક રીતે કે આવડતમાં મોટા તેટલું ઈચ્છુક સાહેબને માદાને ફસાવવાનો ઓછો શ્રમ કરવો પડે છે. જો માદા ફસાય અને જો  તે ફસામણી જાહેર થાય તો માદાની ટીકા વધુ થાય એટલે મોટા ભાગે માદાઓ કોઈ ફસામણી જાહેર કરતી નથી. આવા સંજોગોમાં સાહેબ અફવાઓ દ્વારા બદનામ જરુર થાય છે. પણ નરભાઈને આ બદનામી કે ટીકા ખાસ નડતી નથી. માદાઓ આવા સાહેબનરથી ચેતીને ચાલે છે.

તેજપાલ સાહેબો તરુણ ન હોય તો પણ તેમની કામેચ્છાને તેઓ પોતાની પત્ની સિવાયની માદાઓ દ્વારા સંતોષવા આતુર હોય છે. આ બાબત (માદાઓ પણ નરની હિંમત એવો શબ્દ પ્રયોગ કરેછે) સાહેબમાં રહેલી હિંમત, પ્રબળતા અને માદાની પ્રતિકારહીનતાના પ્રમાણ અને માનસિકતા ઉપર આધાર રાખે છે.

માદાબહેનો સહયોગીભાઈ કે સાહેબભાઈ સાથે જાતીય સંબંધ બાબતે અમુક શારીરિક સીમા રાખે છે.  આ સીમા કેટલી છે તે નરભાઈ તત્કાલિન કે સ્મૃતિમાં પડેલા અનુભવથી સમજતો હોય છે. વળી આ સહયોગી ભાઈ કે સાહેબભાઈ પશુ તો હોતા નથી, પણ બુદ્ધિશાળી હોય છે અને મુશ્કેલીઓની આગાહીઓ કરવા માટે સક્ષમ હોય છે છતાં પણ તેઓ ભાવિ પરિણામોથી ડર્યાવગર જાતીય વલણોમાં સ્ખલન કેમ અનુભવે છે?

સહયોગી ભાઈઓ કે સાહેબભાઈઓ સામે પક્ષે રહેલી માદાની પ્રતિકાર કરી શકવાની ક્ષમતાને કેમ સમજી શકતા નથી?

કુદરત શું કહે છે? અથવા તો કુદરતી વ્યવસ્થા શું છે?

ભારતીય સંસ્કૃતિ શું કહે છે

આહાર, નિદ્રા, ભય અને મૈથુન સહજ છે. વૈજ્ઞાનિકો આને “આવેગ” એમ કહે છે. માણસની કેટલીક ક્રિયાઓનો આધાર આવેગો હોય છે જે કુદરતી હોય છે. આપણા શાસ્ત્રો કહે છે કે  આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે.

આ વૃત્તિઓ મનુષ્યમાં શા માટે સહજ હોય છે?

અદ્વૈતની માયાજાળમાં આપણે જોયું કે દરેક વસ્તુ સજીવ છે. સુપરસ્ટ્રીંગ મૂળભૂત સજીવ છે. આ સજીવ ભૌતિક ક્રિયા દ્વારા એક બીજા સાથે જોડાઈને બીજા કણો બનાવે છે. આ કણોમાં ક્વાર્ક, ગોડ કણ, ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રીનો, ફોટોન, પરમાણુ, અણુ, સંયોજનો, વિગેરે આવે છે. તેઓ સૌ ભૌતિક સાનુકુળતાઓ પ્રમાણે બને છે અને આંતરિક બળોથી ટકે છે. આ પ્રમાણે શક્યતાઓ ઉભી થઈ ત્યારે વધુ સંકીર્ણ કણો ઉત્પન્ન થયા જેઓને આપણે સજીવ કહ્યા કારણકે તેઓ પોતાના જેવા બીજા કણો ઉત્પન્ન કરતા હતા. આપણે કણો માટેની વ્યાખ્યાની એક સીમા બાંધી અને જેઓ વંશવૃદ્ધિ કરે છે તેને જ સજીવ ગણ્યા.

સજીવોનો સમૂહ

સજીવોનો સમૂહ પણ એક જાતનો સજીવ છે. મનુષ્ય સજીવ છે તેમ મનુષ્યનો સમૂહ પણ સજીવ છે. સજીવમાં જીવવાની (ટકી રહેવાની) ઈચ્છા હોય છે. આ માટે જે કંઈ કરવાનું હોય તે તેની ઈંદ્રીયો દ્વારા કરે છે કે નીતિ-નિયમ દ્વારા કરાવે છે. વ્યક્તિગત રીતે આ કાર્યશક્તિ સજીવના ડીએનએ-આરએનએ ના બંધારણ ઉપર આધાર રાખે છે.

એક જ જાતના સજીવોનો સમૂહ પણ સજીવ હોવાથી તેનામાં પણ જીજીવિષા હોય છે. અને તેને પરિણામે કુદરતી વ્યવસ્થા પ્રમાણે અમુક પ્રકારના સજીવો વિભક્ત થઈને વંશવૃદ્ધિ કરે છે. તો અમુક પ્રકારના સજીવો મૈથુની ક્રિયા દ્વારા વંશવૃદ્ધિ કરે છે. સમાજ પણ ટકી રહેવા માટે પોતાના વર્તનમાં ભૌગોલિક કે વૈચારિક પરિમાણોને આધારે બદલાવ લાવે છે અથવા વિભક્ત થાય છે અને ટકવાની કોશિસ કરે છે.

જાતીય વૃત્તિનું આરોપણ

સજીવને વિભક્ત થવું હોય તો તેણે ભૌતિકરીતે વૃદ્ધિ પણ કરવી જોઇએ. એટલે તેણે ખોરાક પણ લેવો પડે. ખોરાકમાં હવા અને પાણી પણ આવી જાય. ખોરાકમાંથી યોગ્ય તત્વોને શોષવા પડે અને આ જુદા જુદા તત્વોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા પડે. આ માટે પ્રાકૃતિક વ્યવસ્થા હોય છે. આ પ્રાકૃતિક વ્યવસ્થા પણ ડીએનએ-ઓ દ્વારા ગોઠવાય છે. આ વ્યવસ્થા માદાના શરીરમાં થાય છે. અને તેમાં કુદરતી વ્યવસ્થા પ્રમાણે નરનો શુક્રકણ પણ ભાગ ભજવે છે. એ પછી માદામાંથી તે નવો જીવ નિકળી આવે છે. આમ જીવસમુહ એક જીવ તરીકે ટકી રહે છે. આ મૈથુની સૃષ્ટિ કહેવાય છે. આ મૈથુની સૃષ્ટિના જીવોમાં ઈશ્વરે જાતીય વૃત્તિ મુકી છે.

જીવને ટકાવી રાખવા માટે આહાર છે. જીવ અનેક અંગોનો અને અંગો જાત જાતના કોષોનો બનેલા  છે. સૌ પોતપોતાનું કામ અગમ્ય રીતે હળી મળીને કરે છે. મનુષ્યનું એક અંગ મગજ છે જેમાં એક વિશિષ્ઠ કાર્ય એટલે કે બૌદ્ધિક કાર્ય થાય છે. આ ક્રિયામાં બ્રહ્મરંધ્ર છે જે કેવીરીતે શરીરનું સંચાલન કરે છે તે સંશોધનનો વિષય છે. બ્રહ્મરંધ્રમાં બેઝીક ટાઈમ હોય છે જે સીગ્નલો મોકલે છે. બીજા અનેક વિભાગો છે. આ વિભાગો અનેક પ્રકારના કોષોના બનેલા છે જેમાં ન્યુરોન પણ આવી જાય. બુદ્ધિ સ્મૃતિના કોષોથી જોડાયેલી હોય છે. સ્મૃતિ અંગોદ્વારા મળેલી માહિતિઓનો સંગ્રહ કરે છે અને જ્યારે મગજ માગે ત્યારે તેને આપે. બુદ્ધિ,  સ્મૃતિસમૂહોનું સંકલન કરી સરખામણી કરી નિર્ણયો કરે છે. આ ક્રિયાને બૌદ્ધિક ક્રિયા ગણાય. જોકે આ ક્રિયા બધા સજીવોમાં વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. મનુષ્યમાં વિશેષ હોય છે. તેથી મનુષ્ય બુદ્ધિદ્વારા વિચારશીલ બને છે અને ભાવી યોજનાઓ ઘડે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નર, માદા, પટાવવી, ઓશો, સંત, હિપ્નોટીઝમ, તર્ક, ભૌતિકશાસ્ત્ર, જાતીય, આકર્ષણ, સ્ત્રી, પુરુષ, અફવા, સદા જુવાન, નરભાઈ, સાહેબ, મદદ, લાલચ, કાર્યાલય, હોદ્દો, તેજપાલ, હિંમત, પ્રતિકાર, કુદરતી વ્યવસ્થા, ભારતીય, સંસ્કૃતિ, આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, સમૂહ, કણ

 

Read Full Post »

ભયભીત ભૂતપૂર્વ હોદ્દેદારો અને સમાચાર માધ્યમો.

 

 

વાત તો કેશુભાઈની અને તેમના મળતીયાઓની જ હોય ને!

કેશુભાઈનું ડરાઉં ડરાઉં

ચોમાસું બેસવાનું હોય અને એકાદ ઝાપટું પડે એટલે દેડકાઓની “ડરાઉં ડરાઉં” ની મોસમ ચાલુ થાય. વાદળનો ગડગડાટ થાય એટલે મોર ભાઇઓ પણ “મેઆવ મેઆવ” ના ટહૂકા કરે. આ તો કુદરતની કરામત અને સૌંદર્ય છે. સૌ કોઈ એનો આનંદ માણે છે. 

ગુજરાત માટે વિધાનસભાની ચૂંટણીની મોસમ નવેમ્બર ડીસેમ્બરમાં આવશે. થોડી વચગાળાની ચૂંટણીઓ થઈ તેમાં ગુજ્જુ કોંગી દેડકાઓએ પેટ ફુલાવ્યા. પણ બળદ જેવડું કદ તો ન જ થયું. પણ ખાસીયત પ્રમાણે “મીયાં પડ્યા પણ તંગડી ઉંચી” (મીયાં ભાઈઓ માફ કરે), કોંગીઓએ પ્રદર્શનપ્રિયતા ચાલુ રાખી. કોંગી મહાજનોના વિદેશી ખાતાઓના પૈસા ક્યારે કામ લાગશે? વાપરો ભાઈ વાપરો. છાપાવાળા કહેશે લાવો ભાઈ લાવો. તમે કહેશો તે અને તેમ છાપીશું. તમારો ટકલો મુંઝાતો હશે તો અમે અમારા ટકલાને કામે લગાડીશું.

બીજેપીવાળાને વગોવવા અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીને વિકૃત રીતે રજુ કરવા એ તો અમને ગોઠી ગયું છે. શબ્દોની ગોઠવણમાં અમે પાવરધા છીએ. અને તમે જોજો અમે કેટલાક મૂર્ધન્યોને પણ અમારી લાઈનમાં લાવવાની કોશીશ કરીશું.

કથા સંજયભાઈ જોશીની

એક ભાઈ છે જે સંજય જોશી નામે ઓળખાય છે. જોકે કદીય અખબારોમાં કે સામાન્ય કાર્યકરોને મુખેથી તેમનું નામ સીડી પ્રકરણ પહેલાં સંભળાયું ન હતું. પણ એ વાત જવા દઈએ. તેઓશ્રી બીજેપી, આરએસએસમાં મોટા લીડ હતા. અને એક જાતીય સંબંધને લગતી સીડી માં કેદ થયેલ. એ સીડી ફરતી થઈ. હવે ગુજરાતમાં કંઈપણ થાય એટલે નરેન્દ્રભાઇને તો લપેટમાં લેવા જ પડે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને આ બનાવ સાથે કંઈ લેવા દેવા નહીં. પણ પ્રસંગનો (ગેર)લાભ ન લઈએ તો ખોળીયું લાજે. માટે  બનાવ સાથે જોડો નરેન્દ્ર ભાઈ મોદીનું નામ.

જો કે નહેરુવીયન કોંગ્રેસીઓને બદલે હવે કોંગી એમ કહીશું. કોંગ + ઈ = કોંગી. આ શબ્દ ૧૯૬૯થી પ્રચલિત હતો અને હજી પણ પ્રચલિત છે.

તો હવે નરેન્દ્રભાઇ મોદીને કેવીરીતે આ સીડી પ્રકરણ સાથે જોડીશું? સર્વે મીડીયા મૂર્ધન્યો અને ગુજ્જુ કોંગીબંધુઓ વિચાર કરવા લાગ્યા.  “કહોને કે, સીડીને લગતી આદિથી અંત સુધીની પ્રક્રીયામાં નરેન્દ્ર ભાઈ જ પ્રોડ્યુસર, ડાઈરેક્ટર, ફોટોગ્રાફર અને ડીસ્ટ્રીબ્યુટર છે.  ફક્ત હીરો હિરોઈન જ બીજા છે.”

જો કે ગઈ ચૂંટણી વખતે ટીવીની એક ચેનલ ઉપર કુંવારા નરેન્દ્ર ભાઇની, નરેન્દ્રભાઈને પરિણિત સ્ત્રીએ દેખા દીધેલી. એ વાત ચાર આંખવાળા પ્રસારણ માધ્યમના ખેરખાંઓએ કેમ કરીને આગળ ન વધારી તે સંશોધનનો વિષય છે.

જોશીભાઈને તો બીજેપીમાંથી ફારેગ કર્યા અને તપાસ ચલાવી. સીડી બનાવટી જાહેર થઈ.

કોંગીવાળા બોલે તો બે ખાય

કોંગી નેતાઓ આ વિવાદથી અળગા રહ્યા. કારણ કે તેમનામાંના કેટલાક મહાજન નેતાઓ જાતિય કૌભાન્ડોમાં બીજેપીના કોઈપણ નેતાને અભડાવે એવા છે. આ બાબતમાં જગજીવન રામના સુપૂત્રના પ્રસિદ્ધ થયેલા ફોટાઓ અને હાલમાંના કોંગી મહાજન અભિષેક સીંઘવીની જાતીય સીડીના બનાવ હાજરા હજુર છે. જો તેઓ જોશીભાઈની સીડીના મુદ્દાને હથીયાર બનાવે તો બીજેપીવાળા તેને બૂમરેન્ગ બનાવી દે. માટે તેમને થયું કે તત્કાલ પૂરતા મૂંગા રહો. જો નરેન્દ્ર મોદી, સંજય જોશી જોડે સંબંધ રાખશે તો આપણે એ મુદ્દાને ચગાવીશું કે જુઓ, ગુજરાતના મુખ્ય મંત્રી કેવા દુરાચારીઓ સાથે સંબંધ રાખે છે! એટલે હાલ પૂરતું તો, સંજય જોશીના મુદ્દા વિષે સમાચાર માધ્યમોને સીડીએ(દાદરે) ચડવા દો.

ટૂંકમાં નરેન્દ્રભાઈ, સંજય જોશી સાથે સંબંધ રાખે તો બે ખાય અને ન રાખે તો તો પણ અધધધ ખાય. એમ કહેવાય કે જુઓ નરેન્દ્રભાઈ મિત્રોને કેવા આઘાતો આપે છે, આવી વાતોને મીર્ચ મસાલા સાથે ચગાવી શકાય.

સંજયભાઈતો નિર્દોષ ઠર્યા. જો કે આ બીજેપીની અંદરની વાત છે. પણ નિર્દોષ ઠર્યા અને બીજેપીમાં હોદ્દા ઉપર પાછા આવ્યા તો એ વાતને ચગાવો કે હવે નરેન્દ્રભાઈનું આવી બન્યું છે.

યુપીની ચૂંટણીમાં સંજયભાઈ પ્રભારી હતા. યુપીમાં જો બીજેપી પ્રમાણમાં સારો દેખાવ કરે તો એમ કહેવું કે; નરેન્દ્રભાઈ તમે શું એમ માનો છો કે કૂકડો નહીં હોય તો શું વહાણું (સવાર, પ્રભાત, સૂર્યોદય) નહીં વા? છાપો …. નરેન્દ્રભાઈનો ગર્વ ચકનાચૂર. નરેન્દ્રભાઈને તો ઘણું યુપીમાં જવું હતું, પણ તેમના ગર્વિષ્ઠપણાએ તેમને રોક્યા. તેમને એમ કે કુકડો હશે તો જ વહાણુ વાશે. પણ જુઓ સંજય જોશી અને ઉમાભારતીએ કેવું નરેન્દ્રમોદીના ગર્વનું ખંડન કર્યું!

પણ ધારોકે નરેન્દ્ર મોદી યુપી ગયા હોત અને જો ખરાબ પરિણામો આવ્યા હોત તો? તો તો કોંગી, ધર્મનિરપેક્ષીઓને અને સમાચાર માધ્યમોને ગોળના ગાડાં મળી જાત.

સંજય જોશીની નરેન્દ્ર મોદી સાથેની મિત્રતાની કે મિત્રદ્રોહની વાતને શું કામ ચગાવવી?

શંકરભાઈ, સુરેશભાઈ અને કેશુભાઈ શું હતા? અરે કેશુભાઈ તો નરેન્દ્રભાઇ મોદીના ગુરુ હતા.  શંકરભાઈ તો અધિરા થયા અને પૉરો ખાધા વગર દુશ્મનપક્ષમાં પોતાની ખજુરાહો-સુશોભિત  ભજનમંડળી સાથે  ઘુસી ગયા.  શંકરભાઈએ, કેશુભાઈને કોંગીનો સાથ લઈ સત્તા ઉપરથી ઉથલાવી દીધેલ. પણ પછીની ચૂંટણીમાં ગુજ્જુભાઈઓએ કેશુભાઈને ઉભા કર્યા અને તેમને રાજગાદી ઉપર પૂનર્‌સ્થાપિત કર્યા. કારણ કે તેમને ગુજ્જુદ્રોહી કોંગીઓ તો ખપે જ શેના? પછી કોંગીએ પોતાની આદત પ્રમાણે શંકરભાઈને વેતર્યા.

કેશુભાઈની સરકાર અને વહીવટના વહીવટદારો

કેશુભાઈ મુખ્યમંત્રી તરીકે કેવા હતા? કેશુભાઈ પાસે સ્વપ્નો હતાં. તેમણે તે સ્વપ્નોને સાકાર કરવાના પ્રયત્નો કરેલા. પણ સ્વપ્ન હોવાં અને વહીવટ કરવાવાળાઓ ઉપર બધું છોડી દેવું એ બરાબર તો ન જ કહેવાય. જ્યારે પ્રસંગો અને તેને લગતી પ્રણાલીઓ પૂર્વ નિર્ધારિત હોય તો થોડો સમય બધું થોડું ઘણું સમુસૂતરું ચાલે પણ પછી સરકારી નોકરોની અને આડતીયાઓની (આડતીયાઓમાં પક્ષના કાર્યકરો પણ હોય.) આદતો બગડે જ.

મોટાભાગના સરકારી નોકરો તો પોતાની આદતો બગાડવા માટે એવરરેડી જ હોય. આ બધાના પરિણામે અમદાવદની કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો. આ પરાજય આમ તો બીજેપી મોવડીમાંડળ માટે અગમચેતી હતી. પણ કેશુભાઈને ચાલુ રખાયા. તે પછી કુદરતી આફત આવી દરિયાઈ વાવાઝોડા આવ્યાં. વહીવટી તંત્ર અસફળ રહ્યું. ૨૦૦૧માં ભિષણ ધરતીકંપ આવ્યો અને વહીવટી તંત્ર તદન નિસ્ફળ ગયું. કેશુભાઈ મજાકનું પાત્ર બની ગયા. કેશુભાઈના દરેક ઉચ્ચારણોની મજાક થવા માંડી. સરકારી નોકરોની ખાયકીમાં પૂર આવ્યું. દાનમાં મળેલા તંબુઓ સરકારી નોકરોએ ઠાંગી લીધા. દાનના લેબલ લાગેલા ખાદ્ય પદાર્થો લેબલ સાથે બજારમાં ખૂલ્લેઆમ વેચાવા લાગેલા. ભ્રષ્ટ વહીવટની જાણે પરાકાષ્ઠા હોય એવું લાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં ૨૦૦૨માં ચૂંટણી આવવાની હતી. જો આ ચૂંટણી જીતવી હોય તો કાબેલ મુખ્ય મંત્રીની જરુર હતી. ઈશ્વરનું કરવું કે બીજેપી મોવડી મંડળને સદબુદ્ધિ સુઝી અને નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. આ નરેન્દ્ર મોદીએ બઘેડાટી બોલાવી. ખાઉકડ સરકારી અમલદારોમાંથી જેટલા પકડાયા તેમના ઉપર તવાઈ આવી અને કામગીરી ચાલુ થઈ.

ગોધરા રેલ્વેસ્ટેશન કાંડમાટે નરેન્દ્ર મોદી જવાબદાર

બધું ઠીકઠાક ચાલતું હતું અને નરેન્દ્રભાઈ એ એક ઉચ્ચારણ કર્યું કે “બીજેપી ના શાસનમાં કોમી દંગાઓનું નામોનિશાન મટી ગયું છે.” આ સાંભળી દંગાખ્યાત એવા ગુજ્જુ કોંગીઓના પેટમાં તેલ રેડાયું. ગોધરાના એક કોંગીલીંકવાળા નેતાથી સહન ન થયું અને યોજનાબદ્ધરીતે સાબરમતી એક્ષપ્રેસને સળગાવવાનું કાવત્રું થયું. પણ તે ટ્રેન મોડી પડતાં ફક્ત તેનો એક જ ડબ્બો સળગાવી શકાયો. કોંગી નેતા બોલ્યા કે નરેન્દ્ર મોદીએ “બીજેપી ના શાસનમાં દંગાઓનું નામ નિશાન મટી ગયું છે.” એવું કહીને અમારા મુસ્લિમભાઈઓને પરોક્ષ રીતે દંગા કરવા ઉશ્કેર્યા હતા. મોદી એવું બોલ્યા જ શું કામ?

હા ભાઇ, વાંક તો નરેન્દ્રભાઈ મોદીનો જ ગણાવો જોઇએ. અમે કોંગીઓએ અમારા પચાસ વર્ષના શાસનમાં ભલે અમારા મુસ્લિમભાઈઓને ગરીબ, અભણ અને બેકાર રાખ્યા. પણ આ બાબતમાં તો અમે હિન્દુઓને પણ ક્યાં બકાત રાખ્યા છે? પણ અમે મુસ્લિમભાઈઓનું ઘણું ભલું કર્યું છે અને તે એ કે અમે તેમને ધર્મ બાબતમાં સંવેદનશીલ (આળા) બનાવ્યા છે. એટલે ૧૯૯૨માં બનેલા બાબરી મસ્જિદ ધ્વંશના બનાવની સંવેદના દશવર્ષ પછી પ્રગટ કરે તો ખરા જ ને! તમે કહેશો કે શું સંવેદના પ્રગટ કરવાનું મુહૂર્ત દશ વર્ષે આવ્યું? અરે ભાઈ,

દરેક કાર્ય કરવાના કોંગીભાઈઓ માટે મૂહુર્ત હોય છે. (ચૂંટણી પણ એક મુહૂર્ત છે). 

હવે તમે વિચારો કે કુદરતી આફતોમાં મળેલી વહીવટી નિસ્ફળતા અને બદનામી પછી પણ જો કેશુભાઈ મુખ્યપ્રધાન પદે રહ્યા હોત તો ગુજરાતમાં તો યુપી કરતાંય બદતર રીતે બીજેપીનું નામું નંખાઈ જાત.

નરેન્દ્ર મોદી જ આવે સમયે ગુજરાતને તારી શક્યા તે માટે ઈશ્વરનો આભાર માનો.

પણ સમાચાર માધ્યમના મૂર્ધન્યોની યાદદાસ્ત સામાન્ય માણસની યાદદાસ્ત કરતાં પણ બેહદ ઉણી હોય એવું લાગે છે. તેમની કેશુભાઈ પરસ્તી અને નરેન્દ્રમોદી-વિરોધી પરસ્તી જોતાં આવું લાગે છે. પણ સાચી વાત એ છે કે સમાચાર માધ્યમના મૂર્ધન્યો પોતાનો ઉલ્લુ સીધો કરવામાં પડ્યા છે. ઉંઘતાને જગાડી શકાય પણ જાગતાને ન જગાડી શકાય. તેવી રીતે જે ભૂલી ગયો હોય તેને તમે યાદ કરાવી શકો પણ જે પોતાને બહુશ્રુત માનતા હોય પણ હેતુ દુષિત હોય તે જનતાને આડે માર્ગે જ દોરેને!

દુષિત વિસ્મૃતિ

સમાચાર માધ્યમોનું પણ આવું જ છે. તેઓ જ વાવાઝોડા અને ભૂકંપ વખતે કેશુભાઈની મજાક ઉડાવતા હતા અને ભાંડતા હતા અને અત્યારે કેશુભાઈ પરત્વેની ચાપલુસીમાંથી ઉંચા આવતા નથી.

વરમરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

શું કેશુભાઈ ગુજરાતમાં યુપી-બિહાર-રાજસ્થાન મત-કલ્ચર લાવવા માગે છે? એટલે કે શું ગુજરાતની જનતાએ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને મતદાન કરવું? દુઃખની વાત એ છે કે સમાચાર માધ્યમો પણ કેશુભાઈના ઉચ્ચારણોને અને જ્ઞાતિવાદને ઉત્તેજન મળે તેવા સમાચારોને ચગાવે છે. આ એક ગુનો ગણાવવો જોઇએ. નરેન્દ્ર મોદી કદી જ્ઞાતિવાદી સભામાં જ્ઞાતિવાદી મતોનું રાજકારણ ચલાવતા નથી. આ બંને વલણોમાં રહેલા ભેદને સુજ્ઞજનોએ સમજવો જોઇએ. અને તે રીતે તેઓને મુલવવા જોઇએ.

ભૂત(પૂર્વ)ની ભ્રમિત ભયની ભૂતાવળ

કડવા-લેઉઆ પાટીદારોના સમ્મેલનો ભરાયા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈએ કહ્યું આપણા ભાઈઓ ભયભીત છે. જે જ્ઞાતિએ વલ્લભભાઈ જેવા વીર અને અભય પુરુષ પેદા કર્યા તે જ્ઞાતિજનો શામાટે ભયભીત છે? ભય ખંખેરી નાખો. નિડર બનો. વિગેરે વિગેરે.

કોઈએ બાબલાને રાત્રે કહ્યું કે જા રસોડામાંથી પાણી લઈ આવ. તો બાબલાએ કહ્યું ના હું એકલો નહીં જાઉં. મને બીક લાગે છે. મા એ પહેલો સવાલ એ જ કર્યો કે “બીક શાની લાગે છે? બાબલાએ કહ્યું અંધારાની બીક લાગે છે. મા એ બીજો સવાલ કર્યો કે અંધારાની બીક શા માટે લાગે છે? બાબલાએ કહ્યું ભૂતની બીક લાગે છે. માએ કહ્યું તો રામનું નામ લે. ભૂત ભાગી જશે. આ બાબલો એ બીજું કોઈ નહીં પણ ગાંધી બાપુ હતા. તેમની માતા ખાસ ભણેલાં નહીં પણ લખી વાંચી શકે ખરાં.

હવે મૂળ વાત પર આવીએ. પાટીદાર ભાઈઓ શું મોરીદાર છે? જો તેમ હોત તો તેઓ આફ્રિકા, અમેરિકા અને યુકેમાં પોતાનો ડંકો કેવીરીતે વગાડત? અરે હજી પણ તેઓના નામના ડંકા અમેરિકામાં વાગે છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવામાં પણ હિંમતતો જોઇએ જ. સામાન્ય કક્ષાનું ભણેલા અને લગભગ અભણ પટેલો પણ અમેરિકામાં ડંકા વગાડે છે. અંકલ સામ કદાચ આ પોટેલો થી ડરતા હોય તે વાત નકારી ન શકાય. એટલે પટેલ ભાઇઓ ભયભીત હોય તે વાત તો ગળે ઉતરે તેવી નથી.

સહી શબ્દોંકા પ્રયોગ

તો પછી કેશુભાઈએ ભય અને ભયભીત શબ્દો કેમ વાપર્યા? શું તેઓ શબ્દના અર્થોને સમજી શકતા નથી? શું તેમનામાં “સહી શબ્દોંકા પ્રયોગ કરેં” ની અક્કલ નથી?

કદાચ તેમને ભય શબ્દ અસરકારક કે વિદ્વત્તાપૂર્ણ લાગ્યો. આવું ઘણી વખત બને છે. પચાસના દાયકાની વાત છે. એક વિદેશી ડીપ્લોમેટનું દિલ્લીમાં આગમન થયું. વિમાન મથકે તેમનું સ્વાગત થયું. ગુજરાતના તે વખતના ખ્યાતનામ ગુજ્જુ સમાચાર દૈનિકે શિર્ષરેખા આપી .. ” ‘ ___ ‘ નું દિલ્લીમાં થયેલું અવસાન”. સમાચારની વિગતમાં અવસાન કે તેની વિગત વિષે કશો ઉલ્લેખ નહીં. પછી બીજે દિવસે માફી સમાચાર આવ્યા કે સ્વાગતને બદલે અવસાન શબ્દ વપરાઈ ગયો હતો. મેં મારા પિતાજીને પૂછ્યું સ્વાગત અને અવસાન વચ્ચે કશો મેળ નથી. આવી ભૂલ કેવી રીતે થઈ શકે? તો મને જવાબ મળ્યો કે “શબ્દ સારો લાગ્યો એટલે વાપરી નાખ્યો હશે. ઘણા લોકોને શબ્દના અર્થની બરાબર ખબર હોતી નથી. આકર્ષક લાગે તો વાપરી નાખે.”  

આપણા કેશુભાઈને પણ કદાચ “ભય અને ભયભીત” શબ્દો આકર્ષક લાગ્યા હશે. પણ અર્થને કેવીરીતે જોડશો? આપણા સમાચાર માધ્યમના મૂર્ધન્યો તો વિદ્વાન અને તર્કજ્ઞ છે. તેઓએ સર્વ પ્રથમ સવાલ કેશુભાઇને એજ કરવો જોઇએ કે “કોનો ભય લાગે છે અને શા માટે ભય લાગે છે?”

જો કેશુભાઈ અને સમાચાર માધ્યમોના મૂર્ધન્યોની મથરાવટી મેલી હોય તો અર્થ અને સવાલો કરવાની ઝંઝટમાં શાના પડે! પણ આશ્ચર્ય એ વાતનું છે કે કોઈબી માઈનો પૂત ન તો મૂર્ધન્યોમાં નિકળ્યો કે ન તો કટાર લેખકોમાં નિકળ્યો કે જે “શેનો ભય અને શા માટે ભય” વિષે પ્રૂચ્છા કરે.

આપણા સમાચાર માધ્યમના વિદ્વાનોની આવી આદતો કંઈ નવી નથી. અમૂક વ્યક્તિઓ એવી છે જ કે જેમને અમૂક સવાલો પૂછાય જ નહીં. જોકે આ બાબત અત્યાર સુધી નહેરુવંશના ફરજંદો પૂરતી અને તેમના કેટલાક સંલગ્ન મળતીયાઓ સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. તેની પાછળ સમાચાર માધ્યમના, ટીવી ચેનલોના અંગત કાળા-પીળા હિતો હોય છે. કેશુભાઈને ખાસ સવાલો ન પૂછાય તે તો નવિન પ્રણાલી છે.

અધ્યાહારની અકળ લીલા

જે વાત ખાસ કહેવી છે તેને અધ્યાહાર (અનુલ્લેખિત) રાખો. એટલે સૌ કોઈ ભળતા શબ્દો, મુકી શકે. અને વાતને ચગાવી શકાય.

કેશુભાઈએ કહ્યું પાટીદારો જ નહીં, મોરીદાર, તીખીદાર, કરવીદાર, છરેરીદાર, છર્યાવગરની દાર, બધી જ ગુજ્જુદારો ભયભીત છે.

 ભયભીત કેશુભાઈ

હે કેશુભાઈ, પણ ફોર તો પારો કે કોનાથી ભયભીત છે અને શામાટે ભયભીત છે?

કેશુભાઈ શું કામ વિગતે બોલતા નથી? શું તેઓ તે માટે પણ ભયભીત છે? તો પછી જે ખુદ ભયભીત છે તે બીજાને કેવીરીતે ભયમૂક્ત થવાની શિખામણ આપી શકે? આ તો “ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે” એવી વાત થઈ.

સામાન્ય માણસ અંદાજ મુકે છે કે કેશુભાઈ અને સમાચાર માધ્યમોનું નિશાન કોણ છે અને  આ બધું શા માટે, આ રીતે શા માટે થાય છે?

નિશાન નરેન્દ્ર મોદી છે

સમાચાર માધ્યમો, કોંગીઓ અને કેશુભાઈ અને તેમના મળતીયાઓનું નિશાન, નરેન્દ્ર મોદી છે. આ બધો પ્રપંચ નરેન્દ્ર મોદીના રાજકીય કે કોઈપણ જાતના મૃત્યુ માટે થાય છે. અને આરીતે એટલે કે વિગતો આપ્યા વગર એટલા માટે થાય છે કે જો વિગતો આપે તો નરેન્દ્ર મોદી સણસણતો એવો જવાબ આપે કે આ બધા મોદી-વિરોધીઓ ભોંયભેગા થઈ જાય. સોનીયા ગાંધીએ નામ દીધાવગર ગુજરાતીઓને ગોડસેને ચૂંટનાર અને નરેન્દ્ર મોદીને નામ દીધા વગર મૌતકા સૌદાગર કહ્યા હતા. તો નરેન્દ્ર મોદીએ તેમના શબ્દોને એવા બૂમરેંગ કર્યા કે ચૂંટણીમાં કોંગીઓ ચત્તાપાટ પડ્યા. એટલે હવે નરેન્દ્રમોદીના વિરોધીઓ વિગતો આપવામાં માનતા નથી. આવ પથરા પગ ઉપર કે “આ બૈલ મુઝે માર” એવું કોણ કરે. એના બદલે ભય, ભયભિત, હાંસીયામાં, ઉદ્યોગપતિઓને ખેરાત, ખેડૂતોની અવગણના, ગૌચર એવું એવું બોલે રાખો અને સાર્વત્રિક અસંતોષ પ્રવર્તે છે એવું વાતાવરણ તૈયાર કરો. આપણા તડમાં લાડુ આપોઆપ પડશે.

વાસ્તવમાં નરેન્દ્ર મોદી થકી અસંતુષ્ટ કે ભયભીત શિયાળવાંઓ કોણ છે? એક તો કેશુભાઈ પોતે જ છે. બીજા સુરેશ મહેતા છે. થોડા ઘણા કેશુભાઈસાથે નવરા પડેલા આરએસએસના એવા કાર્યકરો કે જેઓ સરકારી નોકરો સાથે વહીવટ ગોઠવનારા હતા તેઓ છે, સમાચાર માધ્યમોના વહેતા મુકેલા ગુબ્બારા પ્રમાણે સંજય જોશી પણ હોઈ શકે છે. એટલે સમાચાર માધ્યમો સંજય જોશીના અઘ્યા-પાદ્યાના સમાચારો ચમકાવ્યા કરે છે.

દાખલા તરીકે, સંજય જોશીએ ભલે રાજીનામું આપ્યું પણ તેઓ ઘણા લોકપ્રિય છે. અને તેઓ રેલ્વે રસ્તે દિલ્લી જશે જેથી તેમના અનુયાઈઓ સાગમટે તેમનું સ્ટેશને સ્ટેશને સ્વાગત કરશે. તેથી નરેન્દ્ર મોદીના પેટમાં તેલ રેડાશે.

પણ થયું એવું કે સંજયભાઈનું હવાઈ માર્ગે દિલ્લી જવાનું નક્કી કર્યું. તેથી આપણા સમાચાર માધ્યમે થુંકેલું ગળીને વાત ફેરવી તોળી કે બીજેપીના મોવડી મંડળે વિવાદ ન વકરે તેમાટે સંજયભાઈને હવાઈ ટીકીટ આપી દીધી. આ તો એવો ઘાટ થયો કે “મનમાં ને મનમાં પરણ્યા અને મનમાં ને મનમાં રાંડ્યા.”

બારદાનની અગત્ય

એક મિત્રે મને કહ્યું કે તો સરકારી નોકરો ભયભીત છે. અને કેશુભાઈ સરકારી નોકરોને પડખે લેવા માગે છે. હા સરકારી નોકર એક એવું “બારદાન” (પેકીંગ, ખોખું) છે, જે બરાબર ન હોય તો તમારી પ્રોડક્ટને હતી ન હતી કરી નાખે. એટલે જો એક વખત સરકારી નોકરો ખીસ્સામાં આવી જાય તો નરેન્દ્ર મોદીને ચીત કરી શકાય.

સરાકરી નોકરોમાં તો એક, બે, ત્રણ અને ચાર વર્ગના કર્મચારીઓ આવે. ચાર વર્ગના કર્મચારીને તો અનસ્કીલ્ડ કામ કરવાનું હોય છે. તેઓને કોઈ ભય હોઈ શકે નહીં. શિવાય કે કામમાં દગડાઈ કરે. બે અને ત્રણ વર્ગના કર્મચારીઓ અફસરો/અધિકારીઓ અને બાબુઓ કહેવાય છે. એક અને બે વર્ગના અફસરો નક્કી કરેછે કે ત્રણ વર્ગની જવાબદારી કેટલી! બે અને ત્રણ વર્ગના કર્મચારીઓ મોટા સાહેબો (વર્ગ એક) થી ડરતા હોય છે. પણ જો તેઓ નીતિમાન હોય તો તેમણે ડરવાની જરુર હોતી નથી. ખાસ કરીને ત્રીજા વર્ગના કર્મચારીઓ આડતીયા થવાનું બંધ કરે તો તેઓ ડરથી મૂક્ત થઈ શકે.

પ્રથમ વર્ગમાં બે કક્ષા હોય છે. જુનીયર એડમીનીસ્ટ્રેટીવ   અને સીનીયર એડમીનીસ્ટ્રેટીવ. વર્ગના બીજા વર્ગના કર્મચારીઓ અને જુનીયર એડમીનીસ્ટ્રેટીવમાંના કેટલાક  કરોડ રજ્જુ સમાન હોય છે. આમાં ઘણું પોલીટીક્સ ચાલતું હોય છે.

પણ સુજ્ઞજનોએ સમજવું જોઇએ કે કાયદો કાયદાનું કામ કરશે. સૌને કાયદાનું રક્ષણ છે અને તેમને તેમની જવાબદારી નભાવવાનું મહેનતાણું મળે છે. અધિકારીવર્ગના મોટાભાગે ઘણી લાલીયા વાડી ચલાવી છે. ઘણા હજી પણ ચલાવતા હશે. જો તેમની પૂંછડી પકડીને કાબુમાં રાખવામાં નહી આવે તો તેઓ વધુ વકરી શકે છે. આ વિશે લખવા બેસીયે તો મહાભારત જેવડું પુસ્તક લખાય. જો થોડા અફસરો જેઓ નીતિમાન રહી શક્યા તેઓ જો ભેગા થઈને તટસ્થ રહીને લખે તો મહાભારત પણ સર્જાય.

 

પણ ટૂંકમાં કાયદામાં એવી જોગવાઈ છે કે સરકારી નોકરો પોતાને થયેલા અન્યાય માટે ચૂંટાયેલા સભ્યો પાસે જઈને કે તેમની મારફત ન્યાયની માગણી ન કરી શકે. તેઓ ન્યાયિક અદાલતમાં જરુર જઈ શકે છે.

કોંગી જનોને તેમના પક્ષના કુદરતી મોત તરફ જવા દો. તેને સુધારવાની જરુર નથી. જેણે અર્ધી સદી ઉપરાંત દેશનું સૂકાન અને અબાધિત અધિકારો આપ્યા છતાં ન સુધર્યા અને દેશને પાયમાલ કર્યો, તેને તક આપવામાં બેવકુફી છે. કેશુભાઈ અને તેમના મળતીયાઓએ

તથા સમાચાર માધ્યમના વિદ્વાનોએ કમસે કમ તર્ક અને મુદ્દા આધારિત ચર્ચા કરવી જોઇએ.

તેઓ કોણ છે તે અમે જાણતા નથી”

સંસ્કૃતમાં એક શ્લોક છે કે;

૧ “એ લોકો સજ્જન છે જેઓ પોતે પોતાનું હિત ત્યજીને બીજાનું હિત કરે છે.”

૨ “એ લોકો સામાન્યજન છે જે બીજાને નુકશાન ન થાય તે પ્રમાણે વર્તીને પોતાનું હિત સાધે છે”

૩ “એ લોકો માનવરાક્ષસ છે જેઓ બીજાને નુકશાન કરીને પોતાનું હિત સાધે છે”

૪ “પણ જેઓ કોઈ કારણ વગર જ બીજાનું અહિત કરે છે તેઓ કોણ છે તે અમે જાણતા નથી.”

કેશુભાઈ, તેમના મળતીયાઓ અને અખબારી મૂર્ધન્યોએ જ પોતાની કક્ષા ત્રણ નંબરની છે કે ચાર તે નક્કી કરવાનું છે. જનતા તો તેમને તેમનું સ્થાન બતાવતી જ રહી છે.

કોંગીજનોને જવા દો. તેઓ તો “ગૉન કેસ” છે.

 

શિરીષ મોહનલાલ દવે

 

ટેગઃ ભય, ભયભિત, ભૂતપૂર્વ, કેશુભાઈ, શંકરભાઈ, કોંગીભાઈ, બૂમરેનંગ, માનવરાક્ષસ, સરાકારી નોકર, અફસર, અધિકારી, બારદાન       

Read Full Post »

%d bloggers like this: