Feeds:
Posts
Comments

Posts Tagged ‘શાસક’

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૯

રામને કોણ સમજી શક્યું?

એક માત્ર મહાત્મા ગાંધી હતા જેઓ રામને અને લોકતંત્રને સમજી શક્યા હતા. તેઓ રામ અને લોકતંત્ર એ બંનેને સાંકળી શક્યા હતા.

પ્રણાલીઓને બદલવી છે?

આદર્શ પ્રણાલી શું હોઈ શકે અને તે કેવી હોવી જોઇએ તે પહેલાં નક્કી કરો.

જો તમને લાગતું હોય કે તમે આદર્શ પ્રણાલી સમજી શક્યા છો તો તે પ્રણાલીને બુદ્ધિદ્વારા આત્મસાત્કરો. માનસિકતા પણ એવી બનાવો. પછી તે દિશામાં વિચારો અને આચારમાં પણ તેને મૂકો. આવું કર્યા પછી પ્રચાર કરી શકાય.

એક વાત ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રચાર કરતી વખતે, તમારી પાસે સત્તા હોવી જોઇએ.

સત્તા શું કામ હોવી જોઇએ?

સત્તા એટલા માટે હોવી જોઇએ, કારણ કે તમે જે પ્રણાલીનો પ્રચાર કરવા માગો છો અને વિચાર વિમર્ષ કરાવવા માગો છો તેમાં દબાણ વર્જ્ય છે. સત્તા, શક્તિ, લાલચ, સ્વાર્થ બધાં દબાણ છે. દબાણ થી સત્ય દબાઈ શકે છે. દબાણ એક આવરણ છે. આવરણ સત્યને ઢાંકી દે છે. (હિરણ્મયેન પાત્રેણ, સત્યસ્યાપિહિતં મુખં).

ગાંધીજીને જ્યારે લાગ્યું કે હવે તેમણે સામાજીક ક્રાંતિ (સમાજસુધાર)માં પડવું જોઇએ, તો તેમણે કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી નહીં પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ ઉપરથી પણ રાજીનામું આપ્યું. તેનું કારણ હતું કે તેઓ કોઈ પણ સુધારા ઉપર પોતાનો જે અભિપ્રાય આપે તે બીજાઓ માટે દબાણ મૂક્ત હોય. તેથી જે પણ કોઈને ચર્ચા કરવી હોય કે શંકા પ્રદર્શિત કરવી હોય તે સામેની વ્યક્તિ મૂક્ત રીતે કરી શકે.

કોઈ કહેશે કે ઉપવાસ અને સવિનય કાનૂનભંગ, પ્રદર્શન, ધરણા વિગેરે પણ દબાણ કહેવાય ને? બધું દબાણ થી, તો બીજું શું છે?

આંદોલન બે પ્રકારના હોય છે. એક વહીવટી નિસ્ફળતા સામે હોય છે. બીજું અન્યાયકારી કાયદા સામે હોય છે. જનતા અને કેટલાક પક્ષોના નેતાઓ ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના નેતાઓ આંદોલનનું હાર્દ સમજતા નથી.

આંદોલન ફક્ત જનતા કરી શકે. રાજકીય પક્ષો આંદોલનો કરી શકે. રાજકીય પક્ષો લોકજાગૃતિના કામ કામ કરી શકે. જનતા પણ એવા આંદોલન કરી શકે કે જ્યાં તે સંપૂર્ણ પારદર્શિતા રાખી શકે તેમજ સંવાદ માટે હરપળ તૈયાર હોય. આંદોલન હમેશા દેશના વ્યાપક હિતમાં હોય. આંદોલન કદીપણ જાતિગત કે વ્યક્તિગત હોઈ શકે. વ્યક્તિગત હિતની રક્ષા માટે કાનૂનો હોય છે. કોઈ કાનૂન એવો હોઈ શકે કે જે અન્યાયકારી હોય. અન્યાયકારી કાયદા, ન્યાયાલય દ્વારા રદ કરી શકાય છે. નવો કાયદો કરવો હોય તો તેનો પૂર્વલેખ (ડ્રાફ્ટ) પ્રજાએ તૈયાર કરવો જોઇએ, તેની વ્યાપક ચર્ચા થવી જોઇએ. તે પછી વિદ્વાનો બધા સુધારાને આવરી લેતો અંતિમ પૂર્વલેખ લિપિબદ્ધ કરે અને પોતે ચૂંટેલા પ્રતિનિધિ મારફત સંસદમાં રજુ કરે. અને સંસદ તેને પસાર કરે.

મહાત્મા ગાંધીએ રામને કેમ આદર્શ માન્યા?

રામરાજ્યની કેમ વાત કરી?

 આમ તો ગાંધીજી કહેતા હતા કે મારો રામ કંઈ દશરથનો પુત્ર કે રાવણને મારનાર નથી. મારો રામ તો પરમબ્રહ્મ સ્વરુપ દરેકના દિલમાં વસતો રામ છે. એટલે કે ઈશ્વર છે.

આમ જુઓ તો રામ તો રાજા છે. અને મહાત્મા ગાંધી એક બાજુ રામરાજ્યની વાત કરેછે અને બીજી બાજુ તેઓ રામ દશરથનો પુત્ર નથી એમ કહે છે. તો રામ રાજ્ય કોનું?

ભારત, પ્રાચીન યુગમાં જગતગુરુ હતું. ભારતમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ મફત હતું. સૌ કોઈએ ગુરુ પાસે આશ્રમમાં ભણવા જવું પડતું. સામાન્ય રીતે સૌ કોઈ બાપિકો વ્યવસાય સંભાળતા. ગુરુઓને શસ્ત્ર વિદ્યા આવડતી તેમનું કામ વિદ્યા અને જ્ઞાનનો પ્રસાર કરવાનું રહેતું. તેઓ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા અને વેદમંત્રના  લખનારાના વંશજો હતા કે આચાર્યો હતા તેઓ પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવતા હતા. રાજા ઉપર દબાવ લાવવાનું કામ ઋષિની સલાહ અનુસાર જનતાનું રહેતું હતું.

વાયુ પુરાણમાં એક કથા છે.

બ્રાહ્મણોએ માંસભક્ષણ કરવું જોઇએ કે નહીં?

ઋષિગણ ભગવાન મનુ પાસે ગયું. ભગવાન મનુએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ માટે આપેલું માંસ, યજ્ઞના પ્રસાદ તરીકે એટલે કે હુતદ્રવ્ય હોવાથી ખાઈ શકે. ત્યારથી કેટલાક બ્રાહ્મણો હુતદ્રવ્ય રૂપે માંસ ખાવા માંડ્યા.

પછી જ્યારે ઈશ્વરને (શિવને) ખબર પડી ત્યારે તે ઋષિઓને વઢ્યા. અને તેમને કહ્યું કે તમે મનુ પાસે ગયા જ કેમ? મનુ આવી સલાહ આપવાનો અધિકારી નથી. પ્રણાલીઓ વિષે સલાહ આપનાર ફક્ત વેદ પારંગત મહર્ષિઓ અને આચાર્યોનો સમૂહ અધિકારી છે. તમે અનાધિકારી વ્યક્તિની સલાહ કેમ લીધી? હવે મનુ અને બ્રાહ્મણો પાપ ભોગવતા રહેશે. આમ અમુક બ્રાહ્મણો માંસાહારી રહ્યા અને અમુક બ્રાહ્મણો નિરામિષ રહ્યા.

આચાર્યનો અર્થ છે (વિચાર સહિતના) આચાર ઉપર સલાહ આપી શકે તે. એટલે કે આચાર ઉપર જે અધિકૃત રીતે અર્થઘટન કરી શકે અને આચારની પ્રણાલી ઉપર શાસન કરે તે. પણ શાસનનેશાસનશબ્દથી ઓળખવામાં આવતું નથી.

આચાર્યોનું શાસન અનુશાસન છે.

જનતાએ અને શાસકોએ શું કરવું જોઇએ તે આચાર્યો કહેશે. શાસકનું કામ વહીવટ કરવાનું છે. એટલે કે જેના હાથમાં વહીવટી સત્તા છે તે જે જનતા ઉપર કરે તેને શાસન કહેવાય.

આચાર્યો જે કરે તેને અનુશાસન કહેવાય.

આચાર્ય વિનોબા ભાવે એ ઇન્દિરાએ કટોકટી લાદી ત્યારે એવો પ્રતિભાવ આપેલ કે કટોકટી એ અનુશાસન પર્વ છે. પણ આનું ખોટું અર્થઘટન ઇન્દિરાએ ફેલાવેલું. વિનોબા ભાવેએ સ્પષ્ટીકરણ કરેલ. પણ એ સ્પષ્ટીકરણ ઉપર સેન્સરની કાતર ફરીવળી હતી.

હવે યાદ કરો. નહેરુવીયન કોંગ્રેસને જે કંઈપણ બંધારણીય સુધારા કર્યા અને તેના અમલમાં જે પ્રણાલીઓ સ્થાપી તેનો મુખ્ય હેતુ આત્મકેન્દ્રી એટલે કે સ્વકેન્દ્રી તો ખરો પણ સાથે સાથે પોતાનો પક્ષ સત્તાસ્થાને રહે પણ હતો. વાસ્તવમાં નિયમ બનાવવાના મુસદ્દા, જનતાની સમસ્યાઓના ઉકેલોને લગતી પ્રણાલીઓના સંશોધનો, ઋષિઓ એટલે કે જ્ઞાની લોકો તરફથી આવવા જોઇએ. જેમકે લોકપાલ વિધેયકનોપૂર્વ લેખ” (ડ્રાફ્ટ), અન્ના હજારેની ટીમ તરફથી આવે તેમાં કશું ખોટું હતું. નહેરુવીયન કોંગ્રેસે તે સ્વિકારવા જેવો હતો. તેને બદલે નહેરુવીયન કોંગ્રેસે કહ્યું અમારી ઉપર દબાણ કરનારા તમે કોણ છો? તમારી હેસીયત શું છે? હવે જે નહેરુવીયન કોંગ્રેસ, ગાંધીજીના નામ ઉપર ત્રણ દાયકા (૧૯૪૭ થી ૧૯૭૫) તરી ગઈ તેણે હેસીયતનો મુદ્દો ઉઠાવ્યો. રામને નામે પથરા તર્યા. ગાંધીજીને નામે ગઠીયા તર્યા.

“૧૯૪૭થી ૧૯૭૫ સુધીના સમય સુધી નહેરુવીયન કોંગ્રેસ ગાંધીજીના નામે તરી ગઈ” એમાં૧૯૭૫એટલા માટે સીમા ચિન્હ છે કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદીને ગાંધીવાદીઓને પણ વગર વાંકે જેલભેગા કર્યા એટલે મહાત્મા ગાંધીવાદીઓનો ભ્રમ પણ સદંતર ભાંગી ગયો.

પ્રથમ નામ મહાત્મા ગાંધીનું

અગણિત ગાંધીવાદીઓનો નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ૧૯૫૨થી ભાંગી ગયેલો. નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ભાંગી જવામાં મહાત્મા ગાંધીનું નામ પ્રથમ લેવું જોઇએ. જે કોંગ્રેસીઓ સિંધ પંજાબથી ભાગીને ભારતમાં આવ્યા તેમને મહાત્મા ગાંધીએ કહેલ કે તમે ત્યાં મરી કેમ ગયા? જો કોંગ્રેસીઓ ત્યાં નિષ્ઠા પૂર્વક રહ્યા હોત તો આજે પાકિસ્તાનની જનતા પાસે મહાત્માગાંધીયન (વાસ્તવિક રીતે ધર્મનિરપેક્ષ) પાકકોંગ્રેસ જોવા મળત. યાદ કરો ઘણા મુસ્લિમ નેતાઓ ભારતના ભાગલા પછી પણ ભારતમાં રહ્યા. તેથી અત્યારે આપણને ભારતમાં કોમવાદી ઈન્ડીયન મુસ્લિમ લીગ જોવા મળે છે. પણ પાકિસ્તાનમાં કોઈ કોંગ્રેસ જોવા મળતી નથી.

મહાત્મા ગાંધીએ જોયું કે કોંગ્રેસને લોકજાગૃતિમાં રસ નથી. કોંગ્રેસને ફક્ત સત્તામાં રસ છે. મહાત્મા ગાંધીએ કહેલું કે સમય એવો આવશે કે જનતા કોંગ્રેસીઓને શોધી શોધીને મારશે. તેમણે કોંગ્રેસને વિખેરી નાખવાનું કહેલ.  અને તે માટે તેમણે રાષ્ટ્રીય સેવાસંઘનું બંધારણ પણ લખેલ.

જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ

ગુજરાતનું ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલન, “ભ્રષ્ટાચાર દૂર કરો” માટે હતું. જનતાએ નહેરુવીયન કોંગ્રેસ શાસિત વિધાનસભાનું વિસર્જન કરવાનું કહેલ. બધા જ સભ્યોએ રાજીનામું આપેલ પણ મોટાભાગના નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજીનામું ન આપેલ. જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ. અંતે વિધાનસભાનું વિસર્જન કરવું પડેલ. નહેરુવીયન કોંગ્રેસે “અમે ગરીબી હટાવીશું” એ વચન આપી સત્તા ઉપર આવેલ. પણ ઇન્દિરા ગાંધી બધાજ ક્ષેત્રોમાં નિસ્ફળ નીવડેલ. ભ્રષ્ટાચારના આક્ષેપો તેની ખુદની ઉપર પણ હતા.

નહેરુવીયન કોંગ્રેસ એક શાસક પક્ષ હતો. તે જનતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેણે પોતાની ૨૦૦૯ની ચૂંટણી જનલોકપાલ બીલનો મુસદ્દો જનતા પાસે રજુ કરીને ચૂંટણી લડી હતી. એટલું નહીં પણ તે પક્ષ પોતે સંપૂર્ણ બહુમતિ વાળો પક્ષ ન હતો. તે અન્ય પક્ષો સાથે ચૂંટણી પરિણામો પછીના જોડાણો કરી સત્તા ઉપર આવ્યો હતો. તેની પાસે સત્તા હોય તો પણ તે સત્તા, નિયમો બનાવવા માટેની સત્તા ન હતી.

ભારતીય બંધારણ પ્રમાણે પણ તેની પાસે નિયમો બનાવવાની સત્તા ન હતી.

આનો અર્થ પણા થયો કે શાસક પક્ષને બંધારણમાં ફેરફાર કરવાની પણ સત્તા નથી.

જે લોકો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નિપૂણ છે તેઓ હેતુપૂર્ણ મુસદ્દો બનાવે અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનો તે મુસદ્દાને વિધેયકનું સ્વરુપ આપે. પછી તેને જનતા સામે મુકે. અને જનતા તેના ઉપર પોતાના પ્રતિભાવો અને સૂચનો આપે. તે પછી તેને આખરી સ્વરુપ આપવામાં આવે.

જનપ્રતિનિધિઓની પાસે કઈ સત્તા છે?

જનપ્રતિનિધિઓ પાસે સત્તા છે કે તે વહીવટકારો (પબ્લિક સર્વન્ટ), નિયમોને અને નીતિઓને અમલમાં મુકે. જનપ્રતિનિધિઓ તેની ઉપર નિરક્ષણ કરે અને જો તેઓ તેમાં ચૂક કરે તો તેમને દંડિત કરે.

બાબતની વિસ્તૃત ચર્ચાબધી સમસ્યાનું સમાધાન એટલે નવ્ય ગાંધીવાદ લેખમાળામાં કરવામાં આવી છે.

રામ રાજ્યની ઉંડાઈ સમજવી મૂર્ધન્યો, સમાચાર માધ્યમના પંડિતો, મોટાભાગના કટારીયા લેખકો અને પાશ્ચાત્ય રાજ્યશાસ્ત્રના પંડિતોના મગજની ક્ષમતાની બહાર છે. ભારતના રાજકીય પક્ષો અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ તો તે સમજી શકે.

હજારો વર્ષ જુના ભારતીય જનતંત્રમાનસ જેને મહાત્મા ગાંધીએ પુનર્‍ જાગૃત કે નવજાગૃત કરેલઇન્દિરા ગાંધીએ તેને ૧૯૬૮થી ક્ષતિ પહોંચાડવી શરુ કરેલ અને ૧૯૭૫માં જનતંત્રીય માનસિકતાને સંપૂર્ણ ધરાશાઈ કરેલ. એજ ઇન્દિરા ગાંધી જેને આજે પણ નહેરુવીયન કોંગ્રેસીઓ એક આદરણીય અને પૂજનીય નેતા માને છે. આવી માનસિકતાવાળો પક્ષ રામરાજ્યની ઊંડાઈ કેવી રીતે સમજી શકે?

નહેરુવીયન શાસકોએ ને તેમણે સર્જેલી માનસિકતાએ, રામને ફક્ત ધાર્મિક વ્યક્તિ બનાવીને ભારતીય જનતાંત્રિક પરંપરાને ચીંથરેહાલ કરી દીધી છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં શપથ પૂર્વક કહ્યું કે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતા નહીં.

રામની મહાનતા, ભારતીયો સમજ્યા અને તે મહાનતા અદ્વિતીય હોવાને કારણે તે રામને તેમણે ભગવાન બનાવી દીધા.

ભગવાન એટલે શું?

ભગઃ એટલે તેજ. આકાશમાં  સૌથી વધુ તેજસ્વી પદાર્થ હોય તો તે સૂર્ય છે. સૂર્ય, પૃથ્વીને ધારણ કરે છે. સૂર્ય માત્ર અગ્નિનો ગોળો નથી. ભારતીયો સાંસ્કૃતિક રીતે અને તાત્વિક રીતે કુદરતી શક્તિઓને ફક્ત સજીવ નહીં, પણ સજીવ ઉપરાંત તેમને દેવ પણ માને છે. સૂર્ય પણ એક મહાન દેવ છે. સૂર્યને લીધે પૃથ્વી ઉપર પ્રણાલીગત વ્યાખ્યા પ્રમાણે કહેવાતી સજીવ સૃષ્ટિ થઈ અને ટકી રહી છે. સૂર્યની પાછળ રહેલો દેવ, વિષ્ણુ છે. એવી માન્યતા છે કે જેમ સૂર્ય પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ આજ વિષ્ણુ, અવારનવાર યુગપુરુષ રુપે જન્મી પૃથ્વીના સજીવસમાજનું રક્ષણ કરે છે.

માન્યતા, કંઈ ભારત એકલામાં ચાલી છે એવું નથી. મેક્સીકોથી શરુ કરી ઈજીપ્ત અને જાપાન સુધી માન્યતા પ્રવર્તે છે કે રાજા (કે અમુક રાજાઓ) સૂર્યના અવતાર છે.         

રામ મંદિર થવું જોઇએ કે નહીં?

કોનું પૂજન થાય છે?

જેનું અસ્તિત્વ હોય તેનું પૂજન થાય છે. પ્રાકૃતિક શક્તિઓનું અસ્તિત્વ છે તેથી તેનું પૂજન થાય છે. કેટલાક દેહધારીઓએ અભૂત પૂર્વ કાર્યો કરેલા, એવું જે સમાજને લાગ્યું, તે સમાજે તેમનું પૂજન શરુ કર્યું. તેમના મંદિરો બનાવવામાં આવ્યાં. આવી પ્રણાલી ફક્ત ભારતમાં છે તેવું નથી. આવી પ્રણાલી પૂરા વિશ્વમાં છે. અત્યારે મરેલા નહીં પણ જીવતા મનુષ્ય દેહધારી ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં અસ્તિત્વ ધરાવે છે.

પણ વિશ્વમાં એવી પ્રણાલી ક્યાંય નથી કે જેનું ફક્ત સાહિત્યિક અસ્તિત્વ હોય, તેનું પણ પૂજન થાય અને તેના પણ મંદિરો બને.

કોઈ પણ એક મહામાનવને લો. તેમની  બાબતમાં એકથી વધુ લેખકો, તેમની જીવન કથા કે પ્રસંગોની કથાઓ લખશે. પોતાની રીતે મૂલવશે. મહાત્મા ગાંધી વિષે હજારો મૂર્ધન્યોએ લખ્યું છે અને લખ્યા કરશે. પોતાની રીતે તેમના જીવનને અને તેમના જીવનના અનેક પ્રસંગોને મૂલવશે. ગાંધીજી જ્યાં જ્યા ફર્યા ત્યાં ત્યાં તેમના સ્મૃતિઓ અને સ્મારકો પણ નિર્માણ પામશે. જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. જ્યાં રહ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. બધા મહાપુરુષો વિષે આવું કંઈક વત્તે ઓછે અંશે થાય છે અને થતું રહેશે.

સરસ્વતીચંદ્ર, જયા જયંત, ડૉન કિહોટે, ભદ્રંભદ્ર, મહેન્દ્રકુમારી, રા તાઈ, ટારઝન, સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર, કેપ્ટન મારવેલ વિગેરેને શું કોઈ પૂજશે? કે તેમના ધાર્મિક અને ક્રિયાસ્થળો પર સ્મારકો બનાવશે. હા એક વાત જરુર છે કે લોકો કંઈક વિચાર ગ્રહણ કરશે. ભદ્રંભદ્રએ માધવ બાગમાં ધર્મસભામાં ભાષણ આપેલ. ત્યાં શું તેમનું સ્મારક થશે? ભદ્રંભદ્રની જન્મ જયંતિ આપણે મનાવીશું? હા પણ વિવેકાનંદના સ્મૃતિ ચિન્હો આપણને ઠેર ઠેર મળશે.

માની લો કે ચાણક્યને આપણે ભગવાન માન્યા.

“ચાણક્ય”ના નામનો આપણે એક ધર્મ બનાવ્યોતે ધર્મને ફેલાવ્યો. કાળક્રમે કોઈ પણ રીતે તેનું જન્મ સ્થળ ધ્વસ્ત થઈ ગયું. નહેરુવીયનોએ પણ નહેરુના નામનો એક ધર્મ બનાવ્યો. અને જ્યાં જ્યાં ચાણક્યના સ્મૃતિ ચિન્હો હતા ત્યાં ત્યાં તેમણે ચર્ચ બનાવી દીધાં, અને જાહેર કરી દીધું કે ચાણક્ય જેવું કોઈ થયું નથી અને એવું કોઈ હોઈ શકે નહીં. એમ કંઈ એક બ્રાહ્મણ પોતાના અપમાનનો બદલો લેવા માટે, ૧૨ લાખના સૈન્યબળવાળા રાજાના સામ્રાજ્યને ઉથલાવી શકે? કદી નહીં. “કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના”. ચાણક્ય”ના ધર્મ વાળા તો ગાંડા છે. તેઓ એક કપોળકલ્પિત  વ્યક્તિની પૂજા કરે છે. આ એમનું એક ગાંડપણ છે. ચાણક્ય તો દંતકથાનું પાત્ર માત્ર છે.

જે એલ નહેરુનું મહત્વ વધારે છે કે ચાણક્યનું?

ચાણક્ય તો જે એલ નહેરુથી ૨૩૦૦+ વર્ષ સીનીયર છે. તેથી ચાણક્યનો અધિકાર પહેલો છે. હા પણ વાત ત્યારે બને જો આપણે ચાણક્યને ઐતિહાસિક વ્યક્તિ માનીએ તો.

હિન્દુ પ્રણાલી પ્રમાણે મૃતદેહ અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. મનુષ્યનો અંતિમ યજ્ઞ છે. ઈશ્વરે આપણને દેહ આપ્યો, આપણે તે દેહ, ઈશ્વરને સમર્પિત કર્યો. ઇશ્વરનું મુખ અગ્નિ છે. તેથી ઈશ્વરને આપણે અગ્નિ મારફત દેહ આપી દીધો. દેહવિસર્જનનો યજ્ઞ સ્મશાનમાં થાય છે. એટલે હિન્દુઓમાં કબર હોતી નથી.

મહામાનવોની યાદમાં જન્મભૂમિ અને કર્મભૂમિ (ભુમિઓ) હોય છે. એટકે ત્યાં સ્મૃતિચિન્હો બનાવવામાં આવે છે. કર્મભૂમિ અનેક હોય છે. જન્મભૂમિ અનેક હોતી નથી. જો વિદેશીઓ આવે અને તે ધર્મસ્થળને તોડીને નવું પોતાનું ધર્મસ્થળ બનાવી દે તો, અને સો ટકા ધર્મ પરિવર્તન થઈ જાય તો, આખી વાત ભૂલાઈ જાય છે. પણ જો વિદેશીઓ ૧૦૦ ટકા ધર્મ પરિવર્તનમાં નિસ્ફળ રહે તો લોકવાયામાં તે જન્મ સ્થળ જીવિત રહે છે.

ભારતમાં એવું થયું કે વિદેશી આક્રમણો થયાં ખરાં અને વિદેશીઓએ બળપ્રયોગ પણ કર્યો. પણ ભારતીય હિન્દુધર્મ અતિ પ્રાચીન, સુગ્રથિત, તર્ક અને સંવાદ આધારિત હોવાથી વિદેશીઓ મોટે ભાગે  અભણ અને ગરીબોનું ધર્મપરિવર્તન કરી શક્યા. અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકા જેવું ભારતમાં થયું. ત્યાં અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકામાં તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં વિકસિત સંસ્કૃતિ ફક્ત ઇતિહાસના પાનાઓ ઉપર રહી ગઈ.

અહીં ભારતમાં પણ ખ્રીસ્તીધર્મ ગુરુઓએ અને શાસકોએ ભરપૂર પ્રયત્નો કરેલ. પણ તેઓ એવું કરી શકે તે પહેલાં તો તેઓએ ઉચાળા ભરવાનો સમય આવી ગયો. કેટલાક વિદેશીઓ, બે વાત ભારતના હિન્દુઓ પાસેથી શિખીને ગયા. એક એ કે ધર્મ શ્રદ્ધાનો વિષય નથી પણ સંવાદ અને સહિષ્ણુતાનો વિષય છે. બીજી વાત શિખીને ગયા કે ભારતમાં તો ચક્રવર્તી રાજા અશોક પણ પોતાનો ધર્મ (બૌદ્ધ ધર્મ) ૧૦૦ ટકા સ્થાપવામાં નિસ્ફળ ગયેલ તો “અમે (ખ્રિસ્તીઓ) તે વળી કોણ?”

હા. તમે વિદ્વાનો સાથે ચર્ચા કરો અને શંકરાચાર્યની જેમ જીતો તો જુદી વાત છે. પણ તમારી તો પ્રણાલી હતી.

જનતંત્રમાં રામ મંદિર કેવી રીતે બની શકે?

હિન્દુઓ અને મુસ્લિમોના ધર્મગુરુઓ જો પરસ્પર સહમતી બનાવે તો રામ મંદિર બનવું શક્ય છે.

મુસ્લિમો પણ મનુષ્ય છે. માનવતા, કોઈ એક ધર્મનો ઈજારો નથી. મુસ્લિમ રાજાઓ પણ ધર્મથી ઉપર જઈને ન્યાય કરતા હતા. એટલે મુસ્લિમો પાસેથી સદભાવનાની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

પણ નહેરુવીયન કોંગ્રેસ જેવા અનેક દંભી અને વંશવાદી પક્ષો છે જેઓનું કામ લોકોને વિભાજીત કરવાનું છે. જેઓ સરદાર પટેલના જ્ઞાતિ બંધુઓને જેઓ પૈસાપાત્ર જ્ઞાતિઓમાં બીજે નંબરે છે તેમને પણ બહેકાવીને અતિનિમ્ન કક્ષાએ લઈ જઈને તેમને માટે અનામતનું ભૂત ધૂણાવી શકે છે તેમને માટે તો મુસ્લિમોને મમત ઉપર ચડાવવા ડાબા હાથનો ખેલ છે.

વર્તમાન પત્રોના કટારીયા માંધાતા પણ અનામતના ગુણદોષની ચર્ચા કરવાને બદલે બીજેપી કેવો તકલીફમાં આવી ગયો અને પાટીદારો કેવું કેટલું વ્યાપક આંદોલન કરી રહ્યા છે તેમાં રચ્યા પચ્યા રહે છે. આવા સમાજમાં ફક્ત ન્યાયાલયનો ચૂકાદો રામમંદિરનો પ્રશ્ન ઉકેલી શકે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, વચન, પ્રતિજ્ઞા, નહેરુવીયન, નહેરુ, ઇન્દિરા, મહાત્મા ગાંધી, રામરાજ્ય, રાજારામ, અર્થઘટન, નિયમ, પરિવર્તન, પ્રણાલી, શાસક, અધિકાર, ઈશ્વર, મનુ, અધિકારી, જનતંત્ર, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, નિરીક્ષણ, સત્તા, ઋષિ,

      

 

  

 

 

Read Full Post »

Where has he been lost who walked on this earth in flesh and blood.

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ /

એક વાત આપણે ફરીથી યાદ રાખી લેવી જોઇએ કે વ્યક્તિ અને સમાજ પ્રણાલીઓને આધારે ચાલે છે. સમાજમાં વ્યક્તિઓનો વ્યવહાર પણ પ્રણાલીઓના આધારે ચાલે છે.

નિયમોનું પાલન પ્રણાલીઓની અંતર્ગત આવે છે. ભીન્ન ભીન્ન જુથોની વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર અને જુથો વચ્ચેનો વ્યવહાર પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છેનિયમો, કર્મકાંડ, પૂજા, અર્ચના પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છે.

માનવ સમાજ પ્રણાલીઓના આધાર ઉપર ચાલે છે. પ્રણાલીઓના પાલન કરતાં કરતાં માનવ સમાજ ઉંચો આવે છે.

સમાજ ઉંચો આવે છે એટલે શું?

સમાજની સુખાકારી આને જ્ઞાનમાં વધારો થાય તો તેને સમાજ ઉંચો આવ્યો એમ કહેવાય. સમાજના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એટલે સમાજને ખબર પડે કે સમાજમાં ચાલતી પ્રણાલીઓમાં કેવા ફેરફારની જરુર છે. જો નવી પ્રણાલીઓ લાવવી હોય તો કેવી સુવ્યવસ્થિત રીતે લાવવી પડશે.

શાસકનું કર્તવ્ય છે કે તે સ્થાપિત પ્રણાલીઓનું જનતા પાસે પાલન કરાવે અને ખુદ પણ પાલન કરે.

કેટલીક પ્રણાલીઓ કોઈ સમાજમાં વિકલ્પ વાળી હોય છે.

જેમકે પુરુષે એક સ્ત્રી સાથે લગ્ન કરવું કે એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવું કે કરવું કે જો એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન કરવું એમ હોય તો વધુમાં વધુ કેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરવું. જીવન પર્યંત એક સ્ત્રી સાથે પરિણિત જીવન વિતાવવું કે તે સ્ત્રી હોય તો કે બીજા કોઈ કારણસર કે અમુક સંજોગોમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું.

આવા અને બીજા અનેક વિકલ્પ વાળા બીજાં બંધનો પણ હોય છે. આવા બધા વિકલ્પોમાં જે આદર્શ વિકલ્પ માનવામાં આવતો હોય તો તે વૈકલ્પિક પ્રણાલીનું સૌ પાલન કરે તે ઇચ્છનીય છે.

આવા આદર્શ વિકલ્પનું પાલન કરવું આદર્શ શાસક માટે આવશ્યક છે. આદર્શ શાસકે નિષ્ઠાપૂર્વક આદર્શ પ્રણાલીઓનું પાલન કરવું આવશ્યક છે .

શાસક એટલે શું?

રાજા કે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે જેના ઉપર પ્રણાલીઓનું પાલન કરવવાની જવાબદારી છે અને તેણે/તેમણે તે સ્વિકારેલી છે તેને/તેમને શાસક કહી શકાય.

કામ સેવા ભાવે કરવા માટે સ્વિકારવામાં આવ્યું હોય

કે કોઈ નિશ્ચિત/અનિશ્ચિત, પ્રત્યક્ષ કે પરોક્ષ સગવડોના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે માન અકરામ ના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે કોઈપણ પ્રણાલી અંતર્ગત જો સ્વિકારવામાં આવ્યું હોય,

તો તે સ્વિકારવા માત્રથી તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ શાસક તરીકે મનાશે.

રામે શું કર્યું?

રામે એક આદર્શ રાજાનું પાત્ર નિભાવ્યું.

રામે ફક્ત એક સ્ત્રી સાથે એટલે કે સીતા સાથે લગ્ન કર્યું. અને એક પત્નીવ્રત નિભાવ્યું.

વનવાસ દરમ્યાન તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું.

રાવણને હરાવ્યા પછી સીતાની પવિત્રતાની પરીક્ષા કરી.

આમ તો સીતા પવિત્ર હતી કારણ કે અશોકવાટિકા અંતર્ગતના નિવાસ દરમ્યાન તે ગર્ભવતી થઈ હતી. જો રાવણે કે બીજા કોઈએ સીતા સાથે શારીરિક સંબંધ રાખ્યો હોત તો સીતા જરુર ગર્ભવતી થઈ હોત.

રામે જનતાની કે કોઈ એક વ્યક્તિની કે વ્યક્તિઓની શંકાને કારણે, તે શંકા ઉપરથી બોધ લીધો અને સીતાનો ત્યાગ કર્યો. સીતાને ત્યાગતી વખતે સીતા ગર્ભવતી હતી. રામે સીતાને વાલ્મિકીના આશ્રમમાં રાખવાની ગોઠવણ કરી. આમ રામે સીતાની અને તેને થનાર સંતાનની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી.      

રામે સીતાના ત્યાગ કર્યા પછી કોઈ બીજા લગ્ન કર્યા નહીં. એટલું નહીં પણ જ્યારે યજ્ઞના ક્રિયાકાંડમાં પત્નીની જરુર પડી તો પણ રામે બીજા લગ્ન કર્યાં નહીં. આવે સમયે શાસ્ત્રો દ્વારા માન્ય વિકલ્પ તરીકે, સીતાના પ્રતિકને સ્થાપી ધાર્મિક પ્રણાલી સંપન્ન કરી.

બધી વાતોથી સિદ્ધ થાય છે કે રામ ફક્ત સીતાને પ્રેમ કરતા હતા અને સીતાને પત્ની માનતા હતા. સીતા સિવાય તેમને કોઈને પણ તેઓ પોતાની પત્નીનું સ્થાન આપવા માગતા હતા.

રામે તો કોઈ ઢંઢેરો પીટ્યો કે પોતે કેવા ત્યાગી છે, પોતે કેવા આદર્શ છે કે તેમણે પોતાની પત્નીને દુઃખની ખીણમાં નાખીને પણ રાજધર્મ નિભાવ્યો.

રામે તો એવો કોઈ ઢંઢેરો પીટાવ્યો કે પોતે પોતાના કૌટૂંબિક જીવન ઉપર પણ, રાજધર્મને ખાતર કેવો અન્યાય કર્યો,

રામે તો પોતાના ફાયદા માટે એવો પ્રચાર કરાવડાવ્યો કે પ્રણાલીમાં બદલાવની જરુર છે,

રામે રાજા હોવા છતાં પણ અને મહેલમાં રહેતા હોવા છતાં પણ કોઈ શારીરિક સગવડો ભોગવી પણ સીતાની જેમ વનવાસીના જેવી જીંદગી જીવી. અને છતાં પણ રાજધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવ્યો.

શું રામે બધું સત્તામાં ચાલુ રહેવા માટે કર્યું હતું?

ના જી. રામને તો સત્તાનો મોહ હતો તો તેમને સુવિધાઓનો મોહ હતો. જો રામે ઈચ્છ્યું હોત તો તેમણે ૧૪ વર્ષનો વનવાસ સ્વિકાર્યો હોત. તેમના હિતેચ્છુઓ દ્વારા આંદોલન કરાવી શક્યા હોત. અને કૈકેયીને બદનામ કરાવી શક્યા હોત.

આવું કરત તો પણ પિતાની આજ્ઞાને, તે આજ્ઞાને થોડી સ્થગિત કરાવડાવીને ભરત આવે ત્યાં સુધીનો સમય પસાર કરાવી શક્યા હોત. ભરત દ્વારા જનાઅંદોલન કરાવી શક્યા હોત.

આવું કર્યા વગર પણ, જ્યારે ભરત મોસાળથી અયોધ્યા પાછો આવ્યો અને ભરત તેમને શોધીને મળવા આવ્યો ત્યારે ભરતે પોતાના રાજાપણાના હોદ્દાની રુએ રામને અયોધ્યાની રાજગાદી સ્વિકારવાનું કહેલ. ત્યારે રામ ખુશી ખુશી તે વખતે અયોધ્યાની રાજગાદી સ્વિકારી શક્યા હોત. આમ કરવાથી પ્રણાલીનો ભંગ થાત અને ઘીના ઠામમાં ઘી ઢોળાયેલું રહેત. પણ આમ કરવાથી વરિષ્ઠ રાજા દશરથની આજ્ઞાનો આત્મા હણાઈ જાત. રાજાની આજ્ઞાનું પાલન થયું ગણાત પણ તેમાં તો રાજાની આજ્ઞાના પાલનની નિષ્ઠા હોત તો તેનો આત્મા હોત. આવી સમજણ ભારતમાં દશ હજાર વર્ષ પહેલાં પ્રવર્તતી હતી અને માન પામતી હતી.

પણ એજ ભારતમાં નહેરુવીયનોએ શું કર્યું?

નહેરુએ ભારતની સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે તે અને તેમનો પક્ષ, ચીનની સાથેના ભારતના યુદ્ધમાં ભારતે ગુમાવેલી ભારતીય ભૂમિને પાછી મેળવ્યા સિવાય આરામથી બેસશે નહીં. નહેરુતો પછી પોતાની જીંદગી જીવી ગયા. અને દેહરાદુનમાં આરામ ફરમાવતા ફરમાવતા એક સવારે ગુજરી ગયા. પણ તેમની પ્રાથમિકતા કદીય પોતે લીધેલી પ્રતિજ્ઞાના પાલનની રહી નહીં. તેમની પ્રાથમિકતા તેમની ઉતરાધિકારિણી તેમની પુત્રી કેવી રીતે બને તે રહી. આવી કોઈ પ્રણાલી આપણી લોકશાહીમાં નથી કે શાસકવ્યક્તિનું સંતાન તે શાસકનું અનુગામી બની તે પદભાર સંભાળે. પણ નહેરુએ પોતાના વડપણના પરિબળની રુએ પોતાની ગેંગદ્વારા નવી પ્રણાલી સ્થાપવાની ભરપૂર કોશિસ કરી.

નહેરુના સંતાન ઇન્દિરા ગાંધીએ વારસાગત પદભાર સંભાળવાનો લાભ લેવાનો અને ભોગવવાનો લાભ લીધો, પોતાની વારસામાં મળેલી પ્રતિજ્ઞાને સ્પર્શ પણ કર્યોતેણે નવી સમસ્યાઓ અને પ્રણાલીઓ પોતાના લાભ માટે બનાવી. જેમકે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં પોતાના પક્ષના એક ઉમેદવારનું આવેદન પત્ર ભર્યું પણ તે તેમને પસંદ હોવાથી, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની જાહેરાત કરી. આવી જાહેરાત કરવાની પ્રણાલી હતી. છતાં પણ પોતાના સંસાધનો દ્વારા ભરપૂર પ્રચાર કર્યો. પણ એજ ઈન્દીરા ગાંધીએ પછીના સત્રના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની પોતે પ્રસ્તૂત કરેલી પ્રણાલીને નકારી કાઢી.

ઇન્દિરા ગાંધીએ જાહેરમાં વચન આપેલ કે તે જે બંગ્લાદેશી બિહારી મુસ્લિમો (બીન બાંગાભાષી) એક કરોડની સંખ્યામાં ભારતમાં ઘુસી ગયા છે તેમને પાછા મોકલી દેશે. પણ વચન પોતે તે પછી ૧૪ વર્ષ રાજ કર્યું તો પણ તે વચનનું પાલન કર્યું નહીં. અને નવી આતંકવાદી સમસ્યાઓ ઉભી કરી તે જુદી. ભારતપાકિસ્તાનના યુદ્ધના નગારા ૧૯૬૯થી વાગતાં હતાં. અને ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના સંરક્ષણ મંત્રી જગજીવનરામે ઇન્દિરાની સરકાર તરફથી જાહેર કરેલ કે વખતે ૧૯૬૬ની પાકિસ્તાન સાથેની સંધિમાં થયેલી ભૂલનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. એટલે કે જે કંઈ પાકિસ્તાનની ભૂમિના હિસાઓ જીતીશું તેને પાછા આપીશું નહીં. પણ સિમલા કરાર હેઠળ જીતેલી ભૂમિ નહીં પણ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મિરનો જે ભૂભાગ ભારતીય લશ્કરે જીતેલો તે પણ પાછો આપી દીધેલ. વાત તો ભરતીય બંધારણ થી સ્થપાયેલ સિદ્ધાંતોથી વિપરિત વાત હતી. પેકેજ ડીલ દ્વારા પાકિસ્તાનને સીધું કરવાની વાત તો યાદ કરવામાં આવી. આવા વચનભંગોની તો પરંપરા સ્થપાઈ.

જ્યારે શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલીઓ  સ્થાપવાની અને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે ત્યારે દેશની આબરુ કેવી રસાતાળ થાય અને શાસક/શાસક જુથની નીતિમત્તા કેટલી હદે પતનને પામે છે તે જોઇએ.

 ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાનું વચન આપેલઆવા ખોટા વચન ઉપરાંત તેઓશ્રીએ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરી જીત્યાં હતાં. એટલે તેમના પ્રતિસ્પર્ધીએ તેમની સામે ઉચ્ચન્યાયાલયમાં કેસ કર્યો. ન્યાયાલયે નોંધ્યું કે ઇન્દિરા ગાંધી ન્યાયાલયની સામે જે કંઈ પ્રતિજ્ઞા પૂર્વક બોલ્યાં તેમાં ૧૬ ઉચ્ચારણો જૂઠાં હતાં. તેમની ચૂંટણી રદ થઈ. અને ઇન્દિરાને વર્ષ માટે ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં. બધું ભારતીય બંધારણમાં સ્થપાયેલા નીતિનિયમો અને પ્રણાલીઓને આધારે થયું હતું. હવે જો શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલિઓ સ્થાપવાની અને પ્રણાલીમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે તો શું થઈ શકે તે જોઇએ.

ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા લાલસા પોષવા શું શું કર્યું?

માનવ અધિકારો, બંધારણીય અધિકારો અને કુદરતી અધિકારો પણ સ્થગિત કર્યા. શા માટે?

પોતાની સામે ઉભા થયેલાખતરાનેદેશની સામે ઉભા થયેલા ખતરાતરીકે ખપાવ્યો. રાતો રાત પોતાના મહાકાય ચિત્રો વાળા પોષ્ટરો છપાયા અને દિવાલો ઉપર ચીપકાવ્યા. તેની ઉપર લખાણ હતું જ્યારેદેશને વિભાજીત કરવા વાળા તત્વોદેશની ઉપર ત્રાટક્યા ત્યારે તે ચટ્ટાનની જેમ ઉભી રહી અને બધા પ્રહારો ઝીલી દેશને બચાવ્યો.” ઇન્દિરાએ બધા વિરોધીઓને જેલભેગા કર્યા. સમાચાર પત્રો લાંબા લહ થઈને ઇન્દિરાના પગમાં આળોટ્યા. ન્યાયાલયના ચૂકાદાઓ પણ જો શાસનની વિરુદ્ધ હોય તો દબાવવામાં આવ્યા. આવું બધું તો ઘણું થયું. જ્યારે તમે શાસકને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપો એટલે દેશ પતન પામે. તમે આને જનતંત્ર કહી શકો.

પ્રણાલીઓ બદલવાની આદર્શ પ્રક્રિયા શું હોવી જોઈએ?

પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા પ્રજા પાસે હોવી જોઇએ. પ્રજા તેના ઉપર ચર્ચા કરે અને પ્રજા તેનો મુસદ્દો ઘડે. વિદ્વાનો જેઓ શાસક દ્વારા લાભાન્વિત નથી તેઓ તેને સુઘટિત શબ્દોમાં પ્રસ્તૂત કરે અને રાજાને કહે કે હવે તમે પ્રણાલીનું પાલન કરાવો અને કરો.

અહી રમાયણમાં શું થાય છે.

રામ તો સીતાને પાછી લાવવા માટે કશું કરતા નથી. રાજા પોતાના અંગત લાભ માટે કશું કરે તેવી પ્રણાલી રાજા તરફથી સૂચિત થાય તેવી પ્રણાલી હતી નહીં. રાજા પોતે તો નવી પ્રણાલી સૂચવી શકે નહીં. રામે પોતાની નિંદા કરનારાઓને જેલમાં પણ મોકલ્યા.

તો રામે શું કર્યું?

સીતા વાલ્મિકીના આશ્રમમાં હતી. વાલ્મિકીએ સીતાની બધી વાત સાંભળી. વાલ્મિકીને થયું કે બીજી બધી વાત તો ઠીક છે મારા ભાઈ, પણ સીતાને અન્યાય થયો છે. એટલે વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું. અને રામ કથાનો લવ અને કુશદ્વારા જનતામાં પ્રચાર કરાવડાવ્યો. જનતાને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવવા માંડ્યો. જનતાએ રામ ઉપર દબાણ કર્યું.

પણ જે અધાર પર એટલે કે જે તર્ક ઉપર પ્રણાલીનો આધાર હતો, તે તર્કને કેવી રીતે નકારી શકાય? નવી કઈ પ્રણાલી સ્થાપાય કે સીતાની પવિત્રતા સિદ્ધ થાય. જે આધાર પર રામ શુદ્ધ હતા તે આધાર પર શું સિતા શુદ્ધ હતી? વાલ્મિકી અને તેમનો પૂરો આશ્રમ સીતાના ચાલચલન ઉપરથી સ્પષ્ટ હતો કે સીતા શુદ્ધ હતી. એટલે એવી પ્રક્રિયા સ્થપાય કે વાલ્મિકી અને વશિષ્ઠ બંને પ્રમાણ પત્ર આપે કે સીતા શુદ્ધ છે. આપણે જોઇએ શકીએ છીએ કે પૂરી પ્રક્રિયામાં રામનું કોઈ દબાણ આવતું નથી. રામનો કોઈ આગ્રહ પણ નથી. રામનો આદર્શ અભૂતપૂર્વ અને અનુપમ છે.

સીતા રામની પત્ની હતી. રામે શું પત્ની સાથે અન્યાય કર્યો કહેવાય?

રામે સીતાનો ત્યાગ કર્યો તો શું વાત સીતા ઉપર અન્યાય થયો કહેવાય?

સીતા તો રામની પત્ની હતી. સીતાના પત્ની તરીકેના અધિકારો હણાયા તેનું શું?

વાત માટે કોણ દોષિત છે?

રામ પોતે તો છે, એનું શું?

રામે પતિધર્મ કેમ બજાવ્યો? રામે સીતાના લગ્ન સમયે શું સીતાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી? અગ્નિ સામે લીધેલી પ્રતિજ્ઞાનું શું?

રામે રાજગાદી છોડી દેવી જોઈતી હતી. રામે રાજગાદીનો સ્વિકાર કર્યો અને પોતાના પતિધર્મનું પાલન કર્યું તેનું શું?

રામનો રાજધર્મ અને રામનો પતિધર્મ

રામની પ્રાથમિકતા રાજ ધર્મનું પાલન કરવાની હતી. રામ પોતે જન્મ્યા તેની સાથે તે દશરથ રાજાના જ્યેષ્ઠ પૂત્ર હોવાના કારણે રાજધર્મ તેમને માટે પ્રાથમિકતા બની ગયો હતો. એક પ્રણાલીગત પ્રાથમિકતા હતી.

સીતા રામની પત્ની નહીં પણ પ્રણાલી પ્રમાણે રામની રાણી પણ હતી. સીતાને રાણી હોવાથી રાજની સુવિધાઓનો અને માન અકરામનો ઉપભોગ કરવાનો  અધિકાર મળતો હતો. જ્યારે આવું હોય ત્યારે રાણીનો ધર્મ બને છે કે રાજાની આપત્તિની પણ તે સહભાગી બને. રાજાની રાણી જ્યારે પ્રતિકુળ પ્રણાલીઓના પાલન કરવાની વાત આવે ત્યારે તે પલાયન વૃત્તિ રાખી શકે. જો રાજાને પ્રણાલીના પાલન કરવામાં રાણીનો ત્યાગ કરવો પડે તો રાણીએ તે માન્ય રાખવું પડે.

રામાયણની કથા, હાડમાંસના બનેલા માનવીય સમાજની એક મહા કથા છે. સીતા પણ હાડમાંસની બનેલી હતી. સીતાએ પોતાના હાડમાંસના બનેલા શરીરથી વિચાર્યું કે શુદ્ધતા ની વાત તો બહુ લાંબી ચાલી. જો આવું ચાલ્યા કરશે તો મારે કોણ જાણે કેટલીય વાર મારી શુદ્ધતા સિદ્ધ કરતા રહેવું પડશે.

સીતા ખીણમાં પડી આત્મહત્યા કરી લે છે.

જનક રાજાને સીતા કોઈ ખેતરની ધરતી ઉપરથી મળેલી. તે સીતા ધરતીની પૂત્રી હતી અને તે ધરતીમાં સમાઈ ગઈ. લેખકે તેને રસાત્મક બનાવવા માટે લખ્યું કે ધરતી ફાટી અને ધરતીમાતા સિંહાસન લઈને આવ્યાં ને તે પોતાની પૂત્રી સીતાને સિંહાસન ઉપર બેસાડી માન સાથે લઈ ગયાં. રામે ધૂમધડાકા કર્યા વગર પોતાની મહાનતા બતાવી, સીતાએ પણ તેજ રીતે ચૂં ચાં કર્યા વગર પોતાની મહાનતા બતાવી.

શું રામ માટે અંતિમ અગ્નિ પરીક્ષા હતી?

ના જી. રામે તો હજી અનેક પડાવ પસાર કરવાના હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝ્ સીતા, રામ, શાસક, રાજા, રાણી, વચન, પ્રણાલી, પરિવર્તન, ઇન્દિરા, નહેરુ, કટોકટી, અધિકાર, યોગ્યતા, અયોગ્ય, સત્તા, લાલસા, પતન, રાજ ધર્મ, પ્રાથમિકતા 

   

 

 

     

    

 

 

    

 

 

 

 

Read Full Post »

%d bloggers like this: