Feeds:
Posts
Comments

Posts Tagged ‘ભાવનગર’

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

અમારે ભાવનગરમાં પચાસના દાયકામાં અમદાવાદના છાપાંઓ સાંજે આવતા. રાજકોટના છાપાં બપોરે આવતા. અને ભાવનગરમાંથી કોઈ દૈનિક છાપાં પ્રકાશિત થતા જ હતા નહીં. પગદંડી અને ભાવનગર સમાચાર જેવાં મેગેઝીનો બહાર પડતાં પણ તેનો ફેલાવો બહુ નહીં. મુંબઈના છાપાં સૌથી પહેલાં આવતાં પણ મોટે ભાગે વેપારી વર્ગ સિવાય મુંબઈ સમાચાર ખાસ વંચાતું નહીં. તે વખતે છાપાંઓ ઉપર છાપાંના કાગળનો ક્વોટા સરકાર હસ્તક રહેતો. તેથી છાપાવાળાં સરકારની વિરુદ્ધ આદુ ખાઈને પડી શકે તેવો જમાનો ન હતો. “શબ્દવ્યુહ રચના” અને “ફિલમ” ની જાહેરાતો ઉપર પણ સરકારે ક્વૉટાના હિસાબે નિયંત્રણ મુકેલું. તે વખતે મહાગુજરાતની ચળવળ ચાલતી. તેમાં સરકારી કોંગ્રેસ પ્રતિનું વલણ રહેતું. કમસે કમ ચૂંટણી વખતે તો “કોંગ્રેસ આપણો જાણીતો પક્ષ છે તેમની પાસે આપણે આપણા મનની વાત અને ફરિયાદ કરવાની સગવડ છે …” આવી મતલબના તંત્રી લેખો આવતા. એટલે સરવાળે જે કંઈ થોડા સમાચારો કોંગ્રેસની વિરુદ્ધ આવતા તેની ઉપર સરવાળે પાણી ફરી વળતું. જનસત્તાએ કોંગ્રેસ વિરુદ્ધ કાઠું કાઢેલ પણ તેને ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સંધી કરી લેવી પડેલી.

ઈન્દિરા ગાંધીનો  નહેરુવીયન હોવાની લાયકાતના આધાર હેઠળ રાજ્યાભિષેક થયા પછી છાપાંઓમાં વિભાજન થવાના શ્રીગણેશની શરુઆત થયેલ. ઇન્દિરા ગાંધીના અને તેમના ભક્તોના જૂઠાણાઓએ  અને લાંચ રુશ્વતોએ માઝા મૂકતાં પ્રજામત આગળ છાપાંઓને ઝૂકવું પડેલ.

ઇન્દિરાએ જોયું કે વર્તમાન પત્રોની વિશ્વસનીયતા ઘણી છે એટલે ૧૯૭૫માં તેણીએ વર્તમાન પત્રોને પોતાની રીત પ્રમાણે “કટોકટી” દરમ્યાન સીધાં કરેલ.

૧૯૭૭માં જનતાપાર્ટીની સરકાર આવી એટલે શરુઆતમાં છાપાંઓ સ્પ્રીંગની જેમ ઉછળેલ પણ ચરણસીંગે જનતા પાર્ટી સામે બળવો કર્યો અને ઇન્દિરાની મદદ લીધી.

છાપાંઓને લાગ્યું કે;

“ઇન્દિરાઈ કોંગ્રેસ સિવાય આપણો ઉદ્ધાર નથી. ઈન્દિરા પોતે જ ભ્રષ્ટ છે માટે નફા માટે વાચકવર્ગ ઉપર આધાર રાખવાની ખાસ જરુર નથી. ઇન્દિરાઈ કોંગ્રેસે હાલસુધી (૧૯૮૦ સુધી) ગરીબાઈ અને નિરક્ષરતા કાયમ રાખી હોવાથી, આપણે હવે ઇમોશનલ શિર્ષરેખાઓ (સમાચારની હેડ લાઈનો) અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારી શકીશું. સરકારી જાહેરાતો પણ મળશે. “ફલાણો કાયદો પ્રજાને અર્પણ… ફલાણો પ્રોજેક્ટ પ્રજાણે અર્પણ… “ આ બધું ચાલુ કરનાર તો ઇન્દિરા માઈ જ છે ને… ઇન્દિરા કોંગ્રેસનું કલ્ચર આપણે જાણીએ છીએ એટલે તેની સામે આદુખાઈને પડવાની જરુર નથી. એટલે ૧૯૭૯માં “જનતા પાર્ટીનો વાગેલો મૃત્યુ ઘંટ”, “કામ કરતી (ઈન્દિરાની) સરકાર”, “ગરીબોની કસ્તૂરી (ડુંગળી)ના ભાવ આસમાને”, “સૌભાગ્યકાંક્ષિણી થવા થનગનતી કન્યાઓ સોનાના આસમાની ભાવોથી ચિતાંતુર”, “કન્યાના માંબાપમાટે મંગળસૂત્ર એક સમસ્યા”,

આ દરમ્યાન રંગા-બીલ્લાની જોડીએ યુવાન ભાઈબેનનું અપહરણ કર્યું અને બળાત્કાર કર્યો. એટલે સમાચાર પત્રોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. જોકે આવા બનાવો તો કોંગીના શાસનમાં ઉત્તરભારતમાં તો રોજ બનતા અને તેની નોંધ પણ લેવાતી ન હતી. પણ ભાઈ આપણે તો ઇન્દિરામાઈની સેવા કરવાની છે અને તમે ઇન્દિરામાઈનો સ્વભાવ તો જાણો છો જ ને કે. કટોકટીમાં કેટલાક શૂરવીરતા બતાવવા ગયેલાઓને ઇન્દિરા માઈએ કેવા મરણાસન્ન કરેલા. બાજપેયીના મણકાને શું થયું હયું હતું?  જો જય પ્રકાશ નારાયણને પણ ન છોડ્યા તો આપણે તે વળી કઈ વાડીના મૂળા? બહુ સિદ્ધની પૂંછડી થવાની જરુર નથી. એટલે તો આપણે કશ્મિરના હિન્દુઓની ઉપર થયેલા ખુલ્લેઆમ અત્યાચારો, હિજરત અને નર સંહારને છૂપાવવો પડેલો.

આમાં વળી નરસિંહરાવ વડાપ્રધાન થયા. તેમણે બધા નિયંત્રણો દૂર કર્યા. એટલે આપણી માટે જાહેરાતોનું મેદાન મોકળું થયું. પણ આપણે નહેરુવીયન કોંગ્રેસની અડફેટમાં ન આવવું, અને ખાસ કરીને નહેરુવંશના ફરજંદોની અડફેટમાં ન આવવું હોં!!”

અમારે ૧૯૫૨થી ગુજરાત સમાચાર આવતું હતું. પણ ૧૯૮૧માં ગુજરાત છોડ્યું. મુંબઈમાં મુંબઈ સમાચાર આવતું હતું. મુંબઈસમાચારના સંચાલકો મહાત્માગાંધીવાદી અને વળી મુંબઈ સમાચાર ફક્ત સમાચાર આપવામાં માને. જોકે ઇન્દિરાઈ અસર ખરી. પણ ન મામા કરતાં કહેણાં મામા શું ખોટા. આ પ્રમાણે મુંબઈ સમાચાર રહ્યું. ૧૯૯૬માં દેશાટન કરીને ગુજરાત આવ્યા. ૨૦૦૧માં મોદી આવ્યા. અને અમે ગુ.સ. ના (ગુજરાત સમાચારના) વલણોથી ત્રસ્ત થયા અને ગુ.સ. બંધ કર્યું.

ડી.બી. ચાલુ કર્યું. ડી.બી. ભાઈ (દિવ્ય ભાસ્કર-ભાઈ) નવા સવા હતા.

૨૦૦૧માં મોદીએ મુખ્ય મંત્રી થતાંની સાથે જ  બઘેડાટી બોલાવી. “વાંચે ગુજરાત”, “ચલો નિશાળ” જેવા અનેક કાર્યક્રમો થયા. વળી ઈન્ટરનેટનો જમાનો શરુ થયો. કેશુભાઈના જમાનામાં બધા પત્રકારોને અમદાવાદથી ગાંધીનગર રોજ ફ્રીમાં લઈ જવામાં આવતા, અને ચીકન બિર્યાની અને વ્હિસ્કી પણ ફ્રી. મોદીકાકાએ આ બધું બંધ કર્યું.

છાપાવાળાંઓની તો ઘાણી થઈ.

 

“આ તો ભારે થઈ. જે સગવડ મળતી હોય અને તે પણ મફત, એટલે અમને લગરિક અકારુ તો લાગે જ. પણ મુસલમાનો મદદે આવ્યા. તેમણે સાબરમતી એક્સપ્રેસનો કોચ ગોધરામાં બાળ્યો. ૫૯ હિન્દુઓને જીવતા બાળ્યા અને તેથી પ્રત્યાઘાત રુપે હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં એટલે આપણને તો હિન્દુઓની અસહિષ્ણુતાને ઉછાળવાનો જબ્બરજસ્ત મોકો મળી ગયો. ભલે હિન્દુઓ પણ મર્યા, અને મહિનાઓ સુધી હિન્દુઓ, સ્ટેબીંગના (મુસ્લિમો દ્વારા ચપ્પુઓ ખોસવાના બનાવોના ભોગ બન્યા) પણ અમે તો  ભરપેટ હિન્દુઓને ગાલી પ્રદાન કર્યું. સોનિયા માઈએ અને તેમના સાથીઓએ પણ ગાલીપ્રદાનો કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં.

“મારા વાલીડા મોદીએ તો ભારે કરી.

સો દેડકાં અને એક સિંહ

“આ મોદીએ તો એવા દાવ ખેલ્યા કે આપણા સોનિયામાઈને અને તેમના ભક્ત મંડળને પણ લેવાના દેવા પડ્યા. આપણું શસ્ત્ર આપણને જ વાગ્યું.

“આ મોદી કાકો આટલેથી અટક્યો નહીં. પણ એણે ગુજરાતનો પાયાનો વિકાસ પણ કર્યો. પરપ્રાંતીઓ વધુને વધુ આવવામાંડ્યા. મોદી કાકાએ તેમને આવકાર્યા. તેમને નવાજ્યા. એટલે મોદીકાકાએ તો લાગલગાટ ૧૩+ વર્ષ એકચક્રી રાજ કર્યું. અને કારણ કે, પરપ્રાંતીઓને આવકારેલા એટલે તેઓ પણ મોદીકાકાના પ્રચ્છન્ન  પ્રચારકો બન્યા. એટલે આપણા નરેન્દ્ર ભાઈ મોદી તો વડાપ્રધાન થઈ ગયા. .. બોલો..

“બોલો હવે શું કરીશું? આ મોદીને પાડવો કેમ કરીને? એણે તો આપણી દુકાન બંધ કરી દીધી છે. હરાયા ઢોર થઈ જઈએ તે પહેલાં આપણે કંઈક કરવું પડશે. આપણી માઈના સહયોગીઓ ઉપર બધું જ છોડી દેવું બરાબર નથી.

સમાચાર પત્રો થયા ઘાંઘાં

“ચાલો મળીએ મેનેજમેન્ટના ખેરખાંઓને.

ચાલો “મને બધું આવડે (એમ.બી.એ. ને મળીએ) હવાઓના કહેવા પ્રમાણે આવા લોકોએ બીલ ક્લીન્ટનને જીતાડ્યા છે, ઓબામાને જીતાડ્યા છે … અરે એટલું જ નહીં આ મોદીને પણ સી.એમ. તરીકે અને પીએમ તરીકે જીતાડ્યો છે.

“ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ

( હે મેનેજમેન્ટ ગુરુ, હું તારો શિષ્ય છું. તારે શરણે આવેલા એવા મને બોધ આપ)

“આવો આવો. મારું તો કામ જ આ છે. પણ પૈસા થશે. ઉધાર બુધાર નહીં ચાલે.

“અરે સાહેબ તમે પૈસાની ચિંતા ન કરો. અમારે તો અમારું છાપું ચલાવવું છે. તમે કંઇક ટૂચકો બતાવો કે અમે બે પાંદડે થયા છીએ તે ચાલુ રહી શકીએ.

“ઓકે. તમે બે પાંદડે થયા કેવી રીતે?

“સાહેબ, અમારા દરેક સમાચાર જે છાપવાના હોય કે ન છાપવાના હોય તે અમારી શ્યામા લક્ષ્મી છે. બાકી તો સાહેબ, આ ફિલમી હસ્તિઓની સાચી ખોટી વાતો તેમના કહેવા પ્રમાણે છાપી એમાંથી થોડી ઘણી શ્યામા લક્ષ્મી પેદા કરતા હોઈએ છીએ. આ લોકોના અને બીજા કેટલાકના વિજ્ઞાપનો દ્વારા અમને શ્વેત લક્ષ્મી મળે છે.

“ તો પછી મુશ્કેલી શું છે?

“સાહેબ, અમારે તો લીલા લહેર હતી. અમારામાંના કેટલાકે તો બીલ્ડર નો ધંધો શરુ ક્લરેલો. પણ હવે જવા દો એ વાત. જો એ વાત કરીશું તો છાણે વીંછીં ચડશે…. અમારી તો પથારી ફરી ગઈ છે.

“કેમ શું થયું?

“સાહેબ, આ સોશીયલ મીડીયાએ અમારી ઘાણી કરી નાખી છે. એ લોકો સમાચારો જનતાને વહેલા પહોંચાડી દે છે. એટલું જ નહીં તેઓ જ ચર્ચાઓ કર્યા કરે છે… એટલે અમારો મોદી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનો હેતુ બરાબર પાર પડતો નથી.

“અચ્છા તો વાત એમ છે કે તમારે સોશીયલ મીડીયાને નબળું પાડવું છે. પણ તમે સમજી લો કે એ માટે તમારે કોંગીની અને તેના સાથીઓની મદદ લેવી પડશે.

“કોંગીઓ અને તેના સાથીઓ તો મદદ કરવા તૈયાર જ છે.

“તો તેમને કહો કે સોશીયલ મીડીયાનો મોરચો એ લોકો તેમની રીતે સંભાળી લે.

“હા, પણ અમે શું કરીએ?

“તમે શબ્દોની રમતો તો રમો જ છો ને? જેમકે ત્રણ જવાનો કશ્મિરની સરહદે ફૂંકાયા, નાગરિક યુવકો ઘવાયા. અંદર ક્યાંક લખો કે તેઓ પત્થરો ફેંકતા હતા…. સૂત્રો પોકારવાથી દેશ દ્રોહ થતો નથી…. મોદીની હાર , રાહુલને હાર … અમિત શાહ પક્ષ પ્રમુખપદેથી હટી શકે છે,… મોદી ઈફેક્ટ ધરાશાઈ, …. મોદીને બદલે કોણ ચર્ચા શરુ …. વિગેરે વિગેરે વિષયો ઉભા કરી તેની ઉપર ચર્ચા ફેલાવી શકાય છે. આવું બધું તો તમને કહેવું પડે એવું નથી… આવું તો તમે કરો જ છો.

“હાજી …  પણ આ પુરતું નથી. એવું અમને અને અમારા અન્નદાતા એવા માઈભક્તોને લાગે છે.

“તમે જુઓ અને સમજો… સોશીયલ મીડીયાનો એક વર્ગ છે. તે આમ તો બહોળો લાગે છે પણ તે મર્યાદિત છે. મોટાભાગના વયસ્ક અને વાર્ધક્યે પહોંચેલાઓને આ બધા ગેજેટોના સંચાલનની  તકનીકીઓ શિખવાની ઇચ્છાઓ નથી. એટલે આવા લોકો હજી તમારા ચીલાચાલુ સમાચાર માધ્યમ એવા વર્તમાન પત્રો ઉપર જ આધાર રાખે છે.  વળી આ મોદીકાકાએ ભણેલાઓમાં વૃદ્ધિ કરીને સાક્ષરતા ૮૦% પહોંચાડેલ છે તેમાંના યુવાનોની મગજની પાટીઓ કોરી છે. એટલે તમારા માઈમંડળને કહો કે આ લોકોનું ધ્યાન રાખે. અને તમે વાર્ધક્યમાં (ગલઢા લોકોનો, વૃદ્ધ લોકોનો) વિસામો લેનારાઓનો કબજો લો … એટલે કે તે બધા વાચકોની ઉપર,  અને તે ઉમરના કટારીયાઓ ઉપર કબજો લો… અને વયસ્ક કટારીયાઓને સાધો …

“હા… પણ એ કેવી રીતે … ?

 “ જુઓ… તમારી પાસે અમુક કટાર લેખકો તો હશે જ. તેમાંના કેટલાક ઓગણીશો સીત્તેરના દાયકામાં પ્રસિદ્ધિમાં આવ્યા હશે તેઓ હવે વયસ્ક થઈ ગયા હશે… કેટલાક તેથી પણ જુના હશે…. જે વાર્ધકયમાં વિસામો લેતા હશે…!!

“ હા… તો…?

“તો … શું? આ બધાને લપટાવો… તેમાંના ઘણા બધા લપટાઈ જવા આતુર જ હશે. કેટલાક એવોર્ડ પરત કરનારા પણ તમને મદદ કરવા આતુર હશે. ધર્મ કરતાં રિશ્વત મોટી છે એટલે કે પૈસા મોટા છે. અને પૈસા કરતાં કીર્તિ મોટી છે. કીર્તિ માટે તટસ્થતાનું મહોરું જરુરી છે. એટલે કે તમે “માલી પા…  પેલી પા … વિકાસના ફુગ્ગામાં કાણું પડ્યું… ઑણ … હમણેં , “  વળી જે યુવાનોને કોંગીએ જાતિવાદના નામે ઉશ્કેરવા માટે ઉત્પન્ન કર્યા તેમને વિષે ‘સત્તા પ્રતિષ્ઠાન સામે પડકારના પ્રતિક’ તરીકે ખપાવનારા તમને તમારે ભાણે ખપશે. વળી “ગાંધી પોતે જ ‘પૂર્ણ ગાંધીવાદી’ ન હતા એમ કહીને પોતાના સુક્ષ્મ અવલોકનને ઉજાગર કર્યા વગર જ આ લોકો અગડમ બગડમ લખશે અને પોતાને તટસ્થ ગણશે. ટૂંકમાં તેઓ કોરી પાટી વાળાઓને, “થાઉં થાઉં થતા કટારીયાઓને અને નબળી પડેલી યાદ શક્તિ વાળા ગલઢાઓને અસંમજસ માં મુકી દેશે. “પોલીટીશ્યનો બધા સરખા” એવા વૈશ્વિક કથનને તે સૌ પ્રમાણભાનને અવગણી “નોટા” નું બટન દબાવ’વા તત્પર થશે કે મત આપવા જ નહીં જાય.

“પણ સાહેબ, આ બીજેપી વાળા તો અમને ગદ્દારમાં ખપાવે છે તેનું શું?

“જુઓ … મેં તમને પહેલાં પણ કહ્યું જ છે કે તમે સીત્તેરના દશકામાં આગળ આવ્યા હતા તેવા વયસ્ક લેખકોને, મૂર્ધન્યોને, સેલીબ્રીટીઓને પકડો. તેમાંના ઘણાં ખૂરશી થી વંચિત રહ્યા હશે. તેમને પકડો. જેમકે જશવંત સિંઘ, યશવંત સિંહા, અરુણ શૌરી, પ્રીતીશ નાંદી, જેવા અનેક છે. જેમકે બીજેપી-ગાય = કોંગ્રેસ. જેવું બોલવાવાળા તમને મળી રહેશે. ફિલમી મહાનુભાવો તો બોલવા માટે આતુર છે. જો તમે પ્રીતીશ નંદી જેવાને પકડશો તો તમને ફિલમી જગતામાં નવી ઓળખાણો થશે. આવા ખ્યાતનામ માહાનુભાવો જે કંઈ “હંગ્યું પાદ્યું” બોલે તેને હાલના કોરી પાટી વાળા બ્રહ્મવાક્ય જ માને છે.

“પણ સાહેબ, આ બધા મહાનુભાવો અમારા માટે લખવા માટેનો સમય ન કાઢી શકે તો.

“અરે ભાઈ…  તેઓ ક્યાંક તો લખતા જ હોય છે. તેનું ભાષાંતર કરી છાપી નાખો તમારા છાપાંમાં. તમારા છાપાંની પણ કીર્તિ વધશે કે “જોયું હવે તો આ મહાનુભાવો પણ મોદી રાજની વિરુદ્ધ થઈ ગયા છે. કંઈક તો ખોટું હશે જ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે   

ચમત્કૃતિઃ

મિયાંઃ “અરે ભટ્ટજી મૈંને વો ઝાડકે નીચે સેંકડો સાંપ દિખે…

ભટ્ટજીઃ “ અરે મિયાં ! હમારે યહાં કોઈ સાંપ હૈ હી નહીં …

મિયાં; “સચ માનો, કમસે કમ પચાસ સાંપ તો થે હી…

ભટ્ટજીઃ “વહાં સાંપ હો હી નહીં સકતા. ક્યોં કિ વહાં ટ્રાફિક ઇતના હૈ કિ સાંપ આનેકા નામ હી નહીં લે સકતા;

મિયાંઃ “દશ સાંપ તો થે હી થે …

ભટ્ટજી; “ચલો દેખકે આતે હૈ…

મિયાં; “ સાંપ જૈસા કુછ તો થા હી …

 ———————–

તમે કહેશો; “આ વાત તો મૂળ વાત જેવી નથી. તભા ભટ્ટ અને મિયાં ફુસકી ની વાતોમાં આવું કશું આવતું નથી.

અમેઃ અરે ભાઈ, સંત રજનીશમલ પણ તેનાલી રામની આવી જ વાતો કરે જ છે ને …

તમે કહેશો; “પણ આ પ્રીતીશ નંદીનું શું છે?   

Read Full Post »

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

Paint01

શું ગાંધીજી પ્રસ્તૂત છે?

૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.

વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.

પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.

જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.

તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.

જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.

કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.

સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.

જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.

સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.

ગાંધીજીનું યોગદાન

૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.

ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!

કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક  કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”

ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.

ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.

ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.

અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.

આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).

જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે  સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.

તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.

બ્રીટનમાં અહિંસક માર્ગે  જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.

ગાંધીજી એક બહુમુખી પ્રતિભા

ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..

તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.

આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે.   ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.

કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.

ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.

ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ

અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો  મોટો કોયડો હતો.

ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો,  …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….

આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….

ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?

(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,

(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,

(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,

(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.

(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,

(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.

(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.

(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ

એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.

જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.

(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ  (કર્તવ્ય) છે,

(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ

આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.

શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”

અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.

ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.

હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.

આરોગ્યઃ

ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.

માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.

ઉપવાસ અને કુદરતી ઉપચારઃ

૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.

“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?

એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.

ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.

આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.

“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,

“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે  વિચાર વિમર્શ થઈ શકે,

સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?

સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …  

બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.

સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.

જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?

આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.

જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.

https://wordpress.com/start/account

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્‌

અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ

અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે  (કોઈ એક રોગનું) ઔષધ

ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.

ગાંધીજી આવા યોજક હતા.

તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન  કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં,  નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.

અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.

Read Full Post »

વ્યાપમ કઈ હિમશિલાની ટોચ?

વ્યાપમછાપાં અને ટીવી ચેનલો માટેનો ગરમા ગરમ ટોપિક છે.

નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નર પણ એક આરોપી છે. ૨૦૧૪ ના મે માસ માં ભાજપ સત્તા સ્થાને આવ્યું ત્યારે ઘણા રાજ્યોમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરો હતા. કેટલાકનો કાર્યકાળ પુરો થયો અને કેટલાકે ભલામણથી રાજીનામું આપ્યું. પણ આપણા મધ્યપ્રદેશના ગવર્નરે રાજીનામું આપ્યું. મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીએ પણ વિચાર્યું હશે કેજવા દો નેરાજીનામાનો વિવાદ ક્યાં ઉભો કરવો !!”

વ્યાપમ

વ્યાપમની રોપણી નહેરુવીયન કોંગ્રેસે કરી હતી.

વ્યાપમ કૌભાંડ બહાર આવ્યું. એમાં ઘણાના નામ સંડોવણીમાં આવ્યાં. ૨૫૦૦ જેટલા નામ આવ્યાં. અને એમાંના કેટલાક શક્યતાના સિદ્ધાંતને હિસાબે મરવા લાગ્યા કેટલાક આત્મઘાત કરીને મરવા લાગ્યા અને કેટલાક હત્યા થી મરવા લાગ્યા. આવા મૃત્યુઓમાં ગવર્નર સાહેબનો પુત્ર પણ સામેલ છે. કોણ કયા કારણથી મર્યું તેના ઉપર અપાર સંવાદ, વિવાદ અને વિખવાદ પણ છે.

નહેરુવીયન કોંગ્રેસીઓને તો ગોળનું ગાડું મળી ગયું છે. શિક્ષણ મંત્રી શું કામ, મુખ્ય મંત્રી પણ રાજીનામું આપે. અરે મુદ્દા ઉપર તો નરેન્દ્ર મોદી પાસે પણ રાજીનામું માગી શકાય. નહેરુવીયન કોંગ્રેસ તો આમેય પ્રદર્શન પ્રિય છે. તેને તો દોડવું હતું અને ઢાળ મળ્યો.

ટીવી ચેનલનો ખોરાક

ટીવી ચેનલોને હવે વિષય શોધવા માટે મહેનત કરવાની જરુર રહી નહીં. “મનોરંજનની સીરીયલોમાં કોઈ પાત્ર એક વાક્ય બોલે એટલે એક પછી એક દરેક પાત્રોનાડાચાઉપર બબ્બે ત્રણ ત્રણ વાર કેમેરો ફરે છે. આમ કરવાથી ઓછા સંવાદો થી વધુ એપીસોડ બને છે. દર્શકોને વધુ લહેજ્જત આવે છે કે કેમ તે તો ખબર નથી પણ પાત્રોને અને તે પણ શૃંગારપ્રિય સ્ત્રી પાત્રોને અને પ્રેક્ષિકાઓને વધુ લહેજત આવે છે.

તાજ સીગરેટની જાહેરાતમાં એક વાક્ય આવતું હતું. “ધીમી બળે છે અને વધુ લહેજ્જત આપે છે.” તેમ સીરીયલો ધીમે ચાલે છે અને પાત્રોને લેખકોને, દિગદર્શકોને, કેમેરામેનને, ચેનલવાળાને વધુ લહેજ્જત આવે છે. ઓછા માલે વધુ વેપાર. પણ બધી વાતો જવા દો. આપણી વાતવ્યાપમની છે.

બહુ આયામી બહુ પરિમાણી મસાલો

ટીવી ચેનલો વાળાને બહુ વખતે એક એવું કૌભાંડ મળ્યું કે જેને ઘણા પરિમાણો છે. આમ તો કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા અનેક બહુઆયામી કૌભાંડો  હતા. પણ યાર એમાં એવું હતું ને કે બધાંમાં આપણી નહેરુવીયન કોંગ્રેસનીબટનીચે રેલો આવતો હતો. રેલો ઠેઠ આપણી વિદેશી અને તે પણ મહાન દેશ ઈટાલી સુપુત્રી અને આપણા મીસ્ટર કલીન રાજીવ ગાંધીની વહુની નીચે રેલો આવતો હતો. હવે જો આપણે પ્રગતિશીલ વિચારધારામાં માનતા હોઈએ અને સુસંસ્કૃત હોઈએ તો કોઈ પાશ્ચાત્ય મૂળની વ્યક્તિની બુરાઈ તો કરી શકીએ. એટલે આપણે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં બહુ ચાર્મફુલ બની શકીએ. હા છૂટકે જે કરવું પડે તે તો કરવું પડે. પણ એમાં બહુ મજા નહીં. વળી જે કોંગ્રેસ જ્યારે સત્તા ઉપર હતી ત્યારે કોને કયો મંત્રી કરવો તેને લગતી ભલામણો અપણે ટીવીવાળા કરી શકતા હતા અને કોંગ્રેસ આપણને દાદ પણ આપતી હતી એટલે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં આપણાથી નગુણા થવાય. કમસે કમ નહેરુવીયન વંશની તો આમન્યા રાખવી જોઇએ.

પણ હવે જ્યારે વ્યાપમ જેવું બહુ આયામી બહુ પરિમાણી કૌભાંડ અને તે પણ, બીજેપી શાસિત મધ્યપ્રદેશમાં કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી સાતત્યપૂર્ણ બીજેપીના શિવરાજ સિંહ ચૌહાણનું શાસન છે એવા રાજ્યમાં ખૂલે છે. આમાં તો આપણા માટે આકાશ સીમા છે. ભલે કૌભાંડમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરની સંડોવણી હોય અને કદાચ તેના મૂળીયામાં આપણા નહેરુવીયન કોંગ્રેસના અમુક નેતા સુધી પહોંચતા હોય તો પણ વાંધો નથી. આપણે એટલા કુશળ તો છીએ કે બધું લોપ્રોફાઈલમાં રાખી શકીએ.

અડવાણી જેમને પ્યાદુ બનાવવા માગતા હતા તે

એજ શિવરાજ સિંહ છે જેમને વડાપ્રધાન તરીકે પ્રસ્તૂત કરવા માટે એલ કે અડાવણીએ દાણો ચાંપેલો. પણ શિવરાજ સિંહ જાણતા હતા કે લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદીની સમકક્ષ તેઓ નથી. આરએસએસે મોદી માટે દબાણ કર્યું હશે તેના મૂળમાં જનતામાં રહેલી નરેન્દ્ર મોદીની લોક પ્રિયતા હતી. વાતને અડવાણી કદાચ પોતાની ઉંમરને કારણે કે અન્ય કોઈ કારણે સમજી શકતા હોય તે અલગ વાત છે પણ શિવરાજ પાટિલ તો સમજી શક્યા હતા. જો શિવરાજ પાટિલ વડા પ્રધાન થયા હોત અને કદાચ બીજેપી પૂર્ણ બહુમત તો નહીં પણ એનડીએ તરીકે સંયુક્ત રીતે બહમતિમાં આવ્યું હોત અને કૌભાંડ બહાર આવ્યું હોત તો ટીવી ચેનલો અને બીજેપી વિરોધીઓએ ભેગા થઈને બીજેપી સરકારને પદભ્રષ્ટ કરી નાખી હોત.

હવે અત્યારે સમાચાર માધ્યમો વાતને લઈને અડવાણીને લપેટમાં લેવાના મુડમાં હોય. કારણકે તેમનાં ફક્ત ચાર લક્ષ્ય હોઈ શકે.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી  

ત્રીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી.

ચોથું લક્ષ્ય બીજેપી

પાંચમું લક્ષ્ય હિન્દુઓ.

તમે કહેશોઅરે શું !! નરેન્દ્ર મોદી ત્રણ વાર અને તે પણ પહેલા, બીજા અને ત્રીજા લક્ષ્ય તરીકે?

અહો !! ચાલો એને જુદી રીતે લખીએ.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય બીજેપી સરકાર, જેના નેતા નરેન્દ્ર મોદી વિષે નકારાત્મક વલણ  એટલે કે ગમે તેમ કરીને કોઈ પણ શંકાસ્પદ બનાવને મોદી સાથે સાંકળી દેવો.

ત્રીજું લક્ષ્ય નહેરુવીયન કોંગ્રેસની હૈયાવરાળને સકારાત્મક રીતે રજુ કરવી. જેમકે રાહુલ ગાંધી (કે બીજું કોઈ પણ જે હાથવગું હોય તે)… તેને સકારાત્મક રીતે આવી રીતે રજુ કરવાના. “ઘોડો જો ઘોડો …. ઘોડાની ડોક જોઘોડાની કેશવાળી જો, ઘોડો કેવો દોડે છેઘોડો કેવો હણ હણે છેઘોડો જો ઘોડો જો… “ રાહુલ ગાંધી આવા છે. આવું કહેવાથી, કાન્તિભાઈ ભટ્ટ (સબ બંદરના વેપારી એવા કટાર લેખક) ના લોજીક પ્રમાણે નરેન્દ્ર મોદી ઘોડો નથી પણ શિયાળ છે. નરેન્દ્રમાં કશું વખાણવા લાયક નથી. તેમને દોડતાં પણ નથી આવડતું અને હણહણતાં પણ નથી આવડતું.

તમે કહેશોઅરે ભાઈ આમાં તમે કાન્તિભાઈ ભટ્ટને શેના ગોદા મારો છો? કાન્તિભાઈ ભટ્ટે, વ્યાપમમાં એમ દલીલ કરી કે જો પૈસા વેરીને વડાપ્રધાન થઈ શકાતું હોય તો પૈસા વેરીને (વ્યાપમ મારફત), ડોક્ટર કે અફસર કેમ થવાય?”  બોલોઆમાંથી તમને શો સંદેશો મળે છે?

લક્ષ્ય ભેદવાની વ્યૂહરચના !!

એક વખત જો ત્રણ લક્ષ્ય સિદ્ધ થઈ જાય તો બાકીના લક્ષ્યો સિદ્ધ કરવા સરળ છે. ૧૯૬૯માં એમ થયેલું. ૧૯૬૭માં વિપક્ષ ને મજબુત થયો જોયો એટલે સમાચાર માધ્યમોએ ચગાવ્યું. ઇન્દિરા ગાંધીએ મોરારજીને કેવા બટેકા, રીંગણાની જેમ હાંકી કાઢ્યા, બેંકોનું કેવું જોરદાર રાષ્ટ્રીયકરણ થયું, રાજાઓના પ્રીવી પર્સ કેવા ખતમ કર્યા. આવી ઘણી બીન ઉપજાઉ વાતો એટલી બધી ચગાવીકે વિરોધપક્ષ અને જનતા પણ હતઃપ્રભ થઈ ગઈ. ૧૯૬૯-૭૦માં ઇન્દિરા કોંગ્રેસને જ્વલંત વિજય મળ્યો. એમાં વળી ૧૯૭૧માં પોતાના ગૃહયુદ્ધોથી ત્રસ્ત એવા બેવકુફ પાકિસ્તાનને હરાવ્યું એટલે વિપક્ષ રાજ્યોમાંથી પણ નેસ્ત નાબુદ થઈ ગયો.

પણ પારકાના જોરે તમે સુશાસન ચલાવી શકો. ભલે તમે ઘુસણખોર મુસ્લિમો મારફત વોટબેંક બનાવો, દલિતોને ઉશ્કેરો, જાતિવાદને ઉશ્કેરો, પણ તેથી બેકારી દૂર થાય કે ઉત્પાદન પણ વધે. હા લઘુમતિઓની સંખ્યા વધે. તમે જુઓ ઉત્તરપૂર્વી રાજ્યો, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત પશ્ચિમી રાજસ્થાન કાંતો તેઓ જાતિવાદથી ત્રસ્ત છે અથવા તો ધર્મવાદથી ત્રસ્ત છે. વાત સ્વયંબળને બદલે, બીજાના ખભા અને બીજાની બુદ્ધિ (કેજીબી)થી વડાપ્રધાન  થયેલી ઇન્દિરા ગાંધી સમજી શકે. એટલે તેનો ૧૯૭૭માં કારમો પરાજય થયો. પણ પરાજયથી તે એટલું શીખી ગઈ કે ચૂંટણીઓ કેવી રીતે જીતાય છે.

ગરીબોની કસ્તૂરી અને મંગળસૂત્ર

એટલે ૧૯૭૭માં જનતા પક્ષની સરકાર વખતે આ સરકારે તો ગરીબોની કસ્તૂરી એવી ડૂંગળીનો ભાવ વધારી દીધો … બહેનોના મંગળસુત્રો મોંઘા કરી દીધા, લૉ અને ઓર્ડર ખાડે ગયા છે …  રંગાબીલ્લાઓ પેદા થયા છે. બાળકો સુરક્ષિત નથી. રંગા બીલ્લાએ કરેલા દુસ્કર્મનો કેસ સમાચાર પત્રોએ બહુ ચગાવ્યો.  સોનાનો ભાવ દાણ ચોરી ની સાથે પણ સંબંધ ધરાવે છે. મૂળ તો દાણ ચોરીને ઇન્દિરાએ બહુ ફાલવા દીધી હતી. જનતા પાર્ટીએ દાણચોરી ઘટાડી દીધી. દાણચોરી ઘટી ગયી હતી તેથી સોનાના ભાવ વધ્યા હતા. એમાં વળી ચરણ સીંગ જેવાને વડા પ્રધાનપદની લાલચ આપીને ફોડ્યા એટલે ૧૯૮૦માં જનતાપાર્ટી હારી ગઈ. આમ ઇન્દિરા ગાંધી એટલું શીખી ગઈ કે સમાચાર માધ્યમોને અને લઘુમતિઓને યેનકેન પ્રકારેણ હાથમાં રાખવા. તેમને હાથમાં રાખવા હોય તો સમાચાર માધ્યમોની માલિકી કરી લેવી. અત્યારે સમાચાર માધ્યમો લઘુમતિના હાથમાં છે. અને તેઓ કદી બીજેપીના થાય નહીં. કારણ કે નહેરુના જમાનાથી કે જ્યારે જનસંઘની કશી રાજકીય સત્તા હતી કે ન તો કશો જનાધાર હતો, તે વખતે પણ નહેરુ જનસંઘને ભાંડતા રહેતા હતા. તેમનો હેતુ પોતે બહુ પ્રગતિશીલ માનસવાળા છે તે પ્રદર્શિત કરવાનો હતો. આવી માનસિકતા ઘણા હિન્દુ મૂર્ધન્યોમાં પણ છે. એટલે હિન્દુઓને તો સહેલાઈ થી ભેદી શકાય છે. પણ આપણી વાત વ્યાપમ ની છે.

વ્યાપમની વ્યાપકતા કેટલી?

જો ૨૫૦૦ ઉપરાંત વ્યક્તિઓની ધરપકડ થઈ હોય તો સમજી શકાય એમ છે કે તે મધ્યપ્રદેશમાં ઠીક ઠીક પ્રમાણમાં વ્યાપક હોઈ શકે.

સરકારી નોકરીઓ માટે પરીક્ષા લેવી વાત અનીતિની છે.

કૌભાંડનો પાયો પરીક્ષાઓ છે.

જનતા માટે સરકાર એ એક વ્યક્તિ છે. પછી તે ભલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય.

ધારો કે તમે વ્યક્તિ ને કંઈક વાત કરી. તે વ્યક્તિ તેમાં સંમત થાય. પણ પછી તે ફરી જાય. અને તે કહે કે તમે જે વાત વાત કરી હતી તે તો તમે મારા ડાબા કાનને કહી હતી. મારા જમણા કાનને નહીં. તમે કહેલી વાત વિષે નિર્ણય તો જમણા કાન દ્વારા સાંભળવામાં આવી હોય તો જ થઈ શકે છે.

તમે મહેનત કરી એક સુંદર ચિત્ર બનાવ્યું. સામેની વ્યક્તિને ગમ્યું. તેણે લીધું પણ પૈસા ન આપ્યા. તમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એતો મેં ડાબી આંખે જ જોયું હતું. જમણી આંખે જોયું નહતું. પૈસા કેવા ને વાત કેવી.

યુનીવર્સીટીઓ ને માન્ય કોણે ગણી?

સરકારે.

સરકારે આ યુનીવર્સીટીઓને કયા અધારે માન્ય કરી?

સરકારે યુનીવર્સીટી માટે ધારાધોરણો ના માપદંડ બનાવેલા. આ માપદંડોના આધારે સરકારે યુનીવર્સીટીઓને માન્ય કરી.

શું યુનિવર્સીટીઓ દ્વારા અપાતું શિક્ષણ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત નથી?

શું આ યુનીવર્સીટીઓ દ્વારા લેવાતી પરીક્ષાઓ સરકારને માન્ય નથી?

જો યુનીવર્સીટીઓ સરકાર માન્ય હોય અને તેના દ્વારા યોગ્ય અભ્યાસક્રમો ચાલતા હોય તો પછી બીજી પરીક્ષાઓ લેવાની જરુર શી રીતે હોઈ શકે. તો સરકાર પોતે પોતાને અમાન્ય કરે છે એવું  ફલિત થાય છે. કાં તો સરકાર દંભી છે કાં તો સરકાર ઠગ છે.

પરીક્ષાઓની ઠગાઈ કોણે ચાલુ કરી?

આમ તો અંગ્રેજોએ આઈ સી એસ ની પરીક્ષા ચાલુ કરેલી. કારણ કે તેમને એવા અફસરો જોઇતા હતા કે જેઓ અંગ્રેજીથી અભિભૂત હોય અને દેશી લોકો સાથે સંવાદ કરી શકે. ખાસ પ્રકારની ટોળકી ઉભી કરવા માટે આઈસીએસ પરીક્ષા રાખેલી. પણ ગાંધીજીએ જે લડત ચલાવી અને અંગ્રેજસરકારના દંભનો પર્દાફાસ કર્યો તેનાથી ઘણા સ્કુલી અને કોલેજી ભણેલા ઉપરાંત આઈસીએસ અધિકારીઓનો ભ્રમ પણ ભાંગ્યો. જો કે નહેરુ જેવાઓનો અંગ્રેજીયત તરફનો ભ્રમ ભાંગ્યો હતો. સરદાર પટેલને લાગેલ કે વહીવટમાં આઈસીએસ જેવા પણ સંસ્કારે ભારતીય (પોતાના જેવા ) અધિકારીઓ ભારતમાં પકવી શકીશું. પણ નહેરુના દંભની પ્રાકૃતિક અસર ભારતીય નેતાઓની ઉપર વ્યાપક રીતે પડશે તે વાતનો તેમને ખ્યાલ નહીં.

વાસ્તવમાં યોગ્ય રહેશે કે સરકાર આવી ફાલતુ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ આવા અભ્યાસક્રમો ચલાવે. અને પછી વિદ્યાર્થીના ક્ર્માંક પ્રમાણે તેને નોકરીમાં રાખે.

અમારા એક સાહેબ ૧૯૭૩માં એક વાત કહેતા હતા કે ભારત એક એવો દેશ છે કે જો તમે ઢીલું મુકો તો કૌભાંડ જન્મે અને અક્કડ રહો તો ફરીયાદ થાય. પાણીમાં રહેતી માછલી બહુ પાણી પી જાય છે. માછલી પાણી પી ગઈમાછલી પાણી પી ગઈએવી બુમો શરુ થઈ જાય.

આપણી શાળાઓ, કોલેજો અને યુનીવર્સીટીઓ કેવી છે?

સ્વતંત્રતા પછી જો સૌથી વધુ દુર્લક્ષ્ય સેવાયું હોયા તો તે શિક્ષણ છે. સરકારે પુરતી શાળાઓ ખોલી નહીં. પીટીસી અને બીટી (હવે બીએડ) ની શાળાઓ પણ નહીંવત. કોઈપણ સરકારી શાળામાં પ્રવેશ મુશ્કેલ હતો. જે ખાનગી શાળાઓ હતી તેમાં જે ગાંધીવાદી પ્રવાહવાળા હતા તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની શાળાઓ સારી ચાલી. જેમકે ભાવનગર ની ઘરશાળા, સનાતન, રાજકોટની સૌરાષ્ટ્ર (બહાદુરભાઈ ધોળકીયા) હાઈસ્કુલ, ચૌધરી હાઈ સ્કુલ. પણ પછી બધી શાળાઓએ શિક્ષણને ઉદ્યોગ કરી દીધો.

શાળાઓ મેદાન વગરની થઈ ગઈ, કેટલીક શાળાઓ ભાડાના મકાનમાં બીજે માળ કે ભોંયરામાં ચાલતા ઉદ્યોગો જેવી થઈ ગઈ. અમદાવાદમાં તો કોલેજો પણ ભોંયરામાં ચાલે છે. ચિમનભાઈની એક કોલેજ ભર બજારે દુકાનોની ઉપરના બીજા માળે ચાલે છે. યુપી બિહારમાં યુનીવર્સીટીઓ ભાડેના મકાનના બીજે માળ ચાલે.

દશમું ધોરણ અને બારમું ધોરણ. પરસન્ટેજ અને પરસન્ટાઈલ ના તૂત નિકળ્યા. વળી પાછા કોમન એન્ટરન્સ ટેસ્ટ નિકળ્યા.

આ બધું શું કામ છે. ઘણાને પરસન્ટેજ અને પર્સન્ટાઈલના ભેદની ખબર નથી. પરસન્ટાઈલ એટલે બધા ધોરણોમાં થયેલ સમગ્ર રીતનું મૂલ્યાંકન. આ પણ એક વ્યાપમ છે. જો મૂલ્યાંકન અલગ અલગ સંસ્થાઓ કે વ્યક્તિઓ કરતી હોય અને સર્વથા ભીન્ન ભીન્ન હોય, પરીક્ષાર્થી માટે પૂનઃ મૂલ્યાંકનનો વિકલ્પ ન હોય તો આ પદ્ધતિ અન્યાયકારી છે. આ એક લાંબી ચર્ચાની વાત છે.

મૂળ વાત એ જ છે કે જેમ કાર્ય ની પસંદગી એ વ્યક્તિની સ્વતંત્રતા અને હક્ક છે. તેમ જેને તમે એક ધોરણમાં પાસ કર્યો અને તે વાત તેણે કબુલ રાખી તો તેનો ક્રમ તેણે પ્રાપ્ત કરેલા ગ્રેડ ઉપર જ નિશ્ચિત કરી શકાય. જો તે વિદ્યાર્થી પાસ થયો હોય પણ તેને તેનો ગ્રેડ કબુલ ન હોય તો તે ફરીથી પરીક્ષા આપી શકે.

એક માત્ર પરીક્ષાના ગ્રેડના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન અને યોગ્યતા નક્કી ન કરી શકાય. વાસ્તવમાં તેનું રોજબરોજનું મૂલ્યાંકન થવું જોઇએ.

પણ શિક્ષકો, આચાર્યો અને સચિવો અને મંત્રીઓ કહેશે કે એક વર્ગમાં ૪૦ વિદ્યાર્થીઓ હોય એટલે દરેકનું રોજ બરોજનું મૂલ્યાંકન ન કરી શકાય. પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ કોણે સ્થાપી?  તમે તો સ્થાપી છે. કારણ કે શાળાને ઉદ્યોગવાળી બનાવવાને બદલે શિક્ષણને તમે ઉદ્યોગ બનાવ્યો છે. ઓછા શિક્ષકો અને ભૂતિયા શિક્ષકો રાખી તમારે નફો કરવો છે. ઉદ્યોગશાળા ને બદલે શાળાઉદ્યોગ ચાલુ થયો.

વ્યાપના સ્વરુપો

Vyam is everywhere

બિહારમાં એક પરીક્ષા ના સ્થળે ચોથામાળની બારીના છજા સુધી માણસો ચડી પરીક્ષાર્થીઓને નકલ કરાવતા હતા. પોલીસ કહે અમારું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. પરીક્ષામાં થતી ચોરી અટકાવવાનું કામ સંચાલકોનું છે. એટલે કે પરીક્ષામાં ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ નથી. ટીવી ચેલનવાળા પહોંચી શકતા હોય અને આખો દેશ જોતો હોય પણ સરકારનું શિક્ષણ ખાતું અજાણ હોય તે આપણા દેશને ગોઠી ગયું છે. આ એકલ દોકલ દાખલો નથી. આ વ્યાપમથી પણ વ્યાપક છે.

પંજાબના સર્વીસ કમીશનના ચેરમેનના ઘરે દરોડો પડ્યો તો એક કરોડની ચલણી નોટો મળી. શું પંજાબમાં વ્યાપમમાં નથી? ઠેર ઠેર વ્યાપમ છે. જ્યાં જ્યાં પ્રવેશ પરીક્ષાઓ છે ત્યાં ત્યાં વ્યાપમ છે. પ્રવેશ પરીક્ષા નું ધ્યેય જ વ્યાપમ પ્રવેશી શકે તે માટેનું છે.

આપણે એવું ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી બધી પ્રવેશ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ બધી જાતના અભ્યાસક્રમો રાખે. તબક્કે તબક્કે એપ્ટીટ્યુડ ટેસ્ટ પણ લેવાતા રહે. પરીક્ષાર્થીને એપ્ટીટ્યુડ બદલવો હોય તો ગીતા વાંચે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વ્યાપમ, વ્યાપક, આઈસીએસ, પ્રવેશ પરીક્ષા, અધિકારીઓ, નહેરુ, નહેરુવીયન, સરકાર, યુનીવર્સીટી, શાળા, શિક્ષક, આચાર્ય, વિદ્યાર્થી, પરીક્ષાર્થી, ગ્રેડ, મૂલ્યાંકન, ક્રમાંક,  કૌભાંડ, ખાનગી, બહાદુરભાઈ ધોળકીયા, રાજકોટ, ઘરશાળા, ભાવનગર, સૌરાષ્ટ્ર હાઈ સ્કુલ, સરકારી શાળા, પીટીસી, બીએડ, બીટી, ઉદ્યોગશાળા, શાળાઉદ્યોગ

Read Full Post »

નહેરુવીયન ગીતાની અસર

ગુજરાતને કેન્દ્ર સરકારનો હડહડતો અન્યાય અને કોંગીનું સ્પષ્ટી કરણ

આમ તો ગુજરાતની પ્રજા પોતાને થતા અન્યાયો વિષે માહિતગાર છે. સમાચાર માધ્યમોમાં ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા થતા અન્યાયો વિષે થતી જાહેરાતો આવે છે. નહેરુવીયન કોંગ્રેસ દ્વારા થતા સ્પષ્ટી કરણો પણા આવે છે. પ્રતિ આક્ષેપોની જાહેરાતો પણ થતી જોવામાં આવે છે.

ગુજરાતની પ્રજા, અન્યાય સ્વરુપી થપ્પડો ખાતી આવી છે. પણ નરેન્દ્ર મોદી હવે તેની જાહેરાત કરે છે. આ જાહેરાત રુપી થપ્પડો નહેરુવીયન કોંગ્રેસ અને ખાસકરીને ગુજ્જુ કોંગીઓને બરાબરની વાગી હોય તેવું લાગે છે.

અન્યાય રુપી થપ્પડો તો કોંગી જ મારતી આવી છે પણ તે અવળવાણીમાં એમ કહે છે કે થપ્પડ મારવી તેના સંસ્કારમાં નથી. ૧૯૭૫-૧૯૭૭ સુધીની કટોકટી આમ તો થપ્પડોથી પણ વધુ હિંસક હતી.

અન્યાય રુપી થપ્પડોના એપીસોડની મૂળવાત ઉપર આવીએ. જે પ્રકારનું અને જે અદાથી કોંગીનું સ્પષ્ટી કરણ જોવા મળે છે તે જોતાં, ગુજરાતને થયેલા કે દેશને થયેલા જે અન્યાયો કે વાયદાઓ હજી જાહેર પ્રચારમાં આવ્યા નથી તે જો જાહેર કરવામાં આવે તો નહેરુવીયન કોંગ્રેસ તેની સામે શું જવાબ આપશે તે સ્ટાઈલ આપણે જોઇએ.

અન્યાયો અને ઉત્તરોઃ

અન્યાય નંબર -૧.   

ભાવનગર તારાપુર રેલ્વે લાઈનઃ આ રેલ્વે લાઈનનું વચન ૧૯૫૨માં આપવામાં આવેલ. ૧૯૫૪ના અરસામાં એવા પણ સમાચાર આવેલ કે પાટાની સ્લીપરોના ટેન્ડરો પણ તૈયાર થઈ ગયેલ. આ પ્રોજેક્ટ આજની તારીખ સુધી વિલંબિત છે. આ રેલ્વે લાઈનથી મુંબઈ અને ભાવનગર વચ્ચેનું અંતર ૩૫૦ કીલોમીટર જેટલું ઘટી જાય. આ પ્રોજેક્ટ ૬૦ વર્ષથી અકારણ જ ઘોંચમાં પાડ્યો છે.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ આવો કોઈ હડહડતો અન્યાય થયો નથી. અને તેમાં કશું વજુદ નથી. ભાવનગર ને એક જ નહીં બબ્બે રેલ્વે સ્ટેશનો છે. અને બંને સ્ટેશને ગાડીઓ અને માલગાડીઓ આવે છે અને ઉભી પણ રહે છે. ગાડીઓ વિષેની માહિતીઓ “સમય સારણી”ના બોર્ડ ઉપર જણાવેલી જ છે. વળી ભાવનગરથી વાંઈન્દ્રા (બાંદરા), એક ગાડી રોજ જાય છે અને તેવી જ રીતે બાંદ્રા (વાંઈન્દ્રા) થી ભાવનગર પણ એક ગાડી રોજ જાય છે. આ ગાડી આણંદ અને નડીયાદ એમ બંને સ્ટેશને ઉભી રાખવાની વાત વિષે કોઈ માગણી થઈ નથી. આણંદથી કે નડીયાદથી તારાપુર જઈ શકાય છે. ટ્રેનમાં જવાની પણ સગવડ થઈ શકે છે.

અન્યાય નંબર – ૨.

ભાવનગરનો મશીન ટુલ્સ પ્રોજેક્ટઃ ૧૯૫૪ના અરસામાં દેશ માટે જાહેરક્ષેત્રના ચાર મશીન ટુલ્સના કારખાના મંજુર થયેલ. તેનું મુખ્ય કારખાનું ભાવનગરમાં નાખવાનું હતું. અને સબ્સીડીયરી ત્રણ કારખાના બીજે નાખવાના હતા. આ સબ્સીડીયરી કારખાના તો ૧૯૬૦-૬૮માં ચાલુ પણ થઈ ગયેલ. ભાવનગરના કારખાનાનું હજુ પણ ઠેકાણું નથી.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ મશીન ટુલ્સ એ માળખાકીય પ્રગતિ માટે નું એક અતિ મહત્વનું અંગ છે. જમીનના નવીનીકરણ અને રસ્તાઓના બંધકામ જ નહીં પણ કોઈપણ પ્રકારના બાંધકામમાં મશીન ટુલ્સ બહુ મહત્વના છે. રાજકોટમાં ૩૬૪૨૧ વીજળીની મોટરોના કારખાના છે અને વડોદરામાં ૪૨૧૨૨ ડીઝલ એન્જીનોના કારખાના છે. આ બંને મશીનો ખેતીના સીંચાઈના કામમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. ભારત અર્થ મુવર્સ અને ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ, મશીન જ નહીં ટ્રાન્સ્ફોર્મર્સ અને હજારો હોર્સ પાવરના મોટરો અને મશીઓ દેશમાટે બનાવે છે. આ બધાનો ગુજરાત ની નરેન્દ્ર મોદીની સરકારે કેટલો લાભ લીધો તેનો દસ વર્ષનો હિસાબ આપે.

અન્યાય નંબર – ૩.

પશ્ચિમ રેલ્વેનું વડું મથકઃ પશ્ચિમ ઝોનની ૯૦ ટકા રેલ્વે લાઈનો ગુજરાતમાં આવેલી છે. રેલ્વેનું રાષ્ટ્રીય કરણ થયું ત્યારથી, વડું મથક ગુજરાતમાં રાખવાની માગણી છે. પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયાં નથી.

નહેરુવીયન કેન્દ્ર સરકારનો જવાબઃ અમારી સરકાર આમ જનતા ના હિત માટે પ્રતિબદ્ધ છે. પશ્ચિમ ઝોનના વડા મથકને ગુજરાતમાં ખસેડવા માટે ની માગણી છે તે અમારા ધ્યાનમાં છે. જોકે ૯૦ ટકા લાઈનો ગુજરાતમાં છે તે વાત ભ્રામક છે. કારણ કે જે લાઈનો બંધ છે અને ઉખેડી નાખવામાં આવી છે તેને ગણત્રીમાં લેવાની કોઈ પ્રણાલી નથી કે એવી કોઈ જોગવાઈ કરી શકાય નહીં. જેમકે ભાવનગર – મહુવા જે ૧૦૦+ કીલોમીટર છે જે (પેસેન્જરોના અભાવે) ગીરાકીના અભાવે, પોષણક્ષમ ન હતી. આવી તો અનેક લાઈનો હતી જે બંધ થઈ છે. એટલે ગણત્રી બરાબર નથી. ભાવનગરને વિમાન મથક છે. અમદાવાદના વિમાન મથકનું આધુનીકરણ પુરું થવાની તૈયારીમાં છે. વળી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનો પણ આમાં સમાવેશ થાય છે. મથકોની બાબતમાં ગુજરાતને કોઈ અન્યાય થયો નથી. નરેન્દ્ર મોદીએ છેલ્લા દશવર્ષમાં કેટલા બસ મથકો કર્યા તેનો હિસાબ આપે.

જનરલઃ આવા તો અનેક અન્યાયો વિષે જેમકે બોમ્બે હાઈ ઓએનજીસી, તાતા મીઠાપુર બહુયામી પ્રોજેક્ટ, કોસ્ટલ લાઇન, વિગેરે અનેકાનેક વિષે લખી શકાય અને તેના નહેરુવીયન સ્ટાઇલ જવાબો પણ કોંગી પાસે હોય છે.

શિરીષ મોહનલાલ દવે

તા.ક. કાર્ટુનીસ્ટભાઈનો આભાર

Read Full Post »

%d bloggers like this: