Feeds:
Posts
Comments

Posts Tagged ‘વલ્લભભાઈ પટેલ’

“કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

હાજીવાત તોઅનુચ્છેદ ૩૭૦ અને અને ૩૫એને મોદી સરકાર દ્વારા રદ કરવાની વાત છે.

જો કે આમાં કંઈ નવું નથી. દેશનો વાચાળ વર્ગ ત્રણ ચાર ભાગમાં વહેંચાઈ ગયો છે. દેશની જનતા ખુશ છે. સરકારી તંત્ર દ્વારા પ્રકાશિત થતી માહિતિઓને બનાવટી કહેવું શક્ય નથી. કાશ્મિરમાં શાંતિ તો દેખાય છે તે એક તથ્ય છે.

OTHER SIDE OF THECOIN

“(આમને પૂછો કે આમના જેવાને પૂછો કે આર્ટીકલ ૩૭૦/૩૫એ રાખવા કે નહીં.)” મૂર્ધન્યાઃ ઉચુઃ

હવે શાંતિને કેવી રીતે જોવી તે ઉપર રાજકીય નેતાગણ અને તેમના પળીતા સમાચાર માધ્યમો પોતાના એજન્ડાને અનુરુપ વિશ્લેષણ કરવા માથાફોડ કરી રહ્યા છે. તેમનો અધિકાર છે. પણ તે કેટલો શ્રેય છે તેની ચર્ચા કરવી પણ આવશ્યક છે.

હકીકત (ખરાઈ, ખરું), સત્ય અને શ્રેયઃ

હકીકત, સત્ય અને શ્રેય ત્રણેયના અર્થમાં ફેર છે. તેની સીમારેખા ધુંધળી હોઈ શકે છે. પણ તે સીમા રેખા ધુંધળી પણ હોઇ શકે છે. હકીકતને અવગણી શકાય છે. જો સત્યમાં શ્રેય હોય તો તેને પણ અવગણી શકાય છે, પણ તેમાં તમે કેવો માર્ગ અપનાવો છો તેની ઉપર નિર્ભર છે.

 કાશ્મિરમાં હકીકત શું છે?

કાશ્મિરમાં હકીકતમાં શાંતિ છે. શાંતિ શા માટે છે? કારણ કે સીમાપારથી ઘુસેલા આતંકવાદીઓ અને તેમના અહીંના પેઈડ મળતીયાઓ, દુકાનદારોને ધમકી આપી રહ્યા છે કે જો તમે દુકાનો ખોલશો તો મોતને ઘાટ ઉતરશો. આતંકવાદીઓનુ જોર ઓછું થયું છે. પણ તેમનું જોર નષ્ટ થયું નથી. સુરક્ષા દળોનુંઓલ આઉટઅભિયાન ચાલુ છે. અભિયાન આવતા પાંચ વર્ષોમાં પુરું થશે તેમાં શક નથી. હવે જમ્મુકાશ્મિર રાજ્યમાં ભારતીય બંધારણના ફોજદારી કાયદાઓ લાગુ પડશે, એટલે દેખીતી રીતે કાશ્મિરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે.

પણ સુધરતી પરિસ્થિતિ, કાશ્મિરની અંદર અને કાશ્મિર બહારની અમુક ટોળકીઓને પસંદ નથી. કારણકે કાશ્મિરમાં જો શાંતિ સ્થપાઈ જાય તો તેમની રાજકીય અને આર્થિક સ્થિતિને પારાવાર નુકશાન થાય છે.

કાશ્મિરની પરિસ્થિતિ એક શસ્ત્રઃ

કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ વાત સુપેરે જાણે છે કે પરિસ્થિતિ સુધરી રહી છે. તેથી તેઓ આંધળા થઈને નરેન્દ્ર મોદીની સરકારનો દરેક મુદ્દે વિરોધ કરે છે. અને તેમાં કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ પાસેકાશ્મિરની સ્થિતિભારતીય જનતાને અસમંજસમાં મુકવા માટેનું સૌથી મોટું અસરકારક શસ્ત્ર હતું. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ટોળકીના શસ્ત્ર ઉપર નરેન્દ્ર મોદીની સરકારે મોટો મિસાઈલ પ્રહાર કર્યો છે.

કોંગીઓનો અનુભવઃ

કોંગીઓને અને તેમની સહાયક ટોળકીઓને આમ જનતાને ગુમરાહ કરવાનો કમસે કમ દાયકાઓનો અનુભવ છે. સરકારી શસ્ત્રોથી ટોળકીઓ હવે અફવાઓ ફેલાવી શકે તેમ નથી. પણ મોટા ભાગના સમાચાર માધ્યમો ઉપર તેમનો કબજો છે, તેથી અને તેમજ વળી કેટલાક મૂર્ધન્યો, કટારીયાઓ અને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્ર ધારકોએ તેમનું લુણ ખાધું છે. તટસ્થતાની ધૂન પણ ઘણા કટારીયાઓને માથે સવાર થઈ હોય છે. એટલે ભલે નરેન્દ્ર મોદીને સમર્થન કરીએ તો પણઅમે કંઈ નરેન્દ્ર મોદીના ભક્ત નથી પ્રદર્શિત કરવા એક ગોદો તો મોદીને પણ મારો. વિવાદાસ્પદ મુદ્દા ઉપર નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક કે વધુ ગોદા મારી લેવા જોઇએ.

દા..

નોટ બંધીઆમ તો બરાબર હતી, પણ તેને પૂરી તૈયારી કર્યા વગર લાગુ કરવા જેવી હતી.

  “જીએસટીસૈધાંતિક રીતે બરાબર છે, પણ તેનાથી લોકોને હાડમારી પડે તેનું ધ્યાન રાખવા જેવું હતું.

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એનાબુદ કર્યા સારી વાત છે. પણ કાશ્મિરની જનતાને વિશ્વાસમાં લેવા જેવી હતી. કાશ્મિરમાં અત્યારે જે શાંતિ દેખાય છે તે તો ફરેબી છે. સુરક્ષાબળોની ઉપસ્થિતિને કારણે શાંતિ છે. એટલે સાચી શાંતિ નથી. લોકશાહીને અનુરુપ શાંતિ નથી વિગેરે વિગેરે

જો કે કોંગી અને તેની સાંસ્કૃતિક ટોળકીએ તો પાકિસ્તાનનો અનેઅમુક પાશ્ચાત્ય પંડિતોના બ્રેકીંગ ઈન્ડિયાએજન્ડા વાળા સમાચાર માધ્યમોનો સહયોગ લઈદેશદ્રોહની હદ સુધી જવાનું વલણ અપનાવ્યું છે. સ્થિતિ અક્ષમ્ય છે.

તમે યાદ કરો. નરેન્દ્ર મોદી તો વર્ષથી કહેતા આવ્યા છે કે રાજકીય પક્ષોએ અને સમાચાર માધ્યમોએઅનુચ્છેદ ૩૭૦/૩૫એથી કશ્મિરને શું ફાયદો થયો તેની ચર્ચા કરવી જોઇએ. મોદીનું કહેવું તો સ્પષ્ટ છે કે અનુચ્છેદો ૩૭૦/૩૫એલોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. અનિયત કાલ સુધી તેને ચાલુ રાખી શકાય નહી.

અનુચ્છેદ ૩૭૦/૩૫એ નો વિરોધ થતો આવ્યો છે.

કાશ્મિરના મહારાજાના દેશી રાજ્યનું ભારત સાથેનું જોડાણ અન્ય 565 દેશી રાજ્યો જેવું હતું. બધાં રાજ્યોને પોતાના કાયદાઓ હતા. ભારતનું પ્રભૂત્વ સ્વિકાર્યા પછી તેમની બંધારણ સભા હોય કે હોય તેનું મહત્વ રહેતું નથી. તેનું મહત્વ રહેવું પણ જોઇએ. ઉપરાંત આપણે પણ સમજવું જોઇએ કે અનુચ્છેદોનો ઉમેરો કરવામાં લોકશાહી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. તેમજ તે લોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. તેનો ઉમેરોહંગામીશબ્દ સાથે કરવામાં આવ્યો છે, તે શું સૂચવે છે તેનું હાર્દ પણ સમજવું જોઇએ.

અનુચ્છેદોનો શો પ્રભાવ છે.

() ૧૯૪૪ થી ૧૯૫૦ સુધી પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને રાજ્યમાં મતાધિકાર નથી.

() નિરાશ્રિતોને કાશ્મિરમાં વ્યવસાય કરવાનો કે નોકરી કરવાનો કે શિક્ષણ લેવાનો હક્ક નથી,

() નિરાશ્રિતોમાં જેઓ દલિત હિન્દુ છે તેમને ફક્ત ઝાડુવાળાની નોકરી કરવાની છૂટ્ટી છે. એટલે કે તેઓ ગમે તેટલી યોગ્યતા અને માન્ય સંસ્થાઓના પ્રમાણ પત્રો ધરાવતા હોય તો પણ તેઓ વ્યવસાય કે નોકરી કરી શકતા નથી. એટલે કે તેમની ઓળખ તેમના ધર્મ અને જ્ઞાતિને આધારે કરવી ફરજીયાત છે.

() નિરાશ્રિતો ૧૯૪૪થી રહેતા હોય તો પણ તેમને અને તેમના સંતાનોને લોકશાહીના અધિકાર નથી. તેઓ કોઈ સ્થાવર મિલ્કત પણ ખરીદી શકતા નથી.

() જો નિરાશ્રિત મુસ્લિમ હોય તો તેને કાશ્મિરી નાગરિકતાના બધા અધિકાર મળે છે.

() જો કાશ્મિરી સ્ત્રી, બિનકાશ્મિરી પાકિસ્તાની મુસ્લિમ પુરુષ સાથે પણ લગ્ન કરે તો તેના બધા નાગરિક હક્ક ચાલુ રહે છે પણ જો તે બિનકાશ્મિરી હિન્દુ સાથે લગ્ન કરે તો તે પોતાના કાશ્મીરી નાગરિક હક્કો ગુમાવે છે.

Image may contain: text

ગાંધીજીએ શું કહેલ?

જમ્મુ અને કાશ્મિરનું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાઈ શકે. કારણ કે પાકિસ્તાનની પોલીસી ખૂબ ખરાબ છે. દેશી રાજ્ય સ્વતંત્ર રહે તે શક્ય નથી. આવા સંજોગોમાં તે ભારત સાથે જોડાઈ શકે.”

(ગાંધીજીના અંતિમ ત્રણ માસની રોજનીશી તા. ૧૦૧૯૪૭દિલ્હીમાં ગાંધીજીપૃષ્ઠ ૯૪. લેખિકા મનુબેન ગાંધી. નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ૧૪)

ગાંધીજીને તે વખતે શેખ અબ્દુલ્લા અને નહેરુ ઉપર વિશ્વાસ હતો. ગાંધીજીને વાતની પણ ખબર હતી કે સરદાર પટેલને શેખ અબ્દુલ્લા ઉપર જરાપણ વિશ્વાસ હતો. ગાંધીના વિશ્વાસનો નહેરુએ અને શેખ અબ્દુલ્લાએ બંનેએ ગાંધીજીના મૃત્યુ પછી ભંગ કરેલો. લિયાકત અલી પર ગાંધીજીને જરાપણ વિશ્વાસ હતો. કારણ કે લિયાકત અલી, કાશ્મિરના મહારાજાને સ્વતંત્ર રહેવા દબાણ કરતા હતા. એટલે ગાંધીજીએ ઉપરોક્ત વાત કરી હતી.

અત્યારે આપણે જોઇએ છીએ કે પાકિસ્તાન પણ સ્વતંત્ર રહી શકે તેમ નથી. ભલે જીન્નાએ ધર્મનિરપેક્ષ દેશ સ્થાપવાના સ્વપ્ન જોયાં હોય પણ જે દેશ ધર્મના નામ પર રચાયો હોય તે દેશ અનેક રીતે પાયમાલ થઈ શકે છે.  પાકિસ્તાનની લોકશાહી ખોડંગાતી ચાલે છે. આતંકવાદીઓ અને સૈન્ય ઉપર સરકારનો જરાપણ કાબુ નથી. તેની ગુપ્તચર સંસ્થા પણ સેનાના કબજામાં છે. જે મુસ્લિમોએ પાકિસ્તાનના સ્વપ્નાઓ જોયાં હતા, તેમણે સ્વાતંત્ર્યની લડતમાં કશો ભોગ આપ્યો નથી. તેઓ પોતે જ કહે છે કે “રો કે લિયા થા પાકિસ્તાન … લડકે લેંગે હિન્દુસ્તાન. પાકિસ્તાને ભારત સાથે ચાર યુદ્ધ કર્યા. ચારેય યુદ્ધમાં તે હાર્યું. છેલ્લાં ૩૫ વર્ષથી પાકિસ્તાન ભારત સામે અપ્રત્યક્ષ  યુદ્ધ  કરી રહ્યું છે. અને ભારતમાં બીજેપીનું મજબુત  શાસન આવવાથી તે હારવા ની અણી ઉપર છે.

નરેન્દ્ર મોદીએ તો ચર્ચા માટે આહવાહન આપેલ અને પણ ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાંથી.

શેખ અબ્દુલ્લાના ફરજંદ એવા ફારુખ અબ્દુલ્લાએ શું વાત કરેલ?

જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કાઢશો તો સમજી લો કે અમે પાકિસ્તાન સાથે જોડાઈ જઈશું. પૂરો સંભવ છે કે ફારુખે, શેખ અબ્દુલ્લાની મનની વાત દોહરાવી. કારણ કે આવા કારણસર શેખ અબ્દુલ્લાને જેલમાં પૂરવામાં આવેલ.

મહેબુબા મુફ્તીએ શું કહેલ કે જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરશો તો કાશ્મિરમાં બળવો થઈ જશે, તમે કાશ્મિરને ભૂલી જજો. તમને શબની ઉપર ભારતનો ત્રીરંગો પણ ઢાંકવા મળશે નહીં. આવા નેતાઓ સાથે શી મસલત થઈ શકે?

નરેન્દ્ર મોદી પૂછે છે કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી કાશ્મિરને શું ફાયદો થયો? તો ઉપરોક્ત બંને નેતાઓ કાશ્મિરમાં હિન્દુઓને થનારા અને ભારતની ભૂગોળનેકપોળ કલ્પિતથનારા નુકશાનની વાત કરે છે.

જો કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ હોવા છતાં પણ કાશ્મિરના બંને નેતાઓએ અને તેમના સહયોગીઓએ કશ્મિરના નાગરિક એવા હિન્દુઓને નુકશાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. ખૂલ્લેઆમ ૩૦૦૦+ હિન્દુઓની કતલ કરી છે. ૧૦૦૦૦+ હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટી છે. અને ૫૦૦૦૦૦+ કશ્મિરી હિન્દુઓને ઘરમાંથી હિજરત કરાવી છે. મુસ્લિમોની બહુમતિ ધરાવતા પ્રદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી છે અને તેમને પીડવામાં કશું બાકી રાખ્યું નથી. આવા અત્યાચારો તેમની હાજરીમાં અને તેમના સત્તાના સમયમાં થયા હોવા છતાં તેમને તેનો અફસોસ નથી અને જવાબદારી નથી. આવા અતિ નિમ્ન કક્ષાના નેતાઓ પાસેથી તમે તર્ક્યુક્ત ચર્ચાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? હિન્દુઓ ઉપર થયેલા કત્લેઆમ વિષે જેટલા મુસ્લિમ નેતાઓ જવાબદાર છે તેટલા કોંગીના નેતાઓ પણ જવાબદાર છે.

સરવાળે ફલિત થાય છે કે

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કારણેઃ

અમારા રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને અમે ધર્મથી ઓળખીએ છીએ, અને અમે બિનમુસ્લિમોને સમાન નાગરિક અધિકાર આપતા નથી અને મતાધિકાર પણ આપતા નથી,

બિનમુસ્લિમ નિરાશ્રીતોને અમે નોકરી અને વ્યવસાય ના હક્ક આપતા નથી,

અમે જ્ઞાતિવાદમાં માનતા નથી. હિન્દુઓના જ્ઞાતિવાદની અમે ભર્ત્સના કરીએ છીએ. તો પણ અમે તો તેમને તેમના દલિતોને જ્ઞાતિને આધારે ઓળખીશું.

બિનમુસ્લિમ નિરાશ્રિતોને અમે સ્થાવર સંપત્તિનો હક્ક આપતા નથી,

કશ્મિરી મહિલાઓને અમે સમાન નાગરિક અધિકાર આપતા નથી,

હાઅમે કંઈ જેવા તેવા નથી. અમે કશ્મિરીયતમા માનીએ છીએ, અમે લોકશાહીમાં માનીએ છીએ અમે માનવાતામાં માનીએ છીએ. કારણ કે અમે ધર્મનિરપેક્ષ અને જનતંત્ર વાદી છીએ.

આવો વદતઃ વ્યાઘાત તમને ક્યાં જોવા મળશે?

આજ નેતાઓ તેમની કોંગીઓ સાથેની મિલી ભગતથી, કશ્મિરના વિભાજનવાદી નેતાઓને ભારતની જનતાએ ભરેલા કરવેરા દ્વારા સરકારે કરેલી કમાણીમાંથી બાદશાહી સગવડો અને સુરક્ષા આપે છે. તેઓ સૌ તાગડધિન્ના કરે છે. (જોકે મોદીકાકાએ કેટલીક સગવડો બંધ કરી છે).  મુસ્લિમ નેતાઓને આવી મફતની અને દેશને નુકશાન કરવાની સગવડો ભોગવામાં છોછ હોય. પણ કોંગીઓને પણ જરાપણ લજ્જા કે શરમ નથી.

 સુરક્ષાદળ જો પત્થરબાજને જીપ ઉપર બાંધી પોતાની સુરક્ષા કરે તો મુફ્તી, ફારુખ, ઓમર, અને કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડે છે. પણ કાશ્મિરમાં ૧૯૭૯૮૦માં આતંકવાદીઓએ ત્યાંના સ્થાનિક મુસ્લિમો અને નેતાઓના સહયોગથી હજારો હિન્દુઓની કત્લેઆમ કરેલી. બાકીનાઓને બેઘર કરી દશકાઓ સુધી નિરાશ્રિત બનાવ્યા.  તેમના પેટનું પાણી પણ હાલતું નથી.

કોંગી અને તેના સાંસ્કૃતિક સહયોગીઓની લોકશાહીની પરિભાષાઃ

આજ કોંગ્રેસીઓ જ્યારે કાશ્મિરમાં સાચા અર્થમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના થાય છે ત્યારે દેકારા પડકારા સાથે કૂદંકૂદા કરે છે.   કોંગીઓનું વલણ તેમના સાથીઓની જેમ દંભી, કોમવાદી અને લોકશાહી મૂલ્યોથી વિરોધી દિશામાં છે. કોંગીને ૧૦૦+ વર્ષ જુનો પક્ષ કહેવો તે મૂળ કોંગ્રેસીઓએ આપેલ ત્યાગ અને બલિદાનોનું અપમાન છે. જો મૂર્ધન્યો બીજું કશું ન કરે પણ જો તેઓ આ કોંગીઓના પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ન માને અને ન મનાવે તો તેમનું વાર્ધક્ય ઉજળું રહેશે. નહીં તો તેમના ધોળામાં ધૂળ જ પડશે.

મૂર્ધન્યો સમજવા માગતા હોય તો સમજેઃ

જો કોઈ એક પ્રદેશ, દેશનો એક હિસ્સો હોય, અને ત્યાં કોઈ પણ કારણસર લોકશાહી મૂલ્યોની રક્ષા થતી હોય, તો કેન્દ્ર સરકારની ફરજ છે કે ત્યાં લોકશાહીની સ્થાપના થાય. બાબતમાં જેઓ સ્થાનિક લોકોને કેમ પૂછ્યું એવો જે મુદ્દો ઉઠાવે છે તે અસ્થાને છે. સ્થાનિક લોકોને શું પૂછવાનું છે?

જે વખતે દેશી રાજ્યનું જોડણ થયું હતું, તે વખતે જે કંઈ પ્રક્રિયા બીજા દેશી રાજ્યો સાથે અપનાવેલી તેવી પ્રક્રિયા દેશી રાજ્ય પરત્વે અપનાવેલી. જે કંઈ ખોટું થયું તે શેખ અબ્દુલ્લા અને નહેરુને કારણે થયું, અને તે પણ લોકશાહી પ્રક્રિયા અપનાવ્યા વગર થયું, ગાંધીજી અને વલ્લભભાઈના મૃત્યુ પછી થયું.

તમે યાદ કરો. શું રાજાના સાલિયાણાં અને વિશેષ અધિકારો રાજાઓ સાથે ચર્ચા કરી નાબુદ થયેલા? રાજાઓ સાથે તો સહમતિ-કરારનામું પણ થયેલ. તો પણ તે રાષ્ટ્રપતિના અધ્યાદેશ દ્વારા તાત્કાલિક અસરથી લાગુ પાડેલ. અહીં તો આવું કશું કરારનામું અસ્તિત્વ ધરાવતું પણ નથી. ભારતની સંસદ, લોકશાહીમાં સર્વોચ્ચ છે. સંસદને પણ માનવ અધિકારોનું હનન કરવાની સત્તા નથી. વાતની, કટોકટીફેમ અને શાહબાનોફેમ કોંગીને ખબર હોય કે તેના સંસ્કારમાં ન હોય તે સમજી શકાય તેમ છે. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો તેને સમજી શકે તે વિધિની વક્રતા છે, કે ભારતીય સમાચાર માધ્યમોના અમુક મૂર્ધન્યો સાંસ્કૃતિક ગુલામી થી મૂક્ત થયા નથી. તેથી તેઓ બીબીસી, ન્યુ યોર્ક ટાઇમ્સમાં જે સમાચારો કે લેખો આવે તેને બ્રહ્મ સત્ય માને છે. આને પણ વિધિની વક્રતા કહેવાયને.

હા જી, કોંગીઓ અને તેના પ્રચ્છન્નઅપ્રચ્છન્ન સહયોગીઓ ઘણા ગતકડાં ઉત્પન્ન કરશે અને તેને ટ્રોલ (ચગાવશે) કરશે.

“જીડીપી વર્ષને તળીયે છે, અર્થતંત્ર પાયમાલ થયું છે”વદ્યા મૌની બાબા એમએમએસ. તેમને તો એ રાજા ઓ પેદા કરવા છે,

સુખાકારી ઈન્ડેક્સમાં ભારત ૧૦૫ થી ૧૫૫ના નંબરે, ફીટનેસમાં ભારત પંદર અંક ડાઉન, કુપોષણમાં ભારત ૧૨૫માં નંબરે ગબડ્યું, બેરોજગારી ઉચ્ચસ્તર પર, આનંદ પ્રાપ્તિમાં વિશ્વમાં ભારત ૧૨૪મા નંબરે, જલવાયુ માં ભારત ૨૪મે નંબરે ગબડ્યું, ૨૪ લાખ કંપનીઓ બંધ થઈ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. ફક્ત ૨૪ લાખ ઘુસણખોરો પકડાયા તે પણ શંકાસ્પદ, ચિદંબરસામેના કેસમાં બીજેપી સરકારનો ફિયાસ્કો દિવસને બદલે ચાર દિવસ સીબીઆઈને પૂછપરછ કરવા માટે આપ્યા. સરકારને ૩૩ ટકા ઘાટો.

ઉપરોક્ત આંકડાઓ સાચા નથી. રમૂજ માટે લખ્યા છે. કારણ કે જનતાને આવા આંકડાઓથી કશો ફેર પડતો નથી. જનતા તો પોતાને શું થાય છે અને પોતાને શું પ્રત્યક્ષ દેખાય છે તેની સમજણ પડે છે.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

જ્ઞાતિવાદના નામે ધૂણતા અને ધૂણાવતા ભૂવાઓને ડામ દો.

એક હતો ભારતીય ભૂવો.

એને બે ગુરુ. એક નું નામ રશીયા અને બીજાનું નામ ચીન. આ બંને ગુરુ પોત પોતાને બીજાથી મોટો ગુરુ માને. બંને પાસે સમાજવાદના નામનું ભુત. આ ભૂત આપણા ભારતીય ભૂવામાં ઘુસેલું. ક્યારે ઘુસ્યું હતું તેતો આપણા ભારતીય ભૂવાને પણ ખબર ન હતી. આ ભારતીય ભૂવાનું નામ હતું જવાહરલાલ નહેરુ.

નહેરુએ ૧૯૫૦ના દયકામાં ભાષાવાદના ભૂવાઓને ધૂણાવેલા.

બાલ ઠાકરે જીવ્યા ત્યાં સુધી ધુણેલા. અને આજે તેમના બે ચેલકા પણ ભૂવા બની ધૂણી રહ્યા છે. આ બધા જ ભુવાઓની ખાસીયત એ છે કે તેઓ ભૂત ઉતારવાને બદલે ભૂતને દાખલ કરે છે.

નહેરુ આમેય નાટકબાજ હતા. પહેલાં નહેરુ સમાજવાદના નામે ધૂણ્યા હતા. ચીને તેમને ૧૯૬૨માં એક ધોલ મારી એટલે જવાહરલાલ નહેરુ નામના ભૂવાની અંદર રહેલું સમાજવાદી ભૂત તેમને ધૂણાવતું બંધ થયું. રશીયાની કેજીબી નામના મોટા ભૂવાએ તે ભૂતને ઈન્દિરામાં ઉતાર્યું. ઈન્દિરા પણ ખૂબ ધૂણી. તે વખતે સમાચાર પત્રોમાં પણ એ ભૂત પેઠું અને સમાચાર પત્રો પણ સમાજવાદના “અહો રુપ અહો ધ્વનિ” ના નાદે ધૂણવા લાગ્યા.

નહેરુવંશી ભૂવાઓ પોતે પણ ધૂણે છે અને તેમના પક્ષના સભ્યો કે જેઓ અશરીરી  છે તેમને પણ ધૂણાવે છે. અને તેઓ દેશના અબુધ, સ્વકેદ્રી કે બેવકુફ લાલચી લોકોને પણ ધૂણતા કરી દે છે.

નહેરુવંશી ઇન્દિરાએ ૧૯૬૯થી ધર્મના ભૂતને પણ ગુજરાતમાં ઘુસાડેલ.

પોતાની નિસ્ફળતાઓને ઢાંકવા ૧૯૭૦થી અનામતનુ ભૂત પણ પછાતવર્ગના નેતાઓ રુપી ભૂવાઓમાં દાખલ કરી તેમને ધૂણતા ચાલુ કરી દીધેલા. આજે પણ એ લોકો ધૂણે છે.

૨૦૦૩-૪માં નહેરુવીયન કોંગના ભૂવાઓએ રાજસ્થાનમાં નીનામા અને ગુજ્જરોમાંના નેતાઓ રુપી ભૂવાઓમાં અનામતના ભૂતોને ઘુસાડેલ. નીનામા અને ગુજ્જરોના નેતા રુપી ભૂવાઓમાં આ ભૂતો એવા ધૂણ્યા એવા ધૂણ્યા કે આમ જનતાનો ખુરદો થઈ ગયો.

આ ભુવાઓ ધૂણ્યા અને સરપાવ પણ પામ્યા.

જમ ઘર ભાળી ગયો એના જેવું થયું. બીજેપી ના નેતાઓને ધૂણતા આવડે નહીં અને ભૂતને ઓળખતા પણ ન આવડે. એટલે તેમણે રાજસ્થાન પણ ગુમાવ્યું અને કેન્દ્ર પણ ગુમાવ્યું. આ અનામતનું ભૂત ઘણી જ્ઞાતિના ભૂવાઓને ધૂણાવતું આવ્યું છે. ભૂતને કોઈ જાતિ હોતી નથી. તેને શરીર પણ હોતું નથી. આ નહેરુવીયન કોંગ્રેસના ભૂવાઓને ધૂણવાની અને ધૂણાવવાની ફાવટ આવી ગઈ છે.

ભૂતો અત્યારે ધૂણી રહ્યા છે

આ નહેરુવીયન ભૂવાઓ કેજીબીની સલાહ પ્રમાણે અવનવા ભૂતો ઉત્પન્ન કરે છે અને પોતાના સભ્યોમાં અને બીજા બેવકુફોમાં દાખલ કરી તેમને ધૂણાવે છે. નહેરુવીયન કોંગ્રેસે ભારતમાં લઘુમતિ-ભૂત, દલિત ભૂત, બાંગ્લા ભૂત, મરાઠી-ભૂત, માઓવાદી-ભૂત, ઇસ્લામી-ભૂત, પર્યાવરણી ભૂત, કિસાન-ભૂત, ધર્મનિરપેક્ષ-ભૂત, મોદી-ફોબીયા–ભૂત, વિગેરે અનેક ભૂતોને તેમના ભૂવાઓમાં અને અબુધ જનતામાં ઘુસાડેલ છે. આ બધા ભૂતો અત્યારે ધૂણી રહ્યા છે.

મહાન પટેલોના વામણા સંતાનો

પાટીદાર ઉર્ફે પટેલ અનામત-ભૂત

હમણાં એક નવું ભૂત નહેરુવીયન કોંગ્રેસના પ્રચ્છન્ન ભૂવાઓએ ઉત્પન્ન કર્યું છે જેનું નામ છે “પાટીદાર ઉર્ફે પટેલ અનામત-ભૂત”.

મને બરાબર યાદ છે કે ૧૯૮૦ થી શરુ કરી ૧૯૮૫ સુધી આ દલિત અનામતનું ભૂત ગુજરાતમાં બહુ ધૂણવા માંડેલ.

આ નહેરુવીયન ભૂવાઓનો કોઈ ઉદ્ધાર ભૂત વગર કોઈ કરી શકે તેમ નથી.

આ પટેલોએ, દલિતોને અનામતથી વંચિત કરો અને અનામત માત્ર દૂર કરોના ટંકાર સાથે શંખનાદ અને ઘંટ નાદ પણ કરેલ. શાસને અનામતનો અધિકાર અમુક જ્ઞાતિઓને દલિત હોવાના કારણે અને હિન્દુઓની અમુક અંશે ચાલુ રહેલી સામાજીક માનસિકતાને કારણે આપેલો.  

અનામતનો મૃત્યુ ઘંટ વગાડનારા આ પટેલો આજે પોતાના માટે અનામતની માગણી કરી રહ્યા છે.  જે સમુદાયે વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ ભાઈલાલભાઈ પટેલ જેવા ઉચ્ચકક્ષાના નેતા આપ્યા, જેઓ અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર જ નહીં પણ ગુજરાતનું મુખ્ય મંત્રી પદ પણ ભોગવી રહ્યા છે. પટેલો ઠેઠ અમેરિકામાં મોટેલો ઉપર પ્રભૂત્વ ધરાવે છે. તે પટેલો આજે જન્મના આધાર ઉપર અનામત માટે માગણી કરી રહ્યા છે. શું પટેલોને  સમાજ  દલિત, અછૂત કે પતિત માને છે અને તેમના ઉપર અન્યાય કરે છે?

જો ખેડૂતોની વાત હોય તો તે એક અલગ વિષય છે. ખેતી એક વ્યવસાય છે. દરેક વ્યવસાયના લોકો પોતાની સંસ્થા ચલાવે છે અને સહકારથી કામ કરે છે. આજે તો ૭૫ટકા રાજકારણીઓ, હિરાભાઈઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ જમીનવાળા છે. એ બધા રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો છે. તો ખેડૂતો સહેલાઈથી સહકાર કરીને આત્મનિર્ભર બની શકે.

જો પટેલભાઈઓ ખેડૂતની વાત ન કરતા હોય અને જન્મે પટેલ છે, એવા સમુદાઈની વાત કરતા હોય તો કાયદો તેમને ઓળખતો નથી.

જેમ જભ્ભાવાળા, જેમ લેઘાંવાળા, જેમ ધોતીયા વાળા, જેમ ટાઈવાળા, જેમ બટેકાનું શાક ભાવવાવાળા, જેમ ભીંડાનું શાક ભાવવાવાળા, તલવાર કટ મૂંછો રાખવાવાળા,  હિટલર કટ મૂંછો રાખવાવાળા, બ્રશકટ મૂંછો રાખવા વાળા, આ બધા પોતપોતાનું મંડળ રચી શકે છે અને સહકાર કરી શકે છે. સરકાર તેમાં આડે આવશે નહીં. પણ આ લોકો વિશેષ સવલતો માગી ન શકે. કાલે નાકમાં ચૂનીવાળી મહિલાઓ અને ચોરણા વાળા પુરુષો કહેશે કે અમે મોટાભાગના ગરાસીયા છીએ એટલે અમને ગરાસીયાઓને અનામત આપો. (ચરણ સીંગે એવી જાહેરાત કરેલી કે ધોતીયા વાળાને ફાઈવસ્ટાર હોટેલમાં ૨૦ ટકા ડિસકાઉન્ટ આપવામાં આવશે. ગાંડપણની પણ કંઈ હદ હોય છે !!)

 અસ્પૃષ્યોની અને દલિતોની વાત અલગ છે. કારણકે તેમને સામાજીક માનસિકતાના સંદર્ભમાં જોવામાં આવ્યા હતા. જો કે આ લેખનો હેતુ તેમની અનામત યાવતચંદ્રદિવાકરૌ સુધી રહે કે ૨૦ વર્ષથી વધુ સમય સુધી રહે એવો નથી. જે શાસક પક્ષ ૨૦ વર્ષ શાસન કરે અને છતાં અનામતને ચાલુ રાખવી પડે અને  તે તેવી ભલામણ પણ કરે તો તેની માન્યતા રદ કરવી જોઇએ અને તેની સંપત્તિ જપ્ત કરવી જોઇએ.

ભૂતને “મરવા પણું હોતું નથી” કારણ કે જેને શરીર હોય તેનો જન્મ અને નાશ હોય. ભૂતને તો શરીર હોતું નથી. પણ એ જે જે શરીરોમાં જાય તે તે શરીર રાજા પાઠમાં આવી જાય. “હું મરું પણ તને રાંડ કરું” એવા મમત ઉપર આવી જાય. આ ભૂત કેશુભાઈ અને અડવાણીમાં પણ ઘુસેલ. અડવાણીએ શિવરાજ ચૌહાણમાં ઘુસાડવાનો પ્રયત્ન કરેલ. પણ અડવાણી નિસ્ફળ નિવડેલ.

કેશુભાઈને તો દરેક ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ “ખહ” (ખજવાળ, વલુળ) ઉપડે છે અને પાડાની જેમ સમાચાર માધ્યમ રુપી ઝાડના થડ સાથે એટલું બધું શરીર ઘસે છે કે ચામડીમાંથી લોહીની ટશેરો ફૂટે અને શરીર લોહી લુહાણ થઈ જાય. સમાચાર માધ્યમ રુપી ઝાડને કશું થતું નથી કારણ કે આ ઝાડ તો બધા બનાવટી છે અને પ્લાસ્ટિકના છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ અનામત, ભૂત, લઘુમતિ-ભૂત, દલિત ભૂત, બાંગ્લા ભૂત, મરાઠી-ભૂત, માઓવાદી-ભૂત, ઇસ્લામી-ભૂત, પર્યાવરણી ભૂત, કિસાન-ભૂત, ધર્મનિરપેક્ષ-ભૂત, મોદી-ફોબીયા–ભૂત, વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ, મોટેલ, કેશુભાઈ પટેલ, હું મરું પણ તને રાંડ કરું

   

Read Full Post »

%d bloggers like this: