Feeds:
Posts
Comments

Posts Tagged ‘મૂર્ધન્યો’

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૧

આગ સાથે કોણ રમી રહ્યું છે?

Image result for vadra images

દેશ માટે કોણ ખતરનાક છે?

સમાચાર માધ્યમો ક્યાં જઈને અટકશે?

મૂર્ધન્યો અને કટાર લેખકોને પોતાનું પથભ્રષ્ટપણું ક્યારે દેખાશે?

કોણ જૈસે થે વાદી છે?

દેશને વિનીપાત તરફ લઈ જવા માટે દેશ બહારના પરિબળો અને તત્ત્વો વધુ જવાબદાર છે કે દેશની અંદરના તત્ત્વો?

શું દેશને નુકશાન કરનારા દેશની અંદરના તત્ત્વો દેશનું હિત સમજતા નથી?

ખાટલે મોટી ખોડ કઈ છે?

હાજી, આગ સાથે કોણ રમી રહ્યું છે?

જો તમે જનતાના કોઈ એક ભાગને કોઈ સમાન આધાર લઈને તેને કહો કે;

“તમે આ રીતે તમે તે રીતે બીજા થી જુદા છો … તમને પુરતી તક આપવામાં આવતી નથી … તમને અન્યાય થઈ રહ્યો છે…  તમારા માટે કંઈક વિશેષ કરવું જરુરી છે.

“આમ તો તમે કંઈ જેવા તેવા નથી.

“તમારા કુળમાં અનેક મહાનુભાવો થઈ ગયા. તેઓ સહુ અસામાન્ય હતા.

“આમ તો તમારામાં ઘણા અસામાન્ય હશે. પણ તેમને તક આપવામાં આવતી નથી.

“અથવા કહો કે તેમને એટલે કે તમને જાણી જોઇને તકથી વંચિત રાખવામાં આવ્યા છે.

હાજી આ બધું એક યોજના પૂર્વક કહેવાઈ રહ્યું છે.

“તમને તક આપવામાં આવતી નથી એટલું જ નહીં તમને મદદ પણ કરવામાં આવતી નથી જ્યારે તમારા જેવી જ પરિસ્થિતિ વાળા અન્યોને મદદ કરવામાં આવે છે અને તમને અન્યાય કરવામાં આવે છે.

“ હવે તો તમારા ઉપર થતા અન્યાયોએ હવે હદ વટાવી દીધી છે.

તમે કહેશો કેઃ “હા. તમારી વાત તો ખરી છે પણ તમે જ કહો અમારે શું કરવું જોઇએ?

તેઓ કહેશે કે;

“અરે તમને ખબર નથી? તમે તો અદ્ભૂત છો. તમારી શક્તિનું તમને ભાન નથી. તમે એકવાર તમારી શક્તિનો પરચો સરકારને આપશો એટલે તે સામે થી તમને નમતી આવશે.

તમે કહેશો કે “એ વાત તો ખરી છે. પણ અમારે અમારી શક્તિ કેવી રીતે પ્રદર્શિત કરવી?”

તેઓ કહેશે કે;

”તમારી શક્તિ તમારી એકતામાં છે. તમે એકતાનું પ્રદર્શન કરો … તમે સરઘસો કાઢો … રેલીઓ કરો … તમે રેલ્વેના પાટા ઉખાડો … વાહન વ્યવહાર સ્થગિત કરો … બસો બાળો … પોલીસના અને બીજાઓના વાહનો બાળો … દુકાનો બાળો … એટલે સરકારને તમારી શક્તિનો પરચો થશે અને તમને નમતી આવશે. સમજ્યા? શું સમજ્યા? તમે હવે જાગો … તમે બહુ ઉંઘ્યા … તમે બહુ સહન કર્યું … હવે તો હદ થઈ ગઈ છે. પાણી તમારા માથે આવી ગયું છે… જો તમે હવે જાગશો નહીં તો તમે કદી જાગી શકશો નહીં … અને તમે નષ્ટ પામી જશો … તમારી જ્વલંત વિરાસત ઇતિહાસના પાના ઉપર જ રહી જશે … કદાચ એ પણ ભૂંસી નાખવામાં આવશે.”

તમે કહેશો કે; “પણ અમે જો આવું કરીયે તો તો સરકારી સંપત્તિને નુકશાન કર્યું કહેવાય. અમારા ઉપર કેસ ચાલે અને અમારે કદાચ જેલમાં પણ જવું પડે તેનું શું?”

તેઓ કહેશે કે; “ અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. અમે બહુ હોશિયાર છીએ. અમે કંઈ મફતમાં દેશ ઉપર સાડા છ દાયકા સુધી રાજ ન હોતું કર્યું? અમારી પાસે ખૂટાડ્યા ખૂટે નહીં એટલા પૈસા છે. આ તો અમારા ગ્રહો વાંકા કે કેટલુંક અમારી વિરુદ્ધ આવ્યું, બાકી કોઈની તાકાત છે કે અમને શાસનમાંથી હટાવી શકે? તમે લખી લો …  હાર્યા પછી અમારી જીત થતી જ આવી છે. અમારી પાસે ફક્ત પૈસા જ છે એમ નથી, અમારી પાસે ઘણા સંપર્કો પણ છે. અમે ઘણાને ગેરકાયદેસર માર્ગે ખટવ્યા છે, અસામાજિક તત્ત્વો સાથે તો અમારે ઘરેલુ સંબંધ છે… આ બધું ક્યારે કામ આવશે!! તમારા જુથની કેટલીક વ્યક્તિઓને અમે નેતા બનવા તૈયાર કરી દીધી  છે. તમારે તો ફક્ત તેમને સહકાર જ આપવાનો છે. બીજું બધું તમે અમારા ઉપર છોડી દો. અમને જે લોકો સહકાર આપશે તેમને અમે માલામાલ કરી દઈશું.”

હે વાચકો… તમે જાણો જ છો કે દરેક જુથમાં થોડા ઘણા તો સ્વકેન્દ્રી, સ્વાર્થી, ખ્યાતિ ભૂખ્યા માણસો હોય જ છે. સામાન્ય બુદ્ધિ ન હોવી અને અધીરાઈ હોવી એ સામાન્ય કક્ષાની વ્યક્તિમાં સહજ હોય છે.

તમે કહેશો કે, “કોઈ ઉદાહરણ આપશો?”

અમે કહીશું, “હૉવ…અ.., રસ્તા ઉપરના વાહનવ્યવહારને જ જોઈ લો ને … બધાને આગળ જવાની કેવી ઉતાવળ હોય છે?… બે મીટર આગળ જવા માટે લોકો તમને જમણી બાજુથી પણ ઓવરટેક કરશે … પછી ભલે ને જ્યાં જવું છે ત્યાં થોડીક જ મીનીટ વહેલું પહોંચાય… આવું તો બધું ઘણું છે … જે તમને સામાન્ય કક્ષાની વ્યક્તિની માનસિકતાનો પરિચય આપે છે. …”

સામાન્ય કક્ષામાં મોટા નામો પણ આવી શકે છે જેમાં મૂર્ધન્યો, સમાચાર પત્રના ખેરખાંઓ, કટારીયાઓ અને પોતાની કહેવાતી તટસ્થતા જાળવી રાખવાના ભ્રમ રહેનારાઓનો પણ સમાવેશ થતો હોય છે.

જન્મના આધાર પર જ્ઞાતિઓ

વાસ્તવિક રીતે જોઇએ તો સમાજમાં ફક્ત વ્યવસાયોના આધાર પર જ વિભાગીકરણ હોય છે. ભારતમાં જન્મના આધાર પર ક્યારે જ્ઞાતિઓ દૃઢ બની તે એક સંશોધનનો વિષય છે. વિકેન્દ્રિત ઉત્પાદન, વિકેન્દ્રિત વહેંચણી અને ગ્રામ્ય સમાજમાં વ્યવસાયને પેઢી દર પેઢીએ લાંબા ગાળા સુધી ટકાવી રાખવાથી કદાચ જ્ઞાતિ વ્યવસ્થા દૃઢ થઈ હશે. એ જે કંઈ હોય તે … પણ જન્મજાત જ્ઞાતિ વ્યવસ્થાને ન તો વેદોનું પ્રમાણ છે ન તો ગીતાનું પ્રમાણ છે. એટલે કે ટૂંકમાં જ્ઞાતિપ્રથા અપ્રાકૃતિક છે અને તેથી આવી જન્મજાત જ્ઞાતિપ્રથા ટકાઉ ન જ બની શકે. તેને વહેલું મોડું મરવાનું જ છે. અને તેની શરુઆત તો ક્યારનીય શરુ થઈ ગઈ છે.

આ જન્મ ઉપર આધારિત જાતિવાદને ટકાવી રાખવો એ નહેરુવીયન કોંગ્રેસ માટે જીવન મરણનો સવાલ છે. અને આ જાતિવાદને ટકાવી રાખવા માટે નહેરુવીયન કોંગ્રેસે આરક્ષણનું તૂત ઉભું કર્યું છે. અગણિત મહાનુભાવો આ વાત જાણે છે પણ તેઓ તેની વિરુદ્ધ બોલવા તૈયાર નથી કારણ કે તેમનું ધ્યેય કંઈક બીજું જ છે. બીજેપી અને નરેન્દ્ર મોદી તેમના દાના દુશ્મનો છે. અને તેઓ કોઈ પણ ભોગે તેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વિભાજન વાદીઓને સહકાર આપે છે અને ઉત્તેજિત પણ કરે છે.

નહેરુવીયન કોંગ્રેસે પોતાના પક્ષે, આ જ્ઞાતિ વાદનો, લાભ દશકાઓ સુધી લીધો અને ચૂંટણીમાં વિજયો પ્રાપ્ત કર્યા. તેથી વી.પી. સિંગ, અને કાંશીરામ જેવાઓની દાઢ સળકી.  અને પછી તો આ ચેપ બધાને જ લાગ્યો. મીડીયા મૂર્ધન્યોને પણ આનો ચેપ લાગ્યો ત્યારે તો હદ થઈ ગઈ એમ જ કહેવાય.

તમે આજે જુઓ છો કે ડી.બી. ભાઈ (દિવ્યભાસ્કર) લો, કે ગુ.સ. (ગુજરાત સમાચાર) લો દેશના કેટલાક બીજેપી-ફોબીયા પીડિત બીજા સમાચાર પત્રો કે ટીવી ચેનલો લો, દરેકને કઈ જ્ઞાતિએ કેટલા લોકો એકઠા કર્યા અને કેટલી શક્તિ બતાવી અને તેથી બીજેપીને કેટલું નુકશાન થશે તેની ચર્ચા કર્યા કરશે.

આ મહાનુભાવો કહો તો મહાનુભાવો, વિશ્લેષકો કહો તો વિશ્લેષકો, કટારીયા કહો તો કટારીયાઓ, મૂર્ધન્યો કહો તો મૂર્ધન્યો, પીળું પત્રકારિત્ત્વ કહો તો પીળું પત્રકારિત્ત્વ, આ સહુ કોઈ નહેરુવીયન કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સહાયકોની જ બ્રીફ પકડીને દોડી રહ્યા છે.

નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા શું છે?

નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા કોઈપણ ભોગે સત્તા પ્રાપ્તિનો છે. જો એક વખત તેના હાથમાં સત્તા આવી જાય તો તેમને વળી પાછા બખ્ખે બખ્ખા થઈ જાય … તેમનો સુવર્ણ યુગ પાછો  આવી જાય અને ખાસ તો નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના વહાલાઓ સામે જે કેસ ચાલે છે તે બધા કેસોનું ઉઠમણું કરી દેવાય.

તમે કહેશો, “અરે એમ કંઈ કોર્ટના કેસોને રફે દફે કરી શકાતા હશે?”

તેઓ કહેશે, “તમે અમને ઓળખતા નથી. પણ જેઓ અમારી વિરુદ્ધ જવા ગયા છે તેઓની અમે શી વલે કરી છે તે વાત તો તેઓ પરલોકમાં તેમની સાથે જ લઈ જાય છે. તમે પ્રણવ મુખર્જીને શું એમ બોલતાં સાંભળ્યા નથી, કે કટોકટીના કેટલાય રહસ્યો હું મરી જઈશ ત્યારે મારી સાથે જ લઈ જઈશ…” “અરે ભાઈ, શાહ કમીશન જેવા આખે આખા રીપોર્ટના શા હાલ થયા તે શું તમે જાણતા નથી …? તેને પુનર્જીવિત કરવાની કોઈ વાત કરી શકે છે ખરા…? અમે એન્ડરશનને અમારી સરકારી કારનો જ ઉપયોગ કરી દેશની બહાર મોકલી દીધો … કોઈ અમારું શું કરી શક્યું..?  આવા તો અમારા અનેક પરાક્રમો છે… અને વળી પાછા અમે તો દાવો કરીએ છીએ કે અમારી કોંગ્રેસ તો દોઢસો વર્ષ ની છે અને અમે કેટકેટલા ભોગ આપ્યા છે… અને તમારા મૂર્ધન્યો અમારી આ વાત કબૂલ પણ રાખે છે…. શું સમજ્યા …? બધી ધરોહર ઉપર અમારો કબજો છે ભલે અમે મહાત્મા ગાંધીવાદીઓને ૧૯૭૫-૧૯૭૭ માં કેદમાં રાખ્યા… અને તો પણ આજે તેમાંના મોટા ભાગના અમારા જ ગીતો ગાય છે. … જેમના બાપાઓને અમે જેલમાં મોકલેલા તેમના સંતાનો પણ અમારા જ ગીતો ગાય છે…. અરે આ તો કંઈ નથી… અમે અમારા વિરોધીઓ ઉપર ખોટા કેસો પણ ઉભા કર્યા છે… તેમને જેલમાં મોકલ્યા છે… અને આવું તો અમે કરતા જ રહીશું… પૈસા અને સત્તા મળે તો અમે શું ન કરીએ …? લોકશાહી અમને નડતી નથી …. અમને તો સત્તાહીનતા જ નડે છે…. પણ તમે જુઓ છો કે અમે સત્તાવગર પણ કેવો કાળો કેર વર્તાવી શકીએ છે….?

“અમે ચારે બાજુથી બીજેપીને ઘેર્યું છે… મુસલમાનો તો ઠીક પણ હિન્દુઓ પણ તેમની સામે પડ્યા છે. ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ ગણાતા ક્ષત્રીયો પણ અમારે શરણે આવ્યા છે… અને મહાજ્ઞાની ગણાતા બ્રાહ્મણોને અમે ભ્રમિત કર્યા છે અને તેઓ પણ હવે તેમના બ્રહ્મ-તેજની શક્તિ, બીજેપીને બતાવવા અમારી શરણે આવ્યા છે. અમે આ પાટીદારોની જેમ આ ક્ષત્રીયોને અને બ્રાહ્મણોને લાંબી ધારે “બ્રેસ્ટ-ફીડીંગ” કરાવીશું…“

ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીશ્રી એ “હેમાવન હૉલ”માં કેટલાક કહેવાતા કે સ્વયં પ્રમાણિત, સર્વોદય વાદીઓએ “લોકશાહી બચાવ” કે એવા કોઈક ઓઠા હેઠળ સભા રાખેલ, તેમાં જણાવેલ કે “નાગાથી સૌ કોઈ ડરે… પણ આ નાગો પણ કોઈક થી તો ડરે જ”. આ જે “નાગા”ની વાત કરતા હતા તે આપણા નરેન્દ્ર ભાઈ મોદીને અનુલક્ષીને કરતા હતા.

હવે તમે જુઓ… “નરેન્દ્ર મોદી” જેમની નજરે “નાગો” છે તેનાથી લાખ ગણી, કે પળે પળે નાગાઈ કરનારી, નહેરુવીયન કોંગ્રેસ વિષે તો તેઓ વાત જ કરતા નથી કે કરશે નહીં.

કારણ શું હોઈ શકે?

“ન કરે નારાયણ, ને કદાચ નહેરુવીયન કોંગ્રેસ જો ગુજરાતમાં કે કેન્દ્રમાં ફરી સત્તા ઉપર આવે તો તો તેઓ આ ભૂત-પૂર્વ મુખ્ય મંત્રીના કપડા જ ઉતારી દે ને?

યાદ કરો … “કાળી દાઢી”એ આમ કહ્યું અને “સફેદ દાઢી”એ આમ કહ્યું એવી કોઈ ફોન ઉપરની વાતના આધારે તો, આ નહેરુવીયન કોંગ્રેસે, કેબીનેટની મીટીંગ બોલાવેલી અને નિર્ણય લીધો હતો કે એક સ્પેશીયલ કમીટી બનાવવામાં આવે અને “એક પૂખ્ત વયની યુવતી ઉપર જાસુસી કરવા’ બદલ “સફેદ દાઢી” એટલે નરેન્દ્ર મોદી અને “કાળી દાઢી” એટલે અમિત શાહ, એમ ગણી એક કેસ ચલાવી શકાય છે કે કેમ તેની તપાસ કરો.”

જો કે તે દિકરીના પિતાએ જ પોલીસ ખાતામાં ભલામણ કરેલી કે તેમની દિકરી ઉપર નજર રાખવામાં આવે. પણ દિકરી તો પુખ્ત વયની છે એટલે તે કન્યાનું જે થવાનું હોય તે થાય, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર તો કામ ચાલવું જ જોઇએ. આવી છે નહેરુવીયન કોંગ્રેસની પ્રતિશોધયુક્ત માનસિકતા.

સામ્યવાદીઓની એક પ્રસ્થાપિત કરેલી પ્રણાલી પ્રમાણે તમારે જો સત્તા ઉપર આવવું હોય તો પ્રવર્તમાન સરકાર વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવું જોઇએ. આમ કરવા માટે બનાવટી આરોપો બનાવી તેનો ફેલાવો કરવો જોઇએ. સમાચાર માધ્યમો ઉપર કબજો રાખો અથવા તેઓને ખરીદી લો, કારણ કે સામાન્ય રીતે તેઓ ખરીદાવવા તૈયાર જ હોય છે. જનતાને વિભાજિત કરી આંદોલનો ચલાવો, હિંસા ફેલાવો, અરાજકતા ફેલાવો અને પરિણામે જનતા એમજ માનશે કે આ બધું પ્રવર્તમાન સરકારની નિસ્ફળતાને કારણે જ છે. લોકશાહીમાં તમે આવી રીતે વર્તી શકો છો.

નહેરુવીયન કોંગ્રેસે કોને કોને પડખે લીધા છે?

Paint01

   આવ ભાઈ હરખા આપણે સૌ હરખા (સરખા)

પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની આતંકવાદી સંસ્થાઓ તો તાલમેલ સાથે જ કામ કરે છે તે વાત તો હિન્દુસ્તાનનું બચ્ચું પણ જાણે છે. ત્યાંની સરકાર મજબુર છે. આવા સંજોગોમાં નહેરુવીયન કોંગ્રેસના મણીશંકર અય્યર પાકિસ્તાની ટીવી ચેનલની પેનલ ચર્ચામાં મોદીને હટાવવા માટે એમ કહે છે કે “મોદીને તો તમારે જ હટાવવો પડશે.” એટલે કે પાકિસ્તાનના ભારત વિરોધી તત્ત્વો એટલે કે આતંકવાદી સંગઠનો, અસામાજિક તત્ત્વો અને પાકિસ્તાની સેનાનું જે ગઠબંધન છે તેણે જ કંઇક કરવું પડશે. પાકિસ્તાન આવા કામ કેવી રીતે કરે છે તે આપણે ભારતવાસીઓ સારી રીતે જાણીએ છીએ. જેમ “પંચ તંત્ર”માં કહેવાયું છે કે “બધા શિયાળવાં ભેગા થયા અને વિચાર કરવા લાગ્યાં કે આ કર્પુર તિલક નામનો હાથી  કોઈ પણ હિસાબે મરે તો આપણે ચાર માસના ભોજનની નિરાંત થાય” (સર્વે શૃગાલાઃ ચિન્તયામાસઃ, યદિ કેનાપિ ઉપાયેન અયં મ્રિયેત્‌ તર્હી માસચતુષ્ટયં ભોજનં ભવેત્‌),   તેમ આ નહેરુવીયન કોંગ્રેસી અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષોરુપી શિયાળવાંઓ પણ વિચાર કરવા લાગ્યાં છે કે આ નરેન્દ્ર મોદી નામનો હાથી જો કોઈપણ હિસાબે મરે તો આપણને ચાર ટર્મ માટેનું સત્તારુપી ભોજન મળે.

અમેરિકામાં હેડલીએ શું કહ્યું? બિહારની એક દિકરી, માબાપથી છાનીમાની અજાણ્યા પરપ્રાંતીય યુવકો સાથે ભાગી ગયેલી. મા બાપે તેની ફરિયાદ પણ નહોતી નોંધાવેલી. અને આ ગેંગનો પ્લાન નરેન્દ્ર મોદીને મારી નાખવાનો હતો. જે નિસ્ફળ ગયેલો. એ વાતનો ઘટસ્ફોટ થયેલ. જોવાની વાત એ છે કે આ બાબતમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ ગદ્દારીની ભૂમિકા ભજવેલ.

નક્ષલવાદીઓ અને માઓવાદીઓએ તેમના અંતરંગ પત્ર વ્યવહારમાં શું લખ્યું છે?

એ જ કે નહેરુવીયન કોંગ્રેસ પોતે, આ અરાજકતા વાદી જુથોને આર્થિક અને કાયદાકીય સહાય કરવા આતુર છે.

આ તો જુની વાત છે. નહેરુવીયન કોંગ્રેસનું તેના જેવા સાંસ્કૃતિક પક્ષો સાથે તો ગઠબંધન થશે ત્યારે થશે, પણ આ નહેરુવીયન કોંગ્રેસનું ભારતના અને પાકિસ્તાનના અસામાજિક તત્ત્વો  સાથેનું ગઠબંધન હોવું એતો જુનીવાત છે. નહેરુવીયન કોંગ્રેસનું છેલ્લાં કેટલાક વર્ષથી માઓવાદીઓ અને નક્ષલવાદીઓ સાથે તો ગઠબંધન અને જોઈન્ટ વેન્ચર શરુ થઈ જ ગયું છે.

“કાળી દાઢી” અને “ધોળી દાઢી”, ની વાતોના આધારે નરેન્દ્ર મોદીને જેલમાં મુકવાની યોજનાઓ જો આ નહેરુવીયન કોંગ્રેસીઓ ઘડી શકતા હોય, તો હેડલીના નિવેદનના તારતમ્યના આધારે, “ઇસરત જહાંના એનકાઉન્ટર કેસ”માં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ ભજવેલી ભૂમિકા બદલ, અને આવી અગણિત દેશવિરોધી ભૂમિકાઓ ભજવવા બદલ તેમને જેલમાં ખોસી દેવા એતો નરેન્દ્ર મોદી માટે ડાબા હાથનો ખેલ છે.

ભલે પછી કોર્ટ પોતાની ભૂમિકા કોઈ પણ રીતે ભજવે, પણ એક વખત તો આ નહેરુવીયન કોંગી નેતાઓ જેવા કે સોનિયા, રા.ગા., પ્રિયંકા, વાડ્રા, ચિદંબરમ, દીગ્વીજય, રણવીર સુરજેવાલ, મનુ સિંઘવી, મનીશ તીવારી, કપિલ સીબ્બલ, ફારુખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મમતા, માયા અને મુલ્લાયમ, અખિલેશ, ફઝલ ભટ, સઈદ અલી ગીલાની, મીરવાઈઝ ઓમર ફારુખ, યાસીન મલીક બધાને દશકાઓ સુધી જેલની હવા ખવડાવી જ શકાય

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એટલે જનતાએ નક્કી કરવાનું છે કે તમારે “જૈસે થે” વાદીઓ જોઇએ છે કે “વિકાસલક્ષી પરિવર્તન”વાદીઓ? જૈસે થે વાદીઓને બુર્ઝવા કહેવાય છે. પણ અહીં તો સામ્યવાદીઓ પોતે જ તેમની વ્યુહરચના ભાગરુપે બુર્ઝવા બનેલા છે અને કોંગીઓ તો પહેલેથી જ બુર્ઝવા છે. જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું અને ભ્રષ્ટાચાર ચાલુ રાખવો એ “જૈસે થે”વાદીઓની ઓળખાણ છે.

દલિતો અને સવર્ણો વચ્ચેનો આ મીથ્યા વિવાદનું પરિણામ શું આવશે?

{ક્રમશઃ}

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો

પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.

સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.

કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”

જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.

કોણ કોને બહેકાવી રહ્યું છે?

ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.

સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?

ગાંધીજીએ તેમને મરતા શિખવ્યું હતું

ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.

ભારતીયો દંભી છે?

જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય  અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.

ભારતવાસીઓ ઝનૂની છે?

ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.

કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.

ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?

શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?

ના જી.

અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.

મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના  વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને  તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.

તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.

પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન

ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.

જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના  ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.

૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.

પણ હવે?

મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.

જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી.  જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.

જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.

નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ

૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય.  અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે.  પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.

આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?

જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….

ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.

હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.

પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે.  એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના  મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.

આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૨

આતંકવાદીઓ ધર્માંધ મુસ્લિમના વર્ગીકરણ હેઠળ આવે. જો કે આતંકવાદીઓ માટે તો ધર્માંધ શબ્દ પણ નાનો પડે. પણ ધર્મને જ્યારથી રાજ્યે મહત્ત્વ આપવું શરુ કર્યું અને ચૂટણીઓની રમતોમાં ધર્મ અને જાતિના સમીકરણો નહેરુવીયન કોંગ્રેસે વિકસાવ્યા ત્યારથી ભારતમાં ધર્મ અને જાતિ (જ્ઞાતિ)નો ફોબીયા ઉત્પન્ન થયો. હિન્દુઓમાં પણ પૂર્ણ કે અર્ધ મુસ્લિમ-ફોબીયા અને અર્ધ-ખ્રીસ્તી ફોબીયા હોય છે. ફલાણો માણસ મુસ્લિમ કે ખ્રીસ્તી છે તેથી તે સારો હોય તો પણ ગમે તે પ્રકારે તે ખરાબ જ છે. આમાં એ.પી.જે. કલામને પણ ન છોડાય, ફિરોઝ ગાંધીને પણ ન છોડાય અને મધર ટેરેસાને પણ ન છોડાય. તેવી જ રીતે આંબેડકરને પણ ન છોડાય.

ટેલ સ્પેડ એ સ્પેડ (ચીપિયો પછાડીને કહો … સાચી વાત કહો)

આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી.

જો તમારે મુસલમાનની સુજ્ઞતા જાણવી હોય તો તમે એ વિચાર વહેતો મુકો કે આતંકવાદીઓને ધર્મ હોતો નથી. માટે આતંકવાદીના શબને ન તો તેમના સંબંધીઓને હવાલે કરવું, ન તો આતંકવાદીના શબને દાટીને ઉત્તરક્રિયા કરવી. આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું અથવા મધ દરિયે વહેતું કરી દેવું.

આ વાત જે મુસલમાન કબુલ રાખે તેને સાચો મુસલમાન માનવો. દેખીતી રીતે જ આ તર્ક બધાએ માન્ય રાખવો જોઇએ. પણ આપણા મૂર્ધન્યો આ વિચાર વહેતો મુકી શકવાની હિમત ધરાવે છે ખરા?

બીજેપીના તરફદારો કે મોદી-યોગી ભક્તો તો આ વાત કબુલ રાખશે. પણ આપણે તેમને અવગણીશું.

જ્યારે પણ “આતંકવાદીઓ હુમલો કરે અને માનવ હત્યાઓ કરે ત્યારે તેમને આતંકવાદી તરીકે જ ઓળખવા જોઇએ. તેમને મુસલમાન તરીકે ઓળખવા જ ન જોઇએ” આ રીતની વાત તો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કૂદકા મારી મારીને કહેશે. પણ આતંકવાદીના શબને ઉકરડા સાથે બાળી દેવું કે મધદરિયે વહાવી દેવું એ વાત નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેના સાંસ્કૃતિક સાથીઓ કબુલ રાખે તે વાત અશક્યમાં પણ અશક્ય છે.

ઉપરોક્ત ચાર પ્રકારના મુસ્લિમોમાંથી એક અને બે પ્રકારના મુસ્લિમો વિતંડાવાદ કરશે જ  કરશે. તેઓ આંદોલન પણ કરશે. તેઓ કહેશે “આતંકવાદીઓ મુસ્લિમ નથી પણ તેઓ કોઈના બેટા તો છે જ ને! તો તેમના શબ તેમના સગાંઓને આપી દેવા જોઇએ. આતંકવાદીઓના સગાઓ ઉપર શબનો નિકાલ કેવી રીતે કરવો તે નિર્ણય છોડી દો”. જો કે આ એક અને બે પ્રકારના લોકો તો  ઘણા જ આગળ વધી વર્ગ વિગ્રહ કરવા સુધી પહોંચી જશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ તો આવી ચર્ચાના કરણે કોઈ વિગ્રહ ફાટી નિકળે તેની રાહ જોઇને જ બેઠા છે. તેમને મદદ કરવા તલપાપડ છે.

ત્રીજા પ્રકારના મુસ્લિમો મૌન રહેવું પસંદ કરશે. અને ચોથા પ્રકારના મુસ્લિમો આતંકવાદીઓના શબના નિકાલની આપણી વાતને આવકારશે.

હિન્દુ-ફોબીયા

મુસ્લિમોની ઠીક ઠીક સંખ્યા હિન્દુ-ફોબિયાથી પીડિત હોય છે. આનું મુખ્ય કારણ સંવાદનો અભાવ હોય છે. વળી હિન્દુઓ પોતાના વિસ્તારમાં મુસ્લિમોને ઘર ભાડે આપતા નથી.કારણ કે મુસ્લિમોમાં કોણ આતંકવાદી સાથે હોઈ શકે અને કોણ  ન હોઈ શકે તે તેઓ જાણી શકે તેમ હોતા નથી. વળી મુસ્લિમ વિસ્તારની નજીક રહેતા હિન્દુઓનો અનુભવ મુસ્લિમો વિષે સારો હોતો નથી. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ કેવી રીતે સ્થાપી શકાય તે મહ્ત્ત્વનો પ્રશ્ન છે.

બાવા-યોગી-ફોબિયાઃ

બાવાઓની વિરુદ્ધ અધ્ધર અધ્ધર બોલવું તે એક ફેશન છે. વાસ્તવમાં બધા બાવાઓને એક લાકડીએ હાંકી ન શકાય. ઓશો આસારામ, સંત રજનીશમલ, રાધે મા, જેવા બાવાઓ એક વહાણના પ્રવાસીઓ છે. ધીરેન્દ્ર બ્રહ્મચારી, ચંદ્રાસ્વામી, મહેશ યોગી, બાબા રમદેવ, સદ્‍ગુરુ, શ્રી શ્રી રવિશંકર આ બધા એક પ્રકારમાં અવતા નથી. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામી નો એજંડા મહેશ યોગી, બાબા રામદેવ, સદ્‌ગુરુ, શ્રીશ્રી રવિશંકરથી ભીન્ન હતો. ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામીની  ઈન્દિરા ગાંધીની સાથેની નિકટતા ઉડીને આંખમાં ખૂંચે તેવી હતી. મહેશ યોગી, યોગના પુરસ્કરતા હતા પણ તેમનું કાર્યક્ષેત્ર પોતાની સંસ્થાઓ પુરતું સીમિત હતું. બાબા રામદેવ, સદ્‍ગુરુ અને શ્રી શ્રી રવિશંકર, યોગના પ્રચારની સાથે સાથે ઉત્પાદન અને વેપાર પણ કરે છે.

આપણા “તડ અને ફડ” વાળા એક મૂર્ધન્યભાઈને કદાચ આંશિક ફોબિયા હશે. જો કે મને આ “તડ અને ફડ” વાળા મૂર્ધન્ય વિષે આમ તો ઘણું માન છે. પણ ક્યારેક તો વિચાર વિભીન્નતા રહેવાની જ. બાબા રામ દેવે બીજેપી સરકારને સૂચન કર્યું કે વૈદિક અભ્યાસના પ્રચારમાં સરકાર સામેલ થાય. સરકારે તે વાત હાલ પુરતી નકારી કાઢી છે. આ સૂચન એક બાવાજી તરફથી આવ્યું હોવાથી ઘણાને ન પસંદ પડે તે સમજી શકાય છે. પણ દરેક સૂચનને તેના સંદર્ભમાં અને તેના ગુણદોષના આધારે જોવું જોઇએ. આપણા મૂર્ધન્ય ભાઈને આ સૂચન નહીં ગમ્યું હોવાથી તેમણે “માંડીને વાત કરી” (કે જેથી પોતાના આવનારા અભિપ્રાયની પૂર્વભૂમિકા સર્જાય). તેમણે “ઈન્દિરાઈ સમર્થનવાળા ચન્દ્રા સ્વામી અને ધીરેન્દ્ર બ્રહ્મચારીના કરતૂતોનો અને ઈન્દિરા ઉપર તેમના વર્ચસ્વનો ઉલ્લેખ કર્યો. આ વર્ચસ્વને બાબા રામદેવના બીજેપીના સમર્થન સાથે સાંકળ્યો. બાબાને વેપાર સાથે સાંકળ્યા અને બાબાના વેપાર વિસ્તારને નરેન્દ્ર મોદીના સમર્થન સાથે સાંકળ્યો.”

વાસ્તવમાં ઇન્દિરાને લીધે ઇન્દિરા ગાંધીના બાવાઓને જે મહત્ત્વ મળ્યું તે મહત્ત્વને બાબા રામદેવના મહત્ત્વ સાથે સરખાવી ન શકાય.

આ મૂર્ધન્ય શ્રીએ વર્ણવ્યુ …. “… બાબા રામદેવ તકનો લાભ લેતા રહ્યા જેમ કે પહેલાં અન્ના હજારે સાથે રહ્યા અને ખ્યાતિ મેળવી લીધી. નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન બાબા રામદેવે પોતાનું આંદોલન પણ કર્યું અને પછી સ્ત્રીનો વેશ પહેરી મધ્યરાત્રીએ ભાગી ગયા. કોંગ્રેસના પરાજય પછી  નરેન્દ્ર મોદીના સહકારથી તેમણે પોતાનો વેપાર વિકસાવ્યો. …”

નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે બાબા રામદેવને અને તેમના સાથીને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા. મધ્યરાત્રીએ પાડવામાં આવેલો પોલીસનો દરોડો વીન્ડીક્ટિવ હતો. રામદેવ અને તેમના સાથીને, નહેરુવીયન કોંગ્રેસનું શાસન લાખ પ્રયત્ન કરવા છતાં કોઈ સજા કરી શક્યું ન હતું. એ વાત જ સિદ્ધ કરે છે કે નહેરુવીયન કોંગ્રેસનું શાસન કેટલું વેરવૃત્તિવાળું હતું. જોકે નહેરુવીયન કોંગ્રેસના નામે આવા અગણિત કાળા કર્મો ઇતિહાસને ચોપડે નોંધાયેલા છે. બાબા રામદેવ સ્ત્રીનો વેશ પહેરી ભાગી ગયા હોય તો તે વાત ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. પણ આ વાત ઉપર તેમની બુરાઈ કર્યા કરવી તે બરાબર નથી.

ભૌતિક હિંમત અને નૈતિક હિમતનો ભેદ સમજો

હિમત (કરેજ) બે જાતની હોય છે.  ભૌતિક હિંમત (ફીઝીકલ કરેજ), અને નૈતિક હિમત (મોરલ કરેજ). ભૌતિક હિંમતના અભાવને,  અણધારી આફતમાં શારીરિક પીડાના ડરથી નાહિમત થઈ જવાની ક્રિયા સાથે સાંકળી શકાય. નૈતિક હિમત આવનારી આફતની જાણ હોય અને તેનો મુકાબલો કરવા માટે મન અને શરીરને તૈયાર કરવું તે છે.

ગાંધીજીના જીવનમાં પણ દક્ષિણ આફ્રિકામાં એક વખત એવો બનાવ બનેલો કે જેના કારણે તેમને પાછલા દરવાજેથી ભાગી જવું પડેલું. પણ જ્યારે ફરીથી એવો બનાવ બન્યો ત્યારે તેઓ સામે ચાલીને એ હિંસક માણસ પાસે ગયેલા. જો રામદેવના જીવનમાં ન કરે ને નારાયણ, ફરીથી આફત આવે અને તેઓ ફરીથી સ્ત્રીનોવેશ પહેરી ભાગી જાય તો તેમની બુરાઈ કરી શકાય. બાબા રામદેવની ઉપર આજે પણ નહેરુવીયન કોંગ્રેસની ચાર આંખ છે. તેઓશ્રીની સામે ખોટા આક્ષેપોવાળી તપાસ પણ થઈ છે. બાબા રામદેવ મલ્ટીનેશનલ કંપનીઓ માટે પડકાર રુપ તો બન્યા જ છે.

બધા બાવાઓ વેપાર કરતા હોય છે.  

બાવાઓ બધા વેપાર તો કરતા જ હોય છે. મૂળવાત તો એ છે કે તેઓ જનતાને તેમના વેપારમાં છેતરે છે કે કેમ?  જ્યારે   નહેરુવીયન કોંગ્રેસ બાબા રામદેવને કટ્ટર શત્રુ માનતી હોય ત્યારે બાબા રામદેવે સાવધ તો રહેવું જ પડે. બીજેપીની સરકારમાં ઉપરથી ખોટા દબાણ આવતા નથી. એટલે બાબા રામદેવ જેઓ પેક્ડ ઉત્પાદન વેચતા હોય તેમાં ગોલમાલ ન જ કરી શકે.

બધા જ બાવાઓ દવાઓનો વેપાર કરતા હોય છે, પછી ભલે તે અમદાવાદના ગીતા મંદિરના કે જગન્નાથ મંદિરના મહંત હોય, ઇશ્કોનના સાધુ હોય કે ઓશો આસારામ હોય,  શ્રીશ્રી રવિશંકર હોય કે સ્વામી ચિન્મયાનન્દ હોય. પૈસાની જરુર બધાને જ પડે છે. માત્ર અને માત્ર  દાન ઉપર કોઈ સંસ્થા ચાલી ન શકે. હરિજન આશ્રમ પણ પુસ્તકો અને ફોટાઓ વેચે છે. બાબા રામદેવે પોતાના વ્યાપક પણાને લીધે ધંધાનો વિકાસ કર્યો તે સ્વદેશી હિત માટે છે એમ માનવું જોઇએ. તેને બુરાઈના લક્ષણ તરીકે ન જોવી જોઇએ. બાબા રામદેવ, કારણ કે તેઓ વેપાર કરે છે એટલે કંઈક ગોટા તો કરતા હોવા જ જોઇએ એવી ધારણા હેઠળ તેમને ગુનેગાર  ઠેરવી ન શકાય. તેમજ ઉટાંગપટાંગ વાતો કરીને એવો મેસેજ પણ ન આપી શકાય તે વેપારી છે ખરાબ હોવા જ જોઇએ.

વૈદિક અભ્યાસની વાત અને તેમાં સરકાર ભાગ લે તે મુદ્દો અલબત્‌ વિશાળ ચર્ચા માગી લે તેવો છે. આ ચર્ચા અનેક મુદ્દાઓ આવરી લે તેવી છે. માત્ર બાબા રામદેવની ઈચ્છાને આ ચર્ચા સાથે જોડવી તે અયોગ્ય છે. સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ જર્મનીમાં અને અમેરિકામાં (હાર્વર્ડ)માં ભારત કરતાં ઉચ્ચ કક્ષાનો હોય છે તે વાત અંગ્રેજી અને આપણી અંગ્રેજીયતની નીપજ છે. આને વિષે ઘણું સાહિત્ય “ઓન લાઈન” ઉપલબ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ચાહકોએ તેને અચૂક જાણવું જોઇએ. જેમને સુતાં સુતાં  વાંચવાની ટેવ હોય અને અંગ્રેજીયતના ચાહક હોય કે ન હોય તેમણે પણ રાજિવ મલહોત્રાએ લખેલી  “બેટલ ફોર સંસ્કૃત” અચૂક વાંચવી જોઇએ કે જેથી તેમનામાં રહેલા અનેક ભ્રમનું નિરસન થાય. 

શિરીષ મોહનલાલ દવે

તા.ક. અમારા ડીબી ભાઈ (દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી) એ તેમના બીજેપી-ફોબિયાનું પ્રદર્શન કર્યું

હમણાં ક્યાંક અમિત શાહે “વાતવાતમાં કહ્યું કે ગાંધીજી ચતુર વાણીયા હતા”. વાચકોને આ વાક્યથી વિશેષ કશું અમિત શાહના ઉચ્ચારણ અંતર્ગત વાંચવા કે સાંભળવા મળ્યું નથી. ફોબિયા પીડિત વ્યક્તિઓની આ ખુબીલીટી છે કે તેઓ ઉચ્ચારણને ગુપાવી દે છે, અને તે ઉચ્ચારણ ઉચરનાર વ્યક્તિની બદબોઈ કરવા મંડી પડે છે. “શું ગાંધીજીને ચતુર વાણીયા” કહેવા એ ગુનો બને છે? શું ગાંધીજીને ચતુર વાણીયા કહેવાથી ગાંધીજીની નિંદા થાય છે? શું ગાંધીજીને આ “ચતુર વાણિયા” શબ્દ થી નફરત હતી? શું ગાંધીજીને “વાણિયા” શબ્દથી નફરત હતી? શું વાણિયાઓ માણસ નથી? ગાંધીજીએ તો પોતે જ વાતવાતમાં અનેક વખત પોતાને વાણિયા તરીકે ઓળખાવ્યા છે. ડીબીભાઈ ભલે પોતાને સુજ્ઞ માનતા હોય પણ તેમની અજ્ઞતાને નકારી ન શકાય. નહેરુવીયન કોંગ્રેસીઓ તો અજ્ઞ છે તેથી તેઓ તો લવારી કરે તે સમજી શકાય છે.

વળી ડીબીભાઈ અમિત શાહની બુરાઈ કરીને અટક્યા નથી. તેમણે તો પોતાના ફોબીયાનું પ્રદર્શન કરવા નરેન્દ્ર મોદી અને બીજેપીને પણ બુરાઈ કરવા લપેટમાં લઈ લીધા છે. જ્યારે ભારતમાંના સમાચાર માધ્યમોના ખેરખાંઓ આવું “આળાપણું“ દર્શાવતા હોય ત્યારે ભારતને મૂર્ધન્યોના ફોબિયાથી થતા નુકશાનથી કોણ બચાવશે?    

ટેગ્ઝઃ મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ, નહેરુ, ઇન્દિરા ગાંધી, આપખુદી, ભારતીય સંસ્કૃતિના ચાહક, અંગ્રેજીયતના ચાહક, રાજિવ મલહોત્રા, બેટલ ફોર સંસ્કૃત, ભ્રમ, ડીબીભાઈ, દિવ્યભાસ્કર, ગાંધીજી ચતુર વાણિયા

Read Full Post »

મૂર્ધન્યોનો અર્ધફોબીયા અને ધારણાઓ ભાગ-૧

મૂર્ધન્યો એટલે ભારતની સાંપ્રત સમસ્યાઓ અને બનાવો વિષે લખતા લેખકો જેમાં વર્તમાન પત્રોમાં લખતા કટારીયાઓનો પણ સમાવેશ થાય છે.

ભારતની સમસ્યાઓ કઈ છે? આ જો ગણવા બેસીએ તો પાર ન આવે. સોસીયલ મીડીયામાં સૌ પોતાની મુનસફ્ફી પ્રમાણે સમાસ્યાઓને પ્રાથમિકતા આપે છે. આવી પ્રાથમિકતાઓ ઘણાને હાસ્યાસ્પદ પણ લાગે. કેટલાક લોકો (સોસીયલ મીડીયાવાળા), બધી જ સમસ્યાનું મૂળ ભારતના વિભાજનને માને છે. અને વિભાજનને માટે ગાંધીજીને મનમાની રીતે જવાબદાર માને છે. કેટલાક લોકો બધી સમસ્યાનું મૂળ, ભારત સેક્યુલર રાષ્ટ્ર છે તેને માને છે. તેમનું પ્રાધાન્ય ભારતને શિઘ્રાતિશિઘ્ર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાનું છે. કેટલાક ભારતમાં વૈદિક શિક્ષા પ્રણાલી ન હોવાથી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે તેથી શિઘ્રાત્તિશિઘ્ર વૈદિક શિક્ષણ પ્રણાલી લાગુ કરવાની વાતો કરે છે. આ બધી વાતો કરનારા કાંતો સંપૂર્ણ રીતે ધાર્મિક (ખાસ કરીને ઇસ્લામિક) ફોબીયાથી પૂર્ણ રીતે પીડિત છે અથવા તો આંશિક રીતે આ ફોબીયાથી પીડિત છે. આવા લોકો પૂર્વપક્ષને સાંભળવામાં માનતા નથી અને પૂર્વપક્ષમાં રહેલા સાહિત્યને પણ વાંચવા માગતા નથી. તમે જો વિસ્તારથી લખો અને સમજાવો તો પણ તેઓ સમજવા માગતા નથી. એક મુદ્દા ઉપરથી, પહેલાને અધુરો રાખી, બીજા મુદ્દા ઉપર કૂદકા મારે છે. આવા લોકોનો કોઈ ઉપાય નથી. ટૂંકમાં આ ફોબીયાનો કોઈ ઉપાય નથી. તેઓ “ગૉન-કેસ” છે. એટલે કે તેમની ઉંત્કાંતિ કુદરતી રીતે થવા દો.

આવા જ પ્રકારના ફોબીયાથી પીડાતા મુસલમાનો વધુ વ્યાપક રીતે છે. જે મુસલમાનો આવા ફોબીયાથી પીડિત નથી તેઓ મહદ્‌ અંશે નિસ્ક્રીય છે. આવા જ નિસ્ક્રીય રહેલા મુસલમાનોમાંના કેટલાક જ્યારે ઈસ્લામ ધર્મની વાત આવે ત્યારે એકદમ સક્રીય થઈ જાય છે.

 પહેલાં આપણે હિન્દુઓની વાત કરીશું.

મેરા ભારત મહાન

“મેરા ભારત મહાન” અને “ગર્વસે કહો હમ હિન્દુ હૈ” આ સૂત્રો આપણે અનેક જગ્યાએ વાંચીએ છીએ. આ સૂત્રો કેટલા ઉપયોગી છે? “મેરા ભારત મહાન”માં વાસ્તવિક રીતે જો જોઇએ તો સૂત્ર રચના કંઈક આવી હોવી જોઇએ. “મેરા ભારત મહાન થા”. અત્યારે તો આપણો દેશ “અણઘડ દેશો”માંનો એક દેશ છે. તેનું મુખ્ય કારણ ભ્રષ્ટ થી અતિભ્રષ્ટ નહેરુવીયનો અને તેના પક્ષના નેતાઓ છે. જો કે અંગ્રેજીયતને દોષ આપશે. પણ જો સુજ્ઞ જનોએ તેમની ફરજ બતાવી હોત ઈતિહાસના શિક્ષણમાં રહેલા વિરોધાભાષો દૂર કરવાના ફેરફાર કરી શકાયા હોત. આવું દોષારોપણ વ્યર્થ હૈ. આ તો એવી વાત થઈ કે આતંકવાદ માટે મુસલમાનો નહીં પણ અમેરિકા અને રશિયા જવાબદાર હૈ. શું મુસલમાનોનો ઉપલો માળ ખાલી છે?

૬૦ વર્ષના શાસનની નીપજ રુપે ભ્રષ્ટ નહેરુવીયન કોંગ્રેસને પાનો ચડ્યો હતો કે આપણા જેવી માનસિકતા રાખનારા અનેકાનેક પક્ષો છે. તેઓ આપણને “કાકા કહીને સપોર્ટ કરશે” માટે લૂટો અને લૂંટવા દો. આપણે શો ફેર પડે છે.

(સરખાવોઃ ફ્રેન્ચ દારુડીયાએ પોતાના દારુના વખાણ કરતાં કહ્યું કે “અમારો દારુ પીવો તો ચાર પૅગમાં કીક આવી જાય. તમારા વૉડકામાં ક્યારે કીક આવે?”  રશિયને કહ્યું “અમે તો પણ, વધારે પીએ ને “)

ભારતના સદ્‌ભાગ્યે ઈશ્વરે ભારતદેશ સામે જોયું અને ૧૯૭૭ પછી વધુ એક તક આપી. ભારતમાં ઇશ્વરે ૧૯૭૭ની ભૂલને સુધારી અને એક પક્ષને ચોક્ખી બહુમતિ આપી. નહેરુવીયન કોંગ્રેસને પરાજય આપ્યો. સ્વાભાવિક રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન નહેરુવીયન કોંગ્રેસે પોતાના જેવા સંસ્કારવાળા અનેક સંતાનો ઉત્પન્ન કરી દીધા હતા. આ વાતને કોઈપણ મૂર્ધન્ય નકારી શકે નહીં. સ્વતંત્રતા મળ્યા પછી, અને નહેરુ સર્વેસર્વા થયા પછી, ખાસ કરીને સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુ અને નહેરુવીયનોમાં ભ્રષ્ટાચાર (સત્તાલાલસાકીય, આપખુદી અને આર્થિક) હામી રહ્યા છે. નહેરુમાં આ આપખુદીનો દોષ પ્રચ્છન્ન રુપે રહ્યો હતો પણ સત્તાલાલસા ઉડીને આંખે વળગે તેવી હતી. આ સત્તાલાલસા સ્વાતંત્ર્ય પહેલાં અપ્રચ્છન્ન રીતે પ્રચ્છન્ન રુપે હતી. અન્ય નહેરુવીયનો વિષે આપણે ૨૫મી જુને વાત કરીશું.

“મેરા ભારત મહાન” માટે ભારતના હિતૈષીઓએ, નેતાઓએ, ભારતના મૂર્ધન્યોએ અને ભારતના નિપૂણોએ ઘણી મહેનત કરવાની છે.

“ગર્વસે કહો હમ હિન્દુ હૈ”

આમ તો ભારતમાં રહેનારા બધા જ હિન્દુ ગણી શકાય છે. પણ જો હિન્દુનો અર્થ હિન્દુ ધર્મ કરીએ અને ધર્મનો અર્થ પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી પરિભાષા પ્રમાણે કરીએ એટલે કે “ધર્મ એટલે રીલીજીયન” એવો અર્થ કરીએ તો આ સૂત્ર યોગ્ય નથી. કારણ કે આ અર્થ ભારતીય સંસ્કૃતિને અનુરુપ નથી. સર્વોચ્ચ ન્યાયાલયના અર્થઘટન પ્રમાણે “ હિન્દુધર્મ એ ધર્મ નથી પણ તે સ્ટાઈલ ઓફ લીવીંગ”. પણ આ અર્થઘટન અનુકુળ નથી. સર્વોચ્ચ અદાલતને થયું હશે કે આપણી મુંઝવણને દૂર કરવા આપણે કંઈક જુદું કહીએ. દરેક ધર્મવાળા પોતાના ધર્મને પરિપૂર્ણ માનતા હોય છે એટલે તેનો અર્થ પણ એજ થયો કહેવાય કે તેમનો ધર્મ પણ એક “સ્ટાઈલ ઓફ લીવીંગ” જ છે.

ભારતીય સંસ્કૃતિની પરિભાષા પ્રમાણે “ધર્મ” એટલે  જે કામ તમે સ્વેચ્છાએ સ્વિકાર્યું છે અને જેમાં તમારો અભ્યાસ અને વલણ છે. તે કામ તમારે સમાજની માટે સેવા ભાવે કરવું તે તમારો ધર્મ છે. તમે તમારો આ ધર્મ બદલી શકો ખરા, પણ અચાનક તમે તે બદલી ન શકો. જેમ કે, કોઈ ડૉક્ટર ઓપરેશન કરતાં કરતાં અચાનક કહે કે મારે તો ખેતી કરવી છે. આ ઓપરેશન હું પડતું મુકીશ. મારું  હૃદય પરિવર્તન થયું છે વિગેરે વિગેરે. ડોક્ટરનો ધર્મ છે કે તે ઑપરેશન પુરું કરે અને પછી ધર્મ પરિવર્તન કરે.

પાશ્ચાત્ય પ્રણાલી પ્રમાણે ઇશ્વરને કેવીરીતે પૂજવો અને સામાજીક સંબંધો કેવીરીતે નિભાવવા તેને પણ ધર્મ સાથે સાંકળવામાં આવે છે. ખ્રીસ્તીઓ અને ખાસ કરીને મુસલમાનોમાં આવી માન્યતા પ્રવર્તે છે. પણ બધા મુસલમાનોના સમાજોમાં એક સૂત્રતા નથી તેમજ સર્વવ્યાપકતા પણ નથી. ભારતમાં આનો વિવાદ સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો છે. આ બાબતમાં હિન્દુઓએ મૌન રાખવું, કોઈની માન્યતામાં દખલ ન દેવી, સિવાયકે કેટલાક તેમના ધર્મની રુઢીનો બચાવ કરતાં કરતાં હિન્દુઓને પણ તેઓ ગોદા મારવા માંડે.

તો હવે ગર્વસે કહો હમ હિન્દુ હૈ નો અર્થ શો કરવો? જો હિન્દુઓની પ્રણાલીઓ શ્રેષ્ઠ હશે તો “ન હિ “કસ્તુરી કામોદઃ શપથેન વિભાવ્યતે.” કસ્તુરી, શપથ પૂર્વક કહેવાથી ઓળખાતી નથી. એટલે કે “આ મારી પાસે જે છે તે કસ્તુરી છે. અને હું શપથ પૂર્વક કહું છું કે આ કસ્તુરી છે તેથી તમે તેને કસ્તુરી  માનો.” કસ્તુરી તો તેની સુગંધથી જ ઓળખી શકાય છે.

આપણને આપણા હિન્દુત્વ ઉપર ગર્વ હોય તો આપણું વર્તન જ એવું હોવું જોઇએ કે બીજાને એની અનુભૂતિ થાય. બીજા આપણી મૈત્રી કે પાડોશીના દાવે આપણા થકી ગર્વ અનુભવે તેવો જો આપણો આચાર હોય તો તે સુષ્ઠુ કહેવાય.

ધર્મને કેવીરીતે ઓળખવો?

એક ધર્મ એ છે જે તે ધર્મના માન્ય પુસ્તકમાં લખાયેલો હોય છે. બીજો ધર્મ એ હોય છે જે તે ધર્મના માણસો દ્વારા પળાતો હોય છે. જો કોઈ ધર્મંના માણસોનો આચાર જ એવો હોય કે જેનાથી વિધર્મીઓના અને અથવા તેમના જ ધર્મના અમુક વર્ગના માનવીય હક્કોને નુકશાન પહોંતુ હોય  તો આવા ધર્મને કઈ કક્ષાએ મુકવો? સંભવ છે કે તે ધર્મના ગ્રંથોમાં વિધર્મીઓને નુકશાન પહોંચાડવાનું ન લખ્યું હોય પણ આવું નુકશાન વ્યાપકપણે આચરાતું હોય તો શું કરવું જોઇએ? વાસ્તવમાં ધર્મનું મુલ્યાંકન તો તે ધર્મીઓના આચાર અનુસાર જ કરવું જોઇએ. કારણ કે જે અનુભવથી સિદ્ધ થાય છે તેને જ સત્ય માનવું જોઇએ.

હિન્દુઓ વિષે શું કહીશું?

હિન્દુઓમાં ઈશ્વરની પૂજા અનેક રીતે થાય છે. એક પ્રકારે પૂજા કરનારાઓ બીજા પ્રકારની પૂજા કરનારાઓ સાથે પૂજાના પ્રકારની બાબતમાં સહમત થતા નથી, પણ કોઈના હક્ક ડૂબતા ન હોવાથી તેનો વિરોધ કરવાનું માનતા નથી. આ વાત તેમણે સ્વભાવગત રીતે સ્વિકારી લીધી છે. સામાન્ય ખ્રીસ્તી સમુદાય પણ કંઈક અંશે આવું જ વલણ દાખવે છે. પણ ખ્રીસ્તી પાદરીઓ દુનિયા આખીને ખ્રીસ્તી બનાવવાનો ખ્રીસ્તી પાદરીઓને ધાર્મિક આદેશ મળ્યો છે તેવું તેઓ માને છે અને તેવો આચાર કરે છે. જે તે વિસ્તારમાં બહુમતિને ખ્રીસ્તી બનાવી દીધા પછી જે બચી ગયા હોય તેમને આ પાદરીઓ પીડા આપતા હોય છે.

મુસ્લિમો વિષે શું કહીશું?

મુસ્લિમોમાં ભાગ્યે જ કોઈ સુજ્ઞ મુસ્લિમ કબુલ કરશે કે ઇસ્લામ ધર્મ આતંકવાદને સમર્થન કરે છે. પણ સુજ્ઞ મુસ્લિમ કોને કહેવો તે મુશ્કેલ છે.

આતંકવાદીઓને તો આપણે મુસ્લિમ ગણીશું જ નહીં. બાકીનાને આપણે મુસ્લિમો ગણીશું.

આ કહેવાતા સુજ્ઞ મુસ્લિમોમાં પણ ચાર જાતના સુજ્ઞ મુસ્લિમો હોય છે.

(૧) એક પ્રકારના મુસ્લિમો જેઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. અને તેઓ જરુર પડે મગજ ને કસરત આપીને પણ મુસ્લિમોના આતંકવાદનો વિતંડાવાદ દ્વારા બચાવ કરે છે.  આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઓમર અને ફારુખ છે.

(૨) બીજી મોટી બહુમતિ એવી છે કે જે ફક્ત મૌન રહેવામાં માને છે. અને જ્યારે અજુગતો બનાવ બને ત્યારે “અમે તેનું સમર્થન કરતા નથી” … “આ બાબત ઇસ્લામિક નથી. તેઓ સાચા મુસલમાન નથી …” એવો બચાવ એકાદ વાર કરીને વળી પાછા મહા મૌન ધારણ કરે છે. પણ આ જ મહામૌનીઓ જો બીજા ધર્મના માણસો દ્વારા પ્રમાણમાં કશું નાનું અમથું અજુગતું થાય અથવા તો તેમના ધર્મનો કોઈ સુજ્ઞજણ સુધારણાની વાત કરે તો તેમની જીવ્હા ખળભળી ઉઠે છે. તમે જોયું હશે કે “તારેક ફતહકા ફતવા”ની ચર્ચામાં મુસ્લિમ જનતામાંથી જે પ્રતિભાવો આવતા હતા તે પ્રતિભાવો અતિ બહુસંખ્યક રીતે તારેક ફતહની માન્યતાથી વિરોધી હતા અને તર્કહીન હતા.

(૩) ત્રીજા પ્રકારના એવા મુસ્લિમો છે જેઓ સુધારાવાદી છે પણ તેમને ધર્માંધ મુસ્લિમોનો ડર લાગે છે. તારેક ફતહે પોતાને સુજ્ઞ માનતા મુસ્લિમોને આમંત્ર્યા હતા. મુસ્લિમ બહેનોને પણ આમંત્રી હતી. તેમાં આપણે વૈચારિક ભીન્નતા જોઇ હતી. તેથી મુસ્લિમોનો ન અવગણી શકાય તેવો હિસ્સો સુધારાવાદી છે.

(૪) ચોથા પ્રકારના મુસ્લિમો નિડર છે અને વાચાળ પણ છે. જેમાં તસ્લિમા નસરીન, સલમાન રશદી, તારિક ફતહ, નિસ્સાર હસન જેવા આંગળીને વેઢે ગણી શકાય તેવા પાકિસ્તાનના એક સમયના નાગરિક હતા અને કેટલાક છે તેવા લોકો આવે છે. એટલે પાકિસ્તાનના બધા જ મુસ્લિમો પછાત છે તેમ ન માની શકાય. ભારતમાં પણ એમ. જે. અકબર, સઈદ શાહનવાઝ હુસૈન, અબ્બાસ નક્વી, નજમા હેબતુલ્લા જેવા અનેક લીડર છે. પાકિસ્તાન અને બંગ્લાદેશ સિવાયના દેશોમાં તો અગણિત સુજ્ઞ મુસ્લિમ લોકો છે જેઓ વાચાળ પણ છે અને સુધારાવાદી પણ છે. ફક્ત ભારતના અને પાકિસ્તાનના મોટા ભાગના મુસ્લિમોને ભારતના વારસાને ગૌરવશાળી માનતા નથી. ઇજીપ્ત, ઇરાન, ઇન્ડોનેશિયા જેવા અનેક દેશના મુસ્લિમો એ વાત જાણતા હોય છે કે તેમના પૂર્વજો મુસ્લિમ ન હતા તો પણ તેઓને તેમના ઐતિહાસિક વારસા ઉપર ગર્વ હોય છે. આનું કારણ શું હોઈ શકે? આને તમે શું કહેશો? પૂર્ણ અથવા અર્ધ હિન્દુ-ફોબીયા.

શિરીષ મોહનલાલ દવે

મૂર્ધન્યો, અર્ધ ફોબિયા, પૂર્ણ ફોબિયા, સાંપ્રત સમસ્યા, કટારીયા, પ્રાથમિકતા, સોસીયલ મીડીયા, સેક્યુલર, હિન્દુરાષ્ટ્ર, વૈદિક શિક્ષણ પ્રણાલી, ઇસ્લામિક ફોબિયા, હિન્દુ ફોબિયા, પૂર્વ પક્ષ, ગૉન-કેસ, મુસલમાનો, મેરા ભારત મહાન, ગર્વસે કહો હમ હિન્દુ હૈ

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસ બેઠી છેલ્લે પાટલે ભાગ-૩
રાષ્ટ્રવાદીઓની દૃષ્ટિએ રાષ્ટ્ર-વિરોધની વાત સહન કરવાની એક નિશ્ચિત સીમા છે. આવું જ ધર્મ વિષે કહી શકાય અને આવું જ સરકારના વહીવટ વિષે કહી શકાય.

જો કોઈ માણસ ઉંઘતો હોય તો તેને જગાડી શકાય. પણ જો કોઈ ઉંઘવાનો ઢોંગ કરતો હોય તો તેને તમે જગાડી ન શકો. કારણ કે આ ઢોંગી માણસે નક્કી કર્યું છે કે આપણે ઉઠવાનું નથી. ન ઉઠવા પાછળનો તેનો કોઇ હેતુ કે સ્વાર્થ હોય છે.

આપણે થોડી આડવાત કરી લઈએ.

પાશ્ચાત્ય ઇતિહાસકારોના ભણાવેલ ઇતિહાસ અને મોટાભાગના ભારતીયોએ આંખો બંધ કરીને સ્વિકારેલ તે ઇતિહાસ પ્રમાણે, ભારત ૨૨૦૦ ૨૩૦૦ વર્ષથી ગુલામ છે. જો કે કેટલા વર્ષ સુધી ભારત ગુલામ રહ્યું તે માન્યતા વિષે ભીન્ન ભીન્ન સમય ગાળો સમજવામાં આવે છે.

સિકંદરની સામે (૩૨૭ બીસી), મહમ્મદ બીન કાસીમની સામે (૭૧૨), બાબરની સામે (૧૫૨૬), અંગ્રેજોની સામે ૧૭૫૭, ભારત હારી ગયું. એટલે લગભગ ૨૩૦૦ વર્ષથી ભારત ગુલામ છે. આવો ઇતિહાસ ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહારના દેશોમાં પણ ભણાવવામાં આવે છે. આ માન્યતા નરેન્દ્ર મોદીની પણ છે. કારણકે તેઓશ્રી પણ ભારતમાં જ ભણ્યા છે.

કેટલાક શબ્દ એવા છે જેના સમાનાર્થી શબ્દ (ખાસકરીને સંસ્કૃતમાંના શબ્દો)અને સમજણ ભારતની બહારની ભાષાઓમાં નથી. આમાં ધર્મ, ધર્મ નિરપેક્ષ, સંસ્કૃતિ, સંસ્કાર, આતંક, તત્વજ્ઞાન, ઇતિહાસ, ઇશ્વર, કર્મ, અધિકાર, વિકાસ, દેશ, સત્, અસત્, આનંદ, પરતંત્રતા, વિગેરે શબ્દો મુખ્ય છે. પણ પાશ્ચાત્ય વિદ્વાનો આ શબ્દોના અર્થ જે કંઈ સમજ્યા અને આ શબ્દોના જે અર્થો તેમને ગોઠ્યા તે તેમણે કર્યા અને ભારતીય સાક્ષરોએ તેમાં રહેલા વિરોધાભાષોને સમજ્યા વગર અને વિચાર્યા વગર ફક્ત સ્વિકાર્યા નહીં પણ આત્મસાત્ કરી લીધા.

આવું બધું હોવા છતાં પણ “પ્રણાલીગત ધર્મ (પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલ છે તે), એટલે કે હિન્દુ ધર્મ ૨૩૦૦ વર્ષની ગુલામી પછી પણ આપણા દેશમાં જીવતો રહ્યો અને હજી જીવે છે તે પણ ૬૫થી ૮૦ ટકા. આ પૃથ્વી પર ક્યાંય ન બનેલી એક અભૂતપૂર્વ ઘટના છે.

ભારત ઉપરના આક્રમકો આતતાયીઓ હતા. તેઓ લૂટ, અત્યાચાર અને નીતિહીન હતા. પણ જે આક્રમકો ભારતમાં સ્થાયી થયા તે પછી તેઓ કેટલેક અંશે બદલાયા. શક, હુણ, પહલવ તો ભારતીય જ થઈ ગયા. મુસ્લિમોએ પણ ભારતીય પરંપરાઓ મોટા ભાગે સ્વિકારી. શેરશાહ, મોહમદ બેઘડો અને મોટાભાગના મુગલો આનું ઉદાહરણ છે. તેઓએ આ દેશને પોતાનો દેશ માન્યો. જો આવું ન હોત તો બહાદુરશાહ જફર કે જે નામમાત્રનો રાજા હતો તેની નેતાગીરી, ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વિકારાઈ ન હોત. અંગ્રેજો અલગ હતા. તેમણે ભારતીયતા ન સ્વિકારી. એટલે ખરી રાજકીય ગુલામી બહુબહુ તો ૧૮૨૫ થી ચાલુ થઈ જે ૧૯૪૭ સુધી રહી.

ભારતીય સંસ્કૃતિની કે ભારતીય તત્વજ્ઞાનની મથામણ આનંદ પ્રાપ્ત કરવા માટેની છે. જે આનંદ સૌથી વધુ લાંબા ગાળાનો હોય તે

આનંદ કેમ પ્રાપ્ત થાય?

આમાં બે મુખ્ય માન્યતાઓ છે.

શાશ્વત આનંદઃ
શાશ્વત આનંદ એટલે કે મોક્ષ. આ આનંદ આત્માનો જ હોઈ શકે. એક એવી કલ્પના થઈ કે થઈ કે આત્મા એક તત્વ છે અને તે શરીરથી ભીન્ન છે. એટલે જ્યાં સુધી શરીરની સાથે આત્માનું જોડાણ છે ત્યાં સુધી શાશ્વત આનંદ મળશે નહીં કારણ કે શરીરની સાથે દુઃખ તો રહેવાનું જ છે. એટલે એવું ધારો કે શરીરને છોડ્યા પછીના આનંદને

કેવી રીતે પ્રાપ્ત કરવો?

શરીર સાથેનો આનંદઃ

શરીર છોડ્યા પછી શું છે, તે કોઈએ જાણ્યું નથી. માટે શરીરમાં આત્મા હોય ત્યારે પણ આનંદ તો મળવો જ જોઇએ. આ આનંદ ભલે શાશ્વત ન હોય પણ સાપેક્ષે તો સાપેક્ષે પણ આનંદ હોવો તો જોઇએ જ.

વાસ્તવમાં મનુષ્ય જાતિની જ નહીં પણ સજીવ માત્રનું વલણ આનંદ માટેનું હોય છે.

શાશ્વત આનંદ ભલે ગમે તેટલો ઉચ્ચ કક્ષાનો ધારી લીધો હોય પણ શરીર સાથેના આનંદ માટેનું માણસનું વલણ તો રહેવાનું જ. જો કે શાશ્વત આનંદની વાત મનુષ્ય જાતિએ પડતી મુકી નથી.

શારીરિક આનંદની વ્યાખ્યા આપણે “અદ્વૈતની માયાજાળ” અને “નવ્ય સર્વોદયવાદ” માં કરી છે. શરીરનું એકત્વ જાળવી રાખવું અને વિઘટન સામે ઝઝુમવું આ વાત સજીવોમાં સહજ છે.
આપણા હિન્દુધર્મમાં આનંદ મેળવવાની ચાર રીત છે. કર્મદ્વારા, ભક્તિદ્વારા, જ્ઞાન દ્વારા, અને યોગદ્વારા.

કર્મ પ્રત્યેનું વલણ, ભક્તિ પ્રત્યેનું વલણ, જ્ઞાન પ્રત્યેનું વલણ અને યોગ પ્રત્યેનું વલણ સૌનું એક સરખું હોતું નથી. અને આ વલણનું મિશ્રણ બધામાં હોય છે. એકાદું વલણ જે બીજા વલણો ઉપર હામી થતું હોય છે.

પ્રથમ ત્રણ વલણો સામુહિક રીતે પણ થાય અને અંગત રીતે પણ થાય. એક સાથે, કે લય બદ્ધ રીતે લોકો કર્મ કરે, ભક્તિ કરે કે જ્ઞાન મેળવે અને આનંદ મેળવે છે. યોગ એટલે કે શ્વાસની કસરત પણ લોકો સામુહિક રીતે કરે છે. યોગની કસરત શરીરના કોષોને શુદ્ધ કરે છે તેથી કોષો તેમના કાર્યમાં કુશળતા લાવે છે.

કર્મ અને જ્ઞાન એવાં વલણ છે કે જેમાં ફળ (આનંદ) ભવિષ્યમાં મળશે એવી ગોઠવણ સમાજમાં કરવામાં આવી છે.

આનંદ માત્ર શારીરિક છે.

આપણે આનંદને અનેક પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. શારીરિક આનંદ, માનસિક આનંદ અને બૌદ્ધિક આનંદ. આનંદ હમેશા શારીરિક જ હોય છે. મન અને બુદ્ધિ પણ શરીરનો જ હિસ્સો છે. મન અને બુદ્ધિ જુદા નથી. મન એ આપણી પસંદગી તરફનું વલણ હોય છે. બુદ્ધિ એક પ્રક્રિયા છે જે નિર્ણય લેવા પ્રેરે છે. પણ બુદ્ધિનો નિર્ણય હમેશા આપણું મન કબુલ રાખતું નથી. તેવી જ રીતે જે મનને પસંદ પડ્યું તેને જ અનુસરવું તેમ પણ મનુષ્ય હમેશા આચરતો નથી. મનુષ્યનો આચાર મનુષ્યમાં રહેલા રસાયણો ઉપર આધારિત છે. આ રસાયણોનો આધાર સ્મૃતિ, વિચાર, કાર્ય, સામાજિક પરિબળો અને વારસાગત મળેલા વલણોનું મિશ્રણ હોય છે.
હવે આપણે મૂળવાત ઉપર આવીએ.

આનંદ “સ્વ”ની બીજાઓ દ્વારા ઓળખ અને અથવા માન્યતા દ્વારા પણ મળે છે.

“દોડ”ની સ્પર્ધામાં બધાનું ધ્યાન આગળ કોણ છે તેની ઉપર હોય છે. આ “ધ્યાન ખેંચાવા”ની વાત તે વ્યક્તિની ઓળખ અને માન્યતા છે. તેથી દોડવીરને આનંદ આવે છે.

નાટકમાં પ્રેક્ષકોનું ધ્યાન પાત્રો ઉપર હોય છે. આ નાટકના પાત્રની ઓળખ હોય છે.

આગળનું સ્થાન ઓળખ બને છે.

વક્તૃત્વમાં વક્તાની છટા અને તેનું જ્ઞાન તેની ઓળખ અને માન્યતા બને છે.

વ્યક્તિનું ધન, વ્યક્તિનો વંશ અને વ્યક્તિનો હોદ્દો (સત્તા) પણ તેની ઓળખ બને છે.

આવી અનેક વાતો હોય છે.

આધુનિક યુગમાં ધ્યાન આકર્ષવાની રીતો વધી છે.

પશ્ચિમી દેશોમાં (અને હવે ભારત જેવા દેશમાં પણ), નગ્ન થઈ દોડવું, અસંબદ્ધ બોલવું, ચમત્કારિક બોલવું, બીજાને ક્ષોભ જનક સ્થિતિમાં મુકવો આવું બધું કરીને લોકોની નજરમાં આવવું એ એક પ્રણાલી પડી ગઈ છે.

પહેલાંના જમાનામાં જ્ઞાનના તેજ દ્વારા વ્યક્તિની ઓળખ બનતી હતી. હવે એવું છે કે કે પહેલાં પ્રચાર દ્વારા વ્યક્તિને ઓળખ આપો અને પછી વિતંડાવાદ કરી વધુ પ્રચાર કરી તેની ઓળખને માન્ય કરાવો અને તેમ કરવામાં પોતાની પણ એવી જ ઓળખ બનાવો.
સમાજમાં દૃષ્ટિગોચર થતા આવા વલણો બીજી યોગ્ય વ્યક્તિની થતી સુયોગ્ય ઓળખને દબાવી દેવામાં પણ વપરાય છે.

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે જેવી નિમ્નસ્તરની વ્યક્તિઓની ખ્યાતિ આ પ્રકારમાં આવે છે. આ બધાને હવે આપણે “અફઝલ-પ્રેમી ગેંગ” તરીકે ઓળખીશું. આ નામાભિધાન તેને ઝી-ટીવીએ આપેલું છે.

અફઝલની વરસીને દિવસે જીન્ના નહેરુ યુનીવર્સીટીના અને તેની બહારના તેના પ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યા. અને સૂત્રોચ્ચાર કર્યો. તેના વિરોધીઓએ તેની વીડીયો ક્લીપ બનાવી. સોસીયલ મીડીયા ઉપર ને ટીવી ચેનલો ઉપર પ્રદર્શિત થઈ. દેશપ્રેમીઓમાં ખળભળાટ થયો. કારણકે તેમાં “કશ્મિર માગે આઝાદી, કેરલ માગે આઝાદી, બંગાળ માગે આઝાદી, પૂર્વોત્તર રાજ્ય માગે આઝાદી, ગોલીસે લેંગે આઝાદી, ભારત તેરે ટૂકડે હોગે, અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતીલ જીંદા હૈ, હર ઘરસે અફઝલ નિકલેગા, એવા અનેક દેશદ્રોહી સૂત્રો પોકારાયા.

આમ તો ઉપરોક્ત સૂત્રો, માત્ર અને માત્ર સૂત્રો છે. આ સૂત્રો, બોલનારની માનસિકતાનું પ્રદર્શન કરે છે. આ સૂત્રો દેશ પ્રત્યેનો પ્રેમ તો પ્રકટ કરતા નથી જ નથી જ. અફઝલને ભારતના ન્યાય તંત્રે મૃત્યુદંડ બધીજ પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી આપ્યો હતો. તે વખતે નહેરુવીયન કોંગ્રેસની સરકાર હતી. જો સૂત્રોને સરકારની સામેના ગણાવાતા હોય તો જે અફઝલને લગતા સૂત્રો હતા તેતો નહેરુવીયન કોંગ્રેસ સરકારની સામેના હતા એમ ગણાવવું જોઇએ.

સંસદ ઉપર થયેલા આતંકી હુમલામાં અફઝલ સંડોવાયેલો હતો. મોટા ભાગની ન્યાયિક પ્રણાલી નહેરુવીયન કોંગ્રેસની સરકારે પૂરી કરેલ અને સજાની જાહેરાત અને અમલ પણ નહેરુવીયન કોંગ્રેસની સરકારના સમય દરમ્યાન થયેલ. એટલે અગર આ સૂત્રોચ્ચાર અન્વયે કોઈએ જવાબ આપવાનો હોય તો નહેરુવીયન કોંગ્રેસે આપવાનો હતો. પણ સૂત્રો તો દેશ વિરોધી હતા એટલે દેશપ્રેમી જનતા તેને વખોડવા માટે આગળ આવી.

તો બીજેપી-મોદી-ફોબીયા પીડિત ગેંગે શું કર્યું?

તેમણે આ વિવાદને બીજેપી અને નહેરુવીયન કોંગી યુક્ત તેના સાંસ્કૃતિક સાથી વચ્ચેનો ગણાવીને તેને મોળો પાડવાની કોશિસ કરી.

આ નહેરુવીયન કોંગની પ્રણાલીગત જુની પરંપરા છે. તેમને ખબર છે કે તેઓના કબજામાં સમાચાર માધ્યમો છે. સમાચાર માધ્યમો માને છે કે પૈસો મૂખ્ય છે. ચીકન બીર્યાની અને દારુ, નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ જ આપી શકશે. મોદી તો ઘાસપુસ જેવી વેજ વાનગીઓ જ આપશે. કદાચ તે પણ ન આપે.
નહેરુવીયન કોંગ અને તેના સાથીઓને કોઈ વાતનો કશો છોછ હોતો નથી તે પોતાની પત્રકાર પરિષદમાં પૈસાવાળા કવરો પણ આપશે. દેશપ્રેમ અને દેશદ્રોહની વાતો તો બધી ધત્તીંગ છે, કામ ચલાઉ છે. જનતા અભણ છે. જનતાને માથાફોડીની વાતો યાદ રહેતી નથી અને તાર્કિક વાતો પણ માથાફોડીની જ હોય છે. ચૂંટણીના સમયે આપણે દેશપ્રેમના હેડીંગ વાળી અનેક વાતો કરીશું એટલે આપણી આબરુ પાછી આવી જશે. પાંચ ટકા ભણેશરીઓ આગળ આપણી આબરુ જાય તો પણ ક્યાં કશો ફેર પડે છે?

આ ઈન્દિરા ગાંધીએ હજારોને જેલમાં નાખ્યા તો પણ તેના નામે અગણિત યોજનાઓ, બાંધાકામો, સંસ્થાઓ, ઈનામો છે. અરે શું શું નથી તેની વાત કરો? નહેરુએ હિમાલય જેવડી ભૂલો કરી અને લાખો સૈનિકો બેમોત મર્યા, તો પણ નહેરુના નામને ક્યાં કશી આંચ આવી છે.

માટે પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

યસ્યાસ્તિ વિત્તં, સ નરઃ કુલિનઃ સ શ્રુતવાન સ ચ ગુણજ્ઞઃ
સ એવ વક્તા, સ ચ દર્શનીયઃ, સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે

જેની પાસે પૈસા છે, તે કુળવાન છે, તે જ જ્ઞાની છે અને તે જ ગુણોને જાણનારો છે.
તે બોલે તે જ સંભળાય છે, તે જ દર્શન કરવાને યોગ્ય છે. બધા ગુણો સુવર્ણ(સોનું, પૈસા)ના આશ્રયે છે.

01 securedownload

નહેરુવીયન કોંગ્રેસ પાસે તેમના પૈસા અને તેમનો જનતાને બેવકુફ બનાવવાનો અનુભવ છે. સામ્યવાદીઓ પાસે છળ કપટ અને હિંસા છે. પથભ્રષ્ટ મુસલમાનો પાસે આતંકવાદી સંગઠન છે, લાલચુ પત્રકારો અને કટારીયા મૂર્ધન્યો છે. જ્ઞાતિવાદી પક્ષો છે. બધી ગદ્દારીઓ જો ભેગી થઈ જાય તો બીજેપી શી ચીજ છે?

આ લોકોથી દેશને બચાવવાનો ઉપાય શો?

ધારો કે એક સંસ્કૃતિ બુદ્ધિજીવી છે. અને એક સંસ્કૃતિ ભક્તિ માર્ગી (શ્રદ્ધા ઉપર આધાર રાખનારી) છે. કઈ સંસ્કૃતિ લાંબા કાળ સુધી જીવશે?

બુદ્ધિવાદી સંસ્કૃતિ તર્ક ઉપર આધાર રાખતી હોવાથી તે પોતાના જ્ઞાન પ્રાપ્તિના દરવાજા ખૂલ્લા રાખે છે. ભક્તિમાર્ગી સંસ્કૃતિ ફક્ત શ્રદ્ધા ઉપર આધાર રાખતી હોવાથી ચર્ચામાં માનતી નથી.

પણ હવે તમે જુઓ. બુદ્ધિ વ્યક્તિના જ્ઞાન ઉપર આધાર રાખે છે. જ્ઞાન માહિતિ ઉપર આધાર રાખે છે. માહિતિ કાંતો વ્યક્તિને આપવી પડે છે કે કાંતો વ્યક્તિએ પ્રયત્ન પૂર્વક મેળવવી પડે છે. માહિતિ આપનારો ઠગ હોય તો તે બુદ્ધિવાદીઓને યા તો માહિતિ ન આપે યા તો ખોટી માહિતિ પણ આપે. તર્ક શક્તિ એ વિચાર કરવાની વૃત્તિ ઉપર આધાર રાખે છે. આ વૃત્તિ આનુવંશિક હોઈ શકે છે અથવા એ ભૌતિક શાસ્ત્ર ભણવાથી આવે છે.

બુદ્ધિ હોય, માહિતિ હોય, પણ તર્ક શક્તિ ન હોય તો વ્યક્તિ ખોટા નિર્ણયો લે. દાખલા તરીકે પાશ્ચાત્ય ઇતિહાસકારોએ આપણને ખોટો ઇતિહાસ અને ખોટી વ્યાખ્યાઓ ભણાવી. વિરોધાભાષો છૂપાવ્યા. આપણા વિદ્વાનોએ ભારતને આર્યો અને દ્રવિડોની જાતિમાં વિભાજિત કરતી આર્યોના આક્ર્મણ વાળી થીએરી આત્મસાત્ કરી બુદ્ધિજીવીઓ પોતાનાથી ઓછી બુદ્ધિવાળાનો, જો ઓછી બુદ્ધિવાળાઓ પાસે ઓછી માહિતિ હોય તો, તેમનો પરાભવ કરી શકે છે.

જો વ્યક્તિ શ્રદ્ધાના આધારે હોય તો તે તર્કને આધિન થતો નથી. આમ પાશ્ચાત્ય ધર્મગુરુઓએ શ્રદ્ધાવાળો ધર્મ ફેલાવ્યો. પણ તેમણે વિજ્ઞાન અને ધર્મને અલગ રાખ્યા. ધર્મને શ્રદ્ધાનો વિષય બનાવ્યો. એટલે ધર્મની બાબતમાં તર્ક નહીં વાપરવાનો.

વાસ્તવિક રીતે જોઇએ તો સ્વર્ગ, નર્ક, પૂનર્જન્મ અને ઇશ્વરના અવતાર જેવું કશું છે જ નહીં. સારા કામો થી સ્વર્ગ મળે છે અને ખરાબ કામોથી નર્ક મળે છે, એ બધા જુઠ છે.

આત્મા અને શરીર જુદા છે તે પણ એક જુઠ છે. વેદ અને અદ્વૈતની દૃષ્ટિએ પણ આમ જ છે. બ્રહ્માણ્ડ બહુ વિશાળ છે.

હાલની તારીખમાં તે કેવડું છે તે જો પ્રકાશની ગતિના ૯૯.૯૯ ….. ૫૫ નવડા એટલા ટકા થી ગતિ કરીએ તો બ્રહ્માણ્ડના છેડે પહોંચતાં ૫૪ વર્ષ થાય. પણ તે ગતિ કરનારના વર્ષ ગણવાના હોય છે. પૃથ્વી ઉપર તો તે વર્ષ ૧૫ અબજ વર્ષ થી પણ વધુ થાય. આ બ્રહ્માણ્ડ પ્રકાશની ગતિએ (દર સેકંડે એક લાખ છ્યાસી હજાર માઈલ ની ગતિથી) વિકસતુ જ રહે છે.

બ્રમ્હાણ્ડનું ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી. જો ડાર્ક મેટરનું પ્રમાણ વધુ હશે તો તે અમુક હદે પહોંચ્યા પછી આ બ્રહ્માણ્ડ સંકોચાતું જશે. બ્રહ્માણ્ડની બહાર શું છે તે સમજવા માટે “અવકાશ”ની વ્યાખ્યા સમજવી પડે. સમયની વ્યાખ્યા સમજવી પડે. પદાર્થની વ્યાખ્યા સમજવી પડે. પ્રકાશ એ શું છે તે સમજવું પડે, પરિમાણો શું છે તે સમજવું પડે, (આપણા કહેવાતા સજીવો અને સુક્ષ્મ કણોને સમજવા પડે અને આ સુક્ષ્મ કણો ૨૨+૪ ના પરિમાણોમાં અસ્તિત્વ ધરાવે છે જ્યારે આપણે ચાર પરિમાણોમાંની જ અનુભૂતિ કરી શકીએ છીએ), સજીવની વ્યાખ્યા સમજવી પડે. આ બધું સમજ્યા વગર આપણે સ્વર્ગ, નર્ક, આત્મા, અમરતા, પાપ, પૂણ્ય, ઈશ્વર, અવતાર, પેગમ્બર વિગેરેનું દે ધનાધન કરીએ છીએ તે બેવકુફી માત્ર છે.

આપણે આ બેવકુફીને બેવકુફી તરીકે સ્વિકારવી જોઇએ. આપણા અનંદ માટે આપણે આવું બધું માનીએ ત્યાં સુધી ઠીક છે પણ ઈશ્વરની પૂજા સિવાય ઉદ્ધાર નથી, ઇશ્વર દયાળુ છે અને માટે અવતારો કે પેગંબરોની શરણાગતિ સ્વિકારી લો અને તેમને ત્યાં બુદ્ધિને ગીરો મૂકીને તેમણે બતાવ્યા માર્ગે સ્વર્ગ પ્રાપ્ત કરવા આ દૂનિયામાં જીવો … આ બધું ખોટા ભ્રમમાં જીવવા બરાબર છે.

વિજ્ઞાન જ મનુષ્યને સત્ય તરફ લઈ જાય છે પણ સત્ય સુધી પહોંચી શકાતું નથી અને પહોંચી શકાશે નહીં. કારણ કે આ બ્રહ્માણ્ડ અનિર્વચનીય છે. બ્રહ્માણ્ડના સત્યને પામી શકાશે નહીં. પણ જ્ઞાનની દિશા તો એજ રાખવાની છે. જો તમારું વલણ આ દિશામાં ન હોય તો સમાજે તમને તમારું મનપસંદ કામ સોંપ્યું છે તે કરો. આનંદ કરો.

તમને રીંગણા ભાવે તો રીંગણા ખાવ, બટેકા ભાવે તો બટેકા ખાવ, લાડુ ભાવે તો લાડુ ખાઓ, ગુલાબ જાંબુ ભાવે તો ગુલાબ જાંબુ ખાવ. ઈશ્વરને જે રીતે પૂજવામાં આનંદ આવતો હોય તે રીતે પૂજો. ન પૂજવો હોય તો ન પૂજો. ઈશ્વરને તમારી પૂજામાં રસ નથી.

ઈશ્વર કેવો છે તેની કોઈને ખબર નથી. ઈશ્વર પણ અનીર્વચનીય છે. હિન્દુઓ બ્રહ્માણ્ડને સજીવ માને છે. બ્રહ્માણ્ડ ઈશ્વરનું શરીર છે.

“તેન ત્યક્તે ન ભૂંજિથાઃ, મા ગૃધઃ કસ્યશ્ચિત્ ધનમ્”. આ વિશ્વરુપી ઈશ્વરે જે તમારા માટે છોડ્યું છે તેને (તમારી બુદ્ધિનો ઉપયોગ કરી) ત્યાગ પૂર્વક બધું ભોગવો અને બીજાનું પડાવી લો નહીં. જે સમજી શકાય તેવું છે તે આટલું જ છે. ઈશાવાસ્ય વૃત્તિ કેળવો અને આ પૃથ્વી ઉપર આનંદથી કમ કરતાં કરતાં ૧૦૦ વર્ષ જીવો. પરલોક જેવું કશું છે જ નહીં. જે કંઈ છે તે આ બ્રહ્માણ્ડમાં જ છે. તમે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્યની અનુભૂતિ કરી શકો છો ત્યાં સુધી તેમનું અસ્તિત્વ છે. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

સ્વર્ગ અને નર્ક જેવું કશું છે જ નહીં છતાં પણ મૃત્યુ પછીના સુખની કલ્પનાના ઘોડાઓ દોડાવ્યા કરવા એ મૂર્ખતા સિવાય કશું નથી. ઈશ્વર ના ન્યાયના દિવસની કલ્પનાઓ બધી ફરેબી વાતો છે. આજે આવા જ ધર્મો વધુ ફેલાયેલા દેખાય છે. આતંકવાદ ફેલાવવાની માનસિકતામાં આ જ ધર્મો સંડોવાયેલા છે. પ્રાચીન વિકસિત સંસ્કૃતિઓને નષ્ટ કરવામાં અને નર સંહાર કરવામાં આ જ ધર્મો આગળ પડતા છે.

તો શું તર્ક ઉપર આધારિત હિન્દુ ધર્મ નષ્ટ થશે?

ના જી. હિન્દુ ધર્મના ચાર અંગો છે. કર્મ, ભક્તિ, જ્ઞાન અને યોગ. આ બધાનું મિશ્રણ એટલે હિન્દુ ધર્મ. શંકરાચાર્યે અદ્વૈતવાદ જેવા કેવળ તર્ક પર આધારિત વાદનો પ્રચાર કર્યો અને બધા તત્કાલિન ધર્મોને પરાસ્ત કર્યા. શંકરાચાર્યનો અદ્વૈતવાદ, આઈનસ્ટાઇનના સાપેક્ષતાવાદ જેવો છે. તે સમજવાની બધામાં વૃત્તિ અને ક્ષમતા ન હોય. એટલે તેમણે “ભજ ગોવિંદમ”, શિવાષ્ટક, લલિતાસ્તોત્ર જેવા ભક્તિમાર્ગી સ્તોત્ર પણ લખ્યા. તેમણે વાદો વચ્ચે ઘૃણા ન ફેલાવી. એટલે ભારત ઉપર મુસ્લિમોનું આક્રમણ થયું ત્યારે અનેકાનેક ભક્તિમાર્ગી કવિઓ ઉગી નિકળ્યા અને તેમણે હિન્દુ ધર્મની રક્ષા કરી.

એટલે જો તમે સમાચાર માધ્યમો થકી થતા નરેન્દ્ર મોદી, બીજેપી અને દેશ દ્રોહી પ્રચારોમાં ગુંચવાઈ જતા હો તો તમે મોદીના અને દેશના ભક્ત બની જાઓ. જો બુદ્ધિ તમને નહીં બચાવે તો ભક્તિ તમને જરુર બચાવશે. અને દેશ પણ બચશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ, સમાચાર માધ્યમો, કટારીયા, મૂર્ધન્યો, પાશ્ચાત્ય ઇતિહાસકારો, ભારત, ગુલામ, સિકંદર, મહમ્મદ બીન કાસીમ, બાબર, મુગલ, વિરોધાભાષો, આક્રમકો આતતાયીઓ,
શાશ્વત આનંદ, સ્વર્ગ, નર્ક, મોક્ષ, કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગ, સ્વની ઓળખ અને માન્યતા, દેશ વિરોધી સૂત્રો, શંકરાચાર્ય, અદ્વૈત, સાપેક્ષતા

Read Full Post »

ફુગ્ગાઓ કોના સંતાન છે અને તેમને કોણ કેમ ઉડાડે છે?

ફુગ્ગાઓ એટલે ફુક્કાઓ (કાઠીયાવાડીમાં). તે ફેક્ટરીઓમાં બને. મોટા લોકો તેમાં હવા ભરે અને બાબલાઓ તેને આકાશમાં ઉડાડે.

KITES  &  BALOONS

ફુક્કા અને પતંગ

આમ તો પતંગ પણ આકાશમાં ઉડે.

પણ પતંગ તો ગૃહ ઉદ્યોગમાં આવે. પતંગ બનાવવામાં શ્રમ કરવો પડે. પતંગ ઉડાડવાનું અનુભવે આવડે. બધાને પતંગ ઉડાડતા આવડે. પતંગ આકારના ફુક્કા બનાવી શકાય. અને ફુક્કા આકારના પતંગ બનાવી શકાય. પણ ફુક્કાને કોઈ પતંગ કહે અને પતંગને કોઈ ફુક્કો કહે.

પતંગ અને ફુક્કા બંનેને દોરી બાંધી ઉડાડી શકાય, પતંગને હવાથી વધુમાં વધુ ૮૯. અંશ આઘોપાછો કરી શકાય. પણ ફુક્કો તો હવાની દીશામાં ઉડે. કારણ કે પતંગ પતંગ છે અને ફુક્કો ફુક્કો છે.

પતંગ ક્યાં સુધી ઉડ્યા કરે?

પતંગનું ડ્ડાયન, પતંગની ઉડાણની સમ સીમા, તેની પોતાની મજબુતાઈ અને દોરીની મજબુતાઈ અને કન્ના બાંધવાની તેમજ ઉડાડનારાની કુશળતા ઉપર આધાર રાખે છે. જો કાપનારો હોય તો તે જ્યાં સુધી તેનું કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધી ઉડ્યા કરશે. દોરી પકડનારા બદલાશે પણ પતંગ ઉડશે.

પણ ફુક્કાનું તેમ નથી. તેતો  પવન ને સમર્પિત છે અને જ્યાં સુધી તેની અંદરની હવા ઉડાડવાને સક્ષમ પ્રમાણમાં હોય, હવાનું લીકેજ હોય ત્યાં સુધી ઉડશે. પણ હજુ સુધી હવા લીક થાય તેવા ફુક્કા શોધાયા નથી.

આમ તો વિમાન પણ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે. પણ તે બનાવવા માટે સમુહગત નિષ્ણાતો અને સમુહગત વ્યવસ્થા જોઇએ. પણ આપણે તેની વાત નહીં કરીએ. આપણે ફક્ત ફુક્કાઓની વાત કરીશું.

ફુક્કાઓની કોઈ સમસ્યા નથી. તેના આકારો બદલી શકાય છે. પણ સમાચાર માધ્યમો દરેક સમસ્યાને ફુક્કો માને છે અને જ્યાં સુધી ફુક્કામાં હવા હોય અને પવન પણ હોય ત્યાં સુધી તેને ઉડાડ્યા કરે છે. ફુકામાંથી હવા નિકળી જાય એટલે તેને ઉડાડવો બંધ કરી બીજો ફુક્કો ઉડાડે. તમે જો તેમને પૂછો તો કે પેલો ફુક્કો કેમ મુકી દીધો. તો તેઓ કહેશે કે હવે તેમાં હવા નથી. સમાચાર માધ્યમો હમેશા ફુક્કાઓની શોધમાં હોય છે. સમાચાર માધ્યમો કોઈપણ બનાવને મનગમતા આકારનો ફુક્કો બનાવી શકે છે. પોતાના ફુક્કાનેઅમારો તો પતંગ છે”  એમ પણ એમના ફુક્કા ઉપર પ્રદર્શિત કરી શકે છે. આટલું નહીં તેઓ તેમણે માનેલા દુશ્મનના ઉડતા પતંગને પણ તો ફુક્કો છેએવા લખાણ વાળો ફુક્કો ઉડાડી શકે છે. પતંગની ક્યાં વાત કરો છો, તેઓ તો ઉડતા વિમાનને પણ ફુક્કો કહી શકે છે અથવા તો એમ પણ કહી શકે છે કેક્યાં છે વિમાન? ક્યાં છે વિમાન? વિમાન બિમાન જેવું કશું નથી

પણ બધું શું છે? તો બધા ફુક્કા છે.

ફુક્કાને અંગ્રેજીમાં બલુન કહે છે. શિખ લોકોને ભારતીયો સરદારજી કહે છે તેમ કોલેજમાં અમે પટેલો, પટેલોને બલૂન કહેતા. શિખ લોકોએસરદારજીશબ્દ સંપૂર્ણ પણે સ્વિકારી લીધો છે. એટલું નહીંબાર વાગ્યાનીરમૂજોને પણ હાસ્યવૃત્તિના કારણે સ્વિકારી લીધી છે અને તેઓ પોતે પણ પોતાની રમૂજો કરે છે.

અમારા પટેલ બલૂનોએ પોતે બલૂન છે એટલું તો સ્વિકારેલ પણ તેમને બહુ પસંદ પડતું નહીં. હૉવઅ.

અમારે ડેરોલ(પંચમહાલ)ની પ્રાથમિક શાળામાં અને અમારે અમદાવાદની એમ.જી.ની કોલેજમાં અને હોસ્ટેલમાં બધે બલૂન બલૂન હતા. એટલે બલૂન અને બલૂન વચ્ચે વિખવાદ હતો.

પણ એમ જી ની હૉસ્ટેલમાં ઉત્તર ગુજરાતના બલૂન અને ખેડા જીલ્લાના બલૂન એમ બે પ્રકારના બલૂન હતા. અમને કાઠીયાવાડીઓનેબાપુકહેવાય. બલૂન ઉડે એમ કહેવાય. પતંગ ચગે એમ કહેવાય છે. બાપુને ચગાવી શકાય ખરા. બાપુ ખુશ થાય.

બલૂનોમાં જુથ હતા. અમે કાઠીયાવાડીઓ જે દિશામાં જઈએ તેનું પલ્લું ભારે થતું. વાતની મારા જેવાને ખબર નહીં. પણ હોસ્ટેલમાં ચૂંટણી થઈ તેમાં ખેડા જીલ્લાના બલૂનની હાર થઈ. અને ઉત્તર ગુજરાતના બલૂનની જીત થઈ. કદાચ મારા મતને કારણે . મારે તો બંને જુથોના બલૂનો સાથે મૈત્રી હતી. મારા પડોશી બાપુ (કાઠીયાવાડી છોકરો) હતો. ખેડા જિલ્લાના ઉમેદવારનો ખાસ મિત્ર હતો. એટલે ખેડા જીલ્લાના બલુનને એમ કે મારો મત તો તેને પડશે. પણ મેં તો જે યોગ્ય લાગ્યો તેને મત આપ્યો. જો કે કોઈ મારામારી થઈ. જોકે મારો એવો કોઈ પ્રભાવ હતો કે મારાથી કોઈ ડરે.  “બાપુને વતાવવા નહીંએવું કદાચ ખેડા જીલ્લાના બલૂન ઉમેદવારે માન્યું હોય. અમારે અમદાવાદ ટેલીફોન્સમાં પણ ઘણા બલૂન. અને રાણીપમાં એકબલોલનગર નામની સોસાઈટી પણ છે. એને અમે બલૂનનગર કહીએ છીએ. આમ તો અમદાવાદ આખું બલૂનોથી ખદબદે છે.

પણ હે બલૂનભાઈઓ તમે બલૂન છો તે સિદ્ધ કરવાનો પ્રયત્ન તમે કેમ ચાલુ કર્યો છે?

કૃષ્ણ ભગવાને કહેલ કે ચાર વર્ણોની રચના, (પ્રકૃતિરુપી મેં) શ્રમવિભાજન અને તેને કારણે થતી વૃત્તિઓના આધારે કરી છે. વૃત્તિઓ આનુવંશિક હોય શકે છે. પણ બાહ્યપરિબળો અને કર્મ મુખ્ય ભાગ ભજવે છે એટલે કૃષ્ણભગવાનેઅનુવંશને અવગણ્યો. જો કૃષ્ણભગવાન વંશવાદમાં માનતા હોત તો તેઓ જરુર વંશવાદને અનુરુપ કહેત. જેઓ પોતાને હિન્દુ (સનાતન ધર્મી) માને છે તેઓએ આ બાબતમાં શંકા ન કરવી.

અનામતની વાત

અનામતની આ કે તે સ્વરુપની વાત, સ્વાતંત્ર્યની ચળવળ જેટલી જુની છે. ડૉ. આંબેડકરે અનામતની વાત કરેલી. અનામતનો તેમણે આગ્રહ પણ રાખેલો. તેમની વાતમાં થોડો તો થોડો, પણ દમ હતો. પણ ગાંધીજી કોઈપણ જાતની કે પ્રકારની અનામતના સજ્જડ વિરોધી હતા. એટલે ગાંધીજી તેના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા. અંતે આંબેડકરે “એક મહાન નેતાના જીવને બચાવવા હું મારી પછાત જાતિના હિતનું બલિદાન આપું છું”. પણ આંબેડકરે કબુલ રાખેલ કે પછાત લોકોની પ્રત્યે ગાંધીજીને અપાર સહાનુભૂતિ છે. આંબેડકરને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ ન હતો.

અનામત એટલે ફક્ત વરવું રાજકારણ

ગાંધીજી અને સરદાર પટેલ ગયા પછી નહેરુએ અનામતની પ્રથા બીજે સ્વરુપે દાખલ કરી. તે ક્ષમ્ય પણ હતી. પણ નહેરુએ અને ખાસ કરીને તેના ઔરસ સંતાન ઇન્દિરાએ તેને “મતબેંક”ના સ્વરુપમાં ફેરવી નાખી તેથી આખા રાજકારણની દિશા અને સંસ્કાર બદલાઈ ગયા.

નહેરુએ પરોક્ષ રીતે ધર્મ અને ભાષાવાદને પુરસ્કૃત કરતી રાજનીતિ અપનાવી.  ચૂંટણી પ્રચારમાં “જનસંઘને ભાંડવો” અને બીજી તરફ “મરાઠી લોકોને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ” એમ કહેવું એ નહેરુની રાજનીતિની દિશા અને નહેરુના સંસ્કાર બતાવે છે. નહેરુએ કદાચ વાણી ઉપર કાબુ રાખ્યો હશે કારણકે સ્વાતંત્ર્યની લડતમાં તેમણે કરેલું યોગદાન તેમની આ પાર્શ્વભૂમિકાને “લુલીને છૂટી મુકી દેવામાંથી” રોકતું હશે.

તેમની પુત્રીને એવી  કશી પાર્શ્વભૂમિકા ન હોવાને કારણે, તે બેફામ બોલી શકતી હતી. ૧૯૬૯માં મોરારજી દેસાઈના હિતેન્દ્ર દેસાઈના રાજ્યમાં કોમી હુલ્લડ થયું. અને તેમનો પક્ષ નબળો કર્યો. તે પછી ગરીબી હટાવોના નારા આપ્યા પછી સવર્ણ-અસવર્ણ વચ્ચે ભેદ કર્યા. આ વાતાવરણ તેણે નવનિર્માણના આંદોલન ના અંતિમ તબક્કામાં કર્યું. નવનિર્માણનું આંદોલન તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે અને આમાં શ્રમજીવીઓનો કોઈ હિસ્સો નથી. કંઈક અંશે આ વાત સાચી હતી. પણ આંદોલન કર્તાઓનો હેતુ કદીય શ્રમજીવીઓને અવગણવાનો ન હતો. નવનિર્માણનું આંદોલન વાસ્તવિક રીતે વિશાળ હિત માટે ભ્રષ્ટાચાર હટાવવા માટે હતું. જોકે ભ્રષ્ટાચાર હટાવવા માટેની સર્વમાન્ય બ્લ્યુપ્રીંટ ન હતી. તેમજ આ આંદોલન કોઈ એક જુથના જાતિના લાભ માટે પણ ન હતું. તેમાં પણ બલુનો હતા. પણ બલુનો કોઈ જાતિના લાભ માટે આંદોલનમાં ભાગ લેતા ન હતા.

કોઈ પણ આંદોલનમાં હેતુ મુખ્ય હોય છે. સ્વતંત્રતા માટેનું આંદોલન સર્વજન હિતાય હતું. નવનિર્માણનું આંદોલન પણ સર્વજન હિતાય હતું. તેમાં કોઈ સ્વજાતિવાદ કે સ્વધર્મવાદની દુર્ગંધ ન હતી.

કેવળ અને કેવળ વિભાજનવાદી આંદોલન

હાલમાં બલૂનો દ્વારા (પાટીદારો દ્વારા) ચાલતું આંદોલન પાટીદારોના લાભના ધ્યેય માટે ચાલી રહ્યું છે.  આ વાતને કોઈએ નકારી નથી અને કોઈ નકારી શકે તેમ નથી.

સરદાર વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા હતા. આ બાબતમાં બલુનભાઈઓને કે કોઈને પણ શક હોવો જોઇએ. લ્લભભાઈ પટેલે તીબેટ પ્રત્યેની અને ચીન પ્રત્યેની નહેરુની વિદેશ નીતિ વિષે નહેરુને ચેતવણી આપેલ. નહેરુએ તે ચેતવણીને પોતાની સંકુચિત વૃત્તિને કારણે અવગણી. તેવું કશ્મિર વિષે થયું. આજે આપણી ૯૦ ટકા સમસ્યાનું મૂળ નહેરુઈન્દિરાના કુત્સિત કર્મો છે. પણ જેઓને બલૂનોને ઉડાડવા છે અને પોતાને પણ ઉડવું  છે તેમને વાતનો સાક્ષાતકાર નહીં થાય.

સરદાર પટેલને જોડાનો હાર

બલૂનવાદને ચલાવનારાઓએ સૌપ્રથમતો સરદાર વલ્લભભાઈ પટેલને જોડાનો હાર પહેરાવવો જોઇએ. કારણ કે આ વલ્લભભાઈ પટેલ પાટીદાર હોવા છતાં અને આર્ષદૃષ્ટા હોવા છતાં તેમના જાતભાઈઓ માટે અનામતની વાત કરી ન હતી. જેમ નહેરુવીયન કોંગ્રેસીઓએ મહાત્માગાંધીનું ખૂન કર્યું છે તેમ બલૂનવાદીઓએ પણ સરદાર પટેલનું ખૂન કર્યું છે. ગાંધીજીનું ધ્યેય હતું, અંતિમછેડાના આદમી થી (ઓન ટુ ધ લાસ્ટ થી) શરુઆત કરવી. જો આમ કરીએ તો અનામતનો પ્રશ્ન જ ન રહે.

પણ આવું તો કેમ થાય!! ખાદી અને ગૃહ ઉદ્યોગતો અપનાવાય જ કેમ !! દારુ તો છોડાય જ કેમ!! સાદગી તો અપનાવાય જ કેમ !! ગરીબોની ગરીબાઈ દૂર કરવા માટે આપણાથી આવા ભોગ, કામચાલાઉ પણ અપાય જ કેમ!! નહેરુવીયન કોંગ્રેસનું ધ્યેય રહ્યું છે “સ્વ”ના હિતથી થી શરુઆત કરવી. પ્રધાનોને મોટા પગારો આપો, સગવડો આપો … ૨૦ લાખ રુપીયા ખર્ચીને ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓને પણ પગારો, ભત્થાઓ, સગવડો આપો અને નિવૃત્તિવેતન પણ આપો.

યોગ્યતા ઉપલબ્ધ કર્યા વગરના, શ્રમહીનતા થી મળતા કે અપાતા લાભો અને નિરર્થક લાભો આવા સૌ લાભો “અનામત –આરક્ષણ”ના લાભને સમકક્ષ જ છે. આ સ્વને મળતા લાભો મેળવનારાઓમાં રાષ્ટ્રપતિથી શરુ કરી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધીનો સમાવેશ થાય છે. આમાંના કોઈપણ પોતાને મળતા વિશેષ અધિકારો છોડવા તૈયાર નથી.

૧૯૭૩-૭૪ના અરસામાં ઇન્દિરા ગાંધીએ સવર્ણ-સવર્ણના ભેદ ઉભા કરેલ. પણ ૧૯૮૦ પછી ફરીથી સત્તા ઉપર આવતાંની સાથે વર્ગવિગ્રહ ચાલુ કરાવેલ.

તે વખતે આ જ પટેલ ભાઈઓનો “અનામતનો મૃત્યુ ઘંટ વગાડવામાં” હિસ્સો હતો. અનામતના લાભ નિરર્થક છે. તે વાત સાચી છે. પણ અછૂતોએ પોતે કદી તે માટે આંદોલનલો ચલાવ્યા હોય તે જાણમાં નથી. તેમના નેતાઓએ બંધારણીય માર્ગે તેમને અપાવ્યા છે. આ નિર્ણયો અયોગ્ય હોઈ શકે. તેનો વિરોધ થઈ શકે પણ તે માટે પછાતવર્ગોને એમ ન કહી શકાય કે તમે આ લાભ છોડી દો નહીં તો અમે તમારા ઉપર હુમલો કરીશું. હોદ્દેદારોને અપાતી વિશેષ સગવડ પણ અનામતને સમકક્ષ જ છે. એટલે જો આંદોલન કરવું જ હોય તો તેની પ્રાથમિકતાનું લક્ષ્ય રાષ્ટ્રપતિથી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓથી શરુ થવું જોઇએ.

૮૦ના દશકામાં અનામતનો ભરપુર વિરોધકરનારા આ પટેલભાઈઓ આજે પોતાની જાતિમાટે અનામત માગે છે. આ લોકોને બલૂન નહીં તો શું કહેવું?

હે પટેલ ભાઈઓ જો તમને તમારી માગણી સિદ્ધાંતયુક્ત લાગતી હોય તો તમે તમારા અદાઓને, ભાભાઓને, બાપાઓને કે જેમણે તમારાથી ઉંધું આંદોલન કરેલ તેમને જોડાના હાર પહેરાવો અને તેનું સરઘસ કાઢો. જો તમે આવું કરો તો તમે ખરા ભડના દિકરા, બાકી મોરીદાર (મોળીદાળ) નહીં કે પાટીદાર. “સર્વપ્રથમ ભારત” (ઈન્ડીયા ફર્ષ્ટ)વાળા તો તમે નહીં જ નહીં.      

 આ “સ્વ”ને ( આ “સ્વ” પોતે ખુદ હોય કે પોતાની જાતિ હોઈ શકે છે) કેન્દ્રમાં રાખી કરતા  આંદોલનોને આવકાર્ય પણ ન ગણાય અને ક્ષમ્ય પણ ન ગણાય.

પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમો

પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમોને, આંદોલનને તેના ધ્યેયના વ્યાજબીપણાને આધારે મુલવવાને બદલે આંદોલન વકરે એમાં જ રસ છે.

પટેલ ભાઈઓ કોણ છે? પટેલભાઈઓ ક્યાં ક્યાં છે? પટેલભાઈઓ કઈ કઈ જગ્યાએ કેટલી સંખ્યામાં છે? પટેલભાઈઓનું જોર ક્યાં ક્યાં કેટલું છે? પટેલભાઈઓ કેવા છે? પટેલભાઈઓમાં કેટલી જાતિઓ છે? પટેલભાઈઓના સ્વભાવ કેવા છે? પટેલભાઈઓનો ઈતિહાસ શો છે? પટેલભાઈઓના પૂર્વજો કોણ હતા? પટેલભાઈઓના પૂર્વજોએ શું શું કરેલ? પટેલ ભાઈઓ શું શું કરી શકે છે? પટેલભાઈઓ સંપી જશે તો શું શું થશે?

ઘોડો જો … ઘોડો જો … ઘોડાની ડોક જો … ઘોડાની કેશવાળી જો … ઘોડે કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો  હણહણે છે …  ઘોડો જો … ઘોડો જો..

હવે પટેલભાઈઓ શું કરશે? શું તે અન્યાય સહન કરી લેશે.. ? પટેલભાઈઓના નેતા કોણ કોણ છે…. આ નેતાઓ કેવા છે …. આંદોલન કેવું વ્યાપક હતું …. આંદોલન કેવું સ્વયંભૂ હતું … સ્વયંભૂ આંદોલનો કેવા હોય છે … આવા આંદોલનો શું શું કરી શકે છે … આવા આંદોલનો સામે જેઓ પડ્યા અને જે સરકારો પડી તેના કેવા હાલ થયા …. આનંદીબેનનું શું થશે … શું આનંદીબેનને જવું પડશે … આર એસ એસ માં તડાં પડશે … શું બીજેપી આ આંદોલનના જુવાળમાં ડૂબી જશે… શું બીજેપીનું કાઉન્ટ ડાઉન ચાલું થઈ ગયું છે … નરેન્દ્ર મોદીનું નાક કપાયું … બીજેપી હતઃપ્રભઃ છે … બીજેપીના નેતાઓને મોઢે તાળાં છે… હવે પટેલભાઈઓ આગળ તેમની ખેર નથી. હવે પટેલભાઈઓ બીજેપીના નેતાઓને ઉઘાડા કરશે…. બીજેપીની પોલો ખૂલ્લી પડશે … વિકાસના ફુગ્ગાની વાત કેવી પોલંપોલ છે તેની જનતાને ખબર પડશે. 

ફુગ્ગાઓ ઉડાડવાની ફાવટ

સમાચાર માધ્યમોને આવા ફુગ્ગાઓ ઉડાડવામાં ફાવટ છે. આ બધું તેઓ નહેરુવીયન ફરજંદ ઇન્દિરા ગાંધી (કે જેના સલાહકાર સીમાપારના કેજીબી સામ્યવાદીઓ હતા) પાસેથી શિખેલા કે અફવાઓ, વિસંવાદો અને અસત્યોને કેવી રીતે ફેલાવી શકાય. વિરોધીઓને મુક્કાઓ કેવી રીતે મારી શકાય છે.

અમરીતભાઈ પાસે કામ લઈને આવેલા મુલાકાતીને અમરીતભાઈએ કહ્યું “મેં તમને પૈસા આપ્યા. તમે મને મત આપ્યો. હું ચૂંટાયો. વાત પુરી. હિસાબ પુરો. મારી પાસે કામ માટે આવવું નહીં.” આજની ઘડી ને કાલનો દિ….

“અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી ચીને કબજે કરેલા ભારતીય ભૂખંડો અમે પાછા મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં.” સંસદમધ્યે નહેરુ ઉવાચ.

આજની ઘડીને કાલનો દિ…

તેમિ માનવરાક્ષસા પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે,

યે તુ ઘ્નન્તિ નિરર્થકં પરહિતં, તે કે ન જાનિમહે

આ શ્લોકનો અર્થ સમજતાં પહેલાં આપણે સમાચાર માધ્યમના સંચાલકો શું કહે છે તે સાંભળીએ.

સમાચાર માધ્યમના સંચાલકો એમ કહે છે કે અમે “પેઈડ” સમાચાર છાપતા નથી. જો તમે સાબિતી આપશો તો અમે તમને ઈનામ આપીશું.

પણ તમે જુઓ. “હાથ કંગન કો આરસી ક્યા”. સમાચારોના શિર્ષકો અને કથાઓ જ તમને કહી દે કે સમાચારોના માલિકોની માનસિકતા કેવી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આવા શિર્ષકો અને કથાબંધોની સંરચના કરવા માટે પૈસા લીધા છે કે નહીં?

જો તેમનો ઉત્તર “હા” હોય તો તે તેમનો સ્વાર્થ થયો. તેથી ઉપરના શ્લોકની પહેલી કડી તેમને લાગુ પડે છે કે “જેઓ પોતાના સ્વાર્થ માટે બીજાનું (દેશનું) અહિત કરે છે તેઓ માનવરાક્ષસો છે.

જો તેમનો ઉત્તર “ના” હોય તો, એવો અર્થ થયો કે તેમણે નિરર્થક જ દેશનું અહિત કર્યું. ઉપરના શ્લોકની બીજી કડી એમ કહે છે “જેઓ નિરર્થક જ બીજાના (દેશના) હિતને હાનિ કરે છે તેઓ (તો રાક્ષસથી પણ બદતર છે અને તેમના માટે કયો શબ્દ વાપરવો તે) અમે જાણતા નથી. કોઈ કહેશે કે આમાં દેશના હિતની કે અહિતની વાત ક્યાં આવી?

અરે ભાઈ આ તો તમે “સીતાનું હરણ તો થયું પણ હરણની સીતા થઈ કે નહીં” તેના જેવી કરી. જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો અને તેમ કરવામાં પોતાની નાદુરસ્ત તબિયતનો પણ ખ્યાલ ન કર્યો. આજે એજ સરદાર પટેલના ફરજંદો પોતાના વંશીયલાભ માટે બસો સળગાવે છે, બસસ્ટેંડો તોડે છે, રેલ્વે ટ્રેનો બંધ કરે છે … રેલ્વેના પાટાઓ ઉખેડી નાખે છે,  દુકાન બંધ કરાવે છે, વાહનવ્યવહાર બંધ કરાવે છે.. શું નથી કરતા તે પૂછો…

આંદોલન, ફક્ત સમગ્રદેશના હિત માટે હોઈ શકે.

ગાંધી-સરદારે જે આંદોલનો કરેલા તે જનતાના વિશાળ હિત માટે કરેલા. મીઠાના સત્યાગ્રહ માટે અમદાવાદથી દાંડી સુધીની દાંડી કૂચ કરેલી જેથી જનતાને કરમૂક્તિ વાળું મીઠું મળે અને સમગ્ર ભારતની જનતા મીઠાવાળી થાય.

આ બલૂનોના નેતાઓની બધી જ વાતો, ગાંધી-સરદારથી ઉંધી છે. તેમની માગ, જાતિવાદી જ નહીં પણ તેમની માગની આડઅસરો જનતાને વિભાજિત કરે છે અને વર્ગવિગ્રહ કરાવે છે.  તેથી જ તેમની દાંડી યાત્રા પણ ઉંધી દિશાની છે.

લોકશાહીમાં જો અન્યાય થતો હોય તો તેને માટે ન્યાયાલય છે.

મહાત્મા ગાંધી કહેતા હતા કે સમાચાર પત્રો (માધ્યમોનું) કામ જનતાને કેળવવાનું છે. સમાચાર માધ્યમો કબુલ કરે કે ન કરે પણ તેઓ સહુ બિકાઉ છે અને “વેચાઈ ગયેલો માલ છે”.

અખબારી મૂર્ધન્યો

સમાચાર માધ્યમોના મૂર્ધન્યોનું શું છે? એટલે કે કટારીયા લેખકો અને ચર્ચા ચલાવતા એંકરોનું શું છે? બલૂનોના આંદોલનમાં તેમના પ્રતિભાવો કેવા છે?

આ આંદોલન ગુણવત્તા હીન છે. તેમાં કોઈને શક ન હોવો જોઇએ. આ આંદોલનને કમનસીબ ગણવું જોઇએ. પટેલ જેવા પ્રતિષ્ઠિત સમાજ ઉપર લાંબા ગાળા સુધી ન ભૂંસાય તેવો એક કાળો ડાઘ લાગી ગયો છે. પણ બધા મૂર્ધન્યો આ આંદોલનને તેના સુયોગ્ય સંદર્ભમાં મુલવતા નથી. કેટલાક મૂર્ધન્યો તેમના પ્રતિભાવ અને મુલવણીમાં તેમના પૂર્વગ્રહોનું મિશ્રણ કરે છે. એક ભાઈશ્રીએ પટેલોનો ૧૦૦૦૦ થી માંડીને આજ સુધીનો ઇતિહાસ લખ્યો. અને પટેલોને બિરદાવ્યા. બીજા એક વિદ્વાન ગ્રામસ્વરાજ્ય મિત્રે યેન કેન પ્રકારેણ સરસ્વતી દેવીને પણ સમજવામાં મુંઝવણ થાય તે રીતે શબ્દોનો ગુંચવાડો ઉભો કરીને નરેન્દ્ર મોદી, બીજેપી અને આરએસએસને ગોદા માર્યા.

નરેન્દ્ર મોદી અને બીજેપીની વિરુદ્ધમાં હવા ચલાવવી એ તો અમુક લોકોનો શોખ છે. આરએસએસ પાસે બીજેપીનો રીમોટ કન્ટ્રોલ છે. અફવા ચલાવવી એ ફેશન છે. શૌક ભી કોઈ ચીજ હૈ ભાઈ!! જો આવા શોખ રાખીશું તો જ બીજેપીના સારા કામોની વાતો માટે સમાચાર માધ્યમોમાં સમય બચશે જ નહીં. અને બીજેપી વિષે નકારાત્મક હવા ફેલાવવાનું આપણું લક્ષ્ય સિદ્ધ થશે. ભલેને મોદી ગમે તેટલો વિકાસ કરે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ અનામત, આરક્ષણ, પટેલ, પાટીદાર, બલૂન, પતંગ, પછાત વર્ગ, મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર, નહેરુ, નહેરુવીયન ફરજંદ, વંશવાદ, માગ, આંદોલન, સ્વ, મૂર્ધન્યો, સમાચાર માધ્યમ,

ચમત્કૃતિઃ ઈદી અમીન કહેતો હતો કે હિટલર બહુ ક્રૂર હતો. માણસોને મારી નાખતો હતો. મારીને તેમને ખાતો પણ ન હતો. ખાલી ખાલી જ મારતો હતો. તમે જેને ખાતા નથી તેને ખાલી ખાલી મારવાનો શું અર્થ? આ તો નરી ક્રૂરતા જ કહેવાય.  નહેરુવીયનો માટે પણ આવું કહી શકાય.

Read Full Post »

શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ

ઈતિહાસના કેટલાક પ્રકરણો એવા હોય છે જે હજારો વર્ષસુધીમાં પણ ન ભૂંસી શકાય. અલબત્ત જો તે વંશીય શાસકોનું શાસન ચાલુ રહે તો તે શાસકો જરુર તે પ્રકરણોને ભૂંસી નાખવાની કોશિસ કરે.   પ્રજા જો મૂર્ખ હોય તો હોય તો તે વંશીય શાસકોને આ પ્રકરણો ભૂંસી નાખવામાં સરળતા પણ રહે. હાજી લોકશાહીમાં પણ આવું થઈ શકે.

જેઓ સુજ્ઞ છે અને જેઓને સત્તાની ઝંખના નથી અને જેઓને ખ્યાતિની ભૂખ નથી અને જેઓને પોતાના અસ્તિત્વની પડી નથી તેઓ જો જાતના ગુણધર્મો પ્રતિ આદર ધરાવતા હોય અને તેવી તેમની દીશા હોય, તો તેઓએ કદી આ નહેરુવીયન આતંકવાદ ભૂલવો ન જોઇએ.

હાજી. નહેરુવંશીય એક ફરજંદે પોતાની ગેરકાયદેસર સત્તા ચાલુ રાખવા દેશ ઉપર કટોકટી લાદેલી. તેની આ વાત છે.

કટોકટીમાં શું હતું?

આ કટોકટીમાં આ નહેરુવીયન ફરજંદે પોતાની વિરુદ્ધ જે કંઈ હોય, પછી તે વિરોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય કે તે વિરોધ મનમાની શંકા માત્રના આધારે  હોય તેવા વિરોધી સમાચારો માત્રને પ્રગટ થતા અટકાવી શકાતા હતા. જો કોઈ છાપાં આવા વિરોધી લાગે તેવા સમાચાર છાપે તો તેના પ્રેસને તાળા મારી શકાતા હતા અને તે વ્યક્તિઓને અનિયતકાળ માટે જેલમાં રાખવામાં આવતી હતી.

જેઓ કટોકટીમાં ટટાર ઉભા રહ્યા અને માથું ઉંચું રાખ્યું તેમની પ્રત્યે આ નહેરુવીયન ફરજંદના સેવકોએ આ નહેરુવીયન ફરજંદના પુરસ્કૃત આજ્ઞાઓને આધારે આતંકીઓને શોભે તેવા વર્તનો કરેલાં.

સર્વોદયનું મુખપત્ર “ભૂમિ પૂત્ર”ના પ્રેસને તાળાં લાગી ગયાં હતાં અને તેના સંપાદક તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ જેલમાં શોભતા હતા.

“ઓપીનીયન” ના તંત્રી સંપાદક ગોરવાલાના પણ ક્રમે ક્રમે એવા જ હાલ કરેલા.

રોજીંદા છાપાંના તંત્રી, માલિકો અને કટારીયાઓએ (કટાર લેખકોએ) શું કર્યું?

 

“સેન્સર થયેલા સમાચારોની જગ્યા કોરી રાખો” એક સૂચન

જૂજ માલિકો અને કેટલાક તેમની સાથે સંકળાયેલા હતા તેમણે સૂચવ્યું કે સમાચારો જે કંઈ છપાવવા માટે આવે છે તે સૌપ્રથમ તો આ નહેરુવીયન ફરજંદે નિમેલા સેવકોની ચકાસણી અને મંજુરી પછી જ છપાય છે માટે આપણે ટકી રહેવા માટે એવું કરીએ કે જે સમાચારોને મંજુર ન કરવામાં આવ્યા, તે સમાચારો છાપાંમાં જે જગ્યા રોકવાના હતા, તે જગ્યા આપણે કોરી રાખવી. આવું કરવાથી કમસે કમ જનતાને ખબર પડશે કે કેટલા સમાચારોનો અને કેટલા લખાણોનો જત્થો રોકવામાં આવ્યો છે.

પણ આવી વર્તણુંકનો અર્થ એવો કરવામાં આવ્યો કે આ તો નહેરુવીયન ફરજંદની પરોક્ષ નિંદા થઈ કહેવાય. એટલે દેશની પણ નિંદા થઈ કહેવાય, એટલે દેશદ્રોહ પણ થયો કહેવાય. એટલે આવું કરનારા તો જેલમાં જ શોભે. અમે તો દેશની ભલાઈ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી સેન્સર શીપ સમાચાર અટકાવે છે એવો સંદેશ પણ જનતામાં જવો જ ન જોઇએ. સરકારની કોઈપણ વાત નકારાત્મક છે તે ઈન્દીરામાઈનું અપમાન છે. અને ઈન્દીરામાઈનું અપમાન એટલે દેશનું અપમાન. ઈતિ સિદ્ધમ્‌.

નમવાનું કહો છો? અમે તો તમારા પગમાં આળોટવા માંડ્યા છીએ.

મોટાભાગના સમાચાર પત્રોના માલિકો, તંત્રીઓ, સંપાદકો અને કટાર લેખકોને ખબર પડી ગઈ કે સરકાર માબાપ નમવાનું કહે છે. એટલે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયા એટલું જ નહીં સરકારની ભાટાઈ અને વિપક્ષી નેતાઓની નિંદા કરતા થઈ ગયા. અરે આ બાબતમાં સ્પર્ધા કરતા પણ થઈ ગયા. 

અફવાઓ ફેલાવવાનો સરકારનો અબાધિત હક્કઃ

દેશદ્રોહીઓને અમે પકડ્યા છે. કાળાબજારીયાઓને અમે પકડ્યા છે, ચોરોને અમે પકડ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરનારાઓને અમે પકડ્યા છે. ગરીબોને અમે પાકા રહેઠાણો આપી દીધા છે, રેલગાડીઓ નિયમિત દોડતી કરી દીધી છે, મોંઘવારીનું નામ નિશાન નથી, જનતા ખુશહાલ છે. બધે આનંદ મંગળ છે. જે કોઈ કર્મચારીની સામે ફરિયાદ આવે તેને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે સરકારી કર્મચારીઓમાં લાંચરુશ્વત નાબુદ થઈ ગઈ છે. સૌ કોઈ નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી થઈ ગયા છે. બધે કાયદાનું શાસન છે.

એક વયોવૃદ્ધ નેતા (મોરારજી દેસાઈ)ની પાછળ તેની (આદતને પોષવા માટે) રોજ વીસ કીલોગ્રામ ફળો આપાય છે.

એક પોતાને સર્વોદયવાદી ગણાવતો નેતા (જયપ્રકાશ નારાયણ) લશ્કરને બળવો કરવા ઉશ્કેરતો હતો.

એક વયોવૃદ્ધ સર્વોદયવાદી નેતાના (રવિશંકર મહારાજના) ઘરમાં સ્ફોટક પદાર્થોનો જત્થો રખાયો હતો. જોકે અમે તેને તેની ઉંમરને લક્ષ્યમાં લઈ પકડ્યો નથી (ઘરકેદમાં રાખ્યો છે).

અમારું ધ્યેય (ઈન્દીરાઈ સરકારનું ધ્યેય) “સબસે નમ્ર વ્યવહાર” (કામ જેલમાં પુરવાનું).

વિનોબા ભાવે કામકરતી સરકાર ઉપર ગૌવધબંધીને લગતો કાયદો ઘડવાની ભલામણ કરી રહ્યા છે અને આ માટે આમરણાંત ઉપવાસની ધમકી આપી રહ્યા છે. વિનોબાભાવેએ સુધબુધ ગુમાવી દીધી છે. શું આ “અનુશાસન પર્વ” રુપી દેશની કટોકટીના સમયે આવી ક્ષુલ્લક વાતો કરવી તેમને શોભે છે? જોકે કોઈ પણ સમાચારપત્રમાં વિનોબા ભાવેએ કરેલી ઉપરોક્ત વાત આવી ન હતી. પણ નહેરુવીયન કોંગ્રેસના કોઈ એક નેતાએ વિનોબા ભાવેની ટીકા કરી એને તો સેન્સર કરી ન જ શકાય એ આધારે સરકારી સેવકે સમાચાર છપાવા દીધા.

સૌથી મોટું કૌભાણ્ડ અને ફ્રૉડ એટલે કટોકટી

૧૯૭૫ની ૨૫મી જુને, ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી અને તે માટે કયા કારણો હતા અને કયા કારણો પ્રસારિત કરવામાં આવ્યા તે ઉપર પુસ્તકો લખાયા છે કે નહીં તે વિષે બહુ ચર્ચા થતી નથી.

કટોકટી લાદવાની આખી પ્રક્રિયા, તેની જાહેરાત, તેના કારણો, તેના આચારો અને અત્યાચારો, માન્યતાઓ એક શિલા લિખિત આતંકવાદ જ નહીં પણ જનતા ઉપર સતત લટકતી આતંકવાદી સરકારી ધમકી હતી.

ઈન્દીરા ગાંધીની સરકાર એક સુસ્થાપિત લગભગ સાર્વત્રિક રીતે વ્યાપક (એક બે અપવાદિત રાજ્યોને બાદ કરતાં) સરકાર હતી, ઈન્દીરા ગાંધીએ ખુદ એવા મંત્રી, મુખ્યમંત્રીઓ નિયુક્ત કરેલા કે જે હાજી હા કરવા વાળા હોય. કેન્દ્રમાં, રાજસભા તથા લોકસભામાં ઈન્દીરાઈ નહેરુવીયન કોંગ્રેસને માત્ર બહુમતી નહીં પણ સંપૂર્ણ બહુમતિ (બે તૃતીયાંશ બહુમતિથી પણ વિશેષ) હતી.

ઈન્દીરા ગાંધીનો કારભાર જ અરાજકતા ભર્યો હતો એટલે તેનો અસલ ચહેરો ૧૯૭૩થી જ ખુલવા માંડ્યો હતો. ગુજરાતમાં ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુ-ઈન્દીરાઈ કોંગ્રેસને ૧૬૨ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો મળી. ચિમનભાઈ પટેલને બહુમતિ સભ્યોનો સપોર્ટ હતો. પણ ઈન્દીરા ગાંધીને તો હાજી હા કરનારા જ મુખ્ય મંત્રી જોઇએ. એટલે ચિમનભાઈને બદલે ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. ચિમન ભાઈએ તેમની રીતે લડત આપી અને ધરાર ઈન્દીરાગાંધીની ઈચ્છાની ઉપરવટ જઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

બે રાક્ષસો એક બીજા સામે લડે તો બંને નબળા પડે. અરાજકતા હોય એટલે કારણો શોધવા ન પડે. એટલે નવનિર્માણ આંદોલન થયું અને વિધાનસભાનું વિસર્જન થયું. ૧૯૭૫માં બાબુભાઈ જશભાઈએ પાતળી બહુમતિ વાળી જનતા મોરચાની સરકાર બનાવી. બીજીબાજુ ઈન્દીરા ગાંધી જે કશા નીતિ નિયમો વ્યવહારમાં માનતી ન હોવાથી, તેની ચૂંટણી અલ્હાબાદ ઉચ્ચાદાલતે રદબાતલ કરી. અને ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી.

જોકે ઈન્દીરા ગાંધીમાં યોગ્યતા, કાબેલીયત અને નિષ્ઠા હોત તો તે દેશની ભલાઈ માટે ચમત્કાર સર્જી શક્યાં હોત. પણ તેમને સંસદમાં અને રાજ્યોમાં સંપૂર્ણ બહુમતિ, નિર્વિરોધ નેતાગીરી ઓછાં પડ્યાં. એટલે લોકશાહીનું ખુન કર્યું અને આપખુદ શાહી લાદી અને સૌ વિરોધીઓને જ નહીં પણ તેમના લાગતા વળગતાનેય વિના વાંકે જેલ ભેગા કર્યા અને સમાચાર પત્રો ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો અને રેડીયો ઉપર સરકારી વાહવાહ, વાહ ભાઈ વાહ અને વિરોધીઓ ઉપર થૂથૂ ચાલુ કર્યું.

અત્યારે ઢ’વાળીયા જેવા, તેમના મળતીયાઓ, કોંગી જનો અને જેમને નરેન્દ્ર મોદી પોતાના આગવા કારણોસર પસંદ નથી, તેઓ નરેન્દ્ર મોદીને આપખુદ, સરમુખત્યાર અને સત્તા લાલચુ કહે છે આ લોકોમાંના કોઈપણ કટોકટી વખતે ભાંખોડીયા ભરતા ન હતા અને અથવા કટોકટીના ઇતિહાસથી અજ્ઞાન નથી, છતાં પણ કટોકટીના આતંકવાદની નિંદા કરવાનું ટાળે છે.

કટોકટી એ સરકારી આતંકવાદ હતોઃ

આતંકવાદ એટલે શું?

તમે મનુષ્યને તેના બંધારણીય હક્કો ન ભોગવવા દો તેને શું આતંકવાદ ન કહેવાય? જો કાશ્મિરના હિંદુઓને તેમના ખુદના કોઈ ગુના વગર, તેમના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી નાખો તો આ કૃત્ય ને આતંક વાદી કૃત્ય કહેવાય કે ન કહેવાય?

તમે કોઈ મનુષ્યને તેના કોઈ ગુનાના અસ્તિત્વ વગર જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય  કહેવાય કે નહીં?

જો તમે કોઈ બિમાર વ્યક્તિ કે જેનો ઉપચાર ચાલતો હોય તેને જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જો કોઈ બિમાર વ્યક્તિની બિમારીને અવગણીને તમે તેને મરણતોલ કક્ષાએ પહોંચાડો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?

જે વ્યક્તિનું આતંકવાદીઓ અપહરણ કરે છે તેને તેઓ વાણીસ્વાતંત્ર્ય આપે છે? શું આતંકવાદીઓ અપહૃત વ્યક્તિને પોતાની માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે?

જો સરકાર જ આવું બધું કરે તો તેને શા માટે આતંકવાદી ન કહી શકાય?

મનુષ્યના કુદરતી અને બંધારણીય અધિકારોનું હનન જો આતંકવાદીઓ કરતા હોય અને તેને તમે આ કારણસર આતંકવાદી ઘોષિત કરતા હો તો, જો સરકાર જ આવાં કામો કરે તો તેને શામાટે આતંકવાદી ન કહેવાય?

શું ધર્મને નામે જ અત્યાચાર કરીએ તેને જ આતંકવાદ કહેવાય?

નહેરુવીયન કોંગ્રેસનું અર્થઘટન એવું જ રહ્યું છે કે જો કોમી દંગાઓ થાય તો ભારતમાં તેને ભગવા આતંકવાદમાં ખપાવી દેવામાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો. તેવી જ રીતે જ્ઞાતિવાદી સંઘર્ષો પણ કરાવવા. જ્ઞાતિવાદ, ધંધા, ધર્મ, પ્રદેશ, ભાષા વિગેરે દ્વારા માનવસમાજ વિભાજીત છે અને આ વિભાજીત લોકોને એક બીજા સામે તિરસ્કાર ઉત્પન્ન કરાવવો અને નબળાને નબળો રાખવા માટે પ્રયુક્તિઓ કરવી અને અંદરખાને થી સબળાને સબળો બનાવવો. આવી જ વ્યુહરચના નહેરુવીયન કોંગ્રેસની રહી છે. ઉપરોક્ત બધા જ જુથો પછી ભલે તે જ્ઞાતિને અધારે બનેલા હોય કે, ધંધાને આધારે બનેલા હોય, ધર્મને અધારે બનેલા હોય, પ્રદેશને આધારે બનેલા હોય, ભાષાને આધારે બનેલા હોય કે રાજકીય પક્ષને આધારે બનેલા હોય. આમ તો માનવના જ બનેલા છે. અને તેઓમાંના કોઈપણ જુથમાં રહેલા માનવોના કુદરતી કે બંધારણીય હક્કોનું જો કોઈપણ બીજા જુથદ્વારા હનન કરવામાં આવે તો તે આતંકવાદ જ કહેવાય. અને આ પ્રમાણે નહેરુવીયન કોંગ્રેસે તેમના વિરોધીઓના કુદરતી અને બંધારણીય માનવ અધિકારોનું હનન કરી ૧૯૭૫થી ૧૯૭૮સુધી આતંકવાદ આચરેલો. આતંકવાદ અક્ષમ્ય જ ગણાય.

આપણા અખબારી મૂર્ધન્યો શું કરે છે?

પોતાને વિષે પોતાને “તડ અને ફડ” કહેનારા માનતા એક અખબારી મૂર્ધન્ય શું કહેછે?  કટોકટી ના સમયમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસો દોરડાના છેડાઓ પકડી લાલ-લીલી લાઈટ અનુસાર ટ્રાફિકનું સંચાલન કરતા જોઇ, આ મૂર્ધન્યભાઈ ગદગદ થઈ ગયેલ. અને કટોકટીને બિરદાવેલ.

એક કટારીયા મૂર્ધન્ય એવું લખતા કે તમે તેમના વાક્યોનું વિભાજન કરીને પણ કશો અર્થ ન તારવી શકો.

કેટલાક કટારીયા મૂર્ધન્યોએ રાજકારણને છોડીને કાંદા બટેકાને લગતા લેખો લખવા માંડેલ. સાલુ કટાર પણ એક જાગીર જ છે ને. તેનો કબજો હોવો જ મુખ્ય વસ્તુ છે.

મોટાભાગના કટારીયા મૂર્ધન્યોને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે સાલુ આપણે અત્યાર સુધી શિર્ષાસન કરતા હતા. આપણે હવે સીધા થઈએ. ઈન્દીરા માઈ જ ખરી દેવી છે. તેના ગુણગાન જ કરો.

૧૯૭૬-૭૭ સમયે કરવટ બદલી.

સંપૂર્ણ બહુમતી, નિર્વિરોધ નેતાગીરી, અંતે આપખુદશાહી અને સરકારી આતંકવાદ પણ (જે દેશના ભલા માટે ઘોષિત રીતે પ્રયોજાયેલા), તે કશું કામમાં ન આવ્યું. સમાચાર માધ્યમોએ કરેલી માત્ર અને માત્ર એક તરફી, ઈન્દીરાઈ પ્રગતિ વિષેની ભાટાઈ પણ કામમાં ન આવી. જનતાએ જે પ્રત્યક્ષ જોયું તેને જ પ્રમાણભૂત માન્યું અને સ્વિકાર્યું. કટોકટીનો આતંકવાદ તેના ભારથી જ તૂટી ગયો.

૧૯૭૭માં ચૂંટણી આપવી પડી. નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસનો ઘોર પરાજય થયો. દહીંદૂધીયા, “જિસકે તડમેં લડ્ડુ ઉસમેં હમ” જેવા, અને ડરપોક એવા યશવંતરાવ જેવા નેતાઓ ઈન્દીરાને છોડી ગયા.

“લોકશાહી હોય તો બધા દુરાચારો અમને ખપે” મૂર્ધન્યો બોલ્યા

મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટીની સુચારુ રુપે કામકરતી સરકાર ટકી નહીં. ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં રાજકીય અનીતિમત્તા, નાણાંકીય અનીતિમત્તા, વફાદારી અને જ્ઞાતિવાદી વિભાજન અધમ કક્ષા હતું અને હજી છે.

એટલે નહેરુવીયન કોંગ્રેસ આ અનીતિવાદી સમીકરણો થી હજુ પણ શાસન કરે છે. જ્યાં સુધી મૂર્ધન્યો શિક્ષિત બનશે નહીં ત્યાં સુધી આપણા દેશ ઉપર આ એક સમયે અપ્રચ્છન્ન રીતે આતંકવાદી બનેલી નહેરુવીયન કોંગ્રેસ અને અત્યારની પ્રચ્છન્ન આતંકવાદી સરકાર તરીકે શાસન કરશે.

નહેરુવંશીઓ કોઈને છોડતા નથી

આ નહેરુવીયન કોંગી નેતાઓ કોઈ એક બાજપાઈ નામના વ્યક્તિએ ૧૯૪૨ની ચળવળ વખતે સરકારની માફી માગીને જેલ માંથી છૂટકારો મેળવેલ, તેને અટલ બિહારી બાજપાઈ તરીકે ખપાવી ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીસુધી અને તે પછી પણ યાદ કરીને બાજપાઈ અને બીજેપીની બદબોઈ કરતા હતા.

૨૦૦૨માં નહેરુવીયન કોંગ્રેસના ગોધરાના એક સ્થાનિક મુસ્લિમ નેતાની આગેવાની હેઠળ સાબરમતી એક્સપ્રેસના હિન્દુયાત્રીઓને ડબા સહિત જીવતા બાળી દીધેલ. આના બચાવમાં નહેરુવીયન કોંગી આગેવાનોએ કહેલ કે “એ તો નરેન્દ્ર મોદીએ એમ કહીને મુસ્લિમભાઈઓને ઉશ્કેરેલ કે “અમારા બીજેપીના રાજમાં હિન્દુ મુસ્લિમ દંગાઓ થતા બંધ થઈ ગયા છે. આવું  કહેવાતું હશે?”

તેમજ આજ નહેરુવીયન કોંગીના નેતાઓ, તેમના મળતીયાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ઉપરોક્ત બનાવની પ્રતિક્રિયાના ભાગ રુપે ફાટી નિકળેલ તોફાનો પર રાજકીય રોટલો શેકવા માટે નરેન્દ્ર મોદીને આજની તારીખ સુધી વગોવ્યા કરે છે અને કોમવાદને સક્રીય રાખવાની કોશિસ કર્યા કરે છે.

બીજેપીના નેતાઓ અને અખબારી મૂર્ધન્યો શામાટે નહેરુવંશીય ઈન્દીરાઈ કટોકટીને યાદ કરતા નથી? આ કટોકટી તો ભારતના ઈતિહાસનું અને ભારતના ગૌરવને લાંછન અપાવે તેવું એક સૌથી કાળું પ્રકરણ હતું. શાસકે આચરેલો નગ્ન આતંકવાદ હતો. તો પણ તેને કેમ ભૂલી જવાય છે?

દંભીઓ શું કહે છે?

નહેરુવીયન કોંગી નેતાઓ, મહાનુભાવો, અખબારી મૂર્ધન્યો જેઓ વાસ્તવમાં પ્રચ્છન્ન રીતે નહેરુવીયન કોંગ્રેસના હિતેચ્છુઓ છે અથવા તો તટસ્થતાનો ઘમંડ ધરાવે છે તેમની દલીલો કંઈક આવી છે.

નહેરુવીયન કોંગીના નેતાઓઃ “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્ય તરફ જુઓ.” (ડાકુઓ આવું કહેતો તેને દેશની ધૂરા આપી દેશો શું? કાયદામાં આવી જોગવાઈ છે?)

યશવંતરાવ ચવાણ અને તેમના ચેલકાઓ જેઓ અત્યારે એનસીપીને શોભાવી રહ્યા છે તેઓ આમ કહે છે. કટોકટીને ભૂલી જાવ. અમે ભૂલ કરી હતી અને તેના ફળ પણ મેળવી લીધા છે. બસ વાત પુરી. (ડાકુ ચૂંટણી હારી ગયો એટલે તેને સજા મળી ગઈ. વાત પુરી.)

હુસેન ચિત્રકારઃ કટોકટી એક છીંક હતી. હવે બધું સામાન્ય છે. કટોકટીની વાતને એક છીંકની જેમ ભૂલી જાઓ. (જે રાક્ષસી છીંકે હજારો લોકોના કુટુંબીઓને યાતના ગ્રસ્ત કર્યા તેને ભૂલી જાઓ એમ જ ને?)

બચ્ચન (હિન્દીના ખ્યાતનામ કવિ); “ અમારે તો નહેરુ સાથે કૌટુંબિક સંબંધ છે” (ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ એતો એમના માટે પોથીમાંના રીંગણા છે)

કેટલાક સર્વોદય બંધુઓઃ સારું સારું યાદ કરો અને ખરાબ વાતો ભૂલી જાવ. (શેતાન એના પાપો ચાલુ રાખે તો તમે શું કરશો? નરેન્દ્ર મોદીનું પણ સારું સારું જુઓને તો પછી…)

કેટલાક સર્વોદય નેતાઓઃ (મનમાં) આ બીજેપી વાળા તો અમારો ભાવ પણ નથી પૂછતા તો લોકોની નજરમાં ટકી રહેવા માટે અને કંઈક કરી રહ્યા છીએ એવું બતાવવા માટે અમારે નહેરુવીયન કોંગ્રેસને સાથ આપ્યા વગર છૂટકો નથી. હવે ક્યાં કટોકટી છે?

તડફડવાળા મૂર્ધન્યઃ બાઈ જોરદાર હતી.

જો બાઈ જોરદાર હતી તો તે પક્ષ માટે જોરદાર હતી. વહીવટમાં અને દેશ હિત માટે નહીં. એમ તો નરેન્દ્ર ભાઈ પણ જોરદાર છે જ ને. અને નરેન્દ્રભાઈનો તો કોઈ રેકોર્ડેડ ગુનો પણ નથી. તેમને વિષે તો બધું ધારણાઓના આધારે (હાઇપોથેટીકલ) છે. હાઈપોથેટીકલી તમે કોઈને ગુનેગાર ઠેરવી ન શકો અને તેની બુરાઈ પણ ન કરી શકો.

“આસપાસ”વાળા કટારીયાઃ ઈન્દીરા ગાંધીએ તો કટોકટી બદલ ઘરે ઘરે જઈને માફી માગેલી.

આસપાસ વાળા ભાઈ, તમે રામ ભરોસે બોલ્યા કરો છો. બકરીની ત્રણ ટાંગ જેવી વાત છે. કોણ જોવા ગયું છે? છાપામાં અને ઈન્દીયન ન્યુઝમાં તો એવી કોઈ વીડીયો જેવા મળી ન હતી, કે છાપામાં પણ એવા કોઈ ફોટા આવ્યા ન હતા. “જંગલમેં મોર નાચા કિસીને ના દેખા”.

મૂર્ધન્યોએ સમજવું જોઇએ કે જે સરકારી તપાસપંચ પ્રમાણે ફોજદારી ગુનેગાર છે તેની સજા માફી માગવાથી માફ થઈ જઈ શકતી નથી. કેસ તો ચલાવવો જ પડે.

માફી માગવાથી કયા કયા ગુનાઓ માફ થઈ શકે?

જે તમારા દૂરના પૂર્વજો કે જેને તમે જાણતા નથી તેમણે કરેલા ગુના તમે માફી માગીને કહી શકો કે અમે તેમના કૃત્યોથી શરમ અનુભવીએ છીએ . અમને માફ કરી દો.

પણ જે પૂર્વજોની તમને શરમ ન હોય, પણ ગર્વ હોય, તો તેના ગુનાઓ માફી માગવાથી પણ માફ ન થઈ શકે.

દા.ત. યુરોપીય પ્રજાએ અમેરિકાની રેડ ઈન્ડીયન પ્રજાની કત્લેઆમ કરેલી. તેમને આ કત્લેઆમની શરમ છે અને હાલની પ્રજાએ પ્રાયશ્ચિત રુપે રેડ ઈન્ડીયન પ્રજાને વિશેષ સવલતો આપી અને માફી પણ માગી.

બ્રીટીશ શાસકોએ જલીયાનવાલા બાગની ઘટના બાબતે હાલ શરમ અનુભવી અને માફી માગી. જોકે ભારતીય પ્રજાએ માફી આપી નથી.

કોને વિશ્વાસ પાત્ર માનેલા?

મમતા બેનર્જી જેણે પશ્ચિમ બંગાળમાં જયપ્રકાશનારાયણની લડતમાં પોતાનું યોગદાન આપેલું. અને જયપ્રકાશનારાયણની જીપ ના હુડ ઉપર નાચ કરેલો. લાલુ યાદવ, મુલાયમ, ચરણસીંગ,  નીતીશકુમાર, શરદ યાદવ, જનસંઘી નેતાઓ અને ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના,  વિગેરેના નેતાઓ પણ પૂરજોશથી સામેલ હતા.

ગાંધીજી અને જયપ્રકાશ નારાયણનું ધોતીયું

ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના કેટલાક પરોક્ષ રીતે તો કેટલાક પ્રત્યક્ષરીતે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

મમતા પોતાની સત્તા ખાતર નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે.

માયાવતી, લાલુપ્રસાદ, મુલાયમ, ચરણસીંગના સુપુત્ર પણ જરુર પડે નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે. કારણ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટથવાને કાબેલ છે.

નીતીશકુમાર પણ સત્તાનો સ્વાદ ચાખ્યા વિતંડાવાદ દ્વારા પોતે પોતાનો દંભ છૂપાવી શકે છે તેવું માનતા થઈ ગયા છે. નીતીશ કુમાર એવું માને છે કે દસ્તાવેજોદ્વારા સિદ્ધ થયેલો નહેરુવીયન પક્ષનો આતંકવાદ ને અસ્પૃષ્ય ન માનવો પણ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માનવો.

નીતીશકુમાર માને છે કે જો અડવાણી પોતેજ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માને છે તેવી હવા ચલાવાતી હોય તો રાજકીય નીતિમત્તા જાય ચૂલામાં. નીતીશકુમાર માને છે કે નરેન્દ્ર મોદી જેવો લોખંડી નેતા જો વડાપ્રધાન તરીકે આવી જશે તો આપણા જાતિવાદી વોટબેંકનું જે રાજકારણ આપણે છ દાયકાથી ચલાવીને જે કંઈ સુખડી ખાઈએ છીએ તેનો અંત આવી જશે. તેથી કરીને ટકી રહેવા માટે નરેન્દ્ર મોદી વિષે ફાવે તેમ ધારણાઓ વહેતી મુકો અને મોદીની બુરાઈ કરો.

જો સમાચાર માધ્યમોના ખેરખાંઓ જ નહેરુવંશીય રાજકીય આતંકવાદને ન સમજી શકતા હોય અને નરેન્દ્રમોદી-બીજેપીની ધારણાઓ ઉપર આધારિત અને કપોળ કલ્પિત બુરાઈઓ ફેલાવતા હોય તો આપણે પણ એ જ ફેશન અપનાવવી જોઇએ. આપણા ઉચ્ચારણોને પણ ચાર ચાંદ લાગશે.

જો જેએલ નહેરુ જેવા લીડરો સત્તા માટે ગાંધીજીનું ધોતીયું પકડીને આગળ આવ્યા હતા. તેમને સત્તા મળ્યા પછી, તેમણે ગાંધીજીના (સિંદ્ધાંતો રૂપી) ધોતીયાના લીરે લીરા ઉડાડી દીધા.

મમતા, મુલાયમ, લાલુ, નીતીશ, ચરણના સપુત વિગેરે પણ જયપ્રકાશ નારાયણનું ધોતીયું પકડીને આગળ આવેલા. અને હવે તેઓ પણ જયપ્રકાશ નારાયણના (રાજકીય નીતિમત્તાના સિદ્ધાંતો રુપી) ધોતીયાના લીરેલીરા ઉડાડી રહ્યા છે.

સિદ્ધાંત વિહોણાઓને ઓળખી લો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

નહેરુવંશી, ઈન્દીરા, કટોકટી, દંભ, ફ્રૉડ, વિરોધ, જેલ, સરકારી, અફવા, આતંકવાદ, અધિકાર, કટારીયા, મૂર્ધન્યો, જાગીર, સાષ્ટાંગ, દંડવત, નમન, શિર્ષાસન, ગાંધીજી, જયપ્રકાશ, ધોતીયું, લીરે લીરા

Read Full Post »

 

KHADI AND COTTAGE INDUSTRIES : SOLUTION OF ALL PROBLEMS

KHADI AND COTTAGE INDUSTRIES : SOLUTION OF ALL PROBLEMS

“આંધળાઓ અને હાથી”  બહુ જુની રમુજી વાર્તા છે. અને પુનરાવર્તનની જરુર નથી.

સ્વામી સચ્ચીદાનંદ નો અંધશ્રદ્ધા ઉપરનો પૂણ્ય પ્રકોપ પ્રસંશનીય છે.

પણ તેમની વાતો કંઈક અંશે આંધળાઓના હાથીના આકાર ઉપરના ખ્યાલો સાથે સરખાવી શકાય.

ભારતનું પછાતપણું એક હાથી છે.અને સુજ્ઞલોકો આંધળા ન હોવા છતાં પણ જાણે અજાણે આંધળાની જેમ વર્તે છે.
  
મહાત્મા ગાંધી શિવાય ભાગ્યેજ કોઈ ભારતના પછાતપણાના હાર્દને   ને સમજી શક્યું છે.
નિરક્ષરતા, બેકારી અને ગરીબાઈ એ પછાતપણા માટે કારણભૂત છે.
નિરક્ષરતા નાબુદ થશે તો મનુષ્યમાં કામકરવાની ક્ષમતા આવશે.
ગાંધીજીએ તે માટે ગૃહ ઉદ્યોગો અને ખાસ કરીને કાંતણ, વણાટ અને ખાદીને સ્વિકારવાની વાત કરેલી અને તેમાટે તેમણે નેટવર્ક પણ આપેલું.
  
જ્યારે ગાંધીજી સામે બદલતા વિશ્વની અને ટેક્નોલોજીના સંદર્ભમાં ખાદી કેટલી સુસંગત છે … એવી  વાતો આવતી ત્યારે તેમનો જવાબ હતો કે “મારી સામે મારા દેશના ગરીબ માણસો છે. તમે તેમના હાથને શું કામ આપી શકશો? જો હજારને રોજી આપીને તમે એકલાખને બેકાર કરી શકતા હો તો તે ટેક્નોલોજીમાં માનવીયપણું કેટલું?”.
  
ટૂંકમાં ગાંધીજીની વાત એપ્રોપ્રીએટ ટેક્નોલોજીની હતી.
મોટે ભાગે ગાંધીજીને યોગ્ય રીતે સમજવામાં આવતા નથી. અને તેમને યંત્રના વિરોધી તરીકે ચિત્રિત કરવામાં આવે છે. અને આમાં ભલભલા મૂર્ધન્યો અને મહારથીઓ સામેલ છે. મારા ખ્યાલ પ્રમાણે આચાર્ય રજનીશ અને સ્વામી સચ્ચીદાનંદ પણ સામેલ છે.
મોરારજી દેસાઈની સરકારે ખાદીને પ્રાથમિકતા આપવાની વાત કરેલી. અને સરકારી ઓફીસોમાં અને ગણવેશોમાં ખાદીને સ્વિકારવાના પરિપત્રો મોકલવામાં આવ્યા હતા.
ખાદીના ઉત્પાદનમાં અને વિતરણમાં વૃદ્ધિ થઇ હતી. પણ તે યોગ્ય રીતે સ્વિકૃત થઇ નહતી.
ઘણી ઓફીસોએ “અમે વિજાણુ ઉપકરણો વાપરીએ છીએ એટલે ખાદીના રેસાઓ અમારા ઉપકરણોને નુકશાન કરી શકે છે એટલે અમે તે પૂરતો ખાદીનો ઉપયોગ નહીં કરીએ અને મીલનું કાપડ વાપરીશું.” એવી ‘નોટ’ સાથે મીલનું કાપડ પડદા અને ગાઉન, એપ્રન માટે વાપરતા. (જો કે એક અધિકારીએ કહ્યું  કે હું ખાદીના કપડાં જ પહેરું છું અને બીજા કપડાં પહેરતો નથી. અને ખાદીમાં પણ પૉલી વસ્ત્ર આવે છે. તેનો જ એપ્રન પહેરીશ. અને તેને મૌખિક મંજુરી આપવામાં આવેલી.)
ઈન્દીરા ગાંધીની કોંગ્રેસના માણસો તો ખાદીમાં માનતાજ નથી. આરએસએસ વાળને મેં એમ કહેતા સંભળ્યા છે કે “ખાદીમાં હવે ‘ભાવના’ જ ક્યાં રહી છે.” હવે તેમનો આ ‘ભાવના’ શબ્દનો અર્થ તેઓ શું કરે છે અને તે તેમને ખાદી પહેરતાં કેવી રીતે રોકી શકે છે તે સંશોધનનો વિષય છે.
“એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં તમારે લોકોને રેંટીયો લઈને કાંતાવવું છે અને હાથશાળથી ખાદીનું કાપડ બનાવવું છે? તમે યાર કયા યુગમાં જીવો છો?”
આવું અને આવી મતલબનું સાંભળવા બહુ મળે છે. અને સચ્ચીદાનંદજી પણ આવું જ કહેછે.
પણ હવે જુઓ; ‘જ્યારે એસી ટ્રેનો દોડતી હોય, મર્સીડીસ ગાડીઓ ૧૫૦ કીલોમીટરની ઝડપે રસ્તો કાપતી હોય, દૂનિયામાં મેગ્નેટ ટ્રેનો ૩૦૦ કીલોમીટરની સ્પીડે દોડતી હોય, સુપરસોનિક જેટ આકાશમા ઉડતા હોય, માનવી ચંદ્ર ઉપર ડગલા ભરતો હોય, અને આકાશમાં રોકેટો ઉડતા હોય ત્યારે ભારતમાં અખૂટ કુદરતી સંપત્તિ હોય છતાં ૭૦ ટકા માણસો ગરીબીની રેખામાં કેમ જીવે છે?’

ઉપરોક્ત પરિસ્થિતી એ એક હકિકત છે અને ગરીબીનો તાત્કાલિક ઉપાય ખાદી જ છે. ખાદી પહેરવાથી એસી ટ્રેનો, મર્સીડીસ ગાડીઓની ઝડપ, કે આકાશમાં ઉડતા વિમાનો અને રૉકેટો તૂટી પડવાના નથી. તો પછી માણસોને બેકાર રાખી ભૂખે શામાટે મારો છો?
  
તમે દેશમાટે થોડું ખરબચડું અને ઓછી ફેશનવાળું કાપડ પહેરશો તો કંઈ મોટો ત્યાગ તો નહીં જ કર્યો ગણાય પણ જે કંઈ નાની સાદાઈ અપનાવી હશે તે દેશની બેકારીને દૂર કરિ શકશે.
પણ દંભી સેક્યુલારીસ્ટો કરતા ખાદીના અજ્ઞાતપણે વિરોધ કરનારાઓની વાચાળતા વધુ છે.
જ્યારે મોરારજી દેસાઈની સરકારે ખાદીનો વિસ્તાર કર્યો ત્યારે મીડીયા દ્વારા એવા લેખો પ્રગટ થવા માંડેલા કે જો બધા ખાદી પહેરશે તો મીલના કાપડનું શું થશે?  જોકે તેનો જવાબ હતો કે તે મીલના કાપડનો એક્ષ્પોર્ટ થશે અને હુંડીયામણ મળશે. તો સામે સવાલ થતો કે પણ આ હુંડીયામણના ભરાવાને તમે કરશો શું? હુંડીયામાણ કંઈ ખાવાની વસ્તુ છે?
વાસ્તવમાં ખાધેપીધે સુખી અને અર્ધદગ્ધ જ્ઞાતાઓ સમજે છે કે ગરીબી તો  ગરીબોને કોઠે પડી ગઇ છે. જેમ છે તેમ ચાલવા દો.
  
યાર! વસ્ત્રનું પણ મહત્વ છે. “પીતામ્બરં વિક્ષ્ય દદૌ સ્વ કન્યાં, ચર્માંબરં વિક્ષ્ય વિષઃ સમૂદ્રઃ” [સમુદ્રએ પીતાંબર જોઇને (વિષ્ણુને) પોતાની કન્યા આપી અને ચર્માંબરધારી (શિવ) ને વિષ આપ્યું.]
સાચેસાચ ગરીબોને ગરીબાઈ કેટલી ગોઠી ગઈ છે તે આપણે જાણતા નથી. તેઓ ગુન્હાહિત પ્રવૃત્તિમાં જલ્દી જોડાઈ શકે છે. અને રોજ હજારોની સંખ્યામાં ઉત્તરભારતમાંથી મનુષ્યો જીવતા રહેવામાટે ગુજરાતમાં અને મુંબઇમાં ઠલવાય છે અને સ્થાનિક કર્મીઓના વ્યવસાયમાં ભાગ પડાવે છે. અને શિવસેના અને એમએનએસ જેવા ને તો મતના રાજકારણમાં જ રસ હોવાથી, પરિસ્થીતિમાટે જવાબદાર કોંગીનેતાઓને ટીપવાને બદલે ઉત્તરભારતીયોને ટીપે છે. કોંગી જનોને કેમ ટીપાય? તેઓતો તેમના ભાઇઓ છે.
  
સિંહ અને કુતરામાં આ ફેર છે. સિંહને પત્થર મારો તો તે પત્થર મારનાર તરફ દોડશે. કુતરાને પત્થર મારશો તો તે પત્થર તરફ દોડશે.
બીજા મુર્ધન્યો, દેશમાં કોઈપણ જગ્યાએ જવાનો ભારતીય નાગરિકને હક્ક છે અને દેશપ્રેમની વાત કરનારાઓની  (શિવસેના અને એમએનએસ ની) સંકુચિતતા લાંછનને પાત્ર છે… વિગેરે વિગેરે… જેવી સુફીયાણી વાતો કરવામાંડે છે કારણકે તેમનો પોતાનો માખણસાથે નો રૉટલો સલામત છે.
મારા એક મિત્ર અને સહકર્મચારી શ્રી નલીનભાઇ સી. મોદી આ બધા લોકોને “ચોક્ખું ઘી” એ નામ થી ઓળખે છે.
  
આ બધા “ચોક્ખા ઘી” ને ભારતના ગરીબોની ગરીબાઈ, વ્યાપક અસંસ્કારિતા, કોંગી નેતાઓનું વોટનું રાજકારણ, કાયદાની અવગણના, સરકારી નોકરોની અનીતિના પૈસા કમાવાની વૃત્તિ વિગેરે વિગેરે સદી ગયું છે. તેથી તેઓ સમસ્યાઓનું સામાન્યી કરણ કરી આમ જનતા ઉપર દોષનો ટોપલો ઢોળી દેછે.
 
વાસ્તવમાં “ચોક્ખા ઘી” ને કશું મોળું ન ખપે. એક ગ્રામ પણ સુખ સાહ્યેબી ઓછી ન ખપે.
“ચોક્ખુ ઘી” ખાદી માટે તૈયાર નથી. “ચોક્ખું ઘી” મોટા પરિવર્તન માટે પણ તૈયાર નથી.
કોંગીને તો હેલમેટ માટે પણ વાંધો પડે છે.
લારી વાળાઓ લારીઓ ફેરવે, ગલ્લાવાળા ગલ્લા ચલાવે, ઝુંપડી વાળા ઝુંપડીમાં રહે, પાથરણાવાળા પાથરણા પાથરે, ઉકરડા ફેંદવાવાળી બાઈઓ કોથળા લઈને ભંગાર પ્લાસ્ટીક ભરે, અગરીયાઓ ખારાપાટમાં સડે, જંગલવાળા ભટકી ભટકીને જંગલની પેદાશો એકઠી કરીને સરકારી ઠેકેદારોના અને સરકારી નોકરોના ખીસ્સા ભરે અને જંગલની પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરે જેથી સુજ્ઞજનો ધરોહરની રક્ષાની વાતોના વડા કરી ગરીબોને ગરીબોની રક્ષા અને સંસ્કૃતિની અને પર્યાવરણની રક્ષા કર્યા નો ગર્વ લઈ શકે. વળી “ધા”, “તા” અને “તી” (“તી” એટલે અરુન્ધતી) દેવીઓને મીડીયામાં કવરેજ મળી શકે.
જો તમે આ ગરીબોને ભણાવશો અને ખાધે પીધે સુખી કરશો તો તેમની જંગલની સંસ્કૃતિનું  શું થશે? વનવાસીઓની, ફેરીયાઓની, મદારીઓની વિગેરે વિગેરે આપણી સંસ્કૃતિઓનું શું થશે? ભારતની ગ્રામ્ય સંસ્કૃતિનું શું થશે? માટે બધા ભલે અભણ અને ગરીબ રહે. પણ ઉપરોક્ત “ચોક્ખા ઘી”એ કદી આ ગરીબોને પૂછ્યું છે કે તેમને શું ગરીબ જ અને યાતનાભરી જીંદગી જ જીવવી છે?
 
પાથરણાવાળા, કચરો એકઠોકરવાવાળા, લારીવાળા, ગલ્લાવાળા વિગેરેનું ભવિષ્ય શું? તેમના સંતાનોના ભવિષ્યનું શું? તેમના વૃદ્ધત્વનું શું?
 
આ “ચોક્ખા ઘી” ને લાંબી, તત્વજ્ઞાનની વાતો કરવી ગમે છે, સામાન્યીકરણની વાતો કરવી ગમે છે, ગ્રામીણ સંસ્કૃતિના રક્ષણની વાતો કરવી ગમે છે. કારણકે તેમનો રૉટલો ચોક્ખા ઘી વાળો છે.
 
ખાદી કોઇને ગમતી નથી અને તેને સ્વિકારવી નથી. ગ્રામીણ સંસ્કૃતિને ટકાવવી છે. પોતાને પ્લેનમાં ઉડવું છે. પણ વનવાસીઓને, ગરીબોને અને ગ્રામીણ પ્રજાને સંસ્કૃતિના અને પર્યાવરણની ફોગટ વાતો કરી ગરીબ રાખવા છે.
 
પ્રજા જ્યારે ગાંધી માર્ગ ઉપર ચાલવા તૈયાર ન હોય તો નરેન્દ્ર મોદી ક્યાં સુધી રાહ જુએ?
 
તેથી કદાચ નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક વિકાસ અને ભણતર દ્વારા પ્રગતિ એ વાતને આગળ ધપાવી છે.
 
આ માર્ગ મહાત્મા ગાંધીના માર્ગ કરતાં લાંબો માર્ગ છે. પણ મહાત્મા ગાંધીનો માર્ગ જ્યારે કોંગી ને અને મૂર્ધન્યોને પસંદ જ ન હોય અને ૬૦ વર્ષને અંતે પણ તેઓ ”ગુ ગુ છી છી” કર્યા કરતા હોય  અને થોડાક હજાર ગરીબોને ૧૦૦ દિવસની મજુરીની રોજીની અબજોરુપીયાની જાહેરાતો આપી ને પોતાની પીઠ થાબડતા હોય અને ગર્વ લેતા હોય ત્યાં તમે મહાત્માગાંધીના માર્ગ ઉપર આ લોકો ચાલે તેની વધુ રાહ જોઈ ન શકો.
  
સારી નેતાગીરી કેટલી અસરકારક બની શકે છે તે માટે “સલ્તનત એ ઓમાન”ના સુલ્તાન કાબુસ અને ગુજરાતના નરેન્દ્ર મોદીની કામગીરી જોવી જોઇએ.
 
જ્યારે જીંદગીમાં મોડ ઉપર અનિશ્ચિતતા હોય ત્યારે અંધશ્રદ્ધા અને વહેમ ફુલે ફાલે.
 
પરીક્ષાના પરિણામ, વ્યવસાય, વ્યવસાયમાં બઢતી, પૈસાની આવક, તંદુરસ્તી, સાંસારિક સુખની સમજ એ બધું અનિશ્ચિત છે. તેને માટે વાસ્તવમાં તો મોટેભાગે દેશની ઉન્નતિની દીશા કારણભૂત છે.
તે નેતાગીરી ઉપરજ આધાર રાખે છે. પણ જો મૂર્ધન્યો માં (“ચોક્ખા ઘી” માં) સંદર્ભની સમજ અને પ્રમાણભાવનો અભાવ હોય તો સમાજ અધોગતિને જ પામે. અને તેઓ “હાથી” ને સમજવામાં ગોથાં જ ખાય.
 
શિરીષ દવે
 
મૂર્ધન્યો, ચોક્ખું ઘી, નરેન્દ્ર મોદી, નલીનભાઈ મોદી, કોંગી, ખાદી, મીલનું કાપડ, ગાંધી માર્ગ, બેકારી,
GANDHI BAPU SAYS HOW PROMPTLY YOU CAN HELP POOR

GANDHI BAPU SAYS HOW PROMPTLY YOU CAN HELP POOR

Read Full Post »

%d bloggers like this: