Feeds:
Posts
Comments

Posts Tagged ‘યોગ’

નહેરુવીયન કોંગ્રેસ બેઠી છેલ્લે પાટલે ભાગ-૩
રાષ્ટ્રવાદીઓની દૃષ્ટિએ રાષ્ટ્ર-વિરોધની વાત સહન કરવાની એક નિશ્ચિત સીમા છે. આવું જ ધર્મ વિષે કહી શકાય અને આવું જ સરકારના વહીવટ વિષે કહી શકાય.

જો કોઈ માણસ ઉંઘતો હોય તો તેને જગાડી શકાય. પણ જો કોઈ ઉંઘવાનો ઢોંગ કરતો હોય તો તેને તમે જગાડી ન શકો. કારણ કે આ ઢોંગી માણસે નક્કી કર્યું છે કે આપણે ઉઠવાનું નથી. ન ઉઠવા પાછળનો તેનો કોઇ હેતુ કે સ્વાર્થ હોય છે.

આપણે થોડી આડવાત કરી લઈએ.

પાશ્ચાત્ય ઇતિહાસકારોના ભણાવેલ ઇતિહાસ અને મોટાભાગના ભારતીયોએ આંખો બંધ કરીને સ્વિકારેલ તે ઇતિહાસ પ્રમાણે, ભારત ૨૨૦૦ ૨૩૦૦ વર્ષથી ગુલામ છે. જો કે કેટલા વર્ષ સુધી ભારત ગુલામ રહ્યું તે માન્યતા વિષે ભીન્ન ભીન્ન સમય ગાળો સમજવામાં આવે છે.

સિકંદરની સામે (૩૨૭ બીસી), મહમ્મદ બીન કાસીમની સામે (૭૧૨), બાબરની સામે (૧૫૨૬), અંગ્રેજોની સામે ૧૭૫૭, ભારત હારી ગયું. એટલે લગભગ ૨૩૦૦ વર્ષથી ભારત ગુલામ છે. આવો ઇતિહાસ ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહારના દેશોમાં પણ ભણાવવામાં આવે છે. આ માન્યતા નરેન્દ્ર મોદીની પણ છે. કારણકે તેઓશ્રી પણ ભારતમાં જ ભણ્યા છે.

કેટલાક શબ્દ એવા છે જેના સમાનાર્થી શબ્દ (ખાસકરીને સંસ્કૃતમાંના શબ્દો)અને સમજણ ભારતની બહારની ભાષાઓમાં નથી. આમાં ધર્મ, ધર્મ નિરપેક્ષ, સંસ્કૃતિ, સંસ્કાર, આતંક, તત્વજ્ઞાન, ઇતિહાસ, ઇશ્વર, કર્મ, અધિકાર, વિકાસ, દેશ, સત્, અસત્, આનંદ, પરતંત્રતા, વિગેરે શબ્દો મુખ્ય છે. પણ પાશ્ચાત્ય વિદ્વાનો આ શબ્દોના અર્થ જે કંઈ સમજ્યા અને આ શબ્દોના જે અર્થો તેમને ગોઠ્યા તે તેમણે કર્યા અને ભારતીય સાક્ષરોએ તેમાં રહેલા વિરોધાભાષોને સમજ્યા વગર અને વિચાર્યા વગર ફક્ત સ્વિકાર્યા નહીં પણ આત્મસાત્ કરી લીધા.

આવું બધું હોવા છતાં પણ “પ્રણાલીગત ધર્મ (પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલ છે તે), એટલે કે હિન્દુ ધર્મ ૨૩૦૦ વર્ષની ગુલામી પછી પણ આપણા દેશમાં જીવતો રહ્યો અને હજી જીવે છે તે પણ ૬૫થી ૮૦ ટકા. આ પૃથ્વી પર ક્યાંય ન બનેલી એક અભૂતપૂર્વ ઘટના છે.

ભારત ઉપરના આક્રમકો આતતાયીઓ હતા. તેઓ લૂટ, અત્યાચાર અને નીતિહીન હતા. પણ જે આક્રમકો ભારતમાં સ્થાયી થયા તે પછી તેઓ કેટલેક અંશે બદલાયા. શક, હુણ, પહલવ તો ભારતીય જ થઈ ગયા. મુસ્લિમોએ પણ ભારતીય પરંપરાઓ મોટા ભાગે સ્વિકારી. શેરશાહ, મોહમદ બેઘડો અને મોટાભાગના મુગલો આનું ઉદાહરણ છે. તેઓએ આ દેશને પોતાનો દેશ માન્યો. જો આવું ન હોત તો બહાદુરશાહ જફર કે જે નામમાત્રનો રાજા હતો તેની નેતાગીરી, ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વિકારાઈ ન હોત. અંગ્રેજો અલગ હતા. તેમણે ભારતીયતા ન સ્વિકારી. એટલે ખરી રાજકીય ગુલામી બહુબહુ તો ૧૮૨૫ થી ચાલુ થઈ જે ૧૯૪૭ સુધી રહી.

ભારતીય સંસ્કૃતિની કે ભારતીય તત્વજ્ઞાનની મથામણ આનંદ પ્રાપ્ત કરવા માટેની છે. જે આનંદ સૌથી વધુ લાંબા ગાળાનો હોય તે

આનંદ કેમ પ્રાપ્ત થાય?

આમાં બે મુખ્ય માન્યતાઓ છે.

શાશ્વત આનંદઃ
શાશ્વત આનંદ એટલે કે મોક્ષ. આ આનંદ આત્માનો જ હોઈ શકે. એક એવી કલ્પના થઈ કે થઈ કે આત્મા એક તત્વ છે અને તે શરીરથી ભીન્ન છે. એટલે જ્યાં સુધી શરીરની સાથે આત્માનું જોડાણ છે ત્યાં સુધી શાશ્વત આનંદ મળશે નહીં કારણ કે શરીરની સાથે દુઃખ તો રહેવાનું જ છે. એટલે એવું ધારો કે શરીરને છોડ્યા પછીના આનંદને

કેવી રીતે પ્રાપ્ત કરવો?

શરીર સાથેનો આનંદઃ

શરીર છોડ્યા પછી શું છે, તે કોઈએ જાણ્યું નથી. માટે શરીરમાં આત્મા હોય ત્યારે પણ આનંદ તો મળવો જ જોઇએ. આ આનંદ ભલે શાશ્વત ન હોય પણ સાપેક્ષે તો સાપેક્ષે પણ આનંદ હોવો તો જોઇએ જ.

વાસ્તવમાં મનુષ્ય જાતિની જ નહીં પણ સજીવ માત્રનું વલણ આનંદ માટેનું હોય છે.

શાશ્વત આનંદ ભલે ગમે તેટલો ઉચ્ચ કક્ષાનો ધારી લીધો હોય પણ શરીર સાથેના આનંદ માટેનું માણસનું વલણ તો રહેવાનું જ. જો કે શાશ્વત આનંદની વાત મનુષ્ય જાતિએ પડતી મુકી નથી.

શારીરિક આનંદની વ્યાખ્યા આપણે “અદ્વૈતની માયાજાળ” અને “નવ્ય સર્વોદયવાદ” માં કરી છે. શરીરનું એકત્વ જાળવી રાખવું અને વિઘટન સામે ઝઝુમવું આ વાત સજીવોમાં સહજ છે.
આપણા હિન્દુધર્મમાં આનંદ મેળવવાની ચાર રીત છે. કર્મદ્વારા, ભક્તિદ્વારા, જ્ઞાન દ્વારા, અને યોગદ્વારા.

કર્મ પ્રત્યેનું વલણ, ભક્તિ પ્રત્યેનું વલણ, જ્ઞાન પ્રત્યેનું વલણ અને યોગ પ્રત્યેનું વલણ સૌનું એક સરખું હોતું નથી. અને આ વલણનું મિશ્રણ બધામાં હોય છે. એકાદું વલણ જે બીજા વલણો ઉપર હામી થતું હોય છે.

પ્રથમ ત્રણ વલણો સામુહિક રીતે પણ થાય અને અંગત રીતે પણ થાય. એક સાથે, કે લય બદ્ધ રીતે લોકો કર્મ કરે, ભક્તિ કરે કે જ્ઞાન મેળવે અને આનંદ મેળવે છે. યોગ એટલે કે શ્વાસની કસરત પણ લોકો સામુહિક રીતે કરે છે. યોગની કસરત શરીરના કોષોને શુદ્ધ કરે છે તેથી કોષો તેમના કાર્યમાં કુશળતા લાવે છે.

કર્મ અને જ્ઞાન એવાં વલણ છે કે જેમાં ફળ (આનંદ) ભવિષ્યમાં મળશે એવી ગોઠવણ સમાજમાં કરવામાં આવી છે.

આનંદ માત્ર શારીરિક છે.

આપણે આનંદને અનેક પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. શારીરિક આનંદ, માનસિક આનંદ અને બૌદ્ધિક આનંદ. આનંદ હમેશા શારીરિક જ હોય છે. મન અને બુદ્ધિ પણ શરીરનો જ હિસ્સો છે. મન અને બુદ્ધિ જુદા નથી. મન એ આપણી પસંદગી તરફનું વલણ હોય છે. બુદ્ધિ એક પ્રક્રિયા છે જે નિર્ણય લેવા પ્રેરે છે. પણ બુદ્ધિનો નિર્ણય હમેશા આપણું મન કબુલ રાખતું નથી. તેવી જ રીતે જે મનને પસંદ પડ્યું તેને જ અનુસરવું તેમ પણ મનુષ્ય હમેશા આચરતો નથી. મનુષ્યનો આચાર મનુષ્યમાં રહેલા રસાયણો ઉપર આધારિત છે. આ રસાયણોનો આધાર સ્મૃતિ, વિચાર, કાર્ય, સામાજિક પરિબળો અને વારસાગત મળેલા વલણોનું મિશ્રણ હોય છે.
હવે આપણે મૂળવાત ઉપર આવીએ.

આનંદ “સ્વ”ની બીજાઓ દ્વારા ઓળખ અને અથવા માન્યતા દ્વારા પણ મળે છે.

“દોડ”ની સ્પર્ધામાં બધાનું ધ્યાન આગળ કોણ છે તેની ઉપર હોય છે. આ “ધ્યાન ખેંચાવા”ની વાત તે વ્યક્તિની ઓળખ અને માન્યતા છે. તેથી દોડવીરને આનંદ આવે છે.

નાટકમાં પ્રેક્ષકોનું ધ્યાન પાત્રો ઉપર હોય છે. આ નાટકના પાત્રની ઓળખ હોય છે.

આગળનું સ્થાન ઓળખ બને છે.

વક્તૃત્વમાં વક્તાની છટા અને તેનું જ્ઞાન તેની ઓળખ અને માન્યતા બને છે.

વ્યક્તિનું ધન, વ્યક્તિનો વંશ અને વ્યક્તિનો હોદ્દો (સત્તા) પણ તેની ઓળખ બને છે.

આવી અનેક વાતો હોય છે.

આધુનિક યુગમાં ધ્યાન આકર્ષવાની રીતો વધી છે.

પશ્ચિમી દેશોમાં (અને હવે ભારત જેવા દેશમાં પણ), નગ્ન થઈ દોડવું, અસંબદ્ધ બોલવું, ચમત્કારિક બોલવું, બીજાને ક્ષોભ જનક સ્થિતિમાં મુકવો આવું બધું કરીને લોકોની નજરમાં આવવું એ એક પ્રણાલી પડી ગઈ છે.

પહેલાંના જમાનામાં જ્ઞાનના તેજ દ્વારા વ્યક્તિની ઓળખ બનતી હતી. હવે એવું છે કે કે પહેલાં પ્રચાર દ્વારા વ્યક્તિને ઓળખ આપો અને પછી વિતંડાવાદ કરી વધુ પ્રચાર કરી તેની ઓળખને માન્ય કરાવો અને તેમ કરવામાં પોતાની પણ એવી જ ઓળખ બનાવો.
સમાજમાં દૃષ્ટિગોચર થતા આવા વલણો બીજી યોગ્ય વ્યક્તિની થતી સુયોગ્ય ઓળખને દબાવી દેવામાં પણ વપરાય છે.

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે જેવી નિમ્નસ્તરની વ્યક્તિઓની ખ્યાતિ આ પ્રકારમાં આવે છે. આ બધાને હવે આપણે “અફઝલ-પ્રેમી ગેંગ” તરીકે ઓળખીશું. આ નામાભિધાન તેને ઝી-ટીવીએ આપેલું છે.

અફઝલની વરસીને દિવસે જીન્ના નહેરુ યુનીવર્સીટીના અને તેની બહારના તેના પ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યા. અને સૂત્રોચ્ચાર કર્યો. તેના વિરોધીઓએ તેની વીડીયો ક્લીપ બનાવી. સોસીયલ મીડીયા ઉપર ને ટીવી ચેનલો ઉપર પ્રદર્શિત થઈ. દેશપ્રેમીઓમાં ખળભળાટ થયો. કારણકે તેમાં “કશ્મિર માગે આઝાદી, કેરલ માગે આઝાદી, બંગાળ માગે આઝાદી, પૂર્વોત્તર રાજ્ય માગે આઝાદી, ગોલીસે લેંગે આઝાદી, ભારત તેરે ટૂકડે હોગે, અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતીલ જીંદા હૈ, હર ઘરસે અફઝલ નિકલેગા, એવા અનેક દેશદ્રોહી સૂત્રો પોકારાયા.

આમ તો ઉપરોક્ત સૂત્રો, માત્ર અને માત્ર સૂત્રો છે. આ સૂત્રો, બોલનારની માનસિકતાનું પ્રદર્શન કરે છે. આ સૂત્રો દેશ પ્રત્યેનો પ્રેમ તો પ્રકટ કરતા નથી જ નથી જ. અફઝલને ભારતના ન્યાય તંત્રે મૃત્યુદંડ બધીજ પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી આપ્યો હતો. તે વખતે નહેરુવીયન કોંગ્રેસની સરકાર હતી. જો સૂત્રોને સરકારની સામેના ગણાવાતા હોય તો જે અફઝલને લગતા સૂત્રો હતા તેતો નહેરુવીયન કોંગ્રેસ સરકારની સામેના હતા એમ ગણાવવું જોઇએ.

સંસદ ઉપર થયેલા આતંકી હુમલામાં અફઝલ સંડોવાયેલો હતો. મોટા ભાગની ન્યાયિક પ્રણાલી નહેરુવીયન કોંગ્રેસની સરકારે પૂરી કરેલ અને સજાની જાહેરાત અને અમલ પણ નહેરુવીયન કોંગ્રેસની સરકારના સમય દરમ્યાન થયેલ. એટલે અગર આ સૂત્રોચ્ચાર અન્વયે કોઈએ જવાબ આપવાનો હોય તો નહેરુવીયન કોંગ્રેસે આપવાનો હતો. પણ સૂત્રો તો દેશ વિરોધી હતા એટલે દેશપ્રેમી જનતા તેને વખોડવા માટે આગળ આવી.

તો બીજેપી-મોદી-ફોબીયા પીડિત ગેંગે શું કર્યું?

તેમણે આ વિવાદને બીજેપી અને નહેરુવીયન કોંગી યુક્ત તેના સાંસ્કૃતિક સાથી વચ્ચેનો ગણાવીને તેને મોળો પાડવાની કોશિસ કરી.

આ નહેરુવીયન કોંગની પ્રણાલીગત જુની પરંપરા છે. તેમને ખબર છે કે તેઓના કબજામાં સમાચાર માધ્યમો છે. સમાચાર માધ્યમો માને છે કે પૈસો મૂખ્ય છે. ચીકન બીર્યાની અને દારુ, નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ જ આપી શકશે. મોદી તો ઘાસપુસ જેવી વેજ વાનગીઓ જ આપશે. કદાચ તે પણ ન આપે.
નહેરુવીયન કોંગ અને તેના સાથીઓને કોઈ વાતનો કશો છોછ હોતો નથી તે પોતાની પત્રકાર પરિષદમાં પૈસાવાળા કવરો પણ આપશે. દેશપ્રેમ અને દેશદ્રોહની વાતો તો બધી ધત્તીંગ છે, કામ ચલાઉ છે. જનતા અભણ છે. જનતાને માથાફોડીની વાતો યાદ રહેતી નથી અને તાર્કિક વાતો પણ માથાફોડીની જ હોય છે. ચૂંટણીના સમયે આપણે દેશપ્રેમના હેડીંગ વાળી અનેક વાતો કરીશું એટલે આપણી આબરુ પાછી આવી જશે. પાંચ ટકા ભણેશરીઓ આગળ આપણી આબરુ જાય તો પણ ક્યાં કશો ફેર પડે છે?

આ ઈન્દિરા ગાંધીએ હજારોને જેલમાં નાખ્યા તો પણ તેના નામે અગણિત યોજનાઓ, બાંધાકામો, સંસ્થાઓ, ઈનામો છે. અરે શું શું નથી તેની વાત કરો? નહેરુએ હિમાલય જેવડી ભૂલો કરી અને લાખો સૈનિકો બેમોત મર્યા, તો પણ નહેરુના નામને ક્યાં કશી આંચ આવી છે.

માટે પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

યસ્યાસ્તિ વિત્તં, સ નરઃ કુલિનઃ સ શ્રુતવાન સ ચ ગુણજ્ઞઃ
સ એવ વક્તા, સ ચ દર્શનીયઃ, સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે

જેની પાસે પૈસા છે, તે કુળવાન છે, તે જ જ્ઞાની છે અને તે જ ગુણોને જાણનારો છે.
તે બોલે તે જ સંભળાય છે, તે જ દર્શન કરવાને યોગ્ય છે. બધા ગુણો સુવર્ણ(સોનું, પૈસા)ના આશ્રયે છે.

01 securedownload

નહેરુવીયન કોંગ્રેસ પાસે તેમના પૈસા અને તેમનો જનતાને બેવકુફ બનાવવાનો અનુભવ છે. સામ્યવાદીઓ પાસે છળ કપટ અને હિંસા છે. પથભ્રષ્ટ મુસલમાનો પાસે આતંકવાદી સંગઠન છે, લાલચુ પત્રકારો અને કટારીયા મૂર્ધન્યો છે. જ્ઞાતિવાદી પક્ષો છે. બધી ગદ્દારીઓ જો ભેગી થઈ જાય તો બીજેપી શી ચીજ છે?

આ લોકોથી દેશને બચાવવાનો ઉપાય શો?

ધારો કે એક સંસ્કૃતિ બુદ્ધિજીવી છે. અને એક સંસ્કૃતિ ભક્તિ માર્ગી (શ્રદ્ધા ઉપર આધાર રાખનારી) છે. કઈ સંસ્કૃતિ લાંબા કાળ સુધી જીવશે?

બુદ્ધિવાદી સંસ્કૃતિ તર્ક ઉપર આધાર રાખતી હોવાથી તે પોતાના જ્ઞાન પ્રાપ્તિના દરવાજા ખૂલ્લા રાખે છે. ભક્તિમાર્ગી સંસ્કૃતિ ફક્ત શ્રદ્ધા ઉપર આધાર રાખતી હોવાથી ચર્ચામાં માનતી નથી.

પણ હવે તમે જુઓ. બુદ્ધિ વ્યક્તિના જ્ઞાન ઉપર આધાર રાખે છે. જ્ઞાન માહિતિ ઉપર આધાર રાખે છે. માહિતિ કાંતો વ્યક્તિને આપવી પડે છે કે કાંતો વ્યક્તિએ પ્રયત્ન પૂર્વક મેળવવી પડે છે. માહિતિ આપનારો ઠગ હોય તો તે બુદ્ધિવાદીઓને યા તો માહિતિ ન આપે યા તો ખોટી માહિતિ પણ આપે. તર્ક શક્તિ એ વિચાર કરવાની વૃત્તિ ઉપર આધાર રાખે છે. આ વૃત્તિ આનુવંશિક હોઈ શકે છે અથવા એ ભૌતિક શાસ્ત્ર ભણવાથી આવે છે.

બુદ્ધિ હોય, માહિતિ હોય, પણ તર્ક શક્તિ ન હોય તો વ્યક્તિ ખોટા નિર્ણયો લે. દાખલા તરીકે પાશ્ચાત્ય ઇતિહાસકારોએ આપણને ખોટો ઇતિહાસ અને ખોટી વ્યાખ્યાઓ ભણાવી. વિરોધાભાષો છૂપાવ્યા. આપણા વિદ્વાનોએ ભારતને આર્યો અને દ્રવિડોની જાતિમાં વિભાજિત કરતી આર્યોના આક્ર્મણ વાળી થીએરી આત્મસાત્ કરી બુદ્ધિજીવીઓ પોતાનાથી ઓછી બુદ્ધિવાળાનો, જો ઓછી બુદ્ધિવાળાઓ પાસે ઓછી માહિતિ હોય તો, તેમનો પરાભવ કરી શકે છે.

જો વ્યક્તિ શ્રદ્ધાના આધારે હોય તો તે તર્કને આધિન થતો નથી. આમ પાશ્ચાત્ય ધર્મગુરુઓએ શ્રદ્ધાવાળો ધર્મ ફેલાવ્યો. પણ તેમણે વિજ્ઞાન અને ધર્મને અલગ રાખ્યા. ધર્મને શ્રદ્ધાનો વિષય બનાવ્યો. એટલે ધર્મની બાબતમાં તર્ક નહીં વાપરવાનો.

વાસ્તવિક રીતે જોઇએ તો સ્વર્ગ, નર્ક, પૂનર્જન્મ અને ઇશ્વરના અવતાર જેવું કશું છે જ નહીં. સારા કામો થી સ્વર્ગ મળે છે અને ખરાબ કામોથી નર્ક મળે છે, એ બધા જુઠ છે.

આત્મા અને શરીર જુદા છે તે પણ એક જુઠ છે. વેદ અને અદ્વૈતની દૃષ્ટિએ પણ આમ જ છે. બ્રહ્માણ્ડ બહુ વિશાળ છે.

હાલની તારીખમાં તે કેવડું છે તે જો પ્રકાશની ગતિના ૯૯.૯૯ ….. ૫૫ નવડા એટલા ટકા થી ગતિ કરીએ તો બ્રહ્માણ્ડના છેડે પહોંચતાં ૫૪ વર્ષ થાય. પણ તે ગતિ કરનારના વર્ષ ગણવાના હોય છે. પૃથ્વી ઉપર તો તે વર્ષ ૧૫ અબજ વર્ષ થી પણ વધુ થાય. આ બ્રહ્માણ્ડ પ્રકાશની ગતિએ (દર સેકંડે એક લાખ છ્યાસી હજાર માઈલ ની ગતિથી) વિકસતુ જ રહે છે.

બ્રમ્હાણ્ડનું ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી. જો ડાર્ક મેટરનું પ્રમાણ વધુ હશે તો તે અમુક હદે પહોંચ્યા પછી આ બ્રહ્માણ્ડ સંકોચાતું જશે. બ્રહ્માણ્ડની બહાર શું છે તે સમજવા માટે “અવકાશ”ની વ્યાખ્યા સમજવી પડે. સમયની વ્યાખ્યા સમજવી પડે. પદાર્થની વ્યાખ્યા સમજવી પડે. પ્રકાશ એ શું છે તે સમજવું પડે, પરિમાણો શું છે તે સમજવું પડે, (આપણા કહેવાતા સજીવો અને સુક્ષ્મ કણોને સમજવા પડે અને આ સુક્ષ્મ કણો ૨૨+૪ ના પરિમાણોમાં અસ્તિત્વ ધરાવે છે જ્યારે આપણે ચાર પરિમાણોમાંની જ અનુભૂતિ કરી શકીએ છીએ), સજીવની વ્યાખ્યા સમજવી પડે. આ બધું સમજ્યા વગર આપણે સ્વર્ગ, નર્ક, આત્મા, અમરતા, પાપ, પૂણ્ય, ઈશ્વર, અવતાર, પેગમ્બર વિગેરેનું દે ધનાધન કરીએ છીએ તે બેવકુફી માત્ર છે.

આપણે આ બેવકુફીને બેવકુફી તરીકે સ્વિકારવી જોઇએ. આપણા અનંદ માટે આપણે આવું બધું માનીએ ત્યાં સુધી ઠીક છે પણ ઈશ્વરની પૂજા સિવાય ઉદ્ધાર નથી, ઇશ્વર દયાળુ છે અને માટે અવતારો કે પેગંબરોની શરણાગતિ સ્વિકારી લો અને તેમને ત્યાં બુદ્ધિને ગીરો મૂકીને તેમણે બતાવ્યા માર્ગે સ્વર્ગ પ્રાપ્ત કરવા આ દૂનિયામાં જીવો … આ બધું ખોટા ભ્રમમાં જીવવા બરાબર છે.

વિજ્ઞાન જ મનુષ્યને સત્ય તરફ લઈ જાય છે પણ સત્ય સુધી પહોંચી શકાતું નથી અને પહોંચી શકાશે નહીં. કારણ કે આ બ્રહ્માણ્ડ અનિર્વચનીય છે. બ્રહ્માણ્ડના સત્યને પામી શકાશે નહીં. પણ જ્ઞાનની દિશા તો એજ રાખવાની છે. જો તમારું વલણ આ દિશામાં ન હોય તો સમાજે તમને તમારું મનપસંદ કામ સોંપ્યું છે તે કરો. આનંદ કરો.

તમને રીંગણા ભાવે તો રીંગણા ખાવ, બટેકા ભાવે તો બટેકા ખાવ, લાડુ ભાવે તો લાડુ ખાઓ, ગુલાબ જાંબુ ભાવે તો ગુલાબ જાંબુ ખાવ. ઈશ્વરને જે રીતે પૂજવામાં આનંદ આવતો હોય તે રીતે પૂજો. ન પૂજવો હોય તો ન પૂજો. ઈશ્વરને તમારી પૂજામાં રસ નથી.

ઈશ્વર કેવો છે તેની કોઈને ખબર નથી. ઈશ્વર પણ અનીર્વચનીય છે. હિન્દુઓ બ્રહ્માણ્ડને સજીવ માને છે. બ્રહ્માણ્ડ ઈશ્વરનું શરીર છે.

“તેન ત્યક્તે ન ભૂંજિથાઃ, મા ગૃધઃ કસ્યશ્ચિત્ ધનમ્”. આ વિશ્વરુપી ઈશ્વરે જે તમારા માટે છોડ્યું છે તેને (તમારી બુદ્ધિનો ઉપયોગ કરી) ત્યાગ પૂર્વક બધું ભોગવો અને બીજાનું પડાવી લો નહીં. જે સમજી શકાય તેવું છે તે આટલું જ છે. ઈશાવાસ્ય વૃત્તિ કેળવો અને આ પૃથ્વી ઉપર આનંદથી કમ કરતાં કરતાં ૧૦૦ વર્ષ જીવો. પરલોક જેવું કશું છે જ નહીં. જે કંઈ છે તે આ બ્રહ્માણ્ડમાં જ છે. તમે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્યની અનુભૂતિ કરી શકો છો ત્યાં સુધી તેમનું અસ્તિત્વ છે. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

સ્વર્ગ અને નર્ક જેવું કશું છે જ નહીં છતાં પણ મૃત્યુ પછીના સુખની કલ્પનાના ઘોડાઓ દોડાવ્યા કરવા એ મૂર્ખતા સિવાય કશું નથી. ઈશ્વર ના ન્યાયના દિવસની કલ્પનાઓ બધી ફરેબી વાતો છે. આજે આવા જ ધર્મો વધુ ફેલાયેલા દેખાય છે. આતંકવાદ ફેલાવવાની માનસિકતામાં આ જ ધર્મો સંડોવાયેલા છે. પ્રાચીન વિકસિત સંસ્કૃતિઓને નષ્ટ કરવામાં અને નર સંહાર કરવામાં આ જ ધર્મો આગળ પડતા છે.

તો શું તર્ક ઉપર આધારિત હિન્દુ ધર્મ નષ્ટ થશે?

ના જી. હિન્દુ ધર્મના ચાર અંગો છે. કર્મ, ભક્તિ, જ્ઞાન અને યોગ. આ બધાનું મિશ્રણ એટલે હિન્દુ ધર્મ. શંકરાચાર્યે અદ્વૈતવાદ જેવા કેવળ તર્ક પર આધારિત વાદનો પ્રચાર કર્યો અને બધા તત્કાલિન ધર્મોને પરાસ્ત કર્યા. શંકરાચાર્યનો અદ્વૈતવાદ, આઈનસ્ટાઇનના સાપેક્ષતાવાદ જેવો છે. તે સમજવાની બધામાં વૃત્તિ અને ક્ષમતા ન હોય. એટલે તેમણે “ભજ ગોવિંદમ”, શિવાષ્ટક, લલિતાસ્તોત્ર જેવા ભક્તિમાર્ગી સ્તોત્ર પણ લખ્યા. તેમણે વાદો વચ્ચે ઘૃણા ન ફેલાવી. એટલે ભારત ઉપર મુસ્લિમોનું આક્રમણ થયું ત્યારે અનેકાનેક ભક્તિમાર્ગી કવિઓ ઉગી નિકળ્યા અને તેમણે હિન્દુ ધર્મની રક્ષા કરી.

એટલે જો તમે સમાચાર માધ્યમો થકી થતા નરેન્દ્ર મોદી, બીજેપી અને દેશ દ્રોહી પ્રચારોમાં ગુંચવાઈ જતા હો તો તમે મોદીના અને દેશના ભક્ત બની જાઓ. જો બુદ્ધિ તમને નહીં બચાવે તો ભક્તિ તમને જરુર બચાવશે. અને દેશ પણ બચશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ, સમાચાર માધ્યમો, કટારીયા, મૂર્ધન્યો, પાશ્ચાત્ય ઇતિહાસકારો, ભારત, ગુલામ, સિકંદર, મહમ્મદ બીન કાસીમ, બાબર, મુગલ, વિરોધાભાષો, આક્રમકો આતતાયીઓ,
શાશ્વત આનંદ, સ્વર્ગ, નર્ક, મોક્ષ, કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગ, સ્વની ઓળખ અને માન્યતા, દેશ વિરોધી સૂત્રો, શંકરાચાર્ય, અદ્વૈત, સાપેક્ષતા

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૭. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારત અને શિક્ષણ

સૌ પ્રથમ આપણે જોયું કે મનુષ્યનું અને સમાજનું ધ્યેય શું હોય છે.

સૌનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું હોય છે.

આનંદ એટલે શું? આ વાત ભૌતિક રીતે “અદ્વૈતની માયાજાળમાં સમજાવી છે.” એટલે કે આનંદનો ભૌતિક અર્થ શું થાય છે તેની વિસ્તૃત રીતે વાત કરી છે.

ટૂંકમાં એમ કહીએ કે આનંદ બે રીતે મળે છે.

એક શારીરિક આનંદ જે સગવડો ભોગવાથી મળે છે. બીજો આનંદ માનસિક આનંદ જે સુરક્ષા અને જ્ઞાન પ્રાપ્તિથી મળે છે.

સુરક્ષા સહજીવનમાં હોય છે. તેથી સમાજ બને છે. સહજીવનથી જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. મનુષ્ય મરી જાય છે પણ તેણે મેળવેલું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. તેથી સમાજ ઉતરોત્તર વિકાસ કરતો હોય છે.

જ્ઞાન એટલે શું?

વિશ્વ અને તેના ઘટકો કેવીરીતે વર્તે છે તે સમજવું તે જ્ઞાન. મનુષ્ય બીજા પ્રાણીથી આ રીતે જુદો પડે છે. એટલે મનુષ્યનું મૂળ ધ્યેય જ્ઞાન પ્રાપ્તિનું હોવું જોઇએ. પણ વિશ્વના અનેક ઘટકો હોય છે. જેને આપણે શાસ્ત્ર અને કળા તરીકે ઓળખીએ છીએ.

શારીરિક સુખ કે માનસિક સુખ, વાસ્તવમાં માનસિક સુખ જ હોય છે. કારણ કે જે અનુભૂતિ હોય છે તે બંને બાબતોમાં માનસિક જ હોય છે.

મનુષ્યની જ્ઞાન પ્રાપ્તિની પસંદગી એક સમાન હોતી નથી. ભારતીય શાસ્ત્રોમાં મનુષ્યના વલણોના ચાર ભાગ પાડ્યા છે. જો કે આ વલણો વચ્ચે કોઈ એક પાતળી રેખા હોતી નથી. પણ એક કે બે વલણોનું પ્રાધાન્ય હોય છે. એટલે જો તે વ્યક્તિ તે વલણને લગતું જ્ઞાન મેળવે તો તે વધુ સુખી થઈ શકે અને સમાજને પણ સુખ તરફ આગળ ધપાવી શકે.

આ જ્ઞાન પ્રાપ્તિને આપણે શિક્ષણ કહીશું.

આ શિક્ષણ કેવું હોવું જોઇએ?

અદ્વૈત વાદમાં આપણે જોયું કે મનુષ્ય માત્ર એક સજીવ નથી. બધું જ સજીવ છે. અને સમાજ પણ સજીવ છે. મનુષ્ય સમાજને પણ સુખી થવાનું હોય છે. તેથી મનુષ્યની વ્યક્તિગત શક્તિઓનો સમાજને નુકશાન ન થાય તે રીતે વિકાસ થવો જોઇએ. મનુષયના વલણોનો (એપ્ટીટ્યુડ)નો યથા યોગ્ય ઉપયોગ થવો જોઇએ.

મનુષ્યને તેના પ્રભાવકારી વલણોના આધારે ભારતીય શાસ્ત્રજ્ઞોએ ચાર રીતે વહેંચ્યા છે.

(૧) જેઓ ચિંતન કરે છે અને વિશ્વના ઘટકોના વર્તનને સમજે છે અને સમજાવે છે. તે શાસ્ત્રીઓ કે વૈજ્ઞાનિકો કે બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. આમાં વૈજ્ઞાનિકો, તત્વવેત્તાઓ, સમાજશાસ્ત્રીઓ, શિક્ષકો, વિદ્યાધરો (અભિયન્તાઓ એટલે કે એન્જીનીયરો), ન્યાયધીશો વિગેરેનો સમાવેશ થાય છે,

(૨) જેઓ સમાજને સુરક્ષા આપે છે અને જે તે શાસ્ત્રીઓએ તે માટે કરેલા સંશોધનો અને ઉપકરણોનો સમાજની સુરક્ષા માટે ઉપયોગ કરે છે, તેમાં મેનેજરો, રાજકારણીઓ, જનપ્રતિનિધિઓ ક્ષત્રિયોનો સમાવેશ થાય છે.

(૩) જેઓ સમાજ માટે અને વ્યક્તિઓમાટે ઉપકરણો અને ખાદ્યપદાર્થનું ઉત્પાદન અને વહેંચણી કરે છે તેને ઉદ્યોગપતિઓ, મેનેજરો, વેપારીઓ, સંગ્રાહકો, વિતરકો કે વણિક કહેવાય છે.

(૪) જેઓ આ ઉપરોક્ત ત્રણેને તેમના ક્ષેત્રમાં ચીંધ્યું કામ કરવું ગમે છે તેઓ નોકરો, પટાવાળા, કાર્યકરો, મજુરો કે શુદ્રો કહેવાય છે.

પણ દરેક વ્યક્તિમાં પોતાના વલણને અનુરુપ કામમાં સંશોધન કરવાનું પણ હોય છે. એટલે એક વ્યક્તિમાં વલણો મિશ્રરુપે હોય છે. પ્રાથમિક શિક્ષણના ગાળા દરમ્યાન આ વલણોમાં વત્તા ઓછા ફેરફાર થાય છે અને તેને નકારી ન શકાય. એટલે વ્યક્તિઓના વલણો તપાસવાની વ્યવસ્થા અવારનવાર કરવી જોઇએ અને વ્યક્તિને અને અથવા તેના માતાપિતાને વડિલોને તેની જાણ કરવી જોઇએ.

સ્ત્રીઓ માટે વિશેષ સગવડ

સમાજ, સ્ત્રીઓ અને પુરુષો અને બાળકોનો બનેલો હોય છે. સ્ત્રીઓ અને પુરુષો બંનેને કામ કરવું હોય છે. અને બધાં જ કામ ઘરે બેઠાં થઈ શકતા નથી. સ્ત્રીઓને પણ કામ માટે ઘરની બહાર જવું પડે છે. સ્ત્રીઓ ઉપર શિશુ ઉછેરની શરીરશાસ્ત્રીય જવાબદારી હોય છે. સ્ત્રીઓ પોતાના અન્યવલણનો પણ ઉપયોગ કરવા માગતી હોય છે. તેથી સ્ત્રીઓના પ્રાથમિક શિક્ષણમાં બાળ ઉછેરનું પ્રાધાન્ય તો રહેવું જ જોઇએ. પુરુષને પણ આ શિક્ષણ યોગ્ય માત્રામાં આપવું જોઇએ.

પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય ગણાશે. પ્રાથમિક શિક્ષણમાં બાળ ઉછેર, બાળ માનસ, કળા (જેમાં રમત ગમત, યોગ, વ્યાયામ, સંગીત વિગેરેનો પણ સમાવેશ થઈ જાય છે), સભ્ય વર્તન, વાહનના નિયમો, સ્ત્રી દાક્ષિણ્ય, માનવ અધિકારો, કુદરતી અધિકારો, નીતિમત્તા, નાગરિક શાસ્ત્ર, સભ્યતા, સ્વચ્છતા, કાંતણ, વણાટ, અંક ગણિત, વિશ્વ રચના, દેશનો પ્રાચીન ઇતિહાસ, દેશાભિમાન અને દેશપ્રેમ અને પ્રાથમિક શિક્ષણ-વિદ્યા (ટીચીંગ ટેક્નીક) અનિવાર્ય રહેશે.

શિક્ષણ વિદ્યા એટલે શું?

શિક્ષણ વિદ્યા એટલે ટીચીંગ ટેક્નીક. પ્રાથમિક શિક્ષણ વિદ્યા એટલે સામાન્ય કક્ષાની શિક્ષણ આપવાની આવડત આવે તે વિદ્યા. વિદ્યાર્થી ને જે કંઈ આવડે છે, તે તેનાથી નીચેની શ્રેણીના વિદ્યાર્થીને પોતાના આ જ્ઞાનથી શિખવાડી શકશે. જરુર પડે તે નિષ્ણાત શિક્ષકની સહાય લેશે.

મનુષ્યની શિક્ષણ લેવાની અવસ્થાઓઃ

દુગ્ધપાન અવસ્થા (૦ થી ૧ ૧/૨ વર્ષ), ગાળો …. ૧.૫ વર્ષ માતૃ છાયા

દરેક સ્ત્રીને તેની ગર્ભધાન સમયના સાતમાસથી શરુ કરી બાળક એકવર્ષનું થાય ત્યાં સુધીની સંપૂર્ણ વેતન સાથે રજા આપવી જોઇએ. સ્ત્રીએ જે બાળકને જન્મ આપ્યો તે દેશનું નાગરિક છે. અને તે માતા પોતાના બાળકને શિક્ષણ લેવા સક્ષમ બને તે માટે તેનો ઉછેર કરી રહી હોવાથી તેને પણ દેશની સેવા જ ગણાય. એક વર્ષની સવેતન રજા આપ્યા પછી જો શક્ય હોય તો ઘરે બેઠાં કોમ્પ્યુટર ઉપર કરી શકે તેવાં કામ આપવાં. તેનું વિશેષ વેતન આપવું.

દરેક સ્ત્રીઓને બાળ ઉછેરનું શિક્ષણ અને દરેક વ્યક્તિને બાળમાનસનું શિક્ષણ પ્રાથમિક શાળામાં આપવું.

(૧) શિશુ (૧ ૧/૨ થી ૩ વર્ષ), ગાળો .. ૧.૫ વર્ષ પૂર્વ બાળ સંભાળ(આયા) વ્યવસ્થિતતા, સફાઈ, કળા અને નાગરિક વિદ્યા

સ્ત્રીઓને પુરુષ જેટલા જ અને કેટલાક કિસ્સાઓમાં પુરુષ કરતાં વધુ હક્કો આપ્યા હોવાથી, તે તેના અભ્યાસ દરમ્યાન આયાના કામ પણ કરી શકશે. બાળક આ ઉમરમાં ઘણું જિજ્ઞાસાવાળું હોય છે. તેથી તેની વિચાર શક્તિ ખીલે તેવા પ્રશ્નો પૂછવા અને તેના દરેક પ્રશ્નનો ઉત્તર આપવો અને તેને પ્રશ્નો પૂછવા ઉત્તેજવું. તેને વાર્તાઓ કહેવી, ચિત્રવાર્તાઓ સમજાવવી. વસ્તુઓને ગોઠવવી વિગેરે કામ શિખવાડી શકાય અને કરાવી શકાય.

(૨) બાળક (૩ થી ૬ વર્ષ), ગાળો .. ૩ વર્ષ ઉત્તર બાળ સંભાળ (આયા), બાલ વાર્તાઓ, જોડકણા, બાલ કાવ્યો, સંસ્કૃત શ્લોકો, સભ્યતા, વ્યવસ્થા, કળા અને નાગરિક વિદ્યા. અહિંસા, યોગ, લેન્ડલાઈન અને મોબાઈલ ઓપરેશન, કોમ્પ્યુટર સર્ચીંગ.

સ્ત્રીઓને અને પુરુષોને બાળ માનસનું શિક્ષણ આપ્યું હોવાથી તે બાળકની રુચિ પણ જાણી શકશે. આ શિક્ષણ બાલ મંદિરમાં આપવામાં આવશે.

(૩) બાલ (૬ થી ૧૦ વર્ષ), ગાળો .. ૪ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષા, કળા, ઉદ્યમ, નાગરિક વિદ્યા અને રોજગાર. વાર્તા સ્વરુપમાં ઇતિહાસ, પ્રયોગો દ્વારા અંક ગણિત, ભૂમિતિ, પ્રવાસ વર્ણન અને પ્રવાસ, માતૃભાષા, નીતિ શતક અને બીજા સંસ્કૃત શ્લોકો, અહિંસા અને સ્વાવલંબન, યોગ, પ્રાથમિક કોંપ્યુટર ઓપરેશન અને ઇમેલીંગ અને લેખન.

(૪) કિશોર (૧૦થી ૧૪ વર્ષ), ગાળો .. ૪ વર્ષ ઉત્તર પ્રાથમિક શિક્ષા, ઉચ્ચતર ગણિતઃ વ્યાવહારિક અંકગણિત, બીજ ગણિત, ભૂમિતિ, ત્રીકોણમિતિ, માતૃભાષા, અન્ય એક દેશી ભાષા, સંસ્કૃત વાર્તાઓ માતૃ ભાષામાં, ગીતાના અને ઉપનિષદના શ્લોકો, ખગોળ શાસ્ત્ર ની સમજણ, અહિંસા અને સ્વવલંબન, પ્રાચિન ભારતનો ગૌરવ ભર્યો ઇતિહાસ, યોગ, કોમ્પ્ટ્યુટર દ્વારા સ્વશિક્ષણ, વક્તૃત્વ, કળા, નાગરિક વિદ્યા, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૫) તરુણ (૧૪થી ૧૮ વર્ષ), ગાળો .. ૪ વર્ષ પૂર્વ માધ્યમિક શિક્ષા, પૃથ્વી ની સામાન્ય ભૂગોળ, ભારતનો ઈતિહાસ અને ગૌરવ અને તેના પ્રતિકો, ભારતનું વૈશ્વિક દર્શન, માતૃભાષા, સંસ્કૃતભાષા, ત્રીજી એક ભાષા (હિન્દીભાષીઓ માટે દક્ષિણ ભારતની ભાષા, અને દક્ષિણ ભાષીઓ માટે હિન્દી કે બીજી કોઈ ઉત્તરભારતની ભાષા), પરિચય ગીતા, ખગોળ શાસ્ત્ર, વિશ્વનું વર્તન અને હેતુ, આંકડાશાસ્ત્ર, ઉચ્ચતર અંકગણિત અને નામાપદ્ધતિઓ, સેટ થીએરી, બાયનરી, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, કલનશાસ્ત્ર, વિકલન શાસ્ત્ર, યોગ, કોમ્પ્ટ્યુટર દ્વારા સ્વશિક્ષણ, કળા, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૬) નવ યુવક (૧૮ થી ૨૦ વર્ષ), ગાળો .. ૨ વર્ષ ઉત્તર માધ્યમિક શિક્ષા, પસંદગીના વિષયો, પસંદગીની ભાષામાં નૈપૂણ્ય, સાહિત્ય, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સમાજવિદ્યા, ઉચ્ચ વ્યાવહારિક ગણિત (એપ્લાઈડ ગણિત), કળા, યોગ, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૭) યુવક (૨૦ થી ૨૫ વર્ષ), ગાળો …. ૫ વર્ષ ઉચ્ચ શિક્ષા, વિશ્વ વિદ્યાલય નિવાસીય શિક્ષણ, પસંદગીના વિષયો, એક કે બે વિદેશી ભાષા, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત, તકનિકી વિદ્યાઓ, વ્યવહારો, કળા અને રોજગાર

દરેક વિદ્યાર્થી માટે બે કળા અને એક ઉદ્યમ અનિવાર્ય રહેશે. ઉદ્યમ આર્થિક સ્વાવલંબન માટે છે. કળા એટલે ગેય સંગીત, વાદ્ય સંગીત, નાટ્ય, દિગ્દર્શન, ફોટોગ્રાફી, સુશોભન, ચિત્રકામ જેવા વિષયો હશે.

બીજી કળા છે વ્યાયામ, ખેલ-કૂદ, એક આમાંથી પસંદ કરવું પડશે.

ઉદ્યમ માં કાંતણ, વણાટ, માટીકામ, ધાતુકામ લોહારી કામ અને વેલ્ડીંગ, મોચીકામ, સિલાઈકામ, પર્ણ અને રેસા, રંગકામ, સુતારીકામ, વિગેરે જેવા અન્ય ગૃહ ઉદ્યોગો.

શિક્ષણ નો હેતુ એ હોય છે કે, વ્યક્તિ વિચારશીલ, નીતિમાન, સુશીલ, ભદ્ર, સ્વચ્છ, સમાસ્યાઓને સમજી શકનાર, નિડર, દેશપ્રેમી અને સ્વાવલંબી બને.

શિક્ષણ કોણ આપશે?

શિક્ષણ ક્રમશઃ સ્વાવલંબી અને સ્વશિક્ષણ બનશે. એટલે ઉત્તર પ્રાથમિક શિક્ષણના સ્તરથી સ્વશિક્ષણ તબક્કાવાર શરુ થશે. જે ગાઈડ હશે તે જે તે ઉત્તરોત્તર સ્તરે વિષયનો નિષ્ણાત હશે અને ટીચીંગ ટેક્નીકમાં પણ નિષ્ણાત હશે.

ઉદ્યોગો પ્રાથમિક શિક્ષણની જવાબદારી લેશેઃ

જે તે ગામની આસપાસ જે ઉદ્યોગો હશે તે ઉત્તર પ્રાથમિક કક્ષાના શિક્ષણનો આર્થિક અને કંઈક અંશે વહીવટી જવાબદારી ઉપાડશે.

સરકાર દ્વારા નિયમન અને નિયંત્રણ રહેશે. ઉદ્યોગો વિદ્યાર્થીઓ પાસેથી શ્રમ લઈ શકશે. પૂર્વ પ્રાથમિક કક્ષાએ બે કલાકનો શ્રમ લઈ શકશે, અને ઉત્તર પ્રાથમિક કક્ષાએ ચાર કલાક થી વધુ નહીં એવો શ્રમ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકશે. પોતાના ઉદ્યોગને અનુરુપ વધારાનો વિષય શિખવી શકશે. અને જો વિદ્યાર્થી ઈચ્છે તો ઉત્તર પ્રાથમિક કક્ષાએ તે વિદ્યાર્થીઓની નિયૂક્તિ માટે પસંદગી કરી શકશે. વિદ્યાર્થી અને તેના વાલીઓ સાથે મસલત કરી પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક અને વિશ્વવિદ્યાલયના શિક્ષણ માટે શાખાની પસંદગી કરી શકશે.

શિક્ષણ ફી વગરનું અને ભાર વગરનું રહેશે.

જે લોકોને પોતાની શાળાઓ સ્થાપવી હશે તેઓ સ્થાપી શકશે. પણ તેઓ વિદ્યાર્થી પાસેથી ફી વસુલ કરી શકશે નહીં. ચાર કલાકનો શ્રમ લઈ શકશે. આ માટેના નીતિ નિયમો સરકાર બનાવશે.

વિશ્વવિદ્યાલયના શિક્ષણ પછી, સરકાર અને ઉદ્યોગો પોતાને યોગ્ય લાગે તે વિદ્યાર્થીઓને સંશોધનમાં લઈ શકશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક, પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક, ઉચ્ચ શિક્ષા, ગણિત, કળા, યોગ, વિશ્વનું વર્તન, અહિંસા, અદ્વૈત, ગીતા, ઉદ્યોગ, શ્રમ, વિદ્યાર્થી, ખેલ-કૂદ, શ્રમ

Read Full Post »

ઓશો આશારામ અને સંત રજનીશમલ

અશારામ ઉર્ફે આસારામ ઉર્ફે આસુમલ ને ઓશો કેવી રીતે કહી શકાય? “ઓશોનો અર્થ ઓશોવાદીઓ કોઈ એક ભાષાના શબ્દકોષ પ્રમાણે સંપૂર્ણ જ્ઞાની, બ્રહ્મજ્ઞાની કે જ્ઞાની એમ બતાવે છે. ચાલો કમસે કમ ઓશો શબ્દ જ્ઞાન સાથે સંકળાયેલો છે તે વિષે મતભેદ નથી. પણ કેટલાકને વાંધો પડશે કે જો આશારામને ઓશો આશારામ કહીશું તોઓશોનું અવમૂલ્યન કર્યું ગણાશે. અનેઓશોશબ્દને તો રજનીશના ભક્તોએ રજનીશ સાથે એવો સાંકળી લીધો છે કે તેઓએ એક પરંપરા બનાવી છે કેઓશોઅનેરજનીશ પર્યાયવાચી છે. તે હદ સુધી કેઓશોએટલું માત્ર ઉલ્લેખવાથી રજનીશ એમ સમજવું.

ओशो राधे राधे

ઓશો લીલાઃ

પણ જેઓ સાક્ષી ભાવે જગતને જુએ છે અથવા જોવા માગે છે અથવા જોવાની કોશિસ કરે છે તેઓ આવા મર્યાદિત શબ્દ પ્રયોગ કરવામાં વિચરી શકે. જગતને સાક્ષીભાવે જોનારા નેઓશોશબ્દના વ્યાપક પ્રયોગ કરવામાંથી કોઈ વિચલિત કરી શકે. અને ભાવે અને તર્કે આપણે આપણા લોકશાહી દેશમાંઓશોનો વ્યપક શબ્દ પ્રયોગ કરીશું અને આશારામને ઓશો આશારામ કહીશું. જો કે ઓશો આશારામને તેમના ભક્તોમાંના ઘણા ભગવાન અને અથવા સિદ્ધપુરુષ પણ માને છે. લોકશાહીમાં તર્કહીન અંગત માન્યતા ધરાવવી પણ એક અધિકાર છે. જ્યાંસુધી તમે બીજાની તંદુરસ્તીને કે સમાજની તંદુરસ્તીને છેતરવા માટે આવું કરો ત્યાં સુધી તો તમને બધી સ્વતંત્રતા છે. સમાજની તંદુરસ્તી એક અઘરો વિષય છે. અને સમાજના મૂર્ધન્યો અને મહાજનો તેના વિષે વિસંવાદિત રીતે પણ, સંવાદ, વિવાદ, વિતંડાવાદ અને તલવારી યુદ્ધો કરતા આવ્યા છે. અહીં તે વિષય અપ્રસ્તુત્ય છે.

આઉટ સાઈડર

પાશ્ચાત્ય તત્વજ્ઞો આવા સાક્ષીભાવવાળા માણસો માટેઆઉટ સાઈડરએવો શબ્દ વાપરીને ધન્યતા અનુભવે છે. સંત રજનીશમલે પણ આઉટ સાઈડરનો શબ્દ પ્રયોગ કરીને ઘણું અદભૂત લખ્યું છે એમ આપણા કટારીયા લેખક શ્રી કાન્તિભાઈ ભટ્ટ કહે છે. તેમજ શ્રી કિશોરભાઈ મકવાણા પણદિવ્ય ભાસ્કર ૨૦મી ઓક્ટોબર ૨૦૧૩ રવિપૂર્તિમાં  કહે છે.

આઉટસાઈડર ક્યાંથી ટપકી પડે છે?

જેણે સત્યને જાણ્યું છે અથવા તો સત્યને જાણવાની કોશિસ કરી છે તેમનું કહેવું હોય છે કેઆઉટ સાઈડરબન્યાવગર સત્ય જાણવાના રસ્તે આગળ વધી શકાતું નથી. એટલે કે તટસ્થભાવ રાખ્યા વગર તમે સત્યને (તથ્ય) તારવી શકો. ન્યુટનનો હું ભક્ત છું માટે ન્યુટન કહે તે સાચું એવું જો કહીયે તો અવકાશ યાનો ચાલી શકે. ન્યુટનના સિદ્ધાંતોને પ્રયોગો દ્વારા ચકાસીએ તો તથ્ય લાધે. કારણકે ચકાસણીના ઉપકરણો તટસ્થ હોય છે. અને ચકાસણીના કામમાં તર્ક બુદ્ધિ પણ એક ઉપકરણ હોય છે. તેને પણ તટસ્થ રાખવું પડે.

પણ બને છે એવું કે સમાજશાસ્ત્રના તત્વજ્ઞાનમાં આપણા મૂર્ધન્યો, તો ઉપકરણોને તટસ્થ રાખે છે કે તો તર્કબુદ્ધિને તટસ્થ રાખે છે. તમે જુઓ, “ફલાણા આમ કહ્યું અનેફલાણા તેમ કહ્યું. આપણે માનનીય કટારીયા શ્રી કાન્તિભટ્ટ ની કટારનો કોઈપણ લેખ વાંચી શું તો તમને અગણિત પાશ્ચાત્ય વિદ્વાનોના ઉદ્ધૃતો વાંચવા મળશે. જાણે કે તે તારવણીઓ સ્વયંસિદ્ધ અને પરમબ્રહ્મ સત્ય હોય.  … અહો રુપમ અહો ધ્વનિજેવું . કમસે કમ આજે જેની વાત કરીએ છીએ તે સંત રજનીશમલ વિષે કે ઓશો આશારામ વિષે તો આવું લાગે છે.

ओशो संत

તમે આઉટસાઈડર છો તો તમારે માટે ઓશો આશારામ અને સંત રજનીશ સમાન છે.

આશારામ ઓશો શા માટે?

જો રજનીશ એટલે રજન્યાઃ ઈશઃ અસૌ, સઃ રજનીશઃ રાત્રીનો જે ઈશ્વર છે તે રજનીશ. એટલે કે રજનીશમાં ઈશ (ભગવાન) તો સમાયેલો છે તો પછી ભગવાન રજનીશ કેમ? છતાં પણ રજનીશના ભક્તો, રજનીશને ભગવાન રજનીશ એમ કહેતા.

આશારામ કેવીરીતે ઓશો તો હોવા જોઇએ?

આશારામ રાજકીય મહાનુભાવ નથી. જો કે કેટલાક સર્વ પક્ષીય રાજકીય મહાનુભાવો તેમને નમન કરે છે. નમન કરતા હોય તો તેમના મુલાકાતીઓ તો બનેલા છે. આશારામ પાસે સત્તા નથી. તે છતાં પણ તેમને મહાનુભાવો નમન કરેછે અને મુલાકાત લે છે. સત્તા વગરનું શાસન છે તેથી તેમનું અનુશાસન છે. માટે તેમનામાં કંઈક તો હોવું જોઇએ.

આશારામને જ્ઞાન તો થયું છે કે ખરું, કે આ જગતમાં પરમ સત્ય આખરે શું છે, જેથી તમે સદેહે પરમાનંદ પામી શકો? પરમાનંદની પ્રાપ્તિમાટે તમારી પાસે અનુયાયીઓ હોવા જોઇએ. જો તમારી પાસે અનુયાયીઓ હશે તો તર્કની શું વિસાત છે! તર્ક બર્ક માર્યા ફરે. જેમ ગેડી દડાનો ખેલાડી, દડાને ગાંઠતો નથી, પણ પોતાની ગેડીથી દડાને ફાવે તે દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી સંકલ્પબદ્ધ પુરુષ ભાગ્ય ઘડનારા ગ્રહોને ગાંઠતો નથી અને ગ્રહોની ઐસી તૈસી કરીને તે પોતાના પ્રારબ્ધને ઘડે છે. તેવી રીતે બહોળા અનુયાયીઓ ધરાવતો પુરુષ (પુરુષમાં સ્ત્રી પણ આવી જાય એમ કાયદો અને ધર્મ ગ્રંથો કહે છે), તર્કને ગાંઠતો નથી અને અર્થોને ફાવે તે દિશામાં ફંગોળે છે.

ધર્મ કરતાં લાંચ મહાન છે” ( ‘ગરમ હવા ફિલમની એક ઉક્તિ).

લાંચ એટલે એક જાતની લક્ષ્મી. લક્ષ્મીપતિઓની કમી નથી. લક્ષ્મી થી પણ અનુયાયીઓ મહાન છે કારણ કે ખરી શક્તિ તો અનુયાયીઓની બનેલી હોય છે.

ગુરુ ગોવિંદ દોનું ખડે કાકુ લાગુ પાય?

બલીહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો બતાય.

ગુરુ અને ભગવાન બે ઉભા હોય તો પહેલાં કોને પગે લાગું?

ગુરુને તો (પહેલાં પગે લાગવાનું હોયને)? (કારણ કે ભગવાન તો ધન સંપત્તિ આપે છે), પણ ગુરુ તો આપણને ભગવાન આપી દે છે.

લક્ષ્મી અને અનુયાયીઓ બે ઉભા હોય કોને પગે લાગું? અનુયાયીને તો કારણ કે તે તો તમને લક્ષ્મી પણ આપી દે છે. જેમની પાસે લક્ષ્મી છે તે ચરિત્રવાન છે, તે જ્ઞાની છે, તે તર્કશાસ્ત્રી  છે, તે વક્તા છે અને તે દર્શન કરવાને યોગ્ય છે.

તો હવે કહો, કોની પાસે વધુ લક્ષ્મી છે? ચોક્કસ રીતે આશારામ પાસે વધુ લક્ષ્મી છે. જ્યાં લક્ષ્મી હોય ત્યાં સહુ ગુણો આંટા ફેરા મારે એટલું નહીં રાજકીય મહાજનો પણ આંટાફેરા મારે છે. તેથી આશારામ ખરા ઓશો છે.

હવે તમે કહેશો, કે સારું ચાલો. તમે આશારામને ઓશો આશારામ કહ્યા તેમાં તથ્ય હશે. પણ તમે રજનીશને સંત રજનીશમલ કેમ કહ્યા? રજનીશસંતકેવી રીતે અને રજનીશમલકેવી રીતે?

સંત અને મલ

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા ?

કેટલાક લોકો મનમોહન સિંહને શરુઆતમાં કદાચ ફક્ત તેમની દાઢીને કારણે મીસ્ટર ક્લીન કહેતા હશે. પણ તે પછી નહેરુવીયન કોંગ્રેસની ગટરગંગામાં ઘણી શ્યામાલક્ષ્મીના હિમશીલા જેવા વહેણ પકડાયા, તેથી હવે તેમને કોઈ સંત કહેતું નથી. પણ ભીન્દરાણવાલે ને ઈન્દીરા ગાંધીએ સંત કહેલા. અને કહેવાય છે કે કશીક ભાગબટાઈ પણ કરેલી.

દાઢીવાળા સંતશબ્દના પ્રીફીક્સ વાળા બાવાજીઓનો તૂટો નથી. જો કોઈ એક તથ્યએકમાટે સત્ય તરીકે લાગુ પડતું હોય, “બેમાટે લાગુ પડતું જોય, “ત્રણમાટે લાગુ પડતું હોય, અને  આર” (જ્યાં આરકોઈ પણ એક ધનાત્મક પૂર્ણ સંખ્યા છે એટલે કે પોઝીટીવ ઈન્ટીજર નંબર છેએટલે કે એક રેન્ડમ રીતે પકડેલ છે, તેને લાગુ પડતું હોય તો તેને સત્ય માનવું, એવો એક તર્ક તારણ ગણાય છે. તો આપણે અનુયાયીઓના વૃંદની વચ્ચે શોભાયમાન થતા દાઢીવાળા જણને સંત કહી શકીએ. માટે રજનીશ સંત તો કહેવાય .

રજનીશમલ”  કેવી રીતે?

જગ્ગુમલ, ટેહુમલ, ટોપામલ, ટેભામલ, આસુમલ, વિગેરે મલ તો આપણે સાંભળ્યા છે. પણ રજનીશ મલ ક્યાં હોય છે? અરે ભાઈ સિંધીભાઈઓના નામોમાં પણ ક્રાંતિ આવી શકે છે. વળી ઓશો આશારામ જો બીનસિંધી એવા નરેન્દ્ર મોદીને પણ નરેન્દ્રમલ કહેતા હોય તો મલ શબ્દ કંઈ સિંધી, મારવાડી, પંજાબીઓ પુરતો મર્યાદિત ગણી શકાય. હવે તો દક્ષિણ ભારતીય યુવકોના શ્રીનિવાસન, વેંકટરામન, રામન, શંકરન, કૃષ્નન ને બદલે શૈલેશ, સુરેશ, ઉમેશ એવા નામ જોવા મળે છે. અને ઉત્તરભારતીય મહિલાઓના નામ પણ રામકટોરી, રબડી, રામપ્યારી, રામદુલારીને બદલે કાન્તા, શાન્તા, રાધિકા, જેવા નામો જોવા મળે છે અને ભાઈઓમાં પણ રામખિલાવન, રામપિલાવન, રામરતન, ને બદલે રાકેશ, રાજેશ, રમેશ જેવા નામો જોવા મળે છે.

ગુજરાતીમાં મલ્લ શબ્દ વપરાય છે.એમ તો મલ શબ્દ પણ છે. પણ પાશ્ચ્યોક્ત શબ્દથી તો જનતા દૂર ભાગે, જો તે શરીરની બહાર હોય તો. શરીરની અંદર હોય તો તેને દૂર કરવાના પ્રયત્નો કરે. એટલે બીરબલે અકબરને, “સુખી કોણ પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ કે સુખી માણસ કે જે સંતોષકારક રીતે હંગી શકે. હંગ પણતમસો મા જ્યોતિર્ગમયની જેમ શરીરની અંદરના અંધકારમાંથી દુનિયાના પ્રકાશમાં આવે છે. અને સુખી થાય છે.

સંત રજનીશમલને પણ તેમના અને તેમના શિષ્યોના કહેવા પ્રમાણે પ્રકાશ લાધ્યો હતો.

શું સંત રજનીશમલ સુખી હતા?

લક્ષ્મી, સંપત્તિ અને અનુયાયીગણ તો સંત રજનીશમલ પાસે પણ હતાં. તો પછી સંત રજનીશમલ અને ઓશો આશારામ માં ફેર શો છે?

આમ તો બંનેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ સરખાં છે પણ પ્રસ્તુતિ અલગ અલગ છે. વ્યવવસાય એક છે પણ વ્યુહરચના અલગ અલગ છે.

જો રોગ કહેવામાં આવતો હોય તો રોગ અને જો યોગ કહેવામાં આવતો હોય તો યોગ. સમાધિ કહેવામાં આવતી હોય તો સમાધિ. વિષેનો નિર્ણય રોગશાસ્ત્રીઓ ઉપર અને માનસશાસ્ત્રીઓ ઉપર છોડી દેવો જોઇએ. પણ જે હોય તે બંનેમાં સમાન છે.

સૌથી ભયંકર કોને કહેવાય તે કેવી રીતે નક્કી કરશો?

જે વસ્તુ નિડરને પણ ભય પમાડે તે સૌથી વધુ ભયંકર ગણાય.

તેવી રીતે સૌથી શરમજનક વાત કોને કહેવાય?

જે વાત બેશરમીને પણ શરમ પમાડે તે વાત સૌથી શરમજનક કહેવાય.

ઓશો આશારામ અને સંત રજનીશમલ, બંને ગોપીઓના શોખીન. એમ તો કૃષ્ણ વિષે પણ ગોપીઓને ટાંકવામાં આવે છે. પણ તેમાં દંતકથાત્મકતા વધુ છે. શ્રી કૃષ્ણે ઘણો પરસેવો પાડેલ અને ભારતીય સમૂદ્ર ઉપર ધ્વજ પતાકા લહેરાવેલ. પછી લોકો દ્વારા ખાસ કરીને માલેતુજાર લોકો દ્વારા બધું કૃષ્ણાર્પણ કરવામાં આવ્યું તેમાં ગોપીલીલાઓ પણ આવી ગઈ. વિષયાંતર છે તેથી તેની ચર્ચા નહીં કરીએ.

આપણા ઓશો આશારામ અને સંત રજનીશમલ, બંને પોતાની આગવી જુદી જુદી વ્યુહરચનાઓ દ્વારા ગોપી લીલાઓ કરતા હશે એવું હોઈ શકે.

જગતમાં ત્રણ જાતના લોકો હોય છે.

ગરીબ, મધ્યમ અને માલેતુજાર.

વૈચારિક કે ધન સંપત્તિ કે બંને, બાબત વિષે વાચકોએ નક્કી કરવું.

ગરીબ લોકોને ગરીબ રાખી, લાલચ આપી, ભરમાવી શકાય છે. મધ્યમ લોકોને થોડા સમય માટે ભરમાવી શકાય છે. માલેતુજારોને સંતોષીને ભરમાવી શકાય છે.

નહેરુવીયન કોંગ્રેસીઓ આમ કરતા આવ્યા છે. એટલે તો ગરીબ ગરીબ રહ્યા છે અને બાવાઓ, મૌલવીઓ, રાજાભૈયાઓ, દાઉદો, શાહજાદાઓ અને જમાઈઓ ફુલાફાલ્યા છે.

જુઓ ગોપી લીલાઓમાં તેઓ કેવા આગળ છે!

ઓશો આશારામ એટલે તું અતૃપ્ત રાધા અને તને તૃપ્ત કરનારો કૃષ્ણ હું છું, એવું છાપામાં વાંચવા મળેલ. સંત રજનીશમલની તો સંભોગથી સમાધિની વાત પ્રસિદ્ધ છે.

ઓશો આશારામે સૌ માટે પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા. સંત રજનીશમલને આકાશ સાથે બાથ ભીડવી હતી. તેથી તેમણે માલેતુજારોને પસંદ કર્યા અને મધ્યમવર્ગીય ગોપીઓ પસંદ કરી. બધું ચાર દિવાલ વચ્ચે રાખ્યું. એક સમયે ફક્ત એક ગોકુળ રાખ્યું.

ઓશો આશારામે ગામે ગામ ગોકુળ બનાવ્યા.

ઓશો આશારામ ઉપર કેમ આભ તૂટી પડ્યું અને સંત રજનીશ કેમ બચી ગયા?

ચિમન ભાઈ પટેલે ગુજરાતના બધા મુખ્ય મંત્રીઓને ઉથલાવ્યા. પણ બળવંતરાય મહેતા ૧૯૬૫માં વિમાન અકસ્માતમાં મરી ગયા એટલે (ઉથલવામાંથી) બચી ગયા.

સંત રજનીશ એમ તો સાવ કોરા ધાકોર રહ્યા હતા. અમેરિકાના આશિક હોવાથી અમેરિકા સ્થાયી થવા ગયેલ. ધોળીયા શિષ્યો પણ મળેલ. અને ગોપી લીલાઓનો ત્યાં સૈધાંતિક છોછ હોતો નથી તેથી તે લીલા ચાલી પણ હતી. પણ ભારતીય લોકોને દેશી ભાંગ કે અફીણ જોઇએ તો ધોળીયા લોકો ને વિદેશી ભાંગ એટલે કે ડ્રગ જોઇએ. અને ધંધો નફાનો છે.

અમેરિકન સરકારને અને પાદરીભાઈઓને સુષ્ઠુ સુષ્ઠુ બોલવું બહુ ગમે પણ જો તેમને અનુક્રમે એમ લાગે કેદાળમાં કંઇક કાળું છેઅને આપણું મહત્વ ઘટે એમ છે તો તેઓ કોથળામાં પાંચશેરી રાખીને કોથળાના પ્રહાર કરે. આવું કંઈક તેમણે સંત રજનીશ વિષે કર્યું. અને સંત રજનીશે અમેરિકામાંથી ઉચાળા ભર્યા. તે આજ ની ઘડી અને કાલનો દિ’, સંત રજનીશે અમેરિકા સામે જોયું નથી. રજનીશમલની વાત જવા દો, તેમનો કોઈપણ શિષ્યઅમેરિકામાંથી કેમ ઉચાળા ભર્યા તે વિષે ઉચ્ચરવા પારદર્શી નથી.

અમેરિકા પણ જો સોય થી પતી જતું હોય તો કરવત ચલાવે. માનવ હક્કોની વાતો કરે. પણ ઓસામા બીન લાદેન ઉપર કાયદેસર કામ ચલાવે. છડે ચોક એનકાઉન્ટર કરે અને પછી સમૂદ્રમાં પાર્થિવ શરીરનું ધબાય નમઃ કરે. અમેરિકાની તો ન્યાયપ્રણાલી શીઘ્રાતિશીઘ્ર છે. તો પણ તે આતંકવાદીઓની બાબતમાં કોઈ ન્યાયિક સાહસ કરવામાં માનતી નથી.

તેનાથી ઉંધું ભારતીય ન્યાયિક પ્રણાલી થર્ડક્લાસ છે તો પણ આપણી નહેરુવીયન સરકાર આતંકવાદીઓની બાબતમાં નકલી એનકાઉન્ટરના ફીફાં ખાંડે છે. કહ્યું છે ને કે:

જ્યાં બુદ્ધિશાળીઓ જતાં વિચાર કરેછે ત્યાં મૂર્ખાઓ માથું મારીને ઘુસી જાય છે.

મૂળ વાત પર આવીએ તો સંત રજનીશના હાલ, ઓશો આશારામ જેવા એટલા માટે થયા કે જેમ બળવંતરાય મહેતા ચિમન ભાઈ પટેલથી બચી ગયા તેમ સંત રજનીશ પણ બચી ગયા.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ઓશો, આશારામ, સંત, રજનીશ, યોગ, રોગ, સંભોગ, સમાધિ, અમેરિકા, ગોપી, લીલા, વૃંદાવન,     

      

 

  

  

      

Read Full Post »

ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો 

રોગો અને તેના ઉપચારો ને લગતો આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં શું હોય છે તેનાથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે.

કોઈવ્યક્તિ માંદો પડે એટલે શું થાય?

તે ડોક્ટર પાસે જાય,

ડૉક્ટર દવાઓ લખી આપે, કેટલીક વાર દવા એવી હોય કે તે ડૉક્ટરની નજીકના મેડિકલ સ્ટોરમાં જ મળે. ડૉક્ટરને અમુક ટકા કમીશન મળે.

દરદી સાજો થયો તો વાત પૂરી. ન થયો તો ડૉક્ટર દવા બદલે અથવા અમુક ટેસ્ટ કરાવે. ક્યા ટેસ્ટ જરુરી છે કે નહીં તે વાત જવા દો. કેટલીક વાર ડોક્ટર લેબોરેટરીની પણ ભલામણ કરે.

દરદી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે. ડોક્ટરનું કમીશન ચડે.

ડૉક્ટર ટેસ્ટ રીપોર્ટ જુએ. અને રોગને પારખે અને દવાઓનો નવો કોર્સ લખી આપે. દરદી હવે આ રોગની દવાઓનો કોર્સ કરે. જે કદાચ એક સપ્તાહ થી ત્રણ માસ સુધી ચાલે.

જો દરદી સાજો થઈ ગયો તો દરદીએ ડોક્ટર અને ઈશ્વરનો ઉપકાર ગણવાનો.

જો તમે ઉચ્ચ વર્ગના કે ઉચ્ચ મધ્યમ વર્ગના હો કે અતિ માલેતુજાર હો તો આ ચિકિત્સા પ્રણાલી બહુ નડશે નહીં. કારણકે તમે ખમતીધર છો અને મેડીક્લેમ પણ હશે. જો ડોક્ટર જાણીતો હશે તો તમને થોડા વધુ ખર્ચા કરવાશે પણ તમને સાજા કરી દેશે. પણ જો તમે અજાણ્યા ડોક્ટર પાસે જશો તો જોખમ મોટું તો હોઈ શકે છે. તમે સારી ભલામણ લઈને જાવ તો જરા જોખમ ઓછું. પણ તમે ઈશ્વર પર ભરોસો રાખશો.

આ બધી વાતો જનરલ ફીઝીસીયનના સ્ટેજ સુધીની થઈ. જો રોગ મોટો છે અને બહુ વખત સુધી ગણકાર્યો નહીં અને પછી સ્પે્શીયાલીસ્ટ પાસે ગયા એટલે તમારે છ માસથી શરુ કરી પાંચ વર્ષ સુધીનો દવાના ટેસ્ટ રીપોર્ટો સાથેનો કોર્સ તો તમારે લમણે લખાઈ ગયો એ સમજી લેવાનું. એમાં પણ જો તમારે રુગ્ણાલય (હોસ્પીટલ)માં જવાનું થયું તો પચાસ હજાર થી શરુ કરી પાંચ લાખ જ નહીં પણ આકાશ એ સીમા છે.

સરકારી હોસ્પીટલોમાં સ્થિતિ એટલી હદે લૂંટી લેવાની નથી. પણ ડોક્ટર, નર્સ અને મહેતરાણીઓ પોતું કરવાવાળીઓ સ્ટોર કીપરો એ બધાની સેવા લેવા માટે તમારે આંટા ફેરા કરવાના. જોકે આ સ્થિતિ કેટલેક અંશે ખાનગી એવા મહા-ઋગ્ણાલયોમાં પણ હોય છે.

ડોક્ટરોમાં અને રુગ્ણાલયોમાં વાસ્તવમાં કેવા કરાર હોય છે તે આપણને ખબર નથી. પણ ડોક્ટરને તેની ભલામણથી દાખલ થયેલા કે દર્દીએ પસંદ કરેલા કે રુણાલયે સૂચવેલા ડોક્ટરની વીઝીટના પૈસા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભોગવા પડે છે. આનું સારું પાસુ એ છે કે દર્દીને જે તે ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ મળી શકે છે. જો ઓપરેશનની સંડોવણી હોય તો સર્જનને હોસ્પીટલ તરફથી સામાન્યરીતે નિશ્ચિત કરેલી રકમ મળે છે. અને ઘણી વખત એક કરતાં વધુ ઓપરેશનો પણ કરવામાં આવે છે.

જો દર્દીને ગંભીર બિમારી હોય તો ડોક્ટરોની અને હોસ્પીટલની દાઢ સળકે છે. દર્દીને રીતસર ચીરી જ નાખવામાં આવે છે. જ્યારે દર્દી મૃત્યુની નજીક જ હોય દર્દીના સગાં પણ જાણતા હોય કે દર્દ બહુ ગંભીર છે અને સાજા થવા વિષે કશું કહી શકાય તેમ નથી અને જો તમે હોસ્પીટલ માટે અજાણ્યા હો અથવા તો હોસ્પીટલ તમારે માટે અજાણી હોય તો તમને હોસ્પીટલ ચૂસી લેશે. જે દર્દી તમારી સાથે વાતો કરતો કરતો હોસ્પિટલમાં દાખલ થયેલો તે સ્ટ્રેચરમાં હોસ્પિટલમાંથી બહાર નિકળશે.

ધારોકે તમારા દર્દીને ઓપરેશન કરવવું પડશે તેવું નક્કી થયું

તમારો દર્દી હોસ્પીટલમાં દાખલ થાય તે પહેલાં કેટલાક ટેસ્ટ તમારે ફરીથી કરાવવા પડશે. તેમાંના કેટલાક કે બધા જ ટેસ્ટ તમે અગાઉ કરાવ્યા હશે તો પણ તમારે તે ફરીથી કરાવવા પડશે અને હવે તે બધા તમારે હોસ્પીટલ વાળા કહે તે લેબોરેટરીમાં કરાવવા પડશે. કારણ કે હોસ્પીટલ ને બીજી લેબોરેટરીઓ ઉપર વિશ્વાસ નથી હોતો. અમુક ટેસ્ટ હોસ્પીટલ જાતે પોતાની લેબોરેટરીમાં કરશે. ભલુ હશે તો હોસ્પીટલ વાળા તમને ઓપરેશના એક દિવસ અગાઉ તમારા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી દેવાનું કહેશે. તો વળી કેટલીક હોસ્પીટલો તમને તમારા દર્દીને તાત્કાલિક જ દાખલ કરી દેવાનું કહેશે.

હોસ્પીટલ વાળા તમને ક્યારે ક્યારે કેટલા પૈસા જમા કરાવો એ અને બીજું બધું, શું શું કહેશે તે બધી વાત જવા દો.

હોસ્પીટલવાળા તમારી પાસે રુમ ચાર્જ લેશે, દવાનો ચાર્જ લેશે, ડ્રેસીંગનો ચાર્જ લેશે, ડોક્ટરનો ચાર્જ લેશે, ઓપરેશન હૉલનો ચાર્જ લેશે, ઓપરેશનનો ચાર્જ લેશે, ઓપરેશના શસ્ત્ર-અસ્ત્રોનો ચાર્જ લેશે, એનેસ્થેસીયાનો ચાર્જ લેશે, ઓપરેશન પછી દર્દીને આઈ.સી.યુ.માં રાખશે એટલે તેનો પણ ચાર્જ લેશે. દર્દીને તેના રુમમાંથી ઓપરેશન માટે બહાર કાઢ્યા પછી અને ઓપરેશ બાદ વાયા આઈ.સી.યુ. ફરીથી દર્દીની રુમમાં લાવ્યા સુધીનો (જો જીવતો રહ્યો હોય તો) રુમનો ચાર્જ લેશે. જો દર્દી ઉપરનું ઓપરેશન સફળ થયું હોય તો તેને થોડા દિવસ વધુ (કેટલીક વાર બીજો નવો બકરો ન આવે ત્યાં સુધી) રુમમાં રાખવામાં આવશે. અને તેનો પણ અગાઉના જેટલો જ ચાર્જ લેશે.

હવે જો ડોક્ટર દયાળુ હશે તો તમને સાચી વાત કહેશે. જોખમની સમજણ આપશે. અને બધું તમારા ઉપર છોડશે. જો આમ ન હોય તો દર્દીને હોસ્પીટલામાં ક્યાં સુધી રાખશે તે ભલભલા જ્યોતિષશાસ્ત્રીઓ પણ કહી શકશે નહીં. એવું પણ જાણવા મળ્યું છે કે વેન્ટીલેટર નામનું ઉપકરણ હોસ્પીટલોને ઠીક ઠીક કમાણી કરાવે છે.

મેડીકલ કાઉન્સીલ

મેડીકલ કાઉન્સીલનો આમ તો ધારે તો ઈલેક્સન કમીશ્નર જેવો રોલ કરી શકે છે. શેષન જેવો કોઈ ધૂની ઈલેક્સન કમીશ્નર પાકી શકે છે પણ તેના જેવો ક્રાંતિકારી મેડીકલ કાઉન્સીલનો ચેરમેન પાકી શકતો નથી. દવાઓ યોગ્યરીતે બનાવાય છે કે નહીં, યોગ્યરીતે પ્રદર્શિત કરાય છે કે નહીં, યોગ્ય ભાવે વેચાય છે કે નહીં વિગેરે ઉપર તેણે નજર રાખવાની હોય છે. હવે જો સરકાર જ જો જાણી જોઇને આંખ આડાકાન કરતી હોય તો મેડીકલ કાઉન્સીલ શું કામ લૂંટમાં સામેલ ન થાય? આ બાબતમાં બાબુભાઈનો એક કેસ આર્ટીકલ વાંચી લેવો. URL https://treenetram.wordpress.com/2011/11/19/babubhai-thakkar-submits-application-to-prosecute-man-mohan-singh/

મેડીકલ કાઉન્સીલમાંના એક હોદ્દેદાર થવા જે કરોડ રુપીયાનો લાંચનો કિસ્સો વર્તમાનપત્રોમાં આવેલ એજ બતાવે છે કે મેડીકલકાઉન્સીલમાં કેટલા ઘી કેળાં છે.

ટૂંકમાં આજના સમયમાં માંદા પડવું એ એક મોટો ગુનો છે.

આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને  રોકવાનો ઉપાય શું?

આમાં મુખ્ય કઈ કઈ બાબતો છે જેને લક્ષમાં લેવી જોઇએ.

રોગ લાગુ પડવાના કારણો કયા કયા છે?

૧ વાઈરસ થી થતા રોગોઃ આમાં શરીરની અંદર કાયમ રહેતા વાઈરસને આપણી પ્રતિકારત્મક શક્તિ નુકશાનકારક રીતે વધુ સક્રીય થતા રોકી રાખે છે. બીજા વાયરસ બહારના વાતાવરણમાંથી આપણા શરીરમાં પ્રવેશે છે. જોકે તે કેટલા શક્તિશાળી છે તે આપણે સમજી શકતા નથી. જો આપણે માંદા પડીયે તો સમજી લેવું કે તે વાયરસ સામે આપણી પ્રતિકારાત્મક શક્તિ હારી ગઈ. એટલે આપણે તેનો ઉપચાર કરવો પડશે.

૨ જંતુ જન્ય રોગોઃ જોકે આનાથી થતા આક્રમણની સામે પણ આપણી પ્રતિકારત્મક શક્તિ રક્ષણ આપે છે. પણ આમાં પણ હાર અને જીત હોય છે. આ રોગ પણ આમ તો વાયરસ જેવો ગણાય. પણ આ ગંદકીને લીધે અને અશુદ્ધિને લીધે થાય છે.

૩ ખરાબ આદતોથી થતા રોગોઃ ખરાબ આદતો જેવી કે દારુ, રોગીષ્ઠ નોનવેજ, તમાકુ, ઘરની અશુદ્ધિ, અતિ-આહાર, અકુદરતી આહાર વિગેરેથી પણ માંદા પડાય છે.

૪ વારસાગત રોગોઃ આ રોગો આમ તો નંબર ૧ સાથે સરખાવી શકાય. પણ કુદરતી આહાર દ્વારા તેને નબળા પાડી શકાય એવી એક માન્યતા છે.

૫ ખોટા ઈલાજોથી થતા રોગોઃ આપણા એક માનનીય કાંતિભાઈ ભટ્ટે આ બાબતમાં દિવ્યભાસ્કરમાં એક સારો લેખ લખ્યો છે. તેઓ અભિનંદનને પાત્ર છે. આ લેખ બધાએ જરુર વાંચવો. જેમાંનું એક તારણ છે કે ૯૫ ટકા દવાઓ ખોટી દવાઓ છે. એટલે ટૂંકામાં સમજી જાઓ કે મેડીકલ ક્ષેત્રે કેટલી જાહોજલાલી છે.

આ સિવાય રોગ થવાના બીજાં કારણો કયા છે?

ખોરાકની જગ્યાની અસ્વચ્છતા અને હવાની અસ્વચ્છતાઃ

તમે જાહેર શૌચાલયો જોયા જ હશે. દુર્ગંધથી તમારું માથૂં ફાટી જશે.આજગ્યાની હવાના જંતુઓ હવા દ્વારા દૂરદૂર જવાના જ. અસ્વચ્છતા માટે સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થા જવાબદાર છે. બંનેના આરોગ્યખાતાંઓ ફક્ત મોટી રેસ્ટોરાંઓ ઉપર પૈસા આપવાથી કે ઉપરી અધિકારીના કહેવાથી રેડ પાડે છે. મેં વિશ્વસ્ત સ્રોતો તરફથી સાંભળ્યું છે કે રુપીયા પાંચ હજાર આપો અને મ્યુનીસીપાલીટી વાળા પાસે રેડ પડાવો. જોકે આ ભાવ પાંચ વર્ષ પહેલાંનો હતો અને અમદાવાદનો હતો. રેડ પડ્યા પછી તમારે જોવાનું નહીં કે પછી સ્થાનિકસ્વરાજ વાળા શું કરશે.

ગામના રસ્તાઓ ઉપર, ફૂટપાથો ઉપર, પાર્કીંગની જગ્યાઓ ઉપર લારી, મારુતીવાન રાખીને થતા, ખુરશી ટેબલ સાથે કે ખૂરશી ટેબલ વગર વેચાતા અને ત્યાંજ ટેસથી ખવાતા ફાસ્ટફુડ કે જેઓ આવા ધંધા દ્વારા લખપતિઓ થયા તે તો આરોગ્ય ખાતાઓને દેખાતા જ નથી. જાણીતા ખુમચા વાળા પણ લખપતિ થયા છે. અને અજાણ્યા ખુમચાવાળા પણ લખપતિ થવાની લ્હાયમાં છે. આરોગ્યખાતાવાળા તો કરોડપતિ થઈ ગયા છે અને હવે તેમને ડબલ ફીગરના કરોડમાં આવવું છે. જ્યારે હેપીટાઈટીસ કે કમળો ફાટી નિકળશે ત્યારે આ સરકારી બારદાનો આ રોગોના કારખાનાઓને કામચલાઉ બંધ કરાવશે અને મોટા હોર્ડીંગો બનાવી લોકોને આરોગ્ય જાળવવાના ઉપદેશો આપશે અને સુકા રસ્તાઓ ઉપર પણ ડીડીટીનો (રામજાણે આ પાવડર કેટલો શુદ્ધ હશે) પાવડર છાંટશે.

ઉપાય

ઉપાય એજ છે કે જે કોઈ કોમર્સીઅલ કોંપ્લેક્ષ હોય તેમાં આવા લોકો માટે જગ્યા અનામત રાખવી જોઇએ. અહીં પણ સ્વચ્છતાના નિયમો ઘડી, સીસીકેમેરા ગોઠવવા જોઇએ. રસ્તા, ફુટપાથ અને અન-અધિકૃત જગ્યાઓ ઉપર કોઈ ખાણી પીણી વેચવાની છૂટ જ ન હોવી જોઇએ. મોદીકાકાની સરકાર રસ્તાઓ ઉપર સીસીકેમેરાને ગોઠવવાની યોજના બનાવી રહી છે. પણ આ યોજના સરકારી બારદાની અધિકારીઓ કેવીરીતે અમલમાં મુકશે તે જોવાનું છે. ખોરાકમાં વપરાતું રૉ-મટીરીયલ પેક્ડ અને સ્ટન્ડર્ડ કંપનીનું જ હોવું જોઇએ.

જેનેટિક બિયારણ અને પાકોઃ

સર્વોદયવાદીઓએ આ અકુદરતી ખાતરોના ઉપયોગ, જંતુનાશક દવાઓના  ઉપયોગ અને હાઈબ્રીડ બીયારણોના ઉપયોગ વિષે ઘણું લખ્યું છે. લોકોને કેન્સર, થાઈરોઈડ જેવા રોગ  થવામાં આ વસ્તુઓ ભાગ ભજવે છે તે નકારી ન શકાય.

જમીન અને જગ્યાઃ

જનતાને રોગગ્રસ્ત કરવામાં સરકારી અધિકારીઓ જવાબદાર છે. લોકો પોતાના ઘર તો મોટે ભાગે સ્વચ્છ રાખે છે પણ તેજ લોકો સામાન્ય વપરાશની જગ્યાઓ એટલે કે લીફ્ટ, પેસેજની જગ્યા, ગલીઓ, રસ્તાઓ, ફૂટપાથો ઉપર થૂકે છે, પાન-તમાકુની પીચકારીઓ કરે છે, પાણી રેડે છે, કચરો નાખે છે અને ખાદ્ય પદાર્થો પણ નાખે છે. આનું કારણ એજ છે કે તેમને કોઈ દંડતું નથી. સીસી કેમેરા ગોઠવી તેમને દંડો અને આ દંડ માટે તેમને ઉધારની પાવતી (ટીકીટ) પકડાવી દો. જો ત્રણ માસમાં ન ભરે તો તે વર્ષના  તેમના હાઉસ ટેક્ષમાં દંડ અને બાંધી મૂદતમાં ન ભરવા બદલની પેનલ્ટી તરીકે ઉમેરી દો. હાઉસીંગ સોસાઈટીઓને પણ તેમના ક્ષેત્રમાં ચોક્ખાઈનો અમલ કરવાનું આ રીતે જ કહી દો.

સ્વચ્છ પાણીઃ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બંધારણીય ફરજ છે કે પીવાનું પાણી સ્વચ્છ હોય. ચૂટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે કે તેઓ નિયમિત રીતે પોતાના વિસ્તારને મળતું પાણી શુદ્ધ છે તેની લેબોરેટરી દ્વારા આરોગ્ય ખાતાએ ટેસ્ટ કર્યું છે કે નહીં તેની ચકાસણી કરે. અને જો ક્યારેય પણ એવું સાબિત થાય કે ફલાણા દિવસે પાણીનો ટેસ્ટ રીપોર્ટ બરાબર ન હતો, તો કન્ઝ્યુમર કોર્ટ સ્થાનિક સ્વરાજ સંસ્થાનો દંડ કરે. જરુરી નથી કે કોઈ માણસ માંદો પડે અને તે સિદ્ધ કરે કે તે અશુદ્ધ પાણીથી જ માંદો પડ્યો છે. પણ ધારો કે જો એવું સાબિત થાય તો સ્થાનિક સ્વરાજની સંસ્થા નુકશાની પણ ભોગવે.

શાકભાજીનું વેચાણ

શાકભાજી વેચવા વાળા રોડ ઉપર લારીમાં શાક વેચતા હોય છે. આ બંધ થવું જોઇએ. કારણ કે અગાઉ આપણે જોઇએ ગયા તેમ રોડ ઉપર વેચવું એજ ગુનો છે (આ ગુનો આમ તો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ છે). એક દાખલો રસપ્રદ છેઃ

અમદાવાદમાં અંકુર થી રન્નાપાર્ક ના રસ્તા ઉપર શાસ્ત્રીનગર પાસે રસ્તા ઉપર સાંજે શાકભાજીની વાળાની લારીઓને કાયદેસર કે ગેરકાયદેસર રીતે ધંધો કરવાની છૂટ આપેલી છે. હવે જો આવી મર્યાદિત સમય પુરતી છૂટ આપવામાં આવી હોય તો તેને માટે રોડ ઉપરની જગ્યા જ શા માટે રાખી? શાસ્ત્રીનગરમાં જ ત્રણ મેદાનો છે. એટલું જ નહીં પણ શાસ્ત્રીનગરની સામે જ સરકારી પડતર જમીન પડી છે. ત્યાં શું કામ શાકભાજીની લારીઓ વાળા માટે ગોઠવણ ન થઈ શકે? શહેર સુધરાઈવાળા તેને કામ ચાલાઉ ધોરણે ભાડે લઈ શકે અને શાકભાજીની લારીઓ વાળા પાસેથી ભાડું વસુલ કરી શકે. ખાલી જમીનના માલિકને પણ કમાણી થાય, શહેર સુધરાઈને પણ કમાણી થાય અને લારીવાળા પણ રળી શકે. હાજી પણ ગુન્ડા અને સરકારી સેવકોના હપ્તા બંધ થઈ જાય.

આથી પણ વિચિત્ર વાત નવી મુંબઈના સીડાકોની ટાઉનશીપ (બેલાપુર)ની છે. અહીં સેક્ટર ૯-૧૦માં સીડકોએ શાકમાર્કેટ કરી છે. પણ શાકમાર્કેટમાં ઢોર રખાય છે. અને શાકભાજીની લારીવાળા બહાર રોડ ઉપર શાકભાજી વેચે છે. આવું કેવી રીતે છે? કારણ કે દુકાનોના કૉલાઓનું ભાડું જે કંઈ હોય તેના કરતાં હપ્તાની રકમ ઓછી હોય રાખવામાં આવી હોય છે. વળી આપણા દેશમાં ઢોરોના માલિકોને ઢોર રખડતા મુકી દેવાની અલિખિત છૂટ છે. તેથી ગોપાલો આનો લાભ શા માટે ન લે?

આવું જ આપણા ગાંધીનગરના કેટલાક ચીપ શોપીંગ સેન્ટરોમાં જોયેલું છે. જેમાં ચીપ શોપીંગ સેન્ટરોની દુકાનો ખાલી રહે અને બહાર લારી ગલ્લા વાળા ધંધો કરે.

અમદાવાદ ના નવા હાઈકોર્ટ સંકુલમાં પણ કંઈક આવું જ હતું. કેન્ટિન ખાલી હતી અને તેના વચ્ચેના ચોગાનમાં રીસેસમાં ખૂમચાવાળા ખાણી પીણીનો ધંધો કરતા હતા. કદાચ આ કામ ચલાઉ હશે. પણ તે ક્ષમ્ય નથી.

સરકાર શું કરી શકે?

મેડીકલ તો મફત જ હોવું જોઇએ. મેડિકલટ્રીટમેન્ટના વીમાવાળી વાત એક એજન્સી વધારવાની વાત છે. એટલે કે જમવામાં એક સંસ્થાનો ઉમેરો. મેડીક્લેમની જોગવાઈએ હોસ્પીટલોના બીલ આસમાને પહોંચાડી દીધા છે અને ખાયકી વધારી દીધી છે.

દરેક વ્યક્તિનો મેડીકલ ઈતિહાસ ફરજીયાત હોવો જોઇએ. અને જેમ ઈન્કમ ટેક્સ વાળા પાન-કાર્ડ દ્વારા અને ઈન્કમટેક્સ રીટર્ન દ્વારા જનતાના અને કંપનીઓના નફા ઉપર નજર રાખે છે તેમ દર્દીને થયેલી ચિકિત્સાની બધી જ વિગત ઉપચારો, દવાઓ, ચિકિત્સકો, રૂપીયા આના પાઈ અને વિડીયો ક્લીપ સહિત  કેન્દ્રસ્થ રહેવી જોઇએ. જે કોઈ ચિકિત્સક જે કંઈ ચિકિત્સા કરે જે કંઈ ચાર્જ કરે તે બધું જ તેણે અપલોડ કરવું જોઇએ. આને માટે એક સોફ્ટવેર અને પ્રણાલી બનાવી શકાય. મેડીકલ કાઉન્સીલ આનું અમુક ટકામાં અવલોકન કરે. અને અથવા જો દર્દીને કે તેના સંડોવાયેલા સગાંને ચિકિત્સાની યોગ્યતા, ગુણવત્તા અને ચાર્જ વિષે ચેક કરવા જેવું લાગે તો મેડીકલ કાઉન્સીલનો અભિપ્રાય માગી શકે. મેડીકલ કાઉન્સીલ તેનો ચાર્જ લઈ અભિપ્રાય આપે અને જો તેમાં ક્ષતિ લાગે તો તે ચિકિત્સાલય અને ચિક્તિત્સકને દંડી શકે.     

આપણે પોતે શું કરી શકીએ?

રોગ ન આવે તેવી જીવન શૈલી રાખો. આ તો શિખામણ થઈ. આ કેવી રીતે પળાય?

હવાઃ ડમરો વાવો. તુલસી વાવો. અને કડવા લીમડાનો ધુમાડો થોડો કરો.

પાણીઃ પાણી થી જ મોટા ભાગના રોગ થાય છે. જાડા કપડાથી ગાળેલા પાણીમાં ફટકડી ફેરવો. જંતુ થકી થતા રોગો સામે રક્ષણ મળશે. પાણીને ઉકાળો અને ઠરવા દો. કેટલાક ક્ષાર અદ્રાવ્ય થશે અને નીચે બેસી જશે. ક્ષાર હશે તો પથરી સામે રક્ષણ મળશે નહીં. તે માટે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો પણ છે. લીંબુના ટીપાં, મધના ટીપાં અને કકોણું પાણી ના મિશ્રણમાં તજનો પાવડર એક નાની ચમચી નાખો અને તેનું નીત્ય સેવન કરો.

પાણી દિવસ દરમ્યાન ચાર લીટર તો પીવું જ જોઇએ. સવારે ઉઠીને તૂર્ત જ ચાર કપ પાણી પીવો. અર્ધા કલાક પછી ચા કે ગરમ દૂધ પીવો. કલાક પછી બીજા ત્રણી ચાર કપ પાણી પીવો. સવારે ચાલવા જાવ કે કસરત કરો. દર બે કલાકે બે કપ પાણી પીવો.

કુદરતી આહારઃ જુના જમાનામાં કોઈ બહારનું જમતા નહીં. સૌ કોઈ ભાથું લઈને જતા. આજે પણ ઘણા લોકો ટીફીન-ડબ્બો લઈને જાય છે. ઘરે જ રાંધેલું જમો. જો તમે એકલા હો કે બેકલા રાધવાનું શીખી લો. ખીચડી, ભાખરી અને શાક એ સહેલી વાનગીઓ છે અને પૌષ્ટિક પણ છે. જો આ વાનગીઓ ન ભાવતી હોય તો ભૂખ્યા રહો. જ્યારે ખૂબ ભૂખ લાગે અને જ્યારે એવું લાગે કે હવે તો જમ્યા વગર રહેવાશે જ ત્યારે આ ખીચડી, ભાખરી અને શાક ખાવ. ભૂખ્યા થાવ અને ખાવ. બધી ટેવ પડશે.

શ્રેષ્ઠ શાકઃ કોઈપણ શાક લો. તેના કટકા કરો. છાલ કાઢવી હોય તો કાઢો અને ન કાઢવી હોય તો ન કાઢો. તેને સોલર કુકરમાં પાણીમાં બાફો. પછી તેમાં થોડું મીઠું નાખો અથવા ન નાખો. એક વાનગી તરીકે સવારે કામે જતી વખતે ખાવ અથવા લંચમાં ખાવ. ટેવ પડશે તો તેના વગર ચાલશે નહીં.

ફળાહારઃ જો ડાયબીટીસ ન હોય તો બધાં જ ફળો ખાઈ શકાય. સવારે બ્રેકફાસ્ટમાં ૫૦ થી ૧૦૦ ગ્રામ ફળ ખાવ. મનુષ્યનો ખોરાક વાસ્તવમાં અનાજ છે જ નહીં. માંસાહાર ની તો વાત જ ન કરશો. કારણ કે મનુષ્યનું શરીર જેમકે નખ, દાંત અને હોજરીની રચના માંસાહારી પ્રાણીઓથી અલગ છે. આમ તો અનાજ પણ મનુષ્ય માટે નથી. અનાજ ઢોર માટે છે. મનુષ્ય બહુ બહુ તો પોંક ખાઈ શકે. રસાદાર ફળો અને મેવા સીંગદાણા, બદામ, આલુ, અખરોટ, તલ, વિગેરે જેવા પોચાં ઉત્પાદનો મનુષ્ય માટે યોગ્ય છે. મનુષ્યને દાઢો આપી હોવાથી તે ખૂબ ચાવીને આ બધું કાચું જ પચાવી શકે છે. અનાજ અને ફળ વચ્ચે ભેદ પાડવાનો હેતુ જ એ છે કે અનાજ અકુદરતી આહાર છે. પણ અગ્નિનો ઉપયોગ મનુષ્યને આવડ્યો એટલે તે અનાજને પાચ્ય બનાવી શક્યો છે. આ જ વાત માંસને લાગુ પડે છે. પણ આ બંને વગર મનુષ્ય ચલાવી શકે. અને કામ કરતાં કરતાં સો વર્ષ જીવી શકે. (કુર્વન્નેવ હિ કર્માણી જીજીવિષેત્‌ શતંસમા – ઈશાવાસ્ય ઉપનિષ‌ત્‌).

શાક ભાજી અને ફળાહાર દ્વારા રોગમુક્તિના ઘણા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે.

કાન્તિભાઈ શાહ દ્વારા લિખિત કુદરતી ઉપચારનું પુસ્તક પણ ઉપલબ્ધ છે.

ઉપવાસ અકસીર ઈલાજ છે.

ધારો કે માંદા પડ્યા. તો બે થી ચાર નકોરડા ઉપવાસ કરી નાખો. કુદરતી ઉપચાર કરો. ગાંધીજીએ પાણી અને માટીના ઉપચારો સૂચવ્યા છે. કાન્તિભાઈ શાહે કુદરતી ઉપચારો સૂચવ્યા છે. આયુર્વેદે જડીબુટ્ટીના ઔષધો સુચવ્યા છે.

જો થોડા સમયમાં રોગ ન મટે તો પછી એલોપથીના ડોક્ટરકાકા તો છે જ.

મનુષ્યનું આયુષ્ય લગભગ નિશ્ચિત છે. આ આયુષ્ય તમારા માતાપિતાના આયુષ્યથી પાંચ થી પંદર વર્ષ આઘું પાછું થઈ શકે છે. જો ખરાબ આદતો હોય તો આયુષ્ય ઘટે.

એક વાત સમજવાની છે કે આપણું શરીર શું છે? તે સમજીને તેની કાળજી લો.

બાહ્ય અંગોઃ બાહ્ય અંગો જેમકે ચામડી, આંખ, કાન, નાક અને દાંત. તેની સ્વચ્છતાની કાળજી લો.

પાચન તંત્રઃ કુદરતી આહાર, ઉપવાસ અને પાણી દ્વારા તેને સ્વચ્છ રાખો

લોહી અને કીડનીઃ સ્વચ્છ, પૂરતું પાણી અને લીલી હળદર લોહીને સ્વચ્છ રાખે છે.

માંસપેશીઓ અને નસોઃ વ્યાયામ અને શ્રમ નસોને તંદુરસ્ત રાખે છે.

ફેફસાં અને લોહીની નળીઓઃ કફ અને કોલેસ્ટ્રલ ન થાય તેવો આહાર લેવો. પ્રાણાયમ કરવાથી ફેફસાં ચોક્ખાં રહે છે.

ન્યુરોન અને જ્ઞાન તંતુઓઃ મગજને સક્રીય રાખવાથી એટલે કે જ્ઞાન પ્રાપ્તિથી તેઓ પણ તંદુરસ્ત રહે છે.

સમગ્ર શરીર કોષોનું બનેલું છે. આ બધા કોષ તેમને મળતા પ્રાણવાયુને કારણે જીવિત રહે છે. લોહી, દરેક કોષને પ્રાણ વાયુ પહોંચાડે છે. પ્રાણાયમ એ શ્વાસ-ઉચ્છવાસની કસરત છે. જો તમે લાંબો ઉચ્છવાસ કરો તો તમે લાંબો શ્વાસ પણ લઈ શકશો. લાંબા શ્વાસોચ્છવાસ દરેક કોષને વધુ ઓક્સીજન પહોંચાડે છે. તેથી કોષ સક્રીય રહે છે. આ કારણથી શરીરની દરેક ક્રીયાઓની કાર્ય શક્તિ વધે છે. એટલે જ પાતંજલીએ સૌ પ્રથમ શ્લોક એમ આપ્યો છે કે “યોગઃ કર્મષુ કૌશલમ્‌”. આપણું સમગ્ર શરીર કોષોનું બનેલું હોય છે. બધા જ કાર્યો જાતજાતના કોષોના સમૂહો કરતા હોય છે. એટલે યોગ કરવાથી સૌ કોષો પોતાનું કામ સારી રીતે કરી શકે છે અને તેથી કાર્યમાં કુશળતા આવે છે.

યોગ વિષે બીજી અફવાઓમાં પડવું નહીં. યોગ કરવાથી ચમત્કારો થઈ શકે છે તે બધા ગપગોળા છે. જીવન આનંદ માટે છે. એટલે બીજાને કાયદેસર નુકશાન કર્યા વગર આનંદ થી જીવો.

વિચારો, મન અને બુદ્ધિઃ આપણને જે ગમે તે મન અને એ ગમાડવામાં આપણે જે નિર્ણય લઈએ અને સ્વિકારીએ તે સ્મૃતિ અને મગજ. આ સૌ કોષોનું બનેલું છે. વારંવાર (અભ્યાસ દ્વારા) કરવા થી તેને કેળવી શકાય. આમ તો આપણું શરીર કોષોનું બનેલું છે અને કોષો રસાયણના બનેલા છે. આ રસાયણોમાં થતા ફેરફારો આપણા વિચારો અને ખોરાક ઉપર આધાર રાખે છે અને રસાયણો પણ આપણા મન અને વિચારો ઉપર અસર કરેછે. આ અરસ પરસનો સંબધ છે.

તમે કહેશો કે આમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ક્યાં આવ્યો?

બીજા ક્રાઈમોમાં આપણો હિસ્સો કે જવાબદારી ચાર ટકા થી વધુ હોતી નથી. જોકે ઘણા નિરાશાવાદીઓ તેમાં પણ જનતાનો વાંક જુએ છે. પણ એ બધા ગુનાઓ તો સરકાર પોતાની ફરજ બજાવીને આપણને સુધારી શકે પણ આપણી તંદુરસ્તી માટે આપણે કમસે કમ ૨૫ ટકા થી ૭૫ ટકા તેથી વધુ ગુનેગાર છીએ. એટલે કે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં આપણે આપણી બેવકુફીથી સામેલ છીએ. જેમકે લોટરી ની ટીકીટ ખરીદવી કે ન ખરીદવી તે માટે આપણે ૧૦૦ ટકા જવાબદાર છીએ. તેમ આપણે આપણી તંદુરસ્તી માટે તો કમસે કમ ૨૫ટકા જવાબદાર છીએ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ મેડીકલ કાઉન્સીલ, આરોગ્ય, ખાણીપીણી, લારી, ગલ્લા, ખૂમચા, શાકભાજી, હપ્તા, સરકારી, ગંદકી, હવા, પાણી, ખોરાક, શ્વાસોચ્છવાસ, યોગ, કુશળતા, કોષ, શોપીંગ, સંકુલ, વિચાર, મન, બુદ્ધિ, જવાબદાર       

Read Full Post »

%d bloggers like this: