Feeds:
Posts
Comments

Posts Tagged ‘લઘુમતિ’

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો./તટસ્થતાની ધૂનમાં હવે કેટલાક મૂર્ધન્યોએ બધી સીમા પાર કરી દીધી છે.

વંશવાદી કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગી વિપક્ષો બેફામ ઉચ્ચારણો કરે તેનાથી સુજ્ઞ લોકોની વિચારધારાને અસર થતી નથી. પણ જ્યારે સત્તાની લાલસા વગરના, અને જેમના પ્રત્યે જનતા નો સામાન્ય જણ, માન ધરાવે છે, તેઓ જ્યારે તટસ્થતાની ધૂનમાં બે બાજુ ઢોલકી વગાડે છે ત્યારે, આ સામાન્ય જણ, કાં તો ભ્રમમાં પડે છે, કે કાં તો મુંઝવણમાં પડે છે./દંભી સેક્યુલરોની ગેંગો, એમ જ ઇચ્છે છે કે, સામાન્ય માણસ તેમને સાથ ન આપે તો કંઈ નહીં, પણ તે મૂંગો રહે તો પણ ઘણું. આ સામાન્ય જણ “કંઈક ખોટું તો થયું છે” એટલું વિચારતો થાય તો આપણે “ગંગા નાહ્યા”.

બીજેપી એટલે એક માત્ર હિન્દુધર્મીઓના હિત માટેનો પક્ષ.

બીજેપી હિન્દુઓનો કોમવાદી પક્ષ છે. એવું માનવાની અને મનાવવા માટેની નહેરુવીયન કોંગ્રેસની જ નહીં પણ મોટાભાગના મૂર્ધન્યોની પણ ફેશન છે. આ વરણાગીપણાથી સુજ્ઞ મૂર્ધન્યો મુક્ત થાય તે દેશના હિત માટે અત્યંત જરુરી છે. નહેરુ જીવતા હતા ત્યારથી નહેરુ સ્વયં, કોમવાદી હતા. કેરલની નાંબુદ્રીપાદની સરકારને ઉથલાવવામાં તેમનો સહયોગ હતો. અને સૌ પ્રથમ હળાહળ કોમવાદી પક્ષ સાથે ગઠબંધન કરનાર પક્ષ પણ, નહેરુવીયન કોંગ્રેસ જ હતી. જે નેહરુવીયન કોંગ્રેસ, ગઈ કાલ સુધી શિવ સેનાને હળાહળ કોમવાદી પક્ષ માનતી હતી તે નહેરુવીયન કોંગ્રેસ, સત્તા માટે તેની સાથે જોડાણ કરે છે.

યહ તો હોના હી થા

શિવસેનાને જન્મ આપનાર તો કોંગ્રેસ જ હતી. મજદુર યુનીયનો ઉપરની સામ્યવાદીઓની પકડને તોડવા, નહેરુવીયન કોંગ્રેસે જ ક્ષેત્રવાદ અને ભાષાવાદને ઉત્તેજન આપવા શિવસેનાને જન્મ આપ્યો હતો. જ્યારે જ્યારે નહેરુવીયન કોંગ્રેસને જરુર પડી ત્યારે શિવસેનારુપી ગર્દભે તેને દોડીને મદદ કરી જ છે. એટલે ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ દૂધથી ધોયેલી તો શું, ગંદા પાણીથી ય નહી, પણ ગટરના ઘટ્ટ પાણીથી ખરડાયેલી છે.

નહેરુવીયન કોંગ્રેસને, તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષ, અને મોટા ભાગના મૂર્ધન્યો સહિત, કોઈને ખબર નથી કે લોકશાહી માર્ગ એટલે શું? ગાંધીવાદી માર્ગ એટલે શું?

રાજમોહન ગાંધી શું કહે છે?

રાજમોહન ગાંધી કોણ છે?

રાજમોહન ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર છે. હવે તેઓશ્રી એક મહાનુભાવના પૌત્ર થયા એટલે તેઓશ્રી બોલે તો વજન તો પડે જ. તેઓશ્રીએ કહ્યું કે ગાંધીજી “હેટ નોટ” નું મહત્વ સમજાવવામાં નિસ્ફળ ગયા હતા. “ફિયર નોટ” સમજાવવામાં સફળ થયા હતા.

કોઈ વ્યક્તિ, જો કોઈ મહાપુરુષ વિષે કોઈક બાબતમાં બોલે તો તે કંઈક અંશે સાપેક્ષે વધુ અસરકારક બને. તેમાં પણ જો તે વ્યક્તિ, જે તે મહાપુરુષનો નજદીકી સંબંધ ધરાવતો હોય તો તો તેના બોલનું વજન પડે જ પડે. વળી તે વ્યક્તિ જો નકારાત્મક બોલે, તો તે, ખાસ સમાચારનું હેડીંગ બને.

હેટ નોટ અને ફિયર નોટમાં વધુ ઉચ્ચ સ્તરે શું છે?

બેશક “હેટ નોટ”નું સ્તર વધુ ઉચ્ચ છે. અને આ સ્તરે તો સ્થિતપ્રજ્ઞ જ જઈ શકે. આ સ્તરે સમજાવવામાં તો રામથી શરુ કરી કૃષ્ણ સહિતના, બુદ્ધ અને મહાવીર પણ નિસ્ફળ ગયેલ એટલે ગાંધીને જ નિસ્ફળ માનવા તે અપ્રસ્તુત છે.

“ફિયર નોટ” એ બે વ્યક્તિ, કે એક જુથ અને એક વ્યક્તિ, કે બે જુથ વચ્ચેની, માનસિકતાના સ્તર ઉપર અવલંબે છે. “ફીયર-લેસ વ્યક્તિની વ્યાખ્યા નારાયણભાઈ દેસાઈએ આમ કરી છે. “જે વ્યક્તિ કોઈથી ડરે નહીં, અને કોઈ આ વ્યક્તિથી ડરે નહીં”.

કોઈ વ્યક્તિ ગાંધીજીને પ્રશ્ન કરવાથી ડરતું ન હતું. પણ અઘટિત કામ કરવામાં, વ્યક્તિને, ગાંધીજી નો ડર લાગતો હતો. આ એક નૈતિક ડર હતો. તે આવશ્યક છે. આચાર્યનું (ઋષિઓનું) શાસન એ અનુશાસન છે.

“ફિયર નોટ” એ ગાંધીજીના અંતેવાસીઓ માટે અને  વિચારકો માટે લાગુ પડતું હતું. પણ જીન્ના જેવા, ગાંધી વિરોધીઓને લાગુ પડતું ન હતું. કારણ કે તેઓ ગાંધીજીને ઓળઘોળ કરીને હિન્દુઓના નેતા જ માનતા હતા./હાજી જેમ અત્યારે નરેન્દ્ર મોદીને, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ હિન્દુવાદી ખપાવે છે તેમ જ. જીન્ના અને મોદી વિરોધીઓની ભાષા એક જ છે.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

મોદીના વિરોધીઓ મોદીથી “ફિયર નોટ” છે. તેમને, મોદીને પણ હિન્દુઓના નેતા જ માનવામાં અને મનાવવામાં, ડર લાગતો નથી. હાજી કેટલાક પ્રચ્છન્ન વિરોધીઓ પણ છે કે જેમને મોદીને હિન્દુઓના નેતા માનવામાં અને મનાવવામાં ડર લાગતો નથી. મોદી તો સત્તા ઉપર છે અને આવા જુથના હિટલર પણ છે છતાં પણ તેમને ડર લાગતો નથી. શું આ વિરોધાભાસ નથી?

“ભારત પ્રથમ હિન્દુઓનો દેશ છે, અને રાષ્ટ્રીય ઓળખ કોઈ ખાસ ધર્મ અને વંશ ઉપર આધારિત હોવી જોઇએ. એમ ‘કેટલાક’ માને છે.” એમ શ્રી રાજ મોહન ગાંધી માને છે. અને એને નકારે છે.

આવી માન્યતા જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જનતા એવો જ સંદેશ ગ્રહે છે કે આ વાત આરએસએસ અને બીજેપીને લાગુ પડે છે અને તેમણે આમાંથી શિખ લેવાની છે, એવી રાજમોહન ગાંધીની મંછા છે.

એક સમય હતો કે જ્યારે આર.એસ.એસ./બીજેપી (જનસંઘ) તેઓ હિંદુ(ધર્મ)વાદી હતા. કારણકે તેમનો જન્મ, હિન્દુઓ ઉપર થતા હિંસક પ્રહારના આઘાતના,  પ્રત્યાઘાતના રુપમાં થયો હતો. પણ તે પછી તો ગંગા-જમનામાં ઘણા પાણી વહી ગયાં. ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણે પણ આર.એસ.એસ./જનસંઘને પોંખ્યા હતા.

ઘણા જુથો છે કે જેઓ અ-ગાંધીવાદી હોવા છતાં અને આચારે તદ્‌ન અ-ગાંધીવાદી હોવા છતાં, તેમણે પોતાનું આર.એસ.એસ./બીજેપી પરત્વેના વિરોધનું સહગાન પૂર્વવત ચાલુ રાખ્યું છે.

ઉપરોક્ત સહગાન/વિચારોનું વરણાગીપણું દશકાઓથી ચાલ્યું આવે છે. પણ આ વરણાગીપણાને પુરસ્કૃત કરનારાઓ, ગાંધી વિચારધારાથી ઉંધી દીશામાં જનારાઓ વિષે લગભગ મૌન જ રહે છે. ખચીત રીતે જ આમાં લઘુમતિ એટલે કે મુસ્લિમ પણ છે. આ મુસ્લિમ લઘુમતિએ પોતાનો ઇન્ડિયન મુસ્લિમ લીગ પક્ષ ચાલુ રાખ્યો, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાન નેતાઓએ પાકિસ્તાનમાં પાકિસ્તાની રાષ્ટ્રીય કોંગ્રેસ ચાલુ રાખી નહીં કારણકે આ નેતાઓ તેમના કહેવા પ્રમાણે પોતાના પ્રાણોની રક્ષા કાજે ભારતમાં નાશી આવ્યા. ગાંધીજીએ આ કોંગ્રેસીઓને ઠીક ઠીક ઠપકો આપેલ … “તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જરુર પડી ત્યારે તમને મરતાં ન આવડ્યું. તમે તો ડરપોકની જેમ અહીં જીવ બચાવવા ભાગી આવ્યા. જો તમે મરી ગયા હોત તો હું ખૂબ ખુશ થાત. એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ નાચત … ખુબ નાચત … ખુબ નાચત.”

ગાંધીજીએ પોતે કબુલ કરેલી કોંગીઓની નિસ્ફળતા આ હતી. પણ આ ગાંધીજીની નિસ્ફળતા ન હતી. ગાંધીજી તો દિલ્લી શાંત થાય એટલે પાકિસ્તાન જવાના જ હતા. વાસ્તવમાં તો કોંગ્રેસના શિર્ષ નેતાઓની “ફિયર નોટ”ની નિસ્ફળતા હતી. મોટા નામ હેઠળ છુપાયેલું આ તેમનું વામનપણું હતું. આવું અને આથી પણ વિશેષ કોંગીનેતાઓનું વામનપણું આપણને સ્વતાંત્ર્ય પ્રાપ્તિ પછી અવારનવાર જોવા મળ્યું છે. પોતાના વ્યક્તિગત કે પક્ષીય સ્વાર્થ માટે કોંગી નેતાઓ દેશને ધરાશાયી કરવા હમેશા તૈયાર જ હોય છે./મહાત્મા ગાંધીએ મુસ્લિમોની કે એમના નેતાઓની ક્યારેય તરફદારી કરી નથી. જો કોઈને ખબર ન હોય તો તેના હજાર દાખલા છે. “દિલ્લીમેં ગાંધીજી ભાગ-૧ અને ભાગ-૨” વાંચો. પણ કોંગીનેતાગણનો એક પણ માઈનો લાલ નિકળશે નહીં કે જે આ પુસ્તક વાંચે. કારણકે તેને દેશહિતની ક્યાં પડી છે!

નાગરિકતા સુધારણા કાયદોઃ

cartoonists’ curtsy

હાલમાં જે હિંસાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને માટે જવાબદાર કોંગીનેતાઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ છે. આ વાત દિવા જેવી સ્પષ્ટ છે. કારણ કે આ કાયદામાં વિરોધને કોઈ અવકાશ નથી.

જે કર્તવ્ય પ્રત્યે કોંગી-સરકારે ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી પ્રમાદ કર્યો હતો તે અધુરું કામ બીજેપી સરકારે પુરું કર્યું. બીજેપીને બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારે તેણે પોતાની ફરજ બજાવી. કોંગીનેતાઓ પોતે કરેલા પ્રમાદને ધર્મનિરપેક્ષતાના વાઘા પહેરાવી, ભારતીય મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમો અને તેમના કેટલાક નેતાઓ પણ અભણ અથવા/અને અસામાજિક તત્ત્વોનો સાથ લઈ હિંસા ઉપર ઉતરી આવે છે.

નહેરુ-લિયાકત અલી કરાર

કોંગીનેતાઓ પોતે જ અભણ અને અસંસ્કારી જેવું વર્તન કરે છે. કોંગીનેતાઓએ નહેરુ લિયાકત અલી સમજુતી વાંચવી જોઇએ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે પાકિસ્તાન પોતાની લઘુમતિ કોમોને સુરક્ષા પ્રદાન કરશે. અને તેમાં જો પાકિસ્તાનની સરકાર કોઈ પણ કારણસર નિસ્ફળ જશે તો ભારત સરકાર તે લઘુમતિને આશ્રય અને નાગરિકતા આપશે. આ જોગવાઈ ભારતને પણ લાગુ પડે છે. પણ ભારતમાં મુસ્લિમો અતિસુરક્ષિત છે.

તમે જુઓ છો કે ભારતની જનતાએ મુસ્લિમોને સુરક્ષિત રાખ્યા છે. આને સિદ્ધ કરવાની જરુર નથી. આ સત્ય ૧૯૫૧ની જનગણના અને ૨૦૧૧ની જનગણના જ સિદ્ધ કરે છે. આનાથી ઉલ્ટું પાકિસ્તાન અને બંગ્લાદેશ પોતાને ત્યાં રહેલી લઘુમતિને સુરક્ષા આપી શક્યા નથી.

કોંગીનેતાગણ, તેમના સાંસ્કૃતિક સાથીઓ સહિત, અને મુસ્લિમો નેતાઓ સહિત, જાણીજોઈને મુસ્લિમોને અને પોતે પણ ભ્રમમાં રહેવા માગે છે, અથવા એવો ઢોંગ કરે છે. કોંગી નેતાગણ ઉપર તો ન્યાયિક કાર્યવાહી કરવી જોઇએ. અફવા ફેલાવવી અને હિંસા માટે મુસ્લિમોને ઉશ્કેરવા તે ગેર બંધારણીય છે, અને ગુનો પણ બને છે.

કોંગીનેતાઓના પેટમાં શું છે?

કોંગી સરકારોએ ખંધાઇપૂર્વક દશકાઓ સુધી સમસ્યાઓને અનિર્ણિત રાખેલી, તે સમસ્યાઓને બીજેપીએ ઉકેલી છે. કોંગી સરકારનું વલણ અનૈતિક અને જનતંત્રની વિરુદ્ધ હતું. પણ નહેરુથી શરુ કરી ઇન્દિરા સહિતની, અને સોનિયા-મનમોહન સરકારોને આવી અનિર્ણાયકતાનો છોછ નથી. પછી તે, પાકિસ્તાન હસ્તક રહેલો જમ્મુ-કાશ્મિરના હિસ્સા ઉપર  યુનોના ઠરાવનો અમલ હોય, કે અલોકતાંત્રિક કલમ ૩૭૦/કલમ ૩૫એ હોય, કે નહેરુ-લિયાકત અલી સમજુતીનો અમલ હોય, કે સંસદ સામે ચીનસાથેના યુદ્ધમાં ૭૧૦૦૦ ચોરસ માઈલ ભારતીય ભૂમિ પાછી લેવાની હોય, કે ઇન્દિરાએ લીધેલી એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલવાની પ્રતિજ્ઞા હોય કે, ભારતીય બંધારણને સુરક્ષા આપવાની વાત હોય કે, મુસ્લિમ સ્ત્રીઓને માનવીય અધિકાર આપવાનો મુદ્દો હોય, કે આતંકવાદી આક્રમણ નો ઉત્તર આપવાની વાત હોય કે જનતાની ગરીબી હટાવવાની વાત હોય, કે ભ્રષ્ટાચાર હઠાવવા માટે ફુલપ્રુફ સીસ્ટમ બનાવવાની વાત હોય … આ બધું જ અવગણી શકાય છે. કારણ કે કોંગીનેતાઓનું એકમાત્ર ધ્યેય, દેશના કોઈપણ ભોગે, સત્તા પ્રાપ્ત કરો અને લૂટ ચલાવો. અને આમ કરવા માટે વોટબેંક બનાવો./કરમની કઠણાઈ અને કોંગીની વિચારધારા/

કોંગીનેતાઓ માટે કરમની કઠણાઈ એ થઈ કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં તે કેન્દ્રમાં ચૂંટણી હારી ગઈ. હવે સત્તા પાછી કેવી રીતે મેળવવી?/અરે ભાઈ, આપણે કોંગી છીએ. માન ન માન આપણી પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર છે, ભલે આપણા આચાર તદ્‌ન ભીન્ન હોય. આપણને સાધન-અશુદ્ધીનો કશો છોછ નથી. આપણા વિરોધીઓને કોઈપણ ગાળ આપવી અને તેમની ઉપર કોઈ પણ આરોપ મુકવો એ આપણી ગળથુથીમાં છે. માટે આપણે આપણા એજન્ડા ને આગળ ચલાવો.

“આ મોદી સરકાર, પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓની જ ચિંતા કરે તે ન ચાલે. ભલે તેઓ પાકિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડિત થયેલા હોય અને ઘરબાર છોડી અહીં શરણાર્થી થયેલા હોય. તમે તેમને નાગરિકતા બક્ષો એ ન ચાલે.

“પાકિસ્તાનમાં તો આતંકવાદી મુસ્લિમો પણ લઘુમતિમાં છે. ભલે મુસ્લિમ લોકો પાકિસ્તાનમાં બહુમતિમાં હોય. આ બહુમતિ આતંકવાદમાં સક્રિય નથી એટલે સક્રિય આતંકવાદીઓ પણ લઘુમતિમાં જ ગણાવા જોઇએ. જુઓને હાફિજ઼ મહમ્મદ સઈદનો પક્ષ પાકિસ્તાનની ચૂંટણીમાં હારી ગયો એટલે તેનો પક્ષ બહુમતિમાં તો કહેવાય જ નહીં. આવા તો અનેક પક્ષો છે, જે બધા જ લઘુમતિમાં છે. જો આ બધા બહુમતિમાં હોત તો તેઓ પોતેજ સરકાર ચલાવતા ન હોત શું? તેઓ પોતે સરકાર ચલાવતા નથી એટલે સિદ્ધ થાય છે કે તેઓ લઘુમતિમાં જ છે.

“બીજેપી વાળા અક્કલ માં ઝીરો છે. તેઓ લઘુમતિ એટલે શું, એ સમજ઼તા જ નથી. ધર્મના આધારે તેઓ પાકિસ્તાનને પણ છોડતા નથી.

આ બીજેપી વાળા તો પાકિસ્તાનની પ્રજાની અંદર પણ તેઓને ધાર્મિક આધાર પર ભેદભાવ ઉત્પન્ન કરવા માગે છે. આ રીતે પાકિસ્તાનના નાગરિકોને ધર્મના આધાર પર ઓળખવા તે શું આપણા જનતંત્રને શોભે ખરું?

“માટે ભારતના અને પાકિસ્તાનના હે મુસ્લિમો, અમે તમારી સાથે છીએ. એક વખત તો તમારી શક્તિ, બીજેપી સરકારને બતાવી દો. અમે તમને માર્ગદર્શન આપીશું કે તમારે (દેશમાં આગ લગાવવાની) તમારી શક્તિ ક્યારે ક્યારે બતાવવાની છે. અમે તમારી કોમવાદી અને અસામાજિક શક્તિઓને ખીલવતા આવ્યા છીએ, અને હિન્દુઓને તેમના માનવ અધિકારોથી તમારા થકી વંચિત રાખતા આવ્યા છીએ તે તમે સુપેરે જાણો જ છો.

“હિન્દુઓ તમારી એક મસ્જીદ તોડે અને તેના પ્રત્યાઘાતમાં કે પ્રત્યાઘાત વગર પણ તમે હજાર મંદિર તોડો તો કોઈની મજાલ છે કે તમને કોઈ નોન-સેક્યુલર કહી શકે? હિન્દુઓએ તોડી પાડેલી એક મસ્જિદના વિરોધમાં તો અમે તેમને બતાવી દઈએ કે કેટલી વિશે સો થાય છે.

“હે મુસ્લિમ ભાઈઓ, અમે તો તમારા ગુન્ડાઓની પણ વહારે આવીએ. ગુન્ડાઓ જ નહીં આતંકવાદીઓની વહારે પણ આવીએ છીએ, અને તેમના માનવ અધિકારની સુરક્ષા માટે અમે તત્પર હોઇએ છીએ. તમારા આતંકવાદીઓને ભૂલે ચૂકે ભારત સરકારે પકડ્યા હોય તો અમે અમારા ગૃહમંત્રીના લોહીના સગાંઓનું અપહરણનું નાટક કરાવી, બદલામાં તમારા રકમબંધ આતંકવાદીઓને છોડાવીએ. મુફ્તિ મહંમદ સઈદનો જ દાખલો લો ને!

“આ બધી વાતો તો તમે જાણો જ છો. હા પણ, અમે આ બધું ત્યારે જ કરી શકીએ જ્યારે તમે અમને સત્તા પર રાખો.

“હે મુસ્લિમ ભાઈઓ, કેટલાક સુજ્ઞ મુસ્લિમ ભાઈઓ, તમારા વિરોધનો વિરોધ કરશે. પણ તમારે તેમને ગણકારવાના નથી. અમે તમારી સાથે છીએ. તમારે દશ હિંસક વિરોધ કરવાની સાથે એક શાંત વિરોધ પણ કરવો. જો કે નહીં કરો તો પણ ચાલશે. અમે કહીશું કે સરકારની પોલીસે શાંત વિરોધકર્તાઓ પર દમનનો કોરડો વીંઝ્યો છે. લઘુમતિઓના અવાજને રુંધ્યો છે. લઘુમતિઓના બંધારણીય અધિકારોને સરકારે નકાર્યા છે. બીજેપી સરકારે બંધારણનું ખૂન કર્યું છે. આ સરકાર નાઝીવાદી છે. અમે યુનોમાં આ સરકારને પડકારીશું.

“હે મુસ્લિમ બંધુઓ, તમે યાદ રાખો કે તમે પણ જેવા તેવા નથી. ચંગીજ઼ખાન, તૈમૂર, મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગજ઼નવી … વિગેરે અનેક મહાનુભાવોના સંતાન છો. વારસદાર છો.

મુસ્લિમોને કશું મોળું ખપે

“હે મુસ્લિમ બંધુઓ, અમે જાણીએ છીએ કે તમને કશું મોળું ન ખપે. તમે નાના પાયે કશું કરવામાં માનતા નથી. અમે તમને આ વાત જ શિખવી છે. તમારે તો આખા રેલ્વેના ડબાને બાળવાનો હોય છે.  તમે હજારો કાશ્મિરી હિન્દુઓની કત્લ કરો, હાજારો કશ્મિરી હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટો, અને પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓને ખૂલ્લંખૂલ્લી બિન્ધાસ્ત ધમકીઓ આપી તેમના ઘરોમાંથી તગેડી મુકો, અને દશકાઓ સુધી તેમને નિરાશ્રિત રાખો, તો પણ તેમાંના એક પણ હિન્દુની મજાલ છે કે તે આતંકવાદી બને? એટલું જ નહીં દેશના એક અબજ હિન્દુઓમાં પણ એક પણ આતંકવાદી ન પાકે એવો અમારો કડપ છે. અરે! એટલું જ નહીં, હિન્દુઓ આતંકવાદી ન હોય તો પણ અમે આ હિન્દુઓ વિષે “હિન્દુ આતંકવાદ”થી ભારતને બચાવો એવી કાગારોળ અને ઘોષણાઓ દેશ વિદેશમાં કર્યા કરીએ છીએ. હે મુસ્લિમ બંધુઓ, તમને અમારા જેવા (ખાવિંદ, હમસફર) મળવા અશક્ય છે. આ વાત તમે મહેસુસ કરો.

“હે મુસ્લિમ બંધુઓ, તમે એક કશ્મિરમાં જ હિન્દુઓને હતા ન હતા કરી શકો એટલું પુરતું છે એમ ન માનતા. અમે તમને ભારતમાં છૂટક છૂટક અનેક છોટે કાશ્મિર બનાવવાની છૂટ આપી છે અને તમને એનો લાભ લેવા સશક્ત કર્યા છે. એટલે તમે બેફામ બનો. તમે રેલ્વેના પાટા ઉખેડો, બસો બાળો, વાહનો બાળો, પોલીસ ચોકીઓ બાળો, પોલીસો અને સુરક્ષા દળો ઉપર પત્થર મારો કરો … આખા દેશમાં હા હા કાર મચાવી દો. એટલે દુનિયાને પણ ખબર પડશે કે આ બીજેપી સરકારે કંઇક તો એવું કર્યું છે કે જે આ શાંત, અમન પ્રિય, સાચાબોલી અને ઇમાનદાર ધર્મ પાલન કરનારી મુસ્લિમ પ્રજા વિરુદ્ધ છે. અને તેથી જ તો તે ન્યાયની યાચના માટે રસ્તા ઉપર આવી ગઈ છે.”

તડ અને ફડ વાળા

કેટલાક તડ અને ફડ વાળા મૂર્ધન્યો પોતે તટસ્થ છે, તે બતાવવાની ઘેલછામાં નાગરિકતા સંશોધન કાયદાને (સી.એ.એ.)ને અ-જનતાંત્રિક અને ભારતીય સંવિધાનની બિનસાંપ્રદાયિક જોગવાઈના હનન તરીકે ઠેરવે છે. જો સાચેસાચ આમ જ હોય તો તેમણે “નહેરુ-લિયાકત અલી સમજુતી”ને પણ સાંપ્રદાયિક ગણાવવી જોઇએ. એટલે કે નહેરુની ઉપર આ સમજુતીનો આધાર લઈ માછલાં ધોવા જોઇએ. પણ આ ઘેલા લોકોમાં આ હિમત નથી. અથવા તો તેમની સ્મૃતિમાંથી આ ઘટનાનો લોપ થયો છે. જો આવું ન હોય તો તેમની દૃષ્ટિએ કરાર કરવો અને પછી ભૂલી જવો તે સેક્યુલર છે. પણ તે કરારનો અમલ કરવો તે એક દુષ્કૃત્ય છે અને અક્ષમ્ય છૅ. એટલે કે નહેરુ અને લિયાકત અલી વચ્ચે કરાર થયો તે વાત તો ઠીક છે મારા ભાઈ. નહેરુ/ઇન્દિરાએ તે કરારની રુએ પ્રતાડિત હિન્દુઓની તરફમાં પગલાં લેવામાં પ્રમાદ કર્યો તે માટે તેમને ધન્ય છે. અને લિયાકત અલીએ કે તેમના અનુગામીઓએ તો હિન્દુઓની સુરક્ષા પણ ન કરી. તેથી તે સૌ નેતાઓને સલામ છે. આ મૂર્ધન્યોની વક્રતા જુઓ. મોદીને કોઈ પણ તાર્કિક આધાર વગર કોમવાદી, નાઝીવાદી કહેશે, પણ જે નહેરુએ કાશ્મિરમાં બિનલોકશાહીયુક્ત કલમ ૩૭૦/૩૫એ, દાખલ કરી તે વિષે મૌન રહેશે. વળી તેઓ, કાશ્મિરની સ્વાયત્તતા નરેન્દ્ર મોદીએ નષ્ટ કરી તેમ કુદી કુદીને કહેશે. ૧૯૪૮માં જમ્મુ કાશ્મિર ઉપર યુનોએ ઠરાવ પાસ કર્યો, પણ તેના અમલ માટે નહેરુએ પાકિસ્તાન ઉપર દબાણ ન કર્યું. નહેરુવંશવાદીઓના આવા તો અગણિત પ્રમાદો ઇતિહાસના પર્ણો ઉપર લખાયેલા છે.

દરેક દેશનું કર્તવ્ય છે અને તે પણ જનતાંત્રિક રાષ્ટ્રો માટે તો ખાસ, કે પોતાના નગરિકોની નોંધ રાખે. જો આવું તે ન કરે તો લાંબે ગાળે દેશ ઘુસણખોરોથી ખદબદવા લાગે. દરેક રાષ્ટ્ર આવી નોંધણી રાખે છે. વળી ભારતમાં તો સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ કર્યો છે. નહેરુવંશવાદી સરકારોએ કદી ન્યાયિક આદેશોને ગંભીરતાથી લીધા જ નથી. તેના અનેક ઉદાહરનો નોંધાયેલા છે. આ પણ એક પ્રમાદમાં ભૂલાયેલો આદેશ છે./આપણા મૂર્ધન્યોને બીજેપી જેવી પ્રતિબદ્ધ સરકાર પસંદ નથી. આપણા મૂર્ધન્યોને તો કોંગી જેવી એદી સરકાર જ પસંદ પડે છે. વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડમાં ૪૦ કરોડ રુપીયા, મીડીયાનું મોં બંધ રાખવા આપ્યા હતા. આ શું દર્શાવે છે? જોકે કેટલાક મૂર્ધન્યોને પાઈ પણ નહીં મળી હોય પણ આવા મૂર્ધન્યોને તો આ કૌભાંડોની ખબર પણ નહીં હોય.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અમદાવાદનું નામ બદલવું જોઈએ કે નહીં?

અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલે છે.

કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય છે. એટલે કે કોઈ પણ કારણ તો બતાવવું જ પડે.

અમદાવાદના નામ બદલવાનો વિરોધ પણ થતો હોય તો પછી નામ બદલવા પાછળનું ઔચિત્ય સિદ્ધ કરવું પડે.

નામ ક્યારે બદલી શકાય?

Untitled02

(૧) નામ અપભ્રંશવાળું હોય અને ક્લિષ્ટ હોય.

(૨) નામનો ઉચ્ચાર સ્થાનિક લોકો અમુકરીતે કરતા હોય પણ બહારના લોકો તેનો ઉચ્ચાર ભીન્ન રીતે કરતા હોય અને લખતા પણ ભીન્ન રીતે હોય.

(૩) જ્યાં સુધી ગામનું નામ બદલવાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે ગામની સ્થાપના જે વ્યક્તિએ કરી હોય તે અને અથવા તે વ્યક્તિના નામને અમર રાખવા અને અથવા તે વ્યક્તિનું બહુમાન કરવા, તે વ્યક્તિના નામ ઉપરથી ગામનું નામ રાખવામાં આવ્યું હોય પણ પછી કાળાંતરે એમ લાગે કે એ વ્યક્તિનું આવું બહુમાન કરવું આવશ્યક નથી, માટે નામ બદલવામાં આવે.

(૪) ઉપર (૩)માં દર્શાવેલ વ્યક્તિ કરતાં “બીજી વ્યક્તિ કે જે તે સ્થળ ઉપર વસેલા ગામ માટે વધુ યોગ્ય છે,” તો તે આધારે નામ બદલવામાં આવે.

(૫) આપણા હાથમાં સત્તા છે અને (૩)માં નિર્દેશિત વ્યક્તિ આપણને પસંદ નથી માટે તે નામ બદલીને બીજું નામ રાખો.

(૬) ફલાણા લોકોએ નામ બદલ્યાં છે માટે આપણે પણ ગામનું નામ બદલો.

(૭) ફલાણો દેશ આપણો દુશ્મન છે અને તેણે આપણી સંસ્કૃતિના મહાનુભાવોના નામ ઉપરથી તેમના દેશમાં જે ગામોના નામો હતા તેને બદલ્યા છે એટલે તેની પ્રતિક્રિયા આપવા માટે આપણે પણ આપણા ગામના જે તે લાગુ પડતા નામો બદલો.

(૮) આપણે કશુંક કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરવા નામ બદલો.

આટલા કારણો ગામનું નામ બદલવા માટે હોઈ શકે. એક કરતાં વધુ કારણ પણ હોઈ શકે.

અમદાવાદ વિષે શું પરિસ્થિતિ છે?

અમદાવાદના નામ પરિવર્તન માટેની પાર્શ્વ ભૂમિકાઃ

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. કેટલાક મુસ્લિમો અને તેમના નેતાઓએ કહ્યું કે અમે હિન્દુ બહુમતિવાળા દેશમાં સુખી થઈ શકીશું નહીં અને હિન્દુ બહુમતિ અમને અન્યાય કરશે એટલે અમારે જુદો દેશ જોઇએ છીએ. અંગ્રેજોએ કહ્યું અમે મુસ્લિમોના હિતનો ઈજારો લીધો છે એટલે અમારે તેમની સુખાકારી જોવી જોઇએ. એટલે અમે દેશના ભાગલા પાડીશું. જો તમે આ સ્વિકારશો નહીં તો અમે તમને સ્વતંત્ર નહીં કરીએ. આ દરમ્યાન મુસ્લિમો હિંસક બન્યા. ગાંધીજીએ કહ્યું કે “હું તો આ હિંસા અટકાવવા માટે સમર્થ નથી.” …. સૌએ દેશના ભગાલાના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો.

 અંગ્રેજોએ મતદાન કરાવ્યું અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારો પાકિસ્તાન બન્યા. બાકી રહ્યું તે ભારત બન્યું. આ આખી પ્રક્રિયા દરમ્યાન હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દુશ્મનો બની ગયા. આમાં અંગ્રેજોએ અને તેમણે રચિત ઇતિહાસે ઠીક ઠીક ભાગ ભજવ્યો.

મુસ્લિમો તો ભારતમાં ઠેર ઠેર પથારાયેલા હતા. પાકિસ્તાન ગયેલા મુસ્લિમો કરતાં ભારતમાં મુસ્લિમો વધુ હતા અને રહ્યા. અને કારણ કે કોંગ્રેસના નેતા નહેરુ અંગ્રેજ સંસ્કૃતિના ચાહક હતા તેમણે અંગ્રેજો દ્વારા સ્થપાયેલ શિક્ષણ પ્રણાલી ચાલુ રાખી અને તેને જ માન્યતા આપી. અને કેટલાક એવા પગલાં લીધાં કે જેથી ભારતમાં રહેલા મુસ્લિમોને લાગ્યું કે આપણે હિન્દુઓથી સાચે જ જુદા છીએ. અને પાકિસ્તાનને એમ લાગ્યું કે ભારત આપણું દુશ્મન નંબર એક છે.

 પાકિસ્તાને ભારત ઉપર અવાર નવાર જુદી જુદી રીતે અને કારણ/ણોસર ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ આક્રમણ કર્યાં. આ બધા આક્રમણોથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય વધતું ગયું. ભારતમાં કેટલાક મુસ્લિમ નેતાઓ એવા પાક્યા કે તેઓ ધર્મના આધારે વધુને વધુ માગણીઓ કરવા માંડ્યા. જે વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતિમાં હતા તેમની ઉપર તેઓ અત્યાચાર પણ કરવા માંડ્યા અને તેમને બીજે ખદેડવા માંડ્યા. કોંગ્રેસે મુસ્લિમોને મતબેંક બનાવીને તેમના અત્યાચારો પ્રત્યે હમેશા  આંખ આડા કાન કર્યા. આવું બધું ૧૯૪૭ પહેલાંથી ચાલ્યું આવતું હતું પણ ૧૯૪૭ પછી તેમાં વેગ આવ્યો.

મુસ્લિમો જ્યાં બહુમતિમાં હતા ત્યાં તો તેઓએ આડેધડ, ગામ અને સ્થળોના હિન્દુ નામોને બદલે મુસ્લિમ નામો રાખી લીધા. એટલું જ નહીં પણ ભારતમાં પણ જ્યાં તેઓ બહુમતિમાં હતા ત્યાં પણ તેઓએ ઐતિહાસિક સ્થળોના પણ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.  હિન્દુઓએ મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો હોય તેવા ઉલ્લેખો ઇતિહાસમાં નથી તો પણ મુસ્લિમોએ સ્થળોનું અને ગામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.

દરેક પ્રજાની સહનશીલતાની એક સીમા હોય છે. આ કારણથી અને નહેરુવીયન કોંગ્રેસી સરકારોએ મુસ્લિમતૂષ્ટીકરણનું રાજકારણ અપનાવ્યું હોવાથી હિન્દુઓમાં પ્રતિકાર વૃત્તિ જન્મી છે.

આવા સંજોગામાં સ્થળોનું અને ગામોનું નામ પરિવર્તન યોગ્ય ખરું?

અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો. ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. એટલે તે પોતાનો ઇતિહાસ ન રાખે તે ગધેડાને તાવ આવવા જેવી વાત છે. પણ માનસિક રીતે ગુલામ બની જાય એવો એક વર્ગ તમે ઉત્પન્ન કરો અને તેના હાથમાં બધી સત્તા આપો ત્યારે તે તમે જે પઢાવો તે પઢે. અને જો તમે સમાચાર માધ્યમો તમારે હસ્તક રાખ્યા હોય અથવા આવા પઢાવેલા પોપટોને હસ્તક રાખ્યા હોય, અને જો કોઈ તમારા પઢાવ્યાથી વિરુદ્ધ બોલે તો તમે એને મજાક પાત્ર બનાવો અને તેને કૉડીનો કરી દો. આમ કરવાથી આવો વ્યક્તિ અવરોધાય તો ખરો જ.

આ ઉપરાંત એક બીજી વાત પણ છે.

અંગ્રેજોએ ઇતિહાસ લખ્યો તે ખરું. પણ તેમણે તે તદન ખોટો પણ લખ્યો નથી. અમુક વાતો મહત્ત્વની હતી અને અમુક વાતો મહત્ત્વ ન હતી. તેમણે ઇતિહાસ લખવામાં પ્રમાણ ભાન ન રાખ્યું. અને તેમણે તેમના લાંબા ગાળાના હેતુઓ બર આવે તે રીતે ઇતિહાસ લખ્યો.

ભારતની સંસ્કૃતિ દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની હતી.

Untitled01

મુસ્લિમ રાજાઓ ભારત ઉપર આક્રમણ કરતા રહ્યા અને ક્યારેક હારતા પણ રહ્યા અને ક્યારેક જીતતા પણ રહ્યા. ૬૦૦ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમ્યાન તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની ગાઢ અસર થઈ. મોગલ સામ્રાજ્ય એક એવું મુસ્લિમ સામ્રાજ્ય થયું કે જેણે એક ટૂંકા ગાળા પૂરતો,, પણ મોટા ભાગના ભારતના હિસ્સા ઉપર કબજો મેળવ્યો. અકબરે જોયું કે ભારત ઉપર રાજ કરવું હશે તો હિન્દુઓ સાથે તાલમેલ રાખીને જ આ કામ થઈ શકશે. શાહજહાં અને  ઔરંગઝેબ જરા જુદા નિકળ્યા અને તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા તો ઔરંગઝેબનું સામ્રાજ્ય તેના અંત સમયે ભંગાણને આરે આવી પડ્યું. મરાઠાઓએ કબજો લીધો. પણ તેમાંના કેટલાક લૂંટવામાં માનતા હતા અને તેથી બીજા કેટલાક ખંડિયા રાજાઓ અંગ્રેજોની મદદમાં આવ્યા. અને અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. કાળાંતરે ભારતના ખંડિયા રાજાઓને અને ભારતની જનતાને અંગ્રેજોની વટાળ પ્રવૃત્તિઓથી એવું  લાગ્યું કે મોગલો સારા હતા. એટલે ૧૮૫૭માં અંગ્રેજ સરકાર સામે બળવો  થયો. એવું નક્કી થયું કે મોગલ સામ્રાટ બહાદુર શાહ જફર કે જેના રાજ્યની સીમા ફક્ત લાલ કિલ્લા પૂરતી હતી, તો પણ તેને સામ્રાટ પદે સ્થાપવો.

ટૂંકમાં તે સમયના જનમાનસ ઉપરથી એવું ફલિત થતું હતું કે સરવાળો કરીને જોઇએ તો, ટીપુ સુલતાન, મહમ્મદ તઘલખ, ઘોરી, શાહ જહાં, ઔરંગઝેબ ના અત્યાચારો ને લક્ષમાં લઈએ તો પણ મુસલમાનોમાં શેરશાહ સુરી, અહમદશાહ, મહમદ બેઘડો, હૈદર અલી, અકબર, જહાંગીર વિગેરેની સારપને લક્ષમાં લઈએ તો મુસ્લિમો એટલે કે મુગલો સારા હતા.

અંગ્રેજોએ આ માનસિકતા જાણી અને તેથી કરીને ૧૮૫૭ના ભારતીયોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીત મેળવ્યા પછી, ભારતીયોમાં મુસ્લિમ અને બીન-મુસ્લિમ એવા ભાગલા પડાવવાની પ્રક્રિયા ચાલુ કરી. અને તેમાં તે સફળ રહ્યા.   

 જો અંગ્રેજો ૧૮૫૭માં હારી ગયા હોત તો ભારતમાં એક ભારતીય સમવાય તંત્ર હોત અને સમગ્ર મુસ્લિમ સમાજ, શક, પહલવ, હૂણ, પારસીઓની જેમ ભારતીયોમાં અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત.

પણ અંગ્રેજોએ જે વિભાજનવાદી નીતિ પ્રયોજી હતી તેને કોંગ્રેસે ચાલુ રાખી. જેમકે નવી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ, બાબર માર્ગ, હુમાયુ માર્ગ, જેવા નામો આપ્યા મુસ્લિમ તૂષ્ટિકરણ ચાલુ રાખ્યું.

હવે અમદાવાદના નામ પરિવર્તન વિષે વિચારીએ;

(૧) અમદાવાદ એ અહમદાબાદનું અપભ્રંશ છે પણ ક્લીષ્ટ નથી.

(૨) બીજા બધા અમદાવાદને ભલે બીજા શુદ્ધ કે અશુદ્ધ નામથી ઓળખતા હોય પણ સરકારે “અમદાવાદ” જે સ્થાનિક લોકો બોલે છે તેને જ માન્ય રાખ્યું છે. કોલકતા અને મુંબઈ વિષે પણ આમ જ છે.

(૩) અમદાવાદ કે જે પહેલાં કોટના વિસ્તાર પુરતું મર્યાદિત હતું તે અહમદશાહ બાદશાહના નામ ઉપરથી પડ્યું છે. હવે કેટલાક લોકોને લાગે છે કે અમદાવાદના અહમદશાહ બાદશાહને માન આપવું જરુરી નથી, તેથી મૂળ અમદાવાદ કે જે કોટની અંદર વસેલું હતું અને હવે ચારે દિશામાં ૨૫ ગણું વધી ગયું છે તેનું નામ બદલવું જોઇએ.

અહમદશાહ બાદશાહે વસાવેલા ગામનું નામ શા માટે બદલવું તે બાબતનો ફોડ કોઈએ પાડ્યો નથી. અહમદશાહ બાદશાહ ક્રૂર હતો કે નહીં અને જો તે ક્રૂર હતો તો તે કેટલો ક્રૂર હતો તેની વિગતો કોઈએ ખૂલ્લી કરી નથી.

(૪) આશાવલ નામના ભીલે આશાવલ વસાવેલું. રાજા કરણદેવે કર્ણાવતી / કર્ણપુર વસાવેલું. પણ સવાલ એ છે કે જે ગામ કોટની અંદર વસેલું હતું તે શું આશાવલ ભીલે કે રાજા કર્ણદેવે વસાવેલું હતું? “આશાવલ”ની સાથે સામ્ય ધરાવતું “અસારવા” સ્થળ મળે છે ખરું. પણ કર્ણપુર કે કર્ણાવતીની સાથે સામ્યતા ધરાવતું કોઈ સ્થળ હોય તો તેની કોઈએ માહિતિ આપી નથી.

(૫), (૬) “આપણા હાથમાં સત્તા છે માટે આ શહેરનું નામ બદલી નાખો”. ફાલાણાએ નામ બદલ્યું એટલે આપણે પણ આ શહેરનું નામ બદલી નાખો તેવા તર્ક માત્રને આધારે નામ બદલવું એ સંસ્કારી પ્રજાને શોભે નહીં.

(૭) આપણો દુશ્મન કે જે મુસ્લિમ દેશ છે, અને તે તેના હિન્દુ શહેરોના નામો બદલી નાખે છે, એટલે તેના વાદે ચડીને આપણે આપણા જે બાદશાહની ક્રૂરતાને જાણતા નથી પણ જેની સારી વાતો આપણા જાણવામાં છે, તેને અવગણીને “કારણ કે તે રાજા મુસલમાન હતો” તે કારણસર આપણે આ શહેરનું નામ બદલી નાખો. આ વાત બરાબર નથી. આવું જો આપણે કરવું જ હોય તો આપણે બધા મુસલમાનોને પાકિસ્તાનમાં મોકલી દેવા જોઇએ. કારણ કે આપણા પાડોશી મુસલમાન દેશે પણ ત્યાંના હિન્દુઓને બળજબરીથી ભારતમાં ધકેલી દીધા હતા અને પછી ગામોના નામો બદલ્યાં હતાં. જેમ પાકિસ્તાનમાં નામ બદલવાની બાબતમાં હિન્દુઓને નાહવા નીચોવવાનું રહ્યું નહીં, તેમ ભારતમાં પણ મુસલમાનોને નાહવા નીચોવવાનું ન રહે.

(૮) આપણે કંઈ ઈન્દિરા  નહેરુગાંધી કોંગ્રેસ પાર્ટી વાળા નથી કે કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા બેંકોંનું રાષ્ટ્રીયકરણ કરીએ, રાજાઓના સાલીયાણા બંધ કરીએ, તેનાથી સો ગણા નાણાં આપણા ચૂંટાયેલા સભ્યોને આપીએ, અને તેમને પેન્શન રુપી સાલીયાણા અને ઘર પણ આપીએ, પારકા પૈસે ખેરાતો કરતા રહીએ અને પોતાની પીઠ થાબડતા રહીએ.

આપણને આવું શોભે નહીં.

Untitled

અરે ભાઈ, અમે એક વાર જીભ કચરી છે, કે અમદાવાદનું અમે નામ બદલીને કર્ણાવતી નામ રાખીશું  તો હવે અમારી આબરુનું શું? અમારા શબ્દોની કંઈ કિમત ખરી કે નહીં?

તો હવે આનો કંઈ રસ્તો ખરો?

આનો ઉપાય તો છે.

તમે નવું પાટનગર વસાવ્યું. તેનું નામ તમે ગાંધીનગર રાખ્યું. વળી તેમાં એક રસ્તાનું નામ ઇન્દિરા ગાંધી રોડ રાખ્યું છે. કોંગીઓ આથી ખુશ છે. કારણ કે તેઓ તો આને ઇન્દિરા ગાંધીનગર જ સમજે છે.

શિવસેના વાળાએ “છત્રપતિ શિવાજી ટર્મીનસ”નું નામ બદલીને “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ” નામ રાખ્યું, તેમ તમે “ગાંધીનગર”નું નામ બદલીને “મહાત્મા ગાંધીનગર” નામ કરો. ભલે કોંગીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય.

આમ કર્યા પછી તમે મહાત્મા ગાંધીનગર અને અમદાવાદને જોડીને એક મહાનગર કરી દો. સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એક નવું સ્ટેશન બનાવો અને તેનું નામ “કર્ણાવતી મહાનગર” રાખો. જેમ લોકો મુંબઈમાં બોલચાલમાં તો શિવાજી ટર્મીનશ જ કહે છે તેમ કર્ણાવતી મહાનગરને પણ લોકો બોલવામાં કર્ણાવતી જ બોલશે. એટલે તમારું કામ થઈ ગયું.

તો પછી “આશાવલ”નું શું?

રેલવે લાઈનના પૂર્વ અમદાવાદના નારોલ જંક્શનને આશાવલ નગર નામ આપી દો. આ પૂર્વ અમદાવાદને “આશાવલ નગર” તરીકે ઓળખવું.  ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. અને બધા બહુ મજામાં આવી જશે.

એક મહાનગર “કર્ણાવતી મહાનગર”

એક નગર વિસ્તાર આશાવલ નગર

એક  નગર વિસ્તાર અમદાવાદ

એક નગર વિસ્તાર મહાત્મા ગાંધી નગર

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો

પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.

સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.

કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”

જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.

કોણ કોને બહેકાવી રહ્યું છે?

ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.

સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?

ગાંધીજીએ તેમને મરતા શિખવ્યું હતું

ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.

ભારતીયો દંભી છે?

જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય  અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.

ભારતવાસીઓ ઝનૂની છે?

ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.

કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.

ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?

શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?

ના જી.

અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.

મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના  વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને  તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.

તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.

પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન

ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.

જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના  ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.

૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.

પણ હવે?

મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.

જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી.  જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.

જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.

નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ

૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય.  અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે.  પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.

આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?

જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….

ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.

હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.

પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે.  એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના  મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.

આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

હિન્દુઓ ૧૦ સંતાનો ઉત્પન્ન કરે: એક ચર્ચા

હિન્દુઓ ૧૦ સંતાનો ઉત્પન્ન કરે
જ્યારે ભારતની વાત કરીયે અને તેમાં પણ ભારતમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તિ એ ત્રણ ધર્મને સાંકળતી અને વસ્તી વધારાના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેને એકાંગી રીતે ન વિચારી શકાય. આ બાબતને તેની સમગ્રતા જોવી જોઇએ.

હિન્દુધર્મના નેતાઓ

જો ભારતમાં મુસ્લિમ વસ્તીવધારાની વાત કરીએ અને મુસ્લિમ આક્રમણની વાત કરીએ તો આ મુસ્લિમ આક્રમણને પણ વસ્તીવધારાના સંદર્ભ પુરતું મર્યાદિત રાખવું જોઇએ. લવ જેહાદને વસ્તીવધારા સાથે સાંકળી ન શકાય. લવ જેહાદ અલગ વિષય છે.
જે હિન્દુ નેતાઓ મુસ્લિમ વસ્તીવધારા રુપી આક્રમણની વાત કરે છે અને તેઓને આપણે ખોટા પાડવા છે તો તેમની પ્રત્યે પૂર્વગ્રહ રાખીને અને પરોક્ષ રીતે નિમ્ન દર્શાવીને ચર્ચા ન ચલાવવી જોઇએ.
આપણે સહુ જાણીએ જ છીએ કે કે જેને આપણે પ્રણાલીગત રીતે હિન્દુ ધર્મ કહીએ છીએ તેને એવા કોઈ ધર્મગુરુ નથી કે તેઓશ્રી જે કંઈ કહે તે હિન્દુ ધર્મનું ફરમાન છે એવું સ્વિકારવામાં આવે. વળી આ નેતાઓને “હિન્દુઓના કહેવાતા નેતાઓ” એમ કહીને ઉલ્લેખવા તે પણ તેમની પ્રત્યેની અવમાનના જ સૂચવે છે. વિવેચકની એક પૂર્વગ્રહવાળું તારણ કાઢવાની મનોવૃત્તિ હોય તેવું પણ ફલિત થાય છે. વિવેચકની અવિશ્વસનીયતા પણ ઉભી થાય છે. આ હિન્દુ નેતાઓ તેઓ જે કંઈ છે અને જેવા છે તેવા રાખીને ઉપરોક્ત જેવું કશું કહ્યા વગર તેમના વક્તવ્યની ગુણદોષના આધાર ઉપર ચર્ચા કરીએ તો તે યોગ્ય ગણાશે.

ખ્રિસ્તીઓ અને મુસલમાનો

ખ્રિસ્તીઓએ અને મુસલમાનોના શાસકોએ મધ્યકાલિન અને તાજેતરના ભૂતકાળમાં શું કર્યું તે પેઢીઓને ભૂલી જઈએ તો તે સાવ અયોગ્ય નહીં ગણાય. છેલ્લા સો વર્ષની તવારિખ જ ને જ ધ્યાનમાં રાખીશું. અને શો બદલાવ આવ્યો છે અને તે બદલાવની ઝડપ શું છે. ભવિષ્યમાં આ બદલાવની ઝડપ શું અંદાજી શકાય તે વિષે વિચારવું પડશે.

ખ્રિસ્તીઓમાં ફક્ત ધર્મ ગુરુઓ જ પછાત રહ્યા છે કે જેઓ એમ માને છે કે વિશ્વને આખાને ખ્રિસ્તી કરી દેવું જોઇએ એ ઈશ્વરનો આદેશ છે. ખ્રિસ્તી ધર્મ એક સુગ્રથિત બંધારણવાળો ધર્મ છે અને પૉપ જે કહે તેને અંતિમ કહેવાય. વળી તેની પાસે મોટું ફંડ છે. સરકારોનું તેને પીઠબળ હોય છે. એટલે જે ખ્રિસ્તી સરકારો પોતાને ધર્મનિરપેક્ષ માને છે અને વિશ્વને મનાવે છે, પણ જ્યારે તેમને જરુર પડે તેમના ધર્મસંસ્થાઓ દ્વારા બીજા દેશોમાં થતી બળજબરી બાબતે આંખ મિંચામણા કરે છે. સમાચાર માધ્યમો આવી બાબતોને ચગાવવામાં માનતા નથી.

ખ્રિસ્તી અને મુસ્લિમ આતંકવાદ
ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો એક જ છે. મુસ્લિમોમાં એક વધારાનું તત્વ છે તે એ કે તેનો વિસ્તીર્ણ આતંકવાદ. આમ તો ખ્રિસ્તીઓનો પણ ખ્રિસ્તિ ધર્મગુરુઓના પ્રત્યક્ષ અને પરોક્ષ સહાકર દ્વારા પોષાતો આતંકવાદ છે પણ તે છૂટક છૂટક છે. ખ્રિસ્તીઓનો આ આતંકવાદ તમે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં મોટા પાયે અને કેરાલા, તામિલનાડુ અને ઓરિસ્સામાં છૂટો છવાયો જોઈ શકો છે. પણ આની નોંધ લેવાતી નથી આના ઘણા કારણો છે. પણ તેની ચર્ચા નહીં કરીએ કારણ કે તેની ચર્ચા એક વિષયાંતર થઈ જશે.

મુસ્લિમો પુરતી ચર્ચા મર્યાદિત રાખીએ તો હિન્દુ નેતાઓની વાત સાવ નાખી દેવા જેવી નથી. હિન્દુઓ નેતાઓ જે વાત કરે છે તે કંઈ તેમનું આગવું સંશોધન નથી. ભારત સહિત આખા વિશ્વમાં મુસ્લિમ વસ્તી વધારા સામે એક સમસ્યા રુપી પ્રશ્નચિન્હ ઉત્પન્ન થયું છે. આપણા કેટલાક સુજ્ઞ લોકો કદાચ આનાથી માહિતગાર ન પણ હોય અને કદાચ હોય તો પણ તેમને કોઈપણ કારણસર તે વાતને લિપ્ત ન પણ કરવી હોય.

DO NOT DEMAND HUMAN RIGHTS

સાંપ્રત સામાજીક અને રાજકીય માનસિકતા

ભારતની સાંપ્રત સામાજીક અને રાજકીય માનસિકતાના સંદર્ભને અવગણીને આપણે જો કોઈ તારતમ્ય ઉપર આવીશું તો તે યોગ્ય ગણાશે નહીં. એટલું જ નહી પણ સાંપ્રત વિશ્વ આખાની સામાજીક અને રાજકીય માનસિકતાના સંદર્ભોને પણ લક્ષમાં લેવા પડશે. જાપાન, ચીન અને ઓસ્ટ્રેલીયા આ બાબતમાં શું વિચારે છે? અને શા માટે વિચારે છે? તેમના નાગરિક કાયદાઓ શું છે, અને આપણા કેવા છે તે બધું પણ લક્ષમાં લેવું પડશે. મુસ્લિમ દેશો કે જ્યાં મુસ્લિમો બહુમતિમાં છે ત્યાં વિધર્મ અને વિધર્મીઓની સ્થિતિ શું હતી અને શું છે? આ બધું એટલા માટે સંદર્ભમાં લેવું પડે કારણ કે પ્રસાર માધ્યમના કારણે વિશ્વ નાનું ને નાનું બનતું જાય છે. આવે સમયે આપણે છૂટક આંકડાઓ દ્વારા ભ્રમ ઉત્પન્ન કરીએ તે યોગ્ય નહીં ગણાય. જે પ્રત્યક્ષ છે તે સત્ય છે. કશ્મિરી હિન્દુઓ તંબુઓમાં છે તે સત્ય છે. ઉત્તર-પૂર્વ રાજ્યોમાં હિન્દુઓ નામશેષ છે તે સત્ય છે.
હિન્દુ નેતાઓ, સર્વમાન્ય હિન્દુ નેતા હોય કે ન હોય તે ચર્ચાનો વિષય નથી. વાસ્તવમાં તેઓ પણ ભારતના નાગરિક છે અને નાગરિક તરીકે તેઓ પોતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર ભોગવી શકે છે. આ સંદર્ભમાં તેમને મુલવવા જોઇએ.

આપણા હિન્દુ નેતાઓએ તો મુસ્લિમવસ્તી વિસ્ફોટને જીરવવા માટે એક રસ્તો પ્રસ્તુત કર્યો. પણ તેમનો હેતુ શું છે અને શા માટે આવો રસ્તો બતાવ્યો તે તેમણે છૂપાવ્યું નથી અને આપણે તેમની આ વાત છૂપાવવી ન જોઇએ. ચર્ચા કરવી હોય તો સમસ્યાને સમગ્રતામાં મુલવવી જોઇએ.

મુસ્લિમો તરફ થી આપણને શો ભય છે?
જ્યાં મુસ્લિમો તદન અલ્પમતમાં છે ત્યાં તેઓ તાબે થાય છે. જ્યાં તેઓ નગણ્ય નથી ત્યાં તેઓ વિશેષ અધિકારો માગ્યા કરે છે. જ્યાં તેઓ બહુમતિમાં છે ત્યાં તેઓ બળજબરી કરે છે અને પરધર્મીઓને કાં તો ધર્મ પરિવર્તન કરાવે છે અથવા તો તેમને નષ્ટ કરે છે. આના તાજા ઉદાહરણો મોટી માત્રામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાન, બંગ્લાદેશ અને કશ્મિરમાં હિન્દુઓ કેટલા હતા? હવે કેટલા છે? જો આ સંદર્ભને તમે અવગણશો તો તમે માનવધર્મની જ અવગણના જ કરી ગણાશે.

ગરીબી અને નિરક્ષરતા બચાવ નથી
મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતાવાળી માનસિકતા શું નિરક્ષરતા અને ગરીબી છે? જો આપણે એમ માનતા હોઇએ કે મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતા અને વસ્તીવધારાનું મૂળ મુસ્લિમોની નિરક્ષરતા અને ગરીબી છે તો તે આપણી જાત સાથેની એક છેતરપીંડી ગણાશે. જો આમ હોત તો યુરોપના દેશો પોતાના દેશોમાં મુસ્લિમોના વસ્તીવિસ્ફોટને સમસ્યા ન માનતા હોત. અને સાઉદી અરેબિયામાં કે બીજા વિકસિત અને સુશિક્ષિત દેશોમાં ધર્મનિરપેક્ષતા પ્રસરી ગઈ હોત. પણ તેમ થયું નથી.

પ્રત્યાઘાતને સમજો
હિન્દુ નેતાઓએ ૧૦ બાળકો પેદા કરવાની જે વાત કરી તે વાતને પકડીને તે વાતને બીજા સંદર્ભોથી અલિપ્ત રાખીને ૧૦ બાળકોની વાતને જ આપણે નિશાન બનાવીએ તે બરાબર નથી. મુસ્લિમ વસ્તી બે રીતે વધે છે. એક છે મોટા પાયે થતી વિદેશી ઘુસણખોરી અને બીજી છે તેમનો સ્થાનિક વસ્તી વિસ્ફોટ. ત્રીજું પણ એક કારણ છે તે છે તેમનો અલગ નાગરિક કાયદો. આ નાગરિક કાયદા હેઠળ તમે તેમને લાભ આપી શકો પણ તેમને નાગરિક લાભોથી વંચિત ન કરી શકો. એટલે જો તેમની વસ્તી વધે તો દેખીતી રીતે જ ગરીબી પણ વધે અને ગરીબી વધે એટલે સરકાર મુસ્લિમોની અવગણના કરે છે તેમ પણ આંકડાઓ દ્વારા ફલિત થાય. તમારે તમારી મુસ્લિમ નાગરિક કૂટનીતિઓ દ્વારા ઉભી કરેલી ગરીબી રાહતો જાહેર કરવી પડે. આ રાહતોના નાણાં તમારે સામાન્ય નાગરિક નિધિ (પબ્લીકફંડ)માંથી ફાળવવા પડે. વિકાસના કામોમાં એટલો ઘાટો પહોંચે અને એટલે ગરીબી વધે. આમ એક વિષચક્ર ચાલ્યા કરે.

તો શું હિન્દુઓ ૧૦ બાળકો ઉત્પન્ન કરે તે યોગ્ય છે?
વાસ્તવમાં હિન્દુઓની આ એક પ્રતિક્રિયા છે.
પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનને અન્યાય કર્યો એટલે બંગાળીભાષી મુસ્લિમોએ પ્રતિકાર કર્યો. તેના પ્રતિકાર રુપે પાકિસ્તાની સરકારે હિન્દુઓને અને અ-બંગાળી મુસ્લિમોને બંગાળમાંથી ખદેડ્યા. પાડાને વાંકે પખાલીને ડામ દેવાયો. પૂર્વ ભારતમાં અરાજકતા ફેલાઈ એટલે જનાક્રોષ થયો અને ભારત ઉપર યુદ્ધ લદાયું. આ યુદ્ધ ભારત જીત્યું એટલે કે પાકિસ્તાન ૧૯૭૧નું યુદ્ધ હાર્યું. ભારતીય લશ્કર ગમે તેવું મજબુત હોય. પણ ભારતીય અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ સ્વકેન્દ્રી હોય છે. તેઓ પાકિસ્તાન માટે સોફ્ટ ટાર્જેટ હોય છે. એટલે સિમલા કરાર દ્વારા ઈન્દીરા ગાંધીને મૂર્ખ બનાવી, ગુમાવેલું બધું પાછું મેળવી લીધું. પણ લશ્કરી હાર તો હાર હતી અને પાકિસ્તાની લશ્કર તે હાર જીરવી ન શક્યું. એટલે પાકિસ્તાની લશ્કરે તેની ગુપ્તચર સંસ્થા અને રશીયા-અમેરિકાના ઠંડાયુદ્ધની સમાપ્તિએ ફાજલ પડેલા આતંકી સંગઠનોની મીલી ભગતે પ્રત્યાઘાત તરીકે આતંકવાદ ચાલુ કર્યો. પહેલું ભક્ષ્ય કશ્મિરને બનાવ્યું. ત્યાં હિન્દુઓને ખુલ્લે આમ ધમકીઓ આપી ૩૦૦૦ હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા. સાતલાખ હિન્દુઓને ભગાડ્યા. કશ્મિરની સરકારે અને ભારતની દંભી સેક્યુલર સરકારે પણ આંખ મીંચામણા કર્યા. હિન્દુઓ માટે આ અન્યાય થયો. એક મસ્જીદ તૂટી. એની સામે હજાર મંદીરો તૂટ્યા અને આતંકવાદીઓએ હજારોને મરણને શરણ કર્યા. એક રેલ્વે કોચને ઘેરીને સળગાવ્યો અને હિન્દુઓને જીવતા સળગાવ્યા. ગુજરાતમાં દંગાઓ થયા. મુસ્લિમો વધુ મર્યા. પછી તો મુસ્લિમોએ અનેક જગ્યાએ બોંબબ્લાસ્ટ કર્યા અને હ્જારો માણસ મર્યા.
મૂળ વાત જે હતી તે બંગ્લાભાષીઓને ૧૯૫૬થી કે તે પહેલાંથી થયેલા અન્યાયની હતી. તેમાં પાકિસ્તાનોના હિન્દુઓનો અને બીનબાંગ્લાભાષી મુસ્લિમોની ઉપરાંત પડોશી દેશ ભારતનો પણ ખૂડદો બોલી ગયો. આ વાત ભારતના દંભી ધર્મ નિરપેક્ષીઓને સમજવી નથી.

આ વાત ફક્ત પાકિસ્તાનના અને બંગ્લાદેશના મુસ્લિમોની માનસિકતાની જ નથી. સમગ્ર વિશ્વના મુસ્લિમોની માનસિકતા આવી છે અને આ માનસિકતાને સાક્ષરતા કે ગરીબી સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.

હિન્દુઓએ ૧૦ બાળકો ઉત્પન કરવા એવી વાત શા માટે કરી?
ભારતની સરકારો દંભી ધર્મનિરપેક્ષતામાંથી બહાર આવી શકતી નથી. એટલે મુસ્લિમો અને ખ્રિસ્તી લોકો મનમાની કરે છે. તેઓ જે વિસ્તારોમાં પોતે બહુમતિમાં છે ત્યાં બળજબરી કરે છે, અને સમગ્ર ભારતમાં તેઓ લઘુમતિમાં છે તે ધોરણે તેઓ લઘુમતિના નામે અને ધાર્મિક સ્વતંત્રતાને નામે વિશેષાધિકારો ભોગવે છે.
હિન્દુઓ બહુમતિમાં છે. આ બહુમતિ તેમનો ગુનો બને છે. સરકાર જો ભેદભાવ વાળા વલણમાંથી બહાર ન નિકળી શકતી હોય તો હિન્દુઓએ શું કરે? આ સંદર્ભમાં હિન્દુઓએ પણ પોતાની બહુમતિ જાળવી રાખવા ૧૦ સંતાનો ઉભા કરવા જોઇએ એમ હિન્દુ નેતાઓએ કહ્યું.

મુસ્લિમ બનો અથવા ખતમ થાઓ
ટૂંકમાં એમ કહી શકાય કે હિન્દુઓ કુટૂંબ નિયોજન કરે આર્થિક રીતે સક્ષમ થાય પણ તે પછી મુસ્લિમો બહુમતિમાં આવે ત્યારે કાંતો તેઓ મુસ્લિમ થાય અથવા ખતમ થાય. કારણ કે કશ્મિરી હિન્દુઓ તો ભાગીને ભારતમાં આવી જાય. પણ ભારતના હિન્દુઓને ભાગી જવા માટે બીજો કોઈ દેશ નથી, એટલે તેમણે તો કાંતો મુસ્લિમ થવું પડે અથવા ખતમ થવું પડે.

હજી આગળ વિચારો.

જો હિન્દુઓ ખતમ થશે તો બે જ પ્રજા બચશે. એક ખ્રિસ્તી અને બીજી મુસ્લિમ.

ખ્રિસ્તીઓ અત્યાર સુધી ભલે અજેય રહ્યા હોય પણ મુસ્લિમો, ખ્રિસ્તીઓને ખતમ કરી દેશે. અપાર સંખ્યાના બળ આગળ શસ્ત્રોનું કશું ચાલ્યું નથી. અને મુસ્લિમો પણ કંઈ શસ્ત્ર વિહીન નથી. આખી પૃથ્વી મુસ્લિમ થશે પછી શું થશે. પછી મુસ્લિમો અંદર અંદર લડશે અને માનવ જાતનો નાશ થશે.
૧૦૦ અબજ વર્ષ પછીના બીજા બીગબેંગની રાહ જુઓ. તે દરમ્યાન મુસ્લિમોને અને ખ્રિસ્તીઓને સમજાઈ ગયું હશે કે જે અદૃષ્ટ સ્વર્ગની આશામાટે અને નર્કના ભયને કારણે, જે ખૂન ખરાબા કરેલ તે સ્વર્ગ અને નર્ક તો વાસ્તવમાં હતા જ નહીં. માટે હવે તો જો કોઈ ઇશ્વરના પુત્રના નામે કે પયગંબરના નામે આવે તો તેની ખેર નથી.

શું આ શક્ય છે?

હિન્દુ પુરાણો કહે છે કે એક બીગ બેંગ પછીના બીજા બેંગમાં ઐતિહાસિક સંસ્કૃતિમાં ૨૦% જેટલો બદલાવ આવે છે.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઇસ્લામ, ધર્મ, ૧૦ સંતાન, લઘુમતિ, બહુમતિ, આતંકવાદ, ધર્મ નિપેક્ષ, માનસિકતા, ખૂનામરકી, ભારત, પાકિસ્તાન, બંગ્લાદેશ

Read Full Post »

ફક્ત ભારતવર્ષ જ નહીં પણ જમ્બુ દ્વીપ સંઘની વાત કરો.

CHANAKYA 01

દેશને વિભાજીત કરનારા અર્થઘટનો અને વેદપ્રતાપ

જેઓને અફવાઓ ફેલાવવી છે, રાજકારણ રમવું છે, લાઈમ લાઈટમાં રહેવું છે અથવા અને જે સમાચાર માધ્યમો કે જેમને વ્યુઅરશીપ વધારવી (કે વાચકવર્ગ વધારવો) છે તેઓને જીવતા રહેવા અનર્થકારી અર્થઘટનો કર્યા સિવાય છૂટકો નથી.

આપણા આ કે તે ગુજરાતી સમાચાર પત્ર પણ તેમાંથી બકાત રહે એવું માનવું જરુરી નથી. કારણ કે કોઈ વાત અને કોઈ મુલાકાત ત્યારે જ ચગે જો તેને આંચકા આપે તેવા શબ્દોમાં ગોઠવવામાં આવે.

જો તમે વેદપ્રતાપનો આખો સંવાદ આંભળો તો તમને દેશ હિત વિરુદ્ધનો કોઈ સંદેશ મળશે નહીં તેમજ કોઈ વિભાજનવાદી સંદેશ પણ મળશે નહીં.

ધારો કે કોઈ એમ કહે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ વૈમનશ્ય હતું નહીં. પણ અંગ્રેજોએ તેમની વચ્ચે વૈમનશ્યને ઉત્પન્ન કર્યું. અંગ્રેજોએ કેવી રીતે આમ કર્યું તે આપણે સૌ હિન્દુઓ અને મુસ્લિમો સુપેરે જાણે છે અને સમજે છે. તેથી તેની ચર્ચાની જરુર નથી. એ કોઈ સાંસ્કૃતિક વિડંબણા ન હતી. પણ સત્તાની સાઠમારી હતી. દેશનું કમભાગ્ય હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ વહેલા મૃત્યુ પામ્યા. જો આ ન બન્યું હોત તો દેશ ફરીથી અખંડ થઈ ગયો હોત.

મોગલ યુગ પણ એક સુવર્ણ યુગ હતો
મોગલ યુગ એ કોઈ ગુલામી ન હતી. મુસ્લિમો હિન્દુઓ સાથે હળી મળી ગયા હતા. મુસ્લિમો ભારતને પોતાનો જ દેશ સમજતા હતા. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનશ્ય ન હતું એમ કહેનારા એક હજાર ઉદાહરણો આપી શકે છે અને છેલ્લે એક એવું ઉદાહરણ આપે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુઓ અને મુસ્લિમો એકજૂટ થઈ અંગ્રેજો સામે લડ્યા હતા. ઔરંગઝેબના અંતિમ વર્ષોથી મુગલ સામ્રાજ્યનું પતન શરુ થઈ ગયું હતું. મોગલવંશનો છેલ્લો બાદશાહ, બહાદુરશાહ જફર એક નામમાત્રનો બાદશાહ હતો. આ બાદશાહની સત્તા લાલકિલાની દિવાલો સુધીની હતી. આમ હોવા છતાં પણ સર્વે રાજાઓ કે જેમાં હિન્દુ રાજાઓ અને મુસલમાન રાજાઓ બંને સંમિલિત હતા, તે સૌએ સર્વાનુમતે નક્કી કરેલ કે મુગલવંશના સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવી અને સૌ રાજાએ બહાદુરશાહ જફરની આણમાં રહેવું. આ વાત દર્શાવે છે કે મુગલ સામ્રાજ્ય જે મુસલમાનોનું હતું અને મુગલયુગ ભારતના અનેક સુવર્ણયુગોમાંનો એક સુવર્ણયુગ હતો, અને હિન્દુઓ ઉપર અનેક અન્યાયો અને અત્યાચારો નોંધાયા હોવા છતાં પણ જ્યારે સારાખોટાનો સરવાળો કરીએ ત્યારે સુરાજ્યનું પલ્લું નીચે જતું હતું અને તેના પરિણામ સ્વરુપ ઓગણીસમી સદીની શરુઆતથી તેના મધ્યભાગ સુધી સૌ લોકોએ એક મતે મુગલવંશની પુનઃસ્થાપનાનો નિર્ણય લીધેલો. આમાં ફક્ત મુસ્લિમ રાજાઓ જ નહીં પણ મરાઠા અને રજપૂત રાજાઓ પણ સામેલ હતા. આથી એક નિશ્ચિત તારતમ્ય નિકળે છે કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કશું વૈમનશ્ય હતું નહીં. હવે જો કોઈ આવી વાત કરે તો આજના સમાચાર માધ્યમો એવો વિવાદ ઉભો કરે કે ફલાણા ફલાણા (બીજેપીના) નેતા ભારતમાં મુગલ સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવા માગે છે. જે મુસલમાનોના અનેક આતંકી જુથો છે તેમના પ્રતિ તેઓશ્રી હળવું વલણ લેવા માગે છે. જે સમુદાયના આતંકીઓએ હજારો નિર્દોષોની હત્યા કરી છે અને લાખોના જીવન પાયમાલ કર્યા છે તેમને દેશનીધૂરા સોંપવા માગે છે. ભારતમાં તેઓ શરિયત અને મુલ્લાઓનું રાજ લાવવા માગે છે. બુરખાઓથી સ્ત્રીઓની સ્વતંત્રતા રોકવા માગે છે. આ ગદ્દારીનું કામ છે. તેમને ગિરફ્તાર કરી તેમની ઉપર દેશદ્રોહનો આરોપ ચલાવવો જોઇએ. આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના સાંસ્કૃતિક મળતીયા પક્ષના નેતાઓ પણ આવી જ વાત કરશે.

વેદ પ્રતાપ અને દંભી નેતાઓની માનસિકતા સમજો
દંભી નેતાઓની માનસિકતા કેવી છે?

જો કોઈ એક નેતાએ જો નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ વિષયક કાર્યવાહીની પ્રશંસા કરી હોય તો તે મુસ્લિમોને ભારતીય સામાન્યપ્રવાહમાં મેળવવાની વાત જ ન કરી શકે. તે મુસ્લિમો વિષે વાત કરવાની સઘળી લાયકાતો ગુમાવે છે. આવી વૈચારિક ધારાવાળા દંભી બીનસાંપ્રદાયિકોએ મુસ્લિમોના નેતાઓની ધર્મને નામે માનસિક તુષ્ટીકરણ કરીને ધર્માંધ નેતાઓને માનવધર્મથી વિમુખ કર્યા છે. આ બાબતમાં તેઓ પુનર્વિચાર કરવા જરાપણ તૈયાર નથી. સમાચાર માધ્યમો તો સમાચારોને વિકૃતરીતે રજુ કરી તેનો વ્યાપાર કરે છે.

દંભી બીનસાંપ્રદાયિકોની આવી વિકૃત માનસિકતા કેવી રીતે ઉત્પન્ન થઈ?

જો આના મૂળ શોધવા જઈએ તો જેમ દરેક રાજકીય અને સામાજીક વિકૃતિના મૂળ નહેરુ અને નહેરુવંશ તરફ દોરી જાય છે તેમ ઉપરોક્ત વૈચારિક વિકૃતિના મૂળ પણ નહેરુ અને નહેરુવંશ જ છે.

સમાજવાદને નામે ઉત્પાદન ઉપર નિયંત્રણ,

લાયસન્સ અને પરમીટનું રાજ રાખવું,

અછતગ્રસ્ત પરિસ્થિતિ જ રાખવી,

બને ત્યાં સુધી બધું સરકાર હસ્તક રાખવું,

બેકારી રાખવી શિક્ષણનો વિસ્તાર ન થવા દેવો, જેથી સામાન્ય જનતા પોતાની સમસ્યાઓમાં જ ગુંચવાયેલી રહે,

સમસ્યાઓ વિષે અગર જવાબ દેવાનું આવે તો ઓળઘોળ કરીને બધો દોષ “વસ્તી વધારા” ઉપર ઢોળી વિરોધાભાષી વાતો કરવી,

નહેરુ પોતે બદામ અને બ્રાન્ડી ઉપર જીવનારી મરઘીના ચિકનના શોખિન હતા, રોજના ૨૫૦૦૦ હજારનો તેમનો ખર્ચ હતો. ૧૯૫૫માં સોનું ૮૦ રુપીયે દશ ગ્રામ હતું. આજે ૨૭૦૦૦ રુપીયે દશગ્રામ છે. એટલે આજના હિસાબે તે ખર્ચ, રોજનો ૮૪ કરોડ ૪૦ લાખ રુપીયા થયો. આ નહેરુ, આખા દેશને સમાજવાદના પાઠ ભણાવતા હતા. સરદાર પટેલે પોતાના સરકારી ક્વાર્ટરમાં કોઈ રસોયો પણ રાખ્યો ન હતો અને રસોઈનું કામ મણીબેન કરતા હતા. સરદાર પટેલ રોટલો અને રીંગણાનું શાક ખાતા હતા. આ સરદાર પટેલને નહેરુના ચેલકાઓ મૂડીવાદના પીઠ્ઠુ કહેતા હતા.

મહાત્મા ગાંધીનો રોજનો ખર્ચ બે પૈસા હતો અને નહેરુને મન તે ડોસો દંભી અને નાટકીયો હતો. (આ બાબતનો સંદર્ભ આ વેબસાઈટ ઉપર અન્યત્ર આપેલો છે.)

ઈન્દીરા ગાંધીના વિરોધાભાસોનો તૂટો નથી.

આ સૌ દંભી બીનસાંપ્રદાયિકતાવાદીઓનો હેતુ ફક્ત એ જ હતો અને છે કે તેમના સિવાય અન્ય કોઈનો મુસ્લિમો સાથે સૂમેળ માટે સંવાદ કરવાનો અધિકાર નથી. બીજાઓ જો આવું કંઈપણ કરશે તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે. આમેય આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ બીજેપી અને નરેન્દ્ર મોદીને સમાજને તોડનારા અને દંગા ફસાદ કરનારા કહે જ છે. ઈન્દીરાઈ નીતિ એ રહી છે કે કોઈ આપણને કાણા કહે તે પહેલાં આપણે તેમને કાણા કહેવાનું શરુ કરી દેવું.

વેદપ્રતાપ એક એવા પત્રકાર અને રાજકીય વ્યક્તિ છે જેમનો સંબંધ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ સાથે બીજેપીના અને તેના નેતાઓ કરતાં અનેક ગણો વધારે નિકટનો રહ્યો છે. તેઓ ઈન્દીરા ગાંધી અને નરસિંહરાવની ઘણા નજીક હતા. આ વાતને નહેરુવીયન કોંગ્રેસીઓ નકારી શકતા નથી. પણ હાલના સમયમાં તેઓ તેને છૂપાવવામાં માને છે.

વેદપ્રતાપની સામે આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ કેમ પડ્યા છે?

કારણ ફક્ત એ જ છે કે આ ભાઈશ્રીએ નરેન્દ્ર મોદીની નીતિના વખાણ કરેલ. દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ની માનસિકતા એવી છે કે જો તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો તો તમારા બધા જ સંચિત પૂણ્યો નષ્ટ થઈ જાય છે અને તેટલા જ જત્થામાં પાપનું પોટલું તમારા માથે આવી જાય છે.

દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ આ બાબતમાં તર્કને ગાંઠતા નથી. વારંવારનું ગાલીપ્રદાન એ જ એમનો તર્ક છે. એટલે વેદપ્રતાપે ઈન્દીરાથી શરુ કરી મનમોહન સુધીના જે પૂણ્ય કર્મો સંચિત કરેલા એ બધા પૂણ્ય કર્મો આ દંભી બીનસાંપ્રદાયિકતાવાળાઓ ભૂલી જઈ શકે છે.

અડવાણી જો જીન્નાની મજાર ઉપર માથું ટેકવે તો અડવાણીને “લઘુમતિનું તૂષ્ટિકરણ” સાથે જોડી દેવામાં આવે છે અને હિન્દુધર્માંધ લોકો અડવાણીની ઉપર છાણા થાપે છે તો પછી આ વેદપ્રતાપ વળી કઈ વાડીનો મૂળો.

વેદપ્રતાપની વાત શું છે?

એક કોંગી નેતા સાથે એક મંડળી પાકિસ્તાન ગઈ. તેમાં વેદ પ્રતાપજી પણ હતા. વેદપ્રતાપજી, કોંગી નેતાની મંજૂરીથી ત્યાં વધુ રોકાયા. તેમણે, એક આતંકવાદી જુથના નેતા સાથે મુલાકાત કરી અને સંવાદ કર્યો.

આમ તો રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ જેવા ઘણા મહાનુભાવો થઈ ગયા જેમણે ડાકુઓની મુલાકાત લીધેલી અને સંવાદ કરેલા. પણ એ બધું આ દંભી લોકો જાણી જોઇને ભૂલી જાય છે.

આ દંભી બીનસાંપ્રદાયિકોનું કહેવું છે કે આ વેદપ્રતાપ કંઈ એવા કોઈ સંત નથી. વેદપ્રતાપ એવી લાયકાત પર ધરાવતા નથી કે એમણે એવું માનવું પણ ન જોઇએ કે તેમનામાં તેવા ગુણો છે કે તેઓ આ આતંકવાદીનેતાનું હૃદય પરિવર્તન કરી શકે.
એટલું જ નહીં વેદપ્રતાપ પોતે પણ કહે છે કે તેઓ આતંકવાદી નેતાને તેનું હૃદય પરિવર્તન કરવા માટે મળવા ગયા ન હતા.

હવે જો આમ જ હોય તો તેઓ શા માટે આ આતંકવાદીનેતાને મળવા ગયા હતા?
શું તેમને નરેન્દ્ર મોદીએ મોકલ્યા હતા?
તેઓ શું ભારત સરકારના દૂત હતા?
શું તેમને એવા અધિકાર હતા કે તેઓ આતંકવાદી નેતા સાથે વાટાઘાટો કરી કરી શકે?
એક એવી વ્યક્તિ કે જેની ઉપર ઈનામ રાખવામાં અવ્યું છે, તેની સાથેની આ મુલાકાત ખાનગી કેમ રાખી?
શું તેઓ એક પત્રકાર તરીકે ગયા હતા?
જો આમ હોય તો તેમણે તેનો અહેવાલ કેમ લખ્યો નથી અને આ અહેવાલ જો લખ્યો હોય તો કોને આપ્યો અને કયા સમાચાર પત્ર કે ટીવી ચેનલને આપ્યો.

આપણી એક ખ્યાતનામ ટીવી ચેનલના એક વરિષ્ઠ અને ખ્યાતનામ એંકરભાઈએ આવા અને આથી પણ બેહુદા સવાલો વેદપ્રતાપને પૂછ્યા. આ એંકરભાઈ (અર્ણવભાઈ), પોતાને બહુ હોંશિયાર માને છે તેઓશ્રી ખબરપત્રી અને પત્રકાર વચ્ચેનો ભેદ પણ સમજતા ન હતા. આ બાબતે તેઓ સકંજામાં આવી ગયેલ પણ વેદપ્રતાપના ટિકાકાર આમંતત્રિતોની બહુમતિમાં તેમનું પત્રકારિત્વનું પાયાનું અજ્ઞાન છૂપાવી દેવામાં આવ્યું.

ટીવી ચેનલ ઉપર ચર્ચા માટે આમંત્રિત દંભી બીનસાંપ્રદાયિકો જેમાં નહેરુવીયન કોંગ્રેસીઓ અચૂક હોય જ તેમણે પણ વેદપ્રતાપ ઉપર પસ્તાળ પાડવાની કોશિસ કરી.
આમાંના કોઈએ પણ વેદ પ્રતાપે વાસ્તવમાં અક્ષરસહ આતંકવાદી સાથે શું વાત કરી અને કયા સંદર્ભમાં વાત કરી, તેની જણકારીમાં રસ લીધો ન હતો. કદાચ તેમને એ અવગણવું જ વધુ પસંદ હતું.

ભારતીય જનતા પક્ષના નેતાઓ જેઓ ચર્ચા માટે આવેલ તેમને તો કશી માહિતિ પણ હોય તેવું લાગ્યું નહીં. તેથી તેઓ બચાવ પક્ષમાં આવી ગયા. શિવસેનાવાળા આમેય ચક્રમ છે અને તેઓ વધુ એકવાર ચક્રમ સાબિત થયા. અને આજની તારિખ સુધી ચક્ર્મ સાબિત થતા રહ્યા છે. મુદ્દાની સમજને બદલે મુદ્દાવગરની અને તર્ક વગરની ટીકા કરવામાં અને તારવણીઓ પ્રદર્શિત કરવામાં આપણા સમાચાર માધ્યમો અને દંભી બીનસાંપ્રદાયિકોને વધુ રસ હોય છે.

નહેરુએ એક બિનજોડાણ વાળા દેશોનું સંગઠન બનાવેલ. વળી તેમણે ચીન આથે પંચશીલનો કરાર પણ કરેલ.

તેવી જ રીતે ઈન્દીરા ગાંધીએ સાર્ક (સાઉથ એશિયા એસોસીએશન ઓફ રીજીઓનલ કો ઓપરેશ) સ્થાપેલું. આજ ઈન્દીરા ગાંધીએ રશિયા સાથે આંતરિક અને બાહ્ય સમસ્યાઓ માટે સલાહ સહકાર અને મસલતો માટે પણ એક કરાર કરેલ.

જેમ ચીન સાથેના કરારનો ફજેતો થયેલ તેમ રશીયા સાથેના કરારથી ભારત અને રશિયા વચ્ચે શી પરદર્શિતા થઈ તે ભગવાનને પણ ખબર નથી.

આ બધા નહેરુવીયન કરારો અને સંગઠનો આમ તો વર્તમાન પત્રોમાં વાહવાહ કરાવવા માટે હોય છે. વાસ્તવમાં શોભાના ગાંઠીયા જેવા પણ ન હોતા નથી. ફાયદો તો એ હોય છે કે નેતાઓ, પત્રકારો અને સરકારી અફસરો જનતાના પૈસે વિદેશની લટારો મારી શકે છે.

હવે નરેન્દ્ર મોદી આવ્યા છે.

નરેન્દ્ર મોદી કંઈક આવતી કાલનું કે પરમ દિવસનું જ નહીં પણ તેના પછીના દિવસોનું પણ વિચારે છે. આથી કેટલાક નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા હોય અને તેમને કંઈક વધુ પાનો ચડી ગયો હોય તો તે વાતને નકારી ન શકાય.

વેદપ્રકાશજી આમાંના એક હોઈ શકે?

હાજી. તેઓશ્રી આમાંના એક હોઈ શકે, તે વાત નકારી ન શકાય. જોકે વેદપ્રકાશે જે કર્યું તેમાં કશું ખોટું નથી. જો તમારે તમારા દુશ્મનનું કે દોસ્તનું મન કે તેની વાત સમજવી હોય તો એક સમાન કંપન (ફ્રીક્વન્સી = વિચાર) પર આવવું પડે. સામેની વ્યક્તિના અસંતોષ કે અન્યાય કે સમસ્યા ને સમજવાની કોશિસ કરવી હોય તો તેની સાથે સહાનુભૂતિ રાખવી પડે કે તેવો ડોળ તો કરવો જ પડે. વેદપ્રકાશે થોડે ઘણે અંશે આ કામ તો કર્યું જ છે.

ધારો કે મુસ્લિમ નેતાઓ અને તેમાં પણ જેઓ ધર્માંધ છે અને આતંકી વિચારધારા રાખે છે તેઓ એમ કહે કે અમે વાસ્તવમાં તો સર્વધર્મ સમભાવમાં જ માનીએ છીએ, તો આવા અને બીજા મુસ્લિમો સહિતની મુસ્લિમ જનતા અને શાસકો સાથે ભારતને પાયાનો ભેદ શો છે?

જો મુસ્લિમો, તેઓ જે ભૂમિના અન્નજળ થી મોટા થયા છે તે ભૂમિને પોતાની માતૃભૂમિ માનતા હોય અને બીજાઓને તેમની ધાર્મિક, સામાજીક અને આર્થિક સહકાર આપવામાં સંમતિ દર્શાવતા હોય તો ભારતને તેમની સાથે બીજો કયો અને કેવો ભેદ હોઈ શકે?

સાર્કના બધાજ દેશોની સમસ્યાઓ સમાન છે.

આ સમસ્યાઓમાં, મૂખ્ય સમસ્યા ધર્મને નામે કરવામાં આવતા અત્યાચારો અને દુરાચારોની છે.

ભારત અને પાકિસ્તાન આઆ બે દેશો વચ્ચે આ સમસ્યા હોવાનું કારણ, અવિશ્વાસ છે. આ અવિશ્વાસનું કારણ એકબીજા સાથે થયેલા પ્રત્યક્ષ યુદ્ધો અને તે પછી સીમાપારના દેશોના મૂક સહકારથી ચાલુ થયેલા અપ્રત્યક્ષ યુદ્ધો છે. અપ્રત્યક્ષ યુદ્ધો સુરક્ષાની વહીવટીક્ષમતાથી અને ત્વરિત ન્યાય પ્રણાલીથી નાથી શકાય છે. પણ જનતામાં રહેલા અસંતોષના પાયામાં તો આર્થિક પરિસ્થિતિ જ હોય છે. શાસકો તેનો લાભ મતબેંકોનું રાજકારણ રમી તેને ફુલેફલાવે છે.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાણવાલેને સંત ઘોષિત કરી રાજકીય લાભ લીધેલો અને દેશને સ્વદેશી ખાલીસ્તાની આતંકવાદની ગર્તામાં ધકેલી દીધેલ. આ સ્વદેશી આતંકવાદે સીમાપારના સહકારથી સીમાપારના આતંકવાદને આપણા દેશમાં ભૌગોલિક રીતે જાળ બીછાવવામાં મદદ કરેલ. ભારતને આજે પણ આ આતંકવાદનો ભય રાખવો પડે છે.

૧૯૯૦માં કત્લેઆમનો ભોગ બનેલા ભારતીય ૫ લાખ કાશ્મિરી હિન્દુઓ, આજે પણ તેમના ઘરમાં જઈ શકતા નથી અને કાશ્મિરની બહાર તંબુઓમાં યાતનાભરી જીંદગી જીવી રહ્યા છે. આ જ કાશ્મિરના રાજકર્તાઓ સુરક્ષા સૈનિકો ઓછા કરવા માટે ભારત સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે. આવા પડોશી અને દેશી મુસ્લિમનેતાઓ ઉપર ભારત કેવી રીતે વિશ્વાસ રાખી શકે?

હિન્દુ રાજાઓ

ઈશુની પહેલી સદી સુધી, હિન્દુ રાજાઓ પશ્ચિમમાં ઈરાન અને પૂર્વમાં કંબોડીયા વીયેટનામ સુધી, દક્ષિણમાં ઈન્ડોનેશિયા સુધી અને ઉત્તરમાં તિબેટ સુધી રાજ કરતા હતા. ભારતને ચીન અને ઈજીપ્ત સાથે વ્યાપારી સંબંધો હતા. આ દક્ષિણ એશિયા, પુરાણોમાં જંબુદ્વિપ તરીકે ઓળખાયો છે. ઈશુની ચોથી સદી સુધી અરબસ્તાનમાં હિન્દુ રાજાઓ રાજ કરતા હતા. ભારતવર્ષ એક દેશ તરીકે હજારો વર્ષથી ઓળખાય છે. આ ભારતવર્ષ એ બી સી ત્રીકોણ માં સમાયેલો છે જેમાં (એ) અફઘાનીસ્થાન કાશ્મિર તિબેટ, (બી) બ્રહ્મદેશ અને સીલોન (શ્રીલંકા) ને જોડતી રેખાઓથી બનેલો છે.

સુરક્ષા વ્યવસ્થા

જો અમેરિકા પોતાની સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવીને આતંકી આક્રમણને ખાળી શકવામાં સફળ થઈ શકતું હોય તો નરેન્દ્ર મોદીની સરકાર પણ દેશને આતંકી હુમલાઓથી સુરક્ષિત કરી શકે છે. આ દક્ષતા તેણે ગુજરાતમાં સિદ્ધ કરી બતાવી છે. આ પછી, દેશ સામે જે પ્રશ્ન રહે છે તે ભણતર, બેકારી અને સુવ્યવસ્થાનો જ રહે છે. આ પ્રશ્નો તો તમારી દક્ષતા અને નિયત ઉપર જ અવલંબે છે. પ્રાકૃતિક અને માનવીય સંપદાથી ભરપૂર ભારત દેશમાં આ પ્રશ્ન હોઈ જ ન શકે.

બે દેશો વચ્ચેની રેખા એ એક અપ્રાકૃતિક રેખા છે. સાંસ્કૃતિક રીતે બે દેશોને કોઈ રેખા વિભાજીત કરે તેવું કશું રહ્યું નથી. જે થોડી ઘણી વાતો થાય છે તે જનતાની સમાસ્યાઓને સુલઝાવવાની નિસ્ફળતાને છૂપાવવા માટે થાય છે. જે પ્રણાલીઓ છે તે ભૌગોલિક સ્થિતિને કારણે અને વિરાસતમાં મળી હોવાને કારણે જીંદગી સાથે વણાઈ ગયેલી હોય છે. તે કદી માણસને જુદા કરતી નથી પણ આનંદમાં સહભાગી બનાવે છે. પતંગોત્સવ, નવરાત્રી, હોળી, નવુંવર્ષ, જેવા અનેક તહેવારો સહુ સાથે મળીને ઉજવે છે.

જો દરેકને પોતપોતાની રીતે ઈશ્વરની ઉપાસના કરવાની છૂટ્ટી કબૂલ રાખવામાં આવી હોય તો વિખવાદની કોઈ શક્યતા રહેતી નથી.

ધારો કે નરેન્દ્ર મોદીએ ભારતમાં બધા ક્ષેત્રોમાં વિકાસ કર્યો તો શું સમસ્યાઓમાં પૂર્ણ વિરામ આવી જશે?

નાજી.

તમે સુખી હો અને તમારો પડોશી દેશ દુખી હોય તે અમાનવીય અને અપ્રાકૃતિક છે. જો કોઈ દેશ આ વાત ને સ્વિકારશે નહીં તો તેના ઉપર આપત્તિ જરુર આવવાની છે. આ આપત્તિ ક્યારે આવશે, એ ફક્ત સમયનો જ સવાલ છે. પ્રકૃતિ બંનેને પાયમાલ કરશે.

જંબુ દ્વિપ

સમગ્ર જંબુદ્વિપ હજારો વર્ષ સુધી હળી મળીને રહ્યો છે. રાજાઓના રાજ્યની સીમા રેખાઓ આઘીપાછી થાય છે. દશરથને કૈકેયની પૂત્રી સાથે પરણવામાં વાંધો આવ્યો ન હતો. અશોકને સંઘમિત્રાને શ્રીલંકા મોકલવામાં વાંધો આવ્યો ન હતો. જનતાને તમે થોડો સમય એક બીજાથી અળગી કરી શકો પણ કાયમ માટે આ શક્ય નથી.
જ્ઞાન અને વિદ્યામાં થયેલા વિકાસને કારણે પૃથ્વિ નાની થતી જાય છે અને ટૂંક સમયમાં તે એક ગામડું થઈ જશે ત્યારે શાસકો પોતાની જનતાને બીજા દેશની જનતાથી અળગા રાખી શકશે નહીં.

પડોશી દેશોની જનતા વચ્ચે વિચાર અને આચારના સુમેળનો પ્રારંભ અત્યારથી જ થવો જોઇએ.

આમાં આતંર્ રાષ્ટ્રીય કક્ષાએ જંબુદ્વિપના દેશો પોતાનો સંઘ બનાવે તે પાશેરામાં પહેલી પૂણી છે.

આ બાબતનો દસ્તાવેજ ઘણી વિગતો માગી લે છે અને દરેક ભાષીઓના હિતોની સુરક્ષા માટે અને સમગ્ર દેશ અને સંઘની સુરક્ષા માટે ઘણી જોગવાઈઓ કરવી પડે. આ એક જટીલ કામ છે પણ તે અશક્ય નથી. જટીલ અને અઘરું હોવાના તેને છોડી દેવામાં આવશે તો પૃથ્વિ સુરક્ષિત રહેશે નહીં.

સરકારી વહીવટને અસરકારક બનાવવા માટે અને સુગમ કરવા માટે ભાષાવાર પ્રાંત રચના પૂરતી નથી. પણ રાજ્યોને થોડી વધુ સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપવી પડશે.

આ સ્વાયત્તતા, સ્વચ્છંદતા અને મનમાનીમાં પરિવર્તિત ન થાય (જેમ કાશ્મિરમાં સરકાર, હિન્દુઓના હિતની સુરક્ષા કરતી નથી, અને હિન્દુઓની સુરક્ષા તરફ સતત દુર્લક્ષ્ય સેવતી આવી છે) તે સામે સબળ કેન્દ્ર સરકાર પણ જોઇશે. નહેરુવીયન કોંગ્રેસની અને તેમના મળતીયા પક્ષોની સરકારોએ જનતામાં વિખવાદને પ્રોત્સાહન આપીને જનતાને તોડવાનું કામ કર્યું છે અને પ્રદેશો વચ્ચે ભેદભાવ રાખીને કામ કર્યું છે. ગુજરાત અને કેન્દ્રના થોડા અપવાદિત સરકારોના સમયને (૧૯૭૭-૮૯ અને ૧૯૯૯-૨૦૦૪) બાદ કરતા, ગુજરાત પ્રત્યે અન્યાય કરવામાં આવ્યો છે. આવી સ્વકેન્દ્રી અને સ્વપક્ષકેન્દ્રી કેન્દ્ર સરકારો દેશને પાયમાલ કરે છે આનો દેશને અનુભવ થઈ ચૂક્યો છે.

વેદપ્રતાપે જે સંઘ અને રાજ્યોની સ્વતંત્રતાની વાત કરી છે તે આ પરિપ્રેક્ષ્યમાં કરી છે. સમાચારોનો વેપાર કરનારા સમાચાર માધ્યમોને અને સ્વકેન્દ્રી શાસકોને આ વાત પસંદ ન પડે તે જનતાએ સમજી જવું જોઇએ.

ભારતવર્ષની બહુમતિ અત્યાર સુધી સહન કરતી જ આવી છે.

અફઘાનિસ્તાન ઉપર આતંકવાદી અને કટ્ટર પંથીઓનું મજબુત પરિબળ, હળી મળીને રહેવા તૈયાર થાય તેવી શક્યતા કેટલી?

પાકિસ્તાનમાંથી હિન્દુઓને ૧૯૪૭-૪૮માં બહુમોટી સંખ્યામાં ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

૧૯૫૦ પછીના સમયમાં બ્રહ્મદેશમાંથી ભારતીયોએ ખએડી મુકવામાં આવ્યા તેનું શું?

સિલોનમાં ભારતીય અને સિંહાલી લોકો વચ્ચે વૈમનસ્ય છે અને તેણે ભારતના એક વડાપ્રધાનનો ભોગ લીધો છે, તેનું શું?

ખુદ ભારતની અંદરના કાશ્મિરમાં થી હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવેલી અને બધા જ ૫ થી ૭ લાખ હિન્દુઓને ત્યાંના મુસ્લિમ શાસકો દ્વારા ખદેડી મુકવામાં આવ્યા, તેનું શું?

પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વિદેશી મુસ્લિમો ભારતની જમીન ખરીદી રહ્યા છે અને નહેરુવીયન કોંગ્રેસી શાસકો તે ઘુસણખોરોને આર્થિક મદદ અને ભારતીય નાગરિકતા આપી રહ્યા છે તેનું શું?

ભારતના અનેક રાજ્યોમાં મુસ્લિમ બહુમતિવાળા પ્રદેશો છે જ્યાં તેઓ હિનુઓ ઉપર ભેદભાવની નીતિ અપનાવી રહ્યા છે, તેનું શું?

કેરાલામાં એક પ્રદેશમાં મુસ્લિમોની બહુમતિ હોવાને કારણે અને તેમના દબાણને કારણે તેને અલગ જીલ્લો આપવામાં આવેલ છે. આવી માગણીઓ ઠેર ઠેરથી ઉભરી રહી છે. તેનું શું?

જો ભારતના મુસ્લિમો જ અલગતા વાદી હોય તો આવા સંજોગોમાં જંબુદ્વિપના સંગઠનની વાત કેવી રીતે કરી શકાય?

આ બધું નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસની મુસ્લિમ-તુષ્ટિ કરણની નીતિઓને કારણે થઈ રહ્યું છે.

કાયદાઓ તો ઘડાયા, પણ કાયદાનું રાજ ક્યાં છે? કાયદાનું રાજ લાવો

સૌ પ્રથમ ભારતને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથીઓથી મુક્ત કરવું પડશે.
આ કામ અઘરું નથી. નહેરુવીયન કોંગ્રેસે દેશને કાયદાના શાસનથી વિમુખ કરીને પાયમાલ કરેલો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયા નેતાઓ ભ્રષ્ટ છે અને તેઓ એક ય બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે, કાયદાના શાસન દ્વારા તેમની ઉપર કામ ચલાવો. તેઓની ધરપકડ કરી કોઈપણ સમયે તેમને જેલ ભેગા કરી શકાય તેમ છે.

કાશ્મિરની સ્થાનિક સરકારને પદચ્યુત કરો અને બધાજ નેતાઓને જેલ ભેગા કરો. કરણ કે તેઓએ હિન્દુઓ પ્રતિ માનવીય વર્તન કર્યું નથી.

શાહ કમિશનના અહેવાલને પુનર્જીવિત કરો અને નહેરુવીયન કોંગ્રેસીઓને વીણી વીણીને જેલ ભેગા કરો. જો ઈન્દીરા ગાંધી, વિરોધીસુરને ડામવા માટે “મીસા” અને “કટોકટી” લાવી શકે છે તો હાલની કેન્દ્ર સરકાર પણ દેશની જનતાને વિભાજીત કરનારા ગદ્દારોને સજા કરવા કાયદાઓને કડક બનાવી શકે છે. આ દેશ દ્રોહીઓ કોઈ પણ જાતની દયા માયાને પાત્ર નથી.

આ બધું કરવા માટે દેશની જનતાની સમસ્યાઓ ઉકેલવી પડશે. જનતાની સમસ્યાઓ મુખ્યત્વે કાયદાના રાજ ઉપર આધારિત છે. તેમને રોજગાર, શિક્ષણ, સારા આવાસ મળશે અને ગુનેગારો જેલભેગા થશે તો ૯૯ ટકા જનતા નરેન્દ્ર મોદીને સહકાર આપશે.

જો ભારતની શાસન વ્યવસ્થા સુધરશે તો પડોશી દેશો ઉપર પણ તેની અસર પડશે. વિઘાતક તત્વો આપોઆપ ઉગતા બંધ થઈ જશે.

આ બધા માટે નરેન્દ્ર મોદીએ ચાણક્ય નીતિ અપનાવવી પડશે.

દયા માયાની નીતિ ચાલશે નહીં.

ગેરકાયદેસર બાંધકામો, જનતાની જમીન ઉપરના દબાણો, સીમાપારથી અને સીમાની અંદર ચાલતા જમીન માફિયાના અને દાઉદના અસામાજીક નેટવર્કને નાબુદ કરવામાં નહીં આવે ત્યાંસુધી જનતાને સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં.
મોદી સરકારે પોતાની પ્રાથમિકતાઓ સમજવી પડશે.

જો અત્યાર સુધીની ટેલીવીઝનની સીરીયલોમાંથી કોઈ શ્રેણીને શ્રેષ્ઠ ટીવી શ્રેણી કહેવી હોય તો તે “ચાણક્ય”ની શ્રેણીને શ્રેષ્ઠ કહી શકાય. આ શ્રેણીમાં દરેક રાજકીય સમસ્યાઓના સમાધાન અભિપ્રેત છે. આ શ્રેણી કોંગી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી હતી. પણ યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે. આ શ્રેણી જરુર જુઓ.

શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વેદપ્રતાપ, મુસ્લિમ, હિન્દુ, લઘુમતિ, સાર્ક, સંઘ, નહેરુવીયન, વંશ, કાશ્મિર, પૂર્વોત્તર, ભારત, જમ્બુદ્વિપ, ઈન્દીરા, નહેરુ, મોગલ, ૧૮૫૭, બહાદુરશાહ જફર, મરાઠા, રાજપૂત, સુવર્ણયુગ, ઈરાન, અરબસ્તાન, બિનસાંપ્રદાયિકતા, દંભી, આતંકવાદી

Read Full Post »

%d bloggers like this: