Feeds:
Posts
Comments

Posts Tagged ‘વૃત્તિ’

કકળાટ, વૃત્તિ કે એજન્ડા

ઘસાયેલો વિષય છે. ખબર નથી આપણા કાંતિભાઈ કટારીયા (ભટ્ટ)ભાઈએ જ્યારે ડીમોનીટાઈઝેશન કર્યું ત્યારે કંઈ લખેલું કે નહીં !!

આમ તો આપણા આ કટારીયાભાઈ “સબબંદરકા વ્યાપારી” છે એટલે લખ્યું તો કદાચ હોય પણ ખરું. પણ અમે તે વખતે ઇન્ડિયામાં ન હતા એટલે આપણા ડીબીભાઈના (દિવ્યભાસ્કરના) નિયમિત સંપર્કમાં રહેતા ન હતા. યુ-ટ્યુબ ઉપર ભારતની ઝી-ન્યુઝ, દૂરદર્શન, ટાઈમ્સ નાઉ (?) સુદર્શન ચેનલ છૂટક છૂટક જોતા હતા.

કકળાટ

જ્યારે આપણે કંઈ પણ લખીએ ત્યારે અમુક શબ્દોની આપણી વ્યાખ્યા લખી દેવી જોઇએ. કકળાટ એટલે જે વસ્તુ તમને તકલીફ આપતી હોય અને જો તમે પત્રકાર હો (કટારીયા) હો તો જો તમને એવું લાગતું હોય કે જાહેર જનતાને અસાધરણ તકલીફ પડે છે તો આ તકલીફને સતત વાચા (પુનરાવર્તનની છૂટ છે) આપ્યા કરવી તેને કકળાટ કહેવાય છે.

વૃત્તિઃ

તમારું જે વલણ હોય છે તે. આ વલણ તમારા અવલોકન, શ્રવણ અને વિચારો ઉપર આધારિત હોય અને તેના પરિણામે તે તમને કાર્યવાહી કરવા પ્રેરે છે તેને વલણ કહેવાય છે.

એજન્ડાઃ

તમારા અન્નદાતા (અહીં આપણે ડીબીભાઈને કટારીયા ભાઈઓના અન્નદાતા કહીશું) કે જેઓની વૃત્તિ તદ્દન પોતાની બુદ્ધિ (તર્ક) ઉપર અધારિત ન હોય પણ પરોક્ષ કે પ્રત્યક્ષ “લડ્ડુ” આપવાની શક્યતા કોની પાસેથી વધુ છે તેના ઉપર ઘડયેલી હોય છે. તેઓ તે પ્રમાણે વર્તતા હોય છે. તેમના વલણને આપણે એજન્ડા કહીશું. કારણ કે સમાચાર માધ્યમનું કામ આમ તો જનતાને કેવળ માહિતિ આપવાનું છે પણ સાથે સાથે માહિતિ છૂપાવવાનું પણ હોય છે. કારણ કે આપણી વૃત્તિ આપણા અન્નદાતાની વૃત્તિ ઉપર આધારિત છે.

જો કે બધા કટારીયા ભાઈઓ કુતર્કમાં માનતા હોય તે જરુરી નથી. કારણ કે સમાચાર માધ્યમોએ પોતે તટસ્થ છે તેવો પણ દેખાવ કરવો જરુરી છે જેથી ભારતના વિશાળ અજ્ઞજનોને અને અલ્પજ્ઞ જનોને  આપણા એજન્ડા પ્રમાણે દોરી શકાય.

આપણા કટારીયા ભાઈએ કદાચ જ્યારે ડીમોનીટાઈઝેશન (વિમુદ્રીકરણ) થયું તે સમયના ગાળામાં તે વિષે અભિપ્રાય ન આપવાનું વલણ લીધું હશે. અને તે યોગ્ય પણ ગણી શકાય કારણ કે, તે સમય, સમગ્ર રીતે વિમુદ્રીકરણને મુલવવા માટે અપરિપક્વ સમય હતો. અને હવે કદાચ વિમુદ્રીકરણને મુલવવાનો સમય પાકી ગયો છે એમ તેઓશ્રી માનતા હોય.

વિમુદ્રીકરણ ના સરકારે ગણાવેલા ફાયદાઓ

10 long term goals of demonetization

કાળાનાણાની ઉપર ઋણાત્મક અસરઃ

જો કે આપણો એજન્ડા કંઈક જુદો હોય તો આપણે આ “ઋણાત્મક” શબ્દનો અર્થ નાબૂદી એવો પ્રચાર કરી શકીએ.

કાળાં નાણાં કોની પાસે છે?

નહેરુવીયન કોંગ્રેસના આંકડાઓ પ્રમાણે ભારતના ૯૫ ટકા માણસોની આવક માસિક આવક રૂ. ૫૦૦૦/- થી ઓછી છે. એટલે એમની પાસે રૂ.૫૦૦/- અને રૂ. ૧૦૦૦/- ની નોટો કેટલી હોય તે કોઈ સંશોધનનો વિષય નથી. કારણ કે ઈન્કમ ટેક્ષ ભરનારાઓની સંખ્યા અર્ધો ટકો પણ નથી. વળી જ્યાં મોંઘવારીની બુમો પડતી હોય તેમાં લોકો પાસે આખરી તારીખે કે અઠવાડીયા પછી કેટલી નોટો બચે તે વિષે સુજ્ઞ જનોએ વિચારવું જોઇએ.

આપણો એજન્ડા અલગ છે તો?

જો આપણો એજન્ડા અલગ હોય અને આપણી વાતને સામાન્ય જનતા માટે અસરકાર રીતે રજુ કરવી હોય તો વિમુદ્રીકરણની અસરોની ચર્ચાને આપણે ભાવનાત્મક બનાવવી અનિવાર્ય છે. આમેય જો ક્ષુલ્લક વાતોને પણ જો આપણે ભાવનાત્મક શબ્દોનો ઉપયોગ કરી રજુ કરતા હોઈએ તો વિમુદ્રીકરણ જેવી ઘટનાની અસરોને તો ભાવનાત્મક શબ્દોમાં રજુ કરવી આપણો ધર્મ બને છે.

ભારતની વાસ્તવિકતા શું છે?

ભારતમાં ૧૫૦૦૦ માણસ દીઠ એક બેંક બ્રાન્ચ આવે. ઘણાને એક કરતાં વધુ બેંક માં પોતાના ખાતાં હોય તેને આપણે અહીં અવગણીએ છીએ. હવે જો એક ટકો માણસ ઈન્કમ ટેક્ષ ભરતો હોય તો તેની પાસે રૂ.૫૦૦/-ની અને રૂ.૧૦૦૦/- નોટો હોય તેમ માની લઈએ તો ૧૫૦ માણસની એવરેજ એક બેંક દીઠ આવે. આપણે આમાં ૧૦૦ ટકાની ક્ષતિ ગણીએ તો પણ ૩૦૦ માણસની એક બેંક દીઠ એવરેજ આવે. હવે જો આઠમી નવેમ્બરથી ડી-મોનીટાઇઝેશન લાગુ કરવામાં આવ્યું હોય એટલે જેઓ પાસે કાળા નાણાં નથી તેમનો ૩૩ ટકા પગાર તો વપરાઈ જ ગયો હોય. આ વાત પણ આપણે અવગણીએ છીએ. આ ઉપરાંત એટીએમ, ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ વિગેરેનો  ઈન્કમ ટેક્ષ ભરનારાઓની દ્વારા થતા ઉપયોગકારોની સંખ્યા પણ આપણે અવગણીએ છીએ. એટલે કોઈ પણ બેંક દીઠ ૩૦૦ માણસની સંખ્યાથી વધે નહીં.

નોટો બદલવા માટે ૫૦ દિવસો આપેલા. એટલે રોજના એવરેજ વધુમાં વધુ ૧૦ માણસ થાય. એટલે લાઈનમાં એવરેજ ૧૦ માણસ થાય. આમાં આપણે વેપારીઓની સંખ્યા ઉમેરીએ.

જો બેંકો ૧૫૦૦૦ વ્યક્તિએ એક હોય તો વેપારીઓની સંખ્યા તેનાથી સોગણી ગણીએ. એટલે કે ૧૫૦ વ્યક્તિએ એક વેપારી એવરેજ થાય. પણ એક ટકા પાસે રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો હોવાને કારણે, એક દુકાન દીઠ એક બેંકમાં એક દિવસની એવરેજે ૧.૫ વ્યક્તિ લાઈનમાં વધે. હવે જો વેપારી દશ દિવસે એક વાર બેંકમાં પૈસા જમા કરાવતો હોય તો એક બેંક દીઠ રોજની લાઈનમાં ૧૫ વ્યક્તિ વધે. એટલે કે ૨૫ માણસની લાઈન બેંકમાં થાય તે પણ ક્યારે કે બધા જ માણસો ૧૦ વાગે બેંકમાં આવી જાય તો.

પણ આપણને બેંક દીઠ ૨૫થી વધુ વ્યક્તિઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી. તેનો અર્થ એમ થયો કે મોટા ભાગના લોકો, બીજા માટે લાઈનમાં ઉભારહ્યા હતા એટલે કે બીજાની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-  નોટો બદલાવવા ઉભા હતા.

જેઓ પોતાના કાળાંનાણાંની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો બદલાવી પડે તેમાં કોણ કોણ આવી શકે.

બીલ્ડરો, જેમણે પોતાની સ્થાવર મિલ્કત કાળાં નાણાંમાં આંશિક રીતે વેચી હોય તેવી વ્યક્તિઓ, અમુક વેપારીઓ, અમુક હોટલના માલિકો, સરકારી અધિકારીઓ, ડોક્ટરો, ખાનગી ચિકિત્સાલયો, કંપનીના અધિકારીઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને મોટાપાયે ટ્યુશન ચલાવનારી સંસ્થાઓ, અને રાજકીય પક્ષોના હોદ્દેદારો અને ચૂંટાએલા જનપ્રતિનિધિઓ.

નોટો બદલવા માટે જે લાંબી લાઈનો લાગેલી તેમાં ઉપરોક્ત પ્રકારની વ્યક્તિઓના માણસો લાઈનમાં ઉભા હતા.

એમ કહી શકાય કે ટકાવારી પ્રમાણે દોઢ થી બે ટકા ઓછી નોટો આવી. એટલે કે રીઝર્વ બેંકે ચલણમાં જેટલી રૂ.૫૦૦/-ની અને રૂ. ૧૦૦૦/-ની જે ચલણી નોટો બજારમાં મૂકી હતી તેની મોટાભાગની નોટો બેંક પાસે પાછી આવી ગઈ. એટલે આપણા કટારીયાભાઈ નું માનવુ/મનાવવું છે કે કાળું નાણું નજીવું જ ચલણમાંથી બહાર થઈ ગયું. માટે આ તો ખોદ્યો પહાડ અને કાઢ્યો ઉંદર એમ જ થયું.

જો કે એક વાત આપણા સમાચાર માધ્યમોના સુજ્ઞ જનો ભૂલી જાય છે.

કઈ વાત આપણા સુજ્ઞજનો ભૂલી જાય છે?

ધારો કે ૪૮ લાખ કરોડની નોટો સરકારે છાપી હતી. અને ૪૮ લાખ કરોડથી ઓછી નોટો આવે તો તો એમ કહી શકાય કે કમસે કમ જેટલી કિમતની નોટો ઓછી પાછી આવી તેટલું કાળું નાણું નષ્ટ થયું.  પણ ધારોકે ૪૮ લાખ કરોડની રૂ. ૫૦૦/- ની ચલણી નોટોને બદલે ૫૦ લાખ કરોડની કિમતની રૂ. ૫૦૦/- નોટો પાછી આવી હોત તો?

જો આવું થયું હોત તો?

કેટલાક વિદ્વાનો કૂદીકૂદીને કહેત કે આ તો બનાવટી નોટો સરકારે બદલી દીધી.

આ તો થઈ કાળાંનાણાં બદલાવવા માટેની લાઈનો વિષે. પણ બનાવટી નોટોનું શું? શું બનાવટી નોટો બદલાવવામાં આવી નથી?

બનાવટી નોટોની કથા (કથા એટલે હકિકત)

૨૦૦૪માં નવી આવેલી નહેરુવીયન કોંગ્રેસે રૂ.૫૦૦/- ની ચલણી નોટો છાપવાનું ગ્લોબલ ટેન્ડર ફ્લોટ કરેલ. ટેન્ડર એ કંપનીનું માન્ય રાખવામાં આવેલ જે કંપની બીજા કેટલાક દેશોમાં બ્લેક લીસ્ટ થયેલી કારણ કે તેના સંબંધો આતંકવાદી સંસ્થાઓ સાથે હતા. વળી આ ચલણી નોટોની ખરાઈ કરવાના મશીનોનો કોન્ટ્રાક્ટ પણ એ જ કંપનીને આપવામાં આવેલો.

એટલે આ તો એવું થયું કે ઈન્દિરા ગાંધીને સંજયગાંધીની મારુતિ ગાડીનું કૌભાન્ડ તપાસવાનું કામ પોતાને હસ્તક લીધું. પછી ઇન્દિરા ગાંધી કહે કે “સંજય તો નિર્દોષ છે. જો સંજય ગાંધીનો દોષ હોત તો મેં એને સજા કરી હોત!! મેં તેને કશી સજા કરી નથી તેથી જ સિદ્ધ થાય છે કે સંજય ગાંધી નિર્દોષ.” વળી તેણી ઉમેરત કે “શું હું જુઠું બોલું છું? એક મહાન દેશના વડાપ્રધાન ઉપર આક્ષેપો કરતાં તમને શરમ નથી આવતી?”

એટલે કે કોઈ આપણને બેશર્મ કહે તે પહેલાં જ આપણે તેને બેશરમ કહી દેવો. આ ઈન્દિરાઈ કોંગ્રેસની પ્રણાલી છે.

બનાવટી નોટોની વ્યાપકતા

રૂ. ૫૦૦/-ની બનાવટી નોટોની  વ્યાપકતા એટલી બધી હતી કે રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાંથી પણ બનાવટી નોટો નિકળેલી. ઉપરોક્ત નોટોના ખરાઈ કરનારા મશીનો નોટોની “૧૬” જાતની ખરાઈ ચેક કરતા. જ્યારે વાસ્તવમાં ૧૮ થી ઉપર ખરાઈ ચેક કરવાની ક્ષમતા મશીનમાં હોવી જોઇએ. આ બાબત અમેરિકાની એક કંપનીને જ્યારે ખરાઈ ચેક કરવા આપી ત્યારે બહાર આવેલી.

આપણે સુપેરે જાણીએ છીએ કે નહેરુવીયન કોંગ્રેસ સરકારે ઓગણીશો નેવુંમાં નિમેલી એક કમીટીના રીપોર્ટ પ્રમાણે પોલીસ, રાજકીય પક્ષના નેતાઓ, અને અસામાજીક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે. આપણે જાણીએ છીએ કે એન્ડરસન અને કવૉટ્રોચી કેવી રીતે સરળતા પૂર્વક ભાગી ગયા હતા.

સુજ્ઞજનો જ નહીં પણ સામાન્ય કક્ષાનો વ્યક્તિ પણ આવી ઘટનાઓ સમજે છે. એટલે સરકારી બેંકોના એટીએમમાંથી બનાવટી નોટો નિકળે તેમાં બનાવટી નોટો ઘુસાડ્યાની બાબતમાં કયા પક્ષની સંડોવણી હોઈ શકે તેનું આનુમાન કરી શકાય છે. અલબત્ત નહેરુવીયન કોંગ્રેસ આવી જવાબદારીમાંથી છટકી ન જ શકે. તેણે કેટલા પૈસા બનાવ્યા તે સંશોધનનો વિષય છે.

ટૂંકમાં બનાવટી નોટો પણ બેંકોએ બદલી આપી હશે જ તેમાં શક ન કરવાનું કોઈ કારણ નથી. પણ જે બનાવટી નોટો કાળાંનાણાંવાળા બદલાવી ન શક્યા તેને નફો ગણવો જોઇએ. આતંકવાદીઓ ખાસ કરીને કાશ્મિરના આતંકવાદને પોષકનારા દેશી વિદેશી તત્વો અને નક્ષલવાદી માર્ક્સવાદીઓને સહાય કરનારા તત્વો ને બહુ મોટો ફટકો પડ્યો છે.  

બે લાખ બોગસ કંપનીઓઃ

એન.જી.ઓ. ઉપર તવાઈ આવી એ ઉપરાંત આશરે બે લાખ કંપનીઓ બનાવટી માલુમ પડી છે અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું. હવે આ બધાની તપાસ ચાલુ છે. એ ઉપરાંત આટલા જ કે તેથી વધુ લેવડ દેવડ કરનારા શંકામાં આવ્યા છે અને તેમની ઉપર તપાસ ચાલુછે. હવાલા કાંડોની તપાસ પણ ચાલુ છે.

બોગસ કંપનીઓ વિષે સરકારને પહેલાં કેમ ખબર ન પડી?

(જો કે આ મુદ્દો કટારીયા ભાઈએ ઉઠાવ્યો નથી.)

બેનામી પાસપોર્ટ, બેનામી પાનકાર્ડ  અને બેનામી વ્યક્તિને નામે સ્થાવર મિલ્કત હોવી એ આપણા દેશમાં એક સામાન્ય વાત છે. નહેરુવીયન કોંગ્રેસે સ્થાપેલી સીસ્ટમ અને અધિકારીઓના સંસ્કાર જ એવા છે કે “ગાંધી-વૈદ્યનું” સહીયારું અને “ચોર-કોટવાલ”નું સહિયારું એવો ઘાટ છે. જો આ બાબત માટે તપાસ કરવાનું કામ પહેલાં કરવામાં આવ્યું હોત તો તે કામ સરકારી ગધેડાઓને ઉપર હાથીનો બોજ ઉપાડવાનું કહ્યા બરાબર હતો. જ્યારે ૯૫ ટકા તંત્ર બગડેલું હોય ત્યારે તેની ખરાઈ કરવી કરવી પણ મુશ્કેલ બને છે. પણ હવે જે કિસ્સાઓ સામે આવ્યા તે બેંકો દ્વારા ગળાઈને આવ્યા છે. એટલે હવે તપાસ સરળ રહેશે.

તો હવે જેઓ નોટો બદલાવવાની લાઈનોમાં મરી ગયા તેમનું શું?

તેમજ

નરેન્દ્ર મોદીએ કહેલ કે “અમે કાળું નાણું લાવીશું અને દરેકના ખિસ્સામાં પંદર લાખ મૂકીશું તેનું શું?

જો કે નરેન્દ્રભાઈએ આ શબ્દો વાપર્યા નથી. પણ તેમણે એક ધારણા પ્રમાણે કાળાંનણાંના જત્થાનો અંદાજ આપેલો કે એક વ્યક્તિને ભાગે ૧૫ લાખ રૂપીયા આવે. પણ આ બધાં નાણાં ચલણી નોટોમાં છે તે તો વિપક્ષીનેતાઓનું ખાસ કરીને રાહુલ ગાંધીનું અર્થઘટન છે.

જો ઉપરોક્ત કથનને મહત્વ ન આપીએ તો આપણે જોયું કે કાળાંનાંણાંવાળાઓએ ૫% કે જે કંઈ હોય તે, કમીશનને આધારે પોતાના માણસોને નોટો જમા કરાવવા/બદલાવવા મોકલેલ. આ માણસોએ પોતાના ખાતાં ન હોય તો ખોલાવીને તેમાં જમા કરેલ ને પછી તેમના અન્નદાતાઓને પરત કરેલ.

આ બધા આમ તો વફાદાર હતા એટલે તેમણે નાણાં પરત કર્યાં. પણ એક વખતતો તેમના ખિસ્સામાં બે/ત્રણ લાખતો આવી ગયા જ કહેવાય. હવે તેઓ જો આવા આવી ગયેલા પૈસાને પરત કરે તો “બિચારા મોદીકાકા શું કરે?”   

આપણા કટારીયા ભાઈએ, કેટલા માણસો લાઈનમાં લાગવાને કારણે મરી ગયા તેના કોઈ આંકડા આપ્યા નથી. આપણી પાસે બોગસ આંકડા પણ નથી. તેમજ કેજ્રીવાલે કે કોઈ કોંગી નેતાએ કે પોતાને લોકાભિમુખ માનનારા બીજા કોઈપણ નેતાએ કૉર્ટમાં પીઆઈએલ (જનહિતની અરજી) ફાઈલ કરી નથી. એક વૃદ્ધભાઈ મરી ગયેલ પણ તેમના જ સુપુત્રે કહેલ કે તેમનું મૃત્યુ લાઈનમાં ઉભા રહેવાને કારણે થયું ન હતું.   

તમે તટસ્થ ક્યારે કહેવાઓ?

તમે જો ગટરના કીડા હો તો ફક્ત ગટરની જ વાત કરો. જો તમે તટસ્થ હો તો, અને જો તમે સુજ્ઞ હો તો તમારે “બનાવટી ચલણી” નોટોની વાત પણ કરવી જોઇએ. જે બોગસ કંપનીઓ પકડાઈ હોય તેની પણ વાત કરવી જોઇએ. હવાલા મારફત આતંકવાદીઓના સબંધીઓ ઉપર તવાઈ આવી છે તેની વાત પણ કરવી જોઇએ. આ બધા કંઈ તમારી માટે અજાણી વાતો નથી. જો તમે આ બધી વાતોને છૂપાવો એટલું જ નહીં પણ ઉપરોક્ત દુષણોનું નિર્મૂલન કરવાના ઉપાયો પણ ન સૂચવો તો તમારામાં અને નેશનલ કોન્ફરન્સ અને માંદી ધર્મ નિરપેક્ષવાદી નેતાઓમાં ફેર શો? આ નેતાઓ કે જેઓ એક પત્થરબાજને સુરક્ષાદળોએ જીપ ઉપર બાંધ્યો તે ઘટના ઉપર કૂદી કૂદીને બોલે, પણ હજારોની સંખ્યામાં કતલ થયેલા કાશ્મિરી હિન્દુઓ અને લાખોની સંખ્યામાં બેઘર કરવામાં આવેલા કાશ્મિરી હિન્દુઓ વિષે મૌન ધારણ કરે. એટલું જ નહીં પણ દશકાઓ સુધી રાજ કર્યા પછી પણ તેમને એવી નિરાધાર સ્થિતિમાં જ રાખે અને નિસ્ક્રીય રહે. જો તમે આવા હો તો તમારા માટે દુનિયાની બધી જ ગાળો યોગ્ય છે.

આ કટારીયા ભાઈએ કરેલો “ગરીબની હાય” શબ્દ પ્રયોગ ભ્રામક અને હાસ્યાસ્પદ છે.

જો અમારા જેવા ખાધે પીધે સુખી એવા નિવૃત્ત ઉંમર લાયક ની વાત કરીએ કે અમારા જેવાના કમાતા ધમાતા સંતાન અને સન્માર્ગે જ ચાલનારાની વાત કરીએ તો મને કદી પગારમાં ૫૦૦ની નોટ મળી નથી. પેન્શન ખાતામાં જમા થાય છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે અમે ઈન્ડિયામાં ન હતા. ઉંમરને કારણે જે કંઈ રોકડા રાખેલા તે પંદરેક નોટો અમે બેંકમાં ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં જમા કરાવેલી. યુબીઆઈમાં કશી જ ભીડ ન હતી. અમે તો એક ટકામાં આવીએ. અમારા કોઈ સગાંઓને પણ તકલીફ પડી ન હતી. તેમાં ઘણા લોકો ધંધાદારી પણ છે.

તમને તકલીફ પડી? તો તમે ખેડૂતોનું નામ લો, જાટનું નામ લો, પાટીદારોનું નામ લો, ગરીબોનું નામ લો, રોજે રોજનું ખાનારાઓનું નામ લો ….  આવા બધાનું નામ લેવાની ફેશન છે. ફક્ત તમે તમારું નામ ન લો.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

આત્મવત્‌ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ

(જે બધાને પોતાના જેવા જુએ છે તે પંડિત છે)

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૬. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારતમાં તેના ભવિષ્યની આવશ્યકતાનો ખ્યાલ રાખી તેમજ રહેણાંક, વ્યવસાય અને શિક્ષાને ખ્યાલમાં રાખી કેવા મકાન-સંકુલો બનાવવા જોઇએ, હાલના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના રહેઠાણોના અને વ્યવસાયોના મકાનોને કેવીરીતે નવસંચના કરી વધારાની જમીનને ઉપલબ્ધ કરી શકાય અને ઉપલબ્ધ જમીન ફાજલ થતેનો સદઉપયોગ કરી શકાય તે આપણે “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫” માં જોયું.

ઉત્પાદન અને રોજગાર ની વ્યવસ્થા કેવી હોવી જોઇએ

ખુલ્લી જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો માટે થશે. અથવા તો તે આપણી દિશા હશે.

એક સંકુલની આસપાસની જગ્યા ફળાઉ અને ઉપજાઉ વૃક્ષો માટે થશે. તેથી તે ઉત્પાદન ઉપર નભતા નાના ઉદ્યોગો તે સંકુલમાં જ ગોઠવી શકાય.

જો શક્ય અને જરુરી હોય તો એક સંકુલની પાસે બીજું એક ઔદ્યોગિક સંકુલ પણ બનાવી શકાય. જો ગામ મોટું હોય તો અને નાના ઉદ્યોગો ભારે યંત્ર સામગ્રીવાળા અને અવાજનું પ્રદુષણ ફેલાવે તેવા હોય તો ઔદ્યોગિક સંકુલ અલગ રાખી શકાય. ગૃહ ઉદ્યોગો તો રહેઠાણના અને વ્યવસાયના સંકુલમાં હોવા જોઇએ.

કયા ઉદ્યોગોને સરકારે વધુ ઉત્તેજન આપવું જોઇએ?

ધરતીને આપણે વનસ્પતિ, હવા અને પાણી સિવાય કશું પાછું આપી શકતા નથી. એટલે કે જ્યારે આપણે ધરતીમાંથી ઉત્ખનન કરીને કાચોમાલ કાઢીએ ત્યારે ધરતીને આપણે તે માલ પાછો આપઈ શકતા નથી. જે કાચામાલનો આપણી પાસે અખૂટ ખજાનો છે તેને આપણે વાપરીએ તે એક વાત છે પણ તે પણ લાંબા ગાળે ખૂટી જશે. તેથી તે વાતને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો જોઇએ. જ્યાં કાચો માલ છે ત્યાંજ તેના ઉદ્યોગો થાય તેમ હોવું જોઇએ. વપરાશી માલનું કદ અને દળ ઓછું હોવાથી હેરફેરનો ખર્ચ ઘટશે. કાચા માલની હેરફેરમાં થતો ખર્ચ ઘટશે.

ઉર્જા ઉત્પાદન

ખનિજ કોલસાનો આપણી પાસે અખૂટ ખજાનો છે. તો પણ કુદરતી ઉર્જાસ્રોતોના વિકાસ અને સંશોધન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળપ્રવાહ ઉર્જા, ભરતી ઓટ ની ઉર્જા નો બહોળો ઉપયોગ કરી શકાય તેમ છે. જોકે લાકડાને અને કોલસાને બાળીને પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તે બાબતમાં કેટલાક લોકોની માન્યતા છે કે પૃથ્વી ગરમ થઈ જશે. લાંબી તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણો આયનોસ્ફીયરને ભટકાઇને પાછા આવે છે. આ ગરમીના કિરણો ધરતીનું ઉષણતામાન વધારે છે. ધૂમ્રહીન બોઈલરો બનાવી શકાય છે. કોલસી અને મેશનો ઉપયોગ થઈ શકે છે. આ બધી તકનીકી સમસ્યાઓ છે અને તેનો ઉકેલ થઈ શકે.

૫૦૦ વૉટ ની અને ૫૦૦ કિલોવૉટની પવન ચક્કીઓ બને છે. ડૂંગરો ઉપર પવન વધુ હોય છે. જે મકાનો ડુંગર ઉપર હોય છે અથવા તો જ્યાં પવન વધુ હોય છે, ત્યાં ૫૦૦વૉટની એક થી વધુ પવનચક્કીઓના મોડ્યુલોના ઉપયોગ કરી, ચાલુ પ્રણાલીની ઉર્જામાં બચત કરી શકે છે. જ્યાં વધુ ઉર્જાની જરુર હોય ત્યાં ૫૦૦ કિલોવોટ પવનચક્કીનો ઉપયોગ થઈ શકે.

જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ હોય છે તેવા રાજસ્થાન, કચ્છ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં મકાનોની બહારની દિવાલો ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે. દરેક મોટી ઓફિસ અને ઉદ્યોગોના મકાનોની દિવાલો અને અગાશીઓ કે છાપરાઓ ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે.

ઉર્જા સંગ્રાહકો

નિકલ કેડમીયમ અને નિકલ આયર્નના વિદ્યુત સંગ્રાહકોમાં સંશોધન કરી ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. સીસું-સલ્ફ્યુરિક એસીડના વિદ્યુત કોષ વજનમાં ભારે હોય છે અને તેનું આયુષ્ય ઓછું હોય છે. તેથી લાબાં આયુષ્ય વાળા નિકલ કેડમીયમ અને નિકલ આયર્ન વિદ્યુત સંગ્રાહકકોષમાં સંશોધન કરી તેને આર્થિક રીતે પોષાય તેવા કરવા જોઇએ. જો કે આ બધી તકનિકી બાબતો છે અને તેના ઉપાયો પણ છે.  

ગ્રામ્ય સંકુલમાં કયા ઔદ્યોગિક ઉત્પાદનો કરવા જોઇએ?

સંકુલમાં જાતજાતના ઘાસ, અનાજ, શાકભાજી, કંદમૂળ છોડ, ફુલો,

માટીનો ઉદ્યોગ, ફળોના રસનો ઉદ્યોગ, પેકેજ ઉદ્યોગ, માલ પેક કરવાનો ઉદ્યોગ, મુદ્રણ ઉદ્યોગ, કાગળનો ઉદ્યોગ, વણાટકામ, ભરતકામ, છપાઈ કામ, દરજીકામ, મોચીકામ, તેલ ઘાણી, મધમાખી ઉછેર, ગોબર ગેસ, ખાતર, દૂધ અને તેની બનાવટો, બેકરી,

ઘાસ, દૂધ, શાકભાજી, કાંતણ, વણાટકામ અને માટીકામ (ગ્લેઝવાળા માટીના વાસણો) એ મહત્વના ઉદ્યોગ ગણવા જોઇએ. કારણકે આ સ્વાવલંબનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનો વપરાશ સ્થાનિક કક્ષાએ પણ છે અને નિકાસ પણ થાય છે.

કાંતણ અને વણાટને પ્રાધાન્યઃ

જો ગામમાં ગરીબી હોય તો કાંતણ તાત્કાલિક રોજગારી પૂરી પાડે છે. જો પાંચ ત્રાકનો અંબર ચરખો વાપરવામાં આવે તો એક વ્યક્તિ રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦૦ ની માસિક આવક જરુર મેળવી શકે છે. આ ઉપરાંત તેની પોતાની કાપડની જરુરીયાત લગભગ મફતમાં પૂરી પડે છે. આ માટે ગાંધીજીએ ચરખાસંઘની રચનાની પ્રણાલી ગોઠવવાની વાત કરેલી. જો સ્થાનિક કક્ષાએ કાંતણ અને વણાટકામ થશે તો તો ખાદીને નામે ગોલમાલ થતી બંધ થશે.

ખાદીમાં હવે ઘણા સંશોધનો થયા છે. અને ખાદીનું કાપડ મીલના કાપડને લગભગ સમકક્ષ જ હોય છે.

જો દરેક કુટુંબ ગોદડા, ગાદલા, કવરો (ખોળો), હાથરુમાલ, ગમછા, પડદા, ટુવાલ, પગલુછણીયા જો ખાદીના વાપરે તો કાંતનારા અને વણનારાને ઘણી રોજી મળે.

ખાદીની ખપત કેવીરીતે વધારી શકાય?

કોણે કયા અને કેવા કપડાં પહેરવા તે વ્યક્તિની મુનસફ્ફીની વાત છે. પણ રોજગારી આપનાર સંસ્થા કે વ્યક્તિ પોતાના કર્મચારીઓને ડ્રેસકોડની ફરજ પાડી શકે છે. જેમકે પોલીસ ને અમુક જ ડ્રેસ પરિધાન કરવાની ફરજ પડાય છે. આવી જ રીતે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને માટે ડ્રેસ કોડ માટે ફરજ પાડે છે.

ડ્રેસકોડ

સરકારે ખાદીને પ્રોત્સાહન આપવું જોઇએ. અને તે માટે સરકારે દરેક સરકારી કર્મચારીનો એક યુનીફોર્મ કોડ એટલે કે વસ્ત્ર પરિધાનની આચાર સહિંતા નક્કી કરવી જોઇએ. જ્યારે સરકારી કર્મચારી જે કોઈપણ હોદ્દો ધરાવતો હોય તો પણ તેણે ડ્રેસ કોડનો અમલ કરવો જ પડશે. જ્યારે તેને નોકરીએ રાખવામાં આવે ત્યારે જ તેની પાસેથી તેની સંમતિ લઈ લેવી જોઇએ. સૌ કર્મચારીઓને સરકાર ત્રણ સેટ વસ્ત્રોનું કપડું સરકાર ખરીદીને આપશે. એક સેટમાં પાટલુન, ખમીશ, બનીયન, કોટ અને સ્વેટર આપશે. જેમને ધોતીયું, જભ્ભો, બંડી, લોંગકોટ જોઇતા હશે તેમને તે આપશે. બે જોડી બુટ અને બે જોડી ચપ્પલ આપશે. કશું મફત મળશે નહીં. જરુર હશે તો વર્ગ -૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને ચાર ટકાના વ્યાજે લોન આપશે. ખાદીના કાપડની ગુણવત્ત સરકાર નક્કી કરશે.

દરેક શાળા અને કોલેજો પણ પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસકોડ રાખશે.

આમ થવાથી ખાદીના કાંતણ કામ, વણાટકામ, અંબર ચરખા બનાવનાર અને તેને રખરખાવ અને સમારકામ કરવાવાળાઓને રોજી મળશે. દરજીઓને પણ વધુ રોજી મળશે. કારણ કે અત્યારે રેડીમેડ વસ્ત્રોને જે જત્થાબંધ ધોરણે સીવવામાં આવે છે તેમાં કારીગરોનું શોષણ થાય છે.

જ્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તે સરકારે, સરકારી કાપડની ખરીદીમાં ખાદીને ફરજીયાત કરેલી. પણ સરકારી ઉચ્ચ અધિકારીઓની મનોવૃત્તિ “સર્વ પ્રથમ ભારતનું હિત (ઈન્ડીયા ફર્સ્ટ)”ની ન હતી એટલે તેમાં બારીઓ ખોલીને સરક્યુલરનો અનાદર કરેલ.

તો પછી જત્થાબંધ રીતે ઉત્પન્ન થતા કાપડનું શું થશે? આપ્ણો દેશ, મીલના કાપડની વિદેશમાં નિકાસ કરશે.

જો ઘાસની ખેતી સંકુલોમાં થશે તો બળદોનું શું થશે?

સાંઢને બળદ કરવો એ આપણો હક્ક નથી. સાંઢ પાસેથી પણ કામ તો લઈ જ શકાય. તેલ ઘાણીના યંત્રમાં, લીફ્ટના યંત્રમાં, વિદ્યુત જનરેટર ના યંત્રમાં, સામાન્ય હેરફેરને લગતા માલવાહકોની રચનામાં યોગ્ય ફેરફારો કરી પશુઓનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ગૌવંશના પ્રાણીઓ આપણને શ્રેષ્ઠ અને અમૂલ્ય ખાતર આપે છે.

પશુ સંચાલિત તેલઘાણીઓથી તેલનું ઉત્પાદન ઘટશે, પણ જો તમે સંકુલો બનાવશો તો જમીનની વૃદ્ધિની સીમા અમાપ છે. તમે કદાચ કહેશો કે વનસ્પતીને તો સૂર્ય પ્રકાશ જોઇએ અને સંકુલોમાંની અકુદરતી જમીનને સૂર્યપ્રકાશ તો મળશે નહીં તેથી સંકુલોમાં ઉત્પાદન નહીં થઈ શકે. જો કે આ એક તકનિકી સમસ્યા છે. અને તેનો ઉકેલ આવી શકે. જેમકે તમે દર્પણોને એવી રીતે ગોઠવો કે દરેક માળ ઉપર સૂર્ય પ્રકાશ આવે. આ ઉપરાંત, વિદ્યુત દ્વારા કૃત્રિમ સૂર્યપ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે. આ વિદ્યુત કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય.

તેલઘાણીઓ શા માટે? પશુ દ્વારા ચાલતી તેલઘાણીઓ શા માટે?

તેલીબીયાંઓના છોડવાઓ ને સંકુલોમાં ઉગાડી શકાય છે. એટલે તેલીબીયાનું ઉત્પાદન વધારીને તેલનું ઉત્પાદન વધારી શકાય છે. પશુથી ચાલતી તેલઘાણીના તેલના ઉત્પાદનમાં આપણને “ખોળ” અને “સાની” મળે છે. તે પશુઓ અને મનુષ્ય માટે એક સારો અને પૌષ્ટિક ખોરાક છે. આ લાભને અવગણી શકાય નહીં.

તેલની મીલોનું શું થશે?

જો તેલીબીયાંનુ ઉત્પાદન વધુ હોય તો તેના તેલોની નિકાસ કરો.

જો માટીના વાસણોનો ઘરવપરાશના, પ્યાલાઓ, થાળીઓ, કટોરાઓ, ગરમાઓ, તપેલાઓ, માટલાઓ, વિગેરેમાં ઉપયોગ થશે તો, ધાતુના વાસણોની ખપત ઘટી જશે તો તેના કારીગરો અને કારખાનાઓનું શું થશે?

ધાતુ એ એક કિમતી વસ્તુ છે. તે ધરતીમાં નવી ઉત્પન્ન થતી નથી. ધાતુઓનો વિદ્યુત ઉર્જાના વિતરણમાં બહુ જરુરી ઉપયોગ હોય છે. તેથી ધાતુના ઉદ્યોગમાં જેમકે તાર, ખીલીઓ, સ્ક્રુ, પટીઓ, પતરાઓ, યંત્રોની બનાવટ, તેના પૂર્જાઓ, સુશોભનની કળાકૃતિઓ બનાવવામાં ધાતુનો ઉપયોગ કરી શકાય. વૈજ્ઞાનિક સંશોધનોના ઉપકરણોમાં ધાતુનો અમાપ ઉપયોગ હોય છે જ. તેથી કારીગરોએ કારીગરી બદલવી પડશે. કોઈ બેકાર થશે નહીં.

માટીના વાસણો તો અવારનવાર તૂટી જશે. માટીના વાસણો બરાબર સાફ થઈ શકતા નથી. આથી શું સરવાળે તે મોંઘાં નહીં પડે શું?

ના. તે સરવાળે ખાસ મોંઘા નહીં પડે. માટીના વાસણો ઉપર ગ્લેઝ (સીરામીકના વાસણોને હોય છે તેમ) હોવાથી તે સરળતાથી સાફ થઈ શકશે. સ્થાનિક ઉત્પાદન હોવાથી તે વ્યાજબી ભાવે મળશે.

દરેક વ્યક્તિની વૃત્તિઓ અલગ અલગ હોય છે.

વૈજ્ઞાનિક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

તત્વજ્ઞાની બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ચિકિત્સક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

કર્મચારી બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ઘણાને ફક્ત ચિલાચાલુ કામ કરવાની જ વૃત્તિ હોય છે. નવું કામ કે અવનવું કામ કરવાની વૃત્તિ હોતી નથી. જેઓ કચરો વાળે છે તેમને જમીન ખોદવાનું કામ કરવું ગમતું નથી. જો કે કેટલીક વૃત્તિઓ શિક્ષણ દ્વારા બદલી શકાય છે.

દરેક વ્યક્તિમાં આનંદ પામવાની વૃત્તિ અચૂક હોય છે.

આનંદની પ્રાપ્તિ એ દરેકનું મુખ્ય ધ્યેય હોય છે. એટલે સરકારે અને અન્ય સંસ્થાઓએ કર્મચારીઓનો અપ્ટીટ્યુડ ટેસ્ટ એટલે કે માનસિક વલણની ચકાસણી કરતા રહેવું જોઇએ. અનુસંધાન માટે ”… નવ્ય સર્વોદય વાદ ભાગ-૧” અને “શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે? જુઓ

આ ફક્ત રુપરેખા છે. શક્ય રીતે સ્વાવલંબન તરફ જવાની દિશા છે. સ્વાવલંબનનો હેતુ, ઉત્પાદન અને વહેંચણીમાં પારદર્શિતા અને રસ્તાઓ ઉપર ઉત્પાદન ની હેરફેરને શક્ય રીતે ઓછામાં ઓછી કરવાનો છે જેથી ઉર્જા ઓછામાં ઓછી વપરાય.

સ્થાનિક ઉત્પાદનને કારણે વપરાશની ચીજોની વૈવિધતા ઓછી થશે તેનું શું?

અવારનવાર થતા મેળાઓ આ સમસ્યાનો આંશિક ઉકેલ છે. વપરાશની ચીજોની વૈવિધતા એ ખરો આનંદ નથી. ખરો આનંદ પર્યટન, જ્ઞાન અને તંદુરસ્તી છે.

ચમત્કૃતિઃ

કિશોરીલાલ મશરુવાળા જ્યારે નાના હતા ત્યારની વાત છે.

અમદવાદથી મુંબઈ બે રેલ્વેગાડી જતી હતી.

એક વહેલી સવારે જાય. તે ગાડી બધા જ સ્ટેશનોએ ઉભી રહે. અને મોડી સાંજે મુંબઈ પહોંચે. આ ટ્રેનમાં ટિકિટભાડું ઓછું.

બીજી એક ટ્રેન રાત્રે ઉપડે. અમુક સ્ટેશનોએ જ ઉભી રહે. સવારે મુંબઈ પહોંચે. એટલે કે ઓછો સમય લે. આ ટ્રેનમાં ટિકિટભાડું વધારે.

બાળ કિશોરીલાલ મશરુવાળાને આ વિચિત્ર લાગ્યું.

જે ટ્રેન દિવસે ઉપડે છે તે બધા જ સ્ટેશનોએ ઉભી રહે છે. તમને સ્ટેશને સ્ટેશને ઉતરવા મળે છે. દરેક સ્ટેશનને જોવાનો આનંદ લઈ શકો છો. દિવસના સમયમાં ચાલુ ગાડીએ તમે બહાર બધું જોઇ શકો છો. તમને વધુ સમય ટ્રેનમાં બેસવા મળે છે. આ બધા ફાયદાઓ હોવા છતાં પણ તેનું ટિકિટભાડું ઓછું છે.

જે ટ્રેન રાત્રે ઉપડે છે. અમુક સ્ટેશનો ઉપર જ ઉભી રહે છે, સ્ટેશને સ્ટેશને ઉતરવા મળતું નથી, તમને રાત્રે ન તો સ્ટેશનો કે નતો ખેતરો કે જંગલ કે ગામના મકાનો કે માણસો કે કશું પણ જોવા મળતું નથી, રાત્રે કશો આનંદ મળતો નથી. ઓછો સમય ટ્રેનમાં બેસવા મળે છે, છતાં પણ આ ટ્રેનનું ટિકિટભાડું વધારે છે. આવું કેમ?

આનંદ માટેની મુસાફરી આવકાર્ય હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ કાચો માલ, સ્રોત, મકાન, વ્યવસાય, સંકુલ, રહેઠાણ, ગ્રામ્ય, શહેરી, નવસંરચના, જમીન, ફાજલ, ઉત્પાદન, વૃક્ષ, બહુમાળી, ઔદ્યોગિક, ઉત્પાદન, ઉર્જા, પશુ, કોલસો, પવનચક્કીઓ, સૂર્યપ્રકાશ, ખાદી, કાંતણ, વણાટ, ડ્રેસકોડ, મોરારજી દેસાઈ, ઈન્ડીયા ફર્સ્ટ, તેલઘાણી, માટી, વાસણ, વૃત્તિ, આનંદ

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 4

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૪

આહાર નિદ્રા, ભય અને મૈથુન શું ઘટાડ્યા ઘટી શકે છે?

આગળ જોઇએ

આંશિક શરીરને નિદ્રા

સજીવના કોષો જો હમેશા કાર્યરત રહે તો અમુક હદ પછી તે નબળા પડી જાય. તેથી તેની સક્ષમતા ઘટે. આ માટે પ્રકૃતિએ તેમને માટે નિદ્રાની જોગવાઈ કરી. પણ આ નિદ્રાની જોગવાઈ બધી જાતના કોષ માટે નથી. દરેક કોષ બેઝીક ટાઈમના પલ્સના આધારે કામ કરે છે. કેટલાક કોષો અને અંગો તેના અંતરાલમાં આરામ લઈ લે છે. જેમકે હૃદયના ધડકારા. ફેફસાંની શ્વાસોચ્છવાસની ક્રિયા. લોહીનું ભ્રમણ અને હવાનું ભ્રમણ દબાણના આધારે થાય છે. આ બધી વાતો લાંબી છે. ટૂંકમાં નિદ્રા અંગોને  આરામ આપે છે. આહાર, શરીરમાં વપરાતા ઘસારાને કારણે તત્વોમાં થતી ખોટને પૂરે છે.

 “આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે” આમાં વાસ્તવિકતા કેટલી?

આહારઃ

શરીરના કોષોની સક્રીયતા ટકાવી રાખવા માટે અને નવા કોષોની જરુર હોય તો તે ઉત્પન્ન કરવા માટે આહાર જરુરી હોય છે. જો આહારનું પ્રમાણ વધુ હોય અને પોષક તત્વો લોહીમાં પૂરતા પ્રમાણમાં હોય તો વધારાનો આહાર મળ-મૂત્ર સ્વરુપે બહારનીકળી જાય છે. ચરબીનો સંચય થાય છે. ચરબીના દહનથી કોષનું તાપમાન જળવાઈ રહે છે. આ કારણથી આહારને ઘણી હદસુધી ઘટાડી શકાય છે. લોહી દ્વારા કોષોને ચરબી સહિતના પોષક તત્વો મળતા રહે છે. પોષક તત્વો લોહીમાં ઘટે એટલે ભૂખ તરસ લાગે છે. આ એક વ્યવસ્થા છે. ભૂખ લગાડનારી વ્યવસ્થામાં રહેલું તંત્ર અમુક હદના ઉપવાસ પછી નિસ્ક્રીય થઈ જાય છે. પણ પાણી ઘટે તો શરીરને તરસ લાગવાથી અને પાણીના અભાવે કામ કરતું બંધ થઈ જાય છે. આમ આહાર અમુક હદ સુધી જ ઘટાડી શકાય છે. શરીર પોતે ટકી શકવાની હદ સુધી ટેવાઈ જાય છે.

નિદ્રાઃ

નિદ્રા પણ અમુક હદ સુધી ઘટાડી શકાય. નિદ્રા એટલે આમ તો મગજના એક હિસ્સાને મળતો આરામ છે જે સ્મૃતિને આરામ આપવાનો છે. આમાં ગંધ, સ્વાદ, સ્પર્ષ અને વિચારની ક્રિયા બંધ થાય છે.

ભયઃ

ભય એ એક વિઘટનની ક્રિયા વિષેનું પૂર્વાનુમાન છે. જેના પ્રમાણનો આધાર ડીએનએની સંચરના ઉપર છે. મનુષ્યમાં “વિચાર” અને “સમજણ” એ બંને ની ઘનિષ્ઠતા પણ ભાગ ભજવે છે. ભય જેટલા પ્રમાણમાં ઓછો થાય એટલા પ્રમાણમાં, વીરતામાં વૃદ્ધિ થાય છે.

મૈથુનઃ

કુદરતે આપેલી આ એક વૃત્તિ છે. જેનો હેતુ તદ્રુપ જીવોને ઉત્પન્ન કરી જીવસમૂહને ટકાવી રાખવાનો છે. આ વૃત્તિની ઘનિષ્ઠતાનો આધાર પણ ડીએનએ-આરએનએના બંધારણ ઉપર આધાર રાખે છે.

શરીરમાં કોષોને ખૂટતા તત્વો, શરીરમાં કોષોને ટેવથી પડેલા તત્વો, શરીરમાં કોષોને જોઈતા તત્વો, શરીરમાં કોષોને પરવડતા તત્વો, જેમાં બધું જ આવી જાય તેને આપણે રસાયણો કહીશું. આ રસાયણો મનુષ્યના અને સૌકોઈ સજીવના આચાર વિચાર આઘાત પ્રત્યાઘાત  ઉપર અસર કરે છે. માણસ પોતાના વિચારોની ઘનિષ્ઠતાના આધારે પોતાના અમુક રસાયણોમાં ફેરફાર કરી શકે છે. અને આ રસાયણો મનુષ્યના આચારોને નિયંત્રિત કરેછે.

જો માણસ જાતીય વિચારોની ઘનિષ્ઠતામાં જ રચ્યો પચ્યો રહે તો તેનામાં તેવા રસાયણો ઉત્પન્ન થાય છે અને તેથી તેની વૃત્તિઓ પણ તે સ્વરુપની ઉત્પન્ન થાય છે. વૃત્તિઓ તેને તેવા આચારોની દીશામાં પ્રેરે છે.

જાતીય વિચારો અને આચારો ઉપર સંયમ કેટલી હદે જરુરી?

માત્ર જાતીય વિચારો જ, શરીરમાં રહેલા રસાયણ ઉપર અવલંબે છે એટલું જ નહીં પણ વિચારો માત્ર રસાયણ ઉપર આધાર રાખે છે. અમુક વિચારોને રોકનારા વિચારો પણ પ્રતિ-રસાયણો ઉપર આધાર રાખે છે. જેમ બહારના આક્ર્મક માઈક્રોઓર્ગેનીક્ઝમ (જેમકે વાઈરસ) સામે લડનારા સફેદ કણો શરીરમાં હાજર હોય છે તેવું જ રસાયણ, પ્રતિ-રસાયણનું હોય છે. અમુક અમુક જાતના ડ્ર્ગ્ઝ લેવાથી માણસને અમુક જાતના વિચારો આવે છે. માણસમાં અમુક જાતના પ્રતિભાવો આપવાની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માણસ વિચારોમાં સાતત્ય જાળવી શકતો નથી… દીશા શૂન્ય થઈ જાય છે, નાની નાની વાતોમાં ગુસ્સે થાય છે, રડવા લાગે છે… હસવા લાગે છે …. હળવો થઈ ગયો હોય … ઉડતો હોય …. તેવી અનુભૂતિઓ થવા લાગે છે. આ બધું રસાયણો ઉપર આધારિત હોય છે.

જાતીય વૃત્તિ પણ રસાયણ ઉપર આધાર રાખે છે. આ રસાયણો તેને વારસામાંના ડીએનએ-આરએનએ દ્વારા મળે છે. અને તેના પ્રમાણની વધઘટ ખોરાક અને વિચારોની ઘનિષ્ઠતા ઉપર અવલંબે છે. વિચારોના આધારે રસાયણો અને પ્રતિ રસાયણો કાર્યશીલ થઈ વૃત્તિઓને આચાર તરફ જવા પ્રેરે છે.

લગ્નની વ્યવસ્થા શા માટે ઉત્પન્ન થઈ?

જો કોઈપણ નર કોઈપણ માદા સાથે પશુઓની જેમ શારીરિક સંબંધો બાંધે તો પાશવી શક્તિ સમાજ ઉપર હામી થાય છે. કારણ કે મનુષ્ય જાતિ વિચારશીલ છે અને તે વ્યુહ રચનાઓ કરી શકે છે ઠગાઈઓ કરી શકે છે તેથી કાળાંતરે મનુષ્ય જાતિ જ નષ્ટ પામી જઈ શકે છે. પણ મનુષ્યજાતિનો સમૂહ પણ એક સજીવ છે અને તે પોતે પણ ટકી રહેવાની પ્રાકૃતિક વૃત્તિ ધરાવે છે. આ વૃત્તિની રુએ, જાતીય વૃત્તિના આચારને બેફામ થતો રોકે છે. આ માટે તે વૃત્તિને રોકવા માટે જરુરી, જે પ્રતિ-રસાયણો છે, તેને બનાવવા, પોતાના સમૂહમાં નીતિ નિયમો ઘડે છે. આ નીતિ નિયમો દ્વારા મનુષ્યસમુહે વર્તન બાબતમાં મર્યાદાઓ બાંધી છે. જાતીય સંબંધ બાંધવા માટે સગાંઓને બાધ્ય ગણ્યા. નજીકના સગાંઓને તો સાવ જ બાધ્ય ગણ્યા. ઉમરના મોટા તફાવતને બાધ્ય ગણ્યો. લગ્નપ્રથાને ઉજવણીનો પ્રસંગ ગણ્યો જેથી કોણ કોની સાથે છે તે જાહેર થાય. હક્કો અને ફરજો આપ્યા. આ બધાનો હેતુ જાતીય જીવનમાં અરાજકતા ન થાય તે માટેનો હતો.

બે વિજાતીય વ્યક્તિઓ એકબીજા સાથે પરિણિત છે. આ વ્યક્તિઓ વચ્ચે રસાયણોનો તાલમેલ ન હોય તો શું થાય? આવા લગ્નો કેવી રીતે ટકાવી શકાય? પ્રેમના રસાયણનો તાલમેલ હોય, ફરજ અને હક્કને સમજવાના  રસાયણનો તાલમેલ હોય, પસંદગી નાપસંદગીના રસાયણનો તાલમેલ હોય પણ શારીરિક સંબંધની વૃત્તિના રસાયણ વચ્ચે તાલમેલ ન હોય તો શું કરવું? આના ઉપાય તરીકે વેશ્યા વ્યવસાય ઉત્પન્ન કરવામાં આવ્યો. જો કશામાં તાલમેલ ન હોય તો છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવી.

જો સ્ત્રી બહુગામી હોય તો તે વેશ્યા વ્યવસાય કરી શકે અથવા પતિથી ખાનગીમાં બીજા સાથે સંબંધ રાખે. આ વાતની નરને ખબર પડે કે ખબર ન પણ પડે. જો આ આડસંબંધની ખબર પડે અને જો પુરુષ નપુંસક હોય તો આંખ આડા કાન કરે અને જો તેમ ન હોય તો ક્યારેક છૂટા છેડા પણ આપી શકે.

જો પુરુષ બહુગામી હોવાની ટેવવાળો હોય કે છૂટક હોય તો સ્ત્રી કંકાસ કરે અથવા સમસમીને બેસી રહે. પણ જવલ્લે જ એવું વિચારે કે તે અને તેના પતિની જાતીય વૃત્તિ બાબતની કેમેસ્ટ્રી મેચ થતી નથી અને તેને પોતાને સમજણ દ્વારા અને અથવા હોર્મોન થેરેપી દ્વારા મેચ થવાની જરુર છે. વાત બહુ નાની છે. પણ આ નાની વાત, સમાજમાં અસામાજીકતા અને અરાજકતા સર્જે છે.

ભ્રમર વૃત્તિ

પુરુષની ભ્રમર વૃત્તિ એ કુદરતની દેન છે. તેથી જ તત્વ વેત્તાઓએ સંયમની વાત ઉપર જોર આપ્યું છે.

શું જાતીય વૃત્તિ ઉપરનો સંયમ અને અકુદરતી રીતે થતું વિર્ય સ્ખલન નુકશાન કારક છે?

શું બ્રહ્મચર્યનો ગવાતો મહિમા એક ફરેબ છે?

જાતીય વૃત્તિ ના વિષય ઉપરના પંડિતો એવું કહેતા જોવા મળે છે કે અકુદરતી રીતે કરવામાં આવતું વીર્યસ્ખલન કુદરતી વલણ છે અને તેનાથી કશું નુકશાન નથી. સંત રજનીશમલ પણ એમજ કહે છે કે જાતીયવૃત્તિ ઉપરનો સંયમ જાતીયવૃત્તિને વધુ તીવ્રતા આપે છે. માટે લગ્ન સંસ્થા એક નિરર્થક સંસ્થા છે. લગ્ન સંસ્થાનું મૃત્યુ નિશ્ચિત છે અને તે થવાનું જ છે. સમાધિ એક આનંદ છે અને સંભોગ પણ આનંદ છે માટે સંભોગ દ્વારા સમાધિ પ્રાપ્ત કરવી.

જો કે આ એક તર્કહીન તારણ છે.

ભગવાન કૃષ્ણ ગીતામાં શું કહે છે?

અર્જુને કૃષ્ણભગવાન ને પ્રશ્ન કરેલ કે જો સંયમી થવાની ઈચ્છા હોય પણ ન થઈ શકાતું હોય તો શું કરવું?

કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે “અભ્યાસ કરવો”. અભ્યાસ એટલે કે તે કામ અવારનવાર અને સતત કર્યા કરવું. જ્યારે બાળક ચાલવાનું શિખતું હોય ત્યારે તે અવારનવાર પડી જાય છે. છતાં તે પ્રયત્ન ચાલુ રાખે છે. પોતાના પ્રયત્નો તે ચાલુ રાખે છે. પ્રયત્ન કરતાં કરતાં તે ચાલવાનું શિખી જાય છે. પછી તેને માટે ચાલવાનું એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. સંયમ વિષે પણ આમ જ છે. જોકે સંત રજનીશમલના શિષ્યો કહેશે કે આ તર્ક ખોટો છે. શરીરના હલન ચલનને કાબુમાં રાખવું અને શરીરને ટેવ પાડવી એ વાતને મનની ગતિવિધિઓ સાથે સરખાવી ન શકાય.

કૃષ્ણ ભગવાન આવો ભેદ પાડતા નથી. મૂળવાત સમજણની છે. નાનું બાળક અજ્ઞાતરીતે સમજે છે કે મારે ચાલ્યાવગર છૂટકો નથી. બધા મજાના બે પગે ચાલે છે. માટે ચાલવું તે અશક્ય નથી.  આનો અર્થ એ થયો કે સામાજીક વાતાવરણ, માણસની વૃત્તિ ઉપર અસર કરે છે. જો સામાજીક નિયમો અને અંકુશો નબળા હોય તો માણસનું મન પણ નબળું પડે, કારણકે સમજણ વિકસતી નથી.

સમાજનો ભય માણસના મનને અંકુશમાં રાખે છે. જો એક વખત બુદ્ધિપૂર્વકની સમજણ ઘર કરી જાય એટલે કે જે સમજાયું તે આત્મસાત પણ થઈ જાય તો મન પણ પૂર્ણપણે અંકુશમાં આવી જાય છે.

આમ કૃષ્ણભગવાન એમ કહે છે કે;

તમારી મનની ઈચ્છાને બાજુ પર રાખો. તેનાથી અલિપ્ત બનો. તટસ્થ બનીને માત્ર બુદ્ધિથી જ વિચારો. કારણ કે જો તમે આમ નહીં કરો તો તમે ઈચ્છાપૂર્વકની કામનાની દિશામાં જ એકાંગી રીતે વિચારતા થશો. કામનાથી અલિપ્ત નહીં થાઓ તો તમે અસ્વસ્થ થશો. (પોતાના ઉપર ક્રોધ કરશો એટલે કે આત્મવિશ્વાસ ગુમાવશો. આ સ્થિતિ તમને નિરાશા તરફ દોરી જશે). નિરાશા જનક સ્થિતિમાં તમારે જે દલિલો યાદ કરવાની છે તે તમે તમારી સ્મૃતિમાંથી બહાર કાઢી શકશો નહીં. એટલે તમે તર્કનો ઉપયોગ નહીં કરી શકો. તમે તર્ક નહીં કરો એટલે તમે મનુષ્ય તરીકે ખતમ થશો.

આનો અર્થ એ થયો કે જો તમે કોઈપણ નિર્ણયમાં તટસ્થભાવ ન રાખો, અને મનની સાથે લિપ્ત રહીને જ બુદ્ધિને નિર્ણય કરવાનું કહો તો, બુદ્ધિ બારે દિશામાંથી મેળવેલી સ્મૃતિઓનો ઉપયોગ કરશે નહીં, અને તમે જે નિર્ણય કરશો તે વાસ્તવમાં મનનો જ નિર્ણય હશે. મનને તો તમે અલિપ્ત કર્યું જ નથી, એટલે જે નિર્ણય થયો તે બુદ્ધિનો નિર્ણય તો છે જ નહીં. મન પ્રમાણેનું આચરણ કરવામાં તમે મનુષ્યત્વ ગુમાવો છો.

વાસ્તવમાં મન તો તમારું નોકર છે, પણ તમે ગર્વથી કહો છો કે હું તો મનનો મોજી છું. હું તો મારા મનના (નોકરના) કહેવા પ્રમાણે જ વર્તીશ. હું કંઈ કોઈનો ગુલામ નથી.

વાસ્તવમાં તમે તો તમારા નોકરના ગુલામ છો.

બધાજ બનાવો નિશ્ચિત છે

આધુનિક ભૌતિક શાસ્ત્રીઓ કહે છે કે બ્રહ્માંડમાં બધું જ નિશ્ચિત છે. મનુષ્ય શું વિચારશે તે નિશ્ચિત છે. મનુષ્ય કેવી રીતે વર્તશે તે પણ નિશ્ચિત છે. જો કોઈ એક વ્યક્તિના રસાયણ જ એવા હોય કે લાખ વિચારો બુદ્ધિ પૂર્વક કરે અને પ્રતિ-રસાયણો ઉત્પન્ન કરે પણ આ પ્રતિરસાય્ણો જાતીય વૃત્તિનું દમન ન કરી શકે તો શું કરવું? જો દરેક મનુષ્યનો સ્વભાવ બ્રહ્માંડની નિશ્ચિતતાને આધિન હોય તો મનુષ્ય વાંકમાં આવ્યો જ ન ગણાય. હવે જો મનુષ્ય વાંકમાં જ આવ્યો ન હોય તો તેને સજા પણ કેવી રીતે થઈ શકે?

ઈશ્વર કહે છે કે તમે સમજી લો અને માની લો હું મનુષ્યની વ્યક્તિગત સુરક્ષા માટે નથી. હું ફક્ત વ્યક્તિગત મનુષ્યને જ સજીવ માનું છું તેમ નથી. હું તો સમાજને પણ સજીવ માનું છું. એટલે મનુષ્ય વ્યક્તિગતરુપે અને સમાજ સામુહિક રીતે, એ બંનેના પ્રમાણસરના મિશ્રણથી જે કંઈ નિર્ણયો અને આચરણો થશે તે, જે તે સમાજનું ભાવી નક્કી કરશે. જો એક મનુષ્ય વ્યક્તિગત રીતે પ્રતિ-રસાયણ ઉત્પન્ન નહીં કરે તો સમાજ તેને દંડ આપીને તે વ્યક્તિની અંદર રહેલા વિઘાતક રસાયણને નબળું પાડી દેશે અને સમાજમાં કુલ પ્રતિ-રસાયણનું પ્રમાણ વધશે. આ પ્રમાણે આ પ્રતિરસાયણ મનુષ્ય સમાજને જાતીય સંબંધોમાં સ્વચ્છંદતા લાવતાં રોકશે.

GANDHI AND MANUBEN GANDHI

મહાત્મા ગાંધી શું કહે છે? તેમણે શું કર્યું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, કોષ, સમુહ, ઘટાડ્યાં ઘટે, વધાર્યાં વધે, જાતિય, વિચાર, સમજણ, સંયમ, અભ્યાસ, બુદ્ધિ, તર્ક, અલિપ્ત, સ્મૃતિ, વૃત્તિ, ભ્રમર, આચાર, નીતિ, નિયમ, લગ્ન, મનુષ્યત્વ, રસાયણ, પ્રતિ-રસાયણ, નિશ્ચિત, બ્રહ્મચર્ય, કુદરતી, વીર્યસ્ખલન,

Read Full Post »

આ પ્લેન્ક કોન્સ્ટન્ટ શું છે?

ઉર્જા = (પ્લેન્ક કોન્સ્ટન્ટ)(કંપનની આવૃત્તિ)

E = hv

આ (એચ) એક અચળ છે. અને ક્વાન્ટમ થીએરી અને ક્વાન્ટમ ગણિતશાસ્ત્રમાં મૂળભૂત ભાગ ભજવે છે.

ક્વાન્ટમ એટલે નાનામાં નાનું. નાનામાં નાનું એટલે શું? નાનામાં નાનું એટલે જેનાથી નાનું કશું ન હોઈ શકે તેવું, પણ શૂન્ય નહીં.

જો નાનામાં નાની ઉર્જાને એકમ ગણીએ તો તો ક્વોન્ટમ થીયેરી પ્રમાણે તેનાથી નાની ઉર્જા ન હોઈ શકે. આપણા શસ્ત્રમાં એક માન્યતા વારંવાર ઉચ્ચારવામાં આવી છે. તે એ છે કે “જે પિણ્ડે તે બ્રહ્માણ્ડે.

શું મહત્વનું છે? “કેવીરીતે થાય છે તે?” કે “શામાટે થાય છે તે?

ભૌતિક શાસ્ત્રીઓ અને ભારતીય તત્વશાસ્ત્રીઓ નો હેતુ શો હતો અને છે? મનુષ્ય રુપી સજીવ સમુહનું ધ્યેય શું છે? જીવ માત્રનું ધ્યેય શું છે? વિશ્વનું ધ્યેય શું છે?

મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે બ્રહ્માણ્ડ વિષે વિચાર કરે છે અને તેને સમજવા માગે છે. ભૌતિક શાસ્ત્રીઓ બ્રહ્માણ્ડ કેવી રીતે વર્તે તે સમજવા પ્રયત્નો કરેછે. ભારતીય તત્વજ્ઞો બ્રહ્માણ્ડ શું કામ અથવા કયા કારણ થી આમ વર્તે છે એ વાત જાણવાનો પ્રયત્ન કરે છે.

વૈજ્ઞાનિકો સમજાવી શકે છે કે મહાવિસ્ફોટ પછી બ્રહ્માણ્ડ કેવી રીતે વિસ્તર્યું, કેવીરીતે આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો વિગેરે બન્યા. કેવી રીતે અમૂક ગ્રહો ઉપર જીવન પાંગર્યું હશે.

દાખલા તરીકે, મીથેન, એમોનીયા, જેવા ગેસ પૃથ્વિ ઉપર હશે અને તેમાં સ્પાર્ક કરવાથી (વીજળી પડવાથી) હાઈડ્રોકાર્બના જટીલ અણુઓ બન્યા હશે. સમય જતાં પ્રાથમિક કક્ષાના પ્રોટીન એમીનો એસીડના અણુઓ અને સેન્દ્રીય અણુઓ બન્યા હશે. અને એ રીતે સમય મળતાં પ્રાથમિક જીવન પાંગર્યું અને તેનું કુદરતી પસંદગી અને શક્યતાના સિદ્ધાંત પ્રમાણે ઉત્ક્રાંતિ થઈ.

ભારતીય તત્વ વેત્તાઓ અને હવે ભૌતિકશાસ્ત્રીઓ પણ આ વિષે વિચાર કરે છે કે આ બધું શા માટે થાય છે?

ભારતીય તત્વજ્ઞાનીઓ માને છે કે આ જે કંઈ થાય છે તે સુખ માટે થાય છે, આનંદ માટે થાય છે.

સુખ એટલે શું?

શરીરને સારું લાગે તે સુખ.  શરીરને ક્યારે સારું લાગે? જ્યારે શરીરને વિઘટનમાટે ની પરિસ્થિતિની અનુભૂતિનો ભય ન હોય ત્યારે. એટલે કે શરીરમાં કશી ત્રુટી

ન હોય. શરીર નું સુખ અને એક જાતનો આનંદ છે. જેમ શરીરની અનૂભૂતિ વિશાળમાત્રામાં થાય તેમ સુખની અનૂભૂતિ વધુ થાય. અને આ અનુભૂતિ ઇન્દ્રીયો થકી થાય છે. જ્ઞાન તંતુઓ તે અનુભૂતિઓને પહોંચતી કરે છે. જ્યારે લોકલ અનેસ્થેસીયા આપવામાં આવે ત્યારે શરીરના તે વિસ્તારની અનુભૂતિ કપાઈ જાય છે. જો ફક્ત મસ્તિષ્કને જ સક્રીય રાખવામાં આવે અને આખા શરીરના જુદા જુદા વિસ્તારોને લોકલ એનેસ્થેસીયા આપવામાં આવે તો આપણું શારીરિક સુખ કમી થઈ જાય છે અને આપણને આપણી જાત ક્ષીણ થયેલી લાગે છે.

આનંદ એટલે શું?

શરીરને સારુ લાગે એ શરીરનો આનંદ. અને મગજને સારું લાગે એ મગજનો આનંદ. મગજ એ શરીરનો એક ભાગ છે. અને અંતે તો મનને જ આનંદ થવાનો હોય છે. મન એ આપણી અનુભૂતિ છે જે મગજ અને શરીરના આનંદનો સમન્વય છે.

સરવાળે મનુષ્ય (સજીવો)ની વૃત્તિ આનંદ પ્રાપ્ત કરવાની હોય છે.

વિદ્યા અને અવિદ્યા.  સાચો અને શ્રેય આનંદ કયો?

જે બીજાને નુકશાન ન કરે તે શ્રેય આનંદ છે. એટલે સમાજ શોષણવિહીન હોવો જોઇએ.

બીજો આનંદ જ્ઞાનનો આનંદ હોય છે.

તર્ક વગર જ્ઞાન ન મળે. અને તર્ક વગર સમાજ વ્યવસ્થા શોષણવિહીન ન બની શકે.

તર્કનું પણ એક શાસ્ત્ર હોય છે.

એટલે જ્ઞાનની વૃદ્ધિ સમાજ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર બંનેમાં કરવી જોઇએ.

સમાજ શાસ્ત્ર એટલે કે શોષણ વિહીન સમાજ ના નિયમો માં મહાત્મા ગાંધીના સર્વોદય સમાજની વાતો શ્રેષ્ઠ છે.

મહાત્મા ગાંધીના સર્વોદય સમાજને સમજવામાં મૂર્ધન્ય મનુષ્યોમાંના મોટા ભાગના ગોથાં ખાય છે. સ્થાપિત હિતોનું પરિબળ, અહંકાર અને સામાજીક પ્રણાલીઓ પ્રત્યેનું જડ વલણ મનુષ્યને શોષણ હીન સમાજ બનાવવામાં આડખીલી રુપ બને છે. તે એક અલગ જ વિષય છે.

મનુષ્ય, એ જગતનું અંતીમ વિકસિત સર્જન છે. મનુષ્ય બે દિશાઓમાં વિકાસ કરે છે. મનુષ્ય સગવડ અને સુવાધાઓ વધારવામાં વિકાસ કરેછે. મનુષ્ય એક માત્ર એવો જીવ છે જે વિશ્વ કેવીરીતે વર્તે છે તે વિષે જ્ઞાન મેળવા મથેછે. તે દિશામાં જ્ઞાનને વિકાસવા માટે મથે છે. એટલે કે વિજ્ઞાનનો વિકાસ કરે છે. બંનેના વિકાસમાં ટેક્નોલોજીની જરુર પડે છે. ભારતીય તત્વવેત્તાઓ (શારીરિક) સુખ સગવડની ટેક્નોલોજીને અવિદ્યા કહે છે. અને વિજ્ઞાનની ટેક્નોલોજીને વિદ્યા છે.

સુખ સગવડની અવિદ્યા એ અનિત્ય છે. એટલે કે અધૃવં છે. કારણ કે કોઈ એક ટેક્નોલોજીના એક રુપ (વર્સન) હોય અને તે પછી તેની ઉપર તેની પછીનું રુપ આવે એટલે પહેલું રુપ ભંગારમાં જાય છે. જેમકે મોબાઈલ ટેલીફોનનું એક રુપ પછી નવી સુવિધાઓ વાળો મોબાઈલ ટેલીફોન આવે એટલે જુનો ટેલીફોન જે કરોડોની સંખ્યામાં હોય તો પણ તે ભંગારમાં જાય. પણ આજ ઉપકરણો જ્યારે વિજ્ઞાનમાં વપરાતા હોય ત્યારે તેની સંખ્યા કરોડોને બદલે હજારોમાં હોય અને તે વિદ્યાર્થીઓને વિકાસના એક પગથીયાની સમજણ માટે કામ લાગે. એટલે તે જુનો  ટેલીફોન નષ્ટ થતો નથી.

એટલે ભારતીય તત્વ વેત્તાઓ એમ કહે છે કે  જેઓ ધૃવ વિદ્યાને છોડીને અધૃવ એવી અવિદ્યાની પ્રત્યે આસક્તિ રાખે છે તેઓ એ ધૃવને સ્વિકાર્યું જ નથી તેથી તે તો તેમને માટે નષ્ટ થયેલું જ છે અને જે અધૃવ છે તે તો વહેલું મોડું નષ્ટ થવાનું જ છે માટે તેને નાશ પામેલું જ ગણો.

જો તમે ટેક્નોલોજીનો (વિદ્યાનો) ત્યાગ કરો તો વિજ્ઞાનનો વિકાસ ન થઈ શકે. કારણ કે જાતજાતના ઉપકરણો ટેક્નોલોજી દ્વારા જ મળે. ગણિત શાસ્ત્રની ગણત્રીઓ પણ ઉપકરણોથી થાય છે. અને સંશોધનો પણ ઉપકરણોથી થાય છે.

મહાત્મા ગાંધીજી કહે છે, ટેક્નોલોજીને માનવીય બનાવો. માણસ ટેક્નોલોજીનો ગુલામ ન થવો જોઇએ. ટેક્નોલોજી માણસને માણસથી વિમુખ ન કરે. ટેક્નોલોજી માણસોમાં ભેદભાવ ઉભા ન કરે. ટેક્નોલોજી માનવ સમાજમાં વિસંવાદ અને ઘર્ષણો ઉભા ન કરે. ટેક્નોલોજી માણસમાં એવી અસમાનતા ઉભી ન કરે કે  જેથી માણસ માણસ વચ્ચે અસંવાદ, ઈર્ષા, અસંતોષ અને અન્યાયની ભાવના ઉત્પન્ન થાય.

આપણા હાથની પાંચે આંગળી સાવ સરખી નથી. તેઓ વચ્ચે વિસંવાદ નથી. તેઓ ભેગા મળીને કામ કરી શકે છે અને અલગ અલગ પણ જુદા જુદા કામો કરે છે. મનુષ્ય સામાજીક પ્રાણી છે અને તેથી દરેક મનુષ્ય સમાજની એક આંગળી છે કે અંગ છે. સમાજશાસ્ત્રમાં થી જ્યારે અહંકાર, રાક્ષસી વૃત્તિ અને કહેવાતી “સ્વ”ની સ્વતંત્રતા ની ઉપર ભૌતિકશાસ્ત્રની પરિભાષા હામી થશે, ત્યારે સર્વોદયનીવાત સમજાશે અને અમલમાં મુકાશે.

કેટલાક સમાજશાસ્ત્રીઓ કહે છે કે જે સમાજ સ્થિર હોય છે અને પરિવર્તન કરતો નથી તે સમાજ નષ્ટ પામે છે. આ લોકોની તારવણી એ છે કે જો સમાજ એકધારી સુવિધાઓથી જીવે તો તે નષ્ટ પામે છે. આ તારવણી ખોટી છે. મૂળ સિદ્ધાંત સામે ધારોકે વાંધો ન લઈએ, તો પણ સમાજમાં રહેલું જ્ઞાન, વૈજ્ઞાનિક આવિષ્કારોને લીધે સતત વૃદ્ધિશીલ હોય છે. તેથી સમાજ ને સ્થિર કહી શકાશે નહીં. વળી ટેક્નોલોજીનો સમાજ માટેનો ઉપયોગ સાર્વત્રિક રખાશે જેથી અસમાનતા, શોષણ, અસંતોષ, અન્યાય, વિસંવાદ વિગેરે જેવા દુષણો ઉત્પન્ન ન થાય.

ઈશ્વર શું છે? ઈશ્વરનો હેતુ શો છે?

ઈશ્વર એ વિશ્વ છે. જે સજીવ છે. પણ આપણું વિશ્વ એ એક માત્ર વિશ્વ નથી. આપણું વિશ્વ પ્લેંકના અચળની કોઈ એક મુલ્ય વડે બનેલું છે. તેના આધારે મૂળભૂત કણો, પરમાણુઓ, અણુઓ, આકાશ ગંગાઓ, નિહારિકાઓ, સૂર્યો, પૃથ્વીઓ, વિગેરેની રચનાઓ આપણે જે જોઇએ છે તેવી થઈ છે. આપણા સૂર્યમંડળમાં આપણી પૃથ્વીના વિશિષ્ઠ સ્થાનને કારણે આવું સંકીર્ણ જીવન પાંગરી શક્યું છે. પણ આપણે જાણતા નથી કે સંકીર્ણ જીવન આવી જ સ્થિતિમાં થઈ શકે છે કે બીજી પણ કોઈ એક નિશ્ચિત સ્થિતિમાં પણ થાય?

પ્લેંકના આ અચળની કિંમત શૂન્યથી અનંત હોઈ શકે. તેને અનુરુપ બીજા અનેક વિશ્વો હોઈ શકે. આપણા જેવા પણ અનેક વિશ્વો હોઈ શકે. આ બધા વિશ્વોનો સમૂહ એટલે ઈશ્વર. ક્યાં ક ને ક્યાંક તે પોતાના સુવિકસિત વિશ્વો થકી સર્વજ્ઞ છે. તે સર્વ શક્તિમાન નથી. આપણા ભારતીય તત્વવેત્તાઓ પણ આજ વાત કહે છે. પ્રતિકાત્મક વાતો આવે છે કે કોઈ એક રાક્ષસ તપ-યોગ કરે અને ઈશ્વર પ્રસન્ન થાય. વરદાન માગવાનું કહે. અને રાક્ષસ કહે “હું કોઇ થી મરું નહીં”. ત્યારે ઈશ્વર એમ કહે કે “ના એ શક્ય નથી”. હવે જો ઈશ્વર સર્વ શક્તિમાન હોય તો આવું શું કામ કહે?

મનુષ્ય ને સર્વજ્ઞ થતાં કેટલી વાર લાગશે? મનુષ્ય સમાજ ની ઉત્પત્તિ જો ત્રણ લાખ વર્ષ પહેલાં થઈ એમ ગણીએ, અને જે અવશેષો મળ્યા છે તે ના આધારે વિકાસ ગણીએ અને વિકાસનો વેગ અને પ્રવેગ અને પ્રપ્રવેગ ગણીએ તો સર્વજ્ઞ થવામાં હજી બીજા ૨૦લાખ વર્ષ થશે. આ દરમ્યાન કોઈ ભારત પાકિસ્તાનમાં હતા, છે અને કદાચ થાય તેવા શાસકો ન આવે અને “સ્વ” ના વિકાસને બદલે સમાજનો વિકાસ માનવીયતાના સંદર્ભમાં કરશે તો જ આ આગાહી સાચી પડે. આ આગાહી “મીશીઓ કાકુ”એ કરી છે. આ સર્વજ્ઞતા પણ આપણા પ્લેન્કના અચળનું જે મૂલ્ય છે તે જ મૂલ્યવાળા વિશ્વો પૂરતી જ લાગુ પડશે. આ અચળના બીજા મૂલ્યો વાળા વિશ્વોને આપણે ક્યારેય પામી શકીશું નહીં. કદાચ ગણિતના સૂત્રો દ્વારા સમજી શકીએ. જે ઇશ્વર છે તે સર્વ વિશ્વોનો સમૂહ છે એટલે કે અતિબૃહદ બ્રહ્માણ્ડ છે, તેને તો ક્યારેય આ શરીરથી સમજી શકીશું નહીં કે પામી શકીશું નહીં. એટલે જ કદાચ પુષ્પદંતે શિવ મહિમ્ન સ્ત્રોત્રમાં કહ્યું છે કે જો જ્ઞાનની દેવી સરસ્વતી પણ જો સદાકાળ માટે તારા મહિમા વિષે લખ્યા કરે તો પણ તે તેને પાર ન પામી શકે (લિખતિ યદિ ગૃહિત્વા શારદા સર્વકાલં, તદપિ તવ ગુણાનાં ઈશ પારં ન યાતિ).  

સામાજીક વિકાસ કોને કહેવો?

મનુષ્યની અંદર રહેલું જ્ઞાન તેના શરીર સાથે નષ્ટ થાય છે. તે તેના વંશજોમાં ઉતરતું નથી. પણ સમાજ પણ એક એવો જીવ છે જે તેનામાં રહેલા જ્ઞાનને જીવતું રાખે છે. અને આરીતે સામાજના જ્ઞાનનો વિકાસ થાય છે. સંવેદન શીલતાની સમજ અને તેમાં થતી વૃદ્ધિ એ સમાજનો માનસિક વિકાસ સૂચવે છે.

મનુષ્ય સમાજનો વિકાસ પડતો આખડતો એટલે કે શેરબજારના શેરના ભાવોની જેમ વધે છે. કોઈ કંપની ગોટાળા કરે અને તેનું ઉઠમણું થઈ જાય તેમ કોઈ પૃથ્વીનો વિકસિત સમાજ વૈશ્વિક મૂલ્યોને સમજે નહીં તો તેનો વિનાશ પણ થાય. પણ ઈશ્વરને તેની કોઈ ચિંતા નથી. કારણ કે શક્યતાના સિદ્ધાંત પ્રમાણે બધા જ સુવિકસિત સમાજમાં રાક્ષસી તત્વો બધી જ પૃથ્વીઓ ઉપર હામી ન થઈ શકે.

જો ઈશ્વરને સુવિકસિત સમાજના ભલાની પડી નહોય એટલે કે આ ઈશ્વર નિર્ગુણ હોય, સુખ દુઃખથી રહિત હોય, તો બધા તેને દયાળુ અને કલ્યાણકારી કેમ કહે છે?

આ ઈશ્વરે ૧૧+૧૧+૪=૨૬ પરિમાણો આયામો સર્જ્યા, પરમ તત્વ સર્જ્યું, તેના ગુણ, બળ, પરિબળો વિગેરે નિપજાવ્યાં. પછી તેમના ભરોસે છોડી દીધા જેથી શક્યતાના સિદ્ધાંતે અને યોગ્યતાના આધારે વિકસિત સમાજ/જો બન્યા કે જેઓ પોતાનું ભલું બુરું સમજી શકે. તેઓ સુવિકસિત થઈ શકે. જેઓ વૈશ્વિક સંવેદનાને સમજે તો અતિવિકસિત થઈને પરમવિકસિત થઈ શકે. મનુષ્ય સમાજ કાળક્રમે જ્ઞાન દ્વારા વધુને વધુ આનંદ તરફ જઈ શકે. જો માણસ સ્વહિત વિષે જ વિચારે તો તે રાક્ષસી વૃત્તિ કહેવાય. રાક્ષસી વૃત્તિઅનો અભાવ એજ કલ્યાણ કારી છે. મનુષ્ય સમાજ માટે આજ વાત કલ્યાણ કારી છે તેમ દરેક મનુષ્યે સમજવું જોઇએ.

શું ઈશ્વર ભોળો છે?

ઈશ્વરે કર્મફળ સર્જ્યા છે. તે દરેકને વ્યક્તિગત કૃત્ય/કૃત્યો અને સામૂહિક કૃત્ય/કૃત્યો અસર/અસરોના પરિણામ તરીકે ભોગવા પડે છે. વ્યક્તિગત કૃત્યો માટે આનો સ્વિકાર સમાજ (સરકાર) દ્વારા પણ થયો છે. એટલે જ બંધારણ અને કાયદાઓ ઘડાયા, સજાઓ નક્કી થઈ અને વ્યવસ્થાઓ ગોઠવાઈ. અગ્નિ, અગ્નિનું કામ કરશે. વર્ષા, વરસવાનું કામ કરશે. રાક્ષસ જો અગ્નિ પર પોતાની ચા કરશે, તો તે ચા પણ બનશે. સમાજે જંગલ બનાવ્યું હશે તો ત્યાં વધુ વરસાદ પડશે, વચ્ચે ક્યાંક રાક્ષસનું ઘર હશે તો ત્યાં પણ વરસાદ પડશે. જે વિદ્યાનો નો અભ્યાસ કરશે તે વિદ્યાવાન થશે. ઈશ્વર ભેદ કરશે નહીં. ઈશ્વર કહે છે કે હું તો આવો છું. તમારે મને ભોળો ગણવો હોય તો ગણો. તમારે મને જેવો ગણવો હોય તેવો ગણો. તમારે મને પૂજવો હોય તો પૂજો. તમારે મને ન પૂજવો હોય તો ન પૂજો. મને કોઈ ફેર પડતો નથી. હું તમને પણ એ બાબત થકી કોઈ ફેર પાડીશ નહીં. તમારા કર્મોના ફળો  તો મારા નિયમોને આધિન રહેશે.

શિવ (રુદ્ર) એ સ્વયં મહેશ છે છતાં ભિક્ષાટન કરે છે. એવી કલ્પના શા માટે છે?

જુના જમાનામાં અગ્નિને દરેક ઘરમાં પ્રજ્વલિત રાખવામાં આવતો હતો. અગ્નિને તુષ્ટ કરવા ઘી કે કાષ્ટ આપવા પડે. એટલે એવી કવિકલ્પના થઈ કે ઈશ્વર ભિક્ષાટન કરે છે. યજ્ઞના અગ્નિને (રુદ્રને) શાંત કરવા પાણીનો અભિષેક કરવામાં આવે છે. શિવ લિંગ એ જ્યોતિર્‌ લિંગ છે. અને તેના ઉપર જળાભિષેક કરવો એવી પ્રણાલી સ્થાપિત થઈ. પણ ગૃહ્યાગ્નિને તો ઘી જ અપાય. જે અગ્નિનું આહવાન થયું છે તેને ખાદ્ય પ્રવાહીઓ અપાય. પણ અંતે તેની વિદાય વખતે પાણીથી શાંત કરવાનો હોય છે.

શિવે દક્ષપ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો તે શું છે?

વેદોના સમયમાં પ્રાકૃતિક શક્તિઓને આહુતિ આપવામાં આવતી. દરેક પ્રાકૃતિક શક્તિની પાછળ એક દેવ સમજવામાં આવતો, તે અદૃષ્ટ રહેતો. દૃષ્ટ અને અદૃષ્ટ વચ્ચેનો આ વિસંવાદ હતો. જેમકે કૃષ્ણે કહ્યું “ગોવર્ધન તો દેખાય છે, ઈન્દ્ર તો દેખાતો નથી. ઈન્દ્રને શા માટે પૂજવો? ગોવર્ધનને પૂજો.” દક્ષ પ્રજાપતિની વાત કૃષ્ણથી ઉંધી હતી. કે કદાચ અગ્નિ પૂજકો અને સૂર્ય પૂજકો વચ્ચેનો એક રાજાનો ભ્રમ હતો એવું લાગે છે.  

પૂર્વ જન્મ અને પુનર્જન્મ શું છે?

વેદોમાં પૂર્વ જન્મ અને પુનર્જન્મ વિષે કશું લખ્યું નથી. પણ ગીતામાં આ સ્વિકારાયું છે. પણ આત્મા તો નિર્વિકારી છે. દરેક પદાર્થ પ્રાણ તત્વનો બનેલો છે. કહેવાતા સજીવો કેવીરીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોયું. શંકરાચાર્ય કહે છે, મૃતદેહ બળી જાય છે. પ્રાણ આકાશમાં જાય. વૃષ્ટિ થાય અને તે વૃષ્ટિ મારફતે વનસ્પતિમાં જાય અને અન્ન રુપે વિર્યમાં જાય અને પુનર્જન્મ થાય. પણ આ વાત માં શક્યતા તો સિદ્ધાંત લાગુ પડે છે. અને શક્યતા શૂન્ય બરાબર છે. કારણકે વરસાદના બિન્દુંમાં અગણિત અણુઓ છે અને તેમાં કોઈ એક અણુમાં મૃતમનુષ્યનું બ્રહ્મરંધ્રનું કણ હોય. આ કણ વનસ્પતિમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વનસ્પતિમાં ગયું તો તે વનસ્પતિ ખાદ્ય હોય અને ન પણ હોય. હવે આ કણ વનસ્પતિના કોઈ પણ હિસ્સામાં જાય અને ન પણ જાય. ધારોકે તે કણ બીજમાં ગયું તો પછી તેને કોઈ પણ ખાય. માણસના ભાગે આવે કે ન પણ આવે. ધારોકે તે માણસના ભાગે આવ્યું તો તે વિર્યમાં જાય અને ન પણ જાય. ધારો કે તે વિર્યમાં ગયું તો તેવા તો દરેક ટીપામાં દશ લાખ શુક્રાણુઓ હોય છે. તેનો નંબર ન પણ લાગે. એટલે કે પુનર્જન્મની વાત શૂન્ય બરાબર જ ગણાય. પૂર્વ જન્મ વિષે પણ તેવું જ સમજવું. પૂર્વ જન્મ અને પુનર્જન્મ એક હકારાત્મક અભિગમ કે વીશફુલ વિચાર તરીકે રાખવામાં આવ્યો હશે. તર્કથી તે સિદ્ધ કરી શકાતો નથી.

ભૂત પ્રેત શું હોય છે?

ભૂત એટલે મૃતાત્મા જેવું કશું હોતું નથી. આત્મા અમર છે અને તે મૂળભૂત રીતે તો પ્રાથમિક રીતે એક સુપરસ્ટ્રીંગ છે. જે સમુહમાં એક પરમાણુ, અણુ, સંકીર્ણ અણુમાં હોય છે. શરીરનું વિઘટન થઈ ગયા પછી તે ઉપરોક્ત માંથી કયા સ્વરુપમાં હશે, તે કહી શકાય નહીં. તે કોઈ ચમત્કારો ન કરી શકે. શૂન્યમાં થી તે સર્જન ન કરી શકે, કે તે એનાથી ઉલ્ટું પણ ન કરી શકે.

પ્રેત એ વાસ્તવમાં જુના સમયમાં જંગલમાં વસતા માંસ ભક્ષી લોકો હશે. શિવની સાથે આ લોકોની કલ્પના કરવા પાછળ અધાર એ છે કે અગ્નિ એ શિવનું નામરુપ છે અને મૃતદેહ, અગ્નિને અર્પીને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

 સ્વપ્ન શું છે અને સ્વપ્ન કોઈ બનાવની આગાહી કરે છે?

સ્વપ્ન એ દિવસ દરમ્યાન કરેલા અનુભવો અને વિચારોનું જે સ્મૃતિમાં સચવાયું છે તે રી-કૉલ થાય છે. એટલે કે આ એક જાતના વિચાર જ છે. તેને ભવિષ્યની આગાહી સાથે કશો સંબંધ નથી.

માણસનું ભવિષ્ય ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પણ આ પરિબળોની સંખ્યા અબજોની છે. તે પરિબળો અને તેની માત્રા આપણે જાણતા નથી તેથી ભવિષ્ય નિશ્ચિત છે છતાં તેની ભવિષ્યવાણી ન થઈ શકે.

જો કે સમય, અવકાશ અને વિશ્વ એ સૌ બહુ સંકીર્ણ અને જટીલ છે છે. ૧૧+૧૧+૪=૨૨ પરિમાણોવાળા વિશ્વ અને તેના કણો સમજી શકાય તેવા નથી. એક જ કણ એક જ સાથે એક જ સમયે અનેક સ્થળે હોઈ શકે છે. વિશ્વના દરેક બિન્દુઓ વિશ્વના કોઈ એક બિન્દુથી શૂન્ય અંતરે છે. સમય વહેતો નથી પણ તેના પડ છે. સમયમાં ઉંધી ગતિ કરી શકાય છે. પણ તેમાં ભાગ લઈ શકાતો નથી. આપણે અનેક જગ્યાએ જીવતા હોઇએ તેવું બની શકે. આપણી અને આપણા વિશ્વની પ્રતિકૃતિ હોઈ શકે.

એટલે શંકરાચાર્ય કહે છે કે જે અનુભવાય (પ્રત્યક્ષ) તે પ્રમાણ સત્ય છે. પણ અનુભવ તો સાધનો (ઉપકરણો અને અંગો) ઉપર આધાર રાખે છે.

માનવ સમાજે કયે રસ્તે જવું?

માણસે સમજવું જોઇએ કે તે સમાજની ઉન્નતિ માટે છે. સાથે સાથે બીજાને નુકશાન કર્યાવગર આનંદ મેળવવા માટે છે.

શિરીષ એમ દવે

Read Full Post »

%d bloggers like this: