Feeds:
Posts
Comments

Posts Tagged ‘રામરાજ્ય’

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના માણસ છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના ચાહક છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના દુશ્મન છે?

20200714_164218[1]

ના ભાઈ ના. આવું કશું નથી.

એક ચોખવટ કરી લઈએ.

હિરા ભાઈ એટલે ફિલમનો મુખ્ય એક્ટર (હિરો), સાઈડ એક્ટર, અને ગેસ્ટ એક્ટર. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

હિરા બેન એટલે ફિલમની મુખ્ય એક્ટ્રેસ (હિરોઈન) સાઈડ એક્ટ્રેસ અને ગેસ્ટ એક્ટ્રેસ. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

સેલીબ્રીટીઃ

સેલીબ્રીટી શબ્દ જ્યારે વપરાય ત્યારે આમ તો તેનો અર્થ ખ્યાતિવાળો/પ્રખ્યાત વ્યક્તિ થાય. એટલે આમ તો બધા મહાનુભાવો સેલીબ્રીટીમાં આવી જાય. પણ સામાન્ય રીતે આ શબ્દ હિરાભાઈ/હિરાબેન કે ફિલમબનવાના કોઈ હિસ્સા સાથે પોતાનું યોગ દાન આપનારી વ્યક્તિ માટૅ પણ વપરાય છે. જો કે કોઈવાર ખેલકુદ ના ખેલાડી વ્યક્તિને પણ ગણવામાં આવે છે.

એટલે ટૂંકમાં નર માદા …  એક્ટ્રરો, સંગીતકારો, ગીતકારો, વાર્તા-લેખકો, નિર્દેશકો, નિર્માતાઓ … આ બધાને સેલીબ્રીટી ગણવામાં આવે છે. નર-માદા શબ્દ એક્ટરોને વધુ લાગુ પડે છે. શા માટે? તે આપણે પછી જોઈશું. અને તેની  ચર્ચા હેલ્પેશભાઈને લક્ષ્યમાં રાખીને  કરીશું.

હેલ્પેશભાઈએ  કેટલી ફિલમો જોઈ છે કે જેથી કરીને તેઓ ફિલમ ઉપર વિવેચન કરવાનો પોતાને અધિકાર છે તેમ માને છે?

હેલ્પેશભાઈ જ્યારે ઉમરમાં સીંગલ ડીજીટમાં હતા ત્યારે તેઓ જન્મથી લઈને તેઓ તે વખતે જે ઉમરે પહોંચ્યા હતા તે દરમ્યાન સુધીની બધી જોયેલી બધી ફિલમોના નામ ગણાવી શકતા હતા. આ સંખ્યા પણ આશરે ૧૫ ની હતી.

હેલ્પેશભાઈ ફિલમમાં શું સમજતા હતા?

કશું જ નહીં. હેલ્પેશ ભાઈની ફિલમ જોવાની શરુઆત ધ્રાંગધ્રા થી થઈ હતી. કારણ કે વિઠ્ઠલગઢ કે નદીસરમાં ટોકીઝ હતી નહીં.

“શેઠ સગાળશા” ફિલમ માં છેલ્લે ભગવાન આવે છે તેટલું હેલ્પેશભાઈ સમજ્યા હતા.

“કામ પડ્યું છે આ જ તારું, ઓ બાલુડા … કામ પડ્યું છે આજ તારું.” આ ગીત તેમને મોટાભાગનું મોઢે હતું. “કામ પડ્યું છે આ જ તારું “ એનો અર્થ હેલ્પેશભાઈ સમજતા નહીં. પણ  “કામપડ્યું”  કોઈ વસ્તુમાટે નો એક શબ્દ છે તેમ સમજતા. જેમકે  રમકડાનો પોપટ. ફિલમમાં ભગવાનને આટલા થોડા સમય માટે કેમ બતાવે છે તે હેલ્પેશભાઈને સમજાતું ન હતું. ધાર્મિક ફિલમોમાં ભગવાનને ઘણો સમય બતાવે એટલે હેલ્પેશભાઈને ધાર્મિક ફિલમો ગમતી.   

નાટકો કરતાં ફિલમ વધારે ગમતી. નાટકમાં એકનું એક દૃષ્ય રહે તે હેલ્પેશભાઈને ન ગમે. ફિલમ ગમે તેવી હોય પણ એમાં દૃષ્યો બદલાતા રહે છે. તેથી હેલ્પેશભાઈને ફિલમો ગમતી.

રામ-રાજ્યઃ

હેલ્પેશભાઈ,  એક્ટર એક્ટ્રેસને ઓળખી શકવાની ઉચ્ચતા સુધી પહોંચ્યા ન હતા. રામ, ભરત, લક્ષ્મણનો પાત્રનો ભેદ સમજી શકતા નહીં. પણ એક સ્ત્રી કે જે સીતા હતી, તે સતત રડ્યા કરતી. અને તેને બધા “સીતાજી” એમ કહેતા તે હેલ્પેશભાઈને ગમતું નહીં. એક તો આ બૈરી જ્યારે ત્યારે રડ્યા કરતી હોય છે અને તેને બધા માનવાચક રીતે સીતા”જી”, એમ કહે છે એ હેલ્પેશભાઈને યોગ્ય લાગતું ન હતું.

કારિયાભાઈઃ

હેમુભાઈ કારિયા ઉર્ફે કારિયાભાઈ,  એ રાજકોટમાં ઉભા ક્વાર્ટર્સમાં તેમના મોટાભાઈની સાથે   રહેતા હતા. કારિયાભાઈ  સરખામણીમાં ઘણા મોટા હતા. રાજકોટના મુખ્ય બજારમાં તેમની પાનની દુકાન હતી. તેઓ હેલ્પેશભાઈના મોટા (વચલા) ભાઈના સમવયસ્ક ન હોવા છતાં ખાસમખાસ  મિત્ર હતા. તેઓ હેલ્પેશભાઈ અને તેમના ક્વાર્ટર્સના મિત્રોને અવારનવાર ફિલમો બતાવતા. ખાસ કરીને ગેસ્ફર્ડ ટોકીઝમાં લઈ જતા.  પણ હેલ્પેશભાઈ અને મિત્રોને ફિલમ કરતા ઇન્ટર્વલમાં વધુ રસ રહેતો. કારણ કે કારિયા ભાઈ આમ તો થર્ડક્લાસમાં (ટેકાવગરની બેંચ ઉપર બેસવાનું) ફિલમ બતાવે પણ ઇન્ટર્વલમાં ભેળ પણ ખવડાવે. હેલ્પેશભાઈ બ્રાહ્મણ. પણ કારિયા ભાઈ કહે “દુકાનવાળો તો બ્રાહ્મણ છે” માટે ખવાય. એટલે હેલ્પેશભાઈ બેધડક ખાય.

હેલ્પેશભાઈના એક માસી બહુ રુપાળા અને વાંકડીયા વાળવાળા હતા. એટલે હેલ્પેશભાઈ બધી હિરોઈનોને વીરબાળા માસી જ સમજતા. જ્યારે હિરોઈનોને પ્રસંગોપાત રોવાનું આવતું તો હેલ્પેશભાઈને અચરજ થતું.

એક ફિલમ (વિજ્યા કે વિદ્યા)માં દેવજીભાઈ (દેવાનન્દ) એક પાત્રને માર મારે છે. અને ફિલમમાં બધા તેને બિરદાવે છે.  હેલ્પેશભાઈને આશ્ચર્ય થયેલ.

કાળક્રમે હેલ્પેશભાઈ ડબલ ડીજીટની ઉંમરમાં પ્રવેશ્યા. એટલે તેમને હિરાભાઈ અને હિરીબેનોની મહાનતા જાણવા મળી. આ બધું તેમને તેમનાથી મોટી ઉમરની વ્યક્તિઓની ચર્ચા દ્વારા જાણવા  મળ્યું. જો કે હેલ્પેશભાઈને તે ચર્ચાઓમાં સમજણ પડતી નહીં. પણ એટલું અધિગત થતું કે આ હિરાભાઈઓ અને હિરાબેનો મહાન છે.

શા માટે હેલ્પેશ ભાઈને હિરાભાઈઓ અને હિરાબેનો મહાન લાગ્યા?

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ વાર્તાલાપ કરીને ફિલમમાં વાર્તાને આગળ ચલાવતા.

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ કવિતા બનાવતા હતા,

હિરાબેન જરુર પડે રોઈ શકતા હતા અને હિરાભાઈ જરુર પડે ટકાટકી કરી શકતા હતા.

કાળક્રમે હેલ્પેશભાઈને ખબર પડી કે સંવાદ લેખક જુદા હોય છે. પણ તેથી હેલ્પેશભાઈને ખાસ ફેર પડ્યો નહીં. કારણકે આખી સંવાદની ચોપડીને યાદ રાખી લેવી એ કંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય.         

પણ હજી સુધી હેલ્પેશભાઈના મનમાં પસંદગી વાળા હિરાભાઈ એટલે કે પ્રેરણાદાતા હિરાભાઈનો જન્મ થયો ન હતો.

હેલ્પેશભાઈ ભાવનગરમાં આવ્યા પછી તેમની પસંદગીના હિરાભાઈનો જન્મ થયો.

બોલો આ કોણ હશે?

આ હિરાભાઈ હતા ભગવાનદાસભાઈ,

હેલ્પેશભાઈને ભગવાનદાસભાઈ  કેમ ગમતા હતા?

ભગવાનદાસભાઈ તલવાર બાજી સારી કરતા હતા. તે અરસામાં “નિશાન” ફિલમ આવેલી. તેમાં પણ તલવાર બાજીના દૃષ્યો હતા. પણ તે ફિલમમાં કાનમાં કડી હરેલા હિરો હતા તેથી હેલ્પેશભાઈને અજુગતું લાગતું હતું.

ભગવાનદાસ ભાઈની તલવાર બાજીની એક વિશિષ્ઠતા હતી. આમ તો પ્રેમનાથભાઈ પણ તલવાર બાજી કરતા હતા. ભગવાન દાસ ભાઈની અદાઓ હતી. ભગવાનદાસભાઈ પોતાના પ્રતિસ્પર્ધીને રમાડતા રમાડતા ચપટીવારમાં હરાવી દેતા હતા. શિવાજી ની એક ફિલમ હતી જેમાં શંકર ભગવાન અને પાર્વતીજી ને બતાવવામાં અવેલા. શંકર ભગવાન શિવાજી તરીકે જન્મ લે છે અને કોઈ એક મુસ્લિમ રાજાને તલવારબાજીથી થોડી સેકંડોમાં ખતમ કરી નાખે છે. આજે બાળકોને ડૅન્સ કરતા હિરાભાઈઓ મનપસંદ હોય છે.

ડેઈઝી ઈરાની જે બાબલા તરીકે આવતો હતો તે હેલ્પેશભાઈને ગમતો. તેનું નામ ચટપટ હતું. બેબી તબસ્સુમ પણ હતી. પણ તેની ઠાવકી ભાષા હેલ્પેશભાઈ સમજી શકતા ન હતા. પ્રેક્ષકો બેબી તબસ્સુમ ના બોલાવાથી ખડખડાટ હસતા. પણ હેલ્પેશભાઈને બધું હવામાં જતું. જેમકે એક ફિલમમાં બેબી તબસ્સુમ કહે છે “મારે જ બધું કામ કરવું પડે છે” આવું સાંભળીને પ્રેક્ષકો હસે છે. પણ હેલ્પેશભાઈને અચરજ થાય છે કે આમાં હસવાનું શું છે?

કદાચ અનારકલી અને સગાઈ નામની ફિલમથી હેલ્પેશભાઈને ફિલમમાં થોડી થોડી સમજ પડવા માંડી. અનારકલી અને સગાઈના હિરાબેન હેલ્પેશભાઈને  રુપાળા લાગેલ. એ સિવાયની હિરાબેનો, હેલ્પેશભાઈને રુપાળી લાગતી જ નહીં.

હેલ્પેશભાઈને હિરાભાઈઓ કે હિરાબેનો પ્રત્યે કદીય અહોભાવ ઉત્પન્ન થયો નહીં. કારણ કે અહોભાવ થવાની માનસિક ઉચ્ચતા પર  હેલ્પેશભાઈ પહોંચે તે  પહેલાં જ તેમને ખબર પડી ગઈ કે;

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે સંવાદ બનાવતી નથી.

તે ઉપરાંત

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે ગીતો બનાવતી નથી તેથી હેલ્પેશભાઈ, હિરાભાઈ અને હિરાબેનો શીઘ્ર કવિ છે તે  શીઘ્ર કવિની માન્યતા ધરાશાયી થયેલ.

આ હિરાભાઈઓ અને હિરાબેનો કશું સળંગ મોઢે રાખતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરીબેનો  એક જ ઘાએ અભિનય કરતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરાબેનો ના અનેકવારના અભિનયના પ્રયત્નો કરાવ્યા પછી તેને સ્વિકારમાં આવે છે.

આ હિરાભાઈઓ અને હિરાબેનો જ્યારે અભિનયના પ્રયત્નો ચાલુ હોય ત્યારે બોલવામાં અક્ષમ્ય ભૂલો કરતા હોય છે. તેમને ઘણા જ રી-ટેક કરવા પડતા હોય છે.

આ બધા કારણસર જ્યારે હેલ્પેશભાઈ કોલેજમાં પહોંચ્યા તે પૂર્વી જ  હિરાભાઈ અને હિરાબેનોની મજાક ઉડાવતા થઈ ગયા હતા.

હેલ્પેશભાઈના એક મિત્રના મિત્ર આવ્યા. તેઓશ્રી દિલીપકુમારના ભક્ત હતા. તેઓશ્રી દિલીપકુમારની ફિલમ પડે એટલે એ ફિલમ વીસ-પચીસ વાર જુએ.

એટલે હેલ્પેશભાઈએ કહ્યું “આ દિલીપકુમારને તમે કોઈ પણ રોલ આપો પછી ભલે તે મજુરનો હોય, કે ગામડીયાનો હોય કે રાજકુમારનો હોય કે પ્રેમલા-પેમલી હોય કે બંદરનો, એ હમેશા એક જ સ્ટાઈલમાં બોલે છે. … ઇન્સાઈયત નામની એક ફિલમ આવેલી. આ ફિલમમાં દિલીપભાઈને મેક-અપ વગર ઉતારેલા અથવા વધુ કદરુપા કરીને ઉતારેલા.  આ ફિલમમાં એક વાંદરો (વાંઈદરો) પણ રોલ કરતો હતો…. બાબુરાવ પટેલે કહેલ કે આ વાંદરાનો અભિનય , દિલીપકુમાર કરતાં સારો હતો.”

helpeshbhai

એટલે આ મિત્રના મિત્રે કહ્યું “અરે યાર, આપણે બધા નકામા એક બીજા સાથે લડી મરીએ  છીએ, આ બધા હિરો તો એકબીજા મિત્રો ખાસ મિત્રો હોય છે.”

મારા મિત્રે પેલા મિત્રને કહ્યું કે આ હેલ્પેશભાઈ તો બધા જ હિરોની વિરુદ્ધમાં છે. તુ એમની જોડે ચર્ચા ન કરીશ. તમે બંને નકામા ઝગડી પડશો.

એક વખત જબલપુરમાં સહાધ્યાયીઓ સાથે  ચર્ચા ચાલી.

પોતાનો માનીતો હિરો કોણ?

હેલ્પેશભાઈએ બધાની ટીકા કરી. દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુરની એક્ટીંગની અવૈવિધ્યતા બતાવી. અને મજાકમાં કહી દીધું કે શ્રેષ્ઠ હિરો તો પ્રદીપ કુમાર છે. અને મારા સહાધ્યાયીઓ દ્વારા પ્રદીપકુમાર કૂટાઈ ગયો.

દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુર;

દિલીપકુમાર ભાઈ, રાજકપુરભાઈ અને દેવજીભાઈ (દેવાનન્દભાઈ) આ ત્રણે     હિરાભાઈઓમાં દિલીપકુમારભાઈ ઓછા દેખાવડા. જો કે મુસ્લિમ બહેનોમાં તેઓ લોકપ્રિય ખરા. આ વાતની તમે તેમની ફિલમ જોવા જાવ એટલે ખબર પડે.

બધાને પ્રેમમાં પડવું તો હોય જ.

દિલીપભાઈની ખાસીયત એ કે તેમની ફિલમમાં હિરાબહેનો તેમના પ્રેમમાં સામે થી પડે. આવું કેમ થતું હશે તે સંશોધનનો વિષય છે. તૈયાર માલ મળી જાય એ કોને ન ગમે?

એ નાતે દિલીપભાઈના અંતરાત્મામાં એવો ગર્ભિત ભય ખરો કે આપણે બહુ રુપાળા નથી તેથી જો કૃષ્ણ ભગવાનના ચાળે ચડશું તો કૂટાઈ જઈશું. એના કરતાં એવી જ ફિલમ કથા પસંદ કરવી કે માલ (હિરાબેન)  સામેથી જ આવે. જે ભાઈઓ દિલીપકુમારભાઈ જેવી મનોવૃત્તિ ધરવતા હોય તેવા ભાઈઓ દિલીપકુમારને પસંદ કરતા અને તેમની સાથે તાદાત્મ્ય સાધતા કે ક્યારેક તો કોઈ સ્ત્રી આવીને આપણા ઉપર મરશે.

રાજકપુર ભાઈને એવું કે તેમને હિરાબેન સાથે પ્રેમ તો થાય. પણ સંજોગો એવા ઉત્પન્ન થાય કે હિરાબેન સંજોગોવશ રાજકપુર ભાઈને છોડી દે. એક જ ફિલમમાં આવું એકથી વધુ વાર બને. રાજકપુરભાઈ એકાદ કરુણતાપૂર્ણ ગીત ઠપકારી દે. હે પ્રેક્ષકો,  દુનિયાના તાલ જુઓ. અને મારી દયા ખાવ. રાજકપુરભાઈ આમ કારુણ્યના કીંગ હતા, જેમ મીનાબેન (મીનાકુમારી) કારુણ્યની રાણી (ટ્રેજડી ક્વીન). હેલ્પેશભાઈ તેને “અઘેલી વાણીયણ” તરીકે ઓળખાવતા.

તમે કોઈ ફિલમ એવી જોઈ છે જેમાં રાજકપુર ભાઈ બીડી/સીગરેટ ન હોય?

હાજી, વાલ્મિકી ફિલમ એકમાત્ર એવી ફિલમ છે કે જેમાં રાજકપુરભાઈએ નારદમુનીનો રોલ કરેલો. બોલો… કેવીરીતે રાજકપુરભાઈ સીગરેટ/બીડી પી શકે?

દેવજીભાઈ (દેવાનંદ) સાપેક્ષે રુપાળા. એટલે તેઓશ્રી તો પોતાને કામણગારો  કૃષ્ણ કનૈયો જ સમજે. દેવજી ભાઈ બધી જ ફિલમોમાં એક નિશ્ચિત હિરાબેનની છેડતી કર્યા કરે. ફિલમની અંદર કાળક્રમે આ હિરાબેન દેવજીભાઈ સાથે પાણીગ્રહણ કરે.

વાસ્તવમાં પણ એવું જ હતું. બહેનો બધી જ દેવજીભાઈ ઉપર ફિદા હતી. આ બધી બહેનો પણ જે તે ફિલમમાં તત્કાલીન હિરાબેન સાથે તાદાત્મ્ય સાધતી હશે કે ક્યારેક આવો કામણગારો પુરુષ આપણને છેડશે અને પછી આપણે તેની સાથે પાણીગ્રહણ કરીશું.

જોકે કેટલીક બહેનો  અઘેલી વાણીયણ ની જેમ (મીનાકુમારીની જેમ) દુઃખી જીંદગી માટે મીના કુમારીનો વહેમ રાખતી અને તેની સાથે તાદાત્મ્ય સાધતી.   

દેવજીભાઈની એક અદા (સ્ટાઈલ) હતી. તેઓ હાથ લુલા રાખીને ઝુમતા ઝુમતા અભિનય કરતા. એક “ડાલ્ડા દેવાનંદ” નામના ભાઈ, તેમની સ્ટાઈલ મારતા. દેવજી ભાઈએ તેમની સ્ટાઈલ બંધ કરી હતી કે નહીં તેની ખબર નથી.

આ બધા મુખ્ય હિરાભાઈ હતા. બીજા પણ હિરાભાઈઓ હતા. સંજીવકુમાર, બલરાજ સહાની, જયરાજ … આપણે લેખ લખવો છે પુસ્તક નહીં.

પહેલે થી જ બધી હિરાબેનો માદા તરીકે  વર્તતી. પહેલાંની હિરાબેનોને સામાન્ય રીતે શાસ્ત્રીય નૃત્ય આવડતું નહીં. તેથી તેઓ બંને હાથ અવનવી રીતે હલાવીને નૃત્ય કરતી જાણે કે એમ લાગે કે તેમના હાથોને આંટી પડી જશે તો શું થશે?  જોકે વયસ્ક હિરાબેનોમાં લલિતા પવાર વૈવિધ્ય પૂર્ણ અભિનય કરતી. ભદ્રા બેન (શબાના આઝમી) અને હસુબેન (માલા સિંહા) વૈવિધ્યતા પૂર્ણ અભિનય કરતા. ઉજમબેન (નિરુપા રૉય) એમાં અપવાદ હતા. પણ ગુજરાતી બહેનોમાં તે લોકપ્રિય હતા.

હેલ્પેશભાઈની બદલી અમદાવાદ અને પછી  મુંબઈ થઈ પછી કામના ભારણને લીધે ફિલમો જોવી બહુ જ ઓછી થઈ ગઈ. હેલ્પેશભાઈ  “છોડા ચેતન” નામની ફિલમ તેમની ભત્રીજી ને બતાવવા લઈ ગયેલ. પછી તો કાળક્રમે તેમની ભત્રીજી   મોટી થઈ, તેના લગ્ન થયા. અને તેને બાબો આવ્યો. અને તે બાબલાને લઈને હેલ્પેશભાઈ એક ફિલમ જોવા  ગયા. આ બે ફિલમો ની વચ્ચે નો સમય પંદરેક વર્ષનો હશે તે દરમ્યાન કોઈ ફિલમ જોએલી નહીં. આ બીજી ફિલમનું નામ હતું “છોટા ચેતન”. જો કે તે છોટા ચેતનનું  નવું વર્સન હતું.

આજે પણ હિરાબેનો કંઈક વધુ અંશે, માદા તરીકે જ વર્તે છે. જ્યારે આવું ન હોય ત્યારે હિરાબેનો પશ્ચિમી હિરાબેનોની સ્ટાઈલ મારે છે.

હાલના હિરાભાઈઓ પોતાને એક્ટર કરતાં નર તરીકે વધુ પ્રદર્શિત કરવામાં માને છે. કેટલાક વર્ષોથી  હિરાભાઈઓ દાઢી રાખતા થઈ ગયા છે.

હિરાભાઈઓ દ્વારા  દાઢી રાખવાના મુખ્ય કારણો કયા છે?

કટ્ટર મુસ્લિમોએ દાઢી રાખવી જ જોઇએ. પશ્ચિમના દેશોમાં આતંકી હુમલાઓ પછી, દાઢીવાળા મુસ્લિમો ઉપર એરપોર્ટ ઉપર સઘન ચેકીંગ શરુ થયું.

આ અન્યાય હતો એવું કેટલાકને લાગ્યું. માલદાર મુસ્લિમ દેશોએ પશ્ચિમના  હિરાભાઈઓને ફોડ્યા. અને આ હિરાભાઈઓએ  દાઢી રાખવી શરુ કરી. તંગલો નાચ્યો એટલે તંગલી નાચી. આપણા દેશી હિરાભાઈઓએ પણ દાઢી રાખવી શરુ કરી.

શરુઆતમાં તો હકલાભાઈએ દાઢી વધારી. ડી-ગેંગ (દાઉદની ગેંગના નેટવર્કના લોકો) “શાહરુખ ખાનને “હકલા” તરીકે ઓળખે છે.  ચીકના ભાઈએ પણ દાઢી વધારી. અમીરખાનને ડી-ગેંગ ચીકના તરીકે ઓળખે છે. તેથી બીજા દેશી હિરાભાઈઓએ પણ દાઢી વધારી. એટલે પછી મોડેલીંગનું કામ કરતા ભાઈઓને પણ થયું કે અમે કંઈ હિરાભાઈઓથી કમ છીએ શુ? એટલે મોડેલીંગ વાળા ભાઈઓ પણ દાઢી રાખવા માંડ્યા. આવું થયું એટલે બધા જ વાદીલા (વાદે ચડેલા-રવાડે ચડેલા) જુવાન લોકોએ દાઢી રાખવી ચાલુ કરી દીધી. પછી તો વયસ્ક હોય પણ પોતાને જુવાન માનતા હૈ તેવા લોકોએ પણ દાઢી રાખવી શરુ કરી દીધી.

આપણા, હકલા અને ચીકનાએ દાઢી રાખવી બંધ કરી દીધી. કારણ કે “સાધ્યં ઈતિ સિદ્ધમ્‌”.

આપણા દેશી ભાઈઓને એમ છે કે આપણી (દેશી) માદાઓ “રફ એન્ડ ટફ” પુરુષોને વધુ પસંદ કરે છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૯

રામને કોણ સમજી શક્યું?

એક માત્ર મહાત્મા ગાંધી હતા જેઓ રામને અને લોકતંત્રને સમજી શક્યા હતા. તેઓ રામ અને લોકતંત્ર એ બંનેને સાંકળી શક્યા હતા.

પ્રણાલીઓને બદલવી છે?

આદર્શ પ્રણાલી શું હોઈ શકે અને તે કેવી હોવી જોઇએ તે પહેલાં નક્કી કરો.

જો તમને લાગતું હોય કે તમે આદર્શ પ્રણાલી સમજી શક્યા છો તો તે પ્રણાલીને બુદ્ધિદ્વારા આત્મસાત્કરો. માનસિકતા પણ એવી બનાવો. પછી તે દિશામાં વિચારો અને આચારમાં પણ તેને મૂકો. આવું કર્યા પછી પ્રચાર કરી શકાય.

એક વાત ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રચાર કરતી વખતે, તમારી પાસે સત્તા હોવી જોઇએ.

સત્તા શું કામ હોવી જોઇએ?

સત્તા એટલા માટે હોવી જોઇએ, કારણ કે તમે જે પ્રણાલીનો પ્રચાર કરવા માગો છો અને વિચાર વિમર્ષ કરાવવા માગો છો તેમાં દબાણ વર્જ્ય છે. સત્તા, શક્તિ, લાલચ, સ્વાર્થ બધાં દબાણ છે. દબાણ થી સત્ય દબાઈ શકે છે. દબાણ એક આવરણ છે. આવરણ સત્યને ઢાંકી દે છે. (હિરણ્મયેન પાત્રેણ, સત્યસ્યાપિહિતં મુખં).

ગાંધીજીને જ્યારે લાગ્યું કે હવે તેમણે સામાજીક ક્રાંતિ (સમાજસુધાર)માં પડવું જોઇએ, તો તેમણે કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી નહીં પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ ઉપરથી પણ રાજીનામું આપ્યું. તેનું કારણ હતું કે તેઓ કોઈ પણ સુધારા ઉપર પોતાનો જે અભિપ્રાય આપે તે બીજાઓ માટે દબાણ મૂક્ત હોય. તેથી જે પણ કોઈને ચર્ચા કરવી હોય કે શંકા પ્રદર્શિત કરવી હોય તે સામેની વ્યક્તિ મૂક્ત રીતે કરી શકે.

કોઈ કહેશે કે ઉપવાસ અને સવિનય કાનૂનભંગ, પ્રદર્શન, ધરણા વિગેરે પણ દબાણ કહેવાય ને? બધું દબાણ થી, તો બીજું શું છે?

આંદોલન બે પ્રકારના હોય છે. એક વહીવટી નિસ્ફળતા સામે હોય છે. બીજું અન્યાયકારી કાયદા સામે હોય છે. જનતા અને કેટલાક પક્ષોના નેતાઓ ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના નેતાઓ આંદોલનનું હાર્દ સમજતા નથી.

આંદોલન ફક્ત જનતા કરી શકે. રાજકીય પક્ષો આંદોલનો કરી શકે. રાજકીય પક્ષો લોકજાગૃતિના કામ કામ કરી શકે. જનતા પણ એવા આંદોલન કરી શકે કે જ્યાં તે સંપૂર્ણ પારદર્શિતા રાખી શકે તેમજ સંવાદ માટે હરપળ તૈયાર હોય. આંદોલન હમેશા દેશના વ્યાપક હિતમાં હોય. આંદોલન કદીપણ જાતિગત કે વ્યક્તિગત હોઈ શકે. વ્યક્તિગત હિતની રક્ષા માટે કાનૂનો હોય છે. કોઈ કાનૂન એવો હોઈ શકે કે જે અન્યાયકારી હોય. અન્યાયકારી કાયદા, ન્યાયાલય દ્વારા રદ કરી શકાય છે. નવો કાયદો કરવો હોય તો તેનો પૂર્વલેખ (ડ્રાફ્ટ) પ્રજાએ તૈયાર કરવો જોઇએ, તેની વ્યાપક ચર્ચા થવી જોઇએ. તે પછી વિદ્વાનો બધા સુધારાને આવરી લેતો અંતિમ પૂર્વલેખ લિપિબદ્ધ કરે અને પોતે ચૂંટેલા પ્રતિનિધિ મારફત સંસદમાં રજુ કરે. અને સંસદ તેને પસાર કરે.

મહાત્મા ગાંધીએ રામને કેમ આદર્શ માન્યા?

રામરાજ્યની કેમ વાત કરી?

 આમ તો ગાંધીજી કહેતા હતા કે મારો રામ કંઈ દશરથનો પુત્ર કે રાવણને મારનાર નથી. મારો રામ તો પરમબ્રહ્મ સ્વરુપ દરેકના દિલમાં વસતો રામ છે. એટલે કે ઈશ્વર છે.

આમ જુઓ તો રામ તો રાજા છે. અને મહાત્મા ગાંધી એક બાજુ રામરાજ્યની વાત કરેછે અને બીજી બાજુ તેઓ રામ દશરથનો પુત્ર નથી એમ કહે છે. તો રામ રાજ્ય કોનું?

ભારત, પ્રાચીન યુગમાં જગતગુરુ હતું. ભારતમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ મફત હતું. સૌ કોઈએ ગુરુ પાસે આશ્રમમાં ભણવા જવું પડતું. સામાન્ય રીતે સૌ કોઈ બાપિકો વ્યવસાય સંભાળતા. ગુરુઓને શસ્ત્ર વિદ્યા આવડતી તેમનું કામ વિદ્યા અને જ્ઞાનનો પ્રસાર કરવાનું રહેતું. તેઓ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા અને વેદમંત્રના  લખનારાના વંશજો હતા કે આચાર્યો હતા તેઓ પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવતા હતા. રાજા ઉપર દબાવ લાવવાનું કામ ઋષિની સલાહ અનુસાર જનતાનું રહેતું હતું.

વાયુ પુરાણમાં એક કથા છે.

બ્રાહ્મણોએ માંસભક્ષણ કરવું જોઇએ કે નહીં?

ઋષિગણ ભગવાન મનુ પાસે ગયું. ભગવાન મનુએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ માટે આપેલું માંસ, યજ્ઞના પ્રસાદ તરીકે એટલે કે હુતદ્રવ્ય હોવાથી ખાઈ શકે. ત્યારથી કેટલાક બ્રાહ્મણો હુતદ્રવ્ય રૂપે માંસ ખાવા માંડ્યા.

પછી જ્યારે ઈશ્વરને (શિવને) ખબર પડી ત્યારે તે ઋષિઓને વઢ્યા. અને તેમને કહ્યું કે તમે મનુ પાસે ગયા જ કેમ? મનુ આવી સલાહ આપવાનો અધિકારી નથી. પ્રણાલીઓ વિષે સલાહ આપનાર ફક્ત વેદ પારંગત મહર્ષિઓ અને આચાર્યોનો સમૂહ અધિકારી છે. તમે અનાધિકારી વ્યક્તિની સલાહ કેમ લીધી? હવે મનુ અને બ્રાહ્મણો પાપ ભોગવતા રહેશે. આમ અમુક બ્રાહ્મણો માંસાહારી રહ્યા અને અમુક બ્રાહ્મણો નિરામિષ રહ્યા.

આચાર્યનો અર્થ છે (વિચાર સહિતના) આચાર ઉપર સલાહ આપી શકે તે. એટલે કે આચાર ઉપર જે અધિકૃત રીતે અર્થઘટન કરી શકે અને આચારની પ્રણાલી ઉપર શાસન કરે તે. પણ શાસનનેશાસનશબ્દથી ઓળખવામાં આવતું નથી.

આચાર્યોનું શાસન અનુશાસન છે.

જનતાએ અને શાસકોએ શું કરવું જોઇએ તે આચાર્યો કહેશે. શાસકનું કામ વહીવટ કરવાનું છે. એટલે કે જેના હાથમાં વહીવટી સત્તા છે તે જે જનતા ઉપર કરે તેને શાસન કહેવાય.

આચાર્યો જે કરે તેને અનુશાસન કહેવાય.

આચાર્ય વિનોબા ભાવે એ ઇન્દિરાએ કટોકટી લાદી ત્યારે એવો પ્રતિભાવ આપેલ કે કટોકટી એ અનુશાસન પર્વ છે. પણ આનું ખોટું અર્થઘટન ઇન્દિરાએ ફેલાવેલું. વિનોબા ભાવેએ સ્પષ્ટીકરણ કરેલ. પણ એ સ્પષ્ટીકરણ ઉપર સેન્સરની કાતર ફરીવળી હતી.

હવે યાદ કરો. નહેરુવીયન કોંગ્રેસને જે કંઈપણ બંધારણીય સુધારા કર્યા અને તેના અમલમાં જે પ્રણાલીઓ સ્થાપી તેનો મુખ્ય હેતુ આત્મકેન્દ્રી એટલે કે સ્વકેન્દ્રી તો ખરો પણ સાથે સાથે પોતાનો પક્ષ સત્તાસ્થાને રહે પણ હતો. વાસ્તવમાં નિયમ બનાવવાના મુસદ્દા, જનતાની સમસ્યાઓના ઉકેલોને લગતી પ્રણાલીઓના સંશોધનો, ઋષિઓ એટલે કે જ્ઞાની લોકો તરફથી આવવા જોઇએ. જેમકે લોકપાલ વિધેયકનોપૂર્વ લેખ” (ડ્રાફ્ટ), અન્ના હજારેની ટીમ તરફથી આવે તેમાં કશું ખોટું હતું. નહેરુવીયન કોંગ્રેસે તે સ્વિકારવા જેવો હતો. તેને બદલે નહેરુવીયન કોંગ્રેસે કહ્યું અમારી ઉપર દબાણ કરનારા તમે કોણ છો? તમારી હેસીયત શું છે? હવે જે નહેરુવીયન કોંગ્રેસ, ગાંધીજીના નામ ઉપર ત્રણ દાયકા (૧૯૪૭ થી ૧૯૭૫) તરી ગઈ તેણે હેસીયતનો મુદ્દો ઉઠાવ્યો. રામને નામે પથરા તર્યા. ગાંધીજીને નામે ગઠીયા તર્યા.

“૧૯૪૭થી ૧૯૭૫ સુધીના સમય સુધી નહેરુવીયન કોંગ્રેસ ગાંધીજીના નામે તરી ગઈ” એમાં૧૯૭૫એટલા માટે સીમા ચિન્હ છે કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદીને ગાંધીવાદીઓને પણ વગર વાંકે જેલભેગા કર્યા એટલે મહાત્મા ગાંધીવાદીઓનો ભ્રમ પણ સદંતર ભાંગી ગયો.

પ્રથમ નામ મહાત્મા ગાંધીનું

અગણિત ગાંધીવાદીઓનો નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ૧૯૫૨થી ભાંગી ગયેલો. નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ભાંગી જવામાં મહાત્મા ગાંધીનું નામ પ્રથમ લેવું જોઇએ. જે કોંગ્રેસીઓ સિંધ પંજાબથી ભાગીને ભારતમાં આવ્યા તેમને મહાત્મા ગાંધીએ કહેલ કે તમે ત્યાં મરી કેમ ગયા? જો કોંગ્રેસીઓ ત્યાં નિષ્ઠા પૂર્વક રહ્યા હોત તો આજે પાકિસ્તાનની જનતા પાસે મહાત્માગાંધીયન (વાસ્તવિક રીતે ધર્મનિરપેક્ષ) પાકકોંગ્રેસ જોવા મળત. યાદ કરો ઘણા મુસ્લિમ નેતાઓ ભારતના ભાગલા પછી પણ ભારતમાં રહ્યા. તેથી અત્યારે આપણને ભારતમાં કોમવાદી ઈન્ડીયન મુસ્લિમ લીગ જોવા મળે છે. પણ પાકિસ્તાનમાં કોઈ કોંગ્રેસ જોવા મળતી નથી.

મહાત્મા ગાંધીએ જોયું કે કોંગ્રેસને લોકજાગૃતિમાં રસ નથી. કોંગ્રેસને ફક્ત સત્તામાં રસ છે. મહાત્મા ગાંધીએ કહેલું કે સમય એવો આવશે કે જનતા કોંગ્રેસીઓને શોધી શોધીને મારશે. તેમણે કોંગ્રેસને વિખેરી નાખવાનું કહેલ.  અને તે માટે તેમણે રાષ્ટ્રીય સેવાસંઘનું બંધારણ પણ લખેલ.

જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ

ગુજરાતનું ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલન, “ભ્રષ્ટાચાર દૂર કરો” માટે હતું. જનતાએ નહેરુવીયન કોંગ્રેસ શાસિત વિધાનસભાનું વિસર્જન કરવાનું કહેલ. બધા જ સભ્યોએ રાજીનામું આપેલ પણ મોટાભાગના નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજીનામું ન આપેલ. જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ. અંતે વિધાનસભાનું વિસર્જન કરવું પડેલ. નહેરુવીયન કોંગ્રેસે “અમે ગરીબી હટાવીશું” એ વચન આપી સત્તા ઉપર આવેલ. પણ ઇન્દિરા ગાંધી બધાજ ક્ષેત્રોમાં નિસ્ફળ નીવડેલ. ભ્રષ્ટાચારના આક્ષેપો તેની ખુદની ઉપર પણ હતા.

નહેરુવીયન કોંગ્રેસ એક શાસક પક્ષ હતો. તે જનતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેણે પોતાની ૨૦૦૯ની ચૂંટણી જનલોકપાલ બીલનો મુસદ્દો જનતા પાસે રજુ કરીને ચૂંટણી લડી હતી. એટલું નહીં પણ તે પક્ષ પોતે સંપૂર્ણ બહુમતિ વાળો પક્ષ ન હતો. તે અન્ય પક્ષો સાથે ચૂંટણી પરિણામો પછીના જોડાણો કરી સત્તા ઉપર આવ્યો હતો. તેની પાસે સત્તા હોય તો પણ તે સત્તા, નિયમો બનાવવા માટેની સત્તા ન હતી.

ભારતીય બંધારણ પ્રમાણે પણ તેની પાસે નિયમો બનાવવાની સત્તા ન હતી.

આનો અર્થ પણા થયો કે શાસક પક્ષને બંધારણમાં ફેરફાર કરવાની પણ સત્તા નથી.

જે લોકો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નિપૂણ છે તેઓ હેતુપૂર્ણ મુસદ્દો બનાવે અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનો તે મુસદ્દાને વિધેયકનું સ્વરુપ આપે. પછી તેને જનતા સામે મુકે. અને જનતા તેના ઉપર પોતાના પ્રતિભાવો અને સૂચનો આપે. તે પછી તેને આખરી સ્વરુપ આપવામાં આવે.

જનપ્રતિનિધિઓની પાસે કઈ સત્તા છે?

જનપ્રતિનિધિઓ પાસે સત્તા છે કે તે વહીવટકારો (પબ્લિક સર્વન્ટ), નિયમોને અને નીતિઓને અમલમાં મુકે. જનપ્રતિનિધિઓ તેની ઉપર નિરક્ષણ કરે અને જો તેઓ તેમાં ચૂક કરે તો તેમને દંડિત કરે.

બાબતની વિસ્તૃત ચર્ચાબધી સમસ્યાનું સમાધાન એટલે નવ્ય ગાંધીવાદ લેખમાળામાં કરવામાં આવી છે.

રામ રાજ્યની ઉંડાઈ સમજવી મૂર્ધન્યો, સમાચાર માધ્યમના પંડિતો, મોટાભાગના કટારીયા લેખકો અને પાશ્ચાત્ય રાજ્યશાસ્ત્રના પંડિતોના મગજની ક્ષમતાની બહાર છે. ભારતના રાજકીય પક્ષો અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ તો તે સમજી શકે.

હજારો વર્ષ જુના ભારતીય જનતંત્રમાનસ જેને મહાત્મા ગાંધીએ પુનર્‍ જાગૃત કે નવજાગૃત કરેલઇન્દિરા ગાંધીએ તેને ૧૯૬૮થી ક્ષતિ પહોંચાડવી શરુ કરેલ અને ૧૯૭૫માં જનતંત્રીય માનસિકતાને સંપૂર્ણ ધરાશાઈ કરેલ. એજ ઇન્દિરા ગાંધી જેને આજે પણ નહેરુવીયન કોંગ્રેસીઓ એક આદરણીય અને પૂજનીય નેતા માને છે. આવી માનસિકતાવાળો પક્ષ રામરાજ્યની ઊંડાઈ કેવી રીતે સમજી શકે?

નહેરુવીયન શાસકોએ ને તેમણે સર્જેલી માનસિકતાએ, રામને ફક્ત ધાર્મિક વ્યક્તિ બનાવીને ભારતીય જનતાંત્રિક પરંપરાને ચીંથરેહાલ કરી દીધી છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં શપથ પૂર્વક કહ્યું કે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતા નહીં.

રામની મહાનતા, ભારતીયો સમજ્યા અને તે મહાનતા અદ્વિતીય હોવાને કારણે તે રામને તેમણે ભગવાન બનાવી દીધા.

ભગવાન એટલે શું?

ભગઃ એટલે તેજ. આકાશમાં  સૌથી વધુ તેજસ્વી પદાર્થ હોય તો તે સૂર્ય છે. સૂર્ય, પૃથ્વીને ધારણ કરે છે. સૂર્ય માત્ર અગ્નિનો ગોળો નથી. ભારતીયો સાંસ્કૃતિક રીતે અને તાત્વિક રીતે કુદરતી શક્તિઓને ફક્ત સજીવ નહીં, પણ સજીવ ઉપરાંત તેમને દેવ પણ માને છે. સૂર્ય પણ એક મહાન દેવ છે. સૂર્યને લીધે પૃથ્વી ઉપર પ્રણાલીગત વ્યાખ્યા પ્રમાણે કહેવાતી સજીવ સૃષ્ટિ થઈ અને ટકી રહી છે. સૂર્યની પાછળ રહેલો દેવ, વિષ્ણુ છે. એવી માન્યતા છે કે જેમ સૂર્ય પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ આજ વિષ્ણુ, અવારનવાર યુગપુરુષ રુપે જન્મી પૃથ્વીના સજીવસમાજનું રક્ષણ કરે છે.

માન્યતા, કંઈ ભારત એકલામાં ચાલી છે એવું નથી. મેક્સીકોથી શરુ કરી ઈજીપ્ત અને જાપાન સુધી માન્યતા પ્રવર્તે છે કે રાજા (કે અમુક રાજાઓ) સૂર્યના અવતાર છે.         

રામ મંદિર થવું જોઇએ કે નહીં?

કોનું પૂજન થાય છે?

જેનું અસ્તિત્વ હોય તેનું પૂજન થાય છે. પ્રાકૃતિક શક્તિઓનું અસ્તિત્વ છે તેથી તેનું પૂજન થાય છે. કેટલાક દેહધારીઓએ અભૂત પૂર્વ કાર્યો કરેલા, એવું જે સમાજને લાગ્યું, તે સમાજે તેમનું પૂજન શરુ કર્યું. તેમના મંદિરો બનાવવામાં આવ્યાં. આવી પ્રણાલી ફક્ત ભારતમાં છે તેવું નથી. આવી પ્રણાલી પૂરા વિશ્વમાં છે. અત્યારે મરેલા નહીં પણ જીવતા મનુષ્ય દેહધારી ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં અસ્તિત્વ ધરાવે છે.

પણ વિશ્વમાં એવી પ્રણાલી ક્યાંય નથી કે જેનું ફક્ત સાહિત્યિક અસ્તિત્વ હોય, તેનું પણ પૂજન થાય અને તેના પણ મંદિરો બને.

કોઈ પણ એક મહામાનવને લો. તેમની  બાબતમાં એકથી વધુ લેખકો, તેમની જીવન કથા કે પ્રસંગોની કથાઓ લખશે. પોતાની રીતે મૂલવશે. મહાત્મા ગાંધી વિષે હજારો મૂર્ધન્યોએ લખ્યું છે અને લખ્યા કરશે. પોતાની રીતે તેમના જીવનને અને તેમના જીવનના અનેક પ્રસંગોને મૂલવશે. ગાંધીજી જ્યાં જ્યા ફર્યા ત્યાં ત્યાં તેમના સ્મૃતિઓ અને સ્મારકો પણ નિર્માણ પામશે. જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. જ્યાં રહ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. બધા મહાપુરુષો વિષે આવું કંઈક વત્તે ઓછે અંશે થાય છે અને થતું રહેશે.

સરસ્વતીચંદ્ર, જયા જયંત, ડૉન કિહોટે, ભદ્રંભદ્ર, મહેન્દ્રકુમારી, રા તાઈ, ટારઝન, સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર, કેપ્ટન મારવેલ વિગેરેને શું કોઈ પૂજશે? કે તેમના ધાર્મિક અને ક્રિયાસ્થળો પર સ્મારકો બનાવશે. હા એક વાત જરુર છે કે લોકો કંઈક વિચાર ગ્રહણ કરશે. ભદ્રંભદ્રએ માધવ બાગમાં ધર્મસભામાં ભાષણ આપેલ. ત્યાં શું તેમનું સ્મારક થશે? ભદ્રંભદ્રની જન્મ જયંતિ આપણે મનાવીશું? હા પણ વિવેકાનંદના સ્મૃતિ ચિન્હો આપણને ઠેર ઠેર મળશે.

માની લો કે ચાણક્યને આપણે ભગવાન માન્યા.

“ચાણક્ય”ના નામનો આપણે એક ધર્મ બનાવ્યોતે ધર્મને ફેલાવ્યો. કાળક્રમે કોઈ પણ રીતે તેનું જન્મ સ્થળ ધ્વસ્ત થઈ ગયું. નહેરુવીયનોએ પણ નહેરુના નામનો એક ધર્મ બનાવ્યો. અને જ્યાં જ્યાં ચાણક્યના સ્મૃતિ ચિન્હો હતા ત્યાં ત્યાં તેમણે ચર્ચ બનાવી દીધાં, અને જાહેર કરી દીધું કે ચાણક્ય જેવું કોઈ થયું નથી અને એવું કોઈ હોઈ શકે નહીં. એમ કંઈ એક બ્રાહ્મણ પોતાના અપમાનનો બદલો લેવા માટે, ૧૨ લાખના સૈન્યબળવાળા રાજાના સામ્રાજ્યને ઉથલાવી શકે? કદી નહીં. “કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના”. ચાણક્ય”ના ધર્મ વાળા તો ગાંડા છે. તેઓ એક કપોળકલ્પિત  વ્યક્તિની પૂજા કરે છે. આ એમનું એક ગાંડપણ છે. ચાણક્ય તો દંતકથાનું પાત્ર માત્ર છે.

જે એલ નહેરુનું મહત્વ વધારે છે કે ચાણક્યનું?

ચાણક્ય તો જે એલ નહેરુથી ૨૩૦૦+ વર્ષ સીનીયર છે. તેથી ચાણક્યનો અધિકાર પહેલો છે. હા પણ વાત ત્યારે બને જો આપણે ચાણક્યને ઐતિહાસિક વ્યક્તિ માનીએ તો.

હિન્દુ પ્રણાલી પ્રમાણે મૃતદેહ અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. મનુષ્યનો અંતિમ યજ્ઞ છે. ઈશ્વરે આપણને દેહ આપ્યો, આપણે તે દેહ, ઈશ્વરને સમર્પિત કર્યો. ઇશ્વરનું મુખ અગ્નિ છે. તેથી ઈશ્વરને આપણે અગ્નિ મારફત દેહ આપી દીધો. દેહવિસર્જનનો યજ્ઞ સ્મશાનમાં થાય છે. એટલે હિન્દુઓમાં કબર હોતી નથી.

મહામાનવોની યાદમાં જન્મભૂમિ અને કર્મભૂમિ (ભુમિઓ) હોય છે. એટકે ત્યાં સ્મૃતિચિન્હો બનાવવામાં આવે છે. કર્મભૂમિ અનેક હોય છે. જન્મભૂમિ અનેક હોતી નથી. જો વિદેશીઓ આવે અને તે ધર્મસ્થળને તોડીને નવું પોતાનું ધર્મસ્થળ બનાવી દે તો, અને સો ટકા ધર્મ પરિવર્તન થઈ જાય તો, આખી વાત ભૂલાઈ જાય છે. પણ જો વિદેશીઓ ૧૦૦ ટકા ધર્મ પરિવર્તનમાં નિસ્ફળ રહે તો લોકવાયામાં તે જન્મ સ્થળ જીવિત રહે છે.

ભારતમાં એવું થયું કે વિદેશી આક્રમણો થયાં ખરાં અને વિદેશીઓએ બળપ્રયોગ પણ કર્યો. પણ ભારતીય હિન્દુધર્મ અતિ પ્રાચીન, સુગ્રથિત, તર્ક અને સંવાદ આધારિત હોવાથી વિદેશીઓ મોટે ભાગે  અભણ અને ગરીબોનું ધર્મપરિવર્તન કરી શક્યા. અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકા જેવું ભારતમાં થયું. ત્યાં અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકામાં તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં વિકસિત સંસ્કૃતિ ફક્ત ઇતિહાસના પાનાઓ ઉપર રહી ગઈ.

અહીં ભારતમાં પણ ખ્રીસ્તીધર્મ ગુરુઓએ અને શાસકોએ ભરપૂર પ્રયત્નો કરેલ. પણ તેઓ એવું કરી શકે તે પહેલાં તો તેઓએ ઉચાળા ભરવાનો સમય આવી ગયો. કેટલાક વિદેશીઓ, બે વાત ભારતના હિન્દુઓ પાસેથી શિખીને ગયા. એક એ કે ધર્મ શ્રદ્ધાનો વિષય નથી પણ સંવાદ અને સહિષ્ણુતાનો વિષય છે. બીજી વાત શિખીને ગયા કે ભારતમાં તો ચક્રવર્તી રાજા અશોક પણ પોતાનો ધર્મ (બૌદ્ધ ધર્મ) ૧૦૦ ટકા સ્થાપવામાં નિસ્ફળ ગયેલ તો “અમે (ખ્રિસ્તીઓ) તે વળી કોણ?”

હા. તમે વિદ્વાનો સાથે ચર્ચા કરો અને શંકરાચાર્યની જેમ જીતો તો જુદી વાત છે. પણ તમારી તો પ્રણાલી હતી.

જનતંત્રમાં રામ મંદિર કેવી રીતે બની શકે?

હિન્દુઓ અને મુસ્લિમોના ધર્મગુરુઓ જો પરસ્પર સહમતી બનાવે તો રામ મંદિર બનવું શક્ય છે.

મુસ્લિમો પણ મનુષ્ય છે. માનવતા, કોઈ એક ધર્મનો ઈજારો નથી. મુસ્લિમ રાજાઓ પણ ધર્મથી ઉપર જઈને ન્યાય કરતા હતા. એટલે મુસ્લિમો પાસેથી સદભાવનાની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

પણ નહેરુવીયન કોંગ્રેસ જેવા અનેક દંભી અને વંશવાદી પક્ષો છે જેઓનું કામ લોકોને વિભાજીત કરવાનું છે. જેઓ સરદાર પટેલના જ્ઞાતિ બંધુઓને જેઓ પૈસાપાત્ર જ્ઞાતિઓમાં બીજે નંબરે છે તેમને પણ બહેકાવીને અતિનિમ્ન કક્ષાએ લઈ જઈને તેમને માટે અનામતનું ભૂત ધૂણાવી શકે છે તેમને માટે તો મુસ્લિમોને મમત ઉપર ચડાવવા ડાબા હાથનો ખેલ છે.

વર્તમાન પત્રોના કટારીયા માંધાતા પણ અનામતના ગુણદોષની ચર્ચા કરવાને બદલે બીજેપી કેવો તકલીફમાં આવી ગયો અને પાટીદારો કેવું કેટલું વ્યાપક આંદોલન કરી રહ્યા છે તેમાં રચ્યા પચ્યા રહે છે. આવા સમાજમાં ફક્ત ન્યાયાલયનો ચૂકાદો રામમંદિરનો પ્રશ્ન ઉકેલી શકે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, વચન, પ્રતિજ્ઞા, નહેરુવીયન, નહેરુ, ઇન્દિરા, મહાત્મા ગાંધી, રામરાજ્ય, રાજારામ, અર્થઘટન, નિયમ, પરિવર્તન, પ્રણાલી, શાસક, અધિકાર, ઈશ્વર, મનુ, અધિકારી, જનતંત્ર, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, નિરીક્ષણ, સત્તા, ઋષિ,

      

 

  

 

 

Read Full Post »

 

Raja Ram the ideal king

Rama the great in Flesh and Blood

 
અયોધ્યાને ખોદી નાખો તો અયોધ્યાની રામાયણનો રસ્તો જડશે
  
ગાંધીજીએ રામરાજ્ય ની વાત કરી પણ તે વાત નો બીજેપી લાભ ન લે તેની પાછળ કારણ હોઈ શકે.
  
કારણ કે બીજેપીમાં જે આર.એસ.એસ. વાદીઓ છે તેમાંના કેટલાક ગાંધીજીને વાંચ્યા વગર તેમને વાંકમાં લઈને પોતાનો રાષ્ટ્રપ્રેમ બતાવવાના ખ્યાલ માં હોય છે. નરેન્દ્ર મોદી આ વાત સારી  રીતે સમજે છે. એટલે તેઓ ગાંધીજીને પણ યોગ્યરીતે મહત્વ આપે છે. નરેન્દ્ર મોદીએ ગાંધીજીને કોંગી પાસે થી ખૂંચવી લીધા છે.
 
  
નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને ગાંધીજીની ફીકર નથી:
  
આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને એની ફીકર નથી. કારણકે સત્તા માટે હવે “ગાંધી” નામનું શસ્ત્ર તેમને માટે બુમરેન્ગ થાય એવું છે. ગાંધીજીના કોઈપણ સિધ્ધાંતનું ખૂન કરવામાં તે પ્રથમ ક્રમે આવે છે. તેમાં સાદગી, સત્યનો આદર (લોકશાહી), ગરીબને ખ્યાલમાં રાખીને દરેક પૈસો ખર્ચવો તે, ખાદી, દારુબંધી, ગામડાં અને શહેરોને એકબીજાને પૂરક બનાવવીને વિકાસ કરવો, વર્ગવિગ્રહ વિહીનતા, સર્વધર્મ સમભાવ ….. આવું બધું આવે. યેનકેન પ્રકારેણ સત્તા મેળવવી અને રાષ્ટ્ર ને નુકશાન થાય એ હદ પાર કરીને પણ પોતાની સત્તા જાળવી રાખવી એવા કોંગી નેતાઓને ગાંધીજીના સિદ્ધાંતો ક્યાંથી પસંદ પડે?
  
નરેન્દ્ર મોદી ગાંધીજીની વધુ નજીક છે. કોંગ્રેસ તો ક્યાંય નથી. પણ હવે એ વાત જવાદો.
 
  
રામ રાજ્યની વાત:

રામ તો એક રાજા હતા. અને ગાંધીજી તો લોકશાહીમાં માનતા હતા.
  
ગાંધીજીએ રામ રાજ્ય ની વાત શામાટે કરી?
  
  
ગાંધીજીના રામ અને ગાંધીજીનું રામરાજ્ય તેને ગાંધીવાદી વિચારોના પરિપેક્ષ્યમાં જોવા જોઈએ.

ગાંધીજીના રામ એ પરમબ્રહ્મ, પરમપિતા પરમાત્મા છે જે દરેકના શરીરમાં અંતરાત્મા સ્વરુપે રમી રહ્યા છે. સત્યનો અવાજ તમે અંતરાત્મા થકી જ સાંભળી શકો. પણ તમે બુદ્ધિ અને પ્રણાલી વચ્ચે સંઘર્ષ અને અથવા અનિર્ણાયકતા ઉત્પન્ન થાય ત્યારે જ  અંતરાત્માને પૂછી શકો. તમારો સ્વાર્થ પણ તેમાં ન હોવો જોઇએ.

રાજા રામ આ વાત બરાબર સમજી શક્યા હતા અને પચાવી પણ શક્યા હતા અને તેમણે આ વાત આત્મસાત પણ કરેલી.
  
  
અંતરાત્માનો અવાજ

વલ્લભભાઈની અને નહેરુની, વડાપ્રધાનપદ માટેની યોગ્યતા વત્તા તેમની એ પદ માટેની અનિવાર્યતા વત્તા તેમનું વિદેશ દોડાદોડી કરવા માટેનુ સ્વાસ્થ્ય, તેમની ઘરા આંગણાના પ્રશ્નો હલ કરવાની ક્ષમતા  આ બધું વિચાર્યા પછી ગાંધીજીને લાગેલ કે નવું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી નહેરુ વડાપ્રધાન પદ લે અને વલ્લભભાઇ પટેલ ગૃહપ્રધાન થાય તે દેશના હિતમાં છે. ગાંધીજીની આ દિર્ઘ દ્રષ્ટિ હતી અને તે યોગ્ય હતું તે સિદ્ધ પણ થયેલ.

જો વલ્લભભાઈ પટેલનું સ્વાસ્થ્ય સુધરી ગયું હોત તો લોકશાહીમાં વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન થતાં કોઈ રોકી શકશે નહીં તે વાત ગાંધીજી સુપેરે જાણતા જ હોય તે વાત અલ્પજ્ઞ પણ સમજી શકે તેવી છે.
  
વળી મહાત્મા ગાંધી પોતે કોઈ હોદ્દો કે સત્તા ધરાવતા ન હતા તેથી તેમની વાત એક સલાહ હતી. તેને માનવીકે  ન માનવી તે કોંગ્રેસ પક્ષમાટે ફરજીયાત ન હતું.
  
કોંગ્રેસ પક્ષની કારોબારીના સભ્યોને એવું લાગ્યું કે બુદ્ધિ અને પ્રણાલી વચ્ચેનો આ વિસંવાદ છે અને ગાંધીજીનો નિર્ણય આપણે અંતરાત્માના અવાજ તરીકે સ્વિકારવો જોઇએ. પક્ષે તેમની વાત સ્વિકારી.
  
ગાંધીજીની રામ રાજ્યની વાત

મહાત્મા ગાંધીએ શા માટે  રાજા રામને જ પ્રેરણા મૂર્ત્તિ તરીકે પસંદ કર્યા? કારણ કે રામે પ્રણાલીનો આદર કર્યો.
  
પ્રણાલીના ભંગને વૈચારિક ક્રાંતિ કહી શકાય. પણ વૈચારિક ક્રાંતિ સત્તાધારી વ્યક્તિ/વ્યક્તિઓ તરફથી આવવી ન જોઇએ. વૈચારિક ક્રાંતિ આમજનતા તરફથી આવવી જોઇએ. પ્રણાલીગત રીતે જેને સત્ય માનવામાં આવે છે તેને અગર બુદ્ધિથી નકારી શકાતું ન હોય તો તેનો આદર થવો જોઇએ.
  
રાજા એ ફક્ત રાજા જ છે. તેના સગાઓ, એ તેના સગાઓ નથી પણ હોદ્દેદારો છે. અને સૌએ મર્યાદામાં રહેવાનું છે. તેથી રામ પણ તેમના રાજ-પદ ની મર્યાદામાં રહ્યા. જે પ્રણાલીગત તારવણીઓ રુપી સત્ય ભલે તે ધોબી તરફથી આવ્યું પણ તેનો બુદ્ધિ થકી અસ્વિકાર થઈ શકે તેમ નહતું તેથી તેને સ્વિકારમાં આવ્યું.
 
હવે તમે નહેરુવીયન લોકશાહી સાથે સરખાવો.

વલ્લભભાઇ પટેલ ૧૯૫૦માં ગુજરી ગયા. એટલે નહેરુએ તેમના મળતીયાઓ મારફત તેમના વિરોધીઓને રાજકીયરીતે ખતમ કરવા માટે વગોવવા માંડ્યા. જયપ્રકાશ નારાયણ અને રાજાજી તેમાં મૂખ્ય નિશાન હતા.
 
ચીનની હિમાલયન બ્લંડર પછી નહેરુએ, મોરારજી દેસાઈને હાથમાં લીધા અને કામરાજ પ્લાન હેઠળ દૂર કર્યા. વળી લોકશાહીની વિરુદ્ધ જઈ “ઇન્દીરાને મળો” એવું બધા મુલાકાતીઓને કહીને બધો કારભાર પોતાની પૂત્રી ઇન્દીરાને સોંપી દેવાનું ચાલુ કરેલું.
 
સીન્ડિકેટ બનાવીને ઇન્દીરાને,  મરણોત્તર પોતાનો  હોદ્દો સોંપવાની પૂરી સગવડ કરીને નહેરુ ગયા હતા. તેનું મૂખ્યકારણ કદાચ તેમની અ-દૂરદર્ષિતાને અને મૂખામી ભર્યા નિર્ણયોને કોંગ્રેસીઓ ન ચગાવે તે હોઈ શકે.
 
તેમને ખબર હતી કે તેમની પૂત્રીને કાવાદાવાઓ આવડતા હોવાથી તેને વિરોધીઓ જલ્દી દૂર કરી શકશે નહીં અને તે પણ મૃત્યુ પર્યંત રાજકરીને વિરોધીઓને ખતમ કરીને પોતાના સંતાનોને રાજગાદી આપી શકશે. અને આ ઈતિહાસ પ્રણાલી બની જશે. કોંગ્રેસમાં એવા વામણા લોકો જ ટકશે અને લોકશાહી એક ફારસ બની જશે.
  
અને તમે જુઓ એવું જ થયું છે.

૧૯૬૮માં ઈન્દીરાગાંધીનો અંતરનો અવાજ (આત્માનો અવાજ) શું હતો?

એજ કે પક્ષની કારોબારીએ નક્કી કરેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (સંજીવ રેડ્ડી) ને મત ન આપવો પણ પોતે પસંદ કરેલા ઉમેદવાર વી વી ગિરીને મત આપવો.

અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા અનુસાર ઈન્દીરાગાંધીની ગેરલાયકાત સિદ્ધ થઈ તો પણ તે વડાપ્રધાન પદે ચાલુ રહી.
 
કટોકટી લાગુ કરવામાં આવી.
 
આ બધું પ્રણાલીગત ન હતું. પણ પ્રણાલીગત હતું તેને તોડવામાં આવ્યું. પોતાના સ્વાર્થ માટે તોડવામાં આવ્યું. લોકશાહીમાં આવું દાખલ કરવું એ એક ક્રાંતિ જ કહેવાય. માટે જ ગાંધીજીએ કહેલું કે ક્રાંતિ સત્તાધારી તરફથી ન લાવી શકાય. સત્તાધારી તરફથી આવતી ક્રાંતિ અધોગતિ લાવે છે.
 
ભારતમાં “રામ-રાજ્ય” લાવવાનું છે જેમાં સત્તા પ્રજા પાસે રહેશે:
 
ક્રાંતિ પ્રજામાં ચળાઇને પ્રજા થકી આવશે. ભારતમાં રામનું (રામ એટલે “રાજા” એટલેકે “સત્તાધીશો” એ અર્થમાં) રાજ્ય લાવવાનું નથી. કારણકે સત્તાધીશો રાજારામ જેવા હોતા નથી.
 
ગાંધીજીની આ  વાતને સિદ્ધ કરતું નહેરુવીયનોનું વરવું રાજકારણ આપણે જોયું છે અને જોઇએ છીએ.
 
ગાંધીજીએ આદર્શ સત્તાધીશ રુપે ઐતિહાસિક રામને એટલે જ સ્થાપિત કર્યા હતા કે જેથી તેમના જીવન થકી લોકો સમજી શકે કે સત્તાધીશોનું કર્તવ્ય શું છે.
 
પણ દલા તરવાડીના ગુરુજેવા કોંગીજનો અને ટકી રહેવા માટે તેને ટેકો આપનારા બીજાઓ પણ આ વાત ન સમજી શકે.
 
કોંગ્રેસે તો હદ એ વાતની કરી અને તે પણ શપથ પૂર્વક કે “રામ બામ જેવું કશું હતું જ નહીં. બધું કપોળ કલ્પિત છે.”
 
કોંગી જનો માટે શપથપૂર્વક બોલાયેલું પાછું ખેંચવું કે શપથપૂર્વક બોલાયેલામાંથી ફરી જવું કે શપથપૂર્વક બોલાયેલું ભૂલી જવું એ કંઈ નવાઈની વાત નથી.
 
ચીને આપણો એક લાખ વીસ હજાર ચોરસ કીલોમીટર પ્રદેશ જીતી લીધો છે. અને આટલો પ્રદેશ હાર્યા પછી નહેરુવીયન કોંગ્રેસે પાર્લામેન્ટ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે અમે તે ગુમાવેલો પ્રદેશ પાછો જીતી લીધા વગર જંપીને બેસીશું નહીં.
 
હવે આ વાત ” … આજની ઘડી અને કાલનો દી…” જેવી થઈ ગયી છે.
 
એવું જ ઈન્દીરા ગાંધીની “ગરીબી હટાવો ની વાત વિષે”, “ઈન્દીરા ગાંધી આયી હૈ.. નયી રોશની લાયી હૈ” ની “નયી રોશની” અને “એકવીશમી સદીમાં જવા વિષે” સમજવાનું છે.
 
એ પછી પણ કોંગી જનોએ ઘણા લટકા કર્યાં છે. અયોધ્યાનું તો રામાયણ હશે પણ નહેરુવીયન કોંગીનું તો મહાભારત છે.
 
નહેરુવીયન કુટુંબી જનોની ઇલેક્ષન કમીશન સમક્ષ કરેલી ખોટી એફીડેવીટો (પ્રતિજ્ઞા પૂર્વક આપેલાં સ્વ વિષેના કથનો) વિષે તો સુબ્રહ્મનીયમ સ્વામીએ ઠીક ઠીક દસ્તાવેજી પૂરાવાઓ આપેલા છે.
 
કોંગીજનોને બાદ કરીએ તો પણ “તડ અને ફડ”માં માનનારા, તટસ્થતાની ઘેલછા ધરવાતા અને વાસ્તવમાં “ચ” ના ક્રમમાં આવતા ઘણા “સુ(?)જ્ઞ જનો ” પણ રામને ઐતિહાસિક વ્યક્તિ માનતા નથી. રામને તેઓ કપોળ કલ્પિત (માઈથ) માને છે.
 
પૂરાણોમાં, કથાવાર્તાઓ કે મહાકાવ્યોમાં આવતા મનુષ્યો કે સ્થળોના વર્ણનોને અધારે કે સંવાદોને આધારે ઐતિહાસિક સત્યો નીપજાવી શકાતા નથી. ઇતિહાસ પ્રસંગોથી બને છે. ઇતિહાસને લોકભોગ્ય બનાવવા માટે પુરાણોમાં ઇશ્વર અને ભગવાનોનો ચમત્કાર સહિતનો પ્રવેશ કરવામાં આવ્યો છે. અને તેથી આજે પણ પૂરાણો જનમાનસમાં જીવે છે અને તેથી ઇતિહાસ પણ જનમાનસમાં જીવે છે.
 
આ એક ભારતીય કળા છે. તેને બિરદાવવી જોઇએ. જેઓ ભારતીય પુરાણો અને મહાકાવ્યોમાં રહેલા ઐતિહાસિક તત્વને નથી તારવી શકતા તેઓના ભલા માટે પ્રાર્થના કરો. તમે ઉંઘતાને જગાડી શકો પણ જાગતાને જગાડી ન શકો.  
 
મહાત્મા ગાંધીના જીવન વિષે અનેક લોકોએ લખ્યું અને હજુ પણ ભવિષ્યમાં લખાશે. એવું પણ બને કે તેમાં ચમત્કારો પણ ઉમેરાય. તેમને વિષે વિરોધાભાષી પાઠ/પાઠો પણ મળે. ગાંધીના અનેક અનુયાયીઓ કહેતા કે ગાંધીજી કોંગ્રેસમાં આવ્યા એ પહેલાં અમે ગધેડા હતા.
 
કોઈકે કે ઈન્દીરા ગાંધીએ વાનરસેના સ્થાપેલી. અને ઇન્દીરા ગાંધી તેના નેતા હતા.
 
હવે જો દૂરના ભવિષ્યમાં અગર સંદર્ભોનું ઠેકાણું ન રહે તો એમ જ કહેવાશે કે ગાંધીજીએ પોતાની કારીગીરીથી કે ચમત્કારિક શક્તિથી ગધેડાંઓમાંથી માણસ બનાવેલા અને તેની ગર્દભ સેના અને વાનરસેના થકીના સંયુક્ત ઉપક્રમે એક વિરાટ સેના બનાવી અંગ્રેજી સેનાને હરાવીને ભગાડેલી.
 
કદાચ તે વખતે પણ એવા મનુષ્યોનો તુટો નહીં હોય કે તેઓ કહેશે ગાંધી બાંધી જેવું કશું હતું જ નહીં. આ બધું તો કપોળ કલ્પિત છે.
 
સાંઇબાબા અને તેમના ચમત્કારો, સત્યસાંઈબાબા જેના ભક્તો આજની તારીખમાં પણ તેમને ચમત્કારી પુરુષ માને છે, સહજાનંદ સ્વામીના ચમત્કારોને અને તેમને ભગવાન માનનારાઓનો તૂટો નથી. હવે જો તેમણે ચમત્કારો કર્યા હોય તેને સાચા ન માનીએ તો તેઓ શું ઐતિહાસિક મટી જશે?
 
રામના ચમત્કારો વિષે પણ આવું જ સમજવું જોઇએ. હનુમાન કે જેના માતા અંજની વાંદરા ન હતા, તેમના પિતા મરુત પણ વાંદરા ન હતા. મારુતી ને હનુમાન એટલા માટે કહ્યા કે તેમની હડપચીનો ભૌતિક આકસ્મિક રીતે વિકાર થયો હતો.
 
જેના માતા કે પિતા કોઇ પણ વાંદરા ન હોય તો હનુમાન વાંદરા કેમ હોય?
 
ચમત્કારમાં ન માનનારા છતાં ન સમજનારા  આ સાદી વાત કેમ સમજી શકતા નહીં હોય?
 
વાસ્તવમાં વાનર એક મનુષ્ય જાતી હતી અને તે દક્ષિણભારતમાં વસતી હતી. તે મલ્લ વિદ્યામાં પ્રગતિશિલ અને નિપૂણ હતી. વાલીની મલ્લવિદ્યા એવી હતી કે તે તેના દેકારા પડકારા અને દાવપેચથી હરિફને માનસિક રીતે હતપ્રભઃ કરી દેતો. તેણે રાવણને પણ બગલમાં દબાવી દીધેલો.
 
હવે આ બધું જે હોય તે પણ વાનરજાતીના માનવપણાને અને તેની ઐતિહાસિકતાને આપણે નકારી ન શકીએ. સંભવ છે કે રાવણ ક્રૂર ન હોય. અને ધારીએ છીએ એટલો જોરાવર પણ નહોય.  પણ તેના ઐતિહાસિકપણાને નકારી ન શકાય.
 
રામ ઉપર ઘણા લોકોએ લખ્યું. રામ વિષે ઘણા પાઠો મળે છે. ઉત્તરરામ ચરિત્ર, રઘુવંશ, સૌથી જૂના પૂરાણ “વાયુપૂરાણ” સહિત બધાજ પુરાણો અને મહાભારત માં રામની વાતો લખી છે. જે વાત અનેક જગ્યાએ લખેલી હોય અને જુદીજુદી વ્યક્તિઓએ જુદે જુદે સમયે લખેલી હોય તેની ઐતિહાસિકતા નકારી ન શકાય.
 
પૂજા કરવાની પ્રણાલી પણ તેની જ નીપજે, જે અસ્તિત્વ ધરાવતી હોય.
 
કુદરતી શક્તિઓ જે સર્જન, પાલન અને નાશ કરે છે તેના પ્રતિકો બનાવીને પૂજા થાય તેવી પ્રણાલી ભારતમાં પ્રાચીન કાળથી છે અને બીજે પણ આવી દૈવી શક્તિઓની પૂજા થતી હતી. મહામાનવોની પણ સૂર્યના અવતાર તરીકે કે તેના પૂત્ર તરીકે કે એ શિવાય ભગવાન તરીકે પણ તેની પૂજા દૂનિયાભરમાં થતી હતી અને આજની તારીખે પણ થાય છે.
 
કોઈએ સરસ્વતીચંદ્ર, જયા જયંત, નથુભાઇ, હંબોહંબો હાથીડો, ચીચુકાકા, ભાણીયો અને ભંભોટ, સિંદબાદ કે માનસેન સાહસી જેવા કપોળ કલ્પિત પરાક્રમીઓ ના મંદીરો બાંધી પૂજા કરી નથી. તેમની કોઈ જન્મતિથીઓ હોતી નથી કે કોઇ તેમના જન્મદિનની ઉજવણી પણ કરતા નથી.
આવા બીજા ઘણા બધા ભેદ કપોળ કલ્પિત અને ઐતિહાસિક વ્યક્તિઓ વચ્ચે હોય છે. પણ જેમને ઉંડુ વિચારવું નથી અને પોતાની તટસ્થતાના પ્રદર્શનની ઘેલછામાં રહી પ્રસિદ્ધિ  હાંસલ કરવી છે તેમને આપણે “ચ”ના ક્રમમાં જ મૂકી શકીએ.
 
રામ આ પ્રમાણે ઐતિહાસિક છે. અને રામની જીવન કથા પ્રમાણે તેમનો રાજકારભાર લોકશાહીને અનુરુપ હતો. આ પ્રમાણે રામ આદર્શ અને પૂજનીય બન્યા. વળી તે મહાભારતથી સાતસો વર્ષ પૂર્વે થઇ ગયા. મહાભારતને થયે (એક સંશોધન પ્રમાણે) ૫૬૫૫ વર્ષ થયા. તે ગમે તે હોય પણ બાબર રાજા કે બાબરી ફકીર કરતાં તો તેઓ ઘણા સીનીયર છે જ.
 
બાબરી મસ્જીદ ની ચારે બાજુ હિન્દુ સ્થાનો છે. અને તેની મધ્યમાં એક મસ્જીદ ત્યારે જ બનાવી શકાય કે ત્યાં કોઈ હિન્દુ સ્થાનક હોય. “પરધર્મના ધાર્મિકસ્થાનો તોડીને પોતાના ધર્મના સ્થાનો બનાવવા” આવી પ્રણાલી ખ્રીસ્તીઓમાં અને મુસ્લિમોમાં બેસુમાર હતી. મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આવું બેસુમાર થયેલું આ વાત ત્યાનાં ખ્રીસ્તી લોકો પણ કરે છે. મુસ્લિમોમાં તો આવી પ્રણાલી આજે પણ છે. ભારતીય શાસકો વિષે આવું કદીય કોઇએ કહ્યું નથી. આનાથી ઉલ્ટીવાત મુસ્લીમ પર્યટકોએ ભારતીય શાસકો વિષે કરેલી છે. હિન્દુઓ ઈશુની પહેલી સદી સુધી દૂર પશ્ચિમ સુધી રાજ કરતા હતા.
 
એવા સમાચારો આવેલા કે બાબરી મસ્જીદનીચે ખોદકામ કરતાં અવશેષો મળેલા છે અને તે અવશેષો એક શિવ મંદિરના છે. હવે જ્યારે અવશેષો મળ્યા હોય તો તેનો અર્થ એમજ થાય છે કે ત્યાં કશુંક તો હતું જ. અને તે મુસ્લિમો આવ્યા પહેલાનું હતું.
 
હવે તમે જુઓ. રામની જે અયોધ્યાનું વર્ણન છે તે હાલના કોટમાં આવેલી અયોધ્યા જેવડી નાની તો હોઇ જ ન શકે. વાસ્તવમાં તે એક રાજાના ગઢ જેવું લાગે છે.
 
અયોધ્યાની આસપાસના વિસ્તારો ટીંબાઓથી ભરપૂર છે. હાલના અયોધ્યાના ગઢમાં પણ સ્થાનિક લોકોએ કબજો લઈ લીધો છે અને રામના અને તેમના પરિવારના પૂતળાઓ મૂકીને કે પોતાની કબજે કરેલી જગ્યાને અયોધ્યા વર્ણિત ગૃહનું નામ આપી યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવે છે.
 
પેટ બધા પાપ કરાવે છે. ધર્મ કરતા, લાંચ મહાન છે અને લાંચ કરતાં પેટ મહાન છે. એટલે પૂરાતત્વ અધિકારીઓ પરાપૂર્વથી બેદરકાર છે. અયોધ્યાના કોટ અને અને તેના ગોખલાઓનો કબજો ધંધાદારીઓએ લઈ લીધો છે. ખાણી પીણી, પૂજાપાઠ, પુસ્તકો અને છબીઓનો કે જેની પણ ઘરાકી મળી શકે તેનો ધંધો ચલાવે છે. ત્યાં પણ ઘણા ટીંબાઓ છે.
 
શ્રેષ્ઠ એ જ છે કે પુરાતત્વ ખાતાએ પૂરા અયોધ્યાનો (ફૈઝાબાદ સહિત) આસપાસના ૮ કિલોમીટર સહિતની જગ્યાનો કબજો લઈ લેવો જોઇએ. અને ત્યાં પુરાતન અવશેષો માટે ઉત્ખનનનું કામ ચાલુ કરી દેવું જોઇએ.
 
હાલના અયોધ્યાને વર્લ્ડ હેરીટેજ નું સ્થાન આપી ત્યાં પણ ટીંબાઓનું ખોદકામ કરવું જોઇએ. હાલના અયોધ્યામાં પણ અપાર અવશેષો પડેલા છે. પૂરાતત્વને કેન્દ્ર રાખીને જો અયોધ્યાનો વિકાસ કરવામાં આવે તો અયોધ્યા વિશ્વનું બેનમૂન અને શ્રેષ્ઠ ઐતિહાસિક પર્યટન સ્થળ બની શકે છે.        
 
ચમત્કૃતિઃ
“ચ”નો ક્રમ એટલે શું?
કોઈપણ એક પોઇન્ટ બિન્દુ લો. તમે ચારે બાજુ જઈ શકો. તમે એક દીશા પકડી. અને રેખા દોરી. રેખાના અંતિમબિન્દુએ તમારી પાસે આગળ વધવા માટે અનેક દિશાઓ છે. તમે ડાબી બાજુની દીશા પકડી. અને આરીતે જ તમે રેખા ખેંચતા ગયા અને એજ દીશા પકડતા ગયા તો તમે મૂળ બિન્દુ ઉપર આવી જશો અને એક વર્તુળ પુરું થશે. સંસ્કૃતમાં વર્તુળને ચક્ર કહેવામાં આવે છે. અને આવી વ્યક્તિને સંસ્કૃતમાં  ચક્રમ કહેવામાં આવે છે.
 
————————————–
પ્રવીણભાઇ ભટ્ટે લખેલા હિન્દી વર્સન ઉપરથી નેચેની જોક વૉંચો 
 
ચ્યમની રૉમૉયણ થૈ?
પુરુ રોમોયણ બૈરોંની વૉતોનું સ.
લખમણ પોતાનું બૈરું ઘેર શોડી આયો, અને ભૈ હંગાથે ગયો,
રોવણ તો સેને તી, બીઝાનું બૈરુ ઉઠાઇ આયો અને ફહૉણો,
હણુમોનને તો પોતૉનું બૈરુ અ’તુ જ નૈ, પણ બીઝાનું હોધવૉમોં લંકો બૉરી નૉખી,
 
રૉમે પોતોનું બૈરુ પૉસુ લોવવોમોં ને લૉવવૉમોં લડૈ કરી, અને બૈરુ પૉસુ લૈને પણ હુ ઉકૉર્યુ?
 
એં એક ધોબાએ પોતોનું બૈરુ બા’ર ગયું અહે તે એને પૉસુ ઘરમોં ન ઘૉલ્યુ તો રૉમે પોતોનું બૈરુ બા’ર કર્યુ,
 
તયેં સેલ્લે હું થયું? જેને મૉટે રૉમે લ’ડૈ કરી એ બૈરુ ધરતીમૉં પેહી ગયુ,
હવે ભૂડા તુ ઝ  વચાર, આ બધુ હુ કૉમનુ થયુ?
પેલા દહરથ્ને તૈણ બૈરોં ઉ’તા …. હૉવઅ .
 
શિરીષ દવે
————–
 
પ્રવીણભાઇની જોક
 
पुरी रामायन बीवीयोंकी कहानी है

लक्षमन अपनी घर पे छोडकर चला आया
रावन दूसरेकी उठाके फस गया
हनुमान की अपनी थी ही नहिं मगर दूसरेकी ढूंढने मैं लंका जला दी
राम को अपनी वापस लानेके लिये १० दिन तक वोर करनी पडी वापस लाके भी क्या मिला ?
एक धोबी ने अपनी बीवी को वापस घर मै नहीं लिया, तो राम ने अपनी को आउट कर दीया
और एन्ड में क्या हुआ ?
जिस बीवी के कारन इतनी बडी रामायन हूइ वो तो अंडरग्राउन्ड चली गइ !
अभी सोचो, आखा जमेला हुआ क्यों?
क्योंकी दशरथ को ३ बिवी थी !!

Mahatma Gandhi

Mahatma Gandhi the Great in Flesh and Blood

Read Full Post »

%d bloggers like this: