Feeds:
Posts
Comments

Posts Tagged ‘યંત્રો’

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?

કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.

કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.

આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ  કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

CONGRESS WHO FOUGHT FOR FREEDOM

પક્ષ એટલે શું?

આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.

૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.

ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?

કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.

કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.

લડતમાં પારદર્શિતા રાખશે,

પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,

લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,

પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.

પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.

પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.

સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.

ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.

આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,

જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.

સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.

દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,

ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,

અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.

સર્વધર્મ સમભાવ રાખશે.

ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.    

હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.

૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.

ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.

હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?

હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.

જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.

ક્યાર થી આવું છે?

જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.

(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.

(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.

કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?

(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.

(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.

(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.

(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.

(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” …  જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે.  “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે  કે બોલો  “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો  બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

KONGI FOR FAMILY

(Thanks to Cartoonist)

(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.

(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?

“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.

(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?

(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.

(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,

(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,

(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,

(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.

(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.

અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

MOTILAL VOHRA

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.

હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.

 હરિ અનંતો હરિ લીલા અનંતા

 હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.

મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો  પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

 

Read Full Post »

ભગત, બ્રીટીશ અને સુભાષ ના સ્વપ્નનું ભારત બનાવો.

ભગત એટલે કોઈ સંત રજનીશમલ, ઓશો આશારામ, કે નિર્મલ બાબા નહીં. ભગત, એટલે ભગત સિંહ કે જેઓ ભારતની આઝાદી ખાતર શહિદ થયેલ. બ્રીટીશ એટલે જેઓએ આપણને ભારતવાસીઓને કે જેઓ દેડકાની પાંચશેરી જેવા અડૂક દડૂક હતા અને હમેશા ગુલામ રહેવા જ સર્જાયેલા હતા એવું માનનારાઓ છે તેમને  મતે જે શાસને આપણને એક કર્યા. સુભાષ એટલે કે સુભાસ ચંદ્ર બોઝ કે જેમણે આપણને સ્વતંત્ર કરવા માટે આઝાદ સેના રચી. આ ત્રણેયની પાસે આપણા દેશને ક્યાં લઈ જવો કે તેમણે શું કરવું એ માટેના સ્વપ્નો કે વિચારો હતા. આ ત્રણેનો શું સમન્વય ન થઈ શકે?

જો કે વાત થોડી વિચિત્ર લાગે. પણ વિચિત્રતાઓ ક્યાં નથી? અહો વૈચિત્ર્યં કે વિરોધાભાષોમાં એકતા જોવી એ આપણી ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આ લક્ષણને બિરદાવવું જ રહ્યું.

ગાંધી, નહેરુ અને સરદારના સ્વપ્નનું ભારત

GANDHI SARDAR AND NEHRU

હાજી, આમ તો દીપક ભાઈ સોલિયા સારું અને રસપ્રદ લખે છે. ૮ નવેમ્બર ૨૦૧૩, શુક્રવારના દિવ્ય ભાસ્કરમાં એક લેખ લખેલો. ગાંધી, નહેરુ અને સરદારના સ્વપ્નનું ભારત બનાવો. જો દૂધ, ખાંડ અને મીઠું (નમક) ને ભેગા કરી દૂધ પાક બનાવી શકાતો હોય તો ભગત, સુભાષ અને બ્રીટીશ ની ઈચ્છા પૂર્વકનું અથવા ગાંધી, સરદાર અને નહેરુને ભેગા કરી નવભારતનું સર્જન કરી શકાય.

દૂધ અને ખાંડ તો ભેગા થઈ શકે. તેમાં ઉષ્મા રુપી પરિશ્રમ નાખી સુંદર, સ્વાદિષ્ટ અને તૃપ્તીનો આનંદ આપે તેવો દૂધપાક પણ થઈ શકે. પણ જો આ દૂધપાકમાં મીઠું પણ નાખો તો સ્વાદનો તમારો બધો આનંદ ગાયબ થઈ જાય. ભગત સિંહ અને સુભાષ પણ ભેગા થઈ શકે પણ જો તેમાં બ્રીટીશનું રાજકીય તત્વ ઉમેરાય તો કૂતરો તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી એવો ઘાટ થાય. આમ તો મીઠું કંઈ ખરાબ વસ્તુ નથી. મીઠાને ગળ્યા સિવાય ની બધી વાનગીઓમાં નખાય. મીઠાનું પ્રમાણ માફકસરનું હોવું જોઇએ. તેવું જ સગવડો વિષેનું છે. સગવડો જરુર પૂરતી હોવી જોઇએ. સગવડો આપણને ગુલામ કરી દે તે હદ સુધીની ન હોવી જોઇએ. ગાંધીજીએ મીઠાનો અને સગવડોનો ત્યાગ કરેલ. બ્રીટીશ લોકોનો સ્વાર્થ હતો. ભગત સિંહ અને સુભાષ બાબુને કશો સ્વાર્થ ન હતો. નહેરુ ને સત્તા રુપી સગવડ અને ખ્યાતિનો સ્વાર્થ હતો.

જો કે આતો સરખામણી છે. અને જ્યારે સરખામણી કરવા બેસીએ ત્યારે કંઈ બધું જ મળતું આવે તે જરુરી નથી. જ્યારે અજ્ઞાન હોય ત્યારે દોરડામાં સર્પનો આભાસ થાય. પણ જ્યારે જ્ઞાન આવે ત્યારે ખબર પડે કે અરે આતો સર્પ નથી, આ તો દોરડું છે. બ્રહ્મ વિષે શંકરાચાર્ય આમ જ કહે છે. તો વિરોધીઓ એમ કહે છે કે જો દોરડાને સર્પમાની લીધું અને પછી ખબર પડી કે આ તો દોરડું છે તો તેનો અર્થ એમ થયો કે ક્યાંક તો સર્પ અસ્તિત્વ ધરાવે જ છે. માટે ભલે અહીં એક જ વસ્તુ છે, પણ બે વસ્તુઓ તો અસ્તિત્વ ધરાવે જ છે. એક દોરડું છે કે જે અહીં છે. અને બીજી વસ્તુ તે સર્પ છે જે બીજે ક્યાંક અસ્તિત્વ ધરાવે છે. માટે આતો અદ્વૈતવાદ ધ્વસ્ત થયો કહેવાય.

શંકરાચાર્યે જવાબ આપ્યો. આ તો અજ્ઞાનતા અને અસત્ય નો સંબંધ દર્શાવવા માટે સરખામણી કરી છે. બધી વસ્તુઓ મળતી આવવી જરુરી નથી. જો તમે એક સ્ત્રીને ચંદ્ર મુખી કહો તો એનો અર્થ એવો નથી કે તેના ગાલ ઉપર ચંદ્ર જેવા ખાડા ટેકરા છે.

ગાંધીજી અને તેમના સ્વપ્નનું ભારત કેવું હતું?

આ માટે ચર્ચાનો અવકાશ નથી. ગાંધીજીનું બધું જ કામ વ્યવસ્થિત હતું. તેમણે તો બધું લખીને જ આપ્યું છે. જેથી કોઈ એમ ન કહી શકે ગાંધીજીએ તો આમ કહ્યું હતું અને ગાંધીજી એ તેમ કહ્યું હતું કે ગાંધીજીએ કંઈ આવું કહ્યું ન હતું. જો કે ગાંધીજીના સિદ્ધાંતો અને સમસ્યાના હલ સ્પષ્ટ હોવાં છતાં તેમની વાતોમાં પ્રાથમિકતા કોને આપવી તેવા વિવાદો તો રહ્યા જ છે. જેમકે ગાંધીજીને માટે દારુબંધી પ્રાથમિકતા હતી. નહેરુમાટે કે નહેરુવીયન કોંગ્રેસ માટે દારુબંધી લીસ્ટમાં જ આવતી નથી.

ગાંધીજીની અહિંસામાં (શોષણ હીનતા), માનવીય અભિગમ, સાક્ષરતા, અને વૈજ્ઞાનિક અભિગમમાં માનતા હતા.

શોષણ હીનતામાં વિકેન્દ્રીકરણ આવે, અને વિકેન્દ્રી કરણમાં સત્તા અને ઉત્પાદન પણ આવે. એટલે ગ્રામ સ્વરાજ પણ આવી જાય.

માનવીય અભિગમ

અમાનવીય અભિગમમાં યંત્રો અને વહીવટ દ્વારા થતી માનવોની ગુલામી અને  તેના થકી થતી વધુ પડતી આર્થિક અસામનતા આવી જાય છે. આમ માનવીય અભિગમને માટે બેકારીનો તાત્કાલિક ઉકેલ જોઇએ. તાત્કાલિક ઉકેલ માટે સૌને કામ આપવા માટે સાદાં યંત્રો જેવાં કે રેંટિયો, હાથશાળ, કુંભારનો ચાકડો જોઈએ. કુદરત સાથેની સમજુતી અને સહવાસ આવી જાય. આ રીતે કુદરતી ઉપચારો અને સ્વચ્છતા અને સાદગી પણ આવી જાય.

સાક્ષરતામાં વાચન ક્ષમતા ઉપરાંત સમસ્યાની સમજણ અને સંવાદ પણ આવી જાય.

વૈજ્ઞાનિક અભિગમમાં, વિજ્ઞાનમાંના આવિષ્કારો ઉપરાંત  પોતાને એક બાજુ પર મુકી તટસ્થ રીતે કેવી રીતે વિચારવું તે પણ આવી જાય. ઈશાવાસ્ય વૃત્તિ પણ વૈજ્ઞાનિક અભિગમનો એક ભાગ અથવા આડ પેદાશ છે.

વાંચોઃ

ચોક્ખું ઘી અને હાથી.

https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80/

સરદારના સ્વપ્નનું ભારતઃ

સરદાર પટેલ નું ભારતવિષે કેવું સ્વપ્ન હતું તે વિષે કોઈ ચર્ચા થતી નથી કદાચ આપણે જાણતા પણ નથી. પણ કોંગ્રેસના સંગઠનમાં  સરદારનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેમની આર્ષદૃષ્ટિ અને વહીવટી ક્ષમતાને કારણે  એ અદ્વિતીય અને પ્રચંડ હતા. સરદાર પટેલ, સાદગીમાં, વ્યવસ્થિતતામાં અને દૃઢતામાં સંપૂર્ણ રીતે ગાંધીવાદી હતા. તદઉપરાંત તેઓ વાસ્તવવાદી હતા.

નહેરુનું સ્વપ્ન

નહેરુનું સ્વપ્ન શું હતું. જો આપણે ઓગણીસમી સદીના અંતીમ દશકાઓની અને વીસમી સદીના પ્રારંભિક દશકાઓની વાત કરીએ  તો સમાજવાદ એ એક યૌવનની ધૂન હતી. કદાચ ગાંડપણ પણ હોઈ શકે. સૌ યુવાનોને કંઈ કરી નાખવાની તમન્ના હોય. આ તમન્ના ધૂંધળી પણ હોય. નહેરુ પણ આમાંથી બકાત ન હતા. તેથી જ ગાંધીજીએ નહેરુને કહેલ કે તેઓ નહેરુને સમજી શકે છે પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી.

જેમ નહેરુવીયન કોંગ્રેસનો ગાંધીવાદ, સાચા ગાંધીવાદ સાથે મેળ ખાઈ ન શકે, તેમ રશીયાનો સમાજવાદ, લેનીનના (કે કાર્લમાર્ક્સના), સમાજવાદ સાથે મેળ ન ખાય. ગાંધીજી સમજતા હતા કે જો ઉત્પાદનના પદ્ધતિઓ અને વહેંચણીઓ સમાજવાદમાં અને મૂડીવાદમાં સમાન હોય તો તેના પરિણામો પણ લગભગ સમાન જ હોય. સમાજવાદ તો વાસ્તવમાં અતિ-મૂડીવાદ છે. નહેરુ વિજ્ઞાનના સ્નાતક હતા. છતાં તેમનામાં તર્ક શક્તિ કેમ ન હતી તે વિસ્મયકારક છે. પણ મનમોહન સિંહના અર્થશાસ્ત્રના પ્રમાણ પત્રો અને તેમની અર્થ નીતિઓને જોઇને એવા વિસ્મય હવે રહેતા નથી. વાચન અને પ્રમાણ પત્રો એક વાત છે, જ્ઞાન અને ચિંતન બીજી વાત છે.

જ્યારે મોરારજી દેસાઈ અર્થમંત્રી હતા ત્યારે નહેરુ અને મોરારજી દેસાઈમાં નહેરુની આગાહીઓ ખોટી પડતી અને મોરારજી દેસાઈની ધારણાઓ સાચી પડતી. દા.ત. કે  નહેરુ આવકનાસ્રોતો વિષે એમ માનતા કે “આટલી” આવક જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માંથી થશે. જ્યારે મોરારજી દેસાઈની ધારણા એવી રહેતી કે નહેરુનું લક્ષ્ય ઉંચું છે. જાહેર ક્ષેત્રો ખોટ ન કરે તો સારું. નફાની વાત તો દૂર રહી, પણ જાહેર સાહસો ખોટ બતાવતાં.

આવા નહેરુને, વાસ્તવવાદી સરદાર પસંદ ન પડે તે સ્વાભાવિક હતું.

નહેરુને સરદાર સહિત ઘણા નેતાઓ દંભી માનતા. જ્યારે ગાંધીજી જીવતા હતા ત્યારે પણ એક વખત નહેરુએ રાજીનામાની ધમકી આપી હતી. ત્યારે સરદારે ગાંધીજીને કહેલ કે તેમની ધમકી ઠાલી છે. તે કદી રાજીનામું નહીં આપે.

નહેરુના શાસન વખતે કોંગ્રેસમાં અને કોંગ્રેસની બહાર ઘણા સેવાભાવી નેતાઓ જીવતા હતા. આ નેતાઓને કારણે જુદા જુદા ખાતઓ સુપેરે ચાલતા હતા. જે કંઈ ગોલમાલ થઈ તે નહેરુના ખુદના અને તેમના મિત્રો ખાતાઓમાં થઈ. આ ખાતાઓ વિદેશ નીતિ, યોજના આયોગ અને સંરક્ષણ હતા.

આ ક્ષેત્રોમાં નીવડેલી નિસ્ફળતાના ફળ આપણે હજુ સુધી ભોગવી રહ્યા છીએ. આ હિમાલયન બ્લંડર વિષે મહાભારતથી પણ મોટાં અનેક ગ્રંથો લખી શકાય. આ બ્લંડરોની અનેક આડ પેદાશો છે. આમાંથી ક્યારે છૂટકારો થશે તે વિષે જ્યોતિષ શાસ્ત્રીઓ પણ આગાહી કરતાં ડરે છે. નહેરુએ અનેક વખત સંસદને ગેર માર્ગે દોરી છે. આચાર્ય ક્રિપલાનીએ તેના વિષે વિગતે પોતાની આત્મકથામાં લખ્યું છે.

સ્વતંત્રતા પૂર્વે 

સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતાની ચળવળમાં નહેરુનો હિસ્સો ઠીક ઠીક હતો. તેઓ ખવડાવવા પિવડાવવામાં ઉદાર હતા. તેઓ મહેનતુ હતા. યુવાનોમાં અને ખાસ કરીને યુપી માં લોકપ્રિય હતા. એટલે ગાંધીજીને ડર હતો કે જો નહેરુને નંબર વન નહીં કરીએ તો કોંગ્રેસના ટૂકડા થઈ જશે. અને હાલના તબક્કે એટલે કે સ્વતંત્ર મળે તે સમય અને બધું ઠરીને ઠામ થાય અને ચૂંટણી થાય ત્યાં સુધીના ગાળામાં કોંગ્રેસના ભાગલા (કે જે દેશના વધુ ભાગલા તરફ પણ દોરી જાય) દેશને પોષાય તેમ નથી. આ વાત ગાંધીજીએ સરદાર પટેલને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરેલ. અને તેથી જ સરદાર પટેલે ગાંધીજીને ખાત્રી આપેલ કે તેઓ કોંગ્રેસને અકબંધ રાખશે. ન છૂટકે સરદાર પટેલે, નહેરુને ચીન વિષે લખાણ દ્વારા ચેતવેલ. પણ નહેરુ ઉચ્ચ આર્થિક સ્થિતિ અને અથવા બીજા  કોઈપણ કારણ થી આપખુદ હતા. અને કાશ્મિરનો પ્રશ્ન પ્રધાનમંડળની મંજુરી લીધાવગર અને સરદાર પટેલને પૂછ્યા વગર યુનોમાં લઈ જવાની ઓલ ઈન્ડીયા રેડિઓ ઉપર જાહેરાત કરી દીધેલ.

દેશને એક રાખવા માટે સરદાર પટેલને ગૃહ ખાતુ આપ્યા વગર છૂટકો ન હતો. નહેરુએ કશ્મિરનો પ્રશ્ન હાથમાં લઈ તેને ચૂંથી નાખ્યો. જો નહેરુ ગૃહ પ્રધાન થયા હોત તો દેશ આખો અનેક ટૂકડામાં વિભાજિત થઈ જાત. ગાંધીજી જીવતા હતા ત્યારે પણ સરદાર પટેલની તબિયત સારી રહેતી ન હતી. અને ૧૯૫૦ સુધીમાં તો ઘણી નાજુક થઈ ગયેલી. ઘણા અખબારી અને આરએસએસ- બીજેપીના વિદ્વાનોને આ વાતની ખબર નથી એટલે તેઓ દેશના ભાગલા માટે ગાંધીજીને માથે માછલાં ધોવે છે. જોકે એક વાત નોંધનીય છે કે ૧૯૪૨-૧૯૪૭ના કોમી હુલ્લડોએ દેશના ભાગલા નક્કી કરી દીધેલા. જો તે વખતે ભાગલા ન થયા હોત તો કોમી દાવાનળને કોઈ બુઝવી શકે તેમ ન હતું. ગાંધીજી પણ નહીં. એટલે જ ગાંધીજીએ આ ભાગલાની આડે આવ્યા ન હતા. તેમનો વિચાર એવો હતો કે એક વખત જો બધું ઠરીને ઠામ થાય પછી જનતાને જ એકતા માટે તૈયાર કરવી અને નેતાઓની ખાસ કરીને પાકિસ્તાનના નેતાઓની શાન ઠેકાણે લાવવી. કારણ કે ગાંધીજી જાણતા હતા કે પાકિસ્તાનના નેતાઓ વિભાજિત હતા.

અવિભક્ત ભારત માટેનો યોગ્ય પ્રસંગ ૧૯૫૪ પૂર્વેના તૂર્તના એક ગાળામા  બનેલ જેમાં સુહરાવર્દી નુને ભારતની મુલાકાત લીધેલ અને નિર્વાસિતોની સંપત્તિના પ્રશ્નો ના ઉકેલ માટે પણ તૈયારી બતાવેલ. આ મુલાકતનો પ્રારંભ આનંદ પમાડે એવો હતો. નુનના પત્ની એરોપ્લેનમાં ઉતરતા હતાં  ત્યારે તેમના સેન્ડલ નિકળી ગયેલ અને તે સેંડલ નીચે લસરી પડેલ. નહેરુ નીચે સીડી પાસે ઉભેલા. નહેરુએ પોતે સ્ત્રીદાક્ષિણ્યની ભાવનાની રૂએ તે સેંડલને નીચે પકડી લીધેલ. અને નુનનાં પત્નીને હાથોહાથ પરત કરેલ. તેથી નુન અને તેમના પત્ની ભાવ વિભોર બની ગયેલ. ભારત પકિસ્તાનના સંબંધો તદન સુધરી જશે તેવી આશા બંધાયેલ. પણ આ સમય દરમ્યાન ભારત અને યુએસના સંબંધ વણસી ગયેલ. અને કદાચ યુએસએ જ પાકિસ્તાનમાં લશ્કરી બળવો કરાવેલ એ શક્યતા અવગણી ન શકાય. ૧૯૫૪માં પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયેલ અને તે વખતના પ્રમુખ ઈસ્કંદર મિરઝાએ નહેરુને સમવાય તંત્ર સ્થાપવા માટે આમંત્રણ આપેલ. આ આમંત્રણ નહેરુએ પ્રધાન મંડળની સલાહ લીધા વગર ધુત્કારી નાખેલ. એટલું જ નહીં લશ્કરી સરમુખત્યારશાહીની વગોવણી કરતી લૂલીને છૂટ્ટો દોર આપી દીધેલ. જોકે આજ નહેરુને સવાઈ બીન લોકશાહીવાળા રશિયા અને ચીન સામે કશો વાંધો ન હતો. એટલું જ નહીં, દિવસરાત પિતાની સાથે જ રહેનારી તેમની પૂત્રી ઈન્દીરાએ લશ્કરી સરમુખત્યારોને પણ અભડાવે એવી કટોકટી લાદેલ. જે નહેરુમાં પ્રચ્છન્ન હતું તે ઈન્દીરામાં ઉઘાડે છોગ હતું.

ટૂંક્માં નહેરુને કોઈ સ્પષ્ટ સિદ્ધાંતો કે સ્વપ્નો ન હતા. ઓળઘોળ કરીને નિસ્પન્ન થતું સ્વપ્ન એ હતું કે નંબર વન રહેવું. ગોલ્ડ કન્ટ્રોલ, કામરાજ યોજના અને સીન્ડીકેટની રચના ની વ્યુહ રચનાઓના પરિણામો જોયા પછી નહેરુને બીજા કોઈ સ્વપ્નો હોય એવું લાગતું નથી. છતાં જેઓ નહેરુના ફિલોસોફી વાળા ઉચ્ચારણોથી અભિભૂત છે તેઓ તેવી જાતના ઉચ્ચારણોથી નહેરુની પ્રશંસા કરશે જ. (નહેરુના ઉચ્ચારણો કેવા હતાં? ભારતની સીમા નિયંત્રણ રેખા કોઈ સ્થૂળ રેખા નથી. સીમા નિયંત્રણ રેખાની કોઈ વ્યાખ્યા નથી. યુનો દ્વારા કોઈ સમસ્યા ઉકેલાતી નથી. તે ભૂમિ તો બંજર ભૂમિ છે.) મેક મોહન લાઈન અને તીબેટને બફર સ્ટેટ નો દરજ્જો અને ચીન સાથેના બ્રીટનના કરાર ને આ પ્રમાણે નહેરુએ નજર અંદાજ કરેલ. અને આથી જ ચીનને ભારત ઉપર આસાન વિજય મળી ગયેલ.

નરેન્દ્ર મોદી પાસે ઘણો દારુગોળો છે.

NARENDRA MODI

નરેન્દ્ર મોદીએ જે નહેરુવીયન કોંગ્રેસદ્વારા થયેલી સરદાર પટેલની અવગણના વિષે ટોણો માર્યો છે તે હકિકત છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અકળાઈને અદ્ધર અદ્ધર રીતે નરેન્દ્ર મોદીની બુરાઈ કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ દ્વારા થયેલી સરદાર પટેલની અવગણના તો અનેક ઉદાહરણો છે. અને તેને માટે વાંચો

નહેરુવીયનો દ્વારા થતા ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય

https://treenetram.wordpress.com/2012/12/12/%E0%AA%A8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81/

નહેરુવીયન કોંગ્રેસ સામે તો અનેક બોંબ ફોડી શકાય તેમ છે. નરેન્દ્ર મોદીએ તો હજુ એક ફટાકડી જ ફોડી છે.

સરદાર પટેલ ગુજરાતના હતા. અહીંના કોંગ્રેસના કાર્યાલયનું નામ ભવન (નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલય) શું છે? રાજીવ ગાંધી ભવન. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને સ્વતંત્રતા માટે લડનારી કોંગ્રેસનો વારસો જોઇએ છે પણ તેમને નહેરુવંશીઓ સિવાય કશું દેખાતું નથી. મહાત્મા ગાંધી પણ દેખાતા નથી. દિલ્લીના બધા એરપોર્ટોના નામ શું છે. ગાંધીના ઘાટ પાસે નહેરુ, ઈન્દીરા, સંજય, રાજીવ, બધાના ઘાટ બનાવી દીધા જાણે એ બધા મહાત્મા ગાંધીની સમકક્ષ ન હોય? જે નેતાના અનુયાયીઓ નેતા ભક્તિમાં આટલા બધા અંધ હોય તેઓ દેશનું શું ઉકાળી શકવાના છે?

ત્રિપુટીઃ

દિપકભાઈ સોલીયા લખે છે કે આપણી પાસે તો ભલા ભોળા શંકર ભગવાન હતા. બહાર થી આર્યો આવ્યા અને તેઓ બ્રહ્મા અને વિષ્ણુને લાવ્યા. ભારતે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનો સમન્વય કર્યો. તેથી હિન્દુ ધર્મ અખંડ રહ્યો. તેવી જ રીતે આપણે ગાંધી, સરદાર અને નહેરુનો સમન્વય કરવો જોઇએ. જોકે દિપકભાઈએ આ વાત કહેવા ખાતર કહી નાખી લાગે છે. બ્રહ્મા વિષ્ણુ પરદેશી ન હતા. [એવું લાગે છે કે આપણે વિઘાતક અને બનાવટી આર્યન ઈન્વેઝન થીયેરી (આઈએટી) માંથી બહાર નિકળતા પેઢીઓ વીતી જશે. જ્યારે પશ્ચિમી ઈતિહાસ કારો કહેશે કે (જો કે મેક્સ મુલરે તેના અંતિમ મંતવ્યોમાં કહ્યું છે કે આર્યો ભારતના જ હતા) એ.આઈ.ટી  બકવાસ હતી ત્યારે આપણા અમુક મૂર્ધન્યો સ્વિકારશે.]

ગાંધી, સરદાર અને નહેરુ પણ દેશી જ હતા. ગાંધી સરદાર તો પોતાને સાવ જ દેશી માનતા હતા. નહેરુ પોતાને વિષે કંઈક જુદુ માનતા. તેઓ કહેતા કે પોતે જન્મે હિન્દુ છે. પણ કર્મે અને વિચારે હિન્દુ નથી પણ અનુક્રમે મુસ્લિમ અને ખ્રીસ્તી છે. ગાંધીજી ગૌવધબંધીના હિમાયતી હતા. પણ નહેરુને ગૌવધ બંધી મંજુર ન હતી. તેઓ તો વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયેલ (નોન- ઓફીસીયલ બીલ ૧૯૫૪). આમ જુઓ તો ગાંધી અને નહેરુ વચ્ચે કોઈ સમાનતા ન હતી.

આ ત્રણેને ભેગા કરવાની કોઈ જરુર પણ નથી. ઐતિહાસિક અફવાઓ ફેલાવા કરતાં તેઓને તેમના ઉચ્ચારણો અને પુસ્તકો દ્વારા તેમના સ્થાને રહેવા દો.

વિનોબા ભાવે એ કંઈક આવું કહ્યું છે. અર્થશાસ્ત્રનો વાદ એ નિરર્થક છે. વિજ્ઞાનના યુગમાં નીચેનું સમીકરણ જ યોગ્ય છે.

(કુદરતી) સ્રોતો+માનવતા+ટેક્નોલોજી=પ્રગતિ+આનંદ

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ ગાંધી, સરદાર, પટેલ, નહેરુ, સમાજવાદ, અતિમૂડીવાદ, ઉત્પાદન, યંત્રો, માનવતા, શોષણ, સરમુખત્યારી, દેશી, ઐતિહાસિક, દીપક સોલિયા

Read Full Post »

%d bloggers like this: