Feeds:
Posts
Comments

Posts Tagged ‘રાજ્યશાસ્ત્ર’

કહેવાતું ગાંધીવાદી મુખ પત્ર કયે માર્ગે?

આધ્યાત્મ, લોક નીતિ, લોક વિજ્ઞાન, લોક આંદોલન, પર્યાવરણ જાગૃતિ, માનવ અધિકાર, વૈશ્વિક પ્રવાહોનું આકલન અને અહિંસક સમાજના સર્જનની દિશાઓ ખોજતું પાક્ષિક એટલે ભૂમિપુત્ર. બધાંનું સંક્ષિપ્ત એટલે ભૂદાનમૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર એટલે ભૂમિપુત્ર.

SELF CERFIED GANDHIAN

બધી પરિભાષાભૂમિપુત્રેતેના પ્રથમ પાના ઉપર લખી છે.

ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શી?

વિશ્વ કેવીરીતે વર્તે છે, વિશ્વમાં પ્રવર્તનમાન પરિબળો ક્યા છે અને તે પરિબળોના નિયમો શું છે બધું સમજવા માટેના પ્રયત્નો સેંકડો કે હજારો વર્ષોથી સુજ્ઞજનો કરતા આવ્યા છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનને સ્ફુરેલુ કે વિશ્વ ઘણા બધા સંકિર્ણ પદાર્થોનું અને ઘણા બધા બળ (કે ક્ષેત્રોનું) બનેલું હોઈ શકે. આઈન્સ્ટાઈ એક એવા સમીકરણની ખોજમાં રહેલ કે જે દ્વારા બધા બળોને (ક્ષેત્રોને) સાંકળી શકાય. માન્યતાનેયુનીફાઈડ થીએરી ઓફ ફીલ્ડનામ આપેલ. માટેનું સમીકરણ તો રામાનુજમે ઓગણીસમી સદીના અંતની આસપાસ શોધી કાઢેલ પણ કોઈના ખ્યાલમાં આવેલ. વીસમી સદીના અંતમાં સ્ટીફન હોકીંગના ખ્યાલમાં વાત આવી. જો કે વાત બહુ લાંબી છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ.

આપણને વિશ્વને સમજવામાં સરળતા રહે એટલે આપણે વિશ્વને સમજવાના ક્ષેત્રોનુ વિભાગીકરણ કર્યું. ભૌતિકશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. પૃથ્વી ઉપરના સજીવો એટલે કે માણસો, બીજા પ્રાણીઓ, વનસ્પતિઓ અને પૃથ્વી સાથેના તેમના સંબંધોને સુખમય બનાવવા માટેનું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. આમાં વળી પેટાવિભાગો પડ્યા જે વિભાગોની રેખાઓ ક્યાંથી શરુથાય છે અને ક્યાં પૂરી થાય છે તે કોઈને ખબર નથી.

ગાંધીજીએ આને સમજવા માટે એક સ્વસ્થ સમાજ કેવીરીતે સ્થાપવો કે જેથી સૌ કોઈ સુખી રહી શકે. જેમ ભૌતિક શાસ્ત્રમાં સાપેક્ષવાદ છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસક સમાજ છે. જો ટૂંકમાં સમજવું હોય તો સર્વોદયનો ખ્યાલ અહિંસક સમાજની રચના માટેનો છે.

જેમ ભૌતિકશાસ્ત્રમાં પરિબળોના એકમો સાપેક્ષ હોય છે અને તેની દીશા હોય છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસા પણ સાપેક્ષ છે. અને તમારા કદમ કઈ દીશામાં છે તે સમજવું જરુરી હોય છે. શાસ્ત્ર સમજવા માટે તર્કશાસ્ત્ર સમજવું જરુરી છે.

ગાંધી ટાઈમસર જન્મ્યા. નહીંતર તેમની રેવડી દાણાદાર થાત. અત્યારે તો પ્રમાણપત્રધારીઓને દંડવત પ્રણામ કરવાનો જમાનો છે જો કે તમે નહેરુવીયન હો તો તમને પણ પેરી પન્ના.

ગાંધીજી અર્થશાસ્ત્રી હતા. એટલે કે માન્ય વિશ્વ વિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી હતા. પણ તેઓશ્રી સમાજશાસ્ત્રી અવશ્ય હતા. જોકે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રનું અભીન્ન અંગ છે. બધાં શાસ્ત્રો તર્ક ઉપર અવલંબે છે.

શું તર્ક પણ સાપેક્ષ છે?

નાજી અને હાજી.

તર્ક પરિસ્થિતિને આધિન છે. જે તર્ક પરિસ્થિતિને લક્ષમાં લેતો હોય તે પ્રમાણમાં શુદ્ધ હોય તો પણ અશુદ્ધ કહેવાય. કારણ કે તેને અમલમાં મૂકીએ તો ધાર્યું પરિણામ મળે. તર્ક બે જાતના હોઈ શકે શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ અને અશુદ્ધ સાપેક્ષ છે. સાપેક્ષના પરિબળને સમજી શકવાથી વિતંડાવાદી ચર્ચાઓ, યુદ્ધો અને પીડાઓ થાય છે.

જો ગાંધીજીના વલણોની ચર્ચા કરવી હોય એમ કહેવાય કે તે અહિંસક સમાજની રચનાની દિશામાં હતા.

જ્ઞાતિ પ્રથાઃ

ગાંધીજી જ્ઞાતિ પ્રથામાં માનતા હતા. પણ ફલાણી જ્ઞાતિ ઉચ્ચ છે અને ફલાણી જ્ઞાતિ નીચી છે, એમ માનતા હતા. કારણ કે જ્ઞાતિ કામધંધાનું વર્ગીકરણ છે. અને બધાં કામ સમાજ માટે જરુરી છે.

ગાંધીજીને વાંધો હતો અસ્પૃશ્યતા પ્રત્યે. તેમણે માનવ માનવ વચ્ચેના ભેદભાવને અનુભવ્યા હતા. અને તેમને તે વખતની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે સમાજના સુજ્ઞ વર્ગને માટે અસ્પૃશ્યતા નિવારણ”ની વાત ગ્રાહ્ય છે. પણ જુદી જુદી જ્ઞાતિના માણસોએ એકબીજાની સાથે રોટી બેટીનો વ્યવહાર કરવો જોઇએ કે નહીં તે વાત ગાંધીજી ચીપીયો ઠોકીને કહેવા માટે તૈયાર હતા. કારણ કે મોટાભાગના સુજ્ઞજનો તે વખતે તૈયાર હતા તેથી ગાંધીજીએ કહેલ કે તો અંગત વાત છે. કોણે ક્યાં ખાવું અને ક્યાં લગ્નસંબંધ બાંધવા તે વિષે દબાણ લાવી શકાય. જો કે તેમની વાત વ્યાપકતાના સંદર્ભમાં સૈદ્ધાંતિક રીતે અશુદ્ધ હતી. પણ તેઓ આવી વાતોને સમસ્યા બનાવવા માગતા હતા.

ગૃહ ઉદ્યોગઃ

ગાંધીજી યંત્રોની વિરુદ્ધ હતા તેવું મોટાભાગના સુજ્ઞજનો માને છે. પણ જો અહિંસક સમાજની વાત કરીએ તો એવા યંત્રોનો વિરોધ કરી શકાય કે જે યંત્રો બીજાને બેકાર કરી શકતા હોય. માટે તેમણે ખાદીનો પ્રચાર કરેલ. અને વિદેશી કાપડનો બહિષ્કાર કરવાનું કહેલ. જો કે તે વખતના કેટલાક જાણીતા સુજ્ઞ જનો વિદેશી કાપડના બહિષ્કારને યોગ્ય કદમ માનતા હતા.

અહિંસક સમાજની રચના માટે તેમણે જોયું કે અંગ્રેજ સરકારના કાયદા એવા હતા કે સમાજમાં શોષણ અને કે પીડા ઉત્પન્ન થાય. એટલે ગાંધીજીએ સવિનય કાનૂનભંગની વાત કરેલ. માટે તેમણે પ્રક્રિયા નક્કી કરેલ કે નોટીસ આપો, સમય આપો, ચર્ચા માટે ખૂલ્લા રહો અને સજામાટે તૈયાર રહો. ગાંધીજીની સવિનય કાનૂનભંગની ચળવળને અયોગ્ય માનનારા ઘણા સુજ્ઞ જનો હતા.

ખાદી તાત્કાલિક રોજીનું સાધન છે. યંત્રોનો વિરોધ તેની પાર્શ્વ ભૂમિમાં નથી જ નથી. આમ તો દરેક ગૃહ ઉદ્યોગ રોજીનું સાધન છે. પણ જનતામાં ગૃહ ઉદ્યોગના ઉત્પાદનની ઉપયોગીતાની માનસિકતા કેળવાય તો તેને માટે જવાબદાર કોણ? ત્રણ વર્ષ જુની સરકાર કે પાંસઠ વર્ષ જે સરકારે રાજ કર્યું તે.

નરેન્દ્ર મોદીએ જ ગૃહૌદ્યોગને વધુ મહત્વ આપ્યું છે.

ગૃહઉદ્યોગને જો કોઈએ સૌથી વધુ મહત્વ આપ્યું હોય, સ્વરોજગારીને સૌથી જો કોઇએ વધુ મહત્વ આપ્યું હોય, રોજગારીની કુશળતાના શિક્ષણને જો કોઇએ સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તો તેનું શ્રેય નરેન્દ્ર મોદીની સરકારોને જાય છે. પણ ગાંધીવાદીઓ તેની નોંધલેવામાં માનતા નથી. જો જોવા જાઓ તો નહેરુવીયન કોંગ્રેસ દેશની સમસ્યાને સમજી શકી નથી અને સમજવા માગતી હતી. નહેરુવીયન કોંગ્રેસના ૧૯૪૭ પછીના ઉછેરને કારણે નહેરુવીયન કોંગ્રેસ પોતે એક સમસ્યા બની છે. નહેરુવીયન કોંગ્રેસ પોતે જો દિશાહીન, વ્યક્તિ કેન્દ્રી અને આત્મકેન્દ્રી હોય તો જનતા એવી બને.

સુજ્ઞ લોકો જ્યારે અયોગ્ય બને ત્યારે 

નહેરુવીયન કોંગ્રેસની સમસ્યા આપણે સમજી શકીએ છીએ. પણ જેઓ સમાજમાં જાગૃતિ લાવવા માગે છે તેવા સુજ્ઞ લોકો જ્યારે દિશા સૂચન કરવાની યોગ્યતા ગુમાવી બેસે ત્યારે દુઃખ થાય છે.

આમ આદમીપક્ષ, અન્ના હજારેના આંદોલનમાંથી ઉત્પન્ન થયો હતો. અન્ના હજારે ગાંધીવાદી હતા. જો કે ગાંધીવાદ સાપેક્ષશબ્દ છે. આમ આદમી પક્ષનું સૂકાન એવા નેતાઓના હાથમાં આવ્યું જેઓ નણાયા હતા. જો નણાયેલા લોકો પણ સત્તા આવતાં ભ્રષ્ટ થઈ જાય તો સામાન્ય કક્ષાના નણાયા નેતાઓ તો મોટે ભાગે ભ્રષ્ટ થાય .

અમદાવાદના એક સમયના મેયર કૃષ્ણવદન જોષીએ મનુષ્યના ચાર કક્ષાના દુશ્મનોની વાત કરેલ.

ચોથી કક્ષાનો દુશ્મન તમારો દુશ્મન દેશ છે. તેના ઉપર તમે કોઈપણ કારણ વગર હલ્લો કરીને પરાજિત કરી શકો છો, જેવી જેની તાકાત.

ત્રીજી કક્ષાનો દુશ્મનઃ કક્ષાના દુશ્મન તમારા કેટલાક દેશવાસીઓ છે. તેમના ગુનાની તપાસ તમારે કરવી પડે. કોર્ટમાં કેસ ચલાવવો પડે છે. તેમનો ગુનો તમારે સાબિત કરવો પડે છે. તેને બચાવની તક આપવી પડે છે. તમે લગાવેલા આરોપો સાચા છે કે ખોટા તેનો નિર્ણય તમે નહીં પણ ન્યાયાલય કરશે.

બીજી કક્ષાનો દુશ્મનઃ  કક્ષાના દુશ્મન તમારા સગાં કે મિત્રો છે. તેમને તમે કશું કરી શકતા નથી. તેમને તમે બહુ બહુ તો ખાનગીમાં ધમકી, લાલચ કે પ્રેમ દ્વારા સમજાવી શકો છો. તે માને તો ઠીક છે નહીં તો રામ ભરોસે.

પ્રથમ કક્ષાનો દુશ્મનઃ એવો દુશ્મન છે કે તમે તેની ઉપર કેસ કરી સકતા નથી, તમે તેને દંડિત કરી શકતા નથી, તે બધી બારીઓ બંધ રાખે છે. તેથી તમે તેને સમજાવી શકતા નથી. કારણ કે તે તમે પોતે છો.

જેઓ પોતાને સુજ્ઞ અને ગાંધીવાદી માને છે તેમણે પ્રથમ કક્ષાના દુશ્મનને સમજવો પડશે. તેઓ જો “પૂર્વ પક્ષની દિશાની સમજવાની બારીઓ બંધ રાખશે તો તેઓ અવિશ્વસનીય બનશે. જો કે મને લાગે છે કે તેમના કરતાં મોદીગાંધીજીનીવધુ નજીક છે.

ભૂમિપુત્રની દિશા

સામયિક ભૂમિપુત્રકઈ દિશામાં જઈ રહ્યું છે? શું તે દંભી થઈ રહ્યું છે? શું તે અનાભ્યાસી થઈ રહ્યું છે એટલે કે તે વિરોધી વિચારને સમજવા માગતું નથી? “પૂર્વપક્ષને સમજવો ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. પણ આપણે જોઇએ છીએ કે તેપૂર્વપક્ષના વિચારોને વાચકો સમક્ષ મૂકવા માગતું નથી. તે એકાંગી થઈ ગયું છે.

મોદી-વિરોધી હોવું અને મોદીના નિર્ણયોને સામાન્ય કક્ષાના સમાચાર પત્રોની જેમ મનમાની રીતે અમાન્ય ઠેરવવા અને નહેરુવીયન કોંગ્રેસીઓની જેમ નિશ્ચિત વર્ગનું/વર્ગોનું તુષ્ટિકરણ કરવું એવી માનસિકતા ભૂમિપુત્રે કેળવી લીધી છે.

() કાળું નાણુઃ કોઈ એક વખત નરેન્દ્ર મોદીએ કાળાંનાણાં (સ્થાવર જંગમ મિલ્કત)ના જત્થા વિષે કહેલ કે તે જત્થો એટલો છે કે જો તેને વહેંચવામાં આવે તો દરેકના ખિસ્સામાં ૧૫ લાખ (?) રૂપીયા આવે. નરેન્દ્ર મોદીની તે વખતે પ્રવર્તમાન ચીલાચાલુ ધારણા હતી. આનો અર્થ એવો કરવામાં આવે છે કે તેઓ (નરેન્દ્ર મોદી) જો સત્તા ઉપર આવશે તો દરેક ભારતવાસીના ખિસ્સામાં ૧૫ લાખ રૂપીયા આપી દેશે. નહેરુવીયન કોંગ્રેસવાળા તેનો આવો અર્થ કરે તો તે સમજી શકાય તેમ છે, કારણ કે નહેરુવીયન કોંગ્રેસને મીથ્યા પ્રાલાપો કરવાની ટેવ ગળથુથીમાંથી મળી છે. પણ ભૂમિપુત્ર આવું કહે તો તે તેની વિશ્વસનીયતા ગુમાવે છે.

આપણે જોયું છે કે જેઓ નોટો બદલાવવા લાઈનમાં ઉભા હતા તેમના ખિસ્સામાં/ખાતામાં પૈસા તો જમા થયા હતા અને તે પણ ૨૫૦૦૦ થી માંડીને કમસે કમ ૨૫૦૦૦૦/-. નરેન્દ્ર મોદીએ ગરીબ માણસોને તક તો આપી હતી. પણ ભારતનો ગરીબ માણસ વિશ્વાસઘાતી નથી. જે માલિકે તેને ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બદલવા આપી હતી તે તેણે પરત કર્યા. કદાચ થોડું કમીશન લીધું હશે. વાત આપણે આની પહેલાંના લેખમાં જોયેલી છે.

() નોટ બંધીનું કદમઃ તેને ભૂમિપુત્રમાં કેવી રીતે ઓળખાવાયેલું છે? ક્રૂર છે, પ્રપંચ વાળું છે, અને હિંસાવાળું છે. વીસલાખ લોકો બેકાર બની ગયા, રીઝર્વબેંક પાસે પૂરતી નોટો હતી, ચોવીસે કલાક વિમાનો ઉડાડ્યા, સરકારના અલગ અલગ ખાતાંઓએ ભીન્ન ભીન્ન આંકડાઓ ગગડાવ્યા, પૂર્વ તૈયારી વગરનું કદમ, રઘવાટીયું પગલું, અધકચરું પગલું, અબાલ વૃદ્ધોના પ્રાણ હર્યા, સો એક માણસો મરી ગયા, ટુજી, કોમનવેલ્થ, કોલગેટને સ્થાને નવા નામો બહાર આવ્યાં (જો કે લેખકશ્રીએ નવું કોઈ નામ જાહેર કર્યું નથી), પક્ષ પલટાને ઉત્તેજન મળ્યું, લોકોએ જીવનના સુખચૈન ગુમાવ્યાં, ગરીબી અને બેકારી વધી, ગાંધીજીના અગિયાર મહાવ્રતનું હનન થયું,(લેખકશ્રી,  ગાંધીજીને વચ્ચે શા માટે લાવે છે તે સમજી શકાતું નથી.) 

લેખકશ્રી આગળ જતાં લખે છે કે નોટ બંધીના પગલા પાછળનો નરેન્દ્ર મોદી સરકારનો હેતુ અને વચન (“વચન” એ ભૂમિ-પુત્ર”ના લેખકનું ઉમેરણ છે)  એ હતું કે નોટબંધીથી કાળાંનાણાનો ખાત્મો થશે, ભ્રષ્ટાચારનો ખાત્મો થશે, આતંકવાદનો ખાત્મો થશે, નક્ષલવાદનો ખાત્મો થશે, ટેરર ફંડીંગનો ખાત્મો થશે, ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, નોકરીઓમાં વૃદ્ધિ થશે. પણ આમાનું કશું થયું નહીં.

જો કે ઉપરોક્ત વાતો લેખકશ્રીએ ઈમોશનલ ભાષામાં લખી છે. આપણે તેનેસીધા સમાચારલેખે અવતરિત કરી છે.

MINE OF JAYA

આમ થાઓઅને તેમ થયું …”

બાયબલમાં આવે છે કે ઈશ્વરે કહ્યું પ્રકાશ થાઓ. એટલે પ્રકાશ થયો. ઈશ્વરે કહ્યું પાણી થાઓ એટલે પાણી થયું. ઈશ્વરે કહ્યું જમીન થાઓ એટલે જમીન થઈ. ઈશ્વરને ફક્ત કહેવાની જરુર પડે છે. અને ઈશ્વર કહે તે પ્રમાણે બધું થઈ જાય છે. એમ આપણા ભૂમિપૂત્રના લેખકશ્રી જે કંઈ કહે તેને સત્ય માની લેવાનું.

આમ તો સમાચાર માધ્યમોવહાં ઝાડીમેં સૌ સાંપ થે હી થેએવું કહેવામાં પારંગત છે. અત્યારે ટેક્નોલોજીના જમાનામાં તોપીપલી લાઈવજેવી ઘટનાઓ બનતી રહે છે.

આવા જમાનામાં પણ બે ઘટનાઓ પ્રકાશમાં આવેલી

લાઈનમાં ઉભેલી એક વ્યક્તિ વૃદ્ધ હતી, અને તે હાર્ટ એટેકથી મરી ગયેલી. તે વ્યક્તિના સંતાનોના કહેવા પ્રમાણે તેમને પહેલેથી હાર્ટ પ્રોબ્લેમ હતો.

બીજી ઘટનામાં, લાઈનમાં ઉભેલા એક વૃદ્ધ રડવા માંડ્યા. તેનું કારણ તે વૃદ્ધભાઈએ પોતે આપેલ કે, એક બહેનનો પગ તેમના પગ ઉપર પડેલ એટલે તે દુઃખના માર્યા રડી પડેલ.

કેટલી વીશુએ સો થાય?

આ પ્રમાણે આપણા “ભૂમિ-પુત્ર”ના આ લેખકશ્રી આમ તો રા.ગા.થી બહુ દૂર કહેવાય. કારણ કે રા.ગા. તો એમ પણ કહી શકે કે દરેક લાઈનમાં એક કરોડ માણસો મરી ગયા. યાદ કરો કે એક ઉદ્યોગપતિને નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર જમીન દાનમાં આપી છે. કેટલી વીશુએ સો થાય તે આપણા રા.ગા.ભાઈને ખબર નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમસ્યાનું કારણ કોઈ એક માત્ર હોય. દરેક સમસ્યાના અનેક કારણો હોય. તેથી કોઈ પણ એક કદમ કોઈ પણ એક સમસ્યાને સંપૂર્ણ ખતમ કરી શકે. આવો કોઈ દાવો પણ કરે. પણ જેમનું ધ્યેય નિંદા કરી અસંતોષનું વાતાવરણ પેદા કરવાનું છે તેઓ બેફામ અર્થઘટનો કરી શકે છે. લોકશાહીમાં રોકી શકાય તેવા અધિકારો છે.

કાશ્મિરની સમસ્યામાં પણ ચાંચ ખોસો

લેખકશ્રીએ એમ પણ કહ્યું કે બીજેપીને લાગ્યું કે કાશ્મિરની ચૂંટણી જીતવી હોય તો ૩૭૦ની કલમ ખતમ કરવી પડશે. એટલે એનો સંકલ્પ રજુ થયો”.

વળી તેઓશ્રી આગળ જતાં કલમ ૩૭૦ને કાશ્મિરીઓ માટેનો અતિસંવેદન શીલ મુદ્દો ગણાવે છે. એટલે કે કાશ્મિરની જનતા, કલમ ૩૭૦ને દૂર કરવાની વિરુદ્ધ છે. હવે જો બીજેપી કલમ ૩૭૦ને દૂર કરવાનો સંકલ્પ કરે તો તે ચૂંટણી હારવા માટેનું કદમ બની જાય. વિરોધાભાસ લેખકશ્રી કેમ સમજી શકે તે વાચકને તો સમજાય.

ધારો કે કાશ્મિરને એક રાજ્ય ગણતાં એક વિસ્તાર ગણીએ અને જમ્મુકાશ્મિરના રાજ્યમાં જમ્મુમાં રહેલા હિન્દુઓના મત લેવા આમ કહ્યું એમ માનીએ, તો જમ્મુમાં મુસ્લિમો પણ રહે છે. જે કાયદાઓ કાશ્મિરમાં લાગુ પડે છે તે કાયદાઓ જમ્મુમાં પણ લાગુ પડે છે. મુદ્દાથી  જમ્મુમાંના મુસ્લિમોના મત ગુમાવવાનો વારો આવે . બીજેપીને પોષાય નહીં. અને આમેય જમ્મુના હિન્દુઓના મત તો બીજેપીના ગણાય છે. જો કે એક વાત નોંધવા જેવી છે કે લેખકશ્રીએ મુસ્લિમશબ્દ નહીં પણ કાશ્મિરી શબ્દ વાપર્યો છે. અને તેથી સમગ્ર કાશ્મિર જનતા કલમ ૩૭૦ પરત્વે સંવેદનશીલ છે એવો અર્થ થાય. અને જ્યારે આમ કહીએ ત્યારે કાશ્મિરનો અર્થ જમ્મુકાશ્મિર રાજ્ય થાય છે. એટલે કે સંવેદનશીલતાની વ્યાપકતા વધે છે. અને જ્યારે વાત રીતની હોય ત્યારે બીજેપીનો કલમ ૩૭૦ પરત્વેનો અભિગમઆવ પથરા પગ ઉપર એવો થાય. પણ આપણા લેખકશ્રીની તારવણીવદતો વ્યાઘાતજેવી છે. નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે કલમ ૩૭૦થી રાજ્યને શો લાભ થયો તેની ચર્ચા થવી જોઇએ.

જો કે ભૂમિપુત્રમાં માત્ર એક લેખ આવો પૂર્વગ્રહ યુક્ત વલણ ધરાવે છે તેમ નથી. મોટાભાગના લેખો હાલની સરકારના નિંદારસમાં ગળાડૂબ હોય તેવું લાગે છે.

નહેરુવંશના ૬૫ વર્ષના શાસનના શાસનમાં તો જાણે લીલા લહેર હતી. પણ છેલ્લા ત્રણ વર્ષમાં , મોંઘવારી વધી, બેકારી વધી, કાળુંનાણું વધ્યું, કાળી સંપત્તિ વધી, ગરીબો વધુ ગરીબ થયા, ખેડૂતો વધુ ગરીબ થયા, ઉદ્યોગોને લહાણી થઈ, ખેડૂતોની જમીન છીનવાઈ, ગોચરની જમીન ગઈ, ખેડૂતોને વળતર મળ્યું, ખેડૂતો પાયમાલ થયા, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા, ચૂંટણીઓમાં ગોલમાલ થઈ, લઘુમતિ ઉપર અત્યાચારો થયા, દલિતો ઉપર અત્યાચારો થયા, પત્રકારોની હત્યાઓ થઈ, પાકિસ્તાન સાથેના સંબંધો બગડ્યા, આતંકવાદ મજબુત થયો, ધાર્મિક અસહિષ્ણુતા વધી, વૈચારિક અસહિષ્ણ્યુતા વધી, હિંસા વધી  …. વિગેરે વિગેરે પ્રકારના પ્રાલાપો બહુ સામાન્ય થઈ ગયા છે.

એક વિઘાતક વલણ છે. આવું વલણ એક ઋણાત્મક વાતાવરણ કરે છે જે સામાન્ય કક્ષાના માણસને મુંઝવણમાં મૂકે છે. જો સુજ્ઞ લોકો વિકલ્પ આપી શકતા હો તો તેઓ મૌન રહે તે શોભનીય છે.

ગાંધીજી કોઈને અસ્પૃશ્ય માનતા હતા. પણ ગાંધીવાદીઓ આરએસએસને અસ્પૃશ્ય માને છે. અને આરએસએસ વાદીઓ ગાંધીવાદને અસ્પૃશ્ય માને છે. સામસામો છેદ ઉડી જાય છે.

પણ મને લાગે છે કે સામાન્ય આરએસએસવાદીઓ ગાંધીજીને અસ્પૃશ્યમાનતા નથી. જો તમે વ્યક્તિગત રીતે તેમને સમજાવો તો તેઓ સમજી જાય છે. તે વાત ખરી છે કે તેમના કેટલાક નેતાઓ સમજવા માગતા નથી. પણ સામાન્ય કાર્યકરની ગાંધીજી તરફની બારી તમારે ખોલવાની હોય છે.

તેની સામે કેટલાક ગાંધીવાદી સુજ્ઞ જનોવિષે આવું નથી. તેમણે તો નરેન્દ્ર મોદીબીજેપીની દીશામાં ચણતર કરી દીધું છે. તેથી તે દિશાની બારી ખોલવાની શક્યતા રાખી નથી. તેઓ પૂર્વગ્રહોને કારણે બીજેપીની તરફમાં બોલવા માગતા  નથી.

દૂર દૂર ક્ષિતિજમાં પણ બીજેપીનો વિકલ્પ નથી

એક વાત સ્પષ્ટ છે કે બીજેપીનો વિકલ્પ દૂરદૂર ક્ષિતિજમાં પણ દેખાતો નથી. જે યુવાધન પાસે તમે ક્રાંતિની આશા રાખો છો તે યુવાધન નકલખોરીથી દાઢી વધારીને ફરે છે, લગ્નના પ્રસંગ વખતે હજારો લાખો રૂપીયા ખર્ચી પિતાજીની મૂડીનું પાણી કરે છે, જ્ઞાતિવાદી અનામત આંદોલન કરે છે, અને તે પણ વલ્લભભાઈ પટેલને નામે કરે છે, દહેજ લે છે, ભ્રષ્ટાચાર કરે છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મીડીયા સહિતના સાંસ્કૃતિક સાથીઓ તેને ઉત્તેજન આપે છે અને ફૂંકી ફૂંકીને જાતિવાદની બુઝાતી આગને ઝગાવે છે. આવા યુવાધન પાસેથી તમે કેવી રીતે ક્રાંતિની આશા રાખી શકો? નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓની સાથે સાથે અમુક કહેવાતા ગાંધીવાદીઓ પણ આગ સાથે રમી રહ્યા છે. આપણને ખબર નથી કે તેમને ખબર છે કે નહીં

પણ આશાનું કિરણ નરેન્દ્ર મોદીની સરકાર છે અને તેમના આદિત્યનાથ યોગી, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર પરિકર,  દેવેન્દ્ર ફડનવીશ, જેવા મુખ્ય મંત્રીઓ છે. મોદી પોતે પોતાના સગાંઓને પોતાની પાસે ઢૂંકવા દેતા નથી. પોતે અઢાર અઢાર કલાક કામ કરે છે. તે અણીશુદ્ધ છે. જો તમે તેમને નહીં ઓળખો તો ઇતિહાસમાં  જેઓગાંધી વધના પુરસ્કર્તા છે તેમની યાદીમાં તમારું નામ આવી જશે.

૧૯૮૯-૯૦માં કાશ્મિરમાંથી પાંચ લાખ હિન્દુઓને ત્યાંના સ્થાનિક મુસ્લિમોના સહયોગ દ્વારા બેઘર કરવાં આવેલા જે આજ પર્યંત વિસ્થાપિત અવસ્થામાં  છે. ત્રણલાખ હિન્દુઓની કતલ કરવામાં આવેલી. તે પછી પણ આ પ્રક્રિયા ચાલુ રહેલી. આવા દરેક વિસ્થાપિત વ્યક્તિની પાછળ એક કથા હોય છે. પાંચ લાખ લોકોની પાછળ પાંચ લાખ લોકોની કથા હોય છે. પણ અહીં ભૂમિ-પુત્રમાં શું છે?

પહેલાં હરિશ્ચંદ્રની ટૂંકી વાર્તા, ભૂમિ-પુત્રના છેલ્લા પાને આવતી હતી. હવે આશા-વિરેન્દ્રની ટૂંકી વાર્તા આવે છે. આઘાતજનક વાત એ છે કે આશા-વિરેન્દ્રએ એક આતંકવાદ(કહેવાતા હિન્દુ આતંકવાદ) એટલે કે મક્કા મસ્જીદ બોંબ પ્લાસ્ટ થકી  પીડિત મુસ્લિમ કુટૂંબની કથા લખી છે.

જો તમે માનવતા વાદી હો તો તમારે કમસે કમ પાંચ લાખ કથાને તો વાચા આપવી જોઇએ.  જો દર પખવાયે એક કથાને વાચા આપો તો પણ તે માટે તમે વીસ હજાર વર્ષ સુધી લખી શકો. પણ ના. તમે આ નહીં લખો. કારણ કે તો તો તમે અસહિષ્ણુમાં ખપી જાઓ. આ કારણથી જ કાશ્મિરી હિન્દુઓની વ્યથા ને વાચા આપવાનું આ ગાંધી વાદીઓને સુઝતું નથી. કદાચ તેઓ કહેશે કે અમે કશ્મિર જઈશું (જમ્મુ નહીં જઈએ) અને લઘુમતિની (જે કશ્મિરમાં પ્રચંડ બહુ મતિમાં છે) તેમની વ્યથા જાણીશું અને તેને વાચા આપીશું.

ગાંધીજી બધી બારીઓ ખૂલ્લી રાખતા હતા

આ ગાંધીવાદીઓએ સમજવું જોઇએ કે ગાંધીજી તો બધી જ બારીઓ ખુલ્લી રાખતા હતા. ગાંધીજીએ તો એમ પણ કહેલ કે જો પાકિસ્તાનની સરકાર હિન્દુઓનું રક્ષણ ન કરી શકે તો હિન્દુસ્તાને તેના ઉપર આક્ર્મણ કરવું જોઇએ.

નિંદારસનું પાન કરાવવાથી તો કોઈ વિકલ્પ આવે છે તો કોઈ ક્રાંતિ આવે છે.

ચૂંટણી આવે છે એટલે હવે મોદીબીજેપી વિરોધીઓ વધુ ચગશે. વધુ સમાચાર પત્રો અને વધુ ચેનલો રામ, હિન્દુ, પાટીદાર, સોમનાથ, બાબર, મસ્જીદ, મુસલમાન, જાતિઓ વિગેરેના મુદ્દાઓને બીજેપીમોદી વિરુદ્ધની શિર્ષ રેખાઓ આપશે. તેઓ ભૂલી જશે કે રામ એક ઐતિહાસિક વ્યક્તિ હતા અને તેમનો પણ હક્ક બને છે. પણ આ લોકો તો રામને ધર્મ સાથે સાંકળશે. જાણે કે હિન્દુ સિવાયના ભારતીયોને રામ સાથે લેવા દેવા જ નથી. પણ જો જરુર પડશે તો તેઓ પોતાને વિષે એમ પણ કહેશે કે અમે પણ રામ ભક્ત છીએ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ વધુ રામ રામ રામ કરે છે. પણ વાસ્તવમાં તેઓ રામને “રામ રામ” કરે છે. પણ જ્યારે જરુર પડે ત્યારે તેઓ ખાનગીમાં પોતે કહે છે કે નહેરુએ બાબરી મસ્જીદના દરવાજા ખોલી રામની મૂર્તિ મૂકવાની રજા આપી, રાજીવ ગાંધીએ મૂર્તિઓની પૂજાની રજા આપી, નરસિંહરાવે બાબરી મસ્જીદ તોડાવા દીધી. બધી વાતો નહેરુવીયન કોંગ્રેસની બનાવટી વાતો છે. પહેલી બે વાતમાં તો ન્યાયાલયના હૂકમ હતા. અને છેલ્લી વાતમાં નરસિંહ રાવ અને સીતરામ કેસરીને કયો નહેરુવીયન કોંગ્રેસી માથું ટેકવે છે? નહેરુવીયન કોંગ્રેસીઓએ તો સીતારામ કેસરીને ઉંચકીને બહાર નાખ્યા હતા.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઘોડેસવારી કદાચ આવડતી હોય તો થોડી મહેનત પડે. પણ તેથી કરીને ગધેડા ઉપર સવારી કરાય. (સાચા ગધુભાઈઓ માફ કરે)

જો કે ગુજરાતે ૧૯૭૦થી ૧૯૭૫ અને ૧૯૮૦થી ૧૯૯૫ નહેરુવીયન કોંગ્રેસનું ઈન્દિરામાઈ અને તેના ભક્તોનું શાસન જોયું છે. તે અછત અને અરાજકતા પણ કેવી કે તમને દૂધ મળે (દૂધના કાર્ડ આવતા હતા. દૂધ લેવા દૂધકેન્દ્રના સ્થળ પર જવું પડે. જરાપણ મોડા જાઓ તો તમારું દૂધ ગાયબ થઈ જાય. તમને જવાબ મળે કે હવે દૂધ નથી), ગોળ મળે, કોલસા મળે, રેશનમાં અનાજ મળે, ખાંડ મળે (ખાંડનું રેશન કાર્ડ આવતું હતું), સીમેન્ટ મળે, લોખંડના સળીયા ન મળે, કેરોસીન મળે, મકાન માટે લોન લેવામાં નાકે દમ આવી જાય, સ્કુટર માટે પ્રતિક્ષા યાદી હોય (મેં ૧૯૬૬માં સ્કુટર બુક કરાવેલ, ૧૯૭૪માં રીબુક કરાવેલ, મને ક્યારેય કશો જવાબ મળ્યો નથી. ૧૯૯૮માં મેં લ્યુના લીધેલ. ભલુ થજો નરસિંહ રાવનું કે મને લ્યુના તો મળ્યું), તમે પ્રતિક્ષા યાદીમાં ક્યાં છો તે જાણી શકતા  હતા, ટેલીફોન કનેક્સનમાં તમારો નંબર પાંચથી દશ વર્ષે લાગે, રસ્તાઓ કાચા, ટ્રેનમાં અને બસમાં ઘુસવાની પણ જગ્યા મળે. (ટ્રેનમાં લીમીટેડ આરક્ષણ. રેલ્વેના દાદાઓ જગ્યા રોકીને વેચે) ગેસના બાટલાના નવા કનેક્સનની તો વાત જવા દો, પણ તમારી એક ગામથી બીજે ગામ બદલી થઈ હોય તો તમારું કનેક્સન ગયું સમજો.

જય ઇન્દિરા માઈ. નહેરુવીયન સંતાન ઘોડીયામાં હોય ત્યારથી તેના વખાણ ચાલુ થઈ જાય. વાહ રા.ગા.ભાઈ કેવા તરવરીયા છે…. 

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

%d bloggers like this: