Feeds:
Posts
Comments

Posts Tagged ‘વિકાસ’

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૨. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

INDIA OF OUR DREAM

જ્યારે સ્વપ્નના ગામ વિષે વિચારીએ ત્યારે એ પણ જાણી લેવું જોઇએ કે ગામ માટે કોણે કેવા સ્વપ્નો જોયા છે! અને તેના બદલાતા સમાજ સાથે કદમ મિલાવી શકે અને એટલે કે સ્થાયીપણા માટેની તેની ક્ષમતા કેટલી હતી!
આ લેખને વાંચતા પહેલાં
“સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ – ૧” ના શિર્ષક વાળો લેખ વાંચવો.

ગાંધીજીના સમયે શું પરિસ્થિતિ હતી?

ગાંધીજી હિન્દુસ્તાનના સાત લાખ ગામડાઓની વાત કરતા હતા. તે અખંડ હિન્દુસ્તાન હતું. હવે કદાચ પાંચ લાખ ગામડાં હશે. એ જે હોય તે. આપણે તેની સમસ્યાઓ અને નિવારણની શક્યતાઓ ગાંધીવાદની રીતે વિચારીશું.

(૧) ગાંધીજીનું સ્વપ્ન એ હતું કે ગામડાં સ્વાવલંબી હોય,
(૨) રહેવાને માટે સૌને સુંદર અને સગવડવાળું ઘર હોવું જોઇએ.
(૩) સૌને સુખી અને તંદુરસ્ત રીતે જીવન જીવવા માટેની જરુરીયાતો સરળતાથી ઉપલબ્ધ હોવી જોઇએ. આ માટે પ્રાથમિક શિક્ષણ, સક્ષમ અને ફરજીયાત હોવું જોઇએ. સહયોગ અને મદદ કરવાની વૃત્તિ, સામાજીક વર્તનમાં સંસ્કારિતા અને નાગરિક ફરજો (સીવીક સેન્સ) એ પ્રાથમિક શિક્ષણનું અભિન્ન અંગ હોવું જોઇએ.
(૪) સમાજમાં શોષણ ન હોય, એટલે કે માલિક, મજુરનું શોષણ ન કરે.
મશીન મનુષ્યનું ગુલામ હોવું જોઇએ. મનુષ્ય મશીનનો ગુલામ ન હોવો જોઇએ.
(૫) ગામડાંમાં થતું ઉત્પાદન અને શહેરમાં થતું ઉત્પાદન એકબીજાને પૂરક હોય,
(૬) જ્ઞાનના દરવાજા સૌને માટે ખુલ્લા હોવા જોઇએ.
(૭) સરકારી દખલ ન્યૂનતમ હોવી જોઇએ. અને સરકારી વ્યવહારમાં પારદર્શિતા હોવી જોઇએ.
(૮) સમાજના વર્ગો વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે સંવાદ હોવો જોઇએ મનુષ્ય મનુષ્ય વચ્ચે સંવાદ હોવો જોઇએ.
(૯) બહ્માન્ડ ના વર્તનની અને નિયમોની સમજણને વિજ્ઞાન સમજવું અને તેના ઉપકરણોને યંત્ર સમજવા. આ યંત્રનો ઉપયોગ લાંબાગાળાના સુખ માટે કરીએ તેને ત્યાજ્ય ન ગણવું. પણ ધ્યાન એ રાખવું કે તેમાં સામાજીક અને પ્રાકૃતિક લય જળવાઈ રહે.
(૧૦) મનુષ્ય જીવનનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું છે. આનંદ, નિરોગી શરીરથી મળે છે. આનંદ, જ્ઞાન અને “સ્વ”ની ઓળખ(આઈડેન્ટીફીકેશન અને વિશેષતાને મળતી સામાજીક માન્યતા) અને બીજાને મદદરુપ થવાને ને કારણે મળે છે. સ્વના આનંદ માટે સ્પર્ધા કે બીજાને પરાજય આપવો જરુરી હોતો નથી. કળા અને જ્ઞાનના વિકાસ દ્વારા પણ “સ્વ”ની ઓળખ મળે છે.

જ્યાં સુધી ઉપરોક્ત બાબતો સમજવામાં ન આવે અને તેનો સ્વપ્નના ગામાની સંરચના કે પૂનર્રચનામાં સમાવેશ ન કરવામાં આવે ત્યાં સુધી તે આદર્શ, સુખી અને સુઘડ ગામ બની ન શકે.

ગામડાનું સ્વવલંબનઃ

આ એક બહુ છેતરામણો શબ્દ છે. અને આ બાબત ઉપર ઘણું રાજકારણ ખેલાય છે અને અનીતિઓ આચરાય છે.

ગામડું એટલે શું?

(૧) ગામડું એટલે સૌ નજીક નજીક રહેતા હોય,

(૨) ગામડામાં સૌ એકબીજાને ઓળખતા હોય એટલે કે સંવાદ કરવાનીઅવસ્થામાં હોય,

(૩) સૌ કામ કરતા હોય, અને કૌટૂંબિક ભાવનાથી જીવતા હોય,

(૪) મોટાભાગની વસ્તુઓ ગામડામાં જ ઉપલબ્ધ હોય એટલે મનુષ્ય અને માલના પરિવહનનો ખર્ચ લઘુતમ હોય.

(૫) સૌને હવા ઉજાસ વાળું અને સગવડવાળું ઘર હોય,

(૬) રમવાને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવા માટે મોકળાશ હોય,

(૭) કુદરતી સૌંદર્ય એટલે કે ઝાડપાન સહજ હોય,

જો આ બધી બાબતોની સમગ્રતાને ધ્યાનમાં રાખીએ તો ગામડું, કસ્બો, મધ્યમ કક્ષાનું ગામ કે શહેરના વિસ્તારો જેવા કે પોળ, શેરી, સોસાઈટી, લત્તો, એ બધાને જ આપણે “ગામડું” એવી વ્યાખ્યામાં લઈ શકીએ અને તે પ્રમાણે તેની સંરચના/પૂનર્ રચના કરી શકીયે.

આમાં કયા એકમો અને પરિબળો અને નિયમો ભાગ લે છે તે પહેલાં સમજી લેવું જોઇએ. અને તે વિષેના આપણા ખ્યાલો સુધારવા જોઇએ.

આપણે શહેરોને તોડી શકવાના નથી. પણ હયાત શહેરોમાં સુધારા કરી શકીશું.

જમીન, મકાન, ઉત્પાદકો, કાચોમાલ, ઉત્પાદન, ઉત્પાદનની પ્રક્રિયાઓ, સુખસગવડના સાધનો, માલિકીના હક્કો અને મનુષ્યના વલણો વિષે ચર્ચા કરવી જોઇએ અને તેમાં ફેરફાર કરવા જોઇએ.

જમીન અને જમીનના ભોગવટાના હક્કોઃ

વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીના કહેવા પ્રમાણે પણ જમીનની માલિકી કોઈ વ્યક્તિની ન હોઈ શકે. જમીન એ ધરતી છે. ધરતી એ સૌ સજીવોની સામુહિક માતા છે. તે સૌની છે. અને સૌ સૌનો જુદી જુદી રીતે ભોગવટાનો હક્ક છે. પણ મનુષ્ય સમાજ આ ભોગવટાનું નિયંત્રણ કરશે.

મહાત્મા ગાંધીનો સમય એ એવો સમય હતો કે જ્યારે અખંડ ભારત બહુ વિશાળ દેશ હતો. વસ્તિ વધારાની સમસ્યા ન હતી. ગામડાઓ મહદ અંશે સ્વાવલંબી હતા જો કે તેની ભાંગવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ હતી. પણ તે રોકી શકાય એમ છે તેમ માનવામાં આવતું હતું.

ગામડાંને સ્વાવલંબી કરવા માટેની કાર્યવાહી થઈ શકે તેવી ઈચ્છા શક્તિ ન હતી. મૂડીવાદ અને અતિ-મૂડીવાદ (સામ્યવાદ) ની વિચાર સરણીઓ અને તેની ચાહના પ્રત્યેની વૃત્તિઓ પ્રબળ અને વિકાસશીલ બનતી જતી હોવાથી, સ્વતંત્ર ભારતના રાજકર્તાઓ કોઈ દૂરદર્શિતા અપનાવી શક્યા નહીં. આ ઉપરાંત સર્ચોચ્ચ શાસક દ્વારા પોતાના સ્વકેન્દ્રી (જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી), વંશ કેન્દ્રી (સત્તાનું કેન્દ્ર નહેરુવંશી માટે જ આરક્ષિત) સત્તાલાલસાને કારણે નીતિમત્તાને જાણી જોઈને અવગણવામાં આવી. કાયદાના રાજનું પતન થયું અને સમાજ નો મોટોભાગ નીતિહીન બન્યો.

જે રીતે શહેરોનો વિકાસ કરવામાં આવ્યો તેમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહીં ને જે કંઈ આયોજન થયું તેનો અધિકારીઓની (ન્યાયાલય અને જનપ્રતિનિધિઓ સહિતની) અનીતિમત્તાએ અમલ ન કર્યો એટલે જમીનના વહીવટમાં અરાજકતા આવી. જમીન અને તેના ઉપયોગે દેશને દિશાહીન કર્યો.
વસ્તિવધારો અંકુશમાં રાખી શકાયો નથી. અને અથવા માનવ શક્તિનો તેના સુયોગ્ય શ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં ન આવ્યો તેથી પણ જમીન અને તેના ઉપયોગમાં પાયમાલી આવી.

આવી પરિસ્થિતિનો સુયોગ્ય સામનો કઈ રીતે થઈ શકે?

જમીનની માલિકી દેશની ગણવી પડશે.

આનો અર્થ એ થયો કે જમીનની માલિકી રાજયની રહેશે. કેન્દ સરકાર તેના ઉપયોગના નિયમો બનાવશે. સ્થાનિક કક્ષાએ તેનો અમલ થશે. અને કેન્દ્ર સુધીના સત્તાધીશો તેની ઉપર નજર રાખશે.

સૌ પ્રથમ સમજી લો કે જમીન અને વનસ્પતિ અમૂલ્ય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કરી શકાય છે. પણ જમીન વિષે શું છે?

જમીન વધી શકે છે?

હાજી જમીન વધી શકે છે.

જમીન કેવી રીતે વધી શકે?

ખરાબાની જમીનને નવસાધ્ય કરોઃ ખરાબાની જમીન એ એક કાચો માલ છે. તેને એક માનવશક્તિના ઉપયોગનો અવસર સમજો.

જે જમીન છે, તેનો વ્યય ન કરો.

(૧) ઝોંપડ પટ્ટી એ જમીનનો વ્યય છે,

(૨) એકમાળી કે ચાર-પાંચમાળી મકાનો એ પણ જમીનનો વ્યય છે.

(૩) ફળદ્રુપ જમીન ઉપરની ખેતી એ પણ જમીનનો વ્યય છે કારણ કે અનાજના ઉત્પાદન માટે આપણે બે ઈંચથી છ ઈંચના ઉંડાણ સુધીની જમીનનો જ ઉપયોગ કરીએ છીએ. અનાજનું ઉત્પાદન એક માળી ઉત્પાદન છે. વૃક્ષ ઉપર થતું ઉત્પાદન બહુમાળી ઉત્પાદન છે. બહુ માળી ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને જમવાની આદતો બદલો.

(૪) ખારાશવાળી જમીનને નવસાધ્ય કરીને યોગ્ય માવજત દ્વારાઅનાજનું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન મકાનની અગાશીમાં, ગેલેરીઓમાં કે ખાસરીતે ખેતી માટે જ બનાવેલા બહુમાળી મકાનોમાં કે તેના હિસ્સાઓમાં અનાજનું ઉત્પાદન કરી શકાય છે.

(૫) ગોચરની માટે જમીન અલગ ફાળવવી એ પણ જમીનનો વ્યય છે. જમીન ઉપર ઘાસ ઉગાડવું એ જમીનનો વ્યય છે. ઘાસનું ઉત્પાદન પણ ઉપરોક્ત અનાજના ઉત્પાદનની જેમ કરી શકાય.

(૬) વાહનો ના પાર્કીગ માટે જમીન ફાળવવી એ જમીનનો વ્યય છે. વાહનોના પાર્કીંગં માટે ભોંય તળીયા અને અન્ય માળ ઉપર આયોજન સાથે જગ્યા ફાળવી શકાય.

(૭) વિમાનતળ ની જગ્યા એ જમીનનો વ્યય છેઃ આજના ઝડપી જમાનામાં કે તે સિવાય પણ આપણે વિમાનોને નષ્ટ કરી શકીશું નહીં. વિમાન ના ઉતરાણ માટે રનવે જોઇએ. જ્યાં સુધી નવી શોધ ન થાય ત્યાં સુધી આપણા વિમાની મથકો અસ્તિત્વમાં રહેશે અને તે ઉપરાંત નવા વિમાન મથકો પણ બનાવવા પડશે. વિમાનના રનવે માટે લાંબી જમીનની સખત પટ્ટી ઓ જોઇએ. વિમાનની મહત્તમ પહોળાઈ જેટલી તો જોઇએ જ. બાકીની જગ્યામાં તમે ઘાસ અને અનાજ ઉગાડી શકો. જો કે પક્ષીઓનો ઉપદ્રવ થાય. પણ પક્ષીઓને અને તીડોને ભગાડવા માટે અમૂક કંપનો વાળો અશ્રાવ્ય અવાજ આ સમસ્યાને ઉકેલી શકે છે.

(૮) શું તળાવ અને નદીઓ જમીનનો વ્યય છે?

નાજી. તળાવ અને નદીઓ જમીનનો વ્યય નથી. પણ નહેરોને તમે ભૂગર્ભ કરી ને કે તેના ઉપર સોલર પેનલો રાખીને બનાવી શકો.

(૯) શું રસ્તાઓ જમીનનો વ્યય છે?

હા અને ના.

જો આયોજન વગર રસ્તાઓ બનાવ્યા હોય તો તે ખર્ચાળ અને મુશ્કેલીઓ ઉભા કરનારા બને છે.
રસ્તાઓ માટે વપરાતી જમીનનો કરકસર ભર્યો ઉપયોગ કેવી રીતે કરવો?

(૧) રસ્તાઓ પણ ભૂગર્ભ અને બહુમાળી બનાવી શકાય છે.

(૨) જળમાર્ગો બનાવી શકાય, જેથી જળ વધુ જમીનમાં ઉતરે અને સંચય થાય.

(૩) ઉત્પાદનને અને ખાસ કરીને અન્ન, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદનને વધુને વધુ પ્રમાણમાં સ્થાનિક બનાવીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૪) વાહનોની ગતિને અવરોધતા ઓછામાં ઓછી કરીને રસ્તાઓ ઉપરનું દબાણ ઓછું કરી શકો.

(૫) રસ્તાઓ બનાવવા માટે આસપાસનીની બંને બાજુએથી માટી લઈ રસ્તાની જમીનને ઉંચી કરવી પડે છે. રસ્તાઓ અને રેલ્વે માર્ગને સમાંતર રાખી તેની બંને બાજુએ નહેરોને બનાવી શકાય. તે ઉપરાંત ફ્ળોના વૃક્ષોની હરોળો રાખી ફળ અને ઘાસનું ઉત્પાદન કરી શકાય.

(૬) રસ્તાઓની બંનેબાજુ ટ્રાન્સમીશન ટાવરો અને તેની ઉપર પવન ચક્કીઓ રાખીને પ્રાકૃતિક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.

(૭) ટ્રાન્સમીશન ટાવરો ના ફ્રેમવર્ક ઉપર સોલરપેનલો ગોઠવી વિદ્યુત ઉર્જા બનાવી શકાય.

(૮) સંભવ છે કે વખત જતાં રસ્તા ઉપરના આ ઉર્જાશ્રોતો વાહનો માટે ઉર્જા આપનારા બની રહે.

(૯) હાલનો જમાનો ઈન્ટરનેટનો જમાનો છે. તેથી ઘણા જ કર્મચારીઓને તમે તેઓ ઘરે બેઠા બેઠા કામ કરે તેવી વ્યવસ્થા ઉત્પન કરી શકાય તેમ છે. આમ કરવાથી વાહન વ્યવહારનો રસ્તા ઉપરનો બોજો ઘટશે.

(૧૦) રસ્તાઓ અને ઝડપ ઘણા ઉપયોગી છે અને જ્ઞાન, સંવાદ, આદાનપ્રદાન, પ્રવાસન ઉદ્યોગને બહુ ઉપયોગી છે. તે ઉપરાંત વિપત્તિના સમયે તે બહુ ઉપકારક બને છે.

જમીનને નવસાધ્ય કેવી રીતે કરી શકાય?

 Saline land to be converted to furtile land

ખરાબાની જમીન જો તે સામાન્ય ક્ષારવાળી હોય તો તેને સેન્દ્રીય અને જૈવિક ખાતરોથી ફળદ્રુપ બનાવી શકાય છે. ખરાબાની જમીન પણ આવા પ્રકારમાં આવે છે. તેને ફળદ્રુપ કરવા માટેના હજાર રસ્તાઓ છે.

દરીયાઈ ક્ષારવાળી રણની જમીનઃ આ જમીનને ફળદ્રુપ કરી શકાય છે અને તકનિકી દ્વારા મીઠું (નમક), શુદ્ધ પાણી, ખેત તલાવડી, ખેતી, ઘાસ, ઉર્જા આપે તેવા પાક, વૃક્ષ, અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરી શકાય છે. કાળક્રમે તેનું જંગલમાં રુપાંતર કરી શકાય છે.

તળાવ અને નદીના કિનારાઓને વિકસાવી ત્યાં ઉત્પાદન, પ્રવાસન અને રહેણાકના ક્ષેત્રો સુયોગ્ય આયોજન દ્વારા બનાવી શકાય છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, જમીન, ભૂમિ, ભોગવટા, હક્ક, માલિકી, સોલર સેલ, પવન ચક્કી, વસ્તિ, ગામડાં, સ્વાવલંબી, ઉત્પાદન, રસ્તા, ભારણ, આનંદ, સુખ સગવડ, પ્રાથમિક, શિક્ષણ, સહયોગ, શોષણ, જ્ઞાન, સરકાર, સંરચના, નાગરિક, નદી, તળાવ, વિકાસ

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નરેન્દ્ર મોદી વિષે આવું કશું નથી. અને જે વિવાદસ્પદ વાતો છે તેને પણ જો લક્ષ્યમાં લેવામાં આવે તો તેની સંખ્યાત્મક સરખામણી થઈ શકે તેમ નથી. વળી જુઓ, નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ગરીબ કુટુંબમાંથી આગળ આવેલી છે. નરેન્દ્ર મોદીને તેની માતાએ લોકોના ઘરના કામ કરીને ભણાવેલ છે. નરેન્દ્ર મોદી ખાલી ખીસ્સે ઘરનો ત્યાગ કરીને નિકળી પડેલ. તે સમાજના દરેક નિમ્નાતિનિમ્ન કક્ષાના જીવનમાંથી પસાર થયેલ છે. ખાલી ખીસ્સે હિમાલયમાં વર્ષો સુધી ભટકેલ છે. નરેન્દ્ર મોદી જગતને અને તેના લોકોને વધુસારી રીતે જાણે છે. તે લેખક અને કવિ પણ છે. બહુશ્રુત છે અને વાચનનો શોખિન છે. “વાંચે ગુજરાત”ના કાર્યક્રમમાં તેણે ગાધીજીનું “મારા સ્વપ્નનું ભારત” એક વધુ વાર વાચ્યું છે. આવી એક વ્યક્તિ, જે વિકાસના મુદ્દા ઉપર મત માગીને બંધારણીય પ્રક્રિયા દ્વારા સતત ચૂંટાઈ આવે છે. નરેન્દ્ર મોદીનો કોઈ એવો સરમુખત્યારીનો ટ્રેક રેકોર્ડ નથી. આ અને આવા નરેન્દ્ર મોદીને તમે લોકસભાની ચૂંટણીમાં દેશને માટે ખતરનાક ગણો છો? આ તે કેવી તમારી વિડંબણા કે તર્કહીન, પ્રમાણભાન હીનતા અને આત્મવંચના છે?

તમે ૨૦૦૨ને ભૂલવા માગતા નથી.

તમે ૨૦૦૨ ના દંગાઓને એટલે કે મુસ્લિમોની થયેલી જાન હાનિને ભૂલવા માગતા નથી એવું બતાવીને તમે તમારી કહેવાતી અસંવેદનશીલતાનું પ્રદર્શન કરવામાં માનો છો. તમે એ પણ ચર્ચા કરી કે તમારા કહેવા પ્રમાણે સમાચાર માધ્યમો ૨૦૦૨ના દંગાને ભુલી જવાનું કહે છે.  આ દંગાઓમાં તો હિન્દુ અને મુસ્લિમ બંને મરાયેલા. પણ ૧૯૮૪ની કત્લેઆમમાં તો નિર્દોષ શિખ લોકો એકલા જ અને તે પણ હજારોની સંખ્યામાં કતલ કરાયેલા. ૧૯૯૦-૯૧ની કત્લેઆમમાં તો કાશ્મિરી હિન્દુ એકલા જ હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને પાંચ લાખને ખદેડી મુક્યા તે આજ પર્યંત નિરાધાર છે.

વદતો વ્યાઘાત

૧૯૬૯, ૧૯૮૩, ૧૦૮૪, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮ જેવા અનેક પ્રકરણો ભારતમાં બન્યા છે. આની તો તમે કોઈ વાત પણ કરતા નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરો છો. આ તો વદતો વ્યાઘાત નું જ ઉત્તમ ઉદાહરણ તમે પુરું પાડો છો. તમારા ઉપર કોણ વિશ્વાસ કરશે?

શું નરેન્દ્ર મોદી તમારું એકમાત્ર ભક્ષ્ય છે?

આમ તો દેશમાં અનેક નેતાઓ છે અને તેઓ સઘળા પોતાની જાતે જ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોતે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે, શક્યતા વાળા છે  અને તૈયાર છે એવું જાણવા મળતું રહ્યું છે. આમાં સમાચાર માધ્યમોએ નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેર્યું. નરેન્દ્ર મોદી જનતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેવું હવે તેમના વિરોધીઓ અને દુશ્મનો પણ સ્વિકારતા થયા છે. નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે મંજુર કરાવવા માટે જે કંઈ થયું તે સૌ કોઈએ એટલે કે મોદી-વિરોધીઓએ પોત પોતાની આદતો અને માનસિકતા પ્રમાણે જોયું. નરેન્દ્ર મોદીના વિરોધીઓએ આ બાબતને નરેન્દ્ર મોદી વિષે વધુ નવા વિશેષણો બનાવવાનો મોકો બનાવ્યો છે. આમ તો મોટા ભાગના પક્ષ એક જ નેતાની જાગીર જેવા છે. લોકશાહી પક્ષ માટે આ અનુરુપ ન કહેવાય. બીજેપી આમાંથી બકાત છે.

વિદેશોમાં પક્ષના નેતાની સભ્યોદ્વારા ચૂંટણી થાય છે. ત્યાંના રાજકીય વિશ્લેષકો આ વાતને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ માને છે. પણ ભારતમાં એક વંશીય શાસન, આપણા કોંગીનેતાઓ, તેમના સહયોગીઓ અને રાજકારણીય વિશ્લેષકોને ફક્ત ગોઠી ગયું છે એટલું જ નહીં, પણ હૃદયમાં સોંસરવું ઉતરી ગયું છે, તેથી જો કોઇ બીજેપી જેવા પક્ષમાં નેતાની પસંદગી થાય તો આ બધા મહાનુભાવોના મગજ ક્ષુબ્ધ થઈ જાય છે. તેમને પોતાની આ મનોસ્થિતિમાટે શરમ પણ આવતી નથી.

ઘીના ઠામમાં ઘી પડ્યું. તમારા પેટમાં શાને ઉકળતું તેલ?

દરેક પક્ષને આમ તો પોતાનું બંધારણ હોય છે. પણ દરેક પક્ષને પોતાના બનવા માટે અલગ અલગ કારણ હોય છે. ભારતના કેટલાક નેતાઓમાં અહંકાર વૃત્તિ અને સ્વકેન્દીપણું કંઈક વધુ  હોવાના કારણે આવા કંઈક નેતાઓએ પોતાના પક્ષો બનાવ્યા છે. આવા પક્ષોમાં ઈન્દીરા ગાંધીનો કોંગી યાને કોંગ (ઈ), મુલાયમનો સ.પા., મમતાનો ટીએમસી, લાલુપ્રસાદનો આરજેડી, વિગેરે અનેક પક્ષો આવે છે. તે સૌનું પોત છે. આ બધા સૌ નેતાની ચૂંટણીનું નાટક કરે છે. નાટકેય કર્યા વગર અને ચર્ચા વાદવિવાદ કર્યા વગર નેતાનો ઠરાવ પાસ કરી દે છે. જો આપણે પક્ષીય રાજકારણમાં માનતા હોઈએ તો પક્ષની આંતરિક બાબતમાં વ્યક્તિગત બાબતોમાં આપણે આપણી ચાંચુડી ખોસવી જોઇએ નહીં. પક્ષને તેના પોત પ્રમાણે મૂલવવો જોઇએ. વ્યક્તિ મોટી છે કે પક્ષ તે તો પક્ષ પોતે જ તેની પ્રક્રિયાઓ દ્વારા કહેશે. અન્યોએ તેમાં આધારહીન ધારણાઓ કરવાની જરુર નથી. ધારણાઓથી કોઈને ગુનેગાર ઠેરવી ન શકાય.

દેશમાં વડાપ્રધાનનું પદ એક છે.

અનેક નેતાઓમાંથી એકની પસંદગી થાય છે. બાકીના અનેક બાકી રહી જાય છે. બીજેપીએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી. આ જે વ્યક્તિ પસંદ થઈ તે તમને પસંદ નથી માટે તેને સરમુખત્યાર, અષ્ટકુટ, દુરાચારી, વિગેરે જે કોઈ વિશેષણો હાથવગા થાય તે બધા જ વિશેષણોથી તે વ્યક્તિને ભૂષિત કરી દો છો તેથી તમને કદાચ આત્મતુષ્ટિ મળતી હશે પણ તમારો આ વાણીવિલાસ જનતાને વરવો લાગે છે.

શેઠની શિખામણ ઝાંપા સુધી.

પક્ષના નેતાની પસંદગી એ પણ એક જાતની ચૂંટણી છે. “ચૂંટણી એક પર્વ છે”. આમ વિનોબા ભાવેએ કહ્યું છે. પણ આપણા આ વિનોબા ભાવેના અનુયાયીઓ “શેઠની શિખામણ ઝાંપા સુધી” એમ માને છે. બીજેપી તેના નેતાને પોતાની પ્રક્રિયા દ્વારા પસંદ કરે છે. તેમાં જનમત પણ એક પરિબળ છે. વાસ્તવમાં તો જનાધારને જ મુખ્ય પરિબળ ગણવું જોઈએ. પણ તમો જોકે પોતાને ગાંધીવાદી માનો છો, જનાધારની વાતને અગમ્ય કારણસર નજર અંદાજ કરે છો. તમે તો એવી તારવણીઓ કાઢો છો કે મોદીએ બીજાને પછાડી દીધા. મોદી સત્તા લાલચુ છે. મોદી પોતાને પક્ષ કરતાં મહાન માને છે. મોદી સરમુખત્યાર છે. પણ તમે જાણો છો કે આવી વાતો તો દરેક નેતા કે જે જીતતો હોય તેને માટે કરી શકાય.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના વક્તાઓએ નરેન્દ્ર મોદીના ઉચ્ચારણોને કેવી રીતે જોયા?

ભારતનું સ્વપ્નઃ

મહાત્મા ગાંધીએ ભારત માટે એક સ્વપ્ન જોયેલું. આદર્શ સમાજ કેવો હોય તે માટે તેમની એક વિચાર ધારા હતી. તેના આધાર ઉપર તેમણે એક પુસ્તક લખેલું. તે પુસ્તકનું નામ હતું “મારા સ્વપ્નનું ભારત”. મોટા ભાગે દરેક દેશવાસીનું પોતાનો દેશ કેવો હોવો જોઇએ તે માટેનું એક સ્વપ્ન હોય છે. સ્વપ્ન સેવવું તે દરેકનો અધિકાર છે. નરેન્દ્ર મોદીનો પણ અધિકાર છે.

હવે તમને જો એમ લાગ્યું કે નરેન્દ્ર મોદીની ફલાણી વાત બરાબર નથી તો તમે તે વાત પુરતી ચર્ચા કરો. તમે તે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે કરો કે જનતા સાથે કરો. પણ તમે એવું તો તારવી જ કેવી રીતે શકો કે “નરેન્દ્ર મોદી એટલે ઈન્ડીયા અને ઈન્ડીયા એટલે નરેન્દ્ર મોદી” એમ નરેન્દ્ર મોદી માને છે? નરેન્દ્ર મોદીની એક વેબસાઈટ છે. તે દ્વારા તમે તેની સાથે ચર્ચા કરી શકો છો. તમે તેની મુલાકાત પણ માગી શકો છો. મહાત્મા ગાંધી સંવાદમાં માનતા હતા. તમે કેમ વિસંવાદ કરો છો?

વોટ ફોર ઈન્ડીયાઃ

નરેન્દ્ર મોદીએ ભારતની સમસ્યાઓ વર્ણવી. આ સમસ્યાઓને નહેરુવીયન કોંગ્રેસ તેના નિરપેક્ષ અને  અબાધિત ૪૫ વર્ષના શાસન ૧૧ વર્ષના ગઠબંધન શાસન પછી પણ સુલઝાવી શક્યા નથી. જોકે આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ પોતે અરબોપતિ થઈ ગયા છે. પણ દેશની ૬૬ ટકા જનતા કે તેથી વધુ જનતા, ગરીબી રેખાની નીચે છે. ૬૦ વર્ષના શાસનને અંતે નહેરુવીયન કોંગ્રેસ “મનરેગા” લાવે અને પોતાની પીઠ થપથપાવે અને તમે તાલીઓ પાડો એ તમને શોભતું નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓ દેશની આગવી પ્રાચીન વિશેષતા અને દેશનું ગૌરવ સ્થાપી શક્યા નથી. એટલું જ નહી પણ તેમણે બાહ્ય અને આંતરિક અનેક નવી સમસ્યાઓ જાણ્યે અને અજાણ્યે ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ હાકલ કરી કે હવે ધીરજ ધરીને નહેરુવીયન કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવો તે દેશના હિત માટે યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે આ સમસ્યાઓ રહિત દેશ કરવા માટે તમે મત આપો. “તમે નહેરુવીયન કોંગ્રેસને ૬૦ વર્ષ આપ્યા મને ૬૦ માસ આપો” આમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી અજ્ઞાની છે.

તમે નરેન્દ્ર મોદીને ઈતિહાસનું જ્ઞાન પણ નથી એવું કહ્યું. નરેન્દ્ર મોદીએ એક યુવતિની જાસુસી કરાવી. આ કહ્યું ખરું પણ ફોડ ન પાડ્યો. જો ફોડ પાડ્યો હોત તો તમે જનતાની નજરમાં કમસે કમ યુવતીની બાબતમાં તો ફુસ થઈ જાત. કોઈએ કશું ટેપ કર્યું અને રેકોર્ડ કરીને બહાર પાડ્યું. પણ બધું બભમ બભમ છે. તમે જુઓ, ઉંડા ઉતરો, સમજો અને પછી બોલો તો તમને શોભે.

ચંદ્રગુપ્ત

 ચન્દ્ર ગુપ્ત

નરેન્દ્ર મોદીના ઇતિહાસના જ્ઞાનમાં કશી કચાશ નથી. કાંતો તમે તેના વિરોધીઓએ પોતાના ઇતિહાસના અર્ધદગ્ધ જ્ઞાન થી મોદીની વાતનો ખોટો અર્થ કર્યો છે, કાંતો તમે તેના સાથી છો અથવા તમે પણ ઇતિહાસનું તે વાત વિષેનું જ્ઞાન ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ કહેલ કે પટણા આવવાથી તેને ચંદ્રગુપ્ત યાદ આવે છે. તક્ષશીલા યાદ આવે છે. નાલંદા યાદ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય). એમ બે ચંદ્ર ગુપ્ત થઈ ગયા છે. ચંદ્રગુપ્ત મૌર્યે વિશ્વ વિજયી ગ્રીકોને હરાવેલ. ચંદ્રગુપ્ત બીજાએ વિશ્વ વિજયી હુણ અને શક આદિ લોકોને હરાવેલ. તે બંને ના વખતમાં તક્ષશીલાને પેલે પાર સુધી તેમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આ બંને રાજાઓ ના સામ્રાજ્યમાં બિહાર હતું. એટલે જો નરેન્દ્ર મોદી કે કોઈ પણ પટણા જાય તો તેને મગધ સામ્રાજ્ય યાદ આવે અને કેળવણીના કેન્દ્રો તક્ષશીલા અને નાલંદા પણ યાદ આવે જ.

ગંગા

મુસ્લિમો ભારતના થઈને જ રહેલા. તેઓ ભારતને પોતાનો દેશ માનીને રહેલા. શેરશાહ, કુતબુદ્દીન અને મોગલરાજાઓએ ભારતને જ પોતાનો દેશ માન્યો હતો. તેઓએ સદીઓ સુધી ભારતની રક્ષા કરી છે. જેઓ ગંગા સુધી આવ્યા તેઓ ગંગાને ઓળંગી ન શક્યા પણ સાંસ્કૃતિક રીતે ગંગાના જ થઈને રહ્યા. એટલે કે ગંગામાં ડુબી ગયા. આ એક મુસ્લિમ કવિના કાવ્યનો લક્ષ્યાર્થ છે. જો તમે  સેક્યુલર હોવાનો દાવો કરતા હો છતાં પણ આ વાત સમજી ન શકો તો તેમાં નરેન્દ્ર મોદીનો શો વાંક?

નરેન્દ્ર મોદી કંઈ પણ કરે તેને વિકૃત રીતે જોવું

નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર કર્યું એટલે ઘણા નહેરુવીયન કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયેલું, અને તે બાબતમાં તેમણે વિતંડાવાદ કરે લો. તેવું જ સરદાર પટેલના બાવલા બાબતમાં થયું છે.

ગુજરાતમાં મોરારજી દેસાઈએ ગાંધીજી અને સરદાર પટેલ માટે જે કર્યું તે થયું. તે પછી નહેરુવીયન કોંગ્રેસ દ્વારા કશું થયું નથી.  નહેરુવીયન કોંગ્રેસના કાર્યાલયના મકાનનું નામ “રાજીવ ભવન છે”. આ તો તમને ખબર જ હશે. નહેરુવીયન કોંગ્રેસ માટે તો ગુજરાતમાં કોઈ નેતા છે જ નહીં અને હતા પણ નહીં. નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજી માટે કે સરદાર પટેલ માટે કશું કરેલ નથી.

જે નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજીના સિદ્ધાંતો નેવે મુક્યા અને દારુની રેલમછેલ કરી તો તમે એટલે કે કેટલાક જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેઓ મૌન રહ્યા. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીમંદિર બનાવ્યું તો તેમને વાંધો પડ્યો.

અરે ભાઈ, ગાંધીજી ઉપર તો આખા વિશ્વનો અધિકાર છે. એટલે “મંદિર” શબ્દ ઉપર વાંધો ઉઠાવશો તો તે વિતંડાવાદ જ કહેવાશે. જો કે આ વાંધો ગુજરાત વિદ્યાપીઠના એક ગાંધીવાદી ભાઈશ્રીએ ઉઠાવેલ.

ગાંધીજી ઉપર કે સરદાર પટેલ ઉપર દેશ આખાનો હક્ક છે. નહેરુએ અને નહેરુવીયન કોંગ્રેસે, સરદાર પટેલને કેવી રીતે નવાજ્યા છે તે વિષે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.

ધારોકે નરેન્દ્ર મોદી કોમવાદી હોય તો પણ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને વખાણ્યા એટલે તમે કેવીરીતે માની લીધું કે સરદાર પટેલ હિન્દુવાદી હતા. નહેરુ માંસાહારી હતા. નહેરુ જો ગાંધીજીના વખાણ કરે અને વારે વારે તેમનું નામ લે તો શું ગાંધીજી માંસાહારી થઈ જશે? માનસિક વિકૃતિની આ હદ લાગે છે. ગધુભાઈને પણ તાવ આવે તેવી વાત છે આ તો. 

નરેન્દ્ર મોદી બધી સીવીલ સોસાઈટીઓને બંધ પાડી રહ્યો છે.

એ બહુ જાણીતી વાત છે કે ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦માં સત્તા ઉપર આવતાંની સાથે જ ગાંધીવાદી સંસ્થાઓ ઉપર ભંડોળના હિસાબની તપાસના આદેશો આપી દીધેલ. તમે જુઓ છો કે નહેરુવીયન કોંગ્રેસે અન્ના આંદોલન અને બાબારામદેવના આંદોલનના પ્રત્યાઘાત રુપે બંન્નેની સંસ્થાઓ ઉપર તપાસ જારી કરેલી છે. અત્યારે સાર્વત્રિક રુપે ઈન્કમટેક્ક્ષવાળા દરોડા પાડી રહ્યા છે. તમે આમાંનું કોઈ મુહૂર્ત કે એવું કંઈ જુઓ છો? નરેન્દ્ર મોદીની બાબતમાં તમે કશો ફોડ પાડ્યો નથી. બભમ બભમ આક્ષેપો કરવા એ જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેમને શોભતું નથી.

ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય શું?

નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં દૃષ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સમાચાર માધ્યમો એક બીજાની સ્પર્ધા કરે છે. એટલે જો તમે એમ કહેશો કે નરેન્દ્ર મોદીને આ બધા સમાચાર માધ્યમો ગ્લોરીફાય કરે છે તો કોઈ તમારી વાત માનશે નહીં. નરેન્દ્ર મોદી તો મોતનો સોદાગર, ગોડસે, કાકીડો, દેડકો, આતંકી, કસાઈ, ગુનાખોર, નીચ, વિગેરે અવનવા વિશેષણોથી નહેરુવીયન કોંગી નેતાઓ અને સમાચાર માધ્યમોના વિશ્લેષકોથી નવાજાય છે. એમાં વળી તમારો ઉમેરો થયો છે. નરેન્દ્ર મોદીને ફોઈબાઓ ઘણી લાગે છે. ફોઈબાઓ તો પ્રેમથી નામ પાડે છે. પણ આ ફોઈબાઓ તો દ્વેષને કારણે તિરસ્કારથી નામ પાડે છે. ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય?

આશ્ચર્ય એ વાતનું છે કે સામ્યવાદી પક્ષ પણ તમારી સાથે સામેલ છે. હોય જ ને. નહેરુવીયન કોંગ્રેસીઓને તો કોમવાદી એવા મુસ્લિમલીગ સાથે બેસવામાં પણ નહેરુના જમાનાથી ક્યાં છોછ હતો? આ સામ્યવાદીઓ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ચીની સેનાને મુક્તિ સેના તરીકે આવકારવા કલકત્તાની શેરીઓ ઉપર ઉતરી આવ્યા હતા. તમે એટલા તો અબુધ નથી કે તમે એ નથી જાણતા કે સામ્યવાદીઓ દેશના સીમાડાને માનતા નથી.

મને લાગે છે કે તમે મહાત્મા ગાંધીના અને વિનોબા ભાવેના આત્માને હણી નાખ્યો છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, ગરીબ કુટુંબ, હિમાલય, ખાલીખીસ્સે, કવિ, લેખક, વાંચે ગુજરાત, સ્વપ્નનું ભારત, વિકાસ, મુદ્દો, સરમુખત્યાર, ટ્રેકરેકોર્ડ, લોકશાહી પ્રક્રિયા, વિડંબણા, ૨૦૦૨, ૧૯૬૯, ૧૯૮૩, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮, હિન્દુ, મુસ્લિમ, કત્લેઆમ, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, વિનોબા ભાવે, શેઠની શિખામણ, જનાધાર, સરદાર પટેલ, ગાંધી, મંદિર, બાવલું, મનરેગા, વોટ ફોર ઈન્દીયા, ૬૦ વર્ષ, ૬૦ માસ, ચંદ્રગુપ્ત, ગ્રીક, શક, સામ્રાજ્ય, તક્ષશીલા, નાલંદા, બિહાર, પટણા, ગંગા, સેક્યુલર, વિકૃત, નહેરુ માંસાહારી, ફોઈબાઓ

“ચોક્ખું ઘી અને હાથી” પણ વાંચો

Read Full Post »

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

નેતાગીરીઃ મહાત્મા ગાંધીની, નહેરુવીયનોની અને નરેન્દ્ર મોદીની

આમ તો આપણને અવાર નવાર વાંચવા મળે છે કે નરેન્દ્ર મોદી આપખુદ છે, બધા નિર્ણયો પોતેજ કરે છે, બીજાઓને સાથે લઈને ફરતો નથી, કોઈને ઉપર આવવા દેતો નથી, પોતાના પક્ષના વિરોધીઓને પાડી દે છે વિગેરે વિગેરે.

એટલે કે નરેન્દ્ર મોદીની નેતાગીરી આદર્શ ન કહેવાય એવું પોતાને વિશ્લેષક માનનાર કેટલાક મીડીયા મૂર્ધન્યો માને છે.

આ વિશ્લેષકોએ શું કદી જે એલ નહેરુની નેતાગીરીનું આ પ્રમાણે વિશ્લેષણ કરેલું?

નેતાનું કર્તવ્ય

નેતાનું પોતાના સાથીઓ પ્રત્યે એક કર્તવ્ય હોય છે કે તે પોતાના સાથીઓને એક પગથીયું ઉપર ચડાવે. એટલે કે તેના સાથીઓનો, અનુયાયીઓનો પણ માનસિક અને બૌધિક વિકાસ કરે. માનસિક એટલે અહીં એવો અર્થ કે સમાજ પ્રત્યેના વ્યવહારની સમજણ શક્તિ અને બૌધિક એટલે કે નિર્ણયોને અમલમાં મુકવાની આવડત.

નેતાઓના ધ્યેય આમ તો સમાજને સુખી કરવાના હોય છે. પણા આતો વૈચારિક વાત થઈ.

તેના આડહેતુઓ “સ્વ”ની સત્તા અને “સ્વ”ની સુખસગવડો વધારવાના પણ હોય છે.

બીજો આડહેતુ એ પણ હોય કે પોતે એવો અનુગામી નેતા મુકે જે પોતે પ્રસ્તુત કરેલી નીતિઓ ચાલુ રાખે

જો નેતાનો મુખ્ય હેતુ સત્તાનો હોય (જે ઘણીવાર આડ અને પ્રચ્છન્ન  હોય છે) તો, તેનો અનુગામી તેનું સંતાન જ હોય છે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી સમાજમાં વૈચારિક પરિવર્તન લાવવા માગતા હતા. તેમ કરવામાં આમ જનતાની સામેલગીરી રાખવામાં માનતા હતા.

મહાત્મા ગાંધી જ્યારે કોંગ્રેસમાં દાખલ થયા ત્યારે કોંગ્રેસ, એરીસ્ટ્રોકેટ બૌધિકોની સંસ્થા હતી. પણ ગાંધીજીએ તેને બધા માટે ખુલ્લી કરી. મહાત્મા ગાંધીએ કોંગ્રેસને અહિંસક માર્ગે અને સ્વદેશપ્રેમને માર્ગે જતી એક સંસ્થા બનાવી.

એટલે કે જેઓ અહિંસા અને સ્વદેશપ્રેમ બંનેને સ્વિકારે તેઓ કોંગ્રેસમાં આવકાર્ય ગણાયા. સ્વદેશપ્રેમ અને અહિંસા એ બેમાંથી એકમાં જ વિશ્વાસ હોય તો ન ચાલે. બંનેમાં વિશ્વાસ હોવો જોઇએ અને આચરણ પણ તે જ હોવું જોઇએ. જો કે આ વાત અને આને લગતી ચળવળોને સમજવામાં ઘણા ધુરંધર નેતાઓને વાર લાગી હતી. સ્વદેશપ્રેમ એટલે સ્વદેશી વસ્તુઓના આગ્રહનો પણ સમાવેશ થતો હતો. અહિંસામાં સવિનય કાનુનભંગ અને સત્યાગ્રહનો પણ સમાવેશ થતો હતો.

જેઓ બરાબર સમજ્યા ન હતા તેઓએ સવિનય કાનુન ભંગ અને કે અથવા સત્યાગ્રહ અને કે અથવા સ્વદેશીના આગ્રહનો વિરોધ પણ કરેલો. તેમાં કોણ કોણ હતા તેની ચર્ચા ન કરીએ. પણ જેઓ અહિંસક આંદોલનમાં માનતા ન હતા તેમાં સુભાષ ચંદ્ર બોઝ મુખ્ય હતા. જોકે સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી વચ્ચે આ બાબતમાં કોઈ કડવાશ ન હતી. છતાં કેટલાક આ વાતને ચગાવે છે.

પક્ષ એક વખત એવું નક્કી કરે કે આપણે અહિંસક ચળવળ દ્વારા જ સ્વાતંત્ર્ય લાવવું છે, પણ જો એવું બને કે લોકો તાનમાં ને તાનમાં કોઈ એવી વ્યક્તિને ચૂંટી કાઢે કે જેને અહિંસામાં વિશ્વાસ ન હોય. જો આવું બને તો પક્ષે પોતાના સિદ્ધાંતો બદલ્યા છે એવો સંદેશો જનતાને જાય, તો પછી પક્ષે હવે આ પક્ષે ચળવળના સિદ્ધાંતો અને તેથી કરીને તેની પ્રણાલીઓ બદલશે તેવો ઠરાવ પસાર કરવો જોઇએ. પણ આવું કર્યા વગર તમે જુદા માર્ગે ન જઈ શકો. કોંગ્રેસમાં પક્ષપ્રમુખની ચૂંટણીમાં આવું થયું. સુભાષ બાબુ ચૂંટાઈ આવ્યા. કારોબારીના સભ્યો કે જેઓ પોતે પણ ચૂંટાયેલા હતા તેઓએ સામૂહિક રાજીનામા આપ્યાં. એટલે સુભાષબાબુએ નીતિમત્તાના ધોરણે રાજીનામું આપ્યું. સુભાષબાબુના દેશપ્રેમ વિષે ગાંધીજીને કે કોઈને પણ કશી શંકા ન હતી. પણ આ સૈધાંતિક મતભેદ હતો. તેથી સુભાષબાબુએ કોંગ્રેસના બંધારણનો આદર કર્યો.

આવી જ વાત જીન્નાની હતી. તેમને અસહકાર અને સત્યાગ્રહમાં વિશ્વાસ ન હતો. વખત જતાં તેમનો અહિંસા પરત્વેનો અવિશ્વાસ છતો થયો. તેઓ બંને કોંગ્રેસમાંથી વિદાય થયા હતા.

ગાંધીજીનો એક બીજો પણ સિદ્ધાંત હતો જે શોષણહીનતાનો હતો. આ વાત બહુ ઉચ્ચ સ્તરે આવી ન હતી કારણ કે આ વાત ઉત્પાદન અને તેની વહેંચણીની પ્રણાલીની હતી. આ મુદ્દો તો સ્વતંત્રતા આવે તે પછી ઉત્પન્ન થાય અને તે પછી અસરકારક બને તેમ હતો. પણ ગાંધીજીએ પોતાના સ્વપ્નના ભારતમાં આ વાતો લખી રાખેલ. જવાહરલાલ નહેરુને જોકે આ સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ ન હતો. પણ તેઓએ આ વાત પ્રગટ ન કરેલી અને બધું મભમ રાખેલ. જો ગાંધીજી વધુ જીવ્યા હોત તો આ મુદ્દા ઉપર નહેરુનો વિરોધ કરત. અને મીલમાલિકોને બેફામ થવા ન દેત.

જો આવું થાત તો કોંગ્રેસના બે ભાગ પડી જાત. એક વલ્લભભાઈની કોંગ્રેસ અને બીજી નહેરુની કોંગ્રેસ.

આ શક્ય ન બન્યું કારણ કે ગાંધીજી અને સરદાર પટેલ વહેલા વિદાય પામ્યા. પણ એક વાત ચગી કે ગાંધીજીએ સુભાષબાબુને અન્યાય કર્યો. આનો લાભ પશ્ચિમ બંગાળે લીધો અને ત્યાં સામ્યવાદીઓ ફાવ્યા.

ગાંધીજીએ પોતાના વૈચારિક અનુયાયીઓ ગામે ગામ તૈયાર કરેલ. તેમના વિચાર થકી ઘણા બધા મીની-ગાંધીઓ તૈયાર થયેલ. અને આ મીની ગાંધીઓ પણ મીની-મીની-ગાંધીઓ તૈયાર કરી રહ્યા છે.

મીની ગાંધીઓ અને મીની-મીની-ગાંધીઓ એટલે શું?

મીની ગાંધીઓ એટલે જયપ્રકાશ નારાયણ, વિનોબાભાવે, દેશપાંન્ડે, રવીશંકર મહારાજ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચન્દ મેઘાણી, જુગતરામકાકા, ઢેબરભાઈ, આત્મારામભાઈ, શંભુશંકરભાઈ, બબલભાઈ, ચૂનીભાઈ, મનુબેન, મણીબેન, જેવા નાના મોટા ગાંધીવાદી નેતાઓ દરેક પ્રાંતોમાં પેદા થયા હતા. તેવીજ રીતે આ મીની ગાંધીઓએ પણ ગાંધીવાદી લોકોનો નવો ફાલ તૈયાર કરેલ જેમાં નારાયણભાઈ દેસાઈ, સુદર્શનજી, કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, જગદીશભાઈ, હર્શદભાઈ માવાણી, બંસીભાઈ પટેલ, તુલસીભાઈ સોમૈયા, જેવા અનેક ગાંધીવાદીઓ આજની તારીખે પણ ત્યાગપૂર્વક ગાંધીજીનું કામ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કરી રહ્યા. દરેક રાજ્યમાં છેવાડેના પ્રદેશમાં પણ તમને ગાંધીવાદી લોકસેવક મળી જશે.

બધા ગાંધીજી જેવું કામ ન કરી શકે. પણ એક વિચાર તરીકે તે દીવો પ્રજ્વલિત રાખવા વાળા કોઈ ગાંધીવાદી ગુરુવગર પણ આપોઆપ ઉત્પન્ન થતા રહેશે. ગાંધી વિચારનો આ પ્રભાવ છે. ગાંધી યુગપુરુષ હતા જે હજાર બે હજાર વર્ષે જ પાકે.

જવાહરલાલ નહેરુની નેતાગીરીએ શું બીજી હરોળ ઉભી કરેલી?

નાજી. જવાહરલાલ નહેરુનો લોકશાહીવાદી સમાજવાદ ખરો પણ તેનું વૈચારિક સ્થુળત્વ શું છે તે કોઈ જાણતું ન હતું. ગાંધીજી પણ નહીં. અને ગાંધીજીના કહેવા પ્રમાણે કદાચ નહેરુ પોતે પણ નહીં.

જો નેતાગીરી વિષે આમ જ હોય તો તેમાં ખરાબ શું કહેવાય? ખરાબ વસ્તુ એ છે કે જે વાતને સિદ્ધાંત સાથે લેવા દેવા ન હોય પણ જો કોઇ વ્યક્તિ પ્રતિસ્પર્ધી બની જાય તો તેને બદનામ કરી દૂર કરવો, આ વાત ખરાબ કહેવાય.

સમાજવાદને જો એક વાડો બનાવી દેવામાં આવે તો તે સુપર કેપીટાલીઝમ થઈ જાય. જેમાં સરકાર પોતે જ મૂડીવાદી થઈ જાય. નેતાઓ વહીવટદારો સાથે મળીને પૈસાદાર થઈ જાય.. કારણ કે ઉત્પાદક, વિતરક અને તેના ઉપર નીગરાની રાખનાર નિરીક્ષક પણ એક જ સંસ્થા હોય એટલે ભેગા મળીને લૂંટ કરવાની વૃત્તિવાળા થઈ જાય. અને આવું જ થયું. એટલે રાજગોપાલાચારી જેવા કોંગ્રેસની સામે પડ્યા. જેઓ સામે પડ્યા તેઓને બદનામ કરવામાં આવ્યા. જો કે આ કોઈપણ ઔદ્યોગીકરણના વિરોધી ન હતા.

ગાંધીવાદીઓ વિરોધી હતા ખરા પણ તેઓની આ પ્રાથમિકતા ન હતી. તેઓ લોકસેવામાં પડી ગયા. અને નહેરુને ટાઢા પાણીએ ખસ ગઈ.

નહેરુને કોઈ નિશ્ચિત વિચારધારા ન હતી તેથી તેમના કોઈ વૈચારિક શિષ્યોનો ફાલ ઉત્પન્ન ન થયો. નહેરુને એવી જરુર પણ લાગી નહીં હોય એવું જ લાગે છે. નહેરુએ ફક્ત એ વાતનો ખ્યાલ રાખ્યો કે તેમની પુત્રી જ તેમનો રાજકીય વારસો લે.

JAY HO WAS PARTY SONG FROM AGES

ઈન્દીરા ગાંધી તેમના કહેવા પ્રમાણે સમાજવાદમાં માનતાં હતા. પણ તેમને માટે સમાજવાદનું નામ “ સત્તા પ્રાપ્ત કરવાનું અને ટકાવી રાખવાનું એક સાધન હતું. બેંકોના રાષ્ટ્રીયકરણને લેબર યુનીયનોને પોતાના પક્ષ માટે વોટ બેંક બનાવવાનું હથીયાર બનાવવામાં આવ્યું. ઈન્દીરા ગાંધીએ  પોતાના વિરોધીઓને બદનામ કરાવી પક્ષમાંથી દૂર કર્યા.

જો તમે લોકશાહીમાં માનતા હો તો પ્રતિસ્પર્ધીઓને દૂર કરવાની જરુર નથી. પણ જો તમે સરમુખત્યાર હો તો પ્રતિસ્પર્ધીને દૂર કરો જ કરો.

વી. પી. સીંગ, હેમવતીનંદન બહુગુણા નો શું વાંક હતો? એમનો એ વાંક હતો કે તેઓ પોતાના કામની ક્રેડીટ લેતા હતા. તેમની સામે ઈન્દીરા ગાંધીને સૈદ્ધાંતિક શું વાંધો હતો, તે ઈન્દીરા ગાંધી તરફથી જાણવા મળ્યો નથી. કે બીજા કોઈ તરફથી પણ જાણવા મળ્યો નથી.

ઈન્દીરા ગાંધી કંઈ એટલા કાબેલ વહીવટ કર્તા ન હતા. એવું પણ ન હતું કે બીજા નેતાઓ તેમનાથી કાબેલીયતમાં હજાર માઈલ પાછળ હતા. વાસ્તવમાં બહુગુણા, જગજીવનરામ, વીપી સીંગ વધુ કાબેલ હતા. આ સૌ કોઈ ઈન્દીરા ગાંધીની પ્રોડક્ટ પણ ન હતા. તેઓ સ્વબળે જ આગળ આવેલા.

ઈન્દીરાગાંધી કોઈ વૈચારિક વ્યક્તિ ન હતાં. તેમના કોઈ અનુયાયીને તેના વિચારોથી જોઈને તમે એમ ન કહી શકો કે તે ઈન્દીરા ગાંધીમાં જરુર શ્રદ્ધા ધરાવતો હશે. જેમકે ભજનલાલ, ચરણસીંગ, મુલાયમ, શરદપવાર, લાલુ યાદવ, માયાવતી, જયલલિતા, મમતા બેનર્જી, બંસીલાલ, જેવા અનેક નેતાઓ ક્યારે ક્યાં હશે તે તમે તેમના દ્વારા વ્યક્ત થતા વિચારોના આધારે કહી ન શકો. જોકે સત્તા હાંસલ કરવા માટે અને તેને ટકાવી રાખવા તેમની કાર્યશૈલીઓ ઈન્દીરા ગાંધી જેવી જ રહી છે છતાં પણ.

સ્વામીનારાયણની એક બોધકથામાં “સત્સંગના મહિમા”ની એક વાર્તા આવે છે જે આપણે અગાઉ ઈન્દીરાઈ કટોકટી ના એક લેખમાં જાણી છે. આ એ વાત છે કે નારદ મૂનીના સત્સંગને કારણે એક કીટક ઈન્દ્ર સુધીની ઉન્નતી કરે છે.

આનાથી ઉંધો કુસંગનો મહિમા છે જેમાં આવડતવાળો નિકમ્મો થઈ જાય. ઈન્દીરાના કુસંગનો મહિમા એવો રહ્યો કે આવડતવાળા મનુભાઈ શાહ, હિતેન્દ્ર દેસાઈ, જગજીવનરામ, વીપી સીંગ, બહુગુણા, ચિમનભાઈ પટેલ, મોહન ધારીયા, ચંદ્રશેખર જેવા અનેક ઈન્દીરાઈ કોંગ્રેસમાં રહ્યા અને બદનામ થયા. તેઓ ત્યારે જ સ્ટેપ અપ થઈ શક્યા જ્યારે તેઓ ઇન્દીરાઈ કોંગ્રેસની બહાર નિકળ્યા.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નેતા જ્યારે પોતાના સાથીઓ કરતાં શક્તિમાં હજાર માઈલ આગળ હોય ત્યારે શું થાય?

જ્યારે નેતાની વિચાર શક્તિ અને આચારની વ્યુહ રચના પોતાના અનુયાયીઓથી અનેક ગણી વધુ હોય તો અનુયાયીઓ હમેશા તેના ઉપર નિર્ભર રહે છે. અનુયાયીઓ પોતાના નેતા ઉપર નિર્ભર રહેતા હોય તો તે નેતા વિષે તે સરમૂખત્યાર છે તેમ ન કહેવાય. દરેક નેતા જો તે સિદ્ધાંતવાદી હોય તો પોતાનાથી અલગ સિદ્ધાંતવાળાને પોતાના જુથમાંથી દૂર કરે ને કરે જ.

નરેન્દ્ર મોદી સેલ્ફ મેઈડ છે. તેઓ સમાજસેવા માટે કટી બદ્ધ છે તેમ કહે છે. આ નેતા તેની આર્ષદૃષ્ટિમાં, વહીવટી આવડતમાં, વિચારોમાં અને જ્ઞાનમાં તેના સાથીઓથી હજાર માઈલ આગળ છે. તેથી તેના સાથીઓ નરેન્દ્ર મોદી ઉપર નિર્ભર રહે તો તેને નરેન્દ્ર મોદીને સરમુખત્યાર ન કહી શકાય. નરેન્દ્ર મોદી તેના સાથીઓની આવડત વધારે, પણ નરેન્દ્ર મોદી બધાને પોતાના જેટલી આવડતવાળા બનાવી ન શકે. ગાંધીજીએ મીની ગાંધીજીઓ ઉત્પન્ન કરેલા પણ સૌ કોઈ ગાંધીજીની કક્ષામાં આવે એટલી આવડતવાળા થઈ શક્યા ન હતા. નેતા દીશા બતાવી શકે અને પ્રણાલીઓ સ્થાપી શકે. આવડત તો સૌ પોતાની શક્તિ પ્રમાણે જ વધારી શકે.

નરેન્દ્ર મોદીએ તેના કેટલાક સાથીઓને વૈચારિક રીતે સ્ટેપ અપ જરુર કર્યા છે. તે તો તમે વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે જાણી શકો છો. નરેન્દ્ર મોદીએ નવી પ્રણાલીઓ પણ સ્થાપી છે. ઓન લાઈન ઘણી બધી જાણકારીઓ તમે મેળવી શકો છો અને સંવાદ પણ કરી શકો છો. સુધારાઓ માટે અવકાશ તો હમેશાં રહેવાનો. અને હજુ ઘણું કરવાનું બાકી છે.

સમાજને પણ સ્ટેપ અપ કરવો જરુરી હોય છે. નરેન્દ્ર મોદીએ જનતાની આકાંક્ષાઓ જગાવી છે. ટીવી ચેનલો પણ આમાં અગત્યનો ભાગ ભજવે છે. નરેન્દ્ર મોદીએ કદી ચેનલો ઉપર વેરભાવ રાખ્યો નથી.

બધા રાજ્યોમાં નેતાઓનું વલણ સહનશીલ નથી. આ વાત મહારાષ્ટ્ર, આંધ્ર, તામીલનાડુ, યુપી, પશ્ચિમ બંગાળ અને આસામ ની સરાકારોએ સિદ્ધ કરી છે. તેનું કારણ કેન્દ્રની નહેરુવીયન કોંગ્રેસી સરકાર અને તેના અને તેના સાથીઓના વિવાદાસ્પદ વિદેશી બેંકોમાં રહેલા લાલ-કાળા નાણા ભાગબટાઈ પણ હોઈ શકે. એટીએમમાંથી બનાવટી કરન્સી નોટો નિકળે એ વાત જ, ઘણું બધું કહી જાય છે.

શું નરેન્દ્ર મોદીએ મીની-નરેન્દ્ર મોદીઓ ઉત્પન્ન કર્યા છે?

જો નેતા, એક વખત દરેક બાબતની પ્રણાલી સ્થાપી દે પછી કોઈ પણ વ્યક્તિ તેને ચલાવી શકે. હા, દરેક વ્યક્તિ મોદીની કાર્બન કોપી કે મીની-નરેન્દ્ર મોદી ન થઈ શકે.

નરેન્દ્ર મોદીના સુદ્ધાંતો શું છે?

આમ તો શંકરાચાર્યના અદ્વૈતવાદ પ્રમાણે સાચો આનંદ જ્ઞાનવડે મળતો આનંદ છે. ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ માટે થાય એ વાત શ્રેષ્ઠ છે. પણ મુડીવાદની આડપેદાશ સુખ સગવડોની વૃદ્ધિ, તેવી વૃત્તિનું બેફામ પોષણ  અને બધા ક્ષેત્રમાં અસમાનતા, આમ છે. તમે કોઈ પણ વાદવાળા સમાજને રાતોરાત બદલી ન શકો. જો બદલવા જાઓ તો ફેંકાઈ જાવ. વાદને બદલવા માટે સમાજની માનસિકતા બદલવી પડે છે. આમ કરવામાં બે ત્રણ પેઢીઓ પસાર થઈ જાય.

એક વાત નરેન્દ્ર મોદી સ્થાપિત કરી શક્યા છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રણાલીઓ બદલી શકાય છે. પ્રણાલીઓનો અમલ કરવામાં અને તેને વધુ સારી કરવા માટે જ્ઞાનમાં વૃદ્ધિ કરવી જોઇએ. શિક્ષણ દ્વારા જ્ઞાનમાં પ્રગતિ થઈ શકે.

ટેક્નોલોજીના વિકાસ માટે માળખાકીય સગવડોમાં વિકાસ કરવો જોઇએ. માળખાકીય સગવડો દ્વારા તમે બધા ક્ષેત્રોમાં વિકાસ કરી શકો.

માળખાકીય સગવડોમાં રસ્તા, શક્તિ (વીજળી અને યંત્ર શક્તિ) અને પાણી આવે. શક્તિ ઉત્પન્ન કરવામાં પર્યાવરણ (ખાસ કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ) નો ખ્યાલ રાખવો પડે. એટલે પ્રાકૃતિક શક્તિઓના ક્ષેત્રમાં સંશોધનો થાય તે ઈચ્છનીય બને છે. સૂર્ય, પવન અને જળપ્રવાહમાંથી જ આ કામ થઈ શકે.

નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે.

જનતાની સામેલગીરીઃ

નરેન્દ્ર મોદી આ દિશામાં ઠીક ઠીક પ્રયત્નો કરે છે પણ તેના વિરોધીઓ તેને ખોટા ખર્ચામાં ખપાવે છે.

નરેન્દ્ર મોદીનો સ્વભાવઃ

નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેને એડામેન્ટ, એરોગન્ટ અને આત્મશ્લાઘી કહે છે. આપણા માનનીય કાન્તિભાઈ ભટ્ટ ભાઈએ નરેન્દ્ર મોદીની પીએમ પદની લાયકાત વિષે આ વાંધો બતાવ્યો છે.

જો નેતા પોતાની માન્યતાઓમાં સ્પષ્ટ હોય ત્યારે તે દૃઢ નિશ્ચયી હોય છે. જો નેતાની માન્યતાઓ નેતાએ બધી બાજુનું વિચારીને આત્મસાત કરી હોય અને તેના સાથીઓએ અને અથવા વિરોધીઓએ પૂરતો અભ્યાસ ન કર્યો હોય અને કરવા માગતા પણ ન હોય તો તેઓ આ નેતાને એડામેન્ટ માનવાના જ.

જો કોઈ નેતાની પરિસ્થિતિને સમજ્યા વગર અને પોતાના રાજકીય લાભ માટે જ તે નેતાને  બદનામ કરવા માટે યમરાજ, મૌતકા સોદાગર, ખૂની એવા વિશેષણોથી નવાજે અને અથવા જુદા જુદા માપદંડ અપનાવે તો તે નેતાએ સત્યના બચાવ માટે તેના વિરોધીઓને તેમણે ધારણ કરેલા લેવલને અનુરુપ જવાબ આપવો જોઇએ. આ વાત જેટલી નરેન્દ્ર મોદીને લાગુ પડે છે તેટલી જ સરદાર પટેલને લાગુ પડતી હતી. એટલે જે મીડીયા મૂર્ધન્યોએ સરદાર પટેલને તેમના આખાબોલા-પણા માટે વગોવ્યા હોય તેમને જ નરેન્દ્ર મોદીને વગોવવા માટે આવો અધિકાર મળેછે.

એક વાત સૌ કોઈ મીડીયા મૂર્ધન્યોએ અને બુદ્ધિજીવીઓએ ખાસ સમજવાની છે કે મોદી પી.એમ. બને તે વાત ક્યાંથી ઉત્પન્ન થઈ છે?

નરેન્દ્ર મોદીએ કદી આવી ઈચ્છા વ્યક્ત કરી નથી. નરેન્દ્ર મોદીએ કદીય મુખ્યમંત્રી બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી ન હતી. મુખ્યમંત્રી તરીકે તેમની વરણી થઈ તે પૂર્વે મુખ્ય મંત્રી બનવા માટે નરેન્દ્ર મોદી, અંદરખાને દોરીઓ હલાવે છે તેવી અફવા પણ આપણા મીડીયા મૂર્ધન્યો ફેલાવી શક્યા ન હતા.

નરેન્દ્ર મોદી ચાની કીટલી ફેરવવા જેવા સાદા કામોથી શરુ કરી, ઘરબારનો ત્યાગ કરી, હિમાલય રખડી, બાવાઓનો સહવાસ ભોગવી, ગરીબી ભોગવી જાણનારા, બહુશ્રુત, ક્ષેત્રજ્ઞ, કુટુંબની જંજાળથી મુક્ત એવા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે બન્યા છે.

આવી પાર્શ્વ ભૂમિકાવાળા નેતા વિષે જ્યારે આપણો એક ગુજ્જુ અખબારનવીશ પણ જ્યારે એમ કહે કે નરેન્દ્ર મોદી મેગ્નેનીમસ (દરિયાદિલ) નથી એવો વિવાદ ઉત્પન્ન કરે. એટલું જ નહીં પણ જાણે કે દરિયા દિલ એકમાત્ર વડાપ્રધાનપદ માટેની લાયકાત છે એવું ઠસાવવા કોશિસ કરે ત્યારે  આપણા મૂર્ધન્યોની તર્ક બુદ્ધિની આપણને  શરમ આવે છે. ફલાણો કેટલો બધો દરિયાદીલ હતો. અને ફલાણા નાટકમાં આ પાત્રે ફલાણા હિરો દ્વારા કેવો ઉત્કૃષ્ટ અભિનય આપીને તેની દરિયાદિલી સિદ્ધ કરી બતાવેલી. આવું વર્ણન કરીને આ મૂર્ધન્ય શ્રીએ એ સિદ્ધકરવાનો પ્રયત્ન કર્યો કે નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. દશરથને ચાર પત્નીઓ હતી માટે તમે વાંઢા છો. એના જેવી આ વાત છે.

સિકંદરનો દાખલો

કટારીયા ભાઈએ આમ તો જોકે દાખલો સિકંદરનો આપેલો છે. જોકે સિકંદર કેટલો દરિયા દિલ હતો એ આખી બાબત વિવાદાસ્પદ છે. સિકંદર પોરસને જીતેલો કે કેમ તે પણ વિવાદાસ્પદ છે. કારણકે એક વિવાદ એવો પણ છે કે સિકંદર એટલો નબળી કક્ષાએ પહોંચી ગયેલ કે તેના બધી ઋતુઓમાં યુદ્ધ કરવાને કાબેલ એવું સૈન્યને માભોમ યાદ આવી ગયેલી. સિકંદરે અગાઉના હરાવેલા રાજાઓ સાથે જ નહીં પણ તેમની પ્રજા સાથે પણ ક્રૂર વર્તાવ કરેલ. એટલે સિકંદર દરિયાદિલ હતો તે વાત શંકાસ્પદ છે. પણ ધારો  સિકંદર દરિયા દિલ હતો. એટલે આપણા નરેન્દ્રભાઈ દરિયાદિલ નથી. નેલ્સન મંડેલા દરિયા દિલ હતા, એટલે નરેન્દ્ર મોદી દરિયા દિલ નથી. સાધ્યં ઈતિ સિદ્ધમ્‌. આવું જો કોઈ મૂર્ધન્ય કહે તો તેની મૂર્ધન્યતા ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય. જો કે આ મૂર્ધન્ય કટારીભાઈએ કશી માહિતિ આપી નથી કે ક્યાં આપણા નરેન્દ્રભાઈ ઉણા પડ્યા. જો તેમણે આ માહિતિ ઉજાગર કરી હોત તો વાચકોના અને મોદીભાઈના જ્ઞાનમાં વૃદ્ધિ થાત અને મોદી ભાઈને સુધરવાના ચાન્સ રહેત. સુધારવાનો ચાન્સ આપવો એતો લોકશાહીનો મુખ્ય આડગુણધર્મ છે.

નરેન્દ્રભાઈને હવે “ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉબકા આવ્યા છે…” નરેન્દ્ર મોદી, રાહુલની નીમ્ન સ્તરે જઈને ટીકા કરે છે. આવું પણ આપણા આ અખબારી કટારીયા મૂર્ધન્ય કહે છે. જોકે આ કટારીયા મૂર્ધન્ય, વિગતો આપવામાં માનતા નથી. તેમની વાતો અને તર્ક આપણે રજનીશની વાતો અને તર્ક સાથે સરખાવી શકીએ. રજનીશને તારણો કાઢવાની ટેવ હતી પણ તેમના તારણો પછી ભલે તે રાજકીય નેતાઓ સામે હોય કે કોઈ મહાન વિભૂતિ વિષે હોય, કે માનસશાસ્ત્રીય હોય, પણ તે સર્વ તારતમ્યો એ સત્ય અને સત્યમાત્ર છે. આ સત્ય કેવી રીતે છે તે વાચકોએ સિદ્ધ કરવાનું. “જેમકે બોલવાથી મુક્તિ મળે છે” અને મૂર્ધન્યોને સિદ્ધ કરવામાંથી મુક્તિ મળે છે.

આપણા દેશને ચાણક્યની જરુર છે, પૃથ્વીરાજ ચૌહાણની નહીં.

નરેન્દ્ર મોદીએ શું દરિયાદિલ રાખ્યું નથી. જોકે મારા જેવા તો એવું જ માને છે કે દેશને સુધારવો હશે તો નેતાએ ચાણક્ય જેવા થવું પડશે. પૃથ્વીરાજ જેવા થયે નહીં ચાલે. જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઈતિહાસનું પુનરાવર્તન કરે છે. કર્મના ફળ ભોગવવા એ ઈશ્વરીય વ્યવસ્થા છે.

એક વખત નરેન્દ્ર મોદીએ કહેલ પણ ખરું કે જો હું ધારું તો આ બધા કોંગી નેતાઓ ઉપર કામ ચલાવી શકું કારણ કે તેમણે તેમના ગુજરાત ઉપરના ૨૨ વર્ષના શાસનમાં અનેક કાળાંધોળાં કર્યાં છે.

નરેન્દ્ર મોદીની આ વાતને તમે શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસની વરીષ્ઠ નેત્રીએ ખેલદીલી પૂર્વક પદત્યાગ કરવાને બદલે  પોતાના વિરોધીઓને વગરવાંકે અનિયત કાળપર્યંત જેલમાં પૂરેલ, વી.પી. સીંગ સામે સેન્ટ કીટનો બનાવટી કેસ ઉભો કરેલ આને આપણા કટારીયા મૂર્ધન્ય શું ખેલદીલીમાં ખપાવશે?

અત્યારે પણ જુઓ. નરેન્દ્ર મોદીને  વિષે જો તમે માહિતિ આપ્યા વગર તેની વિરુદ્ધમાં કંઈ પણ કહો તે અફવા જ કહેવાય. જ્યારે અમિત શાહની ધરપકડની બાબતમાં, સંજય જોષીની સીડીની બાબતમાં, બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખની સામે આક્ષેપોની બાબત કે એવી કોઈપણ બાબત હોય જેમાં કોઈ પદચ્યુત થતું હોય તો તેમાં નરેન્દ્ર મોદીની તથાકથિત સંડોવણીની વાત ચગાવવામાં આવે છે. જો કે માહિતીને નામે શૂન્ય હોય છે.  આવી અફવાઓ ફેલાવનારા સામે નરેન્દ્ર મોદી ખેલદીલી રાખે જ છે ને! આવી બાબતોને નેતાએ લક્ષમાં રાખવી જોઇએ કે નહીં તે વિવાદનો વિષય છે. પણ ચોક્કસ “હાથી પાછળ કુતરાં ભસે પણ હાથી તેની ચાલે આગળ ચાલ્યા જ કરે છે. આ બાબતમાં નરેન્દ્ર મોદીએ તાદાત્મ્ય સાધ્યું છે. આ વાત કદાચ કેટલાક મૂર્ધન્યોને કઠતી હોય તેવું બની શકે.

નરેન્દ્ર મોદીને કોણ પૂરસ્કૃત કરે છે?

આંખે ઉડીને વળગે એવી વાત છે કે કોંગી નેતાઓ અને અખબારી મૂર્ધન્યો રાહુલ ગાંધીને પી.એમ. પદના ઉમેદવાર તરીકે પુરસ્કૃત કરે છે. તેથી સાવ જ ઉંધી વાત નરેન્દ્ર મોદી વિષે છે. ભારતીય જનતા જ નરેન્દ્ર મોદીને પી.એમ. તરીકે પુરસ્કૃત કરે છે. બીજેપી, એનડીએ કે રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીને પી.એમ. પદ માટે પુરસ્કૃત કરતા નથી.

જનતા માટે મોદી એકમાત્ર હોટ ફેવરીટ છે તે વાત આ અખબારી અને રાજકીય ખેરખાંઓ અચૂક છૂપાવે છે અને તેથી જ જનતાના અવાજને દબાવવા માટે નરેન્દ્ર મોદી વિષે જ અવળો પ્રચાર કરે છે.

આવા અનેક દુષણો સામે ટકી રહેવું અને આગળ વધવું એજ ઉત્કૃષ્ટ નેતાનું લક્ષણ છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ મહાત્મા ગાંધી, નહેરુ, ઈન્દીરા, નરેન્દ્ર મોદી, પી.એમ., નેતાગીરી, વૈચારિક, પ્રણાલી, વિકાસ, મીડીયા મૂર્ધન્યો, કટારીયા, હોટ ફેવરીટ, બીજેપી, એનડીએ, દરિયાદિલ

Read Full Post »

મોટેરો ઘોડે અસવાર

આમ તો ઝવેરચંદ મેઘાણીની “ભેટે ઝુલે છે તલવાર” કંઈક આ પ્રમાણે છે.

ભેટે ઝુલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝુલે છે,

મોટો ઝુલે છે રોજ હાથી અંબાડીએ, નાનેરો ઘોડે અસવાર,

વીરાજી કેરી ભેટે ઝુલે છે.”

આમાં બે ભાઈઓની વાત છે.

એક નાનો અને એક મોટો એમ વાત છે.

ગુણોની અદલા બદલીઃ

ભારત આપણી માતા છે અને તેના સંતાનો એકબીજાના ભાઈ થાય. એ હિસાબે થતા બે ભાઈઓની આપણે વાત કરીશું.

Self made

એક નરેન્દ્ર મોદી છે. એક નહેરુવીયન વંશજ રાહુલ ગાંધી છે.

ઝવેરચંદ મેઘાણીની કવિતામાં નાનેરો સદ્‌ગુણો ને વરેલો છે. મોટેરો દુર્ગુણોને વરેલો છે.

ગુણોની અદલાબદલી થઈ ગઈ છે

સદ્‍ગુણઃ ભણતર, નીતિમત્તા, દેશહિતની સમજણ, વ્યસન હીનતા, પ્રજા હિતની સમજણ, સમાજના દરેક સ્તરની જીવનની અનુભૂતિઓ, અથાક પરિશ્રમ, સ્વાવલંબન, રાજકીય અને આર્થિક સ્વતંત્રતા, આર્ષદૃષ્ટિ, …

દુર્ગુણઃ બાપિકા પૈસે તાગડ ધીન્ના, નિમ્નસ્તરનું ભણતર, વ્યસનો અને ચારિત્ર વિષે અફવાઓનું અસ્તિત્વ, શંકાસ્પદ વર્તનો, અધુરું વાચન, કલ્પનાનો અભાવ, અસંવેદન શીલતા, સ્વાર્થ અને દંભ, પરતંત્રતાનું વળગણ…

સદ્‍ગુણ ધરાવતા ભાઈ ઉંમરમાં મોટા છે. દુર્ગુણ ધરાવનારા ભાઈ ઉમરમાં નાના છે.

હવે આપણો દેશ તો લોકશાહી છે એટલે મોટાભાગના શત્રુઓ તો આપણા દેશમાં જ હોવાના. એટલે જે લડવાનું છે તે તો મોટેભાગે દેશને ગર્તામાં ધકેલનારાઓ સામે જ લડવાનું છે. આ દેશના દુશ્મનો એ આપણી સમસ્યાઓના ભાગરુપે છે. એટલે કે તેમને પણ સમસ્યાઓમાં ગણી લો.

સમસ્યાને કેવીરીતે ઉકેલવી તે વિષે કંઈ ફોડ પાડો.

મોટાભાઈએ સમસ્યાના પડકારો ને ઝીલી લીધા અને તેની સામે યુદ્ધ શરુ કર્યું.

નાના ભાઈ, ચૂંટણી આવે એટલે સક્રીય થાય અને દેશમાં સફરજન બને. એ સિવાય વિદેશોની ખેપો કરે અને શાને માટે ખેપો કરી તે બધું ખાનગી. તેમના નામ અને ધર્મ પણ ખાનગી. તેમના હિસાબો ખાનગી … એવી શંકાઓ ઉપર સ્પષ્ટીકરણનો જાણીબુઝીને અભાવ …

હવે ચૂંટણીઓ નજીક આવી.  કેટલાક રાજ્યોની વિધાનસભાઓની અને તે પછી લોકસભાની

કેન્દ્રમાં નાનાભાઈનું શાસન ચાલુ છે

ગુજરાતમાં મોટાભાઈનું શાસન ચાલુછે.

ઝાઝા રસોઈયા રસોઈ બગાડે

ચૂટણીઓ આવે એટલે સમાચાર માધ્યમોને ગરમાગરમ મસાલેદાર વાનગીઓ રાંધવાનો મોકો મળી જાય છે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે અને જનતાની તબિયત બગડે. જનતાની તબિયતનું ધ્યાન શા માટે રાખવાનું? જનતાની તબિયત તો બગડેલી જ રાખવાની. જનતાની તબિયત  બગડેલી હોય તો જ આપણે તેના ઉપર ઉપચારો કરીને કમાણી કરી શકીએ ને? જનતાની તબિયત બગાડવાનું તો આપણું ધ્યેય છે. એમ સમાચાર પત્રો માને છે. એટલે કેટલાક એવી શંકા સેવે છે કે કાં તો આ સમાચાર પત્રો મૂર્ખ છે અથવા તો નાના ભાઈ સાથે ભળી ગયા છે.

હમણાં હમણાં સમાચાર માધ્યમો પરોક્ષ રીતે નરેન્દ્ર મોદીને વગોવવામાં મચી પડ્યા છે.

સમાચાર માધ્યમો બે નેતાઓ વચ્ચે વડાપ્રધાન પદ માટે સ્પર્ધા ચાલી રહી છે એ વાતને બહુ ચગાવી રહ્યા છે. આવું કરવામાં તેઓ તેમની આદત પ્રમાણે નરેન્દ્ર મોદી ના દરેક વક્તવ્યોને આ વાતના અનુસંધાનમાં વિશ્લેષી રહ્યા છે. મોટે ભાગે તેઓ શાસ્ત્રીય ચર્ચા ને બદલે નરેન્દ્ર મોદીને અપમાન જનક અને અથવા મજાકીયા શબ્દોમાં નવાજી રહ્યા હોય છે.

નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરે તે તો સમજી શકાય તેવું છે. કારણ કે તેઓને પોતાનો અંત નજીક દેખાય છે તેથી હવાતીયા મારે તે કદાચ આપણે ક્ષમ્ય ગણીએ, પણ પ્રસાર માધ્યમો વિકૃત બને અને આમ જનતાની ઈચ્છાઓને પ્રતિબિંબિત ન કરે ત્યારે તેઓ વિશ્વસનીય રહેતા નથી. આ સમાચાર માધ્યમો તો જ્યારે આધારહીન માહિતિઓ આપે ત્યારે દેશના ભવિષ્ય વિષે ચિંતા ઉત્પન્ન થાય જ.

મોટાભાઈ પાસે તો આમેય પોતાના રાજ્યની જવાબદારી છે. નાના ભાઈને પણ અમુક રાજ્યોની વિધાન સભાની ચૂંટણી સમયે પ્રચારનું માળખું વ્યવસ્થિત કરવાની અને પ્રચારની જવાબદારી સોંપેલી. વિશાળ સૈન્ય અને ભાટચારણોનો કાફલા હોવા છતાં પણ આ નાનાભાઈને પરાજય મળ્યો.  વ્યવસ્થા શક્તિ અને વૈચારિક આવડત ન હોય તો બીજું શું થાય?

ભાટ ચારણ ભાઈઓ માફ કરે. આ શબ્દો વટના કટકા એવા સાચા ભાટચારણ માટે પ્રયોજાયેલા નહી. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો માટે પ્રયોજાયેલા છે. ઉત્તર ભારતમાં અમુક માલેતુજાર લોકો કેટલાક લોકોને સેવકો તરીકે જીંદગીભરના બંધન સાથે સેવા માટે રાખે છે. તેઓ બંધવા મઝદુર તરીકે ઓળખાય છે. નહેરુવંશના પક્ષના નેતાઓ પણ આ બંધવા મઝદુર જેવી પ્રકૃતિ ધરાવે છે.

નાનકાએ શું કર્યું?

મૂળવાત પર આવીએ. આ નાના ભાઈએ તો પરાજય સ્વિકારી લીધો. પણ બંધવા ગુલામોએ અને તેના કુટુંબીજનોને આ પરાજય પચ્યો નહીં. ભાટ ચારણોએ આ પરાજયોને ચગાવ્યા નહી, કારણ કે આવકનો શ્રોત જ બંધ પડી જાય તે તેમને પરવડે તેમ ન હતું.

“મસ્જીદમાં ગર્યો તો જ કોણ?” એટલે કે આ નાનકાને કોઈ જવાબદારી સોંપવામાં જ આવી ન હતી. તેથી પરાજય અને નિસ્ફળતાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. આ નાનકો તો સાક્ષીભાવે જ યુદ્ધમાં ગયેલ. અમારો આ નાનકો તો જવાબદારીથી જરાય ડરે તેવો નથી.

અમારો આ નાનકો કોઈપણ જવાબદારી માટે સજ્જ છે. અમે તે કોઈ મોટી જવાબદારી સ્વિકારે તે માટે આતુર છીએ. આવી વાત ભાટચારણોએ, બંધવા ગુલામોએ અને કુટૂંબીજનોએ, તેમની મશ્કરી શરુ થઈ જાય તેટલા ઠીક ઠીક સમય સુધી ચલાવી. તે પછી તેને પક્ષનો ઉપપ્રમુખ બનાવી એક મહાપરાક્રમ કર્યાનો નિંરાતનો શ્વાસ લીધો.

ભાઈ, અમારો નાનકો કંઈ જેવો તેવો નથી.  તમે તેનો તરવરાટ જુઓ .. તમે તેની લાગણી શીલતા જુઓ, તેનું નિરાભિમાન જુઓ, તે કેવો ગરીબો સાથે જમવા બેસી જાય છે, કેવું પ્લાસ્ટિકનું તગારું ઉચકવાની મજુરી કરવા તૈયાર થઈ જાય છે, તમે તેનું વૈવિધ્ય જુઓ, તે કેવો ક્યારેક દાઢી વધારે છે, તે કેવો ક્યારેક દાઢી ક્લીન સફાચટ એટલે કે ક્લીન શેવ્ડ ચહેરો રાખે છે, તમે તેના ચહેરા ઉપર  ની  તાઝગી જુઓ,  તેના હાવભાવ જુઓ, તે કેવો ચાલે છે, તે કેવો દોડે છે … (ઘોડો જો .. ઘોડો જો .. ઘોડાની કેશવાળી જો .. ઘોડાની ડોક જો … ઘોડાની પીઠ જો .. ઘોડો કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો હણ હણે છે …  ઘોડો જો ઘોડો જો .. આવો એક પાઠ બચપણમાં અમારે આવતો હતો)

હવે સામાજીક સમસ્યાઓનું આ નાનકાએ અશ્વાવલોકન કર્યું અને તેને લાધ્યું કે શું મારે આ બધું ઉકેલવાનું છે? ભારે કરી…. મને તો એમ કે મારે મારી મમ્મીની જેમ જાહોજલાલી ભોગવાની છે. જે કંઈ પરિણામ આવે તેને માથા ફોડ કરી હકારાત્મક બનાવી આપણા ભાટચારણો દ્વારા સફળતામાં ખપાવી દેવું અને તેનો જશ લઈ લેવો એજ પ્રણાલી ચાલુ રાખવાની છે. અને જો આ અઘરું પડે અને અશક્ય લાગે તો તો તે નિસ્ફળતાને માટે બીજાને બલીનો બકરો બનાવી દેવો. નહેરુકુલ રીતિ સદાચલી આયી, પ્રાણ જાઈ ઔર બચન સબ જાઈ.  જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. કારણ કે ગામના છોકરા ગારાના અને નહેરુવંશના સોનાના.

અત્યાર સુધી તો આ ચતુર પુરુષ રસબસતા ચૂરમાના લાડુ ખાઈને એય આરામથી હિંડોળે બેસી પાન ચાવતા હતા અને હવાફેર માટે દેશ વિદેશની ટ્રીપો મારતા હતા.   જરુર પડે ત્યારે કોઈ ગરીબને ત્યાં બે કોળીયા ગળચીને ગરીબની સેવા કર્યાની ફરજ બજાવી એમ માનતા હતા.  પણ આતો સાચે સાચ ઉપાધી આવી. આપણને પક્ષના ઉપપ્રમુખ બનાવી દીધા. અને સર્વત્ર એવી જાહેરાત કરી દીધીકે હવે યુવરાજને જવાબદારી ભર્યું સ્થાન આપ્યું છે.

નાનકાને એ પણ લાધ્યું કે તેના પૂર્વજોએ પણ આ સમસ્યાઓનું ગર્દભાવલોકન કરેલ અને સુખેથી સત્તા ભોગવતા ભોગવતા જીવન જીવેલ. મારા પ્રદાદાએ હિમાલયન બ્લન્ડરો કરેલી. દાદી પણ ભૂલો કરવામાં કે ફ્રૉડ કરવામાં કમ ન હતા એમણે તો પ્રદાદા કરતાં પણ વધુ ભૂલો કરેલ. પણ મોટા વારસાની જોગવાઈ કરી ગયેલ, એવા બંધવા ગુલામ સહાયકો બનાવીને મુકી ગયેલ કે જેઓ હમેશા આપણા ઉપર આધાર રાખતા રહે અને જો ડહાપણ કરવા જાય તો તેમને જેલના સળીયા ગણતા કરી શકાય. પપ્પા પણ એવા બનવા માંડેલ પણ અકાળે ભગવાને બોલાવી લીધા. બહેનીએ આ ભાર ઉઠાવી લીધો હોત તો સારું. પણ એ બીચારી પણ શું કરે? જીજાજીએ ઓછી આફતો ઉભી કરી છે?

નાનકાએ વિચાર્યું કે વંશની પ્રકૃતિને જાળવા માટે મારે સમસ્યા વિષે શું કશુંક કહેવું જોઇએ? તત્વજ્ઞાન ભરડવું જોઇએ. જેમ મારા પ્રદાદા અને દાદી સમસ્યા ઉજાગર કરી ફીલોસોફી ભરડતા કે ફલાણી સમસ્યા ઘણી જુની છે અને અત્ર તત્ર સર્વત્ર વિશ્વવ્યાપી છે. ગરીબી હટાવો. અમે આ ગરીબીને ઉકેલવા કટીબદ્ધ છીએ. પછી કહેવું કે અમુક સમસ્યાઓ વિષે તો જાણે કે એવું છે ને કે અમને તમુક લોકો કામ કરવા દેતા નથી … મારા પપ્પાને પણ અમુક લોકોએ કામ કરવા દીધું ન હતું, બાકી અમે કુટુંબીઓ તો ઘણા શાણા અને શકરા છીએ. અમારા વિરોધીઓ જ પાજી હતા…  વિગેરે વિગેરે. ભાટ ચારણો આ બધાની વિગતોમાં ઉતરીને જનતાને માહિતિપ્રદ બનવાને બદલે ઉપરોક્ત વંશના ફરજંદના તારણોને જ વધુને વધુ પ્રસિદ્ધિ આપવાનું ચાલુ રાખતા હતા.

હવે શું કરવું?

ભાટચારણોએ અને બંધવા લોકોએ મોટાભાઈને મોટા પાયા ઉપર ભાંડવાનું ચાલુ કરી દીધું.

નરેન્દ્ર મોદીનો ડોળો દિલ્લીની ગાદી ઉપર છે.

મોદી વડાપ્રધાન પદ માટે રઘવાયા થયા છે.

મોદી ચલે દીલ્લી કો.

ક્યા મોદીકા મેજીક ચલેગા?

ક્યા મોદી અપના દાગ ધો પાયેગા?

ક્યા મોદીકા મોડલ દેશ પર ચલેગા?

ક્યા મોદી આત્મશ્લાઘાસે દીલ્લીકા રાસ્તા તય કર પાયેગા?

ક્યા મોદીકા દિલ્લીકા રાસ્તા ઈતના સરલ હૈ?

ક્યા મોદી સર્વસ્વિકૃત બન પાયેગા?

ક્યા મોદીકો, એનડીએ કે ઘટક પક્ષ સ્વિકારેંગે? 

ક્યા મોદી અપને ખુદકે પક્ષમેં સર્વમાન્ય હૈ?

ક્યા મોદી સબકો સાથ લે કે ચલ સકતા હૈ?

નાનકાએ કહ્યું, દેશ સમસ્યાઓથી ભરપુર છે. જનતાએ સમજવું જોઇએ કે કોઈ એક માણસ ઘોડા ઉપર આવશે અને બધી સમસ્યાઓથી છૂટકારો મળી જ જશે એવું નહીં બની શકે. સમસ્યાઓમાં જનતાએ પોતે જ પ્રયત્નો કરવા પડશે. એક વ્યક્તિ કશું કરી ન શકે.

મોટા ભાઈ તો જવાબદારી વાળા હતા. અને પોતે કઈ સમસ્યા બાબતમાં કેવું વિચાર્યું અને શું કર્યું અને શાં પરિણામો આવ્યા …  વિગેરે વિગેરે લોકોમાં જાહેર કરવા લાગ્યા.

એટલે બંધવા ગુલામોના પેટમાં તેલ રેડાવા લાગ્યું. તે લોકો કહેવા લાગ્યા કે મોદી આત્મશ્લાઘા કરે છે. મોદી પોતાને પીએમ સમજવા લાગ્યો છે. મોદી ગુજરાતને દેશ માને છે. મોદી તો યમરાજ છે. ટૂંકમાં મોદી વિરોધીઓને હવે યમરાજ દેખાવવા લાગ્યા છે જાણે તેમના દિવસો પૂરા થયા.

મોદીએ કહ્યું મેં તો જનતાના સહકારથી કર્યું છે. મારે તો ઘણું કરવાનું બાકી છે. મેં તો હજુ નહેરુવંશી સરકારોએ કરેલા ખાડાઓ જ પૂર્યા છે. મારા સ્વપ્નની ઈમારત તો હજી બાકી છે.

બંધવા લોકો કહેવા લાગ્યા કે મોદીએ તો ખીણ ખોદી છે. એ કોણ પૂરશે? મોદી વિરોધીઓને મોદી-ફોબીઆ છે. તેઓ દરેક વાતે ૨૦૦૨ના રમખાણો જનતાને યાદ કરાવવા માગે છે. મોદીએ ગુજરાતની જનતાને તો ૨૦૦૨ના રમખાણો ભૂલાવી દીધા છે. પણ બંધવા ગુલામો અને ભાટચારણો ગુજરાત બહાર ૨૦૦૨નો લાભ લેવા માગે છે. એટલે કે ૨૦૦૨ના રમખાણો અને મોદી ફોબીયાની ખીણમાંથી તેઓ બહાર નિકળવા માગતા નથી. એટલું જ નહીં પણ આખા દેશની જનતાને ખીણમાં પાડવા માગે છે.

નાનકાએ કહ્યું દેશ તો મધપુડો છે. નાનકાનું કહેવું એમ હતું કે જનતાએ ભેગા મળીને કામ કરવું પડશે.

મોદીએ કહ્યું ભારત દેશ તો આપણી માતા છે. આપણે દેશને માતા તરીકે જોઇએ છીએ.  માતાને મધપુડો ન કહેવાય.

નાનકાએ રામ ભરોસે દેશની મધપુડા સાથે સરખામણી કરી હતી. મોદીકાકાએ તેના ઉપર એક કટાક્ષ કર્યો. જવાબ બહુ બહુ તો નાનકાએ આપવો જોઇએ. પણ નાનકાનું મગજ જરા “સ્લો ટુ ઓપરેટ” એટલે કે જલ્દી ન ચાલે તેવું છે. મોદીના કટાક્ષનો જવાબ તો તૂર્ત જ આપવો જોઇએ. નહીં તો હવા ઠંડી પડી જાય. તેવે વખતે જવાબ આપીએ તો મૂર્ખમાં ખપીએ. એટલે બંધવા ગુલામો એક પછી એક જવાબ આપવા માંડ્યા.   બંધવા ગુલામોએ કહ્યું, મોદીમાં અક્કલ નથી. મધપુડો એક શિસ્તબદ્ધ રીતે થયેલી સંરચના છે. મોદીમાં શિસ્ત જેવું અને સભ્યતા જેવું કશું નથી.

શું આ કટાક્ષ વિષે આગળ ચર્ચા કરી શકાય. રમૂજ તો કરી શકાય કે મધપુડામાં રાણી જ સર્વેસર્વા હોય છે. એટલે રાણીના ઘરને જ વળગીને કામ કરવું જોઇએ. રાણી કે રાજા થવાની કોઈએ આકાંક્ષાઓ રાખવી ન જોઇએ. બધાએ વ્યંઢળની જેમ જ વર્તવું જોઇએ. હવે આ ટોપી કોને માથે બંધ બેસતી થશે?

મોટાભાઈની વાતો અને મીડીયાગીરી

મોદીકાકા ઔદ્યોગિક ગ્રુપની બહેનોની સભામાં કંઇક બોલવા માટે આમંત્રાયા. અગાઉ એક સભામાં નાનકાએ **વતીબેનનો દાખલો આપેલ કે જેમના પતિ આત્મહત્યા કરી અવસાન પામેલ. તેથી **વતી બેનને અમુકલાખ રુપીયાની મદદ કરવામાં આવેલ. તેમની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ. આપણા મોદીકાકાએ જશુબેનનો દાખલો આપ્યો. કે તેઓએ વિધવા થયા પછી આત્મસુઝ અને વ્યવસ્થિત કારભારથી કેવી રીતે પીઝાનો ધંધો ઉભો કર્યો અને મલ્ટી નેશનલ વિદેશી બનાવટને ટક્કર આપીને વિકસાવ્યો.  બહેનોમાં અસાધારણ વ્યવસ્થા શક્તિ હોય છે. તેઓ પોતાના ઉત્પાદનને કેવા કેવા ઉચ્ચ સ્તરે પહોંચાડી શકે છે. આ વાતના સર્વગ્રાહી ઉદાહરણો તેમણે ઈન્દુબેન ખાખરા વાળા, લીજ્જત પાપડ અને અમૂલ દુધના આપ્યા. ગુજરાતમાં બહેનો સખીમંડળ બનાવીને કરોડો રુપીયાનો વહીવટ કેવો સક્ષમ રીતે કરી શકે છે તેનો પણ દાખલો આપ્યો. જો કે મોદીકાકાએ, નહેરુવંશના ભાટ ચારણો ઉપર થોડી રમૂજ પણ કરી લીધી. સાથે સાથે ભ્રૂણ હત્યા વિષે થોડા ભાવુક પણ બન્યા. આ વાતને આપણા ગુજ્જુ *ઢવાડીયાજીએ પકડી લીધી અને તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના આંસુ મગરના આંસુ છે. ફલાણી ફલાણી બહેનો જ્યારે કમોતે મરી ગઈ ત્યારે મોદી સાહેબ ક્યાં હતા?

નહેરુવંશના ભાટચારણોએ કહ્યું કે મોદીએ તેમને પૂછેલા ખાસ પ્રશ્નોનો સીધો ઉત્તર આવ્યો નથી. જેમકે બહેનો માટેના ૩૦ટકા અનામત બેઠકો વિષે તેમણે ફોડ પાડીને પોતાનો મત પ્રદર્શિત કર્યો નથી. જો કે મોદીએ કહ્યું કે તેમણે તો બહેનો માટે ૫૦ ટકા બેઠકો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત રાખવાનો ઠરાવ બનાવીને વિધાન સભામાં પસાર કરાવીને રાજપાલની મંજુરી માટે મોકલી આપ્યો છે. અને તે હજી ત્યાં જ પડ્યો છે. વળી તેમના પક્ષે કદી ૩૦ટકા બહેનો માટે અનામત રાખવાનો વિરોધ કર્યો નથી. હવે જો મધપુડો એટલે સામુહિક કર્મ એવું અર્થઘટન નહેરુવંશીઓ, તેમના બંધવા સેવકો અને ભાટચારણો કરી શકતા હોય તો નરેન્દ્ર મોદીના વલણનો તેમને ખ્યાલ આવી જ જવો જોઇએ. મોદીએ અને તેમના પક્ષે બહેનો માટે જે અનામતો પુરસ્કૃત કરી હોય તેના ઉપરથી નરેન્દ્ર મોદીના જવાબ મળી જ જાય છે. પણ આપણા આ ભાટચારણો તો એવું ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઈલમાં જવાબ ન આપે. પ્રસાર માધ્યમો જે શબ્દોમાં જવાબ માગે છે તે જ શબ્દોમાં જવાબ આપે. ઈન્દીરા માઈએ લાદેલી કટોકટી વખતે વિનોબા ભાવે વિષે પણ આવું જ થયેલ. વિનોબા ભાવેએ કહેલ કે હું મારો જવાબ મારા શબ્દોમાં આપું, પણ કેટલાક લોકો એવું ઈચ્છે છે કે હું તેમના નક્કી કરેલા શબ્દોમાં મારો જવાબ આપું.

નરેન્દ્ર મોદી તો લોકોને સાથે લઈને જ ચાલે છે તે માટે તેમણે એક નવી પ્રણાલી પ્રસ્તૂત કરી છે જેમાં સ્થાનિક લોકો, જનતા, પ્રાઈવેટ પાર્ટી અને સરકાર સઘળા સામેલ હોય.

મોદીની વિકાસ માટેની કાર્યશૈલીને “મોદી મોડેલ” એ નામ થી પ્રસાર માધ્યમોએ ઓળખાવવી શરુ કરી છે. નરેન્દ્ર મોદી આમ તો દાખલાઓ આપીને જ બધી વાતો કરે છે. પણ પ્રસાર માધ્યમો એવી માહિતિઓ ઉપર ચર્ચા કરાવતા નથી. કારણ કે જો ચર્ચા એ રીતે ચાલે તો મોદીનો વિરોધ કરવાનો અને મોદીને વગોવવાનો અવકાશ ન રહે. પ્રસાર માધ્યમોને અદ્ધર અદ્ધર વાતો કરવામાં જ વધુ રસ છે.

એક ટીવી ચેનલે ચર્ચાનું નામ આપ્યું

 “મોદી ચલે દીલ્લીકો

બીજી ચેનલે ચર્ચાનું નામ આપ્યું

 “ફેંકુ બનામ પપ્પુ

ફેંકુ વિશેષણ નરેન્દ્ર મોદી વિષે વાપરવામાં આવ્યું છે.

“પપ્પુ” શબ્દ રાહુલ માટે છે.

પપ્પુ શબ્દ આમ તો નિર્દોષ શબ્દ છે.

પણ ફેંકુ શબ્દ તો હલકો, જુઠ્ઠા બોલો અને ચારસોવીસ નો પર્યાય થાય. નરેન્દ્ર મોદી એક લોકપ્રિય નેતા છે. એક રાજ્યના મુખ્ય મંત્રી છે. ભારે બહુમતિથી ચૂંટાઈને આવેલા છે. તેમને માટે ફેંકુ શબ્દ ન વપરાય. ચેનલે આવા અપમાન જનક શબ્દો ન વાપરવા જોઇએ. પણ આ બનાવ ચેનલના સંસ્ક્રાર બતાવે છે. સુજ્ઞ લોકોએ તેને તે રીતે મુલવવી જોઇએ.

“મોદી મોડેલ” આ શબ્દ રાજકીય બનાવી દેવાયો છે. છતાં ગુજરાતમાં જે રીતે વિકાસ થયો તેના અનુસંધાનમાં જો જોવામાં આવે તો તેને ફેંકી દેવાનુ કહેનારા જ ફેંકુ છે.

દરેક રાજ્ય પાસે અનેક સંપદાઓ તો હોય છે જ

દરિયા કિનારો, પહાડ, રણ, ખારોપાટ, ખેતરાઉ જમીન, પડતર જમીન, જંગલ, પવન, તડકો, ખનીજ સંપત્તિ, પાણીનો ઉગ્ર પ્રવાહ, નદીઓ, ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્મારકો, પશુધન, માનવ શક્તિ. આ માનવ શક્તિને અન્ય શક્તિઓ સાથે જોડીને વિકાસ કરી શકાય છે. નરેન્દ્ર મોદીએ માળખાકીય સગવડો કરી. એટલે કે સડકો અને વિજળી. પાણીનો શ્રોત ફક્ત નર્મદા અને તાપી છે. તો તેમણે નર્મદાને સરસ્વતી સાથે જોડી. નર્મદાના કામમાં ઘણા રાજકીય રોડાઓ આવ્યાં છે. પણ તેની વાત નહીં કરીએ. ખેતીમાં ડબલ ફીગરમાં વિકાસ કર્યો. શિક્ષણનો વિકાસ કર્યો. જે પહેલાં ૬૦ ટકાથી નીચે હતું તેને ૮૦ ટકા કર્યું. પવન ઉર્જાનો વિકાસ કર્યો. સોલર પાવરનો વિકાસ કર્યો. પર્યટન ક્ષેત્રે વૃદ્ધિ થઈ. શહેરી વિકાસ શહેરો શોભી ઉઠે તેવો થયો. ગામડાંનો પણ વિકાસ થયો અને ગામડામાંથી શહેરો તરફ થતો ધસારો નબળો પડ્યો. સખીમંડળો અને મેળાઓ દ્વારા ગ્રામોદ્યોગ ને પ્રોત્સાહન આપ્યું અને શહેરોમાં તેના પ્રદર્શનોને વેગવંતા બનાવ્યા. તહેવારોની સામુહિક ઉજવણી, આનંદ બજારો, ખાદી મેળાઓ, કૃષી મેળાઓ, રમત ગમત અને મનોરંજન કાર્યક્રમો દ્વારા સંવાદ અને લોકભાગીદારી વિકસાવી. ઈન્ટરનેટથી વહીવટી તંત્રને પ્રજા સાથે જોડ્યું. સરકારી નોકરોના કલ્ચરને સુધારવા પ્રશિક્ષણના વર્ગો ચલાવ્યા. ટૂંકમાં લોકો સાથેનો સરકારનો સંવાદ વધ્યો.

નરેન્દ્ર મોદી શું કહે છે?

ગુજરાતનું વિકાસનું મોડેલ જ બધે ફીટ કરવું જોઇએ તેમ સમજવાની જરુર નથી. પણ ગુજરાત મોડેલમાં મોડીફીકેશન કરીને જે તે રાજ્યમાં તેને અનુરુપ મોડેલ બનાવી શકાય. મીડીયાવાળા આ મોડીફીકેશનનો અર્થ સમજવા છતાં પણ સમજશે નહીં. પણ તેને તેઓ મોડીફીકેશનને બદલે “મોદીફીકેશન” કહી નિરર્થક વિવાદો સર્જશે.

નરેન્દ્ર મોદી પાસે ચિંતન છે અને નવા વિચારો છે. તેને જનતાને ચાલતી અને દોડતી કરતાં આવડે છે. નરેન્દ્ર મોદી સંવાદ કરે છે. તેના સંવાદ ઉંડાણ અને માહિતિ સભર હોય છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ફક્ત વાણી વિલાસ કરે છે. તે કોઈ માહિતિ આપી શકતો નથી. ચાલો માની લઈએ આપણો દેશ મધપુડો છે. મધ તો બહુ પવિત્ર અને શ્રેષ્ઠ દવા અને વાનગી પણ છે. આટલી બધી માખીઓ પણ હાજર છે. અપાર સંપદાઓ પણ છે. તમારા બાપદાદાઓએ છ દાયકા સુધી રાજ કર્યું તો પણ લોકો અભણ, બેકાર અને ગરીબ કેમ રહ્યાં? મનીનું હની કોણે બનાવ્યું? વિદેશી બેંકોના ખાતાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં કઈ માખીઓ આડે આવે છે? શું તમે તમારા વડવાઓથી વધુ હોંશીયાર અને આવડતવાળા છે? દશાકાઓ તેમને અંધારે ગયા, તમે આવા શાણા ક્યાંથી થયા?

મોટાભાગની સમસ્યાનું મૂળ નિરક્ષરતા, બેકારી અને ગરીબી છે   

તે માટે વિકાસ અને ગુડગવર્નન્સ જોઇએ.

દિલ્લીનું, બીજા રાજ્યોનું અને સાથે સાથે મીડીયાનું કલ્ચર ગુજરાતની જનતાના કલ્ચરથી અલગ છે. પણ બીજા રાજ્યોની જનતા અને ગુજરાતની જનતામાં વિકાસના મુદ્દે આભ જમીનનો ફેર નથી.

જ્યારે જનતાની આકાંક્ષાઓ સમાન ધરી પર આવે છે અને તે એક નેતાને પસંદ કરે છે ત્યારે નાત, જાત, ધર્મ અને ભાષાના ભેદ ગૌણ બની જાય છે.

મોરારજી દેસાઈ એક ઉચ્ચ કક્ષાના નેતા અને વડાપ્રધાન હતા. જનતાને પસંદ હતા પણ જનતા તે વખતે સ્થાનિક રાજકારણની રાજરમતથી મુક્ત બની ન હતી અને બની શકે તેમ ન હતી. તેથી જનતા પક્ષ ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ચૂંટાઈ આવી ન શક્યો. જો તે વખતે મીડીયા મૂર્ધન્યોએ આમ જનતાને સાચી દોરવણી આપી હોત તો નહેરુવીયન કોંગ્રેસનો ફરીથી ઉદય થઈ શક્યો ન હોત. મોરારજી દેસાઈના નેતૃત્વમાં વિકાસની નીતિ સારી રીતે અમલમાં આવી શકી હોત. લોકો વિકાસની નીતિને સમજી શક્યા હોત.

નરેન્દ્ર મોદી, ભૂતકાળના નેતામંડળની ભૂલોને સમજી શક્યા છે. અને પોતાની વાત એક વ્યુહ રચના બનાવીને જનતાને સમજાવી શક્યા છે. જ્યારે જનતા સમજી જાય છે ત્યારે ભલભલા ભૂપતિઓ ભોંય ભેગા થઈ જાય છે.  એટલે બહારના અને અંદરના કયા નેતાઓને નરેન્દ્ર મોદી આવકાર્ય છે અને કયા નેતાઓને આવકાર્ય નથી, એ બધી વાતો ગૌણ બની જાય છે. મીડીયા મૂર્ધન્યો આ વાત સમજવા માગતા નથી. મોટાભાગના નેતાઓ અને મીડીયા મૂર્ધન્યો પોતાના અંગત સ્વાર્થ ફુલે ફાલે તે માટે જૈસે થે સ્થિતિ જ રાખવામાં માને છે.  

નિશ્ચિત મોડેલ કે વાદ જેવું કશું હોતું નથી

મુડીવાદ, સમાજવાદ, સામ્યવાદ વિગેરે ધત્તીંગ છે. વિનોબા ભાવે કહે છે કે આ યુગ જ્ઞાન વિજ્ઞાન અને ટેક્નોલોજીનો છે. તેમનું પ્રયોજેલું સમીકરણ છેઃ

માનવ શક્તિ + માનવતા + ટેક્નોલોજી = વિકાસ

વિકાસની સીમાઓ અનંત છે, અને કુદરતી શ્રોતો પણ અનંત છે. માણસની સુખસગવડો સાચવવા માટે કુદરતમાં અખૂટ છે. પણ માણસના લોભને સંતુષ્ટ કરવા માટે કુદરત તૈયાર નથી (મહાત્મા ગાંધી) 

નરેન્દ્ર મોદી પણ કંઈક આવી જ વાત કરે છે. પણ નરેન્દ્ર મોદીના વિરોધીઓ નરેન્દ્ર મોદીના શબ્દો ઉપર વાણીવિલાસ કરે છે અને તેના શબ્દો ઉપર બળાત્કાર કરે છે.

શિરીષ મોહનલાલ દવે

વૈચારિક ચેતનાનો વિકાસ અને નવસર્જનઃ

એક પતંગ બનાવવાના કામમાં કેટલા કાર્ય ઘટક કાર્યો કરે છે? એક પતંગ તૈયાર કરવામાં કેટલી ઘટક વસ્તુઓ વપરાય છે? વાંસ ક્યાંથી આવે છે? વાંસ આસામથી કેમ આવે છે? ડાંગના વાંસનો ઉપયોગ કેમ કરતા નથી? આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી લાંબા અંતરે ગાંઠ હોય તેવા વાંસના સારા અને મોટા પતંગો પણ બનાવી શકાય છે. તો આપણે તેવા વાંસ ઉગાડો.

શેરડીના સાંઠાને પણ ગાંઠો હોય છે. જો વાંસની ગાંઠો વચ્ચેના અંતરને વધારી શકાય છે તો શેરડીના સાંઠામાં પણ આ થઈ શકતું હશે. અને તેવું થયું પણ ખરું. લાંબા અંતરે ગાંઠો હોય તેવી શેરડીએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આ તો એક જ વૈચારિક ચેતનાનો વિકાસ અને નવસર્જનની વાત કરી. પણ આવું તો નરેન્દ્ર મોદી એ ઘણી બાબતોમાં માનવશક્તિની વૈચારિક ચેતનાને વિકાસ સાથે જોડવાનું કામ કર્યું છે.

ટેગ્ઝઃ ગુજરાત મોડલ, વિકાસ, મોદી, મોદીફીકેશન, મધપુડો, ભારતમાતા, વિપક્ષ, નહેરુવંશી, સમસ્યા, માનવશક્તિ, દિલ્લી, નેતા

Read Full Post »

“લગે રહો મુન્નાભાઈ (રાહુલબાબા)” એક મીડીયા એનાલીસ્ટ ઉવાચ

 

એક જુની જોક છે. એક વ્યક્તિ ઉપર ખૂન કરવાનો આ

 

રોપ આવ્યો. તેણે એક વકીલ રોક્યો. વકીલ સહેબે બહુ સુંદર દલીલો કરી અને ન્યાયધીશ સાહેબે તેને નિર્દોષ છોડી દીધો. પછી વકીલે પોતાના તે અસીલને પૂચ્છ્યું કે “તેં વાસ્તવમાં ખુન કરેલું કે નહીં?” ખુનીએ કહ્યું ” સાહેબ જ્યાં સુધી તમે દલીલો કરી ન હતી ત્યાં સુધી હું માનતો હતો કે મેં ખુન કર્યું છે. પણ તમારી દલીલો સાંભળ્યા પછી લાગ્યું કે મેં આ ખુન કર્યું જ ક્યાં છે?”

 

(જોકે આપણા ચર્ચિત કટાર લેખક ની વાત એવી પ્રસંશાને પાત્ર નથી, કારણ કે ન્યાયધીશ સાહેબ બેવકુફ હોય તે દર વખતે શક્ય નથી)

 

એક ગુજરાતી મીડીયા મેન (દિવ્યભાસ્કર દૈનિકના  પ્રખર કટાર લેખકશ્રી), નહેરુવંશના પાંચમી પેઢીના ફરજંદથી આકર્ષાયા અને નક્કી કર્યું “ઇદમ્ તૃતીયમ્”ઘણા વિશ્લેષકો કરે છે. તો આપણે “ઈદમ ચતુર્થમ્”કરીએ.

 

મૂળ વાત છે. ૪૦વર્ષના બાબાની. એક ગુજરાતી નાટકમાં બાવીશવર્ષના બાબાની વાત આવે છે. પણ આ વાત ૪૦વર્ષના બાબાની છે. ઘણા લોકો તેને “રાહુલબાબા” કહે છે. આમ તો પાંચમી પેઢીનું નહેરુવીયન ફરજંદ ૪૦ વર્ષનું છે. પણ તેની બાલીશ હરકતો અને બાલીશ ઉચ્ચારણોના કારણે કદાચ તેનો રાહુલબાબા તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

 

આમ તો તે રાહુલબાબા ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે.

 

પણ સમાચાર પત્રોને આંચકા મારે તેવા ઉચ્ચારણો પ્રસારિત કરવામાં “વાચકવર્ગની વૃદ્ધિની રુએ” રસ હોય છે.

 

નહેરુવંશની પાંચમી જનરેશના આ ફરજંદે એવું ઉચ્ચારણ કર્યું હતું કે ભારતનો હિન્દુ આંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં વધુ ખતરનાક અને ચિંતાપ્રેરક છે. આવી વાત નહેરુવંશની પાંચમી જનરેશના આ ફરજંદે અમેરિકાના ડીપ્લોમેટને ગયા વર્ષે કરી તે વીકીલીકે જાહેર કરી.

 

જોકે નહેરુવંશજોના સંસ્કાર પ્રમાણે તેઓ આવા બેફામ ઉચ્ચારણો કરે એ કંઈ આશ્ચર્ય ની વાત નથી. કોંગીજનો માટે પણ “વચને કિમ્ દરિદ્રતા” એ મૂદ્રાલેખ છે.

 

બોલવામાં કશું મોળુ રાખવું નહીં. કાગનો વાઘ કરવો, રાઈનો પર્વત કરવો એવી વાત તો જવા જ દો, અસ્તિત્વ ન ધરાવતી વાતને પણ અસ્તિત્વમાં લાવવી અને ખરી વાતને છૂપાવવી એ કોંગી જનોની અને નહેરુવંશીય ફરજંદોની ખાસીયત છે.

 

આઝાદી પૂર્વેના કાળમાં નહેરુવંશના ફરજંદોએ દેશને ખાસ નડે તેવા વિવાદો ખડા કર્યા ન હતા. ગાંધી બાપુના સોટાથી બધા ડરતા પણ ખરા.

 

પણ ગાંધી બાપુ ગયા એટલે નહેરુવાંશના ફરજંદોએ દેશને અતિપાયમાલ કરતું પોત પ્રકાશ્યું, કારણ કે તેમની ઉપર લગામ ન રહી. તિબેટની વાત ન કરીએ તો પણ જવાહરલાલ નહેરુએ ચીન ના લશ્કરની સરહદ ઉપરની દશકા સુધીની ઘુસણખોરી ભારતની પાર્લામેન્ટથી ધરાર છૂપાવેલી.

 

“ખોટું બોલવું” અને “સાચી વાત છૂપાવવી” પર્યાયવાચી (સમાન અર્થ વાળા) બની શકે છે.

 

આ ચીની ઘુસણખોરી છૂપાવેલી, છૂપાવેલી એટલું જ નહીં પણ આવી ઘુસણખોરીને ધરાર નકારેલી.

 

સરહદના સૈન્યના ઉપરી અધિકારીઓ વચ્ચે રુટીન મીટીંગો થતી હોય છે. ભારતીય લશ્કરના અધિકારીઓ ચીની લશ્કરની ઘુસણખોરી વિષે વિરોધ દર્શાવતા. ત્યારે ચીની અધિકારીઓ નહેરુએ પાર્લામેન્ટમાં કરેલા નિવેદનોને ટાંકીને તેને ન કારતા અને રદીયો આપતા.

 

“લાઇન ઑફ કન્ટ્રોલ”, “લશ્કરી પગલાં” અને અથવા “યુનોને રજુઆત કરવી” એ વિષે નહેરુનું વલણ કેટલું બેવકુફી ભર્યું હતું એ વાત આચાર્ય કૃપલાણીએ તેમની આત્મકથામાં સચોટ રીતે સમજાવી છે. ચીનને આક્રમણ કરવામાં નહેરુએ ઠીક ઠીક સરળતા કરી આપેલી. આનું કારણ કદાચ દેશપ્રેમની ઉપરવટનું એવું સમાજવાદ પ્રત્યેની ભ્રામક ઘેલછા હોઇ શકે.

 

કહેવાતો સમાજવાદ એ એક તૂત છે એ વાત મહાત્માગાંધી સારી રીતે સમજી શકેલા. અને ગાંધીજીએ નહેરુને આ વાત જણાવેલી પણ ખરી. ગાંધીજીના સર્વોદયની વિચારધારાએ અને તાર્કિક રીતે જોઇએ તો સામ્યવાદ એ એક મહા-મૂડીવાદ છે. અને તેથી જ નહેરુના અને ઇન્દીરા ગાંધીના સમાજવાદ થકી આપણને મૂડીવાદ અને મહામૂડીવાદના (સામ્યવાદના) દુષણો જ મળ્યા છે.

 

પણ હવે એ વાત જવા દો.

 

ચીનની ઘુસણ ખોરી છૂપાવીને, સંસદ અને જનતાને ગેરમાર્ગે દોરીને, અને અસંબદ્ધ જવાબો આપીને જવાહરલાલ નહેરુએ રાજકારણમાં અને (કોંગ્રેસમાં પણ) “ખોટું બોલવા”ની નીતિના બીજ વાવેલાં છે. કોંગ્રેસે સંસદ સમક્ષ લીધેલા છેલ્લા શપથ એ હતા કે “જ્યાં સુધી ચીને કબજે કરેલો ભારતીય પ્રદેશ પાછો મેળવીશું નહીં ત્યા સુધી જંપીને બેસીશું નહીં.. (એ .. ય આજની ઘડી ને કાલનો દિ …)”

 

ઇન્દીરા ગાંધી ના જુઠાણાંઓઃ

કોર્ટમાં તમે કંઈપણ બોલો તે પહેલાં તમારે શપથ લેવાના હોય છે કે ” જે કંઈ પણ કહીશ તે સાચું કહીશ … અને સાચા શિવાય કશું કહીશ નહીં”.

 

“સમાજવાદ”, “ગરીબી હટાવો”, “અમારું ધ્યેય સૌ સાથે નમ્ર વ્યવહાર”, “કટોકટી એટલે અનુશાસન પર્વ”, “વિપક્ષો પ્રત્યાઘાતી, અરાજકતાવાદી અને સમાજના દુશ્મન છે”

ના ઈન્દીરાઈ અર્થઘટનો  બેનમુન અને હંપ્ટી ડંપ્ટી જેવાં છે.

 

૧૯૬૯-૧૯૭૧ના સમયગાળામાં,  પાકિસ્તાનીઓની કરોડોની સંખ્યામાં થયેલી ઘુસણ ખોરી, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં સામાન્ય જનજીવનમાં થયેલી અવ્યવસ્થા અને વ્યાપક પાયમાલી એ બધું લાંબાગાળા સુધી ચાલ્યું.

 

જયપ્રકાશ નારાયણે કરેલી વિદેશની ખેપો વિદેશી સરકારોને હસ્તક્ષેપ કરાવવા માટે નિસ્ફળ નિવડી. અતિવિલંબ પછી પણ લશ્કરી પગલાં ન લેવાયાં એટલે પાકીસ્તાને ભારતના હવાઈ મથકો ઉપર હુમલા કર્યા. ઈન્દીરા સરકાર માટે લશ્કરી હુમલા શિવાય કોઇ જવાબ બાકી ન રહ્યો. અને લશ્કરને જીત્યા શિવાય છૂટકો ન હતો. કારણકે પકિસ્તાન બંગાળી પૂર્વપાકિસ્તાની મુક્તિસેનાથી  અને ભારતીય લશ્કરથી ઘેરાઈ ગયેલું. પશ્ચિમ પાકિસ્તાન સ્થિત લશ્કરને શ્રીલંકા નું ચક્કર લગાવી પૂર્વપાકિસ્તાન આવવું પડે તેમ હતું. ટૂંકમાં સાનુકુળ પરિસ્થિતીને કારણે ભારતીય લશ્કરે જીત મેળવી. આમેય ભારતીય લશ્કર હમેશા જીતતું જ આવ્યું છે. શિવાયકે જવાહર જેવા રાજકારણીએ  તેને આવશ્યક સુવિધાઓથી વંચિત રાખ્યું હોય.

 

આ જીત થકી ઈન્દીરા ગાંધી પાસે “પેકેજ ડીલ” માટેનો શ્રેષ્ઠ સમય હતો. પણ એવું તે કેવું સીમલા કરારમાં ડીલ થયું કે ઈન્દીરા ગાંધીએ દેશને માટેના કોઇ પણ ફાયદા વગર બધો જ જીતેલો મુલ્ક પાછો આપી દીધો? ઈન્દીરા ગાંધીના ભૂટ્ટો સાથે ટેબલ નીચે થયેલા “ડીલ” ની શક્યતાને અવગણી ન શકો.

 

“અમે ગુન્ડાઓને પકડ્યા છે, અમે કાળાબજારીઓને પકડ્યા છે, અમે દેશદ્રોહીઓને પકડ્યા છે …”  એવી ભ્રામક જાહેરાતો થતી હતી. પણ વાસ્તવમાં  ઘણું બધું છૂપાવાયું. અને કટોકટીમાં તો કરતૂતો ને છૂપાવવા શિવાય કશું હતું જ નહીં. જુઠાણાની ભરમાર હતી.

INDIRA GANDHI SAID "JAIPRAKASH NARAYAN IS CREATING CHAOS"

INDIRA GANDHI SAID "JAIPRAKASH NARAYAN IS CREATING CHAOS"

ઇન્દીરા ગાંધી વિશે તો એવું અચૂક કહી શકાય કે તેમણે પ્રતિજ્ઞા લીધેલી કે ” જે કંઈ કહીશ તે ખોટું કહીશ અને ખોટા શિવાય કશું કહીશ નહીં.”

 

વધુ વાંચવા માટે ક્લીક કરો.

http://shirish-dave.sulekha.com/blog/post/2009/05/congress-and-its-allies-call-them-humpty-dumpty.htm

યુનીયન કાર્બાઈડ જોડે ડીફેક્ટીવ ડીલ કેવી રીતે થયું? કોણે કોણે હાથ સાફ કર્યા? ભોપાલ હોનારત થઇ એના બે વર્ષ પહેલાં તેની ચેતવણી આપવામાં આવેલી. છતાં પણ તેની સામે ઈન્દીરા સરકારે આંખમીંચામણા કેમ  કરેલા?

 

 

એન્ડરસન ને ભાગી જવા માટે અર્જુનસિંહ અને રાજીવ ગાંધીએ રસ્તો કેમ સાફ કરી આપ્યો હતો? સોનીયા ગાંધી પણ બધું જાણતા હોવાં જ જોઇએ. પણ બધું જ છૂપાવાય છે.

 

ટેલીકોમ ક્રાંતિને રાજીવગાંધીને નામે ચડાવવી એ એક બાલીશતા છે.

 

(તેની વિગતમાટે વાંચવા માટે ક્લીક કરો

 

http://shirish-dave.sulekha.com/blog/post/2009/03/nehruvians-had-prevented-development-on-the-name-of.htm

દાઉદને કેવીરીતે જવા દેવામાં આવ્યો? નહેરુવીયન ફરજંદોએ અને તેમની કોંગ્રેસે સ્થાપેલી સતર્કતા પ્રણાલી શું કરતી હતી? તેમણે સ્થાપેલી ઇન્ટેલીજન્સી શું કરતી હતી? આવું તો ઘણું બધું નહેરુ વંશના ફરજંદોએ છૂપાવ્યું છે.

 

નહેરુવંશીઓના રાજકારણીઓની બે મોંઢાની વાતો યેનકેન પ્રકારે સત્તામાં ચાલુ રહેવાની અને “મતો-થકી” ચૂંટણીઓ જીતવાની હોય છે.

 

નહેરુવીયન કોંગ્રેસે મીડીયા મૂર્ધન્યોના સહકારથી એક એવી હવા ફેલાવી છે કે બીજેપી હિન્દુત્વને પૂરસ્કૃત કરીને મતો મેળવે છે.

 

નહેરુવીયન કોંગ્રેસે મેળવેલી ચૂંટણીની જીતોને એક એક કરીને ચકાશો તો તે કોમવાદી અને જાતીય વિભાજન થકી મેળવેલી જ જણાય છે. બાકી જો હિન્દુઓ બીજેપીને હિન્દુ તરીકે મતો આપતા હોય તો કોંગ્રેસની તાકાત નથી કે તે એક પણ સીટ જીતી શકે. બીજેપી ને જે મત મળે છે તે એક વિકલ્પ તરીકે ના મત મળે છે. અને હવે વિકાસને નામે મત મળે છે.

 

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સહયોગીઓ તેની વિરુદ્ધ લઘુમતિઓના મતો અંકે કરવા એડીચોટીનું જોર લગાવે છે.

 

 

નરેન્દ્ર મોદી આ વાત બરાબર સમજ્યા છે. તેથી નરેન્દ્ર મોદીએ “મતોના રાજકારણ”ની સામે “વિકાસના રાજકારણ”ને અમલમાં મૂક્યું છે.

 

આમેય કટોકટીના સમયમાં ઘણા અત્યાચારો થયેલા અને ઘણા સરકારી અને ગેરસરકારી (નહેરુના ફરજંદ એવા સંજય ગાંધી તરફથી) ફરમાનો અને વિપક્ષો વિષે ટીકાઓ પ્રસારીત થતી. કટોકટીના અંતિમ દિવસોમાં ચૂંટણી જાહેર થયા પછી મોટાભાગના નેતાઓને જેલમાંથી છોડવામાં આવેલા.

 

તે વખતે સંજય ગાંધીના એક ઉચ્ચારણ બાબતે શ્રી મોરારજી દેસાઈને પ્રતિક્રીયા આપવા વિષે પત્રકારો દ્વારા પ્રૂચ્છા કરવામાં આવી. ત્યારે મોરારજી દેસાઈએ તેમની લાક્ષણીક મૂદ્રામાં અને ટોનમાં જવાબ આપ્યો “તે (સંજય ગાંધી) જવાબ આપવાને લાયક નથી.” એટલે કે પ્રતિક્રીયા માટે મેળવવા માટે સંજયગાંધીની કોઈ હેસીયત ન હતી.

 

લગભગ આવો જ પ્રસંગ જયપ્રકાશ નારાયણની પત્રકાર પરિષદમાં ભાવનગર ખાતે કદાચ ૧૯૬૦ની આસપાસમાં થયેલો. તે હતો રજનીશ વિષે.

 

રજનીશે જાહેર જીવનમાં ગાંધીજીની ટીકાઓ કરીને એન્ટ્રી મારી હતી. ગુજરાતી છાપાઓએ તેમને ઠીક ઠીક પ્રસિદ્ધિ આપી હતી. રજનીશની ટીકાઓ ગાંધીવાદની અને ફિલોસોફી વિષે હતી. તત્કાલિન સમયમાં અને ખાસ કરીને પત્રકાર જગતમાં તત્વજ્ઞાન અને વાદમાં ભેળસેળ હતી. એટલે પત્રકારો રજનીશને તત્વજ્ઞાની માનતા. આજે પણ કદાચ માનતા હશે. તત્વજ્ઞાન અને તર્ક કોને કહેવાય તે બધા વિષે પત્રકારો સુજ્ઞ હોય તે જરુરી નથી.

 

જયપ્રકાશ નારાયણજીને સવાલ કરવામાં આવ્યો “આચાર્ય રજનીશના તત્વજ્ઞાન વિષે તમે શું માનો છો?”

જયપ્રકાશ નારાયણના શબ્દો હતા “કૌ … ન     આ..ચા..ર્ય … રજનીશ ..?”

 

કહેવાની જરુર નથી કે મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણ ઉપરોક્ત શબ્દો ઉચ્ચારાયા પછી શ્રોતાજનાઓના હાસ્ય અને તાળીઓના ગડગડાટ થયેલા.

 

હવે આપણા એક બ્રહ્મજ્ઞ કટાર લેખકને થયું કે આપણે “બાબાનો” બચાવ કરીએ.

 

“બાબા”એ કહ્યું હતું “હિન્દુ આતંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં  વધુ ખતરનાક છે. અને નરેન્દ્ર મોદી એમાં સામેલ છે”

 

ધ્યેયઃ બાબાનો બચાવ

 

સાધનઃ ભદ્રંભદ્રીય

 

રચનાઃ વાક્યનું વિભાજન કરો. હિન્દુ આતંકવાદ વધુ ખતરનાક છે. મુસ્લિમ આતંકવાદ. નરેન્દ્ર મોદી ની સામેલગીરી. છેલ્લા બે વાક્યોને બભમ બભમ કરી અપ્રત્યક્ષ કરો.

 

હિન્દુઆતંકવાદ ને બદલે હિન્દુ જ્ઞાતિવાદ કરો. દા. ત. ભદ્રંભદ્ર અને અંબારામની ગોઠવણને યાદ કરો. સુધારાવાળા ઘોડીયા લગ્નનો (બાળ લગ્નનો)  વિરોધ કરે છે. અને તેઓ કહે છે કે ઘોડીયા લગ્ન ને શાસ્ત્રોનું પ્રમાણ નથી. સંસ્કૃતમાં શ્લોક છે. અષ્ટાવર્ષે ભવેત્ ગૌરી. પણ આપણે તેને “અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી” એમ ફેરફાર કરી દો. કોઈને ખબર પડશે નહીં. અને વર્ષાંગે એટલે વર્ષનુ અંગ. એટલે કે માસ. માસ એટલે મહિનો. એટલે કે અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી એટલે કે કન્યા આઠમાસે ગૌરી થઈ ગઈ ગણાય અને એટલે ગૌરી થયે તેનું લગ્ન કરી નાખવું જોઇએ. સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્.

 

સાબિતીઃ બાબાનું કહેવું એમ છે કે હિન્દુઓનો જ્ઞાતિવાદ ઘણો ભયાનક છે અને તે (ક્રોસબૉર્ડર) આતંકવાદ કરતાં પણ ઘણો ભયંકર છે. અને અમે (કોંગીજનો) ચિંતાશીલ પ્રકૃતિના છીએ તેથી હિન્દુઓના આ આતંકવાદરુપી (જ્ઞાતિવાદ) આતંકવાદથી ઘણા ચિંતિત છીએ. આ એક વર્ગનો બીજા વર્ગ સામેનો તિરસ્કાર છે અને આરએસએસ આવા તિરસ્કાર ફેલાવે છે. નરેન્દ્ર મોદી અને આરએસએસ સમાન છે એટલે નરેન્દ્ર મોદી તિરસ્કાર ફેલાવે છે. નરેન્દ્ર મોદી શક્તિ શાળી છે. અને અમે તેનાથી ડરીએ છીએ. ડરથી અમે ચિંતિત છીએ. એટલે કે અમે નરેન્દ્ર મોદીથી ચિંતિત છીએ. એટલે કે અમે હિન્દુઆતંકવાદથી ચિંતિત છીએ.આમ તો અમે નિડર છીએ. પણ ખતરનાક વસ્તુઓથી બધાએ ચિંતિત રહેવું પડે એટલે અમે આ હિન્દુઆતંકવાદને (ક્રોસબોર્ડર આતંકવાદથી)ખતરનાક માનીએ છીએ. અને અમને (નરેન્દ્ર મોદીતરફની બીકથી ઉત્પન્ન થતી પરિસ્થિતીની) તેની ચિંતા છે.

સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્.

 

જુઓ સાહેબ આમ તો મારે જ્ઞાતિવાદ વિષે બળાપો કરવો હતો અને છે. અને બાબા નો બચાવ કરવો હતો. આ બાબો ધોળો છે અને રુપાળો છે. “હિન્દુઓનો જ્ઞાતિવાદ” એ અ-હિન્દુઓ માટે ટોણા મારવાનું હાથવગું હથિયાર છે. અને વળી પરમ-આનંદ મેળવવાનું પણ પણ સાધન છે. (હિન્દુ વર્ણવ્યવસ્થા ઉપર ગાંધી બાપુને વાંચીને જ ટીકા કરવી એ જરુરી નથી) . તો હું પણ આ હિન્દુઓના આ જ્ઞાતિવાદને સર્વ અનિષ્ઠોનું મૂળ સ્થાપિત કરી મારી વૈચારિક તાટસ્થ્યની ઘેલછા શા માટે ન સંતુષ્ટ કરુ?

 

હે સુજ્ઞ જનો, જ્ઞાતિવાદ એ એક વર્ગ વાદ છે. અને તે તેના ગુણધર્મોથી અત્રતત્ર સર્વત્ર વ્યાપ્ત છે. ક્યાંક તે ધર્મિક નેતાઓના સત્તાકલહથી ઉત્પન્ન થયો છે, ક્યાંક તે સમાજઉદ્ધારના તર્કશાસ્ત્રના વિખવાદોથી ઉત્પન્ન થયો છે, ક્યાંક તે હોદ્દાઓ થી ઉત્પન્ન થયેલો છે, ક્યાંક તે ધન અને સંપત્તિની અસમાનતાથી ઉત્પન્ન થયેલો છે. ક્યાંક તે ચામડીના રંગથી ઉત્પન્ન થયેલો છે.

 

વ્યવસાય: સમાજના સંચાલન માટે વ્યવસાય જરુરી છે. વ્યક્તિએ પોતાનો વ્યવસાય પસંદ કરવાનો છે. વ્યક્તિ પોતાનો વ્યવસાય પોતાની પ્રકૃતિને અનુરુપ કરે છે. આ રીતે સમાજના સંચાલનમાટે જરુરી વ્યવસાયો વ્યક્તિઓએ પોતપોતાની પ્રકૃતિ અનુસાર સ્વિકારેલા છે.

 

ચાતુર્વર્ણમ્ મયા સૃષ્ટમ્ ગુણકર્મવિભગસઃ (ગીતા)

તેમાં કશું ઊચ-નીચ ન ગણવું.

 

પણ વર્ગમાં ઉચ નીચના ખ્યાલો મૂર્ધન્યોએ નાખ્યા હોય એવું અર્વાચીન મીડીયા મૂર્ધન્યોના વર્તન ઉપરથી લાગે છે.

 

“બાબો” કોણ છે?

 

તેની લાયકાત શું છે?

 

તેનું વાચન શું છે?

 

તેની પાસે આર્ષદૃષ્ટિ જેવું કશું છે? તેણે કોઈ તપ કર્યું છે?

 

તમે તેનું વિવેચન શામાટે કરો છો?

 

શું તમે પણ તે નહેરુવંશી છે માટે મહત્વ આપીને જ્ઞાતિવાદની પુષ્ટિ કરો છો?

 

શું મીડીયા મૂર્ધન્યનો આ “વદતઃ વ્યાઘાત્ (વિરોધાભાષી વર્તન)નથી”?

 

જો કોઈ એક કુટુંબમાં જન્મેલી વ્યક્તિ જ પક્ષમાં નંબરવન બનવાને લાયક ગણાતી હોય અને તમે તેનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અનુમોદન કે બચાવ કરવા કૂદી પડો એટલે તમે જ્ઞાતિપ્રથાને જ અનુમોદન આપ્યું કહેવાય. વળી આ જન્મજાત જ્ઞાતિવાદની ટીકા પણ સાથે સાથે કરો તો તમે કાં તો બેવકુફ છો (વદતઃ વ્યાઘાત થયું ગણાય) કે તમે “ક્રાઈસીસ ઑફ આઇડેન્ટીફીકેશન” થી પીડિત છો (રજનીશ ની જેમ).

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ કટારલેખક, મૂર્ધન્ય, ૪૦વર્ષનો બાબો, નહેરુવંશી ફરજંદો, જુઠાણાની આદત, આરએસએસ, નરેન્દ્ર મોદી, વિકાસ, મુસ્લિમ, આતંકવાદ

 

Read Full Post »

%d bloggers like this: