Feeds:
Posts
Comments

Posts Tagged ‘મુદ્દા’

નહેરુવીયન કોંગ્રેસના જુઠાણા ભાગ – ૧

જુઠાણાઓ ઉપર કરો આક્રમણ
આક્રમણ એજ કલ્યાણ

હાજી કોંગ્રેસના જુઠાણાઓ ઉપર કરો શાબ્દિક અને પ્રદર્શનીય આક્ર્મણ

પહેલાં સમજી લો કોંગ્રેસ એટલે કોણ?

કોંગ્રેસ એટલે ફક્ત નહેરુવીયન કોંગ્રેસ એકલી જ નહી.

કોંગ્રેસ એટલે જે પક્ષો, જે સંસ્થાઓ, જે સમાચાર માધ્યમો અને જે વ્યક્તિઓ દેશના હિતને નુકશાન થાય તે રીતે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિવેદનો આપે છે તેમને કોંગ્રેસીઓ ગણો.

દાખલા તરીકેઃ

(૧) નહેરુવીયન કોંગ્રેસ (૨) જે પક્ષોએ નહેરુવીયન કોંગ્રેસને ભૂતકાળમાં એટલે કે સરદાર પટેલે નહેરુને શિખામણો આપી અને નહેરુએ ન માનવાની શરુઆત કરી ત્યારથી, વૈચારિક રીતે કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી નહેરુની, તેના ફરજંદોની અને તેના પક્ષની સાથે જોડાણો કર્યા તે સઘળા પક્ષો. (૩) સમાચાર માધ્યમો એટલે કે ટીવી ચેનલોના અને સમાચાર પત્રો ના માલિકો, તંત્રીઓ, સંપાદકો, એંકરો, કોલમીસ્ટો (કટારીયાઓ) જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર મુદ્દાઓને ચગાવ્યા કરે છે (૪) મહાનુભાવો (સેલીબ્રીટીઓ), હોદ્દેદારો, સાહિત્યકારો, જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુદ્દાઓને ચગાવ્યા કરે છે. આ સૌને કોંગ્રેસી ગણો

આ સમજવા માટે તાજેતરમાં ચગાવેલા અને ચગાવાઈ રહેલા મુદાઓ જુઓ.

“બાહ્ય અને બિહારી”

(૧) બિહારમાં ચૂંટણી વખતે બીજેપીના નેતાઓના પ્રચારની અસરને નાબુદ કરવાના પ્રયાસ રુપે બીજેપીના જે નેતાઓ બિહારના ન હતા તેમને પ્રચાર કરતા રોકવા માટે નીતીશકુમારે તેમને “બાહરી” તરીકે ઓળખાવ્યા હતા. આ એક ઘૃણાસ્પદ, દેશ માટે વિભાજનવાદી અને નિંદનીય પ્રચાર હતો.
દેશના એક રાજ્યનો નાગરિક બીજા પ્રાંતમાં જાય તો તેનો વિરોધ કરવો અને તેવો પ્રચાર કરવો તે, દેશની એકતા માટે ઘાતક છે.

દેશની એકતા ઉપર આઘાત પહોચાડનારનું બહુમાન કરવું કે તેની ટીકા ન કરવી તે કૃત્ય પણ દેશ દ્રોહની કક્ષામાં જ આવે. સમાચાર માધ્યમો પણ આ જ કક્ષામાં આવ્યા છે.

જો એક રાજ્યના નાગરિકના વાણી સ્વાતંત્ર્ય હક્કને બીજા રાજ્યમાં નકારવામાં આવે કે તે માટે જનતાને ઉશ્કેરવામાં અને એવો પ્રચાર કરવામાં આવે તો તેમાંથી ઘણું અભિપ્રેત થાય છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યના હિતનો વિરોધી છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં કોઈ અધિકાર ધરાવતો નથી.

એક રાજ્યના નાગરિકનું જો બીજા રાજ્યમાં બોલવાનું પણ જો આવકાર્ય ન હોય એવો પ્રચાર કરવામાં આવે તો તેનો અર્થ એમજ થાય કે તે બીજા રાજ્યનો હિતૈષી નથી.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં જો બોલવાનો અધિકાર ગુમાવે તો તે આપોઆપ તે બીજા રાજ્યમાં નોકરી અને વ્યવસાયનો અધિકાર પણ ગુમાવે છે. સંદેશો આને બોધ તો આજ જાય છે.

આ જાતનો પ્રચાર, ભારતીય બંધારણને બદલાવવાનું સૂચન કર્યા વગર, કરવો તે બંધારણનું અપમાન છે. એટલું જ નહીં પણ આને અરાજકતા ફેલાવવાનો દુરાચાર જ કહેવાય.

અરાજકતા ફેલાવવી એ દેશદ્રોહ જ કહેવાય. જ્યારે કોઈ એક નેતા અને સત્તાના હોદ્દેદાર દ્વારા જો આવો અરાજકતાને ઉશ્કેરવાનો આચાર પ્રચાર કરવામાં આવે તો તેને પદચ્યૂત કરી તેની નાગરિકતા રદ કરવી જોઇએ.

એક નાગરિકને, બીજા રાજ્યમાં “બાહરી” રાજ્યનો જો ગણવામાં આવે તો તે બીજા રાજ્યમાં મિલ્કત ધરાવવાનો અધિકાર પણ ગુમાવે જ છે. એટલે કાંતો તેણે ભાડે રહેવું પડે કે તેણે હોટેલમાં રહેવું પડે. જો બોલવાનો અધિકાર પણ ન હોય તો તેને નોકરી કરવાનો અધિકાર તો હોય જ નહીં તેથી ક્વાર્ટર્સ ફાળવવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી.

એક રાજ્યના નાગરિકને બીજા રાજ્યમા ગુનો કરવાનો અધિકાર તો હોઈ જ ન શકે. તેથી તે બીજા રાજ્યમાં જઈ જાહેર કે ખાનગી મિલ્કત એટલે ફુટપાથ, રસ્તા, જાહેર જમીન વિગેરે ઉપર લારી, ગલ્લા, કે પાથરણા પાથરી દબાણ પણ ન કરી શકે. તેટલું જ નહીં તે એવી માગણી કે હક્ક પણ ન જ કરી શકે. કારણે કે તેનું બોલવું આવકાર્ય જ નથી

હવે નીતીશકુમાર જેવા નેતાઓએ મુંબઈ મહારાષ્ટ્રમાંથી ઉચાળા ભરવા જોઇએ. નીતીશ કુમારે નૈતિકરીતે બિહારની બહાર નોકરી ધંધા અને દબાણ કરતા બધા જ બિહારીઓને બિહારમાં પાછા બોલાવી લેવા જોઇએ. નીતીશકુમાર પોતે સત્તાનો હોદ્દો ધરાવે છે. તેથી કાંતો બિહારની બહાર “બાહરી ગણાતા” બિહારીઓને બિહારમાં જ રાખવા જોઇએ અથવા તો નીતીશકુમારે પોતે દેશ છોડીને જતા રહેવું જોઇએ. જો તેઓ આમ ન કરે તો તેમની ઉપર કામ ચલાવી તેમને કાળાપાણીની સજા કરવી જોઇએ.

આતંકવાદને પ્રોત્સાહન આપવાના ગુનાઇત કૃત્ય પછીનું દેશદ્રોહનું કૃત્ય, નાગરિકોમાં “બાહ્ય અને બિહારી”ના આધાર પર ત્યાજ્ય ગણવા, તે જ છે.

તમે વિચારો, જો બધા જ રાજ્યના લોકો નીતીશકુમારના આ વિઘાતકવાદી મન્તવ્યને આચરે તો દેશની શી દશા થાય? દેશ આખો જીલ્લા અને તાલુકા સુધી વિભાજિત થઈ જાય. કારણ કે એક વખત જો રાજ્ય કક્ષાએ વિભાજનવાદી મનોવૃત્તિને પ્રોત્સાહન મળે તો તે વૃત્તિને જીલ્લાસ્તરે અને તેને તે પછી તાલુકા કક્ષાએ પહોંચતા વાર ન લાગે. જો આવી રીતે ભારતીય નાગરિકોને વિભાજિત કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે તો ધર્માંધતામાં રાચતા પક્ષો અને જુથો બળવત્તર બને અંતે ધર્માંધતા અને પોતાના ધર્મને પ્રસારવાની મનોવૃત્તિ વાળા જુથો આતંકતા વાદ તરફ વળે

(૨) મુસ્લિમ લીગ એક હળાહળ અને હાડોહાડ કોમવાદી સંસ્થા છે. કોઈ પણ બીન મુસ્લિમ વ્યક્તિ મુસ્લિમ લીગનો સદસ્ય બની શકતો નથી. મુસ્લિમ લીગનો એજન્ડા એ જ છે જે સ્વતંત્રતા પૂર્વે હતો. મુસ્લિમ લીગ ભારતીય બંધારણ પ્રમાણે પણ એક કોમવાદી સંસ્થા છે. આ મુસ્લિમ લીગ નહેરુવીયન કોંગ્રેસનો સહભાગી સહયોગી પક્ષ છે. આ બધું હોવા છતાં પણ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પોતાને ધર્મનિરપેક્ષ માને છે એટલું જ નહીં પણ તેઓ બીજેપીને કોમવાદી પક્ષ માને છે. જ્યારે જ્યારે જરુર પડે અને લાગ આવે ત્યારે તેઓ કોમવાદ અને બીજેપીને એકબીજા સાથે સાંકળી બીજેપીની ભર્ત્સના કરે છે. આમ જુઓ તો બીજેપીના દ્વાર બધા જ ધર્મીઓ માટે ખૂલ્લા છે.

બીજેપીના દ્વાર બધા માટે ખૂલ્લા હોવા છતાં પણ,

બીજેપીમાં અહિન્દુઓ હોવા છતાં પણ,

તેમજ અહિન્દુઓ બીજેપી સરકારમાં હોદ્દાઓ ભોગવતા હોવા છતાં પણ,

અહિન્દુઓને જે વિશેષ લાભો મળતા ચાલુ રહ્યા હોવા છતાં પણ,

બીજેપીને જે મોટા ઉપાડે કોમવાદી પક્ષ કહેવાનું વરણાગીયાપણું કેટલાક દંભી ધર્મનિરપેક્ષીયોએ રાખ્યું છે તે “વદતઃ વ્યાઘાત” જેવું છે.

બીજેપીને કોમવાદી કહેવાનો આધાર આ વરણાગીયા દંભીઓ માટે કયો છે?
આરએસએસ અને વીએચપીવાળા બીજેપીનો પ્રચાર કરે છે એ કારણસર બીજેપીને કોમવાદી કહી શકાય? ના જી. એવું તો ન જ તારવી શકાય. કારણ કે જો આ રીતે તારવણીઓ કરીએ તો નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તો આતંકવાદી અને અસામાજિક તત્વો જ કહેવાય.

યાદ કરો:
૨૦૦૧ના અરસામાં નરેન્દ્ર મોદીએ એક જગ્યાએ ભાષણમાં કહેલ કે ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે. કારણકે બીજેપી કોમી દંગાઓને પ્રોત્સાહન આપતો નથી.

આ સમાચાર જાહેર થયા પછી સાબરમતી એક્સપ્રેસનો હિન્દુઓથી ભરેલો ડબ્બો ૨૦૦૨માં ફેબ્રુઆરીમાં ગોધરામાં મુસ્લિમો દ્વારા પૂર્વ આયોજન પૂર્વક સળગાવી દેવામાં આવ્યો અને ૫૯ મુસાફરોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ બનાવની વિષે નહેરુવીયન કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ “ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે” એવું કહીને મુસ્લિમોને દંગા કરવા ઉશ્કેર્યા હતા.

હવે સમજી લો કે આ પ્રમાણેનું મુસ્લિમોનું માનસ ઘડવા માટે કોણ જવાબદાર ગણાય? ખચિત રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસકો જ ગણાય. અને તેથી જ્યારે નહેરુવીયન કોંગ્રેસના નેતા આવી રીતે મુસ્લિમો દ્વારા પ્રાયોજિત હિન્દુ સંહારનો બચાવ કરે ત્યારે તો તેમની બેજવાબદારી સિદ્ધ થઈ જાય છે. એટલું જ નહીં નહેરુવીયન કોંગ્રેસના નેતાગણ ખુદ નરાતર કોમવાદી છે તે પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના એક વખતના મંત્રી શશી થરુર શું બોલેલા ખબર છે?

હાજી આ શશી થરુર પાકિસ્તાની ચેનલના વાર્તા-ચર્ચા આલાપમાં જે બોલેલા તે ચોંકાવનારું છે. કાશ્મિરના હિન્દુઓની જે કત્લેઆમ થયેલી અને કાશ્મિરના હિન્દુઓની તેમના ઘરમાંથી હકાલ પટ્ટી કરવામાં આવેલી તે વિષે આ શશી થરુરે કહેલ કે “આ પ્રક્રિયા આરએસએસના પ્લાન પ્રમાણે થયેલી.”

હાલમાં જ નહેરુવીયન કોંગ્રેસના એક પૂર્વ મંત્રીએ પાકિસ્તાની એક ચેનલના ચર્ચા-વાર્તાલાપમાં પાકિસ્તાનીઓને કહેલ કે “પાકિસ્તાન અને ભારત વચ્ચે ના સંબંધો સુધારવા હોય તો તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે”.

આ નહેરુવીયન કોંગ્રેસની માનસિકતા કેવી છે? પાકિસ્તાનની સરકારની પાસે આ નહેરુવીયન કોંગ્રેસના સરકારી મંત્રી, નરેન્દ્ર મોદીની સરકારને હટાવવા પાકિસ્તાનની મદદ માગે છે.

પાકિસ્તાનની આઇએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર એ બંને પાકિસ્તાનની સરકારનો હિસ્સો છે. આઈએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભારતમાં ત્રાસવાદ દ્વારા ખૂના મરકી કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ આ હકિકતથી અજાણ નથી અને નથી જ. હવે જ્યારે આ કોંગ્રેસ પાકિસ્તાનને એમ કહે કે “નરેન્દ્ર મોદીને તમે હટાવો” તો તેનો અર્થ એમ જ થાય કે તમે ભારતમાં આતંકવાદ એ હદે ફેલાવો કે ભારતની જનતા ત્રાહીમામ ત્રાહીમામ થઈ જાય અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વાતાવરણ તૈયાર થાય જેથી નરેન્દ્ર મોદીની સરકારનું પતન થાય.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની આ માનસિકતા છે. આને તમે કોમવાદી નહીં કહો તો શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના કોમવાદી માનસનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં મુસ્લિમ કોમવાદ અને પ્રત્યેક પ્રકારના આતંકવાદના મૂળ નહેરુવીયન કોંગ્રેસમાં છે. આ વિષે મોટાં પુસ્તકો લખી શકાય તેમ છે અને લખાયાં પણ છે.

૧૦૬૨માં જ્યારે ભારત ઉપર ચીને આક્રમણ કરેલ ત્યારે પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓએ ચીનની સેનાને “મૂક્તિ-સેના” તરીકે ઓળખાવી હતી. તેના સ્વાગત માટે તેઓ બેનરો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ સામ્યવાદીઓની સાથે રાજકીય ગઠબંધન નહેરુવીયન કોંગ્રેસે અનેક વાર કર્યું છે. શું આપણા દેશ ઉપર આક્રમણ કરનારી દુશ્મનની સેનાને આવકારવી એ દેશદ્રોહી કામ નથી? દુશ્મનની સેનાને આવકારનાર પક્ષની સાથે ગઠબંધન કરવું એ પણ દેશદ્રોહી કામ જ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ એ હદ સુધી અને એટલા બધા પ્રમાણમાં સામાજિક અને બંધારણીય રીતે ભ્રષ્ટ છે કે તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને તેમની ભ્રષ્ટતા નજરે પડશે. આ કારણથી તેમના ઉપર આક્રમણ કરવું સાવ જ સરળ છે.

(3) વ્યર્થ વિવાદોના જનક એટલે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ બિહારની ચૂંટણીને લક્ષમાં રાખીને અનામત અને અસહિષ્ણુતાનો મીથ્યા વિવાદ ચગાવેલો.

બિહારની ચૂંટણીમાં આ ઠગ ગઠબંધાનને સફળતા મળી છે.

06 COME ON - IT CANNOT GO WRONG EVERY TIME

અનામતના મુદ્દાને ગુજરાતના પટેલો માટે ચગાવીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમને આંશિક સફળતા મળી છે. તેથી તેઓ તેને હજુ ચગાવી રહ્યા છે. હવે તેઓ રામ મંદિરનો વિવાદ પણ ચગાવવા માટે સજ્જ થયા છે.

આ બધા જ મુદ્દાઓ ઉપર આ ઠગ મંડળ ઉપર વૈચારિક આક્રમણ કરી શકાય તેમ છે.

બીજેપી નેતાઓએ અને દેશના હિતેચ્છુઓએ આને એક ચેલેન્જ તરીકે અને દેશ પ્રત્યેની ફરજ તરીકે સમજીને પ્રત્યાઘાતો આપવા બેહદ જરુરી છે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ ઉપર પ્રહાર કરવા માટેના શસ્ત્રો માટે તમારે એતતકાલિન સમયના બનાવોને જ મદદમાં લેવા જરુરી નથી. કારણ કે નહેરુવીયન કોંગ્રેસનો જન્મ નહેરુએ વડાપ્રધાન થવા માટે મમત રાખી ત્યારથી થયો છે. તમે નહેરુવીયનોના કુકર્મોનો આધાર તે સમયથી લઈ શકો.

શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, જુઠાણા, આક્ર્મણ, કટારીયા, સમાચાર માધ્યમ, કોલમીસ્ટ, સંદર્ભ, મુદ્દા, પ્રત્યક્ષ, પરોક્ષ, બિહાર, ચૂંટણી, નાગરિક, અધિકાર, ઘૃણાસ્પદ, દેશદ્રોહ, વિભાજનવાદી, વિઘાતક, પ્રાંત, રાજ્ય, સ્વાતંત્ર્ય, નોકરી, વ્યવસાય, અરાજકતા, આતંક, હિન્દુ સંહાર, બાહરી, નીતીશકુમાર, મુસ્લિમ લીગ, કોમવાદ, દંગા, નરેન્દ્ર મોદી, મૂક્તિસેના, સ્વાગત, બીજેપી

Read Full Post »

“હું તમારાથી વધારે પવિત્ર છું” ની ગતિ

ઈશુ ખ્રીસ્તે બાયબલમાં કહ્યું કે તારો જમણો હાથ જે (સારું) કામ કરે તેની જમણા હાથને ખબર ન પડવી જોઇએ. આવું ક્યારે બને? જો તમારા જમણા હાથે કરેલું કામ મગજ દ્વારા મન સુધી ન પહોંચે તો. કારણ કે જો મન સુધી પહોંચે તો તે મનોવૃત્તિ ઉપર અસર કરે જ છે. અને જે મનોવૃત્તિ ઉત્પન્ન થઈ તે પણ સ્મૃતિમાં જમા થઈ, એટલે જ્યારે બીજી કોઈ જગ્યાએ વર્તન કરવાનું આવે ત્યારે આ વૃત્તિ મગજ ઉપર નિર્ણય લેવામાં અસર કરે.

કૃષ્ણ ભગવાને આ વાત ગીતામાં સારી રીતે સમજાવી છે. કે તમે જે કર્મ કરો તે અલિપ્ત ભાવે કરો. જો તમે સારા કામો કરો તો તેને અલિપ્ત ભાવે કરો. અને ખરાબ કામો (સમાજના હિત માટે ક્યારેક ક્યારેક વ્યક્તિઓને દંડિત કરવા પડે છે) પણ અલિપ્ત ભાવે કરો. જો કાર્યો અલિપ્ત ભાવે કરવામાં આવે તો તેના સારા અને ખરાબ કર્મો તમારી વૃત્તિઓ ઉપર અસર કરતા નથી.  

આ બાબતનું સચોટ ઉદાહરણ કયું?

જે વેપારી ભાઈઓ છે તેઓ આનું ઉદાહરણ છે. વેપારી ભાઈઓમાં ફક્ત વંશપરંપરાગત રીતે વેપાર કરે છે તેઓ જ આવે એમ નથી. પણ જેઓ સંપત્તિ વધારવાની અને તે વધેલી સંપત્તિ દ્વારા અંગત સુખ સગવડો બીન જરુરી રીતે વધારવાની એક માત્ર વૃત્તિ સાથે કાર્ય કરે છે તે બધા આમાં આવી જાય છે.

જૂના જમાનામાં વેપારીઓ હતા, પણ તેમનામાં આ વૃત્તિ બેફામ ન હતી. અને તેમના ઉપર જે તે જ્ઞાતિના મહાજનોનો થોડો ઘણો અંકૂશ હતો. સમાજરચના પણ એવી હતી કે સ્વાવલંબી એકમોના કદ નાના હતા. અત્યારે આપણે સ્વાવલંબી એકમ તરીકે પૃથ્વીને માનીએ છીએ. તેથી ઉત્પાદકો વેપારીઓ અને વપરાશ કર્તાઓ વચ્ચે સંવાદ જટીલ થયો અને ભાવનાનો લગભગ નાશ થયો. આના મૂળમાં વ્યક્તિ અને સમાન હિત ધરાવતી વ્યક્તિઓની સ્વકેન્દ્રીય વૃત્તિઓ છે.

અમારા મહુવામાં એક શેઠ ઠીક ઠીક પૈસાપાત્ર હતા અને અમુક બાબતોમાં અમુક રીતે પરગજુ હતા. જ્યારે કોઈ પણ મહાનુભાવ મહુવામાં આવે તો તેઓ આગળ પડતા રહેતા. આ શેઠ, તે મહેમાનોની આગતા સ્વાગતામાં જે કંઈપણ ખર્ચ થતો તેનો મોટો ભાગ વહોરવા તૈયાર રહેતા. તેઓ કહેતા પણ ખરા કે આપણે એવું કંઈ નથી કે વૈષ્ણવ સંત આવે તો જ આગતા સ્વાગતા કરવામાં આગળ રહીયે. અમે તો શંકરાચાર્ય આવે તો તેમાં પણ ખર્ચામાં પાછા ન પડીએ. બસ આપણું નામ રહેવું જોઇએ. એટલે કે જે કાર્ય થાય તેની પાછળ નામ જાહેર થવું જોઇએ.

આનો અર્થ એ થયો કે સારા કર્મો પાછળ કીર્તિ મેળવવાની વૃત્તિ હોય છે. તેથી સારું કામ કર્યું તો પણ મન સુધરતું નથી અને બીજા કામોમાં બીજાને નુકશાન થાય તેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવું હોય એટલે વ્યક્તિ પોતાના કામમાં અનીતિ આચરશે.

કર્મની લિપ્તતાનું બીજું સ્વરુપ

કર્મની લિપ્તતાનું બીજું એક ઉદાહરણ છે. સારું કામ કરો અને બીજાને કહેતા રહો કે મેં આ કર્યું અને મેં તે કર્યું. અલબત્ત તમે સારું કામ કર્યું પણ તેથી જો તમારું મોઢું ફુલી જાય તો સારા કામ નું ફળ ન મળે.  કારણ કે ઘણીવાર એવું પણ બને કે જ્યારે તમને અન્યાય થયો હોય તેવું લાગે. આવે સમયે તમારી કાર્ય કુશળતા ઉપર અસર થાય છે. અને તમે થોડા ઘણા નિસ્ક્રીય થઈ જાઓ છો. નિસ્ક્રીય થવાથી તમે જે કીર્તિ મેળવી હોય તે ઝાંખી પડીને નષ્ટ થાય. તમારી આસપાસ તમારી સાથે કામ કરતી વ્યક્તિઓ બદલાતી રહે છે. નવી વ્યક્તિઓ તો તમારું વર્તમાન કામ જ જુએ છે. તમારી સાથે કામ કરતી જે વ્યક્તિઓ બદલાઈ તે પણ તમારી વર્તમાન કાર્યશીલતાને જોશે અને તમારી જુની કાર્યશીલતાને  ભૂલી જશે. ટૂંકમાં સારું કાર્ય કર્યાનું અભિમાન તમારે માટે ખરાબ પરિણામો લાવશે.

શું પોતાના કરેલા સારા કર્મો કહેવા જ નહીં?

હાજી. તમારે તમારા સારા કર્મો કહેવા જ નહીં. તમારા સારા કર્મો બીજા લોકો કહેશે. ધારો કે બીજા લોકો કહી શકે તેવી સ્થિતિમાં ન હોય તો? તેવી સ્થિતિમાં જો તમને વાંકમાં લેવામાં આવે તો જે વ્યક્તિ/વ્યક્તિઓ તમને વાંકમાં લે છે તેની ગેરસમજણ દૂર કરવા તમે તેને અલિપ્ત ભાવે કહો, જેથી સામેની વ્યક્તિઓને સુધરવાની તક મળે

શું બીજી વ્યક્તિને સુધારવી એ આપણું કર્તવ્ય છે?

બીજી વ્યક્તિને સુધારવાનું આપણું કર્તવ્ય નથી. પણ આપણો બચાવ કરવો અને તે પણ માહિતિ અને દલીલ સાથે બચાવ કરવો એ સમાજના હિત માટે જરુરી છે. તેવીજ રીતે સામેની વ્યક્તિના દોષોને જરુર પડે ત્યારે માહિતિ અને દલીલ સાથે જણાવવા જોઇએ.

રાજકારણમાં શું થાય છે?

જો કે આ સવાલની પાછળના હેતુઓ વિવાદાસ્પદ હોઈ શકે. પણ તેના વિવાદાસ્પદપણાને લીધે અવગણી ન શકાય. રાજકારણીઓનો વ્યક્તિગત રીતે રાજકારણમાં રહેવાનો ગમે તે હેતુ હોય પણ રાજકારણ બધે જ હોય છે. ફક્ત જનપ્રતિનિધિઓના કર્તવ્યને રાજકારણ ગણવું તે બરાબર નથી. વ્યાપક ચર્ચાને વધુ લાયક કોઈ વિષય હોય તો તે આ જનપ્રતિનિધિઓને લગતું રાજકારણ જ છે.

હાલના જનપ્રતિનિધિઓ બધાજ વિષયોમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે જનતાએ તો તેની ચર્ચામાં ભાગ ભજવવો જ જોઇએ. અને જરુરી ટીકાઓ કરવી જ જોઇએ. જનતા આવું કરે તો જ જે તે રાજકારણીઓ જેમને સુધરવાની ઈચ્છા છે તેઓ સુધરી શકે છે. રાજકારણીઓ પોતાનો પક્ષ બનાવીને જો કાર્ય કરતા હોય તો પક્ષને પણ વ્યક્તિ માનીને તેને સુધરવાની તકનો દીશા નિર્દેશ કરવો જોઇએ.

જનતામાં રહેલી ભિન્નતા

જનતા તો ભિન્ન ભિન્ન ક્ષેત્રોવાળી છે, ભિન્ન ભિન્ન હેતુઓ વાળી હોય છે, વિચારો પણ ભિન્ન ભિન્ન હોય છે અને અભિપ્રાયો પણ ભિન્ન ભિન્ન હોય છે, તો પ્રજામાં એક મતિ કેવીરીતે આવે અને સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય કેવી રીતે નક્કી કરી શકાય?

તર્ક શાસ્ત્ર એક જ છે. વિજ્ઞાનમાં પણ ઘણા ક્ષેત્રો છે. અને તેના હેતુઓ પણ જુદા જુદા છે. છતાં પણ વૈજ્ઞાનિકોનીવચ્ચે એવો સંઘર્ષ નથી કે વૈજ્ઞાનિકો હુલ્લડો કરવા ઉપર આવી જાય. કારણ કે તેમના તર્કના સિદ્ધાંતો એક સરખા છે. એટલે મૂળવાત તર્ક ઉપર છે. તર્ક પોતે, માહિતિઓ, પ્રયોગો અને તેના દ્વારા મળેલા પરિણામો ઉપર આધાર રાખે છે. અને તે પ્રમાણે તારણો કાઢવામાં આવે છે. આ તારણો દ્વારા વિદ્યાનો (ટેક્નોલોજી) અને જ્ઞાનનો વિકાસ થાય છે.

સમાજશાસ્ત્ર પણ એક શાસ્ત્ર અને તેનો વિકાસ તેજ રીતે જ થવો જોઇએ

જેઓ રાજકારણને અસ્પૃષ્ય માનતા નથી અને રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરતા નથી તેઓ જ સમાજશાસ્ત્રનો અને સમાજનો વિકાસ સાચી દિશામાં કરી શકે. આ લોકોને જ આપણે સમાજશાસ્ત્રી કહી શકીએ.

રાજકારણમાં હોદ્દાઓમાં ભાગબટાઈ કરનારા પણ સમાજશાસ્ત્રનો વિકાસ કરી શકે છે. પણ વાસ્તવમાં તેઓ પ્રયોગો કરનારા હોય છે. અને સમાજશાસ્ત્રમાં તેઓ એક ઉપકરણ પણ હોય છે. તેથી તેઓએ પોતે કરેલા પ્રયોગો ઉપર અને તારવેલા સિદ્ધાંતો ઉપર સ્વિકૃતિની મહોર તો સમાજશાસ્ત્રીઓએ જ મારવી જોઇએ.

જનતાની સ્થિતિ

સમાજ શાસ્ત્રનું એક પરિબળ સમાજની વ્યક્તિઓ પણ છે અને જે કંઈપણ નિર્ણયો લેવાય તે જનતા  ઉપર અસર કરે છે તેથી કોઈપણ વાત જનતાથી છાની રાખી શકાય નહીં. સમાજની વ્યક્તિઓ પણ માહિતિનો એક સ્રોત છે અને તેમના પ્રતિભાવો અને ભાવનાઓ  પણ એક જાતની માહિતિ છે.

આ પ્રમાણે જેઓ જનપ્રતિનિધિઓ છે તેમને જનતાએ કોરોચેક આપ્યો નથી કે ન તો કોરી ગીતા કે મનુસ્મૃતિ આપી. તેઓ ફાવે તેમ વર્તી ન શકે. આ જનપ્રતિનિધિઓને, સમાજશાસ્ત્રી કે સમાજસુધારક અન્ના હજારે જેવા પુછે તો આ પ્રતિનિધિઓ એમ ન કહી શકે કે “જનતાના પ્રતિનિધિઓ તો અમે છીએ. તમે કોણ છો અમને પૂછનારા?” વાસ્તવમાં જનપ્રતિનિધિઓ સમાજ શાસ્ત્રીઓ છે જ નહીં. તેઓ તો પ્રયોગો કરનારાઓ ઉપર નજર નાખનારા ચોકીદાર છે. પ્રયોગ કરનારા તો સરકારી નોકરો છે. અને પ્રયોગોમાં સુધારા સૂચવનારા સમાજશાસ્ત્રીઓ છે. આ સમાજશાસ્ત્રીઓ જાહેરમાં ચર્ચાઓ કરશે અને પ્રજાની સ્થિતિનો ક્યાસ કાઢશે, તેની અનુભૂતિઓને લક્ષ્યમાં લેશે. પદ્ધતિમાં જરુરી ફેરફારોની એક બ્લ્યુપ્રીંટ બનાવશે. અને પ્રજા સામે “ખરડાના સ્વરુપમાં” રજુ કરશે. જે પક્ષ પોતાને સમાજશાસ્ત્રીઓનો સમૂહ માનતો હોય, તે પોતાને યોગ્ય લાગે તે સુઝાવને “કાયદાકીય સ્વરુપની ભાષામાં બદ્ધ”  પ્રસ્તાવ (ખરડાના) ના સ્વરુપમાં પ્રજા સમક્ષ (મતદાર મંડળો સમક્ષ) રજુ કરશે અને જાહેર મંચ ઉપર ચર્ચા કરશે.. આ બધું ત્યારે જ બને જ્યારે મતદાર મંડળો બને અને તે પણ ક્યારે કે જ્યારે આ મતદાર મંડળોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હોય તો.

સમાજસુધારો ફક્ત પ્રચાર નથી.

સમાજમાં સુધારાની વાત પ્રચારની નથી પણ ચર્ચાની છે. તેથી પ્રચાર વગરની ચર્ચા થવી જોઇએ.  આવી ચર્ચા એક મંચ પર થવી જોઇએ. આવા મંચ દરેક મતદાન મથકમાં હોવાં જોઇએ. અને તેનું સંચાલન અધિકૃત અધિકારી પાસે હોવું જોઇએ. જે દરેકને પોતાનો અભિપ્રાય મુકવાની છૂટ આપે. સમગ્ર કાર્યવાહીની સંપૂર્ણ નોંધ રાખે અને પછી સૂચિત ખરડા ઉપર મતદાન કરીને તેનો આલેખ ઉપરના સ્તર ઉપર મોકલી આપે. (આ વાત આપણે  “नरेन्द्र मोदी जब प्रधान मंत्री बन जाय, तब भारतीय जनता उनसे क्या अपेक्षा रखती है” ની લેખમાળામાં વિસ્તારથી કરી છે).

આવી જોગવાઈઓ બંધારણ દ્વારા ન થાય અને રાજકારણમાં વૈચારિક બળને બદલે પૈસાના અને પાશવિક બળો જો કામ કરતા હોય ત્યારે જો કોઈ એમ માને કે અમે તો પવિત્ર છીએ અને રાજકારણ તો અપવિત્ર છે તેથી તેનાથી અમે અલિપ્ત રહીશું તો તેઓ પોતાની ફરજ ચૂકે છે. હા એ જરુર મંજુર છે કે આ તમારો વિષય નથી અને તેથી જ તમે તેનાથી દૂર રહેવા માગો છો. પણ તો પછી તમે સમાજની સ્થિતિ વિષે બળાપો કરવાનો અધિકાર પણ ગુમાવો છો.

જેઓ સામાન્ય અથવા અસામાન્ય છે અને તેઓ ચર્ચા કરવા માગે છે અને અથવા સમાજશાસ્ત્રી પણ છે અને જનપ્રતિનિધિ પણ બનવા માગે છે તેમણે શું કરવું જોઇએ?

આવા લોકોની ચર્ચા હમેશા મુદ્દા અને માહિતિ સભર હોવી જોઇએ

જેમકે નહેરુવીઅન કોંગ્રેસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીને કોમવાદી કહે છે. તેના સમર્થનમાં તેઓ તેનો આરએસએસ સાથેનો સંબંધ કહે છે. તો સવાલ એ થાય કે આર એસ એસ કેવી રીતે કોમવાદી છે? આરએસએસના કયા ઉચ્ચારણો અને કઈ માન્યતાઓ તેમને કઈ રીતે કોમવાદી ઠેરવે છે? ઉચ્ચારણો ઉપર ચર્ચા થવી જોઇએ. માન્યતાઓની ગુણવત્તા ઉપર ચર્ચા થવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય તો તેની વિગતો અને આધારો ઉપર ચર્ચા થવી જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ સામેથી બીજેપીને ભ્રષ્ટાચારી કહે તો તેથી કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારનો બચાવ થઈ જતો નથી. જો કોંગ્રેસીઓ, બીજેપીના કોઈ એક ભૂતપૂર્વ નેતાના ભ્રષ્ટાચારને સો વખત બોલે એટલે તેના સો ભ્રષ્ટાચાર થઈ જતા નથી.

આમઆદમી પક્ષ

બીજેપી જો એમ કહે કે આમઆદમી પક્ષે કહેલ કે અમે કોઈ ભ્રષ્ટાચારી પક્ષને સમર્થન કરીશું નહીં અને તેમનું સમર્થન લઈશું નહીં. નહેરુવીયન કોંગ્રેસે તેને શરતો વગરનું સમર્થન કર્યું. તે ખોટું કર્યું તો બીજેપીની આ વાત બરાબર નથી. કારણ કે જે સમર્થન આપ્યું છે તે શરતો વગરનું છે. જો આમઆદમી પક્ષને સારા હેતુ માટે શેતાન મદદ કરતો હોય તો તે મદદ જરુરી હોય અને તે મદદના અભાવમાં સારું કામ થઈ શકતું ન હોય તો સમર્થન લેવું અને શેતાનના ખાતામાં પણ આ સારા કામને જમા કરવું. જોકે એ વાત જુદી છે કે આ શેતાને ભૂતકાળમાં દરેક વખતે દગો કર્યો છે. પણ આ શેતાનની સાથે શું વ્યુહ રચના રાખવી તે આમઆદમી પક્ષની હોંશીયારી ઉપર છોડી દેવું.

આમઆદમી પક્ષ પોતાના સિવાય બધા પક્ષોને ભ્રષ્ટ કહે તે વાત પણ બરાબર નથી. જ્યાં સુધી એફ આઈ આર ન નોંધાય, કોર્ટને પ્રાથમિક માહિતિ વિશ્વસનીય ન લાગે, કોર્ટ અરોપનામું ન પાઠવે અને સજા ન કરે ત્યાં સુધી ત્યાં સુધી આરોપીને કાયદેસર રીતે ભ્રષ્ટ ન જ કહેવાય. પણ તેની ઉપરના આરોપોની ગુણવત્તા ઉપર ચર્ચા કરી શકાય.

દિલ્લીની વિધાનસભામાં ચૂટાઈને આવેલા બધાજ પ્રતિનિધિઓને એટલા જ કારણસર ભ્રષ્ટ ન કહી શકાય કે તેમના પક્ષને આપણે ભ્રષ્ટ કહ્યો છે. આ બધા બંધારણીય રીતે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ જનતાના પ્રતિનિધિઓ છે. તેઓ પક્ષના પ્રતિનિધિઓ નથી. આનું કારણ એ છે કે જનતાએ તેમના નામ સામે મત આપ્યા છે. પક્ષે તો તેમને પ્રસ્તૂત કર્યા છે. આ પ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ જનતા સાથે છે. પક્ષ સાથે નથી.

જનતાના બંધારણીય હક્કોનું જનહિતમાં અર્થઘટન

જોકે સંસદે એક ખરડો પાસ કરીને જનપ્રતિનિધિઓને પક્ષને વફાદાર રહેવાનું સૂચવ્યું છે. આ વાત વ્યક્તિના બંધારણીય હક્કની વિરુદ્ધ જાય છે. સંસદ, કોર્ટ, પક્ષ કે જનતાનો અમુક વર્ગ આ વાત ન સમજે પણ આમઆદમી ના કેજરીવાલે આ વાત સમજવી જોઇએ. ભારતીય બંધારણ આ પ્રતિનિધિને “જનપ્રતિનિધિ” કહે છે. પણ પક્ષ કહે છે કે અમે તેને પ્રસ્તૂત કર્યો છે તેથી અમે તેને પદભ્રષ્ટ કરી શકીએ. આ વાત તો એવી થઈ કે તમે એક એજન્સીને કહ્યું કે તમે અમને ચોકીદાર આપો. તેણે આપ્યો. તમે મંજુર કર્યો. તમે તેને પગાર અને સવલતો આપવાનું પણ શરુ કર્યું. પણ તમને લાગ્યું કે આ ચોકીદાર વિશ્વસનીય નથી. આ એજન્સીના ઘણા જ ચોકીદારો અવિશ્વસનીય નિકળ્યા. છતાં પણ એજન્સી કહે છે કે ના અમે તેમને નિલંબિત નહીં કરીએ. વાસ્તવમાં ચોકીદારને નોકરીએ રાખ્યો તેની સાથે જ તેને નિલંબિત કરવાનો જનતાનો અધિકાર આવી જાય છે. પક્ષ કહે છે બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તેથી તમે એવું કરી ન શકો. જો કે આ માનવીય હક્કની વાત છે. જે ચૂંટે છે, જે તેને પગાર આપે છે તેની પાસે તેને દૂર કરવાનો અધિકાર આપોઆપ આવી જાય છે. જોકે તેને માટે કોઈ પ્રક્રિયા બંધારણમાં નથી. કોઈ ન્યાયાધીશ એવો થયો નથી કે આવું અર્થઘટન કરી બાંધી મુદતમાં પ્રક્રિયા ઘડવાનો આદેશ આપે. પણ જો મતદારો અધિકૃત અધિકારી કે ન્યાયધીશ પાસે જઈને એફીડૅવીટ કરીને આપે કે અમને અમારા આ પ્રતિનિધિમાં વિશ્વાસ નથી અને જો આ ટકાવારી કુલ મતદારોના ૫૦ટકા થી સહેજ વધુ હોય તો ન્યાયાલય તેને બરતરફના હુકમ કરી જ શકે.

બેફામ આક્ષેપો

પણ હાલ આવું કરવામાં આવતું નથી. આ પરિસ્થિતિમાં પક્ષના નેતાઓને બેફામ આક્ષેપો કરવાનો પરવાનો મળી ગયો એવું તેઓ માને છે.

મજાની વાત એ છે કે જેની પાસે કેન્દ્રમાં સત્તા છે અને જેની ફરજ છે કે સમાજમાં થતા વ્યવહારોમાં ક્યાં ચૂક થાય છે તેનું ધ્યાન રાખે. તેટલું જ નહીં જે અધિકારીએ ચૂક કરી તેની ઉપર કામ ચલાવે. પણ આ સત્તાધારી પક્ષના નેતાઓ પહેલાં આરોપ મુકવાનું કામ કરે છે અને તેને માધ્યમો દ્વારા જાહેરમાં બદનામ કરવાનું કામ કરે છે.

જેના ઉપર આરોપ મુકવામાં આવ્યો હોય અને તપાસ ચાલુ હોય તે માહિતિના અધિકારમાં આવતું નથી. જ્યારે અહીં તો આરોપોને આધાર માની વ્યક્તિ/પક્ષને બદનામ કરવામાં આવે છે. આમ જુઓ તો કેન્દ્ર સરકારે રાજ્યોની કાર્યવાહી ઉપર નજર રાખવાની ફરજ અદા કરવાની હોય છે. આ કેન્દ્ર સરકાર એક તો પોતે પોતાની ફરજમાં ચૂકે છે અને રાજ્ય સરકાર ઉપર આરોપ મુકે છે. બંધારણ તો આ નહેરુવીયન કોંગ્રેસ સરકારે જ ઘડ્યું છે. પણ સમાચાર માધ્યમો મુદ્દા ઉપરની ચર્ચાઓ ટાળે છે અને બદનામી અને ધારણાઓની વાતોને ચગાવે છે.

જો સરકાર ચલાવતા પક્ષો અને તેને વેચાયેલા સમાચાર માધ્યમો મુદ્દાની વાત બાજુપર રાખી લૂલીને લગામ ન રાખે તો તેનો પ્રતિભાવ પણ સામે પક્ષે એવો જ મળશે. જેઓ નરેન્દ્ર મોદીને મૌતકા સોદાગર, ગોડસે, ખૂની, હિટલર, વાંદરો, ફેંકુ, મકોડો, ઉંદર, કાકીડો, ગરોળી, દેડકો, ચાવાળો વિગેરે વિગેરે  પોતાની આત્મતુષ્ટિ માટે કહે છે તેઓને વાસ્તવમાં દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું. આ લોકો નરેન્દ્રમોદીના દરેક પગલામાં રાજકારણ જુએ છે અને નરેન્દ્ર મોદીને નિમ્નસ્તરનો આલેખવાની કોશિસ કરે છે. તમે સમજી લો કે આ લોકોએ પોતાને સુધરાવાની લાયકાત ગુમાવી દીધી છે

શિરીષ મોહનલાલ દવે

smdave1940@yahoo.com

smdave1940@gmail.com

http://ww.treenetram.wordpress.com

ટેગ્ઝઃ મતદાર, મંડળ, જનપ્રતિનિધિ, અલિપ્ત, કર્મ, મનોવૃત્તિ, નહેરુવીયન, કોંગ્રેસ, બીજેપી, નરેન્દ્ર મોદી, આમઆદમી, પક્ષ, કેજરીવાલ, ભ્રષ્ટ, ભારતીય બંધારણ, હક્ક, ઉત્તરદાયિત્વ, મહેનતાણુ, વિશ્વસનીય, મુદ્દા, ગુણવત્તા, ચર્ચા, સમાન મંચ, પ્રસ્તાવ

Read Full Post »

પક્ષ એટલે શું?

પક્ષ આમતો સમાન વિચાર અને તે પ્રમાણે આચાર કરવાવાળાઓનો સમૂહ તેને પક્ષ કહેવાય. આ આચાર, સમાજની ઉર્ધ્વ ગતિ માટે હોય છે.

સમાજ સુરક્ષિત જીવન શૈલી અપનાવી સુખ શાંતિ થી જીવતાં જીવતાં શારીરિક, માનસિક અને બૌધિક રીતે પ્રગતિ કરતો થાય તે માટે  અનેક રસ્તાઓ હોય છે. રસ્તાઓની પસંદગી કે નિસ્પત્તિ વિચારોને આધિન હોય છે. એટલે જે લોકોના વિચારો મળતા આવતા હોય તેઓ એક પક્ષના કહેવાય. જો તેઓ ભેગા થઈને આયોજનબદ્ધ કામ કરવા તૈયાર થાય તો તેમને એક પક્ષ કહી શકાય. તેનું તેઓ નામકરણ કરે છે.

સરકારઃ ઉપરોક્ત હેતુ માટે આ પક્ષ એક પેટા જુથ રચે છે. તેનું કામ હેતુઓને સાધ્ય કરવા માટે પ્રણાલીઓ સ્થાપિત કરવાનું, પ્રણાલીઓને ચાલુ રાખવાનું અને જરુર પડે પ્રણાલીઓમાં ફેરફાર કરવાનું હોયછે.

માધ્યમો એટલે કે સમાચાર માધ્યમો અને મૂર્ધન્યો એટલે કે જે વર્ગ ઉપરોક્ત જુથમાં જોડાયો છે અથવા નથી, પણ જેનું કામ પરિસ્થિતિ ઉપર નજર રાખવાનું, તેમના કામોનું, તેમની પ્રણાલીઓનું અને પરિણામોનું વિશ્લેષણ કરવાનું, પ્રજાને માહિતગાર રાખવાનું અને પોતાની વિદ્વત્તા અનુસાર સૂચનો કરવાનું કરવાનું હોય છે તેઓ આકામ પોતાની કટારો દ્વારા કરેછે.ીટલે કે આ કામ તંત્રીમંડળ  અને કટાર લેખકો કરતા હોય છે. તે સૌને આપણે મૂર્ધન્યો કહીશું. જો કે પ્રણાલીગત રીતે સાહિત્યકારોને મૂર્ધન્ય કહેવાય છે. સમાચાર માધ્યમના લેખકો પણ આમ તો સાહિત્યનો એક ભાગ કહેવાય એટલે તેમને પણ મૂર્ધન્ય તો કહી  જ શકાય, પછી ભલે વિદ્વત્તા કે તર્ક ઓછા વત્તા પ્રમાણમાં હોય કે ન પણ હોય. પણ એક વખત કટાર રુપી જાગીર મળી ગઈ એટલે ગુણજ્ઞ થઈ ગયા.

પક્ષ માટે આચાર સહિતનો વિચાર મહત્વનો હોય છે. દરેક દેશને પોતાનું બંધારણ હોય તે પ્રમાણે પક્ષને પણ બંધારણ હોય છે. જો પક્ષ લોકશાહીમાં માનતો હોય તો તેનું બંધારણ લોકશાહીવાદી હોય છે.

પણ લોકશાહી એટલે શું?

વિચારોની મૂક્તતા, સત્યનો આદર અને પારદર્શિતા એ લોકશાહીના પાયા તો ગણાય પણ જન પ્રતિનિધિત્વ અને ભાગીદારી પણ તેનું એક અંગ હોવું જોઇએ એમ મનાય છે.

પક્ષની અંદર શું હોય છે?

પક્ષના સદસ્ય, ડેલીગેટસામાન્ય સભા, કારોબારીપક્ષીય ઉચ્ચસત્તા મંડળ કે મોવડી મંડળ અને પક્ષ પ્રમુખ આ બધાના સમન્વયથી એક પક્ષ બનેલો હોય છે. 

સમાન વિચારો વાળા લોકો ભેગા થાય. પણ આ બધા તો લાખોની સંખ્યામાં હોય. જુદી જુદી જગ્યાએ હોય. વિચારોના આદાન પ્રદાનમાં ભૌગોલિક મુશ્કેલીઓ પડે. સમય પણ ફાળવવો મુશ્કેલ પડે. એટલે આ સૌ છૂટક છૂટક ભૌગોલિક સ્થાનોમાં ભેગા થાય. સૂચિત મુદ્દાઓ વિષે ચર્ચા કરે અને પોતાના પ્રતિનિધિઓને મોકલી કેન્દ્રસ્થ જગ્યાએ મોકલી આપે છે. આ પ્રતિનિધિઓ “ડેલીગેટ” કહેવાય છે. આઆ ડૅલીગેટોની સભાને સામાન્ય સભા કહે છે. આ સભા પાસે નીતિ વિષયક સત્તા સહિતની પક્ષ ચલાવવા માટેની બધી સત્તા હોય છે. આ ડેલીગેટ પક્ષ પ્રમુખ ચૂંટે. અને કારોબારીના સભ્યોને પણ ચૂંટે છે. આ કારોબારીને પક્ષની વર્કીંગ કમીટી પણ કહેવાય છે. પક્ષ પ્રમુખ, પક્ષના સઘળા કારોબાર માટે જવાબદાર ગણાય. તેથી તે પોતાને મનપસંદ એવા અમુક સભ્યો પોતાની કારોબારીમાં નીમે. આ કારોબારીને અથવા તેણે નીમેલી એક ઉચ્ચ સ્તરીય મંડળીને હાઈ કમાન્ડ કહેવાય છે.

સામાન્ય ચૂંટણીઓ

પક્ષ પોતાના વિચારો જનતા સમક્ષ લઈ જાય. પક્ષ પોતે શું કરવા માગે છે અને કેવી રીતે કરશે તે વાતોના મુદ્દાઓ લઈને અને કઈ વ્યક્તિઓ આ વિચારોને અમલમાં મુકશે તે માહિતી જનતા સમક્ષ મુકીને ચૂંટણીમાં ઝંપલાવે છે.            

જનતાની વ્યક્તિઓમાં અમુક મત આપવા જાય અને અમુક મત આપવા ન જાય. જેઓ મત આપવા  જાય તેમના મતો જેઓએ જુદા જુદ પક્ષોને જે પ્રમાણમાં મત આપ્યા છે, તે પ્રમાણ અનુસાર ગણવામાં આવે છે.

એટલે કે ૧૦૦ મતદારો હોય. પણ ૬૦ વ્યક્તિઓ જ મત આપવા જાય.

ક”ને ૩૦ વ્યક્તિ મત આપે,

ખ”ને ૨૦ વ્યક્તિ મત આપે,

ગ”ને ૧૦ વ્યક્તિ મત આપે.

તો

ક” ને ૫૦ મત ગણ્યા કહેવાય,

ખ”ને  ૩૩ મત મળ્યા ગણાય,

ગ”ને ૧૭ મત મળ્યા ગણાય.

પછી ભલે જે ૪૦ વ્યક્તિ મત આપવા ન ગઈ હોય અને તેમની પસંદ ગીની વ્યક્તિ “ગ” હોય.

મરજીયાત મતદાનની  પ્રમાણસરના જનપ્રતિનિધિત્વની  ત્રૂટી છે.

મંત્રીમંડળ અને વહીવટી સરકારઃ

આ પ્રતિનિધિઓને જનતાએ તેમના વિચારો, યોગ્યતા અને આવડત પ્રમાણે ચૂંટ્યા હોય છે એવું માનવામાં આવે છે. એટલે જે પક્ષ ને વધુ બેઠકો મળે તે પક્ષને તેના વિચારોની  જનતાની પસંદગી ગણવામાં આવે છે. આ જન પ્રતિનિધિઓ પોતાનો નેતા ચૂંટે છે અને આ નેતા પોતાને મદદ કરવા પોતાના ચૂંટાયેલાઓમાંથી સાથીઓ પસંદ કરે છે. આ મંડળીને મંત્રી મંડળ કહેવાય છે.

જનપ્રતિનિધિઓએ પ્રજાના સંપર્કમાં રહેવાનું હોય છે અને તેનો અવાજ મંત્રી મંડળને પહોંચાડવાનો હોય છે. જનતાએ કર દ્વારા આપેલા પૈસાના ભંડોળ માંથી આ પ્રતિનિધિઓને મહેનતાણું ચૂકવવામાં આવે છેકારણ કે તેઓને જનતાએ ચૂંટ્યા છે. વળી તેમને વિશેષ સગવડો, સત્તાઓ અને અધિકારો આપવામાં આવે છે. આ બધું “વહીવટ” એમ ગણવામાં આવતું હોવાથી જનપ્રતિનિધિ મંડળ જ સત્તાઓ અને મહેનતાણા નક્કી કરી લે છે.

આ બધી વાતો તો પક્ષ અને દેશના બંધારણ પ્રમાણેની જોગવાઈઓને આધારે થઈ ગણાય.

કોણ મોટુંપક્ષ પ્રમૂખ કે સંસદનો નેતા?

 બાબતમાં ભલભલા મૂર્ધન્યોએ ગોથાં ખાધા છે અને ખાય છે.

જે એલ નહેરુ પક્ષ પ્રમુખ અને સંસદીય નેતા એ બંને પદો ભોગવતા હતા ત્યાં સુધી આ મુદ્દો કોઇ ખાસ સમસ્યા બન્યો ન હતો. સંસદીય નેતાએ પક્ષીય કારોબારીના નિર્ણયને માન્ય રાખવાનો હોય છે. રાજેન્દ્ર પ્રસાદ ને બીજી મુદત માટે રાષ્ટ્ર પતિ બનાવવાનો નિર્ણય પક્ષીય કારોબારી એ કર્યો હતો.  કારણ કે કોઈપણ નિર્ણય કરવા માટે પ્રણાલી હોય છે. પક્ષીય કારોબારી પાસે સત્તા હોય છે અને કારોબારીએ પ્રણાલીને અનુસરીને નિર્ણય કર્યો. એટલે સંસદના નેતાએ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને મંજુરીની મહોર મારવી જ પડે. નહેરુને આ નિર્ણય ખાસ પસંદ ન હતો તો પણ તેમણે માન્ય રાખેલો. 

ઈન્દીરા ગાંધીના સમયમાં  આવો બીજો પ્રસંગ બન્યો. કોંગ્રેસની પક્ષીય કારોબારીએ સંજીવ રેડ્ડીને રાષ્ટ્રપતિ બનાવવાની ભલામણ કરી. સંસદીય નેતા તરીકે ઈન્દીરા ગાંધીએ સંજીવ રેડ્ડીની અરજીમાં પ્રણાલી અનુસાર ભલામણની સહી કરી.

ઈન્દીરા ગાંધીને તો પોતાના પિતાશ્રીની જેમ બધા જ “હાજી હા” કરનારા જોઇએ. જે એલ નહેરુએ તો સ્વતંત્રતાની ચળવળમાં લોકશાહીની દુહાઈઓ ગાયેલી. એટલે જે મોઢે લોકશાહીના ફાયદાના રસગુલ્લા ખવડાવ્યા હોય તે મોઢેથી કોલસા કેવી રીતે ખવાય? પણ ઈન્દીરા ગાંધીને એવું કશું બંધન હતું નહીં. એમની એવી કોઈ પાર્શ્વ ભૂમિ પણ હતી નહીં. નાગાને નાહવું શું અને નીચોવવું શું?.

ઈન્દીરા ગાંધીને “હાજી હા” કરનારા મંત્રીઓ તો જોઇએ જ પણ રાષ્ટ્રપતિ પણ હાજી હા કરનારા જોઇએ. પણ જો પક્ષ પ્રમુખ હાજી હા કરનારા ન હોય તો રાષ્ટ્રપતિ હાજી હા કરનારા કેવી રીતે મળે? પક્ષ પ્રમુખ નિજલિંગપ્પા હતા. તેઓ સીન્ડીકેટના સભ્ય હતા. સીન્ડીકેટ એ એક નહેરુએ બનાવેલું જુથ હતું.  આ જુથના સભ્યો વગવાળા અને વર્કીંગ કમીટીમાંના સદસ્યો પણ હતા. ઈન્દીરાગાંધીને વડાપ્રધાન પદે આરુઢ કરનારા પણ આજ લોકો હતા. એટલે જ્યાં સુધી ગરજ હતી ત્યાં સુધી ઈન્દીરા ગાંધીએ “ગુંગી ગુડીયાનો રોલ ભજવ્યો. પછી તેમણે જોયું કે સામ્યવાદીઓની મદદથી સંસદમાં કામચલાઉ બહુમતિ તો લવાય પણ તે લાંબી ચલાવી ન લેવાય. તેવે વખતે રાષ્ટ્ર પ્રમુખ કહ્યાગરો હોય તો કામમાં આવે.

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંસદના સભ્યો અને વિધાન સભાના સભ્યો કરે છે. તેમને પોતાના મતનું વજન હોય છે અને વજન પ્રમાણે મત ગણાય છે. રાજ્યની મતદારોની સંખ્યાને  રાજ્યના સંસદસભ્યોની સંખ્યાથી ભાગવામાં આવે અને જે સંખ્યા આવે તે તેનું વજન અથવા મત ગણાય. વળી તેમાં પહેલી અને બીજી પસંદગી હોય. એટલે જો પહેલી પસંદગીના મતો માં ૫૧ ટકા મત ન મળ્યા હોય તો બીજી પસંદગીના મતો પણ ઉમેરવામાં આવે. ઈન્દીરાગાંધીએ જોયું કે જો ક્રોસવોટીંગ થાય તો પોતાની પસંદગીનો ઉમેદવાર જીતે. એટલે તેમણે મજુરનેતા ગણાતા વીવી ગિરિ ને પોતાના અકથિત ઉમેરવાર તરીકે ઉભારાખ્યા. કોંગ્રેસના ઉમેદવાર તો સંજીવ રેડ્ડી હતા. અને વિપક્ષના સીડી દેશમુખ હતા.

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પક્ષ ઉપર આધારિત હોવી જોઇએ કે નહીં? ઈન્દીરા ગાંધીએ આત્માના અવાજપૂર્વક મત આપવો એવો પ્રચાર વહેતો મુક્યો. મીડીયાએ આ પ્રચાર ચગાવ્યો. ગુજ્જુ કે અંગ્રેજી અખબારોએ આ ચર્ચા શાસ્ત્રીય માર્ગે ન ચલાવી પણ અત્યારે જેમ કેશુભાઈના ઉચ્ચારણોને વ્યાપક પ્રસિદ્ધિ આપીને એક પક્ષને વિભાજીત કરવાના કારસામાં અખબારો ફાળો આપે છે તેમ કોણ કોણ આત્માના અવાજપ્રમાણે મત આપશે તેને વધુ પ્રસિદ્ધિ અને કવરેજ આપવામાં આવતું. જોકે આત્માનો અવાજ એટલે શું, તે જાહેર કરવો એટલે શું,  તેના ધારા ધોરણો શું, તેના હેતુઓ શું, તેનો વ્યાપ શું … વિગેરે કોઈ શાસ્ત્રીય ચર્ચા કરવાનું બધાજ મૂર્ધન્યોએ ટાળ્યું.

મુદ્દાઓ તો ઘણા છે.

જો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પક્ષના આધાર પર ન હોય તો એવી પ્રણાલી શા માટે કે તેનું નામાંકન પક્ષીય નેતા કે સભાના જનપ્રતિનિધિ તરફથી કરવું જોઇએ? જો ગુપ્ત મતદાન થતું હોય તો કોઈપણ પક્ષ “ફલાણો” અમારો ઉમેદવાર છે એવું જાહેર કેવી રીતે કરી શકે? રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે પક્ષમાંથી રાજીનામું અને ઉમેદવારી પત્રક રજુ કરવા વચ્ચે કેટલો સમય હોવો જોઇએ? તેટલો જ સમય શા માટે? તેનો આધાર શો? વિગેરે વિષે ચર્ચા થવી જોઇએ.

સરકારી નિયમ પ્રમાણે એક નોટીસ પીરીયડ હોય છે. તે નોટીસ પીરીયડ શા માટે હોય છે? એ નોટીસ પીરીયડ અને તે પદ્ધતિ અહીં પણલાગુ પડવી જોઇએ. કારણ કે કોઈ હોદ્દાની રુએ મૂળભૂત જોગવાઈઓવાળી પ્રણાલી માં ફેરફાર કરી શકાય નહીં. જેમકે નોટીસ પીરીયડ ત્રણ માસનો હોય તો તે દરમ્યાન એ ચકાસવામાં આવે છે કે વ્યક્તિ કોઈ વિવાદોમાં સંડાવાયેલો છે કે નહીં? તેની આર્થિક સત્તાઓ વડે અગર તેની પાસેથી વસુલી કરવાના સંજોગો ઉત્પન્ન થાય તો તે માટે શું કરી શકાય?

રાજીનામુ સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવાનું હોય છે. સક્ષમ અધિકારી તેની ચકાસણી માટેના પગલાં ભરે છે. પછી સક્ષમ અધિકારી તેને જણાવે કે ફલાણી તારીખ સુધીમાં તમારે રાજીનામુ પાછું ખેંચવું હોય તો પાછું ખેંચી શકશો. તે પછી તમે તમારું રાજીનામું પાછું ખેંચી શકશો નહીં. સક્ષમ અધિકારી જ રાજીનામુ મંજુર કરી શકે છે. આ સક્ષમ અધિકારી રાજીનામુ મંજુર થયાનો પત્ર લખી શકે છે. આ પત્ર એક દસ્તાવેજ ગણાય છે. આ સક્ષમ અધિકારી કાયદામાં સૂચિત હોય છે. પ્રણાલી પણ સૂચિત હોય છે. જો કોઈ પ્રણાલી સૂચિત ન હોય તો સામાન્ય પ્રણાલી જે તે ડીપાર્ટમેન્ટમાં લાગુ પડતી હોય તે લાગુ પડાય છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં  માસની નોટીસ આપવી પડે છે. અને રીટાયર્ડ થયા પછી બે વર્ષ સુધી તમે ડીપાર્ટમેન્ટ સાથે કામ પડે તેવી નોકરી કરી શકતા નથી.   પ્રણાલી કેન્દ્રીય પ્રધાનોને લાગુ પડે. એટલે કે ૬માસની નોટીસ આપ્યા પછી અને રાજીનામુ મંજુર થઈ નિવૃત થયાને બે વર્ષ વીત્યા પછી જ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભાગ લઈ શકાય એવું અર્થઘટન કાયદા અને પ્રનાલીની રુએ થાય.  બધા મુદ્દાઓ ઉપર માધ્યમોએ ચર્ચા કરવી જોઇએ.

પક્ષની બાબતમાં પણ આવું  છે. પક્ષને અને બંધારણને પ્રણાલીઓ હોય છે. ધારોકે પક્ષને અમુક સિદ્ધાંતો છે અને તેમાં સમયને અનુરુપ ફેરફાર કરવા છે. પણ પક્ષનું મોવડી મંડળ દાદ દેતું નથી. એવું કોઇ સભ્યને લાગે છે. તો તે પોતાના સથીઓ સાથે મસલત કરી શકે છે. તેને લાગે કે મને હવે પૂરો સહયોગ મળે તેમ છે તો તે પક્ષપ્રમુખને સામાન્ય સભામાં મંજુઅર કરાવવા એજન્ડાના મુદ્દઓમાં સામેલ કરવા માટે આપી શકે છે. જો સભ્યનો મુદ્દો અર્જન્ટ હોય તો  આપાત્‌કાલિન સામાન્ય સભા બોલાવી શકે પણ તે માટે પ્રણાલી હોય છે. પક્ષપ્રમુખને પણ આ પ્રણાલીને અનુસરવું પડે છે. સૌ કોઇ એ પ્રણાલીને અનુસરવું પડે.

સત્તા ધારીઓએ પણ પ્રણાલીઓને અનુસરવું પડે. ન્યાયધીશપાસે ન્યાય આપવાની સત્તા હોય છે. પણ તે બે પક્ષને સાંભળ્યા વગર સીધો ન્યાય આપી ન શકે. એક પક્ષે અરજી આપવી પડે. કૉર્ટે બીજા પક્ષને નોટીસ આપવી પડે. તેને રજુઆત કરવામાટે ચોક્કસ સમય આપવો પડે. અને પછી ન્યાયધીશ દરેક મુદ્દાઓના ઔચિત્યને વિષે પોતાનો નિર્ણય કેવી રીતે યોગ્ય છે એ દર્શાવતો બોલતો નિર્ણય આપે છે.

આજ વસ્તુ દરેક કિસ્સઓને લાગુ પડે છે

ધારોકે પક્ષના કોઇ એક સભ્યને એમ લાગ્યું કે ફલાણી વાત બરાબર નથી. હવે આ વાત કાયદાને લગતી હોય કે વહીવટને લગતી હોય. વહીવટને લગતી હોય તો તેનો અર્થ એ થાય કે વહીવટમાં પ્રણાલીનું પાલન થતું નથી. અથવાતો પ્રણાલી ખામીવાળી છે. પ્રણાલી ખામીવાળી હોય તો સારી પ્રણાલીનુ સૂચન થવું જોઇએ. અને આ સૂચિત પ્રણાલી, ચાલુ પ્રણાલી થી કેવી રીતે ઉત્કૃષ્ટ છે તેની જાહેર ચર્ચા થવી જોઇએ. જો કાયદાના અભાવને લગતી હોય તો તેની પણ મુક્ત અને વિસ્તૃત ચર્ચા થવી જોઇએ.

ઈન્દીરા ગાંધીએ શું કર્યું હતું

ઈન્દીરા ગાંધીએ અસાધારણ સામાન્યસભા બોલાવી ત્યારે તેમણે આવી કોઈ ચર્ચા કરેલી? તેમણે પોતાના મુદ્દાઓ વિષે પક્ષ પ્રમુખ અને કારોબારીમાં મુદ્દાસર રજુઆત કરેલી? તેમણે પ્રદેશ કારોબારીઓમાં પત્રવ્યવહાર કરેલો? તેઓના અભિપ્રાયો મગાવેલ? આ બાબતની પક્ષના સભ્યો સાથે વ્યાપક ચર્ચા કરેલી? જનતા સાથે પણ સમાચાર પત્રો મારફત આવી ચર્ચા કરી હતી શું? નાજી જરા પણ નહીં.

તો પછી કોઈ વિસ્તૃત છણાવટ વગરના મુદ્દઓ વગર, અરે મુદ્દાઓના તદન અભાવમાં તમે પક્ષની આપાત્‌ કાલિન સામાન્ય સભા કેવી રીતે બોલાવી શકો? ડેલીગેટો પણ કેવી રીતે તૈયાર કરી શકો? જે કંઈ કરો તે સ્થાપિત પ્રણાલીથી વિરુદ્ધ જ જાય એટલે તે રદ જ ગણાય. જ્યાં સુધી કાયદેસર રીતે રચાયેલ કારોબારી અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં સુધી તેને તમે રદ કરી ન શકો. ઈન્દીરા ગાંધીએ જે આપાત્‌કાલિન સામાન્યસભા બોલાવેલ તે જ ગેરકાયદેસર હતી. કારણ કે ટૂંકા ૬માસથી પણ ઓછા સમયમાં તે મળવાની જ હતી. વળી ડેલીગેટોની પસંદગી પ્રણાલી અનુસાર ન હતી. તેથી ગેરકાયદેસર અને રદ હતી.

ઈન્દીરાગાંધીને ખબર હતી કે કાયદેસર રીતે પક્ષ ઉપર કબજો મેળવી શકાય તેમ નથી. તેથી તેમણે કાયદેસરની પ્રણાલી બહારના માર્ગ અપનાવ્યા. દેશના વહીવટના તે વડા હતાં. એટલે પ્રસારમાધ્યમો તેમના કબજામાં હતા. આનો લાભ તેમણે પાટલી બદલુઓને અને પોતાના પક્ષમાં આવનારાઓને ચમકાવવામાં કર્યો. નવી ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતિ મળી. એટલે ન્યાયાલયે તેમના પક્ષને કોંગ્રેસ પક્ષ તરીકે માન્ય રાખ્યો. પણ ચિન્હ માન્ય ન રાખ્યું. પીલુ મોદીએ ટકોર કરેલી કે જો હવે પછીની ચૂંટણી માં કોંગ્રેસ (સંસ્થા)ને જો બહુમતિ મળશે તો શું કૉર્ટનો નિર્ણય રદબાતલ થશે? વાસ્તવમાં પક્ષ એ એક સંસ્થા છે અને તેનું અસ્તિત્વ તેના સભ્યો અને બંધારણીય ઘટકોને આધારે હોય છે, નહીં કે લોકસભા કે વિધાન સભાની ચૂંટાયેલા સભ્યોની સંખ્યાને આધારે.

પક્ષ છે તો મુખ્ય મંત્રી છે, પ્રધાન મંત્રી છે. તેઓ પક્ષની રુએ અને પક્ષના સિદ્ધાંતો અનુસાર દેશના બંધારણની અંતર્ગત પોતાની ફરજો બજાવે છે. પક્ષને એમ લાગે કે તેમનો સંસદીયનેતા કે વિધાનસભાનો નેતા પક્ષના સિદ્ધાંતોને અનુરુપ કારભાર કરતો નથી તો પક્ષ તેને નોટીસ બજાવી શકે અને જવાબ માગી શકે. પક્ષનો વડો પક્ષ પ્રમુખ છે જે પક્ષીય કારોબારીની સલાહ પ્રમાણે કામ કરે છે. પક્ષનો પ્રમુખ, વડાપ્રધાનનો અને મુખ્ય મંત્રીનો પણ વડો છે.

આ વાત સમજવામાં “તડ ને ફડ”વાળા મૂર્ધન્યો જેવા મૂર્ધન્યો પણ ભટકી જાય છે. આ કહેવાની જરુર એ માટે પડી કે આ મૂર્ધન્ય મહાશયનો હેતુ યેનકેન પ્રકારે ઈન્દીરા ગાંધીનો બચાવ કરવાનો હતો. અને તેથી તેઓ પક્ષ પ્રમુખને બદલે વડાપ્રધાન ની ઈચ્છાને મહત્વની ગણાવવા માગતા હતા. ઈન્દીરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે તે પક્ષ પ્રમુખની ઉપરવટ જતા હતાં. જેમકે બેંકોનું રાષ્ટ્રીયકરણ ન કરવું પણ સમાજીકરણ કરવું એ કોંગ્રેસની કારોબારીનું સૂચન હતું. આ બાબત ઉપર માધ્યમોએ મુદ્દાસરની શૈક્ષણિક ચર્ચા યોજવી જોઇએતી હતી. રાષ્ટ્રીયકરણના ભયસ્થાનો પારવિનાના હતા. આ વાત તો તે પછીના સમયે જ સિદ્ધ કરી. મોરારજી દેસાઈની વહીવટી આર્ષદૃષ્ટિ આ જોઇ શકેલ. ઈન્દીરા ગાંધીની દૃષ્ટિ મતના રાજકરણ અને પોતાની સત્તા તરફ હતી.  ઈન્દીરાગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. વળી તે પહેલાં નાણાંખાતું હસ્તગત કરવા નાણામંત્રીને (મોરારજી દેસાઈને) ફારેગ કર્યા. મોરારજી દેસાઈને નાણાં મંત્રી બનાવવાની વાત કારોબારી સાથે વિમર્શ બાદ નક્કી કરેલી. તેથી નાણાંમંત્રીને જો બદલવા હોય તો શાલીનતાની રુએ કારોબારી કે પક્ષપ્રમુખ સાથે મસલત કરવી જ જોઇએ. પણ જેઓ લોકશાહી મુલ્યોમાં નથી માનતા, તેઓ આપખુદીમાં માનતા હોય છે. તેઓ પારદર્શિતાને અને શાલીનતાને અવગણે છે.

આવા કારણોસર અને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જે વ્યક્તિના નામની પક્ષની રુએ ઈન્દીરા ગાંધીએ ભલામણ કરેલી તેની વિરુદ્ધમાં જ ઈન્દીરા ગાંધીએ પોતે જ પ્રચાર કર્યો અને પક્ષની ઉપરવટ જઈ અપ્રણાલીગત નિવેદનો કર્યા ત્યારે જ મોરરજી દેસાઈએ પક્ષના મોવડી મંડળને જણાવેલ કે ઈન્દીરા ગાંધીને બરતરફ કરો. પક્ષનું મોવડી મંડળ તાત્કાલિક નિર્ણય લઈ ન શક્યું. ચૂંટ્ણીને સમયે ઈન્દીરાગાંધીએ, સંજીવ રેડ્ડી વિરુદ્ધ બિભત્સ આક્ષેપો સાથેની પત્રિકાઓ વહેંચાવડાવી. પક્ષે સૂચવેલ ઉમેદવાર હાર્યો અને ઈન્દીરાગાંધીએ જે ઉમેદવાર ઉભોકરેલ તે જીતેલ. પક્ષે તે પછી ઈન્દીરાગાંધીને બરતરફ કરેલ.  સંસદમાં તેમની બહુમતિ ચાલુ રહે તે માટે તેમના દ્વારા પ્રયોજાયેલા રાષ્ટ્ર પ્રમુખે તેમને સત્તા ઉપર ચાલુ રાખ્યા અને સમય આપ્યો. પાર્ટીના કેટલાક સભ્યોએ ઈન્દીરા ગાંધીને ટેકો જાહેર કર્યો. તેમજ સામ્યવાદીઓએ અને કેટલાક ફુટકળીયાઓએ  પણ ઈન્દીરાગાંધીના પક્ષને ટેકો જાહેર કર્યો.

ટૂંકમાં ઈન્દીરા ગાંધીનું રાજ મુદ્દાઓવગરનું અને સિદ્ધાંતો વગરનું ટોળારાજ હતું.  સૂત્રો ઉપર નભતું હતું. મીડીયાનો તેમને પૂરતો ટેકો હ્તો. મીડીયા આજે પણ વિવેકહીન છે. મીડીયા તે વખતે પણ વિવેકહીન હતું.

  વાત કેશુભાઈને પણ લાગુ પડે છે

તેમના મુદ્દાઓ શું છે તે કોઈ જાણતું નથી. તેમને નેતાગીરીથી અસંતોષ છે. પણ કયા મુદ્દાઓ ઉપર અસંતોષ છે તે કોઈ જાણતું નથી. તેમને કાયદામાં ફેરફાર જોઇએ છે કે પ્રણાલીઓમાં ફેરફાર જોઇએ છે? તેમને કેવા ફેરફારો જોઇએ છે અને શામાટે જોઇએ છે તેકોઈ જાણતું નથી. તેમણે સ્થાનિક નેતાઓ સાથે કે મુખ્ય મંત્રી સાથે ક્યારેય મુલાકાતો માગી છે ખરી? તેમણે કદીય પ્રણાલીઓ બાબતમાં વહીવટી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી છે ખરી? મુલાકાતોની માગણી જો કરી હોય તો તેની નીપજ શું આવી? જનતા તો મુદ્દાઓની વિગતોથી અજાણ જ છે. જો મુલાકત જ માગી ન હોય તો પક્ષમાં રહીને પક્ષની ટીકા કરવી અયોગ્ય છે અને આવી વર્તણૂંક નિંદનીય છે. લોકશાહી પ્રણાલીને અનુરુપ નથી.

ખેડૂતોને અન્યાય કે ગૌચરની જમીન કે ઉદ્યોગપતિઓને જમીનની લહાણી  વિગતો માગી લે તેવા વિષયો છે. સૌ કેસ અલગ અલગ હોય તેથી તેના કેસ પ્રમાણે ગુણદોષ તારવી શકાય. આવા કેસ ન્યાયિક અદાલતમાં લઈ જઈ શકાય. જો પ્રણાલી અંતરગત હોય તો વિકલ્પ સુચવવવા જોઇએ. પક્ષના સભ્યોને પણ માહિતગાર કરી શકાય. સામાન્ય સભામાં પ્રસ્તાવ રજુ કરી શકાય. શું આવું કશું કેશુભાઈ કર્યું છે. બંધબારણે મીટીંગો કરવી, જાતિવાદી મીટીંગો કરવી, જાતીને અન્યાય થાય છે એવી વાતો ચગાવવી આ બધું નીમ્ન કક્ષાનું રાજકારણ કહેવાય.

સમાચાર માધ્યમો પણ મુદ્દાઓને સદંતર અવગણી નિમ્ન કક્ષાના રાજકારણ પર ઉતરી આવે છે. સમાચારની હેડ લાઈનો પણ પૂર્વગ્રહ વાળી હોય છે. જે સમાચાર પત્રોને નરેન્દ્ર-મોદીનો “ફોબીયા” છે તેઓ દરેક વાતોમાં નરેન્દ્ર મોદીની અવમાનના કરે છે. નરેન્દ્ર મોદીના પ્રજાલક્ષી કામોને પણ વક્રદૃષ્ટિ થી જુએ છે. મુદ્દાઓ અને તેની ઉપરની શૈક્ષણિક ચર્ચાઓને તો સમાચારપત્રોમાં અવકાશ જ નથી.  આ જ વર્તમાનપત્રોના માંધાતાઓ, જ્યારે ઈન્દીરા ગાંધીએ કહ્યું “નીચા નમો …”, ત્યારે તેઓ ચત્તાપાટ પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયેલા. ઈન્દીરા ગાંધીની આપખુદીનો જોટો ન હતો. તો પણ આ માધ્યમોના મૂર્ધન્યો આજનીતારીખમાં પણ તે વિષે ચૂં કે ચાં કરી શકતા નથી. કારણ કે તેમની નજર વિદેશી બેંકોમાં પડેલા ૪૦૦ લાખ કરોડ રુપીયા ઉપર પણ હોય. તો આવા માધ્યમોની વિશ્વસનીયતાની તો વાત જ ક્યાંથી થાય? સમાચાર માધ્યમો પ્રમાણે તો નરેન્દ્ર મોદી સામે વ્યાપક આક્રોષ છે. વળી તેઓ પોતે જ અંદરખાને કહે છે કે બહુમતિ તો નરેન્દ્ર મોદી લઈ જ જશે. હવે તેમને પોતે જ, પોતે જે છાપે છે તેમાં વિશ્વાસ નથી તો બીજાઓ તો તેમની ઉપર વિશ્વાસ ક્યાંથી રાખી શકે?

સુબ્રહ્મનીયન સ્વામી

સુબ્રહ્મનીયન સ્વામીને કોઈએ પૂચ્છ્યું કે તમે ભ્રષ્ટાચારના વિરોધી છો તો કોંગ્રેસ સિવાયના પક્ષના ભ્રષ્ટાચારીઓ સામે કેમ લડતા નથી. સુબ્રહ્મનીયન સ્વામીએ જવાબ આપ્યો કે વિરોધ પક્ષના નેતાઓ સામે કેસ કરવાની ફરજ કોંગ્રેસની છે કારણ કે તેને તે માટે પૈસા મળે છે. હું જે કંઈ કહું છું તે બધું જ કૉર્ટમાં કહી ચૂક્યો છું.

આ વાત ગુજ્જુ કોંગીઓએ સમજવા જેવી છે. તેમના પક્ષનું કેન્દ્રમાં રાજ છે. નરેદ્ન્ર મોદીએ જો ભ્રષ્ટાચાર કર્યો હોય કે કરાવ્યો હોય તો તેઓ કોર્ટમાં જઈ શકે છે. અથવા એઓ કેન્દ્રને રજુઆત કરી નરેન્દ્ર મોદી કે તેના સાથીઓ સામે બંધારણની જોગવાઈ અનુસાર પગલાં લઈ શકે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે તેમના આક્ષેપો વજુદ વગરના છે. જો પ્રણાલીઓને ભાંડવા જાય તો તેઓ અને તેમનો પક્ષ જ પહેલાં ભક્ષ્ય બની જાય.  જમીન સંપાદનની ગુજરાત સરકારની નીતિની સુપ્રીમ કોર્ટે પણ પ્રસંશા કરી છે.

આપણા ગુજ્જુ કોંગી નેતાઓ, પહેલેથી જ આપણા ગુજરાતી નેતાઓના ટાંટીયા ખેંચી પાડી દેવાના તાનમાં રહેતા હોય છે. આ તેમનો જુનો રોગ. આપણા ગુજ્જુ મૂર્ધન્યો પણ મોરારજી દેસાઈની બદબોઈ કરવામાં ઉણા ઉતરતા ન હતા. અને હાલ માં જ જુઓ. આપણા કાન્તિભાઈએ મોરારજી દેસાઈના રાજકારભારને લાઈસન્સ, પરમીટ અને ક્વોટાનું રાજ્ય કહ્યું છે. વાસ્તવમાં મોરારજી દેસાઈએ તો 1977માં ઉત્પાદન ઉપરના અંકુશો સાવ દૂર કરી ને ક્વોટાઓ તો નાબુદ કરી દીધેલા. લાઈસન્સ પરમીટ અને ક્વોટાનું રાજ તો નહેરુનું હતું તે વાત આખો દેશ જાણે છે. આપણા કાંતિભાઈ કદાચ તે વખતે ભાંખોડીયા ભરતા હશે કે બાબાગાડી ચલાવતા હશે તેથી તેમને ખબર નહીં હોય. પણ મોટા થયા પછી તેમણે ઈતિહાસનું વાચન કરવું જોઇએ. સૌ કોઈ જાણે છે કે નહેરુવીયનોના પીઠ્ઠૂઓ મોરારજી દેસાઈને પણ મુડીવાદીઓના પીઠ્ઠુ તરીકે ઓળખાવતા હતા.

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ પક્ષ, ઈન્દીરા કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), પક્ષપ્રમુખ, કારોબારી, ડેલીગેટ, મોવડીમંડળ, સંજીવ રેડ્ડી, મોરારજી દેસાઈ, સીન્ડીકેટ, જે એલ નહેરુ, આપાત્‌કાલિન, સામાન્યસભા, સંસદ, વિધાનસભા, સદસ્ય, આપખુદ, મુદ્દા, મીડીયા, મૂર્ધન્ય

Read Full Post »

%d bloggers like this: