Feeds:
Posts
Comments

Posts Tagged ‘રજનીશ’

વિશ્વના આશ્ચર્યો કે ભારતના આશ્ચર્યો

આમ તો શંકર ભગવાન એટલે કે શિવ ઈશ્વરને શ્વેત વર્ણના ગણવામાં આવ્યા છે. બ્રહ્માને રક્તવર્ણના અને વિષ્ણુને શ્યામ વર્ણના ગણવામાં આવ્યા છે. આધુનિક ચિત્રકારો વિષ્ણુ અને તેમના અવતારો જેવા કે રામ અને કૃષ્ણને કાળા ચિતરે છે તે તો ઠીક છે પણ શિવને પણ કાળા (એટલે કે આછા ભૂરા રંગના) ચિતરે છે. શિવના શ્વેત રંગ વિષે હજાર ઉલ્લેખો મળશે. સિવાય કે એમનું મહાકાળ સ્વરુપ.

શિવ કે મહાદેવ કે રુદ્ર કે મહેશ્વર દુધ જેવા ધોળા, ચંદ્રના જેવા શ્વેત, વિદ્યુત જેવા શ્વેત …  જેવા અનેક શ્લોકો જોવા મળે છે. કાળા રંગ વિષે એક પણ ઉલ્લેખ નહીં મળતો નથી. એક આશ્ચર્ય છે. પણ વાત જવા દો. ઈશ્વર તો ત્રણેમાં એક છે. અને પરબ્રહ્મ પણ તે છે.

કપાસની એક જાત છે. જેનેટિકલી મોડીફાઈડ જાત. સંકર. સંકર ને શંકર ભગવાન સાથે કશી લેવા દેવા નથી. પણ એક બીજી જેનેટીકલી મોડીફાઈડ જાત એનું નામ આપ્યું વિષ્ણુ. આપણા કૃષિ વૈજ્ઞાનિકોને સંકર અને શંકર માં ભેદ દેખાતો નથી.

છે ને આશ્ચર્યની વાત?

આપણા અંગ્રેજોએ લખેલા ભારતના ઐતિહાસિક આશ્ચર્યોને તો અવગણવા પડશે. એની ચર્ચા નહીં કરીએ.

સંતો, ઓશાઓ,  … હિરાઓ.માં સાચા કેટલા?

મોટા નામ વામણા જન

આમ તો વિષય છેસંતો, ઓશાઓ, બાવાઓ, બાબાઓ, સ્વામીઓ, નેતાઓ અને હિરાઓ.માં સાચા કેટલા?

બહુ ચવાઈ ગયેલો વિષય છે. પણ માથે પડેલો વિષય છે. કારણકે તેમના ભક્તોને ચેન નથી.

કોઈ મહાન લેખકે તારવ્યું હશે, પણ અમારા સાંભળવામાં અમારા જુના મિત્ર પ્રકાશભાઈ શાહ દ્વારા એક બ્રહ્મ વાક્ય જે કંઈક આવું હતું, કે જન સામાન્યની વૃત્તિ બુદ્ધિને કષ્ટ આપવામાંથી મૂક્તિ મેળવવાની હોય છે અને કોઈકને ને કોઈકને તાબે થવાની હોય છે.

કથનની સત્યતા જોવી હોય તો તમે તેમના ભક્તોની સંખ્યા જોઇ લો.

તમે કહેશો ઓશા અને હિરાઓ એટલે શું?

ઓરડોનું બહુવચન ઓરડા અથવા ઓરડાઓ છે, “ટોપોનું બહુવચન ટોપા કે ટોપાઓ એમ છે, તેવીરીતે ઓશોનું બહુવચન ઓશા અથવા ઓશાઓ છે. ગુજરાતી વ્યકરણશાસ્ત્રીઓ આને વિષે કંઈ ફેરફાર સૂચવવો હોય તો સૂચવે.

હિરાઓ એટલે અંગ્રેજીમાં એચ આર હિરો શબ્દ છે તે શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે અને તેનું બહુવચન છે. આમ તોએચ આર નો અર્થ મુખ્યપાત્ર થાય છે. પણ આપણા કેટલાક ભાઈઓ (બહેનો સહિત), તેને ડાયમન્ડહીરો તરીકે પણ સમજે છે.

સંત એટલે કે જે સજ્જન હોય હોય અને નિર્લિપ્ત પણ હોય તેને કહેવાય છે.

ઓશો વિદેશી શબ્દ છે.

તેનો અર્થ જ્ઞાની થાય છે. જ્ઞાની એટલે બ્રહ્મજ્ઞાની થાય છે કે કેમ તે વિષે સંત રજનીશના ભક્તો ફોડ પાડશે? વાત જવા દો. ઓશોઉપપદ (ખિતાબ) રજનીશે, તેમણે જાતે પોતાને આપેલ. તમે કહેશો કે એવું તે કંઈ હોતું હશે?

સંત રજનીશ કંઈ નહેરુ થોડા છે કે પોતેને પોતે , પોતાને ભારતરત્ન આપે? પહેલાં સંત રજનીશે જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓઆચાર્ય રજનીશએમ હતા. પછી જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓભગવાન રજનીશએમ થયા. પછી જે પુસ્તકો સંત રજનીશે છપાવ્યાં તેમાંઓશો + રજનીશ નો ફોટોએટલે કે ફોટાવાળા ભાઈ ઓશો છે.

સંત રજનીશે નામનો ત્યાગ કર્યો. “નામમાં શું બળ્યું છે!!”. ગુણ મૂખ્ય છે. નામ નહીં.

ગુણાઃ સર્વત્ર પૂજ્યંતે લિંગં વયઃ

એટલે કે ગુણો પૂજાય છે. જાતિ કે વય નહીં.

સંત રજનીશે વિચાર્યું કે ખ્યાતિ માટે ભક્તમંડળ હોવું જરુરી છે. ભક્તોને આકર્ષવા માટે જ્ઞાની હોવું જરુરી છે. જ્ઞાની થવા માટે જ્ઞાન હોવું જરુરી છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કાંતો વાચન અથવા ચિંતન અથવા બંને જરુરી છે. જો વાચન આપણને પળોજણ લાગતી હોય તો ન્યૂનતમ વાચનથી ગાડું ગબડશે પણ શબ્દોની રમત તો શિખવી પડશે. જો પ્રાસાનુપ્રાસવાળા શબ્દ પ્રયોગો કરીશું, વિરોધાત્મક શબ્દ પ્રયોગો કરીશું, આંચકા લાગે તેવું બોલીશું તો શ્રોતાઓબોરનહીં થાય અને બગાશાં નહીં ખાય. ચીટકેલા રહેશે. માટે ચિંતન દિશામાં કરો.

સંત રજનીશમલની આચાર્ય થી ઓશો સુધીની સફર આમ તો રસમય છે. પણ વાત અત્યારે અપ્રસ્તૂત છે. આપણા ડીબીના એક કટાર લેખકે તેમની સફરને પ્રોફેસર થી આચાર્ય થી ભગવાનથી ઓશો સુધીની દર્શાવી છે. આમ તો સંત રજનીશમલ  ક્યારેય આચાર્ય હતા. આચાર્યના બે અર્થ થાય છે. જેઓ ગીતા અને વેદાંગ ઉપર ભાષ્ય લખે તેને આચાર્યની ઉપાધિ અપાય છે. કાશીની વિદ્યાપીઠ પણ આ ઉપાધિ આપે છે. શાળા, મહાશાળાના ઉપરીને એટલેકે પ્રીન્સીપાલને પણ આચાર્ય કહેવાય છે.

આચાર્યના અર્થ વિષે, આચાર્ય રજનીશનું વાચન એટલું હતું નહીં.

તેમને આચાર્યના અર્થ વિષે સમજણ પણ નહી હોય એવું લાગે છે.

“આચાર્ય” શબ્દ સારો લાગે છે. તેનો ઉપયોગ કરવો. સંત રજનીશમલે કદાચ એમ વિચાર્યું હશે, “ શબ્દ બહુ ભરાવદાર લાગે છે…. શંકરાચાર્ય…. ભાસ્કરાચાર્યસાયણાચાર્યદ્રોણાચાર્ય ….  અહો !! . કેવા સુંદર શોભે છે !!

રાખી લો ત્યારે ઉપાધિ. “હરિ તત્સત્‍”. પહેલાં લખોઆચાર્યપછી લખો રજનીશ. પુસ્તકનું નામ ગમે તે હોય પણ મોટા અક્ષરે લખોઆચાર્ય રજનીશ”.

કાળાંતરે કોઈ અળવીતરા પત્રકારે સંત રજનીશમલને પ્રશ્ન કર્યો, કે તમે તમારા નામની આગળઆચાર્યલખો છો તો આચાર્યનો અર્થ શો થાય છે? સંત રજનીશમલે બેધડક કહી દીધું કેહું ફલાણી ફલાણી કોલેજમાં પ્રોફેસર હતો. પ્રોફેસરનો અર્થ આચાર્ય થાય છે”. પત્રકારે સંત રજનીશમલની સમજણને ટપારી અને કહ્યું કે પ્રોફેસરનું આપણી ભાષામાં ભાષાંતર પ્રાધ્યાપક થાય. આચાર્ય એટલે તો પ્રીન્સીપાલ થાય. તમે ક્યાંય પ્રીન્સીપાલ હતા?

શબ્દોની રમત રમવામાં પોતાને અભેદ્ય અને અપરાજિત માનનારા સંત રજનીશમલને કદાચ મોં સંતામણ થઈ હશે. પણ તે પછી તેમણે પોતાની ઉપાધિમાં પરિવર્તન કર્યું.

દોલતશંકરને યાદ કરોbhadrambhadra

દોલતશંકરને જ્યારે ભગવાન શંકરે ટપાર્યા હતાહે બ્રાહ્મણ તેં કેવું નામ રાખ્યું છે! દોલત શબ્દ તો મ્લેચ્છ ભાષાનો છે અને અંતઃસર્ગ (સફીક્સ) શંકર ગિર્વાણગિર્છે. મ્લેચ્છ અને ગિર્વાણગિર્ને તેં સમકક્ષ મુકવાનો ઘોર અપરાધ કર્યો છે? તું દંડને પાત્ર છે…. જો કે પછી દોલત શંકરે આપણા ન્યાયાલયમાં કામ લાગે અને શોભે તેવો બચાવ કર્યો કેહે પ્રભો આમાં મારો રજમાત્ર પણ વાંક નથી. મારું નામ તો મારા ફોઈબાએ પાડ્યું છે…” પણ શંકર ભગવાને  દલીલ માન્ય રાખી હોય એવું દોલતશંકરને લાગ્યું કારણ કે તેમણે શંકર ભગવાનને ત્રીશૂળ હાથમાં લેતા જોયા અને તેઓને, ત્રીશૂળ ઉગામવાની તૈયારીમાં જોયા. દોલત શંકરના મોતિયા મરી ગયા.

દોલતશંકર સ્વપ્ન ભંગ થયા. નિદ્રાભંગ થયા પછી દોલતશંકરે પોતાના સાથી અંબારામને પોતાના નામનું પરિવર્તન કરવાની વાત કરી.

તે પછી દોલત શંકરે વિધિસર નવનામકરણ કર્યું અને પોતાનું નામભદ્રંભદ્રએમ રાખ્યું. આપણા સંત રજનીશમલે વિધિસરનવપદવીકરણવિધિસર કરેલ કે કેમ તે આપણે કોઈ જાણતા નથી. પણ પછી તેમના બધા પુસ્તકો ઉપર ભગવાન રજનીશ, ભગવાન રજનીશ, ભગવાન રજનીશ દેખાવા લાગ્યું. ભગવાન માંથી ઓશો શું કામ થયા તે કોઈ જાણતા નથી.

સંભવ છે કે તેમને ખબર પડી હોય કે કોઈ પણ સમયે અને જે તે સમયમાં મનુષ્ય દેહે વિચરતા ભગવાનોની સંખ્યા, પૃથ્વી ઉપર હમેશા એક હજારથી ઉપર હોય છે. એટલે સંત રજનીશમલને થયું હોય કે સ્વયં પ્રમાણિત અને સ્વયં આભૂષિત ઉપાધિભગવાન” ને બદલે, બીજું અભૂતપૂર્વ કે અસામાન્ય ,જેવું કંઈક ઉપપદ રાખીએ.

એશિયામાં તો જાપાન બહુ સમૃદ્ધ અને આધુનિક દેશ ગણાય છે. વળી ત્યાં બૌધ ધર્મ પળાય છે. બુદ્ધ આતર્રાષ્ટ્રીય છે. કૃષ્ણ અને મહાવીર આપણા વેપારીભાઈઓના દેવ છે. ત્રણેનું મિશ્રણ કરીને અવનવાર આપણે તેમના નામના ઉલ્લેખો કરતા રહ્યા છે. એટલે જાપાની ભાષા નુંઑશોઆપણને વધુ ફાવશે.      

જગત ખરેખર અનિર્વચનીય છે. એક રજનીશ ભક્તે મારી પાસે એકડઝન જેટલા પુસ્તકોની થપ્પી કરી. અને કહ્યું કે તમે વાંચો. તેમણે ઉમેર્યું. વાંચ્યા પછી મને એવો જુસ્સો આવી ગયો કે હું શું નું શું કરી નાખું?

મેં કહ્યું, હું વાંચું ખરો પણ તમે આમાંના કોઈપણ એક પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલો અને હું એક ફકરો વાંચી તેને તર્ક હીન સાબિત કરી દઉં તો? શરત મારવી છે? તેઓ તૈયાર થયા.

વિશ્વનું નહીં તો ભારતનું એક આશ્ચર્ય છે કે રજનીશ જેવા અજ્ઞાનીને પણ જ્ઞાની (ઓશો) કહેવાવાળા છે.

ઓશો આસારામઃ

આસારામ વિષે એવું જાણવા મળ્યું છે કે તેઓ તેમના પૂર્વસંસારી દેહે, આસુમલ હતા. કહેવાય છે કે નામ દેહે તેઓશ્રી દારુની હેરફેર કરતા એટલે નીચે દારુની હેરફેર અને ઉપર લક્ષ્મીની હેરફેરમાં જે તે અનુકુળ જગ્યાઓએ સંબંધો વિકસી ગયા. નવા નામરુપ દેહ અવતારમાં સંબંધો કદાચ નવા સંબંધો બાંધવામાં કામ લાગ્યા હશે. પણ લક્ષ્મીની હેરફેરમાંથી, કોઈની ગૃહલક્ષ્મી કે કોઈની થનાર ગૃહલક્ષ્મીઓ તેમની પાછળ રાધાઓ થઈને કેમ પડી અને તેમના પતિ અને પિતાઓ પણ ગોપ થઈને કેવીરીતે ગરબે ઘુમવા લાગ્યા તે આશ્ચર્યની વાત છે.

કલેક્ટરો અને મામલતદારોએ પણ ઓશો આસારામને બેધડક સરકારી ભૂમિ કેવીરીતે અધિગ્રહણ કરવા દીધી તે પણ આશ્ચર્યની વાત છે. શ્રેય તો ત્યારે ગણાશે કે એક વિશિષ્ઠ અન્વેષણ સમિતિ નિમાય અને જે કોઈ સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોય તેમને જેલમાં નાખી દેવાય. ઓશો આસારામને કંઈ નહીં તો પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ નો વિશિષ્ઠ પુરસ્કાર અપાય પછી તે પદ્મ ભલે કુવેચનું હોય.

ઓશો આસારામે એકવાર વાત વાતમાં એમ કહેલ કે નરેન્દ્ર મોદી તો મલ છે મલ. ધારે એમ કરી શકે છે. મલ (મલ્લ) છે. એટલે કે જોરદાર છે.

બધા સંતો ઓશાઓ પણ મલ્લ એટલે કે મલ છે. સંત રજનીશન પણ સમાજના મલ છે. અને ઓશો આસારામ પણ મલ છે.

પણ ભારતનું આશ્ચર્ય છે.

સાંઈબાબાઃ

sai baba

ચમત્કારોની વાત ક્યાં નથી? રામાયણમાં રામે અને સીતાએ પણ ચમત્કારો કર્યા. કૃષ્ણ ભગવાને પણ ચમત્કારો કર્યા હતા. આમ જોવા જઈએ તો ઈશ્વર માટે પણ ચમત્કાર કરવા શક્ય નથી. છતાં પણ હાડમાંસના બનેલા રામ, સીતા અને કૃષ્ણ સૌએ તેમના સાથીઓથી પણ ઘણા મોટા ચમત્કારો કરેલ. બધા ચમત્કારોને સદંતર અવગણો તો પણ રામ અને કૃષ્ણની મહાનતાને ક્ષતિ પહંચતી નથી અને તેમની મહાનતા અકબંધ રહે છે. કારણ કે તેઓ તેમના ચમત્કારોને કારણે મહાન ગણાયા નથી. તેઓ પહેલાં મહાન ગણાયા. ચમત્કારો તો પછી ઉમેરાયા.

પણ સાંઈબાબા વિષે તમે શું કહેશો? જો તમે ચમત્કારોની બાદબાકી કરી નાખો તો તેમનામાં શેષ શું રહેશે? કશું નહીં. કેવળ શૂન્ય. છતાં પણ લાખો માણસો તેમને ભગવાન માને છે. તેમનામાં શ્રદ્ધા રાખે છે. કોઈ તેમને પીર સમજે છે, કોઈ તેમને ઓલીયા સમજે છે, કોઈ તેમને દત્તાત્રેય તરીકે પૂજે છે. કોઈ તેમને શિવ તરીકે પણ પૂજે છે અને તેમના માથે ત્રીપૂણ્ડ દર્શાવે છે અને તેમની મૂર્તિ આગળ શિવના વાહન પોઠિયાને બેસાડે છે. “ સાંઈઅને સબકા માલિક એકએમ લખે છે. જેમ સંગીતમાં મિયાં અને મહાદેવ ભેગા થાય છે તેમ સાંઈબાબા પાસે પણ હિન્દુઓ અને મુસલમાનો ભેગા થાય છે. જો આને સિદ્ધિ ગણીએ તો બધું ક્ષમ્ય છે. શિવ આગળ સૌ સમાન છે.

સત્યસાંઈ બાબાઃ

સત્ય સાંઈબાબાના ચમત્કારો ને અવગણીએ તો, સત્ય સાંઈબાબા પાસે અબજો રુપીયાની મિલ્કત બાકી રહે છે. તે સંપત્તિ થકી કેટલાક વિદ્યાલયોના ધંધા ચાલે છે અને તેમના ભક્તો પોષાય છે. પણ સૌ ભક્તો શરુઆતમાં તો તેમના ચમત્કારોથી (હાથ ચાલાકીઓથી) અંજાયેલા. પછી ભક્તોને થયું હશે, “અહીં બધું ચાલે છે અને આપણને ફાયદો છે તો પછી વાંધો નહીં.” “માંહે પડેલા મહાસુખ માણે”.

પણ આશ્ચર્ય તો છે .

સહજાનંદસ્વામીઃ

sahajanandaswami

આમ તો ભગવાન ઓગણીશમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેમણે પણ અનેકાનેક ચમત્કારો કરેલ. તેમના પણ લાખો ભક્ત છે. સહજાનંદ સ્વામી પાસે એવું કશું ધન કે સંપત્તિ હતાં. સહજાનંદ સ્વામી ચમત્કારોથી આગળ આવેલા હતા. જેમ કૃષ્ણની ગીતા છે. તેમ સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી છે. કહેવાય છે કે વલ્લભભાઈ પટેલ, સમસ્યાના સમાધાન માટે શિક્ષાપત્રી વાંચી લેતા હતા.

કાળાંતરે સહ્જાનંદ સ્વામીના ચમત્કારો આગળ આવ્યા. બધું છતાં, તેમનું મુખ્ય કામ ગરીબ જનતાને વ્યસનમુક્ત કરવાનું હતું. એટલે કે દારુ, તમાકુ, બીડી, ભાંગ ….

જેઓ સ્વામીનારાયણ સંપ્રદાયના છે તેઓ બધા, વ્યસન મુક્ત છે. જો કે નોંધ કરો બધી જાતના વ્યસનોથી મુક્ત નહીં.  સહજાનંદસ્વામીનો એક આશિર્વાદ હતો કે એમના ભક્તોએ કદી ભીખ માગવી નહીં પડે. વાત આજે પણ સાચી છે. સહજાનંદ સ્વામીના ભક્તોએ ઘણા સારાં કામો કર્યા છે. શિલ્પકળા, સ્થાપત્યો, વિદ્યામંદિરો અને સંસ્કૃતનો ઉદ્ધાર મુખ્ય છે.

આમ તો દયાનંદ સરસ્વતીએ સૌ ધર્મગુરુઓની ઠેકડી ઉડાવેલી તેમાં સ્વામીનારાયણ ભગવાનનો પણ સમાવેશ થઈ જતો હતો. પણ આજે તમને અગ્નિવેશ જેવા ગાંડુંઘેલું બોલનારા આર્યસમાજમાં મળશે. પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં એવા ધર્મગુરુઓ મળશે નહીં. પૈસાથી છકી જનારા કે કીર્તિથી છકી જનારા તમને અહીં નહીં મળે.

પણ એક આશ્ચર્ય છે. જય સ્વામીનારાયણ. મારા ફોઈબા જેવા પ્રેમાળ અને અજાતશત્રુ સ્ત્રીના જે આરાધ્ય દેવ હોય તેમનામાં પણ કંઈક સત્વ તો હશે .

જૈન ધર્મના સોએ સો ટકા ધર્મગુરુઓ વિદ્વાન હોય છે. તેમનામાં કેટલાક દિગંબર હોય છે. ત્યાગની આ કક્ષા સુધી પહોંચી જવું તેનાથી મોટું આશ્ચર્ય શું હોય?

હિરાભાઈઓઃ

હવે જ્યાં ભગવાનોની વાતો થતી હોય ત્યાં હિરાભાઈઓને લાવવા તે જરા અજુગતું લાગે છે. પણ આપણે ભારતમાં થતા ચમત્કારોની વાતો કરીએ છીએ ત્યારે બીજા ચમત્કારોની અવગણના કેવી રીતે થાય? સીલીકોન ઈન્ડીયા એક વેબસાઈટ છે. તેમાં એક વખત કેટલાક અતિ મહાન પુરુષોના સુવાક્યો લખ્યા. જેમકે બર્ટ્રાન્ડ રસેલ, સમરસેમ મોમ, મહાત્મા ગાંધી, ન્યુટન, લીઓ ટોલ્સટોયઅને છેલ્લે વળી હકલાનું પણ એક સુવાક્ય કથન લખ્યું. જો કે કોમેંટમાં સીલીકોન ઈન્ડીયા ની ઘણી મજાક ભરી ટીકા થઈ. કદાચ હકલાભાઈને આવા ગોદા મળે તે હેતુથી સીલીકોન વેલીએ મજાક માટે લખ્યું હશે. અહીં આપણે ફક્ત ચમત્કારના અનુસંધાનમાં લખીએ છીએ.

યુવાનોના અતૃપ્ત આત્માઓ પોતાની જાતીય અતૃપ્તિને તુષ્ટ કરી શકે તે કારણથી હર સમયે નાટક અને ફિલમના હિરાભાઈઓ પોતાની ફરજ બજાવે છે. તેમાં તેઓ તો ભૌતિક રીતે તૃપ્ત થાય છે પણ સાથે સાથે અતૃપ્ત શરીરનિવાસી આત્માઓ પણ યેનકેન પ્રકારેણ તાદાત્મ્ય સાધે છે. જેમ મનુષ્ય પોતાના સ્વપ્નમાં પોતાની અતૃપ્તિને તૃપ્ત કરતી પ્રવૃત્તિઓ કરે છે તેમ ઉપરોક્ત ક્રિયાને દિવાસ્વપ્ન ગણવું.

હિરાભાઈઓને ખ્યાતિ મળી. એટલે તેઓ પોતાને સાચેસાચ મહાન માનવા લાગ્યા. નાટકમાં કામ કરવું અઘરું છે. પણ ફિલમમાં તે અઘરું નથી. ફિલમમાં હિરાભાઈઓએ સંવાદો યાદ રાખવા પડતા નથી. બરાબર સંવાદ બોલાયો હોય તો અને અભિનય બરાબર થયો હોય તો દિગદર્શક અવારનવાર અભિનય કરાવડાવેપણ ફિલમમાં કંઈ તેની ભૂલો બતાવે. જે શ્રેષ્ઠ હોય તે બતાવે. પ્રેક્ષકો ખુશ થાય. એક ફિલમની પાછળ ઘણી વ્યક્તિઓનું પ્રદાન હોય છે. પણ દેખાય આપણને હિરા ભાઈ એકલા. એટલે અલ્પજ્ઞ કે અતૃપ્ત ને અહોભાવ જાગે.

અભિનયએક શાસ્ત્ર છે. તમે ગામડીયાની પાસે ગામડીયાનો અભિનય કરાવો તો તે બરાબર કરશે. બાળક, બાળક તરીકે નો અભિનય બરાબર કરશે. ગાંડો ગાંડાનો અભિનય બરાબર કરશે. પણ તમે કહેશો ત્યારે આ ત્રણેય બરાબર અભિનય નહીં કરે.

તમે અભિનય ક્ષેત્રે પડો તો તમારે જાત જાતના પાત્રના અભિનય કરવા પડે. જેમ રાજકારણમાં તમે તમારા માતા પિતા કે ગુરુના ખભે બેસીને આગળ આવી શકો. તેમ ફિલમ ક્ષેત્રમાં પણ એવું છે. અહીં ગુરુ તરીકે દાઉદભાઈ ઓળખાય છે. માતા પિતા પણ ચાલે પણ તેઓ કેટલા પૈસા ખર્ચી શકે? તેની સીમા હોય છે. અહીં તો દાઉદભાઈ વધુ ચાલે.

હવે જુઓ હકલાભાઈ ( નામ દાઉદભાઈએ પાડેલું છે), આગળ તો આવી ગયા. પણ અભિનયમાં શૂન્ય. એક જાતનો અભિનય. દિલીપ કુમારની જેમ . તમે દિલીપભાઈને મજુર બનાવો, ઘોડાગાડીના ચાલક બનાવો, દરવાન બનાવો, નેતા બનાવો કે જહાંગીર બનાવી દો. અભિનય તો એક જાતનો કરશે. હકલાભાઈ પણ એવા છે. ગામડીયા તરીકે કે અભણ પાત્રનો અભિનય કરવાનો હોય તો બરાબર મેચ થાય. પણ જો જાહેરમાં તેઓ એજ પહેરવેશમાં આવે તો ફજેતી થાય. અરે ફિલમમાં પણ તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરતા બતાવવા પડે અને વેળાસર તેમને શુટબુટમાં લાવવા પડે. શુટબુટમાં આવે તો દર્શનીય બને. આવા અનેક હિરાભાઈઓ છે. હિરીબેનો પણ છે. પણ તેમની વાતો આપણે નહીં કરીએ. તેમને તો બ્યુટીફીકેશન માટે રાખ્યા હોય છે. હિરીબેનો આધારિત બહુ ઓછી ફિલમો બને છે.

હકલાભાઈને વિદેશમાં એક એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓએ કેટલાક કલાક રોક્યા કારણ કે તેમના કોઈ નજીકના સગા ટેરરીસ્ટ એક્ટીવીટી સાથે સંકળાયેલા છે તેવી અમેરિકાને શંકા હતી. તો પણ હિરાભાઈને ભાન થયું કે તેઓ મહાન પુરુષ નથી. અરે ભાઈ તમે તો અભિનયમાં પણ શૂન્ય છો. નહેરુવીયનો જેમ લાયકાત વગર બીજાના ખભે બેસીને ખ્યાતિ પામ્યા, તેમ તમે પણ અમુક કારણોસર આગળ આવ્યા છો.

જે હોય તે પણ એક આશ્ચર્ય તો છે .

ટીવી ચેનલના એંકરોઃ

દરેક એંકર પોતે આમંત્રિત વ્યક્તિગણના સંવાદનું સંચાલન કરતો હોવાથી પોતાને સર્વજ્ઞ માને છે. જો કે જે અણઘડતાથી તે સંચાલન કરતો હોય છે કે આપણને ખબર પડે કે ચર્ચાનો હેતુ શો છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ તાત્કાલિક થતીસુષ્મા સ્વરાજની લલિત મોદીને કરેલી વિસાભલામણ ની છે.” રજત શર્મા જેવા પણ જો પોતાના અભિપ્રાય વ્યક્ત કરવાની લાલચ રોકી શકતા હોય તો બીજા પરચુરણની તો વાત શું કરવી? શું યોગ્ય ચર્ચા ચલાવવા માટે બધાએ પ્રભુ ચાવલા પાસે પ્રશિક્ષણ લેવું પડશે? પ્રશિક્ષણ લીધા પછી પણ તેઓ સુધરશે તેની ખાતરી કોણ આપી શકશે?

સીધી સાદી વાત હતી. લલિત મોદીની પત્નીનું કેન્સરનું પોર્ટુગાલમાં ઓપરેશન હતું. લલિત મોદીની હાજરી જરુરી હતી. લલિત મોદી છે જેણે કેટલીક ખાનગી કંપનીઓ કે જેમની સ્થાપના જ એકબીજાસાથે ગોલમાલવાળા નાણા વ્યવહારો કરવા માટે થઈ હતી તેમાં સંડોવાયેલા હતા. ભારત સરકારને કરમાં જે નાણા જમા થવા જોઇએ તે થયા.

lalit and ors

લલિતભાઈ ને ભારતમાં નહેરુવીયન સરકાર સુરક્ષા આપતી હતી કારણકે તેના નેતાઓ અને મળતીયાઓ તેમાં ભાગીદાર હતા. સુનંદાબેન નામની એક સ્ત્રી નહેરુવીયન કોંગ્રેસ નેતાગણના મિત્રમંડળમાં સામેલ હતી. લલિતભાઈએ તેનો અને તેના વરનો ભંડો ફોડ્યો. એટલે નહેરુવીયન કોંગ્રેસ મિત્રમંડળ અને તેમના ક્રોસબોર્ડર સાથી દાઉદભાઈને પસંદ પડ્યું. નહેરુવીયન કોંગની સરકારે લલિતભાઈની સુરક્ષા પાછી ખેંચી લીધી, જેથી દાઉદભાઈનું લલિતભાઈની ગેમ કરવાનું કામ આસાન થઈ જાય. લલિતભાઈ જાન બચાવવા ઈંગ્લેન્ડ પહોંચી ગયા. નહેરુવીયન સરકારે લલિતભાઈનો પાસપોર્ટ રદ કર્યો. પણ ન્યાયાલયે નહેરુવીયન સરકારનો હુકમ અમાન્ય ઠેરવ્યો. જ્યાં સુધી સુરક્ષાનું વચન ભારત સરકાર આપે ત્યાં સુધી લલિતભાઈ ભારત પાછા કેવી રીતે આવે તેવું લલિતભાઈએ તેમના વકીલ મારફત જાહેર કર્યું. તે ઉપરાંત તેમને કે યુકેને એવી કોઈ નોટીસ મળી નથી. સુષ્મા બહેને વિદેશી સરકારને લલિત મોદીને પોર્ટુગાલનો વિસા માટે કાયદેસર શક્ય હોય તો તે આપવા ભલામણ કરી. તે સરકારે વિસા આપવો કાયદેસર શક્ય હતો એટલે આપ્યો.

ચર્ચા શું થઈ શકે અને તેના મુદ્દાઓ શું હોઈ શકે?

વિદેશી સરકારે વિસા કાયદેસર આપ્યો કે ભલામણથી આપ્યો?

નહેરુવીયન કોંગ્રેસે વર્ષમાં શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસે સુનંદા બેન અને વર સામે શું કર્યું?

નહેરુવીયન સરકારે દાઉદની ધમકીનું શું કર્યુ?

નહેરુવીયન કોંગ્રેસ શું દાઉદ સાથે જોઈન્ટ વેન્ચરમાં છે? જો હોય તો લલિતભાઈની સુરક્ષા કેમ પાછી ખેંચી લીધી?

સુરક્ષા પાછી ખેંચી લેવાના કારણો લલિતભાઈને કેમ જણાવ્યા? જાહેર કેમ કર્યા?

નહેરુવીયન કોંગ્રેસ તેની આવી વર્તણુક થી જાહેર જનતાને શો સંદેશો આપવા માગે છે?

નહેરુવીયન કોંગ્રેસ સત્તાસ્થાનેથી ફેંકાઈ ગઈ એટલે શું તે હવે કશી જ બાબતો માટે ઉત્તરદાયી રહેતી નથી? નહેરુવીયન કોંગ્રેસી નેતાઓએ ઉત્તરો આપવા જ જોઇએ.  ભૂતકાળની બેજવાબદારી ભર્યા આચારોની   બાબતમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કુલા ખંખેરી નાખે છે.  સમાચાર માધ્યમો તેને તેમ કરવા દે છે,  આ નિંદનીય જ નહીં પણ દંડનીય પણ છે.

ચર્ચામાં મુદ્દા સામેલ કરવા જોઇએ.

વાસ્તવમાં તો નહેરુવીયન કોંગ્રેસને, નીતિ, ગુણવત્તા, સંસ્કારિતા, નિયમ, બંધારણીય ફરજો, લોકશાહી, માનવ અધિકારો, ધર્મ નિરપેક્ષતા, પારદર્શિતા વિગેરે વિષયો ઉપર હાથ જ ન મુકવા દેવો જોઇએ. નહેરુવીયન કોંગ્રેસે તથા તેના સમાચાર માધ્યમ સહિતના સાથીઓએ આનું એટલા મોટા પ્રમાણમાં હનન કર્યું છે કે તેમને વેળાસર દંડવા જોઇએ. જો તમારે મોટા નામ હેઠળ વામણી વ્યક્તિઓને જ્વી હોય તો આ લોકોને જોઈ લેવા.

એક પ્રસંગ નથી. દરેક પ્રસંગોની ચર્ચા વખતે સમાચાર માધ્યમ ચર્ચાને અવળી દિશામાં દોરે છે. ચર્ચા કદી સુચારુરુપે ચાલતી નથી.

વું અણઘડપણું બીજા વિકસિત કે વિકાસશીલ દેશોમાં નથી. ફક્ત ભારતમાં છે.

શું આશ્ચર્ય નથી?

રાજકારણના નેતાઓની વાત નહીં કરીએ. હરિ અનંતો હરિ કથા અનંતા. હરિ તત્સત્

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ શિવ, શ્વેત, સંકર-૪, વિષ્ણુ-૪, રામ, કૃષ્ણ, ચમત્કાર, આશ્ચર્ય, ઓશો, સંત, ભગવાન, ગુણ, રજનીશ, આસારામ, સ્વામીનારાયણ,  સાંઈ, સત્યસાંઈ, જ્ઞાન, વાચન, આચાર્ય, દોલતશંકર, ભદ્રંભદ્ર

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi–Part – 2.

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૨

સંત રજનીશમલ પ્રવિચાર યા પ્રવચન શૈલી નાટ્યરુપાંતરણમ્

ભક્ત એટલે આચાર્ય રજનીશ યા ભગવાન રજનીશ યા ઓશો રજનીશ યાઓશોયા સંત સંત રજનીશમલ યા આજ પ્રભુનો જીજ્ઞાસુ અનુયાયી.

ભક્તઃપ્રભો! પ્રેમ શું છે?”

પ્રભુ ઉવાચઃ જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ. તેમણે કરુણાનો સાક્ષાત્કાર કરેલોકરુણાનો સાક્ષાત્કાર બુદ્ધને કોણે કરાવ્યો. સુજાતાના હૃદયમાં કરુણા હતી. તેણે ખીર દ્વારા બોધિવૃક્ષની નીચે તપ કરતા પણ ક્ષુધા પીડિત એવા બુદ્ધને કરુણાનો સાક્ષાત્કાર કરાવ્યો. બુદ્ધમાં કરુણા તો હતી . પણ સુજાતાની ખીરથી તેમને કરુણાનો સાક્ષાત્કાર થયો. તેઓ કરુણામય બન્યા હતા. તેઓ કરુણામય થયા તેથી તેઓ સમગ્ર જગતને પ્રેમ કરતા થયા. જગતની દરેક એન્ટીટીઓ પ્રત્યે તેમને કરુણા હતી. પછી ભલે તે વાઘ, અજગર કે સર્પ પણ કેમ હોય? જ્યાં પ્રેમ હોય ત્યાં ભલા હિંસા ક્યાંથી હોય?

RAJNISH RADHA KRISHNA

પ્રેમ અને કરુણા

પ્રેમ હોય તો કરુણા હોય અને કરુણા હોય તો પ્રેમ હોય. કરુણા અને પ્રેમને તમે જુદા પાડી શકો. “કૃષ્ણ અને રાધાને સમજોત્યાં સુધી તમે પ્રેમને પણ સમજી શકો અને કરુણાને પણ સમજી શકો. કૃષ્ણ પ્રેમ છે અને રાધા કરુણા છે. કરુણા અને પ્રેમ નું યુગલ અદ્ભૂત છે. જ્યાં કરુણા  છે ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. તેથી જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા અને કૃષ્ણ ને તમે ભિન્ન કરી શકો. જેમ સિક્કાને બે બાજુ હોય છે તેમ પ્રેમ અને કરુણા એક ઈશ્વરીય સિક્કાની બે બાજુ છે. જો તમે સિક્કાના બે ફાડીયા કરી નાખો તો શું થાય? સિક્કાનું કોઈ મૂલ્ય રહેતું નથી. મૂલ્ય વગરના સિક્કાના ફાડીયાથી કશું નીપજતું નથી. તે એક શૂન્ય છે. તે રીતે પ્રેમ અને કરુણા વગરનું જગત શૂન્ય છે. રાધા અને કૃષ્ણ વગરનું જગત પણ શૂન્ય છે. રાધા વગરના કૃષ્ણ અને કૃષ્ણ વગરની રાધા કલ્પી શકાયકારણ કે કૃષ્ણ રાધામય છે અને રાધા કૃષ્ણમય છે.

ભક્તઃ પ્રભો, બંસી શું છે? કૃષ્ણ ની બંસીના સૂર થી રાધા ઘેલી બને છેએટલે શું?

પ્રભુ ઉવાચઃ બંસીના સૂર ઈશ્વરનો આલાપ છે. ઈશ્વરનો આલાપ સૌને ઘેલા ઘેલા કરી દે છે. કૃષ્ણ મહાયોગી હતા. યોગીઓના ઈશ્વર હતા. “યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થ ધનુર્ધર … ”. જો તમે કૃષ્ણનો આલાપ સાંભળો તો તમારે કશું સાંભળવાનું બાકી રહેતું નથી અને જાણવાનું બાકી રહેતું નથી. રાધાએ કૃષ્ણનો આલાપ સાંભળ્યો અને પછી રાધાને બીજું કશું સાંભળવાનું કે જાણવાનું રહેતું નથી. રાધાએ કૃષ્ણ સાથે ઐક્ય સાધ્યું છે. રાધા અને કૃષ્ણ એકરુપ થઈ ગયાં છે. ક્યાંથી કૃષ્ણ શરુ થાય છે, ક્યાં કૃષ્ણ પુરા થાય છે અને ક્યાથી રાધા શરુ થઈ જાય છે તે ખબર પડતી નથી. રાધાને પણ ખબર પડતી નથી. કૃષ્ણને પણ ખબર પડતી નથી. બંસીના સૂરમાં બંને સમાધિ અવસ્થામાં આવી ગયા. બંસીના સૂરના સ્પંદનોનો પ્રભાવ છે. બંસીના સૂરો જે કૃષ્ણે રેલાવ્યા હતા તે અદ્ભૂત હતા. તેમાં અદ્ભૂત ઉર્જા હતી. ઉર્જા કદી નાશ પામતી નથી. શ્રી કૃષ્ણે જે વૃન્દાવનમાં, બંસીના સૂરો રેલાવ્યા તે સૂરો આજે પણ છે. કારણ કે સ્પંદનો નાશ પામતા નથી. સ્પંદનોની ઉર્જા નાશ પામી શકતી નથી. વિજ્ઞાન હજુ પૂરતું વિકસ્યું નથી કે જે અવિનાશી ક્ષીણ થયેલી ઉર્જાને એમ્પ્લીફાયરથી મોટી કરી શકે. જ્યારે વિજ્ઞાન એટલું વિકસિત થશે ત્યારે તે સ્પંદનોને શ્રાવ્ય બનાવી શકશે અને સૌ કોઈ વૃન્દાવનમાં જઈ કૃષ્ણની બંસીના આલ્હાદક સૂરોને સાંભળી શકશે.

ભક્તઃ પ્રભુ! ગોપીઓ …

પ્રભુ ઉવાચઃ કૃષ્ણ શું કહે છે? તમે મારાથી શું છૂપાવી શકશો? તમે કૃષ્ણથી કશું છૂપાવી શકતા નથી. કૃષ્ણ બધું જાણે છે. કૃષ્ણ પાસે તમારે માગવાનું હોય તો છૂપાવવાની શી જરુર છે? આવરણ એ એક બંધન પણ છે. છૂપાવવું એ એક છેતરપીંડી છે. કૃષ્ણ પાસે છેતરપીંડી? કૃષ્ણ પાસે તમે મુક્ત થઈને જાઓ. કૃષ્ણ સામે શરમ કે લજ્જાનું બંધન શા માટે? કૃષ્ણ પાસે તમારે અનાવરિત થઈને જ જવાનું છે.  ખુલ્લા દિલે કૃષ્ણ પાસે માગો.

ભક્તઃ પ્રભુ! રાસલીલા….

પ્રભુ ઉવાચઃ જુઓ તમે સમજીલો. કૃષ્ણ સર્વવ્યાપી, સર્વત્ર અને સર્વજ્ઞ છે. તમારામાં પણ કૃષ્ણ રહેલો છે. મારામાં પણ કૃષ્ણ રહેલો છે. રાધા વિષે પણ એવું જ છે. દરેક ગોપીમાં રાધા બેઠેલી છે. દરેક સ્ત્રીમાં પણ રાધા બેઠેલી છે. તમારે આ કૃષ્ણની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. તમારે રાધાની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને જોવાનો છે, દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને ઓળખવાનો છે. દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાની સર્વવ્યાપકતાને  જોવાની છે, દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાને ઓળખવાની છે. જ્યારે આવું થશે ત્યારે આખું વિશ્વ તમને પ્રેમમય અને કરુણામય લાગશે. સર્વત્ર આનંદ અને માત્ર આનંદની જ અનુભૂતિ થશે.

RAJNISH GROUP PROGRAM

ભક્તઃ પ્રભુ, લગ્ન સંસ્થાનું શું થશે?

પ્રભુ ઉવાચઃ લગ્ન એ એક બંધન છે. દરેક બંધન એક પીડા છે. દરેક બંધન એક દબાણ છે. આ પીડા તો મનુષ્ય સમાજે જ ઉત્પન્ન કરી છે. આ બંધન તો મનુષ્ય સમાજે જ બાંધ્યું છે. પ્રકૃતિએ તો દરેક પ્રાણીઓને મુક્ત જ સર્જ્યા છે. પ્રકૃતિએ તો મનુષ્યને બંધનમાં બાંધ્યો જ ક્યાં છે? અહીં તો મનુષ્ય પોતે જ ગળામાં ગાળીયો નાખે છે અને પછી કહે છે કે મને ગુંગળામણ થાય છે… મને પીડા થાય છે. પશુપક્ષીઓ અને નાના ક્ષુદ્ર જીવો કરતાં પણ મનુષ્ય તો ઉણો ઉતર્યો છે. પોતે જ પોતાને બંધન બાંધ્યું અને પછી બુમાબુમ કરે છે “મને બચાવો …. મને બચાવો”. અરે ભાઈ તું બંધનમાંથી મુક્ત થા અને મુક્તિનો અનુભવ કર. પ્રકૃતિએ તો મનુષ્યનું મન એવું ઘડ્યું છે કે તેને બંધનમાં રહેવું ન ગમે. બંધન અપ્રાકૃતિક છે. મેં તમને કહ્યું કે આ એક દબાણ છે. તમે કોઈપણ બાબત વિષે મનને જેટલું દબાણમાં રાખશો તેટલું તેને તે બાબતનું વધું ખેંચાણ આકર્ષણ થશે. આ સ્થિતિ પ્રકૃતિએ જ સર્જી છે. માતા બાળકને કહેશે “બેટા બહાર ન જઈશ”, તો બાળકને બહાર જવાની ઈચ્છા થશે. સરકાર મનુષ્યને કહેશે દારુ ન પીવો જોઇએ. અને સરકાર તે માટે દારુબંધી નો કાયદો કરશે તો મનુષ્યને દારુનું વધુ આકર્ષણ થશે. અને મનુષ્ય છાનો છપનો પીશે. સમાજમાં બમણો દારુ પીવાશે. જો મનુષ્ય મન ઉપર કાબુ રાખવાનો પ્રયત્ન કરશે તો મન બેકાબુ બનશે અને અનેક માનસિક વિકૃતિઓ સર્જાશે. હું જોઈ શકું છું કે લગ્ન સંસ્થા તેના ભારથી જ તૂટી પડશે. લગ્ન સંસ્થા સાવ અકુદરતી છે. લગ્નસંસ્થા નિરર્થક છે.

ભક્તઃ પ્રભો વિજાતીય સંબંધો …

પ્રભુ ઉવાચઃ લગ્ન સંસ્થા જ નિરર્થક છે તેમાં જ બધું આવી જાય છે. તમે પુરુષની અને સ્ત્રીની જાતીય વૃત્તિઓની ઉપર કાબુ રાખવાનું જેટલું દબાણ લાવશો તેટલી આ વૃત્તિઓ વધુ બેકાબુ બનશો. આ દબાણ સમાજના મહાપુરુષોના બોધપાઠ દ્વારા ઉત્પન કરવામાં આવતું હોય કે સરકારના કાયદાના પશુબળ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. ધારોકે તમે કદાચ આ રીતે મનુષ્યના શરીરને કદાચ કાબુમાં રાખશો. પણ મનુષ્યના મનને કેવી રીતે કાબુમાં રાકશો? મનને તો સરકાર કશું કરી શકશે નહીં. તમે મનમાં કાયદાનો ભંગ કર્યો, તો શું સરકાર તમને તે બદલ દંડિત કરી શકશે? નહીં જ કરી શકે. તમારા મનની જે ઇચ્છા તમે બળજબરી કરીને દબાવી રાખી છે તે ક્યારેક તો સ્પ્રીંગની જેમ ઉછળીને આચારમાં આવવાની જ છે.

RAJNISH VERTICAL AWARENESS

ભક્તઃ પણ પ્રભો પરસ્ત્રી તો માત સમાન ગણવી જોઇએ એવું કહેવાય છે…

પ્રભુ ઉવાચઃ આ એક દંભ છે. પરસ્ત્રીને કોઈ માતા ગણી શકતું નથી. સ્ત્રી માત્ર  સ્ત્રી છે એમ દરેક પુરુષ માનતો હોય છે. પુરુષ પણ માત્ર પુરુષ છે એમ દરેક સ્ત્રી માનતી હોય છે. સ્ત્રી એવું ઈચ્છતી પણ હોય છે કે તેને સ્ત્રી માનવામાં આવે. કોઈ સ્ત્રી એવું કદી ન ઈચ્છે કે બીજા તેને સ્ત્રી ન માને. પુરુષ પણ કદી એવું જ ઈચ્છતો હોતો નથી તેને કોઈ પુરુષ ન માને. આ કુદરતી વ્યવસ્થા છે. હા સ્ત્રીને માતા બનાવી છે. પણ ઈશ્વર એવું ઈચ્છે કે સ્ત્રી પણ આનંદ કરે. પુરુષ પણ આનંદ કરે. આનંદ એ પ્રાકૃતિક વ્યવસ્થા છે અને ઈશ્વરનો આદેશ છે. ઈશ્વર સ્ત્રીને પોતાનો આદેશ માનવા બદલ પુત્ર અને પુત્રીની ભેટ આપે છે.          

કટઃ

હરિ અનંતો હરિ કથા અનંતા. વાર્તાલાપ અનંત કાળ સુધી ચલાવી શકાય. અને આગળ જતા એવું પણ નિષ્પન્ન કરાવી શકાય કે સંભોગ દ્વારા પણ સમાધિ તરફ જઈ શકાય. પરમાનંદની અનુભૂતિ સમાધિ છે.

સંત રજનીશ કોઈ રીસ્ક લેવા માગતા હતાતેઓ આકાશ ભરાઈ જાય તેટલા શિષ્યો ભેગા કરવા માગતા હતા. તેથી જેઓ સામાજીક નિયમોમાંથી મુક્તિ દ્વારા થતો વિજાતીય સંપર્કનો આનંદ લેવા માગતા હતા તેમને ટિકિટ દ્વારા સભ્ય બનાવતા. તેમનો આશ્રમ આચાર માટેની ભૌગોલિક સીમા હતી.

સંત રજનીશમલે જોયું કે દેશી માલેતુજારો તો મળે છે. પણ વિદેશી આગંતુકો પણ કંઈ કમ નથી. પરમાનંદની અનુભૂતિનો ભ્રમ તો (શરીરને) રસાયણો દ્વારા અને અથવા રસાયણપાન કરેલ સંભોગસ્થ (શરીરને) પણ કરી કરાવી શકાય છે. જ્યારે વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું હોય અને મગજને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં પહોંચતો હોય ત્યારે મગજ અન્યમનસ્ક થઈ જાય છે. તેવે વખતે આવો અનુભવ અસંભોગસ્થ અવસ્થામાં પણ કરી શકાય છે. તમે મનને  કેવા વિચારોમાં અને કેવી અવસ્થામાં રાખવા માગો છો તેની ઉપર આધાર છે. વિશ્વમાં પોતે ભળી ગયા છે તેવી અનુભૂતિ હિમાલયમાં અને ખાસ કરીને કૈલાસ માનસરોવરની યાત્રા દરમ્યાન થતી હોય છે.     

રસાયણ

સંત રજનીશમલે શરીરસ્થ રસાયણ અને સંભોગસ્થ શરીર વિષે વિચાર્યું. ધંધો કસ વાળો છે. ધંધાને વિકસાવી શકાય તેમ છે. ભૌતિક અફિણ, ગાંજા, ચરસ, કોકેન, અને એવા બીજા રસાયણોની જેમ ધર્મ ની સુષ્ઠુ સુષ્ઠુ વાતો પણ અફિણ છે. જરુર પડે તેનો પણ ઉપયોગ કરવો. જીસસ ને પણ ભેળવવા. કન્ફુસીયસને પણ ભેળવો. સામાન્ય બુદ્ધિ કંઈ બધી સામાન્ય વ્યક્તિઓમાં હોવી જરુરી નથી.

ઉપરોક્ત સૌ રસાયણ અફિણોનો ધંધો કસદાર લાગવાથી, સંત રજનીશમલે અમેરિકામાં ધામા નાખ્યા.

ફોટાઓ માટે જુઓ ઓશોરજનીશડૉટકૉમ

આમ તો અમેરિકન સરકાર ને ધર્મ બાબતમાં કશી આળી વૃત્તિ હોતી નથી. પણ રસાયણોના ધંધા અને તેની આદતો વિષે તે થોડી ઘણી જગૃત છે. એટલે તેને ખબર પડી કે સંત રજનીશમલના આશ્રમની બાબતમાં દાળમાં કંઈક કાળું છે. આમ તો અમેરિકન સરકાર પોતાને મુક્ત વ્યક્તિસ્વાતંત્ર્યવાળીમાં ખપાવે. પણ રસાયણ કે સ્વહિતની બાબતમાં પોતાને માટે જુદા માપદંડ રાખે. કથા કથિત ધાર્મિક ભેદભાવ બાબતામાં ભારતના બંધારણનું અપમાન કરી ભારતીય સરકારની મોદીની વિસા માટેની અરજીને તે નકારે છે, અને ઈરાકમાં યુદ્ધ વખતે ક્લસ્ટર બોંબ ઝીંકી, નિર્દોષ નાગરિકોને મારી નાખે છે, તો પણ અપમાનિત એવા ભારત દેશની સરકાર પણ ચૂં કે ચાં કરી શકતી નથી, તેવી અમેરિકી સરકારને માટે તો સંત રજનીશમલને તગેડી દેવા તે ડાબા હાથનો ખેલ હતો. તે તેણે પાર પાડ્યો.

અમેરિકામાં એલબીડબલ્યુમાં આઉટ થયા પછી સંત રજનીશમલે કચ્છના એકલવાયા વેરાન પ્રદેશમાં આશ્રમ વિષે વિચાર્યું (તે વખતે કચ્છ વેરાન ઉજ્જડ હતું. હવે તો તે પર્યટન સ્થળ છે. મોદીકાકાની જય હો). પણ ત્યાં ઉહાપોહ થયો. વળી ઘરાકીનો પણ સવાલ હતો. એટલે પૂના આવ્યા. અને થોડે દૂર આશ્રમ સ્થાપ્યો. મુંબઈ નજીક હતું. મુંબઈનો દરિયો પણ નજીક હતો. માલેતુજારો પણ નજીક હતા અને વિદેશીઓ પણ ટ્રીપ મારી શકે તેમ હતા.

હાજી ઓશો આશારામ અને સંત રજનીશમલ સમાન આઈટમ વાનગીઓના વેપારી હતા. ઓશો આશારામ અમર્યાદિત પુરુષોત્તમ હતા. સંત રજનીશમલ મર્યાદા પુરુષોત્તમ હતા.

ओशो राधे राधे

ઈતિ સંત પુરાણે દ્વિતીયોધ્યાયઃ સંપૂર્ણઃ

 (ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંત, પ્રેમ, કરુણા, સિક્કા, ઐક્ય, કૃષ્ણ, રાધા, બુદ્ધ, સુજાતા, ખીર, રજનીશ, બંસી, સૂર, સ્પંદન, આલાપ, ઉર્જા, સંભોગ, સમાધિ, રસાયણ, માલેતુજાર, વિદેશી, અમેરિકા

Read Full Post »

ઓશો આશારામ અને સંત રજનીશમલ

અશારામ ઉર્ફે આસારામ ઉર્ફે આસુમલ ને ઓશો કેવી રીતે કહી શકાય? “ઓશોનો અર્થ ઓશોવાદીઓ કોઈ એક ભાષાના શબ્દકોષ પ્રમાણે સંપૂર્ણ જ્ઞાની, બ્રહ્મજ્ઞાની કે જ્ઞાની એમ બતાવે છે. ચાલો કમસે કમ ઓશો શબ્દ જ્ઞાન સાથે સંકળાયેલો છે તે વિષે મતભેદ નથી. પણ કેટલાકને વાંધો પડશે કે જો આશારામને ઓશો આશારામ કહીશું તોઓશોનું અવમૂલ્યન કર્યું ગણાશે. અનેઓશોશબ્દને તો રજનીશના ભક્તોએ રજનીશ સાથે એવો સાંકળી લીધો છે કે તેઓએ એક પરંપરા બનાવી છે કેઓશોઅનેરજનીશ પર્યાયવાચી છે. તે હદ સુધી કેઓશોએટલું માત્ર ઉલ્લેખવાથી રજનીશ એમ સમજવું.

ओशो राधे राधे

ઓશો લીલાઃ

પણ જેઓ સાક્ષી ભાવે જગતને જુએ છે અથવા જોવા માગે છે અથવા જોવાની કોશિસ કરે છે તેઓ આવા મર્યાદિત શબ્દ પ્રયોગ કરવામાં વિચરી શકે. જગતને સાક્ષીભાવે જોનારા નેઓશોશબ્દના વ્યાપક પ્રયોગ કરવામાંથી કોઈ વિચલિત કરી શકે. અને ભાવે અને તર્કે આપણે આપણા લોકશાહી દેશમાંઓશોનો વ્યપક શબ્દ પ્રયોગ કરીશું અને આશારામને ઓશો આશારામ કહીશું. જો કે ઓશો આશારામને તેમના ભક્તોમાંના ઘણા ભગવાન અને અથવા સિદ્ધપુરુષ પણ માને છે. લોકશાહીમાં તર્કહીન અંગત માન્યતા ધરાવવી પણ એક અધિકાર છે. જ્યાંસુધી તમે બીજાની તંદુરસ્તીને કે સમાજની તંદુરસ્તીને છેતરવા માટે આવું કરો ત્યાં સુધી તો તમને બધી સ્વતંત્રતા છે. સમાજની તંદુરસ્તી એક અઘરો વિષય છે. અને સમાજના મૂર્ધન્યો અને મહાજનો તેના વિષે વિસંવાદિત રીતે પણ, સંવાદ, વિવાદ, વિતંડાવાદ અને તલવારી યુદ્ધો કરતા આવ્યા છે. અહીં તે વિષય અપ્રસ્તુત્ય છે.

આઉટ સાઈડર

પાશ્ચાત્ય તત્વજ્ઞો આવા સાક્ષીભાવવાળા માણસો માટેઆઉટ સાઈડરએવો શબ્દ વાપરીને ધન્યતા અનુભવે છે. સંત રજનીશમલે પણ આઉટ સાઈડરનો શબ્દ પ્રયોગ કરીને ઘણું અદભૂત લખ્યું છે એમ આપણા કટારીયા લેખક શ્રી કાન્તિભાઈ ભટ્ટ કહે છે. તેમજ શ્રી કિશોરભાઈ મકવાણા પણદિવ્ય ભાસ્કર ૨૦મી ઓક્ટોબર ૨૦૧૩ રવિપૂર્તિમાં  કહે છે.

આઉટસાઈડર ક્યાંથી ટપકી પડે છે?

જેણે સત્યને જાણ્યું છે અથવા તો સત્યને જાણવાની કોશિસ કરી છે તેમનું કહેવું હોય છે કેઆઉટ સાઈડરબન્યાવગર સત્ય જાણવાના રસ્તે આગળ વધી શકાતું નથી. એટલે કે તટસ્થભાવ રાખ્યા વગર તમે સત્યને (તથ્ય) તારવી શકો. ન્યુટનનો હું ભક્ત છું માટે ન્યુટન કહે તે સાચું એવું જો કહીયે તો અવકાશ યાનો ચાલી શકે. ન્યુટનના સિદ્ધાંતોને પ્રયોગો દ્વારા ચકાસીએ તો તથ્ય લાધે. કારણકે ચકાસણીના ઉપકરણો તટસ્થ હોય છે. અને ચકાસણીના કામમાં તર્ક બુદ્ધિ પણ એક ઉપકરણ હોય છે. તેને પણ તટસ્થ રાખવું પડે.

પણ બને છે એવું કે સમાજશાસ્ત્રના તત્વજ્ઞાનમાં આપણા મૂર્ધન્યો, તો ઉપકરણોને તટસ્થ રાખે છે કે તો તર્કબુદ્ધિને તટસ્થ રાખે છે. તમે જુઓ, “ફલાણા આમ કહ્યું અનેફલાણા તેમ કહ્યું. આપણે માનનીય કટારીયા શ્રી કાન્તિભટ્ટ ની કટારનો કોઈપણ લેખ વાંચી શું તો તમને અગણિત પાશ્ચાત્ય વિદ્વાનોના ઉદ્ધૃતો વાંચવા મળશે. જાણે કે તે તારવણીઓ સ્વયંસિદ્ધ અને પરમબ્રહ્મ સત્ય હોય.  … અહો રુપમ અહો ધ્વનિજેવું . કમસે કમ આજે જેની વાત કરીએ છીએ તે સંત રજનીશમલ વિષે કે ઓશો આશારામ વિષે તો આવું લાગે છે.

ओशो संत

તમે આઉટસાઈડર છો તો તમારે માટે ઓશો આશારામ અને સંત રજનીશ સમાન છે.

આશારામ ઓશો શા માટે?

જો રજનીશ એટલે રજન્યાઃ ઈશઃ અસૌ, સઃ રજનીશઃ રાત્રીનો જે ઈશ્વર છે તે રજનીશ. એટલે કે રજનીશમાં ઈશ (ભગવાન) તો સમાયેલો છે તો પછી ભગવાન રજનીશ કેમ? છતાં પણ રજનીશના ભક્તો, રજનીશને ભગવાન રજનીશ એમ કહેતા.

આશારામ કેવીરીતે ઓશો તો હોવા જોઇએ?

આશારામ રાજકીય મહાનુભાવ નથી. જો કે કેટલાક સર્વ પક્ષીય રાજકીય મહાનુભાવો તેમને નમન કરે છે. નમન કરતા હોય તો તેમના મુલાકાતીઓ તો બનેલા છે. આશારામ પાસે સત્તા નથી. તે છતાં પણ તેમને મહાનુભાવો નમન કરેછે અને મુલાકાત લે છે. સત્તા વગરનું શાસન છે તેથી તેમનું અનુશાસન છે. માટે તેમનામાં કંઈક તો હોવું જોઇએ.

આશારામને જ્ઞાન તો થયું છે કે ખરું, કે આ જગતમાં પરમ સત્ય આખરે શું છે, જેથી તમે સદેહે પરમાનંદ પામી શકો? પરમાનંદની પ્રાપ્તિમાટે તમારી પાસે અનુયાયીઓ હોવા જોઇએ. જો તમારી પાસે અનુયાયીઓ હશે તો તર્કની શું વિસાત છે! તર્ક બર્ક માર્યા ફરે. જેમ ગેડી દડાનો ખેલાડી, દડાને ગાંઠતો નથી, પણ પોતાની ગેડીથી દડાને ફાવે તે દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી સંકલ્પબદ્ધ પુરુષ ભાગ્ય ઘડનારા ગ્રહોને ગાંઠતો નથી અને ગ્રહોની ઐસી તૈસી કરીને તે પોતાના પ્રારબ્ધને ઘડે છે. તેવી રીતે બહોળા અનુયાયીઓ ધરાવતો પુરુષ (પુરુષમાં સ્ત્રી પણ આવી જાય એમ કાયદો અને ધર્મ ગ્રંથો કહે છે), તર્કને ગાંઠતો નથી અને અર્થોને ફાવે તે દિશામાં ફંગોળે છે.

ધર્મ કરતાં લાંચ મહાન છે” ( ‘ગરમ હવા ફિલમની એક ઉક્તિ).

લાંચ એટલે એક જાતની લક્ષ્મી. લક્ષ્મીપતિઓની કમી નથી. લક્ષ્મી થી પણ અનુયાયીઓ મહાન છે કારણ કે ખરી શક્તિ તો અનુયાયીઓની બનેલી હોય છે.

ગુરુ ગોવિંદ દોનું ખડે કાકુ લાગુ પાય?

બલીહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો બતાય.

ગુરુ અને ભગવાન બે ઉભા હોય તો પહેલાં કોને પગે લાગું?

ગુરુને તો (પહેલાં પગે લાગવાનું હોયને)? (કારણ કે ભગવાન તો ધન સંપત્તિ આપે છે), પણ ગુરુ તો આપણને ભગવાન આપી દે છે.

લક્ષ્મી અને અનુયાયીઓ બે ઉભા હોય કોને પગે લાગું? અનુયાયીને તો કારણ કે તે તો તમને લક્ષ્મી પણ આપી દે છે. જેમની પાસે લક્ષ્મી છે તે ચરિત્રવાન છે, તે જ્ઞાની છે, તે તર્કશાસ્ત્રી  છે, તે વક્તા છે અને તે દર્શન કરવાને યોગ્ય છે.

તો હવે કહો, કોની પાસે વધુ લક્ષ્મી છે? ચોક્કસ રીતે આશારામ પાસે વધુ લક્ષ્મી છે. જ્યાં લક્ષ્મી હોય ત્યાં સહુ ગુણો આંટા ફેરા મારે એટલું નહીં રાજકીય મહાજનો પણ આંટાફેરા મારે છે. તેથી આશારામ ખરા ઓશો છે.

હવે તમે કહેશો, કે સારું ચાલો. તમે આશારામને ઓશો આશારામ કહ્યા તેમાં તથ્ય હશે. પણ તમે રજનીશને સંત રજનીશમલ કેમ કહ્યા? રજનીશસંતકેવી રીતે અને રજનીશમલકેવી રીતે?

સંત અને મલ

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા ?

કેટલાક લોકો મનમોહન સિંહને શરુઆતમાં કદાચ ફક્ત તેમની દાઢીને કારણે મીસ્ટર ક્લીન કહેતા હશે. પણ તે પછી નહેરુવીયન કોંગ્રેસની ગટરગંગામાં ઘણી શ્યામાલક્ષ્મીના હિમશીલા જેવા વહેણ પકડાયા, તેથી હવે તેમને કોઈ સંત કહેતું નથી. પણ ભીન્દરાણવાલે ને ઈન્દીરા ગાંધીએ સંત કહેલા. અને કહેવાય છે કે કશીક ભાગબટાઈ પણ કરેલી.

દાઢીવાળા સંતશબ્દના પ્રીફીક્સ વાળા બાવાજીઓનો તૂટો નથી. જો કોઈ એક તથ્યએકમાટે સત્ય તરીકે લાગુ પડતું હોય, “બેમાટે લાગુ પડતું જોય, “ત્રણમાટે લાગુ પડતું હોય, અને  આર” (જ્યાં આરકોઈ પણ એક ધનાત્મક પૂર્ણ સંખ્યા છે એટલે કે પોઝીટીવ ઈન્ટીજર નંબર છેએટલે કે એક રેન્ડમ રીતે પકડેલ છે, તેને લાગુ પડતું હોય તો તેને સત્ય માનવું, એવો એક તર્ક તારણ ગણાય છે. તો આપણે અનુયાયીઓના વૃંદની વચ્ચે શોભાયમાન થતા દાઢીવાળા જણને સંત કહી શકીએ. માટે રજનીશ સંત તો કહેવાય .

રજનીશમલ”  કેવી રીતે?

જગ્ગુમલ, ટેહુમલ, ટોપામલ, ટેભામલ, આસુમલ, વિગેરે મલ તો આપણે સાંભળ્યા છે. પણ રજનીશ મલ ક્યાં હોય છે? અરે ભાઈ સિંધીભાઈઓના નામોમાં પણ ક્રાંતિ આવી શકે છે. વળી ઓશો આશારામ જો બીનસિંધી એવા નરેન્દ્ર મોદીને પણ નરેન્દ્રમલ કહેતા હોય તો મલ શબ્દ કંઈ સિંધી, મારવાડી, પંજાબીઓ પુરતો મર્યાદિત ગણી શકાય. હવે તો દક્ષિણ ભારતીય યુવકોના શ્રીનિવાસન, વેંકટરામન, રામન, શંકરન, કૃષ્નન ને બદલે શૈલેશ, સુરેશ, ઉમેશ એવા નામ જોવા મળે છે. અને ઉત્તરભારતીય મહિલાઓના નામ પણ રામકટોરી, રબડી, રામપ્યારી, રામદુલારીને બદલે કાન્તા, શાન્તા, રાધિકા, જેવા નામો જોવા મળે છે અને ભાઈઓમાં પણ રામખિલાવન, રામપિલાવન, રામરતન, ને બદલે રાકેશ, રાજેશ, રમેશ જેવા નામો જોવા મળે છે.

ગુજરાતીમાં મલ્લ શબ્દ વપરાય છે.એમ તો મલ શબ્દ પણ છે. પણ પાશ્ચ્યોક્ત શબ્દથી તો જનતા દૂર ભાગે, જો તે શરીરની બહાર હોય તો. શરીરની અંદર હોય તો તેને દૂર કરવાના પ્રયત્નો કરે. એટલે બીરબલે અકબરને, “સુખી કોણ પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ કે સુખી માણસ કે જે સંતોષકારક રીતે હંગી શકે. હંગ પણતમસો મા જ્યોતિર્ગમયની જેમ શરીરની અંદરના અંધકારમાંથી દુનિયાના પ્રકાશમાં આવે છે. અને સુખી થાય છે.

સંત રજનીશમલને પણ તેમના અને તેમના શિષ્યોના કહેવા પ્રમાણે પ્રકાશ લાધ્યો હતો.

શું સંત રજનીશમલ સુખી હતા?

લક્ષ્મી, સંપત્તિ અને અનુયાયીગણ તો સંત રજનીશમલ પાસે પણ હતાં. તો પછી સંત રજનીશમલ અને ઓશો આશારામ માં ફેર શો છે?

આમ તો બંનેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ સરખાં છે પણ પ્રસ્તુતિ અલગ અલગ છે. વ્યવવસાય એક છે પણ વ્યુહરચના અલગ અલગ છે.

જો રોગ કહેવામાં આવતો હોય તો રોગ અને જો યોગ કહેવામાં આવતો હોય તો યોગ. સમાધિ કહેવામાં આવતી હોય તો સમાધિ. વિષેનો નિર્ણય રોગશાસ્ત્રીઓ ઉપર અને માનસશાસ્ત્રીઓ ઉપર છોડી દેવો જોઇએ. પણ જે હોય તે બંનેમાં સમાન છે.

સૌથી ભયંકર કોને કહેવાય તે કેવી રીતે નક્કી કરશો?

જે વસ્તુ નિડરને પણ ભય પમાડે તે સૌથી વધુ ભયંકર ગણાય.

તેવી રીતે સૌથી શરમજનક વાત કોને કહેવાય?

જે વાત બેશરમીને પણ શરમ પમાડે તે વાત સૌથી શરમજનક કહેવાય.

ઓશો આશારામ અને સંત રજનીશમલ, બંને ગોપીઓના શોખીન. એમ તો કૃષ્ણ વિષે પણ ગોપીઓને ટાંકવામાં આવે છે. પણ તેમાં દંતકથાત્મકતા વધુ છે. શ્રી કૃષ્ણે ઘણો પરસેવો પાડેલ અને ભારતીય સમૂદ્ર ઉપર ધ્વજ પતાકા લહેરાવેલ. પછી લોકો દ્વારા ખાસ કરીને માલેતુજાર લોકો દ્વારા બધું કૃષ્ણાર્પણ કરવામાં આવ્યું તેમાં ગોપીલીલાઓ પણ આવી ગઈ. વિષયાંતર છે તેથી તેની ચર્ચા નહીં કરીએ.

આપણા ઓશો આશારામ અને સંત રજનીશમલ, બંને પોતાની આગવી જુદી જુદી વ્યુહરચનાઓ દ્વારા ગોપી લીલાઓ કરતા હશે એવું હોઈ શકે.

જગતમાં ત્રણ જાતના લોકો હોય છે.

ગરીબ, મધ્યમ અને માલેતુજાર.

વૈચારિક કે ધન સંપત્તિ કે બંને, બાબત વિષે વાચકોએ નક્કી કરવું.

ગરીબ લોકોને ગરીબ રાખી, લાલચ આપી, ભરમાવી શકાય છે. મધ્યમ લોકોને થોડા સમય માટે ભરમાવી શકાય છે. માલેતુજારોને સંતોષીને ભરમાવી શકાય છે.

નહેરુવીયન કોંગ્રેસીઓ આમ કરતા આવ્યા છે. એટલે તો ગરીબ ગરીબ રહ્યા છે અને બાવાઓ, મૌલવીઓ, રાજાભૈયાઓ, દાઉદો, શાહજાદાઓ અને જમાઈઓ ફુલાફાલ્યા છે.

જુઓ ગોપી લીલાઓમાં તેઓ કેવા આગળ છે!

ઓશો આશારામ એટલે તું અતૃપ્ત રાધા અને તને તૃપ્ત કરનારો કૃષ્ણ હું છું, એવું છાપામાં વાંચવા મળેલ. સંત રજનીશમલની તો સંભોગથી સમાધિની વાત પ્રસિદ્ધ છે.

ઓશો આશારામે સૌ માટે પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા. સંત રજનીશમલને આકાશ સાથે બાથ ભીડવી હતી. તેથી તેમણે માલેતુજારોને પસંદ કર્યા અને મધ્યમવર્ગીય ગોપીઓ પસંદ કરી. બધું ચાર દિવાલ વચ્ચે રાખ્યું. એક સમયે ફક્ત એક ગોકુળ રાખ્યું.

ઓશો આશારામે ગામે ગામ ગોકુળ બનાવ્યા.

ઓશો આશારામ ઉપર કેમ આભ તૂટી પડ્યું અને સંત રજનીશ કેમ બચી ગયા?

ચિમન ભાઈ પટેલે ગુજરાતના બધા મુખ્ય મંત્રીઓને ઉથલાવ્યા. પણ બળવંતરાય મહેતા ૧૯૬૫માં વિમાન અકસ્માતમાં મરી ગયા એટલે (ઉથલવામાંથી) બચી ગયા.

સંત રજનીશ એમ તો સાવ કોરા ધાકોર રહ્યા હતા. અમેરિકાના આશિક હોવાથી અમેરિકા સ્થાયી થવા ગયેલ. ધોળીયા શિષ્યો પણ મળેલ. અને ગોપી લીલાઓનો ત્યાં સૈધાંતિક છોછ હોતો નથી તેથી તે લીલા ચાલી પણ હતી. પણ ભારતીય લોકોને દેશી ભાંગ કે અફીણ જોઇએ તો ધોળીયા લોકો ને વિદેશી ભાંગ એટલે કે ડ્રગ જોઇએ. અને ધંધો નફાનો છે.

અમેરિકન સરકારને અને પાદરીભાઈઓને સુષ્ઠુ સુષ્ઠુ બોલવું બહુ ગમે પણ જો તેમને અનુક્રમે એમ લાગે કેદાળમાં કંઇક કાળું છેઅને આપણું મહત્વ ઘટે એમ છે તો તેઓ કોથળામાં પાંચશેરી રાખીને કોથળાના પ્રહાર કરે. આવું કંઈક તેમણે સંત રજનીશ વિષે કર્યું. અને સંત રજનીશે અમેરિકામાંથી ઉચાળા ભર્યા. તે આજ ની ઘડી અને કાલનો દિ’, સંત રજનીશે અમેરિકા સામે જોયું નથી. રજનીશમલની વાત જવા દો, તેમનો કોઈપણ શિષ્યઅમેરિકામાંથી કેમ ઉચાળા ભર્યા તે વિષે ઉચ્ચરવા પારદર્શી નથી.

અમેરિકા પણ જો સોય થી પતી જતું હોય તો કરવત ચલાવે. માનવ હક્કોની વાતો કરે. પણ ઓસામા બીન લાદેન ઉપર કાયદેસર કામ ચલાવે. છડે ચોક એનકાઉન્ટર કરે અને પછી સમૂદ્રમાં પાર્થિવ શરીરનું ધબાય નમઃ કરે. અમેરિકાની તો ન્યાયપ્રણાલી શીઘ્રાતિશીઘ્ર છે. તો પણ તે આતંકવાદીઓની બાબતમાં કોઈ ન્યાયિક સાહસ કરવામાં માનતી નથી.

તેનાથી ઉંધું ભારતીય ન્યાયિક પ્રણાલી થર્ડક્લાસ છે તો પણ આપણી નહેરુવીયન સરકાર આતંકવાદીઓની બાબતમાં નકલી એનકાઉન્ટરના ફીફાં ખાંડે છે. કહ્યું છે ને કે:

જ્યાં બુદ્ધિશાળીઓ જતાં વિચાર કરેછે ત્યાં મૂર્ખાઓ માથું મારીને ઘુસી જાય છે.

મૂળ વાત પર આવીએ તો સંત રજનીશના હાલ, ઓશો આશારામ જેવા એટલા માટે થયા કે જેમ બળવંતરાય મહેતા ચિમન ભાઈ પટેલથી બચી ગયા તેમ સંત રજનીશ પણ બચી ગયા.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ઓશો, આશારામ, સંત, રજનીશ, યોગ, રોગ, સંભોગ, સમાધિ, અમેરિકા, ગોપી, લીલા, વૃંદાવન,     

      

 

  

  

      

Read Full Post »

જમીનના હક્કો અને ગાંધીવાદની માયા જાળ

નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગો માટે જમીન સંપાદન કરે અને ઉદ્યોગોને આપે એટલે કેટલાકને ન ગમે તે સ્વાભાવિક છે. કોઈપણ કામ સારું હોય કે ખરાબ હોય તેનો અમુક જુથ તરફથી વિરોધ તો થવાનો જ. ઔદ્યોગિક ગૃહો કે વ્યક્તિગત ઉદ્યોગો સ્થાપવાની ઈચ્છા ધરાવનારાઓ પણ જ્યારે ઉદ્યોગ સ્થાપવા માટે અરજી કરે ત્યારે સરકાર પોતે પણ એટલે કે સરકારી અધિકારીઓ પણ વાંધા વચકા પાડે. ઉદ્યોગસ્થાપનારાઓ સરકારી અધિકારીઓના સંસ્કાર અને આદતોથી જાણકાર હોવાથી, તેમના લાગાઓને પણ એક પરિબળ માની તેને ખર્ચની ગણત્રીમાં લેતા હોય છે. આ ખર્ચને નાબુદ કરવા અનેક નરેન્દ્ર મોદીઓની સરકારને જરુર પડશે. જો કે આપનાર અને લેનાર સંપીને આ સમસ્યાનો નીવેડો લાવતા હોય છે તેથી આવી વાતો બહાર આવતી નથી. છૂટા છવાયા પકડાઈ જવાના બનાવો છાપામાં આવે છે. પણ તેની વિગતો બહાર આવતી નથી.

પણ જ્યારે સરકાર પોતે પોતાની આતુરતા ઉદ્યોગ સ્થાપવા માટે બતાવે ત્યારે તેનાથી જનતાને થતા લાંબા અને ટૂંકા ગાળાના લાભોને ધારોકે આપણે અવગણીએ અને જમીન સંપાદનની ક્રિયામાં જે વાડાઓ અને જુથો તરફથી અવરોધો ઉત્પન્ન થાય છે અને થવાના છે તેને સરકારી અધિકારીઓ લક્ષમાં લેતા હોય તેવું લાગતું નથી.

ગાંધીજીએ કહેલું કે તમે સારું કામ કરો તો પણ તેના અમુક ખરાબ પરિણામો પણ મળવાના જ. આનું કારણ લોકોની કે તેમના જુથોની કાર્ય કે સિદ્ધાંતોની અધૂરી સમજણ હોય છે. અને જો આમાં દૂન્યવી રાજકારણ કે જેમાં સ્વખ્યાતિ કે “ટકો લે પણ મને ગણ” એવી માનસિકતા ભળે એટલે કેટલીક ચર્ચાઓ, સંવાદો, અસંવાદો, વિસંવાદો અને વિતંડાવાદો પણ ઉજાગર થાય.આમાં ભલભલા ગોથાં ખાય તો સામાન્ય જનતાનું તો ગજું જ શું!

સત્યાગ્રહનો સીધો સાદો દાખલો

ગાંધીજીએ આપેલું હથીયાર એટલે કે સત્યાગ્રહ દ્વારા વિરોધ કરવો. એટલે કે આત્મપીડન (ઉપવાસ કે સજા સહિતની તૈયારી સાથે સવિનય કાનુન ભંગ) માટે તૈયાર રહી કોઈ બાબતનો વિરોધ કરવો. આ એક અહિંસક કાર્ય છે. ગાંધીજી અહિંસામાં માનતા હોવાથી તેમણે સત્યાગ્રહને સામુહિક હિતના આધારે પુરસ્કૃત કરેલ. જો કે સત્યાગ્રહ કરતાં પહેલાં તેની અમુક શરતો ગાંધીજીએ પ્રસ્તૂત કરી છે. પણ જો આ શરતો પ્રત્યે સત્યાગ્રહી અજ્ઞાન હોય, અથવા આત્મખ્યાતિ સહિતના બદઈરાદાવાળો હોય તો આપણને સત્યાગ્રહના પણ ખરાબ પરિણામો જોવા મળે.

જેમકે જેના અસંખ્ય ભક્તો છે તેવા રજનીશે પોતે કેવા જ્ઞાની છે અને મહાત્માગાંધીથી પણ કેટલા બધા આગળ વધેલા મહાન વિચારક છે તે દર્શાવવા તેમણે ગાંધીજીના સત્યાગ્રહની ટીકા ચાલુ કરીને સ્વખ્યાતિ માટે મેદાનમાં કૂદી પડેલ. તેમણે દાખલો આપેલ કે એક વેશ્યાએ કે જેનો પ્રેમ એક તરફી હતો તેણે પોતાને મનપસંદ વ્યક્તિને પોતાને પરણવા માટે સત્યાગ્રહ (ઉપવાસ)નો આશરો લીધો. “મને પરણ નહીં તો હું તારા ઘરની સામે ઉપવાસ કરીને મરી જઈશ”.

આ એક બળજબરી થઈ. બળ જબરી એક હિંસા છે. એટલે સત્યાગ્રહની એક આડ પેદાશ હિંસા હોય છે. એટલે સત્યાગ્રહમાં પણ હિંસાનું તત્વ છે. આમ રજનીશે ગાંધીજીના સત્યાગ્રહના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ પોતાને અહિંસાના ગાંધી કરતાં વધુ જ્ઞાની સાબિત કરી દીધેલ. તેમણે નિરપેક્ષ અહિંસાની વાત કરેલ. કે જેમાં પોતાની પરાશક્તિ દ્વારા એક પાદરીએ બીજી વ્યક્તિનું દૂરદૂર રહ્યે વિચાર પરિવર્તન કરી દીધેલ. એવો એક કપોળકલ્પિત દાખલો પણ આપેલ. મૂળ વાત એમ છે કે જ્યારે તર્કશાસ્ત્રનું અધકચરું જ્ઞાન હોય, સમજણ પણ ઓછી હોય, વાચન પણ અધૂરું હોય અને તમારા શ્રોતાગણ કે વાચકગણ તમારી કક્ષાથી પણ ઉતરતી કક્ષાના હોય ત્યારે તમે તમારી ખ્યાતિ વાણી વિલાસ દ્વારા વધારી શકો છે.

જેમણે બકરી જોઇ નથી તેવા શ્રોતા ગણ આગળ તમે બકરીને ત્રણ ટાંગ હોય છે એટલું જ નહીં તેને ટાંગ વગરની પણ સાબિત કરી શકો છો. જો તમે સત્યાગ્રહના આધારરુપ સ્તંભોને ન જાણતા હો તો તમે સત્યાગ્રનો અયોગ્યરીતે ઉપયોગ કરી, ખરાબ પરિણામો ઉત્પન્ન કરી શકો છો.

સત્યાગ્રહની પૂર્વ શરતો છે.

અહિંસક આંદોલન આચરતાં પૂર્વે, તે દરમ્યાન અને તે પછી પણ, આ બાબતો તો અસ્તિત્વ ધરાવતી હોવી જ જોઇએ. સમાજનું ભલું (નિસ્વાર્થી પણું), તાર્કિક સંવાદ અને તેનું સાતત્ય, પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ આ હોવાં જરુરી છે.

જો કે ગાંધીજીએ કહેલ કે તમે સારું અને શુદ્ધબુદ્ધિથી કામ કરો તો પણ અમુક દુસ્પરિણામ તો આવી શકે છે. પણ આવા દુસરિણામોનું પ્રમાણ ઓછું રહેશે અને સુપરિણામોનું પ્રમાણ ઘણું વધુ રહેશે. તેથી સરવાળે ઘણો લાભ જ થશે.

જેવું રજનીશનું હતું તેવું કેટલેક અંશે સરકાર દ્વારા ઔદ્યોગિક જગતમાટે જમીન સંપાદનની બાબતમાં તેનો વિરોધમાં આંદોલન કરનારા રાજકીય નેતાઓ, કહેવાતા કર્મશીલો, કેટલાક અખબારી મૂર્ધન્યો, ગાંધીવાદી અને ખુદ સરકારી અમલદારોના વલણ વિષે પણ આવું જ કહી શકાય.

જમીન સંપાદન ના દરેક કિસ્સાને એક એક કરીને જ જોઇ શકાય. જમીન સંપાદનમાં જમીનના દરેક કિસ્સાની કથા અલગ અલગ હોય છે. જો બંને પક્ષે સામાજીક હિતની સમજણ, અન્યાય ન થાય તેવી વૃત્તિ ધરાવતા હોય અને સંવાદમાં જો તર્ક શુદ્ધતા રાખતા હોય તો જમીન સંપાદન એ કોઈ અશક્ય કામ નથી અને આંદોલનનો વિષય પણ નથી.

તર્કની અશુદ્ધતાઃ

અમારે જમીન આપવી જ નથી.

અમારે ખેતી જ કરવી છે.

અમે જમીન નહીં આપીએ કારણ કે

જમીન ઉપર અમારો હક્ક છે.

જમીન આપી દઈએ તો અમે કરીશું શું?

તમે જે વળતર આપશો તે કંઈ અમારે જીંદગી ભર ચાલશે નહીં. એ પૈસા તો વપરાઈ જશે. તે પછી અમે શું કરીશું?

તમે અમારી પાસેથી સસ્તાભાવે જમીન લઈ ઉદ્યોગોને (પાણીના મુલે) જમીન આપો છો. અમને (જમીનના) માલિકમાંથી (કરખાનાના) મજુર બનાવી દો છો.

અમે શું કામ અમારું ગામ છોડીએ?

ગામની જમીન ઉપર ગામનો જ હક્ક છે.

જો ગ્રામ પંચાયત મંજુર ન કરે તો તમે ગૌચર કે ખરાબાની કે પડતર જમીન પણ ન લઈ શકો.

અમારા ઢોર ચરશે ક્યાં?

માલધારીઓનું શું થશે?

ગાંધીજીએ પ્રબોધેલા ગ્રામ સ્વરાજ ની ભાવનાનો અહીં ધ્વંશ થાય છે.

ઉદ્યોગો થી પર્યાવરણનો નાશ થશે,

ગ્રામ્ય જનતાનું શોષણ થશે.

અમારે તો ખેતી જ કરવી છે. જમીન આપવી જ નથી.

શું આ શાશ્વત નિર્ણય છે?

ધારો કે “હા” એમ છે.

આપણે અમદાવાદની જ વાત કરીએ. કારણ કે અમદાવાદને જે લાગુ પડે છે તે બધા શહેરો, કસ્બાઓ અને ગામને પણ લાગુ પડશે.

૧૯૪૨માં મોટાભાગની વસ્તી કોટ વિસ્તારમાં જ વસતી હતી. ચારે બાજુ નાના ગામડાઓ હતા. ૧૯૪૮ સુધી પણ લગભગ આજ સ્થિતિ હતી. ચારે બાજુ ખેતરો હતાં. રાયપુર દરવાજાથી કાંકરીયા જોઇ શકાતું હતું. કાંકરીયાથી મણીનગર જવાના રસ્તા ઉપરથી મણીનગર સ્ટેશન જોઈ શકાતું હતું. ૧૯૫૨માં પણ ગીતા મંદીરથી વેદ મંદીર જોઇ શકાતું હતું. શાહઆલમનો રોજો જોઇ શકાતો હતો. હજારો ખેડૂતો ખેતી કરતા હતા. આજે અમદાવાદ કોટની રાંગથી ચારે બાજુ ૧૦થી પણ વધુ કીલોમીટર સુધી બાંધકામો થઈ ગયાં છે. અહીં હજારો ખેતરો હતાં. આ હજારો ખેતરોમાંથી એક પણ ખેતર બચ્યું નથી. આ બધા ખેડૂત ભાઈઓમાંથી કેમ એવા કોઈ જ ન નિકળ્યા કે જેમણે કહ્યું અને કર્યું કે અમારે તો અમારી જમીન વેચવી જ નથી અને માત્રને માત્ર ખેતી જ કરવી છે. તે વખતે શું ખેડૂત ભાઈઓ વધુ ભણેલ હતા? તે વખતે શું ખેડૂતભાઇઓ બીજો ધંધો કરવાની વધુ આવડત ધરાવતા હતા?

નાજી આવું કશું જ ન હતું. તે વખતે તો ખેડૂતો વધુ ગરીબ હતા.

શું ૨૦૦૨ પછી જ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાયા? નાજી ઉદ્યોગો ગુજરાતમાં પહેલાં પણ સ્થપાતા હતા.

શું પહેલાંના સ્થપાયેલા ઉદ્યોગો પર્યાવરણને હાની કારક ન હતા? ચોક્કસ હતા. અને હજી પણ છે.

પહેલાંના ઉદ્યોગો ચોક્કસ પર્યાવરણને હાનીકારક હતા. અને તે વખતે તો પર્યાવરણને લગતા કાયદાઓ બહુ નબળા હતા. તો પણ મનુભાઈ શાહે દરેક તાલુકા સ્તરે ઔદ્યોગિક વસાહતો સ્થાપેલ અને આ બધી જમીનો ખેતરાઉ જમીનો જ હતી. આ બધી જ ઔદ્યોગિક વસાહતો ગામેગામ હતી અને તેનો વિસ્તાર ગામને સમકક્ષ હતો. આખું ગાંધીનગર શહેર ખેતરોને ઉખેડીને બનાવેલ.

આજે ડાહી ડાહી વાતો કરનારા તે વખતના કોંગ્રેસીઓ અને તે વખતના નૂતન કોંગ્રેસીઓ તે વખતે ક્યાં હતા? સનત મહેતા જેવા પ્રજાસમાજવાદીઓને મહુવામાં “નૂતન કોંગ્રેસીઓ” એ નામની ઓળખવામાં આવતા હતા, અને અત્યારે આજ સનત મહેતા એક સમાચાર પત્રમાં કટારીયા મૂર્ધન્ય બની ગયા છે અને ડાહી ડાહી વાતો લખે છે.

૧૯૪૮ થી ૧૯૯૫ સુધીમાંનો સમય લક્ષ્યમાં લઈએ તો બધાં શહેરો, સરવાળે હજારો ચોરસ કીલોમીટર વિકસ્યા અને ગામડાને ગળી ગયાં. તો તે હજારો ગામડાંઓની હજારો ગોચરની જમીનો ક્યાં ગઈ?

બગીચો કેવી રીતે ઉકરડો બન્યો?

૧૯૮૧ પછી ગુજરાતમાં નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસ સોળે કળાએ વિકસી. ઉદ્યોગો અને સરકારી અફસરો વચ્ચેની ખાઈકી નો ધંધો પણ સોળેકળાએ વિકસ્યો. મનુભાઈ શાહે સ્થાએલી ઔદ્યોગિક વસાહતો (જી આઈ ડી સી), જે બગીચા જેવી લાગતી હતી તે બધી ગંદકીથી ખદબદવા લાગવાનું શરુ થયું. જો તમે દા.ત. વટવા જી. આઈ. ડી. સી.ના સરકારી કે ખાનગી ચિકીત્સકોને મળશો તો તેઓ તમને “ઑફ ધ રેકોર્ડ” આરોગ્ય ખાતાના અધિકારીઓની, પર્યાવરણના અધિકારીઓની અને ઔદ્યોગિક એકમના માલિકો વચ્ચેની મીલીભગતની ચોંકાવનારી વાતો કરશે. હાલ પર્યાવરણને લગતા કાયદા ઘણા કડક છે. ૧૯૮૧થી ચાલુ થયેલો ખાયકીના ધંધાનું ઉઠમણું થઈ શકે છે પણ તેને માટે નરેન્દ્ર મોદીએ ફુલ ટાઈમ અને તે પણ આ એક માત્ર પર્યાવરણનું જ કામ કરવું જોઇએ.

આરોગ્ય ખાતા પાસે અમર્યાદ સત્તા છે. પણ જેમ પોલીસ તંત્ર જેમ દારુબંધીનો અમલ કરવામાં ઠાગા ઠૈયા કરે છે, જેમ લેબર કમીશ્નર મજુરકાયદાના અમલમાં ઠાગા ઠૈયા કરે છે, જેમ મ્યુનીસીપલ કમીશ્નરો ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવામાં ઠાગાઠૈયા કરે છે, અને નહેરુવીયન કોંગ્રેસ જેમ વિદેશી બેંકોમાં રહેલું કાળું-લાલ નાણું પકડવામાં અને ગરીબી હટાવવામાં ઠાગાઠૈયા કરે છે તેમ આરોગ્ય ખાતાવાળા (પર્યાવરણવાળા સહિત) પ્રદૂષણ અટકાવવામાં ઠાગા ઠૈયા કરે છે.

ગંગા મૈલી ક્યું? તમે ગંગામાં કચરો નાખવો બંધ કરો તો એક ચોમાસું ગયા પછી આપોઆપ ચોક્ખી થયેલી જોવા મળશે.

અહીં ગાંધીવાદ અને ગાંધી વાદીઓની વાત ક્યાં આવી?

જમીન બચાવોના આંદોલનમાં ઈન્દીરાઈ કોંગ્રેસીઓ, નૂતન કોંગ્રેસીઓ, કહેવાતા કર્મશીલો, અખબારી મૂર્ધન્યો, સાથે ગાંધીવાદીઓ પણ સામેલ છે. નહેરુવીયન કોંગ્રેસીઓના વલણમાં વિરોધાભાસ હોય તે સિદ્ધ કરવાની જરુર નથી. તે સ્વયં સિદ્ધ છે. ૧૯૭૫-૧૯૭૭ સુધી ઈન્દીરા ગાંધીએ ચલાવેલી કટોકટી સ્વયંસિદ્ધ દંભી અને વિરોધાભાષી અને ગુન્હાહિત વલણોવાળી આતંકવાદી રહી હતી. એ પહેલાંના અને તે પછીના નહેરુવીયન કોંગ્રેસના વલણો પણ દંભી અને વિરોધાભાષી રહ્યા છે પણ તે બધા વિતંડા વાદ કરીને વિવાદાસ્પદ બનાવી શકાય તેમ હતા અને તેમ છે. પણ ૧૯૭૫-૧૯૭૭ તો ન્યાયાલય સંસ્થાના દસ્તાવેજો ઉપર છે. તેથી તેને અવગણી શકાય નહીં.

કેટલાક ગાંધી વાદીઓ મૂંગા રહેલ પણ ઘણા ગાંધી વાદીઓએ લડત અને ભોગ આપેલા. તેઓ સલામને પાત્ર છે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ” એ કૃષ્ણ ભગવાનની અને કૌટીલ્યની ફિલોસોફી પ્રમાણે અમુક ગાંધીવાદીઓની ટીકા કરવી જોઇએ.

ભૂમિપુત્ર એ સર્વોદય વાદીઓનું મુખ પત્ર છે. તે ગાંધીવાદી હોય તે અપેક્ષા આપણે રાખવી જોઇએ. જો સરકારની ટીકા ન કરીએ તો સરકારને સુધરવાનો ચાન્સ ન મળે તેવું નરેન્દ્ર મોદી પણ કહે છે. તેથી ભૂમિપુત્ર પણ ગાંધીવાદમાંથી ચલિત ન થાય તે આપણી અપેક્ષા હોવી જોઇએ. કમસે કમ ભૂમિપુત્ર એક તરફી વાતો ન કરે તે જરુરી છે. કારણ કે માત્ર એક પક્ષી વાતો રજુ કરવી તે ગાંધીવાદી પ્રણાલી નથી.

જમીન બચાવો એટલે શું?

ખેતી માટેની જમીન અને જંગલોની જમીન ઓછી ન થવી જોઇએ.

ધારોકે ખેતી માટેની જમીન બીજા હેતુ માટે વાપરી તો તેટલી જ જમીન ખેડાણને લાયક કરવી જોઇએ. એટલે કે જે જમીન પડતર છે અને ખરાબાની છે તેને નવસાધ્ય કરવી જોઇએ. જંગલો ન કપાવાં જોઇએ. નહેરુવીયન કોંગ્રેસના રાજમાં પુસ્કળ જંગલો કપાયાં અને હજુ પણ કપાય છે. ૧૯૯૩-૧૯૯૫ના અરસામાં શિલોંગથી ચેરાપૂંજીના રસ્તે આવતા પહાડો અને ટેકરીઓ વૃક્ષો વિહીન થઈ ગઈ હતી. શિલોંગથી ગુવાહટ્ટી જવાના રસ્તે જંગલો માં ઝાડને ગેરકાયદેસર રીતે આગ લગાડી ખેતર માટે કે બીજા હેતુ માટે જમીન નો ટૂકડો બનાવમાં આવતો હતો એ મેં નજરે જોયું છે. આવી જ ક્રિયા સહ્યાદ્રીના ડૂંગરોમાં ચાલે છે. ૯૫ ટકા પંચમહાલનું જંગલ ૧૯૬૫ સુધીમાં નષ્ટ કરીદેવામાં આવેલ. ગોધરાથી લુણાવાડા વચ્ચે ઘટાદાર જંગલ હતું તે વાત કોઈ આજે માને પણ નહીં. ૧૯૪૭ પહેલાં પંચ મહાલના જંગલોમાં ૯૦” વરસાદ પડતો હતો તે વાત પણ કોઈ માને નહીં. જો કે સર્વોદય વાદીઓનો જંગલો નષ્ટ કરવાની બાબતમાં ચણભણાટ ચાલુ હતો.

જમીન બચાવવી હોય તો જમીન ઉદ્યોગોને આપવી ન જોઇએ. કારણ કે ખેતીમાટે એટલી જમીન ની ઘટ પડે છે. અને જો ઉદ્યોગોને અપાતી જમીનો સામે આંદોલનો આપણે કરતા હોઈએ તો આપણે જ્યાં જ્યાં ખેતીની જમીનમાં બીજી કોઈપણ રીતે ઘટ પાડવામાં આવતી હોય ત્યાં ત્યાં વિરોધ પ્રદર્શિત કરી આંદોલન ચલાવવા જોઇએ.

જમીનની ઘટ કઈ કઈ રીતે પડે છે?

જમીનના ટૂકડાઓની ખેરાત કરવાથી જમીનની ઘટ પડે છે. આવી ખેરાતોનો ચીલો ઈન્દીરા ગાંધીએ પાડેલો છે. રહેણાંક માટે સરકારી નોકરોને, પત્રકારોને, ન્યાયધીશોને, જનપ્રતિનીધિઓને ગરીબોને, પછાત વર્ગોને જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વ્યક્તિઓને જમીનના ટૂકડા ફાળવા એ જમીનનો વ્યય છે.

ઝોંપડ પટ્ટીઓ ઉભી થવાથી જમીનની ઘટ પડે છે,

લારી ગલ્લાઓ અને પાથરણાઓ જમીન રોકે છે, તેથી જમીનની ઘટ પડે છે,

રો-હાઉસ વાળી દુકાનો કરવાથી જમીનની ઘટ પડે છે,

સ્વતંત્ર બંગલાઓ અને રો-હાઉસો વાળી હાઉસીંગ સોસાઈટીઓ અને ફાર્મ હાઉસોવાળી હાઉસીંગ સોસાઈટીઓ અને સંકુલો થવાથી જમીનની ઘટ પડે છે,

ઓછામાળવાળી (બે, ત્રણ કે ચાર) બહુ માળી સોસાઈટીઓ કે સંકુલો કરવાથી જમીનની ઘટ પડે છે,

જુના ખખડધજ પડુ પડુ થતાં મકાનો પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પાડે છે.

ખુલ્લી જગ્યામાં પાર્કીંગ માટે જમીન ફાળવવાથી જમીનની ઘટ પડે છે.

રસ્તાઓ ઉપર વાહન પાર્કીંગ ઉભા કરવાથી પણ જમીનની પરોક્ષ રીતે ઘટ પડે છે.

આમ તો પહોળા રસ્તાઓ અને રેલ્વે કરવાથી પણ જમીનની ઘટ પડે છે. નહેરો કરવાથી પણ જમીનની ઘટ પડે છે. ખેતરોના નાના ટૂકડાઓ કરવાથી પણ પરોક્ષ રીતે જમીનની ઘટ પડે છે, નદી ઉપર બંધ બાંધવાથી પણ જમીન ડૂબમાં જાય છે. આના પણ ઉપાયો છે. પણ તે લાંબા ગાળાના ઉપાયો છે. પણ તેની ચર્ચા પછી કરીશું.

આ બધી જે કોઈપણ રીતે જમીનની ઘટ પડે છે તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં પણ  પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે જમીન ઉત્પન્ન કરી શકાય છે.

જમીનની માલિકી

જમીનની માલિકી કોઈ એક વ્યક્તિની હોઈ જ ન શકે. જમીનની માલિકી ગામની પણ ન હોઈ શકે. એટલે કે ગામડાની પણ ન હોઈ શકે.  જો ભારતના દરેક નાગરિકને દેશમાં ગમે ત્યાં જવાનો અને સ્થાયી થવાનો હક્ક હોય તો જમીનનો વ્યવહાર રાષ્ટ્રીય રીતે જ થઈ શકે. જો જમીનમાંથી થતું ઉત્પાદન દેશમાં બધી જગ્યાએ વેચાઈ શકતું હોય તો કોઈ ગામડું, ગામ કે શહેર ઉપર સૌનો સરખો હક્ક હોવો જોઇએ. જો દેશની કેન્દ્રસ્થ સત્તા દેશ માટે એક વ્યાપક જમીનને લગતી નીતિ ન ઘડી શકતી હોય તો સક્ષમ રાજ્ય સત્તા પોતાના રાજ્ય પૂરતી નીતિ ઘડી શકે. કારણ કે જમીનને લગતી નીતિના વ્યાપક પરિમાણો હોય છે. એટલે જમીનને લગતી નીતિ ઘડવાના અધિકારો ગ્રામ પંચાયતને અબાધિત રીતે ન આપી શકાય. ગ્રામ પંચાયતના વાંધા વચકાનું જરુર નિરાકરણ લાવી શકાય. પણ હવે ગ્રામસ્વરાજ અને ખેડૂત જગતનો તાત કે જંગલ ની સંપત્તિ ઉપર વનવાસીઓનો અધિકાર તે બાબતો ઉપર પુનર્‌ વિચારણા થવી જોઇએ. હાલના ઈન્ટરનેટ યુગમાં વિશ્વ આખું એક ગામડું થઈ જવાની તૈયારીમાં છે. ત્યારે કમસે કમ આપણે આપણા રાજ્યને એક ગામડું સમજવાના અને બનાવવાના પ્રયત્નો કરીએ. આ ત્યારે જ બને જ્યારે આપણે આપણા રાજ્યમાં એક સૂત્રતા લાવીએ અને રાજ્યના હિતનો વિચાર કરીએ. જુના જમાનામાં એક ગામડું ૫૦ ખોરડાથી ૫૦૦ ખોરડાનું રહેતું. આજે એક સંકુલ એક હજાર કુટુંબોને સમાવતું હોય છે. એટલે ગામડાને આપણે એક સંકુલ સમજવું પડશે અને તેને એક વાસ્તવિક સંકુલ બનાવવું પડશે. જો આમ કરીશું તો જ જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

જો જમીન બચાવવાનો હેતુ રાજકીય કે સ્વખ્યાતિનો ન હોય અને ફક્ત ખેતીની અને જંગલની જમીન બચાવવાનો હોય તો જ્યાં જ્યાં જમીનનો દુરુપયોગ થાય છે ત્યાં ત્યાં આંદોલનો થવા જોઇએ અને કરવા જોઇએ. જેઓનું ધ્યેય રાજકીય નથી અને સ્વખ્યાતિનું નથી તેવા ગાંધીવાદીઓએ આ વાત સમજવી પડશે. નહીં તો જનતામાં તેમની વિશ્વસનીયતા નહીં રહે.

જ્યારે કેન્દ્રીય સરકારની નીતિઓની બુરાઈની અને ગેર વહીવટની વાત કરવી હોય ત્યારે “નહેરુવીયન કોંગ્રેસનું નામ લઈને કે જે એલ નહેરુ, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી કે મનમોહન સિંઘનું નામ લઈને ટીકા થતી નથી. પણ “સરકાર” અને “રાજકારણીઓ” એવો શબ્દ પ્રયોગ કરાય છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને નહેરુવંશીઓના નામ ન લઈને તેમના દુરાચારોને છૂપાવીને હળવા કરી દેવાય છે. જ્યારે ગુજરાતની બીજેપી સરકારની વાત આવે ત્યારે બીજેપી અને નરેન્દ્ર મોદીનું નામ લઈ નરેન્દ્ર મોદી ઉદ્યોગોને જમીનની લાણી કરે છે, નરેન્દ્ર મોદી ખેડૂતોને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વનવાસીઓને અન્યાય કરે છે, નરેન્દ્ર મોદી વિકાસને નામે ગામડાંઓને ઉજાડી રહી છે, નરેન્દ્ર મોદી વિકાસની વાતોના જુઠાણાઓ ફેલાવે છે.  નરેન્દ્ર મોદી સરદાર પટેલનું બાવલું મુકી જનતાના ખર્ચે ખ્યાતિ મેળવવા માગે છે. ગાંધીવાદી નેતાઓએ નરેન્દ્ર મોદીના ગાંધીનગરના મહાત્મા મંદીર સામે પણ વિરોધ નોંધાવેલ. તમે ગાંધીજી ના સ્મારકને મંદીર નામ આપો કે આશ્રમ નામ આપો કે સ્મૃતિ નામ આપો તેથી શો ફેર પડે છે? નરેન્દ્ર મોદી ગાંધીજીના વિચારોના સ્મૃતિ ચિન્હ તરીકે કે સરદાર પટેલની સ્મૃતિ માટે કંઈ પણ કરે તેમાં જો પોતાને ગાંધીવાદી ગણાવતા મહાનુભાવો મોદીની ટીકા કરે તે ગાંધીજીના સિદ્ધાંતોને અનુરુપ તો નથી જ અને નથી જ.

આ પણ જાણે અધુરું હોય તેમ તેઓ નરેન્દ્ર મોદીના સદ્‍ભાવના પ્રસારના કાર્યક્રમોની પણ ટીકા કરે છે, નરેન્દ્ર મોદીની સરકારે કરેલા ઉર્જાના કુદરતી શ્રોતોના વિકાસ અને ખરાબાની જમીનને નવસાધ્ય કરી હોય તેને લક્ષમાં ન લે, પશુમેળા, કૃષિમેળા, સખી મંડળ, પાણી મંડળીઓની રચના જેવા અનેક કામોને લક્ષ્યમાં ન લે તો આ બધું પૂર્વગ્રહ યુક્ત જ ગણાય. જો આ બધું યોગ્ય ન હોય તો તેની મુદ્દા સર ટીકા કરે તો તે પણ આવકાર્ય ગણાય. જો સરકારની ક્ષતિઓ જો સરકારના ધ્યાનમાં લાવવામાં આવે તો સરકારને સુધરવાની તક મળે. નરેન્દ્ર મોદી વિષે જો ગાંધીવાદીઓ પણ ગુજરાતની આજની સરકાર વિષે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ જેવા વિશેષણો વાપરશે તો તેમને ખુદને માટે યોગ્ય નહીં કહેવાય.

કાયદાકીય લડાઈઓ

જમીન સંપાદન ના મુદ્દે ગાંધીવાદીઓ જે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે તે આવકાર્ય છે. કારણ કે કાયદાકીય લડાઈ તો સરકારી નોકરોની ખામી યુક્ત કાર્યવાહીને સુધારવા માટે છે. કેટલાક સરકારી અધિકારીઓમાં પ્રણાલીગત આપખુદી અને અહંકાર હોય છે. તેને ન્યાયાલય દ્વારા સુધારી શકાય છે.

જમીન, જંગલ, પાણી, ઉર્જા, શિક્ષણ, રોજગાર એવા કોઈ પ્રશ્નો હોઈ જ ન શકે. વિજ્ઞાન અને વિદ્યા (ટેક્નોલોજી) ના ક્ષેત્રમાં અસીમ તકો અને રોજગારીઓ પડેલી છે.

જમીન ઉપરની કૃષિ ઉપર કેટલું ભારણ મુકીશું? ઉદ્યોગો દ્વારા વધતી સુખસગવડો ને કેટલી હદ સુધી લઈ જઈશું?

ક્યાં કેટલો રોજગાર ઉભો કરીશું.

જ્ઞાન, શ્રમ અને વહીવટદારોને કેટલું વળતર આપીશું?

દરેક જગ્યાએ શ્રમ પડેલો છે તેને શ્રમને બદલે સેવામાં પરિવર્તિત કરવો પડશે. જો સેવાનું વળતર એવું હશે કે માનવીઓ એકબીજાથી વિમુખ નહીં બને પણ હળી મળીને રહેશે તો સૌને સુખ મળશે.

આ બધું જ થઈ શકે તેમ છે. કાયદાઓ છે. પણ તેનું માનવીય અને સામાજીક હિતને અનુરુપ અર્થઘટન નથી તેનો અમલ નથી. (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીવાદીઓ, નરેન્દ્ર મોદી, વિશેષણ, અફસરો, અધિકારીઓ, આપખુદ, અહંકારી, સત્યાગ્રહ, આત્મપીડન, રજનીશ, દંભ, સ્વખ્યાતિ, કાયદાકીય, લડાઈ, જમીન, હક્ક, માલિકી, ગામડું, શહેર,

Read Full Post »

તમારે રજનીશના ભક્ત થવું છે? મારે થવું છે.

બાવાઓ અત્ર તત્ર સર્વત્ર છે.

તમે રજનીશ, આશારામ, ધીરેન્દ્ર બ્રહ્મચારી, બાબા પરમસુખ, નિર્મલ બાબા અને લગભગ તેમના જેવાં રાધેમાં, એવાં “માં” ઓનો તૂટો નથી. જોકે આખી દુનિયામાં આવી સ્થિતિ પ્રવર્તે છે પણ ભારતમાં કંઈક વિશેષ હોય તેમ લાગે છે.

કટારીયાઓ પ્રત્યે કડવાશ નથી. દયા છે.

જેઓ પોતાને અસાધારણ નથી માનતા તેઓ આવા “બાબાઓ”ના અને “માં”ઓના ભક્ત બની જાય તો કદાચ ક્ષમ્ય ગણાય. પણ જેઓ પોતાને બુદ્ધિજીવી માનતા હોય અને સમાચાર પત્રોમાં કટારો લખતા હોય તેઓ જ્યારે આવા બાબાઓ અને માતાઓથી પ્રભાવિત થઈ જાય ત્યારે આશ્ચર્ય સહિત દુઃખ થાય છે. દુઃખ એ વાતનું કે દેશના સમાચાર માધ્યમો ઉપર કબજો ધરાવતા લોકોની જો બૌધિક કક્ષા આવા નિમ્ન સ્તરે હોય તો દેશમાટેના ઉચ્ચ સ્વપ્નો કોણ પુરા કરશે? જો કોઇ માઈનો લાલ નિકળશે તો પણ તે કેટલું પ્રદાન કરી શકશે?

આમ તો બાબા અને માતાઓ (“માં”ઓ) ના અનેક પ્રકારો છે. બધા જ બાબાઓ અને માતાઓ ઉપદ્રવી હોતા નથી.  જોકે મોટા ભાગના પોતાનું કાર્ય ક્ષેત્ર મર્યાદિત રાખે છે. કેટલાક પોતાનું ક્ષેત્ર દવા દારુ, યોગ અને આનંદ પુરતું મર્યાદિત રાખે છે. કેટલાક કૃષ્ણ, શિવ, સાંઈ, રામ, ઘનશ્યામ મહારાજની ભક્તિ કે વિદ્યા પ્રસાર સુધી સીમિત રાખે છે. અને કહે છે કે આ બુદ્ધિનો નહીં પણ શ્રદ્ધા અને પરંપરાનો વિષય છે.

કેટલાક બાવાઓ સુખીજીવન અને આનંદની વાતો કરે છે. કેટલાક બાવાઓ ચમત્કારની વાતો કરે છે તો કેટલાક વૈશ્વિક સત્યોની વાતો કરે છે.

બ્રહ્મજ્ઞાની બાવાઓ

મોટાભાગના બાવાઓ પોતાને બ્રહ્મસત્ય  એટલે કે યુનીવર્સલ ટ્રુથ ના જ્ઞાતાઓ માને છે. અને જેમ અગાઉ જે અવતારી પુરુષોના મુખેથી બોલાયેલા વાક્યો કે પછી તેમના શિષ્યોએ તેમના મુખમાં મુકેલા શબ્દો  જેવા કે તું મારે શરણે આવી જા હું તારો ઉદ્ધાર કરીશ અને તને આ લોક અને પરલોકમાં સુખી કરી દઈશ એવું કહી કહેવડાવી વસ્તાર વધારે છે.

કેટલાક પોતાના વિસ્તરિત વર્તુળ થકી અમુક જરુરીયાતવાળા લોકોની અમુક જરુરીયાતો પુરી પણ કરી અપે છે. કેટલાક બાવાઓના વાણીવિલાસથી અતિપ્રભાવિત થઈ જાય છે. તો કેટલાક આ બાવાઓએ પોતે ફેલાવેલી અફવાઓ કે તેમના શિષ્યોએ ફેલાવેલી અફવાઓથી અતિપ્રભાવિત થઈ જાય છે.

સંશોધનનો વિષય છે

આવા પ્રભાવિત થયેલા લોકોમાં છાપાંઓના કટાર ધારકો પણ હોય ત્યારે આ બાવાઓ સંશોધનનો વિષય લાગે છે. આવા પ્રભાવિત મહાનુભાવો કયા કારણથી પ્રભાવિત થાય છે તે બાબત પણ સંશોધનનો વિષય બને છે.

પણ હવે જો આરક્ષિત પ્રાણીઓનો શિકાર કરનારા હિરાભાઈઓ અને પંકાયેલા અસામાજીક તત્વો પાસેથી એકે ૫૬ જેવી બંદુક ખરીદનારા ની જાહેરાત ક્ષેત્રે અને બોલીવુડમાં બોલબાલા હોય અને જે દેશના  ન્યાયધીશો પણ તેનાથી પ્રભાવિત થતા હોય તો કટાર લેખકો વળી કઈ વાડીના મૂળા કે જેઓ આચાર્ય રજનીશના પ્રસંશક ચેલા ન બને!

પણ ધારો કે કોઈએ નક્કી કર્યું હોય કે મારે રજનીશના ચેલા બનવું છે, તો શું?

મને મારી વાત કરવી ગમતી નથી.

કારણ કે કદાચ મારી પોતાની વાત આત્મશ્લાઘામાં ગણાઈ જાય. અથવા જો કોઇ મારા વિષે જાણે તો, અને જો તેમનું ભણતર અને ઉલ્લેખિત જ્ઞાન મારા કરતાં ઓછું હોય તેવી તેમની સમજણ હોય તો, કદાચ મારી વાત અસ્પષ્ટ હોય અથવા તાર્કિક ન હોય અથવા અધુરી હોય તો, અને આવા સંજોગોમાં તેઓ જો મારી વાત સ્વિકારી લે તો એક ખોટો મેસેજ જાય.

*એવું પણ બને કે તેમની શૈક્ષણિક લાયકાત મારા કરતાં વધુ હોય, તેમનું વાચન અને લેખન પણ વધુ હોય અને ખ્યાતિ પણ વધુ હોય, પણ ફક્ત આ જ કારણોસર મારી વાત તેઓ સાચી ન માને અને આજ કારણસર ચર્ચાને નકારે, તો પણ જનતામાં એક ખોટો મેસેજ જાય.

“પ્રાણલાલ બાટલાવાળા”

આના બે દાખલા મારી પાસે છે. એક પ્રાણભાઈ જે “પ્રાણલાલ બાટલાવાળા” તરીકે ઓળખાતા હતા. તેમના વિષે મેં મારા મિત્રમંડળમાં એક ઈનામ બહાર પાડેલ. આ ઈનામ એ હતું કે જે કોઈ પ્રાણલાલભાઈને ખોટા સાબિત કરી દે તેને એક રુપીયો આપવો. જોકે એક રુપીયાને સો રુપીયા બરાબર ગણવાનો. કારણ કે આ ટોકન ઈનામ હતું.

પણ અમારા પ્રાણભાઈ એવા વક્તા કે તેમને વાત કરવામાં કોઈ પહોંચી ન શકે. એટલે અમારા મિત્રમંડળમાં બધા સમસમીને બેસી રહેતા અને મને કહેતા કે તમે એમને ચડાવો છો.

બીજું પણ એક ઈનામ જાહેર કરેલું તે ઈન્દીરા ગાંધી વિષે હતું. તે એમ હતું કે જો કોઈ એમ સાબિત કરી દે કે ઈન્દીરા ગાંધીએ કોઈપણ એક કામ સારું અને સાચું કર્યું હોય તો તેને એક રુપીયો ઈનામ આપવાનો. મારા આ બંને ઈનામ અકબંધ રહેલા. એક પ્રાણલાલભાઈને કારણે અને એક ઈન્દીરાને કારણે.

૧૯૭૧માં મારી કાળક્રમે અમદાવાદ બદલી થઈ. અહીં તો કોઈ પ્રાણલાલભાઈને ઓળખે નહીં એટલે એ ઈનામ સ્થગિત થયું.

મારે એક મારા ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર મિત્ર હતા. તેઓ બહુમોટા વિચારક પણ છે. ઈશ્વરની ઈચ્છા થકી હું બહુ ઓછી વ્યક્તિઓથી તેમના તર્ક, સમજણ અને કાર્યથી પ્રભાવિત થાઉં છું. પણ આ ભાઈ શ્રી મહેન્દ્ર ભાઈ તેમાં અપવાદ છે. તેઓ મારાથી કદાચ એકાદ વર્ષે નાના હશે પણ તેમના ત્યાગ અને કર્તવ્ય નિષ્ઠા થી ચોક્કસ કોઈપણ પ્રભાવિત થાય. આ મિત્ર થકી હું  અમદાવાદમાં  કેટલાક ગાંધીવાદીઓના સંપર્કમાં આવેલ.

મને બધા ગાંધી વાદી પ્રત્યે અત્યંત માન છે. અને સદાકાળ આ માન રહેશે. તો પણ કેટલાક અગ્રગણ્ય ગાંધીવાદીઓ પણ મારા આશ્ચર્ય વચ્ચે મને પરોક્ષ રીતે અહંકારી લાગ્યા. એટલે કે વિચારમાં તર્ક શુદ્ધતા જોવાને બદલે વિચાર ક્યાંથી (કઈ વ્યક્તિ તરફ થી) આવ્યો છે તેને વધુ મહત્વ આપતા હતા. આ વાત ની પૂર્વ ભૂમિકા સમજવા માટે ઉપરનો * માર્કા વાળો પેરા ફરીથી વાંચવો. મેં અમદાવાદમાં મારા મિત્રમંડળમાં એક ઈનામ જાહેર કર્યું. જે કોઈ મહાત્મા ગાંધીની કોઈ એક વાતને ખોટી સાબિત દેશે તેને સો રુપીયાનું ઈનામ આપીશ.

હવે આમાં થયું એવું કે જેઓ મારા કરતાં વધુ જ્ઞાની હતા અને ગાંધીજીના વધુ અભ્યાસી હતા તેમનું સ્વમાન ઘવાયું હોય તેવું લાગ્યું. આ તો એવી વાત થઈ કે કોઈ વ્યક્તિ વર્ડ્ઝવર્થને તેની આગળ કોઈ કુદરતી દૃષ્યનું પદ્યમય ગદ્ય કાવ્ય બનાવીને સંભળાવે.

એક બુઝર્ગ પ્રખર ગાંધીવાદીએ અમારી મંડળીમાં આ ચેલેન્જ ઝીલી અને એક દાખલો આપ્યો.

“એક અપરિણિત યુગલ ગાંધીજી પાસે આવ્યું. તેમના ધર્મ જુદા હતા. એક વ્યક્તિ મુસ્લિમ અને બીજી હિન્દુ એમ હતું. તેઓ ગાંધીજીની સલાહ લેવા આવ્યા કે તેમણે આ આંત‌ર્‌ ધર્મી લગ્ન કરવા કે નહીં. હવે તમે જાણો છો કે ગાંધીજી કોઈ એવા ભેદભાવમાં માનતા ન હતા કે ધર્મને કારણે લોકો જુદા પડે. સર્વધર્મ સમભાવમાં ગાંધીજી માનતા હતા. છતાં તેમણે આ યુગલને સલાહ આપી કે તેમણે આ લગ્ન ન કરવા. એટલે કે ગાંધીજી પોતે જ, પોતે પ્રબોધેલા સિદ્ધાંતથી વિરુદ્ધ ગયા. એટલે કે ગાંધીજી પોતે જ એટલા સાચા ગાંધીવાદી ન હતા. સાધ્યમ ઈતિ સિદ્ધં. લાવો ૧૦૦ રુપીયા.”

મેં કહ્યું કે યુગલે ગાંધીજીની સલાહ લેવાનું શા માટે નક્કી કર્યું? શું તેમને પોતાના ઉપર અને એકબીજા ઉપર આત્મવિશ્વાસ ન હતો? ગાંધીજીની સલાહ લેવા આવ્યા એજ વસ્તુ બતાવે છે કે તેમનામાં પુરતા આત્મવિશ્વાસ અને પરસ્પર વિશ્વાસની ઉણપ હતી. આંતર્‍ધર્મી લગ્ન એ એક પડકાર છે. એ પડકાર ઝીલવામાં કચાસ હોય તો યુગલ અને સમાજ બંનેને હાનિ થઈ શકે છે. ગાંધીજી આ વાત સમજી શકેલ તેથી તેમણે આપેલી સલાહ યોગ્ય જ હતી. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે અને સામાજિક પડકાર સહનકરવાનો આત્મવિશ્વાસ તેમનામાં હોવો જ જોઇએ.

મારી વાતનો એમની પાસે કે કોઇની પણ પાસે જવાબ ન હતો. અને હુડહુડ કરી મંડળી બરખાસ્ત થઈ.

હવે આપણા રજનીશભાઈના ભક્તોની વાત કરીએ.

એ પહેલાં એક આડવાત પણ કરી લઈએ. ગીતા વિષે કોઈ ગીતાના જ્ઞાનીને પૂછીએ કે તમે મને ગીતા વિષે કંઈ કહો. તો તે એમ કહેશે કે ભાઈ ગીતા તો એક મહાસાગર છે. તમે આ અઢાર અધ્યાય જેટલીવાર વાંચો એટલીવાર ઓછા. તમે જ્યારે જ્યારે વાંચો ત્યારે તમને નવું અને નવું વિચારવા મળે અને નવું ને નવું સત્ય લાધે.

ના છતાં પણ તમે મને કંઈક કહો. તો વિનોબા ભાવે કહે છે કે વેદોનો સાર ઉપનિષદો છે. ઉપનિષદોનો સાર ગીતા છે. ગીતાનો સાર, ગીતાના પહેલા ત્રણ અધ્યાય છે. ગીતાના પહેલા ત્રણ અધ્યાયનો સાર ગીતાનો બીજો અધ્યાય છે અને આ ગીતાનાબીજા અધ્યાય નો સાર, સ્થિતપ્રજ્ઞ લક્ષણના શ્લોકો છે અને આ શ્લોકોનો સાર શ્લોક નંબર ૬૨ અને ૬૩ છે.

આ શ્લોકો ध्यायतो विषयान्‌ पुंषः … થી શરુ કરી  बुद्धिनाशात्‍ प्रणष्यति સુધી છે. અને આ વાત ઉપર એક પ્રકરણ લખી શકાય. જોકે ગીતાના શ્રેષ્ઠ શ્લોકો આ જ છે કે બીજા તે વિષે અલગ અભિપ્રાય હોઈ શકે. મને તો “કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન …. મા તે સંગોસ્તુ અકર્મણિ” પણ એક શ્રેષ્ઠ શ્લોક કહી શકાય એમ લાગે છે. કોઈને શું વધુ બુદ્ધિગમ્ય લાગે છે અને ગમે છે તે તેની પ્રકૃતિ ઉપર આધારિત છે. પણ આ શ્લોકોમાં રહેલા સત્ય વિષે અલગ અભિપ્રાય ન હોઈ શકે. હોય તો તેની ઉપર ચર્ચા દ્વારા સમજી શકાય.

ગીતાનું બારદાનઃ અને રજનીશનું બારદાન

ગીતાની મહાનતાની વાત કરવા બેસીએ અને તેનું પુઠું કેવું સુંદર છે. તેની છપાઈ કેવી સરસ છે. તેના પ્રાસ કેવા સરસ છે. તે કયા પ્રેસમાં છપાયેલું અને કોના પ્રકાશનના સર્વહક્ક છે એવી વાતો કરીને ગીતાની ઉચ્ચતા સિદ્ધ ન થાય.

રજનીશના ભક્તો કંઈક આવું જ કરે છે. જ્યારે રજનીશજી વિષે કંઈક વાત કરવી હોય તો રજનીશની દાઢી કેવી છે, રજનીશ ક્યાં જન્મેલા, રજનીશ કયાં ભણેલા અને ક્યાં ભણાવતા, ક્યાં ફરેલા, કોને મળેલા, કોની વિષે બોલતા, કોની ટીકા કરતા, તેમના વિષયો શું હતા. તેઓ કેવા સરસ લયથી બોલતા, શ્રોતાઓની કેવી ભીડ રહેતી, ભાષા ઉપર જબરી પકડ રાખતા …વિગેરે.

ટૂંકમાં તમે રજનીશના વિચારો વિષે કે વિચારોના ઉંડાણ વિષે કે તેના વિચારોની સાર્વત્રિકતા વિષે કશું જાણી ન શકો.

ફલાણી ફિલમ બહુ સરસ હતી. તેના ગાણાં બહુ સરસ હતા. રજનીશની વાતો વિષે પણ આમ જ સમજવું.

વાસ્તવમાં ગાણાં કે સીનસીનેરી એ ફિલમની શ્રેષ્ઠતાનો માપદંડ નથી. ગાણાં, સીનસીનેરી, રંગો એ બધાં બાહ્ય જણશો છે.  ફિલમની બાબતમાં કથાવસ્તુમાં રહેલું ઉંડાણ અને તેની પ્રસ્તૂતિ એટલે કે નિર્દેશન મુખ્ય વસ્તુ છે.

રજનીશના ભક્ત

એક રજનીશના ભક્તે મને કહ્યું કે જુઓ મારી પાસે મારા પગથી શરુ કરી મારો હાથ પહોંચે એટલી રજનીશની ચોપડીઓ છે. તમે તેમની ટીકા કરો તે પહેલાં તમે એમની ચોપડીઓ વાંચો. જુઓ આ રહી ચોપડીઓ. અને તેમણે મને ચોપડીઓનો થપ્પો બતાવ્યો.

મેં તેમને કહ્યું હું તેમની જંગલમેં મોર નાચા અને બકરીની ત્રણ ટાંગ જેવી દલીલો વાળી ચોપડીઓ ન વાંચી શકું. પણ આપણા સાહિત્યમાં વિવેચનની એક પદ્ધતિ એ પણ છે જેનું નામ “શલાકા પરીક્ષા” છે.

જ્યારે કોઈ પુસ્તકનું વિવેચન કરવાનું હોય અને વિવેચક ને બહુ શ્રમ લેવો જાણ્યે અજાણે ગમતો ન હોય તો તે એક સળી પુસ્તકમાં ક્યાંક વચ્ચેના પાનાઓમાં ખોસે. જે પાનું ખુલે એ પાનું વાંચે અને તેની ઉપર ટીકા કરે. હવે જો તમારી ઈચ્છા હોય તો તમે જ એક પુસ્તક પસંદ કરો અને તમે જ તેમાં સળી ખોસો. હું એજ બે પાનાં વાંચીશ અને તમને બતાવીશ કે રજનીશની વાતો કેટલી તર્કહીન છે. તમે તમારી દલીલ કરજો હું મારી દલીલ કરીશ.  બોલો મંજુર છે. તે ભાઈએ ચેલેન્જ ન સ્વિકારી. બાંધી મુઠ્ઠી લાખની.

મારી માન્યતા છે કે દુનિયામાં કશું અલૌકિક નથી. ચમત્કારો થયા નથી, થતા નથી, અને થશે નહી. ઈશ્વર છે પણ તે તર્કથી છે. ઈશ્વર શ્રદ્ધાનો વિષય નથી. ઈશ્વર તેના ભક્તોને ઉપરવટ જઈ મદદ કરતો નથી. ઈશ્વરને પૂજો કે ન પૂજો તેથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી.

મનુષ્ય જાત, તેના સમાજની ઉન્નતિ માટે છે. માનવસમાજમાં વ્યક્તિની સુખસગવડ અને સંપત્તિ, તેને સમાજથી અળગો ન કરી દે, સંવાદ, અસંવાદ ન બને. માનવસમાજમાં અસમાનતા એટલી હદ સુધી જ હોય કે સંવાદ અને સહકાર જળવાઈ  રહે. હાથની પાંચ આંગળીઓ અસમાન હોવા છતાં અલગ અલગ અને સહયોગથી પણ કામ કરી શકે છે.  મનપસંદ જ્ઞાન માટેના દ્વારો સૌ માટે ખુલ્લાની સમાનતા પણ એટલી જ જરુરી છે.

રજનીશ ચર્ચામાં માનતા નથી. તેઓ તેમની કોઈ વાતની જવાબદારી લેવામાં પણ માનતા નથી. તેઓ કહે છે આજે હું જે કહું છું, આવતી કાલે તેથી ઉંધું પણ કહીશ. છતાં પણ તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. અને ક્યારેય તેમણે તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું કે નહીં, અને પરિવર્તન આવ્યું તો શું પરિવર્તન આવ્યું તેનો ફોડ તેમણે પાડ્યો નથી. તેમના ભક્તો પણ આ વિષે કશું કહેતા નથી. એક કાળે તેઓ અમેરિકા, તેના સંસ્કાર, તેની સરકાર, તેની જાહોજલાલી ના ચાર મોંઢે વખાણ કરતા હતા. અમેરિકાએ તેમની હકાલ પટ્ટી કરી એટલે પેટભરીને તેની બુરાઈ કરવા લાગ્યા. માંહ્યલી વાત શું હતી તેનો રજનીશે કે તેમના અનુયાયીઓએ કદી ફોડ પાડ્યો નથી. પારદર્શિતા બતાવવા માટે સિંહનું કાળજું જોઇએ. આચાર્ય રજનીશમાંથી ભગવાન રજનીશ થયા અને પછી ભગવાન રજનીશમાંથી ઑશો થયા. કારણ? રામ જાણે.

રજનીશને રામ કરતાં કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ વધુ પ્રિય છે. કારણ કે કૃષ્ણ અને મહાવીરના ઉપાસકો માલેતુજાર છે. અને બુદ્ધ આંતરરાષ્ટ્રીય છે.   

આમ તો લોકશાહી એક વ્યભિચારશાહી છે. પણ તેજ સૌથી ઓછી ખરાબ છે. અને તે જ પરવડે. તે સિવાય તેનાથી ઓછો ખરાબ કોઈ બીજો વિકલ્પ નથી.

આમ છતાં રજનીશે રાજકારણીઓને સામાન્યીકરણ વડે પેટભરીને ગાળો આપી અને પોતાની પીઠ થાબડી છે (હોલીઅર ધેન થાઉ). વિકલ્પ આપવાની દરકાર કરી નથી. રજનીશ એ વાત સમજી શક્યા નથી કે વિકલ્પ વગરના સૂચનો દેશને લોકોને અકર્મણ્યતા તરફ અને આ અકર્મણ્યતા દેશને વધુને વધુ અરાજકતા તરફ લઈ જાય છે.

દરિદ્રતા તે સામાજીક રોગ છે

રજનીશ તાનમાં ને તાનમાં લોકોને આંચકો લાગે તેવું ઘણું બોલે છે.

ગાંધીજીની ટીકા કરવી એને કેટલાક માલેતુજાર લોકો ફેશન ગણે છે. એમાં આપણા રજનીશભાઈ સહર્ષ સામેલ થાય છે.

ગ્રામોદ્યોગ, અસહકાર, અહિંસા, સત્યાગ્રહ વિષેના ઉચ્ચારણો વિષે મેં અત્ર તત્ર લખ્યું છે. તેથી પુનરાવર્તન કરતો નથી.

ગાંધીજીએ ગરીબ લોકોને દરિદ્રનારાયણ કહેલ. નારાયણ એટલે ભગવાન. દરિદ્રને એટલે કે ગરીબને ભગવાન ગણો.

રજનીશ ગાંધીજીની કંઈક આવી રીતે ટીકા કરેછેઃ

ગાંધીજી કહે છે કે દરિદ્ર વ્યક્તિ નારાયણ છે. દરિદ્રનારાયણની સેવા કરો. વાસ્તવમાં દરિદ્રતા એક રોગ છે.   રોગને નારાયણ કેવી રીતે કહેવાય. રોગ છે. દરીદ્ગતાને જો નારાયણ ગણીએ તો તો પછી ટીબી, મેલેરીયા, ફ્લ્યુ બધા નારાયણ કહેવાય…. વિગેરે.

હવે રજનીશભાઈને ખબર નથી કે દરીદ્રનારાયણ પાછળ શું વિચાર અને ઉપચાર માટેની પ્રાથમિકતા પડેલી છે. ટીબી, મેલેરીયા, ફ્લ્યુ વિગેરે શારીરિક રોગ છે. દરીદ્રતા તે સામાજીક રોગ છે.

હવે જો રાજ્ય નો વહીવટ અને નીતિ એવી હોય કે તેમાં દશકા સુધી કોઈ અસરકારક સુધારો જોવા મળે તો સમજવું જોઇએ કે ખાટલે મોટી ખોડ છે.

ગરીબને અનુકુળ સરકારની નીતિઓ હોય અને સાક્ષરો જો વિતંડાવાદમાં રાચતા હોય તો ગરીબની સ્થિતિ એવી બને કે તમે એને એક રુમમાં બહારથી તાળુ મારીને પૂરી દીધો અને પછી તેને કહો છો કે તૂં બહાર કેમ નથી નિકળતો? તારો વાંક છે. તૂં રોગીષ્ઠ છે. રજનીશની આવી વાત થઈ. રજનીશે સમજવું જોઇએ (જો વાચન સાથે વિચાર અને મંથન હોય તો સમજાયને!) કે સમાજની માનસિકતા તમે વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણીની પ્રણાલી કેવી રાખો છો તેના ઉપર અવલંબે છે.

રાજ્યે પોતાની માનસિકતા કેવી રાખવી જોઇએ?

તેને માટે ગાંધીજી કહે છે કે સૌની પાસે ઈશાવાસ્ય વૃત્તિ હોવી જોઇએ. ઈશાવાસ્ય વૃત્તિ એટલે ઈશ્વરનો વાસ સર્વત્ર છે. તેથી તૂં તને જરુર હોય તેટલું લે. વધારાનું લેવું અણહક્કનું છે.

જો રાજ્ય  ગરીબ માણસમાં પણ ઈશ્વરને જુએ તો રાજ્યની માનસિકતા બદલાય.  અને જો રાજ્યની માનસિકતા બદલાય તો તે પોતાની પ્રણાલીઓની બદલે.

પણ લોકશાહીમાંરાજ્યકોના દ્વારા વહિવટ કરે છે?

રાજ્ય લોકો દ્વારા વહીવટ કરેછે. જો લોકો ઈશાવાસ્ય વૃત્તિ નહીં રાખે તો રાજ્ય કેવી રીતે રાખશે? લોકોને દોરનાર કોણ છે? લોકોને દોરનાર મૂર્ધન્યો છે. જો રજનીશભાઈ પોતાની જાતને મૂર્ધન્યોમાં એટલે કે વિચારક અને બહુશ્રુત માનતા હોય તો તેમણે ઈશાવાસ્ય વૃત્તિ એટલે શું તે સમજવું જોઇએ અને તેને આત્મસાત્કરવી જોઇએ. પણ આપણા રજનીશભાઈનામાં કોઈ ગહનતાથી વિચારવાની આદત નથી.

રજનીશ વિષે મેં છૂટક છૂટક લખ્યું છે. જે નીચેની લીંક ઉપર મળશે.

ઓશો તો અનોશો (ઋતં નો વિરુધ્ધાર્થ જેમ અનૃતં થાય છે તેમ ઓશો નું અનોશો સમજવું) જ લાગ્યા છે. visit treenetram.wordpress.com for “ચોક્ખું ઘી અને હાથી”, “સુજ્ઞજનોએ બળાપો કરવો કે નહીં”, “નિંદારસમાં રહેલો ઈશ્વર”

જો કોઈ રજનીશની કોઈ પરમ વાત કરશે તો ચર્ચામાં આનંદ મળશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રજનીશ, આચાર્ય, ભગવાન, ઑશો, બાવાઓ, બ્રહ્મજ્ઞાની, ભક્તો, તર્કહીન, બેજવાબદારી, ચમત્કાર, ઈશ્વર, વૈશ્વિક, માલેતુજાર,

Read Full Post »

ईशावास्यमीदं सर्वम्‌ यत्किन्चित्‌ जगत्यां जगत्‌
तेन त्यक्तेन भूंजिथा मा गृधः कस्यस्चित्‌ धनम्‌

નિંદારસમાં રહેલો ઈશ્વર

 

એવું લાગે છે કે આપણે ઈશાવાસ્ય વૃત્તિ કેળવવી જોઇએ. ગાંધીજીએ આ વાત કરી છે. જેને વિષે જે સાચુ લાગે તે કહીએ પણ તે વાતને કશી કડવાશ વગર કહીએ.

 

ઈશાવાસ્યં ઈદં સર્વં યત્‌ કિંચિત્‌ જગત્યાં જગત્‌,

તેન ત્યક્તેન ભૂંજિથાઃ

 

આ જગતમાં જે કંઈ પણ છે તે સર્વેમાં, “ઈશ્વર (શિવ)”,નો વાસ છે. એટલે કે દરેકમાં તે રહેલો છે. તેથી ત્યાગ પૂર્વક (આપણી પ્રાજ્ઞા રુપી સંપત્તિને) ભોગવીએ.

 

ઈશ્વરે મૂળભૂત તત્વ કે જેની આ દુનિયા બનેલી છે તેનો ગુણધર્મ નક્કી કરેલો છે. તેના અવનવા સમૂચ્ચયોના ગુણો તે મૂળભૂત ગુણના પરિણામી ગુણો છે. દરેક વ્યકિત  તે આવી પડેલા પોતાના ગુણો પ્રમાણે વર્તે છે.

 

આ ગુણોમાં વિચારવાની અને સમજવાની શક્તિ પણ એક ગુણ છે. જે કેટલેક અંશે આનુવંશિક, અવલોકનો અને વિચારોના પરિણામ સ્વરુપ હોય છે. માણસ નિર્ણયો લેવામાં કેટલો સ્વતંત્ર છે તે આપણે જાણતા નથી. અગાઉ મોરારજી દેસાઈએ કહેલું કે બધું નિશ્ચિત છે. પણ ભવિષ્યના ગર્ભમાં કોઇ જોઈ શકતું નથી. આ જ વાત હાલનો આધુનિક વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ્સ પણ કહે છે.

 

હવે તમે કહેશો કે જો બધું ઈશ્વર જ કરતો હોય તો ગુસ્સો કેમ આવે છે?

તેનું કારણ એ હોઈ શકે કે ઈશ્વરે એવી વ્યવસ્થા ગોઠવી છે કે સમાજ ક્યારેક સરળ રીતે ક્યારેક ખોડંગાતો ખોડંગાતો અને ક્યારેક પાછળ ડગલાં ભરીને પણ ઉન્નતિ માટે જ્ઞાની   બને અને વ્યક્તિગત રીતે મનુષ્યના આનંદમાં વૃદ્ધિ થાય. કારણ કે અન્તે તો ઈશ્વરની ઈચ્છા આનંદ આપવાની છે.

 

 

જ્યારે કોઈની પણ ટીકા થાય ત્યારે તેની પાછળનો હેતુ જેની ટીકા થાય છે તેને સુધારવાની તક મળે  એ હોય છે. પોતાનામાં કેવીરીતનો સુધારો થયો તેનું તેને જ્ઞાન થાય. તે જ્ઞાન થકી તે આનંદ પામે. અને જેણે ટીકા કરી છે તે વ્યક્તિ પોતે પોતાની ફરજ બજાવ્યાનો આનંદ મેળવે, આવીરીતની ગોઠવણ ઈશ્વરે કરી છે.

    

પણ જેઓ પાસે શરીર છે તેઓ જ ટીકાકરનારને સમજીને પોતાના મગજને સુધારી શકે.

 

એટલે ટૂંકમાં જો ઈશાવાસ્ય વૃત્તિ કેળવીએ તો કમસે કમ જેઓ ઈશ્વર પાસે પહોંચી ગયા છે તેમની ટીકા ન કરીએ તો સારું.

 

સૌ કોઈ પોતાની રીતે યોગ્ય હોય છે. તેઓ વિચારોના આદાનપ્રદાન થકી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે અથવા નથી પણ કરતા. પણ ઈશ્વર ની ગોઠવણ એવી છે કે સમાજ આગળ વધતો જાય. ક્યારેક બે ડગલા આગળ જવાના મૂળમાં એક ડગલું કે વધુ ડગલાં પાછળ પણ ગયો હોય છે. સંભવ છે કે આપણે ઘણી પીછે હઠ કરી હોય અને તે હાલ ચાલુ પણ હોય પણ ઈશ્વરની ગોઠવણ આપણને પતન વિષે વધુ સમજણ પાડવાની હોય એ વાત આપણે નકારી ન શકીએ.

 

આઠવલેજીના વિચારો અને કાર્યશૈલી વિષે વિચાર ભેદ હોય. પણ આઠવલેજીની પ્રવૃત્તિ નિસ્વાર્થ હતી. જો તેમને કિર્તિની અપેક્ષા હોય તો તે ક્ષમ્ય છે. તેમને દાન આપવું કે ન આપવું તે સ્વૈચ્છિક હતું. હવે તમે જો દાન આપ્યું હોય તો તમે તેમાં તમારી શરતો મુકી ન શકો. તમારે તેમની શુદ્ધબુદ્ધિ પર જ બધું છોડી દેવું જોઇએ. જો દાન ન આપ્યું હોય તો તો તમે તેમની કાર્ય પધ્ધતિની ટીકા કરી જ ન શકો. કારણ કે તેમણે ઉઘરાવેલા પૈસા કંઈ સરકારના લાગાઓની જેમ ફરજીયાત ઉઘરાણું ન હતું. જો આવું હોત તો તમને તેમની ટીકા કરવાનો હક્ક મળત કે જેથી તમે તેમની ટીકા કરી શકો.  

 

પણ એક  વાત સમજવા જેવી છે કે  જ્યારે મિલ્કત અને તેની ઉપર સત્તા ચલાવવાની વાત આવે ત્યારે ભલભલા મહાપુરુષો શિષ્યોને સમજવામાં ગોથાં ખાઈ જાય છે. અને પછી મહાપુરુષોની બદબોઈ કરવાની ઘણાને લાલચ થાય છે.

 

દાખલા તરીકે મહાત્મા ગાંધી. તેમણે કહેલ “જવારહર વડાપ્રધાન થાય.” આ વાત ૧૯૪૭ ની છે. અને ૧૯૪૭ થી ૧૯૫૨ સુધી લાગુ પડે. જવાહરલાલ નહેરુ સત્તાભૂખ્યા હોય તે કદાચ સમજી શકાય. પણ જો તેઓ બંધારણીય માર્ગે સત્તા હાંસલ કરે પછી ગાંધીજીને દોષ ન દઈ શકાય. પણ કેટલાક આરએસએસ બંધુઓ આ વાત ઉપર ગાંધીજી ઉપર પારાવાર માછલાં ધૂએ છે. જાણે કે ૧૯૫૨માં અને તે પછી પણ, આવા આરએસએસ બંધુઓ અને તેમના જેવા વિચારવાળાઓનું કોઈ કર્તવ્ય જ ન હતું. જાણે કે ૧૯૪૭ થી ૧૯૫૨ સુધીના સમયે અને તે પછીના સમય માટે તેમને વ્યંઢ કરી દીધા ન હોય!

 

ભારત જેવી ગરીબ પ્રજા હોય તે ભૂલ કરે તે સમજી શકાય પણ નહેરુવંશનું શાસન છ છ દશકા સુધી દેશ ઉપર ચાલુ રહે તેમાં આરએસએસ જ નહીં પણ જે જે બુદ્ધિજીવીઓએ નહેરુને આવકાર્યા તે સૌ ગુનેગાર છે. કારણ કે તીબેટ ઉપર ચીનનું સાર્વભૌમત્વ સ્વિકારવું, ચીન સાથેની સરહદ રેઢી મૂકવી, સંસદમાં શઠતા પૂર્વકના ઉચ્ચારણો કરવા અને ચીન સામે હારી ગયા પછી વ્યંઢ પ્રતિજ્ઞાઓ લેવી આમાંનું દરેક કાર્ય તેમને હરાવવા માટે વિદ્વાનોએ આમરણાંત પ્રયત્નો કરવા જરુરી હતા. પણ તેમણે તેવું ન કર્યું.

 

ખ્યાતિ અને સત્તા ઘણાને પ્રિય હોય છે. અને યથાયોગ્ય રીતે શુભ્ર રસ્તે મેળવેલી ખ્યાતિ અને સત્તા ક્ષમ્ય છે. પણ નહેરુએ શઠતા પૂર્વક એટલે કે વિરોધીઓને વગોવડાવીને અને કાવાદાવા (કામરાજ પ્લાન)દ્વારા વિરોધીઓને દૂર કરીને પક્ષમાં સર્વેસર્વા રહેલા તે યોગ્ય ન કહેવાય. અને તેમાં પણ પોતાની પુત્રીને તેની કોઈ યોગ્ય્તા વગર આગળ કરવી અને બધો કારભાર સોંપવો અને પોતાની અનુગામી સ્થાપવાની ભલામણ કરવી યોગ્ય ન જ કહેવાય. આ વાતની લાલબહાદુર શાસ્ત્રીએ પૂષ્ટી કરેલી છે.    

 

ઈન્દીરાગાંધીના કુકર્મો વિષે તો મહાભારત લખાય. પણ તેના અનુયાયીઓ જ્યારે તેના જ માર્ગે ચાલે ત્યારે તેમની સાત પેઢીને વગોવવામાં આનંદ મેળવવો તેના યોગ્ય સ્થાને છે.

કારણ કે આપણે તો કંઈ ખ્યાતિ મેળવવી નથી. કે નથી આપણે સત્તા મેળવવી. આપણને પૈસા તો મળે એમ છે જ નહીં. કદાચ સ્વીસબેંકના પૈસા ઉપર નજર બગાડીએ અને નહેરુવંશી કોંગ્રેસના વખાણ કરીએ તો જુદીવાત છે. હાલમાં કેટલાક ગુર્જરભાષાના ખ્યાતનામ મૂર્ધન્ય અને વિશ્લેષકોની જેમ તેના કુકર્મોની ચર્ચાને આડે માર્ગે લઈ જઈએ કે વિસંવાદ ઉભો કરીએ તો ધનપ્રાપ્તિના સંજોગો ઉભા થતા હશે.

 

 

આપણા ઘણા બાવાજીઓ આપાણા ધર્મ અને સાહિત્ય વિષે આપણે સંમત ન થઈએ તેવી વાતો કરે છે. વળી કેટલાક બાવાજીઓ તો પોતાને આધુનિક કહેવડાવવા માટે ભૂતકાલિન મહાપુર્ષોને વગોવીને સમાચાર પત્રોમાં એન્ટ્રી મારે છે.

 

આમાં રજનીશ પ્રથમ સ્થાને આવે છે.

 

મારી જાણ પ્રમાણે ૧૯૬૦ના અરસામાં રજનીશે મહાત્માગાંધીની ટીકાઓ કરીને જાહેર જીવનમાં એન્ટ્રી મારેલ (માથું મારીને પ્રવેશ કરેલ)

 

શું હતી આ વાતો?

 

ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી. ગાંધીજીની અહિંસામાં પણ હિંસા રહેલી છે.

કેવીરીતે?

 

તમે તમારી વાત સમાજાવવા ચર્ચા કરો છો અને ચર્ચામાં દાખલા દલીલ કરો છો. હવે દાખલા અને દલીલ કરવામાં તો એવું છે કે જે વધારે ભણેલું હોય અને વધુ માહિતિ હોય તે દલીલો કરીને પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરીને સામે વાળાને પરાસ્ત કરી દે.   

સામે વાળાને પરાસ્ત કરવો એ પણ એક હિંસા છે. ખોટી વાતને સાચી કરી બતાવવી એ પણ હિંસા છે. સાચી અહિંસા એ છે કે તમે સામી વ્યક્તિના દિલનું પરિવર્તન કરો.

દા.ત. ફલાણા ફલાણા એક પાદરીએ પોતે એક વ્યક્તિથી સેંકડો માઈલ દૂર હોવા છતાં પણ પોતાની ગુઢશક્તિથી તેના વિચારોનું પરિવર્તન કરી તેને સન્માર્ગે દોરેલ. તો આને સાચી અહિંસા કહેવાય.

 

(હવે આ વાતને ચકાસીએ તો પેલા પાદરી ભાઈને એટલે કે સાધક્ને, પેલા સેંકડો માઇલ દૂર રહેલાને (સાધ્યને) અને ગુઢ શક્તિને (સાધન) ગોતવા જવું પડે. અને તે આપણને હાથવગા ક્યારે થશે તે વિષે આપણે જાણતા નથી અને જાણી શકીશું કે કેમ તે વિષે આપણા રજનીશભાઈ કદીયે ફોડપાડ્યો નથી. તેમના શિષ્યો ફોડ પાડવાનું જરુરી માનશે પણ નહીં (સાહેબ કંઈ થોડું ખોટું બોલતા હોય? હેં?).

 

રજનીશની બીજી વાતઃ

ગાંધીજીનો સત્યાગ્રહ એ પણ એક દબાણ અને દુરાચાર છે અને તેથી એક હિંસા છે.

એક વેશ્યા હતી. તેણે એક ભાઈ પાસે લગ્નની માગણી કરી. પેલા ભાઇએ ના પાડી. ઍટલે પેલી વેશ્યાએ ઉપવાસની ધમકી આપી. અને ઉપવાસ ઉપર બેઠી અને કહ્યું તું જ્યાં સુધી લગ્ન માટે હા નહીં પાડે ત્યાં સુધી હું ઉપવાસ કરીશ.

 

જ્યારે રજનીશભાઈ આવી વાત કરે ત્યારે એમ જ લાગે કે તેમણે કદી ગાંધીજીને વાંચ્યા જ નથી. ગાંધીજીએ ઉપવાસ માટે ના નીતિ નિયમો અને લાયકાતો ઘડી છે. ઉપવાસનું શસ્ત્ર ઉગામીએ તેમાં પોતાનો અંગત સ્વાર્થ તો ત્યાજ્ય જ છે. તે મુખ્ય મુદ્દો જ રજનીશભાઈને ખબર ન હોય તો તેમના શિષ્યોએ તો નાહી નાખવું જ પડે. ગુરુને દાળમાં કોળું જાય તો પછી શિષ્યોની દશા શું થાય?

 

રજનીશભાઈ ની ખાદી વિષે અને સગવડોના ઉપભોગ ના ખ્યાલો વિષે પણ કંઈક આવું જ છે. તે વિષે તો ગાંધીજીને વાંચવા જ જોઇએ. માણસના મૂળભૂત અધિકારો અને માનવીય અધિકારો અને માનવીય મૂલ્યો વિષે રજનીશભાઇ ની સમજણ આત્મવંચના જેવી હતી. ઉપભોગની બાબતમાં ગાંધીજી અને ઔરંગઝેબ સમાન વિચારના હતા. અન્ના હજારે કહે છે તેમ સૌ સૌની મર્યાદામાં રહે અને દેશના ગરીબને હંમેશા નજરમાં રાખે. સૌ કોઇ આપણા ઋષિ-મૂનીઓ, ચાણક્ય, ઔરંગઝેબ, ગાંધીજી, જૈન મહરાજ સાહેબો અને વિનોબાભાવે જેવા  કદાચ ન બની શકે પણ દીશા તો એ જ હોવી જોઇએ.

 

ત્રીજી વાતઃ એક માણસ હતો. તેને કોયલનો ટહૂકો ગમતો એટલે કોયલ બહુ ગમતી હતી. તેણે કોયલના બચ્ચાં જોયાં એટલે તે પકડીને લઈ ગયો. આગળ જતાં તે બોલ્યાં કૉ કૉ કૉ કૉ. એટલે તેને ખબર પડી કે આ તો કાગડા છે. તેણે તેમને મુક્ત કર્યા. શું સમજ્યા તમે? “બોલવાથી મુક્તિ મળે છે.”

 

આત્મનઃ મુખદોષેણ બધ્યન્તે સુખસારિકા, બકાસ્તત્ર ન બધ્યન્તે મૌનં સર્વાર્થ સાધનં

 

પોતાના (સુરીલા) મુખના અપરાધથી પોપટ અને મેના બંધનમાં આવે છે. બગલાને કોઈ પાળતું નથી. માટે મૌન  બધા ફળનું સાધન છે. આ શ્લોકની રજનીશભાઇને ખબર નહીં હોય. શું થાય?

 

ચોથીવાતઃ

 

રજનીશજી બોલ્યાઃ “માણસ જીવતો હોય ત્યારે મરવાના વિચારો કરે છે અને મરતો હોય ત્યારે જીવવાના વિચારો કરે છે.”

 

રાજા શું કે કલમાડી શું? નરેન્દ્ર મોદી પણ જીવે છે અને મરવાના વિચારો કરતા નથી.

અગણિત લોકો છે જેઓ જિંદગીને જીવી જાણે છે. તે પછી ચાર્વકઋષિની જેમ કે ચાણક્ય ઋષિની જેમ. રજનીશભાઈએ કોને જોયા હશે તે આપણે જાણતા નથી.

 

પાંચમી વાતઃ

 

સંભોગથી સમાધિઃ

 

આ વિષય જરા એવો છે કે જે સુરુચિનો ભંગ કરે તેવો છે. પણ ઘણાને ગમે એવો છે. કારણ કે આમ તો આવા વિષયને પ્રણાલિગત રીતે જોઈએ તો તેઓ બિભત્સ ગણાય. પણ વર્તમાન કાળમાં શરીરના અંગોના નામને બિભત્સ માનવા આવે છે તેમ સંસ્કૃત સાહિત્યમાં તેવું ન હતું.

 

રજનીશભાઈની વાત કરતાં પહેલાં આપણે સંસ્કૃતભાષા જ્યારે પ્રચલિત હતી ત્યારે શું હતું? તે જોઇએ.

 

યોનીઃ જ્યાંથી નિકળ્યું તે. બ્રહ્મયોની. અગ્નિ એ બ્રહ્મમાંથી પ્રગટ થયો. તેથી બ્રહ્મ એ બ્ર્હ્મ યોની કહેવાય છે. અને અગ્નિને વેદોમાં બ્રાહ્મણ પણ કહેવાય છે.

 

અણ્ડઃ જેમાંથી સજીવ બને છે. બ્રહ્માણ્ડ. બ્રહ્મે ઈન્ડું મુક્યું અને તે ઈન્ડામાં બધું ઉત્પન્ન થયું. તે આ બ્રહ્માણ્ડ. બ્રહ્મનું અણ્ડ.

 

શિશ્નઃ જે રસ-પ્રવાહી-વિર્ય છોડે છે અને જ્યાં પડે છે ત્યાં ઉગી નિકળે છે. વ્યોમ એ ઈશ્વરનું શિશ્ન છે.

 

સ્તનઃ પર્વતો તે ધરતી માતાના સ્તન છે. તેમાંથી નદી રુપી ધારા થી મીઠું પાણી નિકળે છે અને વનસ્પતિઓ અને પ્રાણીઓ તુષ્ટિ પામે છે.

 

વીર્ય, તેના સ્ખલન વિષે અને સંગ્રહ વિષે સંસ્કૃતના પુરાણોમાં અને વૈદકમાં ઘણી વાતો કરી છે. પુરાણોની વાતો જવા દઈએ. કારણ કે પુરાણોને ભારતીય તત્વજ્ઞાનમાં આધાર માનવામાં આવતા નથી. પણ આયુર્વેદ કહે છે કે તેને વેડફવું ન જોઇએ.

શાસ્ત્ર એમ કહે છે “પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાંગમુખઃ ગંગા બ્રુતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ.

 

ગંગા એ કહ્યું; “પારકાની પત્નિ, પારકાના ધન અને પારકાના દ્રોહ થી મોઢું ફેરવાનાર મારી પાસે આવીને મને ક્યારે પવિત્ર કરશે.”

 

આ વાતને જો આત્મસાત કરવામાં આવે અને તેની શક્તિ જ્યારે અનુભવવામાં આવે ત્યારે જ તમે જાતીય આવેગ ઉપરના તમારા પ્રભૂત્વને સમજી શકો.

 

આ થઈ ભારતીય શાસ્ત્રની વાત. હવે રજનીશ શું કહે છે?

 

રજનીશ એમ કહે છે જેનો તમે ત્યાગ કરવા પ્રયત્ન કરો તેમ તમને તેનું આકર્ષણ વધશે. આવું કહીને તેઓ એક બે ટૂચકા કહી સંભળાવશે. અને વાતે વાતે પ્રાસ મેળવવા માટે શિશકારા બોલાવશે. અને તેમના શ્રોતાઓને સમજાવશે સાધ્યં ઈતિ સિદ્ધં.  

 

કદ્દચ ફ્રૉઈડના દાખલા આપશે.

પણ કૃષ્ણ અને ફ્રોઈડની કોઈ તુલના નથી. જેઓ ફ્રોઈડને વાંચે છે તે કૃષ્ણને વાંચતા નથી. અને જેણે કૃષ્ણને વાંચ્યા છે તેના ઉપર ફ્રોઈડ અસર કરતો નથી. રજનીશે કદાચ ફ્રોઈડને વાંચ્યો હશે. પણ કૃષ્ણને ધૌમ્ય ઋષિ એ કહેલા “વાંચવા”ના અર્થમાં વાંચ્યા નહીં હોય. જો આમ ન હોત તો રજનીશને દાળમાં કોળું ન જાત.

 

જાતીય વૃત્તિ ની બાબતમાં એક વસ્તુ સમજી લેવી જોઇએ કે આપણું શરીર અસંખ્ય અને અસંખ્ય જાતના કોષોનું બનેલું છે. આ કોષો આપણને જેનેટીકલી વારસામાં મળેલા હોય છે. કોષો બધા રસાયણોના બનેલા છે. એટલે આપણા શરીરને આપણે રસાયણોનું બનેલું કહીએ તો ખોટું નથી. આ રસાયણોને આધારે આપણો સ્વભાવ બને છે. આપણો ખોરાક, આપણી પ્રવૃત્તિ અને આપણા વિચારો આ રસાયણો ઉપર વત્તા ઓછા પ્રમાણમાં અસર કરે છે. કોણ કેટલું અસર કરે છે તે આપણે હજુ શોધી શક્યા નથી. સૌ કોઈ પોતાની વૃત્તિઓ ઉપર ખોરાકથી, ક્રિયાઓ થી અને વિચારોથી કેટલો વિજય મેળવશે તે કહી શકાય નહીં.

 

અર્જુને પૂચ્છ્યું કે ” માણસ પોતાની વૃત્તિઓ ઉપર કાબુ કેવી રીતે મેળવી શકે? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું “અભ્યાસથી માણસ તેની વૃત્તિઓ ઉપર કાબુ મેળવી શકે.” અભ્યાસ એટલે શું? વારંવાર કરવું તે અભ્યાસ. યાદ નથી રહેતું? વારંવાર યાદ કરો એટલે એ વાત યાદ રહી જશે. નાનપણની વાતો શા માટે યાદ છે અને મોટપણની વાતો શામાટે ભૂલાઈ જાય છે? કારણ કે નાનપણની વાતો વારંવાર યાદ કરી હોય છે. અભ્યાસ થી ટેવ પડી શકે છે. બુદ્ધિવડે મનને જીતી શકાય છે. મનની આદતો ટેવ પાડવાથી બદલી શકાય છે. મન ઉપરના તમારા પ્રભૂત્વ ઉપર તમે શ્રદ્ધા રાખો. મન તો તમારું નોકર છે. નોકરે તો તમે કહો તેમ જ કરવું જોઇએ. શું તમે તમારા નોકરના કહેવા પ્રમાણે કરશો? વિનોબાએ કહ્યું.

 

ગાંધીજી વિલાયત ગયા ત્યારે તેમને બાફેલું અને મસાલા વગરનું જમવાનું ફાવતું ન હતું. પણ ધીમે ધીમે આદત પડી એટલે ફાવી ગયું. કોઈપણ બાબતમાં તમે બુદ્ધિથી અને મનથી પ્રયત્ન કરો તો તે સિદ્ધ થઈ શકે છે.       

 

હસ્તદોષ એ ફક્ત ભૌતિક ક્રિયા નથી. દરેક ક્રિયા મન ઉપર અસર કરે છે. હસ્ત દોષથી આત્મવિશ્વાસ ઘટે છે. હસ્તદોષ એ સંભોગનું એક દિવાસ્વપ્ન છે. અને દિવાસ્વપ્ન ખતમ થતાં તમે વાસ્તવિકતા ઉપર પછડાઓ છો. અને પછડાટ એક જાણ્યા અજાણ્યા આઘાતની અસર ઉભી કરે છે. એકથી વધુ સંગી સાથેનો સંભોગ એ પણ તેના જેવો જ બને છે અને તે તમારા નીતિમત્તાના મૂલ્યોને આઘાત પહોંચાડે છે.

 

પણ જાતીય વૃત્તિનું દમન કરવા ઉપર વ્યક્તિનું પોતાનુ પ્રભૂત્વ કેટલું? અને વિચારોનું પ્રભૂત્વ કેટલું? આ વાત તેના રસાયણિક બંધારણ ઉપર આધાર રાખે છે. વિચારો તેને ક્રમશઃ  આગળ કે પાછળ લઈ જાય છે. અને વિચારો તમારી પ્રવૃત્તિ અને અભ્યાસ ઉપર આધાર રાખે છે. જે વાત તમે બુદ્ધિ અને અભ્યાસ વડે આત્મસાત કરી તેની ઉપર ફ્રૉઈડભાઇની અને રજનીશભાઈની ફીલોસોફી અને તારણો કામ કરતા નથી.

 

શું સંભોગ એ યોગ છે?

 

સંભોગથી આનંદ મળે છે. શરીરમાં એક આનંદની લહેર પ્રસરે છે. અને આ આનંદથી કોઈને નુકશાન થતું નથી. તો તેને યોગ શા માટે ન કહેવો. તમારા જીવનસાથી સાથેનો સંભોગ શાસ્ત્રીઓએ બ્ર્હ્મચર્ય સમાન જ ગણ્યો છે. જો પરસ્પરના આનંદ માટે હોય તો કદાચ નુકશાન કારક ન પણ હોય. પણ આને યોગ ન કહેવાય. કારણ કે વ્યસન અને નિદ્રા પણ એમતો આનંદ આપે છે પણ તેનો અતિરેક તમને નુકશાન કરે છે. જો આ બધું યોગ હોય તો કશું નુકશાન થતું ન હોત.

 

જો આમ ન હોય તો?

ખંજ યોગ પણ એક યોગ છે. ખરજવું થાય અને જો તેને ખંજોળીએ તો તેના જેવો આનંદ

ભાગ્યે જ બીજો કોઈ હોય છે. જો આનંદ માત્ર યોગ હોય તો ખંજવાળને પણ યોગ જ ગણાય. ખંજ યોગ. કોઈ આ વાતને નકારશે નહીં.

 

જે સત્ય નથી તેને સત્ય ઠેરવવું અને તેનો પ્રચાર કરવો તેને માન્યતા અપાવવી આ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે. અને ભલભલા મૂર્ધન્યો તેમાં ડૂબેલા છે. 

 

વાસ્તવમાં સૌનું ધ્યેય આનંદ પ્રાપ્ત કરવાનું હોય છે. માર્ગો અનેક છે પણ ધ્યેય તો એક જ છે. પણ સમગ્ર સમાજને આનંદ પ્રાપ્ત થાય તે ઈશ્વરની યોજના છે.

 

મૂર્ધન્યો ભૂલા પડે અને બીજા લોકો તેમાંથી કંઈક શિખે જેથી ભવિષ્યના મૂર્ધન્યો વધુસારું વિચારી શકે અને સમાજને આદર્શ અને સુખી સમાજ તરફ દોરી શકે.

 

ભણેલાઓ આપણે હિસાબે અંધશ્રદ્ધા ફેલાવે છે. પણ અંધશ્રદ્ધા ની વ્યાખ્યા અઘરી છે. ઘણા લોકોને મન રાષ્ટ્રપ્રમુખ અને બીજા મહાનુભાવોને મળતી અને માન્ય રખાતી સગવડો અને વિશેષ અધિકારો પણ એક જાતની અંધશ્રદ્ધા જ હોઈ શકે છે. અને વળી આવી અંધ શ્રદ્ધાનું પાલન તો આપણા ખર્ચે થાય છે.

 

જેઓ ઉપરવાસી (પરલોકવાસી નહીં કહું કારણ કે પરલોક જેવું કશું છે જ નહીં) થઈ ગયા તેમની નિંદા ન કરીએ. તે વાત પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઋષિ-મુનીઓની છે. દા.ત.  આઠવલેજીની નિંદા ન કરીએ અને કાર્યશૈલીની ટીકા ન કરીએ. કાર્ય શૈલીની  જો ટીકા કરવી હોય તો આઠવલેજીને અલિપ્ત રાખીને ટીકા કરીએ તો તે ક્ષમ્ય છે. ઋષિ મુનીઓને જે તે સમયે જે યોગ્ય લાગ્યું તે કર્યું. હાલ તેઓ જવાબ આપી શકે તેમ નથી.

 

મોરારીબાપુની પણ નિંદા ન કરીએ. જોકે તેમણે કહ્યું કે મારો રામ વાલીને મારે નહીં. પણ રામ તો મોરારીબાપુ નો હતો જ નહીં. તુલસીદાસનો પણ ન હતો. અને રામ, વાલ્મિકી કે બીજા કોઈનો પણ ન હતો. રામ તો હાડમાંસ નો બનેલો અને દશરથ નો પુત્ર હતો. અને ઐતિહાસિક હતો. એટલે આજના સમયના મૂલ્યો માટે તે ભૂલો કરે તો તેમાં રામનો વાંક નથી. અને રામની ભૂલ પણ નથી. રામની પાસે ઈશ્વરને જે કરાવવું હતું તે કરાવ્યું. રામે કયા કારણસર વાલીને કેવી રીતે માર્યો તે રામ જાણે. હરિ હરિ કરો અને મંજીરા વગાડો. હરહર મહાદેવ કરીને તૂટી પડવાની જરુર નથી.

 

પ્રાચીન ઋષિ-મુનીઓની જે પૌરાણિક વાતોના વર્ણનોમાં અને સંવાદોમાં શું તથ્ય છે તે જાણવું અશક્ય છે. તેથી જે સારુ છે તે માટે તેમને બિરદાવવા અને ખોટું લાગે તે ભૂલી જવું. પણ જે ખોટું લાગે તેમાં તેમના અનુયાયીઓની જો તેઓ તેનો આધાર લઈ શૈક્ષણિક બચાવ કરે તો અનુયાયીની શૈક્ષણિક ટીકા કરવી. ઋષિ-મુનીઓની અને રાજાઓની ઘણી વાતો તો દંત કથાઓ પણ હોઈ શકે.

 

દા.ત. શંકરાચાર્ય મંડનમિશ્ર ના ઘરે ગયા ત્યારે નીચે પ્રમાણેની રમૂજ પ્રચલિત છે.

 

મંડનમિશ્ર ઉવાચઃ “કુતઃ મુણ્ડી”

[મંડનમિશ્ર બોલ્યાઃ આ મુંડ્યો (ટકલુ) ક્યાંથી (આવ્યો)?]

 

શંકરાચાર્યઃ ઉવાચઃ “આગલાત્‌ મુણ્ડી”

[શંકરાચર્ય બોલ્યાઃ ગળાથી શરુ કરીને (માથા ઉપરસુધી મુંડન કરાવ્યું છે)]

 

મંડનમિશ્ર ઉવાચઃ માર્ગં તે પૃચ્છતે મયા. [મંડનમિશ્ર બોલ્યાઃ હું તો તારા રસ્તાને (વિષે) પૂછું છું.

 

શંકરાચાર્ય ઉવાચઃ કિં આહ માર્ગં [શંકરાચાર્ય બોલ્યાઃ (જો તમે રસ્તાને પૂચ્છ્યું તો રસ્તાએ શું કહ્યું?]

 

મંડનમિશ્ર ઉવાચઃ માતા તે મુણ્ડી ઈતિ આહ માર્ગં. [મંડનમિશ્ર બોલ્યાઃ માર્ગે તો કહ્યું તારી (શંકરાચાર્યની) માતા મુંડી.

 

શંકરાચાર્ય ઉવાચઃ સત્યં બૃતે માર્ગં. ત્વયા માર્ગં પૃચ્છિતં, માર્ગં તુભ્યં અબ્રવિત્‌ યત્‌ તે માતા મૂણ્ડી. તસ્માત્ તે માતા મૂણ્ડી ઈતિ સિદ્ધં.

 

શંકરાચાર્ય બોલ્યાઃ તેં માર્ગને પૂચ્છ્યું અને માર્ગે તને કહ્યું કે તારી માતા મુણ્ડી. માર્ગ સાચું જ કહે છે કે તારી માતા મુણ્ડી.

 

…………

 

………….

 

સંવાદ તો આગળ ઘણો લાંબો છે. પણ આ કંઈ સાચી વાત નથી. રમૂજ ખાતર દંત કથાઓ જોડવાની આપણી પ્રણાલી ઘણી જુની છે. અને કટાક્ષ ચિત્રો ઘણી વખત એક પ્રકારની દંતકથા જેવા જ હોય છે.

 

દેવ દાનવ અને માનવ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું અમને બોધ આપો.

બ્રહ્માજીએ કહ્યું; દ દ દ

 

દેવ સમજ્યા આપણે ભોગવિલાસમાં છીએ એટલે આપણે “દ” એટલે કે દમન. આપણી વૃત્તિઓનું દમન કરવું જોઇએ.

 

દાનવો સમજ્યા કે “દ” એટલે દયા. આપણે ક્રૂર ન બનવું અને દયા કરવી.

 

માનવો સમજ્યા (તે વખતના) કે આપણે સંગ્રહ કરવાને બદલે “દ” એટલે દાન કરવું જોઇએ. 

 

સૌએ લાગુ પડતો શ્રેષ્ઠ અર્થ લીધો.

 

ટૂંકમાં એમ કહેવાય કે નિંદારસ આનંદ માટે છે. સારસારકો ગ્રહણ કરે થોથા દે ઉડા. જે

 

સારુ છે તે ગ્રહણ કરવું અને નકામુ છે તેને ભૂલી જવું.

 

પણ જો આપણે આવો નિયમ માન્ય રાખીએ તો દરેક નિયમને અપવાદ પણ હોય છે. તો આમાં અપવાદ શું. નહેરુવંશી કોંગ્રેસ એક અપવાદ છે. આપણે સ્વતંત્રતા મેળવી તે શા માટે? અંગ્રેજો શું ખોટા હતા! હાજી. તેમનો વાંક હતો.

 

૧   આપણો કાચોમાલ બહાર જતો હતો

 

૨   વિદેશથી તૈયાર માલ આપણા દેશમાં વેચાતો હતો.

 

૩   દેશનો પૈસો બહાર જતો હતો.

 

૪   કાયદાઓ અન્યાયકારી હતા અને સરકાર દંભી હતી.

 

૫   જનતા ગરીબ હતી.

 

૬   જનતા બેકાર હતી.

 

૭   ગરીબીથી અંધશ્રદ્ધા હતી.

 

૮   રાજાઓનું વંશપરંપરાગત શાસન હતું.

 

૯   અંગ્રેજો ભારતમાં વેપારી હતા. તેથી પ્રજા ભીખારી હતી.

 

આજે શું છે?

 

૧   આપણો કાચો માલ આજે પણ નિકાસ થાય છે. ખાણોમાં માફીયા રાજ છે.

 

૨   આપણી સરકાર વૈશ્વીકરણના નામે વિદેશથી આયાત કરે છે તેથી રુપીયો ગગડે છે. ડોલર તકલીફમાં હોવા છતાં પણ રુપીયો ગગડે છે.

 

૩   આપણા નહેરુવંશના શાસકો અને તેના મળતીયાના વિદેશી બેંકોમાં ખાતા છે. અને તે પૈસો દેશમાં ન આવે તે માટે આ નહેરુવંશની સરકાર તનતોડ પ્રયત્નો કરી રહી છે.

 

૪   કાયદાઓ અને પ્રણાલીઓ આજે પણ અન્યાય કારી છે. લોકપાલ ને લગતા કાયદાના શા હાલ કર્યા. અન્ના હજારે અને બાબા રામદેવ ના શા હાલ આ સરકારે કર્યા તે આપણે જાણીએ છીએ. અને છતાં પણ છાતી ઠોકીનેઆ સરકાર કહે છે કે “અમે ભ્રષ્ટાચાર સામે પ્રતિબદ્ધ છીએ.” આ સરકાર તો દંભી જ નહીં પણ નીંભર પણ છે. અને તેના શબ્દોના અર્થ શબ્દકોષના અર્થો સાથે મેળખાતા નથી.

 

૫   આજે ૬૦ વર્ષના શાસન બાદ પણ ૮૫ કરોડ જનતા ગરીબ છે. અને સરકારે જનતાને સરકારી ખેરાતોના મોહતાજ રાખ્યા છે.

 

૬   પાયાની સગવડોના અભાવે આજે પણ બેકારી છે. અને મોટાભાગનાનું ભવિષ્ય સુનિશ્ચિત નથી.

 

૭   ભણેલાઓ પણ અંધશ્રદ્ધાવાળા છે.

 

૮   નહેરુવંશનું શાસન ચાલે છે. તેના જેવા બીજા વંશપરંપરાગત શાસનવાળા પક્ષો ઉત્પન્ન થયા છે. અને મૂર્ધન્યો પણ તાટસ્થ્યના દંભ અને ઘેલછામાં જનતાને સચોટ માર્ગદર્શન આપવામાં પારાવાર ઉણા ઉતર્યા છે અને શાસકોના પાપના ભાગીદાર બન્યા છે.

 

૯   આપણી આ સરકાર પણ વેપારી છે અને તેથી પ્રજા ભીખારી છે. સંસદના સભ્યો પ્રજાના પ્રતિનીધિ છે પણ તેઓ જવાબદારી વગરના છે. કોઈ પણ સરકારી સંસદ લોકપાલ બીલની ઉપર ગુણદોષની ચર્ચા માટે તૈયાર નથી. એટલું જ નહીં સરકાર મતદાન કરાવવા પણ તૈયાર નથી. જો સરકારી સંસદો પોતાની જવાબદારી નીભાવતા નથી તો પણ પોતાની આવકો અને સગવડો વધારે જ જાય છે.

 

 

 

માટે ખુલ્લા દીલથી આ નહેરુવંશી સરકાર અને તેના ભૂતપૂર્વ અને વર્તમાન મળતીયાઓની ભરપેટ નિંદા કરો.

 

જય જગત જય હિંદ

 

 

 

શિરીષ મોહનલાલ દવે

 

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માત ની હાકલ પડી છે

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માત ની હાકલ પડી છે

ટેગ; ઋષિ મૂનિઓ, પ્ર્રચીન, ભારત, નહેરુવંશ, ચાણક્ય, મહાત્મા ગાંધી, અન્ના, રામદેવ, મોરારજી દેસાઈ, ઈન્દીરા ગાંધી, રજનીશ, આઠવલેજી, મોરારી બાપુ, અંધશ્રદ્ધા, ઈશ્વર

Read Full Post »

અંધારા ઓરડામાં કાળો ભૂતીયો બિલાડો અને બ્રહ્મજ્ઞ રજનીશ આમ તો મુહાવરો એમ એ કે “અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડીને અંધારા ઓરડામાં શોધવી.” કાળો ભૂતીયો બિલાડો બીલાડો એટલે શું?

કાળો એટલે બધા રંગો શોષી લે. ભૂતિયો એટલે અસ્તિત્વ ન ધરાવતો અને બિલાડો એટલે બિલાડીને બદલે બિલાડો. અને બ્રહ્મજ્ઞ એટલે શું? સૌપ્રથમ આવો અંગ્રેજી ટૂંકાક્ષરી શબ્દ હતો એલજીવીજી. એટલે કે લાગવગ. ગુજરાતીમાં એક નવો શબ્દ પ્રચલિત થયો છે જે છે “એમ.બી.એ.”. “એમ” એટલે મને. “બી” એટલે બધું. અને “એ” એટલે આવડે. મને બધું આવડે એટલે એમબીએ. એમબીએની જ્ઞાતિનો એક શબ્દ છે સબબંદરકા વ્યાપારી. એટલે કે તમે જે કંઈકામનું નામ લો તે એ કરી શકે. બ્રહ્મજ્ઞ એટલે તમે બ્રહ્મને જાણી લીધું એટલે તમારામાં બધું જ્ઞાન આવી જાય. પછી તમે દરેક વિષયમાં તમારી ચાંચ ડૂબાડી શકે.

બ્રહ્મજ્ઞાની અવસ્થા

આમ તો દરેક મનુષ્યના જીવનમાં આ અવસ્થા આવે છે. પણ કેટલાકમાં આ અવસ્થા સ્થાયી થઈ જાય છે. જો આપણે માંડીને વાત કરીએ તો બાળક જન્મે એટલે તે ભોજન અને તેથી અતિરિક્ત દરેક વસ્તુને સ્પર્ષ કરીને ઓળખવાનો પ્રયત્ન કરે છે. પછી ભાષા સમજવાનો અને બોલવાનો પ્રયત્ન કરે છે. પછી તમે એને ભણાવો એટલે બધી માહિતિનો સંગ્રહ કરે છે.પછી તે પોતાના પ્રશ્નો કરવાનું અને મનગમતી માહિતિ મેળવવાના પ્રયત્નો કરે છે. પોતાની માહિતિને ઠમઠોરે છે. એમ કરતાં કરતાં તે પોતાનું ભણતર પૂરું કરે છે. પણ વ્યાવસાયિક અનુભવ ન હોવાથી વ્યવસાયમાં બીજાઓના અનુભવ વિષે પૃચ્છાઓ કરે છે.

એમ કરતામ કરતાં એ ૩૦ થી ૩૫ વર્ષનો થઈ જાય છે ત્યારે તેને ખબર પડે છે કે કેટલાકને તો પોતાના કરતાં પણ ઓછી ખબર છે. અને આ ઓછું જાણતા વ્યક્તિઓની સંખ્યા કે જેની તે જાણ રાખતો હોય છે તે ઉત્તરોત્તર વધતી જાય તો તે સમજવા લાગે છે કે તે હવે બ્રહ્મજ્ઞાની થઇ ગયો. એટેલે તે દરેક વિષયમાં ફ્રીસ્ટાઇલથી પાદાર્પણ કરે છે.

હવે આપણે બ્રહ્મજ્ઞાની તો થઇ ગયા પણ લોકોને તો ખબર નથી. લોકોને ખબર કેવીરીતે પાડવી? એટલે આ વિષે ચિંતન અને પ્રયત્નો ચાલુ થાય છે. સંસ્કૃતમાં આ વિષે લખ્યું છે કે “ઉટપટાંગ” અને “અર્થહિન વાતો કરવી”… આંબાને તરસ્યો ભૂખ્યો રાખવો અને થોરને પાણી પાવાની વાતો કરવી. એટલે કે સિદ્ધપ્રણાલીઓને તોડવાની વાતો કરવી. તે ખ્યાતિ મેળવવાનો ઉત્તમ રસ્તો છે. અમે દેશી છીએ એટલે દેશી ઉદાહરણો આપીએ છીએ. નહીં તો રોબર્ટ રેન્જર કે મેકસીમ ગોર્કી કે એવા કોઇનું નામ આપત. સત્યં વદ, ધર્મં ચર એવી ગુડ્ડી ગુડ્ડી વાતો કરશો તો લોકો ક્યાં સુધી સાંભળશે? કુતરુ માણસને કરડે તો તે ચટાકેદાર સમાચાર કે કદાચ સમાચાર પણ બનતા નથી. પણ માણસ જો કૂતરાને કરડે તો તે ચટાકેદાર સમાચાર બને જ બને. આ વાત પત્રકારિત્વના વિદ્યાર્થીઓને શિખવામાં આવે છે.

આપણે કંઇ વિષયહીન કે તારતમ્યહીન લાગે એવી વાતો તો કરવી નથી. એટલે મૂળ વાત પરા આવીએ. ભૂતીયો બિલાડો અને અંધારો ઓરડો એટલે શું? ભૂત એ એક અસ્તિત્વ ન ધરાવતું પ્રાણી છે. હવે આ ભૂત ભાઇ એવા છે કે રાત્રી હોય … અંધારું હોય … માણસ એકલો હોય… ડરેલો હોય … તો અને ત્યારે પટમાં આવે છે. એટલે કે તે માણસને દ્રષ્ટિ ગોચર થાય છે. ઉપરરોક્ત પરિસ્થિતિના અભાવમાં, કદાચ તેમને એટલે કે ભૂતભાઇને માણસભાઈ(માણસબેન પણ ખરાં)ની બીક લાગે છે. ચોરભાઇ ભલે અદ્રષ્ય થઇ ગયા પછી એકાદી નિશાની છોડી જાય પણ આ ભૂતભાઇ અદ્રષ્ય થયા પછી કશી નિશાની છોડતા નથી. તેમજ ચોરભાઇથી વિરુદ્ધ આ ભૂતભાઇ કશું લઇ પણ જતા નથી. આવું હોવાથી કેટલાક પોતાને સુજ્ઞજન માનતા લોકોએ પ્રશ્ન ઉત્પન્ન કર્યો કે “શું ખરેખર ભૂતભાઇ અસ્તિત્વ ધરાવે છે ખરા? અમને તો એવું લાગે છે કે ભૂતભાઇ જેવું કશું છે જ નહીં.”

“ભૂત ના અસ્તિત્વ” વિષે એક વિવાદ ઉભો થઇ ગયો. પછી ભૂતભાઇના સમર્થકોએ ભૂતોને તેમના સ્થાનને વિષે અને વર્તનને અનુરુપ ક્લાસીફાય કર્યા અને તેમનું નામકરણ કર્યું … વિગેરે વિગેરે…

પણ આ તો એક ઉદાહરણ થયું. તમે આવા કંઈક વિષયોને ઉત્પન્ન કરીને વિવાદ સર્જી શકો. અને આ ઉપરાંત પણ એવા ઘણા વિષયો છે જે ઉપર કાળના પ્રવાહમાં કાળે માન્ય કરેલા સુજ્ઞજનોએ વિસ્તારથી ચર્ચેલા વિષયો ઉપર ચર્ચા કર્યા વગર અથવા તો અસંબધ્ધ પ્રલાપનો આલાપ કરીને એક વિવાદ ઉત્પન્ન કરી શકો છો કે જેથી પૂર્વેના સુજ્ઞજનો તમારી ચર્ચામાં ભાગલેવા અશરીરી હોવાને કારણે વિલાપ કરતા થઇ જાય.

અંધારો ઓરડો એટલે શું? નાનકડો એક દિવો મોટા એવા ઓરડામાં અજવાળું પાથરી શકે છે. પણ ચમચાઓથી ઘેરાયેલા સંતઆગળ વિદ્વાન વૈજ્ઞાનિક પણ વામણો બની જાય છે. કારણ કે સંત અને તેથી કરીને ચમચામંડળ કે અલ્પજ્ઞ શ્રોતામંડળ કે જેને એવું ઠસાવી દીધેલું હોય છે કે બુદ્ધિથકી અદ્રષ્ટને સમજવાની શક્તિ સીમિત હોય છે અને તેથી આવા શ્રોતાઓની આગળ ફેલાયેલા અભિભાવક અંધકારમાં તે રજમાત્ર અજવાળું પાથરી શકતો નથી. આ અંધારા ઓરડામાં તો શબ્દોના પ્રાસ, અનુપ્રાસ, લય, વિલય અને વિરોધાભાષી સંભાષણોમાં જ શ્રોતાગણ અભિભાવુક બનવામાં માનતો હોય છે. અને તેથી જ્યારે સંતનું વિષય ઉપરનું અવિષય વ્યાખ્યાન પૂરું થાય ત્યારે ” … હા તો પછી સરવાળે શું કરવાનું એ તો સ્પષ્ટ કરો … ” એવું કોઇ પૂછી શકતું નથી.

સિદ્ધં ઈતિ સિદ્ધં

બધાએ સમજી લેવાનું હોય છે કે આ જ બ્લીસ, આ જ પ્રહર્ષ, આ જ પરમાનંદ. આપણા સંત જ સત ચિત અને આનંદ છે. અહો! આપણે કેટલા નિમ્ન કક્ષાએ છીએ કે સ્વજનના મૃત્યુ વખતે આપણે સ્થિતપ્રજ્ઞ રહેવું જોઇએ અથવા એવી કક્ષાએ પહોંચવું જોઇએ તે વિચારી શકતા પણ નથી. જ્યારે આપણા ગુરુજી તો ક્યાંના ક્યાંય પહોંચી ગયા છે. (જોકે જ્યારે બ્રહ્મજ્ઞાની રજનીશને માનવસ્વાતંત્ર્યને બિરદાવનાર અમેરિકાએ તડીપાર કર્યા ત્યારે આ જ બ્રહ્મજ્ઞાની રજનીશે સાંભળનારનું પણ પેટ ભરાઇ જાય તે હદે અમેરિકાની મુક્ત કંઠે નિંદા કરેલી.)

ભાષ્ય લખ્યા વગરના આચાર્ય કે સકુલવગરના (સ્કુલવગરના) પ્રિંસીપાલ

આ રજનીશભાઈ, જે પોતાને સર્વપ્રથમ આચાર્ય તરીકે ઓળખાવતા હતા, પણ પછી કોઈ તેમનાથી અધિક સુજ્ઞ જને તેમના ધ્યાન ઉપર લાવ્યા કે તમે કોઈ ભાષ્ય લખ્યું નથી, તમને સંસ્કૃત પણ આવડતું નથી એટલે તમને “આચાર્ય” કેવી રીતે કહી શકાય? ત્યારે આ રજનીશભાઈ કહ્યુ કે “હુ ફલાણી ફલાણી કોલેજ માં લેક્ચરર હતો.” આમ કહી તેમણે પોતાનું સંસ્કૃતનુ અજ્ઞાન પ્રગટ કર્યું. કારણ કે સંસ્કૃત ભાષામાં પ્રવર્તમાન પ્રણાલી પ્રમાણે લેક્ચરરને  અધ્યાપક કહેવાય છે. અને આચાર્ય તો પ્રિંસીપાલને કહેવાય છે. એટલે વાણીવિલાસી, આપણા આ રજનીશભાઈએ પોતાના નામના પૂર્વગ માં આચાર્યને સ્થાને “ભગવાન” શબ્દ સ્થાપિત કર્યો. 

ભગવાનનામનો પૂર્વગ શા માટે પસંદ કર્યો?

જો કે આમેય આ જગતમાં હમેશા પોતાને ભગવાન માનનારાઓનો તૂટો રહ્યો નથી. હર હમેશ જગતમાં મનુષ્ય રુપે વિચરતા ભગવાનોનો આંકડો ચાર આંકડામાં રહ્યો છે. શિષ્યોએ પોતાના ગુરુમાં રહેલા ભગવાનનો સાક્ષાત્કાર થયો કે તે ગુરુને પોતે ભગવાન હોવાની અનુભૂતિ થઈ તે તો તેઓ જ જો સાચાબોલા હોય તો કહી શકે. એ વાત જે હોય તે અહીં આપણા આ રજનીશભાઈ ભગવાન થયા. તેમના બધા પુસ્તકોમાં તેઓ પોતાના ફોટા સાથે ભગવાન રજનીશ તરીકે દૃષ્ટિગોચર થવા લાગ્યા.

ભગવાન થવામાં એક સુખ હતું. કયું સુખ હતું?

ભગવાન તો બધામાં જ હોય. ઝાડ, પાન, ડૂંગરા, નદીઓ, ખીણ, જંગલ, શહેર, ગામડું, મનુષ્ય, પશુ, પક્ષી, રાક્ષસ, કાર્ય, કારણ, સુખ, દુઃખ, એ બધું જ ભગવાન છે. ગીતામાં કૃષ્ણ ભગવાન નું વિશ્વરુપ દર્શન જોઈ લેવું. એટલે પોતાને ભગવાન કહેડાવીએ તેમાં કોઈ વાંધો પાડી ન શકે.

સામાન્ય માન્યતા એવી છે કે જે વ્યક્તિ પોતાનામાં રહેલા ભગવાનને ઓળખી શક્યો તે વ્યક્તિ ભગવાન. અથવા તો જેણે યોગ, કે સમાધિ દ્વારા બ્રહ્મને જાણી લીધું તે ભગવાન. એટલે જો આપણા રજનીશભાઈ પોતે જાતે ખોંખારીને ફોડ ન પાડે ત્યાં સુધી તેમના શિષ્યો યથેચ્છ રીતે, ચર્ચા કર્યા સિવાય જે માનવું હોય તે અને અથવા અજ્ઞજનોને  જે મનાવડાવવું હોય તે મનાવડાવી શકે. રજનીશભાઈ તો કશું બોલે જ શેના.

પણ પોતાને ભગવાન તરીકે ઓળખાવવામાં એક મુશ્કેલી હતી.

આ કંઈક વધુ પડતું હતું. આજના આધુનિક યુગ અને આધુનિક વિચારધારા સાથે બંધ બેસતું ન હતું. વળી આપણા રજનીશભાઈ પોતાને આધુનિક અને પ્રગતિશીલ વિચારધારાવાળા તરીકે ઓળખાવવા માગતા હતા. કારણ કે તેમને તેમના શિષ્યમંડળમાં માલેતુજાર લોકોને ભેળવવા માગતા હતા. રેંજી પેંજી, ગરીબ ગુરબા તેમને પસંદ ન હતા. સેલીબ્રીટીજ઼, ફીલ્મી હિરોજ઼, ફીલ્મી હિરોઈનો, જેવા લોકો અને બાપકમાઈ વાળા છેલ છબીલા લોકો, કૃષ્ણ ભક્તો, જય જીનેંદ્રવાળા લોકો, અને પોતાને વૈશ્વિક ગુરુ થવું હતું તેથી થોડા વિદેશી મૂક્તવિચરતા લોકો આવે તો સોનામાં સુગંધ ભળે. એક કાંકરે ત્રણ પક્ષી મરે.

જેમ રાત્રે તારાઓ થી ચંદ્ર શોભે છે, ચંદ્રથી તારાઓ શોભે છે અને ચંદ્ર અને તારાઓથી આકાશ શોભે છે, તેમ આવા ગુરુથી બેવકુફ જેવા પણ માલે તુજાર સેલીબ્રીટીઓથી પરસ્પર એકબીજા શોભે અને બંનેથી તેમનો આશ્રમ શોભી શકે.

આવી સ્થિતિમાં તર્કની જરુર પડતી નથી એની મોટી નિરાંત છે.

તર્કમાં આપણે માનવું જ નહીં. બધા વિવાદોનું મૂળ તર્ક છે. માટે તર્કને તિલાંજલી આપો.

તે માટે આ તર્ક કરો; જેની પાસે વધુ માહિતિ છે તે વધુ તર્ક કરી શકશે. જેની પાસે ઓછી માહિતિ હશે તે સાચો હોવા છતાં પણ હારી જશે. એટલે આમાં માહિતિઓનો જ જય પરાજય થાય છે. સત્ય તો ત્યાંનું ત્યાં જ રહે છે. માટે હે (અલ્પજ્ઞ જનો) તમે તર્કથી દૂર રહો. તમારા અંતરાત્માને જે ગમે તેને જ સત્ય માનો.

આપણા રજનીશભાઈમાં સંસ્કૃતભાષાનું જ્ઞાન ઓછુ હતું કે ન હતું. નહીં તો તે એમ પણ કહી શક્યા હોત કે સ્મૃતિ ર્વિભીન્ના શ્રુતયશ્ચ ભીન્ના, નૈકેઓ મૂનિર્યસ્ય વચસ્પ્રમાણં, ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયાં, મહાજનો યેન ગતશ્ચ પંથા. (હે અજ્ઞજનો, વેદો અને ઉપનિષદો, અલગ અલગ કહેછે. મૂનીઓ પણ એકમત નથી. સત્ય છે તે તો કોઈ ઊંડી ગુફામાં પડ્યું છે. માટે તમે (જેને મહાપુરુષ માનો છો) મહાપુરુષો જે કહે તેને અનુસરો.

આપણા રજનીશભાઈના ઉદ્ધ્વરણો માં કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ ના નામનો ઉલ્લેખ એક સાથે કશા પૂર્વાપર સંબંધ વગર થયા કરતો.

જો તમારે મહાન ગણાવું હોય તો તમારે પ્રચલિત સર્વસ્વિકૃત મહાપુરુષોની વાતોને નકારવી જોઇએ.

જેમકે ગાંધીજીના સિદ્ધાંતોને નકારો

“ગાંધીની અહિંસા નિરપેક્ષ અહિંસા નહીં થી. તમે તમારી વાત તર્કદ્વારા સિદ્ધ કરી શકો જો તમારી પાસે વધુ જાણકારી હોય તો.

પણ આ તો એક પ્રકારની હિંસા છે.

વળી તમે ઉપવાસ દ્વારા સામેની વ્યક્તિ ઉપર દબાણ લાવો એ પણ હિંસા જ છે.

એક વેશ્યા એક યુવકને કહ્યું કે તું મારી સાથે લગ્ન કર નહીં તો હું ઉપવાસ ઉપર બેસીશ.

આ હિંસા નથી તો શું છે?” …. રજનીશભાઈ ઉવાચ.

જો કે ગાંધીજીના પુસ્તકો, કે કમસે કમ સત્યાગ્રહ અને ઉપવાસ વિષેના પુસ્તકો રજનીશભાઈએ વાંચ્યા લાગતા નથી. જનતાના મોટાભાગના લોકોએ પણ વાંચ્યા નથી હોતા એટલે આપણા રજનીશભાઈનો વાણી વિલાસ ચાલ્યા કરેછે.

રજનીશભાઈને ખબર નથી કે સત્યાગ્રહ, ઉપવાસ, સવિનય કાનૂન ભંગ વિગેરે શસ્ત્રો વાપરવાના નિયમો સુનિશ્ચિત રીતે બનાવેલા છે. તેની પ્રથમ શરત જ એ છે કે ઉપરોક્ત શસ્ત્ર ફક્ત “સર્વજન હિતાય” જ  વાપરી શકાય. બીજી શરત એ કે સંવાદ માટે હરઘડી હરપળ તૈયાર રહેવું. કાનૂની સજા ભોગવવા તૈયાર રહેવું.

ગાંધીજી કંઈ મૂર્ખ ન હતા કે તેમના શસ્ત્રોને ફક્ત નામ જ આપે અને તેના ઉપ્યોગના નિયમો ન બનાવે. પણ હવે આપણા રજનીશભાઈને કોણ કહેવા જાય કે તમારામાં લાંબી બુદ્ધિ નથી. વળી તેમના શ્રોતાઓ પણ રજનીશભાઈ થી ઉચ્ચ કક્ષાના તો ન જ હોય. બનતા સુધી તો તેમના થી ઘણી ઉતરતી કક્ષાના હોય.

આપણા આ રજનીશભાઈ એ નિરપેક્ષ અહિંસાનો દાખલો આપ્યો. એક પાદરીએ એક વ્યક્તિનું દૂરથી પોતાની આધ્યાત્મ શક્તિથી જ હૃદય પરિવર્તન કરી દીધું. ન માહિતિની આપ લે ન ચર્ચા. આને કહેવાય નિરપેક્ષ અહિંસા.

અરે રજનીશભાઈ, “જંગલમેં મોર નાચા કિસીને ન દેખા”. તમારી વાતને મૂર્ખ જ સ્વિકારશે. પાદરી કે વિચાર પરિવર્તિત વ્યક્તિ ગોત્યા જડતા નથી. અને જડે તો પણ શું?

આવી તો ઘણી અગડં બગડં વાતો છે આપણા રજનીશભાઈની. … ક્યારેક તે વાતો કરીશું.   

એટલે જ હજારો વર્ષ પૂર્વે સંસ્કૃતમાં એક શબ્દ પ્રયોગ છે કે “પરોપદેશે પાંડીત્યં શોભનં વર્તતે”. અને તેથી જ રજનીશ આનંદ, નિજાનંદ, દિવ્યાનંદ, અત્યાનંદ, પરમાનંદ, દેવાનંદ વિગેરે વિગેરે વિગેરાનંદ ની વાતો તેમના અભિભાવુક શ્રોતાઓમાં આલાપી શકે છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

%d bloggers like this: