Feeds:
Posts
Comments

Posts Tagged ‘વ્યવસાય’

“કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા

હાજીવાત તોઅનુચ્છેદ ૩૭૦ અને અને ૩૫એને મોદી સરકાર દ્વારા રદ કરવાની વાત છે.

જો કે આમાં કંઈ નવું નથી. દેશનો વાચાળ વર્ગ ત્રણ ચાર ભાગમાં વહેંચાઈ ગયો છે. દેશની જનતા ખુશ છે. સરકારી તંત્ર દ્વારા પ્રકાશિત થતી માહિતિઓને બનાવટી કહેવું શક્ય નથી. કાશ્મિરમાં શાંતિ તો દેખાય છે તે એક તથ્ય છે.

OTHER SIDE OF THECOIN

“(આમને પૂછો કે આમના જેવાને પૂછો કે આર્ટીકલ ૩૭૦/૩૫એ રાખવા કે નહીં.)” મૂર્ધન્યાઃ ઉચુઃ

હવે શાંતિને કેવી રીતે જોવી તે ઉપર રાજકીય નેતાગણ અને તેમના પળીતા સમાચાર માધ્યમો પોતાના એજન્ડાને અનુરુપ વિશ્લેષણ કરવા માથાફોડ કરી રહ્યા છે. તેમનો અધિકાર છે. પણ તે કેટલો શ્રેય છે તેની ચર્ચા કરવી પણ આવશ્યક છે.

હકીકત (ખરાઈ, ખરું), સત્ય અને શ્રેયઃ

હકીકત, સત્ય અને શ્રેય ત્રણેયના અર્થમાં ફેર છે. તેની સીમારેખા ધુંધળી હોઈ શકે છે. પણ તે સીમા રેખા ધુંધળી પણ હોઇ શકે છે. હકીકતને અવગણી શકાય છે. જો સત્યમાં શ્રેય હોય તો તેને પણ અવગણી શકાય છે, પણ તેમાં તમે કેવો માર્ગ અપનાવો છો તેની ઉપર નિર્ભર છે.

 કાશ્મિરમાં હકીકત શું છે?

કાશ્મિરમાં હકીકતમાં શાંતિ છે. શાંતિ શા માટે છે? કારણ કે સીમાપારથી ઘુસેલા આતંકવાદીઓ અને તેમના અહીંના પેઈડ મળતીયાઓ, દુકાનદારોને ધમકી આપી રહ્યા છે કે જો તમે દુકાનો ખોલશો તો મોતને ઘાટ ઉતરશો. આતંકવાદીઓનુ જોર ઓછું થયું છે. પણ તેમનું જોર નષ્ટ થયું નથી. સુરક્ષા દળોનુંઓલ આઉટઅભિયાન ચાલુ છે. અભિયાન આવતા પાંચ વર્ષોમાં પુરું થશે તેમાં શક નથી. હવે જમ્મુકાશ્મિર રાજ્યમાં ભારતીય બંધારણના ફોજદારી કાયદાઓ લાગુ પડશે, એટલે દેખીતી રીતે કાશ્મિરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે.

પણ સુધરતી પરિસ્થિતિ, કાશ્મિરની અંદર અને કાશ્મિર બહારની અમુક ટોળકીઓને પસંદ નથી. કારણકે કાશ્મિરમાં જો શાંતિ સ્થપાઈ જાય તો તેમની રાજકીય અને આર્થિક સ્થિતિને પારાવાર નુકશાન થાય છે.

કાશ્મિરની પરિસ્થિતિ એક શસ્ત્રઃ

કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ વાત સુપેરે જાણે છે કે પરિસ્થિતિ સુધરી રહી છે. તેથી તેઓ આંધળા થઈને નરેન્દ્ર મોદીની સરકારનો દરેક મુદ્દે વિરોધ કરે છે. અને તેમાં કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ પાસેકાશ્મિરની સ્થિતિભારતીય જનતાને અસમંજસમાં મુકવા માટેનું સૌથી મોટું અસરકારક શસ્ત્ર હતું. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ટોળકીના શસ્ત્ર ઉપર નરેન્દ્ર મોદીની સરકારે મોટો મિસાઈલ પ્રહાર કર્યો છે.

કોંગીઓનો અનુભવઃ

કોંગીઓને અને તેમની સહાયક ટોળકીઓને આમ જનતાને ગુમરાહ કરવાનો કમસે કમ દાયકાઓનો અનુભવ છે. સરકારી શસ્ત્રોથી ટોળકીઓ હવે અફવાઓ ફેલાવી શકે તેમ નથી. પણ મોટા ભાગના સમાચાર માધ્યમો ઉપર તેમનો કબજો છે, તેથી અને તેમજ વળી કેટલાક મૂર્ધન્યો, કટારીયાઓ અને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્ર ધારકોએ તેમનું લુણ ખાધું છે. તટસ્થતાની ધૂન પણ ઘણા કટારીયાઓને માથે સવાર થઈ હોય છે. એટલે ભલે નરેન્દ્ર મોદીને સમર્થન કરીએ તો પણઅમે કંઈ નરેન્દ્ર મોદીના ભક્ત નથી પ્રદર્શિત કરવા એક ગોદો તો મોદીને પણ મારો. વિવાદાસ્પદ મુદ્દા ઉપર નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક કે વધુ ગોદા મારી લેવા જોઇએ.

દા..

નોટ બંધીઆમ તો બરાબર હતી, પણ તેને પૂરી તૈયારી કર્યા વગર લાગુ કરવા જેવી હતી.

  “જીએસટીસૈધાંતિક રીતે બરાબર છે, પણ તેનાથી લોકોને હાડમારી પડે તેનું ધ્યાન રાખવા જેવું હતું.

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એનાબુદ કર્યા સારી વાત છે. પણ કાશ્મિરની જનતાને વિશ્વાસમાં લેવા જેવી હતી. કાશ્મિરમાં અત્યારે જે શાંતિ દેખાય છે તે તો ફરેબી છે. સુરક્ષાબળોની ઉપસ્થિતિને કારણે શાંતિ છે. એટલે સાચી શાંતિ નથી. લોકશાહીને અનુરુપ શાંતિ નથી વિગેરે વિગેરે

જો કે કોંગી અને તેની સાંસ્કૃતિક ટોળકીએ તો પાકિસ્તાનનો અનેઅમુક પાશ્ચાત્ય પંડિતોના બ્રેકીંગ ઈન્ડિયાએજન્ડા વાળા સમાચાર માધ્યમોનો સહયોગ લઈદેશદ્રોહની હદ સુધી જવાનું વલણ અપનાવ્યું છે. સ્થિતિ અક્ષમ્ય છે.

તમે યાદ કરો. નરેન્દ્ર મોદી તો વર્ષથી કહેતા આવ્યા છે કે રાજકીય પક્ષોએ અને સમાચાર માધ્યમોએઅનુચ્છેદ ૩૭૦/૩૫એથી કશ્મિરને શું ફાયદો થયો તેની ચર્ચા કરવી જોઇએ. મોદીનું કહેવું તો સ્પષ્ટ છે કે અનુચ્છેદો ૩૭૦/૩૫એલોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. અનિયત કાલ સુધી તેને ચાલુ રાખી શકાય નહી.

અનુચ્છેદ ૩૭૦/૩૫એ નો વિરોધ થતો આવ્યો છે.

કાશ્મિરના મહારાજાના દેશી રાજ્યનું ભારત સાથેનું જોડાણ અન્ય 565 દેશી રાજ્યો જેવું હતું. બધાં રાજ્યોને પોતાના કાયદાઓ હતા. ભારતનું પ્રભૂત્વ સ્વિકાર્યા પછી તેમની બંધારણ સભા હોય કે હોય તેનું મહત્વ રહેતું નથી. તેનું મહત્વ રહેવું પણ જોઇએ. ઉપરાંત આપણે પણ સમજવું જોઇએ કે અનુચ્છેદોનો ઉમેરો કરવામાં લોકશાહી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. તેમજ તે લોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. તેનો ઉમેરોહંગામીશબ્દ સાથે કરવામાં આવ્યો છે, તે શું સૂચવે છે તેનું હાર્દ પણ સમજવું જોઇએ.

અનુચ્છેદોનો શો પ્રભાવ છે.

() ૧૯૪૪ થી ૧૯૫૦ સુધી પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને રાજ્યમાં મતાધિકાર નથી.

() નિરાશ્રિતોને કાશ્મિરમાં વ્યવસાય કરવાનો કે નોકરી કરવાનો કે શિક્ષણ લેવાનો હક્ક નથી,

() નિરાશ્રિતોમાં જેઓ દલિત હિન્દુ છે તેમને ફક્ત ઝાડુવાળાની નોકરી કરવાની છૂટ્ટી છે. એટલે કે તેઓ ગમે તેટલી યોગ્યતા અને માન્ય સંસ્થાઓના પ્રમાણ પત્રો ધરાવતા હોય તો પણ તેઓ વ્યવસાય કે નોકરી કરી શકતા નથી. એટલે કે તેમની ઓળખ તેમના ધર્મ અને જ્ઞાતિને આધારે કરવી ફરજીયાત છે.

() નિરાશ્રિતો ૧૯૪૪થી રહેતા હોય તો પણ તેમને અને તેમના સંતાનોને લોકશાહીના અધિકાર નથી. તેઓ કોઈ સ્થાવર મિલ્કત પણ ખરીદી શકતા નથી.

() જો નિરાશ્રિત મુસ્લિમ હોય તો તેને કાશ્મિરી નાગરિકતાના બધા અધિકાર મળે છે.

() જો કાશ્મિરી સ્ત્રી, બિનકાશ્મિરી પાકિસ્તાની મુસ્લિમ પુરુષ સાથે પણ લગ્ન કરે તો તેના બધા નાગરિક હક્ક ચાલુ રહે છે પણ જો તે બિનકાશ્મિરી હિન્દુ સાથે લગ્ન કરે તો તે પોતાના કાશ્મીરી નાગરિક હક્કો ગુમાવે છે.

Image may contain: text

ગાંધીજીએ શું કહેલ?

જમ્મુ અને કાશ્મિરનું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાઈ શકે. કારણ કે પાકિસ્તાનની પોલીસી ખૂબ ખરાબ છે. દેશી રાજ્ય સ્વતંત્ર રહે તે શક્ય નથી. આવા સંજોગોમાં તે ભારત સાથે જોડાઈ શકે.”

(ગાંધીજીના અંતિમ ત્રણ માસની રોજનીશી તા. ૧૦૧૯૪૭દિલ્હીમાં ગાંધીજીપૃષ્ઠ ૯૪. લેખિકા મનુબેન ગાંધી. નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ૧૪)

ગાંધીજીને તે વખતે શેખ અબ્દુલ્લા અને નહેરુ ઉપર વિશ્વાસ હતો. ગાંધીજીને વાતની પણ ખબર હતી કે સરદાર પટેલને શેખ અબ્દુલ્લા ઉપર જરાપણ વિશ્વાસ હતો. ગાંધીના વિશ્વાસનો નહેરુએ અને શેખ અબ્દુલ્લાએ બંનેએ ગાંધીજીના મૃત્યુ પછી ભંગ કરેલો. લિયાકત અલી પર ગાંધીજીને જરાપણ વિશ્વાસ હતો. કારણ કે લિયાકત અલી, કાશ્મિરના મહારાજાને સ્વતંત્ર રહેવા દબાણ કરતા હતા. એટલે ગાંધીજીએ ઉપરોક્ત વાત કરી હતી.

અત્યારે આપણે જોઇએ છીએ કે પાકિસ્તાન પણ સ્વતંત્ર રહી શકે તેમ નથી. ભલે જીન્નાએ ધર્મનિરપેક્ષ દેશ સ્થાપવાના સ્વપ્ન જોયાં હોય પણ જે દેશ ધર્મના નામ પર રચાયો હોય તે દેશ અનેક રીતે પાયમાલ થઈ શકે છે.  પાકિસ્તાનની લોકશાહી ખોડંગાતી ચાલે છે. આતંકવાદીઓ અને સૈન્ય ઉપર સરકારનો જરાપણ કાબુ નથી. તેની ગુપ્તચર સંસ્થા પણ સેનાના કબજામાં છે. જે મુસ્લિમોએ પાકિસ્તાનના સ્વપ્નાઓ જોયાં હતા, તેમણે સ્વાતંત્ર્યની લડતમાં કશો ભોગ આપ્યો નથી. તેઓ પોતે જ કહે છે કે “રો કે લિયા થા પાકિસ્તાન … લડકે લેંગે હિન્દુસ્તાન. પાકિસ્તાને ભારત સાથે ચાર યુદ્ધ કર્યા. ચારેય યુદ્ધમાં તે હાર્યું. છેલ્લાં ૩૫ વર્ષથી પાકિસ્તાન ભારત સામે અપ્રત્યક્ષ  યુદ્ધ  કરી રહ્યું છે. અને ભારતમાં બીજેપીનું મજબુત  શાસન આવવાથી તે હારવા ની અણી ઉપર છે.

નરેન્દ્ર મોદીએ તો ચર્ચા માટે આહવાહન આપેલ અને પણ ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાંથી.

શેખ અબ્દુલ્લાના ફરજંદ એવા ફારુખ અબ્દુલ્લાએ શું વાત કરેલ?

જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કાઢશો તો સમજી લો કે અમે પાકિસ્તાન સાથે જોડાઈ જઈશું. પૂરો સંભવ છે કે ફારુખે, શેખ અબ્દુલ્લાની મનની વાત દોહરાવી. કારણ કે આવા કારણસર શેખ અબ્દુલ્લાને જેલમાં પૂરવામાં આવેલ.

મહેબુબા મુફ્તીએ શું કહેલ કે જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરશો તો કાશ્મિરમાં બળવો થઈ જશે, તમે કાશ્મિરને ભૂલી જજો. તમને શબની ઉપર ભારતનો ત્રીરંગો પણ ઢાંકવા મળશે નહીં. આવા નેતાઓ સાથે શી મસલત થઈ શકે?

નરેન્દ્ર મોદી પૂછે છે કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી કાશ્મિરને શું ફાયદો થયો? તો ઉપરોક્ત બંને નેતાઓ કાશ્મિરમાં હિન્દુઓને થનારા અને ભારતની ભૂગોળનેકપોળ કલ્પિતથનારા નુકશાનની વાત કરે છે.

જો કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ હોવા છતાં પણ કાશ્મિરના બંને નેતાઓએ અને તેમના સહયોગીઓએ કશ્મિરના નાગરિક એવા હિન્દુઓને નુકશાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. ખૂલ્લેઆમ ૩૦૦૦+ હિન્દુઓની કતલ કરી છે. ૧૦૦૦૦+ હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટી છે. અને ૫૦૦૦૦૦+ કશ્મિરી હિન્દુઓને ઘરમાંથી હિજરત કરાવી છે. મુસ્લિમોની બહુમતિ ધરાવતા પ્રદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી છે અને તેમને પીડવામાં કશું બાકી રાખ્યું નથી. આવા અત્યાચારો તેમની હાજરીમાં અને તેમના સત્તાના સમયમાં થયા હોવા છતાં તેમને તેનો અફસોસ નથી અને જવાબદારી નથી. આવા અતિ નિમ્ન કક્ષાના નેતાઓ પાસેથી તમે તર્ક્યુક્ત ચર્ચાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? હિન્દુઓ ઉપર થયેલા કત્લેઆમ વિષે જેટલા મુસ્લિમ નેતાઓ જવાબદાર છે તેટલા કોંગીના નેતાઓ પણ જવાબદાર છે.

સરવાળે ફલિત થાય છે કે

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કારણેઃ

અમારા રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને અમે ધર્મથી ઓળખીએ છીએ, અને અમે બિનમુસ્લિમોને સમાન નાગરિક અધિકાર આપતા નથી અને મતાધિકાર પણ આપતા નથી,

બિનમુસ્લિમ નિરાશ્રીતોને અમે નોકરી અને વ્યવસાય ના હક્ક આપતા નથી,

અમે જ્ઞાતિવાદમાં માનતા નથી. હિન્દુઓના જ્ઞાતિવાદની અમે ભર્ત્સના કરીએ છીએ. તો પણ અમે તો તેમને તેમના દલિતોને જ્ઞાતિને આધારે ઓળખીશું.

બિનમુસ્લિમ નિરાશ્રિતોને અમે સ્થાવર સંપત્તિનો હક્ક આપતા નથી,

કશ્મિરી મહિલાઓને અમે સમાન નાગરિક અધિકાર આપતા નથી,

હાઅમે કંઈ જેવા તેવા નથી. અમે કશ્મિરીયતમા માનીએ છીએ, અમે લોકશાહીમાં માનીએ છીએ અમે માનવાતામાં માનીએ છીએ. કારણ કે અમે ધર્મનિરપેક્ષ અને જનતંત્ર વાદી છીએ.

આવો વદતઃ વ્યાઘાત તમને ક્યાં જોવા મળશે?

આજ નેતાઓ તેમની કોંગીઓ સાથેની મિલી ભગતથી, કશ્મિરના વિભાજનવાદી નેતાઓને ભારતની જનતાએ ભરેલા કરવેરા દ્વારા સરકારે કરેલી કમાણીમાંથી બાદશાહી સગવડો અને સુરક્ષા આપે છે. તેઓ સૌ તાગડધિન્ના કરે છે. (જોકે મોદીકાકાએ કેટલીક સગવડો બંધ કરી છે).  મુસ્લિમ નેતાઓને આવી મફતની અને દેશને નુકશાન કરવાની સગવડો ભોગવામાં છોછ હોય. પણ કોંગીઓને પણ જરાપણ લજ્જા કે શરમ નથી.

 સુરક્ષાદળ જો પત્થરબાજને જીપ ઉપર બાંધી પોતાની સુરક્ષા કરે તો મુફ્તી, ફારુખ, ઓમર, અને કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડે છે. પણ કાશ્મિરમાં ૧૯૭૯૮૦માં આતંકવાદીઓએ ત્યાંના સ્થાનિક મુસ્લિમો અને નેતાઓના સહયોગથી હજારો હિન્દુઓની કત્લેઆમ કરેલી. બાકીનાઓને બેઘર કરી દશકાઓ સુધી નિરાશ્રિત બનાવ્યા.  તેમના પેટનું પાણી પણ હાલતું નથી.

કોંગી અને તેના સાંસ્કૃતિક સહયોગીઓની લોકશાહીની પરિભાષાઃ

આજ કોંગ્રેસીઓ જ્યારે કાશ્મિરમાં સાચા અર્થમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના થાય છે ત્યારે દેકારા પડકારા સાથે કૂદંકૂદા કરે છે.   કોંગીઓનું વલણ તેમના સાથીઓની જેમ દંભી, કોમવાદી અને લોકશાહી મૂલ્યોથી વિરોધી દિશામાં છે. કોંગીને ૧૦૦+ વર્ષ જુનો પક્ષ કહેવો તે મૂળ કોંગ્રેસીઓએ આપેલ ત્યાગ અને બલિદાનોનું અપમાન છે. જો મૂર્ધન્યો બીજું કશું ન કરે પણ જો તેઓ આ કોંગીઓના પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ન માને અને ન મનાવે તો તેમનું વાર્ધક્ય ઉજળું રહેશે. નહીં તો તેમના ધોળામાં ધૂળ જ પડશે.

મૂર્ધન્યો સમજવા માગતા હોય તો સમજેઃ

જો કોઈ એક પ્રદેશ, દેશનો એક હિસ્સો હોય, અને ત્યાં કોઈ પણ કારણસર લોકશાહી મૂલ્યોની રક્ષા થતી હોય, તો કેન્દ્ર સરકારની ફરજ છે કે ત્યાં લોકશાહીની સ્થાપના થાય. બાબતમાં જેઓ સ્થાનિક લોકોને કેમ પૂછ્યું એવો જે મુદ્દો ઉઠાવે છે તે અસ્થાને છે. સ્થાનિક લોકોને શું પૂછવાનું છે?

જે વખતે દેશી રાજ્યનું જોડણ થયું હતું, તે વખતે જે કંઈ પ્રક્રિયા બીજા દેશી રાજ્યો સાથે અપનાવેલી તેવી પ્રક્રિયા દેશી રાજ્ય પરત્વે અપનાવેલી. જે કંઈ ખોટું થયું તે શેખ અબ્દુલ્લા અને નહેરુને કારણે થયું, અને તે પણ લોકશાહી પ્રક્રિયા અપનાવ્યા વગર થયું, ગાંધીજી અને વલ્લભભાઈના મૃત્યુ પછી થયું.

તમે યાદ કરો. શું રાજાના સાલિયાણાં અને વિશેષ અધિકારો રાજાઓ સાથે ચર્ચા કરી નાબુદ થયેલા? રાજાઓ સાથે તો સહમતિ-કરારનામું પણ થયેલ. તો પણ તે રાષ્ટ્રપતિના અધ્યાદેશ દ્વારા તાત્કાલિક અસરથી લાગુ પાડેલ. અહીં તો આવું કશું કરારનામું અસ્તિત્વ ધરાવતું પણ નથી. ભારતની સંસદ, લોકશાહીમાં સર્વોચ્ચ છે. સંસદને પણ માનવ અધિકારોનું હનન કરવાની સત્તા નથી. વાતની, કટોકટીફેમ અને શાહબાનોફેમ કોંગીને ખબર હોય કે તેના સંસ્કારમાં ન હોય તે સમજી શકાય તેમ છે. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો તેને સમજી શકે તે વિધિની વક્રતા છે, કે ભારતીય સમાચાર માધ્યમોના અમુક મૂર્ધન્યો સાંસ્કૃતિક ગુલામી થી મૂક્ત થયા નથી. તેથી તેઓ બીબીસી, ન્યુ યોર્ક ટાઇમ્સમાં જે સમાચારો કે લેખો આવે તેને બ્રહ્મ સત્ય માને છે. આને પણ વિધિની વક્રતા કહેવાયને.

હા જી, કોંગીઓ અને તેના પ્રચ્છન્નઅપ્રચ્છન્ન સહયોગીઓ ઘણા ગતકડાં ઉત્પન્ન કરશે અને તેને ટ્રોલ (ચગાવશે) કરશે.

“જીડીપી વર્ષને તળીયે છે, અર્થતંત્ર પાયમાલ થયું છે”વદ્યા મૌની બાબા એમએમએસ. તેમને તો એ રાજા ઓ પેદા કરવા છે,

સુખાકારી ઈન્ડેક્સમાં ભારત ૧૦૫ થી ૧૫૫ના નંબરે, ફીટનેસમાં ભારત પંદર અંક ડાઉન, કુપોષણમાં ભારત ૧૨૫માં નંબરે ગબડ્યું, બેરોજગારી ઉચ્ચસ્તર પર, આનંદ પ્રાપ્તિમાં વિશ્વમાં ભારત ૧૨૪મા નંબરે, જલવાયુ માં ભારત ૨૪મે નંબરે ગબડ્યું, ૨૪ લાખ કંપનીઓ બંધ થઈ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. ફક્ત ૨૪ લાખ ઘુસણખોરો પકડાયા તે પણ શંકાસ્પદ, ચિદંબરસામેના કેસમાં બીજેપી સરકારનો ફિયાસ્કો દિવસને બદલે ચાર દિવસ સીબીઆઈને પૂછપરછ કરવા માટે આપ્યા. સરકારને ૩૩ ટકા ઘાટો.

ઉપરોક્ત આંકડાઓ સાચા નથી. રમૂજ માટે લખ્યા છે. કારણ કે જનતાને આવા આંકડાઓથી કશો ફેર પડતો નથી. જનતા તો પોતાને શું થાય છે અને પોતાને શું પ્રત્યક્ષ દેખાય છે તેની સમજણ પડે છે.

શિરીષ મોહનલાલ દવે

https://www.treenetram.wordpress.com

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસના જુઠાણા ભાગ – ૧

જુઠાણાઓ ઉપર કરો આક્રમણ
આક્રમણ એજ કલ્યાણ

હાજી કોંગ્રેસના જુઠાણાઓ ઉપર કરો શાબ્દિક અને પ્રદર્શનીય આક્ર્મણ

પહેલાં સમજી લો કોંગ્રેસ એટલે કોણ?

કોંગ્રેસ એટલે ફક્ત નહેરુવીયન કોંગ્રેસ એકલી જ નહી.

કોંગ્રેસ એટલે જે પક્ષો, જે સંસ્થાઓ, જે સમાચાર માધ્યમો અને જે વ્યક્તિઓ દેશના હિતને નુકશાન થાય તે રીતે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિવેદનો આપે છે તેમને કોંગ્રેસીઓ ગણો.

દાખલા તરીકેઃ

(૧) નહેરુવીયન કોંગ્રેસ (૨) જે પક્ષોએ નહેરુવીયન કોંગ્રેસને ભૂતકાળમાં એટલે કે સરદાર પટેલે નહેરુને શિખામણો આપી અને નહેરુએ ન માનવાની શરુઆત કરી ત્યારથી, વૈચારિક રીતે કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી નહેરુની, તેના ફરજંદોની અને તેના પક્ષની સાથે જોડાણો કર્યા તે સઘળા પક્ષો. (૩) સમાચાર માધ્યમો એટલે કે ટીવી ચેનલોના અને સમાચાર પત્રો ના માલિકો, તંત્રીઓ, સંપાદકો, એંકરો, કોલમીસ્ટો (કટારીયાઓ) જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર મુદ્દાઓને ચગાવ્યા કરે છે (૪) મહાનુભાવો (સેલીબ્રીટીઓ), હોદ્દેદારો, સાહિત્યકારો, જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુદ્દાઓને ચગાવ્યા કરે છે. આ સૌને કોંગ્રેસી ગણો

આ સમજવા માટે તાજેતરમાં ચગાવેલા અને ચગાવાઈ રહેલા મુદાઓ જુઓ.

“બાહ્ય અને બિહારી”

(૧) બિહારમાં ચૂંટણી વખતે બીજેપીના નેતાઓના પ્રચારની અસરને નાબુદ કરવાના પ્રયાસ રુપે બીજેપીના જે નેતાઓ બિહારના ન હતા તેમને પ્રચાર કરતા રોકવા માટે નીતીશકુમારે તેમને “બાહરી” તરીકે ઓળખાવ્યા હતા. આ એક ઘૃણાસ્પદ, દેશ માટે વિભાજનવાદી અને નિંદનીય પ્રચાર હતો.
દેશના એક રાજ્યનો નાગરિક બીજા પ્રાંતમાં જાય તો તેનો વિરોધ કરવો અને તેવો પ્રચાર કરવો તે, દેશની એકતા માટે ઘાતક છે.

દેશની એકતા ઉપર આઘાત પહોચાડનારનું બહુમાન કરવું કે તેની ટીકા ન કરવી તે કૃત્ય પણ દેશ દ્રોહની કક્ષામાં જ આવે. સમાચાર માધ્યમો પણ આ જ કક્ષામાં આવ્યા છે.

જો એક રાજ્યના નાગરિકના વાણી સ્વાતંત્ર્ય હક્કને બીજા રાજ્યમાં નકારવામાં આવે કે તે માટે જનતાને ઉશ્કેરવામાં અને એવો પ્રચાર કરવામાં આવે તો તેમાંથી ઘણું અભિપ્રેત થાય છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યના હિતનો વિરોધી છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં કોઈ અધિકાર ધરાવતો નથી.

એક રાજ્યના નાગરિકનું જો બીજા રાજ્યમાં બોલવાનું પણ જો આવકાર્ય ન હોય એવો પ્રચાર કરવામાં આવે તો તેનો અર્થ એમજ થાય કે તે બીજા રાજ્યનો હિતૈષી નથી.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં જો બોલવાનો અધિકાર ગુમાવે તો તે આપોઆપ તે બીજા રાજ્યમાં નોકરી અને વ્યવસાયનો અધિકાર પણ ગુમાવે છે. સંદેશો આને બોધ તો આજ જાય છે.

આ જાતનો પ્રચાર, ભારતીય બંધારણને બદલાવવાનું સૂચન કર્યા વગર, કરવો તે બંધારણનું અપમાન છે. એટલું જ નહીં પણ આને અરાજકતા ફેલાવવાનો દુરાચાર જ કહેવાય.

અરાજકતા ફેલાવવી એ દેશદ્રોહ જ કહેવાય. જ્યારે કોઈ એક નેતા અને સત્તાના હોદ્દેદાર દ્વારા જો આવો અરાજકતાને ઉશ્કેરવાનો આચાર પ્રચાર કરવામાં આવે તો તેને પદચ્યૂત કરી તેની નાગરિકતા રદ કરવી જોઇએ.

એક નાગરિકને, બીજા રાજ્યમાં “બાહરી” રાજ્યનો જો ગણવામાં આવે તો તે બીજા રાજ્યમાં મિલ્કત ધરાવવાનો અધિકાર પણ ગુમાવે જ છે. એટલે કાંતો તેણે ભાડે રહેવું પડે કે તેણે હોટેલમાં રહેવું પડે. જો બોલવાનો અધિકાર પણ ન હોય તો તેને નોકરી કરવાનો અધિકાર તો હોય જ નહીં તેથી ક્વાર્ટર્સ ફાળવવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી.

એક રાજ્યના નાગરિકને બીજા રાજ્યમા ગુનો કરવાનો અધિકાર તો હોઈ જ ન શકે. તેથી તે બીજા રાજ્યમાં જઈ જાહેર કે ખાનગી મિલ્કત એટલે ફુટપાથ, રસ્તા, જાહેર જમીન વિગેરે ઉપર લારી, ગલ્લા, કે પાથરણા પાથરી દબાણ પણ ન કરી શકે. તેટલું જ નહીં તે એવી માગણી કે હક્ક પણ ન જ કરી શકે. કારણે કે તેનું બોલવું આવકાર્ય જ નથી

હવે નીતીશકુમાર જેવા નેતાઓએ મુંબઈ મહારાષ્ટ્રમાંથી ઉચાળા ભરવા જોઇએ. નીતીશ કુમારે નૈતિકરીતે બિહારની બહાર નોકરી ધંધા અને દબાણ કરતા બધા જ બિહારીઓને બિહારમાં પાછા બોલાવી લેવા જોઇએ. નીતીશકુમાર પોતે સત્તાનો હોદ્દો ધરાવે છે. તેથી કાંતો બિહારની બહાર “બાહરી ગણાતા” બિહારીઓને બિહારમાં જ રાખવા જોઇએ અથવા તો નીતીશકુમારે પોતે દેશ છોડીને જતા રહેવું જોઇએ. જો તેઓ આમ ન કરે તો તેમની ઉપર કામ ચલાવી તેમને કાળાપાણીની સજા કરવી જોઇએ.

આતંકવાદને પ્રોત્સાહન આપવાના ગુનાઇત કૃત્ય પછીનું દેશદ્રોહનું કૃત્ય, નાગરિકોમાં “બાહ્ય અને બિહારી”ના આધાર પર ત્યાજ્ય ગણવા, તે જ છે.

તમે વિચારો, જો બધા જ રાજ્યના લોકો નીતીશકુમારના આ વિઘાતકવાદી મન્તવ્યને આચરે તો દેશની શી દશા થાય? દેશ આખો જીલ્લા અને તાલુકા સુધી વિભાજિત થઈ જાય. કારણ કે એક વખત જો રાજ્ય કક્ષાએ વિભાજનવાદી મનોવૃત્તિને પ્રોત્સાહન મળે તો તે વૃત્તિને જીલ્લાસ્તરે અને તેને તે પછી તાલુકા કક્ષાએ પહોંચતા વાર ન લાગે. જો આવી રીતે ભારતીય નાગરિકોને વિભાજિત કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે તો ધર્માંધતામાં રાચતા પક્ષો અને જુથો બળવત્તર બને અંતે ધર્માંધતા અને પોતાના ધર્મને પ્રસારવાની મનોવૃત્તિ વાળા જુથો આતંકતા વાદ તરફ વળે

(૨) મુસ્લિમ લીગ એક હળાહળ અને હાડોહાડ કોમવાદી સંસ્થા છે. કોઈ પણ બીન મુસ્લિમ વ્યક્તિ મુસ્લિમ લીગનો સદસ્ય બની શકતો નથી. મુસ્લિમ લીગનો એજન્ડા એ જ છે જે સ્વતંત્રતા પૂર્વે હતો. મુસ્લિમ લીગ ભારતીય બંધારણ પ્રમાણે પણ એક કોમવાદી સંસ્થા છે. આ મુસ્લિમ લીગ નહેરુવીયન કોંગ્રેસનો સહભાગી સહયોગી પક્ષ છે. આ બધું હોવા છતાં પણ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પોતાને ધર્મનિરપેક્ષ માને છે એટલું જ નહીં પણ તેઓ બીજેપીને કોમવાદી પક્ષ માને છે. જ્યારે જ્યારે જરુર પડે અને લાગ આવે ત્યારે તેઓ કોમવાદ અને બીજેપીને એકબીજા સાથે સાંકળી બીજેપીની ભર્ત્સના કરે છે. આમ જુઓ તો બીજેપીના દ્વાર બધા જ ધર્મીઓ માટે ખૂલ્લા છે.

બીજેપીના દ્વાર બધા માટે ખૂલ્લા હોવા છતાં પણ,

બીજેપીમાં અહિન્દુઓ હોવા છતાં પણ,

તેમજ અહિન્દુઓ બીજેપી સરકારમાં હોદ્દાઓ ભોગવતા હોવા છતાં પણ,

અહિન્દુઓને જે વિશેષ લાભો મળતા ચાલુ રહ્યા હોવા છતાં પણ,

બીજેપીને જે મોટા ઉપાડે કોમવાદી પક્ષ કહેવાનું વરણાગીયાપણું કેટલાક દંભી ધર્મનિરપેક્ષીયોએ રાખ્યું છે તે “વદતઃ વ્યાઘાત” જેવું છે.

બીજેપીને કોમવાદી કહેવાનો આધાર આ વરણાગીયા દંભીઓ માટે કયો છે?
આરએસએસ અને વીએચપીવાળા બીજેપીનો પ્રચાર કરે છે એ કારણસર બીજેપીને કોમવાદી કહી શકાય? ના જી. એવું તો ન જ તારવી શકાય. કારણ કે જો આ રીતે તારવણીઓ કરીએ તો નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તો આતંકવાદી અને અસામાજિક તત્વો જ કહેવાય.

યાદ કરો:
૨૦૦૧ના અરસામાં નરેન્દ્ર મોદીએ એક જગ્યાએ ભાષણમાં કહેલ કે ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે. કારણકે બીજેપી કોમી દંગાઓને પ્રોત્સાહન આપતો નથી.

આ સમાચાર જાહેર થયા પછી સાબરમતી એક્સપ્રેસનો હિન્દુઓથી ભરેલો ડબ્બો ૨૦૦૨માં ફેબ્રુઆરીમાં ગોધરામાં મુસ્લિમો દ્વારા પૂર્વ આયોજન પૂર્વક સળગાવી દેવામાં આવ્યો અને ૫૯ મુસાફરોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ બનાવની વિષે નહેરુવીયન કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ “ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે” એવું કહીને મુસ્લિમોને દંગા કરવા ઉશ્કેર્યા હતા.

હવે સમજી લો કે આ પ્રમાણેનું મુસ્લિમોનું માનસ ઘડવા માટે કોણ જવાબદાર ગણાય? ખચિત રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસકો જ ગણાય. અને તેથી જ્યારે નહેરુવીયન કોંગ્રેસના નેતા આવી રીતે મુસ્લિમો દ્વારા પ્રાયોજિત હિન્દુ સંહારનો બચાવ કરે ત્યારે તો તેમની બેજવાબદારી સિદ્ધ થઈ જાય છે. એટલું જ નહીં નહેરુવીયન કોંગ્રેસના નેતાગણ ખુદ નરાતર કોમવાદી છે તે પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના એક વખતના મંત્રી શશી થરુર શું બોલેલા ખબર છે?

હાજી આ શશી થરુર પાકિસ્તાની ચેનલના વાર્તા-ચર્ચા આલાપમાં જે બોલેલા તે ચોંકાવનારું છે. કાશ્મિરના હિન્દુઓની જે કત્લેઆમ થયેલી અને કાશ્મિરના હિન્દુઓની તેમના ઘરમાંથી હકાલ પટ્ટી કરવામાં આવેલી તે વિષે આ શશી થરુરે કહેલ કે “આ પ્રક્રિયા આરએસએસના પ્લાન પ્રમાણે થયેલી.”

હાલમાં જ નહેરુવીયન કોંગ્રેસના એક પૂર્વ મંત્રીએ પાકિસ્તાની એક ચેનલના ચર્ચા-વાર્તાલાપમાં પાકિસ્તાનીઓને કહેલ કે “પાકિસ્તાન અને ભારત વચ્ચે ના સંબંધો સુધારવા હોય તો તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે”.

આ નહેરુવીયન કોંગ્રેસની માનસિકતા કેવી છે? પાકિસ્તાનની સરકારની પાસે આ નહેરુવીયન કોંગ્રેસના સરકારી મંત્રી, નરેન્દ્ર મોદીની સરકારને હટાવવા પાકિસ્તાનની મદદ માગે છે.

પાકિસ્તાનની આઇએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર એ બંને પાકિસ્તાનની સરકારનો હિસ્સો છે. આઈએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભારતમાં ત્રાસવાદ દ્વારા ખૂના મરકી કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ આ હકિકતથી અજાણ નથી અને નથી જ. હવે જ્યારે આ કોંગ્રેસ પાકિસ્તાનને એમ કહે કે “નરેન્દ્ર મોદીને તમે હટાવો” તો તેનો અર્થ એમ જ થાય કે તમે ભારતમાં આતંકવાદ એ હદે ફેલાવો કે ભારતની જનતા ત્રાહીમામ ત્રાહીમામ થઈ જાય અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વાતાવરણ તૈયાર થાય જેથી નરેન્દ્ર મોદીની સરકારનું પતન થાય.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની આ માનસિકતા છે. આને તમે કોમવાદી નહીં કહો તો શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના કોમવાદી માનસનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં મુસ્લિમ કોમવાદ અને પ્રત્યેક પ્રકારના આતંકવાદના મૂળ નહેરુવીયન કોંગ્રેસમાં છે. આ વિષે મોટાં પુસ્તકો લખી શકાય તેમ છે અને લખાયાં પણ છે.

૧૦૬૨માં જ્યારે ભારત ઉપર ચીને આક્રમણ કરેલ ત્યારે પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓએ ચીનની સેનાને “મૂક્તિ-સેના” તરીકે ઓળખાવી હતી. તેના સ્વાગત માટે તેઓ બેનરો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ સામ્યવાદીઓની સાથે રાજકીય ગઠબંધન નહેરુવીયન કોંગ્રેસે અનેક વાર કર્યું છે. શું આપણા દેશ ઉપર આક્રમણ કરનારી દુશ્મનની સેનાને આવકારવી એ દેશદ્રોહી કામ નથી? દુશ્મનની સેનાને આવકારનાર પક્ષની સાથે ગઠબંધન કરવું એ પણ દેશદ્રોહી કામ જ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ એ હદ સુધી અને એટલા બધા પ્રમાણમાં સામાજિક અને બંધારણીય રીતે ભ્રષ્ટ છે કે તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને તેમની ભ્રષ્ટતા નજરે પડશે. આ કારણથી તેમના ઉપર આક્રમણ કરવું સાવ જ સરળ છે.

(3) વ્યર્થ વિવાદોના જનક એટલે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ બિહારની ચૂંટણીને લક્ષમાં રાખીને અનામત અને અસહિષ્ણુતાનો મીથ્યા વિવાદ ચગાવેલો.

બિહારની ચૂંટણીમાં આ ઠગ ગઠબંધાનને સફળતા મળી છે.

06 COME ON - IT CANNOT GO WRONG EVERY TIME

અનામતના મુદ્દાને ગુજરાતના પટેલો માટે ચગાવીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમને આંશિક સફળતા મળી છે. તેથી તેઓ તેને હજુ ચગાવી રહ્યા છે. હવે તેઓ રામ મંદિરનો વિવાદ પણ ચગાવવા માટે સજ્જ થયા છે.

આ બધા જ મુદ્દાઓ ઉપર આ ઠગ મંડળ ઉપર વૈચારિક આક્રમણ કરી શકાય તેમ છે.

બીજેપી નેતાઓએ અને દેશના હિતેચ્છુઓએ આને એક ચેલેન્જ તરીકે અને દેશ પ્રત્યેની ફરજ તરીકે સમજીને પ્રત્યાઘાતો આપવા બેહદ જરુરી છે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ ઉપર પ્રહાર કરવા માટેના શસ્ત્રો માટે તમારે એતતકાલિન સમયના બનાવોને જ મદદમાં લેવા જરુરી નથી. કારણ કે નહેરુવીયન કોંગ્રેસનો જન્મ નહેરુએ વડાપ્રધાન થવા માટે મમત રાખી ત્યારથી થયો છે. તમે નહેરુવીયનોના કુકર્મોનો આધાર તે સમયથી લઈ શકો.

શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, જુઠાણા, આક્ર્મણ, કટારીયા, સમાચાર માધ્યમ, કોલમીસ્ટ, સંદર્ભ, મુદ્દા, પ્રત્યક્ષ, પરોક્ષ, બિહાર, ચૂંટણી, નાગરિક, અધિકાર, ઘૃણાસ્પદ, દેશદ્રોહ, વિભાજનવાદી, વિઘાતક, પ્રાંત, રાજ્ય, સ્વાતંત્ર્ય, નોકરી, વ્યવસાય, અરાજકતા, આતંક, હિન્દુ સંહાર, બાહરી, નીતીશકુમાર, મુસ્લિમ લીગ, કોમવાદ, દંગા, નરેન્દ્ર મોદી, મૂક્તિસેના, સ્વાગત, બીજેપી

Read Full Post »

આંદોલનપ્રિયોના આંદોલનોની નિરર્થકતા

Untitled01

જ્યારે ગાંધીજીએ આંદોલન, હડતાલ, બંધ, સવિનય કાનૂનભંગ અને અસહકારના શસ્ત્રોને ઉપયોગમાં લીધા હશે ત્યારે તેમને ખબર તો હતી જ કે આ શસ્ત્રોનો દૂરુપયોગ થશે. એટલે જ ગાંધીજીએ તેના નિયમો નક્કી કરેલા.

આંદોલન એટલે શું?

આંદોલન એટલે વિરોધ.

પણ સ્વસ્થ સમાજનો વિરોધ પણ સ્વસ્થ હોવો જોઇએ.

પણ સ્વસ્થ એટલે શું?

સ્વસ્થ એટલે પ્રગતિશીલ અને અહિંસક,

પ્રગતિશીલ એટલે શું? પ્રગતિશીલ એટલે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંવેદનશીલતામાં વૃદ્ધિ,

અહિંસક આંદોલન એટલે શું? અન્યને વાચા અને કર્મણાથી નુકશાન ન કરવું અને તેને પ્રગતિશીલતાના કર્મમાં જોડવો.

આંદોલનનો હેતુ વ્યાપક હિત માટે હોવો જોઇએ એટલે કે તેમાં સ્વાર્થ હોવો ન જોઇએ.

ધારો કે એક સમુદાયને બીજા સમુદાયથી નુકશાન થાય છે તો?

જો આમ હોય તો એમ વિચારવું પડે કે શું આમાં કાયદાનો ભંગ થાય છે કે નહીં? ધારો કે કાયદો જ એવો છે કે એક સમુદાયને જે ફાયદો થાય છે તેનું કારણ બીજા સમુદાયને થતું નુકશાન છે. જો આમ હોય તો કાયદો બદલવો જોઇએ. પણ આ તારતમ્ય સિદ્ધ કરવું જોઇએ.

દલિતોના ઉદ્ધાર માટે તેમના અલગ મતદાર મંડળ બનાવવાની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ આવેલ. મહાત્મા  ગાંધીએ તેનો વિરોધ કરેલ અને ઉપવાસ ઉપર પણ ઉતરેલ. કારણ કે આવો પ્રસ્તાવ સમાજને વિભાજિત કરે છે અને સમુદાયોની વચ્ચે ઘર્ષણ પેદા કરે છે.

છેલ્લા માણસને લક્ષમાં રાખો

ગાંધીજીએ કહેલ કે શાસન જે કંઈ નિર્ણય લે એનાથી સૌથી છેડેના માણસને કેટલો ફાયદો થશે તે પહેલાં વિચારે. નહેરુએ કરેલી અનામતની જોગવાઈનો પણ ગાંધીજીએ વિરોધ કર્યો હોત જો તે જીવતા હોત તો.

કોઈ એક વિસ્તાર લો. જો દલિતોનો સમુદાય વધુ ગરીબ હશે તો ગરીબોના જત્થામાં દલિતોની સંખ્યા વધુ હશે. બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યની જ્ઞાતિવાળા ની સંખ્યા ઓછી હશે. એટલે જે યોજના ગરીબો માટે કરશો તેમાં દલિત સમુદાયના સભ્યોને વધુ લાભ મળશે.

કુશળતા અકુશળતા અને ગરીબી

પણ સમસ્યા એ ઉભી થાય છે કે જે તે વ્યવસાય માટે યોગ્યતાના લઘુતમ ધોરણો નક્કી કર્યા છે તે યોગ્યતા વાળા દલિતો તો મળશે જ નહીં. કારણ કે તેઓ તો અભણ છે અથવા ઓછું ભણેલા છે.

એટલે સર્વ પ્રથમ તો દલિતોને અક્ષરજ્ઞાન વાળા ઉપરાંત વ્યવસાયને યોગ્ય બનાવવા પડે. એટલે જ્યાં સુધી દલિતો યોગ્ય રીતે શિક્ષિત ન થાય ત્યાં સુધી તેમની આર્થિક સ્થિતિ સુધરે નહીં અને જ્યાં સુધી આર્થિક સ્થિતિ ન સુધરે ત્યાં સુધી તેઓ સુશિક્ષિત ન થાય.

આ વાતનું નિરાકરણ એ જ કે શિક્ષણ બધી રીતે મફત કરી દો એટલે કે શિક્ષણના ઉપકરણો (પુસ્તકો, નોટો, પેનસીલ વિગેરે)  પણ શિક્ષણ સંસ્થા જ આપે. સૌને શિક્ષણ સુલભ થાય તે માટે વધુ શિક્ષણ સંસ્થાઓ ખોલો.

શિક્ષણ અને ઉદ્યોગ

શિક્ષણ મફત કરો તો પણ સમસ્યા ઉકેલાતી નથી. શિક્ષકોને આડેધડ નીમી શકતા નથી. તેમને વેતન પણ આપવું પડે છે. આનો ઉપાય શિક્ષણને ઉદ્યોગ સાથે જોડવો જ જોઇએ પછી તે યંત્ર ઉદ્યોગ હોય કે ગૃહ ઉદ્યોગ હોય. જો આવું ન કરીએ અને સીધી નોટો છાપીયે તો લોકશાહીમાં મોંઘવારી વધે.

શાસને એવું કર્યું કે શિક્ષણ સંસ્થા સાથે ઉદ્યોગોને જોડ્યા નહીં તેથી શિક્ષણ સંસ્થાઓમાં પૂરતી વૃદ્ધિ થઈ નહીં, એટલે દલિતો માટે અનામત દાખલ કરી. અને પૈસાદારોના સંતાનો માટે દાનધર્મ આપવાની જોગવાઈ રાખી. સરકારી નોકરોના વેતન સ્વાતંત્ર્યના ચાર દશકા સુધી માંડ માંડ પુરું થાય તેવા હતા. એટલે સરકારે થીગડાં મારવા ચાલુ કર્યાં. સરકાર આમાં થીગડાં મારે એ પહેલાં તો સરકારી નોકરો ભ્રષ્ટ થઈ ગયા. ઓછું કામ કરો, લાંચ રુશ્વત લો, અને સરકારી પૈસાને પણ લૂંટો. જો આ શક્ય ન હોય તો બીજા ધંધા પણ કરો. વધુલાભ મેળવવા માટે આંદોલનો કરો.

આંદોલન કરતાં પહેલાં તેની વ્યાપક જનચર્ચા કરવી જોઇએ.

શાસકની મુલાકાત માગવી જોઇએ

શાસક સાથે પણ ચર્ચા કરવી જોઇએ. શાસક સાથે થયેલી ચર્ચાને જાહેર કરવી જોઇએ,

ચર્ચા માટે હમેશા બારણાના ખુલ્લા રાખવા જોઇએ,

જો શાસકના બચાવના કારણો તર્કને અનુરૂપ ન હોય તો તે કેવીરીતે તર્કને અનુરૂપ નથી તેની જાહેર ચર્ચા થવી જોઇએ.

જો આંદોલન તર્કબદ્ધ રીતે અનિવાર્ય હોય એવું જનતાનું વલણ લાગે તો શાસકને એક આવેદન આપવું જોઇએ કે શાસક્ની આ વાત તર્કયુક્ત અને તેથી અમારા માટે આંદોલન અનિવાર્ય બન્યું છે તેથી અમે તમને ૧૫ દિવસનો સમય આપીએ છીએ. જો કે તે દરમ્યાન પણ અમે ચર્ચા માટે તૈયાર છીએ.

આંદોલન કર્તા/ઓને શાસક પ્રત્યે નિષ્ઠા હોવી જોઇએ.

આંદોલન કર્તાએ/કર્તાઓએ કડકમાં કડક સજા ભોગવા તૈયાર રહેવું જોઇએ. આ સજાનો તેને/તેઓને બળાપો હોવો ન જોઇએ અને બળાપો ન કરવો જોઇએ.

આંદોલન કરવા જરુરી છે?

અનામતના આંદોલનો, સંસદમાં ચાલતું આંદોલન અને વહીવટી અક્ષમતાને કારણે થતા આંદોલનો ની ભીતરમાં જઈશું તો જણાશે કે આ બધા આંદોલનો પ્રજા હિતને બદલે સ્વાર્થ અને અથવા રાજકીય લાભના થઈ ગયા છે.

એક તો એ કે બધાં આંદોલનો અહિંસક હોવા જોઇએ.

અનામતનું આંદોલન એટલા માટે છે કે અમુક સમુદાયો પોતાને શોષિત સમુદાય માને છે અને તેથી તેઓ દલિત-સમકક્ષ છે પણ તેઓ સામાજીક રીતે પછાત વર્ગના નથી ને પ્રવર્તમાન કાયદા હેઠળ તેમને અનામતનો લાભ મળતો નથી. તેઓ કાયદામાં ફેરફાર માગે છે.

કાયદાની સામે આમ તો સૌ સમાન છે. પણ અમુક વર્ગ ઈતિહાસની પાર્શ્વ ભૂમિકામાં સામાજીક રીતે દલિત, આર્થિક રીતે પ્રવર્તમાન કાયદા હેઠળ શોષિત અને ગરીબ છે અથવા તે વિષે વિવાદ છે. આ જ્ઞાતિ પરપ્રાંતમાં જાટ અને ગુજરાતમાં પટેલ એટલે પાટીદાર. આમ તો ખેડૂત પણ ખેડૂત એ કોઈ જ્ઞાતિ નથી. ખેડૂત એક વ્યવસાયી છે. પણ મોટેભાગે ખેડૂતોમાં મૂખ્ય જ્ઞાતિ સમુદાય પાટીદારોનો હોય છે એટલે આ પાટીદારો ને અનામતનો લાભ લેવો છે.

રાહત અને અનામત

ખેડૂતને જરુર પડે રાહત આપવી એ એક વાત છે. અને તેને અનામતનો લાભ આપવો એ બીજી વાત છે. અનામતનો લાભ એટલે નોકરીઓમાં તેમને માટે અમુક ટકા અનામત રાખવાની. શાળા મહાશાળાઓમાં  અમુક બેઠકો જે ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તેમાં તેમનો પણ હિસ્સો રાખવાનો.

ઉચ્ચ ન્યાયાલયના બે આદેશ છે કે તમે ૪૯ ટકાથી વધુ અનામત રાખી ન શકો. અને કોઈ પણ અનામત અનિશ્ચિત કાળ માટે ન રાખી શકો. એટલે અનામતમાં તમે તમારા સમુદાયનો ઉમેરો કરો એટલે બીજા ચાલુ અનામતીઓમાં હિસ્સો પડાવો એવું થાય.

બંધારણ જ્ઞાતિ પ્રથામાં માનતું નથી. પણ સમાજમાં પરંપરાગત રીતે અમુક જ્ઞાતિઓને પછાત ગણવામાં આવે છે. અને તેવી માનસિકતા પણ ચાલુ છે. તેથી જ્યાં સુધી આ માનસિકતા ચાલુ રહે ત્યાં સુધી તેમને માટે અનામત રાખવી એવી માન્યતા છે. આવા સમુદાયો અપરંપાર છે એટલે સરાકર મા બાપે એક એવી જોગવાઈ રાખી કે જે સમુદાય પોતાને દલિત શોષિત પછાત માનતો હોય તેણે રજુઆત કરવી.

સરકાર સમક્ષ રજુઆત કરવી એ પૂરતું નથી. માગણી ન્યાયિક પણ હોવી જોઇએ. ન્યાયિક હોવા માટે પ્રમાણો હોવા જોઇએ. એટલે સમુદાયો લોકશાહીના ઓઠા હેઠળ આંદોલન કરે છે. આંદોલનના નિયમો પળાતા નથી.

શાસન જો સક્ષમ હોય તો સ્વતંત્રતાના ૬૦ વર્ષે કોઈ અભણ, બેકાર અને ગરીબ હોય જ નહીં. શાસન જો અક્ષમ હોય તો તે મોટા ભાગે બધા ક્ષેત્રોમાં અક્ષમ હોય કારણ કે શાસન એ એક વ્યક્તિ નથી પણ એક જુદી જાતનો સમુદાય છે. આ સમુદાય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ અક્ષમ હોય છે. એટલે રસ્તા રોકો, રેલ રોકો, ગામ બંધ કરો જેવા આંદોલનો થયા કરે છે અને જનતાને બાનમાં લેવામાં આવે છે. આ હિંસા છે. એક સમુદાય પોતાનો સ્વાર્થ સાધવા માટે હિંસા ઉપર ઉતરી આવે છે.

સમુદાય અને જ્ઞાતિ જુદા જુદા છે. સમુદાય વ્યવસાય ને આધારે હોય અને ન પણ હોય. જ્ઞાતિ જન્મને આધારે છે. પણ એક સમુદાયમાં એક જ્ઞાતિ મોટી બહુમતીમાં હોય એટલે સમુદાયની લડત, જ્ઞાતિની લડત થઈ જાય છે. તે જ્ઞાતિની લડત તરીકે જ લડાય છે અને જ્ઞાતિનું જ હિત જોવાય છે. રજુઆત પણ જ્ઞાતિ માટે જ થાય છે.

તાર્કિક રીતે અને દેશના સમગ્રના લાંબાગાળના હિતમાં જોઇએ તો વ્યાવસાયિક, સામુદાયિક અને  જ્ઞાતિ આધારિત આંદોલન નૈતિક રીતે અયોગ્ય છે. તેને ગેરબંધારણીય પણ ઠેરવી શકાય.

જો કોઈ વ્યક્તિ કે સમુદાયને કાયદાના અમલથી અન્યાય થયો હોય તો ન્યાયના દરવાજા ખુલ્લા છે. કારણ કે અન્યાયકારી કાયદો ન્યાયાલય રદ કરી શકે છે.

જો કાયદાના અભાવથી અન્યાય થતો હોય તો પણ ન્યાયાલય પાસે જઈ શકાય અને ન્યાયાલય સરકારને આદેશ આપી શકે તે કાયદામાં સંશોધન કરે.

જો ન્યાયાલય આદેશ આપે તો પણ સરકાર ન્યાયાલયના આદેશનો અમલ ન કરે તો પછી જનતાએ તેને ચૂંટણી વખતે જવાબ આપવો જોઇએ. જેમકે ન્યાયાલયે નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારને આદેશ આપેલો કે “કાળાનાણાં” અને તેમાં સંડોવાયેલા ગુનેગારો ને શોધવા માટે સરકાર એક ખાસ તપાસ સમિતિ બનાવે. પણ  નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીવાળી સરકારે ન્યાયાલયની વાતને ગણકારી નહીં. વિરોધી નેતાઓ જનતા સમક્ષ ગયા અને ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીનો ઘોર પરાજય થયો.

આ તો સમગ્ર દેશના હિતનો મુદ્દો હતો. પણ એક સમુદાયને જો અન્યાય થતો હોય તો તેણે શું કરવું? જનતામાં તો કોઈપણ એક સમુદાય, જ્ઞાતિ કે વ્યવસાયી લઘુમતિમાં જ હોય છે. એટલે સમગ્ર જનસમાજ તો તેને સમર્થન ન જ આપે. આ સમુદાય આંદોલન ન કરે તો શું કરે?

સમજી લો, સમુદાયને બંધારણ ઓળખતું નથી. જ્ઞાતિઓને બંધારણ કાયમ માટે ઓળખવા માગતું નથી. વ્યવસાયીઓના રક્ષણ માટે મજુર કાયદાઓ છે. એટલે સ્વતંત્ર અને જનતાંત્રિક દેશમાં આંદોલનને સ્થાન નથી. જો વહીવટ બરાબર ન થતો હોય તો માહિતિ અધિકાર છે અને ન્યાયાલયો છે. જો સમુદાયની માગણીઓમાં નિરપેક્ષ સત્ય હોય તો ચૂંટણી વખતે જનતા સમક્ષ જાઓ અમે સમગ્ર જનતાને સમજાવો. જો આંદોલનો દ્વારા રાજકીય લાભો મેળવવા હોય તો સજા માટે તૈયાર રહો.

નિસ્ફળતા છૂપાવવા અનામત અને અનામત એક વ્યૂહરચના

અનામતની જરુર ત્યારે જ પડે કે જ્યારે શિક્ષણ વાંચ્છુંઓની સખામણીમાં જેટલી શિક્ષણ સંસ્થાઓ હોવી જોઇએ તે કરતાં ઓછી પડતી હોય અને બેકારોની સંખ્યામાં નોકરીઓ ઓછી હોય.

પણ ભારતમાં નહેરુવીયન કોંગ્રેસે પોતાની વહીવટી, વૈચારિક અક્ષમતા અને સત્તાલાલસાને કારણે એવી સ્થિતિ ઉત્પન્ન કરી કે

એક બાજુ શિક્ષિત બેકારોની ફોજ અને બીજી બાજુ અશિક્ષિત બેકારોની ફોજ,

એક બાજુ ભૂખ મરો અને બીજી બાજુ અનાજનો સડો,

એક બાજુ નદીઓના પૂર અને બીજી બાજુ પાણી વિહીન નદીઓ અને તળાવો,

એક બાજુ લાંબો સમુદ્ર કિનારો અને બીજી બાજુ બંદરોની તંગી,

એક બાજુ દુધાળા જાનવરોનો ભૂખમરો અને તેમની કતલ અને બીજી બાજુ ઉજ્જડ જમીન,

એક બાજુ  વણવપરાયા કુદરતી ઉર્જા સ્રોતો બીજી બાજુ ઉર્જાની તંગી.

એક બાજુ વણવપરાયા ખનિજો અને બીજી બાજુ ધાતુની આયાતો,

એક બાજુ વેરાન રણભૂમિ અને વૃક્ષ હીન પહાડો અને ટેકરાઓ, બીજી બાજુ અનાજ અને ખાદ્યપદાર્થોની તંગી.

એક બાજુ  ઝોંપડ પટ્ટીઓ અને પડું પડું થતા મકાનો અને બીજી બાજુ ખાલી અને ન વેચાતા મકાનો,

એક બાજુ ફુટપાથ ઉપર, રસ્તાની જમીનો ઉપર, પાથરણાવાળા અને લારીગલ્લાવાળા, કબાડીઓ, ભોંયરાની પાર્કીંગની જગ્યા ઉપર દુકાનો, રહેણાંકના મકાનોમાં દુકાનો અને બીજી બાજુ મોલના સંકુલમાં વેચાયા વગરની દુકાનો,

એક બાજુ ટ્રાફિક જામ અને બીજી બાજુ રસ્તા ઉપર પેઈડ પાર્કીંગ,

આવી અવ્યવસ્થા ભર્યા વારસાને તમે કેવીરીતે સુધારશો?

જ્યાં સમસ્યા છે ત્યાં જ સમાધાન પણ છે. દૂધ પણ છે અને મેળવણ પણ છે. પણ દહીં કરવું નથી અને ઘીની અછતની બૂમો પાડવી છે. દેશને નહેરુવીયન કોંગ્રેસની નેતાગીરીએ આવી કક્ષાએ લાવી મૂક્યો છે.

બેકારી દૂર કરવાનો ત્વરિત ઉપાય ગૃહ ઉદ્યોગ છે. પણ લોકમાનસ તે માટે તૈયાર નથી. કોઈને ખરબચડી લાગતી ખાદી પહેરી શરીરને ઘસાવા દેવું નથી. માટીના વાસણ વાપરવા નથી. કાયદાને માન આપવું નથી અને બીજાની દરકાર કરવી નથી. તો ક્યાં સુધી રાહ જોઈશું? ૬૦ વર્ષ તો આમ જ ગયાં.

Untitled

નરેન્દ્ર મોદીમાં આર્ષદૃષ્ટિ છે. તેનામાં કુશળતા છે અને સમસ્યાઓની સમજણ છે. તે સમાજના દરેક કક્ષાના સ્તર ઉપરની જીંદગી જીવી ચૂક્યો છે. તેથી તેને ખબર છે કે દરેક સ્તરના માણસની માનસિકતા કેવી છે.

જો માળખાકીય સગવડો ઉભી કરશો તો ઉદ્યોગો આવશે. અને આ બંને નોકરીઓ ઉભી કરશે. પણ તે માટે તેને અનુરુપ કુશળતા વાળી વ્યક્તિઓ જોઇશે.

નરેન્દ્ર મોદીએ કુશળતા વિકસાવતી સંસ્થાઓ સ્થાપી.

નદીઓના જોડાણની, રેલમાર્ગ, જમીન માર્ગ અને જળમાર્ગ યોજનાઓ બનાવી. વાહનવ્યવહાર ઝડપી બને તેની પણ યોજનાઓ બનાવી.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદને ભોગવતો નથી. તેને તેની પ્રાથમિકતાઓની ખબર છે. તેણે વિદેશ પ્રવાસો કરી ભારત સરકારની વિશ્વસનીયતા વધારી, જેથી તેઓ ઉદ્યોગો સ્થાપે.

આજે જ્ઞાતિવાદના બંધનો કાળના પ્રવાહમાં નબળાં પડ્યા છે પણ નહેરુવીયન કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજકારણ ને વકરાવ્યું છે. જે નહેરુવીયન કોંગ્રેસ કેન્દ્રમાં ૬૦ વર્ષ સત્તા પર હતી તેણે અનામતનું તૂત ઉભું કર્યું. જો આ તૂત ન હોત તો દલિતો દલિત રહ્યા જ ન હોત. નહેરુવીયન કોંગ્રેસે જ્ઞાતિવાદી રાજકારણ રમી જ્ઞાતિવાદને ઉશ્કેર્યો. ધર્મ અને પ્રાંતવાદને ઉશ્કેર્યો છે. તેથી સત્તાના લોભી બીજા પક્ષો અને વ્યક્તિઓ પણ એવી માનસિકતામાં આવી ગયા છે.

આ સૌની ભર્ત્સના કરો.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ આંદોલન, જ્ઞાતિ, વ્યવસાય, સમુદાય, સામાજિક વિભાજન, દલિત, શોષિત, બેકાર, શિક્ષિત, અશિક્ષિત, કુશળ, અકુશળ, નહેરુવીયન, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, સામાજિક સ્તર, માનસિકતા

Read Full Post »

“ખાદીનો આત્મા જીવે છે?”

“ખાદી શા માટે”

મહાત્મા ગાંધીનું આ પુસ્તક મેં વર્ષો પહેલાં વાંચ્યું હતું.

તે પુસ્તક પ્રમાણે હું કંઈક આવું સમજ્યો હતો અને સમજુ છું.

ભારત દેશ ગરીબ હતો. હજુ પણ ગરીબ છે તેમ કહેવામાં આવે છે.

ગાંધીજીએ એક પ્રશ્નના ઉત્તરમાં એમ પૂછેલ કે તમે લાખો ગરીબોને તાત્કાલીક કઈ રોજી આપશો?

ગાંધીજીએ એક પ્રશ્ન એ પણ કરેલ કે એવા યંત્રો શા કામના જે અમુક સો ને રોજી આપી અમુક હજારને બેકાર કરે?

ગાંધીજી માનતાકે ગામડા સ્વાવલંબી બને અને શહેરોને પૂરક બને. શહેરો પણ ગામડાને પૂરક બને.

આ ત્રણ નો સમન્વય કરીએ એટલે ખાદી અને ગ્રામોદ્યોગનું મહત્વ સમજાય.

કોંગ્રેસ અને ખાદી

કોંગ્રેસના સભ્ય થવા માટેની ફી એક ખાદીસુતરની આંટી હતી. ૧૯૪૭ પહેલાં અને પછી પણ કેટલાક સમય સુધી એમ માનવામાં આવતું કે કોંગ્રેસીઓ પોતાને હાથે કાંતેલા સુતરની ખાદી પહેરે છે. મેં ગંગાદાસભાઈને (ભાવનગરમાં)  રોજ કાંતતા જોયા છે.

મારા પિતાશ્રીએ એક લેખ લખેલ કે ખાદીને જે સરકારી મદદ થાય છે તે પ્રત્યક્ષ મદદ થાય છે. જ્યારે મીલોમાં જે કાપડ ઉત્પન્ન થાય છે તેને પરોક્ષ રીતે અનેક ગણી મદદ થાય છે. તે વિગતો વાંચી. મને આત્મસાત થયું કે સરકાર દંભી છે. મેં ૧૯૫૮ ની આસપાસ આંશિક રીતે ખાદી અપનાવી. ૧૯૬૯માં મારા પુરતી સંપૂર્ણ ખાદી સ્વિકારી. કારણ નીચે અત્રતત્ર જણાવ્યું છે.

ગાંધીજીએ ૨૦મી સદીના ત્રીજા ચોથા દશકામાં જણાવેલ કે “હું કાપડની મિલોને બંધકરવાનું કહેતો નથી. પણ જો તે બંધ પડશે તો સ્વતંત્ર ભારતની સરકાર તેને આડો હાથ દેવા નહીં આવે.”

યાદ કરો. ૨૦મી સદીના છઠા અને સાતમા દશકામાં શું થયુ? મિલમજૂરોની પાયમાલી આવી. મિલમજૂરો સિવાય બધાએ પૈસા બનાવ્યા.

મિલ મજૂરો સિવાય બીજા કોણ કોણ હોયછે?

મિલ મજૂરો સિવાયના બીજાઓ જે હોય છે તેમાં મિલ માલિકો, મજૂર મંડળના નેતાઓ, સરકારી અધિકારીઓ અને પક્ષીય નેતાઓ નો સમાવેશ થાય છે. આ બધાએ જ ટેબલ નીચે પૈસા બનાવ્યા. જો કે સરકારે જાહેરમાં  મિલોને ચલાવવામાં મદદ તો કરી તો પણ મિલો બંધ પડી. મોટા પાયે થયેલી બેકારીથી આત્મ હત્યાઓ પણ થઈ. અસામાજીક પ્રવૃત્તિઓ ને વેગ મળ્યો. આ તેની આડ પેદાશ છે.

૧૯૬૮/૬૯માં ઇન્દિરા ગાંધીએ કઢંગી રીતો આચરી કોંગ્રેસના ભાગલા કર્યા. અને તેના પક્ષને ૧૯૭૦માં ગંજાવર બહુમતી મળી ત્યારે મને લાગ્યું કે નહેરુવીયન કોંગ્રેસ પાસેથી હવે કોઈપણ જાતની આશા રાખી શકાય તેમ નથી. ૧૯૬૯માં મેં મારા પૂરતી સંપૂર્ણ ખાદી અપનાવી.

નહેરુવીયન કોંગ્રેસ અને મુરતિયાભાઈ

એક મુરતિયાભાઈ કન્યા જોવા ગયા. કન્યાના પિતાજીને જણાવ્યું; “હું બહુ સારો છું”, “હું ઉડાઉ નથી પણ સાદગીમાં માનું છું”, “મારામાં કોઈ દોષ નથી”, “મારે કોઈ વ્યસન નથી”, “હું ધિરજવાળો છું’, “હું સહનશીલ છું”, “હું પ્રેમાળ છું’’ “હું મહેનતુ છું”, “હું નેક છું”, “હું દયાળું છું”, “ગરીબોને જોઈ મારી આંતરડી કકળી જાય છે”….. પણ મારામાં ફક્ત એક જ દોષ છે કે “મને ખોટું બોલવાની ટેવ છે.”

નહેરુવીયન કોંગ્રેસ આનાથી પણ એક ડગલું આગળ છે. તે તો કહેતી પણ નથી કે “મને ખોટું બોલવાની ટેવ છે”. એટલે તે કેટલું ખોટું બોલે છે તે માટે આપણે જનતાએ મહેનત કરવાની.

ખાદીનો આત્મા

મેં એક આર એસ એસ વાળા ભાઈને ૧૯૭૩ ના અરસામાં પ્રશ્ન કરેલ કે તમે સ્વદેશીમાં તો માનો જ છો. તો પછી ખાદી કેમ પહેરતા નથી?

તેમણે જણાવ્યું કે આ મિલો, આપણી મિલો તો છે. એટલે આ સ્વદેશી જ કહેવાય.

મેં કહ્યું કે આ મિલોના યંત્રો તો આયાતી છે. વળી મિલોના નફાના એક રુપીયામાં થી ૧૪ આના જેઓ કામ કરતા નથી તેમને જાય છે. મજુરોને તો બે આના પણ માંડ જાય છે.

આ સાંભળી તે ભાઈએ કહ્યું કે “પણ હવે ખાદીમાં આત્મા ક્યાં રહ્યો છે?”

કદાચ તે વખતે ખાદીમાં આત્મા તો હતો. તે આત્મા થોડો દુઃખી આત્મા હશે.

પણ હવે સાચે સાચ એક પ્રશ્ન થાય જ છે કે “ખાદીમાં આત્મા રહ્યો છે?”

ગૃહ ઉદ્યોગ, શક્ય હોય તેમ નાના વર્તુળો નું સ્વાવલંબન અને વિકેન્દ્રિત ઉત્પાદન એ પર્યાયવાચી શબ્દો નથી. જોકે ભેદ રેખા જાડી છે પણ ભેદ રેખાનો અભાવ નથી.

મોરારજી દેસાઈએ ૧૯૭૭માં સરકારને ફરમાન કરેલું કે સરકારે ફક્ત ખાદીનું કાપડ જ ખરીદવું. ૧૯૭૭-૭૯ ના અરસામાં અને તેની પહેલાં જયપ્રકાશના આંદોલન વખતે ખાદી ભંડારોને તડાકો પડેલો.

મોરારજી દેસાઈએ કૃત્રિમ રેસાઓનો રૂ સાથે ઉપયોગ કરી ખાદીના તાર બનાવવાની છૂટ આપેલી.

પોલીયેસ્ટર ફાયબરને રૂ સાથે મિશ્રણ કરવું એ વિચારણીય અને વિશ્લેષણીય છે. ખાદીના એક મીટર કાપડમાં કૃત્રિમ રેસાનું મૂલ્ય કેટલું? જો કાંતનાર અને વણનારને ૧૦૦ રૂપિયાના કાપડે ૭૫ રૂપિયા મળતા હોય તો કૃત્રિમ રેસાઓ મિશ્ર કરવા ક્ષમ્ય છે.

પણ અત્યારે જે ખાદી ભંડારોમાં પરપ્રાંતની ખાદીનું જે હદે “ડંપીંગ” થાય છે. અને આ પરપ્રાંતની ખાદીનું જે પોત હોય છે તેથી તેના “ખાદી-ત્વ” વિષે શંકા જાય છે. મહાત્મા ગાંધીની દૃષ્ટિએ પરપ્રાંતની ખાદી જો તે ખાદી જેવી લાગતી હોય તો પણ ખાદી ન કહેવાય.

તમે કહેશો કેવી રીતે?

મહાત્મા ગાંધીજી આગળ જ્યારે એક ખાદી કેન્દ્રવાળાએ પોતાના ખાદી વેચાણ વિષે વાત કરી કે “અમે આ વર્ષે ગયા વર્ષ કરતાં આટલી બધી વધારે ખાદી વેચી”. ત્યારે ગાંધીજીએ કહ્યું કે મને તમે કેટલી ખાદી વેચી તેમાં રસ નથી પણ તમે કેટલા ગામડાને ખાદી પહેરતા કર્યા તે કહો?

આ ત્યારે જ ખબર પડે કે જ્યારે સૌ સ્થાનિક ખાદી પહેરે. આ કારણ થી જ મહાત્મા ગાંધીએ સ્થાનિક ચરખા મંડળની પ્રણાલી પ્રબોધેલી.

વિનોબા ભાવે એ કહેલું કે

જો સૌ કોઈ એક વસ્ત્ર ખાદીનું પહેરશે તો દેશની શિક્ષિત બેકારીની સમસ્યા દૂર થશે

જો સૌ કોઈ પોતાના બધા જ વસ્ત્રો ખાદીના પહેરશે તો દેશની બેકારી ની સમસ્યા માત્ર દૂર થશે

જો સૌ કોઈ સંપૂર્ણ ખાદી અપનાવશે તો દેશની બધી જ સમસ્યાઓ દૂર થશે.

 હજી દેશ ગરીબ છે. “કાંતવું” એ એક વૈકલ્પિક અને પૂરક વ્યવસાય છે. જો સૌ ખાદી પહેરે અને તે પણ સ્થાનિક ખાદી પહેરે તો ગરીબી તો ચપટીમાં દૂર થઈ શકે છે. ખાદીનું કાપડ શ્રેષ્ઠ કાપડ છે. કાંતનાર, વણનાર અને દરજી સૌને રોજી મળી શકે છે.

હા એક વાત ખરી કે ૫૦૦ રૂપિયે વાર મળતા મિલના કાપડ જેવું કે ૨૦૦૦ રૂપિયે મળતા ખમીસ જેવું લીસું નથી. પણ ચાલે એવું તો છે જ. તમે કહેશો કે એ જે હોય તે, એમ કહોને કે  … ખરબચડું છે … ખરબચડાથી ચામડી ઘસાય નહીં?

khaadi and Gandhi

પણ રવિશંકર મહારાજે કહ્યું હતું કે “આપણે ઘસાઈને ઉજળા થઈએ”.

“આપણે ઘસાઈને ઉજળા થઈએ” એ માર્મિક કથન છે. તેનો અર્થ સમજો.

હા જી, આપણે સૌ ઘસાઈને ઉજળા થઈએ.

બધા ઉજળા થશે તો દેશ ચોક્કસ ઉજળો થશે.

વધુ આનંદ પ્રાપ્ત કરવા માટે આજ સાઈટ ઉપર વાંચો “ચોક્ખું ઘી અને હાથી”

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

ખાદી, આત્મા, પોલીયેસ્ટર, સ્વાવલંબન, પૂરક રોજી, બેકારી, વ્યવસાય, ચરખા મંડળ, મોરારજી દેસાઈ, મિલ, મજુર, પાયમાલી

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૬. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારતમાં તેના ભવિષ્યની આવશ્યકતાનો ખ્યાલ રાખી તેમજ રહેણાંક, વ્યવસાય અને શિક્ષાને ખ્યાલમાં રાખી કેવા મકાન-સંકુલો બનાવવા જોઇએ, હાલના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના રહેઠાણોના અને વ્યવસાયોના મકાનોને કેવીરીતે નવસંચના કરી વધારાની જમીનને ઉપલબ્ધ કરી શકાય અને ઉપલબ્ધ જમીન ફાજલ થતેનો સદઉપયોગ કરી શકાય તે આપણે “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫” માં જોયું.

ઉત્પાદન અને રોજગાર ની વ્યવસ્થા કેવી હોવી જોઇએ

ખુલ્લી જમીનનો ઉપયોગ ફક્ત વૃક્ષો માટે થશે. અથવા તો તે આપણી દિશા હશે.

એક સંકુલની આસપાસની જગ્યા ફળાઉ અને ઉપજાઉ વૃક્ષો માટે થશે. તેથી તે ઉત્પાદન ઉપર નભતા નાના ઉદ્યોગો તે સંકુલમાં જ ગોઠવી શકાય.

જો શક્ય અને જરુરી હોય તો એક સંકુલની પાસે બીજું એક ઔદ્યોગિક સંકુલ પણ બનાવી શકાય. જો ગામ મોટું હોય તો અને નાના ઉદ્યોગો ભારે યંત્ર સામગ્રીવાળા અને અવાજનું પ્રદુષણ ફેલાવે તેવા હોય તો ઔદ્યોગિક સંકુલ અલગ રાખી શકાય. ગૃહ ઉદ્યોગો તો રહેઠાણના અને વ્યવસાયના સંકુલમાં હોવા જોઇએ.

કયા ઉદ્યોગોને સરકારે વધુ ઉત્તેજન આપવું જોઇએ?

ધરતીને આપણે વનસ્પતિ, હવા અને પાણી સિવાય કશું પાછું આપી શકતા નથી. એટલે કે જ્યારે આપણે ધરતીમાંથી ઉત્ખનન કરીને કાચોમાલ કાઢીએ ત્યારે ધરતીને આપણે તે માલ પાછો આપઈ શકતા નથી. જે કાચામાલનો આપણી પાસે અખૂટ ખજાનો છે તેને આપણે વાપરીએ તે એક વાત છે પણ તે પણ લાંબા ગાળે ખૂટી જશે. તેથી તે વાતને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો જોઇએ. જ્યાં કાચો માલ છે ત્યાંજ તેના ઉદ્યોગો થાય તેમ હોવું જોઇએ. વપરાશી માલનું કદ અને દળ ઓછું હોવાથી હેરફેરનો ખર્ચ ઘટશે. કાચા માલની હેરફેરમાં થતો ખર્ચ ઘટશે.

ઉર્જા ઉત્પાદન

ખનિજ કોલસાનો આપણી પાસે અખૂટ ખજાનો છે. તો પણ કુદરતી ઉર્જાસ્રોતોના વિકાસ અને સંશોધન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળપ્રવાહ ઉર્જા, ભરતી ઓટ ની ઉર્જા નો બહોળો ઉપયોગ કરી શકાય તેમ છે. જોકે લાકડાને અને કોલસાને બાળીને પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તે બાબતમાં કેટલાક લોકોની માન્યતા છે કે પૃથ્વી ગરમ થઈ જશે. લાંબી તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણો આયનોસ્ફીયરને ભટકાઇને પાછા આવે છે. આ ગરમીના કિરણો ધરતીનું ઉષણતામાન વધારે છે. ધૂમ્રહીન બોઈલરો બનાવી શકાય છે. કોલસી અને મેશનો ઉપયોગ થઈ શકે છે. આ બધી તકનીકી સમસ્યાઓ છે અને તેનો ઉકેલ થઈ શકે.

૫૦૦ વૉટ ની અને ૫૦૦ કિલોવૉટની પવન ચક્કીઓ બને છે. ડૂંગરો ઉપર પવન વધુ હોય છે. જે મકાનો ડુંગર ઉપર હોય છે અથવા તો જ્યાં પવન વધુ હોય છે, ત્યાં ૫૦૦વૉટની એક થી વધુ પવનચક્કીઓના મોડ્યુલોના ઉપયોગ કરી, ચાલુ પ્રણાલીની ઉર્જામાં બચત કરી શકે છે. જ્યાં વધુ ઉર્જાની જરુર હોય ત્યાં ૫૦૦ કિલોવોટ પવનચક્કીનો ઉપયોગ થઈ શકે.

જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ હોય છે તેવા રાજસ્થાન, કચ્છ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં મકાનોની બહારની દિવાલો ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે. દરેક મોટી ઓફિસ અને ઉદ્યોગોના મકાનોની દિવાલો અને અગાશીઓ કે છાપરાઓ ઉપર સૂર્યઉર્જાકોષ રાખવા ફરજીયાત કરી શકાય છે.

ઉર્જા સંગ્રાહકો

નિકલ કેડમીયમ અને નિકલ આયર્નના વિદ્યુત સંગ્રાહકોમાં સંશોધન કરી ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. સીસું-સલ્ફ્યુરિક એસીડના વિદ્યુત કોષ વજનમાં ભારે હોય છે અને તેનું આયુષ્ય ઓછું હોય છે. તેથી લાબાં આયુષ્ય વાળા નિકલ કેડમીયમ અને નિકલ આયર્ન વિદ્યુત સંગ્રાહકકોષમાં સંશોધન કરી તેને આર્થિક રીતે પોષાય તેવા કરવા જોઇએ. જો કે આ બધી તકનિકી બાબતો છે અને તેના ઉપાયો પણ છે.  

ગ્રામ્ય સંકુલમાં કયા ઔદ્યોગિક ઉત્પાદનો કરવા જોઇએ?

સંકુલમાં જાતજાતના ઘાસ, અનાજ, શાકભાજી, કંદમૂળ છોડ, ફુલો,

માટીનો ઉદ્યોગ, ફળોના રસનો ઉદ્યોગ, પેકેજ ઉદ્યોગ, માલ પેક કરવાનો ઉદ્યોગ, મુદ્રણ ઉદ્યોગ, કાગળનો ઉદ્યોગ, વણાટકામ, ભરતકામ, છપાઈ કામ, દરજીકામ, મોચીકામ, તેલ ઘાણી, મધમાખી ઉછેર, ગોબર ગેસ, ખાતર, દૂધ અને તેની બનાવટો, બેકરી,

ઘાસ, દૂધ, શાકભાજી, કાંતણ, વણાટકામ અને માટીકામ (ગ્લેઝવાળા માટીના વાસણો) એ મહત્વના ઉદ્યોગ ગણવા જોઇએ. કારણકે આ સ્વાવલંબનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદનનો વપરાશ સ્થાનિક કક્ષાએ પણ છે અને નિકાસ પણ થાય છે.

કાંતણ અને વણાટને પ્રાધાન્યઃ

જો ગામમાં ગરીબી હોય તો કાંતણ તાત્કાલિક રોજગારી પૂરી પાડે છે. જો પાંચ ત્રાકનો અંબર ચરખો વાપરવામાં આવે તો એક વ્યક્તિ રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦૦ ની માસિક આવક જરુર મેળવી શકે છે. આ ઉપરાંત તેની પોતાની કાપડની જરુરીયાત લગભગ મફતમાં પૂરી પડે છે. આ માટે ગાંધીજીએ ચરખાસંઘની રચનાની પ્રણાલી ગોઠવવાની વાત કરેલી. જો સ્થાનિક કક્ષાએ કાંતણ અને વણાટકામ થશે તો તો ખાદીને નામે ગોલમાલ થતી બંધ થશે.

ખાદીમાં હવે ઘણા સંશોધનો થયા છે. અને ખાદીનું કાપડ મીલના કાપડને લગભગ સમકક્ષ જ હોય છે.

જો દરેક કુટુંબ ગોદડા, ગાદલા, કવરો (ખોળો), હાથરુમાલ, ગમછા, પડદા, ટુવાલ, પગલુછણીયા જો ખાદીના વાપરે તો કાંતનારા અને વણનારાને ઘણી રોજી મળે.

ખાદીની ખપત કેવીરીતે વધારી શકાય?

કોણે કયા અને કેવા કપડાં પહેરવા તે વ્યક્તિની મુનસફ્ફીની વાત છે. પણ રોજગારી આપનાર સંસ્થા કે વ્યક્તિ પોતાના કર્મચારીઓને ડ્રેસકોડની ફરજ પાડી શકે છે. જેમકે પોલીસ ને અમુક જ ડ્રેસ પરિધાન કરવાની ફરજ પડાય છે. આવી જ રીતે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને માટે ડ્રેસ કોડ માટે ફરજ પાડે છે.

ડ્રેસકોડ

સરકારે ખાદીને પ્રોત્સાહન આપવું જોઇએ. અને તે માટે સરકારે દરેક સરકારી કર્મચારીનો એક યુનીફોર્મ કોડ એટલે કે વસ્ત્ર પરિધાનની આચાર સહિંતા નક્કી કરવી જોઇએ. જ્યારે સરકારી કર્મચારી જે કોઈપણ હોદ્દો ધરાવતો હોય તો પણ તેણે ડ્રેસ કોડનો અમલ કરવો જ પડશે. જ્યારે તેને નોકરીએ રાખવામાં આવે ત્યારે જ તેની પાસેથી તેની સંમતિ લઈ લેવી જોઇએ. સૌ કર્મચારીઓને સરકાર ત્રણ સેટ વસ્ત્રોનું કપડું સરકાર ખરીદીને આપશે. એક સેટમાં પાટલુન, ખમીશ, બનીયન, કોટ અને સ્વેટર આપશે. જેમને ધોતીયું, જભ્ભો, બંડી, લોંગકોટ જોઇતા હશે તેમને તે આપશે. બે જોડી બુટ અને બે જોડી ચપ્પલ આપશે. કશું મફત મળશે નહીં. જરુર હશે તો વર્ગ -૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને ચાર ટકાના વ્યાજે લોન આપશે. ખાદીના કાપડની ગુણવત્ત સરકાર નક્કી કરશે.

દરેક શાળા અને કોલેજો પણ પોતાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસકોડ રાખશે.

આમ થવાથી ખાદીના કાંતણ કામ, વણાટકામ, અંબર ચરખા બનાવનાર અને તેને રખરખાવ અને સમારકામ કરવાવાળાઓને રોજી મળશે. દરજીઓને પણ વધુ રોજી મળશે. કારણ કે અત્યારે રેડીમેડ વસ્ત્રોને જે જત્થાબંધ ધોરણે સીવવામાં આવે છે તેમાં કારીગરોનું શોષણ થાય છે.

જ્યારે મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તે સરકારે, સરકારી કાપડની ખરીદીમાં ખાદીને ફરજીયાત કરેલી. પણ સરકારી ઉચ્ચ અધિકારીઓની મનોવૃત્તિ “સર્વ પ્રથમ ભારતનું હિત (ઈન્ડીયા ફર્સ્ટ)”ની ન હતી એટલે તેમાં બારીઓ ખોલીને સરક્યુલરનો અનાદર કરેલ.

તો પછી જત્થાબંધ રીતે ઉત્પન્ન થતા કાપડનું શું થશે? આપ્ણો દેશ, મીલના કાપડની વિદેશમાં નિકાસ કરશે.

જો ઘાસની ખેતી સંકુલોમાં થશે તો બળદોનું શું થશે?

સાંઢને બળદ કરવો એ આપણો હક્ક નથી. સાંઢ પાસેથી પણ કામ તો લઈ જ શકાય. તેલ ઘાણીના યંત્રમાં, લીફ્ટના યંત્રમાં, વિદ્યુત જનરેટર ના યંત્રમાં, સામાન્ય હેરફેરને લગતા માલવાહકોની રચનામાં યોગ્ય ફેરફારો કરી પશુઓનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ગૌવંશના પ્રાણીઓ આપણને શ્રેષ્ઠ અને અમૂલ્ય ખાતર આપે છે.

પશુ સંચાલિત તેલઘાણીઓથી તેલનું ઉત્પાદન ઘટશે, પણ જો તમે સંકુલો બનાવશો તો જમીનની વૃદ્ધિની સીમા અમાપ છે. તમે કદાચ કહેશો કે વનસ્પતીને તો સૂર્ય પ્રકાશ જોઇએ અને સંકુલોમાંની અકુદરતી જમીનને સૂર્યપ્રકાશ તો મળશે નહીં તેથી સંકુલોમાં ઉત્પાદન નહીં થઈ શકે. જો કે આ એક તકનિકી સમસ્યા છે. અને તેનો ઉકેલ આવી શકે. જેમકે તમે દર્પણોને એવી રીતે ગોઠવો કે દરેક માળ ઉપર સૂર્ય પ્રકાશ આવે. આ ઉપરાંત, વિદ્યુત દ્વારા કૃત્રિમ સૂર્યપ્રકાશ ઉત્પન્ન કરી શકાય છે. આ વિદ્યુત કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય.

તેલઘાણીઓ શા માટે? પશુ દ્વારા ચાલતી તેલઘાણીઓ શા માટે?

તેલીબીયાંઓના છોડવાઓ ને સંકુલોમાં ઉગાડી શકાય છે. એટલે તેલીબીયાનું ઉત્પાદન વધારીને તેલનું ઉત્પાદન વધારી શકાય છે. પશુથી ચાલતી તેલઘાણીના તેલના ઉત્પાદનમાં આપણને “ખોળ” અને “સાની” મળે છે. તે પશુઓ અને મનુષ્ય માટે એક સારો અને પૌષ્ટિક ખોરાક છે. આ લાભને અવગણી શકાય નહીં.

તેલની મીલોનું શું થશે?

જો તેલીબીયાંનુ ઉત્પાદન વધુ હોય તો તેના તેલોની નિકાસ કરો.

જો માટીના વાસણોનો ઘરવપરાશના, પ્યાલાઓ, થાળીઓ, કટોરાઓ, ગરમાઓ, તપેલાઓ, માટલાઓ, વિગેરેમાં ઉપયોગ થશે તો, ધાતુના વાસણોની ખપત ઘટી જશે તો તેના કારીગરો અને કારખાનાઓનું શું થશે?

ધાતુ એ એક કિમતી વસ્તુ છે. તે ધરતીમાં નવી ઉત્પન્ન થતી નથી. ધાતુઓનો વિદ્યુત ઉર્જાના વિતરણમાં બહુ જરુરી ઉપયોગ હોય છે. તેથી ધાતુના ઉદ્યોગમાં જેમકે તાર, ખીલીઓ, સ્ક્રુ, પટીઓ, પતરાઓ, યંત્રોની બનાવટ, તેના પૂર્જાઓ, સુશોભનની કળાકૃતિઓ બનાવવામાં ધાતુનો ઉપયોગ કરી શકાય. વૈજ્ઞાનિક સંશોધનોના ઉપકરણોમાં ધાતુનો અમાપ ઉપયોગ હોય છે જ. તેથી કારીગરોએ કારીગરી બદલવી પડશે. કોઈ બેકાર થશે નહીં.

માટીના વાસણો તો અવારનવાર તૂટી જશે. માટીના વાસણો બરાબર સાફ થઈ શકતા નથી. આથી શું સરવાળે તે મોંઘાં નહીં પડે શું?

ના. તે સરવાળે ખાસ મોંઘા નહીં પડે. માટીના વાસણો ઉપર ગ્લેઝ (સીરામીકના વાસણોને હોય છે તેમ) હોવાથી તે સરળતાથી સાફ થઈ શકશે. સ્થાનિક ઉત્પાદન હોવાથી તે વ્યાજબી ભાવે મળશે.

દરેક વ્યક્તિની વૃત્તિઓ અલગ અલગ હોય છે.

વૈજ્ઞાનિક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

તત્વજ્ઞાની બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ચિકિત્સક બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

કર્મચારી બનવાની મનોવૃત્તિ દરેક વ્યક્તિમાં હોતી નથી.

ઘણાને ફક્ત ચિલાચાલુ કામ કરવાની જ વૃત્તિ હોય છે. નવું કામ કે અવનવું કામ કરવાની વૃત્તિ હોતી નથી. જેઓ કચરો વાળે છે તેમને જમીન ખોદવાનું કામ કરવું ગમતું નથી. જો કે કેટલીક વૃત્તિઓ શિક્ષણ દ્વારા બદલી શકાય છે.

દરેક વ્યક્તિમાં આનંદ પામવાની વૃત્તિ અચૂક હોય છે.

આનંદની પ્રાપ્તિ એ દરેકનું મુખ્ય ધ્યેય હોય છે. એટલે સરકારે અને અન્ય સંસ્થાઓએ કર્મચારીઓનો અપ્ટીટ્યુડ ટેસ્ટ એટલે કે માનસિક વલણની ચકાસણી કરતા રહેવું જોઇએ. અનુસંધાન માટે ”… નવ્ય સર્વોદય વાદ ભાગ-૧” અને “શું સરકાર ગરીબીને કાયમ રાખવા માગે છે? જુઓ

આ ફક્ત રુપરેખા છે. શક્ય રીતે સ્વાવલંબન તરફ જવાની દિશા છે. સ્વાવલંબનનો હેતુ, ઉત્પાદન અને વહેંચણીમાં પારદર્શિતા અને રસ્તાઓ ઉપર ઉત્પાદન ની હેરફેરને શક્ય રીતે ઓછામાં ઓછી કરવાનો છે જેથી ઉર્જા ઓછામાં ઓછી વપરાય.

સ્થાનિક ઉત્પાદનને કારણે વપરાશની ચીજોની વૈવિધતા ઓછી થશે તેનું શું?

અવારનવાર થતા મેળાઓ આ સમસ્યાનો આંશિક ઉકેલ છે. વપરાશની ચીજોની વૈવિધતા એ ખરો આનંદ નથી. ખરો આનંદ પર્યટન, જ્ઞાન અને તંદુરસ્તી છે.

ચમત્કૃતિઃ

કિશોરીલાલ મશરુવાળા જ્યારે નાના હતા ત્યારની વાત છે.

અમદવાદથી મુંબઈ બે રેલ્વેગાડી જતી હતી.

એક વહેલી સવારે જાય. તે ગાડી બધા જ સ્ટેશનોએ ઉભી રહે. અને મોડી સાંજે મુંબઈ પહોંચે. આ ટ્રેનમાં ટિકિટભાડું ઓછું.

બીજી એક ટ્રેન રાત્રે ઉપડે. અમુક સ્ટેશનોએ જ ઉભી રહે. સવારે મુંબઈ પહોંચે. એટલે કે ઓછો સમય લે. આ ટ્રેનમાં ટિકિટભાડું વધારે.

બાળ કિશોરીલાલ મશરુવાળાને આ વિચિત્ર લાગ્યું.

જે ટ્રેન દિવસે ઉપડે છે તે બધા જ સ્ટેશનોએ ઉભી રહે છે. તમને સ્ટેશને સ્ટેશને ઉતરવા મળે છે. દરેક સ્ટેશનને જોવાનો આનંદ લઈ શકો છો. દિવસના સમયમાં ચાલુ ગાડીએ તમે બહાર બધું જોઇ શકો છો. તમને વધુ સમય ટ્રેનમાં બેસવા મળે છે. આ બધા ફાયદાઓ હોવા છતાં પણ તેનું ટિકિટભાડું ઓછું છે.

જે ટ્રેન રાત્રે ઉપડે છે. અમુક સ્ટેશનો ઉપર જ ઉભી રહે છે, સ્ટેશને સ્ટેશને ઉતરવા મળતું નથી, તમને રાત્રે ન તો સ્ટેશનો કે નતો ખેતરો કે જંગલ કે ગામના મકાનો કે માણસો કે કશું પણ જોવા મળતું નથી, રાત્રે કશો આનંદ મળતો નથી. ઓછો સમય ટ્રેનમાં બેસવા મળે છે, છતાં પણ આ ટ્રેનનું ટિકિટભાડું વધારે છે. આવું કેમ?

આનંદ માટેની મુસાફરી આવકાર્ય હોવી જોઇએ.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ કાચો માલ, સ્રોત, મકાન, વ્યવસાય, સંકુલ, રહેઠાણ, ગ્રામ્ય, શહેરી, નવસંરચના, જમીન, ફાજલ, ઉત્પાદન, વૃક્ષ, બહુમાળી, ઔદ્યોગિક, ઉત્પાદન, ઉર્જા, પશુ, કોલસો, પવનચક્કીઓ, સૂર્યપ્રકાશ, ખાદી, કાંતણ, વણાટ, ડ્રેસકોડ, મોરારજી દેસાઈ, ઈન્ડીયા ફર્સ્ટ, તેલઘાણી, માટી, વાસણ, વૃત્તિ, આનંદ

Read Full Post »

%d bloggers like this: