Feeds:
Posts
Comments

Posts Tagged ‘વિશિષ્ઠ દરજ્જો’

“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો

“દંભી પક્ષના નેતાઓને હરાવો” રાષ્ટ્રવાદીઓના નવા વર્ષના સંકલ્પો

 (૧) પહેલાં એ સમજી લો કે ઈન્દિરા નહેરૂવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.) ના પ્રવર્તમાન એક પણ નેતાઓએ, તેમના બાપાઓએ, દાદાઓએ કે પરદાદાઓએ સ્વાતંત્ર્યની લડાઈમાં કશું ખાસ જ યોગદાન આપેલું નથી. જે પણ કોઈ ગણ્યા ગાંઠ્યા નેતાઓએ થોડો ઘણો ભાગ ભજવેલ તેઓએ તેનું વ્યાજ સાથે જ નહીં પણ યોગદાન કરતાં હજાર ગણું કે લાખ ગણું વટાવી લીધું છે.

Paint02

એવા જૂજ લોકો બચ્યા છે કે જેમણે સ્વાતંત્ર્યની લડત જોઇ હોય કે તેને વિષે સાચી માહિતિ હોય. હાલની જે કંઈ સમસ્યાઓ છે તેમાંની કેટલીક અંગ્રેજી શાસકોએ ઉત્પન્ન કરી છે અને બાકીની નહેરુ અને તેના ફરજંદોએ ઉત્પન્ન કરી છે અને બધી જ સમસ્યાઓને વિકસાવી છે.

(૧.૦૧) હિન્દુ મુસ્લિમ સમસ્યાઃ

અંગ્રેજોએ ઉભી કરી હતી. નહેરુએ તેને જીવતી રાખી હતી. ઈન્દિરા ગાંધીએ તેને વિકસાવી હતી અને તેના ફરજંદોએ તેને બહેકાવી છે. અને આ બધું તેઓ ધર્મનિરપેક્ષતા, ભગવા કરણ, હિન્દુ આતંકવાદ, હિન્દુ પાકિસ્તાન, અસહિષ્ણુતા અને અસામાજીક તત્વોના ટોળાદ્વારા થતી હિંસાને હિન્દુઓ ઉપર ઢોળીને, હિન્દુઓમાં આવી હિંસા વ્યાપક છે તેવો પ્રચાર કરે છે. વાસ્તવમાં આ વહીવટી સમસ્યા છે જે સામાન્ય રીતે ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) શાસિત રાજ્યોમાં બનેલી છે.

ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા પચાસના દશકામાં મૃતપ્રાય અવસ્થામાં હતી. પણ પાકિસ્તાનના સરમુખત્યારી શાસકોએ લંબાવેલા દોસ્તીના હાથને નહેરુએ તરછોડીને પાકિસ્તનની અંદર હિન્દુઓ માટે સમસ્યાઓ ઉભી કરેલ અને પાકિસ્તાનમાંથી ફરી એક વખત હિન્દુઓની હિજરત ચાલુ થયેલ. તે પછી ઇન્દિરા ગાંધીએ ભારતમાં ૧૯૬૯માં અમદાવાદમાં ૧૯૬૯માં હિન્દુ-મુસ્લિમ હુલ્લડ કરાવીને ભારતમાં હિન્દુ મુસ્લિમ અલગ છે તેવી ભાવના ઉભી કરેલ.

ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન જે બે કરોડ બાંગ્લાદેશી હિન્દી ભાષી બિહારી મુસ્લિમ ઘુસણખોરોને ઘુસવા દેવામાં આવ્યા છે. હવે તેઓને નાગરિકતા આપવા માટે, આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેણે ઉત્પન્ન કરેલા પક્ષો ચળવળ ચલાવે છે. તે ઉપરાંત રોહિંગ્યા ઘુસણખોરો જેમાં મુસ્લિમ આતંકવાદીઓ પણ સામેલ છે તેમને માનવતાવાદના નામે આશરો આપવો તેવી પણ ચળવળ ચલાવે છે. આજ મુસ્લિમોએ રોહિંગ્યાઓને કાશ્મિરમાં વસાવ્યા. કારણ ફક્ત એટલું કે તેઓ પણ મુસ્લિમ છે.

અને તમે જુઓ પોતાના જ દેશમાં પોતાના જ રાજ્યમાં (કાશ્મિરમાં) અને પોતાના જ ઘરમાંથી  હિન્દુઓને, મુસ્લિમ આતંકવાદીઓ, સ્થાનિક મુસ્લિમો, નેતાઓ, સ્થાનિક અને કેન્દ્રસ્થ સરકારના સહયોગ દ્વારા ભગાડ્યા અને નિર્વાસિત બનાવ્યા. તેમને પુનર્સ્થાપિત કરવામાં અખાડા કરવા એ આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષનું એવું લક્ષણ છે. દુનિયાના ઇતિહાસમાં આનો જોટો નથી. એટલું જ નહીં પણ ૩૦૦૦+ કાશ્મિરી હિન્દુઓની કતલ અને હજારોની સંખ્યામાં હિન્દુ સ્ત્રીઓની ઉપર મુસ્લિમો દ્વારા દુષ્કર્મો કરવા દેવા તે પણ તમને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષ અને તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષના શાસન સિવાય, ક્યાંય દુનિયામાં જોવા મળશે નહીં. અને તમે જુઓ, મુસ્લિમો દ્વારા થયેલા આવા અત્યાચારો થયા છતાં ન ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ અને તેના સહયોગી પક્ષો જેવા કે નેશનલ કોન્ફરન્સની સરકાર દ્વારા એક પણ નેતાની ઉપર કે વ્યક્તિ ઉપર આરોપનામું થયું નથી, એક પણ ધરપકડ થઈ નથી, એક પણ નેતાને જવાબદાર ઠેરવ્યો નથી અને એક પણ તપાસપંચ રચાયું નથી.

ઉચ્ચન્યાયાલયની બેહુદી દલીલઃ

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે બીજેપીએ આ બાબતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરી તો ઉચ્ચ ન્યાયાલયે એમ કહીને ફરિયાદ કાઢી નાખી કે “બહુ મોડું થયું છે અને પૂરાવાઓ મળશે નહીં”. જો કે ૧૯૮૪ના ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આચરેલા કત્લેઆમને વિષે તપાસ પંચ ની વાત જુદી છે કારણ કે શિખ નેતાઓ તો “હૈયા ફૂટ્યા” છે અને તેમને ખરીદી શકાય છે.

વાસ્તવમાં જોઇએ તો આ એક ગેરબંધારણીય વાત છે કે ઉચ્ચન્યાયાલય પોતાની ધારણાના આધારે, ફરિયાદને અવગણે છે. વાસ્તવમાં ઉચ્ચ ન્યાયાલયે જ આદેશ આપવો જોઇએ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના, નેશનલ કોંસ્ફરન્સના જવાબદાર નેતાઓને સીધા જેલમાં જ પૂરો અને આ બંને પક્ષોની માન્યતા રદ કરો.

આવું ન કરવા બદલ ન્યાયાધીશને પાણીચૂ આપવું જોઇએ.

તમે જુઓ, બીજેપીના અમિત શાહને એક સિદ્ધ અતંકવાદી અને સિદ્ધ ગુંડાના ખૂન કેસમાં સંડોવ્યા હતા. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ, આ સિદ્ધ આતંકવાદી અને સિદ્ધ ગુંડાના માનવતાવાદની વાતો કરે છે અને તપાસપંચ નિમાવી ન્યાયાલયમાં કેસ ચલાવે છે. ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના આ સંસ્કાર છે.

અને આવા વલણની ઉપર તાલીઓ પાડનારા મૂર્ધન્યો, કટારીયાઓ (વર્તમાન પત્રોમાં કોલમો લખનારા) અને ટીવી એન્કરો પણ છે.

તમે જુઓ છો કે મુસ્લિમો દ્વારા આતંકિત હિન્દુઓના માનવ હક્ક ની વાત કરવાથી તમને આ લોકો કોમવાદીમાં ખપાવે છે. કારણ કે હિન્દુઓ તો બહુમતિમાં છે ભલે તેઓ અમુક રાજ્યમાં અને અમુક વિસ્તારોમાં અને અમુક ગામોમાં લઘુમતિમાં હોય અને તેમના ઉપર અત્યાચારો થતા હોય અને તેમને ભગાડી મુકવામાં આવતા હોય.

આવું વલણ રાખનારા નેતાઓ જ મુસ્લિમોના કોમવાદને ઉશ્કેરે છે. આની નેતાગીરી ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસે લીધી છે.

દુઃખની વાત એ છે કે પ્રગતિશીલ મુસ્લિમ વ્યક્તિઓ નિસ્ક્રિય રહે છે.

જેઓનો દંભ અને કાર્યસૂચિ આટલી હદ સુધી વિકસિત હોય તેમની ઉપર જનતાએ વિશ્વાસ કરવો જ ન જોઇએ. રાષ્ટ્રવાદીઓનું કર્તવ્ય છે કે તેઓ આ પડકારને ઝીલી લે અને આવી વ્યક્તિઓને ઉઘાડી પાડે.

(૧.૦૨) આરક્ષણવાદ જન્મને આધારેઃ

જો કે મહાત્મા ગાંધીએ કોઈપણ જાતના આરક્ષણની મનાઈ કરેલ અને તેને માટે તેઓ ઉપવાસ ઉપર પણ ઉતરેલ. નહેરુએ જોયું કે જો આમ્બેડકરના અછૂતોમાટેના આરક્ષણને સ્વિકારી લઈશું તો ભવિષ્યમાં આનો લાભ મળી શકે તેમ છે. જો કે આમ્બેડકરે આ આરક્ષણ ફક્ત દશવર્ષ માટે જ માગેલું હતું અને તે પ્રમાણે બંધારણમાં જોગવાઈ કરેલ હતી. કારણ કે જનતંત્રમાં જે પક્ષની સરકાર દશ વર્ષ રાજ કરે તેણે આવી જાતીય અસમાનતાઓ દશ વર્ષમાં તો દૂર કરી દેવી જ જોઇએ. અને જો તે દૂર નકરી શકે તેની માન્યતા રદ કરવી જોઇએ. એમ પણ કહી શકાય કે તેવા પક્ષનો અસ્તિત્વમાં રહેવાનો મૌલિક અને નૈતિક હક્ક બનતો નથી.

હવે તમે જુઓ, આવા આરક્ષણના હક્કને નહેરુએ અને તેના ફરજંદોએ એવો ફટવ્યો કે ક્ષત્રીયો કે જેઓએ દેશ ઉપર હજારો વર્ષ શાસન કર્યું, અને પાટીદારો, કે જેઓ, વેપાર ધંધામાં ઝંપલાવી વાણિયાઓના પ્રતિસ્પર્ધી બન્યા છે, તેઓમાંના કેટલાક, જાતિને નામે પણ આરક્ષણ માગતા થયા છે અને આંદોલન કરતા થયા છે. અને તે પણ ક્યારે કે જ્યારે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓએ ૬૫વર્ષ દેશ ઉપર શાસન કર્યું. અને પછી તેઓ હાર્યા. એટલે આવા હારેલા પક્ષના નેતાઓએ જાતિગત ભેદભાવના આંદોલનોને પેટ્રોલ અને હવા આપવા માંડ્યા, તે એટલી હદ સુધી કે તેઓ રાષ્ટ્રની સંપત્તિને બાળવા માંડ્યા. કારણકે તેઓ ઇચ્છતા નથી કે દેશમાં સામાજિક પરિવર્તન આવે. એચ. પાટીદાર, મેવાણી, ઠાકોર …. આ બધા દેડકાઓ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષની પેદાશ છે.

(૧.૦૩) જાતિવાદ (જ્ઞાતિવાદ);

જેમ મુસ્લિમો વધુને વધુ રેડીકલ થતા જાય છે તેમ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓ જ્યારથી ચૂંટણીઓ થઈ ત્યારથી જાતિના આધારે ઉમેદવારો પસંદ કરતા થયા છે અને તેઓ તેને ઉત્તેજન પણ આપે છે. સમાચાર માધ્યમના મૂર્ધન્યો પણ જાતિવાદના ભયસ્થાનો સમજાવવાને બદલે અને ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસના વલણને વખોડવાને બદલે જાતિવાદના આંકડાઓનું વિશ્લેષણ કરીને જે તે ઉમેદવારના વિજય ની આગાહીઓ કરે છે. વાસ્તવમાં સમાચાર માધ્યમોએ તો જનહિત અને દેશહિતને ખાતર આવા વિશ્લેષણોથી દૂર રહેવું જોઇએ. આવા વિશ્લેષણો પ્રકાશમાં આવવાથી જાતિવાદને પ્રોત્સાહન મળે છે અને જો વિજયના પરિણામો તે પ્રમાણે આવ્યા હોય તો જાતિવાદ રાજકીય હેતુ માટેનું એક મોટું પરિબળ બન્યું છે.

(૧.૦૪) પ્રદેશવાદઃ

ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે ભારત ઉપર ૬૫ વર્ષ રાજ કર્યું હોવા છતાં મોટાભાગના રાજ્યો બિમારુ રાજ્ય રહી ગયા છે. આમાં પશ્ચિમના રાજ્યોને બાદ કરતાં બધાં જ રાજ્યો આવે છે. નહેરુવીયન કોંગ્રેસે પોતાની રાજકીય ચાલને અનુરુપ બિમારુ રાજ્યને “વિશિષ્ઠ દરજ્જો” આપવાની જોગવાઈ કરી છે. આને માટે મનગઢંત અને રબરના માપદંડો બનાવ્યા છે. અને જે રાજ્યને વ્હાલું કરવું હોય તેને આ વંશવાદી કોંગ્રેસ, વિશિષ્ઠ દરજ્જો આપવાની વાતો કરે છે. જો આ વંશવાદી કોંગ્રેસ પક્ષ તે રાજ્યમાં હારી જાય તો “રામ તારી માયા” કરીને વાત વિસ્મૃતિમાં નાખી દે. જો તે રાજ્યમાં તે જીતી જાય તો કહે કે કાર્યવાહી ચાલુ કરી છે.

વાસ્તવમાં તો જે રાજ્ય પોતાને બુમારુ રાજ્ય ગણાવવા માગતું હોય તેણે લાજવું જોઇએ કે જેણે એવા પક્ષને ચૂંટ્યો કે તેણે ૬૫ વર્ષો સુધી રાજ કર્યું તો પણ તે રાજ્ય બિમાર જ રહ્યું. આવા રાજ્યના નેતાઓ લાજવાને બદલે ગાજે છે. જનતાને સ્વકેન્દ્રી અને અભણ રાખી છે. તેથી તે આવા મુદ્દાઓ ઉપર વિભાજિત થાય છે.

આવા વિભાજનથી સાવધાન રહેવાનો સંકલ્પ કરો.

(૧.૦૫) ભાષાવાદઃ

મૂળ કોંગ્રેસ કે જેણે ભારતની સ્વાતંત્ર્યની લડતમાં પોતાનું મહત્તમ યોગદાન આપેલ તેની નીતિ એવી હતી કે આમ જનતા અને સરકાર વચ્ચે સુચારુ સંવાદ થાય એટલે ભાષાવાર રાજ્ય રચના કરવી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે એટલે કે નહેરુએ રાજ્યોની રચના એવી રીતે કરી કે ભાષા-ભાષીઓ વચ્ચે વિખવાદ થાય. સિવસેના (આ પક્ષ માટે શિવ સેના શબ્દ વાપરવો એ શિવાજીનું અપમાન છે), એમ.એન.એસ., ડીએમકે, ટીએમસી, જેવા પક્ષો આવા બેહુદા ભાષાવાદની નીપજ છે.

મુંબઈ રાજ્યનું વિભાજન થયું ત્યારે એ શરત નક્કી થઈ હતી કે મહારાષ્ટ્રમાં મુંબઈનું પચરંગી પણું જાળવી રખાશે. પણ આજે “મરાઠી મુંબઈ”ના બોર્ડ ઠેર ઠેર જોવા મળે છે. પહેલાં મુંબઈના રેલ્વેના સ્ટેશનો ના બોર્ડ ત્રણ લિપિમાં લખેલા જોવા મળતા હતા. દેવનાગરી (હિન્દી-મરાઠી), ગુજરાતી અને અંગ્રેજી. પણ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે તે બોર્ડોને દેવનાગરીમાં બે વાર લખે છે. અને એકવાર અંગ્રેજી લિપિમાં લખે છે.

Paint01

ફૉન્ટ જુદા જુદા વાપરીને હિન્દી અને મરાઠીને અલગ દર્શાવે છે. હવે જો સ્થાનિક ભાષાના લોકો વાંદ્રે કહેતા હોય તો બાંદરા કે BANDARA લખવાનો અર્થ નથી. કારણ કે કાયદો એમ છે કે સ્થાનિક ભાષામાં જે રીતે બોલાતું હોય તે જ રીતે લખવું. જેમકે અમદાવાદ, વડોદરા, ભરુચ હવે અમદાવાદ, એહમેડાબાડ, અહમદાબાદ એવા ઉચ્ચારોમાં લખાતું નથી. તેવીજ રીતે વડોદરા, બડૌદા, બરોડા, તેમજ ભરુચ ભડોચ અને બ્રોચ પણ લખાતા નથી. વળી રેલ્વે વાળાને એમ પણ છે કે મરાઠી લોકો માને છે કે મરાઠી લિપિ અલગ છે. પણ વાસ્તવમાં એવું નથી ફક્ત થોડા મૂળાક્ષરો વધુ છે જેમકે બે જાતના “ચ”.  “ળ” અને વ કે વ્હ તેમાં કશું નવું નથી. અને કોઈ મરાઠી લોકોને પણ ખબર નથી કે મરાઠી લિપિ અને દેવનાગરી લિપિમાં શો ફેર છે.

આ, જે પણ હોય તે, પણ અહીં મુંબઈના પચરંગીપણાને જાળવી રાખવાના શપથનો ભંગ થાય છે. આ શઠ શપથ લેનારાઓએ જાણી જોઇને આ ભંગ થવા કર્યો છે. ગુજરાતીઓ શાંતિ પ્રિય છે અને તેઓ જ્યાં જાય ત્યાં જે તે ભાષા શિખી જાય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપે છે તેથી શાંતિ જળવાય છે. સુશિક્ષિત મરાઠી લોકો પણ સરસ્વતીના પુત્રો છે. પણ મરાઠાઓએ સમજવું જોઇએ કે જો આવું બીજા રાજ્યોમાં થયું હોય તો બ્લડ શેડ થઈ જાય.

(૧.૦૬) ફોબીયા વાદ; ગાંધી ફોબીયા, મુસ્લિમ ફોબીયા

તમને એમ થશે કે આ વળી શું છે? આમાં વળી હિન્દુઓ કેવી રીતે વિભાજિત થાય?

હાજી. આમાં પણ હિન્દુઓ વિભાજિત થાય.

કેટલાક હિન્દુઓ એવા હોય છે કે “હું મરું પણ તને રાંડ કરું.

આવા હિન્દુઓ એવું દૃઢ રીતે માનતા હોય છે કે મહાત્મા ગાંધી હિન્દુ દ્વેષી અને મુસ્લિમોને આળપંપાળ કરતા હતા. જો કે આ એક જૂઠ છે. પણ જેમણે ગાંધીજીને વાંચ્યા નથી અને વાંચવામાં માનતા નથી તેઓ ગાંધીજી વિષે આવું માને છે અને માને રાખશે. પણ તેથી કરીને બીજા કેટલાક લોકો, બીજેપીને અવિશ્વસનીય માનશે, તેની આ ફોબિયાગ્રસ્ત લોકોને ખબર નથી કે અક્કલ પહોંચતી નથી. જેઓ બીજેપીને અવિશ્વસનીય માનશે, તેઓ મતદાન થી દૂર રહેશે.

કેટલાકને એવું લાગે છે કે “બીજેપીને વખાણવામાં આપણું અસ્તિત્વ જોખમાય એવું છે. એટલે આપણે તો ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને જ સહાય કરવી પડશે પછી ભલે વંશવાદી કોંગ્રેસે  અવારનવાર ગાંધી વિચારોનું ખૂન કર્યું હોય. ગાંધી તો આખરે એક શરીર ધારી હતા અને વિચાર પણ શરીરમાંથી ઉદ્‌ભવે છે તેથી વિચાર માત્ર, શરીરનો એક ભાગ જ છે ને! આર.એસ.એસ. વાળાએ ગાંધીજીના શરીરનું ખૂન કર્યું છે તે વાત ભલે ઉક્ત વંશવાદી કોંગ્રેસે આધારહીન રીતે ફેલાવી હોય, પણ તેને જનતાની સ્વિકૃતિ મળી છે એવું જ્યારે રાહુલ ગાંધી જેવા પણ સ્વિકારે છે તો આપણે વળી કઈ વાડીના મૂળા? માટે જ્યાં સુધી વર્તમાન પત્રોમાં વર્તમાન પત્રોના માલિકોના એજન્ડા પ્રમાણે આપણું અસ્તિત્વ ચાલુ રાખવાની જોગવાઈ છે તો આપણે બીજેપીની કુથલી, ચાલુ જ રાખો ને… બીજું કારણ એ છે કે …

“હવે આપણે ગઢ્ઢા (વૃદ્ધ) થયા છીએ તો આપણે જીવવામાં હવે કેટલા દિવસ બાકી રહ્યા? શા માટે આપણે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસની ફેવર ન કરવી? ભલે એમની આરાધ્ય દેવીએ આપણને વિના વાંકે અનિયત કાળ માટે જેલમાં પૂર્યા હોય. ભલે આપણા ગુરુઓને એટલે કે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ જેવાને પણ છોડ્યા ન હોય. પણ પોલીટીક્સમાં તો એવું ચાલ્યા કરે જ છે ને. “ક્ષમા વિરસ્ય ભૂષણમ્‌”. તો હવે આપણે પણ આપણી વીરતા સિદ્ધ કરવા માટે ઉપરોક્ત વંશવાદી કોંગ્રેસને સહાય કરો. આ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષના દુર્ગુણો ભલે હિમાલય જેવડા હોય, તે વિષે આપણે મૌન રહેવું અને બીજેપીનો ફોબીયા ચાલુ રાખવો. બોલવા લખવામાં રા.ગા.ને આપણે ગુરુ માનવા. ઇતિ.

આવા ફોબિયા ગ્રસ્તની ચૂંગાલમાં પડવું નહીં એવો સંકલ્પ કરો.

(૧.૦૭) અંગ્રેજોએ ચાલુ કરેલા ગતકડાંવાદને પ્રોત્સાહનઃ

તમને એમ થશે કે આ વળી શું?

અંગ્રેજ સરકારે ભારતનો ઈતિહાસ લખ્યો. અંગ્રેજી ભાષાને વહીવટી ભાષા રાખી જેથી મોટી પોસ્ટ ઉપર અંગ્રેજોને ગોઠવી શકાય. અને અંગ્રેજોની શ્રેષ્ઠતાને સ્વિકારનારાઓની એક ભારતીય ફોજ તૈયાર કરી શકાય. આ ઈતિહાસે ભારતને ઉત્તર, દક્ષિણ, અને પૂર્વમાં વિભાજિત કર્યું. જેની અસર એ થઈ કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ના લોકો પોતાને ભિન્ન માનતા થઈ ગયા. અને સૌ વિદ્વાનો, જે કોઈ, આનાથી ઉંધી વાત કરે તો તેને, કટ્ટર હિન્દુ માનતા થઈ ગયા.

બીજેપીને કટ્ટર હિન્દુઓનો પક્ષ માનવાનું અને મનાવવાનું કામ આ રીતે સરળ બન્યું. ઈન્દિરા નહેરુવીયન કોંગ્રેસ પક્ષે આ સિદ્ધાંત અપનાવી લીધો અને બીજા ક્ષેત્રોમાં પણ લાગુ કર્યો.

એ કેવી રીતે?

(૧.૦૮) ગતકડાં વાદના બીજા ક્ષેત્રો

કેટલાક માણસો પોતાની માન્યતાઓના ગુલામ છે. માન્યતાઓના ગુલામ એટલે શું?

કેટલાક લોકો ધર્મને રાજકારણથી પર માને છે.

કેટલાક લોકો શ્રદ્ધાને વિજ્ઞાનથી ભીન્ન માને છે.

કેટલાક લોકો આવું નથી માનતા.

કેટલાક લોકો અદ્વૈત વાદમાં માને છે.

કેટલાક લોકો અદ્વૈતવાદમાં માનતા નથી.

કેટલાક લોકો “સર્વહક્ક સમાન” માં માને છે. કેટલાક લોકો “સ્ત્રી અને પુરુષો”ના હક્કની સમાનતામાં માનતા નથી. તો કેટલાક લોકો વળી તેના ઉપર નિયમનમાં માને છે.

મી ટુ, સબરીમાલા, બુરખા, દાઢી, ટોપી, અમુક દિવસે માંસ બંધી, ફટાકડા, ફુલઝર, લાઉડ સ્પીકર, સજાતીય સંબંધ, દુષ્કર્મ, જનોઈ ધારી બ્રાહ્મણ, મંદિર પ્રવેશ, મહિલાઓનો મસ્જિદ પ્રવેશ …. આ બધું ચગાવો. અમુક નેતાઓ પોતાનો અભિપ્રાય આપવાની લાલચ રોકી શકશે નહીં. તેમાંથી કોઈક અભિપ્રાય આપવામાં ગોથું ખાશે.

બસ. જેવું કોઈ નેતાએ ગોથું ખાધું કે તમે આ તક ઝડપી લો. અને તેને તે નેતા જે પક્ષનો હોય તે પક્ષ સાથે જોડી દો. ભલભલા વિદ્વાનો તૂટી પડશે. આ ને ખૂબ ચગાવો. આદુ ખાઈને આવા મુદ્દાઓને ચગાવો. સમાચાર પત્રોમાં અને ટીવી ચેનલોમાં પ્રમાણભાન રાખ્યા વગર, સાચા ખોટાની ચકાસણી કર્યા વગર, જાહેરાતોની જેમ છાપ્યા કરો. કેટલાક તો માઈના લાલ નિકળશે જે બીજેપીને અથવા રાજકારણ માત્રને નિરર્થક માનશે અને મતદાનથી દૂર રહેશે.

મતદાનથી દૂર રહેવું એ પણ વંશવાદી કોંગ્રેસને/તેના સાંસ્કૃતિક સાથી પક્ષોને મત આપ્યા બરાબર છે.

સર્વોચ્ચ અદાલતોના ન્યાયધીશોએ વિશ્વસનીયતા ગુમાવી છે. પક્ષ સર્વોચ્ચ કે પક્ષના સદસ્યો સર્વોચ્ચ એ નક્કી કરવામાં તેઓએ ગોથાં ખાધા છે. સર્વોચ્ચ અદાલતના માપદંડ સમાન નથી. હિન્દુઓ અને મુસ્લિમો માટે તે ભીન્ન ભીન્ન માપદંડ રાખે છે. મસ્જીદોમાં સ્ત્રીઓને નમાજ઼ પઢવાની અનુમતિ નથી. હિન્દુઓના એકમાત્ર એવા સબરીમાલાના મંદિરમાં ૫૦ વર્ષની અંદરની સ્ત્રીઓનો પ્રવેશ નિસિદ્ધ છે. અદાલત માટે એક છૂટો છવાયો મુદ્દો, મહત્વનો કેસ બને છે કારણ કે તે હિન્દુઓને લગતો છે. જ્યારે મુસ્લિમ સ્ત્રીઓનો મસ્જિદ પ્રવેશ નિષેધ સર્વ વ્યાપક છે. પણ સર્વોચ્ચ ન્યાયધીશો તે વાતથી પોતે અજ્ઞાત છે તેવું બતાવે છે. એટલે સર્વોચ્ચ અદાલત સર્વજ્ઞ અને વિશ્વસનીય નથી તેવું આપણે સહજ રીતે જ માની શકીએ. 

તો હવે આનો ઉપાય શો?

સંકલ્પ કરો કે આવા ગતકડાંઓથી ભરમાઈ જવું નહીં. અને તેનાથી દૂર રહેવું.

(૨) સ્વકેન્દ્રી અપેક્ષાઓ

અસંતોષી નર દરેક પક્ષમાં હોય છે. જેની સ્વકેન્દ્રી અપેક્ષાઓ ન સંતોષાઈ હોય તે પોતાનું મહત્વ અને યોગ્યતા પ્રદર્શિત કરવા જો તે બીજેપીનો હશે તો તે બીજેપીના કાર્યોની ટીકા કરશે. જેમકે યશવન્ત સિંહા, જશવંત સિંહ, સુબ્રહ્મનીયન સ્વામી, રામ જેઠમલાની … વંશવાદી કોંગ્રેસીઓમાં તો બીજેપી વિરોધીઓ તો હોય જ તે આપણે જાણીએ છીએ.

કાળું નાણું તો ઘણા પાસે હોય. કોઈક પાસે થોડું હોય તો કોઈ પાસે વધુ પણ હોય. જેમની પાસે વધુ કાળું નાણું હોય તેમને વિમુદ્રીકરણથી અપાર નુકશાન થયું હોય. પણ ચોરની મા કોઠીમાં મોઢું નાખીને રુવે. એટલે પોતાને થયેલા નુકશાનની વાત તે ન કરે. પણ બહાર તો તે (પોતાનો દિકરો નિર્દોષ છે) અને સરકાર નિર્દોષોને કેવી સતાવે છે તેવો પ્રચાર કરે. મમતા, માયા, સોનિયા, લાલુ, મુલ્લાયમ, જેઠમલાણી …. વિમુદ્રીકરણનો રાતાપીળા થઈને શા માટે વિરોધ કરે છે તે આપણે સમજવું જોઇએ. જેમને થોડું ઘણું એટલે કે સહ્ય નુકશાન થયું હોય તે પણ વિરોધ તો કરે જ. યશવંત સિંહા, જશવંત સિંઘ, સુબ્રહ્મનીયન સ્વામી, મનમોહન …. નો વિરોધ આપણે સમજી શકીએ છીએ.

જો આ ન સમજાતું હોય તો આમાંના કોઈએ દેશમાં ફરતા કાળાનાણાંને સરકારી રેકર્ડ ઉપર કેવી રીતે લાવવું તેનો ઉપાય સૂચવ્યો નથી. જે નાણું દેશમાં અને વિદેશમાં સ્થાવર સંપત્તિમાં રોકાયેલું છે, તે માટે નરેન્દ્ર મોદી જુદા જુદા દેશોમાં પ્રવાસો કરી રહ્યા છે અને કરારો કરી રહ્યા છે તે આપણે જાણીએ છીએ. અને આ પ્રવાસોનો વિરોધ કોણ કરી રહ્યું છે તેની ઉપર તમે ધ્યાન રાખો.

(૩) ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ

આઈ.એન.સી.એ ૧૯૪૮થી જે મૂર્ખતાઓ કરી, જે કૌભાન્ડોની હારમાળાઓ કરી, અને જે જૂઠાણાઓ ફેલાવ્યા તે આપણે જાણીએ છીએ. તેમના સહયોગીઓ કોણ છે તે પણ આપણે જાણીએ છીએ. કોના ઉપર કેસ ચાલે છે અને કોણ કોણ જમાનત ઉપર છે તે પણ આપણે જાણીએ છીએ. આવા લોકો ભેગા થઈ જાય તો શુદ્ધ થઈ જાય એવી વાત મગજ માં ઉતરે તેવી નથી. કારણ કે ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરી વાળું યુ.પી.એ.ના દશ વર્ષના સંગઠને તેમના શાસન દરમ્યાન કેટલાં બધાં ખૂલ્લે આમ કૌભાણ્ડો કર્યા તે આપણે જાણીએ છીએ.

પંચતંત્રની એક વાર્તામાં આવે છે ચાર મૂર્ખ પંડિતો જતા હતા. રસ્તામાં નદી આવી. તેમને સમસ્યા થઈ કે હવે નદી પાર કેવી રીતે કરવી? એક મૂર્ખ પંડિતે કહ્યું

“આ ગમિષ્યતિ યત્પત્રં તત્‌ તારિષ્યતિ અસ્માન”

એટલે કે જે પાંદડું તરતું તરતું આવી રહ્યું છે તે આપણને તારશે. એમ કહીને તે પંડિત, તે પાંદડા ઉપર કૂદી પડ્યો.

આવી માન્યતાઓ આપણા કેટલાક મૂર્ધન્યો, પ્રછન્ન અને પ્રત્યક્ષ રીતે ધરાવે છે.

આવી માન્યતાઓથી આપણે દૂર રહેવું.

(૪)  લોકશાહીની સુરક્ષાઃ

કેટલાક વિદ્વાનો માને કે લોકશાહીની સુરક્ષા માટે સબળ વિરોધ પક્ષ અનિવાર્ય છે. કેટલાકને આ દલીલ શીરાની જેમ ઉતરી જાય છે. હાલના તબક્કે ઉપરોક્ત માન્યતાને મઠારવા જેવી છે કે સબળ વિરોધ પક્ષ નહીં પણ સબળ વિરોધની જરુર છે. આજના સબળ સોસીયલ મીડીયાના જમાનામાં દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય સરકારને પહોંચતો કરી શકે છે. અને વિરોધનું કામ તર્ક સંગત હોવું જોઇએ. હાલ તો એવી સ્થિતિ છે કે વિરોધ પક્ષમાં બેઠેલી વંશવાદી કોંગ્રેસ એમ કહે છે કે વિરોધ પક્ષમાં છીએ એટલે વાણી વિલાસ દ્વારા વિરોધ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ જ અમે તો કરીશું અને તમે થાય તે કરી લો, અમે સંસદ ચાલવા જ નહીં દઈએ.

વિરોધ કરવામાં સારા નરસાની સમજ ન ધરાવતો અને ભાષા ઉપર બળાત્કાર કરનાર વિરોધ પક્ષ ચૂંટાવાને પણ લાયક નથી. જ્યાં સુધી પચાસના દશકામાં હતો તેવો નીતિમાન નેતાઓનો પક્ષ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાલના વિપક્ષ ઉપર ભરોસો કરવો અને તેને ચૂંટવો તે લોકશાહી ઉપર બળાત્કાર ગણાશે અને ખોટી પ્રણાલીઓ પડશે.

વિરોધ પક્ષ આપોઆપ જ પેદા થશે. આપણે રાહ જોવાનો સંકલ્પ કરીએ.

(૫) નરેન્દ્ર મોદીનો તેના જેવો વિકલ્પ નથી.

જો સદંતર ભ્રષ્ટ એવા ઇન્દિરા-નહેરુવીયન કોંગ્રેસ (આઈ.એન.સી.)ને ૩૫+ વર્ષ નિરપેક્ષ બહુમતિ શાસનના આપ્યા હતા અને ૩૦ વર્ષ બહુમતિ શાસનના આપ્યા હતા તો અણિશુદ્ધ એવા નરેન્દ્ર મોદીને/બીજેપીને ૨૦ વર્ષ તો આપીએ જ તેવો સંકલ્પ કરો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કાકસ્ય ગાત્રં યદિ કાંચનસ્ય, માણિક્ય-રત્નં યદિ ચંચુદેશે,

એકૈક-પક્ષં ગ્રથિતં મણીનાં, તથાપિ કાકો નહિ રાજહંસઃ

કાગડાનું શરીર સોનાનું હોય, તેની ચાંચમાં માણેક અને રત્ન હોય,

તેની એક એક પાંખમાં મણી જડેલા હોય, તો પણ કાગડો, કાગડો જ રહે છે. કાગડો રાજહંસ બની જતો નથી. ભ્રષ્ટ ઇન્દિરા નહેરુવીયન કોંગ્રેસ (આઇ.એન.સી.) પક્ષ સુધરી જશે તે માનવું ભૂલ ભરેલું છે.

Read Full Post »

%d bloggers like this: