“પૂર્વતૈયારી વગર ….. કર્યું એટલે …”
જો આપણે મૂર્ધન્ય હોઈએ, તદ્ ઉપરાંત કટાર લેખક પણ હોઈએ,અને વળી પાછી આપણા ઉપર તટસ્થતાની ધૂન સવાર હોય તો, સરકારના કોઈપણ નિર્ણયને આપણે વખોડી શકીએ છીએ. આ બહુ સહેલું છે.
કેવીરીતે સહેલું છે?
લે વળી … ખબર નથી? આપણે એમ કહેવાનું કે સરકારે જે પગલું લીધું, તે, પૂર્વ તૈયારી વગરનું હતું.
હવે આપણે તો જાણીએ છીએ કે સરકાર કોઈ પગલું લે એટલે કંઈક મુશ્કેલી તો આવે જ. એક કરતાં વધુ મુશ્કેલીઓ પણ આવે. એટલે આવી મુશ્કેલીઓ ગણાવવી … એનું વર્ણન કરવું. જો આપણો તટસ્થતા દર્શાવવા સિવાયનો, બીજો કોઈ એજન્ડા ન હોય તો જનતાને પડતી મુશ્કેલીઓ ગણાવી દઈએ તે પૂરતું છે. પણ જો આપણો રા.ગા.ની જેમ એજન્ડા હોય તો અતિશયોક્તિમાં કચાશ ન રાખવી.
દા.ત. સરકારે વિમુદ્રીકરણ નું પગલું લીધું તે પૂર્વ તૈયારી વગર લીધેલું. લોકોને બીજા કામ છોડીને લાઈનમાં ઉભા રહેવું પડ્યું … બેંકોમાં રોકડ ખલાસ થઈ ગઈ … માણસોને પેન કાર્ડ શોધવા પડ્યાં … આધાર કાર્ડ શોધવા પડ્યા … ફોર્મ ભરવા પડ્યા …
જો આપણો નિશ્ચિત એજ્ન્ડા હોય તો આપણે લખવાનું … માણસોને ભૂખ્યા તરસ્યા લાંબી લાંબી લાઈનો માં ઉભા રહેવું પડ્યું … કેટલાકને તો વૃદ્ધ કાકા દાદાઓને લાઈનમાં ઉભા રાખવા પડ્યા … કેટલાય માણસો બેભાન થઈ ગયા … કેટલાય માંદા પડી ગયા … કેટલાય મરી ગયા …
અને ફાયદો શું થયો? કાળું નાણું ઘટ્યું ? કાળાનાણાંવાળા પકડાયા? આતંક વાદ બંધ થયો? … ના ભાઈ ના … એવું કશું થયું નહીં.
તો હવે …
તાજેતરનો દાખલો લઈએ તો “લૉક-ડાઉન” છે.
લોકડાઉન પૂર્વ તૈયારી કર્યા વગર કર્યું … એટલે …
… એટલે આ બધી સમસ્યાઓ ઉભી થઈ. પ્રવાસી મજુરો અટવાઈ ગયા … વાહનની સગવડ સરકારે ન કરી તેથી તેઓ ચાલતા નિકળી પડ્યા … તેઓ ભૂખ્યા હતા … તેઓ તરસ્યા હતા … તેઓમાં સ્ત્રીઓ હતી … કેટલીક સગર્ભા હતી … વૃદ્ધો હ્તા … બાળકો હતા …. તેમના પગમાં ચંપલ પણ ન હતા … જેવું લોક ડાઉન જાહેર થયું કે તૂર્ત જ … આવું બધું થયું … કેટલાકે કહ્યું અમે તો કોરોના થી નહીં પણ આમ જ મરી જઈશું!!!
“આ પગલું અવિચારી હતું … આ પગલું ઉતાવળીયું હતું … અર્થ તંત્રની કેડ ભાંગી નાખી …” હા જી આપણા તડ – ફડ વાળા મૂર્ધન્યે લખ્યું છે … અરે ભાઈ વિશ્વવિખ્યાત ફોર્બ્સે આપણી ટીકા કરી હોય તો તેને સાચી જ ગણવી જોઇએ ને … ફોર્બ્સ કંઈ જેવો તેવો છે? અરે બીજું કંઇ નહીં તો ચામડી તો ધોળી છે જ ને!! ફોર્બ્સે તેની ચામડી કંઈ તડકામાં ધોળી કરી છે? (મૈંને મેરે બાલ કહીં ધૂપમેં સફેદ નહીં કિયા હૈ … સમઝે … ન સમઝે?)
તડ-ફડ વાળા ભાઈ આગળ જતાં લખે છે કે “ થોડો સમય આપવા જેવો હતો … ફાજલ પડેલા મજુરો વતન પહોંચી શક્યા હોત…. કારખાનામાંના માલની વ્યવસ્થા ગોઠવાઈ શકી હોત. .. જે વિસ્તારોમાં રોગચાળાનું નિશાન ન હતું તેને આવરી લેવાની જરુર ન હતી …
વાસ્તવિકતા શું છે?
સરકારને શા માટે સક્રીય થવું પડ્યું.
ચીનમાં વુહાન શહેર્માં આપણા નાગરિકો ફસાયા હતા. તેમને લાવવાની અનેક દેશોની જેમ આપણે પણ તૈયારી કરી. આપણે આપણા નગરિકોને લાવ્યા. તેમનું ચેક અપ કર્યું તેમના માંથી કેટલાક કોરોના પોઝીટીવ મળ્યા. તેમને ક્વારોન્ટાઈનમાં રાખ્યા.
આ દરમ્યાન સમાચાર મળ્યા કે આ જ અરસામાં દિલ્લીના નીજામ્મુદીનના મર્કઝ માં તબલીઘી જમાતે સરકારી બંધી ને અવગણીને કોન્ફરન્સ કરેલી. અને તેમાં કેટલાક ગુમ થઈ ગયા છે. બીન સત્તાવાર પણ વિશ્વાસલાયક સમાચાર પ્રમાણે ૬૦૦૦ જ્માતીઓએ ભાગ લીધેલો આમાં ૪૦૦ જેટલા વિદેશીઓ હતા. આમાંના મોટા ભાગના મર્કઝમાંથી નિકળી ગયા છે. એટલે આ ઘટના સંશોધન અને તપાસ ની થઈ ગઈ. જો તમે આમાં એક જ દિવસ મોડું કરો તો ખાનાખરાબી થઈ જાય. જે મર્કઝમાં રહી ગયા હતા તેઓ, પોલીસ તો શું, શ્રી અજીત દોવલના કહ્યામાં પણ ન હતા. તો જે ભાગી ગયા હતા તેમની તો વાત જ શી કરવી? સરકારને મર્કઝની મહાસભાના સમાચારની વિગતો મળી કે તરત જ લોકડાઉન ની જાહેરાત કરી દેવામાં આવી. જેથી જમાતીઓનું પગેરુ સહેલાઈથી કાઢી શકાય. નરેન્દ્ર મોદીએ મોટું મન રાખી મુસ્લિમ જમાતના સહાયકો અને સત્તાધરી પ્રચ્છન્ન વિદ્રોહીઓ ઉપર કાર્યવાહી ન કરી.
લોક ડાઉન જાહેર થયા પછી જો તે સમયનો વિચાર કરીએ તો જે કંઈ લોકો ગુમ થયા હતા પણ જેમની ભાળ મળી હતી તેમના કારણે ૪૦થી ૯૦ ટકા કોરોના પોઝીટીવ કેસ, જમાતીઓને કારણે થયા હતા. હવે જો ૨૪મી માર્ચે લોકડાઉન જાહેર ન થયું હોત અને અઠવાડીયાનો સમય પણ રાખ્યો હોત તો, આ જમાતીઓમાંના બધા જ વિદેશીઓ પોબારા ગણી ગયા હોત. તેમના સંસર્ગો કદી ન જાણી શકાયા હોત.
પહેલો લોકડાઉન ૨૧ દિવસનો હતો.
આ સમયનો ઉપયોગ કમસે કમ દિલ્લીના કેજ્રીવાલભાઈ અને મુંબઈના ઉદ્ધવભાઈ તેમના રાજ્યમાં રહેલા પ્રવાસી મજુરોની ગણત્રી કરી શક્યા હોત. તે અઘરું નથી. આ વાત આપણે અગાઉના એક બ્લોગમાં જોઇ ગયા છીએ. કેજ્રીવાલભાઈ નો તો એજન્ડા જુદો હતો, એટલે તેમણે તો ૨૪મી માર્ચે અડધી રાત્રે જ મજુરોને જગાડી બસ પકડવાની જાહેરાત કરી. નરેન્દ્રમોદીએ તો કહેલું કે જેઓ જ્યાં છે ત્યાં જ રહે. પણ કેજ્રીવાલભાઈ તો વાડ્રા-કોંગ્રેસની બી-ટીમના શિર્ષનેતા છે. તેમનો તો ધર્મ હતો કે કોરોના મહામારી વધુમાં વધુ ફેલાય અને નરેન્દ્ર મોદીને નીચા જોણું થાય.
થોડા દિવસ પછી મુંબઈના બાંદ્રા (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન પાસેની મસ્જીદ પાસે પણ અનિલ દુબે દ્વારા ફેલાવેલી અફવાઓ દ્વારા, કહેવાતા પ્રવાસી મજુરો નિયમોનો ભંગ કરી એકઠા થયા હતા. લોક ડાઉન દરમ્યાન પણ અનેક જગ્યાએ જાણી જોઇને ટોળાં એકઠા થવાના અનેક બનાવો બન્યા છે. આમાં લુટ્યેન ગેંગોનો મોટો હાથ છે.
આમ મોદી વિરોધીઓ લોકડાઉન થયા પછી પણ અંદરખાને કેટલા સક્રીય થઈ, કોરોનાનો ફેલાવો કરી શકે તેમ છે, તે છાનું રહી શક્યું નથી. તો પછી જો અગાઉથી જ, પ્રવાસી મજુરોની ઓળખ કર્યા વગર રેલવે ટ્રેનો ચલાવી હોત, બસો ચલાવી હોત. તો જમાતીઓ સહેલાઈથી છટકી જાત, અને તે ઉપરાંત મોટે પાયે થયેલા સોસીયલ ડીસ્ટન્સીસના ભંગને કારણે ભારતમાં અમેરિકાના ન્યુયોર્કથી પણ વધુ કોરોનાનો ફેલાવો થાત.
જેઓ આ વાત, ન સમજી શકતા હોય તેમણે ૐ નમઃ શિવાય નો જપ જપવો જેથી ઈશ્વર તેમને જરુરી પ્રજ્ઞા આપે.
પસંદગી શું હતી અને શું ન હતી?
“સમસ્યા ઉત્પાદનને ફટકો પડવા દેવો અથવા મનુષ્યના જીવ બચાવવા” એ બે વચ્ચે એક ની પસંદગી કરવી એ નથી. મૂળ હેતુ મનુષ્યના જીવનને પ્રાથમિકતા આપવી અને ઉત્પાદનને પછીની પ્રાથમિકતા આપવી, એમ હતો. જાન ભી ઔર જહાન ભી.
આપણા તડ – ફડ વાળા મૂર્ધન્યે એક દાખલો આપ્યો છે, કે; “એક રાજાએ એક ગુનેગારને સજા ભોગવવાના બે વિકલ્પ આપ્યા. કાંતો સો ચાબુકના ફટકા ખાવા અથવા તો સો કાચી ડૂંગળી ખાવી. થોડી ડૂંગળી ખાધા પછી તેણે ફટકા ખાવાનો વિકલ્પ પસંદ કર્યો. પણ થોડા ફટકા ખાધા પછી વળી પાછો ડૂંગળી ખાવાનો વિકલ્પ પસં કર્યો. આમ વારાફરતી થયં. આ પ્રમાણે એણે સો કાચી ડૂંગળી ખાવાની સજા ભોગવી અને સો ફટકા પણ ખાધા.” આ રીતે આપણા દેશે માનવ જીવ પણ ગુમાવ્યા અને ઉત્પાદન પણ ગુમાવ્યું.”
વાસ્તવમાં જોઇએ તો આવું તો નથી જ. આપણે લાખો જીવ બચાવ્યા છે. અને હવે આપણે ઉત્પાદન માટે સજ્જ છીએ. જો આપણા મૂર્ધન્યશ્રી અમેરિકા, ઈટાલી કે સ્પેન સાથે દર દશ લાખ માનવની વસ્તીએ કેટલા માનવ મરણ થયા તે પ્રમાણને સરખાવસે તો ખબર પડશે. પ્રમાણભાનની પ્રજ્ઞા પણ એક પ્રજ્ઞા છે.
ભારતનો નંબર વિશ્વમાં ૧૦૧મો છે અને ભારતમાં દર દશ લાખે 3.36 મૃત્યુ થયા છે. જ્યારે પશ્ચિમના વિકસિત દેશોમાં આ આંકડો ૧૦૦ થી ૮૧૯ નો છે. આ ભેદ આપણે સમજવો જોઇએ.
આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય કહે છે કે; “ચીન આપણા કરતાં શાણું છે. ચીને વુહાનની બહાર કોરોના ન ફેલાય તેની પૂરતી નાકાબંધી કરી. જ્યારે આપણે એવું ન કર્યું.”
ચીન જે કોરોનાનું જન્મ દાતા છે અને જે પ્રયોગો કરી રહ્યું હતું તેથી તે આવું કરી શક્યું. તે આપણે સમજવું જોઇએ.
તડ-ફડવાળા ભાઈ કહે છે કે “અમેરિકા કોરોનાને ચાઈનીઝ વાયરસ કહે તે ખોટું છે. સદ્દામ હુસેનની ઉપર પણ અમેરિકાએ આવો આક્ષેપ કર્યો હતો. પણ તે ખોટો નિકળ્યો હતો. માટે આ આક્ષેપ પણ ખોટો છે.”
વાસ્તવમાં આ કોઈ તર્ક નથી. અમેરિકા એક વાર, બે વાર કે ત્રણ વાર પણ ખોટું બોલે તો તે ચોથી વાર પણ જે કંઈ બોલે તે ખોટું છે તેમ ન કહી શકાય. અલ્લાહાબાદ ઉચ્ચન્યાયાલયે નોંધ્યું હતું કે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ ૧૪ વખત ઇન્દિરા ગાંધી જુઠ્ઠું બોલ્યાં હતાં. તો પણ કૉર્ટે કહ્યું હતું કે તે ૧૫મી વખત પણ જે કંઈ બોલે તેને ખોટું ન માની શકાય.
સમય આવે સાચું બહાર આવશે. તે માટે થોભો અને રાહ જુઓ. પણ પ્રયોગો ચીનમાં થતા હતા તેની નોંધ લેવી જોઇએ. એ પણ નોંધલેવી જોઇએ કે યુએસએ એક લોકશાહી વાળો દેશ છે. ચીન એ એક સામ્યવાદી દેશ છે. કોણ કેટલા પ્રમાણમાં સાચું કે ખોટું બોલે છે તે વાત તે દેશ કેવો છે તેના ઉપરથી નક્કી કરી શકાય. વધુ વિશ્વસનીય તો લોકશાહીવાળો દેશ જ ગણી શકાય. ચીન કેટલું ખોટું બોલે છે તે આપણા અનુભવથી અજાણ્યું નથી.
હાલ તૂર્ત તો ભારતમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે અને સાજા થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, દિલ્લી, પ.શ્ચિમ બંગાળ અને તામીલનાડુની પરિસ્થિતિ ચિંતા જનક છે. તેના આગવા કરણો પણ છે.
જ્યારે ભારતનો આ સંક્રમણમાં મૃત્યુના દરને હિસાબે નંબર ૧૦૧મો હોય ત્યારે ભારતે ૧૦૦ ડૂંગળી પણ ખાધી અને ૧૦૦ ફટકા પણ ખાધા એમ કહેવું કોઈ એજન્ડાવાળું કહેવાશે.
તમે પહેલાં નિમ્ન લિખિત સંજોગો જુઓ.
(૧) પશ્ચિમના દેશો વિકસિત છે.
(૨) ત્યાંની વસ્તિ ભારત જેટલી ગીચ નથી.
(૩) સામાન્ય સંજોગોમાં પણ તેઓ સોસીયલ ડીસ્ટન્સ જાળવે છે. એટલે તેઓ અડોઅડ ઉભા રહેતા નથી. ધક્કાધુક્કી કરવાનો તો પ્રશ્ન જ નથી.
(૪) ટ્રાફિકના નિયમો શિસ્ત પૂર્વક પાળે છે. અકસ્માત થાય તો પણ તેઓ ઝગડો કે મારામારી ઉપર ઉતરી પડતા નથી.
(૫) ટ્રાફિકપોલીસને લાંચ આપતા નથી. ટ્રાફિક પોલીસ પણ કોઈ ભેદભાવ રાખતા નથી.
(૬) વિપક્ષ જવાબદાર રીતે વર્તે છે.
હવે ભારતમાં જુઓઃ
(૧) દેશ હજી પશ્ચિમી દેશો જેવો વિકસિત થયો નથી.
(૨) ભારતની વસ્તિ અનેક ગણી ગીચ છે.
(૩) કતારમાં ઉભા રહેવામાં, ખાસ કરીને ગામડાઓમાં, કતારમાં ઉભા રહેવામાં કોઇ માનતું જ નથી. શહેરોમાં કોરોના થી થોડો ફેર પડ્યો છે.
(૪) શહેરમાં પણ હાલની તારીખમાં, ત્રણ ત્રણ જણા સ્કુટર, બાઈક ઉપર બેસીને જાય છે.
(૫) નિયમો નું પાલન કરવું એ વાત, જેઓ પોતાને મહાનુભાવ માને છે તે મહાનુભવોને લાગુ પડતું નથી. તેઓ મારા મારી ઉપર પણ ઉતરી આવે છે.
(૬) સોસીયલ ડિસ્ટન્સીંગનું પાલન ન થાય અને લૉકડાઉન નિસ્ફળ જાય તે માટે વિપક્ષીનેતાઓ કૃતસંકલ્પ છે. પાલઘર ની ઘટના, બાંદ્રા (પશ્ચિમ) રેલ્વે સ્ટેશન ની નજીકની મસ્જીદ પાસે ટોળું જમા કરાવવાની ઘટના, દિલ્લીની નીજામુદ્દીનની તબલીઘી જમાતની મહા અધિવેશનની ઘટના, જમાતના સભ્યોની ગુમ થઈ જવાની ઘટનાઓ, તેમની આડોડાઈની કરવાની ઘટનાઓ, મુસ્લિમોની ટોળે મળી કોરોના વોરીઅર્સને મારવાની ઘટનાઓ …. તમે ગણી જ ન શકો તેટલી ઘટનાઓ બની છે અને વિપક્ષે હમેશા અફવાઓ ફેલાવવામાં કસર રાખી નથી અને આવા અમુક કોમના તત્ત્વોને સહકાર અને સહયોગ આપ્યો છે અને બચાવ પણ કર્યો છે.
(૭) ભારતની બ્યુરોક્રસી ઉપર સિવાયકે સત્તામાં બેઠેલા નેતાઓ કડક ન થાય, તો કોઈ પણ પ્રકારે પૈસા બનાવવામાં જ રસ ધરાવે છે.
વાસ્તવમાં ભારતના સંજોગો અને સંસ્કાર જોઇએ તો વિકસિત દેશો કરતાં સો ગણો કોરોના ફેલાય તેવી પરિસ્થિતિ છે.
હા જી. એક સારી વાત એ છે ભારત પાસે નરેન્દ્ર મોદી અને અમિતશાહ ની કુશળ ટીમ છે. ભારતમાં સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ છે. આ સંસ્થાઓએ અને વ્યક્તિઓએ ભારતની બ્યુરોક્રસીથી નીપજથી ઉણપને, કોરોના-સંક્રમણના સમયમાં મહદ્ અંશે ભરપાઈ કરી છે.
એ પણ એક પરિબળ શક્ય છે કે ભારતમાં ક્યારેક કેટલાક લોકો ફેશનમાં માંસ મટન ખાઈ લેતા હશે. તે સિવાય પણ મોટેભાગે લોકો શાકાહારી છે. આ વાત પણ કોરોના વધારે પ્રમાણમાં ન ફેલાવાનું એક કારણ હોઈ શકે. જો કે આ સંશોધનનો વિષય છે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
એક ભાઈ યુનીવર્સીટી ના સ્નાતક થયા. તેમને થયું માર્કસ મગાવીએ.
તેનો ચાર્જ આમ હતો. ખંડ પ્રમાણે ₹૧૦૦/- હતો. પ્રશ્ન પત્ર પ્રમાણે ₹૨૦૦/- હતો
સેક્સન પ્રમાણે ₹૩૦૦/-
એટલે ભાઈએ પ્રથમ ખંડ પ્રમાણે પૈસા ભર્યા. પછી તેમને થયું કે પ્રશ્ન-પત્ર પ્રમાણે મગાવીએ. એટલે તેમણે તેના પૈસા ભર્યા. પછી તેમને થયું કે ચાલોને સેક્સન પ્રમાણે જ મગાવીએ. એમ કરી તેના પૈસા ભર્યા. આમ તેમણે ક્રમે ક્રમે કુલ ₹ ૬૦૦/- ભર્યા. પહેલેથી જ જો ₹૩૦૦/- ભરી દીધા હોત તો તેમને સેક્સન, પ્રશ્નપત્ર અને ખંડ પ્રમાણે ત્રણે ના માર્ક મળી ગયા હોત.
ડૂંગળી અને કોરડા બંને ખાધા