Feeds:
Posts
Comments

Posts Tagged ‘મુસ્લિમ’

અમદાવાદનું નામ બદલવું જોઈએ કે નહીં?

અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલે છે.

કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય છે. એટલે કે કોઈ પણ કારણ તો બતાવવું જ પડે.

અમદાવાદના નામ બદલવાનો વિરોધ પણ થતો હોય તો પછી નામ બદલવા પાછળનું ઔચિત્ય સિદ્ધ કરવું પડે.

નામ ક્યારે બદલી શકાય?

Untitled02

(૧) નામ અપભ્રંશવાળું હોય અને ક્લિષ્ટ હોય.

(૨) નામનો ઉચ્ચાર સ્થાનિક લોકો અમુકરીતે કરતા હોય પણ બહારના લોકો તેનો ઉચ્ચાર ભીન્ન રીતે કરતા હોય અને લખતા પણ ભીન્ન રીતે હોય.

(૩) જ્યાં સુધી ગામનું નામ બદલવાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે ગામની સ્થાપના જે વ્યક્તિએ કરી હોય તે અને અથવા તે વ્યક્તિના નામને અમર રાખવા અને અથવા તે વ્યક્તિનું બહુમાન કરવા, તે વ્યક્તિના નામ ઉપરથી ગામનું નામ રાખવામાં આવ્યું હોય પણ પછી કાળાંતરે એમ લાગે કે એ વ્યક્તિનું આવું બહુમાન કરવું આવશ્યક નથી, માટે નામ બદલવામાં આવે.

(૪) ઉપર (૩)માં દર્શાવેલ વ્યક્તિ કરતાં “બીજી વ્યક્તિ કે જે તે સ્થળ ઉપર વસેલા ગામ માટે વધુ યોગ્ય છે,” તો તે આધારે નામ બદલવામાં આવે.

(૫) આપણા હાથમાં સત્તા છે અને (૩)માં નિર્દેશિત વ્યક્તિ આપણને પસંદ નથી માટે તે નામ બદલીને બીજું નામ રાખો.

(૬) ફલાણા લોકોએ નામ બદલ્યાં છે માટે આપણે પણ ગામનું નામ બદલો.

(૭) ફલાણો દેશ આપણો દુશ્મન છે અને તેણે આપણી સંસ્કૃતિના મહાનુભાવોના નામ ઉપરથી તેમના દેશમાં જે ગામોના નામો હતા તેને બદલ્યા છે એટલે તેની પ્રતિક્રિયા આપવા માટે આપણે પણ આપણા ગામના જે તે લાગુ પડતા નામો બદલો.

(૮) આપણે કશુંક કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરવા નામ બદલો.

આટલા કારણો ગામનું નામ બદલવા માટે હોઈ શકે. એક કરતાં વધુ કારણ પણ હોઈ શકે.

અમદાવાદ વિષે શું પરિસ્થિતિ છે?

અમદાવાદના નામ પરિવર્તન માટેની પાર્શ્વ ભૂમિકાઃ

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. કેટલાક મુસ્લિમો અને તેમના નેતાઓએ કહ્યું કે અમે હિન્દુ બહુમતિવાળા દેશમાં સુખી થઈ શકીશું નહીં અને હિન્દુ બહુમતિ અમને અન્યાય કરશે એટલે અમારે જુદો દેશ જોઇએ છીએ. અંગ્રેજોએ કહ્યું અમે મુસ્લિમોના હિતનો ઈજારો લીધો છે એટલે અમારે તેમની સુખાકારી જોવી જોઇએ. એટલે અમે દેશના ભાગલા પાડીશું. જો તમે આ સ્વિકારશો નહીં તો અમે તમને સ્વતંત્ર નહીં કરીએ. આ દરમ્યાન મુસ્લિમો હિંસક બન્યા. ગાંધીજીએ કહ્યું કે “હું તો આ હિંસા અટકાવવા માટે સમર્થ નથી.” …. સૌએ દેશના ભગાલાના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો.

 અંગ્રેજોએ મતદાન કરાવ્યું અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારો પાકિસ્તાન બન્યા. બાકી રહ્યું તે ભારત બન્યું. આ આખી પ્રક્રિયા દરમ્યાન હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દુશ્મનો બની ગયા. આમાં અંગ્રેજોએ અને તેમણે રચિત ઇતિહાસે ઠીક ઠીક ભાગ ભજવ્યો.

મુસ્લિમો તો ભારતમાં ઠેર ઠેર પથારાયેલા હતા. પાકિસ્તાન ગયેલા મુસ્લિમો કરતાં ભારતમાં મુસ્લિમો વધુ હતા અને રહ્યા. અને કારણ કે કોંગ્રેસના નેતા નહેરુ અંગ્રેજ સંસ્કૃતિના ચાહક હતા તેમણે અંગ્રેજો દ્વારા સ્થપાયેલ શિક્ષણ પ્રણાલી ચાલુ રાખી અને તેને જ માન્યતા આપી. અને કેટલાક એવા પગલાં લીધાં કે જેથી ભારતમાં રહેલા મુસ્લિમોને લાગ્યું કે આપણે હિન્દુઓથી સાચે જ જુદા છીએ. અને પાકિસ્તાનને એમ લાગ્યું કે ભારત આપણું દુશ્મન નંબર એક છે.

 પાકિસ્તાને ભારત ઉપર અવાર નવાર જુદી જુદી રીતે અને કારણ/ણોસર ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ આક્રમણ કર્યાં. આ બધા આક્રમણોથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય વધતું ગયું. ભારતમાં કેટલાક મુસ્લિમ નેતાઓ એવા પાક્યા કે તેઓ ધર્મના આધારે વધુને વધુ માગણીઓ કરવા માંડ્યા. જે વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતિમાં હતા તેમની ઉપર તેઓ અત્યાચાર પણ કરવા માંડ્યા અને તેમને બીજે ખદેડવા માંડ્યા. કોંગ્રેસે મુસ્લિમોને મતબેંક બનાવીને તેમના અત્યાચારો પ્રત્યે હમેશા  આંખ આડા કાન કર્યા. આવું બધું ૧૯૪૭ પહેલાંથી ચાલ્યું આવતું હતું પણ ૧૯૪૭ પછી તેમાં વેગ આવ્યો.

મુસ્લિમો જ્યાં બહુમતિમાં હતા ત્યાં તો તેઓએ આડેધડ, ગામ અને સ્થળોના હિન્દુ નામોને બદલે મુસ્લિમ નામો રાખી લીધા. એટલું જ નહીં પણ ભારતમાં પણ જ્યાં તેઓ બહુમતિમાં હતા ત્યાં પણ તેઓએ ઐતિહાસિક સ્થળોના પણ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.  હિન્દુઓએ મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો હોય તેવા ઉલ્લેખો ઇતિહાસમાં નથી તો પણ મુસ્લિમોએ સ્થળોનું અને ગામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.

દરેક પ્રજાની સહનશીલતાની એક સીમા હોય છે. આ કારણથી અને નહેરુવીયન કોંગ્રેસી સરકારોએ મુસ્લિમતૂષ્ટીકરણનું રાજકારણ અપનાવ્યું હોવાથી હિન્દુઓમાં પ્રતિકાર વૃત્તિ જન્મી છે.

આવા સંજોગામાં સ્થળોનું અને ગામોનું નામ પરિવર્તન યોગ્ય ખરું?

અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો. ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. એટલે તે પોતાનો ઇતિહાસ ન રાખે તે ગધેડાને તાવ આવવા જેવી વાત છે. પણ માનસિક રીતે ગુલામ બની જાય એવો એક વર્ગ તમે ઉત્પન્ન કરો અને તેના હાથમાં બધી સત્તા આપો ત્યારે તે તમે જે પઢાવો તે પઢે. અને જો તમે સમાચાર માધ્યમો તમારે હસ્તક રાખ્યા હોય અથવા આવા પઢાવેલા પોપટોને હસ્તક રાખ્યા હોય, અને જો કોઈ તમારા પઢાવ્યાથી વિરુદ્ધ બોલે તો તમે એને મજાક પાત્ર બનાવો અને તેને કૉડીનો કરી દો. આમ કરવાથી આવો વ્યક્તિ અવરોધાય તો ખરો જ.

આ ઉપરાંત એક બીજી વાત પણ છે.

અંગ્રેજોએ ઇતિહાસ લખ્યો તે ખરું. પણ તેમણે તે તદન ખોટો પણ લખ્યો નથી. અમુક વાતો મહત્ત્વની હતી અને અમુક વાતો મહત્ત્વ ન હતી. તેમણે ઇતિહાસ લખવામાં પ્રમાણ ભાન ન રાખ્યું. અને તેમણે તેમના લાંબા ગાળાના હેતુઓ બર આવે તે રીતે ઇતિહાસ લખ્યો.

ભારતની સંસ્કૃતિ દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની હતી.

Untitled01

મુસ્લિમ રાજાઓ ભારત ઉપર આક્રમણ કરતા રહ્યા અને ક્યારેક હારતા પણ રહ્યા અને ક્યારેક જીતતા પણ રહ્યા. ૬૦૦ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમ્યાન તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની ગાઢ અસર થઈ. મોગલ સામ્રાજ્ય એક એવું મુસ્લિમ સામ્રાજ્ય થયું કે જેણે એક ટૂંકા ગાળા પૂરતો,, પણ મોટા ભાગના ભારતના હિસ્સા ઉપર કબજો મેળવ્યો. અકબરે જોયું કે ભારત ઉપર રાજ કરવું હશે તો હિન્દુઓ સાથે તાલમેલ રાખીને જ આ કામ થઈ શકશે. શાહજહાં અને  ઔરંગઝેબ જરા જુદા નિકળ્યા અને તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા તો ઔરંગઝેબનું સામ્રાજ્ય તેના અંત સમયે ભંગાણને આરે આવી પડ્યું. મરાઠાઓએ કબજો લીધો. પણ તેમાંના કેટલાક લૂંટવામાં માનતા હતા અને તેથી બીજા કેટલાક ખંડિયા રાજાઓ અંગ્રેજોની મદદમાં આવ્યા. અને અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. કાળાંતરે ભારતના ખંડિયા રાજાઓને અને ભારતની જનતાને અંગ્રેજોની વટાળ પ્રવૃત્તિઓથી એવું  લાગ્યું કે મોગલો સારા હતા. એટલે ૧૮૫૭માં અંગ્રેજ સરકાર સામે બળવો  થયો. એવું નક્કી થયું કે મોગલ સામ્રાટ બહાદુર શાહ જફર કે જેના રાજ્યની સીમા ફક્ત લાલ કિલ્લા પૂરતી હતી, તો પણ તેને સામ્રાટ પદે સ્થાપવો.

ટૂંકમાં તે સમયના જનમાનસ ઉપરથી એવું ફલિત થતું હતું કે સરવાળો કરીને જોઇએ તો, ટીપુ સુલતાન, મહમ્મદ તઘલખ, ઘોરી, શાહ જહાં, ઔરંગઝેબ ના અત્યાચારો ને લક્ષમાં લઈએ તો પણ મુસલમાનોમાં શેરશાહ સુરી, અહમદશાહ, મહમદ બેઘડો, હૈદર અલી, અકબર, જહાંગીર વિગેરેની સારપને લક્ષમાં લઈએ તો મુસ્લિમો એટલે કે મુગલો સારા હતા.

અંગ્રેજોએ આ માનસિકતા જાણી અને તેથી કરીને ૧૮૫૭ના ભારતીયોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીત મેળવ્યા પછી, ભારતીયોમાં મુસ્લિમ અને બીન-મુસ્લિમ એવા ભાગલા પડાવવાની પ્રક્રિયા ચાલુ કરી. અને તેમાં તે સફળ રહ્યા.   

 જો અંગ્રેજો ૧૮૫૭માં હારી ગયા હોત તો ભારતમાં એક ભારતીય સમવાય તંત્ર હોત અને સમગ્ર મુસ્લિમ સમાજ, શક, પહલવ, હૂણ, પારસીઓની જેમ ભારતીયોમાં અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત.

પણ અંગ્રેજોએ જે વિભાજનવાદી નીતિ પ્રયોજી હતી તેને કોંગ્રેસે ચાલુ રાખી. જેમકે નવી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ, બાબર માર્ગ, હુમાયુ માર્ગ, જેવા નામો આપ્યા મુસ્લિમ તૂષ્ટિકરણ ચાલુ રાખ્યું.

હવે અમદાવાદના નામ પરિવર્તન વિષે વિચારીએ;

(૧) અમદાવાદ એ અહમદાબાદનું અપભ્રંશ છે પણ ક્લીષ્ટ નથી.

(૨) બીજા બધા અમદાવાદને ભલે બીજા શુદ્ધ કે અશુદ્ધ નામથી ઓળખતા હોય પણ સરકારે “અમદાવાદ” જે સ્થાનિક લોકો બોલે છે તેને જ માન્ય રાખ્યું છે. કોલકતા અને મુંબઈ વિષે પણ આમ જ છે.

(૩) અમદાવાદ કે જે પહેલાં કોટના વિસ્તાર પુરતું મર્યાદિત હતું તે અહમદશાહ બાદશાહના નામ ઉપરથી પડ્યું છે. હવે કેટલાક લોકોને લાગે છે કે અમદાવાદના અહમદશાહ બાદશાહને માન આપવું જરુરી નથી, તેથી મૂળ અમદાવાદ કે જે કોટની અંદર વસેલું હતું અને હવે ચારે દિશામાં ૨૫ ગણું વધી ગયું છે તેનું નામ બદલવું જોઇએ.

અહમદશાહ બાદશાહે વસાવેલા ગામનું નામ શા માટે બદલવું તે બાબતનો ફોડ કોઈએ પાડ્યો નથી. અહમદશાહ બાદશાહ ક્રૂર હતો કે નહીં અને જો તે ક્રૂર હતો તો તે કેટલો ક્રૂર હતો તેની વિગતો કોઈએ ખૂલ્લી કરી નથી.

(૪) આશાવલ નામના ભીલે આશાવલ વસાવેલું. રાજા કરણદેવે કર્ણાવતી / કર્ણપુર વસાવેલું. પણ સવાલ એ છે કે જે ગામ કોટની અંદર વસેલું હતું તે શું આશાવલ ભીલે કે રાજા કર્ણદેવે વસાવેલું હતું? “આશાવલ”ની સાથે સામ્ય ધરાવતું “અસારવા” સ્થળ મળે છે ખરું. પણ કર્ણપુર કે કર્ણાવતીની સાથે સામ્યતા ધરાવતું કોઈ સ્થળ હોય તો તેની કોઈએ માહિતિ આપી નથી.

(૫), (૬) “આપણા હાથમાં સત્તા છે માટે આ શહેરનું નામ બદલી નાખો”. ફાલાણાએ નામ બદલ્યું એટલે આપણે પણ આ શહેરનું નામ બદલી નાખો તેવા તર્ક માત્રને આધારે નામ બદલવું એ સંસ્કારી પ્રજાને શોભે નહીં.

(૭) આપણો દુશ્મન કે જે મુસ્લિમ દેશ છે, અને તે તેના હિન્દુ શહેરોના નામો બદલી નાખે છે, એટલે તેના વાદે ચડીને આપણે આપણા જે બાદશાહની ક્રૂરતાને જાણતા નથી પણ જેની સારી વાતો આપણા જાણવામાં છે, તેને અવગણીને “કારણ કે તે રાજા મુસલમાન હતો” તે કારણસર આપણે આ શહેરનું નામ બદલી નાખો. આ વાત બરાબર નથી. આવું જો આપણે કરવું જ હોય તો આપણે બધા મુસલમાનોને પાકિસ્તાનમાં મોકલી દેવા જોઇએ. કારણ કે આપણા પાડોશી મુસલમાન દેશે પણ ત્યાંના હિન્દુઓને બળજબરીથી ભારતમાં ધકેલી દીધા હતા અને પછી ગામોના નામો બદલ્યાં હતાં. જેમ પાકિસ્તાનમાં નામ બદલવાની બાબતમાં હિન્દુઓને નાહવા નીચોવવાનું રહ્યું નહીં, તેમ ભારતમાં પણ મુસલમાનોને નાહવા નીચોવવાનું ન રહે.

(૮) આપણે કંઈ ઈન્દિરા  નહેરુગાંધી કોંગ્રેસ પાર્ટી વાળા નથી કે કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા બેંકોંનું રાષ્ટ્રીયકરણ કરીએ, રાજાઓના સાલીયાણા બંધ કરીએ, તેનાથી સો ગણા નાણાં આપણા ચૂંટાયેલા સભ્યોને આપીએ, અને તેમને પેન્શન રુપી સાલીયાણા અને ઘર પણ આપીએ, પારકા પૈસે ખેરાતો કરતા રહીએ અને પોતાની પીઠ થાબડતા રહીએ.

આપણને આવું શોભે નહીં.

Untitled

અરે ભાઈ, અમે એક વાર જીભ કચરી છે, કે અમદાવાદનું અમે નામ બદલીને કર્ણાવતી નામ રાખીશું  તો હવે અમારી આબરુનું શું? અમારા શબ્દોની કંઈ કિમત ખરી કે નહીં?

તો હવે આનો કંઈ રસ્તો ખરો?

આનો ઉપાય તો છે.

તમે નવું પાટનગર વસાવ્યું. તેનું નામ તમે ગાંધીનગર રાખ્યું. વળી તેમાં એક રસ્તાનું નામ ઇન્દિરા ગાંધી રોડ રાખ્યું છે. કોંગીઓ આથી ખુશ છે. કારણ કે તેઓ તો આને ઇન્દિરા ગાંધીનગર જ સમજે છે.

શિવસેના વાળાએ “છત્રપતિ શિવાજી ટર્મીનસ”નું નામ બદલીને “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ” નામ રાખ્યું, તેમ તમે “ગાંધીનગર”નું નામ બદલીને “મહાત્મા ગાંધીનગર” નામ કરો. ભલે કોંગીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય.

આમ કર્યા પછી તમે મહાત્મા ગાંધીનગર અને અમદાવાદને જોડીને એક મહાનગર કરી દો. સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એક નવું સ્ટેશન બનાવો અને તેનું નામ “કર્ણાવતી મહાનગર” રાખો. જેમ લોકો મુંબઈમાં બોલચાલમાં તો શિવાજી ટર્મીનશ જ કહે છે તેમ કર્ણાવતી મહાનગરને પણ લોકો બોલવામાં કર્ણાવતી જ બોલશે. એટલે તમારું કામ થઈ ગયું.

તો પછી “આશાવલ”નું શું?

રેલવે લાઈનના પૂર્વ અમદાવાદના નારોલ જંક્શનને આશાવલ નગર નામ આપી દો. આ પૂર્વ અમદાવાદને “આશાવલ નગર” તરીકે ઓળખવું.  ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. અને બધા બહુ મજામાં આવી જશે.

એક મહાનગર “કર્ણાવતી મહાનગર”

એક નગર વિસ્તાર આશાવલ નગર

એક  નગર વિસ્તાર અમદાવાદ

એક નગર વિસ્તાર મહાત્મા ગાંધી નગર

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?

“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?

ગુજરાતીમાં કહેવત છે “બાર પુરબિયા અને તેર ચૉકા”.

કેટલાક લોકોને ખબર ન પણ હોય કે આનો અર્થ શું?

પુરબિયા એટલે ભૈયાજી. ભૈયાજી એટલે હિન્દીભાષી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો જેઓ કામ ધંધા માટે ગુજરાતમાં આવે છે. તેમની પત્નીઓ યુપી-બિહારમાં પ્રોષિત ભર્તૃકા તરીકે રહેતી હોય છે. આ ભૈયાજીઓ આ કારણથી છડે છડા હોય છે (છડે છડા એટલે કે પત્ની સાથે ન હોય તેવા એકલા પુરુષો).

ગુજરાતી પુરુષો પણ કામધંધા માટે (મિયાંની દોડ મસ્જીદ સુધી એ નાતે) મુંબઈ જતા. તેઓ પણ છડે છડા જતા. એક ઓરડી ભાડે રાખીને રહેતા. મુંબઈમાં તેઓ પોતાની જ્ઞાતિની હોટલોમાં જમતા.

ગુજરાતમાં આવતા છડે છડા ભૈયાજીઓ જો સાથે રહેતા હોય તો તેઓ પોતે જ રાંધીને ખાય. હવે ધારો કે એક રુમમાં બાર ભૈયાજીઓ રહેતા હોય તો તેમના ચૉકા (ચૂલા) અલગ અલગ હોય. શા માટે અલગ અલગ હોય તે જાણવા મળ્યું નથી. કદાચ એમ હોય કે પેટા જ્ઞાતિઓ વચ્ચે પણ ભેદભાવ હોય અને આ પેટા જ્ઞાતિઓ વચ્ચે એક બીજાનું રાંધેલું જમવાની બંધી હોય.

એ જે હોય તે. એક વાત તો સમજી શકાય તેમ છે કે  બાર ભૈયાજીઓ જો એક રુમમાં પોત પોતાનું જુદા જુદા ચૂલા ઉપર રાંધીને ખાતા હોય તો બાર પુરબિયાના બાર ચૂલા હોય. પણ બાર પુરબિયાના તેર ચૉકા કેવી રીતે થાય? આ તેરમો ચૉકો ક્યાંથી આવ્યો? આ તેરમો ચૉકો કોનો?

મારા માતુશ્રીને મેં આ સવાલ કરેલો. મારા માતુશ્રી પાસે કહેવતોનો અને વાક્ય પ્રયોગોનો ભંડાર હતો. જો કે તે સમયની બધી સ્ત્રીઓ અને અને બધા જ પુરુષો પાસે કહેવતો અને વાક્ય પ્રયોગોનો ભંડાર રહેતો હતો. અને હમેશા કહેવતો અને વાક્ય પ્રયોગોનો ઉપયોગ થતો રહેતો હતો. તેથી નવી જનરેશન  પણ આ વારસો જાળવી શકતી હતી. ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ હતી. પણ એ વાત અહીં નહીં કરીએ. મારાં માતુશ્રી પાસેથી મારા પ્રશ્નનો જવાબ મળી શકેલ નહીં પણ સમય જતાં હું અનેક ભૈયાજીઓના ઠીક ઠીક સંપર્કમાં આવ્યો. અને મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તે કદાચ ખોટો પણ હોઈ શકે. જેમને સાચા ઉત્તરની ખબર હોય તો તેઓ જણાવે.

ગુજરાતીભાઈઓમાં રાંધતા આવડતું હોય તેવા ગુજરાતીઓ બહુ ઓછા હોય. તેનાથી ઉલટું ભૈયાજીઓમાં જેમને રાંધતા ન આવડતું હોય તેવા ભૈયાજીઓ તદ્દન ઓછા હોય. ભૈયાજીઓ પણ રૂઢીચૂસ્ત હોય છે. હવે આપણે જે બાર પુરબિયા અને તેર ચૉકાની વાત કરતા હતા અને તેમાં જે તેરમો ચૉકો કોનો એ જે પ્રશ્ન હતો તેનો ઉત્તર એ છે કે આ બાર પુરબિયામાં એક એવો માઈનો લાલ નિકળે જેમની કોમ્યુનીટીમાં સવારે જે ચૂલા ઉપર રાંધ્યુ હોય તે ચૂલા ઉપર સાંજે ન રંધાય. આ પ્રમાણે બાર ભૈયાજીઓમાંથી એક ભૈયાજી એવા નિકળે જેમને બે ચૂલાની જરુર પડે.

બાર પુરબીયાના તેર ચૉકા ભલે હોય પણ તેથી કંઈ કોઈ ભૈયાજી ભૂખ્યા ન રહે. પણ જ્યારે સમસ્યા એક હોય અને પુરબિયા જેવા બાર વિદ્વાનો તેના તેર ઉપાયો સૂચવે અને વળી દરેક વિદ્વાન પણ  બારમા ભૈયાજી જેવા હોય ત્યારે સમસ્યા વધુ જ ગૂંચવાય.

કાશ્મિરની સમસ્યા વિષે પણ કંઈક આવું જ છે.

જો આપણે કાશ્મિરની સમસ્યાનું સમાધાન જોઇતું હોય તો તેના અનેક પાસાંઓ છે. સમસ્યા કાશ્મિરની છે કે જમ્મુ – કાશ્મિરની છે? ભારતની છે કે પાકિસ્તાનની છે કે બંનેની છે કે વિશ્વની છે? કશ્મિર સમસ્યા એ રાજકીય સમસ્યા છે કે સામાજીક સમસ્યા છે. સામાજીક સમસ્યા એટલે કે કાશ્મિરના લોકોની સમસ્યા એમ સમજવું.

વાસ્તવિક પરિસ્થિતિ શું છે?

જમ્મુ – કાશ્મિર ના રાજાએ પોતાના રાજ્યનું ભારત સાથે જોડાણ કરેલ,

(૧) યુનોનો ઠરાવ છે કે પાકિસ્તાને પોતાના સુરક્ષા દળો પીઓકેમાંથી હટાવી લેવા.

(૨) જ્યાં સુધી જમ્મુ-કાશ્મિર નો જનમત ન લેવાય ત્યાં સુધી આ રાજ્યને જીવન જરુરીયાતોની ચિજવસ્તુઓનો પુરવઠો પુરો પાડતા રહેવું.

(૩) પૂરા જમ્મુ-કાશ્મિર રાજ્યમાં (પીઓકે સહિતના રાજ્યમાં) ભારત પોતાના સુરક્ષા દળો રાખી શકશે જેથી કરીને ત્યાં જનમત લઈ શકાય.

(૪) પાકિસ્તાને કોઈપણ લશ્કરી કાર્યવાહી આ વિસ્તારમાં ન કરવી.

ભારતે પોતાના કબજા હેઠળના જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી ઢબે લોકમત લઈ લીધો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સર્વાનુમતે જમ્મુ-કાશ્મિરના રાજાએ કરેલ ભારત સાથેના જોડાણને માન્ય રાખ્યું છે. પીઓકેમાં આવું કશું થઈ શક્યું નથી.

પાકિસ્તાને યુનાના ઠરાવના બધા જ પ્ર્રાવધાનોનો છડે ચોક ભંગ જ કર્યો છે. આ બધું જ રેકોર્ડ ઉપર છે. પાકિસ્તાનને હવે જનમત માગવાનો કે કોઈપણ માગણી મુકવાનો હક્ક નથી અને આધાર નથી.

એક નહીં અનેક

નહેરુવીયન કોંગ્રેસે એક નહીં હજાર હિમાલય જેવડી ભૂલો કરી છે. “સિમલા કરાર” એક હિમાલય જેવડી ભૂલ છે. ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ હતી નહીં. ૧૯૭૧નું યુદ્ધ આપણું સૈન્ય જીત્યું. પાકિસ્તાનની બેવકુફી અને તેની તે વખતના યુદ્ધમાં ભૌગોલિક પરિસ્થિતિઓ જોતાં આ યુદ્ધ, ભારતે જીત્યા સિવાય છૂટકો પણ ન હતો.

ભારત માટે પાકિસ્તાન-ભારત વચ્ચેની બધી જ સમસ્યાઓના ભારત તરફી ઉકેલો માટે આ સમય એક શ્રેષ્ઠ સમય હતો. પણ ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ ન હોવાથી તેણે બધું જ ગુમાવ્યું. કાશ્મિરનો મુદ્દો તો ઉકેલાઈ જ ગયો હોત. તે વખતે કલમ ૩૫એ, કે કલમ ૩૭૦ કે તેથી પણ કંઈક વધુ મેળવી શકાયું હોત. ટૂંકમાં આપણે વંશવાદના અને એક હથ્થુ શાસનના બધા જ ગેરફાયદાઓ મેળવ્યા.

ભારત – પાકિસ્તાન વચ્ચે સિમલાની સમજૂતી કે જે પરસ્પર વાટાઘાટોની છે, તે કેટલી કારગત નિવડશે કે વ્યંઢ અને નિસ્ફળ જશે તેની સમજ એક રાજકીય વ્યક્તિ તરીકે ઇન્દિરા ગાંધીમાં હોવી જોઇએ તે ન હતી. પાકિસ્તાનની રચના જૂઠ અને હિંસાના સહારે થઈ છે તે વાત જે ન જાણતા હોય તે લોકોએ રાજકારણમાં રહેવું ન જોઇએ કે તેની વાત પણ ન કરવી જોઇએ.

ભારતની દૃષ્ટિએ ભારત-પાકિસ્તાન વચ્ચેની કાશ્મિર સમસ્યા ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મિર છે અને એમ જ હોવું જોઇએ.

એક વાત સમજવી જોઇએ કે અખંડ ભારતના બે ભાગ પડ્યા નથી. પણ કાયદેસર રીતે બ્રીટીશ ઈન્ડીયામાંથી બ્રીટીશે સૌ પ્રથમ પાકિસ્તાનનો પ્રદેશ સ્વતંત્રતા આપવા માટે છૂટો કર્યો. અને તેને સ્વતંત્રતા આપી. તે પછી ભારતને સ્વતંત્રતા આપી. જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતનો હિસ્સો છે. અને આ નિર્ણયને જમ્મુ-કાશ્મિર રાજ્યની જનતાની મંજૂરી છે. આ હકિકતને ઉવેખી ન શકાય. કાશ્મિર સાંસ્કૃતિક રીતે કે સામાજીક રીતે કે રાજકીય રીતે ભારતથી અલગ નથી. આ બાબતની પુષ્ટિ આપતા અનેક પુરાવાઓ છે.

ભારતના ભાગલા ધર્મને આધારે થયા હતા તેનો કોઈ કાયદાનો આધાર નથી. સુફી, શિયા, સુન્ની અને વહાબી … આ બધામાં આભ જમીનનો ફેર છે અને તેમને ઉભા રહ્યે ન બને જો તેમને એક જ પ્રદેશમાં રાખ્યા હોય તો.

કાશ્મિર સમસ્યા વિષે આપણા અમુક કટારીયા લેખકો તટસ્થના “ક્રેઝ”માં કશ્મિરમાં જે અશાંતિ છે તેને સામાજીક એટલે કે કાશ્મિરની જનતાની ભારત વિરોધી ભાવના તરીકે ઓળખાવે છે. આ બાબતની ચર્ચા આપણે “સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ” ના બ્લોગમાં આજ બ્લોગ સાઈટ ઉપર જોયું છે. તેથી જેમને શંકા હોય તેઓ તે બ્લોગ વાંચી જાય.

આ બધું તો ઠીક પણ કાશ્મિરની એટલે કે જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં જે અશાંતિ છે તે સમસ્યાનું નિવારણ શું?

નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે કાશ્મિરની અશાંતિ બીજેપી સરકારે અપનાવેલી નીતિ છે.

નહેરુવીયન કોંગ્રેસના કહેવા પ્રમાણે વાટાઘાટો દ્વારા કાશ્મિર સમસ્યાનું નિવારણ થઈ શકે.

નહેરુવીયન કોંગ્રેસ આતંકવાદી હુમલાઓ બાબતમાં મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસ, આતંકવાદીઓને પાકિસ્તાનમાંથી મળતા  ફંડ વિષે મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતા કાશ્મિરમાં રહેલા અલગતાવાદીઓ કાશ્મિરના યુવાનોને ઉશ્કેરે છે તે પ્રત્યે મૌન  છે.

નહેરુવીયન કોંગ્રેસ, જે કાશ્મિરીનેતાઓ હિંસાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉત્તેજે છે તે વિષે મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસનું એક માત્ર રટણ એ છે કે નરેન્દ્ર મોદીની નીતિઓએ કાશ્મિરની અશાંતિ ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ કાશ્મિરના અલગતાવાદીઓ અને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કાશ્મિરના અલગતાવાદી નેતાઓ સાથે “ઠહાકા મારીને” શી ચર્ચાઓ કરી હશે તે વિષે તેમણે ફોડ પાડ્યો નથી.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ટીવી ચેનલ ઉપર “અમારી જ્યારે સરકાર હતી ત્યારે અમે વાટાઘાટો કરતા હતા. તે વખતે કાશ્મિરમાં શાંતિ હતી. (જો શાંતિ લાવવી હોય તો) તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે..” એવું કહે છે.

ચાલો. આ બધું જવા દો. પણ શું નહેરુવીયન કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી ખરી?

ધારો કે માની લઈએ કે કાશ્મિરમાં શાંતિ હતી તો નહેરુવીયન કોંગ્રેસે કાશ્મિરી હિન્દુઓનું પુનર્વસન કેમ ન કર્યું?

FARUKH CULTURE

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસ માટે કાશ્મિરની સમસ્યાનું કશું નિવારણ છે જ નહીં. તેને તેમાં રસ જ નથી. તેમાં તેનો અને કાશ્મિરના સહયોગીઓનો સ્વાર્થ છે. પણ આવી સ્થિતિ સ્વપ્રમાણિત તટસ્થ મીડીયા મૂર્ધન્યોની ન હોવી જોઇએ જો તેમના મનમાં દેશનું હિત હોય તો..

પણ આમાં “બાર પુરબિયા અને તેર ચૉકા” ક્યાં આવ્યા?

અરે ભાઈ પ્રશ્ન એ છે કે “બાર પુરબિયા ને તેર ચૉકા”માં તેરમો ચૉકો કોનો?

નહેરુવીયન કોંગ્રેસ અત્યારે બાજપાઈની નીતિને અનુમોદન આપે છે. પણ જ્યારે બાજપાઈનું રાજ હતું ત્યારે બાજપાઈને સમર્થન આપ્યું ન હતું.

બાજપાઈની નીતિ હતી “ઇન્સાનિયત, કાશ્મિરીયત અને જંબુરીયત”

પ્રાસ સારો છે. વિચાર પણ સારો છે. પાડો તાલીઓ.

પણ શું કાશ્મિરમાં પ્રત્યક્ષ કે અને પરોક્ષરીતે અશાંતિ ફેલાવનારાઓને આ લાગુ પડે છે? તેમણે આ બાબતમાં કોઈ કદમ ઉઠાવ્યાં ખરા?

ઈન્સાનિયતઃ

સુરક્ષા દળો કે જેઓ આતંકવાદીઓ સાથે લડતા હોય તેમના કામમાં રુકાવટ કરવા અને તેમને ઈજા કરવા પત્થર મારો કરવો અને પેટ્રોલ બોંબ ફેંકવા, તે શું ઇન્સાનીયત છે?

કાશ્મિરી મુસ્લિમોએ ઉઘાડે છોગ, લાઉડસ્પીકરવાળા વાહનો ફેરવી ઘોષણાઓ દ્વારા, મસ્જીદોના લાઉડસ્પીકરોમાંથી ઘોષણાઓ દ્વારા, સમાચાર પત્રોમાં આવી જાહેરાતો દ્વારા, દિવાલો ઉપર અને દરેક હિન્દુ ઘરો ઉપર આવા પોસ્ટરો દ્વારા. હિન્દુઓને ધમકીઓ આપી કે સુનિશ્ચિત તારીખ સુધીમાં કાં તો મુસલમાન બનો અથવા તો ઘર છોડી ચાલ્યા જાવ. જો આવું નહીં કરો તો  તમારી કતલ થશે. પછી આ કાશ્મિરી મુસ્લિમોએ ૩૦૦૦+ હિન્દુઓને શોધી શોધીને. સીમાપારના આતંકીઓને ભરપૂર સાથ આપ્યો. આ બધા કુકર્મો શું ઈન્સાનિયત છે?

કાશ્મિરીયતઃ

કાશ્મિર શેના માટે પ્રખ્યાત હતું? કાશ્મિર તેની હિન્દુ સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્ય અને સુફી મત માટે પ્રખ્યાત હતું. હિન્દુઓને તો બેઘર કર્યા. જે ન ગયા તેમની કતલ કરી. એટલે હિન્દુઓ તો રહ્યા નહીં. તેમના અવશેષોને ધરાશાયી કર્યા. આ કંઈ સુફીવાદનું આવું લક્ષણ તો છે જ નહીં. એટલે સુફીવાદ તો રહ્યો જ નથી. અમરનાથ યાત્રીઓ ઉપર આતંકી હુમલાઓ કરવા એ શું કાશ્મિરીયત છે?

શું હિન્દુઓ ભારતમાં હજ ઉપર જતા યાત્રીઓ ઉપર હુમલાઓ કરે છે? હિન્દુઓ તો ઇન્સાનીયત અને દીનદારીયત જાળવતા રહ્યા. પણ કાશ્મિરી મુસ્લિમોની ઇન્સાનીયત અને દીનદારીયત ક્યાં રહી? તેમનામાં કાશ્મિરીયત રહી જ ક્યાં છે? પોતાના ગુન્હાઓની અને ભૂલોની સજાઓ ભોગવાની વાત તો જવા દો,  પણ પોતાના ગુનાઈત કુકર્મો  ઉપર પસ્તાવો પણ કરતા નથી. કાશ્મિરી હિન્દુઓના પુનર્વાસની તો વાત કરતા નથી. 

જંબુરીયતઃ

જંબુરીયત એટલે સુશાસન.

કાશ્મિરમાં અબજો રુપીયા ભારત સરકારે હોમ્યા. પૈસાદાર કોણ થયું? ફારુખ અબ્દુલા અને ઓમર અબ્દુલ્લા પૈસાદાર થયા. આજ ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાના શાસનમાં આતંકવાદ અને અલગતાવાદ ફુલ્યો ફાલ્યો. ફારુખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, એ નહેરુવીયન કોંગ્રેસનું ઔરસ/અનૌરસ અને વૈચારિક ફરજંદ છે. એટલે જ્યારે ફારુખ અબ્દુલ્લાની વાત કરીએ ત્યારે નહેરુવીયન કોંગ્રેસને સંલગ્ન ગણી લેવી.

આ ફારુખ અબ્દુલ્લા પોતાને નેતા (અહિંસક વ્યાખ્યા પ્રમાણે નેતા એટલે જનસેવક) માને છે. જનસેવક જો સત્તા ઉપર હોય તો તેનું કામ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાનું અને તેની સુરક્ષા કરવાનું હોય છે. જનસેવક જો સત્તા ઉપર ન હોય તો તેનું કામ જનતાની સમસ્યાઓને વાચા આપવાનું હોય છે.

પણ આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું?

૧૯૮૯ સુધી અલગતાવાદી બળોને નાથ્યા નહીં. તેઓ બળવત્તર બન્યા અને અસીમ રીતે હિંસક બન્યા ત્યારે આ ફારુખ અબ્દુલ્લાએ ગડગડતી મુકી અને  “યુ.કે.” જતા રહ્યા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે પાછા આવ્યા અને સત્તા સંભાળી. આ ફારુખ અબ્દુલ્લાએ હિન્દુઓના પુનર્વસન વિષે કશું જ ન કર્યું. ન કોઈ ગુનેગારની ઉપર કાયદેસર કામ ચલાવ્યું.

આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું? અમરનાથ શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાની બાબત કે જેમાં અમરનાથ યાત્રીઓની યાત્રા સુવિધાજનક કરવાની હતી. હેડ ઓફ ધ સ્ટેશની રુએ જમીનની માલિકી કાશ્મિરના ગવર્નરની રહે તે સહજ હતું. “હેડ ઓફ ધ સ્ટેટ” હિન્દુ કે કાશ્મિરી ન પણ હોઈ શકે. કારણ કે ગવર્નર તો બદલાતા રહે. આ આખી વાત ક્ષુલ્લક હતી. પણ આ ફારુખ અબ્દુલ્લાએ આ ક્ષુલ્લક બાબત ઉપર જંગ છેડ્યો હતો. કૂદી કૂદીને તેની વિરુદ્ધ બોલતો હતો.

કાશ્મિરની સુરક્ષાની જેના માથે જવાબદારી છે તે સુરક્ષા દળ જો એક પત્થરબાજને જીપ સાથે બાંધે તો કાશ્મિરના મુસ્લિમોને ધરતી રસાતાળ થતી લાગે છે. તેઓ હિન્દુઓના માનવીય હક્કો ની સદંતર અવગણના કરે છે. તેમને મન કાશ્મિરના હિન્દુઓની કતલેઆમ, હિન્દુઓને નિરાશ્રિત કરી પાયમાલ કરી, તેમના પુનર્વસનની સમસ્યા ઉપર ગુન્હાઈત અવગણના પચીસ પચીસ વર્ષ સુધી પણ કર્યા કર્યા કરવી એવી રાજપ્રેરિત અમાનવીયતા કરતાં એક મુસ્લિમ પત્થરબાજને જીપ સાથે બાંધ્યો તે વધુ અમાનવીય લાગે છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની માનસિકતા અને વલણને ફારુખ અને ઓમરની માનસિકતા સાથે ગણી લેવી.

કાશ્મિરમાં સીમાપારના આતંકવાદી મૂળીયાં નાખનાર નહેરુવીયન કોંગ્રેસની ફરજંદ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી સહિતની ઉચ્ચ નેતાગીરી અને તેમની ટૂંકી દૃષ્ટિ જવાબદાર છે. આ જવાબદારીમાંથી તેઓ કદી છટકી ન શકે.

તેરમો ચૉકો નહેરુવીયન કોંગ્રેસનો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ નવરા ધૂપ છે. લૂલીને છૂટ્ટી મુકી દો. “નાગે કુલે ફત્તેહખાં.”

આ બધું તો ખરું પણ કાશ્મિર સમસ્યાનો ઉકેલ શો?

જેઓ પોતાને રાષ્ટ્રવાદી માને છે તેમણે અલગતાવાદી નેતાઓને કાશ્મિરની સમસ્યા ઉપર હાથ જ મુકવા ન દેવો. જ્યારે તેઓ કંઈપણ ઉચ્ચારણ કરે, કે ન કરે ત્યારે પણ, તેમના ઉપર તેમના ઉપરોક્ત વર્ણિત ગુન્હાઈત કાર્યોને ઉજાગર કરતા રહેવું. આજ આપણો ધર્મ છે.

કાશ્મિરની સમસ્યા નરેન્દ્ર મોદી પોતાની રીતે ઉકેલશે.

પણ આ નહેરુવીયન કોંગી અને તેમના સાંસ્કૃતિક સાથીઓ જેમાં કેટલાક મીડીયા મૂર્ધન્યો પણ સમાવિષ્ઠ થઈ જાય છે તેમની ઉપર હમેશા વૈચારિક પ્રહારો કરતા રહેવું એ સુજ્ઞ લોકોનો ધર્મ છ

કાશ્મિર સમસ્યા વાસ્તવમાં કાશ્મિરના હિન્દુઓને પુનર્‍ સ્થાપિત કરી તેમના ઉપર અત્યાચાર કરનારાઓને જેલમાં પુરી કાયદેસર કામ ચલાવવું એ છે. જેઓએ આ કામ ન કર્યું તેમનો જવાબ માગતા રહેવું પડશે.

બાજપાઈ

બાજપાઈએ એવું માન્યું હતું કે ગુનેગારને ફુલ લઈને વધાવીશું તો તેનામાં સારપ ઉગી નિકળશે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી અગમ્ય હતા. તેઓ પોતાની રમતના પાના (પત્તાં) ખુલ્લા રાખતા હતા. પણ તેમના પાનાને કોઈ ઓળખી શકતું ન હતું. ગાધીજીનું દરેક પાનુ હુકમનો એક્કો બનતું હતું. કોંગ્રેસને આમજનતા માટે ખુલ્લી કરવાના પ્રસ્તાવને તે વખતના શિર્ષ નેતાઓ સમજી શક્યા ન હતા. સ્વદેશી અને સવિનય કાનૂનભંગને રવિન્દ્ર ટાગોર સહિતના મોટા નેતાઓ સમજી શક્યા ન હતા. અહિંસક માર્ગે આંદોલનને હજી સુધી નહેરુવીયન કોંગ્રેસ સહિત કોઈ સમજી શક્યું નથી.

નરેન્દ્ર મોદીઃ

જે સમસ્યા છે તેના અનેક પાસાં છે. આતંકવાદીઓ, ઘરના દુશ્મનો, કાશ્મિરની આર્થિક સમસ્યાઓ અને લઘુમતિ કે સ્થાનિક કક્ષાએ બહુમતિમાં હોય ત્યારે તેનામાં રહેતી માનસિક વૃત્તિની સામે કેવું વલણ અપનાવવું આવી અનેક મોરચાની આ લડાઇઓ છે.

નરેન્દ્ર મોદીમાં ગાંધીજી અને કૌટીલ્યનું મિશ્રણ છે. નરેન્દ્ર મોદીના પાનાંને સમજવા ભારતીય મુર્ધન્યો સક્ષમ નથી. જેણે સ્વકેન્દ્રી કેશુભાઈ અને રાજનીતિના ભિષ્મ ગણાતા અડવાણીને લડ્યાવગર જ પરાસ્ત કર્યા તેના શાસનના છૂટક છૂટક બનાવોને આઈસોલેશનમાં લઈ ટીકા કરવી અને તારવણીઓ કરવી સહેલી છે. પણ આવી તારવણી કરવાવાળા ઉંધા માથે પટકાયા છે.

MODI CUTS FARUKH

સુજ્ઞજનો માટે શ્રેય શું છે?

શ્રેય એ જ છે કે જેઓ કોમવાદી, જ્ઞાતિવાદી અને સ્વકેન્દ્રી છે તેમને ઉઘાડા પાડતા રહીએ.

હવે વિરોધપક્ષ રહ્યો નથી અને વિરોધ પક્ષ વગરનો શાસક પક્ષ સરમુખત્યાર થઈ જશે અથવા થઈ રહ્યો છે એવી ધારણાઓ કે એવા ફંફોળા કરી, જે કોઈ હાથવગો હોય તેને બિરદાવો એવા તારણ ઉપર આવવું એ આત્મઘાતી નિવડશે. મનમાંને મનમાં પરણવું અને મનમાં ને મનમાં રાંડવાનું બંધ કરવું પડશે.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક પક્ષો, તેના શિર્ષનેતાઓ સહિત, સિદ્ધ થયેલા ભ્રષ્ટ પક્ષો છે. નહેરુવીયન કોંગ્રેસે છ દાયકા રાજ્ય કર્યું. તો હાલના પક્ષને બે ટર્મ તો રાજ કરવા દો.

વડા પ્રધાનના સંતાન થયા એટલે વડા પ્રધાન તરીકેની આવડત આવી ગઈ, ખ્યાતિ મળી એટલે પક્ષ ચલાવવાની આવડત આવી ગઈ, આ રીતે સુંઠના ગાંગડે ગાંધી થવાતું નથી. વિરોધ પક્ષ કાળાંતરે આપોઆપ પેદા થશે.

પૉરો ખાવ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ બાર પુરબિયા અને તેર ચૉકા, હિન્દીભાષી, ભૈયાજી, પ્રોષિત ભર્તૃકા, મિયાંની દોડ, કહેવત, વાક્ય પ્રયોગ, ગુજરાતી ભાષા સમૃદ્ધ, કાશ્મિર, સમસ્યા, મુસ્લિમ, પાકિસ્તાન, યુનોનો ઠરાવ, સિમલા સમજુતિ, જનમત, લશ્કરી કાર્યવાહી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, હિમાલય જેવડી ભૂલ, ઇન્દિરા ગાંધી, લાંબી બુદ્ધિ, કલમ ૩૫એ, કલમ ૩૭૦, જમ્મુ-કાશ્મિર રાજ્ય, નહેરુવીયન કોંગ્રેસ, મૌન, ગુન્હાઈત, નરેન્દ્ર મોદીની નીતિ, શાંતિ, પુનર્વસન, ઇન્સાનીયત, કાશ્મિરીયત, જંબુરીયત, સુફી, વહાબી, સુન્ની, શિયા, ભ્રષ્ટ, જનસેવક, ફારુખ, ઓમર, સુરક્ષા, અમરનાથ શ્રાઈન બોર્ડ, સાંસ્કૃતિક સાથીઓ

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

તમે નિર્ણય કરો કે;

સંવેદશીલતામાં વૃદ્ધિ અને માનવીય વિકાસ એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

અહિંસા અને સંવેદનશીલતા એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?

યાદ રાખો, આપણે ધાર્મિક માન્યતાઓ પ્રેત્યેની સંવેદનશીલતાની વાત કરતા નથી.

અહિંસા વિષે ચોખવટ જરુરી છે. એક ડર થકી ઉત્પન્ન થતી અહિંસા અને બીજી છે સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા. ગાંધીબાપુની અહિંસા સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા હતી. અને તેને બૌદ્ધિક આધાર હતો.

હવે જેમ જેમ માનવ સમાજ માનસિક વિકાસના માર્ગે આગળ ધપતો ગયો તેમ તેમ તેની સંવેદનશીલતાનું વર્તુળ વધુ મોટું અને મોટું થતું ગયું.

પહેલાંના જમાનામાં રાજાઓ હતા. અને તેઓ કહે તે કાયદો ગણાતો. પણ પછી તેના ઉપર નિયમનો આવતા ગયા. પહેલા રાજસુય યજ્ઞો સારા ગણાતા. હવે ન ગણાય. હવે યુદ્ધો પણ સારા ગણાતા નથી. જો કે યુદ્ધો નિવારી શકાયા નથી. પણ યુદ્ધ નિવારવાના સામુહિક રાજકીય પ્રયત્નો થાય છે. ટૂંકમાં યુદ્ધ નિવારણ એ એક હિંસા નિવારણ તરફનું જ કદમ કહેવાય.

આપણે દંડને તદ્દન અનિવાર્ય માનીએ છીએ અને અનિવાર્ય માનીએ પણ છીએ. દંડ કરવો એ એક હિંસા છે. કારણ કે દંડનો હેતુ માનવના મનને સુધારવાનો છે. જો કોઈ એક માનવીના મનને સુધારવાના ઉપચારો હાથવગા ન હોય અને સરકાર માટે અતિ ખર્ચાળ હોય અને અથવા જનમત પણ પ્રબળ રીતે દંડને સ્વિકાર્ય માનતો હોય તો સરકાર દેહાંત દંડ પણ આપી શકે છે..

માનવ સમાજ વધુ ને વધુ અહિંસા અને સંવેદનશીલતા તરફ ગતિ કરતો થયો છે.

હવે જો સંવેદનશીલતાની વાત કરીએ તો સંવેદનશીલતા શા કારણે આવે છે? સંવેદનશીલતા લાગણીઓની નિકટતાને કારણે હોય છે. આપણા શરીરને કશું વાગે તો આપણને દુઃખ થાય.

સંવેદનશીલતા પ્રાણીઓમાં પણ હોય છે. જે પ્રાણીઓ આપણે પાળેલા હોય છે તેઓને જ્યારે આપણા દુઃખની ખબર પડે ત્યારે આપણા દુઃખે દુઃખી થતા હોય છે. પણ તેમનામાં મનુષ્ય જેવી બુદ્ધિ હોતી નથી તેથી તેમની સંવેદનશીલતાનું વર્તુળ મોટું થતું નથી.

જેની સાથે આપણે નિકટતા હોય તેને પણ કશું વાગે તો પણ આપણને દુઃખ થાય છે. આપણને જેની સાથે દુશ્મનાવટ ન હોય તેને પણ જો કશું વાગે તો આપણને થોડી ઘણી દુઃખની લાગણી થઈ શકે.

જો આપણો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો હોય, અને કોઈને પણ વાગ્યાનું આપણા ખ્યાલમાં આવે તો પણ આપણને દુઃખ લાગે. શારીરિક દુઃખની વિષે જેવું છે તેવું જ માનસિક દુઃખ વિષે છે.

આ સંવેદનશીલતાનું વર્તુળ માનવના માનસિક વિકાસની સાથે મોટું ને મોટું થતું જાય છે. બૌદ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ અને માનસિક વિકાસનો વેગ એક સરખો હોતો નથી. કારણ કે વિકાસ તો સામાજીક જરુરીયાતો ઉપર પણ અવલંબે છે. એટલે ગાંધીજીએ કહેલું કે જે લોકોએ વેદ અને ઉપનિષદ લખેલા તેઓ યાંત્રિક વિકાસ માટે સક્ષમ ન હતા તેમ માનવું જરુરી નથી. પણ તેઓ પર્યાવરણ અને માનવસમાજની તંદુરસ્તી બન્નેને એક્બીજાના પરિપેક્ષ્યમાં સમજી શકેલા.

સંવેદનશીલતાનું વર્તુળ કેટલું મોટું થઈ શકશે?

માણસના આહારની ટેવો આમ તો તમે જેવી પ્રેક્ટીસ પાડો તેવી પડે. “ભૂખ ન જુવે ભાખરી…” ગાંધીજી વિલાયત ગયા એટલે તેમને લાગ્યું કે આહારની ટેવો આપણે બદલી શકીએ છીએ.

ગાયને પણ રાંધેલુ માંસ ખાતી કરી શકાય છે. અને સિંહને પણ રોટલા ખાતો કરી શકાય છે. આલસેશ્યન કુતરો પણ રોટલા અને દૂધ ઉપર જીવી જાય છે. બિલાડી પણ અન્નાહાર કરે છે. કુતરા, બિલાડા, સિંહ, વાઘ વિગેરે એક જ કક્ષાના પ્રાણીઓ છે તમારે તેમને કેળવવા પડે.

હવે આપણા શરીર માટે શું જરુરી છે એ વાત આપણું શરીર પોતે જ કહે છે. આપણા માટે શાકાહાર જ યોગ્ય છે. માણસે અગ્નિની શોધ કરી તેથી અને શાકાહારના અભાવમાં તે માંસાહાર કરતો થયો. પણ જેમ જેમ તેની સંવેદનશીલતા વધતી ગયી તેમ તેમ તે અમૂક પ્રાણીઓને ત્યાજ્ય ગણતો ગયો. ભારતમાં ગાય ગણાઈ. ધીમે ધીમે જ્ઞાનીજનોએ સંપૂર્ણ શાકાહારની વાત કરી. શાકાહારમાં પણ અન્ન, ફળ, મૂળ અને પર્ણ ના ભેદ પડ્યા. મૂળમાં રનર-ટાઈપ મૂળ સ્વિકારાયા, કારણે કે તેમાં વનસ્પતીનો સંપૂર્ણ હ્રાસ થતો નથી. પણ પર્ણ ને રાત્રે ન તોડવા તેવું સ્વિકારાયું. ફળમાં રસાદાર ફળો સ્વિકારાયા. અને બીજ ને ફાલવા દેવું. અન્નને અગિયારસ, અને દેવ-સેવાના મુખ્ય તહેવારોમાં ન ખાવા તેની પાછળ પણ સંવેદન શીલતાનું ગણિત જ કામ કરે છે. જેમ મંગળવારે કે શનિવારે માંસાહારી લોકો પણ ભારતમાં માંસાહારને ત્યાજ્ય ગણે છે.

વાસ્તવમાં ક્યાંક તો અહિંસાની અને સંવેદનશીલતાની એક સીમા આવે જ છે. આપણે ગાય સાથે આત્મીયતા છે એટલે ગાય ખાતા નથી. યુરોપીયનોને કુતરા સાથે આત્મીયતા હોય છે તેથી તેઓ કુતરાને ખાતા નથી. કોણ કોની પ્રત્યે સંવેદનશીલ છે તે મહત્વનું હોય છે અને આખરે તે જ ભાગ ભજવે છે.

કૃતજ્ઞતા એ એક સંવેદનાનો હિસ્સો છે. ગોસૃષ્ટિના માનવજાત ઉપર ઉપકાર છે, વનસ્પતિ સૃષ્ટિના પણ માનવજાત ઉપર ઉપકાર છે, અને તેથી આપણે તેમની પણ પૂજા કરીએ છીએ અને તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ.અસ્ત્ર શસ્ત્રોની પણ આપણે પૂજા કરીએ છીએ. આ બધું આપણી સંવેદનશીલતાનું દ્યોતક છે. અને આની અંદર ઈશાવાસ્ય વૃત્તિ સાંસ્કૃતિક રીતે નિહિત છે. આપણા માનવા પ્રમાણે શસ્ત્રોમાં જીવ જ નથી. નદી, પર્વત, વૃક્ષો, સમૂદ્ર હવા પાણી વિગેરે અનેક પદાર્થો આપણી પાસે કદી કોઈ માગણી કરતા નથી. પણ આપણી સંસ્કૃતિમાં નિહિત ઈશાવસ્ય વૃત્તિને પરિણામે આપણી પ્રણાલીઓ સ્થપાઈ છે અને આપણે, કારણકે આપણે તેમના આધારે જીવીએ છીએ આપણે તેમના પર આપણી કૃતજ્ઞતા દર્શાવીએ છીએ.   .

હવે કરીએ કાયદાની વાત

કાયદો શું કહે છે?

युपीमें रहेना है तो कायदेसे रहेना होगा

પણ એ પહેલાં એ સમજી લઈએ કે ટીવી ચેનલોમાં ચર્ચા કેવી રીતે થાય છે.

પણ એ વાત કરીએ એ પહેલાં ઉત્તર પ્રદેશમાં શું થઈ રહ્યું છે તે જાણીએ.

ચૂંટણી થઈ અને ભારતીય જનતા પક્ષ પ્રચંડ બહુમતિ સાથે ચૂંટાઈ આવ્યો. ચૂંટણી વિશ્લેષકો, અક્ષરશાસ્ત્રીઓ, જ્યોતીષ શાસ્ત્રીઓ બધા જ ખોટા પડ્યા. આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી પદે આરુઢ થયા. જૈસે થે વાદીઓ અને ફરેબી ધર્મનિરપેક્ષતાવાદીઓના પેટમાં તેલ રેડાયું છે.  આદિત્યનાથ યોગી મોટી સંસ્થા ચલાવે છે. જેઓ સંસ્થા ચલાવતા હોય અને ૧૫ વર્ષથી લોક સભાના સભ્ય પણ હોય તેમને વહીવટ અને જનતંત્ર વિષે ગતાગમ હોય જ. એટલે તેમણે વહીવટી સપાટો બોલાવ્યો.

ગેરકાયદેસર કતલખાનાને તાળાં લાગ્યાં

Save Daughter Save Son

(with the curtsy of Cartoonist)

અત્યાર સુધીની સરકારો ખાસ કરીને સ.પા., બ.સ.પા. અને નહેરુવીયન કોંગ્રેસ સરકારો એવી હતી કે જે “જૈસે થે વાદ”, “હોતી હૈ ચલતી હૈ”, “યાર, અબ તો પૈસે બનાલો … ઇસસે અચ્છા મૌકા ફિર મિલે યા ન મિલે”, “અબે યાર, કાયદા હમે ક્યા કરેગા?”, “અબ મેરે ચાચા ડીએસપી હૈ… તુમ્હારી અબ ખૈર નહીં …”, “તુમ્હે ક્યા ચાહિયે વો બોલો ન … હમ તુમ્હે દિલા દેંગે …”, “અબ તો ઐશ હી ઐશ હૈ” બાબતોમાં ગળાડૂબ હતી. સમાચાર માધ્યમોના પણ આ જ સંસ્કારો હતા. મોટા ભાગના સમાચાર માધ્યમોના સંસ્કાર હજી પણ આવા જ છે.

ગેરકાયદેસર કતલખાના ચાલવા જોઇએ એવું કહેવાની ટીવી સંચાલકોની અને દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓની હિમત નથી. તેથી તેઓ ચર્ચા આડે માર્ગે લઈ જાય છે. આ સરકાર મુસ્લિમ વિરોધી અને કોમવાદી છે એવો પ્રચાર ચાલ્યા કરે છે. એક મુસ્લિમ ભાઈએ તો ચર્ચા દરમ્યાન કહ્યું પણ ખરું કે “અમે કતલખાનાના લાયસન્સના રીન્યુઅલ માટે જે અરજી આપેલી છે તેની ઉપર જુની સરકારે કેમ પેન્ડીંગ રાખી, તેની સાથે અમારે લેવા દેવા નથી પણ નવી સરકારે તેના ઉપર કેમ કાર્યવાહી કરી નથી તેનો તે જવાબ આપે.”

હવે તમે જાણી લો કે નવી સરકારને આવે હજી સાત દિવસ પણ થયા ન હતા તો પણ તેને વાંકમાં લેવાની યોગી-વિરોધીઓની વૃત્તિ બની ગઈ હતી. ચર્ચાના એંકરને તમે યોગીના પગલાના વિરોધીઓની ઉલટ તપાસ કરતા જોશો નહીં. કારણ કે તે સૌનો એજન્ડા “કાયદાના શાસનને” બહુમાન આપવાનો નથી, પણ યોગી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવા છે.

૨૦૧૦માં કતલખાના માટે નીતિ નિયમો નક્કી કરેલ છે

આ નીતિ નિયમો માટેનો પરિપત્ર કતલખાનાઓની અને જનતાની જાણકારી માટે આદિત્યનાથ યોગીની સરકારે પ્રસિદ્ધ કર્યો. તો સમાચાર માધ્યમોએ તેને એવી રીતે પ્રસિદ્ધિ આપી કે આ નીતિ નિયમો યોગી સરકારે જ ઘડ્યા છે. અને સમાચાર માધ્યમોએ એવી રીતે પ્રસિદ્ધિ આપવા માંડી કે આઆ નવા નિયમો એવા છે કે કોઈ પણ કતલખાનુ ચાલી શકશે નહીં. જો તમે આ નિયમ વાંચશો તો તેમાં કશું એવું નથી કે જેને અમલમાં મુકી ન શકાય. દુનિયાના બીજા બધા જ દેશોમાં આવા કે આનાથી વધુ કડક નીતિ નિયમો અમલમાં છે. પણ સમાચાર માધ્યમોના એવા સંસ્કાર નથી કે તેઓ આ નિયમો ઉપર ચર્ચા કરી શકે.

ટીવી એંકરો અને યોગી વિરોધીઓ “કાયદાના શાસનના” મુદ્દાને તો સ્પર્ષતા જ નથી. “ગેકાયદેસર ચાલતા કતલખાના” માંથી “ગેરકાયદેસર” શબ્દને ઉડાડી દેવામાં આવે છે અને સમગ્ર ચર્ચામાં આદિત્યનાથ યોગી કોમવાદી છે અને મુસ્લિમોને બેકાર કરવાનું આ કાવતરું છે, મુસ્લિમો ભૂખે મરશે, આ મુસ્લિમ વિરોધી છે કદમ છે એવી જ વાતો ચલાવે છે.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ અને ટીવીના એંકરભાઈ, વળી ચોર કોટવાળને દંડૅ એવી વાત કરે છે. બીજેપીવાળાને પુરું બોલવા જ ન દે. બીજેપી બંધારણના આદેશાત્મક જોગવાઈની વાત પૂરી કરે કે ન કરે ત્યાં તો તેમને એમ કહીને ઉતારી પાડે કે “ભારતીય બંધારણમાં તો ગૌ-વંશ માત્રની હત્યાની બંધી કરવાની જોગવાઈ છે. તમે માત્ર ગાય બળદની હત્યા બંધીને જ શા માટે પકડી રાખી છે? તમે બંધારણની હત્યા કરી છે.  તમને ભારતીય બંધારણ પ્રત્યે આદર જ નથી.”

સમજી લો ચર્ચા તો ફક્ત ગેરકાયદેસર ચાલતા કતલખાના ઉપર સરકારની તવાઈની છે. ચાલુ કાયદાનો અમલ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. અને બ.સ.પા. કરતા ન હતા. આ બધા પક્ષો આમ તો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને મનાવે છે. તો પણ પૈસા લઈને લાયસન્સો આપતા હતા, પૈસા લઈને લાયસન્સો રીન્યુ કરતા હતા. કતલખાનાવાળાઓ લાયસન્સ લીધા વગર પણ કતલ ખાના ચલાવતા હતા. તવાઈ તો આ બધા પક્ષો પર લાવવી જોઇએ અને એંકરે તે લોકોને ચર્ચા દરમ્યાન સકંજામાં લેવા જોઇએ. પણ સકંજામાં બીજેપીવાળા ભાઈને લેવામાં આવે છે. કારણ કે બીજેપી કાયદાનો અમલ કરે છે અને આ વાત જ નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા. ને કઠે છે.

રોડ-રોમીયાઓ ઉપર યોગી સરકારની લાલ આંખ પણ અભિષેક મનુ સિંઘવીની નહેરુવીયન કોંગ્રેસ, “લડકે હૈ ગલતી હો જાતી હૈ” કહેવાવાળા મુલાયમ ની સ.પા. ને પસંદ ન પડે તે સમજી શકાય તેમ છે પણ બ.સ.પા. ને શા માટે પસંદ ન પડે તે સમજી શકાતું નથી, એ સંશોધનનો વિષય છે. કદાચ એવું હોય કે “બાવો નાચ્યો એટલે બાવી નાચી”, “બીજેપીને ભાંડવાની વહેતી ગંગામાં હાથ ધોઈલો બાપલા” પણ આ બધી વાત આપણે નહીં કરીએ કારણ કે તે અહીં અપ્રસ્તૂત છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંવેદનશીલતા, માનવીય વિકાસ, અહિંસા, યુદ્ધ, દંડ, માનસિક, દેહાંતદંડ, દુઃખ, માનસિક વિકાસ, યાંત્રિક વિકાસ, ઉત્તર પ્રદેશ, આદિત્યનાથ યોગી, મુખ્ય મંત્રી પદ, જૈસે થે વાદીઓ, ધર્મનિરપેક્ષ, ગેરકાયદેસર કતલખાના, મુસ્લિમ, ભારતીય બંધારણ, લાયસન્સ, કાયદાનો અમલ, નહેરુવીયન કોંગ્રેસ, સ.પા. , બ.સ.પા.

Read Full Post »

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧

નાસ્તિકતાની ધૂન કે નાસ્તિકતાનો ઘમંડ? ભાગ-૧

આપણે જોઇએ છીએ કે અમુક લોકો ખાસ કરીને કેટલાક સુજ્ઞ હિન્દુ લોકો પ્રણાલીગત સામાજીક વિધિઓની ભરપૂર ટીકા કરે છે. કેટલાક વહેમ અને કેટલાક શાસ્ત્રોની પણ ટીકા કરે છે. હિન્દુ ધર્મમાં આ બધું શક્ય છે. કારણ કે હિન્દુ સમાજમાં આ બધું કરવાની છૂટ છે. અબ્રાહમિક ધર્મોમાં આવી છૂટ્ટી નથી. જો તેઓ આવી છૂટ્ટી રાખે તો અમુક ખ્રિસ્તી પાદરીઓના માનવા પ્રમાણે તેમના શબ્દોમાં તેમનો ધર્મ હિન્દુ થઈ જાય. કારણ કે જો તમે બધી બારીઓ ખૂલ્લી રાખો તો જે આપણે સવા હજાર કે બે હજાર વર્ષ થી જેનું જનત કર્યું છે તે તો ઉડી જ જાય.

ગઈ સદીના પૂર્વાર્ધના દશકાઓમાં હિન્દુ ધર્મમાં જે પ્રણાલીઓ પ્રચલિત હતી તેનું કોઈ તેનું હાલ નામોનિશાન રહ્યું નથી. અપવાદ રુપ છે જ્ઞાતિ પ્રથા. જ્ઞાતિ પ્રથા જે વાસ્તવમાં કામનું વિભાજન હતું તેમાં મધ્ય યુગમાં જે જડતા દાખલ થઈ ગયેલી તેનો આમ તો જો કે શરુઆતથી વિરોધ નોંધાયેલો છે. આપણું બંધારણ પણ તેને તે સ્વરુપમાં માન્યતા આપતું નથી. આ જ્ઞાતિપ્રથા હજી સંપૂર્ણ પણે નષ્ટ થઈ નથી. આપણા નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓનો જ્ઞાતિપ્રથા ચાલુ રાખવામાં રસ છે અને તેમનો તેમાં સિંહ ફાળો પણ છે. અબ્રાહમિક ધર્મના કેટલાક નેતાઓ અને નહેરુવીયન કોંગ્રેસના અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતાઓ આપણી જ્ઞાતિ પ્રથા સંપૂર્ણ નષ્ટ થઈ ન હોવાથી તેનો ભરપૂર આનંદ માણે છે.

સંસ્કૃતમાં એક શ્લોક છે

“ખલઃ સર્ષપમાત્રાણિ પરચ્છિદ્રાણિ પશ્યતિ,

આત્મનઃ બિલ્વમાત્રાણિ, પશ્યન્નપિ ન પશ્યતિ

એટલે કે જે દુર્જન હોય છે તે બીજાના સરસવના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે અને ટીકા કરે છે પણ પોતાના બીલા જેવડા મોટા દુર્ગુણોને જોવા છતાં પણ જોતો નથી. એટલે કે આ વાત જો અબ્રાહામિક ધર્મીઓને અથવા હિન્દુ ધર્મના સુધારાવાદીઓને લાગુ પાડીએ તો તેઓ પોતાના વિચારોમાં રહેલા બીલા જેવડા દુર્ગુણો જોતા નથી પણ હિન્દુ ધર્મના રાઈના દાણા જેવડા દુર્ગુણોને જુએ છે.

તમે કહેશો કે અબ્રાહમિક ધર્મીઓની વાતને તો જાણે સમજ્યા પણ આપણે હિન્દુ ધર્મના ટીકાકારોને આ વાત કેવી રીતે લાગુ પાડી શકીએ? તમે વળી એમ પણ કહેશો કે “શું હિન્દુ ધર્મમાં જ્ઞાતિ પ્રથાનું દુષણ પહાડ જેવું નથી?

which-part-of-god-can-be-inferior

હરિનો પીન્ડ અખા કોણ શુદ્ર?

તમારી વાત સાચી છે. જ્ઞાતિ પ્રથાનું દુષણ ગઈ સદીના પ્રારંભના દશકાઓમાં પહાડ જેવડું મોટું હતું. પણ હવે જો વાસ્તવમાં જોઇએ તો અત્યારે તે નાના ટેકરા જેવું જ રહ્યું છે. અને આ ટેકરાને બીલોરી કાચ દ્વારા જોવામાં આવી રહ્યું છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષો તેના આ નામભેદને નષ્ટ થતું અટકાવી રહ્યા છે. આ બધું છતાં પણ પણ તેના નાશને કોઈ રોકી શકવાનું નથી.

તમે કહેશો કે આપણા ધર્મની આપણે ટીકા કરીએ અને દુષણો દૂર કરીએ તો ખોટું શું છે? હા જી આ વાત ખરી છે. પણ આપણી ટીકા સાચી દીશા તરફની હોવી જોઇએ અને તેમાં પ્રમાણ ભાનની પ્રજ્ઞાનો અને પ્રાથમિકતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ.

કોઈ દાખલો આપશો?

(૧) મંદિરો આડે ધડ વધી રહ્યા છે. એટલું જ નહીં ગેરકાયદેસર મંદિરોનો રાફડો ફાટ્યો છે. મંદિર એક ધંધો બની ગયો છે.

હા જી આ વાત સાચી છે. પણ કેરાલા, તામિલનાડુ અને કાશ્મિરમાં આ વાત મસ્જીદોને અને ચર્ચોને પણ લાગુ પડે છે. જો કે આ આડેધડ થતા મંદિરોનો બચાવ નથી. હિન્દુ મંદિરોને તોડવા જોઇએ સાથે સાથે ચર્ચો અને મસ્જીદોને પણ તોડવા જોઇએ. આ બધું કોઈ પણ ભોગે થવું જોઇએ. જો હિન્દુ મંદિરો તૂટી શકશે તો મસ્જીદો અને ચર્ચો પણ તૂટી શકશે. જે પણ કોઈ મંદિર ૧૯૪૭ પછી “વિધિ પૂર્વકની પ્રતિષ્ઠા” વગર થયું હોય તેને તોડવું જ જોઇએ.  તેમજ જે મંદિર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોય તેને પણ તોડવું જોઇએ. ગેરકાયદેસરનો અર્થ છે કે “માલિકીના હક્ક વગર” થયેલું મંદિર.

(૨) ધાર્મિક વિધિઓ પાછળ થતો બેસુમાર ખર્ચ

દા.ત. લગ્નમાં વર કન્યા વિગેરેનો શણગાર, જમણવાર, સંગિત નૃત્યના જલસા, ફટાકડાઓ ફોડવા અને તે પણ રસ્તા વચ્ચે, વરઘોડો, લાઉડસ્પીકરો ઉપર ધ્વનિ પ્રદૂષણ ફેલાવવું આ બધા ખર્ચાઓ બેસુમાર છે.

yajna

સમજી લો આ બધા ખર્ચાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. આ બધો અમુક લોકો પાસે રહેલા પૈસાનો અતિરેક અને અથવા કાળાંનાણાંનો ભરાવો બોલે છે. આયકર વિભાગે આની તપાસ કરવી જોઇએ. અને તેમની પાસેથી દંડ વસુલ કરી શકાય જો તેમના આવકના શ્રોત કરતાં વધુ ખર્ચ કર્યો હોય તો. તેમજ સરકાર આવા લગ્નના ખર્ચાઓ પર ટેક્ષ નાખી શકે. એટલે કે લગ્નના ખર્ચાને આવકમાં ગણી તેના ઉપર ટેક્ષની ગણત્રી કરવી જોઇએ.

ધ્વનિ પ્રદુષણ માટે દંડાત્મક જોગવાઈઓ છે.

(૩) મંદિરો ઉપર સોના ચાંદી નો ચઢાવ મઢાવ, અન્નકૂટ, રથ યાત્રાઓ, દ્વવ્યના આવા અનેક બગાડ થાય છે. આનો શો જવાબ છે?

ધારો કે કોઈ તમારી પાસે આવે અને વિનંતિ કરે કે તમે તેને પૈસા આપો,

ધારો કે બીજો કોઈ તમારી પાસે આવીને દંડવિધાન દ્વારા પૈસા માગે,

ધારો કે આ બંને તમારી પાસેથી લીધેલા પૈસાનો એક સમાન રીતે જ બગાડ કરે,

એટલું જ નહીં પણ જે બીજાએ તમારી પાસેથી દંડવિધાન દ્વારા ફરજીયાત રીતે, અને બહુ વ્યાપક રીતે પૈસા ઉઘરાવ્યા છે અને વધુ પૈસા ઉઘરાવ્યા છે અને વધુ બગાડ કર્યો છે,

તો તમે તમારી પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ કરીને કયા બગાડને દૂર કરવાની પ્રાથમિકતા આપશો?

તમે ચોક્કસ કહેશો કે પ્રાથમિકતા તો જે પૈસા ફરજીયાત રીતે ઉઘરાવ્યા છે તેને જ આપી શકાય. અને લડત પણ તેની સામે જ હોય. કારણ કે જેણે વિનંતિ કરીને પૈસા ઉઘરાવ્યા છે અને અથવા અમે સ્વેચ્છાએ આપ્યા છે તે તો ગુનો બની જ ન શકે. તમારી મુનસફ્ફીની વાત છે કે તમે પૈસા આપો કે ન આપો. પણ દંડવિધાન દ્વારા જેણે પૈસા ઉઘરાવ્યા છે તેને તો જેલમાં જ પુરવો જોઇએ.

તો હવે તમે જુઓ;

તમે અનેક જાતના કરવેરાઓ ભરો છો. તે બધા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફરજીયાત રીતે ઉઘરાવાય છે. આ પૈસાનો એક પ્રમાણ પાત્ર હિસ્સો રાષ્ટ્ર પ્રમુખની, મંત્રીઓની, જનપ્રતિનિધિઓની સુવિધાઓ, સગવડો, રાહતો, રખરખાવ, ભત્થા પાછળ ખર્ચાય છે. આ ઉપરાંત રાજકીય પક્ષો ટેક્ષમાં રાહતો મેળવે છે. આ રાહતો પણ તમારી ઉપરના પરોક્ષ કરવેરા બરાબર જ છે. જનપ્રતિનિધિઓ તો કશી ફરજો પણ બજાવતા નથી. કેટલાક પક્ષના જેમકે નહેરુવીયન કોંગ્રેસના જનપ્રતિનિધિઓ સભાઓમાં કામ ન થાય તે પ્રમાણે કૃતનિશ્ચયી હોય તેમ જ વર્તે છે. આ લોકો ઉપર તો તમે ડીસીપ્લીનરી એક્શન પણ લઈ શકતા નથી. તે છતાં તેમને ભરપૂર વેતન જ નહીં નિવૃત્તિ વેતન પણ આપવામાં આવે છે. આનો તમે હિસાબ માંડ્યો છે? આનો વિરોધ કરવા તમે આદુ ખાઈને પાછળ પડ્યા છો ખરા?

તમે કહેશો કે આ તો રાજકારણ છે. રાજકારણની તો વાત જ અલગ છે. રાજકારણ એ અમારો વિષય નથી. અમે તો સમાજસુધારકો છીએ. એટલે સમાજની કુટેવોમાંજ ઘોંચપરોણા કરીશું. રાજકારણ તો ગંદુ છે. અમે તેમાં પડવા માગતા નથી.

house-of-president

તો હવે તમને કહેવામાં આવે છે કે તમારે તો રંગમંચ (સ્ટેજ) ઉપર જ નૃત્ય કરવું છે. કારણ કે અહીં પ્રેક્ષકો હાજરાહજુર છે. તમે સુરક્ષિત છો. આ બધું જવા દો. તમારામાં પ્રાથમિકતાની પ્રજ્ઞાનો અભાવ છે. તમે દરવાજા મોકળા રાખવામાં માનો છો અને ખાળે ડૂચા મારવાની વાતો કરો છો. તમે એક વાત સમજી લો કે રાજ્ય શાસ્ત્ર પણ સમાજશાસ્ત્રમાં જ આવી જાય. જે ભેદ પાડવામાં આવ્યા છે તે તો જ્ઞાન પ્રાપ્તિની સુવિધા માટે પાડવામાં આવ્યા છે.

તમે કહેશો … અરે ભાઈ તમે આ શું માંડી છે? સુધારણાના અને પ્રગતિના અનેક ક્ષેત્રો છે. ધારો કે રાજકીય ક્ષેત્રમાં વધારે બગાડ છે અને સામાજીક ક્ષેત્રમાં ઓછો બગાડ છે. પણ રાજકીય ક્ષેત્રના વધુ બગાડના ઓઠા હેઠળ, સામાજીક ક્ષેત્રના બગાડનો બચાવ તો ન જ થઈ શકાયને?

હા જી તમારી વાત ખરી છે. પણ જો તમે રાજકીય પક્ષોના અનાચારને પ્રાથમિકતા ન આપો અને જ્યાં પૈસા સ્વેચ્છાએ અપાયા છે અને ખર્ચાયા છે તેની જ તમે “હોલીઅર ધેન ધાઉ” થઈને ટીકા કર્યા કરો તો તમારે સમજવું કે તમે આ અધિકાર ગુમાવી દીધો છે. અલબત્ત નૈતિક અધિકાર જ ગુમાવ્યો છે. બાકી આમ તો લોકશાહીમાં સૌને બીજાના કાયદેસરના અધિકારને નુકશાન કર્યા વગર બેફામ બોલવાનો અધિકાર છો.

તો ચલાવો તમારી વાત આગળ

rudrabhisheka

(૪) શિવલિંગ ઉપર દૂધ, દહીં,ઘી, મધ દ્વારા થતો અભિષેક, બારમા તેરમાની ક્રિયાઓ અને તેમાં થતા જમણવારો, ભાગવત સપ્તાહ, રામાયણ, સત્યનારાયણ અને એવી જ ઘીસીપીટી કથાઓના પારાયણો, ખોટા ખોટા યજ્ઞો અને આહુતિઓ દ્વારા થતા ધાન્યનો થતો વ્યય, જ્યોતિષ શાસ્ત્રીની ભવિષ્યવાણીઓ અને વાસ્તુશાસ્ત્રના ધત્તીંગો, વહેમોનું પાલન, તેના અવનવા નુસખાઓ જેમ કે માછલીઓ રાખવી, મની પ્લાંટ રાખવા, કાચબાઓ, શંખલાઓ, છીપલાંઓ રાખવા … આસ્તિકતાએ તો દેશનું નક્ખોદ વાળ્યું છે. આ બધું ક્યારે બંધ થશે?

તો હવે સમજી લો, આસ્તિકતા, નાસ્તિકતા, સમાજીક રીતરસમો, શાસ્ત્રો, આ બધું શું છે? જિંદગી શું છે? જીંદગી શા માટે છે? ઈશ્વર, આત્મા, કુદરતી શક્તિઓ અને તેના નિયમો, વિશ્વ કે બ્ર્હ્માણ્ડનો અભ્યાસ શા માટે?

આસ્તિક એટલે શું? નાસ્તિક એટલે શું?

આ બધાની વિષે વિસ્તૃત ચર્ચા “અદ્વૈતની માયાજાળ”માં કરવામાં આવી છે. જેને તેમાં રસ હોય તે આજ બ્લોગ સાઈટમાં તે વાંચે.

અહીં થોડું તેનું પુનરાવર્તન કરવું પડશે.

“અસ્તિ ઇતિ કથયતિ સઃ આસ્તિકઃ, (જે “છે” એમ કહે છે તે આસ્તિક)

ન અસ્તિ ઇતિ કથયતિ સઃ નાસ્તિકઃ (જે “નથી” એમ કહે છે તે નાસ્તિક)

પણ કોણ છે અને કોણ નથી? ઈશ્વર કે આત્મા કે બંને? ત્રીજું કોઈ છે?

હા ત્રીજું અસ્તિત્વ છે તે અસ્તિત્વ બ્રહ્માણ્ડનું છે. આ બ્ર્હ્માણ્ડ તો આપણને દેખાય જ છે. એટલે તેના અસ્તિત્વનો સવાલ જ નથી. પણ જો આત્મા જ ન હોય તો? જો ચંદ્રને જોનારો જ કોઈ ન હોય તો ચન્દ્રના અસ્તિત્વનો અર્થ શો? અથવા તો તેનું અસ્તિત્વ કોણ નક્કી કરશે? જો સુર અને સ્વર જ ન હોય તો સંગીતનું અસ્તિત્વ હોય ખરું?

આત્મા છે ખરો? આત્મા આપણને દેખાતો નથી. પણ આપણે છીએ, અને આત્માના અસ્તિત્વની હકિકતને આપણે અનુભવી શકીએ છીએ. તેથી તે છે એમ માની લઈએ. તો પછી બચ્યા કોણ?

બાકી બચ્યા તે ઈશ્વર.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

નાસ્તિક, આસ્તિક, ધૂન, ઘમંડ, સામાજીક વિધિઓ, પ્રણાલી, વહેમ, હિન્દુધર્મ, અબ્રહમિક ધર્મો, ખ્રિસ્તી, મુસ્લિમ, નહેરુવીયન કોંગ્રેસ, સાંસ્કૃતિક સાથી પક્ષ, જ્ઞાતિ પ્રથા, દુર્જન, સરસવના દાણા, બિલા જેવડા, પ્રાથમિકતાની પ્રજ્ઞા, પ્રમાણભાનની પ્રજ્ઞા, મંદિર, તામિલનાડુ, કાશ્મિર, મસ્જિદ, પ્રતિષ્ઠા, લગ્ન, જમણવાર, ધ્વનિ પ્રદુષણ, રાષ્ટ્ર પ્રમુખ, મંત્રી, જનપ્રતિનિધિ, ડીસીપ્લીનરી એક્શન, નિવૃત્તિ વેતન, સમાજસુધારક, રાજકારણ, રાજ્ય શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, હોલીઅર ધેન ધાઉ, યજ્ઞો, આહુતિઓ, જ્યોતિષ, માછલી, મની પ્લાંટ, કાચબા, શંખલા, છીપલાં, બ્ર્હ્માણ્ડનો અભ્યાસ

Read Full Post »

હિન્દુઓ ૧૦ સંતાનો ઉત્પન્ન કરે: એક ચર્ચા

હિન્દુઓ ૧૦ સંતાનો ઉત્પન્ન કરે
જ્યારે ભારતની વાત કરીયે અને તેમાં પણ ભારતમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તિ એ ત્રણ ધર્મને સાંકળતી અને વસ્તી વધારાના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેને એકાંગી રીતે ન વિચારી શકાય. આ બાબતને તેની સમગ્રતા જોવી જોઇએ.

હિન્દુધર્મના નેતાઓ

જો ભારતમાં મુસ્લિમ વસ્તીવધારાની વાત કરીએ અને મુસ્લિમ આક્રમણની વાત કરીએ તો આ મુસ્લિમ આક્રમણને પણ વસ્તીવધારાના સંદર્ભ પુરતું મર્યાદિત રાખવું જોઇએ. લવ જેહાદને વસ્તીવધારા સાથે સાંકળી ન શકાય. લવ જેહાદ અલગ વિષય છે.
જે હિન્દુ નેતાઓ મુસ્લિમ વસ્તીવધારા રુપી આક્રમણની વાત કરે છે અને તેઓને આપણે ખોટા પાડવા છે તો તેમની પ્રત્યે પૂર્વગ્રહ રાખીને અને પરોક્ષ રીતે નિમ્ન દર્શાવીને ચર્ચા ન ચલાવવી જોઇએ.
આપણે સહુ જાણીએ જ છીએ કે કે જેને આપણે પ્રણાલીગત રીતે હિન્દુ ધર્મ કહીએ છીએ તેને એવા કોઈ ધર્મગુરુ નથી કે તેઓશ્રી જે કંઈ કહે તે હિન્દુ ધર્મનું ફરમાન છે એવું સ્વિકારવામાં આવે. વળી આ નેતાઓને “હિન્દુઓના કહેવાતા નેતાઓ” એમ કહીને ઉલ્લેખવા તે પણ તેમની પ્રત્યેની અવમાનના જ સૂચવે છે. વિવેચકની એક પૂર્વગ્રહવાળું તારણ કાઢવાની મનોવૃત્તિ હોય તેવું પણ ફલિત થાય છે. વિવેચકની અવિશ્વસનીયતા પણ ઉભી થાય છે. આ હિન્દુ નેતાઓ તેઓ જે કંઈ છે અને જેવા છે તેવા રાખીને ઉપરોક્ત જેવું કશું કહ્યા વગર તેમના વક્તવ્યની ગુણદોષના આધાર ઉપર ચર્ચા કરીએ તો તે યોગ્ય ગણાશે.

ખ્રિસ્તીઓ અને મુસલમાનો

ખ્રિસ્તીઓએ અને મુસલમાનોના શાસકોએ મધ્યકાલિન અને તાજેતરના ભૂતકાળમાં શું કર્યું તે પેઢીઓને ભૂલી જઈએ તો તે સાવ અયોગ્ય નહીં ગણાય. છેલ્લા સો વર્ષની તવારિખ જ ને જ ધ્યાનમાં રાખીશું. અને શો બદલાવ આવ્યો છે અને તે બદલાવની ઝડપ શું છે. ભવિષ્યમાં આ બદલાવની ઝડપ શું અંદાજી શકાય તે વિષે વિચારવું પડશે.

ખ્રિસ્તીઓમાં ફક્ત ધર્મ ગુરુઓ જ પછાત રહ્યા છે કે જેઓ એમ માને છે કે વિશ્વને આખાને ખ્રિસ્તી કરી દેવું જોઇએ એ ઈશ્વરનો આદેશ છે. ખ્રિસ્તી ધર્મ એક સુગ્રથિત બંધારણવાળો ધર્મ છે અને પૉપ જે કહે તેને અંતિમ કહેવાય. વળી તેની પાસે મોટું ફંડ છે. સરકારોનું તેને પીઠબળ હોય છે. એટલે જે ખ્રિસ્તી સરકારો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને વિશ્વને મનાવે છે, પણ જ્યારે તેમને જરુર પડે તેમના ધર્મસંસ્થાઓ દ્વારા બીજા દેશોમાં થતી બળજબરી બાબતે આંખ મિંચામણા કરે છે. સમાચાર માધ્યમો આવી બાબતોને ચગાવવામાં માનતા નથી.

ખ્રિસ્તી અને મુસ્લિમ આતંકવાદ
ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો એક જ છે. મુસ્લિમોમાં એક વધારાનું તત્વ છે તે એ કે તેનો વિસ્તીર્ણ આતંકવાદ. આમ તો ખ્રિસ્તીઓનો પણ ખ્રિસ્તિ ધર્મગુરુઓના પ્રત્યક્ષ અને પરોક્ષ સહાકર દ્વારા પોષાતો આતંકવાદ છે પણ તે છૂટક છૂટક છે. ખ્રિસ્તીઓનો આ આતંકવાદ તમે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં મોટા પાયે અને કેરાલા, તામિલનાડુ અને ઓરિસ્સામાં છૂટો છવાયો જોઈ શકો છે. પણ આની નોંધ લેવાતી નથી આના ઘણા કારણો છે. પણ તેની ચર્ચા નહીં કરીએ કારણ કે તેની ચર્ચા એક વિષયાંતર થઈ જશે.

મુસ્લિમો પુરતી ચર્ચા મર્યાદિત રાખીએ તો હિન્દુ નેતાઓની વાત સાવ નાખી દેવા જેવી નથી. હિન્દુઓ નેતાઓ જે વાત કરે છે તે કંઈ તેમનું આગવું સંશોધન નથી. ભારત સહિત આખા વિશ્વમાં મુસ્લિમ વસ્તી વધારા સામે એક સમસ્યા રુપી પ્રશ્નચિન્હ ઉત્પન્ન થયું છે. આપણા કેટલાક સુજ્ઞ લોકો કદાચ આનાથી માહિતગાર ન પણ હોય અને કદાચ હોય તો પણ તેમને કોઈપણ કારણસર તે વાતને લિપ્ત ન પણ કરવી હોય.

DO NOT DEMAND HUMAN RIGHTS

સાંપ્રત સામાજીક અને રાજકીય માનસિકતા

ભારતની સાંપ્રત સામાજીક અને રાજકીય માનસિકતાના સંદર્ભને અવગણીને આપણે જો કોઈ તારતમ્ય ઉપર આવીશું તો તે યોગ્ય ગણાશે નહીં. એટલું જ નહી પણ સાંપ્રત વિશ્વ આખાની સામાજીક અને રાજકીય માનસિકતાના સંદર્ભોને પણ લક્ષમાં લેવા પડશે. જાપાન, ચીન અને ઓસ્ટ્રેલીયા આ બાબતમાં શું વિચારે છે? અને શા માટે વિચારે છે? તેમના નાગરિક કાયદાઓ શું છે, અને આપણા કેવા છે તે બધું પણ લક્ષમાં લેવું પડશે. મુસ્લિમ દેશો કે જ્યાં મુસ્લિમો બહુમતિમાં છે ત્યાં વિધર્મ અને વિધર્મીઓની સ્થિતિ શું હતી અને શું છે? આ બધું એટલા માટે સંદર્ભમાં લેવું પડે કારણ કે પ્રસાર માધ્યમના કારણે વિશ્વ નાનું ને નાનું બનતું જાય છે. આવે સમયે આપણે છૂટક આંકડાઓ દ્વારા ભ્રમ ઉત્પન્ન કરીએ તે યોગ્ય નહીં ગણાય. જે પ્રત્યક્ષ છે તે સત્ય છે. કશ્મિરી હિન્દુઓ તંબુઓમાં છે તે સત્ય છે. ઉત્તર-પૂર્વ રાજ્યોમાં હિન્દુઓ નામશેષ છે તે સત્ય છે.
હિન્દુ નેતાઓ, સર્વમાન્ય હિન્દુ નેતા હોય કે ન હોય તે ચર્ચાનો વિષય નથી. વાસ્તવમાં તેઓ પણ ભારતના નાગરિક છે અને નાગરિક તરીકે તેઓ પોતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર ભોગવી શકે છે. આ સંદર્ભમાં તેમને મુલવવા જોઇએ.

આપણા હિન્દુ નેતાઓએ તો મુસ્લિમવસ્તી વિસ્ફોટને જીરવવા માટે એક રસ્તો પ્રસ્તુત કર્યો. પણ તેમનો હેતુ શું છે અને શા માટે આવો રસ્તો બતાવ્યો તે તેમણે છૂપાવ્યું નથી અને આપણે તેમની આ વાત છૂપાવવી ન જોઇએ. ચર્ચા કરવી હોય તો સમસ્યાને સમગ્રતામાં મુલવવી જોઇએ.

મુસ્લિમો તરફ થી આપણને શો ભય છે?
જ્યાં મુસ્લિમો તદન અલ્પમતમાં છે ત્યાં તેઓ તાબે થાય છે. જ્યાં તેઓ નગણ્ય નથી ત્યાં તેઓ વિશેષ અધિકારો માગ્યા કરે છે. જ્યાં તેઓ બહુમતિમાં છે ત્યાં તેઓ બળજબરી કરે છે અને પરધર્મીઓને કાં તો ધર્મ પરિવર્તન કરાવે છે અથવા તો તેમને નષ્ટ કરે છે. આના તાજા ઉદાહરણો મોટી માત્રામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાન, બંગ્લાદેશ અને કશ્મિરમાં હિન્દુઓ કેટલા હતા? હવે કેટલા છે? જો આ સંદર્ભને તમે અવગણશો તો તમે માનવધર્મની જ અવગણના જ કરી ગણાશે.

ગરીબી અને નિરક્ષરતા બચાવ નથી
મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતાવાળી માનસિકતા શું નિરક્ષરતા અને ગરીબી છે? જો આપણે એમ માનતા હોઇએ કે મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતા અને વસ્તીવધારાનું મૂળ મુસ્લિમોની નિરક્ષરતા અને ગરીબી છે તો તે આપણી જાત સાથેની એક છેતરપીંડી ગણાશે. જો આમ હોત તો યુરોપના દેશો પોતાના દેશોમાં મુસ્લિમોના વસ્તીવિસ્ફોટને સમસ્યા ન માનતા હોત. અને સાઉદી અરેબિયામાં કે બીજા વિકસિત અને સુશિક્ષિત દેશોમાં ધર્મનિરપેક્ષતા પ્રસરી ગઈ હોત. પણ તેમ થયું નથી.

પ્રત્યાઘાતને સમજો
હિન્દુ નેતાઓએ ૧૦ બાળકો પેદા કરવાની જે વાત કરી તે વાતને પકડીને તે વાતને બીજા સંદર્ભોથી અલિપ્ત રાખીને ૧૦ બાળકોની વાતને જ આપણે નિશાન બનાવીએ તે બરાબર નથી. મુસ્લિમ વસ્તી બે રીતે વધે છે. એક છે મોટા પાયે થતી વિદેશી ઘુસણખોરી અને બીજી છે તેમનો સ્થાનિક વસ્તી વિસ્ફોટ. ત્રીજું પણ એક કારણ છે તે છે તેમનો અલગ નાગરિક કાયદો. આ નાગરિક કાયદા હેઠળ તમે તેમને લાભ આપી શકો પણ તેમને નાગરિક લાભોથી વંચિત ન કરી શકો. એટલે જો તેમની વસ્તી વધે તો દેખીતી રીતે જ ગરીબી પણ વધે અને ગરીબી વધે એટલે સરકાર મુસ્લિમોની અવગણના કરે છે તેમ પણ આંકડાઓ દ્વારા ફલિત થાય. તમારે તમારી મુસ્લિમ નાગરિક કૂટનીતિઓ દ્વારા ઉભી કરેલી ગરીબી રાહતો જાહેર કરવી પડે. આ રાહતોના નાણાં તમારે સામાન્ય નાગરિક નિધિ (પબ્લીકફંડ)માંથી ફાળવવા પડે. વિકાસના કામોમાં એટલો ઘાટો પહોંચે અને એટલે ગરીબી વધે. આમ એક વિષચક્ર ચાલ્યા કરે.

તો શું હિન્દુઓ ૧૦ બાળકો ઉત્પન્ન કરે તે યોગ્ય છે?
વાસ્તવમાં હિન્દુઓની આ એક પ્રતિક્રિયા છે.
પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનને અન્યાય કર્યો એટલે બંગાળીભાષી મુસ્લિમોએ પ્રતિકાર કર્યો. તેના પ્રતિકાર રુપે પાકિસ્તાની સરકારે હિન્દુઓને અને અ-બંગાળી મુસ્લિમોને બંગાળમાંથી ખદેડ્યા. પાડાને વાંકે પખાલીને ડામ દેવાયો. પૂર્વ ભારતમાં અરાજકતા ફેલાઈ એટલે જનાક્રોષ થયો અને ભારત ઉપર યુદ્ધ લદાયું. આ યુદ્ધ ભારત જીત્યું એટલે કે પાકિસ્તાન ૧૯૭૧નું યુદ્ધ હાર્યું. ભારતીય લશ્કર ગમે તેવું મજબુત હોય. પણ ભારતીય અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ સ્વકેન્દ્રી હોય છે. તેઓ પાકિસ્તાન માટે સોફ્ટ ટાર્જેટ હોય છે. એટલે સિમલા કરાર દ્વારા ઈન્દીરા ગાંધીને મૂર્ખ બનાવી, ગુમાવેલું બધું પાછું મેળવી લીધું. પણ લશ્કરી હાર તો હાર હતી અને પાકિસ્તાની લશ્કર તે હાર જીરવી ન શક્યું. એટલે પાકિસ્તાની લશ્કરે તેની ગુપ્તચર સંસ્થા અને રશીયા-અમેરિકાના ઠંડાયુદ્ધની સમાપ્તિએ ફાજલ પડેલા આતંકી સંગઠનોની મીલી ભગતે પ્રત્યાઘાત તરીકે આતંકવાદ ચાલુ કર્યો. પહેલું ભક્ષ્ય કશ્મિરને બનાવ્યું. ત્યાં હિન્દુઓને ખુલ્લે આમ ધમકીઓ આપી ૩૦૦૦ હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા. સાતલાખ હિન્દુઓને ભગાડ્યા. કશ્મિરની સરકારે અને ભારતની દંભી સેક્યુલર સરકારે પણ આંખ મીંચામણા કર્યા. હિન્દુઓ માટે આ અન્યાય થયો. એક મસ્જીદ તૂટી. એની સામે હજાર મંદીરો તૂટ્યા અને આતંકવાદીઓએ હજારોને મરણને શરણ કર્યા. એક રેલ્વે કોચને ઘેરીને સળગાવ્યો અને હિન્દુઓને જીવતા સળગાવ્યા. ગુજરાતમાં દંગાઓ થયા. મુસ્લિમો વધુ મર્યા. પછી તો મુસ્લિમોએ અનેક જગ્યાએ બોંબબ્લાસ્ટ કર્યા અને હ્જારો માણસ મર્યા.
મૂળ વાત જે હતી તે બંગ્લાભાષીઓને ૧૯૫૬થી કે તે પહેલાંથી થયેલા અન્યાયની હતી. તેમાં પાકિસ્તાનોના હિન્દુઓનો અને બીનબાંગ્લાભાષી મુસ્લિમોની ઉપરાંત પડોશી દેશ ભારતનો પણ ખૂડદો બોલી ગયો. આ વાત ભારતના દંભી ધર્મ નિરપેક્ષીઓને સમજવી નથી.

આ વાત ફક્ત પાકિસ્તાનના અને બંગ્લાદેશના મુસ્લિમોની માનસિકતાની જ નથી. સમગ્ર વિશ્વના મુસ્લિમોની માનસિકતા આવી છે અને આ માનસિકતાને સાક્ષરતા કે ગરીબી સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.

હિન્દુઓએ ૧૦ બાળકો ઉત્પન કરવા એવી વાત શા માટે કરી?
ભારતની સરકારો દંભી ધર્મનિરપેક્ષતામાંથી બહાર આવી શકતી નથી. એટલે મુસ્લિમો અને ખ્રિસ્તી લોકો મનમાની કરે છે. તેઓ જે વિસ્તારોમાં પોતે બહુમતિમાં છે ત્યાં બળજબરી કરે છે, અને સમગ્ર ભારતમાં તેઓ લઘુમતિમાં છે તે ધોરણે તેઓ લઘુમતિના નામે અને ધાર્મિક સ્વતંત્રતાને નામે વિશેષાધિકારો ભોગવે છે.
હિન્દુઓ બહુમતિમાં છે. આ બહુમતિ તેમનો ગુનો બને છે. સરકાર જો ભેદભાવ વાળા વલણમાંથી બહાર ન નિકળી શકતી હોય તો હિન્દુઓએ શું કરે? આ સંદર્ભમાં હિન્દુઓએ પણ પોતાની બહુમતિ જાળવી રાખવા ૧૦ સંતાનો ઉભા કરવા જોઇએ એમ હિન્દુ નેતાઓએ કહ્યું.

મુસ્લિમ બનો અથવા ખતમ થાઓ
ટૂંકમાં એમ કહી શકાય કે હિન્દુઓ કુટૂંબ નિયોજન કરે આર્થિક રીતે સક્ષમ થાય પણ તે પછી મુસ્લિમો બહુમતિમાં આવે ત્યારે કાંતો તેઓ મુસ્લિમ થાય અથવા ખતમ થાય. કારણ કે કશ્મિરી હિન્દુઓ તો ભાગીને ભારતમાં આવી જાય. પણ ભારતના હિન્દુઓને ભાગી જવા માટે બીજો કોઈ દેશ નથી, એટલે તેમણે તો કાંતો મુસ્લિમ થવું પડે અથવા ખતમ થવું પડે.

હજી આગળ વિચારો.

જો હિન્દુઓ ખતમ થશે તો બે જ પ્રજા બચશે. એક ખ્રિસ્તી અને બીજી મુસ્લિમ.

ખ્રિસ્તીઓ અત્યાર સુધી ભલે અજેય રહ્યા હોય પણ મુસ્લિમો, ખ્રિસ્તીઓને ખતમ કરી દેશે. અપાર સંખ્યાના બળ આગળ શસ્ત્રોનું કશું ચાલ્યું નથી. અને મુસ્લિમો પણ કંઈ શસ્ત્ર વિહીન નથી. આખી પૃથ્વી મુસ્લિમ થશે પછી શું થશે. પછી મુસ્લિમો અંદર અંદર લડશે અને માનવ જાતનો નાશ થશે.
૧૦૦ અબજ વર્ષ પછીના બીજા બીગબેંગની રાહ જુઓ. તે દરમ્યાન મુસ્લિમોને અને ખ્રિસ્તીઓને સમજાઈ ગયું હશે કે જે અદૃષ્ટ સ્વર્ગની આશામાટે અને નર્કના ભયને કારણે, જે ખૂન ખરાબા કરેલ તે સ્વર્ગ અને નર્ક તો વાસ્તવમાં હતા જ નહીં. માટે હવે તો જો કોઈ ઇશ્વરના પુત્રના નામે કે પયગંબરના નામે આવે તો તેની ખેર નથી.

શું આ શક્ય છે?

હિન્દુ પુરાણો કહે છે કે એક બીગ બેંગ પછીના બીજા બેંગમાં ઐતિહાસિક સંસ્કૃતિમાં ૨૦% જેટલો બદલાવ આવે છે.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઇસ્લામ, ધર્મ, ૧૦ સંતાન, લઘુમતિ, બહુમતિ, આતંકવાદ, ધર્મ નિપેક્ષ, માનસિકતા, ખૂનામરકી, ભારત, પાકિસ્તાન, બંગ્લાદેશ

Read Full Post »

ફક્ત ભારતવર્ષ જ નહીં પણ જમ્બુ દ્વીપ સંઘની વાત કરો.

CHANAKYA 01

દેશને વિભાજીત કરનારા અર્થઘટનો અને વેદપ્રતાપ

જેઓને અફવાઓ ફેલાવવી છે, રાજકારણ રમવું છે, લાઈમ લાઈટમાં રહેવું છે અથવા અને જે સમાચાર માધ્યમો કે જેમને વ્યુઅરશીપ વધારવી (કે વાચકવર્ગ વધારવો) છે તેઓને જીવતા રહેવા અનર્થકારી અર્થઘટનો કર્યા સિવાય છૂટકો નથી.

આપણા આ કે તે ગુજરાતી સમાચાર પત્ર પણ તેમાંથી બકાત રહે એવું માનવું જરુરી નથી. કારણ કે કોઈ વાત અને કોઈ મુલાકાત ત્યારે જ ચગે જો તેને આંચકા આપે તેવા શબ્દોમાં ગોઠવવામાં આવે.

જો તમે વેદપ્રતાપનો આખો સંવાદ આંભળો તો તમને દેશ હિત વિરુદ્ધનો કોઈ સંદેશ મળશે નહીં તેમજ કોઈ વિભાજનવાદી સંદેશ પણ મળશે નહીં.

ધારો કે કોઈ એમ કહે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ વૈમનશ્ય હતું નહીં. પણ અંગ્રેજોએ તેમની વચ્ચે વૈમનશ્યને ઉત્પન્ન કર્યું. અંગ્રેજોએ કેવી રીતે આમ કર્યું તે આપણે સૌ હિન્દુઓ અને મુસ્લિમો સુપેરે જાણે છે અને સમજે છે. તેથી તેની ચર્ચાની જરુર નથી. એ કોઈ સાંસ્કૃતિક વિડંબણા ન હતી. પણ સત્તાની સાઠમારી હતી. દેશનું કમભાગ્ય હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ વહેલા મૃત્યુ પામ્યા. જો આ ન બન્યું હોત તો દેશ ફરીથી અખંડ થઈ ગયો હોત.

મોગલ યુગ પણ એક સુવર્ણ યુગ હતો
મોગલ યુગ એ કોઈ ગુલામી ન હતી. મુસ્લિમો હિન્દુઓ સાથે હળી મળી ગયા હતા. મુસ્લિમો ભારતને પોતાનો જ દેશ સમજતા હતા. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનશ્ય ન હતું એમ કહેનારા એક હજાર ઉદાહરણો આપી શકે છે અને છેલ્લે એક એવું ઉદાહરણ આપે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુઓ અને મુસ્લિમો એકજૂટ થઈ અંગ્રેજો સામે લડ્યા હતા. ઔરંગઝેબના અંતિમ વર્ષોથી મુગલ સામ્રાજ્યનું પતન શરુ થઈ ગયું હતું. મોગલવંશનો છેલ્લો બાદશાહ, બહાદુરશાહ જફર એક નામમાત્રનો બાદશાહ હતો. આ બાદશાહની સત્તા લાલકિલાની દિવાલો સુધીની હતી. આમ હોવા છતાં પણ સર્વે રાજાઓ કે જેમાં હિન્દુ રાજાઓ અને મુસલમાન રાજાઓ બંને સંમિલિત હતા, તે સૌએ સર્વાનુમતે નક્કી કરેલ કે મુગલવંશના સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવી અને સૌ રાજાએ બહાદુરશાહ જફરની આણમાં રહેવું. આ વાત દર્શાવે છે કે મુગલ સામ્રાજ્ય જે મુસલમાનોનું હતું અને મુગલયુગ ભારતના અનેક સુવર્ણયુગોમાંનો એક સુવર્ણયુગ હતો, અને હિન્દુઓ ઉપર અનેક અન્યાયો અને અત્યાચારો નોંધાયા હોવા છતાં પણ જ્યારે સારાખોટાનો સરવાળો કરીએ ત્યારે સુરાજ્યનું પલ્લું નીચે જતું હતું અને તેના પરિણામ સ્વરુપ ઓગણીસમી સદીની શરુઆતથી તેના મધ્યભાગ સુધી સૌ લોકોએ એક મતે મુગલવંશની પુનઃસ્થાપનાનો નિર્ણય લીધેલો. આમાં ફક્ત મુસ્લિમ રાજાઓ જ નહીં પણ મરાઠા અને રજપૂત રાજાઓ પણ સામેલ હતા. આથી એક નિશ્ચિત તારતમ્ય નિકળે છે કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કશું વૈમનશ્ય હતું નહીં. હવે જો કોઈ આવી વાત કરે તો આજના સમાચાર માધ્યમો એવો વિવાદ ઉભો કરે કે ફલાણા ફલાણા (બીજેપીના) નેતા ભારતમાં મુગલ સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવા માગે છે. જે મુસલમાનોના અનેક આતંકી જુથો છે તેમના પ્રતિ તેઓશ્રી હળવું વલણ લેવા માગે છે. જે સમુદાયના આતંકીઓએ હજારો નિર્દોષોની હત્યા કરી છે અને લાખોના જીવન પાયમાલ કર્યા છે તેમને દેશનીધૂરા સોંપવા માગે છે. ભારતમાં તેઓ શરિયત અને મુલ્લાઓનું રાજ લાવવા માગે છે. બુરખાઓથી સ્ત્રીઓની સ્વતંત્રતા રોકવા માગે છે. આ ગદ્દારીનું કામ છે. તેમને ગિરફ્તાર કરી તેમની ઉપર દેશદ્રોહનો આરોપ ચલાવવો જોઇએ. આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના સાંસ્કૃતિક મળતીયા પક્ષના નેતાઓ પણ આવી જ વાત કરશે.

વેદ પ્રતાપ અને દંભી નેતાઓની માનસિકતા સમજો
દંભી નેતાઓની માનસિકતા કેવી છે?

જો કોઈ એક નેતાએ જો નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ વિષયક કાર્યવાહીની પ્રશંસા કરી હોય તો તે મુસ્લિમોને ભારતીય સામાન્યપ્રવાહમાં મેળવવાની વાત જ ન કરી શકે. તે મુસ્લિમો વિષે વાત કરવાની સઘળી લાયકાતો ગુમાવે છે. આવી વૈચારિક ધારાવાળા દંભી બીનસાંપ્રદાયિકોએ મુસ્લિમોના નેતાઓની ધર્મને નામે માનસિક તુષ્ટીકરણ કરીને ધર્માંધ નેતાઓને માનવધર્મથી વિમુખ કર્યા છે. આ બાબતમાં તેઓ પુનર્વિચાર કરવા જરાપણ તૈયાર નથી. સમાચાર માધ્યમો તો સમાચારોને વિકૃતરીતે રજુ કરી તેનો વ્યાપાર કરે છે.

દંભી બીનસાંપ્રદાયિકોની આવી વિકૃત માનસિકતા કેવી રીતે ઉત્પન્ન થઈ?

જો આના મૂળ શોધવા જઈએ તો જેમ દરેક રાજકીય અને સામાજીક વિકૃતિના મૂળ નહેરુ અને નહેરુવંશ તરફ દોરી જાય છે તેમ ઉપરોક્ત વૈચારિક વિકૃતિના મૂળ પણ નહેરુ અને નહેરુવંશ જ છે.

સમાજવાદને નામે ઉત્પાદન ઉપર નિયંત્રણ,

લાયસન્સ અને પરમીટનું રાજ રાખવું,

અછતગ્રસ્ત પરિસ્થિતિ જ રાખવી,

બને ત્યાં સુધી બધું સરકાર હસ્તક રાખવું,

બેકારી રાખવી શિક્ષણનો વિસ્તાર ન થવા દેવો, જેથી સામાન્ય જનતા પોતાની સમસ્યાઓમાં જ ગુંચવાયેલી રહે,

સમસ્યાઓ વિષે અગર જવાબ દેવાનું આવે તો ઓળઘોળ કરીને બધો દોષ “વસ્તી વધારા” ઉપર ઢોળી વિરોધાભાષી વાતો કરવી,

નહેરુ પોતે બદામ અને બ્રાન્ડી ઉપર જીવનારી મરઘીના ચિકનના શોખિન હતા, રોજના ૨૫૦૦૦ હજારનો તેમનો ખર્ચ હતો. ૧૯૫૫માં સોનું ૮૦ રુપીયે દશ ગ્રામ હતું. આજે ૨૭૦૦૦ રુપીયે દશગ્રામ છે. એટલે આજના હિસાબે તે ખર્ચ, રોજનો ૮૪ કરોડ ૪૦ લાખ રુપીયા થયો. આ નહેરુ, આખા દેશને સમાજવાદના પાઠ ભણાવતા હતા. સરદાર પટેલે પોતાના સરકારી ક્વાર્ટરમાં કોઈ રસોયો પણ રાખ્યો ન હતો અને રસોઈનું કામ મણીબેન કરતા હતા. સરદાર પટેલ રોટલો અને રીંગણાનું શાક ખાતા હતા. આ સરદાર પટેલને નહેરુના ચેલકાઓ મૂડીવાદના પીઠ્ઠુ કહેતા હતા.

મહાત્મા ગાંધીનો રોજનો ખર્ચ બે પૈસા હતો અને નહેરુને મન તે ડોસો દંભી અને નાટકીયો હતો. (આ બાબતનો સંદર્ભ આ વેબસાઈટ ઉપર અન્યત્ર આપેલો છે.)

ઈન્દીરા ગાંધીના વિરોધાભાસોનો તૂટો નથી.

આ સૌ દંભી બીનસાંપ્રદાયિકતાવાદીઓનો હેતુ ફક્ત એ જ હતો અને છે કે તેમના સિવાય અન્ય કોઈનો મુસ્લિમો સાથે સૂમેળ માટે સંવાદ કરવાનો અધિકાર નથી. બીજાઓ જો આવું કંઈપણ કરશે તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે. આમેય આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ બીજેપી અને નરેન્દ્ર મોદીને સમાજને તોડનારા અને દંગા ફસાદ કરનારા કહે જ છે. ઈન્દીરાઈ નીતિ એ રહી છે કે કોઈ આપણને કાણા કહે તે પહેલાં આપણે તેમને કાણા કહેવાનું શરુ કરી દેવું.

વેદપ્રતાપ એક એવા પત્રકાર અને રાજકીય વ્યક્તિ છે જેમનો સંબંધ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ સાથે બીજેપીના અને તેના નેતાઓ કરતાં અનેક ગણો વધારે નિકટનો રહ્યો છે. તેઓ ઈન્દીરા ગાંધી અને નરસિંહરાવની ઘણા નજીક હતા. આ વાતને નહેરુવીયન કોંગ્રેસીઓ નકારી શકતા નથી. પણ હાલના સમયમાં તેઓ તેને છૂપાવવામાં માને છે.

વેદપ્રતાપની સામે આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ કેમ પડ્યા છે?

કારણ ફક્ત એ જ છે કે આ ભાઈશ્રીએ નરેન્દ્ર મોદીની નીતિના વખાણ કરેલ. દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ની માનસિકતા એવી છે કે જો તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો તો તમારા બધા જ સંચિત પૂણ્યો નષ્ટ થઈ જાય છે અને તેટલા જ જત્થામાં પાપનું પોટલું તમારા માથે આવી જાય છે.

દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ આ બાબતમાં તર્કને ગાંઠતા નથી. વારંવારનું ગાલીપ્રદાન એ જ એમનો તર્ક છે. એટલે વેદપ્રતાપે ઈન્દીરાથી શરુ કરી મનમોહન સુધીના જે પૂણ્ય કર્મો સંચિત કરેલા એ બધા પૂણ્ય કર્મો આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ભૂલી જઈ શકે છે.

અડવાણી જો જીન્નાની મજાર ઉપર માથું ટેકવે તો અડવાણીને “લઘુમતિનું તૂષ્ટિકરણ” સાથે જોડી દેવામાં આવે છે અને હિન્દુધર્માંધ લોકો અડવાણીની ઉપર છાણા થાપે છે તો પછી આ વેદપ્રતાપ વળી કઈ વાડીનો મૂળો.

વેદપ્રતાપની વાત શું છે?

એક કોંગી નેતા સાથે એક મંડળી પાકિસ્તાન ગઈ. તેમાં વેદ પ્રતાપજી પણ હતા. વેદપ્રતાપજી, કોંગી નેતાની મંજૂરીથી ત્યાં વધુ રોકાયા. તેમણે, એક આતંકવાદી જુથના નેતા સાથે મુલાકાત કરી અને સંવાદ કર્યો.

આમ તો રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ જેવા ઘણા મહાનુભાવો થઈ ગયા જેમણે ડાકુઓની મુલાકાત લીધેલી અને સંવાદ કરેલા. પણ એ બધું આ દંભી લોકો જાણી જોઇને ભૂલી જાય છે.

આ દંભી બીનસાંપ્રદાયિકોનું કહેવું છે કે આ વેદપ્રતાપ કંઈ એવા કોઈ સંત નથી. વેદપ્રતાપ એવી લાયકાત પર ધરાવતા નથી કે એમણે એવું માનવું પણ ન જોઇએ કે તેમનામાં તેવા ગુણો છે કે તેઓ આ આતંકવાદીનેતાનું હૃદય પરિવર્તન કરી શકે.
એટલું જ નહીં વેદપ્રતાપ પોતે પણ કહે છે કે તેઓ આતંકવાદી નેતાને તેનું હૃદય પરિવર્તન કરવા માટે મળવા ગયા ન હતા.

હવે જો આમ જ હોય તો તેઓ શા માટે આ આતંકવાદીનેતાને મળવા ગયા હતા?
શું તેમને નરેન્દ્ર મોદીએ મોકલ્યા હતા?
તેઓ શું ભારત સરકારના દૂત હતા?
શું તેમને એવા અધિકાર હતા કે તેઓ આતંકવાદી નેતા સાથે વાટાઘાટો કરી કરી શકે?
એક એવી વ્યક્તિ કે જેની ઉપર ઈનામ રાખવામાં અવ્યું છે, તેની સાથેની આ મુલાકાત ખાનગી કેમ રાખી?
શું તેઓ એક પત્રકાર તરીકે ગયા હતા?
જો આમ હોય તો તેમણે તેનો અહેવાલ કેમ લખ્યો નથી અને આ અહેવાલ જો લખ્યો હોય તો કોને આપ્યો અને કયા સમાચાર પત્ર કે ટીવી ચેનલને આપ્યો.

આપણી એક ખ્યાતનામ ટીવી ચેનલના એક વરિષ્ઠ અને ખ્યાતનામ એંકરભાઈએ આવા અને આથી પણ બેહુદા સવાલો વેદપ્રતાપને પૂછ્યા. આ એંકરભાઈ (અર્ણવભાઈ), પોતાને બહુ હોંશિયાર માને છે તેઓશ્રી ખબરપત્રી અને પત્રકાર વચ્ચેનો ભેદ પણ સમજતા ન હતા. આ બાબતે તેઓ સકંજામાં આવી ગયેલ પણ વેદપ્રતાપના ટિકાકાર આમંતત્રિતોની બહુમતિમાં તેમનું પત્રકારિત્વનું પાયાનું અજ્ઞાન છૂપાવી દેવામાં આવ્યું.

ટીવી ચેનલ ઉપર ચર્ચા માટે આમંત્રિત દંભી બીનસાંપ્રદાયિકો જેમાં નહેરુવીયન કોંગ્રેસીઓ અચૂક હોય જ તેમણે પણ વેદપ્રતાપ ઉપર પસ્તાળ પાડવાની કોશિસ કરી.
આમાંના કોઈએ પણ વેદ પ્રતાપે વાસ્તવમાં અક્ષરસહ આતંકવાદી સાથે શું વાત કરી અને કયા સંદર્ભમાં વાત કરી, તેની જણકારીમાં રસ લીધો ન હતો. કદાચ તેમને એ અવગણવું જ વધુ પસંદ હતું.

ભારતીય જનતા પક્ષના નેતાઓ જેઓ ચર્ચા માટે આવેલ તેમને તો કશી માહિતિ પણ હોય તેવું લાગ્યું નહીં. તેથી તેઓ બચાવ પક્ષમાં આવી ગયા. શિવસેનાવાળા આમેય ચક્રમ છે અને તેઓ વધુ એકવાર ચક્રમ સાબિત થયા. અને આજની તારિખ સુધી ચક્ર્મ સાબિત થતા રહ્યા છે. મુદ્દાની સમજને બદલે મુદ્દાવગરની અને તર્ક વગરની ટીકા કરવામાં અને તારવણીઓ પ્રદર્શિત કરવામાં આપણા સમાચાર માધ્યમો અને દંભી બીનસાંપ્રદાયિકોને વધુ રસ હોય છે.

નહેરુએ એક બિનજોડાણ વાળા દેશોનું સંગઠન બનાવેલ. વળી તેમણે ચીન આથે પંચશીલનો કરાર પણ કરેલ.

તેવી જ રીતે ઈન્દીરા ગાંધીએ સાર્ક (સાઉથ એશિયા એસોસીએશન ઓફ રીજીઓનલ કો ઓપરેશ) સ્થાપેલું. આજ ઈન્દીરા ગાંધીએ રશિયા સાથે આંતરિક અને બાહ્ય સમસ્યાઓ માટે સલાહ સહકાર અને મસલતો માટે પણ એક કરાર કરેલ.

જેમ ચીન સાથેના કરારનો ફજેતો થયેલ તેમ રશીયા સાથેના કરારથી ભારત અને રશિયા વચ્ચે શી પરદર્શિતા થઈ તે ભગવાનને પણ ખબર નથી.

આ બધા નહેરુવીયન કરારો અને સંગઠનો આમ તો વર્તમાન પત્રોમાં વાહવાહ કરાવવા માટે હોય છે. વાસ્તવમાં શોભાના ગાંઠીયા જેવા પણ ન હોતા નથી. ફાયદો તો એ હોય છે કે નેતાઓ, પત્રકારો અને સરકારી અફસરો જનતાના પૈસે વિદેશની લટારો મારી શકે છે.

હવે નરેન્દ્ર મોદી આવ્યા છે.

નરેન્દ્ર મોદી કંઈક આવતી કાલનું કે પરમ દિવસનું જ નહીં પણ તેના પછીના દિવસોનું પણ વિચારે છે. આથી કેટલાક નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા હોય અને તેમને કંઈક વધુ પાનો ચડી ગયો હોય તો તે વાતને નકારી ન શકાય.

વેદપ્રકાશજી આમાંના એક હોઈ શકે?

હાજી. તેઓશ્રી આમાંના એક હોઈ શકે, તે વાત નકારી ન શકાય. જોકે વેદપ્રકાશે જે કર્યું તેમાં કશું ખોટું નથી. જો તમારે તમારા દુશ્મનનું કે દોસ્તનું મન કે તેની વાત સમજવી હોય તો એક સમાન કંપન (ફ્રીક્વન્સી = વિચાર) પર આવવું પડે. સામેની વ્યક્તિના અસંતોષ કે અન્યાય કે સમસ્યા ને સમજવાની કોશિસ કરવી હોય તો તેની સાથે સહાનુભૂતિ રાખવી પડે કે તેવો ડોળ તો કરવો જ પડે. વેદપ્રકાશે થોડે ઘણે અંશે આ કામ તો કર્યું જ છે.

ધારો કે મુસ્લિમ નેતાઓ અને તેમાં પણ જેઓ ધર્માંધ છે અને આતંકી વિચારધારા રાખે છે તેઓ એમ કહે કે અમે વાસ્તવમાં તો સર્વધર્મ સમભાવમાં જ માનીએ છીએ, તો આવા અને બીજા મુસ્લિમો સહિતની મુસ્લિમ જનતા અને શાસકો સાથે ભારતને પાયાનો ભેદ શો છે?

જો મુસ્લિમો, તેઓ જે ભૂમિના અન્નજળ થી મોટા થયા છે તે ભૂમિને પોતાની માતૃભૂમિ માનતા હોય અને બીજાઓને તેમની ધાર્મિક, સામાજીક અને આર્થિક સહકાર આપવામાં સંમતિ દર્શાવતા હોય તો ભારતને તેમની સાથે બીજો કયો અને કેવો ભેદ હોઈ શકે?

સાર્કના બધાજ દેશોની સમસ્યાઓ સમાન છે.

આ સમસ્યાઓમાં, મૂખ્ય સમસ્યા ધર્મને નામે કરવામાં આવતા અત્યાચારો અને દુરાચારોની છે.

ભારત અને પાકિસ્તાન આઆ બે દેશો વચ્ચે આ સમસ્યા હોવાનું કારણ, અવિશ્વાસ છે. આ અવિશ્વાસનું કારણ એકબીજા સાથે થયેલા પ્રત્યક્ષ યુદ્ધો અને તે પછી સીમાપારના દેશોના મૂક સહકારથી ચાલુ થયેલા અપ્રત્યક્ષ યુદ્ધો છે. અપ્રત્યક્ષ યુદ્ધો સુરક્ષાની વહીવટીક્ષમતાથી અને ત્વરિત ન્યાય પ્રણાલીથી નાથી શકાય છે. પણ જનતામાં રહેલા અસંતોષના પાયામાં તો આર્થિક પરિસ્થિતિ જ હોય છે. શાસકો તેનો લાભ મતબેંકોનું રાજકારણ રમી તેને ફુલેફલાવે છે.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાણવાલેને સંત ઘોષિત કરી રાજકીય લાભ લીધેલો અને દેશને સ્વદેશી ખાલીસ્તાની આતંકવાદની ગર્તામાં ધકેલી દીધેલ. આ સ્વદેશી આતંકવાદે સીમાપારના સહકારથી સીમાપારના આતંકવાદને આપણા દેશમાં ભૌગોલિક રીતે જાળ બીછાવવામાં મદદ કરેલ. ભારતને આજે પણ આ આતંકવાદનો ભય રાખવો પડે છે.

૧૯૯૦માં કત્લેઆમનો ભોગ બનેલા ભારતીય ૫ લાખ કાશ્મિરી હિન્દુઓ, આજે પણ તેમના ઘરમાં જઈ શકતા નથી અને કાશ્મિરની બહાર તંબુઓમાં યાતનાભરી જીંદગી જીવી રહ્યા છે. આ જ કાશ્મિરના રાજકર્તાઓ સુરક્ષા સૈનિકો ઓછા કરવા માટે ભારત સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે. આવા પડોશી અને દેશી મુસ્લિમનેતાઓ ઉપર ભારત કેવી રીતે વિશ્વાસ રાખી શકે?

હિન્દુ રાજાઓ

ઈશુની પહેલી સદી સુધી, હિન્દુ રાજાઓ પશ્ચિમમાં ઈરાન અને પૂર્વમાં કંબોડીયા વીયેટનામ સુધી, દક્ષિણમાં ઈન્ડોનેશિયા સુધી અને ઉત્તરમાં તિબેટ સુધી રાજ કરતા હતા. ભારતને ચીન અને ઈજીપ્ત સાથે વ્યાપારી સંબંધો હતા. આ દક્ષિણ એશિયા, પુરાણોમાં જંબુદ્વિપ તરીકે ઓળખાયો છે. ઈશુની ચોથી સદી સુધી અરબસ્તાનમાં હિન્દુ રાજાઓ રાજ કરતા હતા. ભારતવર્ષ એક દેશ તરીકે હજારો વર્ષથી ઓળખાય છે. આ ભારતવર્ષ એ બી સી ત્રીકોણ માં સમાયેલો છે જેમાં (એ) અફઘાનીસ્થાન કાશ્મિર તિબેટ, (બી) બ્રહ્મદેશ અને સીલોન (શ્રીલંકા) ને જોડતી રેખાઓથી બનેલો છે.

સુરક્ષા વ્યવસ્થા

જો અમેરિકા પોતાની સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવીને આતંકી આક્રમણને ખાળી શકવામાં સફળ થઈ શકતું હોય તો નરેન્દ્ર મોદીની સરકાર પણ દેશને આતંકી હુમલાઓથી સુરક્ષિત કરી શકે છે. આ દક્ષતા તેણે ગુજરાતમાં સિદ્ધ કરી બતાવી છે. આ પછી, દેશ સામે જે પ્રશ્ન રહે છે તે ભણતર, બેકારી અને સુવ્યવસ્થાનો જ રહે છે. આ પ્રશ્નો તો તમારી દક્ષતા અને નિયત ઉપર જ અવલંબે છે. પ્રાકૃતિક અને માનવીય સંપદાથી ભરપૂર ભારત દેશમાં આ પ્રશ્ન હોઈ જ ન શકે.

બે દેશો વચ્ચેની રેખા એ એક અપ્રાકૃતિક રેખા છે. સાંસ્કૃતિક રીતે બે દેશોને કોઈ રેખા વિભાજીત કરે તેવું કશું રહ્યું નથી. જે થોડી ઘણી વાતો થાય છે તે જનતાની સમાસ્યાઓને સુલઝાવવાની નિસ્ફળતાને છૂપાવવા માટે થાય છે. જે પ્રણાલીઓ છે તે ભૌગોલિક સ્થિતિને કારણે અને વિરાસતમાં મળી હોવાને કારણે જીંદગી સાથે વણાઈ ગયેલી હોય છે. તે કદી માણસને જુદા કરતી નથી પણ આનંદમાં સહભાગી બનાવે છે. પતંગોત્સવ, નવરાત્રી, હોળી, નવુંવર્ષ, જેવા અનેક તહેવારો સહુ સાથે મળીને ઉજવે છે.

જો દરેકને પોતપોતાની રીતે ઈશ્વરની ઉપાસના કરવાની છૂટ્ટી કબૂલ રાખવામાં આવી હોય તો વિખવાદની કોઈ શક્યતા રહેતી નથી.

ધારો કે નરેન્દ્ર મોદીએ ભારતમાં બધા ક્ષેત્રોમાં વિકાસ કર્યો તો શું સમસ્યાઓમાં પૂર્ણ વિરામ આવી જશે?

નાજી.

તમે સુખી હો અને તમારો પડોશી દેશ દુખી હોય તે અમાનવીય અને અપ્રાકૃતિક છે. જો કોઈ દેશ આ વાત ને સ્વિકારશે નહીં તો તેના ઉપર આપત્તિ જરુર આવવાની છે. આ આપત્તિ ક્યારે આવશે, એ ફક્ત સમયનો જ સવાલ છે. પ્રકૃતિ બંનેને પાયમાલ કરશે.

જંબુ દ્વિપ

સમગ્ર જંબુદ્વિપ હજારો વર્ષ સુધી હળી મળીને રહ્યો છે. રાજાઓના રાજ્યની સીમા રેખાઓ આઘીપાછી થાય છે. દશરથને કૈકેયની પૂત્રી સાથે પરણવામાં વાંધો આવ્યો ન હતો. અશોકને સંઘમિત્રાને શ્રીલંકા મોકલવામાં વાંધો આવ્યો ન હતો. જનતાને તમે થોડો સમય એક બીજાથી અળગી કરી શકો પણ કાયમ માટે આ શક્ય નથી.
જ્ઞાન અને વિદ્યામાં થયેલા વિકાસને કારણે પૃથ્વિ નાની થતી જાય છે અને ટૂંક સમયમાં તે એક ગામડું થઈ જશે ત્યારે શાસકો પોતાની જનતાને બીજા દેશની જનતાથી અળગા રાખી શકશે નહીં.

પડોશી દેશોની જનતા વચ્ચે વિચાર અને આચારના સુમેળનો પ્રારંભ અત્યારથી જ થવો જોઇએ.

આમાં આતંર્ રાષ્ટ્રીય કક્ષાએ જંબુદ્વિપના દેશો પોતાનો સંઘ બનાવે તે પાશેરામાં પહેલી પૂણી છે.

આ બાબતનો દસ્તાવેજ ઘણી વિગતો માગી લે છે અને દરેક ભાષીઓના હિતોની સુરક્ષા માટે અને સમગ્ર દેશ અને સંઘની સુરક્ષા માટે ઘણી જોગવાઈઓ કરવી પડે. આ એક જટીલ કામ છે પણ તે અશક્ય નથી. જટીલ અને અઘરું હોવાના તેને છોડી દેવામાં આવશે તો પૃથ્વિ સુરક્ષિત રહેશે નહીં.

સરકારી વહીવટને અસરકારક બનાવવા માટે અને સુગમ કરવા માટે ભાષાવાર પ્રાંત રચના પૂરતી નથી. પણ રાજ્યોને થોડી વધુ સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપવી પડશે.

આ સ્વાયત્તતા, સ્વચ્છંદતા અને મનમાનીમાં પરિવર્તિત ન થાય (જેમ કાશ્મિરમાં સરકાર, હિન્દુઓના હિતની સુરક્ષા કરતી નથી, અને હિન્દુઓની સુરક્ષા તરફ સતત દુર્લક્ષ્ય સેવતી આવી છે) તે સામે સબળ કેન્દ્ર સરકાર પણ જોઇશે. નહેરુવીયન કોંગ્રેસની અને તેમના મળતીયા પક્ષોની સરકારોએ જનતામાં વિખવાદને પ્રોત્સાહન આપીને જનતાને તોડવાનું કામ કર્યું છે અને પ્રદેશો વચ્ચે ભેદભાવ રાખીને કામ કર્યું છે. ગુજરાત અને કેન્દ્રના થોડા અપવાદિત સરકારોના સમયને (૧૯૭૭-૮૯ અને ૧૯૯૯-૨૦૦૪) બાદ કરતા, ગુજરાત પ્રત્યે અન્યાય કરવામાં આવ્યો છે. આવી સ્વકેન્દ્રી અને સ્વપક્ષકેન્દ્રી કેન્દ્ર સરકારો દેશને પાયમાલ કરે છે આનો દેશને અનુભવ થઈ ચૂક્યો છે.

વેદપ્રતાપે જે સંઘ અને રાજ્યોની સ્વતંત્રતાની વાત કરી છે તે આ પરિપ્રેક્ષ્યમાં કરી છે. સમાચારોનો વેપાર કરનારા સમાચાર માધ્યમોને અને સ્વકેન્દ્રી શાસકોને આ વાત પસંદ ન પડે તે જનતાએ સમજી જવું જોઇએ.

ભારતવર્ષની બહુમતિ અત્યાર સુધી સહન કરતી જ આવી છે.

અફઘાનિસ્તાન ઉપર આતંકવાદી અને કટ્ટર પંથીઓનું મજબુત પરિબળ, હળી મળીને રહેવા તૈયાર થાય તેવી શક્યતા કેટલી?

પાકિસ્તાનમાંથી હિન્દુઓને ૧૯૪૭-૪૮માં બહુમોટી સંખ્યામાં ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

૧૯૫૦ પછીના સમયમાં બ્રહ્મદેશમાંથી ભારતીયોએ ખએડી મુકવામાં આવ્યા તેનું શું?

સિલોનમાં ભારતીય અને સિંહાલી લોકો વચ્ચે વૈમનસ્ય છે અને તેણે ભારતના એક વડાપ્રધાનનો ભોગ લીધો છે, તેનું શું?

ખુદ ભારતની અંદરના કાશ્મિરમાં થી હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવેલી અને બધા જ ૫ થી ૭ લાખ હિન્દુઓને ત્યાંના મુસ્લિમ શાસકો દ્વારા ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વિદેશી મુસ્લિમો ભારતની જમીન ખરીદી રહ્યા છે અને નહેરુવીયન કોંગ્રેસી શાસકો તે ઘુસણખોરોને આર્થિક મદદ અને ભારતીય નાગરિકતા આપી રહ્યા છે તેનું શું?

ભારતના અનેક રાજ્યોમાં મુસ્લિમ બહુમતિવાળા પ્રદેશો છે જ્યાં તેઓ હિનુઓ ઉપર ભેદભાવની નીતિ અપનાવી રહ્યા છે, તેનું શું?

કેરાલામાં એક પ્રદેશમાં મુસ્લિમોની બહુમતિ હોવાને કારણે અને તેમના દબાણને કારણે તેને અલગ જીલ્લો આપવામાં આવેલ છે. આવી માગણીઓ ઠેર ઠેરથી ઉભરી રહી છે. તેનું શું?

જો ભારતના મુસ્લિમો જ અલગતા વાદી હોય તો આવા સંજોગોમાં જંબુદ્વિપના સંગઠનની વાત કેવી રીતે કરી શકાય?

આ બધું નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસની મુસ્લિમ-તુષ્ટિ કરણની નીતિઓને કારણે થઈ રહ્યું છે.

કાયદાઓ તો ઘડાયા, પણ કાયદાનું રાજ ક્યાં છે? કાયદાનું રાજ લાવો

સૌ પ્રથમ ભારતને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથીઓથી મુક્ત કરવું પડશે.
આ કામ અઘરું નથી. નહેરુવીયન કોંગ્રેસે દેશને કાયદાના શાસનથી વિમુખ કરીને પાયમાલ કરેલો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયા નેતાઓ ભ્રષ્ટ છે અને તેઓ એક ય બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે, કાયદાના શાસન દ્વારા તેમની ઉપર કામ ચલાવો. તેઓની ધરપકડ કરી કોઈપણ સમયે તેમને જેલ ભેગા કરી શકાય તેમ છે.

કાશ્મિરની સ્થાનિક સરકારને પદચ્યુત કરો અને બધાજ નેતાઓને જેલ ભેગા કરો. કરણ કે તેઓએ હિન્દુઓ પ્રતિ માનવીય વર્તન કર્યું નથી.

શાહ કમિશનના અહેવાલને પુનર્જીવિત કરો અને નહેરુવીયન કોંગ્રેસીઓને વીણી વીણીને જેલ ભેગા કરો. જો ઈન્દીરા ગાંધી, વિરોધીસુરને ડામવા માટે “મીસા” અને “કટોકટી” લાવી શકે છે તો હાલની કેન્દ્ર સરકાર પણ દેશની જનતાને વિભાજીત કરનારા ગદ્દારોને સજા કરવા કાયદાઓને કડક બનાવી શકે છે. આ દેશ દ્રોહીઓ કોઈ પણ જાતની દયા માયાને પાત્ર નથી.

આ બધું કરવા માટે દેશની જનતાની સમસ્યાઓ ઉકેલવી પડશે. જનતાની સમસ્યાઓ મુખ્યત્વે કાયદાના રાજ ઉપર આધારિત છે. તેમને રોજગાર, શિક્ષણ, સારા આવાસ મળશે અને ગુનેગારો જેલભેગા થશે તો ૯૯ ટકા જનતા નરેન્દ્ર મોદીને સહકાર આપશે.

જો ભારતની શાસન વ્યવસ્થા સુધરશે તો પડોશી દેશો ઉપર પણ તેની અસર પડશે. વિઘાતક તત્વો આપોઆપ ઉગતા બંધ થઈ જશે.

આ બધા માટે નરેન્દ્ર મોદીએ ચાણક્ય નીતિ અપનાવવી પડશે.

દયા માયાની નીતિ ચાલશે નહીં.

ગેરકાયદેસર બાંધકામો, જનતાની જમીન ઉપરના દબાણો, સીમાપારથી અને સીમાની અંદર ચાલતા જમીન માફિયાના અને દાઉદના અસામાજીક નેટવર્કને નાબુદ કરવામાં નહીં આવે ત્યાંસુધી જનતાને સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં.
મોદી સરકારે પોતાની પ્રાથમિકતાઓ સમજવી પડશે.

જો અત્યાર સુધીની ટેલીવીઝનની સીરીયલોમાંથી કોઈ શ્રેણીને શ્રેષ્ઠ ટીવી શ્રેણી કહેવી હોય તો તે “ચાણક્ય”ની શ્રેણીને શ્રેષ્ઠ કહી શકાય. આ શ્રેણીમાં દરેક રાજકીય સમસ્યાઓના સમાધાન અભિપ્રેત છે. આ શ્રેણી કોંગી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી હતી. પણ યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે. આ શ્રેણી જરુર જુઓ.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વેદપ્રતાપ, મુસ્લિમ, હિન્દુ, લઘુમતિ, સાર્ક, સંઘ, નહેરુવીયન, વંશ, કાશ્મિર, પૂર્વોત્તર, ભારત, જમ્બુદ્વિપ, ઈન્દીરા, નહેરુ, મોગલ, ૧૮૫૭, બહાદુરશાહ જફર, મરાઠા, રાજપૂત, સુવર્ણયુગ, ઈરાન, અરબસ્તાન, બિનસાંપ્રદાયિકતા, દંભી, આતંકવાદી

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નરેન્દ્ર મોદી વિષે આવું કશું નથી. અને જે વિવાદસ્પદ વાતો છે તેને પણ જો લક્ષ્યમાં લેવામાં આવે તો તેની સંખ્યાત્મક સરખામણી થઈ શકે તેમ નથી. વળી જુઓ, નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ગરીબ કુટુંબમાંથી આગળ આવેલી છે. નરેન્દ્ર મોદીને તેની માતાએ લોકોના ઘરના કામ કરીને ભણાવેલ છે. નરેન્દ્ર મોદી ખાલી ખીસ્સે ઘરનો ત્યાગ કરીને નિકળી પડેલ. તે સમાજના દરેક નિમ્નાતિનિમ્ન કક્ષાના જીવનમાંથી પસાર થયેલ છે. ખાલી ખીસ્સે હિમાલયમાં વર્ષો સુધી ભટકેલ છે. નરેન્દ્ર મોદી જગતને અને તેના લોકોને વધુસારી રીતે જાણે છે. તે લેખક અને કવિ પણ છે. બહુશ્રુત છે અને વાચનનો શોખિન છે. “વાંચે ગુજરાત”ના કાર્યક્રમમાં તેણે ગાધીજીનું “મારા સ્વપ્નનું ભારત” એક વધુ વાર વાચ્યું છે. આવી એક વ્યક્તિ, જે વિકાસના મુદ્દા ઉપર મત માગીને બંધારણીય પ્રક્રિયા દ્વારા સતત ચૂંટાઈ આવે છે. નરેન્દ્ર મોદીનો કોઈ એવો સરમુખત્યારીનો ટ્રેક રેકોર્ડ નથી. આ અને આવા નરેન્દ્ર મોદીને તમે લોકસભાની ચૂંટણીમાં દેશને માટે ખતરનાક ગણો છો? આ તે કેવી તમારી વિડંબણા કે તર્કહીન, પ્રમાણભાન હીનતા અને આત્મવંચના છે?

તમે ૨૦૦૨ને ભૂલવા માગતા નથી.

તમે ૨૦૦૨ ના દંગાઓને એટલે કે મુસ્લિમોની થયેલી જાન હાનિને ભૂલવા માગતા નથી એવું બતાવીને તમે તમારી કહેવાતી અસંવેદનશીલતાનું પ્રદર્શન કરવામાં માનો છો. તમે એ પણ ચર્ચા કરી કે તમારા કહેવા પ્રમાણે સમાચાર માધ્યમો ૨૦૦૨ના દંગાને ભુલી જવાનું કહે છે.  આ દંગાઓમાં તો હિન્દુ અને મુસ્લિમ બંને મરાયેલા. પણ ૧૯૮૪ની કત્લેઆમમાં તો નિર્દોષ શિખ લોકો એકલા જ અને તે પણ હજારોની સંખ્યામાં કતલ કરાયેલા. ૧૯૯૦-૯૧ની કત્લેઆમમાં તો કાશ્મિરી હિન્દુ એકલા જ હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને પાંચ લાખને ખદેડી મુક્યા તે આજ પર્યંત નિરાધાર છે.

વદતો વ્યાઘાત

૧૯૬૯, ૧૯૮૩, ૧૦૮૪, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮ જેવા અનેક પ્રકરણો ભારતમાં બન્યા છે. આની તો તમે કોઈ વાત પણ કરતા નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરો છો. આ તો વદતો વ્યાઘાત નું જ ઉત્તમ ઉદાહરણ તમે પુરું પાડો છો. તમારા ઉપર કોણ વિશ્વાસ કરશે?

શું નરેન્દ્ર મોદી તમારું એકમાત્ર ભક્ષ્ય છે?

આમ તો દેશમાં અનેક નેતાઓ છે અને તેઓ સઘળા પોતાની જાતે જ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોતે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે, શક્યતા વાળા છે  અને તૈયાર છે એવું જાણવા મળતું રહ્યું છે. આમાં સમાચાર માધ્યમોએ નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેર્યું. નરેન્દ્ર મોદી જનતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેવું હવે તેમના વિરોધીઓ અને દુશ્મનો પણ સ્વિકારતા થયા છે. નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે મંજુર કરાવવા માટે જે કંઈ થયું તે સૌ કોઈએ એટલે કે મોદી-વિરોધીઓએ પોત પોતાની આદતો અને માનસિકતા પ્રમાણે જોયું. નરેન્દ્ર મોદીના વિરોધીઓએ આ બાબતને નરેન્દ્ર મોદી વિષે વધુ નવા વિશેષણો બનાવવાનો મોકો બનાવ્યો છે. આમ તો મોટા ભાગના પક્ષ એક જ નેતાની જાગીર જેવા છે. લોકશાહી પક્ષ માટે આ અનુરુપ ન કહેવાય. બીજેપી આમાંથી બકાત છે.

વિદેશોમાં પક્ષના નેતાની સભ્યોદ્વારા ચૂંટણી થાય છે. ત્યાંના રાજકીય વિશ્લેષકો આ વાતને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ માને છે. પણ ભારતમાં એક વંશીય શાસન, આપણા કોંગીનેતાઓ, તેમના સહયોગીઓ અને રાજકારણીય વિશ્લેષકોને ફક્ત ગોઠી ગયું છે એટલું જ નહીં, પણ હૃદયમાં સોંસરવું ઉતરી ગયું છે, તેથી જો કોઇ બીજેપી જેવા પક્ષમાં નેતાની પસંદગી થાય તો આ બધા મહાનુભાવોના મગજ ક્ષુબ્ધ થઈ જાય છે. તેમને પોતાની આ મનોસ્થિતિમાટે શરમ પણ આવતી નથી.

ઘીના ઠામમાં ઘી પડ્યું. તમારા પેટમાં શાને ઉકળતું તેલ?

દરેક પક્ષને આમ તો પોતાનું બંધારણ હોય છે. પણ દરેક પક્ષને પોતાના બનવા માટે અલગ અલગ કારણ હોય છે. ભારતના કેટલાક નેતાઓમાં અહંકાર વૃત્તિ અને સ્વકેન્દીપણું કંઈક વધુ  હોવાના કારણે આવા કંઈક નેતાઓએ પોતાના પક્ષો બનાવ્યા છે. આવા પક્ષોમાં ઈન્દીરા ગાંધીનો કોંગી યાને કોંગ (ઈ), મુલાયમનો સ.પા., મમતાનો ટીએમસી, લાલુપ્રસાદનો આરજેડી, વિગેરે અનેક પક્ષો આવે છે. તે સૌનું પોત છે. આ બધા સૌ નેતાની ચૂંટણીનું નાટક કરે છે. નાટકેય કર્યા વગર અને ચર્ચા વાદવિવાદ કર્યા વગર નેતાનો ઠરાવ પાસ કરી દે છે. જો આપણે પક્ષીય રાજકારણમાં માનતા હોઈએ તો પક્ષની આંતરિક બાબતમાં વ્યક્તિગત બાબતોમાં આપણે આપણી ચાંચુડી ખોસવી જોઇએ નહીં. પક્ષને તેના પોત પ્રમાણે મૂલવવો જોઇએ. વ્યક્તિ મોટી છે કે પક્ષ તે તો પક્ષ પોતે જ તેની પ્રક્રિયાઓ દ્વારા કહેશે. અન્યોએ તેમાં આધારહીન ધારણાઓ કરવાની જરુર નથી. ધારણાઓથી કોઈને ગુનેગાર ઠેરવી ન શકાય.

દેશમાં વડાપ્રધાનનું પદ એક છે.

અનેક નેતાઓમાંથી એકની પસંદગી થાય છે. બાકીના અનેક બાકી રહી જાય છે. બીજેપીએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી. આ જે વ્યક્તિ પસંદ થઈ તે તમને પસંદ નથી માટે તેને સરમુખત્યાર, અષ્ટકુટ, દુરાચારી, વિગેરે જે કોઈ વિશેષણો હાથવગા થાય તે બધા જ વિશેષણોથી તે વ્યક્તિને ભૂષિત કરી દો છો તેથી તમને કદાચ આત્મતુષ્ટિ મળતી હશે પણ તમારો આ વાણીવિલાસ જનતાને વરવો લાગે છે.

શેઠની શિખામણ ઝાંપા સુધી.

પક્ષના નેતાની પસંદગી એ પણ એક જાતની ચૂંટણી છે. “ચૂંટણી એક પર્વ છે”. આમ વિનોબા ભાવેએ કહ્યું છે. પણ આપણા આ વિનોબા ભાવેના અનુયાયીઓ “શેઠની શિખામણ ઝાંપા સુધી” એમ માને છે. બીજેપી તેના નેતાને પોતાની પ્રક્રિયા દ્વારા પસંદ કરે છે. તેમાં જનમત પણ એક પરિબળ છે. વાસ્તવમાં તો જનાધારને જ મુખ્ય પરિબળ ગણવું જોઈએ. પણ તમો જોકે પોતાને ગાંધીવાદી માનો છો, જનાધારની વાતને અગમ્ય કારણસર નજર અંદાજ કરે છો. તમે તો એવી તારવણીઓ કાઢો છો કે મોદીએ બીજાને પછાડી દીધા. મોદી સત્તા લાલચુ છે. મોદી પોતાને પક્ષ કરતાં મહાન માને છે. મોદી સરમુખત્યાર છે. પણ તમે જાણો છો કે આવી વાતો તો દરેક નેતા કે જે જીતતો હોય તેને માટે કરી શકાય.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના વક્તાઓએ નરેન્દ્ર મોદીના ઉચ્ચારણોને કેવી રીતે જોયા?

ભારતનું સ્વપ્નઃ

મહાત્મા ગાંધીએ ભારત માટે એક સ્વપ્ન જોયેલું. આદર્શ સમાજ કેવો હોય તે માટે તેમની એક વિચાર ધારા હતી. તેના આધાર ઉપર તેમણે એક પુસ્તક લખેલું. તે પુસ્તકનું નામ હતું “મારા સ્વપ્નનું ભારત”. મોટા ભાગે દરેક દેશવાસીનું પોતાનો દેશ કેવો હોવો જોઇએ તે માટેનું એક સ્વપ્ન હોય છે. સ્વપ્ન સેવવું તે દરેકનો અધિકાર છે. નરેન્દ્ર મોદીનો પણ અધિકાર છે.

હવે તમને જો એમ લાગ્યું કે નરેન્દ્ર મોદીની ફલાણી વાત બરાબર નથી તો તમે તે વાત પુરતી ચર્ચા કરો. તમે તે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે કરો કે જનતા સાથે કરો. પણ તમે એવું તો તારવી જ કેવી રીતે શકો કે “નરેન્દ્ર મોદી એટલે ઈન્ડીયા અને ઈન્ડીયા એટલે નરેન્દ્ર મોદી” એમ નરેન્દ્ર મોદી માને છે? નરેન્દ્ર મોદીની એક વેબસાઈટ છે. તે દ્વારા તમે તેની સાથે ચર્ચા કરી શકો છો. તમે તેની મુલાકાત પણ માગી શકો છો. મહાત્મા ગાંધી સંવાદમાં માનતા હતા. તમે કેમ વિસંવાદ કરો છો?

વોટ ફોર ઈન્ડીયાઃ

નરેન્દ્ર મોદીએ ભારતની સમસ્યાઓ વર્ણવી. આ સમસ્યાઓને નહેરુવીયન કોંગ્રેસ તેના નિરપેક્ષ અને  અબાધિત ૪૫ વર્ષના શાસન ૧૧ વર્ષના ગઠબંધન શાસન પછી પણ સુલઝાવી શક્યા નથી. જોકે આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ પોતે અરબોપતિ થઈ ગયા છે. પણ દેશની ૬૬ ટકા જનતા કે તેથી વધુ જનતા, ગરીબી રેખાની નીચે છે. ૬૦ વર્ષના શાસનને અંતે નહેરુવીયન કોંગ્રેસ “મનરેગા” લાવે અને પોતાની પીઠ થપથપાવે અને તમે તાલીઓ પાડો એ તમને શોભતું નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓ દેશની આગવી પ્રાચીન વિશેષતા અને દેશનું ગૌરવ સ્થાપી શક્યા નથી. એટલું જ નહી પણ તેમણે બાહ્ય અને આંતરિક અનેક નવી સમસ્યાઓ જાણ્યે અને અજાણ્યે ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ હાકલ કરી કે હવે ધીરજ ધરીને નહેરુવીયન કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવો તે દેશના હિત માટે યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે આ સમસ્યાઓ રહિત દેશ કરવા માટે તમે મત આપો. “તમે નહેરુવીયન કોંગ્રેસને ૬૦ વર્ષ આપ્યા મને ૬૦ માસ આપો” આમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી અજ્ઞાની છે.

તમે નરેન્દ્ર મોદીને ઈતિહાસનું જ્ઞાન પણ નથી એવું કહ્યું. નરેન્દ્ર મોદીએ એક યુવતિની જાસુસી કરાવી. આ કહ્યું ખરું પણ ફોડ ન પાડ્યો. જો ફોડ પાડ્યો હોત તો તમે જનતાની નજરમાં કમસે કમ યુવતીની બાબતમાં તો ફુસ થઈ જાત. કોઈએ કશું ટેપ કર્યું અને રેકોર્ડ કરીને બહાર પાડ્યું. પણ બધું બભમ બભમ છે. તમે જુઓ, ઉંડા ઉતરો, સમજો અને પછી બોલો તો તમને શોભે.

ચંદ્રગુપ્ત

 ચન્દ્ર ગુપ્ત

નરેન્દ્ર મોદીના ઇતિહાસના જ્ઞાનમાં કશી કચાશ નથી. કાંતો તમે તેના વિરોધીઓએ પોતાના ઇતિહાસના અર્ધદગ્ધ જ્ઞાન થી મોદીની વાતનો ખોટો અર્થ કર્યો છે, કાંતો તમે તેના સાથી છો અથવા તમે પણ ઇતિહાસનું તે વાત વિષેનું જ્ઞાન ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ કહેલ કે પટણા આવવાથી તેને ચંદ્રગુપ્ત યાદ આવે છે. તક્ષશીલા યાદ આવે છે. નાલંદા યાદ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય). એમ બે ચંદ્ર ગુપ્ત થઈ ગયા છે. ચંદ્રગુપ્ત મૌર્યે વિશ્વ વિજયી ગ્રીકોને હરાવેલ. ચંદ્રગુપ્ત બીજાએ વિશ્વ વિજયી હુણ અને શક આદિ લોકોને હરાવેલ. તે બંને ના વખતમાં તક્ષશીલાને પેલે પાર સુધી તેમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આ બંને રાજાઓ ના સામ્રાજ્યમાં બિહાર હતું. એટલે જો નરેન્દ્ર મોદી કે કોઈ પણ પટણા જાય તો તેને મગધ સામ્રાજ્ય યાદ આવે અને કેળવણીના કેન્દ્રો તક્ષશીલા અને નાલંદા પણ યાદ આવે જ.

ગંગા

મુસ્લિમો ભારતના થઈને જ રહેલા. તેઓ ભારતને પોતાનો દેશ માનીને રહેલા. શેરશાહ, કુતબુદ્દીન અને મોગલરાજાઓએ ભારતને જ પોતાનો દેશ માન્યો હતો. તેઓએ સદીઓ સુધી ભારતની રક્ષા કરી છે. જેઓ ગંગા સુધી આવ્યા તેઓ ગંગાને ઓળંગી ન શક્યા પણ સાંસ્કૃતિક રીતે ગંગાના જ થઈને રહ્યા. એટલે કે ગંગામાં ડુબી ગયા. આ એક મુસ્લિમ કવિના કાવ્યનો લક્ષ્યાર્થ છે. જો તમે  સેક્યુલર હોવાનો દાવો કરતા હો છતાં પણ આ વાત સમજી ન શકો તો તેમાં નરેન્દ્ર મોદીનો શો વાંક?

નરેન્દ્ર મોદી કંઈ પણ કરે તેને વિકૃત રીતે જોવું

નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર કર્યું એટલે ઘણા નહેરુવીયન કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયેલું, અને તે બાબતમાં તેમણે વિતંડાવાદ કરે લો. તેવું જ સરદાર પટેલના બાવલા બાબતમાં થયું છે.

ગુજરાતમાં મોરારજી દેસાઈએ ગાંધીજી અને સરદાર પટેલ માટે જે કર્યું તે થયું. તે પછી નહેરુવીયન કોંગ્રેસ દ્વારા કશું થયું નથી.  નહેરુવીયન કોંગ્રેસના કાર્યાલયના મકાનનું નામ “રાજીવ ભવન છે”. આ તો તમને ખબર જ હશે. નહેરુવીયન કોંગ્રેસ માટે તો ગુજરાતમાં કોઈ નેતા છે જ નહીં અને હતા પણ નહીં. નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજી માટે કે સરદાર પટેલ માટે કશું કરેલ નથી.

જે નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજીના સિદ્ધાંતો નેવે મુક્યા અને દારુની રેલમછેલ કરી તો તમે એટલે કે કેટલાક જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેઓ મૌન રહ્યા. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીમંદિર બનાવ્યું તો તેમને વાંધો પડ્યો.

અરે ભાઈ, ગાંધીજી ઉપર તો આખા વિશ્વનો અધિકાર છે. એટલે “મંદિર” શબ્દ ઉપર વાંધો ઉઠાવશો તો તે વિતંડાવાદ જ કહેવાશે. જો કે આ વાંધો ગુજરાત વિદ્યાપીઠના એક ગાંધીવાદી ભાઈશ્રીએ ઉઠાવેલ.

ગાંધીજી ઉપર કે સરદાર પટેલ ઉપર દેશ આખાનો હક્ક છે. નહેરુએ અને નહેરુવીયન કોંગ્રેસે, સરદાર પટેલને કેવી રીતે નવાજ્યા છે તે વિષે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.

ધારોકે નરેન્દ્ર મોદી કોમવાદી હોય તો પણ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને વખાણ્યા એટલે તમે કેવીરીતે માની લીધું કે સરદાર પટેલ હિન્દુવાદી હતા. નહેરુ માંસાહારી હતા. નહેરુ જો ગાંધીજીના વખાણ કરે અને વારે વારે તેમનું નામ લે તો શું ગાંધીજી માંસાહારી થઈ જશે? માનસિક વિકૃતિની આ હદ લાગે છે. ગધુભાઈને પણ તાવ આવે તેવી વાત છે આ તો. 

નરેન્દ્ર મોદી બધી સીવીલ સોસાઈટીઓને બંધ પાડી રહ્યો છે.

એ બહુ જાણીતી વાત છે કે ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦માં સત્તા ઉપર આવતાંની સાથે જ ગાંધીવાદી સંસ્થાઓ ઉપર ભંડોળના હિસાબની તપાસના આદેશો આપી દીધેલ. તમે જુઓ છો કે નહેરુવીયન કોંગ્રેસે અન્ના આંદોલન અને બાબારામદેવના આંદોલનના પ્રત્યાઘાત રુપે બંન્નેની સંસ્થાઓ ઉપર તપાસ જારી કરેલી છે. અત્યારે સાર્વત્રિક રુપે ઈન્કમટેક્ક્ષવાળા દરોડા પાડી રહ્યા છે. તમે આમાંનું કોઈ મુહૂર્ત કે એવું કંઈ જુઓ છો? નરેન્દ્ર મોદીની બાબતમાં તમે કશો ફોડ પાડ્યો નથી. બભમ બભમ આક્ષેપો કરવા એ જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેમને શોભતું નથી.

ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય શું?

નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં દૃષ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સમાચાર માધ્યમો એક બીજાની સ્પર્ધા કરે છે. એટલે જો તમે એમ કહેશો કે નરેન્દ્ર મોદીને આ બધા સમાચાર માધ્યમો ગ્લોરીફાય કરે છે તો કોઈ તમારી વાત માનશે નહીં. નરેન્દ્ર મોદી તો મોતનો સોદાગર, ગોડસે, કાકીડો, દેડકો, આતંકી, કસાઈ, ગુનાખોર, નીચ, વિગેરે અવનવા વિશેષણોથી નહેરુવીયન કોંગી નેતાઓ અને સમાચાર માધ્યમોના વિશ્લેષકોથી નવાજાય છે. એમાં વળી તમારો ઉમેરો થયો છે. નરેન્દ્ર મોદીને ફોઈબાઓ ઘણી લાગે છે. ફોઈબાઓ તો પ્રેમથી નામ પાડે છે. પણ આ ફોઈબાઓ તો દ્વેષને કારણે તિરસ્કારથી નામ પાડે છે. ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય?

આશ્ચર્ય એ વાતનું છે કે સામ્યવાદી પક્ષ પણ તમારી સાથે સામેલ છે. હોય જ ને. નહેરુવીયન કોંગ્રેસીઓને તો કોમવાદી એવા મુસ્લિમલીગ સાથે બેસવામાં પણ નહેરુના જમાનાથી ક્યાં છોછ હતો? આ સામ્યવાદીઓ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ચીની સેનાને મુક્તિ સેના તરીકે આવકારવા કલકત્તાની શેરીઓ ઉપર ઉતરી આવ્યા હતા. તમે એટલા તો અબુધ નથી કે તમે એ નથી જાણતા કે સામ્યવાદીઓ દેશના સીમાડાને માનતા નથી.

મને લાગે છે કે તમે મહાત્મા ગાંધીના અને વિનોબા ભાવેના આત્માને હણી નાખ્યો છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, ગરીબ કુટુંબ, હિમાલય, ખાલીખીસ્સે, કવિ, લેખક, વાંચે ગુજરાત, સ્વપ્નનું ભારત, વિકાસ, મુદ્દો, સરમુખત્યાર, ટ્રેકરેકોર્ડ, લોકશાહી પ્રક્રિયા, વિડંબણા, ૨૦૦૨, ૧૯૬૯, ૧૯૮૩, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮, હિન્દુ, મુસ્લિમ, કત્લેઆમ, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, વિનોબા ભાવે, શેઠની શિખામણ, જનાધાર, સરદાર પટેલ, ગાંધી, મંદિર, બાવલું, મનરેગા, વોટ ફોર ઈન્દીયા, ૬૦ વર્ષ, ૬૦ માસ, ચંદ્રગુપ્ત, ગ્રીક, શક, સામ્રાજ્ય, તક્ષશીલા, નાલંદા, બિહાર, પટણા, ગંગા, સેક્યુલર, વિકૃત, નહેરુ માંસાહારી, ફોઈબાઓ

“ચોક્ખું ઘી અને હાથી” પણ વાંચો

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૧

શનિવાર તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મહેદીનવાબજંગ હોલમાં એક સભામાં જવાનું થયું. આમાં વક્તાઓ પૂર્વનિશ્ચિત હતા. તેઓ સઘળા નરેન્દ્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના વિરોધી હતા. તેથી તેમને માટે નરેન્દ્ર મોદીની અમુક ચૂંટી કાઢેલી બાબતોની ટીકા કરવી સ્વાભાવિક હતી. સભાના પ્રમુખશ્રી (પ્રકાશભાઈ શાહ) હતા. સ્ટેજની પાસે ત્રણ બોર્ડ હતા જેમાં જે મુદ્દાઓ અને માગણીઓ હતી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. મુદ્દાઓ કે માગણીઓની સંખ્યા ૨૭ જેટલી હતી. અને એક એવો ઠરાવ હતો કે ગુજરાતમાં પ્રવર્તતા ભય અને ગુજરાતની પ્રગતિના ભ્રમમાંથી ગુજરાતની અને ભારતની જનતાને મુક્ત કરવામાં આવે. માટે દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે.

વાત સ્વિકારી લેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી આપખુદ છે, નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, નરેન્દ્ર મોદી કોમવાદી છે, નરેન્દ્ર મોદી જુઠાણાનો પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદીએ લોકશાહીને ભયમાં મુકી છે. એટલે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતના સમવાય તંત્ર અને ધર્મનિરપેક્ષતાનો નાશ થશે. માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા પડશે. નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર કરવો પડશે. આ માટે સીવીલ સોસાઈટીઓએ આગળ આવી લોકોના જુથોને સંગઠિત કરવા જોઇશે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતમાંથી જનતાએ બીજા રાજ્યોમાં જઈ નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વાતોનો પ્રચાર કરી લોકોને સાચી(?) વાતો જણાવવી જેથી બીજા રાજ્યોમાં મોદીનો પ્રભાવ પડી શકે.

ક્યારે દલીલ અને તર્ક ની જરુર પડે

અને ક્યારે જરુર પડે?

આપણે સમાજશાસ્ત્ર પુરતી આપણી વાત મર્યાદિત રાખીશું. સમાજની સુખાકારી માટે અવનવા માર્ગોને વાદો તરીકે  માનવામાં આવે છે. ગઈ સદીના પ્રારંભમાં વાદો તેની પરાકાષ્ટાએ હતા. અમુક લોકો સામ્યવાદી રસ્તે સમાજની ઉન્નતિ અને કે સુખાકારી આવી શકે છે એમ માને છેબીજા અમુક લોકો મુડીવાદી રસ્તે ઉન્નતિ અને સુખાકારી આવી શકે છે તેમ માને છે. બંને વાદો આમ તો ભ્રામક છે. પણ બહુ લાબીં ચર્ચા છે.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન” ના વક્તાઓની દૃષ્ટિ પ્રમાણે મોદીશૈલી, મોદી મોડેલ અને મોદીની આરએસએસ ની કડીને કારણે, મોદી ધાર્મિક રીતે અસહિષ્ણુ પણ છે.  આપણે આપણી વાત નરેન્દ્ર મોદીની આ છબી પુરતી મર્યાદિત રાખીશું.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાગણ શું વિચારે છે?

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાઓના વક્તાઓના કહેવા પ્રમાણે;

મોદી એટલે એક સરમુખત્યાર, ગોબ્બેલ અને હિટલર ત્રણેના મિશ્રણ થી પણ ચડે એવો છે.

नरेन्द्र मोदी तो मुसोलीनी, गोबेल्स और हिटलरका मिश्रण है

સરમુખત્યાર એટલે શું?

સરમુખત્યાર એ હોય છે જે લોકશાહીમાં માનતો હોય અને વિરોધીઓને બોલવા દેતો હોય, અગર કોઈ બોલે તો તેને ગુમ કરાવી દેતો હોય, અથવા  ખોટા આરોપો લગાવી તેને યથેચ્છ જેલમાં પૂરી દેતો હોય.

હવે જુઓ તેની સામે ની દલીલો

મોદી તો ચૂંટાઈને આવે છે. કેન્દ્રમાં મોદીની વિરોધીની સરકાર હોય તો પણ મોદી લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે. એકવાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટાઈને આવે છે. પક્ષની અંદર અને પક્ષની બહાર, સમાચાર માધ્યમો ના સતત કલુષિત, વિકૃત અને વિરોધી પ્રચાર છતાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવે છે. હવે જો પ્રક્રિયામાંથી પસાર થઈને આવનાર નરેન્દ્ર મોદીને તમે સરમુખત્યાર કહો તો તેનો અર્થ થયો કે તમે અત્યાર સુધી ચાલતી આવતી લોકશાહી પ્રક્રિયાને માનતા નથી. એટલે કે તમે પોતે ખુદ લોકશાહીમાં માનતા નથી, અને તમને નરેન્દ્ર મોદીને બદલે કોઈ બીજાને કે જે વિકલ્પની તમને પણ ખબર નથી તેને  શાસક તરીકે તમારી મુનસફ્ફી મુજબ લોકો ઉપર ઠોકી બેસાડાવામાં માનો છો. કારણ કે તમે વાતની નોંધ જ લેતા નથી કે ચૂંટણી એક સંવિધાનિક પ્રક્રીયા છે, તમે સંવિધાનની પ્રક્રીયાને આદર આપતા નથી. હવે એવું પણ નથી કે વિરોધીઓને પ્રચાર અને પ્રસારની છૂટ નથી. વાસ્તવમાં ૨૦૦૨થી હાલ સુધી મોદીને ગાલીપ્રદાન કરવું અને તેના ઉપર ખોટા આરોપો મુકવા તો ફેશન છે. વાસ્તવમાં તો મોદીને બદનામ કરવામાં મોદીના વિરોધીઓએ કશું બાકી રાખ્યું નથી. છતાં જનતા મોદીને ચૂંટે છે, એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટે છે. અને જનતાના દબાણને વશ થઈ તેના પક્ષમાં તમે જ ફેલાવેલા આંતર વિરોધની અફવાઓ હોવા છતાં પણ પક્ષને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરવા પડે છે. આમાં મોદીની સરમુખત્યારી ક્યાં આવી? એટલે તમારો સરમુખત્યારની શબ્દનો ઉપયોગ,  શબ્દકોષને બંધબેસતો નથી. જયપ્રકાશ નારાયણે કહેલું કે ઈન્દીરાના (સરમુખત્યારના) શબ્દોના અર્થ “હમ્ટી ડપ્ટી જેવા છે.

નરેન્દ્ર મોદીનો પ્રચાર ગોબેલ્સના પ્રચાર જેવો છેઃ

હવે તમે સમજી લો. ગોબેલ્સ નો પ્રચાર હતો તે હિટલરના રાજમાં હતો. તે યુદ્ધ વખતે હતો. તે પ્રચાર એક નિયત અને નાના સમય પૂરતો જ હતો. મુક્ત પ્રચારની તેના સમયમાં બંધી હતી. ગોબેલ્સ પ્રકારનો પ્રચાર ફક્ત સરમુખત્યારીમાં જ સંભવી શકે છે. નરેન્દ્ર મોદીના ચાલુ સમય કે ભૂતકાળના સમયને સરમુખત્યારી જેવો કોઈ રેકોર્ડ નથી.

ભારતીય જનતાએ અને તમે પણ, નહેરુવીયન કોંગ્રેસની ઈન્દીરાઈ સરમુખત્યારી અને તેણીની અને તેણીના પક્ષને લગતા પ્રત્યક્ષ, શંકાસ્પદ અને પરોક્ષ  વિરોધી  સમાચાર ઉપરની મનાઈ જોયેલી જ છે. તમારામાંના કેટલાક તેનો ભોગ પણ બનેલા છે. ઈન્દીરાગાંધીએ કટોકટી ચાલુ રાકઃઈને અને સેન્સરશીપ ચાલુરાખીને ચૂંટણીઓ કરાવેલી. ભારતની જનતાએ કટોકટીના સમયમાં જ ચૂંટણી  થયેલી તે છતાં પણ  અને સેન્સરશીપ હોવા છતાં પણ આ જ ઈન્દીરા ગાંધીને તેને હરાવેલી. એટલે તમારે ગુજરાતી જનતાને નપુંષક માનવાની જરુર નથી. વળી અત્યારે કટોકટી કે સેન્સરશીપ તો નથી જ નથી જ. કટોકટી અને ગોબેલ્સ પ્રકારનો પ્રચાર એટલે શું તે તમે સુપેરે જાણો છો જ. તમારે શબ્દો ઉપર બળાત્કાર કરવાની જરુર નથી.सही शब्दोंका प्रयोग करें”.

૧૯૮૦ની ચૂંટણી વખતે તમે કેમ ચૂપ રહ્યા?

ઈન્દીરાઈ સંસ્કારને ભૂલી જાઓ તેટલા બાલીશ તો તમે નથી જ. ઈન્દીરા ગાંધીની ૧૯૭૧ની ખુદની ચૂંટણીને ન્યાયાલયમાં પડકારવામાં આવેલી. તેમાં ન્યાયાલયે નોંધ લીધેલી કે ઈન્દીરા ગાંધી ૧૪ વખત ન્યાયાલય સમક્ષ (જે શપથ પૂર્વક બોલવામાં આવે છે કે “હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય કશું કહીશ નહીં) ખોટું બોલેલાં. ન્યાયાલયે તેણીની ચૂંટણી ગેરરીતીઓને કારણે રદ કરેલી. ઈન્દીરા ગાંધીને ન્યાયાલયે છ વર્ષમાટે ગેરલાયક ગણેલાં.  આ હતો  ઈન્દીરા ગાંધીનો કટોકટીની પહેલાંનો, કટોકટી અંતર્ગતનો અને તે પછીનો, સરમુખત્યારશાહીનો અને તેને સંલગ્ન સેન્સર શીપનો ટ્રેક રેકોર્ડ.

આ ઈન્દીરા ગાંધીએ, પોતાને ગાંધીવાદી માનતા એવા ચરણસિંઘને ફોડીને ગાંધીવાદી મોરારજી દેસાઈની, સુપેરે કામ કરતી સરકારને, ઉથલાવેલી. અને ૧૯૮૦માં ચૂંટણી જાહેર થયેલી. ઈન્દીરા ગાંધીનો ટ્રેક રેકોર્ડ આટલો શર્મનાક અને આતંકિત હોવા છતાં પણ તમે ૧૯૮૦ની ચૂંટણી વખતે ચૂપ રહેલા. શા માટે? નહેરુવીયન વંશની જે વ્યક્તિનો ટ્રેકરેકોર્ડ બિનલોકશાહી યુક્ત, માનવીય અધિકારોથી વિમુખ, એટલું જ નહીં કુદરતી અધિકારોથી પણ વિમુખ અને આપખુદી અને સરમુખત્યારીથી ભરપૂર હતો તેવી ઈન્દીરા સામે કે ઈન્દીરાઈ કોંગ્રેસ ની સામે તમે લોકો ૧૯૮૦ની ચૂંટણીમાં પડેલ નહીં. જનતા નથી માનતી કે તે વખતે તમે લોકો બાબાગાડી ચલાવતા હતા. અને તમારામાંના કોઈપણ ધારોકે તે સમયે બાબાગાડી ચલાવતા હોય તો પણ તમારા સૌમાં ઈતિહાસનું જ્ઞાન હોવું જરુરી છે કારણકે તમે અત્યારે બાબાગાડીના સહારે ચાલતા નથી.

નરેન્દ્ર મોદી હિટલર છેઃ

આમ તો જો કે એક ભાઈએ એમ કહેલ કે નરેન્દ્ર મોદી હિટલર થી પણ વિશેષ છે. કારણ કે તે સરમુખત્યાર, ગોબેલ્સ અને હિટલર ત્રણેનું મિશ્રણ છે.  ચાલો જવા દો. આપણે પહેલી બે ઉપમાઓ વિષે તો જોયું કે તે કેવી છે. હિટલરે તેના વિરોધીઓ પાસે ચૂંટણી કરાવેલી? હિટલરે કેટલીવાર ચૂંટણીઓ કરાવેલી અને કેવી રીતે? હિટલર કોણ હતો? અને હિટલરની રાજકીય પાર્શ્વ ભૂમિ શું હતી?

હિટલરની સામેના ગુનાઓ સાબિત થયેલા. તેને જેલ પણ જવું પડેલું. હિટલર  ૧૯૧૯માં જર્મનીની વર્કર્સ પાર્ટી માં દાખલ થયેલો અને બે વર્ષમાં જ લીડર તરીકે જાણીતો થયેલ. તેને તે પહેલાં પોતે કરેલા કાવતરા બદલ જેલમાં જવું પડેલ. જર્મન સમાજવાદી વર્કર્સ પાર્ટીનો તે ૧૯૩૩માં ચાન્સેલર થયો અને તેણે ડીક્ટેટરશીપ વાળી પાર્ટી બનાવેલી.

હવે આ વાત નરેન્દ્ર મોદી સાથે જરાપણ બંધ બેસતી નથી. નરેન્દ્ર મોદી ના બાળપણની વાતો જવા દઈએ અને ભણ્યા પછી તેના હિમાલય પ્રયાણની વાત જવા દઈએ અને તે પછી એક સામાન્ય કાર્યકર થયાની વાત પણ જવા દઈએ તો ૧૯૭૫થી કટોકટીના સમયથી તેની રાજકીય લડત શરુ થઈ કહેવાય. નરેન્દ્ર મોદીએ એક સામાન્ય વર્કર તરીકે કામ કર્યું છે. તેણે ઓછામાં ઓછું બે દશકા સુધી કોઈ રાજકીય હોદ્દો ભોગવ્યો નથી. તે બાદ તેની કાર્ય કુશળતાને કારણે તેને પક્ષમાં પ્રવક્તા અને પ્રભારી તરીકે રાખેલ. તેણે કદી જનપ્રતિનિધિ બનવા માટે માગણી મુકી નથી, કે તેને કદી રાજસભાનો સભ્ય કે કોઈ કોર્પોરેશનનો પ્રમુખ બનાવાયો નથી. તેણે આવી કોઈ માગણી મુકી હોય કે તેણે કોઈ દાવ ખેલ્યો હોય એવી કોઈ અફવાઓ પણ જે તે સમયે સમાચાર માધ્યમો દ્વારા ફેલાયેલી હોય તેવું પણ જાણવા મળ્યું નથી. કેશુભાઈને હટાવવામાં કે બીજા કોઈને હટાવવામાં કે પોતાને પ્રધાન કરવામાં તેણે કોઈ દોરી સંચાર કે લોબીયીંગ કર્યું હોય તેવા કોઈ સમાચારો ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીમાં, એટલે કે તે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી, અને તે પછી પણ ૨૦૧૨ ના મધ્ય સુધી પણ, કોઈ પણ સમાચારપત્રોમાં અફવા રુપે પણ આવ્યા ન હતા. બીજેપીના સ્વકેન્દ્રી અને નરેન્દ્ર મોદીના વિકાસના કામોથી હતઃપ્રભ થયેલા નેતાઓએ અને અથવા નરેન્દ્ર મોદી-દ્વેષી સમાચાર માધ્યમોએ બધી જ જાતની અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું છે.

હિટલરની ઉપમા કોને લાગુ પડે છે?

હિટલરની ઉપમા નહેરુવંશીઓને વધુ લાગુ પડે છે.

નહેરુ ભણવામાં (આઈસીએસ)માં નિસ્ફળ ગયા એટલે  મોતીલાલે મહાત્મા ગાંધી થકી જવાહરલાલને ઠેકાણે પાડ્યા. માલેતુજાર હોવાને કારણે તેમનો પક્ષમાં ઝડપથી ઉદય થયો. હિટલરની જેમ જવાહરને ગ્લોરીફાય કરવામાં આવ્યા. જવાહરની તે સમયની વાક્છટાને કારણે અને નાટકીયવેડાને કારણે તેઓ જનતામાં પ્રિય પણ થયા.

૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા હોવા છતાં પણ ગાંધીજી દ્વારા જ જવાહરલાલને  પક્ષના લીડર બનાવવા પડ્યા. ગાંધીજીને દેશના બેથી વધુ ભાગલા અટકાવવા માટે દેશના બે ભાગલા પણ સ્વિકારવા પડ્યા.

નહેરુએ પોતાની હિમાલય જેવડી બ્લન્ડરો છૂપાવવા સીન્ડીકેટની રચના કરી.

પોતાની પુત્રીને રાજગાદી મળે તેવી ગોઠવણ તેમણે સીન્ડીકેટ દ્વારા કરી. નહેરુવંશી સરમુખત્યારીના બીજ નહેરુએ વાવ્યા અને છોડ તૈયાર કર્યો. આ બાબત ઈતિહાસના પૃષ્ઠો ઉપર છે. ઈન્દીરા ગાંધીએ વંશ વેલાનું વૃક્ષ બનાવ્યું. રાજવંશમાં જેમ થાય તેમ ઈન્દીરાના અવસાન પછી પ્રધાનમંડળની અને સંસદની મંજુરી વગર જ કહ્યાગરા રાષ્ટ્રપ્રમુખે ઈન્દીરાના પુત્રને વડાપ્રધાન સ્થાપિત કર્યો અને તેની પાસે વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ વંશીય રાજકારણની પ્રણાલી અંતર્ગત આજે તેના જમાઈને પણ ઝેડ સીક્યોરીટી મળે છે. આ કોઈ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો.       

નહેરુના સમયમાં અનેક લોકો વગર મોતે મર્યા

હિટલરે વિરોધીઓની કતલ કરેલી. ગેસ ચેમ્બરો બનાવેલી અને તેમાં નિર્દોષોને હોમી દીધેલ. નહેરુએ શું કરેલ.? દેશના ભાગલા થયા પછી દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે સંજોગોને નહેરુ પોતાના “નંબરવન” પદની લાલસામાં સમજી શકેલ નહીં. હિન્દુ–મુસ્લિમ હુલ્લડો તે નવી વાત ન હતી. આ વાત નહેરુએ સમજવા જેવી હતી. વિભાજના કબુલાતનામામાં એક કોમ દ્વારા બીજી કોમને નુકશાન થાય તો તેના વળતરની જોગવાઈ કરવાની જરુર નહેરુએ સમજવા જેવી હતી. પણ નહેરુમાં આર્ષદૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હતો. આમ દેશના ભાગલા પછીની કત્લેઆમ માટે નહેરુ જવાબદાર હતા.

ભારતીય સૈન્ય હમેશા અજેય રહ્યું છે. ચીન સાથેનું યુદ્ધ પણ ભારત જીતી શક્યું હોત જો નહેરુએ અગમ ચેતી વાપરીને ચીન સાથેની સરહદને રેઢી મુકી ન હોત તો. આ વાત મને એક એક બ્રીગેડીયરે કહેલી. નહેરુની ચીન સાથેની બેવકુફી ભરેલી નીતિ માટે અને ભારતના અજેય સૈન્યના જવાનોના મોત માટે પણ નહેરુ જવાબદાર હતા.

આવું જ ઈન્દીરા ગાંધી માટે હતું.

હિન્દીભાષી બંગ્લાદેશી (પૂર્વપાકિસ્તાની) ઘુસણખોરો કરોડોની સંખ્યામાં દેશમાં ઘુસી આવ્યા અને તેને ઈન્દીરા ગાંધી વચન બદ્ધ હોવા છતાં પણ ખદેડી શકેલ નહીં. પાકિસ્તાનને સમયસર લાલ આંખ બતાવેલ નહીં તેથી ભારતના હજારો સૈનિકો માર્યા ગયેલ. અને તાજેતરની માહિતિ પ્રમાણે હજુ આપણા સેંકડો સૈનિકો પાકિસ્તાની જેલોમાં સબડે છે, જ્યારે ઈન્દીરા ગાંધીએ ગાલાવેલી કરીને હૈયા ફુટ્યા થઈને ૯૨૦૦૦ પાકિસ્તાનના યુદ્ધ કેદીઓને મફતમાં મુક્ત કરી દીધેલ. સિમલા કરાર તો એક કૌભાન્ડ છે તેને નકારી ન શકાય.

ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી એક અક્ષમ્ય અપરાધ હતો. તેને માટે તો આખા પક્ષને દેશ નિકાલ કરી શકાય. તેને વિષે તો મહાભારત જેવડો ગ્રંથ લખાય.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાનવાલેને પોતાના રાજકીય સ્વાર્થ માટે સંત ઘોષિત કરેલ. આ સંતે પાકિસ્તાનની મિલી ભગતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરેલ. પંજાબના સામાજીક જીવનને લકવાગ્રસ્ત કરી નાખેલ. હજારો નિર્દોષ લોકો આતંકવાદમાં કતલ થયેલ. આતંકવાદીઓએ સ્વર્ણમંદિરનો શસ્ત્ર સરંજામ અને રહેઠાણ તરીકે ઉપયોગ કરેલ. દેશમાં એવો કોઈ કાયદો નથી કે ખૂની કે ચોરને તમે ધાર્મિકસ્થાનમાં ઘુસીગયો હોય તો ત્યાંથી તેને પકડી ન શકો. પણ અનિર્ણાયકતાની કેદી ઈન્દીરા ગાંધીએ આ આતંકવાદીઓને વકરવા દીધા. આ દરમ્યાન અનેક નિર્દોષોની કતલ થઈ. ઈન્દીરા ગાંધી પોતાની સ્વાર્થ વૃત્તિ અને વહીવટી અણઆવડતનો શિકાર બની. અને તેના ખૂનથી તેના પક્ષના માણસોએ હજારો નિર્દોષ શિખોની કતલ કરી.  ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડની સાથે ક્ષતિયુક્ત ડીલ કર્યું, હજારો માણસો ભોપાલ ગેસ દુર્ઘટનામાં માર્યા ગયા, અનેક ગણા કાયમી રીતે ક્ષતિગ્રસ્ત થયા અને  તેમને કશી અર્થપૂર્ણ નુકશાની પણ ન મળી. ઈન્દીરાના પુત્રે અર્જુનસિંઘની મીલી ભગતમાં એન્ડરસનને ભાગી જવા દીધો.

આ બધી જાન હાનિઓ માટે ઈન્દીરા ગાંધી અને તેના પુત્ર જવાબદાર છે.

તમે એ પણ જુઓ કે ઈન્દીરા ગાંધીએ વકરવા દીધેલા ખાલીસ્તાની આતંકવાદ થકી મુસ્લિમ આતંકવાદને ભારતમાં પાંગરવાની તક મળી. ૧૯૯૦ માં આ આતંકવાદે માઝા મુકી અને કાશ્મિરના છ લાખ હિન્દુઓને જાહેરમાં અને અખબારોમાં કાશ્મિર છોડી જવા માટે પોસ્ટરો દ્વારા ખૂલ્લે આમ ધમકીઓ આપી. ખૂનામરકી કરી અને ૧૦ હજારની સંખ્યામાં કતલ કરી. લાખો હિન્દુઓ ને તગેડી મુક્યા. તેમણે પોતાના રાજ્યની બહાર તંબુઓમાં આશરો લીધો. આજે ૨૩ વર્ષ ને અંતે પણ નહેરુવીયન કોંગ્રેસ અને ફારુખ ની કહેવાતી મીલીજુલી સેક્યુલર સરકાર આ હિન્દુઓને પુનર્‌સ્થાપિત કરી શકી નથી. નહેરુવીયન કોંગ્રેસીઓને, તેમના સાથીઓને અને દંભી સેક્યુલરોને આ હિન્દુઓની કશી પડી નથી. તેઓ ચર્ચા કરે છે ખરા પણ તે કાશ્મિરમાંથી સુરક્ષા દળોને હટાવવા માટે અને જે આતંકવાદીઓ સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયા તેમના કુટુંબી જનોને વધુ રાહતો આપવાની વાતો કરે છે. આતંકવાદીઓના કુટુંબી જનોને પેન્શન તો આપવા માંડ્યું જ છે! આ સેક્યુલરોને આપણે શું કહીશું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, સરમુખત્યાર, ગોબેલ્સ, હિટલર, દંગા, હુલ્લડ, ૨૦૦૨, હિન્દુ, મુસ્લિમ, નહેરુ, ઈન્દીરા, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, બાબાગાડી, મુખ્યમંત્રી, હતઃપ્રભ, રેઢી સરહદ, ઘુસણખોરી, અનિર્ણાયકતાની કેદી, સંત, ભિન્દરાનવાલે, સ્વર્ણમંદિર, સિમલાકરાર, કૌભાન્ડ, યુનીયન કાર્બાઈડ, એન્ડરસન, ભોપાલ ગેસ, કતલ, કાશ્મિર, પોસ્ટરો, ખૂનામરકી, સેક્યુલર

Read Full Post »

શ્રી સામ પીત્રોડાજી એ કોમ્યુનીકેશનને લગતી જે વાત કરી તે અધુરી લાગે છે.

નહેરુવીયનોને અને ખાસ કરીને ઈન્દીરા ગાંધીને  ટેલીકોમ્યુનીકેશનમાં રસ નહતો. ટેલીકોમ્યુનીકેશનમાં કેવી રીતે નહેરૂવીયનોએ મારેલી બ્રેક દૂર થઈ તે માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો. અને જરુર વાંચો.

http://theindians.co/profiles/blogs/3499594:BlogPost:294973

 

ધર્મ એટલે શું, એ સમજવામાં શ્રી પીત્રોડાજીએ ભૂલ કરી છે. જોકે આ નવાઈની વાત નથી. જેઓ માનતા હોય કે તેમનો અને તેમની વિચાર શૈલીનો ઉછેર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં થયો છે તેઓ આવી ભૂલ કરે તો તે ક્ષમ્ય છે. પણ જેઓ પોતાને દેશી માનતા હોય તેઓ પણ આવી ભૂલ કરે છે. તેને ક્ષમ્ય ગણવું કે ન ગણવું તે વાત જવા દઈએ પણ તેને અપરિપક્વ કે અધુરી સમજણ કે ગેરસમજણ ગણવી જોઇએ. અને તેમાં પણ જો તેઓ ધર્મની કચાશ ગણે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો વિઘટનવાદી ભેદ ગણે તો તેને અક્ષમ્ય જ ગણી જ શકાય.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુધર્મ એક જીવનશૈલી છે. પોતાની જાતને સમજવી, સમાજને સમજવો,પોતાનું સમાજ પ્રત્યેનું કર્તવ્ય સમજવું, ઈશ્વર અને આત્માને સમજવા અને તે સૌના પરસ્પર સંબંધને સમજવા. હિંદુસાહિત્યમાં આ બધા વિષે સાર્વત્રિક અને મુક્ત આલેખન  છે. આમાં સંવાદ અને ચર્ચાને પૂરો અવકાશ છે અને આવકાર્ય ગણાયો છે. જેમ વિજ્ઞાનમાં છે તેવું જ આમાં છે.

ઈશ્વર અને પૂજાઃ

હિન્દુઓમાં શું છે?

શંકરાચાર્ય, તે અગાઉના આચાર્યો અને તે પછીના આચાર્યોએ આ બાબતમાં અનેક ચર્ચાઓ અને તે ચર્ચાઓ માટે યાત્રાઓ કરી છે.

વેદોના સમયમાં અગ્નિની ઉપાસના થતી, યજ્ઞો થતા. તે પછી રુદ્ર અને શિવલિંગની, શાલીગ્રામ લિંગ અને  મૂર્તિમાન પ્રતિકોની પૂજા થવા માંડી. અવતારો આવ્યા, અને અવતારી પુરુષોની મૂર્તિઓ બનવા માંડી અને પૂજા થવા માંડી. અગાઉની પૂજાઓ પણ ચાલતી અને નવું પણ ચાલતું. વિવાદો પણ થતા. સંઘર્ષ તો દૂર્ભાગ્યે  અને ક્વચિત જ થતો. સૂર્યની પૂજા થઈ. તો સૂર્યની પાછળ રહેલા અદૃશ્ય દેવ વિષ્ણુની પણ પૂજા થઈ. કૃષ્ણની થઈ અને રામની પણ થઈ. આ સૌની અને બધાની પૂજા ચાલુ રહી. જેને જે ગમ્યું તે કર્યું. ન થયો કોઈ વિરોધ કે કંકાશ. તે પછી પરમ બ્રહ્મ સહજાનંદ સ્વામી આવ્યા. અને સાંઈબાબા પણ આવ્યા. સત્યસાંઈ બાબા પણ આવ્યા. કોઈ વિસંવાદ કે વિખવાદ કે જુદાઈ નહીં.

તમે તમારી રુચિ પ્રમાણે ઈશ્વરના જે સ્વરુપને પૂજવું હોય તેને પૂજો. કારણકે ઈશ્વર તો “નેતિ નેતિ” છે. તે નિર્ગુણ નિરાકાર છે. એટલે કે તે કોઈની ઉપર ઉપકાર કરતો નથી. તેણે એવી ગોઠવણ કરી છે કે કર્મના ફળ મળે. કર્મ ફળ મનુષ્યયુક્ત સમાજને મળે અને સમાજયુક્ત મનુષ્યને મળે. માનવું હોય તો માનો. ન માનવું હોય તો ન માનો.

ઋણં કૃત્વા ઘતં પિબેત, (દેવું કરીને પઠ્ઠા થાઓ) કે ઘૃષ્ટં ઘૃષ્ટં પુનઃ અપિ પુનઃ ચંદનં ચારુ ગંધં. ચંદનની જેમ ઘસાઈ ઘસાઈને સુવાસિત બનો. રવિશંકર મહારાજના શબ્દોમાં કહી તો ઘસાઈને ઉજળા થાઓ. એટલે કે ભોગ આપીને બીજાને સુખી કરો.   

બીજા ધર્મોમાં શું છે?

જ્યારે બીજા ધર્મોમાં જુઓ. યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોના ઈશ્વર તો એક જ છે.  યહોવાહને (ઈશ્વરને) સૌ કોઈ માને છે. પણ યહુદીઓ ઈશુને ઈશ્વરના પૂત્ર ન માને. અને આ બાબતનો મોટો ઝ્ગડો છે, અને પરિણામે યુદ્ધો અને કતલો પણ છે. મુસ્લિમો ઈશુને પયગંબર માને પણ ઈશ્વરના પૂત્ર ન માને. તે ઉપરાંત મુસ્લિમો, મોહમ્મ્દ સાહેબને છેલ્લા પયગંબર માને. ખ્રીસ્તીઓ મોહમ્મદ સાહેબને પયગંબર ન માને અને કુરાનને પણ ન માને. આ ત્રણ મુદ્દાઓ ઉપર વિખવાદ, યુદ્ધો અને કતલો થઈ. આ બધાનું કારણ શું? કારણકે તેમના ધર્મની વ્યાખ્યા ભારતીયોની વ્યાખ્યા કરતાં જુદી જ છે. પાશ્ચાત્યની ધર્મની વ્યાખ્યા ધર્મમાં ભેદ પાડે છે.

આ ધર્મોમાં ઈશ્વર “આવો અને આવો જ છે” આ માનશો તો જ ઈશ્વર ખુશ થશે. અને જો ઈશ્વરને ખુશમાં રાખશો તો તે તમારું બધું માફ કરી દેશે. કારણ કે તે નહેરુવીયન કોંગ્રેસી અને તેમના મળતીયા અને રાજકારણીઓની જેમ દયાળુ છે. તે તમારી સાત પેઢીને તારી દેશે. ઈશ્વર કંઈ કૌટિલ્યની જેવો જડ નથી કે પોરસરાજા જેવા રાષ્ટ્રભક્ત રાજાના દિકરાને દગો કરવા બદલતેના બાપની શેહ શરમ રાખ્યા વગર, હાથીના પગ નીચે કચડાવી નાખે. 

પૂજા પદ્ધતિઓ

હવે બીજી એકવાત. પૂજા પદ્ધતિઓ પણ બદલાતી રહી. પહેલાં કુદરતી તત્વો અને વિશ્વદેવના,વિશ્વ હિતના જ યજ્ઞો થતા. પછી જનહિત ના યજ્ઞો થવા લાગ્યા. પછી સ્વ હિતના યજ્ઞો થવા લાગ્યા. જનહિતના યજ્ઞોને, સ્વહિતના યજ્ઞો કરવાવાળાઓ જ્યારે ધ્વંશ કરવા માંડ્યા ત્યારે સંઘર્ષો થયા. પણ પછી સંધિ સમાધાન થયાં. અને અત્યારે કોઈ તે બાબતનો ઝગડો ઉભો કરતું નથી. એટલું જ નહીં, પણ આ વાત કોઈને યાદ પણ નથી.

જ્યોતિષીઓ જ કહે છે કે તમારી યોની રાક્ષસ છે અને તમારી યક્ષ છે. તમારી દેવ યોની છે અને તમારી ગાંધર્વ છે. અને તેમાં કોઈને ખોટું પણ લાગતું નથી. આમ તો મનુસ્મૃતિ માન્ય ગણાય છે. પણ કોઈ એ પ્રમાણે વર્તતું નથી. એક કાળે ઋષિઓ મનુને પૂછવા ગયા કે માંસ ખવાય કે નહીં?મનુએ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમાય અને તે ઋષિઓથી ખવાય? પછી આ મનુને ઈશ્વરની વઢ ખાવી પડી. ઈશ્વરની વઢ ઋષિઓએ  પણ ખાધી કારણ કે તેમણે અયોગ્ય વ્યક્તિને પૂછ્યું. આ વઢની જેમને ખબર પડી તેમણે માંસ છોડ્યું અને બાકીનાએ ચાલુ રાખ્યું. વાત પૂરી. જોકે નોન વેજ ખાવું કે ન ખાવું તેની ચર્ચા આજે પણ ચાલે છે. પણ તલવારો ખેંચાતી નથી.

તોરાટ, બાયબલ અને કુરાન વિષે આમ નથી. કંઈક વાંકુ પડ્યું એટલે તમે કોણ અને અમે કોણ?તમે જુદા અને અમે જુદા. તલવારો હબોહબ ખેંચાણી હતી અને કતલો થઈ હતી. આજે પણ બોંબ ફુટે છે અને ફૂટશે.

ધર્મનો અર્થ

હવે જો તમે પાશ્ચાત્ય સંસ્કારોમાં ઉછર્યા હો એટલે ધર્મનો અર્થ તેઓના સંસ્કાર પ્રમાણે કરો અને તેને વળી  યુનીવર્સલ ગણો. યુનીવર્સલ (સર્વવ્યાપક) ગણો અને વળી હિન્દુધર્મને પણ ઉંડાણમાં ઉતર્યા વગર લપેટમાં લઈ લો તે અન્યાય જ નહીં, અનાચાર જ નહીં પણ દુરાચાર પણ ગણાવી શકાય.

હાલ જોકે હિન્દુઓમાં બાબાઓએ વાડાઓ કર્યા છે અને એકબીજાને જુદા પાડે છે પણ કોઈ ધર્મિક વૈચારિક સંઘર્ષ થતા નથી. સંપત્તિની બાબતમાં થાય છે. પણ તે કંઈ હિન્દુ ધર્મના સંસ્કારમાં ન આવે.

હિન્દુધર્મ  લયબદ્ધ કરે છે

હિન્દુધર્મ એ તત્વજ્ઞાન, જગતની પ્રકૃતિ અને ઈતિહાસનો સમન્વય છે. જેમ પદ્ય એ સંવાદને લયબદ્ધ કરેછે, તેમ હિન્દુ સંસ્કાર કહો તો સંસ્કાર અને ધર્મ કહો તો ધર્મ, સમાજને લયબદ્ધ કરે છે. હાલની બ્રીટીશ – નહેરુવીયન કોંગ્રેસે સર્જેલી ભારતની પરિસ્થિતિ પરોઠના પગલાં જેવી છે તે વાત જુદી છે. તેનું મૂખ્ય કારણ નિરક્ષરતા (ભણેલાઓની નિરક્ષરતા પણ આવી જાય), ગરીબી,અને પરિસ્થિતિજન્ય સ્વકેન્દ્રીપણું છે.

જ્યારે મોટા નામવાળા જાણે-અજાણે અધૂરપ રાખે કે અર્ધદગ્ધતા રાખે કે અપૂર્ણતા રાખે ત્યારે ખોટો સંદેશ જાય છે.

જોકે ધર્મ એ દરેક વ્યક્તિનો વિષય નથી. પણ ધર્મને નામે ઘણા અત્યાચારો થયા છે અને ધર્મ ઉપર પણ અત્યાચાર થયા છે.

વિદ્યા (ટેક્નોલોજી) અને વિજ્ઞાનશાસ્ત્ર (ક્લાસીક્લ સાયન્સ)) જુદા છે જરુર છે પણ વિદ્યા એ વિજ્ઞાનશાસ્ત્રથી સાવ સ્વતંત્ર નથી. વળી શાસ્ત્ર તો સર્વવ્યાપક છે. તે ઉપરાંત શાસ્ત્ર અને તત્વજ્ઞાનને ઘનિષ્ઠ સંબંધ છે. તેથી જ વિજ્ઞાનમાં જ્યારે કંઈપણ કહેવામાં આવે ત્યારે વિશિષ્ઠ શબ્દોની વ્યાખ્યા કરવામાં આવે છે જેથી અભ્યાસુઓને ગેરસમજુતી ન થાય. જોકે આવી પ્રણાલી દરેક ક્ષેત્રમાં રાખવી જોઇએ.

આવા પરિપેક્ષ્યમાં આ પ્રતિભાવ લખવામાં આવ્યો છે. શ્રી સામ પિત્રોડા એક માનનીય વ્યક્તિ છે. પણ માનનીયતા અલગ અલગ ક્ષેત્રોની મર્યાદામાં આવે છે. તેથી સુજ્ઞજનોએ કે અજ્ઞજનોએ પણ આવા પ્રતિભાવોથી ખોટું ન લગાડવું.

શિરીષ મોહનલાલ દવે

તા.ક. પોતાના ક્ષેત્રોમાં સુજ્ઞ, પણ બીજા અને ખાસ કરીને સામાજીકશાસ્ત્રમાંના ક્ષેત્રમાં  અલ્પજ્ઞ અને તેમાં પણ ભારતીય મૂળના સ્વદેશની સેવાના લક્ષ્ય સાથે ભારતમાં આગમન કરે ત્યારે તેમને અંગ્રેજોએ અને તે પછી નહેરુવીયન સરકારે ફટવેલા સરકારી અફસરોને ઝેલવા પડે છે. લાધેલી ઉંચી ખુરસીઓના ગર્વથી મોઢા ફુલાવીને વર્તતા અફસરો રુપી આ શખ્સો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમાં પણ પ્રધાનો અને વડાપ્રધાનો આગળ     ત..ત  …  પ..પ    થતા હોય છે. એટલે ખાસ કરીને જનતા સાથે મૃદુભાષી એવા વડાપ્રધાનના વ્યક્તિત્વથી તેઓ  અભિભાવુક થાય તે સામાન્ય વાત છે. કીડનીના રોગોના નિષ્ણાત શ્રી એચ કે ત્રીવેદીએ પણ સરકારી ખરી, પણ “સર્વરીતે સંપૂર્ણ સ્વતંત્ર” એવી કીડની હોસ્પીટલ માટેના પ્રસ્તાવ ની મંજુરી માટે ઈન્દીરા ગાંધીની મુલાકત લીધેલી. ઈન્દીરા ગાંધીએ તેમના અફસરોને સવાલ કરેલો કે શું સરકારે આવી સંપૂર્ણ સ્વતંત્રતા આપી હોય એવો દાખલો કોઈ દાખલો છે ખરો? અને આવી સ્વતંત્રતા આપી શકાય ખરી? જોકે સરકારી અફસરો પાસે દરેક પ્રશ્નોના ઉત્તર હોવા જ જોઇએ. પણ ઈન્દીરા ગાંધીના વહીવટી તંત્રે એવી પ્રણાલી પાડી જ નહતી. તેથી તેઓએ તપાસ કરી આપવાની વાત કરી અને પરોક્ષરીતે શ્રી ત્રીવેદીને ભગાડી દીધા એટલે કે મુલાકાત પૂરી થઈ. પછી એક આવા યુનીટને પ્રાયોગિક રીતે મંજુરી આપવી કે એવું કંઈક નક્કી થયું. અને પછી એ મંજુરી દક્ષિણ ભારતમાં આપવામાં આવી. ઈન્દીરા ગાંધીને કશી ખબર પણ ન પડી. છતાં શ્રી ત્રીવેદી, શ્રીમતી ઈન્દીરા ગાંધીથી અભિભાવુક થયા હતા. આવા વિશાળ દેશના વડા પ્રધાન સાથે એક મુલાકાત ગોઠવાય તે જ એક પૂણ્યશાળી પ્રસંગ સમજવો જોઇએ. એટલી વાતથી ઘણા સંતુષ્ટ થઈ જાય છે.

 

Tags: ઈશુઈશ્વરઋષિઓકર્મફળકુરાનખ્રીસ્તી,તોરાટદયાળુધર્મબાયબલMore…

Read Full Post »

%d bloggers like this: