Feeds:
Posts
Comments

Posts Tagged ‘મૂર્ધન્ય’

“પૂર્વતૈયારી વગર ….. કર્યું ને … એટલે …”

પૂર્વતૈયારી વગર ….. કર્યું એટલે …”

જો આપણે મૂર્ધન્ય હોઈએ, તદ્‌ ઉપરાંત કટાર લેખક પણ હોઈએ,અને વળી પાછી આપણા ઉપર તટસ્થતાની ધૂન સવાર હોય તો, સરકારના કોઈપણ નિર્ણયને આપણે વખોડી શકીએ છીએ. આ બહુ સહેલું છે.

કેવીરીતે સહેલું છે?

લે વળી … ખબર નથી? આપણે એમ કહેવાનું કે સરકારે જે પગલું લીધું,  તે, પૂર્વ તૈયારી વગરનું હતું.

હવે આપણે તો જાણીએ છીએ કે સરકાર કોઈ પગલું લે એટલે કંઈક મુશ્કેલી તો આવે જ. એક કરતાં વધુ મુશ્કેલીઓ પણ આવે. એટલે આવી મુશ્કેલીઓ ગણાવવી … એનું વર્ણન કરવું. જો આપણો  તટસ્થતા દર્શાવવા સિવાયનો, બીજો કોઈ એજન્ડા ન હોય તો જનતાને પડતી મુશ્કેલીઓ ગણાવી દઈએ તે પૂરતું છે. પણ જો આપણો રા.ગા.ની જેમ  એજન્ડા હોય તો અતિશયોક્તિમાં કચાશ ન રાખવી.

દા.ત. સરકારે વિમુદ્રીકરણ નું પગલું લીધું તે પૂર્વ તૈયારી વગર લીધેલું. લોકોને બીજા કામ છોડીને લાઈનમાં ઉભા રહેવું પડ્યું …  બેંકોમાં રોકડ ખલાસ થઈ ગઈ … માણસોને પેન કાર્ડ શોધવા પડ્યાં … આધાર કાર્ડ શોધવા પડ્યા … ફોર્મ ભરવા પડ્યા …

જો આપણો નિશ્ચિત એજ્ન્ડા હોય તો આપણે લખવાનું … માણસોને ભૂખ્યા તરસ્યા લાંબી લાંબી લાઈનો માં ઉભા રહેવું પડ્યું … કેટલાકને તો વૃદ્ધ કાકા દાદાઓને લાઈનમાં ઉભા રાખવા પડ્યા …  કેટલાય માણસો બેભાન થઈ ગયા … કેટલાય માંદા પડી ગયા … કેટલાય મરી ગયા …

અને ફાયદો શું થયો? કાળું નાણું ઘટ્યું ? કાળાનાણાંવાળા પકડાયા? આતંક વાદ બંધ થયો? … ના ભાઈ ના … એવું કશું થયું નહીં.

તો હવે …

તાજેતરનો દાખલો લઈએ તો “લૉક-ડાઉન” છે.

લોકડાઉન પૂર્વ તૈયારી કર્યા વગર કર્યું … એટલે …

… એટલે આ બધી સમસ્યાઓ ઉભી થઈ. પ્રવાસી  મજુરો અટવાઈ ગયા … વાહનની સગવડ સરકારે ન કરી તેથી તેઓ ચાલતા નિકળી પડ્યા … તેઓ ભૂખ્યા હતા … તેઓ તરસ્યા હતા …  તેઓમાં સ્ત્રીઓ હતી … કેટલીક સગર્ભા હતી … વૃદ્ધો હ્તા … બાળકો હતા …. તેમના પગમાં ચંપલ પણ ન હતા … જેવું લોક ડાઉન જાહેર થયું કે તૂર્ત જ … આવું બધું થયું … કેટલાકે કહ્યું અમે તો કોરોના થી નહીં પણ આમ જ મરી જઈશું!!!

“આ પગલું અવિચારી હતું … આ પગલું ઉતાવળીયું હતું … અર્થ તંત્રની કેડ ભાંગી નાખી …”  હા જી આપણા તડ – ફડ વાળા મૂર્ધન્યે લખ્યું છે … અરે ભાઈ વિશ્વવિખ્યાત ફોર્બ્સે આપણી ટીકા કરી હોય તો તેને સાચી જ ગણવી જોઇએ ને … ફોર્બ્સ કંઈ જેવો તેવો છે? અરે બીજું કંઇ નહીં તો ચામડી તો ધોળી છે જ ને!! ફોર્બ્સે તેની ચામડી કંઈ તડકામાં ધોળી કરી છે? (મૈંને મેરે બાલ કહીં ધૂપમેં સફેદ નહીં કિયા હૈ … સમઝે … ન સમઝે?)

તડ-ફડ વાળા ભાઈ આગળ જતાં લખે છે કે “ થોડો સમય આપવા જેવો હતો … ફાજલ પડેલા મજુરો વતન પહોંચી શક્યા હોત…. કારખાનામાંના માલની વ્યવસ્થા ગોઠવાઈ શકી હોત. .. જે વિસ્તારોમાં રોગચાળાનું નિશાન ન હતું તેને આવરી લેવાની જરુર ન હતી …

વાસ્તવિકતા શું છે?

સરકારને શા માટે સક્રીય થવું પડ્યું.

ચીનમાં વુહાન શહેર્માં આપણા નાગરિકો ફસાયા હતા. તેમને લાવવાની અનેક દેશોની જેમ આપણે પણ તૈયારી કરી. આપણે આપણા નગરિકોને લાવ્યા. તેમનું ચેક અપ કર્યું   તેમના માંથી કેટલાક  કોરોના પોઝીટીવ મળ્યા. તેમને ક્વારોન્ટાઈનમાં રાખ્યા.

આ દરમ્યાન સમાચાર મળ્યા કે આ જ અરસામાં દિલ્લીના નીજામ્મુદીનના  મર્કઝ માં તબલીઘી જમાતે સરકારી બંધી ને અવગણીને  કોન્ફરન્સ કરેલી. અને તેમાં કેટલાક ગુમ થઈ ગયા છે. બીન સત્તાવાર પણ વિશ્વાસલાયક સમાચાર પ્રમાણે ૬૦૦૦ જ્માતીઓએ ભાગ લીધેલો આમાં ૪૦૦ જેટલા વિદેશીઓ હતા. આમાંના મોટા ભાગના મર્કઝમાંથી નિકળી ગયા છે. એટલે આ ઘટના સંશોધન અને તપાસ ની થઈ ગઈ. જો તમે આમાં એક જ દિવસ મોડું કરો તો ખાનાખરાબી થઈ જાય. જે મર્કઝમાં રહી ગયા હતા તેઓ, પોલીસ તો શું, શ્રી અજીત દોવલના કહ્યામાં પણ ન હતા. તો જે ભાગી ગયા હતા તેમની તો વાત જ શી કરવી? સરકારને  મર્કઝની મહાસભાના સમાચારની વિગતો મળી કે તરત જ લોકડાઉન ની જાહેરાત કરી દેવામાં આવી. જેથી જમાતીઓનું પગેરુ સહેલાઈથી કાઢી શકાય. નરેન્દ્ર મોદીએ મોટું મન રાખી મુસ્લિમ જમાતના સહાયકો અને  સત્તાધરી પ્રચ્છન્ન વિદ્રોહીઓ ઉપર કાર્યવાહી ન કરી.

લોક ડાઉન જાહેર થયા પછી  જો તે સમયનો વિચાર કરીએ તો જે કંઈ લોકો ગુમ થયા હતા પણ જેમની ભાળ મળી હતી તેમના કારણે ૪૦થી ૯૦ ટકા કોરોના પોઝીટીવ કેસ, જમાતીઓને કારણે થયા હતા. હવે જો ૨૪મી માર્ચે લોકડાઉન જાહેર ન થયું હોત અને અઠવાડીયાનો સમય પણ રાખ્યો હોત તો, આ જમાતીઓમાંના બધા જ વિદેશીઓ પોબારા ગણી ગયા હોત. તેમના સંસર્ગો કદી ન જાણી શકાયા હોત.

પહેલો લોકડાઉન ૨૧ દિવસનો હતો.

આ સમયનો ઉપયોગ કમસે કમ દિલ્લીના  કેજ્રીવાલભાઈ અને મુંબઈના ઉદ્ધવભાઈ તેમના રાજ્યમાં રહેલા પ્રવાસી મજુરોની ગણત્રી કરી શક્યા હોત. તે અઘરું નથી. આ વાત આપણે અગાઉના એક બ્લોગમાં જોઇ ગયા છીએ. કેજ્રીવાલભાઈ નો તો એજન્ડા જુદો હતો, એટલે તેમણે તો ૨૪મી માર્ચે અડધી  રાત્રે જ મજુરોને જગાડી બસ પકડવાની જાહેરાત કરી. નરેન્દ્રમોદીએ તો કહેલું કે જેઓ જ્યાં છે ત્યાં જ રહે. પણ કેજ્રીવાલભાઈ તો વાડ્રા-કોંગ્રેસની  બી-ટીમના શિર્ષનેતા છે. તેમનો તો ધર્મ હતો કે કોરોના મહામારી વધુમાં વધુ ફેલાય અને નરેન્દ્ર મોદીને નીચા જોણું થાય.

થોડા દિવસ પછી મુંબઈના બાંદ્રા (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન પાસેની મસ્જીદ પાસે પણ અનિલ દુબે દ્વારા ફેલાવેલી અફવાઓ દ્વારા, કહેવાતા પ્રવાસી મજુરો નિયમોનો ભંગ કરી એકઠા થયા હતા. લોક ડાઉન દરમ્યાન પણ અનેક જગ્યાએ જાણી જોઇને ટોળાં એકઠા થવાના અનેક બનાવો બન્યા છે. આમાં લુટ્યેન ગેંગોનો મોટો હાથ છે.

આમ મોદી વિરોધીઓ લોકડાઉન થયા પછી પણ અંદરખાને કેટલા સક્રીય થઈ, કોરોનાનો ફેલાવો કરી શકે તેમ છે, તે છાનું રહી શક્યું નથી.  તો પછી જો અગાઉથી જ, પ્રવાસી મજુરોની ઓળખ કર્યા વગર રેલવે ટ્રેનો ચલાવી હોત, બસો ચલાવી હોત. તો જમાતીઓ સહેલાઈથી છટકી જાત, અને તે ઉપરાંત મોટે પાયે થયેલા સોસીયલ ડીસ્ટન્સીસના ભંગને કારણે ભારતમાં અમેરિકાના ન્યુયોર્કથી પણ વધુ કોરોનાનો ફેલાવો થાત.

જેઓ આ વાત, ન સમજી શકતા હોય તેમણે ૐ નમઃ શિવાય નો જપ જપવો જેથી ઈશ્વર તેમને જરુરી પ્રજ્ઞા આપે.

પસંદગી શું હતી અને શું ન હતી?

“સમસ્યા ઉત્પાદનને ફટકો પડવા દેવો અથવા મનુષ્યના જીવ બચાવવા” એ બે વચ્ચે એક ની પસંદગી કરવી એ નથી. મૂળ હેતુ મનુષ્યના જીવનને પ્રાથમિકતા આપવી અને ઉત્પાદનને પછીની પ્રાથમિકતા આપવી, એમ હતો. જાન ભી ઔર જહાન ભી.

આપણા તડ – ફડ વાળા મૂર્ધન્યે એક દાખલો આપ્યો છે, કે; “એક રાજાએ એક ગુનેગારને સજા ભોગવવાના બે વિકલ્પ આપ્યા. કાંતો સો ચાબુકના ફટકા ખાવા અથવા તો સો કાચી ડૂંગળી ખાવી. થોડી ડૂંગળી ખાધા પછી તેણે ફટકા ખાવાનો વિકલ્પ પસંદ કર્યો. પણ થોડા ફટકા ખાધા પછી વળી પાછો ડૂંગળી ખાવાનો વિકલ્પ પસં કર્યો. આમ વારાફરતી થયં. આ પ્રમાણે એણે સો કાચી ડૂંગળી ખાવાની સજા ભોગવી અને સો ફટકા પણ ખાધા.”  આ રીતે આપણા દેશે માનવ જીવ પણ ગુમાવ્યા અને ઉત્પાદન પણ ગુમાવ્યું.”

વાસ્તવમાં જોઇએ તો આવું તો નથી જ. આપણે લાખો જીવ બચાવ્યા છે. અને હવે આપણે ઉત્પાદન માટે સજ્જ છીએ. જો આપણા મૂર્ધન્યશ્રી અમેરિકા, ઈટાલી કે સ્પેન સાથે દર દશ લાખ માનવની વસ્તીએ કેટલા માનવ મરણ થયા તે પ્રમાણને સરખાવસે તો ખબર પડશે. પ્રમાણભાનની પ્રજ્ઞા પણ એક પ્રજ્ઞા છે.       

ભારતનો નંબર વિશ્વમાં ૧૦૧મો છે અને ભારતમાં દર દશ લાખે 3.36 મૃત્યુ થયા છે. જ્યારે પશ્ચિમના વિકસિત દેશોમાં આ આંકડો ૧૦૦ થી ૮૧૯ નો છે. આ ભેદ આપણે સમજવો જોઇએ.

આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય કહે છે કે; “ચીન આપણા કરતાં શાણું છે. ચીને વુહાનની બહાર કોરોના  ન ફેલાય તેની પૂરતી નાકાબંધી કરી. જ્યારે આપણે એવું ન કર્યું.”

ચીન જે કોરોનાનું જન્મ દાતા છે અને જે પ્રયોગો કરી રહ્યું હતું તેથી તે આવું કરી શક્યું. તે આપણે સમજવું જોઇએ.

તડ-ફડવાળા ભાઈ કહે છે કે  “અમેરિકા કોરોનાને ચાઈનીઝ વાયરસ કહે તે ખોટું છે. સદ્દામ હુસેનની ઉપર પણ અમેરિકાએ આવો આક્ષેપ કર્યો હતો. પણ તે ખોટો નિકળ્યો હતો. માટે આ આક્ષેપ પણ ખોટો છે.”

વાસ્તવમાં આ કોઈ તર્ક નથી. અમેરિકા એક વાર, બે વાર કે ત્રણ વાર પણ ખોટું બોલે તો તે ચોથી વાર પણ જે કંઈ બોલે તે ખોટું છે તેમ ન કહી શકાય. અલ્લાહાબાદ ઉચ્ચન્યાયાલયે નોંધ્યું હતું કે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ ૧૪ વખત ઇન્દિરા ગાંધી જુઠ્ઠું બોલ્યાં હતાં. તો પણ કૉર્ટે કહ્યું હતું કે તે ૧૫મી વખત પણ જે કંઈ બોલે તેને ખોટું ન માની શકાય.

સમય આવે સાચું બહાર આવશે. તે માટે થોભો અને રાહ જુઓ. પણ પ્રયોગો ચીનમાં થતા હતા તેની નોંધ લેવી જોઇએ. એ પણ નોંધલેવી જોઇએ કે યુએસએ એક લોકશાહી વાળો દેશ છે. ચીન એ એક સામ્યવાદી દેશ છે. કોણ કેટલા પ્રમાણમાં સાચું કે ખોટું બોલે છે તે વાત તે દેશ કેવો છે તેના ઉપરથી નક્કી કરી શકાય. વધુ વિશ્વસનીય તો લોકશાહીવાળો દેશ જ ગણી શકાય. ચીન કેટલું ખોટું બોલે છે તે આપણા અનુભવથી અજાણ્યું નથી.

હાલ તૂર્ત તો ભારતમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે અને સાજા થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, દિલ્લી, પ.શ્ચિમ બંગાળ અને તામીલનાડુની પરિસ્થિતિ ચિંતા જનક છે. તેના આગવા કરણો પણ છે.

જ્યારે ભારતનો આ સંક્રમણમાં મૃત્યુના દરને હિસાબે  નંબર ૧૦૧મો હોય ત્યારે ભારતે ૧૦૦ ડૂંગળી પણ ખાધી અને ૧૦૦ ફટકા પણ ખાધા એમ કહેવું કોઈ એજન્ડાવાળું કહેવાશે.

તમે પહેલાં નિમ્ન લિખિત સંજોગો જુઓ.

(૧) પશ્ચિમના દેશો વિકસિત છે.

(૨) ત્યાંની વસ્તિ ભારત જેટલી ગીચ નથી.

(૩) સામાન્ય સંજોગોમાં પણ તેઓ સોસીયલ ડીસ્ટન્સ જાળવે છે. એટલે તેઓ અડોઅડ ઉભા રહેતા નથી. ધક્કાધુક્કી કરવાનો તો પ્રશ્ન જ નથી.

(૪) ટ્રાફિકના નિયમો શિસ્ત પૂર્વક પાળે છે. અકસ્માત થાય તો પણ તેઓ ઝગડો કે મારામારી ઉપર ઉતરી પડતા નથી.

(૫) ટ્રાફિકપોલીસને લાંચ આપતા નથી. ટ્રાફિક પોલીસ પણ કોઈ ભેદભાવ રાખતા નથી.

(૬) વિપક્ષ જવાબદાર રીતે વર્તે છે.

હવે ભારતમાં જુઓઃ

(૧) દેશ હજી પશ્ચિમી દેશો જેવો વિકસિત થયો નથી.

(૨) ભારતની વસ્તિ અનેક ગણી ગીચ છે.

(૩) કતારમાં ઉભા રહેવામાં, ખાસ કરીને ગામડાઓમાં, કતારમાં ઉભા રહેવામાં કોઇ માનતું જ નથી. શહેરોમાં કોરોના થી થોડો ફેર પડ્યો છે.

(૪) શહેરમાં પણ હાલની તારીખમાં, ત્રણ ત્રણ જણા સ્કુટર, બાઈક ઉપર બેસીને જાય છે.

(૫) નિયમો નું પાલન કરવું એ વાત, જેઓ પોતાને મહાનુભાવ માને છે તે મહાનુભવોને લાગુ પડતું નથી. તેઓ મારા મારી ઉપર પણ ઉતરી આવે છે.

ભારત જાય ખાડમાં

(૬) સોસીયલ ડિસ્ટન્સીંગનું પાલન ન થાય અને લૉકડાઉન નિસ્ફળ જાય તે માટે વિપક્ષીનેતાઓ કૃતસંકલ્પ છે. પાલઘર ની ઘટના, બાંદ્રા (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન ની નજીકની મસ્જીદ પાસે ટોળું જમા કરાવવાની ઘટના, દિલ્લીની  નીજામુદ્દીનની તબલીઘી જમાતની  મહા અધિવેશનની ઘટના, જમાતના સભ્યોની ગુમ થઈ જવાની ઘટનાઓ, તેમની આડોડાઈની કરવાની ઘટનાઓ, મુસ્લિમોની ટોળે મળી કોરોના વોરીઅર્સને મારવાની ઘટનાઓ …. તમે ગણી જ ન શકો તેટલી ઘટનાઓ બની છે અને વિપક્ષે હમેશા અફવાઓ ફેલાવવામાં કસર રાખી નથી અને આવા અમુક કોમના તત્ત્વોને સહકાર અને સહયોગ આપ્યો છે અને બચાવ પણ કર્યો છે.

(૭) ભારતની બ્યુરોક્રસી ઉપર સિવાયકે સત્તામાં બેઠેલા નેતાઓ કડક ન થાય, તો કોઈ પણ પ્રકારે પૈસા બનાવવામાં જ રસ ધરાવે છે.

વાસ્તવમાં ભારતના સંજોગો અને સંસ્કાર જોઇએ તો વિકસિત દેશો કરતાં સો ગણો કોરોના ફેલાય તેવી પરિસ્થિતિ છે.

હા જી.  એક સારી વાત એ છે ભારત પાસે નરેન્દ્ર મોદી અને અમિતશાહ ની કુશળ ટીમ છે. ભારતમાં સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ છે. આ સંસ્થાઓએ અને વ્યક્તિઓએ ભારતની બ્યુરોક્રસીથી નીપજથી ઉણપને,  કોરોના-સંક્રમણના સમયમાં મહદ્‌ અંશે ભરપાઈ કરી છે.

એ પણ એક પરિબળ શક્ય છે કે ભારતમાં ક્યારેક કેટલાક લોકો ફેશનમાં માંસ મટન ખાઈ લેતા હશે. તે સિવાય પણ મોટેભાગે લોકો શાકાહારી છે. આ વાત પણ કોરોના વધારે પ્રમાણમાં ન ફેલાવાનું એક કારણ હોઈ શકે. જો કે આ સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એક ભાઈ યુનીવર્સીટી ના સ્નાતક થયા. તેમને થયું માર્કસ મગાવીએ.

તેનો ચાર્જ આમ હતો. ખંડ પ્રમાણે ₹૧૦૦/- હતો.  પ્રશ્ન પત્ર પ્રમાણે ₹૨૦૦/- હતો

સેક્સન પ્રમાણે ₹૩૦૦/-

એટલે ભાઈએ પ્રથમ ખંડ પ્રમાણે પૈસા ભર્યા. પછી તેમને થયું કે પ્રશ્ન-પત્ર  પ્રમાણે મગાવીએ. એટલે તેમણે તેના પૈસા ભર્યા. પછી તેમને થયું કે ચાલોને સેક્સન પ્રમાણે જ મગાવીએ. એમ કરી તેના પૈસા ભર્યા. આમ તેમણે ક્રમે ક્રમે કુલ ₹ ૬૦૦/- ભર્યા. પહેલેથી જ જો ₹૩૦૦/- ભરી દીધા હોત તો તેમને સેક્સન, પ્રશ્નપત્ર અને ખંડ પ્રમાણે ત્રણે ના માર્ક મળી ગયા હોત.

ડૂંગળી અને કોરડા બંને ખાધા 

Read Full Post »

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો./તટસ્થતાની ધૂનમાં હવે કેટલાક મૂર્ધન્યોએ બધી સીમા પાર કરી દીધી છે.

વંશવાદી કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગી વિપક્ષો બેફામ ઉચ્ચારણો કરે તેનાથી સુજ્ઞ લોકોની વિચારધારાને અસર થતી નથી. પણ જ્યારે સત્તાની લાલસા વગરના, અને જેમના પ્રત્યે જનતા નો સામાન્ય જણ, માન ધરાવે છે, તેઓ જ્યારે તટસ્થતાની ધૂનમાં બે બાજુ ઢોલકી વગાડે છે ત્યારે, આ સામાન્ય જણ, કાં તો ભ્રમમાં પડે છે, કે કાં તો મુંઝવણમાં પડે છે./દંભી સેક્યુલરોની ગેંગો, એમ જ ઇચ્છે છે કે, સામાન્ય માણસ તેમને સાથ ન આપે તો કંઈ નહીં, પણ તે મૂંગો રહે તો પણ ઘણું. આ સામાન્ય જણ “કંઈક ખોટું તો થયું છે” એટલું વિચારતો થાય તો આપણે “ગંગા નાહ્યા”.

બીજેપી એટલે એક માત્ર હિન્દુધર્મીઓના હિત માટેનો પક્ષ.

બીજેપી હિન્દુઓનો કોમવાદી પક્ષ છે. એવું માનવાની અને મનાવવા માટેની નહેરુવીયન કોંગ્રેસની જ નહીં પણ મોટાભાગના મૂર્ધન્યોની પણ ફેશન છે. આ વરણાગીપણાથી સુજ્ઞ મૂર્ધન્યો મુક્ત થાય તે દેશના હિત માટે અત્યંત જરુરી છે. નહેરુ જીવતા હતા ત્યારથી નહેરુ સ્વયં, કોમવાદી હતા. કેરલની નાંબુદ્રીપાદની સરકારને ઉથલાવવામાં તેમનો સહયોગ હતો. અને સૌ પ્રથમ હળાહળ કોમવાદી પક્ષ સાથે ગઠબંધન કરનાર પક્ષ પણ, નહેરુવીયન કોંગ્રેસ જ હતી. જે નેહરુવીયન કોંગ્રેસ, ગઈ કાલ સુધી શિવ સેનાને હળાહળ કોમવાદી પક્ષ માનતી હતી તે નહેરુવીયન કોંગ્રેસ, સત્તા માટે તેની સાથે જોડાણ કરે છે.

યહ તો હોના હી થા

શિવસેનાને જન્મ આપનાર તો કોંગ્રેસ જ હતી. મજદુર યુનીયનો ઉપરની સામ્યવાદીઓની પકડને તોડવા, નહેરુવીયન કોંગ્રેસે જ ક્ષેત્રવાદ અને ભાષાવાદને ઉત્તેજન આપવા શિવસેનાને જન્મ આપ્યો હતો. જ્યારે જ્યારે નહેરુવીયન કોંગ્રેસને જરુર પડી ત્યારે શિવસેનારુપી ગર્દભે તેને દોડીને મદદ કરી જ છે. એટલે ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ દૂધથી ધોયેલી તો શું, ગંદા પાણીથી ય નહી, પણ ગટરના ઘટ્ટ પાણીથી ખરડાયેલી છે.

નહેરુવીયન કોંગ્રેસને, તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષ, અને મોટા ભાગના મૂર્ધન્યો સહિત, કોઈને ખબર નથી કે લોકશાહી માર્ગ એટલે શું? ગાંધીવાદી માર્ગ એટલે શું?

રાજમોહન ગાંધી શું કહે છે?

રાજમોહન ગાંધી કોણ છે?

રાજમોહન ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર છે. હવે તેઓશ્રી એક મહાનુભાવના પૌત્ર થયા એટલે તેઓશ્રી બોલે તો વજન તો પડે જ. તેઓશ્રીએ કહ્યું કે ગાંધીજી “હેટ નોટ” નું મહત્વ સમજાવવામાં નિસ્ફળ ગયા હતા. “ફિયર નોટ” સમજાવવામાં સફળ થયા હતા.

કોઈ વ્યક્તિ, જો કોઈ મહાપુરુષ વિષે કોઈક બાબતમાં બોલે તો તે કંઈક અંશે સાપેક્ષે વધુ અસરકારક બને. તેમાં પણ જો તે વ્યક્તિ, જે તે મહાપુરુષનો નજદીકી સંબંધ ધરાવતો હોય તો તો તેના બોલનું વજન પડે જ પડે. વળી તે વ્યક્તિ જો નકારાત્મક બોલે, તો તે, ખાસ સમાચારનું હેડીંગ બને.

હેટ નોટ અને ફિયર નોટમાં વધુ ઉચ્ચ સ્તરે શું છે?

બેશક “હેટ નોટ”નું સ્તર વધુ ઉચ્ચ છે. અને આ સ્તરે તો સ્થિતપ્રજ્ઞ જ જઈ શકે. આ સ્તરે સમજાવવામાં તો રામથી શરુ કરી કૃષ્ણ સહિતના, બુદ્ધ અને મહાવીર પણ નિસ્ફળ ગયેલ એટલે ગાંધીને જ નિસ્ફળ માનવા તે અપ્રસ્તુત છે.

“ફિયર નોટ” એ બે વ્યક્તિ, કે એક જુથ અને એક વ્યક્તિ, કે બે જુથ વચ્ચેની, માનસિકતાના સ્તર ઉપર અવલંબે છે. “ફીયર-લેસ વ્યક્તિની વ્યાખ્યા નારાયણભાઈ દેસાઈએ આમ કરી છે. “જે વ્યક્તિ કોઈથી ડરે નહીં, અને કોઈ આ વ્યક્તિથી ડરે નહીં”.

કોઈ વ્યક્તિ ગાંધીજીને પ્રશ્ન કરવાથી ડરતું ન હતું. પણ અઘટિત કામ કરવામાં, વ્યક્તિને, ગાંધીજી નો ડર લાગતો હતો. આ એક નૈતિક ડર હતો. તે આવશ્યક છે. આચાર્યનું (ઋષિઓનું) શાસન એ અનુશાસન છે.

“ફિયર નોટ” એ ગાંધીજીના અંતેવાસીઓ માટે અને  વિચારકો માટે લાગુ પડતું હતું. પણ જીન્ના જેવા, ગાંધી વિરોધીઓને લાગુ પડતું ન હતું. કારણ કે તેઓ ગાંધીજીને ઓળઘોળ કરીને હિન્દુઓના નેતા જ માનતા હતા./હાજી જેમ અત્યારે નરેન્દ્ર મોદીને, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ હિન્દુવાદી ખપાવે છે તેમ જ. જીન્ના અને મોદી વિરોધીઓની ભાષા એક જ છે.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

મોદીના વિરોધીઓ મોદીથી “ફિયર નોટ” છે. તેમને, મોદીને પણ હિન્દુઓના નેતા જ માનવામાં અને મનાવવામાં, ડર લાગતો નથી. હાજી કેટલાક પ્રચ્છન્ન વિરોધીઓ પણ છે કે જેમને મોદીને હિન્દુઓના નેતા માનવામાં અને મનાવવામાં ડર લાગતો નથી. મોદી તો સત્તા ઉપર છે અને આવા જુથના હિટલર પણ છે છતાં પણ તેમને ડર લાગતો નથી. શું આ વિરોધાભાસ નથી?

“ભારત પ્રથમ હિન્દુઓનો દેશ છે, અને રાષ્ટ્રીય ઓળખ કોઈ ખાસ ધર્મ અને વંશ ઉપર આધારિત હોવી જોઇએ. એમ ‘કેટલાક’ માને છે.” એમ શ્રી રાજ મોહન ગાંધી માને છે. અને એને નકારે છે.

આવી માન્યતા જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જનતા એવો જ સંદેશ ગ્રહે છે કે આ વાત આરએસએસ અને બીજેપીને લાગુ પડે છે અને તેમણે આમાંથી શિખ લેવાની છે, એવી રાજમોહન ગાંધીની મંછા છે.

એક સમય હતો કે જ્યારે આર.એસ.એસ./બીજેપી (જનસંઘ) તેઓ હિંદુ(ધર્મ)વાદી હતા. કારણકે તેમનો જન્મ, હિન્દુઓ ઉપર થતા હિંસક પ્રહારના આઘાતના,  પ્રત્યાઘાતના રુપમાં થયો હતો. પણ તે પછી તો ગંગા-જમનામાં ઘણા પાણી વહી ગયાં. ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણે પણ આર.એસ.એસ./જનસંઘને પોંખ્યા હતા.

ઘણા જુથો છે કે જેઓ અ-ગાંધીવાદી હોવા છતાં અને આચારે તદ્‌ન અ-ગાંધીવાદી હોવા છતાં, તેમણે પોતાનું આર.એસ.એસ./બીજેપી પરત્વેના વિરોધનું સહગાન પૂર્વવત ચાલુ રાખ્યું છે.

ઉપરોક્ત સહગાન/વિચારોનું વરણાગીપણું દશકાઓથી ચાલ્યું આવે છે. પણ આ વરણાગીપણાને પુરસ્કૃત કરનારાઓ, ગાંધી વિચારધારાથી ઉંધી દીશામાં જનારાઓ વિષે લગભગ મૌન જ રહે છે. ખચીત રીતે જ આમાં લઘુમતિ એટલે કે મુસ્લિમ પણ છે. આ મુસ્લિમ લઘુમતિએ પોતાનો ઇન્ડિયન મુસ્લિમ લીગ પક્ષ ચાલુ રાખ્યો, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાન નેતાઓએ પાકિસ્તાનમાં પાકિસ્તાની રાષ્ટ્રીય કોંગ્રેસ ચાલુ રાખી નહીં કારણકે આ નેતાઓ તેમના કહેવા પ્રમાણે પોતાના પ્રાણોની રક્ષા કાજે ભારતમાં નાશી આવ્યા. ગાંધીજીએ આ કોંગ્રેસીઓને ઠીક ઠીક ઠપકો આપેલ … “તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જરુર પડી ત્યારે તમને મરતાં ન આવડ્યું. તમે તો ડરપોકની જેમ અહીં જીવ બચાવવા ભાગી આવ્યા. જો તમે મરી ગયા હોત તો હું ખૂબ ખુશ થાત. એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ નાચત … ખુબ નાચત … ખુબ નાચત.”

ગાંધીજીએ પોતે કબુલ કરેલી કોંગીઓની નિસ્ફળતા આ હતી. પણ આ ગાંધીજીની નિસ્ફળતા ન હતી. ગાંધીજી તો દિલ્લી શાંત થાય એટલે પાકિસ્તાન જવાના જ હતા. વાસ્તવમાં તો કોંગ્રેસના શિર્ષ નેતાઓની “ફિયર નોટ”ની નિસ્ફળતા હતી. મોટા નામ હેઠળ છુપાયેલું આ તેમનું વામનપણું હતું. આવું અને આથી પણ વિશેષ કોંગીનેતાઓનું વામનપણું આપણને સ્વતાંત્ર્ય પ્રાપ્તિ પછી અવારનવાર જોવા મળ્યું છે. પોતાના વ્યક્તિગત કે પક્ષીય સ્વાર્થ માટે કોંગી નેતાઓ દેશને ધરાશાયી કરવા હમેશા તૈયાર જ હોય છે./મહાત્મા ગાંધીએ મુસ્લિમોની કે એમના નેતાઓની ક્યારેય તરફદારી કરી નથી. જો કોઈને ખબર ન હોય તો તેના હજાર દાખલા છે. “દિલ્લીમેં ગાંધીજી ભાગ-૧ અને ભાગ-૨” વાંચો. પણ કોંગીનેતાગણનો એક પણ માઈનો લાલ નિકળશે નહીં કે જે આ પુસ્તક વાંચે. કારણકે તેને દેશહિતની ક્યાં પડી છે!

નાગરિકતા સુધારણા કાયદોઃ

cartoonists’ curtsy

હાલમાં જે હિંસાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને માટે જવાબદાર કોંગીનેતાઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ છે. આ વાત દિવા જેવી સ્પષ્ટ છે. કારણ કે આ કાયદામાં વિરોધને કોઈ અવકાશ નથી.

જે કર્તવ્ય પ્રત્યે કોંગી-સરકારે ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી પ્રમાદ કર્યો હતો તે અધુરું કામ બીજેપી સરકારે પુરું કર્યું. બીજેપીને બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારે તેણે પોતાની ફરજ બજાવી. કોંગીનેતાઓ પોતે કરેલા પ્રમાદને ધર્મનિરપેક્ષતાના વાઘા પહેરાવી, ભારતીય મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમો અને તેમના કેટલાક નેતાઓ પણ અભણ અથવા/અને અસામાજિક તત્ત્વોનો સાથ લઈ હિંસા ઉપર ઉતરી આવે છે.

નહેરુ-લિયાકત અલી કરાર

કોંગીનેતાઓ પોતે જ અભણ અને અસંસ્કારી જેવું વર્તન કરે છે. કોંગીનેતાઓએ નહેરુ લિયાકત અલી સમજુતી વાંચવી જોઇએ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે પાકિસ્તાન પોતાની લઘુમતિ કોમોને સુરક્ષા પ્રદાન કરશે. અને તેમાં જો પાકિસ્તાનની સરકાર કોઈ પણ કારણસર નિસ્ફળ જશે તો ભારત સરકાર તે લઘુમતિને આશ્રય અને નાગરિકતા આપશે. આ જોગવાઈ ભારતને પણ લાગુ પડે છે. પણ ભારતમાં મુસ્લિમો અતિસુરક્ષિત છે.

તમે જુઓ છો કે ભારતની જનતાએ મુસ્લિમોને સુરક્ષિત રાખ્યા છે. આને સિદ્ધ કરવાની જરુર નથી. આ સત્ય ૧૯૫૧ની જનગણના અને ૨૦૧૧ની જનગણના જ સિદ્ધ કરે છે. આનાથી ઉલ્ટું પાકિસ્તાન અને બંગ્લાદેશ પોતાને ત્યાં રહેલી લઘુમતિને સુરક્ષા આપી શક્યા નથી.

કોંગીનેતાગણ, તેમના સાંસ્કૃતિક સાથીઓ સહિત, અને મુસ્લિમો નેતાઓ સહિત, જાણીજોઈને મુસ્લિમોને અને પોતે પણ ભ્રમમાં રહેવા માગે છે, અથવા એવો ઢોંગ કરે છે. કોંગી નેતાગણ ઉપર તો ન્યાયિક કાર્યવાહી કરવી જોઇએ. અફવા ફેલાવવી અને હિંસા માટે મુસ્લિમોને ઉશ્કેરવા તે ગેર બંધારણીય છે, અને ગુનો પણ બને છે.

કોંગીનેતાઓના પેટમાં શું છે?

કોંગી સરકારોએ ખંધાઇપૂર્વક દશકાઓ સુધી સમસ્યાઓને અનિર્ણિત રાખેલી, તે સમસ્યાઓને બીજેપીએ ઉકેલી છે. કોંગી સરકારનું વલણ અનૈતિક અને જનતંત્રની વિરુદ્ધ હતું. પણ નહેરુથી શરુ કરી ઇન્દિરા સહિતની, અને સોનિયા-મનમોહન સરકારોને આવી અનિર્ણાયકતાનો છોછ નથી. પછી તે, પાકિસ્તાન હસ્તક રહેલો જમ્મુ-કાશ્મિરના હિસ્સા ઉપર  યુનોના ઠરાવનો અમલ હોય, કે અલોકતાંત્રિક કલમ ૩૭૦/કલમ ૩૫એ હોય, કે નહેરુ-લિયાકત અલી સમજુતીનો અમલ હોય, કે સંસદ સામે ચીનસાથેના યુદ્ધમાં ૭૧૦૦૦ ચોરસ માઈલ ભારતીય ભૂમિ પાછી લેવાની હોય, કે ઇન્દિરાએ લીધેલી એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલવાની પ્રતિજ્ઞા હોય કે, ભારતીય બંધારણને સુરક્ષા આપવાની વાત હોય કે, મુસ્લિમ સ્ત્રીઓને માનવીય અધિકાર આપવાનો મુદ્દો હોય, કે આતંકવાદી આક્રમણ નો ઉત્તર આપવાની વાત હોય કે જનતાની ગરીબી હટાવવાની વાત હોય, કે ભ્રષ્ટાચાર હઠાવવા માટે ફુલપ્રુફ સીસ્ટમ બનાવવાની વાત હોય … આ બધું જ અવગણી શકાય છે. કારણ કે કોંગીનેતાઓનું એકમાત્ર ધ્યેય, દેશના કોઈપણ ભોગે, સત્તા પ્રાપ્ત કરો અને લૂટ ચલાવો. અને આમ કરવા માટે વોટબેંક બનાવો./કરમની કઠણાઈ અને કોંગીની વિચારધારા/

કોંગીનેતાઓ માટે કરમની કઠણાઈ એ થઈ કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં તે કેન્દ્રમાં ચૂંટણી હારી ગઈ. હવે સત્તા પાછી કેવી રીતે મેળવવી?/અરે ભાઈ, આપણે કોંગી છીએ. માન ન માન આપણી પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર છે, ભલે આપણા આચાર તદ્‌ન ભીન્ન હોય. આપણને સાધન-અશુદ્ધીનો કશો છોછ નથી. આપણા વિરોધીઓને કોઈપણ ગાળ આપવી અને તેમની ઉપર કોઈ પણ આરોપ મુકવો એ આપણી ગળથુથીમાં છે. માટે આપણે આપણા એજન્ડા ને આગળ ચલાવો.

“આ મોદી સરકાર, પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓની જ ચિંતા કરે તે ન ચાલે. ભલે તેઓ પાકિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડિત થયેલા હોય અને ઘરબાર છોડી અહીં શરણાર્થી થયેલા હોય. તમે તેમને નાગરિકતા બક્ષો એ ન ચાલે.

“પાકિસ્તાનમાં તો આતંકવાદી મુસ્લિમો પણ લઘુમતિમાં છે. ભલે મુસ્લિમ લોકો પાકિસ્તાનમાં બહુમતિમાં હોય. આ બહુમતિ આતંકવાદમાં સક્રિય નથી એટલે સક્રિય આતંકવાદીઓ પણ લઘુમતિમાં જ ગણાવા જોઇએ. જુઓને હાફિજ઼ મહમ્મદ સઈદનો પક્ષ પાકિસ્તાનની ચૂંટણીમાં હારી ગયો એટલે તેનો પક્ષ બહુમતિમાં તો કહેવાય જ નહીં. આવા તો અનેક પક્ષો છે, જે બધા જ લઘુમતિમાં છે. જો આ બધા બહુમતિમાં હોત તો તેઓ પોતેજ સરકાર ચલાવતા ન હોત શું? તેઓ પોતે સરકાર ચલાવતા નથી એટલે સિદ્ધ થાય છે કે તેઓ લઘુમતિમાં જ છે.

“બીજેપી વાળા અક્કલ માં ઝીરો છે. તેઓ લઘુમતિ એટલે શું, એ સમજ઼તા જ નથી. ધર્મના આધારે તેઓ પાકિસ્તાનને પણ છોડતા નથી.

આ બીજેપી વાળા તો પાકિસ્તાનની પ્રજાની અંદર પણ તેઓને ધાર્મિક આધાર પર ભેદભાવ ઉત્પન્ન કરવા માગે છે. આ રીતે પાકિસ્તાનના નાગરિકોને ધર્મના આધાર પર ઓળખવા તે શું આપણા જનતંત્રને શોભે ખરું?

“માટે ભારતના અને પાકિસ્તાનના હે મુસ્લિમો, અમે તમારી સાથે છીએ. એક વખત તો તમારી શક્તિ, બીજેપી સરકારને બતાવી દો. અમે તમને માર્ગદર્શન આપીશું કે તમારે (દેશમાં આગ લગાવવાની) તમારી શક્તિ ક્યારે ક્યારે બતાવવાની છે. અમે તમારી કોમવાદી અને અસામાજિક શક્તિઓને ખીલવતા આવ્યા છીએ, અને હિન્દુઓને તેમના માનવ અધિકારોથી તમારા થકી વંચિત રાખતા આવ્યા છીએ તે તમે સુપેરે જાણો જ છો.

“હિન્દુઓ તમારી એક મસ્જીદ તોડે અને તેના પ્રત્યાઘાતમાં કે પ્રત્યાઘાત વગર પણ તમે હજાર મંદિર તોડો તો કોઈની મજાલ છે કે તમને કોઈ નોન-સેક્યુલર કહી શકે? હિન્દુઓએ તોડી પાડેલી એક મસ્જિદના વિરોધમાં તો અમે તેમને બતાવી દઈએ કે કેટલી વિશે સો થાય છે.

“હે મુસ્લિમ ભાઈઓ, અમે તો તમારા ગુન્ડાઓની પણ વહારે આવીએ. ગુન્ડાઓ જ નહીં આતંકવાદીઓની વહારે પણ આવીએ છીએ, અને તેમના માનવ અધિકારની સુરક્ષા માટે અમે તત્પર હોઇએ છીએ. તમારા આતંકવાદીઓને ભૂલે ચૂકે ભારત સરકારે પકડ્યા હોય તો અમે અમારા ગૃહમંત્રીના લોહીના સગાંઓનું અપહરણનું નાટક કરાવી, બદલામાં તમારા રકમબંધ આતંકવાદીઓને છોડાવીએ. મુફ્તિ મહંમદ સઈદનો જ દાખલો લો ને!

“આ બધી વાતો તો તમે જાણો જ છો. હા પણ, અમે આ બધું ત્યારે જ કરી શકીએ જ્યારે તમે અમને સત્તા પર રાખો.

“હે મુસ્લિમ ભાઈઓ, કેટલાક સુજ્ઞ મુસ્લિમ ભાઈઓ, તમારા વિરોધનો વિરોધ કરશે. પણ તમારે તેમને ગણકારવાના નથી. અમે તમારી સાથે છીએ. તમારે દશ હિંસક વિરોધ કરવાની સાથે એક શાંત વિરોધ પણ કરવો. જો કે નહીં કરો તો પણ ચાલશે. અમે કહીશું કે સરકારની પોલીસે શાંત વિરોધકર્તાઓ પર દમનનો કોરડો વીંઝ્યો છે. લઘુમતિઓના અવાજને રુંધ્યો છે. લઘુમતિઓના બંધારણીય અધિકારોને સરકારે નકાર્યા છે. બીજેપી સરકારે બંધારણનું ખૂન કર્યું છે. આ સરકાર નાઝીવાદી છે. અમે યુનોમાં આ સરકારને પડકારીશું.

“હે મુસ્લિમ બંધુઓ, તમે યાદ રાખો કે તમે પણ જેવા તેવા નથી. ચંગીજ઼ખાન, તૈમૂર, મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગજ઼નવી … વિગેરે અનેક મહાનુભાવોના સંતાન છો. વારસદાર છો.

મુસ્લિમોને કશું મોળું ખપે

“હે મુસ્લિમ બંધુઓ, અમે જાણીએ છીએ કે તમને કશું મોળું ન ખપે. તમે નાના પાયે કશું કરવામાં માનતા નથી. અમે તમને આ વાત જ શિખવી છે. તમારે તો આખા રેલ્વેના ડબાને બાળવાનો હોય છે.  તમે હજારો કાશ્મિરી હિન્દુઓની કત્લ કરો, હાજારો કશ્મિરી હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટો, અને પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓને ખૂલ્લંખૂલ્લી બિન્ધાસ્ત ધમકીઓ આપી તેમના ઘરોમાંથી તગેડી મુકો, અને દશકાઓ સુધી તેમને નિરાશ્રિત રાખો, તો પણ તેમાંના એક પણ હિન્દુની મજાલ છે કે તે આતંકવાદી બને? એટલું જ નહીં દેશના એક અબજ હિન્દુઓમાં પણ એક પણ આતંકવાદી ન પાકે એવો અમારો કડપ છે. અરે! એટલું જ નહીં, હિન્દુઓ આતંકવાદી ન હોય તો પણ અમે આ હિન્દુઓ વિષે “હિન્દુ આતંકવાદ”થી ભારતને બચાવો એવી કાગારોળ અને ઘોષણાઓ દેશ વિદેશમાં કર્યા કરીએ છીએ. હે મુસ્લિમ બંધુઓ, તમને અમારા જેવા (ખાવિંદ, હમસફર) મળવા અશક્ય છે. આ વાત તમે મહેસુસ કરો.

“હે મુસ્લિમ બંધુઓ, તમે એક કશ્મિરમાં જ હિન્દુઓને હતા ન હતા કરી શકો એટલું પુરતું છે એમ ન માનતા. અમે તમને ભારતમાં છૂટક છૂટક અનેક છોટે કાશ્મિર બનાવવાની છૂટ આપી છે અને તમને એનો લાભ લેવા સશક્ત કર્યા છે. એટલે તમે બેફામ બનો. તમે રેલ્વેના પાટા ઉખેડો, બસો બાળો, વાહનો બાળો, પોલીસ ચોકીઓ બાળો, પોલીસો અને સુરક્ષા દળો ઉપર પત્થર મારો કરો … આખા દેશમાં હા હા કાર મચાવી દો. એટલે દુનિયાને પણ ખબર પડશે કે આ બીજેપી સરકારે કંઇક તો એવું કર્યું છે કે જે આ શાંત, અમન પ્રિય, સાચાબોલી અને ઇમાનદાર ધર્મ પાલન કરનારી મુસ્લિમ પ્રજા વિરુદ્ધ છે. અને તેથી જ તો તે ન્યાયની યાચના માટે રસ્તા ઉપર આવી ગઈ છે.”

તડ અને ફડ વાળા

કેટલાક તડ અને ફડ વાળા મૂર્ધન્યો પોતે તટસ્થ છે, તે બતાવવાની ઘેલછામાં નાગરિકતા સંશોધન કાયદાને (સી.એ.એ.)ને અ-જનતાંત્રિક અને ભારતીય સંવિધાનની બિનસાંપ્રદાયિક જોગવાઈના હનન તરીકે ઠેરવે છે. જો સાચેસાચ આમ જ હોય તો તેમણે “નહેરુ-લિયાકત અલી સમજુતી”ને પણ સાંપ્રદાયિક ગણાવવી જોઇએ. એટલે કે નહેરુની ઉપર આ સમજુતીનો આધાર લઈ માછલાં ધોવા જોઇએ. પણ આ ઘેલા લોકોમાં આ હિમત નથી. અથવા તો તેમની સ્મૃતિમાંથી આ ઘટનાનો લોપ થયો છે. જો આવું ન હોય તો તેમની દૃષ્ટિએ કરાર કરવો અને પછી ભૂલી જવો તે સેક્યુલર છે. પણ તે કરારનો અમલ કરવો તે એક દુષ્કૃત્ય છે અને અક્ષમ્ય છૅ. એટલે કે નહેરુ અને લિયાકત અલી વચ્ચે કરાર થયો તે વાત તો ઠીક છે મારા ભાઈ. નહેરુ/ઇન્દિરાએ તે કરારની રુએ પ્રતાડિત હિન્દુઓની તરફમાં પગલાં લેવામાં પ્રમાદ કર્યો તે માટે તેમને ધન્ય છે. અને લિયાકત અલીએ કે તેમના અનુગામીઓએ તો હિન્દુઓની સુરક્ષા પણ ન કરી. તેથી તે સૌ નેતાઓને સલામ છે. આ મૂર્ધન્યોની વક્રતા જુઓ. મોદીને કોઈ પણ તાર્કિક આધાર વગર કોમવાદી, નાઝીવાદી કહેશે, પણ જે નહેરુએ કાશ્મિરમાં બિનલોકશાહીયુક્ત કલમ ૩૭૦/૩૫એ, દાખલ કરી તે વિષે મૌન રહેશે. વળી તેઓ, કાશ્મિરની સ્વાયત્તતા નરેન્દ્ર મોદીએ નષ્ટ કરી તેમ કુદી કુદીને કહેશે. ૧૯૪૮માં જમ્મુ કાશ્મિર ઉપર યુનોએ ઠરાવ પાસ કર્યો, પણ તેના અમલ માટે નહેરુએ પાકિસ્તાન ઉપર દબાણ ન કર્યું. નહેરુવંશવાદીઓના આવા તો અગણિત પ્રમાદો ઇતિહાસના પર્ણો ઉપર લખાયેલા છે.

દરેક દેશનું કર્તવ્ય છે અને તે પણ જનતાંત્રિક રાષ્ટ્રો માટે તો ખાસ, કે પોતાના નગરિકોની નોંધ રાખે. જો આવું તે ન કરે તો લાંબે ગાળે દેશ ઘુસણખોરોથી ખદબદવા લાગે. દરેક રાષ્ટ્ર આવી નોંધણી રાખે છે. વળી ભારતમાં તો સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ કર્યો છે. નહેરુવંશવાદી સરકારોએ કદી ન્યાયિક આદેશોને ગંભીરતાથી લીધા જ નથી. તેના અનેક ઉદાહરનો નોંધાયેલા છે. આ પણ એક પ્રમાદમાં ભૂલાયેલો આદેશ છે./આપણા મૂર્ધન્યોને બીજેપી જેવી પ્રતિબદ્ધ સરકાર પસંદ નથી. આપણા મૂર્ધન્યોને તો કોંગી જેવી એદી સરકાર જ પસંદ પડે છે. વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડમાં ૪૦ કરોડ રુપીયા, મીડીયાનું મોં બંધ રાખવા આપ્યા હતા. આ શું દર્શાવે છે? જોકે કેટલાક મૂર્ધન્યોને પાઈ પણ નહીં મળી હોય પણ આવા મૂર્ધન્યોને તો આ કૌભાંડોની ખબર પણ નહીં હોય.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

“પાયામાં તું પુરાઈ જાજે … કળશના ચમકારા”

પાયામાં તું પુરાઈ જાજેકળશના ચમકારા

એક ભાઈ વાત લાવ્યા કે ભારતને સ્વતંત્રતા કોણે અપાવી? ચર્ચા ચાલતી હતી અને એક નવા ભાઈએ પ્રવેશ કર્યો. એમણે કહ્યું કે ભારતને સ્વતંત્રતા ઇન્દિરા ગાંધીએ અપાવી. અને તેમણે સાબિત કરી દીધું કે ઇન્દિરા ગાંધીએ(*) ભારતને સ્વતંત્રતા કેવી રીતે અપાવી. જો કે જમાનો હતો કે બધી કહેવાતી સફળતાઓ ઈન્દિરાને નામ કરવી.

જ્યારે કટોકટી ચાલતી હતી, ત્યારે ભારતની અધોગતિના કારણો ઉપર ચર્ચા ચાલતી હતી. ભારતની અધોગતિનું સૌથી મોટું કારણ શુ? એક ભાઈએ કહ્યુંઈશ્વરચંદ્ર વિદ્યાસાગર”.

ઉપરોક્ત બે મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. પણ જેને બે કારણો જાણવા હોય તેઓ મને અંગત રીતે લખે કારણ કે કારણો જરા સુરુચિનો ભંગ કરે એવા છે.

નર્મદા પરિયોજનાનો યશ કોને આપવો?

BHAIKAKA AND SARDAR PATEL

તેથી પણ વિશેષ, કે નર્મદા યોજનાનો યશ કોને આપવો? તમે અવશ્ય જોઇ શકો છો કે બીજેપી તરફી ગ્રુપ, યોજના પૂર્ણ કર્યાનો  યશ કોંગ્રેસને મળે એમ અભિપ્રાય આપશે. તેવી રીતે જે કેટલાક કટારીયા  મૂર્ધન્યોનો કોંગી (કોંગ્રેસ તો કહેવાય) તરફનો ભ્રમ ભાંગ્યો નથી, તેઓ યોજના પૂર્ણ કરવાનો યશ બીજેપી ને જેમ બને તેમ ઓછો મળે તે માટે માથાફોડ કરશે. તે માટે સરદાર પટેલના નામનો ભોગ આપવો પડે તો આપવો.

હાલની નવી જનરેશન માટે તો બધુંબકરીકી તીન ટાંગની વાત જેવું છે.

બકરીકી તીન ટાંગએટલે શું?

એક સ્ટેજ હતું. સ્ટેજ ઉપર થોડા અગ્રણીઓ બેઠેલા. બે વક્તાઓ હતા. અને પ્રેક્ષકો હતા. વિષય હતો કે બકરીને કેટલી ટાંગ (પગ) હોય. એક વક્તા હતા તેણે બકરી જોયેલી. તેમણે કહ્યું કે બકરીને ચાર ટાંગ હોય. બીજા વક્તાએ બકરી નામનું પ્રાણી  જોયેલું નહીં પણ તેમનો દાવો હતો કે તેમણે બકરીઓ જોયેલી છે. જે અગ્રણીઓ હતા તેમણે બકરી નામના પ્રાણીને જોયેલું નહીં. પણ અગ્રણીઓ બીજા વક્તાના વળના હતા. અગ્રણીઓએ બકરી નામના પ્રાણીને જોયું હોય તો પ્રેક્ષકોએ તો ક્યાં થી જોયેલું હોય?

ચર્ચાને અંતે સિદ્ધ થયેલું માનવામાં આવ્યું કે બકરી નામના પ્રાણીને ત્રણ ટાંગ હોય.

૧૯૪૨માં જેઓ યુવાન હતા તેઓ અત્યારે કાં તો પ્રભુના પ્યારા થઈ ગયા છે કે વાર્ધક્યમાં પહોંચી ગયા છે. તેમનો સ્મૃતિદોષ હોય તો પણ સુજ્ઞ જનથી સભ્યતાને ખાતર તે તરફ આંગળી ચીંધી શકાય. પણ હવે ક્યારેકન્યાયાર્થે નિજ બંધું કો ભી દંડ દેના યોગ્ય હૈ હિસાબે કોણ કેટલું સાચું છે તે સમજીએ.

શું વાર્ધાક્યે પહોંચેલા પણ માહિતિને અભાવે ખોટા તારણો પર આવતા નથી?

હાજી. વિદ્વાન અને બહુશ્રુત વ્યક્તિઓ પણ માહિતિના અભાવે ખોટા તરણો પર આવે છે.

જેમકે મોરારજી દેસાઈએ કહેલ કે પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે મહાત્મા ગાંધી ઉપવાસ ઉપર બેઠા હતા.

માન્યતા અનેક લોકોની છે.

જેઓ ને ગાંધીજીના નિયમોની અને પ્રણાલી ખબર છે તેઓમાંથી કેટલાકે બરાબર તપાસ કરી નથી. “પ્રણાલીશબ્દને બદલે ગાંધીજીનોસિદ્ધાંતકહેવો વધુ ઠીક કહેવાશે. પ્રણાલી સિદ્ધાંત ઉપર નિયમિત છે. જ્યારે પણ ગાંધીજી સત્યાગ્રહની ઘોષણા કરતા ત્યારે તેઓ તે પૂર્વે જેની સામે સત્યાગ્રહ કરવાનો હોય, તેને પહેલાં ચર્ચા માટે માગણી કરતો લેખિત સંદેશો મોકલતા. તેમની પત્રિકામાં પણ છાપતા. જો સત્યાગ્રહ સરકાર સામે હોય કે હોય તો પણ સરકારને તો અવશ્ય જાણ કરતા. જો ચર્ચાનો અસ્વિકાર થાય અથવા ચર્ચા અસફળ થાય અને ચર્ચા બંધ થાય અથવા સરકાર મુદત પણ માગે તો પછી સત્યાગ્રહની નોટીસ આપતા. નોટીસમાં બધું વિવરણ આપતા.

ઉપરોક્ત કિસ્સામાં ગાંધીજીએ જે નોટીસ આપેલી તેમાં ૫૫ કરોડ રુપીયા પાકિસ્તાનને આપવા બાબતનો કોઈ મુદ્દો હતો નહીં. વાસ્તવમાં ગોડસે પોતાના બચાવમાં ન્યાયાલયમાં તત્કાલિન હાથવગો મુદ્દો ઉમેરેલો.

અગાઉ એટલે કે જ્યારે ગોડસે ગાંધીજીની હત્યા કરવામાં સફળ થયો તે પહેલાં, જ્યારે ૫૫ કરોડનો મુદ્દો અસ્તિત્વ ધરાવતો હતો, ત્યારે પણ ગોડસેએ, ગાંધીજીની હત્યા કરવાના બે નિસ્ફળ પ્રયત્ન કરી ચૂક્યો હતો. હવે જો મોરારજી દેસાઈ જેવા પણ ગેરસમજણ ધરાવવામાંથી મુક્ત રહી સકે તો આપણા સમાચાર પત્રોના મૂર્ધન્યો વળી કઈ વાડીના મૂળા?

નર્મદા યોજનાની વાત કરીએ.

MORARJI DESAI AND OTHERS STRUGGLED FOR NARMADA PROJECT

૧૯૫૦ થી ૧૯૬૯ સુધીનો સમય કોંગ્રેસની આંતરિક અંધાધુધીનો સમય હતો. સરદાર પટેલ ગુજરી ગયા પછી નહેરુનીલોકપ્રિયતાની કક્ષાનોકોઈ નેતા કોંગ્રેસમાં રહ્યો હતો. જો કે મૌલાના આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, ચક્રવર્તી રાજ ગોપાલાચારી જેવા નેતાઓ હતા ખરા પણ ખાસ કરીને સમાચાર માધ્યમોને લીધે અને નહેરુના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનની પ્રસિદ્ધિઓને લીધે લોકપ્રિયતામાં નહેરુનો આંક ઉંચો હતો. બધું હોવા છતાં પણ ૧૯૫૨માંની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને જે પ્રચંડ બહુમતિ મળી તે ગોલમાલથી ભરેલી હતી. કોંગ્રેસ સંગઠન નહેરુનું ખાસ તાબેદાર હતું. જોકે, કોંગ્રેસ સંગઠન (કેન્દ્રીય કારોબારી મંડળ)ના સદસ્યો પણ બધી વાતોમાં એકમત હતા. નહેરુએ આનો લાભ લીધેલો. નહેરુ બધી પોતાની ધોરાજી ચલાવ્યા કરતા અને જરુર પડ્યે  નહેરુ અવારનવાર રાજીનામાની ધમકી આપી પોતાનું મનધાર્યું કરાવી લેતા.

ગુજરાતની વાત કરીઓ મોરારજી દેસાઈ સૌથી મોટા અને કાબેલ નેતા હતા.

જેમ વલ્લભભાઈની બદબોઈ નહેરુના પીઠ્ઠુઓ કરતા, તેમ તે પછી પીઠ્ઠુઓ મોરારજી દેસાઈની તેમના પુત્રને ફાયદો કરાવ્યાની અધ્ધરતાલ વાતો કરી મોરારજી દેસાઈની બદબોઈ કર્યા કરતા.

જો કે ગુજરાતના કેટલાક વર્તમાન પત્રો ગાંધીવાદી હતા તે બધા મોરરજી દેસાઈની તરફમાં લખતા પણ વર્તમાન પત્રો નહેરુની વિરુદ્ધમાં લખવાનું ટાળતા.

૧૯૪૭માં કચ્છ અને સૌરાષ્ટ્ર અને મુંબઈ અલગ રાજ્ય હતા. મુંબઈની અંદર ગુજરાત,રાજસ્થાન નો કેટલોક ભાગ, મહારાષ્ટ્ર કોંકણ અને કર્ણાટક હતા. કચ્છ એક મોટું  દેશી રાજ્ય હતું એટલે તે અલગ હતું, જેવી રીતે હૈદરાબાદ, મ્હૈસુર અને જમ્મુકાશ્મિર અલગ રાજ્ય હતાં.

૧૯૫૭ની સામાન્ય ચૂટણીમાં  કોંગ્રેસનો મહારાષ્ટ્રમાં ધબડકો થયો. અને સત્તા ટકાવી રાખવા કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર ને જોડીને મોટું રાજ્ય બનાવ્યું.

નહેરુ જ્યાં સુધી પોતાની ખૂરસી ને આંચ આવે ત્યાં સુધી ઇન્દિરાની જેમ અનિર્ણાયકતાના કેદી હતા.

નર્મદા યોજનાની કલ્પના ૧૯૩૦માં થયેલી એમ ભાઈકાકાએ (ભાઈલાલ ભાઈ પટેલ , સરદાર વલ્લભભાઈ પટેલ શૈક્ષણિક નગરના સ્થાક) કહેલું.

આમ તો ભાકરા નાંગલ અને નર્મદા યોજનાની કલ્પના સ્મકાલિન હતી. પણ નહેરુને નર્મદા યોજનામાં રસ હતો. કારણ કે યોજના સરદાર પટેલે અને ભાઈકાકાની ટીમે બનાવી હતી.  

ગુજરાતની નર્મદા યોજના ઉપરાંત બારગી, તવા અને પુનાસા જેવી કુલ સાત યોજનાઓ પણ નર્મદા નદી ઉપર હતી.

૧૯૬૧માં નહેરુચાચાએ શીલા રોપણ કર્યું. ગુજરાત અલગ રાજ્ય થયું અને મધ્ય પ્રદેશ અલગ રાજ્ય થયું. એટલે રાજ્યોને ઝગડાવવામાં તો નહેરુની કોંગ્રેસ માહેર હતી. મધ્ય પ્રદેશ અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે સમજુતી થઈ કે તબક્કા વાર નર્મદા ડેમની ઉંચાઈ ૪૨૫ ફુટ સુધી વધારવી. પણ પછી મધ્યપ્રદેશ સમજુતીમાંથી ફરી ગયું.

હજુ ગુજરાત કોંગ્રેસ, “ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસબની હતી. એટલે મોરારજી દેસાઈના પ્રેસરથી ખોસલા કમીટી બનાવાઈ અને તેણે એક વર્ષમાં તો પોતાનો રીપોર્ટ આપી દીધો. બંધની ઉંચાઈ તબકાવાર ૫૦૦ફુટની કરવી એમ નિષ્ણાતોનો અભિપ્રાય હતો.  

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં નર્મદા યોજના પણ કે મુદ્દો હતો. ૫૦૦ ફુટની ઉંચાઈ સુધી લઈ જઈ શકાય તેમ હતું. તે ખરું પણ મધ્યપ્રદેશ તે વાતને કન્ફર્મ કરતું હતુંભાઈ કાકા કહેતા હતા કે જેટલી યોજનાઓ નર્મદા નદી ઉપર કરવી હોય તેટલી યોજનાઓ મધ્યપ્રદેશ ભલે કરે. નર્મદામાં પુષ્કળ પાણી છે. એટલે નર્મદાની નવાગામ ડેમની ઉંચાઈ ઘટવી જોઇએ.

૧૯૬૭ની ચૂંટણીમાં કોંગ્રેસ હારતાં હારતાં બચી ગઈ હતી.

નર્મદા યોજનામાં ત્રણ રાજ્યો સંડોવાયેલા છે. ત્રીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર. “ઉસકા ડીચ તો મેરા ભી ડીચકરીને મહારાષ્ટ્ર પણ કુદી પડ્યું હતું.

ત્રણ કિલોમીટરની લંબાઈમાં, નર્મદા નદી, ઉત્તરમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્રને વિભાગે છે, અને ગુજરાતમાં દાખલ થાય છે.

યોજનાઓમાં રાજકારણ ઘુસે અને તેમાં પણ જ્યારે એક પક્ષ કોંગ્રેસ હોય, તો પછી જે થવાનું હોય તે થાય. આંતરિક ખટપટોમાં યોજનાઓનો પણ ભોગ લેવાય ત્યારે જનતાએ તે પક્ષને ઓળખી લેવો જોઇએ.

ગુજરાતના સદ્ભાગ્યે ગુજરાતમાં મોરારજી દેસાઈ વાળું ગ્રુપ  સંસ્થા કોંગ્રેસ સત્તા ઉપર હતું. એટલે તેણે ૧૯૬૯માં ટ્રીબ્યુનલની સ્થાપના કરાવી દીધી.

કોંગ્રેસ પક્ષ વિભાજિત થઈ ગયો. ઇન્દિરા ગાંધીનો જ્વલંત વિજય થયો.

ત્રણે રાજ્યોમાં ઇન્દિરાએ પોતાના મનપસંદ મુખ્ય મંત્રીઓ રાખ્યા હતા.

જો ઇન્દિરા ગાંધી ધારત તો ત્રણે રાજ્યોની સરકારો વચ્ચે સમજુતી કરાવી શકત અથવા તો ટ્રીબ્યુનલ પાસે જલ્દી ચૂકાદો લેવડાવી શકે તેમ હતું. પણ ઇન્દિરા નહેરુ ગાંધી જેનું નામ. પોતે સત્તા ઉપર હતી તે દરમ્યાન કોઈ ચૂકાદો આવવા દીધો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને તેનો પક્ષ હાર્યા. જનતા પાર્ટી આવી અને ટ્રીબ્યુનલનો ચૂકાદો ૧૯૬૮માં આવ્યો.

ઇન્દિરા ગાંધીએ પર્યાવરણ મંત્રાલય ઉભું કરેલું. અને પછીતો એનજીઓ, પર્યાવરણના રક્ષકો, વિસ્થાપિતોની પુનર્વસવાટ અને તેના ખર્ચા અને અમલએવી અનેક બાબતોના પ્રશ્નો ચગાવવામાં આવ્યા. વિશ્વબેંકને થયું કે સંઘ કાશીએ પહોંચે તેમ નથી. એટલે તેણે લોનનો અમુક હિસ્સો પાછો ખેંચી લીધો. ગુજરાતમાં વળી પાછી ઇન્દિરા કોંગ્રેસ આવી ગઈ હતી. યોજનાનો અને તેના આનુસંગિક ખર્ચાઓ નો મોટો ભાગ ગુજરાતની કેડ ઉપર લાદ્યો. નર્મદા યોજના ખોડંગાતી ખોડંગાતી ચાલી.

જો નિર્ણાયક યોગદાનના ભાગીદારોની સૂચિ બનાવીએ તો તેમાં વલ્લભભાઈ પટેલ, ભાઈલાલ ભાઈ પટેલ, હિતેન્દ્ર દેસાઈ (સંસ્થા કોંગ્રેસના વળના), બાબુભાઈ જશભાઈ પટેલ, મોરારજી દેસાઈ,  જનતાદલ (જી) ના ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી, બધાં નામો આવે.

માધવભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, શંકર સિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા, શોભાના ગાંઠીયા હતા. કેટલાક તો પણ હતા

નહેરુવીયનોનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ જાણી તો છે.

૧૯૫૦ના દશકામાં સૌરાષ્ટ્ર  રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્રમાં જે પાકા રાજમાર્ગો થયા તે થયા. દ્વીભાષી રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કોઈ રસ્તા પાકા થયા હતા. બીજા રાજ્યો તો કોલંબોપ્લાન થી પણ આગળ નીકળી ગયેલ. જ્યારે ગુજરાતમાં કોલંબો પ્લાનથી પણ ઓછા રસ્તા થયેલ. ૫૦ના દશકામાં હમેશા વાત ઉઠતી કેગુજરાતને અન્યાયથાય છે. તે વખતે પણ કેટલાક હૈયા ફુટ્યા વર્તમાન પત્રો વાતને જૂઠી સાબિત કરવા મથામણ કરતા.

ગુજરાતમાં એક પણ કેન્દ્રીય જાહેર ઉપક્રમ સ્થપાયા હતા. ભાવનગરતારાપુર, મશીન ટુલ્સ નું કારખાનુંબધું ઇલ્લે ઇલ્લે રહ્યું હતું. મીઠાપુરના તાતાના ઉપક્રમને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાતમાં મોટેભાગે જે કંઈ થયું તે ગુજરાતીઓએ પોતાના બાહુબળ થકી કરેલ.

૨૦૦૪ થી ૨૦૧૪ ના કોંગી શાસન દરમ્યાન પણ સરદાર ડેમ ઉપર દરવાજા લગાવવાની મંજુરી મનમોહન સરકારે આપી હતી. જ્યારે વાત નરેન્દ્ર મોદીએ, કોંગ્રેસ વિરુદ્ધ  જાહેર કરી ત્યારે મનમોહને આપેલ ઉત્તર કેટલો હાસ્યાસ્પદ હતો, તે વાત કોંગીયોની માનસિકતા છતી કરે છે.

જો કોંગીઓના હૈયે ગુજરાત અને દેશનું હિત હોત તો તાતાની મીઠાપુરની બહુયામી યોજના અને કલ્પસર યોજના ક્યારનીય પુરી થઈ ગઈ હોત.

ક્યાં ૧૯૪૬ થી ૧૯૬૪ અને ક્યાં ૧૯૪૬થી ૨૦૧૬?

જે કોંગીએ ભાખરા નાંગલ અને નર્મદા યોજના એક સાથે પરિકલ્પિત કરેલી તેમાં ભાખરા નાંગલને કશી મુશ્કેલી આવવા દીધી, અને તે ૧૯૬૪માં પુરી થઈ ગઈ. અને નર્મદા યોજના ૧૯૬૬માં પૂરી થવાને બદલે ૨૦૧૬માં પણ પુરી થવા દીધી, તે કોંગીઓને નર્મદા યોજનામાં તેમનો સિંહફાળો હતો તેમ કહેતાં લાજ આવતી નથી.

૧૯૭૫માં મોરારજી દેસાઈએ સાચું કહેલું કે ઇન્દિરા ગાંધીએ નર્મદા યોજના બાબતે ગુજરાતના પેટમાં છરી ખોસી છે.

નરેન્દ્ર મોદી; અર્વાચીન યુગનો ભગીરથ

NARMADA AVATARANAM

નર્મદા યોજના પુરતી નથી. નર્મદાના નીર અને સૌરાષ્ટ્રની નદીઓને જોડવાની યોજના પણ જરુરી છે. આ છે નર્મદા અવતરણમ્‌. આ બધું પુર ઝડપે ચાલે છે. નર્મદામાં અખૂટ પાણી છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન થયા પછી સૌપ્રથમ કામ નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાનું કર્યું એટલે જ્યારે ઠીક ઠીક વરસાદ પડે તો નર્મદા ડેમમાં વધુને વધુ પાણી ભરી શકાય.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

ફોબીયા પીડિત મીડીયા મૂર્ધન્યો સજ્જ છે મોદીને હરાવવા

ફોબીયા પીડિત મીડીયા મૂર્ધન્યો સજ્જ છે મોદીને હરાવવા

રાજકારણમાં એવું મનાય છે કે જો કોઈપણ પક્ષને હરાવવો હોય તો બીજા પક્ષોએ ભેગા થવું જોઇએ.

બધા જુદીજુદી જગ્યાએ જુએ છે અને નિશાન અલગ અલગ છે

કારણ કે સૌથી મોટો દુશ્મન સમાન છે. આમ તો દરેક પક્ષ એકબીજાના નાના મોટા દુશ્મન તો હોય છે પણ જે સૌથી મોટો દુશ્મન છે તે તો એવો જોરાવર છે કે તે તો આપણને ખતમ કરી શકે એવો છે અને જો હવે તે ફરી વખત જીતી ગયો તો આપણું તો અસ્તિત્ત્વ જ મટી જશે.

શા માટે અસ્તિત્વ મટી જવાનો ડર તેમને સતાવે છે?

આનું કારણ તો તેઓ પોતે પણ જાણે છે. તેઓ ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે અને તે ઉપરાંત તેમના અનેક સમાજ વિરોધી કાર્યો તેમને ફસાવી શકે છે.

અરે ભાઈ રાજકારણમાં તો બધા ખરડાયેલા જ હોય છે. અને આવો રીપોર્ટ તો સૌથી વધુ ભ્રષ્ટ એવા કોંગ્રેસ પક્ષે નીમેલી સમિતિએ જ ઓગણીસો નેવુંના દશકામાં આપેલો છે. તો પછી ગભરાવવું શા માટે?

ભાઈ, આ તો એવો પ્રધાન મંત્રી આવ્યો છે જે ફસાવ્યો ફસાય એવો નથી. અને તેના મંત્રીમંડળમાં પણ એવા કોઈ સદસ્ય નથી કે જેમને ફસાવી શકાય. બનાવટી ઘટનાઓ અને વિવાદાસ્પદ ઘટનાઓ ઉભી કરી તો પણ તેમાંનું કોઈ ફસાયું નથી.

હા એક વસ્તુ જરુર છે કે આપણે મોદી અને તેના પક્ષની જ્યાં જ્યાં સરકારો છે ત્યાં તેની વિરુદ્ધ વાતાવરણ નિર્માણ કરી શકીએ. આવા કામ વિવાદો ઉભા કરીને કરવા. દેશમાં અને રાજ્યોમાં બનતી ઘટનાઓનો લાભ લેવો. હવે આપણો દેશ તો અતિવિશાળ છે એટલે ઘટનાઓ તો તૂટો નથી. આમેય બાળકો ઉપર થતા દુષ્કર્મો તો એવી ઘટના છે કે (નામ આપવાની જરુર નથી એટલે) આપણે બનાવટી પણ ઉભી કરી શકીએ. એટલે એક વખત જ્યારે સરકાર વિરુદ્ધ વાતાવરણ બનશે એટલે આપો આપ આપણી દાળ ગળશે.

હા. પણ આ માટે તો ઘણા મૂર્ધન્યોની જરુર પડશે.

અરે ભાઈ મોટા ભાગના તો વેચાવા તૈયાર જ છે. કેટલાક પોતે તો તટસ્થ હોવા જ જોઇએ એવું માને જ છે. કોઈ તેમને “તમે તટસ્થ નથી” એવો ટોણો મારી જાય તે તેમને ન ચાલે. તેઓ ઈચ્છે છે કે આવો કોઈ આભાસ પણ ઉભો ન થવો જોઇએ. આવી માનસિકતા વાળા “ડબલ ઢોલકીયા” હોય છે. હવે આવા મૂર્ધન્યો ભલે પ્રમાણમાં ઓછા હોય છે. તેઓ તો આપો આપ પ્રસંગોપાત તેઓ આપણી તરફમાં પણ ઢોલકી બજાવતા હોય, પણ આપણે તેમને તેવા વધુને વધુ મોકા આપતા રહીશું.  જેઓ વાસ્તવિકરીતે તટસ્થ છે તેમની દરકાર આપણે કરવાની જરુર નથી કારણ કે તેવા મૂર્ધન્યોનો ઘણા જ અલ્પ છે. અને જેઓ બીજેપી તરફી છે તેમને તો આપણે સ્પર્શવાના પણ નથી. આવાઓને આપણે અનેક વિશેષણો થી નવાજી શકીશું.

હા. એકવાત ખરી કે જેઓ વિવેક બુદ્ધિવગરના છે તો પણ વિખ્યાત બની ગયા છે તેઓ આપણી મહાન સંપત્તિ છે. તેમને તો આપણે સાચવી લેવા જ પડશે. તેમને આપણે વધુને વધુ ખ્યાતિ આપવી પડશે.

આ વાત ખ્યાતિ ધરાવતા સમાચાર પત્રોને પણ લાગુ પડે છે.

આવા બહુ વાચક વર્ગ ધરાવતા સમાચાર પત્રોને આપણે ખાસ સાચવી લેવા પડશે. ઈલેક્ટ્રોનિક મીડીયા આવી ગયું છે પણ પ્રીન્ટ મીડીયાનો પણ દબદબો એટલો બધો ઘટી ગયો નથી કે તેને આપણે અવગણી શકીએ. જોકે તેઓ ડબલ ઢોલકી વગાડશે (એમ કહીને કે “અરે ભાઈ અમે પણ તટસ્થ છીએ તેવું લાગવું તો જોઇએ ને!!” ) પણ તેઓ આપણી તરફની ઢોલકી વધુ વગાડશે. શું સમજ્યા?

સૌથી વધું કાળું નાણું ક્યા જમા થાય છે અને વપરાય છે?

સ્થાવર મિલ્કતના કારોબારમાં.

“દરેક સમાચાર પેઈડ સમાચાર છે.” આ એક બ્રહ્મ સૂત્ર છે. સિવાય કે માલિક, મહાત્મા ગાંધીવાદી હોય. પણ મહાત્મા ગાંધીવાદીઓનો હવે જમાનો નથી. મહાત્મા ગાંધીનું નામ લઈ લઈને જીભનો કૂચો કરનારી નહેરુવીયન કોંગ્રેસે પણ તેમના વિચારોને અડવાનું ક્યારનુંય છોડી દીધું છે. દરેક સમાચાર પેઈડ સમાચાર હોય છે. અને આ નાણાં કાયમ કાળાં હોય છે. એટલે તો ઘણા સમાચાર પત્રોએ “બીલ્ડર”ના ધંધામાં ઝંપલાવેલ. પણ સાલી આ મોદી સરકાર, મોટી નોટો બદલી નાખે છે. તેથી આપણી ઘાણી થાય છે.

ચલો જે થઈ ગયું એ થઈ ગયું. કાળાં નાણાં ધીમે ધીમે વાપરવાં. આમાં કોઈ તકલીફ નથી. અને ઇશ્વર પણ આમાં તકલીફ ઉભી કરી શકે તેમ નથી. માટે ઝીકે રાખો બાપલા.

તો હવે સજ્જ થઈ જાઓ.

કેવી રીતે સજ્જ થઈશું?

રાઈનો પર્વત બનાવીને અને પર્વતની રાઈ બનાવીને.

એવા પ્રસંગો શોધો અને એવા મૂર્ધન્યો શોધો કે જે બીજેપી વિરુદ્ધ અને અથવા રાહુલ ગાંધીની તરફમાં લખી શકે.

બીજેપીની વિરુદ્ધ તો લખીશું એમાં તો આપણને ફાવટ છે. આપણે બીજેપી વિરુદ્ધ બનાવટી ઘટનાઓ ઉભી કરીશું. અથવા તો દેશ માટે નાની પણ પ્રદેશમાટે કંઈક અંશે ઠીક ઠીક, એવીને ઘટનાને આલ્પ્સને જો હિમાલયની ઉપર મૂકીએ તો જે પર્વત બને એવડી મોટી બનાવીને એવી ખૂબીલીટીથી પ્રકાશિત કરીશું કે બોમ્બે બ્લાસ્ટ પણ ફીકા પડે.

તો હવે ડીબીભાઈએ (દિવ્ય ભાસ્કર સમાચાર પત્રે) શું કર્યું તે જોઇએ.

લોકરક્ષક દળ ની ભરતી માટેની પરીક્ષા

ગુજરાત રાજ્યમાં લોક રક્ષક દળમાં નોકરીઓ હતી. એટલે કે લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા હતી. તેની પરીક્ષાનો દિવસ નક્કી કર્યો. તેના પરીક્ષા કેન્દ્રો નક્કી થયા. બધા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેસવાના હતા. પણ પરીક્ષા પ્રશ્નપત્રકો વહેંચાય તે પહેલાં ખબર પડી કે પ્રશ્નપત્ર તો ફૂટી ગયું છે.

એટલે સરકારે પરીક્ષા રદ કરી એટલે કે મુલતવી રાખી.

હવે ડીબીભાઈને થયું કે આ ઘટનાને મોટામાં મોટું સ્વરુપ કેવી રીતે અપાય? આ ઘટનાને ઈમોશનલ પણ બનાવવી પડશે. એટલે પરીક્ષાર્થીઓ પાસે થી જુદી જુદી વાર્તાઓ પણ બનાવવી પડશે અને તેને પણ ઇમોશનલ બનાવવી પડશે. કોઈ પરીક્ષાર્થીની માતા માંદી હતી અને તે કેવી રીતે મુશ્કેલીથી આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી રાતોની રાતોના ઉજાગરા કરીને આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી, ઉધાર પૈસા લઈને ટીકીટ કઢાવીને આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી વાહન ઉપર લટકીને માંડ માંડ આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી ખેતી છોડીને આવ્યો હતો … આવી તો અનેક વાર્તાઓનું અન્વેષણ કરવાની જવાબદારી ડીબી ભાઈને માથે આવી હતી. અને તેમણે તે હોંશે હોંશે નિભાવવાની હતી.

પણ ડીબીભાઈ માટે આ શું પૂરતું હતું?

ના ભાઈ ના…

ડીબી ભાઈને થયું કે આમાં તો બીજી ઘણી વાર્તાઓનું અન્વેષણ કરવાની શક્યતાઓ છે અને ન હોય તો પણ આપણે તે શક્ય કરવું પડશે. કમસે કમ પરીક્ષાર્થીઓને અને તેમના સગાંવહાલાંઓને તો એવું લાગવું જ જોઇએ કે તેમની આ ઘટના બહુ મોટી હતી અને તેને વાચા આપવા માટે પરદુઃખભંજનો કે શૂરવીરો, કે નિડરો ગુર્જર ધરા ઉપર વિદ્યમાન છે.

તો ડીબીભાઈનો ટાર્જેટ શો હતો?

ભાઈ ભાઈ… આપણે આ ઘટનાને એક તકમાં તબદિલ કરવો પડશે. જેમ મોદી સાહેબ પોતાના શાસન ઉપર આવેલી આપત્તિને અવસરમાં ફેરવવામાં માહેર બનતા હતા તેમ આપણે, બીજાની ઉપર આવેલી આપત્તિને આપણા માટે અવસરમાં પલટાવવી પડશે.  અને તેમાં મુખ્ય મંત્રીને એટલે કે ગુજરાતની બીજેપી સરકારને સંડોવવી જ પડશે.

ભાઈઓ આવી ઘટનાઓ કંઈ નવી નથી. ભારતમાં તેના રાજ્યોમાં આવું તો બનતું જ આવ્યુ છે. આમાં નવું શું છે કે આપણે તેને હદ બહાર ખેંચી લઈ જઈ શકીએ?

ડી.બી. ભાઈ બોલ્યા “અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. કોઈ પણ ઘટનાને કેવી રીતે ઘડવી, મરોડવી (ટ્વીસ્ટ કરવી) અને પ્રદર્શિત કરવી તેમાં તો અમારે ફાવટ કેળવવી જ જોઇએ. અને તે પણ જ્યારે બીજેપી શાસિત રાજ્ય હોય ત્યારે તો ખાસમ ખાસ.

તો તમે શું કરશો?

ડીબીભાઈ ઉવાચ “અમે ત્રણ ત્રણ દિવસ સુધી કે તેથી વધુ, બે બે પાના ભરીને ભોજન બનાવીશું. તમે જોઇ લેજો અમારું ભોજન. અમે બીજેપી વિરુદ્ધ જબ્બરજસ્ત વાતાવરણ બનાવી દઈશું. બીજેપી વિરુદ્ધ વાતાવરણ બનાવવું એ તો અમારો મુદ્રા લેખ છે. ભલે લખાણમાં મુદ્રાદોષ આવી જાય છે!! અરે ભાઈ વાચકો તો મુદ્રાદોષ ચલાવી જ લે છે ને! ગુ.સ.ભાઈએ “ફલાણા વિદેશી ડીપ્લોમેટનું હવાઈ મથકે સ્વાગત થયં” એવું મુદ્રાલેખન કરવાને બદલે “ફલાણા વિદેશી ડીપ્લોમેટનું હવાઈ મથકે અવસાન થયું” એવું મુદ્રાલેખન કરી દીધું તો વાચકોએ શું તેમને ફાંસીએ ચડાવી દીધેલા?

તો પછી … ખાલી ચિંતા શું કરવી? “અવસાન” શબ્દ વધુ આકર્ષક લાગ્યો હશે એટલે વાપરી નાખ્યો. એ કંઈ મુદ્રાદોષ થોડો હતો?

શબ્દોના અર્થ તો રા.ગા. ભાઈ પણ સમજતા નથી. અરે ભાઈ, ઇન્દિરાબેનને પણ ક્યાં વિભાજન શબ્દના અર્થની ખબર હતી? આ તો જ્યારે ઓગણીસો પચાસના દાયકામાં સંસદમાં અવારનાવર વપરાવવા લાગ્યો, એટલે બેનને થયું કે આ “વિભાજન … વિભાજન…” શું બોલ્યા કરે છે!!! “વિભાજન” એટલે વળી શું છે? એટલે એમને પૂછવું પડ્યું કે આ વિભાજન એટલે શું? કેટલાક લોકો આ વાત થી ધન્ય ધન્ય થઈ ગયા કે આપણા વડાપ્રધાન નેહરુ કેટલા સરસ પાશ્ચિમાત્ય છે કે એમના પુત્રી ઇન્દિરા બેન પણ અસલ એમના જેવાં જ છે.

ઇન્દિરાબેન અને વિભાજન યાદ આવ્યાં એટલે રા.ગા.ભાઈ પણ યાદ આવ્યા.

હાસ્તો … શબ્દો કેવી રમૂજ ફેલાવે છે અને શબ્દોના અર્થો પણ કેવી રમૂજ ફેલાવે છે.

અંગ્રેજીમાં જો જીભ થોથવાય તો ઘાણી થાય. એક તો આપણી યોગ્યતા ખતમ થાય. લાલુ પ્રસાદ ની જેમ જ સ્તો. તેમણે એક વખત સંસદમાં અંગ્રેજી બોલીને બધાને ખૂબ હસાવેલા. અને કેટલાકે આને આપણી સંસદની કક્ષાની ટીકા કરી કે સંસદમાં પણ સદસ્ય થવાની યોગ્યતાની પરીક્ષા લેવાવી જોઇએ.

પણ જો તમે ભારતીય ભાષા બોલતાં થોથવાઓ તો તમારામાં સંસદસદસ્ય થવાની યોગ્યતા આપોઆપ આવી જાય છે. દાખલો લેવા દૂર જવું પડે તેમ નથી. રા.ગા. સાહેબ હાજરા હજુર છે. ચાર વાર તેમણે વિશ્વેશ્વરૈયા બોલવાનો પ્રયત્ન કર્યો. પણ નિસ્ફળ ગયા એટલે તેમને થયું જવા દો. લોકો તો સમજી જ ગયા છે કે હું કોનું નામ બોલવા માગું છું. તો હવે સમજેલા વધુ શું સમજાવવું! હું તો નહેરુવંશી છું એટલે હું તો સંસદ સદસ્ય જ નહીં પણ વડોપ્રધાન થવાની પણ યોગ્યતા ધરાવું છું.

હમણાં વળી પાછી રા.ગા.ભાઈની ઘાણી થઈ.

રા.ગા. ભાઈએ કહ્યું “અશોક ગેહલોતજીને કુંભકરણ લીફ્ટ યોજનાકા પૈસા દિયા…” રા.ગા. ભાઈને તો ખબર જ ન હતી કે તેમણે વાંચીને વાંચીને પણ બોલવામાં કંઈ ભૂલ કરી છે. એટલે તેઓશ્રી તો જાણે કંઈજ થયું ન હોય, અને બધું નોર્મલ જ છે એમ જ માનીને આગળ બોલવા જ જતા હતા. તેવે સમયે કોઈ માઈનો લાલ સ્ટેજ ઉપર હતો, તેણે તેમને અટકાવ્યા. અને કુંભકરણ નહીં પણ કુંભારાણા એમ સુધરાવ્યું.

તમને કોઈ ઉંઘમાંથી જગાડીને પણ પૂછે, તો પણ તમે, સિદ્ધરાજ જયસિંહને બદલે સિદ્ધરાજ જયચંદ ન બોલો. પણ રા.ગા. ભાઈ કે જેઓ દત્તાત્રેય ગોત્રના છે તેમને માટે બધું શક્ય છે. તેમને ક્યારેય એ ટ્યુબલાઈટ ન થાય કે કુંભકર્ણ એ એક અણગમતું પાત્ર છે અને કુંભારાણા એક મનગમતું પાત્ર છે. એમને લાગ્યું કે કુંભકર્ણ હોઈ શકે કારણ કે કુંભકર્ણ, એ શાબ્દિક રીતે વધુ સુસંસ્કૃત લાગે છે.

આપણા શેખર ગુપ્તાજી તો રા.ગા.ભાઈ પર ફીદા છે.

શે.ગુ. (શેખર ગુપ્તા) ભાઈના કહેવા પ્રમાણે રા.ગા. ભાઈ, હમણાં હમણા જે કંઈ કરી રહ્યા છે તે તેમની એક જબ્બરજસ્ત ચતુર ચાલ છે. એટલે કે તેઓશ્રી એટલે કે રા.ગા. ભાઈ એક ચક્રવ્યુહ બનાવી રહ્યા છે. રા.ગા. ભાઈ ધર્મપ્રેમી હિન્દુ હોવા ઉપરાંત ઉચ્ચવર્ણના બ્રાહ્મણ છે. અને આ શોધદ્વારા રા.ગા.ભાઈએ બીજેપી ભાઈઓને ચક્કર ખવડાવી ચત્તાપાટ પાડી દીધા છે. સંઘવાળાએ પૂછ્યું કે તમે બ્રાહ્મણ છો તો તમારું ગોત્ર કયું છે. રા.ગા. ભાઈએ તો જનોઈધારી બ્રાહ્મણ ઉપરાંત તેમનું ગોત્ર પણ જણાવ્યું. દત્તાત્રેય ગોત્ર.

શે.ગુ. ભાઈ, તેમના રા.ગા.ભાઈના આ કથનને રા.ગા.ભાઈનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે.

આમ તો શે.ગુ.જી ના કહેવા પ્રમાણે રા.ગા.ભાઈએ તો ડાબેરીઓ, (તથા કથિત) ધર્મનિરપેક્ષ અને લિબરલ (ગેંગ) ને છક્કડ ખવડાવી દીધી છે. એટલે કે રા.ગા. ભાઈ એ બધા કરતાં વધુ ચાલાક નિકળ્યા છે. રા.ગા.જીએ શું કરવું જોઇતું હતું તેમાં કોકને ટાંક્યા છે અને ઇન્દિરા ઉપર વાતવાતમાં ફૂલ પણ ચડાવી દીધું.

હવે જો બીજેપીવાળાઓ રા.ગા.ના મંદિર મંદિર પર્યટન ને પાખંડ કહેતા હોય તો શે.ગુ.જી તેનું સામાન્યીકરણ કરીને તેને મોળું બનાવી દે છે. આ કોંગી-ભક્તોની આદત છે.

સીત્તેરના દશકાના પૂર્વાર્ધમાં, ઇન્દિરા ગાંધીની આપખૂદી વિષે અને ભ્રષ્ટાચાર વિષે આરોપો લાગતા ત્યારે પણ તેના ભક્તો કંઈક આથી પણ વિશેષ વાત કહેતા હતા, કે આવું તો તમે પહેલેથી જ કહો છો. આમાં નવું શું છે? એટલે કે કોંગીઓના અને તેમના ભક્તોના કહેવા પ્રમાણે તમે હેલમેટ ન પહેરી હોય અને કોઈએ અવાર નવાર ધ્યાન દોર્યું હોય. પણ તમને હેલમેટ ન પહેરવાનો, પરવાનો મળી ગયો. હર હમેશ હેલમેટ ન પહેરવાથી ગુનો બનતો નથી. કારણ કે અમે હેલમેટ નથી પહેરતા એ તો તમે કહી જ દીધું છે એમાં નવું શું છે?

આપણી વાત હતી રા.ગા. ભાઈના ગોત્રની.

રા.ગા.ભાઈએ પોતાનું ગોત્ર શોધી કાઢ્યું છે. તેમનું ગોત્ર “દત્તાત્રેય” છે. હવે ન તો શે.ગુ.ભાઈને ખબર છે કે ન તો રા.ગા. ભાઈને ખબર છે કે ગોત્ર એટલે શું? તેઓ એમ સમજતા લાગે છે કે આપણા કોઈ મહાન પૂર્વજ એ આપણું ગોત્ર.

ગુરુ પરંપરા અને ગોત્ર એ ભીન્ન છે તે શે.ગુ.ભાઈને જ, ખબર ન હોય.  આ વાત તેઓશ્રી કદાચ પોતે જ ન સમજી શકતા હોય તે આપણે સહજ રીતે માની શકીએ. કારણ કે ક્ષત્રીયોમાં વંશ અને કુળ હોય છે અને બ્રાહ્મણોમાં ગોત્ર અને પ્રવર હોય છે. મહાત્માઓમાં ગુરુપરંપરા હોય છે. વાણિયાઓમાં શું હોય છે તે ખબર નથી. હા વીસા, સોળા, દશા, સ્થાનકવાસી, શ્વેતાંબર … એવું હોય છે ખરું. પણ વૈષ્ણવોમાં શું હોય છે તે ખબર નથી. એ જે હોય તે. આપણે વિષયાંતર નહીં કરીએ. મૂળ વાત પર આવીએ.

જો તમે બ્રાહ્મણ હો તો તમારી પાસે આટલી માહિતિ હોવી જોઇએ.

ગોત્રઃ આદિ ઋષિઓ દશ હતા જેમકે ભૃગુ, ગૌતમ, ભારદ્વાજ … 

પ્રવરઃ જે તે ગોત્રમાં જન્મેલા જે તે મહર્ષિઓથી શરુ થતી વંશાવળી

વેદઃ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ

શાખાઃ જે ઋષિઓએ ગુરુકુલો સ્થાપ્યાં હતા અને તેમની અમુક પ્રણાલીઓ હતી. જેમકે માધ્યંદની, કૌથમી, આશ્વલાયની, સાંખ્યાયની,… તેમના શિષ્યો અને તેમના વંશજો તે શાખાના નામથી ઓળખાયા. આને આપણે સંગીતમાં આવતા “ઘરાના” સાથે સરખાવી શકીએ.

કુળદેવીઃ દરેક વ્યક્તિને પોતાનાં કુળની દેવી હોય છે. જેમકે ભવાની, આશાપુરી, ચામુંડા, ક્ષેમપ્રદા, ઉમાદેવી,…

શિવઃ દરેક હિન્દુને પોતાના વિશેષ શિવ હોય છે. જેમકે નીલકંઠ, વૈજનાથ, સોમેશ્વર, શંકર, વટેશ્વર, વૃષભધ્વજ…

ગણેશઃ દરેક હિન્દુને પોતાના ગણેશ હોય છે. વિનાયક, લંબોદર, મહોદર, વિઘ્નવિનાયક, એકદંત …

ભૈરવઃ દરેક હિન્દુને પોતાના ભૈરવ હોય છે. કાળ, અસિતાંગ, રૂરૂ, ભિષણ …

દરેક બ્રાહ્મણને પોતે જે ગામમાં હોય તેના પોતાના પૂર્વજોની માહિતિ તેણે રાખવી પડે છે. ઓછામાં ઓછી બાર પેઢી તો યાદ રાખવી જ પડે છે.

દા.ત.

શિરીષ, મોહનલાલ, મહાશંકર, હરિશંકર,લીંબાશંકર, લેપજી, ત્ર્યંબકેશ્વર, વૈજનાથ, ભવાનીદત્ત, રુદેરામ, દવેશ્વર, ગોવર્ધન,

 ગોત્ર = ભાર્ગવ,

પ્રવર = ભાર્ગવ

વેદ = ઋગ્વેદ

શાખા = સાંખ્યાયની

કુળદેવી = આશાપુરી

શિવ = નીલકંઠ

ગણપતિ = ઢુંઢીરાજ

ભૈરવ = અસીતાંગ

રા.ગા. ભાઈ, જો તે ખરા બ્રાહ્મણ હોય તો પોતાની આવી વિગત તેમણે આપવી જોઇએ. જેઓ વિખ્યાત છે તેમણે તો ખાસ.

શે.ગુ. ભાઈ માને છે કે રા.ગા. ભાઈ પ્રશંસાને લાયક છે.

રા.ગા. ભાઈએ પોતાના હિન્દુત્ત્વને જે રીતે ઉજાગર કર્યું છે, તે તેમનો, બીજેપીને ફસાવવાનો ચક્રવ્યુહ છે. તેઓ એમ પણ માને છે કે આ રસપ્રદ છે પણ રા.ગા.ભાઈથી તેમના લેફ્ટીસ્ટ કે જેમને તેઓ ઉદારમતવાદી કહે છે તેઓ નારાજ છે.

આપણી મૂળ વાત હતી ડીબીભાઈની.

વાત એ હતી કે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ ઘટનાને કેવીરીતે ઇમોશનલ રીતે પ્રસિદ્ધિ આપીને બીજેપીની સરકારને સંડોવવી. ડી.બી. ભાઈ કૃતનિશ્ચયી હતા કે આ અમૂલ્ય લાહવો અને તક છે.

“લોભ રક્ષક” …. “ઠેર ઠેર હજારો પરીક્ષાર્થીઓનો ઉપદ્રવ”, “ચક્કાજામ”,  “મારપીટ”, “વિકાસ નિઃસહાય”, “દરેક પરીક્ષાર્થીને રૂપીયા ૭૦૦ નો ખર્ચ”, “સરકાર ફેઈલ”, “સરકાર ફુલ્લી ફેઈલ”, “૯ લાખ પરીક્ષાર્થીઓ સાથે દગો”, “નવલાખ પરીક્ષાર્થીઓના નિસાસા”, “દિલ્લીના ઠગોએ નવલાખ ગુજરાતીઓને લૂંટી લીધા”, “રૂપાણી રાજીનામું આપે”, “સીએમના બંગલાની બાજુના બંગલાના એમએલએના ભાડે આપેલા મકાનમાં થી પેપર લીક”, ”સરકારની આબરુ લીક”,  …”

બાપલા જે શબ્દો હાથવગા હોય તે મોટી મસ્સ શિર્ષ રેખાઓ બનાવવામાં વાપરી નાખો. અક્ષરો મોટામાં મોટા રાખો એટલે માહિતિ ગુપાવવી હશે કે ઓછી હશે તો વાંધો નહીં આવે. ત્રણ દિવસ સુધી કે જ્યાં સુધી ટોપીક ગરમ રહે ત્યાં સુધી દીધે રાખો.

બીજા સમાચાર ને કોણ પૂછે છે?

“દુબઈથી બ્રીટનનો નાગરિક ક્રીસ્ટીન મીશેલ, ભારતને અર્પણ કરવામાં આપ્યો. અને હવે ઓગસ્ટાવેસ્ટલેન્ડ ની કટકી જે ખાધાનો કોંગી ઉપર આરોપ છે તેની તપાસ ઝડપી બનશે … વિગેરે સમાચાર તમને ડીબીભાઈના છાપામાં ગોત્યા નહીં જડે. કદાચ ક્યાંક અંદરના પાને ખૂણામાં હોય તો કહેવાય નહીં.

ભાઈ. આમાં તો એવું છે ને કે મોદી જે વિદેશોમાં દોડા દોડ કરે છે અને તે માટે આપણે તેને વગોવીએ છીએ, તો હવે જો મોદીની દોડા દોડ, ફળદાઈ બને તો આપણી ટીકાઓની કિંમત શું?

વાડ્રા કે રા.ગા.-સોનિયાની ઇન્કમની ફેરતપાસણીને ન્યાયાલયની મંજુરી, વિષે પણ એવું જ સમજવું.

એક વાર મોદી સાહેબે કહેલું કે સરકારી વર્ગ ત્રીજા માટેની ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં નહીં આવે. તો પછી આ લોક રક્ષકની પરીક્ષા આવી ક્યાંથી?

આ બાબતનો કોઈ પ્રશ્ન નથી તો ચર્ચા તો હોય જ ક્યાંથી?

પરીક્ષા માત્ર લાગવગ ચલાવવા માટે હોય છે. પેપર તપાસનાર પાસે ઢગલો ભલામણ આવતી હોય છે. જી.આર.ઈ. જેવી નેશનલ કોંપીટીશન જેવી પરીક્ષાના પેપર આપણા ભારતીયો ફોડી શકતા હોયસ તો લોક રક્ષક જેવી રાજ્ય પૂરતી મર્યાદિત પરીક્ષાનું પેપર ફૂટે તેની નવાઈ નથી. બીજ રાજ્યોમાં પણ ઢગલા બંધ પેપરો ફૂટે છે. પણ તેની ઉપર કાગારોળ થતી નથી. અને પરીક્ષા રદ પણ થતી નથી કે તપાસ પણ થતી નથી. એટલે “પેપર ફૂટ્યું” એ સમાચાર જ બનતા નથી. પછી પેપર રદ થવાની તો વાત જ ક્યાં થી ઉદભવે? અરે દશમા બારમાની પરીક્ષા વખતે ચાર માળના મકાનની બારીઓ ઉપર ઉભા રહીને પરીક્ષાર્થીઓના હિતેચ્છુઓ કોપી કરાવે અને નીચે પોલીસ ઉભી હોય તો પણ તે કંઈ કરે નહીં અને તેના ધ્યાન ઉપર આ વાત લાવવામાં આવે તો તે એમ કહે કે “મારું કામ તો તોફાન ન થાય એ જ જોવાનું છે”.

દશમા બારમાની પરીક્ષા શું ઓછા મહત્વ ની છે? ડીબીભાઈ મૌન રહેશે!! કાગારોળ તો નહીં જ કરે. કારણ કે ભારતમાં ફક્ત ગુજરાતનો જ સમાવેશ થાય છે.

ચોરી કરવી એ ગુનો નથી. ચોરી કરીને પકડાઈ જવું એ પણ ગુનો નથી. પણ ચોરી કરી હોય અને ન્યાયાલય સજા કરે તો જ ગુનો બને છે.

પેપર ફૂટે એ વાત કોઈ નવી નથી. ફૂટવાની ક્રિયા ખાનગીમાં થાય. પણ ગુજરાત સરકાર કોઈપણ રીતે “પેપર ફૂટવાની કોઈ એક કડીને પકડે” અને તેની તપાસ કરાવે, એ જ ગુજરાત સરકારની નિસ્ફળતા છે. આવું આપણા ડીબી ભાઈ માને છે અને વાચકોએ પણ આમ જ માનવું જોઇએ.

સાલું … આ તો નવલાખ પરીક્ષાર્થીઓનો સવાલ છે. કોઈ પરીક્ષાર્થી જીલ્લા હેડક્વાર્ટરમાં રહેતા ન હતા. બધા જીલ્લા મથકની જ બહાર રહેતા હતા. ટેક્ષી કરીને આવ્યા હશે. એટલે તો દરેક પરીક્ષાર્થીને ૭૦૦ રુપીયાનો ખર્ચો થયો. આપણાથી મૂંગા કેમ રહેવાય?

પરીક્ષાનું પેપર ફૂટ્યું. તેમાં સડયંત્ર હતું. તે સડયંત્ર ગુજરાતની બહાર હતું. પણ ગુજરાતે પકડ્યું એટલે સરકાર એનો લાભ ખાટી જવી ન જોઇએ એ આપણો મુદ્રલેખ છે.

ડીબીભાઈ જાહેર કર્યું કે હવે અમે પરીક્ષા લઈશું અને સરકાર અને તેના ખાતાઓ સહિતના બધા સંડાવાયેલાઓને માર્ક્સ આપીશું.

તપાસ સમિતિ તો તપાસ કરી રહી છે. હજી તો તપાસની શરુઆત છે. એટલે કે હજી તો પેપરની ઉત્તરવાહીઓ લખાઈ રહી છે અને ડીબીભાઈએ તો માર્ક્સ આપવાનું ચાલુ કરી દીધું છે. પેપર સો માર્કસનું છે. સંડોવણી દશની કરવી પડશે. દરેક વિભાગને દશમાં થી માર્ક આપો. ભલે સરકારી તપાસ ચાલુ હોય, પેપરની ઉત્તરવાહીઓ લખવાની હજુ તો શરુઆત છે. કોણ કેટલું સંડોવાયેલું છે તેની તો આપણને ખબર પણ નથી. પણ બાપલા આપણે જે પેપરની આન્સરબુક હજી લખાઈ નથી તેના માર્ક્સ આપવાનું ચાલુ કરી દો. હા ભાઈ આ તો ડીબીભાઈએ પ્રયોજેલી પરીક્ષા છે. એ તો એવીજ હોય ને? કોને પાસ કરવા અને કોને પાસ ન કરવા એ તો આપણે સુનિશ્ચિત રીતે પૂર્વ નિશ્ચિત કરી દીધું છે. એટલે પરીક્ષાના આન્સર પેપર લખાયા છે કે નહીં તે મહત્વનું છે જ ક્યાં?

બધી સંસ્થાઓને પરીક્ષા લેવાનો શોખ હોય છે અને તેમાં પણ સરકારી સંસ્થઓને તો ખાસ. ચોથા વર્ગની ભરતી માટે પણ રેલ્વે ખાતું પરીક્ષા લે છે. ગુજરાતની ભરતીઓની જાહેર ખબર ગુજરાતના છાપાં આવે કે ન આવે પણ બિહાર અને યુપીમાંના છાપાંઓમાં તો અચૂક આવે. અને ગુજરતના રેલ્વે ડીવીઝનના શહેરોના સ્ટેશનો ઉત્તરભાઈઓથી ઓવરફ્લો થાય.

શું કામ? ભાઈ પરીક્ષા લેનારા તો એ જ હોય છે ને.

પેપર ફૂટે અને પરીક્ષા રદ થાય, તેમાં અનીતિ કે ગુનો કે પરીક્ષામાં કોપીઓ થાય અને પેપર તપાસવામાં લાગવગ થાય તેમાં વધુ અનીતિ કે ગુનો?

અરે ભાઈ ગુજરાતને વગોવવું, અને તે પણ જ્યારે, ગુજરાતમાં બીજેપી સરકાર હોય ત્યારે તો, ખાસ જ અમારો મહામાનવોનો ધર્મ બની જાય છે કે ગુજરાતને વગોવો.

મધ્યપ્રદેશનું મતદાન થયા પછી જો સેન્સેક્સ હજાર અંક ઉછળે તો અમે તેને બીજેપીની જીતની શક્યતા સાથે સાંકળીશું નહીં. પણ રાજસ્થાન અને તેલંગણાના પ્રચાર પડઘમ શાંત થાય અને સેન્સેક્સ ૫૦૦ અંક ડાઉન જાય, ભલેને પછી મતદાન જ બાકી હોય અમે તે “૫૦૦ ડાઉન”ને બીજેપીની હારનો સૂચકાંક ગણાવીશું.

વેપાર વૃદ્ધિ એ પ્રગતિની નિશાની ખરી કે નહી? તો પછી ૨૦૦૪માં જ્યારે કોંગી આવી ત્યારે શેર માર્કેટ ધ્વસ્ત થઈને સેન્સેક્સે એનએસસીનો સૂચકાંક કેમ લઈ લીધેલો? અને એનએસસીનો સૂચકાંક ત્રણ ડીજીટામાં કેમ આવી ગયેલો?

ભારતની સામાન્ય જનતા બધું જ જાણે છે. હજાર ડીબીભાઈઓ, કે હરિભાઈઓ, ભગતભાઈઓ કે શે.ગુ.ભાઈઓ કે પ્રકાશભાઈઓ ભેગા થાય અને લખવામાં ગમે તેટલી બીજેપીની કે નરેન્દ્ર મોદીની બુરાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરે, જનતા તો સત્ય અને અસત્યનો વિવેક પારખી જ લે છે. હવે નહેરુ કે ઈન્દિરાનો જમાનો નથી કે તમે સત્યને ઢાંકી શકો. હવે તો સોસીયલ મીડીયા પણ પટમાં આવી ગયું છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ભેંસ ભાગોળે પણ નથી, પણ કેટલાક કરે છે ધમા ધમ

buffelow

આ એક ગુજરાતી કહેવત છે. નાનપણમાં કોઈ એક સામાયિકમાં આ કહેવતને અનુલક્ષીને એક વાર્તા વાંચવામાં આવેલી હતી. એક વડિલને ભેંસ ખરીદવાને વિચાર આવ્યો. ભાગોળે ભેંસ ખરીદવા ગયા કે બીજે ક્યાંક તે હવે બરાબર યાદ નથી. ઘરના બધા સભ્યો ભેંસને લગતા આનુસંગિક કર્મો,  ઉત્પાદનો, ઉત્પાદનોને લગતા કર્મોની વહેંચણી વિષે અને તે સૌના આયોજન વિષે ઘરમાં જોરદાર ચર્ચાઓ કરવા માંડ્યા, જેમકે દાખલા તરીકે વધારાની છાસનું શું કરવું? ઘેંસ કરવી તો કઈ ઘેંસ કરવી. ચર્ચાએ બહુ ઉગ્ર સ્વરુપ લીધું અને ચર્ચા હિંસક થવાની અણી પર આવી ગઈ.

પાડોશીઓને થયું કે આ શેનો કોલાહલ છે? તેઓએ જ્યારે જાણ્યું કે આ તો ન ખરીદાયેલી ભેંસ વિષે ઘરમાં ધમાધમ થાય છે. અને આ પ્રમાણે પાડોશીઓના મુખેથી ઉપરોક્ત શબ્દો નિકળી પડ્યા. ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ.

કોંગ્રેસ આવે છે

કોંગ્રેસ આવે છે…. એટલે કે નહેરુવીયન કોંગ્રેસ. આ કોંગ્રેસે ઠેર ઠેર પોસ્ટરો લગાવી દીધા છે. સ્મશાનમાં પણ પોસ્ટર લગાવી દીધું. કોઈ જગ્યા બચી શેની જાય?

સમાચાર માધ્યમોનું કામ લોકોમાં જાગૃતિ લાવવાનું છે. પણ જો સમાચારના સંચાલકને લાગે કે તે જનતાને શિક્ષિત કરવા સક્ષમ નથી અને જો લોકોને શિક્ષિત કરવાનો હેતુ નભાવવો હોય તો તેણે ફક્ત એટલો ખ્યાલ રાખવો જોઇએ કે સમાજને જેઓ વિભાજિત કરે છે તેમના સમાચાર આપે ત્યારે તેની સાથે સાથે તેમના અનુસંધાન (રેફરન્સ) પણ  આપે. જો તેમાં પણ સમાચાર માધ્યમનો “ટકલો કામ ન કરતો હોય” તો સમાચાર માધ્યમના સંચાલકે સમાચારને કેવળ અને કેવળ “સીધા સમાચાર” તરીકે છપવા જોઇએ. આવા સમાચારોને ઉન્મેશમાં આવીને ચિત્ર વિચિત્ર શબ્દોમાં ગોઠવીને છાપવાની જરુર નથી. કટારીયા ભાઈઓમાં મોટા ભાગના હવે કોઈને કોઈ વિચાર ધારાને વળગી પડ્યા છે. જો કે વિચારધારા શબ્દ, યોગ્ય શબ્દ છે જ નહીં. કારણ કે કોઈ એક “વિચાર ધારા”ના નામનો શબ્દ કોઈ એક “વાદ”ને સૂચિત કરે છે. વાદ શબ્દ જ નિરર્થક છે. આજના વૈજ્ઞાનિક અને તર્કના યુગમાં, રાજકારણમાં વાદનું સૂચન કરવું તે માનવબુદ્ધિની કચાશ છે.

રાજકીય સત્તાનો હેતુ, સમાજના બૌદ્ધિક, આર્થિક અને માનસિક સ્તરની ઉન્નતિ માટે હોય છે. બૌદ્ધિક ઉન્નતિ માટે શિક્ષણ છે, આર્થિક ઉન્નતિ માટે ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ છે. શિક્ષણ, ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ, સમાજના સામાન્ય માણસની માનસિકતાને  પ્રક્રિયાઓને અનુરુપ સ્તર ઉપર લઈ જાય છે.

વિનોબા ભાવેએ અને જયપ્રકાશ નારાયણે આ વાત સીત્તેરના દાયકાના પૂર્વાર્ધમાં કરી હતી જ્યારે ઇન્દિરા નહેરુ-ગાંધી “સમાજવાદ”ના નામનો શોર બકોર કરી રહ્યા હતા.

MK GANDHI & VINOBA & JP

સીત્તેરના દાયકામાં પક્ષવિહીન રાજકારણની પણ વાત હતી. કારણ કે પક્ષ એ માત્ર “વાડો” જ છે.

જો આપણે બધી જ બારીઓ અને બારણા ખૂલ્લા રાખીએ તો આપણને ચારે દિશામાંથી વિચારો અને માહિતિઓ મળી શકે. આપણા નિર્ણયો તર્ક શુદ્ધ બની શકે. આ વાત ઋગ્વેદના કાળથી કહેવાયેલી છે.

પણ જો આપણને અમુક વાડામાં રહેલા પ્રાણીઓની પ્રત્યે જ લગાવ હોય તો આપણે તે લગાવને યોગ્ય ઠેરવવા માટે આકર્ષક અને પ્રાસ અનુપ્રાસ વાળા વ્યંઢ અને અર્થહીન શબ્દોના પતંગીયા ઉડાડીએ અને અથવા “ટ્રોલ”-કલ્ચરને શરણે જઈએ.

આપણા આ બ્લોગનું શિર્ષક છે ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ. એટલે હવે તેને વિષે ચર્ચા કરીશું.

નહેરુએ એક સૂત્ર આપેલ કે “આરામ હરામ હૈ”. આપણે કહેવું પડશે કે નરેન્દ્ર મોદીમાં અને નહેરુમાં કોઈ એક વાતમાં જો સમાનતા હોય તો તે છે કે સતત કામ કરતા રહેવું. નહેરુ પાસે સ્વાતંત્ર્યની લડતમાં મેળવેલી જમા પૂંજી હતી. આ કારણથી તેમને ૧૫ વર્ષ સુધી વાંધો ન આવ્યો. પણ ૧૯૬૨માં ભારત, ચીન સાથે યુદ્ધમાં બહુ સહેલાઈથી હારી ગયું એટલે તેમનું સિંહાસન હચમચી ગયું. પણ નહેરુ રાજકીય રમતો રમવામાં નિષ્ણાત હતા. તેમને બદનામીનો ડર હતો. એટલે તેઓ પોતાની પૂત્રી અનુગામી બને તેવી ગોઠવણ કરતા ગયા. નાના ઐતિહાસિક સત્યોની આવરદા એક કે બે પેઢીની હોય છે. એટલે જો ઇન્દિરા અનુગામી બને તો એક પેઢી સુધી કશો વાંધો ન આવે. આવો કંઈક ખ્યાલ નહેરુનો હોઈ શકે. નહેરુ આમ તો અચાનક ગુજરી ગયેલા. એટલે લોકશાહીમાં શોકના દિવસોમાં સંતાનનો રાજ્યાભિષેક ન થઈ શકે. એટલે ગૃહપ્રધાન એવા ગુલઝારીલાલ નંદા ને કામ ચલાઉ વડાપ્રધાન બનાવી લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવ્યા. એ વાત પણ નોંધાયેલી છે કે  લાલબહાદુર શાસ્ત્રી અગાઉથી જ ચાર આંખે નહેરુનું હલનચલન જોતા હતા. આ ઓછું હોય તેમ મોરારજી દેસાઈ પણ વડાપ્રધાન થવા તૈયાર જ હતા. એટલે નહેરુએ બનાવેલી સીન્ડીકેટનું કામ તાત્કાલિક થાય તેમ ન હતું. લોકશાહીને અનુરુપ પ્રણાલી પાળવી પડે તેમ હતું. પણ જ્યારે શાસ્ત્રીજી અચાનક ગુજરી ગયા ત્યારે તેમણે શોક સમય પુરતા ગુલઝારી લાલ નંદાને વડાપ્રધાન બનાવી, લોકશાહી પ્રક્રિયા હાથ ધરી ઇન્દિરા ગાંધીને બધા વરિષ્ઠ નેતાઓ પાસેથી સહયોગ અને અનુમોદન અપાવી સંસદના નેતા તરીકે જીતાડી વડાપ્રધાન બનાવ્યાં. 

એક માન્યતા એવી છે કે ત્રીજી પેઢીનો વ્યક્તિ બેવકૂફ જન્મે. આમ ઇન્દિરા ગાંધીએ નહેરુવંશની ત્રીજી પેઢી હતી. તેમનું વાચન ઓછું હતું. દેશ વિષે પૂરતી માહિતિ ન હતી. બુદ્ધિ હતી પણ એકાંગી હતી. તેમનામાં આર્ષદૃષ્ટિનો તેના પિતાજીની જેમ જ અભાવ હતો. માહિતિવગરની બુદ્ધિ લાંબા ગાળા માટે કારગર નિકળતી નથી. પક્ષના માણસોને કેવી રીતે અંકૂશમાં રાખવા તે પોતાના પિતાજીની પાસેથી શિખ્યાં હતાં. તેમજ તેના પિતાજીએ જે બીન રાજકીય સંબંધો બનાવેલા તેને તે જાળવી શક્યાં હતાં. પણ ઇન્દિરા ગાંધીના ખોટા નિર્ણયો દ્વારા જેવા કે હિન્દીભાષી બાંગ્લાદેશીઓની ઘૂષણ ખોરી, રાજકારણમાં સ્વકેન્દ્રીપણું, સિમલા કરાર, આતંકવાદીનેતાને ઉત્તેજન અને ટૂંકાગાળાના લાભ માટેની અનીતિમત્તાએ નહેરુવીયન કોંગ્રેસની ઘોર ખોદી.

વિરોધ પક્ષોની વાતોમાં તથ્ય હતું અને વિરોધપક્ષોના નેતાઓ સ્વચ્છ પણ હતા. પણ મોટા ભાગના  નેતાઓ સત્તાના ભોગવટા દ્વારા નણાયા ન હતા. આમ તો જોકે નહેરુવીયન કોંગ્રેસ કદીય ૫૦ ટકા કે તેથી વધુ મત મેળવી શકી નથી. એટલે જો બધા વિરોધ પક્ષો ભેગા થઈને નહેરુવીયન કોંગ્રેસ સામે લડે તો નહેરુવીયન કોંગ્રેસનો પરાજય નિશ્ચિત હતો. ડૉ. લોહિયાએ કહેલ કે વિરોધ પક્ષ ઈચ્છશે ત્યાં સુધી (નહેરુવીયન) કોંગ્રેસ રાજ કરી શકશે.

ઈન્દિરા ગાંધી સત્તા માટે આપખુદ હતાં અને સુરાજનીતિમાં એટલે કે સમાજશાસ્ત્રમાં ઢબુ પૈસાનો ઢ હતાં. પણ પક્ષમાં એક હત્થુ શાસન કેવી રીતે કરવું તે બાબતમાં તે તેના પિતાજીની જેમ નિપૂણ હતાં. આવો પક્ષ શિક્ષિત સમાજમાં લાંબો ટકી ન શકે.

પણ હવે કેટલાક મૂર્ધન્યોને અને લોકશાહીના હિત રક્ષકોને લાગે છે કે નહેરુવીયન કોંગ્રેસને બચાવવી જોઇએ. જ્યારે બીજેપીને ૧૯૮૦ની ચૂંટણીમાં ફક્ત બે બેઠક જ મળી ત્યારે તેમને બીજેપીને (જનસંઘને) બચાવવો જોઇએ એવો વિચાર ન આવેલ. તેમજ ૧૯૫૨ની વાત જવા દો, પણ ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૭૦ની ચૂંટણી વખતે પણ પ્રજાસમાજવાદી પક્ષ કે સંયુક્ત સમાજવાદી પક્ષને બચાવવો જોઇએ તેવો વિચાર ન આવેલ. 

કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસમાં ફેર શો છે?

COW

(૧) કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય પહેલાં (સ્થાનિક સ્વરાજ્યની) સત્તા હતી. નહેરુવીયન કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં સત્તા રહી હતી.

(૨) કોંગ્રેસ પાસે ગાંધીજીનું માર્ગદર્શન અને નિરીક્ષણ હતું. નહેરુવીયન કોંગ્રેસ પાસે શરુઆતમાં વરિષ્ઠ નેતાઓનુ સામૂહિક માર્ગદર્શન હતું પણ બીજા દાયકા પછી કેવળ નહેરુનો શબ્દ આખરી ગણાવા માંડ્યો.

(૩) કોંગ્રેસ સ્વદેશી, દારુબંધી, સાદગી અને નીતિના પાયા ઉપર રચાયેલી સંસ્થા હતી. નહેરુવીયન કોંગ્રેસ સત્તા ના પાયા ઉપર રચાયેલી સંસ્થા બની. અને તે સત્તા મેળવવા માટે અને ટકાવી રાખવા માટે મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓ જેવી હળાહળ કોમવાદી અને આપખુદ પક્ષો સાથે પણ બેસી શકે છે.

(૪) કોંગ્રેસમાં, વિરોધીઓ પ્રત્યે કડવાશની ભાવના ન હતી. નહેરુવીયન કોંગ્રેસમાં પહેલા દશકામાં વિરોધીઓને શક્તિહીન કરી દેવાના પ્રપંચો થયા હતા અને પછી તો નહેરુવીયન કોંગ્રેસમાં સમાજને અલગ અલગ જુથોમાં વિભાજીત કરવાની સંસ્કૃતિ વિકસિત થઈ.

(૫) કોંગ્રેસમાં કાયદાને માન હતું. જો કે આ ગુણ બ્રીટીશ સરકારના સંસ્કાર હોઈ શકે. પણ કોંગ્રેસના ખાતામાં પણ આ ક્રેડિટ જમા થાય છે. નહેરુવીયન કોંગ્રેસમાં આ સંસ્કાર ક્રમશઃ ઘટતા ગયા. અને ઇન્દિરાના સમયમાં તો તેની “ધજ્જીયાં” ઉડાડવાની શરુ થઈ.

(૬) કોંગ્રેસ દારુબંધીને માનતી હતી. અને દારુની દુકાનો ઉપર વિરોધ પ્રદર્શન કરતી હતી. નહેરુવીયન કોંગ્રેસની દારુની નીતિ કેવી ઉંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.

(૭) કોંગ્રેસ અહિંસક સમાજ રચનામાં એટલે કે ગૌવંશ હત્યા નિષેધમાં માનતી હતી. અને આ વાતનો બંધારણમાં સમાવેશ કરાવ્યો હતો. નહેરુવીયન કોંગ્રેસ દંભી છે અને તેણે આ સમાવેશને “આદેશાત્મક વિભાગમાં” સામેલ કર્યો છે અને રાજ્યો ઉપર છોડી દીધો છે. “જા બીલ્લી કુત્તેકો માર”. દારુબંધીના અમલ વિષે રાજ્યોનું અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ શાસિત રાજ્યોનું વલણ તદ્દન વિરોધી રહ્વયું. કેન્દ્ર દ્વારા આ મુદ્દે રાજ્યો ઉપર કશું દબાણ કે દંડનીય પ્રાવધાન નથી.

આવા તો અનેક ભેદ જોઈ શકાય છે. પણ એક દાખલો જ બસ થઈ પડશે કે પહેલાંનો કોંગ્રેસી વિશ્વસનીય હતો. અને નહેરુવીયન કોંગ્રેસી જો તે પ્રતિજ્ઞા પૂર્વક કહે તો પણ જરાપણ વિશ્વસનીય નથી.

તો પછી આવી કોંગ્રેસને મરતી હોય તો મરવા દેવામાં વાંધો શો છે?

વાંધાના કારણ નિમ્ન લિખિત છે.

(૧) નહેરુવીયન કોંગ્રેસનું ચૂંટણી આયોગના દસ્તાવેજોમાં કોંગ્રેસ તરીકે ઓળખ છેઃ

છેદ ઉડે છેઃ આ એક આકસ્મિક ઘટના છે. ૧૯૬૯માં શરુઆતમાં આ જ કોંગ્રેસ, કોંગ્રેસ (આર), કોંગ્રેસ (આઈ), કોંગ્રેસ (જે) તરીકે ઓળખાતી હતી. જ્યારે બીજી કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસ (ઓ), કોંગ્રેસ (એન) તરીકે ઓળખાતી હતી. સંસ્થાનો અર્થ સંગઠન થાય છે. સંગઠન ઉપર કારોબારીનું વર્ચસ્વ એક સર્વ સ્વિકાર્ય બાબત છે. એટલે નૈતિક રીતે તો કોંગ્રેસ (સંસ્થા) જ મૂળ કોંગ્રેસ કહેવાય. ચૂંટણીના પરિણામોથી કયો પક્ષ મૂળ પક્ષ એ નક્કી ન થઈ શકે. ચૂંટણીમાં તો હારજીત થતી રહે છે. અને કાયદેસર રીતે જોઇએ તો જનતા વ્યક્તિને ચૂંટે છે. પક્ષને નહીં.

૧૯૭૭માં કોંગ્રેસ સંસ્થાનો વિલય થયો. એટલે બીજી કોંગ્રેસ કે જે કોંગ્રેસ (આઈ, આર કે જે) બચી,  તે જ બાકી રહી. એટલે તે કોંગ્રેસ તરીકે ઓળખાઈ. આ કોંગ્રેસને મૂળ કોંગ્રેસ સાથે સૈદ્ધાંતિક રીતે કશી લેવા દેવા નથી.

(૨) એ જે હોય તે. પણ આ કોંગ્રેસમાં હવે એક કોંગ્રેસ શબ્દ છે એટલે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.

છેદ ઉડે છેઃ ૧૯૭૭માં કોંગ્રેસ (આઈ) વિભાજિત થઈ. અને યશવંત રાવ ચવાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ બનાવ્યો. ૧૯૮૦ માં જનતા પાર્ટી હારી ગઈ, તો જગજીવન રામે “કોંગ્રેસ રીયલ”, પક્ષ બનાવ્યો. મમતાએ તૃણમૂલ કોંગ્રેસ બનાવ્યો. ઉડીયા કોંગ્રેસ પક્ષ પણ બન્યો. કોંગ્રેસ શબ્દ તો આ બધા પક્ષોમાં છે. તો તેમનો પણ મૂળ કોંગ્રેસ હોવાનો હક્ક છે.

નાશ નિશ્ચિત છે

(૩) નહેરુવીયન કોંગ્રેસમાં તો સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા માટે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.

છેદ ઉડે છેઃ સ્વાંત્ર્ય સેનાનીઓ હોવા એ કંઈ કોંગ્રેસનો ઈજારો નથી. સમાજવાદી પક્ષમાં, પ્રજા સમાજવાદી પક્ષમાં, સંયુક્ત સમાજવાદી પક્ષમાં, જનસંઘમાં અને તૂટેલી કોંગ્રેસના બીજા હિસ્સાઓમાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. જો સંખ્યાને હિસાબે જોઇએ તો સર્વોદય સંગઠનમાં સૌથી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. અને હવે તો કોઈપણ પક્ષમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ બચ્યા નથી. પૈતૃક વારસો લોકશાહીમાં મળતો નથી.

(૪) નહેરુવીયન કોંગ્રેસમાં સ્વાતંત્ર્ય સેનાની નહેરુ પોતે હતા. તેઓશ્રી પ્રધાન મંત્રી હતા. વચ્ચે લાલબહાદુર શાસ્ત્રી પ્રધાન મંત્રી થયા, પછી ઈન્દિરા ગાંધી પ્રધાન મંત્રી થયાં. પછી રાજીવ ગાંધી પ્રધાન મંત્રી થયા. પછી રાજીવ ગાંધીના પત્ની સોનીયા ગાંધી પક્ષ પ્રમુખ થયાં. એટલે એક મહાન કુટૂંબ કે જેના એક આદ્ય વડિલે પોતાની સંપત્તિ દેશને દાનમાં આપી દીધી. અને વંશ પરંપરાગત રીતે પ્રધાન મંત્રી થતા રહ્યા કે પક્ષીય પ્રમુખ થતા રહ્યા તેને જ મૂળ કોંગ્રેસ કહી શકાય.

છેદ ઉડે છેઃ દાનમાં પોતાની સંપત્તિ આપી દેવાથી તે વ્યક્તિના વંશજો સંસ્થાનો કબજો ન લઈ શકે. લોકશાહીમાં આવી જોગવાઈ નથી. એક જ કુટૂંબના સંતાનો, વંશીય અનુક્રમે વડાપ્રધાન પદ કે પક્ષીય પ્રમુખ પદ ભોગવે તે કારણથી તે પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ગણી ન શકાય. લોકશાહીમાં આવો વારસો આપવાની જોગવાઈ નથી.

તો પછી નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી જોઇએ કે નહીં?

કેટલાક સુજ્ઞ લોકો માને છે કે કોંગ્રેસને એટલે કે નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી ન જોઇએ. તેને કોઈપણ ભોગે જીવાડવી જોઇએ.

કારણ કેઃ

(૧) લોકશાહી માટે એક જ પક્ષ હોવો હિતાવહ નથી.

(૨) બીજા વિકસિત અને લોકશાહી દેશોમાં સક્ષમ વિરોધ પક્ષ હોય છે.

(૩) વિરોધ પક્ષ મજબુત હોવો જોઇએ.

(૪) જો વિરોધ પક્ષ મજબુત હોય તો જ શાસક પક્ષ સીધો રહેશે.

(૫) જો વિરોધ પક્ષ મજબુત ન હોય તો શાસક પક્ષ આપખુદ થઈ જાય.

(૬) શાસક પક્ષને આપખુદ થતો ઘણા લોકશાહી દેશોએ જોયો છે. આપણા દેશે પણ શાસક પક્ષને આપખુદ થતાં જોયો છે.

છેદ ઉડે છેઃ ઉપરોક્ત માન્યતાવાળા મૂર્ધન્યો ઓગણીસો પચાસના દાયકામાં બાબાગાડી ચલાવતા ન હતા. અને ધારો કે તેઓ તે વખતે બાબાગાડી ચલાવતા પણ હોય તો પણ જ્યારે તમે રાજકારણની જે તે પરિસ્થિતિની વાત કરતા હો તે વખતનું જ્ઞાન તમને હોવું જોઇએ.

જો આપણે ભારતની વાત કરીએ તો ૧૯૫૨માં જવાહરલાલ નહેરુએ વડા પ્રધાન પદ ઉપર ૫ વર્ષ તો પૂરા કરેલા જ. તે વખતે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મૂર્ધન્યો જીવતા હતા. તે વખતે વિરોધ પક્ષ નહીં જેવો હતો. વિરોધપક્ષના નેતાઓ નીતિમત્તાવાળા હતા. પણ કોઈ ફલાણા પક્ષને જીવતો રાખો, અથવા લોકશાહીને મજબુત રાખવા માટે ફલાણા પક્ષને મજબુત કરો તેવી વાતો કોઈ કરતા ન હતા. વિરોધ પક્ષોને તેમણે તેમના હાલ ઉપર છોડી દીધેલા. ૧૯૫૭, ૧૯૬૨માં પણ આમ જ થયેલ. નહેરુ માનસિક રીતે આપખુદ હતા. વિરોધીઓની સાચી વાતોને પણ નકારતા હતા અથવા ઉડાવી દેતા હતા. આ બાબતમાં જેમને શંકા હોય તેમણે આચાર્ય ક્રિપલાણીની આત્મકથા અને મોરારજી દેસાઈની આત્મકથાના અમુક પ્રકરણો વાંચી લેવા.

સરદાર પટેલે નહેરુને અંગત પત્ર (ડૅમી ઓફીસીયલ) દ્વારા ચીનના ઇરાદાઓ વિષે ચેતવેલા. ધારો  કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, એવું માની ને આપણે નહેરુને માફ કરીએ. પણ  તિબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકારવું તે અક્ષમ્ય હતું, ધારો કે આ બીજી ભૂલ પણ માફ કરી દઈએ તો, વિરોધ પક્ષો દ્વારા ચીની સૈન્યની ઘુસણખોરીનો મુદ્દો જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠાવાતો ત્યારે ત્યારે નહેરુ, તે ઘુસણખોરીને ધરાર તેને નકારી કાઢતા હતા. વાસ્તવમાં જોઇએ તો ચીની સૈન્યની ભારતીય સીમામાં અવાર નવાર થતી ઘુસણખોરી તે જુઠાણાં ન હતાં. આ ઉપરાંત, ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સૈન્ય તૈનાત જ ન હતું. સરહદી સૈન્ય પાસે ઠંડીથી બચવા માટેના વસ્ત્રો ન હતા. મોજા ન હતા, બુટ ન હતા, શસ્ત્રો ન હતા એટલે જ્યારે ચીને ૧૯૬૨માં આક્રમણ કર્યું ત્યારે જનતા પાસે ઉઘરાણું કરવું પડ્યું.

યાદ રાખો, ભારતીય સૈન્ય કદી હાર્યું નથી. ચીન તે વખતે એવું સબળ ન હતું. આપણું સૈન્ય અનુભવી અને સક્ષમ હતું. પણ આપણું સૈન્ય તૈનાત જ ન હતું. આપણી સરહદ અસુરક્ષિત હતી.  ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સક્ષમ સુરક્ષા પુરી પાડવા માટે ઓછામાં ઓછો છ માસનો સમય જોઇએ.

નહેરુને સ્વપ્નીલ વ્યક્તિ ને બદલે કમસે કમ ધૂની વ્યક્તિ કહી શકાય. એવી ધૂની વ્યક્તિ કે જે બધી બારીઓ બંધ રાખે છે. ફક્ત સમાજવાદની બારી ઉઘાડી રાખે છે. જ્યારે ચીન, નહેરુની એક બંધ બારી તોડીને અંદર આવ્યું ત્યારે નહેરુનો ભ્રમ ભાંગ્યો. નહેરુએ ઇતિહાસ અને મિત્રોની ચેતવણીઓની ધરાર અવગણના કરેલી.

ચીનના સમાજવાદમાં ચીનના શાસકનું આપખુદી પણું નહેરુને કઠતું ન હતું. પણ પાકિસ્તાનમાં જ્યારે ઇસ્કંદર મીરઝાએ માર્શલ લૉ જાહેર કર્યો તે નહેરુને લગાતાર કઠવા લાગ્યો હતો. નહેરુ ઉછળી ઉછળીને પાકિસ્તાનના  લશ્કરી શાસનની વિરુદ્ધ બોલતા હતા. પાકિસ્તાન સાથેના સંબંધો બગડવાનું બીજ ૧૯૫૪માં નહેરુએ અતિ ઉત્સાહિત થઈને વાવ્યું હતું.

ગાંધીજી હતા ત્યારે સર્વોદયી સમાજ સ્થાપવાની વાતો થતી હતી. આ વાતો ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી ૧૯૫૬ના અરસામાં લોકશાહીવાદી સમાજવાદી સમાજ રચનાનો ખરડો કોંગ્રેસ કારોબારીએ પાસ ન કર્યો.

કેટલાકને મન “સમાજવાદ ખરો પણ તેમાં લોકશાહી ન પણ હોય” એમ લાગતું હોય. જો કે ગાંધીજીએ કહેલું કે હું જવાહરને સમજી શકું છું પણ તેમના સમાજવાદને સમજી શકતો નથી.

આ સમાજવાદ એ વળી કયું ભૂત છે?

સમાજવાદ એ ભૂત પણ નથી અને વાદ પણ નથી. સમાજવાદ એક તૂત છે. જો તમે માનવીય મૂલ્યોનું હનન ન થવા તો સ્વસ્થ સમાજ હાથવેંતમાં છે. ગાંધીજીએ પ્રચ્છન્ન રીતે બધા વાદોને નકાર્યા હતા. ગાંધીજીએ કહેલ કે “તમે જ્યારે કંઈપણ કરો ત્યારે સૌથી અંતીમ માણસને તેનાથી શું ફાયદો થશે તે વિચારો. અને તે પ્રમાણે કાર્ય કરતા રહો એટલે બસ.

વિનોબા ભાવે એ ઈન્દિરાની સમાજવાદની મીથ્યા બાંગો વચ્ચે કહેલ કે

કુદરતી સંપત્તિ+માનવીય મૂલ્યો+ટેક્નોલોજી=વિકાસ. આ સમીકરણમાં ક્યાંય સમાજવાદનું પદ આવતું નથી.

सबका साथ

પક્ષ અને વાદ એ બંનેને ઉપરોક્ત વિકાસ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. આ વાત ૧૯૭૩ના અરસામાં પ્રચલિત કરવામાં આવી હતી. મોદીએ નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો હતો. એટલે તો મોદી “સૌનો સાથ સૌનો વિકાસ” એવો શબ્દ પ્રયોગ કરે છે. પણ જેઓ વિકાસને ગાળો આપે છે તેમની માનસિકતાની ચિકિત્સા થવી જોઇએ.

જગત મીથ્યા છે પણ વિશ્વ અનિર્વચનીય છે. જગત એટલે કે જગતની અંદર ચાલતા વ્યવહારો મીથ્યા છે. પણ વિશ્વ તો ઈશ્વરનું શરીર છે. વિશ્વ મીથ્યા નથી. વિશ્વ અનિર્વચનીય છે. વિશ્વને સમજ્યા વગર, જો મૂર્ધન્યો, જે પરિબળો સમાજને વિભાજિત કરે છે તેવા પરિબળોને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉત્તેજન આપશે તો તે સમાજ માટે ઘાતક બનશે.

સમજી લો. જ્યારે મહાત્મા ગાંધીના વિરોધીઓ હોઈ શકે છે તો મોદીના પણ વિરોધીઓ હોઈ શકે. જેમ ગાંધીજીને વાંચ્યા વગર, પોતાના મનગઢંત માન્યતાઓ અનુસાર ગાંધીજીને ગાળો આપ્યા કરનારાઓ આજની તારીખમાં અસ્તિત્વ ધરાવી શકે છે અને ખૂદને અવિશ્વસનીય સિદ્ધ કરી ખૂદને બદનામ કરે છે, તેવી જ રીતે નરેન્દ્ર મોદીને બદનામ કરવા અમુક મૂર્ધન્યો, અસરકારક તથ્યો સંતાડી “સંત રજનીશમલ” અને “ઓશો આસારામ” જેવા બાવાઓને શોભે તેવા ટૂચકાઓ કહેતા હોય છે. પોતાની પીઠ થાબડતા હોય છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતીભાષા ક્યાં સુધી જીવશે?

ગુજરાતી ભાષા ક્યાં સુધી જીવશે તે પ્રશ્ન ઘણાને આશ્ચર્યમાં મુકશે. તો કેટલાકને આ પ્રશ્ન સ્વાભાવિક લાગશે.

માણસની જેમ ભાષા પણ જન્મે છે, વિકાસ પામે છે માંદી પડે છે અને મરે છે. પણ આપણે ભાષાશાસ્ત્રની શુષ્ક વાતો નહીં કરીએ.

गुर्जरी वीणा वादिनी

ભાષા કેવી રીતે જન્મી તે ટૂંકમાં જોઇએ તો એમ કહેવાય કે માણસ દેકારા પડકારાના જુદા જુદા અવાજ કરી સંદેશાઓની આપ લે કરતો હતો. તે પોત પોતાના ટોળામાં રહેતો હતો એટલે દરેક ટોળાની ભાષા જુદી હોય. થોડીક સમાનતા પણ હોય. પણ જે ટોળી બીજી ઉપર હામી થઈ જાય તેના દેકારા પડકારા સ્વિકૃત થઈ જાય. માણસનું શારીરિક બંધારણ સરખું હોવાથી દેકારા પડકારામાં અમુક સમાનતા પણ આવે. જેમ કે અમદાવાદના કુતરાઓ અને સૂરતના કુતરાઓ કદી એક બીજાને મળ્યા ન હોય તો પણ ગુસ્સે થાય ત્યારે એક સરખો જ અવાજ કરે. આક્રમણ અને રુદન પણ એક સરખા અવાજોમાં કરે છે.

માણસના પણ ટોળાં મોટાં થતાં ગયા હશે એક બીજા સાથે લડતાં લડતાં વસાહતો બનાવતા હશે. સંવાદોમાં ગેર સમજુતીઓ ન થાય તે માટે સ્પષ્ટતાઓ ઉમેરાતી ગઈ હશે.

સંવાદની સ્પષ્ટતાએ ભાષાને જન્મ આપ્યો

જ્યારે માનવ સંસ્કૃતિ વિકાસ પામે ત્યારે તેને સંવાદોમાં વધુ ને વધુ સચોટતા જોઇએ. એટલે કાળાંતરે ભાષાનો ઉદ્ભવ થયો હશે. માણસે જ્યારે આનંદ માટે કળાનો આવિષ્કાર કર્યો હશે ત્યારે લેખનનો પણ આવિષ્કાર થયો હશે. શરુઆતમાં સંભવ છે કે ચિત્રલિપિ રહી હોય પણ પછી શબ્દલિપિ અને અક્ષરલિપિનો આવિષ્કાર થયો હશે.

કેટલાક એવું માને છે કે સેંકડો હજારો વર્ષ સુધી મનુષ્યે બધું મોઢે જ રાખ્યું અને પછી લેખિત ભાષાનો જન્મ થયો. જો કે આ વાત શક્ય નથી. જેમ કે વેદોની બાબતમાં આપણને પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા કહેવામાં આવ્યું કે વેદોને શ્રુતિ કહેવામાં આવે છે એટલે કે વેદો સાંભળીને યાદ રાખી લેવામાં આવતા હતા. ઋગવેદના જ એકલાખ શ્લોક છે. યજુર્વેદ અને સામવેદના જુદા. આ બધા શ્લોકો યાદ રાખી શકાય નહીં. કાશ્મિર થી કન્યાકુમારી અને સૌરાષ્ટ્રથી આસામ સુધી વેદ એક જેવા જ મળે છે. કશ્યપ ઋષિ કાશ્મિરમાં હતા, રાવણ લંકામાં હતો, કુબેર આસામમાં હતો, ભૃગુઋષિ ભરુચમાં હતા અને કૈકેયીના બાપા અફઘાનીસ્તાનમાં હતા.  રામાયણનો સમય આકાશીય ગ્રહોના નક્ષત્રોમાંના સ્થાનના વર્ણનને હિસાબે સાડા પાંચ હજાર વર્ષનો ગણી શકાય. પણ પાશ્ચાત્ય ઇતિહાસકારોને હિસાબે વેદો ગ્રંથબદ્ધ (લેખન બદ્ધ) માંડ અઢી હજાર વર્ષ પહેલાં થયા. તો આવા વ્યાપક હિન્દુસ્તાનમાં વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો જેવા સેંકડો ગ્રંથો મોઢે રાખી ન જ શકાય. જો રાખવામાં આવે તો તે એકસરખા રહી જ ન શકે. લેખિત અક્ષરો વગરના ઉચ્ચારો એક સરખા રહી જ ન શકે. આત્યારે અંગ્રેજી ભાષા લેખિત સ્વરુપમાં જોવા મળે છે તો પણ તે શબ્દ લિપિ હોવાના કારણે “સી.એચ.એ.આઈ.આર. (ચેર)” નો ઉચ્ચાર ભારતમાં જુદી જુદી ૧૪ રીતે જોવા મળે છે. જો શબ્દ લિપિની જ આવી દશા હોય તો જેને ફક્ત સાંભળીને જ યાદ રાખવાનું છે તેની તો કેવીય દશા થાય.

લિપિ અને વ્યાકરણ ભાષાને શુદ્ધ રાખે છે

અક્ષરલિપિ દ્વારા જળવાયેલી ભાષામાં પણ કાળક્રમે વેપારધંધાના વિકાસને હિસાબે ફેરફાર થયા કરે છે. પણ વ્યાકરણને હિસાબે મૂળભાષા પણ જળવાઈ રહે છે. આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી એક ભારતીય ભાષા છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં એનું વ્યાકરણ લખાયું અને પ્રેમાનંદે તેનો વિકાસ કરી તેની પ્રતિષ્ઠા સ્થાપી.

શુદ્ધ અને સ્પષ્ટ ગુજરાતી લખવા માટે સંસ્કૃતભાષાનો સામાન્ય અભ્યાસ જરુરી છે. ગુજરાતી ભાષાને પોતાની આગવી વિશિષ્ઠતા પણ છે. ઓગણીસમી સદીમાં અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા ગુજરાતી ભાષાના મૂર્ધન્યોએ ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.

તો શું સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં ગુજરાતી ભાષાની અવનતિના મંડાણ થયાં?

 ગુજરાતીભાષાનું આયુષ્ય લંબાવવામાં ગાંધીજીનો અને ગાંધીયુગના ગુજરાતી લેખકોનો મહદ્‌ અંશે હિસ્સો રહ્યો. ગાંધી યુગના મૂર્ધન્યો કે જેઓએ પોતે અંગ્રેજી ભાષામાં શિક્ષણ લીધેલ પણ લોલં લોલ કે માતૃભાષાની મહત્તાની અનુભૂતિને કારણે ગુજરાતી સાહિત્યમાં પોતાનો ફાળો આપ્યો તે પ્રશંસનીય છે.

ભાષાવાર પ્રાંત (રાજ્ય) રચનાને કારણે પણ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કારણ કે સ્થાનિક સ્તરે ગુજરાતી ભાષા વહીવટી ભાષા બની. તેથી ગુજરાતી ભાષા માંદી પડતી અટકી છે.

ઓગણીસો પચાસના દાયકામાં ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ વિકાસ થયો. આનું શ્રેય જો કોઈને આપવું હોય તો માત્ર અને માત્ર ગુજરાત કોંગ્રેસને આપી શકાય. અને તે પણ મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈને આપી શકાય.

ગ્રામ્ય અને શહેરી શિક્ષણના ભેદ દૂર થયા.

શું વાત છે?

બનતા સુધી ૧૯૩૫થી સ્થાનિક સ્વરાજને (હોમ રુલને) કારણે, મુંબઈ ઇલાકામાં ધોરણ એક થી ચાર પ્રાથમિક શિક્ષણ ગણાતું હતું. આ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ સંપૂર્ણ રીતે ગુજરાતી (સ્થાનિક) ભાષા હતી.

ગામડાઓમાં એકથી સાત ધોરણની પ્રાથમિક શાળાઓ ઘણા લાંબા સમયથી ચાલતી હતી.

આ શાળાઓ સંપૂર્ણ રીતે ગુજરાતી માધ્યમવાળી શાળાઓ હતી.

પણ શહેરોમાં એકથી ચાર પ્રાથમિક, અને તે પછી ફર્સ્ટ થી સેવન્થ(મેટ્રીક) એટલે કે પાંચથી અગીયાર એટલે એસએસસીવાળી માધ્યમિક શાળાઓ હતી. અહીં આ ફર્સ્ટથી અંગ્રેજી શિખવવામાં આવતું હતું. પણ બાકીના વિષયો ગુજરાતીમાં શિખવવામાં આવતા હતા. આ અગાઉ એટલે કે ૧૯૩૫ પહેલાં, શહેરોની એટલે કે ફર્સ્ટથી સેવન્થ (મેટ્રીક)ની શાળાઓમાં બધા જ વિષયો અંગ્રેજીમાં શિખવવામાં આવતા હતા. ગુજ્રાતી પણ અંગ્રેજીમાં શિખવવામાં આવતું હતું અને સંસ્કૃત પણ અંગ્રેજીમાં જ શિખવવામાં આવતું હતું.

હવે જો કોઈ ગામડામાંથી એક થી સાત કરીને આવે તો તેને શહેરની ફર્સ્ટથી થર્ડ સુધીનું અંગ્રેજી તો તે ન ભણ્યો હોવાથી તેને માટે આગળ ભણવું અઘરું પડે. ટૂંકમાં તે આગળ ભણી જ ન શકે.

એટલે સરકારે ૧૯૫૩માં, ગ્રામ્ય અને શહેરી શાળાઓમાં એક સૂત્રતા લાવવા માટે શહેરોમાં ચાલતી માધ્યમિક શાળાઓમાં ચાલતા ધોરણો એટલે કે ફર્સ્ટથી સેવન્થનું નવ નામાંકરણ કર્યું. આ નવ નામાંકરણ “પાંચ થી અગીયાર” એમ કર્યું. અંગ્રેજી ભાષાને આઠમા ધોરણથી ભણાવવી એમ નક્કી કર્યું. શહેરોમાં આ અગાઉ પાંચમા ધોરણથી અંગ્રેજીભાષા ભણાવવામાં આવતી હતી.

ઠાકોરભાઈ પાંચમા અને ઠાકોરભાઈ આઠમા

પચાસના દાયકાના ઉત્તરાર્ધમાં “અંગ્રેજી પાંચમા ધોરણથી ભણાવવું કે આઠમા ધોરણથી ભણાવવું” એ એક મોટો ચર્ચાનો વિષય બનેલો. જ્ઞાનીજનોમાં પણ બે વિભાગ પડી ગયેલા.

ખાસ રમૂજની વાત એ હતી કે અમદાવાદની કોઈ એક શાળાના આચાર્ય, ઠાકોરભાઈ ઠાકોર હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતા. ઠાકોરભાઈ ઠાકોર પાંચમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. ઠાકોરભાઈ દેસાઈ, આઠમા ધોરણથી અંગ્રેજી શિખવવાના હિમાયતી હતા. આ બંને ઠાકોરોને અનુક્રમે “ઠાકોરભાઈ પાંચમા” અને “ઠાકોરભાઈ આઠમા” તરીકે ઓળખવાની પ્રણાલી પડેલી.

શિક્ષણનું વર્ગીકરણ કંઈક આવું હતુંઃ

ધોરણ એક થી સાતઃ પ્રાથમિક શાળા

ધોરણ આઠ થી અગીયાર (મેટ્રીક) માધ્યમિક શાળા

કોલેજ ફર્સ્ટ ઈયરઃ પ્રી-યુનીવર્સીટી,

કોલેજ સેકંડ ઈયરઃ ઈન્ટર,

કોલેજ થર્ડ ઈયરઃ જુનીયર

કોલેજ ફોર્થ ઈયરઃ ગ્રેજ્યુએશન

એન્જીનીયરીંગ અને મેડીકલમાં ઈન્ટર સાયન્સ પછી જવાતું હતું.  

ગુજરાતમાં એવું નક્કી કરવામાં આવેલું કે ૧૯૫૬થી કોલેજોમાં પણ બધું માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ભણાવવું. એટલે ગુજરાતીમાં વિજ્ઞાન અને વાણીજ્ય વિષયક ઘણા પુસ્તકો લખાયા. જેઓ ૧૯૩૫ પહેલાં બધા જ વિષયો અંગ્રેજીમાં ભણેલા તેમણે તેમનો અનન્ય ફાળો ગુજરાતીભાષાના સર્વાંગી વિકાસમાં આપ્યો.

પણ આ વિકાસની કક્ષા ફક્ત કોલેજના સેકંડ ઇયર (ઈન્ટર) સુધીની જ રહી હતી. કોલેજ થર્ડ ઈયર (જુનીયર) થી વિજ્ઞાન અને કદાચ વાણીજ્યમાં પણ બધું અંગ્રેજી માધ્યમમાં જ ભણવું પડતું હતું.

ગુજરાતી ભાષાના મૂર્ધન્યોના પેટમાં શું પાપ હતું?

આપણે અગાઉ જોયું કે અંગ્રેજી ક્યા ધોરણથી ભણાવવું તે એક વિવાદાસ્પદ પ્રશ્ન હતો. ગામડાની લાખો શાળામાં અંગ્રેજી શિક્ષકોને કેવી રીતે પહોંચતા કરવા તે યક્ષ પ્રશ્ન હતો. ગામડાનો અર્થ પાંચેક હજારની અંદરની વસ્તીવાળા ગામડા એમ કરવો. એથી મોટા ગામડાઓમાં અંગ્રેજી, ફર્સ્ટ થી મેટ્રીકની શાળાઓ સરકાર કે ખાનગી સંસ્થાઓ ચલાવતી હતી. જો કે હાલની પરિસ્થિતિથી ઉલટું સરકારી શાળાઓ તે વખતે સામાન્ય રીતે સારી ગણાતી હતી. અમદાવાદની ખબર નથી. ઉપરોક્ત તથ્યથી કોઈ મૂર્ધન્ય અજાણ ન હતા. પણ તેમને કશી કબુલાત કરવી ન હતી.

શા માટે મૂર્ધન્યોને કબુલાત કરવી ન હતી.?

તે વખતના મૂર્ધન્યો પોતાને મહાત્મા ગાંધીવાદી સમજતા હતા. મહાત્મા ગાંધીની વિચારધારા પ્રમાણે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઇએ. પણ આ કબુલાત ગુજરાતી ભાષાના મૂર્ધન્યોને કરવી ન હતી. પણ પોતે માતૃભાષાના પ્રેમી અને હિમાયતી છે તે બતાવવું પણ હતું. હવે આ બન્ને વાતનો મેળ કેમ કરીને પાડવો?

સમાચાર પત્રોમાં ચર્ચાઓ ઘણી આવતી. અને આ મૂર્ધન્યોએ પોતાની અનુકુળતા માટે નેતાઓના જે બે પક્ષ પડી ગયેલા તેમને આ રીતે ઓળખાતા કરી દીધેલા.

સરકારી પાંખ અને શૈક્ષણિક પાંખ

જેઓ સરકારમાં હતા અને મહાત્માગાંધીની માતૃભાષાને લગતી વિચારધારામાં માનતા હતા, તેમને “સરકારી પાંખવાળા” છે એ રીતે ઓળખવામાં આવતા. આમાં કોણ આવતા હતા અને કોણ આવતા ન હતા તે આપણે પછી ક્યારેક જોઇશું. પણ માતૃભાષાની બાબતમાં, ગાંધીવિચાર ધારા સાથે સંમત થનારાઓને “સરકારી પાંખવાળા તરીકે ઓળખવામાં આવતા હતા જેથી ગાંધીજીને ગોદો ન વાગી જાય.

અમદાવાદ એજ્યુકેશન સોસાઈટી સાથે જોડાયેલી સંસ્થાઓમાંના વિદ્વાનોને સાથે સાથે જે બાકી રહી ગયેલા અંગ્રેજીપ્રેમીઓ હતા તેમને “શૈક્ષણિક પાંખવાળા” એ રીતે ઓળખવામાં આવતા હતા.

આપણા કેટલાક મહામૂર્ધન્ય સાહિત્યકારોનો “શૈક્ષણિક પાંખવાળા”માં સમાવેશ થતો હતો.

મહામૂર્ધન્યનું બભમ્‌ બભમ્‌

આપણી ગુજરાતી ભાષાના મહામહિમ ગણાતા (તેમના પ્રશંસકો દ્વારા ગણાતા) એક મૂર્ધન્ય કે જેમનું નામ આપણે નહીં લઈએ, કારણકે સુજ્ઞજનોને તેમના નામની ખબર જ છે. અને જો નહીં હોય તો આ મહામહિમ મૂર્ધન્યનું એક કથન પ્રગટ કરીશું એટલે નહીં સમજેલા સુજ્ઞજનો સમજી જશે. આ મહામહિમ મૂર્ધન્યે એમ કહેલ કે “આપણે સ્વતંત્ર થયા છીએ. રાષ્ટ્રભાષા (દેશની વહીવટી ભાષા) હિન્દી થશે. એટલે કે અંગ્રેજીનું સ્થાન હિન્દી લેશે. તે વાત ખરી. પણ રાજ્યોમાં અને ખાસ કરીને ગુજરાતમાં બધી જ જગ્યાએ અંગ્રેજીનું સ્થાન, હિન્દી ભાષા નહીં લે”. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. પૂર્ણ વિરામ ….. .

આ મહા મૂર્ધન્ય જ્યારે પણ ભાષાની વાત આવે ત્યારે આ જ વાક્ય બોલ્યા કરે. તેમણે કદીય તેમના આ કથનનું સ્પષ્ટીકરણ કર્યું નથી. એટલે કે ક્યાં ક્યાં અને કયા કયા ક્ષેત્રોમાં અંગ્રેજીભાષાનું સ્થાન ગુજરાતીભાષા લેશે તે વાત તેમણે કરી જ નથી. જાણી જોઇએ તેમણે આ વાત કરી ન હતી. શિક્ષણનું માધ્યમ દરેક ક્ષેત્રમાં ગુજરાતી જ રહેશે તેવું આ મહા મૂર્ધન્યે કદીય ચીપિયો પછાડીને કે ચીપિયો પછાડ્યા વગર પણ કહ્યું નથી.

વાસ્તવમાં પોતાના ચાહકો દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાતી ભાષાના આ મહામૂર્ધન્ય તરફથી આવા અસ્પષ્ટ ઉચ્ચારણ અને તે પણ અવારનવાર કરવામાં આવે ત્યારે તેમના મનમાં રહેલા ભાવ  વિષે અમારા જેવા અલ્પજ્ઞને શંકા જતી હતી. બીજા અનેક બની બેઠેલા મહાત્મા ગાંધીવાદીઓની જેમ આ મહામહિમ મૂર્ધન્ય પણ દંભી ગાંધીવાદી હતા, તે આપણા જેવા ચીપિયો ઠોકીને પણ કહી શકે. પણ આપણા ચીપિયા પાસે માઈક ન હોય તે સૌ કોઈ જાણે છે.

આવા સમયના તકાજા, ભારતમાં અને ગુજરાતમાં ઘણી વખત આવ્યા છે. અને ઘણાએ જોયું છે કે આવા મૂર્ધન્યોનું ઘોડું જરુર પડ્યે દોડ્યું નથી.

આ બધું કહેવાનો અર્થ શો છે?

મૂર્ધન્યોના આવા વર્તાવથી જ ગુજરાતી ભાષાનો બહુ ક્ષેત્રીય વિકાસ થતો અટકી ગયો.

તો મહાત્મા ગાંધીવાદીઓએ શું કર્યું?

મહાત્મા ગાંધીવાદીઓએ તેમની આદત પ્રમાણે કર્યું. એટલે કે એક વખત તેમણે કહી દીધું કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. વાત પૂરી.

જો કે કાકા કાલેલકર જેવા કેટલાક સ્પષ્ટ વક્તા હતા. કાકા કાલેલકરે કહેલ કે અંગ્રેજી ભાષા તો વિદ્યાર્થી જ્યારે કોલેજમાં જાય ત્યારે જ, જો તેને શિખવી હોય તો, શિખવવી જોઇએ. વિદેશમાં પણ જો કોઈને ભારતીય ભાષા શિખવી હોય તો તે જ્યારે કોલેજના સ્તરે જાય ત્યારે જ તેને શિખવવામાં આવે છે. દાદા ધર્માધિકારીએ કહેલ કે ભારતીયોનું અંગ્રેજી કાચું જ રહે તે ઇચ્છવા યોગ્ય છે.

જેઓ સાચા ગાંધીવાદી ન હતા અને શિક્ષણસંસ્થાઓ ચલાવતા હતા તેઓએ તેમની કોલેજોમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ રાખેલું.

શિક્ષણના વ્યાપારીકરણના બીજ અહીંથી વવાયાં

ગુજરાતમાં તે વખતે ત્રણ વિશ્વવિદ્યાલયો હતા. ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી અને વલ્લભ વિદ્યાપીઠ.

ગુજરાત યુનીવર્સીટીએ તો સરકારી હોવાથી ઇન્ટર સુધી ગુજરાતી માધ્યમ રાખ્યું. વડોદરાની સયાજીરાવ યુનીવર્સીટીએ અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખ્યું. વલ્લભ વિદ્યાપીઠે થોડો વખત કદાચ હિન્દી રાખેલ અને પછી અંગ્રેજી માધ્યમ કરી દીધેલ.

અમે ૧૯૫૪માં જ્યારે માધ્યમિકશાળામાં હતા ત્યારે સરકારશ્રી તરફથી એક સર્ક્યુલર આવેલ. સર્ક્યુલરની વિગતો શું હતી તેની જાણ નથી. પણ અમને કહેવામાં આવ્યું કે અંગ્રેજીનું અને સંસ્કૃતનું મહત્વ ઘટાડવામાં આવી રહ્યું છે. સંસ્કૃતનું મહત્ત્વ શા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું તે વાત તે સમયે સમજાઈ ન હતી. આ વાત આપણે પછી સમજીશું. અંગ્રેજીનું મહત્ત્વ એટલા માટે ઘટાડવામાં આવી રહ્યું હતું કે હવે રાષ્ટ્રભાષા હિન્દી બનતી હતી. જો કે સંસ્કૃતના અને અંગ્રેજીના અભ્યાસક્રમમાં કશો ફેરફાર થયો ન હતો. પણ તેના પીરીયડો ઘટાડવામાં આવ્યા હતા.

આઘાતજનક સમાચાર

અમે ૧૯૫૭માં જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પહોંચ્યા ત્યારે અમને એક સમાચાર એવા મળ્યા કે જે અમારે માટે આઘાત જનક હતા.

અમારો ફાલ “પાંચમાથી અંગ્રેજી” વાળો ન હતો કે ન તો અમારો ફાલ “આઠમાથી અંગ્રેજીવાળો” હતો. અમને અંગ્રેજી સાતમા ધોરણથી શિખવવાનું ચાલુ કરેલ. અમારા અંગ્રેજી પાઠ્યપુસ્તકનું નામ હતું “કુપર્સ ઇંગ્લીશ કોર્સ ભાગ – ૧” આ પુસ્તકના અમુક પ્રકરણો અમને સાતમા ધોરણમાં ભણાવવામાં આવ્યા અને બાકીના આઠમા ધોરણમાં ભણાવવામાં આવ્યા હતા.

અમે જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં હતા ત્યારે એક સમાચાર એવા આવ્યા કે હવે સરકાર પાંચમા ધોરણથી અંગ્રેજી ભણાવવાનું ચાલુ કરશે. એટલે કે અમારા પછીનો “ફાલ” અમારાથી અંગ્રેજીમાં આગળ નિકળી જશે. અમારા ઘરમાં અમારો નંબર ત્રીજો આવે અને અમારા બંને મોટા ભાઈઓ અંગ્રેજીમાં અમારાથી હજારો માઈલ આગળ હતા. એ લોકો અંગ્રેજીની અઘરી અઘરી અને મોટી મોટી ચોપડીઓ વાંચતા હતા. વળી તેમનું ગુજરાતી પણ સારું જ હતું. અમારા પિતાજી તો સંસ્કૃત અને ગુજરાતી પણ અંગ્રેજીમાં જ ભણેલા. એટલે તેમની તો વાત જ ન થાય. વળી તેઓશ્રી તો પિતાજી હતા.એટલે તેમની તો ઈર્ષા પણ ન થાય. આમેય અમારા મોટાભાઈઓની પણ ઈર્ષા ન થાય. કારણ કે તેઓ તો મોટા હતા.

પણ જેઓ સમાજમાં અમારાથી નાના હતા તેઓ અંગ્રેજીમાં અમારાથી ઘણા આગળ નિકળી જશે અને સરકારની નીતિના અમે નાહકના બલિ બની ગયા એવો વસવસો અમને થતો. પણ આ વસવસો અમારા હિન્દીના પ્રોફેસર જયેન્દ્ર ત્રીવેદીએ દૂર કરી દીધો. તેમણે અમને કહ્યું કે તમારે ડરવાની જરુર નથી. અંગ્રેજી ભાષા વધારે વર્ષ ભણાવવાથી કોઈને અંગ્રેજી આવડી જતું નથી. જે રીતે અંગ્રેજી ભણાવવામાં આવે છે તે રીતે તમારા પછીના ફાલને પહેલા ધોરણથી ભણાવવામાં આવશે તો પણ તેઓ તમારાથી આગળ તો નિકળી જઈ શકશે જ નહીં. અમને થયું હાંશ !! તો ઠીક …

અમારા “ફાલ”ને “મગન માધ્યમ”ના નામે વગોવવામાં આવતો હતો. જો કે ઈન્ટર પછી અમે બધું અંગ્રેજીમાં જ ભણેલ તો પણ. આમેય ગુજરાતીઓને ગુજરાત બહાર નોકરી મેળવવી અઘરી હોય છે. એમાં નોન-ગુજરાતીઓને તો “દોડવું હતું ને ઢાળ મળ્યો” એવું થયું.

માતૃભાષા માધ્યમ એટલે અંગ્રેજીનો ઇન્કાર

શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની વાત કરીએ તો તેને અંગ્રેજીની અવગણના તરીકે ખપાવી દેવામાં આવે છે. પહેલાં પણ એવું જ હતું.

ભરુચના નર્મદા કિનારે એક સ્વામીજીનો આશ્રમ હતો. મારા મિત્રના એ કૌટૂંબિક ગુરુ હતા. વાતવાતમાં વાત નિકળી તો મેં કહ્યું કે ગુજરાતમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતીભાષા જ હોવી જોઇએ. તેમણે અને તેમના ફોરીન રીટર્ન વયસ્ક બેને કહ્યું “પણ ગુજરાતીમાં વિજ્ઞાનના પુસ્તકો જ ક્યાં છે?” મેં કહ્યું કે “તરવું હોય તો પાણીમાં પડવું જોઇએ. એમ તો ન જ કહેવાય કે પહેલાં હવામાં હાથપગ હલાવવાની બરાબર પ્રેક્ટીસ કરી લો. પછી પાણીમાં પડવાની વાત. રશિયામાં એવી ઘણી ભાષાઓ હતી જેને પોતાની લિપિ પણ ન હતી. તો પણ તેમણે તે ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવેલ.”  (આવું મેં તે વખતે વાંચેલ એટલે તેનું ઉચ્ચારણ કરેલ). તે વખતે હું માંડ વીસ વર્ષનો હોઈશ અને તેઓ સૌ પોતાને અતિવિદ્વાન માનતા એટલે નાના મોઢે મોટી વાત ન શોભે તેવો તેમનો પ્રત્યાઘાત રહેલ.

આવા પ્રત્યાઘાત સમાજમાં સામાન્ય હોય છે. સર્વોદયવાદી નેતાઓ પણ આમાંથી બકાત નથી.

દ્વારકા પ્રસાદ જોષી સમક્ષ મેં કહેલ કે “અનામતનો પ્રશ્ન” એ સમસ્યા જ નથી. તમે ઘણી બધી મેડિકલ કોલેજો ખોલી દો. જેને જોઇએ તેને પ્રવેશ આપો. પરીક્ષાનું ધોરણ તમે હળવું ન કરો. જે મહેનતુ, હોંશીયાર અને યોગ્ય હશે તે પાસ થતો જશે.  એટલે દ્વારકા પ્રસાદ જોષીએ પ્રત્યાઘાત આપેલ કે “તૂં મોટો થાય ત્યારે તેવું કરજે…” આ રીતે ઘણીવાર મોટા માણસમાં નાનો માણસ વસતો હોય છે. મોટે ભાગે તો આવું જ હોય છે.

 ૧૯૬૪માં જ્યારે હું જબલપુરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો અને જોયું કે તેઓ બધા જ અંગ્રેજીમાં અને જ્ઞાનમાં ગુજરાતીઓને સમકક્ષકે કે તેથી ઉતરતી કક્ષાના હતા ત્યારે “મગન માધ્યમ”ની લઘુતાગ્રંથી (જે મારામાં તો હતી જ નહીં પણ મારા ગુજરાતી સહાધ્યાયીઓમાં હતી) તે દૂર થઈ હતી.

સમગ્ર ભારતના બધાં જ રાજ્યોમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઇએ. જેમને અંગ્રેજીભાષામાં ભણવું હોય તેમને ખાનગી શાળાઓ અને કોલેજો ભલે ભણાવે. સરકાર તેમનામાં દખલ કરશે નહીં. તેમને મદદ પણ કરશે નહીં. તેમને માન્યતા પણ આપશે નહીં.  કેન્દ્રીય સ્તરે કાં તો સંસ્કૃતને રાખો કે હિન્દી અને તમિલને રાખો. યાદ રાખો સંસ્કૃતભાષા રાષ્ટ્રભાષા બનવામાં અંગ્રેજી સામે માત્ર અને માત્ર એક મતથી પરાજિત થયેલ. આ એક મત જવાહરલાલ નહેરુનો હતો. એટલે નહેરુએ પરિપત્ર ઇસ્યુ કરાવેલ કે સંસ્કૃતનું મહત્વ ઓછું કરો. તેની સામે ગુજરાતે અંગ્રેજીને પણ જોડી દીધી. કારણકે અંગ્રેજીને ફક્ત દશવર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ હતી. ૧૯૬૨ના અરસામાં આ મુદત પુરી થતી હતી. કોઈનું ધ્યાન જ ન હતું કે આવતા મહિનાથી કે આવતી કાલથી અંગ્રેજીની મુદત પુરી થતી હતી. તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આ વાત પર ધ્યાન દોર્યું. દક્ષિણ ભારતમાં ધમાલ થઈ. બંગાળીઓને થયું અમે પણ શું કામ પાછળ રહીએ. તેમણે પણ કોઈના ચડાવ્યે કે એમ જ ધમાલ કરી. નહેરુને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. તેમણે વટ હુકમ દ્વારા અંગ્રેજીને અનિયતકાળ સુધી ચાલુ રાખાવ્યું.

 સદભાગ્યે ગુજરાતી ભાષા વહીવટી ભાષા છે એટલે ગુજરાતમાં ગુજરાતીભાષાનું મૃત્યુ દેખાતું નથી. પણ આ પુરતું નથી. ગુજરાતમાં નોકરી કરવી હોય તો ગુજરાતીની એચ.એસ.સી. (બારમાની)ની પરીક્ષા પાસ કરવી જ પડશે. ગુજરાતીભાષાનો સર્વાંગી વિકાસ કરવો પડશે. તે માટે વિજ્ઞાનના પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી ઉપલબ્ધ કરાવવાં પડશે. પારિભાષી શબ્દો માટે સંસ્કૃતનો સહારો લેવો પડશે. પારિભાષી શબ્દો સમગ્ર ભારત માટે સમાન રાખવા પડશે. જો આવું કરવામાં આવશે તો ગુજરાતી ભાષા મરશે નહીં.

ઘણી ભાષાઓ મરી ગઈ છે.

કચ્છી ભાષા મરી જશે. પંજાબી ભાષા મરી જશે. કાશ્મિરીની ભાષા મરી જવાની ઘડીઓ ગણાય છે અથવા મરી ગઈ છે એમ સમજો તો પણ ચાલે, (આ કાશ્મિરીઓને હાસ્યાસ્પદ આધારે સ્વતંત્ર રાષ્ટ્ર જોઇએ છે. જે જીવતી જાગતી પોતાની ભાષા ન સંભાળી શક્યું તે શું સ્વતંત્રતા સંભાળી શકશે?) “રાઉઆ કા કરતની?” વાળી ભોજપુરી ભાષા મરી જશે. ભલુ થજો આદિત્યનાથ યોગીનું જેમણે સંસ્કૃતને અનિવાર્ય કરી છે.

વિશ્વની અનેક ભાષાઓ મરી ગઈ છે. જેમકે માયા સંસ્કૃતિવાળી જેને પ્રોટો-માયન ભાષા કહે છે તે કોઈ બોલતું નથી. તેની અનુગામી ભાષાઓ ક્યારે મરી જશે તે કહેવાય તેમ નથી કારણ કે વ્યવહાર બધો સ્પેનીશ ભાષામાં જ થાય.  ઈજીપ્તની પ્રાચીન ભાષાની પણ આ જ દશા છે. ભાષાને નિરુપયોગી કરી દો એટલે તે મરી જશે. જ્યારે એક સંસ્કૃતિ ઉપર બીજી સંસ્કૃતિ હામી થઈ જાય ત્યારે પહેલી સંસ્કૃતિના બધા જ અંગો ફક્ત ઇતિહાસના પૃષ્ઠોમાં સમાઈ જાય છે.

રામકૃષ્ણ મિશનવાળા વિદેશમાંભારતીય બાળકોને ભારતીય ભાષાઓ શિખડાવે છે. જોઈએ તેઓ કેટલું કરી શકે છે. તેઓ કદાચ હિન્દુ ધર્મને જીવતો રાખી શકશે પણ ભાષાઓ વિષે કશું કહી શકાય નહીં.

 ગુજરાતી ભાષા જ્યારે વહીવટમાંથી ગાયબ થશે થશે ત્યારે તેનું પણ મૃત્યુ થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

એકદા સુપ્રભાતે તે, વિશ્વયાત્રી નારદે,

કીધો નિશ્ચય પ્રવાસાર્થે તે ગુર્જર દેશનો,

વિવાદ વકર્યો છે બોધભાષાનો, જ્યાં સઘળે અત્ર તત્ર હા,

બોધભાષા શું થવી?,  ગુર્જરી હો કે આંગ્લ હો?

બ્ર્હમપુત્ર મુંઝાયા તો, કર્યો વિચાર કોને પૂછું?

ગયા તે તો પિતા પાસે, પ્રશ્ન કર્યો તે ઉત્તમ …

બોધભાષા કા કૂર્યાત્‍ બ્રુહી મામ્‍ હે શતધૃતિ,

સંતતિના નિયમન અર્થે મારે તો ઘણું કામ છે,

બોલ્યા બ્ર્હમા સ્વપુત્રને ને વળગ્યા વળી સ્વ કામને,

ગયા તેથી તે કને વિષ્ણુ કર્યો પ્રશ્ન ફરી ફરી,

બોધભાષા શું થવી તે ગહન પ્રશ્ન ગુજરાતનો,

બોલ્યા તે ઘનશ્યામ વિષ્ણુ, નારદે વિણાવાદકે,

મારે તો ઘણું કામ છે અન્નને અર્થ શાસ્ત્રનું,

મળો તમે ઈશને તેથી,

જો કે છે ચિંતા તેમને ઘણી, શાંતિને વળી નાશની,

તથાપિ તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

જ્ઞાન વિજ્ઞાનને વિદ્યા કેરા દેવ ગણાય છે.

કૈલાસે તે ગયા નારદ, મહામૂની મહર્ષિં હા,

કીધો પ્રશ્ન પરમેશને કે બોધભાષા શું હવી?

ઉચર્યા તે મહાદેવા ઈશ્વરા પરમેશ્વરા,

બોધભાષા તે જ હો, જે ભાષા ઘરમાં વસે.

(૧૯૬૨માં લખાયેલ જેમાંનું જેટલું યાદ રહ્યું તેટલું)

ટેગ્ઝઃ ગુજરાતી ભાષા, ગુર્જરી, ભાષાશાસ્ત્ર, દેકારા પડકારા, સંવાદ, સ્પષ્ટતા, ચિત્રલિપિ, શબ્દલિપિ, અક્ષરલિપિ, શ્રુતિ, સ્મૃતિ, વેદ, ઋગ્વેદ, ઉપનિષદ, કાશ્મિર, કન્યાકુમારી, કશ્યપ, કુબેર, ભૃગુઋષિ, કૈકેયી, રામાયણ, વ્યાકરણ, મૂર્ધન્ય, મહામૂર્ધન્ય, કોંગ્રેસ, મોરારજી દેસાઈ, ઠાકોરભાઈ, પાંચમા, આઠમા, મગનભાઈ દેસાઈ, મગન માધ્યમ, ભાષાનો વિકાસ, પારિભાષી શબ્દ, મહાત્મા ગાંધીવાદી, ભાષાવાર પ્રાંત રચના, મોરારજી દેસાઈ, સંસ્કૃત ભાષા, સરકારી પાંખ, શૈક્ષણિક પાંખ, બભમ બભમ, કાકા કાલેલકર, દાદા ધર્માધિકારી, શિક્ષણનું વ્યાપારી કરણ, ગુજરાત યુનીવર્સીટી, સયાજીરાવ યુનીવર્સીટી, વલ્લભ વિદ્યાપીઠ, જયેન્દ્ર ત્રીવેદી, દ્વારકા પ્રસાદ જોષી, જબલપુર, લઘુતાગ્રંથી, નહેરુ

Read Full Post »

રામ મંદિર અને મર્ધન્યોનો વિતંડાવાદ કે તટસ્થાની ધૂન

ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી બન્યા એટલે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને એક નહીં અનેક મુદ્દા મળી ગયા પણ સાથે સાથે દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓ જેવા કટારીયા મૂર્ધન્યોને પણ ખોરાક મળી ગયો. તટસ્થની ધૂન જેમના ઉપર સવાર છે તેમણે પોતાનું મોઢું મચકોડ્યું.

ram temple and adityanath

રાજકારણ અને ઇતિહાસ કે ધર્મ

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની માનસિકતાને સમજી શકાય છે. તેમની માન્યતા પ્રમાણે તો હિન્દુ નેતાઓના સારા કામને વખાણવું કે હિન્દુઓ સંકળાયેલા હોય તેવા તથ્યને પણ સ્વિકારવા એ ધર્મનિરપેક્ષતાનું ખૂન છે.

લઘુમતિઓની તર્કહીન તરફદારી કરવી તેને ધર્મનિરપેક્ષતા જ માનવામાં આવે છે. “હિન્દુઓ કરતાં મુસ્લિમોનો ભારત પર વધુ હક્ક છે કારણ કે મુસ્લિમો મરીને ભારતની ભૂમિમાં દટાઈને ભળી જાય છે” આવી મતલબનું જેમને નિપુણ અર્થશાસ્ત્રી તરીકે ખપાવવામાં આવે છે, એવા આપણા માજી પ્રધાનમંત્રી મનમોહન સિંઘે વડાપ્રધાન પદ ઉપર રહીને કહેલું. પણ આમાં કશું નવું નથી. “આ તો ધર્મનિરપેક્ષતાની આપણી વ્યાખ્યાને અનુરુપ છે. આ નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે”.

ઓગણીશોપચાસના દશકામાં નહેરુએ કહેલું કે “જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ”. અત્રે એક યાદ રાખવા જેવી વાત એ  છે કે ગુજરાતીઓએ કદી મુંબઈની માગણી કરી જ ન હતી. કોંગ્રેસની  કેન્દ્રીય કરોબારીનો જ નિર્ણય હતો કે મુંબઈને એક કેન્દ્રીય રાજ્ય ગણવું.  આ વાતની વિગતવાર ચર્ચા અસ્થાને છે પણ નહેરુવીયન કોંગ્રેસના આવા સંસ્કાર રહ્યા છે કે ખાસ કરીને હિન્દુઓમાં ભાષા, જ્ઞાતિ અને વિસ્તાર (રીજીઅન)ના આધારે ભાગલા પડાવવા.

આ જ બ્લોગ સાઈટ ઉપર એક બ્લોગ શ્રેણી છે જેનું નામ છે “ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?” તેમાં રામ, ઇતિહાસ, જનતંત્ર અને રામના મંદિર વિષે વિસ્તૃત ચર્ચા કરી છે. જેમને તથ્યો જાણવામાં રસ હોય તેઓ અચૂક વાંચે.

કહેવાતી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિર બાંધવું એ હિન્દુઓની ઈચ્છા અને માગણી છે. અને સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો માન્ય  રાખવો એ મૌલવીઓની અને મુસ્લિમ નેતાઓની માન્યતા છે.

સ્વાભાવિક રીતે જ ઇતિહાસના ખોળાં ખંખોળા થાય.

ઐતિહાસિક રીતે આખી ભારતભૂમિ હિન્દુઓની હતી

ઉચ્ચ ન્યાયાલયે કહેવાતી રામજન્મ ભૂમિ ઉપર સ્થિત, તોડેલી મસ્જીદની જગ્યાએ ખોદકામ કરાવ્યું.

તૂટેલી મસ્જીદની નીચેથી બે સ્તરો નિકળ્યાં (કે કદાચ વધુ પણ નિકળ્યાં હોય) અને તે હિન્દુ દેવતાઓના (શિવના) મંદિર હતાં. એટલે ઐતિહાસિક રીતે તો આ ભૂમિ હિન્દુઓની હતી. પણ એમ તો આખા ભારતવર્ષની ભૂમિ હિન્દુઓની હતી. એટલે કોનો હક્ક એ સંશોધનનો, કાયદાનો અને કાયદાના અર્થઘટનનો વિષય બને છે.

૧૯૪૯-૫૦ના અરસામાં ઉપરોક્ત મસ્જીદ જે બાબરી મસ્જીદ તરીકે ઓળખાય છે તેના તાળાં તોડાયાં તો તેમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્ત્તિઓ સ્થાપિત હતી. એટલે હિન્દુઓને ત્યાં પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવી. પણ હિન્દુઓને તો ત્યાં રામનું મોટું મંદિર બાંધવું હતું, કારણ કે અયોધ્યા એ રામની જન્મભૂમિ ખરી પણ રામનું એક પણ મંદિર નથી. અને નજીકના ભૂતકાળના ઐતિહાસિક દસ્તાવેજોના આધારે અને હાલ પણ, તે જગ્યાને “રામજન્મ ભૂમિ” માનવામાં આવે છે.

વાત એમ છે કે;

એક જગ્યા છે.

તેના ઉપર કબજો હિન્દુઓનો છે.

પણ આ જગ્યા ઉપર મસ્જીદ છે.

આ મસ્જીદની અંદર રામની મૂર્ત્તિ છે.

આની બાજુની ભૂમિ ઉપર મુસ્લિમોનો કબજો છે.

હિન્દુઓએ પોતાના કબજાની ભૂમિ ઉપરની મસ્જીદને તોડી,

મુસ્લિમોએ આનો વાંધો લીધો, મસ્જીદ તો અમારી સંસ્કૃતિ છે. ભલે કબજો તમારો હોય અને ભલે તેમાં નમાજ પઢવાનું અમારા ધર્મની વિરુદ્ધ હોય (વિવાદાસ્પદ  ભૂમિ ઉપર મસ્જીદ બાંધી ન શકાય અને બાંધી હોય તો ત્યાં નમાજ પઢી ન શકાય). પણ જો તમે તે મસ્જીદને તોડો તો અમારી લાગણી ઘવાય.

આ ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત રુપે સેંકડો મસ્જીદો પાકિસ્તાનમાં, કાશ્મિરમાં અને બંગલાદેશમાં તોડવામાં આવી. પણ આને સરવાળા બાદબાકીમાં લેવાની નહીં. રામનું મંદિર પણ બાંધવા દેવાનું નહીં. મસ્જીદ એ જ જગ્યાએ ફરીથી બાંધો અને અમને કબજો આપો. તેની બાજુની ભૂમિ ઉપર અમારો કબજો કાયમ રાખો.

“મેરી ચૂપ, લેકિન તુમ ચૂપ ક્યોં”

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સંસ્કૃતિક સાથીઓ હમેશા એ વાત કહેતા આવ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બીજેપીને રામ મંદિર યાદ આવે છે. એ સિવાયના સમયમાં બીજેપી રામમંદિરના મુદ્દાને અભરાઈ ઉપર મુકી દે છે. બીજેપી તો ધર્મને હથિયાર બનાવે છે. અને જુઓ, ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી બીજેપી સત્તામાં હતી તો પણ તેણે રામમંદિરનો મુદ્દો ઉકેલ્યો નહીં. વાસ્તવમાં બીજેપી રામમંદિરના મુદ્દાને ઉકેલવામાં માનતી જ નથી. બીજેપી રામ મંદિરના મુદ્દાને વણ ઉકલ્યો જ રાખવા માગે છે જેથી તે જ મુદ્દા ઉપર તે હિન્દુઓના મત મેળવી શકે.

જો કે નહેરુવીયન કોંગ્રેસ  અંદર ખાને એવો પ્રચાર પણ કરે છે કે જુઓ “રામ મંદિર”ની બાબતમાં કંઈપણ પ્રગતિ થઈ હોય તો તે કોંગ્રેસના શાસન દરમ્યાન જ થઈ છે. એટલે કે અમે કોંગ્રેસે જ  હિન્દુઓનું હિત જાળવ્યુ છે. ૧૯૪૯-૫૦માં નહેરુ પ્રધાનમંત્રી હતા અને બાબરી મસ્જીદના તાળા ખૂલ્યાં હતા. ૧૯૯૩માં બાબરી મસ્જીદ તૂટી ત્યારે પણ અમારા નરસિંહ રાવ જ પ્રધાન મંત્રી હતા. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ છે ફક્ત તમારે અમારા બે કથનોની વચ્ચે ન બોલાયેલું સાંભળવાનું છે.

આમ તો નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે કે “જમવામાં જગલો (નહેરુવીયન કોંગ્રેસ) અને કૂટાવામાં ભગલો (વિરોધીઓ)”. “દેશના બધાં જ સારા સારા કામની ક્રેડિટ યેન કેન પ્રકારેણ, ઇન્દિરાને જ, આપવી એવી કોંગીજનોમાં રહેલી માનસિકતાની મજાકના રુપે  એક જોક પ્રચલિત થયેલી કે “ઇન્દિરા ગાંધીએ જ દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું”. પણ આ જોક થોડી બિભત્સ છે એટલે અહીં અસ્થાને છે.

શું નહેરુવીયન કોંગ્રેસ તેના કુલા ખંખેરી શકે?

જનતાની સમસ્યાઓ ઉકેલવી શાસકનું કામ છે. કોઈ એક સમસ્યાને કારણે જનતા વિભાજિત થઈ જાય અને બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય  તો, શાસકનું કર્તવ્ય છે કે તે સમસ્યાનો ઉકેલ લાવે. સમસ્યા ન્યાયાલયને આધિન હોય તો તેનો અર્થ એવો તો થતો જ નથી તે સમસ્યા ન્યાયાલયની બહાર ન ઉકેલી શકાય.

નહેરુવીયન કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને પોતાને પ્રચ્છન્ન રીતે લઘુમતિઓના ખાવિંદ માને છે.  તો તેનો અર્થ એમ થયો કે મુસ્લિમો સાથે તે વાણીવ્યવહાર અને  ગોષ્ટિ  કરી શકવાને સક્ષમ છે. વળી તે પોતાને હિન્દુઓની દુશ્મન તો માનતી નથી. જો નહેરુવીયન કોંગ્રેસ પોતાને દેશપ્રેમી અને ભારતની હિતૈષી માનતી હોય તો તેણે ભારતીય જનતાના બે જુથોને ભેગા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. પણ નહેરુવીયન કોંગ્રેસે આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. તેણે તો આ બે જુથો વચ્ચેની ખીણ કેમ પહોળી અને ઉંડી થાય તેના જ પ્રયત્નો કર્યા છે. આ બાબતમાં એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણને લગતાં જ પગલાં લીધાં છે.  જો એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમો ઉપર ઘણા ઉપકાર  કર્યા છે. આ ઉપકારો જણાવવાની જનુરુર નથી.

તો શું નહેરુવીયન કોંગ્રેસ મુસ્લિમોને કૃતઘ્ન માને છે?

નહેરુવીયન કોંગ્રેસે દેશ ઉપર દશકાઓ સુધી એક ચક્રી શાસન કર્યું. તેનું કર્તવ્ય હતું કે તે મુસ્લિમોને કૃતઘ્ન ન માને (એટલે કે તેમને થેંકલેસ ન માને), અને પોતાની ગુડવીલનો (સદભાવનાનો) ઉપયોગ દેશના હિત માટે કરે. પણ નહેરુવીયન કોંગ્રેસે તો પોતાના કુલા જ ખંખેરી નાખ્યા. જાણે કે દેશનું હિત જળવાય તેમાં પોતાની તો કોઈ જવાબદારી જ નથી.

દેશને લૂટી લેનાર પક્ષ પોતાની જવાબદારી ન સમજે તે સમજી શકાય છે. પણ દેશના મૂર્ધન્યોએ આ વાત નહેરુવીયન કોંગ્રેસના ધ્યાન ઉપર લાવવાની જવાબદારી અદા કરવી જોઇએ. પણ તમે જુઓ છો કે દેશના મૂર્ધન્યો અને કટારીયાઓ આ રામમંદિરના  મુદ્દા ઉપર નહેરુવીયન કોંગ્રેસના ખોળે બેસી જાય છે.

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસની રામમંદિરના મુદ્દાના ઉકેલના વિષયમાં જવાબદારી ઘણી મોટી છે.

બીજેપી પક્ષને તો આ નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ પોતાના વાજીંત્રો દ્વારા ઠીક ઠીક અળગો કરી દીધો છે. એટલે બીજેપીના નેતાઓ મુસ્લિમો સાથે સમાધાન ન કરી શકે તે સમજી શકાય તેમ છે. તેથી બીજેપીના નેતાઓ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની રાહ જુએ તે સ્વાભાવિક છે. પણ ઇન્દિરાઈ કલ્ચર એવું છે કે “કોઈ આપણને કાણો કહે તે પહેલાં આપણે તેને કાણો કહી દેવો”.

હવે નહેરુવીયન કોંગ્રેસ ઉપર સંકટ આવ્યું છે

આમ તેના બીજા સાથીઓ ઉપર પણ સંકટ આવ્યું છે. પણ નહેરુવીયન કોંગ્રેસે છ દશકા દેશ ઉપર શાસન કર્યું છે તેથી તેના ઉપર સંકટનો ભાર વધુ છે.

આદિત્યનાથ યોગી સ્થાનિક મુસ્લિમોમાં પણ પ્રિય છે અને એક શાસક તરીકે ધાર્મિક ભેદભાવ રાખે છે તેવું કશું કશું કર્યું નથી કે કરવાના પણ નથી. તેથી તેમના કર્મોદ્વારા તે કોમવાદી છે તે સિધ્ધ થવાની શક્યતા નથી.

નહેરુવીયન કોંગ્રેસ, તેના ફરેબી ધર્મનિરપેક્ષતાવાળા અને કેટલાક તટસ્થતાની ધૂનમાં ગ્રસ્ત કે અજાણતા પથભ્રષ્ટ થયેલા કટારીયા લોકો વાણીવિલાસ કર્યા કરશે. પણ આ લોકોને ડર છે કે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં રામમંદિરનો મુદ્દો ઉકલી જશે તો પોતાનું તો નામું નંખાઈ જશે. ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તો “ખટીયા ખડી હો જાયેગી”.

મૂર્ધન્યો કઈ વાતમાં થાપ ખાઈ જાય છે?

રામ એ ઐતિહાસિક છે કે ધાર્મિક?

“રામ” એ એક હિન્દુધર્મ (રીલીજીનીયન) સાથે સંકળાયેલું પાત્ર છે. તે ઐતિહાસિક પાત્ર  નથી.

નહેરુવીયન કોંગ્રેસની સરકારે આ વાત ન્યાયાલય સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક કરેલી. નહેરુવીયન કોંગ્રેસની પ્રતિજ્ઞાઓ, ભારતના ઐતિહાસિક દસ્તાવેજોના આધારને લક્ષ્યમાં લેતાં ફરેબી હોઈ શકે છે. પણ ન્યાયાલય તેના બધાં જ પ્રતિજ્ઞાપૂર્વક કહેલા કથનોને જુઠા ન માની શકે. જો કે એ સંશોધનનો વિષય છે કે એ જ કોંગ્રેસ પક્ષ પોતે શપથ પૂર્વક કહેલા કથનને શપથપૂર્વક ઉલ્ટાવી, શપથ પૂર્વક તેનાથી ઉંધું જ કથન કરી શકે છે અને ન્યાયાલય તેને કેમ  દંડિત કરતું નથી?

નહેરુવીયન કોંગ્રેસને અને તેના સાંસ્કૃતિક પક્ષોને બાદ કરો તો પણ રામને “ફક્ત અને ફક્ત ધાર્મિક પાત્ર” માનનારા મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો છે જ પણ અગણિત હિન્દુઓ પણ છે. કારણ કે હિન્દુઓ તે જ ઇતિહાસ ભણે છે જે ઇતિહાસ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલો છે. આ ઇતિહાસને ભારતના શિક્ષણશાસ્ત્રીઓએ સ્વિકારી લીધો છે. ભારતમાં તે જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. રામાયણની અનેક રચનાઓ છે. તેમાં ચમત્કારો આવે છે. ચમત્કાર શક્ય નથી તેથી રામ ઐતિહાસિક પાત્ર નથી. આજ ભણેશરીઓ જીસસ અને મોહમ્મદ સાહેબને ઐતિહાસિક પાત્ર માને છે જો કે ચમત્કારો તો બાયબલ અને કુરાન બંનેમાં આવે છે.

ભારત એક એવો દેશ છે કે જે વિદેશીઓએ લખેલા ઇતિહાસને જ ઇતિહાસ માને છે. તે પણ ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસને વધુ લાગુ પડે છે. કારણ કે તે ગૌરવશાળી છે. ભારત ગૌરવ શાળી હોઈ જ ન શકે. ગૌરવશાળી ફક્ત વિકસિત પશ્ચિમના લોકો જ હોઈ શકે. મુસ્લિમોએ ભારતને સુસંસ્કૃત કર્યો અને અંગ્રેજોએ ભારતને એકજુટ કર્યો. બાકી ભારતના લોકો તો અંદર અંદર લડવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા? ભારતના સુજ્ઞ જનોએ રાજીવ મલહોત્રા અને તેમના જેવા ઘણા લોકોએ લખેલા પુસ્તકોને કશો સંકોચ રાખ્યા વગર વાંચવા જોઇએ. આ વિદ્વાનોએ પાશ્ચાત્ય માનસિકતા વિષે અને તેમના એજન્ડા વિષે ઘણું મહેનતથી લખ્યું છે. 

“તડ અને ફડ”માં માનવાવાળા મૂર્ધન્યશ્રીએ પણ રામમંદિર વિષે લખવામાં ઘણી ભેળસેળ કરી નાખી છે. “અગણિત મંદિરો અને તેમાં એક વધુ મંદિર”, “બીજાઓ બાંધતા હોય તો આપણે શા માટે બાંધવા નહીં?”, “ભલે ખાવાને ધાન ન હોય, પીવાને પાણી ન હોય, રહેવાને મકાન ન હોય પણ રામનું મંદિર તો હોવું જ જોઇએ…” “મંદિર તોડાયાનો જે ઉલ્લેખ છે તે ઐતિહાસિક રીતે સ્વિકાર્ય નથી. મંદિર તોડાયાના ૫૦ વર્ષ પછી જે “ઓશો તુલસીદાસ” થઈ ગયા તેમણે આવા મંદિર તોડાયાનો ઉલ્લેખ કર્યો નથી. જે વ્યક્તિએ રામની વિષે દળદાર ગ્રંથ લખ્યો હોય તેવા “મહિષ્ઠ રામભક્ત ઓશો-તુલસીદાસ”, રામના મંદિરને તોડાવવાના વિષય ઉપર ન લખવા વિષે ઝાલ્યા રહે ખરા?….  વિગેરે વિગેરે”  કારણ કે આપણે કેટલા તટસ્થ છીએ અને તેથી કેટલા વિશ્વસનીય છીએ તે સિદ્ધ કરવા આપણે બધાને ગોદા મારવા જ પડે.

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા. કટારીયા હુએ હૈ તો સબોંકો ગોદા તો મારના હી પડેગા. મોદીકો ભી ગોદા મારો, બીજેપીકે નેતાઓંકો ભી ગોદા મારો, સુબ્રહ્મનીયમ સ્વામીકો ભી ગોદા મારલો, અબ જો યુપીમેં એક યોગી આયા હૈ ઉસકો ભી ગોદા માર લો. સાધુ સંતોંકો ભી ઉનકે કરતૂતોંકો જનરલાઈઝ કર કે ઉનકો ભી ગોદા મારલો,  સેક્યુલર મોગાંબો ખુશ હોગા… ” …  “ઐસા કરને સે ક્યા હોતા હૈ … … !!! ઐસા હોતા હૈ ન… કિ, હાડમાંસકા ભી એક રામ થા વહ બાત દબ જાતી હૈ … ઔર હમ તો જો સેક્યુલર ઠહેરે …, હાડમાંસકે રામકી તો બાત હી નહીં કર સકતે …  સમજ઼ા કિ નહીં?”

હવે જો આપણા મૂર્ધન્યો “હાડમાંસવાળા રામ”ની વાત કરે તો તો “મહાત્માજીના મંદિરની વાત તો જવા દો…  એ તો સત્તાવગરના હતા … ” પણ “નહેરુવંશના મંદિરોનું શું થાય … પોતે ને પોતે, પોતાના માટે, પોતે પરિશિલ્પિત કરેલા ચંદ્રકને, પોતે કરેલી/કરાવેલી ભલામણ દ્વારા પોતાને અપાયેલા ચંદ્રકોનું શું થાય”? “ હે ભારતીય જનો, ચંદ્રકની પરિકલ્પના કરનાર પણ હું છું …  ચંદ્રક બનાવનાર પણ હું છું … ચંદ્રક પણ હું છું … ચંદ્રકની ભલામણ કરનાર પણ હું છું …  ચંદ્રક મેળવનાર પણ હું છું …”

મોરારજીદેસાઈની સરકારે બધા ચંદ્રકો રદ કરેલા પણ ઇન્દિરાઈ સરકારે તેને પુનર્‌ જીવિત અને પુનર્સ્થા‌પિત કર્યા.

આ બધા વિષે નવેસરથી વિચારવું પડે. સોસીયલ મીડીયા ઉપર આ બધા મંદિરોને તોડવાની વાતો ચાલે જ છે.

મુસ્લિમોએ તો જુના પ્રાણપ્રતિષ્ઠિત  મંદિરો તોડ્યાં પણ હિન્દુઓએ તો આવા સેંકડો નહીં પણ હજારો મંદિરો ગલીએ ગલીએ જ નહીં પણ હાઈવે ઉપર દર કિલોમીટરે સ્થપાયેલા પ્રોટોટાઈપ અવસ્થામાં રહેલા મંદિરો તોડવા પડશે. યાદ રાખો આમાંના મોટાભાગના મંદિરો પ્રોટો ટાઈપ અવસ્થામાં છે. કેટલાક મંદિરો અત્યારે વિશાળતાને પામી ભક્તોથી ફાટ ફાટ થાય છે. (અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ પાસે એક મંદિર છે. થલતેજ ચાર રસ્તા દૂરદર્શન ટાવર પાસે પણ એક મંદિર છે. સન એન્ડ સ્ટેપ પાસે એક મંદિર છે. શાસ્ત્રીનગરમાં એક મંદિર છે.)

પણ આ બાધી વાતોને ટાંકીને આપણે શું રામની ઐતિહાસિકતાને અને તે કારણસર તેમના મંદિરની આવશ્યકતાને નકારી શકીશું?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને લાગે છે કે જો આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો ઉકેલી નાખશે તો આપણું શું થશે? વાસ્તવમાં આપણે આપણી સત્તા થકી રામ મંદિરનો મુદ્દો જીવતો રાખતા હતા. હવે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો તેની ક્રેડીટ આદિત્યનાથ, નરેન્દ્ર મોદી અને બીજેપીને મળે. આ ક્રેડીટ તેમને ન મળે તે માટે આપણે શું કરવું જોઇએ? કંઈક તો વ્યુહરચના અપનાવવી પડશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વિતંડાવાદ, તટસ્થતાની ધૂન, મૂર્ધન્ય, રામ મંદિર, નહેરુવીયન, કોંગ્રેસી સંસ્કાર,  ધર્મનિરપેક્ષતાવદી, કટારીયા, રાજકારણ, ઇતિહાસ, રામજન્મ ભૂમિ, બાબરી મસ્જીદ, નમાજ, મુસ્લિમો કૃતઘ્ન, ગોદા મારો, ક્રેડીટ, આદિત્યનાથ યોગી, નરેન્દ્ર મોદી, બીજેપી

Read Full Post »

મૂર્ધન્યો દ્વારા થતું સામાજીક સાપેક્ષવાદનું ખૂન ભાગ-૨

હવે આપણે નરેન્દ્ર મોદી ઉપર થતા આક્ષેપો અને બીજાઓ ઉપર થતા આક્ષેપોની મૂલવણી કરીશું.

સામાન્ય રીતે આપણને  રાહુલ ગાંધી, કેજ્રીવાલ, સોનિયા ગાંધી, મમતા, લાલુ યાદવ વિગેરે સૌ કોઈ, નરેન્દ્ર મોદીની કડવી ટીકા કરતા જોવા મળે છે. મન મોહન સિંહ, અને નહેરુવીયન કોંગી નેતાઓ પણ આક્ષેપ બાજી અને ક્ડવી ટીકા કરતા જોવા મળે છે. આમ તો દરેક કડવી ટીકાને એક આક્ષેપ ગણી શકાય. જેમ કે કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ પૂરતી તૈયારી વગર કર્યું છે. તો કેટલાકે કહ્યું કે વિમુદ્રીકરણ સૌથી મોટો ફ્રૉડ છે.

ફ્રૉડ એટલે શું?

તમે તમારા ફાયદા માટે ખોટું બોલ્યા. સામે નુકશાન થાય છે. તમને પણ ખબર છે કે તમે ખોટું બોલો છો. સામા માણસને કે જુથને ખબર નથી કે તમે ખોટું બોલો છોએ કે સાચું. તમારો ફાયદો, સામાવાળાના નુકશાનને કારણે છે. આને આપણે ઠગાઈ કહીએ છીએ. જો કે ઘણી વખત આ બધું સાબિત કરવું સહેલું હોતું નથી. નાણાંકીય નુકશાન, સંપત્તિમાં નુકશાન, દુઃખથી થતું નુકશાન, આબરુને થતું નુકશાન આવું બધું સાંકળીએ તો આવા ફ્રૉડની  વ્યાખ્યાને વિસ્તૃત કરી શકાય.

ધારો કે કોઈક ભાઈ કશુંક બોલ્યા. તે ખોટું હતું. તેનાથી જનસમુહને નુકશાન થયું. તેમણે વચન આપ્યું. કે તે નુકશાનને ભરપાઈ કરશે. પણ તેમની દાનત જ ન હતી. અને તેઓ ગુજરી ગયા. તેના ઉત્તરાધિકારીએ વાત જ ગુપચાવી દીધી. કેટલાક લોકો સમસમીને બેસી રહ્યા. કેટલાક ને થયું કે આમાં તો આવું જ ચાલે. કેટલાકને એવું લાગ્યું કે આમાં તો કંઈજ ન થઈ શકે. મોટા ભાગના તો નુકશાનને સમજી જ ન શક્યા.

આવી ઘટનાને ફ્રૉડ કહેવાય કે નહીં?

સંસદને આમ તો દેશ જ કહી શકાય. નહેરુએ તીબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકાર્યુ. ચીનના તીબેટ ઉપરના હક્ક માટેના કારણો ટકી શકે તેવા ન હતા. ચીનની દલીલ એમ હતી કે કોઈ એક સમયે  તીબેટ ઉપર ચીનના રાજાઓ રાજ કરતા હતા. જો કે આ કારણને લીધે તીબેટ, ચીનના આધિપત્યને સ્વિકારવા તૈયાર ન હતું. આમ જોવા જાઓ તો ભારતીય રાજાઓ ઇરાન સુધી ઈશુની પહેલી શતાબ્દી સુધી રાજ કરતા હતા. પણ ભારત ઈરાન ઉપર કે અફઘાનીસ્તાન ઉપર દાવો કરતું નથી. નહેરુને આ દલીલની ખબર તો હોવી જ જોઇએ. પણ નહેરુએ ચીનનું તીબેટ ઉપર નું આધિપત્ય માન્ય રાખ્યું અને તીબેટ ઉપર ચીને આસાનીથી કબજો કરી લીધો. આ કબજો લીધા પછી ચીને ભારતીય વિસ્તારોમાં ઘુસણખોરી ચાલુ કરી દીધી. આચાર્ય કૃપલાણીએ અને મહાવીર ત્યાગી જેવાઓએ સંસદમાં અવાજ ઉઠાવ્યો. પણ નહેરુએ આ ઘુસણખોરીની વાતને જ નકારી દીધી. આ વાત બહુ લાંબી છે. પણ અંતે ચીને ભારતની ઉપર આક્ર્મણ કર્યું અને ૯૦૦૦૦ ચોરસ માઈલ કબ્જે કરી લીધો. જો કે ચીનનો દાવો તો તે વખતે ૭૨૦૦૦ ચોરસ માઈલ ઉપર જ હતો. પણ સ્પર્ધામાં દોડતો માણસ તેની ઝડપને ન રોકી શકવાને કારણે  દોડવાની સીમા રેખાથી, થોડા મીટર વધુ દોડીને અટકે તેમ ચીન પણ ૩૦ ટકા જેટલું વધુ આગળ દોડી ગયું. અને ૭૨૦૦૦ને બદલે ૯૦૦૦૦ ચોરસ માઈલ ભારતીય જમીન ઉપર કબજો મેળવી લીધો. જો કે તે તેણે નહેરુના માગ્યા વગર તત્કાલ પાછો આપી દીધો. વિનોબા ભાવેએ ચીનના આ વલણ બદલ વખાણ કર્યા હતા અને કહ્યું કે વિશ્વમાં પહેલી ઘટના છે કે જ્યાં યુદ્ધમાં એક પક્ષે કબ્જે કરેલી ભૂમિ કે જેની ઉપર પોતાનો દાવો ન હતો તે આપોઆપ ખાલી કરી દીધી.

નહેરુએ સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે અમે ગુમાવેલો પ્રદેશ પાછો લીધા વગર જંપીને બેસીશું નહીં. નહેરુની આ પ્રતિજ્ઞા “આજની ઘડી અને કાલનો દિ” જેવી હતી. નહેરુનો રાજકીય હોદ્દાનો વારસો તેના ફરજંદોએ લીધો પણ નૈતિક ફરજનો વારસો તો તેમના ફરજંદોએ સાવ જ ગુપચાવી દીધો.

નહેરુએ કહ્યું દુશ્મને દગો કર્યો છે. (“દુશ્મન તો દગો જ કરે” રાજાજી બોલ્યા હતા). પણ અબુધ માણસ નહેરુનો આવો ભાષાનો પ્રપંચ સમજી ન શકે.

પચાસના દશકામાં ચીનમાં નહેરુનું ભવ્ય સ્વાગત થયેલ. એ લોકપ્રિયતાનો નહેરુએ ચૂંટણીઓમાં ભરપુર લાભ લીધેલ.

હવે આ ભારતના પરાજયની ઘટનાને અને ભારતની ચીન પ્રત્યેની નીતિને શુ કહેવું? આને ફ્રૉડ શું કામ ન કહેવાય? વિદ્વાનોએ કદી આનું વિશ્લેષણ કર્યું નથી. હવે જો આ જ વિદ્વાનો નહેરુવીયન કોંગ્રેસને તેની સ્વાતંત્ર્યની લડતનું શ્રેય આપવા માગતા હોય તો આ ફ્રૉડનો વારસો કેમ નહીં?

આવો જ સિમલા કરારનો વારસો છે. સિમલા કરારને ફ્રૉડ કહેવો કે સ્કૅમ કહેવો એ સંશોધનનો વિષય છે.

વિદ્વાનો એમ માને છે કે રાજકીય ફ્રૉડને ફ્રૉડ ન ગણવા.

આવી રાજકીય ઘટનાઓને રાજકીય ભૂલોમાં ખપાવવી. બહુ બહુ તો તેને મુર્ખામીઓમાં ખપાવવી.

જે નીતિઓમાં રાજકર્તાને અગાઉથી ચેતવવામાં આવ્યા હોય, રાજકર્તાએ આ ચેતવણીને જાણીજોઈને પોતાના રાજકીય સ્વાર્થ માટે અવગણી હોય, અને બધી કહેવાતી ભૂલો શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવી હોય અને આવું એક થી વધુ વાર બન્યું હોય તો તેને ફ્રૉડ જ ગણાય.

ઇન્દિરાએ નહેરુનો, અનધિકૃત રાજકીય દાયજો લીધો પણ નહેરુના ઉપરોક્ત ફ્રૉડની ભરપાઈ નો વિચાર પણ ન કર્યો. એટલું જ નહીં પણ સિમલા કરાર હેઠળ ભારતના સૈન્યે કરેલા વિજયને સંપૂર્ણ પરાજ્યમાં ફેરવી દીધો. આ એક વધારાનો દેશ સામેનો ઇન્દિરાઈ ફ્રૉડ છે. યુનીયન કાર્બાઈડ સાથીનો કરાર ક્ષતિપૂર્ણ રાખવામાં આવેલો એટલે ભોપાલ ગેસ દુર્ઘટનામાં વળતર શૂન્ય બરાબર મળ્યું. અર્જુન સિંગ અને રાજીવ ગાંધી દ્વારા એન્ડરસનને ભાગી જવાનો રસ્તો કરી આપવો… આ બધી કોઈ મૂર્ખામીઓ ન હતી. ભ્રષ્ટાચારના મહાસાગરમાં જ રહેતી નહેરુવીયન કોંગ્રેસ જ્યારે કોઈ પણ આક્ષેપ બીજા ઉપર કરે ત્યારે જનતાએ અને વિદ્વાનોએ નહેરુવીયન કોંગ્રેસને તેના શાસન દરમિયાન કરેલા કરતૂતોની  પાર્શ્વ ભૂમિકામાં પણ જોવી જોઇએ.

 સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કે કોઇ પણ તેના પક્ષના નેતા કે તેના સાંસ્કૃતિક સાથી પક્ષના નેતા જ્યારે અદ્ધર અદ્ધર વાતોના વડા જેવા આક્ષેપો કરતા હોય ત્યારે તેના જવાબો આપવા જરુરી નથી. બનાવટી આક્ષેપો કરવા એ નહેરુવીયન કોંગ્રેસની પરંપરા છે.

સંજીવ રેડ્ડી ચારિત્ર્ય ભ્રષ્ટ હતા, મોરારજી દેસાઈ સીઆઈએના એજન્ટ હતા, વીપી સિઘનું સેન્ટ કીટ્સમાં (વિદેશી બેંકમાં) ખાતુ હતું, ૧૯૪૨ની લડતમાં અટલ બિહારી બાજપાઈ માફી માગીને જેલમાંથી છૂટેલા, અન્ના હજારે પગથી માથા સુધી ભ્રષ્ટ છે, બાબા રામ દેવ આર્થિક ગોલમાલ કરે છે, એવા અનેક આક્ષેપો નહેરુવીયન કોંગ્રેસે કર્યા છે. તેમાં કેટલાકમાં તો તેને પોતાને જ જવાબદાર ગણી શકાય.

ગઈ સદીના પચાસના દાયકામાં નહેરુના જમાનામાં સંરક્ષણની જીપોની ખરીદીનું એક કૌભન્ડ થયેલું વિપક્ષે નહેરુને તપાસ સમિતિ નીમવાનું કહ્યું હતું. નહેરુએ તે સૂચનને તદ્દન નકારી કાઢેલ અને કહેલ કે તમે ચૂંટણીમાં આ મુદ્દો ઉભો કરી મારી સામે લડી લેજો.

 રાહુલ ગાંધીનો આરોપ શો છે?

કોઈક ઉદ્યોગ ગૃહના જપ્ત કરેલા કાગળીયામાં એક લીસ્ટ હતું જેમાં આટલા આટલા પૈસા આપ્યા એમ લખેલું હતું. નરેન્દ્ર મોદીનું મોદીનું નામ હતું. એમ તો શીલા દિક્ષિતનું પણ નામ હતું.

પપ્પુ ગાંધીને લાગ્યું કે તેણે બહુ મોટા કૌભાન્ડને પકડી પાડ્યું છે. હવે નરેન્દ્ર મોદી અને બીજેપીનું આવી બન્યું. તેને લાગ્યું “અબ તો યહ ઠાકુર ગયો”.

જ્યારે ૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ ત્યારે મોરારજી દેસાઈ પણ જેલમાંથી છુટ્યા. તેમને ઘણા પ્ર્શ્નો પૂછવામાં આવ્યા. તેમને એક સવાલ સંજય ગાંધીના કોઈ નિવેદન ઉપર કરવામાં આવ્યો, ત્યારે તેમણે તેમની આગવી અદામાં હાથ હલાવી કહ્યું કે “તે ઉત્તર આપવાને લાયક નથી.”

વિદ્વાનોએ રાહુલ ગાંધી વિષે પણ આવું જ સમજવું જોઇએ.

કેટલાક વિદ્વાનોનો અને કેટલાક સમાચાર માધ્યમોનો એક ચારિત્રિક  હિસ્સો છે કે કોઈના બચાવ માટે “બલિનો બકરો” શોધી કાઢે છે. જેમકે ચીન સામેની ભારતની હાર માટે વી. કે. મેનન જવાબદાર હતા. નહેરુ નહીં. કટોકટીના કાળા કામો માટે સંજય ગાંધી જવાબદાર હતો. ઇન્દિરા ગાંધી નહીં.

તેવી જ રીતે નહેરુવીયન કોંગ્રેસી શાસનમાં થયેલ કૌભાન્ડો માટે મનમોહન સિંહ નહી પણ સોનિયા ગાંધીની આજ્ઞાથી થયા હતા. મન મોહન સિંહ તો બિચારા મોંઢેથી જ કેવા ગરીબડા લાગે છે.  

પ્રમાણ પત્રોથી કુશળતા કે નૈતિકતા આવતી નથી. કુશળતા માટે  એક તો ભેજું જોઇએ, આર્ષદૃષ્ટિ જોઇએ, મહેનત જોઇએ, બધું કરવા માટેની દેશપ્રેમીય તાલાવેલી જોઇએ. નૈતિકતા માટે પણ પ્રમાણપત્રો કામ આવતા નથી. નૈતિકતા માટે સારા નરસાની સમજણ અને દેશપ્રેમ એટલે શું તેની સમજણ જોઇએ.

કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદી ને પૈસા આપ્યા એવું આવ્યું એટલે નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જ જોઈએ તે જરુરી નથી. વળી આ બાબત ન્યાયાલયમાં ચાલી રહી છે. જો રાહુલ ગાંધી પાસે વિશ્વસનીય માહિતિ હોય તો તે કોર્ટને આપી શકે છે.

લગભગ આવી જ ઘટના અડવાણી સાથે બનેલી તે વખતે ન્યાયાલયે એવું જણાવેલ કે માત્ર આવા લીસ્ટ ઉપરથી સત્યતા સિદ્ધ ન થઈ શકે. તેના પૂરક અને સહાયકારી દસ્તાવેજો જોઇએ. પૈસા આપ્યા તો કેવી રીતે આપ્યા, કેશથી આપ્યા કે ચેકથી આપ્યા, ક્યારે આપ્યા, કેવીરીતે અને કોના થકી આપ્યા. જો નરેન્દ્ર મોદીને જાતે આપ્યા તો કયે દિવસે આપ્યા. દિવસ નક્કી થાય તો તે મુલાકાત વિડિયો ક્લીપમાં જોઇ શકાય. નરેન્દ્ર મોદીને ન આપ્યા હોય તો પક્ષને પણ આપ્યા હોય. તેમાં પણ આવા જ પ્રશ્નો ઉભા થાય. ધારો કે હું મારા કોઈ લીસ્ટમાં નરેન્દ્ર મોદીનું નામ લખી નાખું તો પ્રશ્નો નરેન્દ્ર મોદીને  પૂછવા જોઇએ કે મને?

જો તમે કૃતસંકલ્પ હો અને રાજ કારણમાં હો તો તમારે ટકી રહેવા માટે વ્યુહરચનાઓ કરવી પડે. વ્યુહ રચનાઓમાં ઘણી બધું આવે. નિયમને આધિન રહીને કરવું જોઇએ. ગાંધીજી પણ વ્યુહરચનાઓ કરતા. શાબ્દિક વ્યુહ રચનાઓ પણ કરતા. પણ તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે ન હતી. તેમની બધી વ્યુહ રચનાઓ દેશના હિત માટે હતી. નહેરુ પણ વ્યુહ રચના કરતા હતા. પણ સ્વાતંત્ર્ય મેળવ્યા  પછીની તેમની વ્યુહ રચનાઓ પોતાના સ્વાર્થ માટે હતી.

નરેન્દ્ર મોદી પણ વ્યુહ રચનાઓ કરે. પ્રવર્તમાન નિયમોને આધિન રહીને કરે તે બધું ક્ષમ્ય છે. નરેન્દ્ર મોદી ને જો તમે તેની સમગ્રતામાં જુઓ તો તે દેશના હિત માટે કટીબદ્ધ છે. ધારો કે તે કોઈ વિવાદાસ્પદ ઘટનામાં તેની સંડોવણી હોય કે બીજેપી પક્ષની સંડોવણીનો વિવાદ હોય તો પણ આ બધું નહેરુવંશીય શાસનની સરખામણીમાં જ જોવું જોઇએ. સરખામણીમાં અનીતિમત્તાનો જત્થો અને શાસનનો સમય ગાળો બંનેને લક્ષ્યમાં રાખવા જોઇએ.

અમારે પ્રેક્ટીકલમાં પરિણામમાં ચાર ટકાસુધીની ક્ષતિને ક્ષતિ ગણવામાં આવતી ન હતી.

નીતિમત્તા એ બહુ વિશાળ વિષય છે અને સાપેક્ષવાદ ગહન વિષય છે. સામાજીક સાપેક્ષવાદ ભૌતિક સાપેક્ષવાદથી પણ ગહન વિષય છે. કારણ કે આમાં મનુષ્ય પોતે એક ઉપકરણ છે. જો વિદ્વાનો પ્રમાણભાનની પ્રજ્ઞાનો ઉપયોગ ન કરે તો જનતામાં ખોટો સંદેશ જાય.  

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

શૂરઃ અસિ, કૃત વિદ્યઃ અસિ, દર્શનીયઃ અસિ પુત્રક,

યષ્મિનકુલે તુ જાતઃ ત્વં, ગજઃ તત્ર ન હન્યતે

%e0%a4%97%e0%a4%9c%e0%a4%83-%e0%a4%a4%e0%a4%a4%e0%a5%8d%e0%a4%b0-%e0%a4%a8-%e0%a4%b9%e0%a4%a8%e0%a5%8d%e0%a4%af%e0%a4%a4%e0%a5%87

હે નાના પુત્ર (બાબલા પપ્પુ), તું (રાડો પાડીને બોલવામાં) શૂરવીર છે, તકનિકી નો જાણકાર (હોવાનો દેખાવ કરવાવાળો) છે, દેખાવડો છે, પણ હે પુત્ર તું જે કુળમાં (નહેરુવીયનકુળમાં) જન્મ્યો છે ત્યાં હાથી (નરેન્દ્ર મોદી) મરાતો નથી.     

ટેગ્ઝઃ મૂર્ધન્ય, વિદ્વાન, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, નહેરુ, ઇન્દિરા, મનમોહન સિંહ, ગરીબડા, સોનિયા ગાંધી, નહેરુવીયન કોંગ્રેસ, આક્ષેપ, ફ્રૉડ, કૌભાન્ડ, નુકશાન, રાજકારણ, ચીન, ૧૯૬૨નું યુદ્ધ, આધિપત્ય, ૯૦૦૦૦ ચોરસ માઈલ, આજની ઘડી અને કાલનો દિ, દુશ્મને દગો કર્યો, દુશ્મન તો દગો કરે જ, સિમલા કરાર,  બલિનો બકરો, મહાત્મા ગાંધી, વ્યુહરચના,

Read Full Post »

Older Posts »

%d bloggers like this: