Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અહિંસા, આઈ.એન.સી., આચાર, ઈન્દિરાઈ કોંગ્રેસ, કટૂતા, કટોકટી, કૃષ્ણવદન જોષી, કોંગી, કોંગ્રેસ (આઈ), ખાદી, ગાંધીજી, ગૌવંશ હત્યા બંધી, ચોકિદાર ચોર હૈ, ડીસ્કવરી ઓફ ઈન્ડિયા, દક્ષિણ ભારતના સામ્રાજ્યો, દારુબંધી, નૈતિકતાના નિયમો, પક્ષની પરિભાષા, પારદર્શિતા, પ્રકૃતિ સાથે જીવન, પ્રેમ, ફરજંદો, ફરેબી ઇતિહાસ, ભાટાઈ, મૂર્ધન્યો, યંત્રો, રાક્ષસ, લડત, લોહીના ટીપામાંથી, વંશવાદ, વાર્ધક્ય, વિચાર, વેદ અને ઉપનિષદ, સંવાદ, સજા માટે તૈયાર, સત્યનો આગ્રહ, સામાન્ય જનહિત, સિદ્ધાંત, સ્નાનસૂતક, સ્વદેશી, સ્વાતંત્ર્યની લડત, હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર, હિંદ સ્વાતંત્ર્ય, ૧૩૩ વર્ષ on July 4, 2019|
Leave a Comment »
કોંગી (ઇન્દિરા નહેરુ કોંગ્રેસ = આઈ.એન.સી. I.N.C.) જીવશે કે નહીં?
કેટલાક મૂર્ધન્યો જેમાં કેટલાક તાજા જન્મેલા છે, કેટલાક કોંગી કટોકટીની આસપાસ જન્મેલા છે અને કેટલાક વાર્ધક્યથી પીડિત છે તેમને આ લેખ ગમશે નહીં. પણ સમયની માંગ છે કે આવું લખવું.
કોંગી (ઇન્દીરાઈ કોંગ્રેસ) એ કોંગ્રેસ નથી.
આ કોંગી ૧૩૩ વર્ષ જુની છે જ નહીં. અને જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો તે કોંગ્રેસને હાલની કોંગ્રેસ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. આ વાત અગાઉ પણ કહેવાઈ ગઈ છે. દુઃખ એ વાતનું છે કે આપણા કેટલાક મૂર્ધન્યો આ સમજતા નથી. સૌથી વધુ દુઃખ તો એ વાતનું છે કે જેઓએ સિદ્ધાંત અને પક્ષની પરિભાષા અને ઐતિકાસિક ઘટનાઓને જાણતાં જાણતાં વાર્ધક્ય (વૃદ્ધાવસ્થા)ને ભેટ્યા છે તેઓ પણ કોંગીને ૧૩૩ વર્ષ જુના પક્ષ તરીકે ઓળખાવે છે.

પક્ષ એટલે શું?
આ કોઈ અઘરો પ્રશ્ન નથી કે મૂર્ધન્યો તેનાથી અજાણ હોય. પક્ષ હમેશા તેના વિચારો (સિદ્ધાંતો) થકી ઓળખાય છે. પણ આ પૂરતું નથી. પક્ષ પોતાના વિચારો પ્રમાણેના આચારો ધરાવતો હોય તો વિચારોનું મહત્વ રહે છે. શક્ય છે કે ૧૦૦ પ્રતિશત આચારો તે પક્ષમાટે શક્ય ન હોય પણ તેના આચારોની દિશા તો તે જ હોવી જોઇએ. અને ક્રમશઃ તે દિશામાં તે આગળ જવો જોઇએ. પોતાના સ્થાપિત સિદ્ધાંતોથી તે ઉંધી દિશામાં તો જવો જ ન જોઇએ.
૧૮૮૫ વાળી કોંગ્રેસ ૧૯૧૮માં બદલાઈ ગઈ.
ગાંધીજી ૧૯૧૬-૧૭માં ભારતમાં આવ્યા. કોંગ્રેસ પક્ષમાં પરિવર્તન લાવ્યા. તેમણે કોંગ્રેસમાં કયા સિદ્ધાંતો અપનાવ્યા?
કોંગ્રેસ હિંદ સ્વાતંત્ર્યની લડત ચલાવશે.
કોંગ્રેસ આ લડત અહિંસાના માર્ગે ચલાવશે.
લડતમાં પારદર્શિતા રાખશે,
પક્ષનો સદસ્ય સરકાર અને તેના હોદ્દેદારો કે કોઈના પણ પ્રતિ કટૂતા નહીં રાખે,
લડતના અંગ તરીકે સત્યનો આગ્રહ રાખશે, ચર્ચા માટે ખુલ્લાપણું રાખશે,
પક્ષ દ્વારા સ્થાપિત નિયમોની આચાર સંહિતા પ્રમાણે જ લડત ચલાવશે. જેમકે ઉપવાસ, કાનૂનભંગ, સભા સરઘસ જેવા લડતના શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં તે સરકાર સાથે સંવાદ કરશે, પોતાનો પક્ષ અને હેતુ સમજાવશે, અને જો સરકારનું વલણ સહયોગવાળું હશે, અને સરકાર જો મુદત માગશે તો મુદત આપશે. જો સરકાર જનહિતની માગણીઓ ઉપર સંમત ન થાય તો તે પછી તે લડત માટેની નોટીસ આપશે.
પક્ષના સદસ્ય સજા માટે તૈયાર રહેશે, સજા ભોગવશે અને તે દરમ્યાન પણ કોઈના પ્રત્યે કટૂતા રાખશે નહીં.
પક્ષનો સદસ્ય સ્વાર્થના કામો માટે કદી લડત ચલાવશે નહી. લડતના કેન્દ્રમાં હમેશા સામાન્ય જનહિત જ રહેશે.
સદસ્ય નૈતિકતાના બધા જ નિયમો પાળશે અને જામિન ઉપર જવાની માગણી કરશે નહીં અને સત્યને ખાતર જામિન ઉપર જશે પણ નહીં.
ખાદી અપનાવશે. અને સ્વદેશીનો આગ્રહ રાખશે.
આ ઉપરાંત સામાજિક સુધારના પણ કેટલાક લક્ષ્યો ગાંધીજીએ કોંગ્રેસમાં સામેલ કરેલા,
જ્ઞાતિઓની ઉચ્ચ નીચ પ્રથામાં માનશે નહીં.
સામાજિક વ્યવહારોમાં ઉપયોગીતાને નજર સમક્ષ રખાશે.
દારુ અને વ્યસનોને ત્યાજ્ય ગણશે,
ગૌવંશ હત્યા બંધીનો સમર્થક રહેશે,
અહિંસક સમાજની સ્થાપના માટે પ્રયત્નશીલ રહેશે.
સર્વધર્મ સમભાવ રાખશે.
ગાંધીજીની કોંગ્રેસ માટે આ બધું જ લખેલું છે. જનસેવક માટે તો આનાથી પણ કઠોર નિયમો છે.
હવે તમે એક પછી એક નિયમોનો ચકાશો.
૧૯૪૭માંના કોંગ્રેસી સદસ્યોને લો અને તેમને અત્યારના કોંગી સદસ્યને તેની સાથે સરખાવો.
ધારો કે ૧૯૪૭માં ૭૦ ટકા કોંગ્રેસીઓ ઉપરના બધા જ નિયમો પાળતા હતા. જો કે આનાથી ઘણા વધારે કોંગ્રેસીઓ ઉપરના નિયમોને પાળતા હતા. નેતાઓમાં તો ઓછામાં ઓછા ૯૫ % નેતાઓ અતિ શુદ્ધ હતા.
હાલના કોંગીઓને જુઓ. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? સામાન્ય કોંગીઓની વાત જવા દો. કોંગીના ટોચના નેતાઓની જ વાત કરો. તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે?
હવે જે પક્ષમાં સિદ્ધાંતો જેવું કશું રહ્યું જ ન હોય. સિદ્ધાંતો ફક્ત પોથીના રીંગણા જ રહ્યા હોય. સિદ્ધાંતોનો ખૂલ્લે આમ ભંગ કરતા હોય અને છતાં પણ પોતાને કોંગ્રેસી માનતા હોય. અને વાર્ધ્યક્ય પીડિત મૂર્ધન્યો પણ આ કોંગ્રેસ ને ૧૩૩ વર્ષ જુની કોંગ્રેસ માનવાનો આગ્રહ રાખતા હોય તો આપણે “પક્ષ”ની અધિકૃત પરિભાષાને અવગણી તેને “ધણ” એવું નામ આપવું જોઇએ.
જો આવું કરીએ તો કોંગી પક્ષને ૧૩૩ વર્ષ જુનો પક્ષ કહી ન શકાય, અને જો કહીએ તો તેને ભાષા ઉપર બળાત્કાર જ કહેવાય.
ગાંધીજીની કોંગ્રેસનો એક પણ ગુણ હાલની કોંગીમાં નથી.
ક્યાર થી આવું છે?
જ્યારથી નહેરુએ સરદાર વલ્લભ ભાઈ પટેલને કોમવાદી કહ્યા અને હૈદરાબાદના તેમના આચારને વખોડ્યો ત્યારથી કોંગ્રેસ મરી ગઈ. અને કોંગી જન્મી.
(૧) નહેરુએ સ્વાતંત્ર્યની લડતમા ઠીક ઠીક યોગદાન આપ્યું છે. પણ તેમનું તે યોગદાન પ્રચ્છન્ન રીતે સ્વકેન્દ્રી હતું, જે તે વખતે દૃશ્યમાન ન હતું. શેતાન પણ જો સારું કામ કરે તો તેને તમે વધાવો. એટલે ભલે નહેરુએ સ્વ ને કેન્દ્રમાં રાખી યોગદાન આપ્યું હોય તો પણ તેમને ક્રેડિટ આપો.
(૨) પણ ગાંધીજીએ જોયું કે ઉપરોક્ત કારણથી ઘણા જ નેતાઓ ગાંધીજી ઉપર પોતાની વગ વાપરી સરકારમાં યોગ્ય હોદ્દો આપવા ભલામણ કરવા લાગ્યા હતા. એટલે ગાંધીજીએ કોંગ્રેસનો વિલય કરી દેવાની વાત કરેલી.
કોંગ્રેસનો વિલય કરવો કે નહીં તે એક ચર્ચાને યોગ્ય વિષય છે. સામાજિક ક્રાંતિના સિદ્ધાંતો શાસન કરતા રાજકીય નેતા (પક્ષ) તરફથી આવે તે ગાંધીજીને મંજુર ન હતું. ગાંધીજીની આ વાતને સમજવામાં મૂર્ધન્યોમાં પણ જેઓ મૂર્ધન્યો ગણાય તેમણે પણ ગોથાં ખાધા છે તો સમાચાર માધ્યમોના પીળા પત્રકારોની તો વાત જ શી કરવી?
(૩) નહેરુના ભારતની સંસ્કૃતિ વિષે કયા ખ્યાલો હતા? ગાંધીજીએ કહેલ કે જે ઋષિઓ વેદ અને ઉપનિષદો લખી શક્યા તેઓ યંત્રો પણ બનાવી શક્યા હોત તેની મને શંકા નથી. પણ તેઓ માનવ જાત ઉપર યંત્રો હામી થઈ જાય તેમાં માનતા ન હતા. તેથી તેઓએ પ્રકૃતિ સાથે જીવવાવાળી જીવન પદ્ધતિ અપનાવી. જો કે આ વાત ચર્ચાસ્પદ છે પણ તેને નકારી ન શકાય. નહેરુનું “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” એ ફક્ત પશ્ચિમી ઇતિહાસકારોએ લખેલા ફરેબી ઇતિહાસની નકલ જ છે. જો નહેરુએ શંકરાચાર્યના અદ્વૈતવાદ અને આઈનસ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીએરી વિષે એક પ્રકરણ પાઠવ્યું હોત અને દક્ષિણભારતના સામ્રાજ્યો વિષે વિસ્તૃત વાતો કરી હોત તો એમ કહી શકાત કે તેમણે કશુંક જે અજાણ્યું હતું તે જાણીતું કર્યુ. ફરેબી ઇતિહાસને ધ્વસ્ત કરનારું પુસ્કળ સાહિત્ય અત્યારે “ઓન લાઈન” ઉપલબ્ધ છે. જેમને પોતાના કોશેટામાંથી બહાર આવવું હોય તેમને માટૅ સરળતા થી આવી શકાય એવું છે. નહેરુએ તો એમ કહેલું કે હું આચારે મુસ્લિમ છું, વિચારોમાં ઈસાઈ છું અને જન્મે હિન્દુ છું. વાસ્તવમાં તેઓ આવા હતા કે કેમ તે વિવાદાસ્પદ છે પણ તેમના આવા ઉચ્ચારણો ઘણું બધું કહી જાય છે.
(૪) નહેરુએ ઘણી બધી હિમાલય જેવડી ભૂલો કરેલી. નહેરુએ તેની કબુલાત પણ કરેલી. પણ નહેરુ તેમની ભૂલોના ફળ ભોગવવા તૈયાર ન હતા. તેમના નામને બટ્ટો ન લાગે તે માટે તેઓ “સીન્ડીકેટ” બનાવીને ગયા હતા કે જેથી તેમની અનુગામી તેમની ફરજંદ બને. એક ફરેબી જનતંત્રવાદી, વાસ્તવમાં સરમુખત્યાર અને વંશવાદી હતો. મોદી આ વંશવાદનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી. લોકશાહીમાં વંશવાદ એક રાક્ષસનું કામ કરે છે. એક રાક્ષક મરે તો તેના લોહીના ટીપાંમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય તેમ આ રાક્ષસે (કોંગી પક્ષે) તો તેનાથી પણ ઉપરવટ જઈ પોતાના જીવતાં જ અનેક વંશવાદી પક્ષો ઉત્પન્ન કર્યા છે. આપણા મૂર્ધન્યો આ વંશવાદી ફરજંદોની ભાટાઈ કરે છે.
(૫) વાસ્તવમાં જોઇએ તો મોરારજી દેસાઈવાળી કોંગ્રેસ (સંસ્થા), મૂળ કોંગ્રેસની વધુ નજીક હતી. પણ મોરારજી દેસાઈએ ૧૯૮૦માં સક્રીય રાજકારણમાંથી વિદાઈ લીધી એટલે તે કોંગ્રેસના સદસ્યો સાગમટે કોંગીમાં ભળી ગયા. અમદાવાદના મેયર કૃષ્ણવદન જોષી જેવા પણ કોંગીમાં ભળી ગયા તે વિધીની વક્રતા છે. આથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? ન્યાયપાલિકાએ ૧૯૬૯ના કેસનો ચૂકાદો ૧૯૮૧માં આપ્યો, જે અર્થ હીન હતો.
(૬) દારુ બંધી કે ગૌવંશ હત્યા બંધી કે અહિંસક સમાજની દિશામાં જવા માટે કોંગીએ કોઈ સકારાત્મક પગલાં લીધાં છે ખરા? ના જી. એક વાત તો ચોક્કસ જ છે કે તેનાથી વિરુદ્ધ દિશાના અને તેને વિરુદ્ધની વાતને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધાં છે. જો તમે આ વાત ન જાણતા હો તો કહો.
(૭) સમાજ સેવા માટે સત્તા પ્રાપ્ત કરવી કે નહીં તે ચર્ચાસ્પદ વિષય છે. પણ ધારો કે તમારે સત્તા પ્રાપ્ત કરવી છે તો તમારે તે માટે બંધારણીય માર્ગે જવું જોઇએ. સત્તા માટે ગેરબંધારણીય માર્ગે જવું અને પછી કોર્ટ તમને ગેરલાયક ઠેરવે એટલે તમારા વિરોધી નેતાઓને અને લોકોને જેલમાં ઠોકી દેવા એ ક્યાંનો ન્યાય છે? એક બાજુ એમ કહે છે કે “હમારા ધ્યેય સબસે નમ્ર વ્યવહાર” (કટોકટીનું પોસ્ટર) અને વાસ્તવમાં અનેક નિર્દોષ લોકો જેલમાં હોય. તે જ વંશના ફરજંદો વળી એમ બોલે કે “હમ દેંગે ન્યાય” … જુઠ્ઠું બોલવુ જેની ઓળખ છે અને અવારનવાર જુઠ્ઠું બોલીને તેને કોંગીઓ સિદ્ધ થયેલું ઠેરવવામાં માને છે. “તેઓ ધિક્કાર ફેલાવે છે, અમે પ્રેમ કરીએ છીએ” એમ રાહુલ અને સોનિયા બોલે છે. અને બીજી બાજુ “મોદીને બેગમેં કરોડોં રુપયે લેકર અનિલ અંબાણીકો દે દીયે. મોદીજીને ૫૦૦૦ કરોડ એકડ જમીન અંબાણીકો દાનમેં દે દી…. અબ તો નરેન્દ્ર મોદીકી ચોરીકા સમર્થન કોર્ટને ભી કિયા હૈ …” અને આ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા (જેની અદાઓ ઉપર આપણા કાન્તિભાઈ ફીદા છે અને તેના જેવી માસુમ વડા પ્રાધાન ની જનતા રાહ જુએ છે) પોતે બોલે છે “ચોકીદાર” અને સામે રહેલા બાળકો પાસે બોલાવે છે કે બોલો “ચોર હૈ” અને કુદરતે બનાવેલા આ માસુમ બાળકો બોલે છે “ચોર હૈ” … આમ “ચોકિદાર … ચોર હૈ” ના નારાઓ ચગાવે છે. આપણા કાન્તિભાઈને આ પ્રિયંકાના નારાઓ સંભળાયા નહી એટલે તેમણે બેધડક કહ્યું “પ્રિયંકા હમેશા સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે છે.” ક્યા બાત હૈ!!

(Thanks to Cartoonist)
(૮) જો રાહુલ-સોનિયા ગેંગે જામિન ન માગ્યા હોત તો શું થાત? તો ચોક્કસ મૂળ કોંગ્રેસનો એક ગુણ તો તેમનામાં ગણાત જ. તેઓ જેલમાં રહીને પણ તેમની હાર ને નાની કરી શક્યા હોત.
(૯) ભારતના મૂર્ધન્યોએ જો કોંગ્રેસ ઉર્ફે કોંગીને જીવાડવી હોય તો તેમણે શું કરવું જોઇએ?
“નરેન્દ્ર મોદી આર્થિક અને સમાજિક ક્ષેત્રે નિસ્ફળ ગયા છે” એ મુદ્દાની ઉપર માથું પછાડવાને બદલે રાહુલ ગેંગને જામિન ન માગવાની અને જેલમાં જવાની સલાહ આપવા જેવી હતી.
(૧૦) ભારતના મૂર્ધન્યોએ પોતાની શક્તિઓ ક્યાં ખર્ચી?
(૧૦.૧) ભારતને સબળ વિરોધપક્ષની જરુર છે.
(૧૦.૨) પ્રચંડ બહુમતિ પક્ષને બે લગામ બનાવે છે,
(૧૦.૩) પ્રચંડ બહુમતિ વાળો નેતા આપખુદ બને છે,
(૧૦.૪) ગઠબંધન વાળી સરકારો પ્રચંડ બહુમત વાળી સરકારો કરતાં સારું કામ કરે છે,
(૧૦.૫) આજના મહા ગઠબંધન અને ૧૯૭૭નું ઇન્દિરા સામેનું ગઠબંધન એક સમાન છે.
(૧૦.૬) નરેન્દ્ર મોદી માટે શબ્દકોષના જે કોઈ ખરાબ વિશેષણના શબ્દો હોય તે નરેન્દ્ર મોદી માટે વાપરો.
અને આ નરબંકા રાહુલભાઈ કે જેનાથી અધધ ફરેબી મૂર્ધન્યો સહેતુક આફ્રિન છે તે રાહુલભાઈ કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. આ તે કેવી અર્થહીન ફિલોસોફીકલ ઉક્તિ છે જે ફક્ત વાણીવિલાસની જ ગરજ સારે છે. જો વિચાર નો અર્થ સિદ્ધાંત કહીએ અને સિદ્ધાંત જે આચારમાં મૂકાયો હોય તો તે આચાર કેવો છે તે નીચે જુઓ. જ્યાં રાહુલભાઈ ધન્ય ધન્ય છે.

એવું બની શકે કે, કાલે જો ભારતની આર્થિક અને સમાજિક સ્થિતિ નરેન્દ્ર મોદી ઉજ્જ્વળ કરવામાં સફળ બને તો આ જ મુર્ધન્યો એમ કહીને પોતાનો બચાવ કરશે કે અમે મોદીને સરમુખત્યાર બનતા રોક્યો હતો. કોંગ્રેસને જીવતી રાખવામાં અમારો હેતુ તો સબળ વિરોધ પક્ષ બનાવવાનો જ હતો જેથી ભારતનું જનતંત્ર જીવિત રહી શકે.
હાજી. આવો દંભ કરવો આપણા મૂર્ધન્યો માટે અજાણ્યો અને અસંભવ નથી. આવો દંભ કરવામાં તો તેઓ કોંગીના મોટા ભાઈની ગરજ સારે છે. કોંગી નેતાઓ કહે છે જ ને અમે ભારતમાં લોકશાહી જીવતી રાખી છે. તેઓ ભૂલી જાય છે કે ભારતની લોકશાહી ના મૂળમાં મહાત્મા ગાધીએ વ્યાપક રીતે બનાવેલ કોંગ્રેસનું વ્યાપક સંગઠન હતું, જેનો લાભ નહેરુ એ લીધો છે. ઇન્દિરાએ તેને તહસ નહસ કરી નાખ્યું. ત્યારથી કોંગીનું નામુ નંખાઈ ગયું છે.
હરિ અનંતો હરિ લીલા અનંતા
હાજી. હરિ અનંતો હરિ લીલા અનંતા. તેજ રીતે રાક્ષસો પણ અનંત છે અને તેમની માયા પણ અનંત છે. પણ આ રાક્ષસોની લીલા પણ હરિ લીલામાં જ આવી જાય. માટે સુજ્ઞ જનોએ બોલીને બફાટ ન કરવો. જો ટકલો કામ ન કરતો હોય તો પ્રેક્ષક બની જોયા કરવું.
મૂર્ધન્યોએ વિપક્ષની ચિંતા કરવી નહીં. સબળ વિપક્ષ આપ મેળે જ ઉત્પન્ન થશે. રામનો વિકલ્પ રાવણ ન હોઈ શકે. રાવણ તો એક પ્રતિક છે. વાસ્તવમાં તો પૃથ્વિરાજ ચૌહાણનો વિકલ્પ મહમ્મદ ઘોરી ન હોઈ શકે.
શિરીષ મોહનલાલ મહાશંકર દવે
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અર્થશાસ્ત્રી, અષ્ટમ્ પષ્ટમ્, અસંતોષી, આતૂર, આપણો એજન્ડા, આર્થિક કૃપા, આર્ષદૃષ્ટા, ઇન્દિરા ગાંધી, ઇમીગ્રેશન, કટારીયા, કટ્ટર મુસ્લિમ, કાજલબેન ઓઝા, કાન્તિભાઈ ભટ્ટ, કુલા ખંખેરીને ઉભા થઈ જવું, કોંગીનેતાઓ, ગાંઠતા નથી, ગુજરાતી મૂર્ધન્ય, ગુણવંતભાઈ શાહ, જયપ્રકાશ, જશવંત સિંઘ, ડી.બી.ભાઈ, તાર્કિક, દાઢી ચશ્મા, દુકાન ચાલશે, નવરાધૂપ, ન્યાયિક, પાષાણયુગ, પુનરાગંતુક, પૂર્વગ્રહ, ફારગતી, બાવી નાચી, બાવો નાચ્યો, બાહ્યગોળ દૃગ કાચ, બેફામ, ભયાવહ, મહાનુભાવ, મોદી વિરુદ્ધ, યશવંત સિંહા, રાક્ષસ, વિકલ્પ, વિનોદભટ્ટ, વિશ્લેષણ, વિષ્ણુભાઈ પંડ્યા, શરદ ઠાકર, શશી થરુર, સમાચાર પત્રોની ધૂન, સરકારી પૈસે ખેરાત, સેલીબ્રીટી, હડી કાઢતા આવશે on January 22, 2019|
Leave a Comment »
મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… ૨
સમાચાર પત્રોને પણ એક ધૂન પણ હોય છે કે ભલે અમે બેફામ અને પૂર્વગ્રહ સાથે લખીએ પણ અમે છીએ તો તટસ્થ જ. હા અમે કંઈ જેવા તેવા નથી.
ખોટું બોલવું એ કોંગીઓની આદત છે. ઇન્દિરાએ કોંગીના આ સંસ્કારને સંપૂર્ણ રીતે સાક્ષાત્કાર કરેલ. આના અનેક વિશ્વસનીય ઉદાહરણો છે. જો કોઈને શંકા હોય તો પૂછે.
હાલ આપણે વર્તમાન પત્રોના વલણ વિષે ચર્ચા કરીશું.
આપણા ડીબીભાઈએ શું કર્યું?
અગાઉના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે ડી.બી.ભાઈને લાગ્યું કે આ આપણા ગુજરાતી મૂર્ધન્યો આપણા એજન્ડાને સંપૂર્ણ રીતે ગાંઠતા નથી. કેટલાકને તો આપણે ફારગતી આપી શકીએ. પણ કેટલાક તો મોટાનામવાળા છે. અને તેમને જો ફારગતી આપીશું તો આપણા વર્તમાનપત્રના ફેલાવા ઉપર અસર પડશે. જેમકે ગુણવંતભાઈ શાહ, વિનોદભટ્ટ, વિષ્ણુભાઈ પંડ્યા, કાજલબેન ઓઝા, શરદ ઠાકર, કંઇક અંશે કાન્તિભાઈ ભટ્ટ (જો કે આમાંના કેટલાક રાજકારણ ઉપર લખવું પસંદ કરતા નથી તે વાત જુદી છે. વિનોદભાઈએ ઈશ્વર ઈચ્છાએ જગા ખાલી કરી છે)
મોટો વાચકવર્ગ એવો હોય છે કે તેને ફક્ત આદતના જોરે સવારે છાપું વાચ્યા વગર ચાલતું નથી. સવારની ચા પીને વાંચે કે નાહી ધોઈને વાંચે, પણ તેને છાપું વાંચવા જોઇએ. સમાચાર જાણવા માટે વાંચે કે કટાર લેખકો શું વિચારે છે તે જાણવા માટે અને કે વાર્તા વાંચવા અને કે ધારાવાહિક વાર્તા વાંચવા માટે છાપું વાંચતા જ હોય છે.
સમાચાર માધ્યમ એમ વિચારે છે કે;
“છાપાં વાંચવાવાળો એક વર્ગ હોય છે અને તેને અવગણવો પાલવે નહીં. માટે આપણે તે વર્ગને બીજેપી/મોદી વિરુદ્ધ કેવી કરવા માટે ૠણાત્મક વાતાવરણ કેવી રીતે કરવું તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો આવું કરીશું, તો જ, આપણા અન્નદાતા એવા કોંગીજનો અને તેથી કરીને તેના સહયોગીઓ આપણા ઉપર આર્થિક કૃપા વરસાવશે. અને આપણી દુકાન ચાલશે.
“માટે કટારીયા લેખકો શોધો
ડીબીભાઈને લાગ્યું, કટારીયા લેખકો શોધવા પડશે;
“કે જેઓ જાણીતા પણ હોય અને વંચાતા પણ હોય. સ્થાનિક લેખકો તો છે. પણ તે બધા જ આપણા કહ્યામાં નથી. એટલે રાષ્ટ્રીય કક્ષાના લેખકોને/કટારીયાઓને શોધવા પડશે.
“જુઓ સદભાગ્યે આપણું છાપું તો અનેક ભાષામાં પગટ થાય છે. એટલે આપણી પાસે તો ક્ષેત્ર તો વિશાળ છે જ. આવા લેખકો હાથવગા પણ છે. તે ઉપરાંત લખી શકે એવા અસંતોષી પક્ષીય નેતાઓ પણ હશે. તો તેમ ને પકડો. નવરાધૂપ થયેલા અસંતોષીઓને પણ પકડો. લખવાને આતૂર નેતાઓને પકડો. જેમકે શશીથરુર, જશવંતસિંઘ, યશવંતસિંઘ, જેવા તો હડી કાઢતા આવશે.
“તો ચાલો આપણે એક મહાનુભાવ કે મૂર્ધન્ય કે કટારીયા (કટારીયાઓમાં કોઈ પણ છાપાંના તંત્રીમંડળના સદસ્યોનો પણ સમાવેશ થાય છે) કે નેતા કે વિશ્લેષકનું વિશ્લેષણ કરીએ.
“વિદ્વાન હોવું જરુરી નથી.
“વિષયની જાણકારી હોવી જરુરી નથી,
“અર્થશાસ્ત્રી હોવું જરુરી નથી,
“તટસ્થ હોવું જરુરી નથી,
“તાર્કિક હોવું જરુરી નથી,
“ન્યાયિક હોવું જરુરી નથી,
“આર્ષદૃષ્ટા હોવું જરુરી નથી,
“વિરોધાભાષી ન હોવું જરુરી નથી,
“આપણા કટારીયાએ જે કંઈ કહ્યું તે સત્ય હોવું જરુરી નથી,
“આપણો કટારીયો જે વિકલ્પને, પ્રચ્છાન્ન રીતે સૂચવે છે અને આપણે કટારીયાને પ્લેટફોર્મ આપીએ છીએ તે જ આમ તો પુરતું છે. કટારીયો જે વિકલ્પ આડકતરી રીતે સૂચવે તે વિકલ્પ કેટલો ભયાવહ છે તે વિષે આપણે ચિંતા કરવી જરુરી નથી,
“જે વિકલ્પ ભયાવહ છે તે ભયાવહ વિકલ્પના આપણે જવાબદાર નથી, આપણે તો બેજવાબદાર છીએ આપણે તો કુલા ખંખેરીને ઉભા થઈ જવાનું છે,
“આપણું ધ્યેય કોંગીનેતાઓની જેમ અક્ષય સંપત્તિ એકઠી કરવાનું છે અને આપાણે જાણીએ છીએ કે આપણા સહયોગી કટારીયાનુ ધ્યેય ખ્યાતિનું છે.
“આપણા કટારીયાભાઈ જાણીતા છે અને આપણા ‘વળ’ના છે? એટલે કે;
“આપણે જાણીતા નામ વાળાને લેવાના છે એટલું પુરતું છે.
“આપણા પસંદ થયેલા મહાનુભાવ પણ જાણે છે કે તેઓ ખુદ કેવીરીતે આગળ આવ્યા છે. એટલે તેઓ તો અષ્ટમ્ પષ્ટમ્ લખશે જ અને આપણા એજન્ડા પ્રમાણે બધું આગળ ચાલશે.
દાઢી અને ચશ્મા
આપણા પ્રીતીશભાઈ નાન્દી;
આપણે તેમની બલ્ગાનીન કટ, કે ફ્રેન્ચકટ દાઢીની વાત નહીં કરીએ. જુના જમાનામાં જ્યારે પાષાણયુગ ચાલતો હતો ત્યારે માણસ દાઢી રાખતો હતો અથવા તો તેની પાસે હાથવગું કોઇ અસ્ત્ર ન હતું. પણ જવા દો. એ પછી તો ઘણા ધરતીકંપો થઈ ગયા.
હવે ૨૧મી સદીમાં તો મુસ્લિમ સ્ત્રીની ઓળખ બુરખો થઈ ગઈ અને મુસ્લિમ પુરુષની ઓળખ દાઢી અનિવાર્ય થઈ છે. આતંકવાદીઓ તો કટ્ટરમુસ્લિમ એટલે તેઓ તો દાઢી રાખે જ રાખે જ. અમેરિકા ઉપર અને યુરોપ ઉપર થયેલા આતંકી હુમલાઓને કારણે ત્યાંના ઇમીગ્રેશનવાળા દાઢીવાળાને ચાર આંખે જોવા લાગ્યા. તો કેટલાક હોલીવુડી ફીલ્મી હિરો, મુસ્લિમોની વહારે આવ્યા, અને તેમણે દાઢી રાખવા માંડી. તો આપણા બોલીવુડી હિરો પણ “બાવો નાચ્યો એટલે બાવી નાચી” એવા હિસાબે દાઢી રાખવા માંડ્યા. તો પછી આવી મહાન સેલીબ્રીટીઓ દાઢી રાખે તો ભારતીય યુવકને ક્યાં પોતાની ઓળખની પડી છે? ભારતના ૧૦૦% યુવાનો પણ દાઢી રાખવા માંડ્યા છે. પોતાની ઓળખની તેમને પડી નથી. તેમને કોઈ “ગાડર”(ઘૅંટું), કહે તો વાંધો નથી. તેમણે તેમની ઓળખ ગુમાવી દીધી છે.આવું વાદીલાપણું ભારતીય યુવાનોમાં ક્યારેય ન હતું.
જો કે આપણા પ્રીતીશ નાંદીભાઈ હવે યુવાન નથી. અને તેમનો આ સ્થાનાંતરિત લેખ વાંચીને તો એમ લાગે છે કે તે બાલ્યાવસ્થા કે શિશુ અવસ્થામાં હશે.
શિર્ષ રેખા શી છે?
રાહુલના પુનરાગમન સાથે (આપણા પ્રીતીશ નાંદી ભાઈને) આશા દેખાય છે.
રાહુલ એટલે રાહુલ ગાંધી. એટલે કે રાહુલ સન ઓફ રાજિવ ઉર્ફે સન ઓફ ફિરોજ઼ ઘાંડી ઉર્ફે ગાંધી. આપણા એક વયોવૃદ્ધ અને પાકટ લેખકે લખેલ કે દરેક મહાપુરુષની ત્રીજી પેઢી મૂર્ખ પાકે છે. એ હિસાબે ફિરોજ઼ કે જે ઓગણીશો પચાસના દાયકામાં ભારતના એક ઉત્કૃષ્ટ પાર્લામેન્ટરીયન હતા અને તેઓશ્રીના પ્રયાસોથી મુંદ્રા પ્રકરણ બહાર આવેલ. તેમની ત્રીજી પેઢીએ છે રાહુલ ગાંધી. જો કે આપણી ગણવામાં ભૂલ થતી હોય તેમ લાગે છે. મૂર્ખતાની શરુઆત તો રાજિવ ગાંધી જ થઈ ગઈ હતી. આ હિસાબે ફિરોજ ગાંધીના પિતાજી તેમના જમાનાના વિશિષ્ઠ વ્યક્તિ હોવા જોઇએ. તો જ રાજિવ ગાંધી ત્રીજી પેઢીએ આવે.
“રાહુલ ગાંધીમાં આશા દેખનાર” એવા મૂર્ધન્યો જો ભારતમાં પાકતા હોય… તો ભારતનો વિનીપાત સુનિશ્ચિત છે.
જવા દો એ વાત. પણ આવી વ્યક્તિઓ ભારતમાં “મૂર્ધન્ય” તરીકે અસ્તિત્વ ધરાવતી હોય કે ઑળ્ખાતી હોય, અને તે મહાનુભાવ તરીકે ઓળખાતી હોય તો ભારતે ભવિષ્ય માટે નાહી નાખવું જોઇએ. જો આમ ન હોય તો પ્રીતીશભાઈને તેમનું કદ જણાવી દેવું જોઇએ.
હા જી. કેટલીક વ્યક્તિઓ જો સતત બાહ્યગોળ દૃગકાચ (કોન્વેક્સ લેન્સ) પાછળ જ રહેતી હોય તો તેવી વ્યક્તિઓ મોટી જ દેખાય છે.
જયપ્રકાશ નારાયણે ૧૯૭૪થી ઇન્દિરા સરકાર સામે આંદોલન છેડ્યું હતું. જયપ્રકાશ નારાયણ રુપી બાહ્યગોળ દૃગકાચ હેઠળ ઘણી વામણી વ્યક્તિઓ જેવીકે લાલુ યાદવ, મુલાયમ યાદવ, મમતા બેનર્જી (એ જમાનામાં આ મમતા બેનર્જી, જયપ્રકાશનારાયણની જીપના અગ્રભાગ ઉપર અશાસ્ત્રીય નૃત્ય કરનારાં હતાં), જેવાં અનેક અને હાલના ચર્ચનશીલ મૂર્ધન્ય પોત પોતાના ક્ષેત્રમાં મોટા દેખાયા.
નાટકીય રીતે આગળ આવી જવું એ રાજકારણની તાસીર છે. નહેરુએ પણ આવાં નાટકો કરેલ. પણ નહેરુ ની વાત અલગ છે.
રાહુલ ગાંધી, ઈન્ડિયન નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) પક્ષના શિર્ષ હોદ્દેદારના બાહ્યગોળદૃગકાચ માંથી જ જોઇ શકાય. એ સિવાય તેઓશ્રી દૃષ્ટિગોચર થઈ શકે તેમ નથી.
“લઘુતા ગુરુતા પુરુષકી આશ્રયવશ તે હોય, વૃંદમેં કરિ વિંધ્ય શો, દર્પનમેં લઘુ હોય”
કોઈ વ્યક્તિ મોટો છે કે નાનો, તે તેના આશ્રયસ્થાનને આધારિત છે. હાથી ટોળામાં વિંધ્યપર્વત સમાન લાગે પણ (નાના) દર્પણમાં તે નાનો લાગે છે.
પ્રીતીશભાઈ, આ રા.ગા. ભાઈને “પુનરાગમિત કે પુનરાગંતુક” તરીકે કેમ ઉલ્લેખે છે તે સમજાતું નથી. આની પાછળ પ્રીતીશભાઈના કે રા.ગા. ભાઈના માનસિક કારણો જવાબદાર હોય તેમ લાગે છે.
એક રાક્ષસ હતો. તે પોતાના દુશ્મન સાથે લડે અને થાકી જાય એટલે ભાગી જાય અને પછી અમુક વનસ્પતિ સુંઘી આવે અને તાજો માજો થઈ વળી પાછો દેકારા પડકારા કરતો આવે. ફરી પાછો થાકી જાય અને ફરી પાછો અમુક વનસ્પતિ સુંઘી આવે અને તાજો માજો થઈ, વળી પાછો દેકારા પડકારા કરતો લડવા આવે.
આપણા રા.ગા. ભાઈ વિષે પણ આવું જ છે. “કોંગી-પક્ષીય બાહ્યગોળ દૃગકાચ” પહેલાં મહામંત્રીનો હતો, પછી પક્ષીય ઉપપ્રમુખનો હતો એમ એમના બાહ્ય ગોળ દૃગકાચો બદલાતા રહેતા. અને દર વખતે તેમને મોટા ને મોટા “ભા” તરીકે દર્શાવાતા.
ઇન્દિરા ગાંધીએ ચાલુ કરેલ ચીલા પ્રમાણે હર હમેશ કોઈને કોઈ રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના નગારા વાગતાં જ હોય એટલે રા.ગા. ભાઈને માટે, યુદ્ધ તો, તૈયાર જ હોય. જેવું યુદ્ધ પુરું થાય કે બાહ્ય ગોળ દૃગકાચ હટી જાય અને રા.ગા.ભાઈ અદૃશ્ય થઈ જાય. અને કશુંક સુંઘવા જતા રહે. શું સુંઘવા જતા રહેતા હતા તે સંશોધનનો વિષય છે. સુબ્રહ્મનીયન સ્વામીને પૂછો.
આવા પુનરાગંતુક રા.ગા.ભાઈ માટે આપણા પ્રીતીશભાઈએ “પુનરાગમન” શબ્દ પ્રયોજ્યો હશે. બાઈબલ વર્ણિત “પ્રોડિગલ સન” ના “પુનરાગમન” સાથે આનો સંદર્ભ કેટલો છે તે આપણે જાણતા નથી.
આશ્ચર્ય આ પુનરાગમન વિષે નથી. પણ આપણા આ સ્થાનાંતરિત લેખના લેખક પ્રીતીશભાઈને આ “પુનરાગમન” માં આશા શામાટે દેખાઈ?
શું તેઓ નિરાશ હતા?
શું તેઓ રા.ગા. ના ભવિષ્ય વિષે નિરાશ હતા? તો તેમાં તેમના કેટલા?
શું તેઓ દેશના ભવિષ્ય માટે નિરાશ હતા? જો આમ હોય તો તેઓ એવો સંદેશો આપવા માગે છે કે મોદીના હાથમાં ભારતનું ભાવી નિરાશાત્મક છે.
હા જી. આવો પ્રચ્છન્ન નહીં પણ અપ્રચ્છાન્ન ચેતવણી જ તેઓ આપવા માગે છે.
“સુંઠને ગાંગડે ગાંધી” થનારાની માનસિકતા આવી જ હોય છે.
હા જી, બાહ્યગોળ દૃગકાચ રુપી આંદોલન થકી નીપજેલ નેતાઓ આંદોલન થકી પ્રસિદ્ધિ પામે છે, અને આ નીપજ, પછી એ બ્રહ્મકુમાર ભટ્ટ હોય, અશોક પંજાબી હોય, માંકડ હોય, જાની, પ્રકાશ હોય, લાલુ હોય, મુલાયમ હોય, શરદ યાદવ હોય, શરદ પવાર હોય, કેજ્રીવાલ હોય કે હાલની ઉપજ આર્દિક પટલ … અંતે તો આવા નેતાઓ કોંગી પેણે જ શોભે છે અને કોંગીમાં જ શોભી શકે.
પ્રીતીશભાઈ એ ધારી જ લીધું છે કે “જનતા”નો નરેન્દ્ર મોદી તરફનો જનતાનો ઉત્સાહ સ્પષ્ટ રીતે ગાયબ છે. પ્રીતીશભાઈ આવી અનેક નકારાત્મક ધારણાઓને અને આધાર હીન પ્રતિભાવોને જનતાના પ્રતિભાવરુપી વાઘા પહેરાવી પ્રસ્તૂત કર્યા કરે છે.
મોદીની ખુલ્લી કિતાબ
મોદીની કિતાબ એ એક ખુલ્લી કિતાબ છે. કશું જ ખાનગી નથી. જે કામો દાયકાઓ સુધી કોંગ્રેસે લબડાવ્યાં હતાં … ભૂલાવ્યાં હતાં … તે નરેન્દ્ર મોદીએ ઝડપથી આગળ ધપાવ્યાં છે અને મોટા ભાગનાં પૂરાં કર્યાં છે. નરેન્દ્ર મોદીએ પોતે શરુ કરેલાં કામો પણ લબડાવ્યાં વગર ઝડપથી આગળ ધપાવ્યાં છે અને પૂરાં કર્યા છે. કારણ કે મોદીને “માલી પા” લેવડ દેવડના કામો કરવાના નથી.
કામોનો હિસાબ કિતાબ નરેન્દ્ર મોદી પોતે પણ આપે છે અને ઓન લાઈન ઉપર ઉપલબ્ધ છે. જેને જોવું નથી તેને કોઈ બતાવી ન શકે તે વાત જુદી છે.
રા.ગા. ભાઈની ઉપર કેવા અત્યાચારો થયા તેની આ કટારીયા ભાઈએ ઈમોશન શબ્દોમાં વાતો કરી છે. દેખીતી રીતે જ તેમાં તેઓ સહભાગી ન હતા તેવો આડકતરો ઈશારો પણ કર્યો છે.
ચૂંટણીઓમાં હાર અને જીત થતી રહે છે. ચૂંટણીની હાર અને જીત ના કારણો દરેક બેઠક માટે અલગ અલગ હોય છે. સમગ્ર ચૂંટણીના પરિણામો માટે સજ્જડ પ્રભાવશાળી કારણ જવલ્લે જ હોય છે. ક્યારેક જાતિવાદ અને “વ્યાપક સરકારી પૈસે ખેરાત” ભાગ ભજવે છે. સમાચાર પત્રોએ ઉત્પન્ન કરેલ નકારાત્મક વાતાવરણ પણ થોડોઘણો ભાગ ભજવે છે. વાસ્તવમાં જોઇએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોમાં સ્થાનિક પરિબળોએ પોતાનો ભાગ ભજવ્યો છે. આ પરિણામો દ્વારા જનતાનો સ્પષ્ટ પ્રતિભાવ શો છે તે જાણવું અશક્ય છે. વર્તમાન પત્રોના ઋણાત્મક વાતાવરણે કેટલાક મતદાતાઓને “નોટા” બટન દબાવવા પ્રેર્યા છે. કોંગીની આ જીત કોઈ અસાધારણ જીત નથી.
પણ જીત એટલે જીત. જો જીતા વહ સિકંદર. એવું ખપાવવામાં કેટલાક મચી પડ્યા છે. બીજેપી આગામી ચૂંટણીના પરિણામોને આસાનીથી બદલી શકે છે. યાદ કરો. ૧૯૫૮માં નહેરુએ કેરાલાની નામ્બુદ્રીપાદની સરકારને પદભ્રષ્ટ કરેલી. પણ તે પછીની ચૂંટણીમાં સામ્યવાદી પક્ષને વધુ મત મળેલ. પણ જીત તેની થઈ ન હતી. કોંગ્રેસે કોમવાદી મુસ્લિમ લીગસાથે સમજુતી કરી હતી અને સામ્યવાદીઓને લડત આપેલી હતી. કોંગીએ કોમવાદના નામે જીત મેળવી હતી. આવી જીત ઉપર તમે આશાના મહેલો અને મિનારાઓ ન ચણી શકો.
આપણા જે.એન.યુ.માં થયેલા ભાગલાવાદી અને દેશ દ્રોહી નારાઓને આ કટારીયાભાઈ બિરદાવે છે. “ભારત તેરે ટૂકડે હોંગે … કિતને અફજ઼લ મારોગે …? … ઘર ઘરસે અફજ઼લ નિકલેગા … છીનકે લેંગે આઝાદી … ગોલીસે લેંગે આઝાદી … પાકિસ્તાન જીંદાબાદ …” આ બધા નારાઓ વિષે કટારીયા ભાઈને કશો વાંધો નથી. પણ આ કટારીયા ભાઈને આવા દેશદ્રોહી તત્વો ઉપર ન્યાયાલય દ્વારા કામ ચલાવવામાં આવે તેનો વાંધો છે. વાહ … પ્રીતીશભાઈ તમારી પ્રીતિ.
ઓળઘોળ કરીને આ કટારીયા ભાઈ એમ ઠસાવવા માગે છે કે “હમ્ટી ડમ્ટી”ના શબ્દકોષ હેઠળ અમે કરેલા શબ્દોની અમે કરેલી પરિભાષાઓ સત્ય છે.
નરેન્દ્ર મોદી દ્વારા “જરુર કરતાં વધુ ટેક્ષ”, લાખોની સંખ્યામાં બેરોજગારોને અર્બન નક્ષલવાદી ગણાવવા”, “જીએસટી ને પેનીસીલીન ની શોધ સાથે ગણાવવી”, “વિરોધીઓ સામે સેના તૈયાર કરવી”, “નોટ બંધીને સિદ્ધિ ગણાવવી” … આવી ઘણી મનગઢંત વાતો આપણા આ કટારીયા ભાઈએ “બ્રહ્મ સત્ય પેરે” ધારી લીધી છે. અને વળી પાછા કહે છે કે આવા મોદી સામે રાહુલે બીડું ઝડપ્યું છે. (ધન્ય છે ધન્ય… ધૃવની “ટેક”ને)
આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં દુર્યોધનને પડખે દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, બલરામ અને કૃષ્ણની સેના હતી. એ યુદ્ધના પાત્રોનું ચરિત્ર ચિત્રણ અને કથા જીતેલાઓએ લખેલી. આપણને ખબર નથી કે દુર્યોધન કેટલો ખરાબ હતો. ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણની એક માત્ર કથા આપણને દુર્યોધનને નિમ્નસ્તરે મુકવા પ્રેરે છે. પણ આ કથામાં સત્ય કેટલું તેની ઉપર મોટું પ્રશ્નચિન્હ મુકી શકાય તેમ છે. કારણકે આ કથામાં આવે છે કે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને યાદ કર્યા ને તે તેની વહારે ચમત્કારિક રીતે આવ્યા અને ચમત્કાર કર્યો. દ્રૌપદીના શરીર પરથી દુઃશાસને એક સાડી ઉતારી તો તેની નીચે બીજી સાડી નિકળી. આમ ૧૦૧ સાડીઓ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. અને ૧૦૦ સાડી ઉતારતાં ઉતારતાં યોદ્ધો દુઃશાસન પરસેવે રેબઝેબ થઈ ગયો અને થાકી ગયો. વાર્તા પુરી. આપણે સૌ જાણીએ છીએ કે ચમત્કાર થતા નથી. ભગવાન પણ ચમત્કાર ન કરી શકે. ભગવાન સહિત સૌએ ભૌતિકશાસ્ત્રના નિયમો પાળવા જ પડે. પણ ઐતિહાસિક કથાને રસપ્રદ કરવા આવા પ્રકારના વર્ણનોના પ્રક્ષેપ આપણા સાહિત્યોમાં જાણી જોઇને કરવામાં આવ્યા છે. પ્રતિકાત્મક રીતે આપણે મહાભારતના આવા પ્રક્ષેપોને નિભાવ્યા છે.
પણ અત્યારે ભારતમાં કોંગીને અને તેના સાંસ્કૃતિક સાથીઓને જો કૌરવો સાથે સરખાવીશું તો તે આતતાયીઓના પ્રતિક સ્વરુપ કૌરવોનું પણ અપમાન થશે. કોંગી અને તેના જેવી પ્રકૃતિવાળી ગેંગો તો આવા પ્રતિકાત્મક કૌરવોથી પણ બદતર છે. આ ગેંગો તો અલીબાબાની સામે પડેલા ચાળીશ ચોર કે એથી પણ ચાર ચાસણી વધુ ચડે તેવી છે. આવા ચોરોના સહયોગીઓ અને સમર્થકો કેવા છે? તેઓ એવા નેતાઓના સંતાનો છે કે જેઓ ગાંધીજીની અંગ્રેજો સામેની સ્વરાજ્યની લડતમાં સામેલ હતા. તેઓએ પોતાના પૂર્વજોના ઉજળા નામને કલંકિત કર્યું છે.
ઈન્દિરાએ જ્યારે પોતાની સ્વકેન્દ્રી સત્તાલાલસાને કારણે બંધારણના લીરે લીરા ઉડાવેલા ત્યારે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈને આ નેતાઓએ સંપૂર્ણ સાથ આપેલો. અને અત્યારે ખુલ્લેઆમ દેશના વિઘાતક બળોની તરફદારી કરી રહ્યા છે.
જેએનયુના વિદ્યાર્થીઓ લો કે દિલ્લી યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ લો. દેશવિરોધી નારાઓનો અને તે નારાઓ લગાવનારાઓનો બચાવ ન જ કરી શકાય. પણ આ જ લોકો તેનો મનગઢંત દલીલો જેવી કે “ગડબડ, આક્રોષ, ભાંજગડ, યુવાનોને દબાવવા, વાણીસ્વાતંત્ર્ય, ફર્જી વીડીયો, માસુમ, જેવા શબ્દ પ્રયોગો દ્વારા તેમનો બચાવ કરતા રહીને આમ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સ્વાર્થ અને ખ્યાતિ મેળવવાની કોઈ સીમા તો હોવી જ જોઇએ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એટલી નફરત તો ન હોવી જોઇએ કે તમે ભારત દેશને વિનીપાતમાં ધકેલી દો તેનું તમને ભાન પણ ન રહે.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
મોદી હારી જાય તો મોદીને શું નુકશાન છે? તેને આપણે હરાવ્યો અને તેથી તે હાર્યો. અથવા તો આપણે નિસ્ક્રીય રહ્યા અને તે હાર્યો. તે એક બોક્સ લઈને આવ્યો હતો. તે એક બોક્સ લઈને પાછો જશે.

નુકશાન તો આપણને છે અને દેશના માણસોએ જીવવાનું છે.
મોદી જશે એટલે કોંગીઓ અને તેના સાથીઓ ફરીથી લૂંટ ચાલુ કરી દેશે. દેશને ૧૦૦ વર્ષ સુધી બીજા મોદીની રાહ જોવી પડશે. આપણે માટે તો તે ઘણું મોડું થઈ ગયું હશે. પણ આપણા સંતાનો આપણી પેઢીને કોસશે.
એક કોગી પ્રેરિત રાષ્ટ્રપ્રમુખ જ્યારે રાષ્ટ્રપ્રમુખના પદથી મૂક્ત થયા (પ્રતિભા પાટીલ) ત્યારે તે ૧૪ ટ્ર્ક ભરીને ઘરવખરી લઈ ગયા હતા. આપણા અખિલેશ યાદવ તો ફર્નીચર, પડદા અને બાથરુમ ફીટીંગ ઉખાડીને સાથે લઈ ગયેલા.
આ બધા વંશવાદી ફરજંદો છે અને જનતાની સંપત્તિને પોતાની સંપત્તિ જ સમજ્યા હતા અને સમજે છે. તે સૌએ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને માલામાલ કરેલા.
જ્યારે આપણા મોદીજી કેવા છે?
તમે સમજો. તમને મોદી જેવા પ્રધાનમંત્રી ભવિષ્યમાં ક્યારેય મળશે નહીં. તેમણે તેમના કોઈ સગાંને પોતાની પાસે ફરકવા પણ દીધા નથી.
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged અતિમાનવ, દારુ હનુમાન, પંચવટી, ભગવાન, મહામાનવ, રાક્ષસ, રામ, રાવણ, લંકા, લક્કા, વાલી, શણ, સીતા, સુગ્રીવ, હરણ on October 20, 2015|
Leave a Comment »
ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ-૫ / ૯
સીતાનું હરણ થઈ ગયું.
સીતાની શોધ માટે રામ અને લક્ષ્મણ ભટકવા લાગ્યા.
રામને હનુમાન અને સુગ્રીવ મળ્યા.
હનુમાન, સુગ્રીવ, આદિ કોણ હતા?
આ લોકો નિશ્ચિત રીતે કેરાલાના હતા. આ લોકો મલ્લ વિધ્યા (માર્શલ આર્ટ) માં તે સમયમાં પણ નિપૂણ હતા. એ વાત પણ નિશ્ચિત છે કે તેઓ સૌ મનુષ્ય હતા. તેઓ સાચેસાચ વાંદરા હોય તે શક્ય નથી. કારણ કે વાંદરાની મોંઢાની રચના જ એવી હોય છે કે તે સ્વર અને વ્યંજનના ઉચ્ચારો માણસો જેવા અને સમજાય એવા કરી ન શકે. વાનરનો અર્થ એ નિકળી શકે. अपि एतत् नरः अस्ति वा नरः न अस्ति वा. શું આ નર (પ્રજાતિનો) છે કે આ એમ નથી. વાનર.
હનુમાનની માતા વાંદરી ન હતી. હનુમાનના પિતા પણ વાનર ન હતા. હનુમાનના પિતા મરુત હતા. સંભવ છે કે આ લોકોની શારીરિક ચપળતા જોઇએ અને રંગ જોઇને, કદાચ તેમને “વાનર” નામ આપ્યું હોય. હનુમાન મરુતના પુત્ર હતા એટલે તેમને મરુતપુત્ર, મારુતી કહેવાય છે. જેમનામાં પવન (મરુત) છે તે મારુતી. मरुतः यस्मिन् अस्ति सः मारुतिन्. (तस्य प्रथमा एक वचन मारुती).
સુગ્રીવ અને વાલી
સુગ્રીવ અને વાલી બે ભાઈ હતા. વાલી મોટો હોવાથી કિષ્કિંધાનો રાજા હતો. વાલી અજેય હતો. તેણે મયાસુરને હરાવેલ. મયાસુરને બે પુત્રો હતા. દંદુભી અને માયાસુર. દંદુભીને વાલીએ માર્યો હતો. માયાસુર તેનો બદલો લેવા વાલી ઉપર એક રાત્રે ચડી આવ્યો. અને કિષ્કિંધાના નગરીના કોટના દ્વારા જોરથી ખખડાવવા લાગ્યો. વાલી ગુસ્સે થયો. અને બહાર આવ્યો. સુગ્રીવ પણ પાછળ પાછળ આવ્યો. માયાસુર માર ખાવાથી ભાગવા લાગ્યો. સુગ્રીવ તેની પાછળ દોડ્યો. માયાસુર ભૂગર્ભ ગુફામાં પેસી ગયો. વાલીએ સુગ્રીવને કહ્યું કે હું તેને મારીને આવું છું. તું મારી રાહ જોજે. સુગ્રીવ બહાર ઉભો રહ્યો. ઘણા વખત પછી ગુફામાંથી લોહી આવવા માંડ્યું. રાક્ષસોના અવાજ સંભળાતા હતા પણ વાલીનો કોઈ અવાજ આવતો ન હતો. એટલે સુગ્રીવ સમજ્યો કે વાલી મરાયો લાગે છે. તેથી તેણે મોટી શીલા વડે ગુફા બંધ કરી દીધી જેથી અંદર રહેલા રાક્ષસો કિષ્કિંધા ઉપર ચડી ન આવે. સુગ્રીવ નમ્ર હતો. તેને રાજા બનાવવામાં આવ્યો. પણ થોડા વખત પછી વાલી તો ગુફાના બધા જ રાક્ષસોને મારીને બહાર આવ્યો. તેણે જોયું કે સુગ્રીવ રાજા બની ગયો છે. વાલી અધીર હોવાથી તેણે સુગ્રીવની એક પણ વાત ન સાંભળી. સુગ્રીવ ભાગતો ભાગતો ઋષ્યમૂક પર્વતના જંગલમાં આવેલા મતંગ ઋષિના આશ્રમમાં આવી ગયો. કારણ કે આ મતંગ ઋષિના શ્રાપને લીધે વાલી અહીં આવી શકે તેમ ન હતો. અહીં સુગ્રીવ સુરક્ષિત હતો. સુગ્રીવને મુખ્ય વાંધો તેની પત્ની તારાનો હતો. તારા સુગ્રીવની પત્ની હતી. વાલીએ તેની સાથે લગ્ન કરી લીધેલ.
સુગ્રીવે રામને પોતાની સમસ્યા જણાવી. સુગ્રીવનો ભાઈ વાલી તેના મોટાભાઈથી ત્રસ્ત હતો. વાલી કિષ્કિન્ધાનો રાજા હતો. તે બળવાન, ગર્વિષ્ઠ અને અધીર હતો. તે ઇન્દ્રનો પુત્ર હતો કે પુત્ર સમાન હતો. તે મલ્લવિદ્યામાં અજેય હતો. તેની લડવાની અને ચપળતા બતાવની રીત જ એવી હતી કે તેનાથી સામેના પ્રતિસ્પર્ધીની તાકાત અડધી થઈ જતી. અને આમ થવાથી પણ વાલીનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો. તેથી એવી માન્યતા હતી કે આ દૈવી વરદાન હતું કે તે જ્યારે યુદ્ધ કરે ત્યારે તેના પ્રતિસ્પર્ધીનું બળ અડધું થઈ જતું અને તે બળ વાલીમાં આવી જતું. “બ્રુસ લી” ની જેમ. સંભવ છે કે મલ્લ વિદ્યા અને કળ વિદ્યા (કરાટે, જુડો, ફેંગ સુઈ …) દક્ષિણ ભારતમાં થી પૂર્વના દેશોમાં ખાસ કરીને જાપાન ચીન માં ગઈ હશે. હનુમાન સાથે તેલ પણ જોડાયેલું છે. કેરાલા તેલના ઉપચારો માટે વિશ્વ વિખ્યાત છે.
રામ આમ તો ભગવાન ન હતા.
રામનું ધ્યેય પોતાની પત્નીને શોધવાનું હતું. જો કોઈ તેનું હરણ કરી ગયું હોય તો હરણ કરવા વાળાને હરાવવાનો હતો. આમ કરવાથી રામ પોતાને મળેલી નાલેશી દૂર કરી શકે.
રામની પાસે બે વિકલ્પ હતા.
એક એ કે તે વાલીને મળીને મળી સુગ્રીવ સાથે તેની સંધિ કરાવે. પછી વાલીની મદદ લઈ સીતાને શોધે. પણ રામને સુગ્રીવ પાસેથી જાણવા મળ્યું કે વાલી બહુ જ અધીર છે. એટલે આ કામમાં સફળતા મળે પણ ખરી અને સફળતા ન પણ મળે. વળી જો સફળતા ન મળે તો રામને બે દુશ્મન ઉભા થાય. એક વાલી સાથે દુશ્મનાવટ તો થાય જ અને સુગ્રીવ કે જે રામનો આશ્રિત બનેલો અને લક્ષ્મણે રામની શૂરવીરતા બાબતમાં જે વાતો કરેલી તે બધી બણગાંમાં ખપી જાય. રામનું તો ખરાબ દેખાય જ પણ સાથે સાથે પોતે જે અયોધ્યા સામ્રાટ ભરતનું પ્રતિનિધિત્વ કરે છે તે ભરતનું પણ નીચા જોણું થાય અને રઘુવંશનું પણ અપમાન થાય. એટલે રામ એક રાજગુણને હિસાબે અનિશ્ચિતતામાં રહેવા માગતા ન હતા.
જો કોઈ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ ઉભો થાય. અને દુશ્મન અતિ શક્તિશાળી હોય તો રાજનીતિ કરવી જ પડે. સુગ્રીવ પાસે કોઈ સૈન્ય તો હતું જ નહીં. વળી એ પોતે પણ જો આ આશ્રમની બહાર નિકળે તો વાલી એને મારી જ નાખે. વાલી તો સુગ્રીવને શોધતો જ હતો.
બીજો વિકલ્પ એ હતો કે સુગ્રીવ પોતે જ વાલીને લલકારે અને બંને વચ્ચે મલ્લ યુદ્ધ થાય. અને રામ છુપાઈને વાલીને મારે. એટલે રામે છુપાઈને વાલીને માર્યો.
કોઈ મહાપુરુષો રામના આ નિર્ણયની નિંદા કરે છે. કેટલાક રામનો બચાવ કરે છે. વાનર તો “શાખા મૃગ” કહેવાય અને રાજાઓ મૃગયા રમવા જાય તે તેમનો ધર્મ છે. એટલે રામ ક્ષત્રીય હોવાથી વાલીને પોતાને મનગમતી રીતે મારી શકે. આ વાત બરાબર નથી. પણ આવી ચર્ચા આપણે નહીં કરીએ. આ ચર્ચા અસ્થાને છે.
“વાલી વધ”ને પ્રસંગના પરિપેક્ષ્યમાં જુઓ.
એક તો રામની સ્ત્રી ખોવાઈ હતી. પોતાની સ્ત્રીનું અપહરણ થયું હોય તો પોતાની સ્ત્રીની કેવી દશા હશે તેની પણ રામને પારાવાર ચિંતા હશે. રામ નિરાશામાં પણ હોય. એક એવો પ્રક્ષેપ પણ છે કે શિવજી આવીને રામને મનુષ્યની જીંદગીમું રહસ્ય સમજાવે છે. આ બોધને શિવ-ગીતા કહેવામાં આવે છે. પણ શિવજી કંઈ આવે નહીં. એમ હોઈ શકે કે રામે આત્મમંથન કર્યું હોય અને પોતાની જાતને સંભાળી હોય. આવા રામની માનસિકતાનો ખ્યાલ રાખ્યા વગર તેમની એક ભગવાનના રુપમાં અને મર્યાદા પુરુષોત્તમમાં પ્રતિમા રાખી ટીકા કરી દોષી ન ઠેરવી શકાય.
ધારો કે રામે વાલી સાથે સંધિ કરી તો શું?
એક શક્તિશાળી અને અધિર રાજા એવા વાલીનો ભરોસો કેટલો કરી શકાય?
આપણે જોઇએ છીએ કે પાકિસ્તાને અમેરિકા સાથે દોસ્તી કરી તો તેના હાલ કેવા થયા છે. નહેરુએ ચીન અને રશિયા સાથે દોસ્તી કરી તો ચીને ભારતની ૭૧૦૦૦ ચોરસમાઈલ ભૂમિ કબજે કરી લીધી.
“લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.” રામે આવું બધું પણ વિચાર્યું હોય. તેથી રામે સુગ્રીવના પક્ષે રહેવાનું વિચાર્યું. રાજાઓએ લાંબુ વિચારવું જોઇએ. રામે વાલીને મારી સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો. સુગ્રીવને ઉપકારવશ કરી રામે પોતાનો હાથ ઉપર રાખ્યો. વાલીનું સૈન્ય પણ રામને મળ્યું. રામને જે યોગ્ય લાગ્યું તે રામે કર્યું. જો કે આ સુગ્રીવ પણ રાજગાદી પર બેઠા પછી રંગરાગમાં પડી જાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. પણ રામ તેના ઉપર ગુસ્સે થઈ તેની શાન ઠેકાણે લાવે છે. જો કે આ તો કથાને રસમય બનાવવા જોડવામાં પણ આવ્યું હોય. પણ ધારો કે વાલીએ આવું કર્યું હોત તો શું રામ, વાલીની શાન ઠેકાણે લાવી શકત?
સુગ્રીવ સજ્જ થઈ જાય છે. અને ચારે દિશામાં પોતાના માણસોને સીતાને શોધવા મોકલી દે છે. પછી ખબર પડે છે કે રાવણ સીતાનું હરણ કરીને દક્ષિણ બાજુ ગયો છે. હનુમાનજી દક્ષિણ તરફ જાય છે અને લંકામાં સીતાને અશોકવાટિકામાં જુએ છે. સીતાને મળે છે. તે પછી હનુમાનજી પકડાઈ જાય છે. રાવણ હનુમાનના પૂંછડાને કપડાઓ બાંધી આગ લગાવી છોડી દે છે. કોઈ કહેશે કે જો હનુમાન વાંદરા ન હતા તો તેમને પૂંછડું કેવી રીતે આવ્યું. પણ આપણે આને ફેશનમાં ગણી શકીએ. આવી ફેશન આજે પણ દુનિયામાં ક્યાંક ક્યાંક હોય છે. શીંગડાવાળા ટોપા પહેરવાની પણ તહેવારોમાં અને એ સિવાય પણ ફેશન હોય છે. હનુમાને એજ અગ્નિથી લંકામાં ક્યાંક ક્યાંક આગ લગાવી હશે. પણ અતિશયોક્તિ અલંકાર રુપે લંકાને આગ લગાવી એવું કહેવાયું. લંકાના સૈન્યના માણસો પોતાના ઘરને વ્યવસ્થિત કરવામાં પડી જાય તો રામને સેતુ બનાવવાનો સમય મળી જાય.
રામ સેતૂ બન્યો હતો કે નહીં?
ભૂસ્તર શાસ્ત્રીઓને હિસાબે લંકા જ નહીં પણ ક્યારેક પૂરી પૃથ્વીની જમીન મળેલી હતી. કાળક્રમે જમીન ઉપર તડો પડવા માંડી અને જમીનના ટૂકડા થવા લાગ્યા. વચ્ચે સમુદ્ર આવવા લાગ્યો. પાંચ દશ હજાર વર્ષ પહેલાં સંભવ છે કે લંકા અને ભારત વચ્ચે સમૂદ્ર છીછરો હોય. કોઈક કોઈક જગ્યાએ ચાલવા લાયક હોય પણ શસ્ત્ર સરંજામ અને વાહનો લઈ જવા માટે અનુકુળ ન હોય. એટલે રસ્તો બનાવવો જરુરી હોય. આ રસ્તો જ્યારે બને ત્યારે ભરતીના દિવસોમાં પુલ જ લાગે ને. સંભવ છે કે નીચેનો હિસ્સો કુદરતી જમીન હોય પણ ઉપરનો હિસ્સો માનવ સર્જિત હોય. એટલે કે રામે બનાવ્યો હોય. લોકકથાઓ પાછળ ક્યાંક અને ક્યાંક તો કંઈક સત્ય છૂપાયેલું હોય છે.
લક્કા એ લંકા?
એક એવી ધારણા છે કે “લક્કા” નામનો એક પ્રદેશ મધ્યપ્રદેશમાં છે તે જ લંકા છે. એવું એક ઇતિહાસકાર કહે છે. તે ઇતિહાસકાર એમ કહે છે કે રામ, હાલના શ્રીલંકામાં ગયા જ ન હતા. રામ તો આ “લક્કા”માં ગયા હતા. આ લક્કાની આસપાસ જે જમીન છે ત્યાં પાણીના ઘણા ખાડાઓ જોવા મળે છે. રાવણ તો ગધેડા ઉપર બેસીને પંચવટી ગયો હતો. આને આવી જગ્યા ઉપર તો ગધેડાઓ જ ચાલી શકે. રામ, શ્રીલંકા ગયા જ ન હતા. કારણ કે રામે નર્મદા ઓળંગી જ ન હતી. લંકા ઓળંગ્યા વગર રામ લંકા જઈજ કેવી રીતે શકે? રાવણે શણના કપડાં પહેર્યાં હતાં. આ શણ તો મધ્યપ્રદેશમાં થાય છે. અહીં કેટલાક લોકો આજે પણ રાવણને પૂજે છે.
જો કે ઇતિહાસકારે વિરોધાભાષી વાતો પણ કરી છે. જેમ કે શણ અહીં પેદા થાય છે એવું એક જગ્યાએ લખે છે તો બીજી જગ્યાએ એમ લખે છે કે દારુનો કુંજો રોમથી આવતો હતો. જો દારુ અને દારુનો કુંજો રોમથી આવી શકતો હોય તો શણ મધ્યપ્રદેશ થી તો શું બંગાળ માંથી પણ આવી જ શકે ને. ઈજીપ્તના મમી ઉપર નું કાપડ જો ભારતમાંથી જતું હોય એ સ્વિકારતા હોઈએ તો શણના કાપડવાળી દલીલ ટકી ન શકે. પંચવટી થી લંકા જવું હોય તો સિંધુ, બનાસ, સરસ્વતી, સાબરમતી, મહી ન આવે, અને નર્મદા પણ ન આવે. શ્રી લંકાની ભાષા સિંહાલી છે તે બિહારી હિન્દીને મળતી છે. આ બધી વાતો વધુ ન કરીએ, પણ મધ્યપ્રદેશમાં રામસેતૂ નથી મળતો. શિવજીનું સ્થાન કૈલાસ છે પણ તેઓની પૂજા દક્ષિણમાં પણ થાય છે. વિષ્ણુ કાળા છે તો પણ તેમની પૂજા ઉત્તરમાં પણ થાય છે.
મૂળવાત પર આવીએ.
રાજા રામ
રામ અને રાવણનું યુદ્ધ થયું રાવણ મમત ઉપર ગયો. તેણે યુદ્ધ કર્યું. રાવણ મરાયો. રામ પોતાની પત્ની સીતાને મળ્યા.
રામના ચરિત્રને ચાર ચાંદ લગાવવા વાળી તેમની રાજધર્મની પરીક્ષાની વાત હવે ચાલુ થાય છે. મોટા ભાગના વિવેચકો, મૂર્ધન્યો, વિદ્વાનો રામના રાજધર્મને મુલવવામાં અહીં થી જ ભટકી જાય છે.
રામમાં એવા કયા સંસ્કાર છે કે જે તેમને અતિમાનવ કે મુઠી ઉંચેરો માનવી બનાવે છે? એવા તે પણ કેવા, કે આજે હજારો વર્ષ પછી પણ લોકો તેમને ઈશ્વર જેટલું કે તેથી પણ વધુ માન આપે છે.
કૃષ્ણ “કંસારિ”, “કેશવ”, “મુરારિ”, વિગેરે નામ થી ઓળખાય છે. પણ રામ “રાવણને હણનાર રાવણારિ”, “ખર રાક્ષસને હણનાર ખરારિ”, વિગેરે નામ થી ઓળખાતા નથી.
રામના જીવનનો કયો હિસ્સો છે કે જે તેમને અતિમાનવ તરફ લઈ જાય છે? રામ હમેશા “રાજા રામ” અને “સીતા રામ” તરીકે ઓળખાય છે. એટલે કે રામ માટે “ રાજાની એકમાત્ર આદર્શ ઉપમા” રાજાનું એકમાત્ર શ્રેષ્ઠ રુપ રાજા રામ છે.
બીજું નામ છે, “સીતારામ” સીતાના રામ એટલે કે સીતાના પતિ રામ એટલે કે સીતા વાળા રામ. એક પરશુવાળા રામ હતા. અને એક સીતાવાળા રામ હતા. એટલે સીતાને પણ મહાન ગણવા આવી છે. એટલે રામ બે રીતે પ્રખ્યાત હતા. “રાજા રામ” અને “સીતા રામ”.
શું રામે રાજગાદીનો ત્યાગ કર્યો એટલે મહાન હતા?
શું રામ પિતાની આજ્ઞાથી વનમાં ગયા એટલે મહાન હતા?
શું રામે રાક્ષસોને માર્યા એટલે મહાન હતા?
શું રામે રાવણને માર્યો એટલે મહાન હતા?
શું આ બધાના સરવાળાથી રામ પૂજનીય બન્યા?
ના જી.
રાજગાદીનો ત્યાગ તો ઘણા રાજાઓએ કર્યો છે. કેટલાય રાજાઓએ વનવાસ પણ કર્યો છે. કેટલાય રાજાઓએ રાક્ષસોનો સંહાર કર્યો છે. રાવણને હરાવવાવાળા અને તેને ભગાડવા વાળા પણ ઘણા લોકો હતા.
તો એવી તે કઈ વાત છે જે રામને મહાન બનાવે છે?
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝ; રામ, રાવણ, સીતા, હરણ, લંકા, લક્કા, શણ, દારુ હનુમાન, સુગ્રીવ, વાલી, રાક્ષસ, મહામાનવ, અતિમાનવ, ભગવાન, પંચવટી
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged અપહરણ, ઈંદિરા, ઈંદ્ર, ઈવ ટીઝીંગ, કટોકટી, કૈકેયી, કૌશલ્યા, ચંડાળ ચોકડી, જવાહર લાલ, તપ, દશરથ, નહેરુ, મંથરા, રાક્ષસ, રામ, રાવણ, લક્ષ્મણ, વરદાન, વિષ્ણુ, શિવ, સંજય, સીતા, સુમિત્રા on October 17, 2015|
1 Comment »
Where is he lost, the man who walked on this earth with flesh and blood? Part-4 / 9 (GUJARATI)
ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૪ / ૯
રાજગાદી કોને મળવી જોઇએ? રામને કે ભરતને ?
દશરથ રાજાએ કૈકેયીના પિતાને વિશ્વાસ આપ્યો હતો કે જો પટ્ટરાણીને પણ પુત્ર થશે તો પણ કૈકેયીના પુત્રનો જ રાજ્યભિષેક થશે.
હવે થયું એવું કે પટ્ટરાણી સૌ પ્રથમ ગર્ભવતી થઈ. એટલે કે જ્યેષ્ઠપુત્ર કૌશલ્યાને થયો. કૈકેયી પછી ગર્ભવતી થઈ એટલે એનો પુત્ર જ્યેષ્ઠ પુત્ર ન બન્યો. પ્રણાલી એવી હતી કે જ્યેષ્ઠપુત્રને રાજગાદી મળે. અથવા તો જે સૌથી વધુ લોકપ્રિય રાજકુંવર હોય તેને રાજગાદી મળૅ. રામ લોકપ્રિય પણ હતા અને જ્યેષ્ઠ પુત્ર પણ હતા.
હવે શું કરવું?
બધી લડાઈ મીકી માઉસ જેવી બનાવી?
આ સમસ્યામાં જે દેવી તત્વોની રમત રમવાની જે વાતો કહી છે તેની આપણે ચર્ચા કરવી જરુરી નથી તેથી તે ચર્ચા નહીં કરીએ. જો કે ટૂંકમાંતે વાત આમ છે, કે દશરથ રાજાએ રામના યુવરાજ પદની ઘોષણા કરી એટલે ઈંદ્રાદિ દેવો મુંઝાયા. જો રામ અયોધ્યાના રાજા થઈ જશે તો તેઓ રાજકાજમાં વ્યસ્ત થઈ જશે. જો આમ થશે તો રાવણના ત્રાસમાંથી આપણને છોડાવશે કોણ? એટલે કંઈક તો કરવું પડશે.
કૈકેયી આમ તો સારી છે. એટલે તેને પૂર્ણ રીતે વાંકમાં લેવાની જરુર નથી. તો શું કરીશું? મંથરા જે કૈકેયીની દાસી છે તેને પટમાં લાવો. બલિનો બકરો (બલિની બકરી) તેને બનાવો. ભાઈઓ અને બહેનો, આ કૈકેયી તો બહુ જ સારી હતી. એટલે તો દશરથ રાજાને ગમતી હતી. પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે?
આમ તો ઈન્દિરા ગાંધી સારી હતી કારણકે જવાહરલાલ નહેરુની પુત્રી હતી.
જવારહરલાલ તો કેટલા બધા સારા હતા. જુઓને જવાહર લાલે કેવા કેવા ભોગ આપેલા. સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના ઘરમાં પડ્યા પાથર્યા રહેતા હતા. તેમની આગતા સ્વાગતા થતી હતી. ચા અને નાસ્તાપાણી થતા હતા. ભલે જે કંઈ ખર્ચ થતો હતો, એ પૈસા તેઓ કમાયા ન હતા પણ તેમના પિતાશ્રીના તો હતા જ ને ? જો પિતાના વારસા ઉપર તેમનો હક્ક હોય તો પોતે ( ભલે પછી તે, મહાત્મા ગાંધી આગળ ત્રાગું કરીને) મેળવેલા વડાપ્રધાનપદ હોય પણ આ પદનો વારસો ઇન્દિરા ગાંધીને મળે તેવી જોગવાઈ તો તેમણે કરવી જ પડે ને ! આવા સુંદર, ચપળ, પોતાનું વારસાગત ઘર ત્યાગી ને દેશને સમર્પણ કરનાર, દેશી વિદેશી નેતાઓના સંપર્કોવાળા એવા નહેરુની પુત્રી તો સારી જ હોયને.
હા આ કટોકટીમાં એણે તેના વિરોધીઓને જેલમાં પૂર્યા એ વાત ખરી. પણ એમાં બિચારી ઇન્દિરા ગાંધીનો કંઈ વાંક ન હતો. તે તો રાજીનામુ આપવા તૈયાર હતી. પણ સંજય ગાંધી એવો હતો કે જેણે ઇન્દિરાગાંધીની ઉપર ઇમોશનલ કે બ્લેકમેલની ધમકી રુપી દબાણ કર્યું. આમ તો સંજય ગાંધી પણ એવો ન હતો. પણ એ ચંડાળ ચોકડીની વાતોમાં ચડી ગયો. અને ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લદાવી. ઇન્દિરા ગાંધી બિચારી કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી.
આ મનમોહન સિંગ ની જ વાત કરોને. બિચારા સાબ ગરીબડા છે. સોનીયા પણ કંઈ એવી ખરાબ નથી. આ તો ડીએમકે અને સોનીયાના સાથી પક્ષો જ એવા છે. ભાઈ રાજકારણ છે જ એવું હોય છે. તેર સાંધો અને ત્રેપન તૂટે. બિચારા મન મોહન અને સોનીયા કરે પણ શું !!
જો આપણા હાલના સમાચાર માધ્યમોના ખેરખાંઓની અને મૂર્ધન્યોની આવી અવદશા હોય તો જેમને એક મહાપુરુષની કથાને રસમાય કરવાની હોય તેઓ તો કંકને કંઈક જોડે જ ને.
કૈકેયીનો કેસ ઇન્દિરાગાંધી જેવો નબળો નહતો. તેણે જે માગણી મુકી અને આચરણ કર્યું તે તેનો હક્ક હતો.
પુરાણકારોમાં એક વાત સામાન્ય હતી. અસુર, દૈત્ય, રાક્ષસ, દાનવ પોતાની ઉન્નતિ માટે બ્રહ્માજી, શિવજી આદિ કોઈનું તપ કરે અને તેમને પ્રસન્ન કરે. તેમની પાસેથી મનોવાંચ્છિત વરદાન મેળવે. પછી દેવોને ડરાવે, દેવોની હકાલ પટ્ટી કરે પરેશાન કરે. આવું બધું થાય, પછી વિષ્ણુ કે શિવ, કે ગણેશ કે કાર્તિકેય કે માતાજી ઓ આ રાક્ષસી શક્તિઓ સામે મહાયુદ્ધ કરે અને દેવોની રક્ષા કરે. જનતાને પણ આ રીત ગોઠી ગઈ હતી.
આ રીતમાં જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરાય અને જેટલું લંબાવવું હોય તેટલું લંબાવાય. જનતા ભાગી ન જાય. અત્યારની ટીવી સીરીયલોના ડીરેક્ટરો જેવું ન હતું કે એક પાત્ર એક વાક્ય બોલે અને કેમેરા ડક્ઝન બંધ પાત્રોના મોઢા ઉપર કેમેરા ડઝનેકવાર ફેરવવા માંડે. પાત્રોના વાક્યે વાક્યે આવું થાય. ડાયરેક્ટરને થાય કે આ તો “તાજ સીગરેટ જેવું થાય છે” ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે. જો કે પુરાણ કારોનું સાવ આવું ન હતું. પુરાણ, એપીસોડ જેવું સાવ સ્લો થઈ જતું નહીં, કે અમુક દર્શકો સીરીયલો જોવી બંધ કરી દે.
દેવોએ મંથરાને પોતાની રીતે ઉશ્કેરી ઉકસાવી. મંથરાએ કૈકેયીને ઉશ્કેરી.
દશરથ રાજા માટે ધર્મ સંકટ ઉભું થયું. ત્રણ પ્રણાલીઓ સામસામે આવી. સંભવ છે કે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળે એવો રસ્તો કાઢ્યો કે ત્રણે પ્રણાલીઓ ને સન્માન મળે. આ પ્રમાણે રામ ૧૪ વર્ષ વનમાં જાય. ભરત ૧૪ વર્ષ નિશ્ચિંત થઈને રાજ કરે. જો ભરત સુચારુ રુપે રાજ કરશે તો જનતા તેને જ રાજા તરીકે ચાલુ રાખશે.
રામને વનવાસ શા માટે?
રામને વનવાસ એ માટે કે રામ લોક પ્રિય હતા. જનતા રામના પક્ષમાં રસ્તા ઉપર ઉતરી આવે તો ભરતે રાજગાદી છોડવી પડે. રામની ગેરહાજરીમાં ભરત, જનતાનો પ્રેમ હાંસલ કરી લે.
રામ સાથે સેના પણ નહીં. વનવાસ એટલે વનવાસ. જો રામ સેના રાખે તો રામ એજ સેના થી બીજા મુલકો જીતીને રાજા થઈ જાય. પછી અયોધ્યા ઉપર પણ કબજો કરી લે તો !!
રઘુવંશના રાજાઓ કે એ વખતના રાજાઓ મનમાની કરી શકતા ન હતા. રાજાએ જો વચન આપ્યું હોય તો તે વચન પાળવું જ પડે. પ્રણાલીઓનું પાલન કરવું જ પડે. રામે દશરથ રાજાની વાત કબુલ રાખી.
લક્ષ્મણે તો રામની સાથે જ રહેવાનું હતું.
સીતાએ વિચાર્યું હોઈ શકે કે જે વ્યક્તિ જુના પ્રકારનું અટપટું ધનુષ વાપરવામાં પણ પાવરધી હોય તે વનવાસ દરમ્યાન ચૂપ બેસશે નહીં. માટે આ વ્યક્તિ ઉપર નજર તો રાખવી જ પડશે. કદાચ સીતા અને લક્ષ્મણની પત્ની ઉર્મલા બંન્નેએ મસલત કરી આ નિર્ણય લીધો હોય. સીતા, રામ અને લક્ષ્મણ પર નજર રાખે, અને ઉર્મિલા અયોધ્યામાં જે કંઈ થાય તેના ઉપર નજર રાખે.
આમ તો રામાયણ ચમત્કારોથી ભરપુર છે. તેમાં દંતકથાઓ અને બીજા ઉમેરણો પુષ્કળ છે. પહેલે થી જ રામ દ્વારા ઘણા રાક્ષસોની હત્યા થયેલી, આકાશમાંથી પુષ્પ વર્ષા થતી, અહલ્યાનો ઉદ્ધાર, રામ જન્મ થવાથી દેવતાઓ અયોધ્યામાં આવે અને રામના રુપમાં રહેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી ખુશ થાય. વિષ્ણુ અવતાર લે એટલે બીજા દેવો પણ અવતાર લે જેમકે કોઈ પ્રધાન બહારગામ જાય એટલે તેમની સાથે સુરક્ષાદળો, સચિવ, સ્ટેનો અને બીજો સ્ટાફ પણ મદદમાં જાય (અને શોપીંગ પણ કરી લે). યજમાન પ્રદેશના સુયોગ્ય લેવલના મહાનુભાવ પ્રોટોકોલ નિભાવે. આ બધી વાતો વ્યર્થ છે.
શુર્પણખા અને રામ-લક્ષ્મણ
રામ લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહે છે. રામ હમેશા પોતાને સમ્રાટ ભરતના પ્રતિનિધિ તરીકે પ્રસ્તૂત કરતા રહે છે. યથા યોગ્ય રીતે વનવાસીઓની સુરક્ષા કરતા રહે છે.
રાવણની બહેન શુર્પણખા
એક દિવસ શુર્પણખા ફરતાં ફરતાં પંચવટી આવે છે. રામના રુપથી એ મોહિત થાય છે. તે રામ પાસે લગ્નનો પ્રસ્તાવ મુકે છે. રામ તો આદર્શ પુરુષ છે. તેઓ એક પત્નીવ્રતમાં માનતા હોય છે. વળી સીતા પ્રત્યક્ષ નહીં તો પંચવટીમાં તો હતી જ. “આવ પથરા પગ ઉપર” એવું શું કામ કરવું? એટલે રામ શુર્પણખાને સૂચન કરે છે કે તે લક્ષ્મણને પ્રપોઝ કરે.
શુર્પણખા લક્ષ્મણને જુએ છે. એ પણ કંઈ ખોટો ન લાગ્યો. શુર્પણખા લક્ષ્મણને પ્રપોઝ કરે છે. પણ લક્ષ્મણ તેને ફરીથી રામ પાસે મોકલે છે. આમ આ બંને અવારનવાર એકબીજા પાસે શુર્પણખાને મોકલીને જુદી જાતના “ઈવ ટીઝીંગ” નો લાભ લે છે. શુર્પણખાને અંતે ટ્યુબલાઈટ થાય છે કે આ બંને મને ભઠાવે છે. આવા સંજોગોમાં સ્ત્રીનો અધિકાર છે કે તે ગુસ્સો કરે. અને શુર્પણખા તો મોટા ઘરની હતી તેથી આ બંને સાથે મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા દેશમાં મંત્રીનો છોકરો સ્વમાન ભંગ થતાં મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા રામ અને લક્ષ્મણ, બે પુરુષ તે શુર્પણખાને નાક અને કાન ઉપર ઈજા પહોંચાડે છે. જોકે યુપીના મુંહાવરા પ્રમાણે નાક કાન કટા એમ કહે છે. શુર્પણખા, પોતાના ભાઈ, રાવણ પાસે જઈને રામ અને લક્ષ્મણ વિરુદ્ધ ફરીયાદ કરેછે.
સીતા હરણ
સીતા હરણ શું થયું હશે? એક પાઠ પ્રમાણે સીતા પોતાની મેળે લંકા જતી રહી હતી. ક્યાંક વળી સીતાને રાવણની પુત્રી બતાવી છે. પણ મોટાભાગના પાઠ પ્રમાણે રાવણ સીતાનું અપહરણ કે હરણ કરી કરી ગયો હતો.
સુવર્ણ મૃગની વાત આવે છે. મરિચી જે રાવણનો મામા હતો તે પોતાની માયાવી શક્તિથી સુવર્ણ મૃગ બની જાય છે. સીતાને લોભાવે છે. આપણે બહુરુપીયાઓની કળાઓથી પરિચિત છીએ. પણ આ અતિશયોક્તિ કે ઉમેરણ હોઈ શકે.
સીતા, રામને આ સુવર્ણ મૃગને લઈ આવવાનું કહે છે. રામ જાય છે. મરિચી રામને દૂરદૂર લઈ જાય છે. રામ એને તીર મારે છે. મરિચી રામના જેવા અવાજમાં લક્ષ્મણ લક્ષ્મણ એમ બુમો પાડે છે.
સીતા લક્ષ્મણને તપાસ કરવાનું કહે છે. તે માટે લેખક સીતાના મોઢામાં કડવા શબ્દો પણ મુકે છે. પણ લક્ષ્મણ એક રેખા દોરીને સીતાને કહે છે કે આ રેખાનું ઉલ્લંઘન ન કરશો. કારણકે આ રેખાની અંદરની દિશામાં હશો ત્યાં સુધી હું તમને જોઈ શકીશ. આવું જ કંઈક હશે. કારણ કે જેવી વર્ણવવામાં આવી છે એવી ચમત્કારિક રેખા કોઈ દોરી ન શકે.
રાવણ સાધુના વેશમાં આવે છે અને ભિક્ષા માગે છે. આમાં પણ નાટ્યકરણ છે. સીતા એક પગ ઉંચો કરીને રેખાની બહાર લંબાવે છે. રાવણ તે પગને ખેંચીને સીતાને ઉઠાવી લે છે.
રામ તો વિષ્ણુ ભગવાન છે. સીતા સાક્ષાત લક્ષ્મી છે. સીતા તો વલ્કલ પહેરતી હતી. રાવણ આવી સીતાનો ઉંચો થયેલો પગ ખેંચીને પોતાના ખભા ઉપર ઉઠાવી લે છે.
સીતા આવી નિર્માલ્ય અને નિર્બળ કેવી રીતે હોઈ શકે? માતા લક્ષ્મીની આવી અવમાનના થઈ જ કેવી રીતે શકે !!
કોઈને જ્યારે ભગવાન બનાવી દઈએ અને કોઈ સ્ત્રીને દેવી બનાવી દઈએ ત્યારે સર્વશક્તિમાન ભગવાન અને માતાજી વિષે આવી મુસીબતો ઉભી થાય છે.
પણ ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા ટેકા.
અરે ભાઈ આ બધી તો ભગવાનની લીલા છે. ભગવાન તો સંકલ્પમાત્રથી બધું જ કરી શકે છે. ભગવાનોએ તો લીલા પણ કરવાની હોય છે. એટલે તો ભગવાન આવું બધું કરે છે.
કોઈ કહેશે અરે ભાઈ એવી કેવી લીલા કે લક્ષ્મીજીની ઈજ્જત જતી રહે. લક્ષ્મીજીની બેઈજ્જતી કેમ થવા દીધી?
આનો પણ ઉત્તર છે. જુઓ. ભાઈઓ અને બહેનો … જ્યારે રામ વનવાસ માટે નિકળ્યા ત્યારે લક્ષ્મીજી તો વૈંકુંઠ પાછા જતા રહ્યા. રામની સાથે જે સીતા ગઈ એ કંઈ સાક્ષાત લક્ષ્મીદેવી ન હતાં. એ તો લક્ષ્મીની છાયા હતી.લક્ષ્મીજી તો રામની પાસે પોતાની છાયાને રાખીને ગયાં હતાં. જે સીતા હતી તે છાયાલક્ષ્મી હતી. ઇતિ સિદ્ધમ્.
આ તો ચમત્કાર થયો. હા ભાઈ. પણ યાદ રાખો તમારો શ્રોતાગણ. એ તો ચમત્કાર વિષે પ્રશ્ન નહીં ઉઠાવે. માટે તમે નિશ્ચિંત રહો.
બસ એટલું જ સમજો કે સીતા લંકા પહોંચી ગઈ.
રાવણને સીતામાં કોઈ રસ હતો? શું રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું? શું રાવણે સીતા ઉપર અત્યાચાર કરેલ?
આવું કશું હતું નહીં. રાવણને સીતામાં કોઈ રસ ન હતો. ન તો રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું. ન તો રાવણ સીતાને પરેશાન કરવા માગતો હતો. જે રાવણે કૌશલ્યાને દશરથ સાથે છોડી દીધી અને પોતાની ઈચ્છા જતી કરી, એને સીતામાં કેવી રીતે રસ હોય? જે રાવણ દશરથ અને કૌશલ્યા એમ બંનેનું એક સાથે અપહરણ કરી શકતો હોય અને પછી છોડી પણ દેતો હોય, તેને સીતામાં કોઈ રસ ન હોઈ શકે. ઘણા પુરુષોની પ્રકૃતિ એવી હોય કે તેમને સ્ત્રી ઉપર દબાવ લાવવો પસંદ ન હોય. રાવણને તો ફક્ત રામનું અપમાન કરવું હતું. આ તેણે કરીને બતાવ્યું. રાવણે પોતાની બહેન પર કરવામાં આવેલ “ઈવ ટીઝીંગ” નો જવાબ આપી દીધો. રાવણે સીતાને અશોકવાટિકામાં છૉડી દીધી. મશ્કરીનો જવાબ બે ગણી મશ્કરી થી આપી દીધો.
રામનું અપમાન તો થઈ જ ગયું.
પણ રામ એમ કંઈ ગાંજ્યા જાય તેવા ન હતા.
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, મંથરા, ઈંદ્ર, ઈંદિરા, જવાહર લાલ, નહેરુ, કટોકટી, સંજય, ચંડાળ ચોકડી, શિવ, વિષ્ણુ, રાક્ષસ, તપ, વરદાન, અપહરણ, ઈવ ટીઝીંગ, રાવણ
Like this:
Like Loading...
Read Full Post »