Feeds:
Posts
Comments

Posts Tagged ‘માહિતિ’

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને કોન્ટ્રાક્ટ સીસ્ટમ

તમે કહેશો કે સરકાર પોતાના કામના ટેન્ડરો બહાર પાડે અને જેણે ઓછામાં ઓછો ભાવ ભર્યો હોય તેને કામ આપે તો એમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કેવી રીતે થાય?

સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો

સર્વોચ્ચ ન્યાયાલયનો એક ચૂકાદો હતો. સરકાર જે કામ પોતે પોતાના માણસો દ્વારા કરતી હોય અને તે કામ તે કોન્ટ્રાક્ટ દ્વારા કરાવે તો તેથી મજુરોના હિતને નુકશાન થાય છે. તેથી તે એવા કામો કોન્ટ્રાક્ટ મારફત ન કરાવી શકે. પણ જો કામ સાતત્ય વાળું ન હોય એટલે કે કામચલાઉ હોય તો તે એવાં કામ કોન્ટ્રાક્ટ મારફત કરાવી શકે.

દા.ત. કે સરકારના એક વિભાગ પાસે કોઈ એક ગામમાં એક મકાન છે અને તેનું મોટું સમારકામ કરાવવાનું છે. સરકાર પાસે કડીયો છે, સુતાર છે, મજુરો છે, સરંજામ તે ખરીદી શકે છે, પણ તે આ કામ કરી શકશે નહીં. કારણ કે સરકાર પોતાના સ્ટાફ પાસે જો કામ કરવે તો તે સ્ટાફ પોતાનું રોજ બરોજનું કામ કરી શકશે નહીં. જો તે નવી નિમણુંકો કરશે તો તે કામ પૂર્ણ થયા પછી આ નવો સ્ટાફ ફાજલ પડશે. પણ જો તે કારીગરો ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે હશે તો કોન્ટ્રાક્ટર તેઓને તેના બીજા કામોમાં ગોઠવી શકશે. એટલે આ તર્ક ઉપર સરકાર નવી નિમણુંકો ન કરે અને કોન્ટ્રાક્ટરો પાસે આવા કામ કરાવે. આવું તારણ સામાન્ય રીતે વ્યાજબી લાગે.

છીડાં શોધી શકાય

ધારો કે એક મોટું શહેર છે. એક સરકારી ખાતાને આ શહેરમાં ઘણી બધી ઓફિસો છે એટલે કે ઘણા બધા મકાનો છે. ધારોકે કોઈ એક સમયે તે ખાતા પાસે ઓછી ઓફીસો હતી. આ ઓફિસોમાં સફાઈ માટે મજુરો રાખેલ. એક કડીયો પણ હતો. એક સુતાર પણ હતો. એક ઈલેક્ટ્રીસીયન  પણ હતો. તેઓ રોજબરોજની સફાઈ અને રોજબરોજનું સમારકામ કરતા હતા. હવે ધારોકે એક નવી ઓફિસ શરુ થઈ. એક ઓફીસ માટે ફુલટાઈમ લેબર સ્ટાફ પરવડે નહીં. તેથી  આ કામ માટે પાર્ટ ટાઈમ સ્ટાફ રાખ્યો. હવે પાર્ટ ટાઈમ સ્ટાફમાં સફાઈવાળા સિવાય કોઈને કંઈ રોજ રોજ બોલાવાય નહીં. એટલે જ્યારે કામ હોય ત્યારે જ બોલાવાય. સફાઈવાળાની કલાકોના કામ લેખે હિસાબ થવો જોઇએ. તેની કામની વિગતો સાથે નોંધ રાખવી પડે. તેવી જ રીતે બીજા પાર્ટટાઈમ કારીગરોની પણ વર્ક ડાયરી રાખવી પડે. વળી આ બધાને એક દિવસના રોજ પ્રમાણે ચૂકવણું થઈ ન શકે અને કલાકના હિસાબે ત્રીરાશી માંડીને પણ ચૂકવણું થઈ ન શકે. એટલે જો અડધા રોજ થી ઓછૂં કામ હોય તો પણ અડધા રોજનું ચુકવણું કરવું જ પડે. અને અડધા રોજથી થોડું વધારે હોય તો આખા રોજનું ચુકવણું કરવું પડે. વળી ધારો કે બીજી એક બે પાર્ટ ટાઈમ કામવાળી ઓફીસ ચાલુ થઈ. તો જો આજ મજુરોને તેમની ફાજલ મજુરીનો લાભ લેવા માટે નવી જગ્યાએ મોકલીએ તો રોજ રોજ તેમને જવા આવવાનું ભાડું આપવું પડે. એટલે કે ટ્રાવેલીંગ આલાઉન્સ અને ડેઈલી આલાઉન્સ આપવું પડે.  આ બધું તો સરકાર માઈબાપને મોંઘું પડે. વળી ૨૫૦ દિવસ જો કોઈ મજુરને રાખ્યો હોય તો જ્યારે ક્યારેય ક્યાંય પણ જગ્યા પડે ત્યારે તેનો કાયમી થવાનો હક્ક બને.

રોજમદાર નોકરને કાયમી કરો એટલે ઉપાધીને આમંત્રણ

તમે રોજ ઉપરના મજુરને કાયમી કરો એટલે ઘણી રોજીંદી ક્રિયાઓ કરવી પડે. તેને કાયમી કરો તો તે એકલો તો હોય નહીં. અને આવા બીજા પણ કેસ હોય જે બીજા ગામમાંના પણ હોઈ શકે તો સીનીયોરીટીના સવાલો પણ ઉત્પન્ન થાય. અત્યાર સુધી તો તે ફક્ત મસ્ટર રોલના ચોપાનીયા ઉપર દેખાતો હતો. હવે તે હાજરી પત્રકના રજીસ્ટરમાં દેખાશે. તેનો હાજરી/ગેરહાજરીનો રીપોર્ટ લેખાધિકારીને દર મહિને મોકલવો પડશે. જાત જાતની રજાઓ અને વર્તણુંકની નોંધો, સરકારે નક્કી કરેલી પ્રણાલિગત ફોર્મોમાં નોંધવી પડશે. જો નોકરે કામમાં કે વર્તનમાં ક્ષતિ કરી હોય તો તેની ઉપર નિયમપ્રમાણે કાર્યવહી કરવી પડે. તેમ કરવામાં તેને એક લેખિત જાણ કરવા માટે અને જવાબ માટે યોગ્ય અધિકારી તરફથી એક પત્ર આપવો પડશે. તેનો જવાબ આપવા માટે તેને પૂરતો સમય આપવો પડે. અને તેનો જવાબ મળ્યા પછી તેના ઉપર ગુણવત્તાના આધારે વિવેક બુદ્ધિ વાપરીને નિર્ણય લેવાવો જોઇએ. આમાં તેના ઉપર જે આરોપ મુકવામાં આવ્યા હોય તેની સાબિતીઓ પણ આપવી પડે.

નોકરીઓમાં બઢતીના પણ કેસો ઉભા થાય. સીનીયોરીટીના કેસો ઉભા થાય. તે વિષે નોકર દ્વારા મુદ્દાઓ ઉભા કરવામાં આવે. આ બધાનો અભ્યાસ કરવો પડે. જ્યાં સુધી કેસ ન્યાયાલયમાં ન જાય ત્યાં સુધી અધિકારી સાહેબે પોતે જ પોતાનું મગજ ચલાવવું પડે. જો કેસ ન્યાયાલયમાં જાય તો તો અધિકારી સાહેબને ટાઢા પાણી એ ખસ જાય એવું પણ સાવ નથી હોતું પણ તેમને વકીલ સાહેબને આપવાના પેપર તો તૈયાર કરવા પડે. ખાસ કરીને વર્તણુંકને લગતા કેસોમાં તો અધિકારી સાહેબ જ વાંકમાં આવતા હોય છે.

અધિકારીને મફતમાં મગજ ચલાવવું ગમતું નથી

તમે જાણો છો કે સરકારી અધિકારીઓને લખા પટ્ટી ગમતી નથી. તેમાં પણ નિયમિત પણે પત્રવ્યવહાર તો તેમણે કર્યો જ ન હોય. ટૂંકમાં અધિકારી સાહેબોને તસ્દી લેવી કે મગજ ચલાવવું ગમતું નથી. એટલે અધિકારી સાહેબને પોતાનો સ્ટાફ વધે તે તેમને ગમતું નથી.

તો આનો ઉપાય શું?

નીચલા અધિકારીનો સ્ટાફ વધારવો?

નીચલી પાયરીના અધિકારીનો? જો આવું કરવામાં આવે તો શું થાય? એટલે કે કે વર્તણુંકની બાબતમાં કે કામમાંની બાબતમાં જે અશિસ્ત ના કેસો ઉભા થયા હોય તો, તેની અપીલો બધી આ અધિકારી પાસે આવે. વળી આ એટલું સહેલું નથી. અમુક પ્રકારના કેસો તો તેમણે જ ચલાવવા પડે.

કારણકે ભારતીય બંધારણ દ્વારા સૂચિત સર્વીસરુલ પ્રમાણે જે અધિકારો રાષ્ટ્રપતિએ જે કક્ષાના અધિકારીને અધિકૃત કર્યો હોય તે અધિકારો તે અધિકારી પોતાની નીચલી પાયરીના અધિકારીને સોંપી ન શકે. (ડેલીગેટેડ પાવર કેન નોટ બી ડેલીગેટેડ ફરધર).

વર્તણુંક અને સીનીરીટીના (અગ્રતાક્રમના)ના કિસ્સાઓ નીચલા ક્રમના ક્લાસ-૨ અને ક્લાસ-૩ના સૌથી વધુ હોય છે. ક્લાસ-૪ના પણ થોડા હોય છે.

મગજમારીને ઓછી કરવા માટે આ કોન્ટ્રાક્ટ સીસ્ટમ દાખલ કરવામાં આવી છે?

જોકે આ કારણ જ એક માત્ર કારણ હોતું નથી. કોન્ટ્રાક્ટ સીસ્ટમ લાગુ પડવાથી અનેકને માટે કમાણી નો એક વધુ સ્રોત બને છે.

ધારો કે કોઈપણ એક કામ છે. જેના તમારી પાસે માણસો છે પણ તમારે તેમની પાસે કરાવવું નથી.

અધિકારી સાહેબ ટેન્ડર કોન્ટ્રાક્ટ બનાવે છે

જોકે જે તે જાણીતા કામના ટેન્ડર કોન્ટ્રાક્ટની ફોર્મેટ તૈયાર હોય છે. વધારાની શરતો માટે અધિકારી સાહેબોએ મગજ ચલાવવું પડે છે, જે બનતા સુધી તેઓ ઓછામાં ઓછું ચલાવે છે.

ટેન્ડર ભરનારની લાયકાત અને ગુણવતાના ધોરણ નક્કી કરાય છે. આમાં અધિકારી સાહેબ થોડી ઘણી ઘાલમેલ કરી શકે, કારણ કે લાયકાતનું ધોરણ એવું રખાય કે જેમાં તમારા વહાલા આવી શકે અને દવલા ન આવી શકે.

વર્તમાન પત્રોમાં નોટીસ અપાય છે.

ટેન્ડર ફી લઈ ટેન્ડર ફોર્મ વહેંચાય છે,

અર્નેસ્ટ મની ભરાવવામાં આવે છે,

અમુક તારીખ સુધીમાં વૈકલ્પિક સૂચનો મગાય છે,

સૂચનો ગ્રાહ્ય લાગે તો તેને સામેલ કરાય છે. સામાન્ય રીતે જ્યારે આમાં અંગત લાભ મેળવવાના હોય, એટલે કે અણગમતા કોન્ટ્રાક્ટરને હેરાન કરવાનો હોય તો, આવા સૂચિત ફેરફારને અવગણવામાં આવે છે. એટલે કે કોઈ એક કોન્ટ્રાક્ટર દ્વારા જે ફેરફાર સૂચિત થયા હોય તેને અવગણવામાં આવે છે. આંખ આડાકાન કરવામાં અવે છે. આમાં અધિકારી સાહેબને કોન્ટ્રાક્ટરને હેરાન કરી કમાણીનો કરવાનો ઈરાદો હોય છે.

સામાન્ય રીતે તો આવા સૂચનોનો અભ્યાસ કરવો જોઇએ ચર્ચા કરવી જોઇએ અને તેની ઉપર નિર્ણય કરી તે નિર્ણય બધાને જણાવવો જોઇએ,

કેટલીક પાર્ટીઓ એક કરતાં વધુ પેઢીઓ પોતાના સગાઓનાં નામે ચલાવતી હોય છે. તેઓ અનેક ટેન્ડરો ભરે છે.

ટેન્ડરોને ખોલો,

ભાવોનું મૂલ્યાંકન થાય છે, આ મુલ્યાંકનમાં રમતો રમી શકાય છે.

પાર્ટીઓના ભાવો પ્રમાણે અનુક્રમમાં ગોઠવાય છે. તેમની પાસેથી સીક્યોરીટી ડીપોઝીટ લેવાય છે.

જો એક જ કામ હોય તો સામાન્યરીતે પ્રથમક્રમની માન્ય પાર્ટીને કામ સોંપવામાં આવે છે.

જો રેટરનીંગ (નાના નાના કામો કે જે હમેશા ચાલુ જ રહેતા હોય છે તેનો આખા વર્ષ માટેનો કે સીવીલ, ઈલેક્ટ્રીક સમારકામનો એક વર્ષ માટેનો હોઈ શકે છે. નાના નાના કામો પણ મોટા સાહેબના અધિકૃત વિસ્તારમાં ફેલાયેલા હોય, તો આવા કામોને ૫૦.૩૦.૨૦ કે એવા જ પ્રમાણમાં ત્રણે પાર્ટીઓને એરિયા પ્રમાણે વહેંચી દેવાય અથવા તો ક્ષેત્રીય અધિકારીઓને કહી દેવાય કે તમે આ પ્રમાણે તમારા કામ વહેંચજો. ક્ષેત્રીય ધિકારીઓ પોતાની મનપસંદરીતે વર્તે. કોન્ટ્રાક્ટર કશો ઝગડો ન કરે. કારણ કે તેમને કામ કરવું હોય છે.

વહીવટ ક્યાં ક્યાં થાય

ટેન્ડર મંજુરીનો લેટર આપવામાં ટેન્ડર અધિકારી વહીવટ કરે.

ટેન્ડર ઉપર પોતાને કામ વહેંચાય તે માટે કોન્ટ્રાક્ટર ક્ષેત્રીય અધિકારી સાથે વહીવટ કરે,

કામની ચકાસણી માટેની બાબતમાં કોન્ટ્રાક્ટરે અધિકારીઓ સાઈટ ઉપર આવે ત્યારે તેમની સાથે વહીવટ કરે,

જો જ્યારે ક્યારેય અગર કોંટ્રાક્ટર સાથે કોઈ અધિકારીને વાંધો પડ્યો તો બીલ વીજીલન્સને જાય. એટલે વીજીલન્સનો પણ લાગો ઉમેરાય. એક ટેલીકોમ જીલ્લામાં તો એવી પ્રેક્ટીસ હતી કે બધા જ બીલ વીજીલન્સને મોકલવામાં આવે. એટલે વીજીલન્સનો લાગો પૂરો થયા પછી બીલ લેખા અધિકારી પાસે જાય.

કામના બીલને ધક્કો મારવામાં અધિકારીઓ અને તેમના  સ્ટાફ સાથે વહીવટ કરવો પડે,

કામના ફંડની ફાળવણી માટે કોન્ટ્રાક્ટરને જે ફાળવણી મહા લેખા અધિકારી હોય તેથી તેની સાથે વહીવટ કરવો પડે,

ફંડ ફાળવાયા પછી એકાઉન્ટ ઓફીસરો વળી તેને ઈન્ટર્નલ ઓડીટમાં મોકલે, ક્યારેક ત્યાં પણ લાગો લાગુ પડે. લેખાધિકારી બીલ ઉપર ચૂકવણીનો સીક્કો મારે તે માટે કોન્ટ્રાક્ટરને તેમની સાથે વહીવટ કરવો પડે,

ચેક લેવા માટે કોન્ટ્રાક્ટરને જે તે લેખા અધિકારી નકદ(કેશ) અને તેનો કનિષ્ઠ લેખા અધિકારી નકદ સાથે પણ વહીવટ કરવો પડે,

કામ પુરું થયા પછી અને કોન્ટ્રાક્ટનો સમય પુરો થયા પછી સીક્યોરીટી ડીપોઝીટ છોડાવવા માટે વળી પાછો વહીવટ કરવો પડે.

હવે તમે કહેશો કે જો કોન્ટ્રાક્ટરને આટલા બધા સાથે વહીવટ કરવો પડતો હોય તો કોન્ટ્રાક્ટરને નફો કેવીરીતે રહે?

નફો રહે. કારણ કે કોન્ટ્રાક્ટરના કામમાં ગુણવત્તા જ ન જળવાઈ હોય. કામ સમયસર પુરું ન થાય અને કદાચ કાયમ માટે અધુરું રહે તો પણ તેને કશું ન થાય.

એક દાખલો જુઓ?

એક જગ્યાએ એક પ્લેટફોર્મ જે ચાર ફુટ ઉંચું, અને દશ બાય દશ ફુટ લાંબુ પહોળું કરવાનું હતું. સીવીલ વીંગને એસ્ટીમેટ બનાવવા અને કામ કરવા કહેવામાં આવ્યું. સીવીલ વીંગે રૂ. ૨૦,૦૦૦/- જેવો એસ્ટીમેટ બનાવ્યો. સ્પેસીફીકેશન બહુ ઉંચા બનાવ્યા. આ એવો સમય હતો કે જ્યારે રૂ.૨૦,૦૦૦/- માં એક નાનું મકાન બની શકે. (ધારોકે આ કામ સીવીલ વીંગને કરવાનું કહેવામાં આવ્યું હોત તો શું થાત?

ટેન્ડરમાં ભાવ કેવી રીતે માગવામાં આવે છે? ટેન્ડરમાં કામની કિમતના કેટલા ટકા વધારે કે કેટલા ટકા ઓછાએ કામ કરી દેવામાં આવશે એ જ લખવાનું હોય છે. ધારો કે કોઈ કોન્ટ્રાક્ટરે ૨૫ ટકા ઓછા ભાવે કામ કરી દેવાનું લખ્યું અને તેનું ટેન્ડર મંજુર થયું. તો શું થશે?

વાસ્તવમાં સ્પેસીફીકેશન (ગુણવત્તાનું ધોરણ) એટલું મજબુત કરવાની જરુર ન હતી. પણ મજબુત કર્યું.

કામ જ્યારે થાત ત્યારે ગુણવતાના ધોરણ જાણી જોઇને ન જળવાત. કામ કોન્ટ્રાક્ટરના ૮ ટકાના નફા સાથે આ આશરે ૪૦૦૦ થી ૫૦૦૦ પતી જાત. અને ઉપરના પૈસા સાહેબો અને કોન્ટ્રાક્ટર વહેંચી લેત.

તમે જુઓ, જ્યારે પણ નવા રસ્તાના ડાઈવર્ઝન રોડ બને છે તેમાં અડધા ઉપર પૈસા ખવાઈ જતા હોય તો આશ્ચર્ય ન જ પામશો.

મજુર કાયદો? એને કોણ ગણે છે?

કોન્ટ્રાક્ટર મજુર કાયદાનું કદી પાલન ન કરે.

કોન્ટ્રાક્ટર પોતાનું કામ બીજાને આપી દે,

અગર લેબર કમીશ્નરનો કોઈ ઈંસ્પેક્ટર કોન્ટ્રાક્ટરના કામના સાઈટ ઉપર આવે તો તેને કોઈ જવાબદાર વ્યક્તિ ન મળે. અને કોન્ટ્રાક્ટરના નામની પણ તેને ખબર ન પડે. પણ તેણે ખફા થવું ન પડે. કારણ કે મુકાદમને સૂચના આપી દે કે કામનો માલિક તેને ઓફિસમાં મળી આવે.  માલિક મળી આવે એટલે કેસ જો રેકોર્ડ કર્યો હોય તો જરુરી રીમાર્કો લાગી જાય અને વાત પુરી થાય.

કોન્ટ્રાક્ટ પ્રણાલીમાં બધાને ફાયદો ને ફાયદો જ છે. સિવાય કે પ્રજાના પૈસા ચવાઈ જાય.

પણ આનો શું ઉપાય નથી?

ઉપાય તો છે જ

બીગ ઈઝ બ્યુટીફુલ એટલે મજુર કાયદાનું પાલન સહેલુ

મજુર કાયદાનું પાલન ત્યારે વધુ   સરળ બને જ્યારે કામ ઘણું મોટું હોય, કોન્ટ્રાક્ટર પણ ઘણો મોટો હોય અને મોટો કોન્ટ્રાક્ટર તેના કાયમી સ્ટાફ દ્વારા જ કામ કરે.

મોટો કોન્ટ્રાક્ટર એક રજીસ્ટર્ડ થયેલી કંપની હોવી જોઇએ. કંપનીએ તેના નોકરોને મજુરકાયદા પ્રમાણે સગવડ આપવી જ જોઇએ.

જાહેર જનતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમાં ચકાસણી કરી શકે તે માટે કોઈપણ કામ થતું હોય ત્યાં, વર્ક ઓર્ડર નંબર, કામ આપનાર સંસ્થાનું નામ, તેની વેબસાઈટ, ટેન્ડરની યુઆરએલ, કામ ચાલુ થાયાની તારીખ અને કામ પુરું કરવાની મુદત લખેલું બોર્ડ કામની દરેક જગ્યાના છેડે અને અથવા ગેટ પાસે લગાવવાં જોઇએ. આમ કરવાથી જનતાના હિતમાં વિચારતી સંસ્થાઓ કે વ્યક્તિઓ વેબ સાઈટ ઉપર જઈ કામ વિષેની માહિતિ અને ગુણવત્તા ના ધોરણો વિષે ચકાસણી કરી શકે.

વિદેશોમાં કેટલીક જગ્યાએ કામ ના બીલ સાથે કોન્ટ્રાક્ટરે પોતાના સંપૂર્ણ કામની સૂચિત ફોર્મેટમાં સીડી બનાવીને આપવી પડે છે. આ પ્રણાલી ભારતમાં પણ રાખી શકાય.

કોન્ટ્રાક્ટ સીસ્ટમમાં સરકાર પ્રારંભમાં પૈસા બચાવે છે. કારણ કે કામ કે તેનો એક હિસ્સો પુરો ન થાય ત્યાં સુધી સરકાર પાસે કામના પૈસા બચે છે. પણ જ્યારે ચુકવણું થાય ત્યારે વ્યાજ અને કોન્ટ્રાક્ટરના નફા સાથે (લાગાઓ સહિત), વપરાય છે.

पैसे पेडो पर नहीं उगते है ईसलिये घोटाले करने पडते हैं हमें

કાર્ટુનીસ્ટનો આભાર

પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ

નરેન્દ્ર મોદીએ પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ ની વાત કરી છે. આ એક સારી વાત છે. કારણ કે તેમાં સરકારી પૈસા બચે છે અને કોન્ટ્રાક્ટર ટોલ દ્વારા પૈસા દશ વર્ષે વસુલ કરે છે. પણ આ બાબતમાં પણ ઘણી બાબતો જેવી કે કામની ગુણવતા, નિભાવ (મેન્ટેનન્સ)ની ગુણવત્તા, શ્રમ નું મૂલ્ય, કંપનીની વિશ્વસનીયતા અને સરકારની પોતાની સક્રીયતા ઉપર પણ ઘણો આધાર રાખે છે. દા.ત. “વિશાલા” પાસે બંધાયેલ સાબરમતી નદીના બ્રીજ ઉપરનો ટોલ ટેક્ષ બે પેઢી (૩૦ વર્ષ) સુધી ચાલ્યો છે. આ એક સંશોધનનો વિષય છે.

જો સરકારનો જે તે ખાતાનો ઉચ્ચ અધિકારી કે મંત્રી કૃતનિશ્ચયી હોય તો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ઘણાં કામો સરકાર પોતાના પૈસા જોડ્યાવગર કરી શકે. જો કે પ્રોજેક્ટના પ્લાનીંગ અને પ્રોજેક્ટના અમલમાં સરકારે સાચા અર્થમાં એક પાર્ટનર તરીકે અને પ્રજાના વાસ્તવિક પ્રતિનિધિ તરીકે ફરજ બજાવવી પડે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ કોન્ટ્રાક્ટર, કામ, ગુણવત્તા, માહિતિ, અધિકાર, અધિકારી, ખાતું, લાગો, લેખા અધિકારી, ટેન્ડર, મૂલ્યાંકન, અર્નેસ્ટ મની, સીક્યોરીટી ડીપોઝીટ, પ્રોજેક્ટ, પ્રાઈવેટ, પબ્લીક, પાર્ટનર, મજુર, કાયદો

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ રોકવાના ઉપાયો

આ લેખ અગાઉના લેખના અનુસંધાનમાં છે.

રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર અને રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ બંને અલગ અલગ છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર ડીસ્ટ્રીક્ટ કલેક્ટરની સીમામાં આવે છે.

હાલ આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની વાત કરીશું

કોઓપરેટીવ સંસ્થાઓ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની નીચે આવે છે. એટલે કે કો-ઓપરેટીવ સંસ્થાઓની કાર્યવાહી ઉપર આ રજીસ્ટ્રારે નીગરાની રાખવાની હોય છે.

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીઝ

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીના બધા રેકોર્ડઝ ઓન લાઈન હોવા જોઇએ. તમે તમારી ઓળખ આપીને જે તે સોસાઈટી વિષે માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો છો.

હાલમાં જ્યારે પ્રોપર્ટી ની લે વેચ થાય ત્યારે તલાટી, કોઓપરેટીવ સોસાઈટીની કે કોઈપણ જમીનના ખરીદનાર/વેચનારના હોદ્દાની ખરાઈની તપાસ કરતા નથી. તેમજ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ, સોસાઈટીના કારભાર ઉપર કોઈ નીગરાની રાખતા નથી. તેથી ગોલમાલ ચાલ્યા જ કરેછે.

જોકે સરકાર હવે ખરીદનાર કે વેચનાર પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજો થવા દેતી નથી.

સરકાર હવે ખરીદનાર અને વેચનારને જાતે હાજર રહેવાની ફરજ પાડે છે. તેમના “પાન કાર્ડ” અને ઇન્કમટેક્સ ક્લીઅરન્સ સર્ટીફીકેટ (?) માગે છે. પણ શ્રી દેશબંધુ ગુપ્તા ના કહેવા પ્રમાણે દેશના ૪૦ ટકા પાનકાર્ડ બોગસ છે. તેમના હિસાબે આધારકાર્ડ એક કૌભાન્ડ છે. આ ઉપરાંત આધારકાર્ડ એ નાગરિક-કાર્ડ નથી.

નાગરિકતા માટે અને વ્યક્તિની ખરી ઓળખ માટે પાસપોર્ટ જ ખરી ઓળખ બને છે

રેવન્યુ રજીસ્ટ્રાર અને કો ઓપરેટીવ સોસાઈટીઝના રજીસ્ટ્રાર પાસે દરેક વ્યક્તિના પાસપોર્ટ કે નાગરિકતા કાર્ડ ઓન લાઈન હોવા જોઇએ. જેથી તે બનાવટ કરે છે કે કેમ તે તપાસી શકાય. કેટલાક માણસો જે અસામાજીક તત્વો છે તેમની પાસે એક કરતાં વધુ પાસ પોર્ટ હોઈ શકે છે. પણ સરકાર ધારે તો સરખામણી ના વિશિષ્ઠ પ્રોગ્રામ દ્વારા બનાવટ પકડી શકે.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ તેમની ફરજ બજાવતા નથી, તેથી જ કોઓપરેટીવ્ઝ સોસાઈટીના હોદ્દેદારો ગોલમાલ કરે છે. આમાં બીલ્ડરો કે ડેવેલપરો જે કહો તે, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ અને જનતા દ્વારા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના ક્ષેત્રને લગતી બાબતોમાં તેમજ સામુહિક રીતે સહકાર પૂર્વક ગોલમાલો કરે છે. આમાંના કોઈપણ અસરકારક ફરજો બતાવતા નથી.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝનું મુખ્ય કામ શું છે?

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઓ તેના નિયમો પ્રમાણે કામ કરે.

એટલે કે પ્રમોટરોની ઓળખ, તેઓનું રજીસ્ટ્રેશન, સોસાઈટીનું રજીસ્ટ્રેશન, સભ્યોની નોંધણી, હોદ્દેદારોની ચૂંટણી, કાર્યવાહીઓ, ખરડાઓ, નિયમિત સભાઓ માટેના પત્રવ્યવહારો, સભાના એજન્ડા બનાવવા, તેને સભ્યોમાં યોગ્યરીતે વહેંચવા, સભાની નોટીસ, સભાની કાર્યવાહી, હિસાબો, ઓડીટ, નવા કામો, વિગેરેની નોંધણી, અને તે પછી સભાસદોને તેની વહેંચણી, વિગેરે અનેક પ્રકારની કાર્યવાહીની નોંધણીઓ હિસાબ કિતાબ, વિગેરે કામો કો ઓપરેટીવ સોઆઈટીએ કરવાના હોય છે અને તે સૌની વિગતોના રીપોર્ટો રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝને મોકલી આપવાના હોય છે.

આ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝ, કોઈપણ જાતની નીગરાની રાખતા નથી. વર્ષો સુધી  કોઈપણ જાતના રીપોર્ટ ન મળે તો પણ તેમના પેટનું પાણી હાલતું નથી. એટલું જ નહીં પણ અગર કોઈ રીપોર્ટ મળ્યા હોય તો પણ તેની ખરાઈની ચોકસાઈ કરતા નથી, એટલું જ નહીં પણ તેઓ કોઈપણ રેકોર્ડ જરુર પડે ગુમ પણ કરાવી દે છે.

આ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝને જવાબદાર બનાવવો. એટલું જ પૂરતું નથી, આ રજીસ્ટ્રારનું કાર્યક્ષેત્ર વાસ્તવિક રીતે સક્ષમ અને જનતાગામી બને તે માટે એક ઝોન દીઠ એક રજીસ્ટ્રાર નિયુક્ત કરો.

દરેક કોઓપરેટીવ્ઝ સોસાઈટીના રીપોર્ટોને,  કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રારે, ઓનલાઈન મુકવા જોઇએ. કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રાર જ સોસાઈટીમાં થતા ક્રમબદ્ધ ફેરફારોનો પૂરો ઈતિહાસ રાખશે. અને તેજ અધિકૃત ગણાશે.

રજીસ્ટ્રેશનઃ

એવી કઈ કઈ બાબતો છે જેમાં રજીસ્ટ્રેશન જરુરી છે?

જાહેર જનતા સાથે જે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વ્યવહાર કરતી હોય તેનું રજીસ્ટ્રેશન હોવું જરુરી હોવું જોઇએ.

દુકાનો, ફેક્ટરીઓ, પેઢીઓ, સેવા સંસ્થાઓ, ટ્રસ્ટો, શિક્ષણ સંસ્થાઓ, ઓફિસો, મનોરંજન સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરાંઓ, વાહનો, કોંન્ટ્રાક્ટરો, મંદિરો, વિગેરે. સેવાસંસ્થાઓમાં સરકારી ઓફીસો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને તેની કાર્યવાહીઓ પણ આવી જાય.

જે કોઈ સંસ્થાને લાઈસન્સ આપવામાં આવે અને તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેની પૂરતી માહિતિ તે સરકારી અને તે સંસ્થાની વેબસાઈટ ઉપર હોવી જોઇએ.

દરેક સંસ્થાની પછી ભલે તે વ્યક્તિગત, કૌટુંબિક સંસ્થા હોય, ભાગીદારી, પ્રાઈવેટ લીમીટેડ,  કે  પબ્લીક લીમીટેડ સંસ્થા હોય, તે સૌની વેબસાઈટ ઓન લાઈન હોવી જ જોઇએ.

દરેક વેબસાઈટ ઉપર તે સંસ્થા કઈ જાતની છે અને જનતા તેની વિષે કઈ જાતની માહિતિની અપેક્ષા રાખી શકે તેને અનુરુપ સરકારે તેને ઓછામાં ઓછી જરુરી ગણી વેબસાઈટ ડીઝાઈન કરવી જોઇએ. તે સંસ્થાએ તેમાં માહિતિ અપલોડ કરી સરકારને સીડી આપવી જોઇએ. સરકાર તેને ઓન લાઈન મુકશે.

દાખલા તરીકે એક દુકાન

દુકાનના માલિક કે માલિકોના પૂરા નામ, તેના ફોટા, તેની ઓળખ નગારિક કાર્ડ, મ્યુનીસીપાલીટીના રેકોર્ડ પ્રમાણે (સ્થાનિક લોકસ્વરાજની ઓફિસના રેકોર્ડ પ્રમાણે) તેનું સરનામુ, સંસ્થાનું સરનામું, વ્યક્તિની અને સંસ્થાની પ્રોફાઈલ, ધંધાની વિગત, ફોન નંબરો, ઈમેલ એડ્રેસ, નજીકના ભવિષ્યની (છ માસની અંતર્ગત) યોજનાઓ, ધંધાદારી સંબંધિત સંસ્થાના નામ અને લીંક, ગ્રીવન્સીસ કે મેસેજ બોક્સ, સેલ્સ ટેક્સ, વેટ, આઈ.ટી. એકાઉન્ટનંબર, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાએ આપેલ રજીસ્ટ્રેશન નંબરો, ટ્રેડમાર્ક જેવી માહિતિઓથી સભર એક સ્ટાન્ડર્ડ વેબસાઈટ સરકારે બનાવવી જોઇએ.

આ કેવીરીતે થઈ શકે?

જે અરજી પત્રક હોય તેમાં આ બધી વિગતોની કોલમો હોય અને તેને જ્યારે લાયસન્સ મળે ત્યારે તેની વિગત ભરાઈ જાય. જે તે વ્યક્તિને જે તે માહિતિની જરુર હોય અને સરકારે તેને આપવા યોગ્ય રાખી હોય તે માહિતિ તે વ્યક્તિ ઓન લાઈન દ્વારા લઈ શકે છે. સરકાર પાસે તો બધી જ માહિતિ હોવી જોઇએ.

તો પછી માહિતિ અધિકારીની જરુર શા માટે?

જેમને ઈન્ટરનેટ કનેક્સન ન હોય અને જેમને તેવી આવડત ન હોય, તેઓ માહિતિ અધિકારી પાસેથી માહિતિ માગી શકે. અને કારણ કે માહિતિ અધિકારી એક સુશિક્ષિત અધિકારી છે તે અરજદારો પાસેથી મહેનતની ફી વસુલ કરી અરજદારને અધિકૃત હાર્ડ કોપી આપશે.

વેબસાઈટ ફરજીયાત બનાવોઃ

દરેક દુકાનના સાઈનબોર્ડ ઉપર તેના રજીસ્ટ્રેશન નંબર, વેબસાઈટનું નામ ધ્યાન જાય એ રીતે ફરજીયાત લખેલું હોવું જોઇએ. તેમજ દુકાનના બીલ ઉપર અને લેટરહેડ ઉપર પણ આ બે વિગતો હોવીજ જોઇએ. જ્યારે ક્યારેય પણ આ દુકાન ઓનલાઈન સંવાદ કરે ત્યારે આ વિગતો તેના ઈ-સંવાદના પેજ ઉપર આવવી જોઇએ.

જાહેર જનતા સાથે વ્યવહાર કરતી કોઈપણ સંસ્થા કે વ્યક્તિ ની વેબસાઈટ હોવીજ જોઇએ. તે સિવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર જનતા સાથે વ્યવહાર ન કરી શકે. આમાં પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયા બધાનો સમાવેશ થઈ જાય છે.

પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયાઃ

આ લોકોને કેવીરીતે જમીન માફીયામાં ગણી શકાય?

જેઓ અણહક્કની જમીન ઉપર કબજો જમાવે છે અને જેઓ તેમના તે હક્ક માટે લડે છે તે બધા જમીનના માફીયા જ કહેવાય. આ લોકો ગરીબ હશે પણ તેમને આ હક્ક અપાવનારા કે તે માટેની લડતો ચલાવનારા ગરીબ નથી. વાસ્તવમાં આ લોકો પડદા પાછળ છે અને પૈસા કમાય છે. આ વાત આપણે આગળ કરી ગયા છીએ.

આ લોકોને કેવીરીતે ઠેકાણે પાડવા?

જ્યાં આ લોકો ધંધો કરે છે ત્યાં તેમને ખબર ન પડે તેવા સીસી કેમેરા ગોઠવી દો. અને તેનું છ માસ માટે રેકોર્ડીંગ કરો.

તેઓ જુદો જુદો માલ ક્યાંથી માલ લાવે છે તેની વ્યક્તિ દીઠ તપાસ કરો અને રેકોર્ડ બનાવો.

તેઓ ક્યાં રહે છે, કેટલા વખતથી રહે છે અને પહેલાં ક્યાં ક્યાં રહેતા હતા તેની તપાસ કરો અને રેકોર્ડ બનાવો. જો તેઓ બંગ્લાદેશી કે પાકિસ્તાની હોય તો તેમને અલગ તારવો.

તેઓ કેટલું કમાય છે અને કોને કેટલો હપ્તો ચૂકવે છે અને કોણે તેમને અહીંની જગ્યા અપાવી તેની તપાસ કરો.

આ કામ અઘરું નથી. લોકલ ઈન્ટેલીજન્સ અને એક પ્રાઈવેટ સર્વે એજન્સી જેવી કે તાતા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ બંને ભેગા મળી ડેટા એકઠા કરે તો કેટલા ખરેખર ગરીબ છે અને કેટલા પડદા પાછળના ગુનેગારો છે તે વીડીયો કેમેરામાંની તપાસમાં કેદ થઈ જાય. કયા ગરીબો કેટલી અવડતવાળા છે તે પણ નક્કી થઈજાય. તેમના ઓળખના ડેટા પણ તૈયાર થઈ જાય.

અમદાવાદના કોટ વિસ્તારમાં એવા ઘણા વિસ્તારો છે જેમાં મકાનો પડુ પડુ અવસ્થામાં છે. ત્યાં એ મકાનો કબજે કરાય. અને ત્યાં એક પાર્કીંગ, હોકર્સપાર્ક, શોપીંગ ખાણીપીણી મોલ, અને ઝોંપટ્ટીમાં રહેતા લોકોને થાળે પાડવાના ગાળાઓ આપી શકાય. કોટની અંદરનો જે વિસ્તાર છે તેની કાયાપલટ થઈ જશે.

જુઓ અનુસંધાન લીંકઃ 

ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ

 https://treenetram.wordpress.com/2013/02/20/%E0%AA%9D%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%A1%E0%AA%AA%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

જેઓ વિદેશી ઘુસણખોર છે તેમને મીઠાના અગરોમાં કેદી તરીકેની મજુરીના કામમાં રાખો.

જેઓ પડદા પાછળ હતા તેમની સામે ગેરકાયદેસર કામ કરવા બદલ અથવા તેને પ્રોત્સાહન આપવા બદલ કામ ચલાવો અને તે દ્વારા તેમને કાંતો દંડ કે જેલની સજા જે પસંદ હોય તે કરો અને તેમના ઉપર નીગરાની રાખો.

 જેઓ કોટની બહાર છે અને ફુટપાથ અને રોડ કબજે કરીને અડ્ડો જમાવીને બેઠા છે તેમનો પણ ઉપર પ્રમાણેનો સર્વે અને ડેટા તૈયાર થઈ શકે. જેઓ પૈસાદાર છે તેમને તો દંડ અને સજા જ કરવાના છે. જેઓ ગરીબ છે તેમને પાર્કીંગ કમ હોકર્સ પાર્ક કમ મોલ કમ રહેઠાણ બનાવીને કોટના વિસ્તારની જેમ થાળે પાડી શકાય. કોટવિસ્તારની બહાર પણ ઘણા ગામઠાણ વિસ્તારો અને મેદાનો છે.

જે અમદાવાદ જેવા શહેરમાં કરી શકાય તેમ છે તેવું જ ગામડાઓમાં અને બીજા શહેરોમાં થઈ શકે.

રસ્તા ઉપર થતા પાર્કીંગ અને ગીચતાની સમસ્યા ઉકલી જશે.

મફતમાં માલિકી નહીં

સરકાર કોઈને જે જગ્યા ફાળવશે તે માલિકીની નહીં હોય તેમ જ ફેરબદલની પણ નહીં હોય. આને માટે બાય-લોઝ (પેટા કાયદા ઓ ઘડી શકાય). ભાડા ઉઘરાણીનું અને સુરક્ષાનું વ્યવસ્થિત તંત્ર બનાવી શકાય. કોઈને કશું મફતમાં નહીં.

સ્થાનિક લોકો માટે ૮૦ ટકા આરક્ષણ રહેશે. જેઓ પરપ્રાંતના હશે તેમને ૨૦ ટકામાંથી ફાળાવણી થશે. બાકીનાની, યાતો બીજે ગામના ૨૦ટકા ક્વોટામાં ફાળવણી થશે યાતો તેઓ તેમના ગામ પરત જશે.

જેઓને અહીં ભાડાનું અથવા પોતાનું રહેઠાણ હશે તેઓ જ રહી શકશે. ગેરકાયદેસર જગ્યા કબજે કરી કોઈ રહી શકશે નહીં. કાયદો પણ આજ કહે છે. જેઓ ગુજરાતમાં જન્મ્યા છે અથવા જેઓએ ગુજરાતી સાથે પ્રાથમિક શિક્ષણ લીધું છે તેઓ જ ગુજરાતી કહેવાશે.

નાથીયા તું નાગો થા અને મને પોતડી આપ એવી વાત ન ચલાવી શકાય.    

સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓઃ

માહિતિ અધિકારની સંસ્થા સ્વાયત્ત હોવી જોઇએ

હાલમાં જેતે ખાતાઓમાં જેતે ખાતાના માહિતિ અધિકારીઓ હોય છે. તેથી તેમની વૃત્તિ માહિતિ યેનકેન કારણો આપી છૂપાવવાની કે વિલંબમાં નાખવાની હોય છે. માહિતિ અધિકારીઓ કોઈ ખાતા સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. પણ તેઓ સુપ્રશિક્ષિત હોવા જોઇએ. એક ઝોન દીઠ એક માહિતિ અધિકારી હોવો જોઇએ. આ ઝોન એક ભૌગોલિક વિસ્તાર હશે. અને તે ઝોનમાં રહેતી વ્યક્તિઓની અરજીઓ આ અધિકારી લેશે અને તેની ઉપર આગળની કાર્યવાહી કરશે.

માહિતિનો અધિકારઃ

રાઈટ ટુ ઈન્ફર્મેશન અંતર્ગત, જનતાને માહિતિનો અધિકાર છે. જો આ અધિકાર છે તો તે માહિતિને જ્યાં સુધી કોઈ ન માગે ત્યાં સુધી ખાનગી રાખવાનો કોઈ અર્થ નથી. આ અધિકાર ભારતના નાગરિકને જ મળી શકતો હોવાથી જો તે પોતાની ઓળખાણની સાબિતી આપે તો તે જે માહિતિઓ જાણવા માટે અધિકારી છે તે માહિતિ તેને ઓન લાઈન મળવી જોઇએ.

આ માટે ભારતનો કોઈપણ નાગરિક સક્ષમ અધિકારી પાસે જઈ પોતાની નોંધણી કરાવી દે એટલે તે પોતાના પાસવર્ડનો ઉપયોગ કરી જે તે માહિતિ મેળવી શકે. આમ કરવાથી માહિતિ અધિકારી ઉપરનો બોજ ઘણો ઘટશે. જે વ્યક્તિને અધિકૃત કોપી જોઈતી હોય તે વ્યક્તિ નિશ્ચિત યુઆરએલ બતાવી માહિતિ અધિકારી પાસેથી અધિકૃત કોપી લઈ શકે. અથવા અરજી આપી થોડી વધુ ફી ભરી, માહિતિ અધિકારી પાસેથી અધિકૃત માહિતિ લઈ શકે છે.

રેવન્યુ ડીપાર્ટમેન્ટ ના રેકોર્ડ ઓન લાઈન હોવા જોઈએ. તમે તામારી ઓળખ આપીને જે તે વેબસાઈટ ઉપર માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો.

હાલ ફક્ત ન્યાય તંત્ર એક માત્ર સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. ન્યાયતંત્રને પોતાનો સ્ટાફ છે અને પોતાની સ્વતંત્ર ઓફીસો પણ છે.

ચૂંટણી પંચ અને વસ્તી પંચ સંસ્થાઓ સંપૂર્ણ સ્વતંત્ર નથી. ચૂંટણી પંચને પોતાનો મોટાભાગનો સ્ટાફ ઉછીનો લેવો પડે છે. આવી જ સ્થિતિ વસ્તીગણત્રી પંચની છે. કારણ કે તેમનું કાર્યક્ષેત્ર અને સમય મર્યાદિત રાખ્યો છે.

ચૂંટણી પંચઃ

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઝ, વસ્તી ગણત્રી અને ચૂંટણી, આ ત્રણેયને એક પંચ હેઠળ લાવી દેવું જરુરી છે.

ચૂંટણી પંચ ફક્ત સ્થાનિકસ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિની ચૂંટણી પૂરતું જ પોતાનું કાર્ય ક્ષેત્ર રાખે છે. વાસ્તવમાં કોઈપણ કાયદા અંતર્ગત (સ્ટેચ્યુટરી પ્રોવીઝન હેઠળ) થતી દરેક ચૂંટણીઓ અને સભાઓ, ચૂંટણી પંચની નીગરાની હેઠળ જ થવી જોઇએ.

એટલે કે મઝદુર યુનીયન, કર્મચારી યુનીયનો, અધિકારી યુનીયનો, સહકારી સંસ્થાઓ, ગૃહનિર્માણ સોસાઈટીઓ, તેના સભ્યોની નોંધણી, તેમાં થતા ફેરફારોની નોંધણી, તેના પરિપત્રો, હોદ્દેદારોની ચૂંટણીઓ, કાર્યવાહીઓ અને રેકોર્ડ ચૂંટણી પંચની કડક નીગરાની હેઠળ અને તેના દ્વારા સંચાલિત થવી જોઇએ. જો આમ થાય તો તેમાં થતી ગેરરીતીઓ અટકી જાય કારણકે જો ગેરરીતી થાય તો તરત જ જવાબદારી લાદી શકાય. જાણી લો કે સરકારી વ્યક્તિ જ એક માત્ર એવી વ્યક્તિ છે જેનું એતત્‌કાલિન સ્થાન રેકોર્ડ ઉપર હોય છે અને તેને સોંપેલી જવાબદારી ફીક્સ હોય છે અને અથવા ફીક્સ કરવી સહેલી છે.

હાલ સ્થિતિ એવી છે કે જ્યારે ચૂંટણી આવે તે અગાઉ ચૂંટણી પત્રક્ની કાર્યવાહી આરંભાય છે. વાસ્તવમાં ચૂંટણીપત્રક હમેશા આધુનિક (અપટુડેટ) હોવું જોઇએ.

વસ્તીગણત્રી પંચ અને ચૂંટણી પંચ વાસ્તવમાં ગાઢ રીતે સંકળાયેલા છે.આ બંને કાર્યશાળાને એકઠી કરી દેવી જોઇએ. આ સંસ્થાને સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા બનાવવાની છે.

વસ્તીગણત્રી – ચૂંટણી પંચ ની ઓફિસ અને કર્મચારીગણ તેમના પોતાના હોવા જોઇએ.

ચૂંટણી-વસ્તી પંચઃ આ સંસ્થા કાયમી કાર્યરત બનવાથી દરેક વ્યક્તિની નોંધણી થશે. તેના દરેક સ્થાનોની નોંધ રહેશે, વ્યક્તિ ક્યાં રહે છે અને ક્યાં  વહેવાર કરેછે તે નિશ્ચિત થશે. પરપ્રાંતમાંથી કેટલા આવેલા છે તે સંખ્યા નિશ્ચિત થશે. બેકાર કેટલા છે અને કેટલા ક્યાં નોકરી કરે છે અને શું કરે છે તે પણ નિશ્ચિત થશે.

ચૂંટણીઃ

ચૂંટણીમાંથી પૈસાની બાદબાકી થઈ જશે.

ઝોન દીઠ એક ચૂંટણી અધિકારી હોવો જોઇએ.

મદદનીશ અધિકારી પાંચ કે દશ પોલીંગબુથ દીઠ એક હોવો જોઇએ. આને આપણે મતદાર મંડળ કહી શકીએ.

આ મતદાર મંડળને એટલે કે મદદનીશ ચૂંટણી અધિકારીને પોતાની ઓફીસ હશે અને એક કાયમી સભાખંડ હશે. આ કાયમી સભા ખંડમાં એક પ્લેટફોર્મ ઉપર જ ચૂંટણીના ઉમેદવારો અને મતદારો પોતાનો અવાજ રજુ કરશે. આ સિવાય ક્યાંય સભા કરવાની છૂટ રહેશે નહીં. ટીવી ચેનલો ઉપર તેમને એક જ પ્લૅટફોર્મ ઉપર બોલાવાશે અને તેઓ પોતાનો પક્ષ અને વાત રજુ કરશે. આ બધી વ્યવસ્થા વસ્તી-ચૂંટણી પંચ જ કરશે. જે ઉમેદવારને જનતાને કે સભાસદોને જે કંઈ કહેવું હશે તે આ મંચ ઉપર આવીને જ કહેશે અને તેની નોંધ લેવાશે.

પક્ષને કે ઉમેદવારને જે કંઈ હોર્ડીંગ લગાવવા હશે તે આ ખંડમાં જ લગાવી શકશે. દરેકનો ચૂંટણી ઢંઢેરો અહીં લગાવવામાં આવશે.

પક્ષ કે વ્યક્તિ પોતે જે કોઈ બીલ લાવવા માગતા હોય તેની કોપી તે ચૂંટણી અધિકારીને આપશે અને જો તે ચૂંટાશે તો તે જનતાને ઉપલબ્ધ કરી શકાશે. ચૂંટણી પૂર્વે ચૂંટણી ઢંઢેરામાં ન ઉલ્લેખાયા હોય અને ચૂંટણી પંચને ન આપ્યા હોય તેવા કોઈ પણ બીલ, કોઈ પક્ષ કે વ્યક્તિ ધારાસભામાં રજુકરી કરી શકશે નહીં. જેમકે સંસદ સભ્યોના પગાર વધારા અને તેમના પેન્શનને લગતા બીલ કોઈપણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હતા નહીં તો પણ તે બીલ બનાવીને પસાર કરેલ.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ, ચૂટણી અને વસ્તીગણત્રી એક જ પંચ હેઠળ શા માટે?

સભ્યપદ, મતદાતા, હોદ્દેદારો અને તેની યાદીઓ વિગેરે એક યા બીજા પ્રકારની ચૂંટણી સાથે સંકળાયેલા છે.

સભ્ય અને મતદાતા ની ઓળખ કરવાની એક પ્રક્રીયા હોય છે.

યાદી બનાવવી એ પણ ચૂંટણીની એક પ્રક્રીયા છે.

હોદ્દેદારો ચૂંટાય છે અને તેમને અધિકૃત કરાય છે.

જેઓ દેશમાં રહેછે તેમની વસ્તી ગણત્રી થાય છે, પણ તેઓ બધા મતદારો હોતા નથી.

જેઓ ઘુસણખોરો છે તેઓ પણ વસ્તીગણત્રીમાં તો આવી જ જાય. પણ તેઓ દેશના નાગરિક નથી. પણ તેમના માનવ અધિકારો તો છે જ. એટલે જ્યાં ક્યાંય પણ કાયદેસર યાદી બનતી હોય, મતદાન થતું હોય અને હોદ્દેદારોની ચૂંટણી થતી હોય અને હોદ્દેદારો અધિકૃત થતા હોય. સભાની કાર્યવાહીઓ થતી હોય, કાયદા, પેટા કાયદાઓ વિગેરે થતા હોય અને આ બધું કાયદેસરની પ્રક્રીયામાં આવતું હોય તો ચૂંટણીપંચ, વસ્તીગણત્રીપંચ અને હાલ જેને આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ કહીએ છીએ તે સૌને એક પંચતંત્ર હેઠળ મુકવા જોઇએ. જેથી દરેક જાતના સભ્યપદ, યાદીઓ, સભાઓ, ચૂંટણીઓ, હોદ્દેદારો અને કાર્યવાહી, તેની ચકાસણીઓ એક જ પંચ હેઠળ આવે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સભ્ય, મતદાતા, મતદાર મંડળ, સભા, હોદ્દેદાર, અધિકૃત, અધિકારી, ચૂંટણી, વસ્તી, ગણત્રી, પંચ, વેબ સાઈટ, માહિતિ, રજીસ્ટ્રેશન, નોંધણી, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, સ્વાયત્ત, સ્વતંત્ર, નીગરાની, સ્થાનિક, કોઓપરેટીવ, સોસાઈટી, સંસ્થા, વ્યવહાર, રજીસ્ટ્રાર

Read Full Post »

%d bloggers like this: