ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૨
Posts Tagged ‘સંસ્થા’
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ રોકવાના ઉપાયો
Posted in માનવીય સમસ્યાઓ, tagged અધિકારી, અધિકૃત, કોઓપરેટીવ, ગણત્રી, ચૂંટણી, નીગરાની, નોંધણી, પંચ, મતદાતા, મતદાર મંડળ, માહિતિ, રજીસ્ટ્રાર, રજીસ્ટ્રેશન, વસ્તી, વેબ સાઈટ, વ્યવહાર, સંસ્થા, સભા, સભ્ય, સોસાઈટી, સ્થાનિક, સ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર, સ્વાયત્ત, હોદ્દેદાર on April 27, 2013| Leave a Comment »
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ રોકવાના ઉપાયો
આ લેખ અગાઉના લેખના અનુસંધાનમાં છે.
રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર અને રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ બંને અલગ અલગ છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર ડીસ્ટ્રીક્ટ કલેક્ટરની સીમામાં આવે છે.
હાલ આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની વાત કરીશું
કોઓપરેટીવ સંસ્થાઓ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની નીચે આવે છે. એટલે કે કો-ઓપરેટીવ સંસ્થાઓની કાર્યવાહી ઉપર આ રજીસ્ટ્રારે નીગરાની રાખવાની હોય છે.
રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીઝ
રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીના બધા રેકોર્ડઝ ઓન લાઈન હોવા જોઇએ. તમે તમારી ઓળખ આપીને જે તે સોસાઈટી વિષે માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો છો.
હાલમાં જ્યારે પ્રોપર્ટી ની લે વેચ થાય ત્યારે તલાટી, કોઓપરેટીવ સોસાઈટીની કે કોઈપણ જમીનના ખરીદનાર/વેચનારના હોદ્દાની ખરાઈની તપાસ કરતા નથી. તેમજ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ, સોસાઈટીના કારભાર ઉપર કોઈ નીગરાની રાખતા નથી. તેથી ગોલમાલ ચાલ્યા જ કરેછે.
જોકે સરકાર હવે ખરીદનાર કે વેચનાર પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજો થવા દેતી નથી.
સરકાર હવે ખરીદનાર અને વેચનારને જાતે હાજર રહેવાની ફરજ પાડે છે. તેમના “પાન કાર્ડ” અને ઇન્કમટેક્સ ક્લીઅરન્સ સર્ટીફીકેટ (?) માગે છે. પણ શ્રી દેશબંધુ ગુપ્તા ના કહેવા પ્રમાણે દેશના ૪૦ ટકા પાનકાર્ડ બોગસ છે. તેમના હિસાબે આધારકાર્ડ એક કૌભાન્ડ છે. આ ઉપરાંત આધારકાર્ડ એ નાગરિક-કાર્ડ નથી.
નાગરિકતા માટે અને વ્યક્તિની ખરી ઓળખ માટે પાસપોર્ટ જ ખરી ઓળખ બને છે
રેવન્યુ રજીસ્ટ્રાર અને કો ઓપરેટીવ સોસાઈટીઝના રજીસ્ટ્રાર પાસે દરેક વ્યક્તિના પાસપોર્ટ કે નાગરિકતા કાર્ડ ઓન લાઈન હોવા જોઇએ. જેથી તે બનાવટ કરે છે કે કેમ તે તપાસી શકાય. કેટલાક માણસો જે અસામાજીક તત્વો છે તેમની પાસે એક કરતાં વધુ પાસ પોર્ટ હોઈ શકે છે. પણ સરકાર ધારે તો સરખામણી ના વિશિષ્ઠ પ્રોગ્રામ દ્વારા બનાવટ પકડી શકે.
રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ તેમની ફરજ બજાવતા નથી, તેથી જ કોઓપરેટીવ્ઝ સોસાઈટીના હોદ્દેદારો ગોલમાલ કરે છે. આમાં બીલ્ડરો કે ડેવેલપરો જે કહો તે, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ અને જનતા દ્વારા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના ક્ષેત્રને લગતી બાબતોમાં તેમજ સામુહિક રીતે સહકાર પૂર્વક ગોલમાલો કરે છે. આમાંના કોઈપણ અસરકારક ફરજો બતાવતા નથી.
રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝનું મુખ્ય કામ શું છે?
કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઓ તેના નિયમો પ્રમાણે કામ કરે.
એટલે કે પ્રમોટરોની ઓળખ, તેઓનું રજીસ્ટ્રેશન, સોસાઈટીનું રજીસ્ટ્રેશન, સભ્યોની નોંધણી, હોદ્દેદારોની ચૂંટણી, કાર્યવાહીઓ, ખરડાઓ, નિયમિત સભાઓ માટેના પત્રવ્યવહારો, સભાના એજન્ડા બનાવવા, તેને સભ્યોમાં યોગ્યરીતે વહેંચવા, સભાની નોટીસ, સભાની કાર્યવાહી, હિસાબો, ઓડીટ, નવા કામો, વિગેરેની નોંધણી, અને તે પછી સભાસદોને તેની વહેંચણી, વિગેરે અનેક પ્રકારની કાર્યવાહીની નોંધણીઓ હિસાબ કિતાબ, વિગેરે કામો કો ઓપરેટીવ સોઆઈટીએ કરવાના હોય છે અને તે સૌની વિગતોના રીપોર્ટો રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝને મોકલી આપવાના હોય છે.
આ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝ, કોઈપણ જાતની નીગરાની રાખતા નથી. વર્ષો સુધી કોઈપણ જાતના રીપોર્ટ ન મળે તો પણ તેમના પેટનું પાણી હાલતું નથી. એટલું જ નહીં પણ અગર કોઈ રીપોર્ટ મળ્યા હોય તો પણ તેની ખરાઈની ચોકસાઈ કરતા નથી, એટલું જ નહીં પણ તેઓ કોઈપણ રેકોર્ડ જરુર પડે ગુમ પણ કરાવી દે છે.
આ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝને જવાબદાર બનાવવો. એટલું જ પૂરતું નથી, આ રજીસ્ટ્રારનું કાર્યક્ષેત્ર વાસ્તવિક રીતે સક્ષમ અને જનતાગામી બને તે માટે એક ઝોન દીઠ એક રજીસ્ટ્રાર નિયુક્ત કરો.
દરેક કોઓપરેટીવ્ઝ સોસાઈટીના રીપોર્ટોને, કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રારે, ઓનલાઈન મુકવા જોઇએ. કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રાર જ સોસાઈટીમાં થતા ક્રમબદ્ધ ફેરફારોનો પૂરો ઈતિહાસ રાખશે. અને તેજ અધિકૃત ગણાશે.
રજીસ્ટ્રેશનઃ
એવી કઈ કઈ બાબતો છે જેમાં રજીસ્ટ્રેશન જરુરી છે?
જાહેર જનતા સાથે જે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વ્યવહાર કરતી હોય તેનું રજીસ્ટ્રેશન હોવું જરુરી હોવું જોઇએ.
દુકાનો, ફેક્ટરીઓ, પેઢીઓ, સેવા સંસ્થાઓ, ટ્રસ્ટો, શિક્ષણ સંસ્થાઓ, ઓફિસો, મનોરંજન સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરાંઓ, વાહનો, કોંન્ટ્રાક્ટરો, મંદિરો, વિગેરે. સેવાસંસ્થાઓમાં સરકારી ઓફીસો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને તેની કાર્યવાહીઓ પણ આવી જાય.
જે કોઈ સંસ્થાને લાઈસન્સ આપવામાં આવે અને તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેની પૂરતી માહિતિ તે સરકારી અને તે સંસ્થાની વેબસાઈટ ઉપર હોવી જોઇએ.
દરેક સંસ્થાની પછી ભલે તે વ્યક્તિગત, કૌટુંબિક સંસ્થા હોય, ભાગીદારી, પ્રાઈવેટ લીમીટેડ, કે પબ્લીક લીમીટેડ સંસ્થા હોય, તે સૌની વેબસાઈટ ઓન લાઈન હોવી જ જોઇએ.
દરેક વેબસાઈટ ઉપર તે સંસ્થા કઈ જાતની છે અને જનતા તેની વિષે કઈ જાતની માહિતિની અપેક્ષા રાખી શકે તેને અનુરુપ સરકારે તેને ઓછામાં ઓછી જરુરી ગણી વેબસાઈટ ડીઝાઈન કરવી જોઇએ. તે સંસ્થાએ તેમાં માહિતિ અપલોડ કરી સરકારને સીડી આપવી જોઇએ. સરકાર તેને ઓન લાઈન મુકશે.
દાખલા તરીકે એક દુકાન
દુકાનના માલિક કે માલિકોના પૂરા નામ, તેના ફોટા, તેની ઓળખ નગારિક કાર્ડ, મ્યુનીસીપાલીટીના રેકોર્ડ પ્રમાણે (સ્થાનિક લોકસ્વરાજની ઓફિસના રેકોર્ડ પ્રમાણે) તેનું સરનામુ, સંસ્થાનું સરનામું, વ્યક્તિની અને સંસ્થાની પ્રોફાઈલ, ધંધાની વિગત, ફોન નંબરો, ઈમેલ એડ્રેસ, નજીકના ભવિષ્યની (છ માસની અંતર્ગત) યોજનાઓ, ધંધાદારી સંબંધિત સંસ્થાના નામ અને લીંક, ગ્રીવન્સીસ કે મેસેજ બોક્સ, સેલ્સ ટેક્સ, વેટ, આઈ.ટી. એકાઉન્ટનંબર, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાએ આપેલ રજીસ્ટ્રેશન નંબરો, ટ્રેડમાર્ક જેવી માહિતિઓથી સભર એક સ્ટાન્ડર્ડ વેબસાઈટ સરકારે બનાવવી જોઇએ.
આ કેવીરીતે થઈ શકે?
જે અરજી પત્રક હોય તેમાં આ બધી વિગતોની કોલમો હોય અને તેને જ્યારે લાયસન્સ મળે ત્યારે તેની વિગત ભરાઈ જાય. જે તે વ્યક્તિને જે તે માહિતિની જરુર હોય અને સરકારે તેને આપવા યોગ્ય રાખી હોય તે માહિતિ તે વ્યક્તિ ઓન લાઈન દ્વારા લઈ શકે છે. સરકાર પાસે તો બધી જ માહિતિ હોવી જોઇએ.
તો પછી માહિતિ અધિકારીની જરુર શા માટે?
જેમને ઈન્ટરનેટ કનેક્સન ન હોય અને જેમને તેવી આવડત ન હોય, તેઓ માહિતિ અધિકારી પાસેથી માહિતિ માગી શકે. અને કારણ કે માહિતિ અધિકારી એક સુશિક્ષિત અધિકારી છે તે અરજદારો પાસેથી મહેનતની ફી વસુલ કરી અરજદારને અધિકૃત હાર્ડ કોપી આપશે.
વેબસાઈટ ફરજીયાત બનાવોઃ
દરેક દુકાનના સાઈનબોર્ડ ઉપર તેના રજીસ્ટ્રેશન નંબર, વેબસાઈટનું નામ ધ્યાન જાય એ રીતે ફરજીયાત લખેલું હોવું જોઇએ. તેમજ દુકાનના બીલ ઉપર અને લેટરહેડ ઉપર પણ આ બે વિગતો હોવીજ જોઇએ. જ્યારે ક્યારેય પણ આ દુકાન ઓનલાઈન સંવાદ કરે ત્યારે આ વિગતો તેના ઈ-સંવાદના પેજ ઉપર આવવી જોઇએ.
જાહેર જનતા સાથે વ્યવહાર કરતી કોઈપણ સંસ્થા કે વ્યક્તિ ની વેબસાઈટ હોવીજ જોઇએ. તે સિવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર જનતા સાથે વ્યવહાર ન કરી શકે. આમાં પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયા બધાનો સમાવેશ થઈ જાય છે.
પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયાઃ
આ લોકોને કેવીરીતે જમીન માફીયામાં ગણી શકાય?
જેઓ અણહક્કની જમીન ઉપર કબજો જમાવે છે અને જેઓ તેમના તે હક્ક માટે લડે છે તે બધા જમીનના માફીયા જ કહેવાય. આ લોકો ગરીબ હશે પણ તેમને આ હક્ક અપાવનારા કે તે માટેની લડતો ચલાવનારા ગરીબ નથી. વાસ્તવમાં આ લોકો પડદા પાછળ છે અને પૈસા કમાય છે. આ વાત આપણે આગળ કરી ગયા છીએ.
આ લોકોને કેવીરીતે ઠેકાણે પાડવા?
જ્યાં આ લોકો ધંધો કરે છે ત્યાં તેમને ખબર ન પડે તેવા સીસી કેમેરા ગોઠવી દો. અને તેનું છ માસ માટે રેકોર્ડીંગ કરો.
તેઓ જુદો જુદો માલ ક્યાંથી માલ લાવે છે તેની વ્યક્તિ દીઠ તપાસ કરો અને રેકોર્ડ બનાવો.
તેઓ ક્યાં રહે છે, કેટલા વખતથી રહે છે અને પહેલાં ક્યાં ક્યાં રહેતા હતા તેની તપાસ કરો અને રેકોર્ડ બનાવો. જો તેઓ બંગ્લાદેશી કે પાકિસ્તાની હોય તો તેમને અલગ તારવો.
તેઓ કેટલું કમાય છે અને કોને કેટલો હપ્તો ચૂકવે છે અને કોણે તેમને અહીંની જગ્યા અપાવી તેની તપાસ કરો.
આ કામ અઘરું નથી. લોકલ ઈન્ટેલીજન્સ અને એક પ્રાઈવેટ સર્વે એજન્સી જેવી કે તાતા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ બંને ભેગા મળી ડેટા એકઠા કરે તો કેટલા ખરેખર ગરીબ છે અને કેટલા પડદા પાછળના ગુનેગારો છે તે વીડીયો કેમેરામાંની તપાસમાં કેદ થઈ જાય. કયા ગરીબો કેટલી અવડતવાળા છે તે પણ નક્કી થઈજાય. તેમના ઓળખના ડેટા પણ તૈયાર થઈ જાય.
અમદાવાદના કોટ વિસ્તારમાં એવા ઘણા વિસ્તારો છે જેમાં મકાનો પડુ પડુ અવસ્થામાં છે. ત્યાં એ મકાનો કબજે કરાય. અને ત્યાં એક પાર્કીંગ, હોકર્સપાર્ક, શોપીંગ ખાણીપીણી મોલ, અને ઝોંપટ્ટીમાં રહેતા લોકોને થાળે પાડવાના ગાળાઓ આપી શકાય. કોટની અંદરનો જે વિસ્તાર છે તેની કાયાપલટ થઈ જશે.
જુઓ અનુસંધાન લીંકઃ
ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ
https://treenetram.wordpress.com/2013/02/20/%E0%AA%9D%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%A1%E0%AA%AA%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/
જેઓ વિદેશી ઘુસણખોર છે તેમને મીઠાના અગરોમાં કેદી તરીકેની મજુરીના કામમાં રાખો.
જેઓ પડદા પાછળ હતા તેમની સામે ગેરકાયદેસર કામ કરવા બદલ અથવા તેને પ્રોત્સાહન આપવા બદલ કામ ચલાવો અને તે દ્વારા તેમને કાંતો દંડ કે જેલની સજા જે પસંદ હોય તે કરો અને તેમના ઉપર નીગરાની રાખો.
જેઓ કોટની બહાર છે અને ફુટપાથ અને રોડ કબજે કરીને અડ્ડો જમાવીને બેઠા છે તેમનો પણ ઉપર પ્રમાણેનો સર્વે અને ડેટા તૈયાર થઈ શકે. જેઓ પૈસાદાર છે તેમને તો દંડ અને સજા જ કરવાના છે. જેઓ ગરીબ છે તેમને પાર્કીંગ કમ હોકર્સ પાર્ક કમ મોલ કમ રહેઠાણ બનાવીને કોટના વિસ્તારની જેમ થાળે પાડી શકાય. કોટવિસ્તારની બહાર પણ ઘણા ગામઠાણ વિસ્તારો અને મેદાનો છે.
જે અમદાવાદ જેવા શહેરમાં કરી શકાય તેમ છે તેવું જ ગામડાઓમાં અને બીજા શહેરોમાં થઈ શકે.
રસ્તા ઉપર થતા પાર્કીંગ અને ગીચતાની સમસ્યા ઉકલી જશે.
મફતમાં માલિકી નહીં
સરકાર કોઈને જે જગ્યા ફાળવશે તે માલિકીની નહીં હોય તેમ જ ફેરબદલની પણ નહીં હોય. આને માટે બાય-લોઝ (પેટા કાયદા ઓ ઘડી શકાય). ભાડા ઉઘરાણીનું અને સુરક્ષાનું વ્યવસ્થિત તંત્ર બનાવી શકાય. કોઈને કશું મફતમાં નહીં.
સ્થાનિક લોકો માટે ૮૦ ટકા આરક્ષણ રહેશે. જેઓ પરપ્રાંતના હશે તેમને ૨૦ ટકામાંથી ફાળાવણી થશે. બાકીનાની, યાતો બીજે ગામના ૨૦ટકા ક્વોટામાં ફાળવણી થશે યાતો તેઓ તેમના ગામ પરત જશે.
જેઓને અહીં ભાડાનું અથવા પોતાનું રહેઠાણ હશે તેઓ જ રહી શકશે. ગેરકાયદેસર જગ્યા કબજે કરી કોઈ રહી શકશે નહીં. કાયદો પણ આજ કહે છે. જેઓ ગુજરાતમાં જન્મ્યા છે અથવા જેઓએ ગુજરાતી સાથે પ્રાથમિક શિક્ષણ લીધું છે તેઓ જ ગુજરાતી કહેવાશે.
નાથીયા તું નાગો થા અને મને પોતડી આપ એવી વાત ન ચલાવી શકાય.
સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓઃ
માહિતિ અધિકારની સંસ્થા સ્વાયત્ત હોવી જોઇએ
હાલમાં જેતે ખાતાઓમાં જેતે ખાતાના માહિતિ અધિકારીઓ હોય છે. તેથી તેમની વૃત્તિ માહિતિ યેનકેન કારણો આપી છૂપાવવાની કે વિલંબમાં નાખવાની હોય છે. માહિતિ અધિકારીઓ કોઈ ખાતા સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. પણ તેઓ સુપ્રશિક્ષિત હોવા જોઇએ. એક ઝોન દીઠ એક માહિતિ અધિકારી હોવો જોઇએ. આ ઝોન એક ભૌગોલિક વિસ્તાર હશે. અને તે ઝોનમાં રહેતી વ્યક્તિઓની અરજીઓ આ અધિકારી લેશે અને તેની ઉપર આગળની કાર્યવાહી કરશે.
માહિતિનો અધિકારઃ
રાઈટ ટુ ઈન્ફર્મેશન અંતર્ગત, જનતાને માહિતિનો અધિકાર છે. જો આ અધિકાર છે તો તે માહિતિને જ્યાં સુધી કોઈ ન માગે ત્યાં સુધી ખાનગી રાખવાનો કોઈ અર્થ નથી. આ અધિકાર ભારતના નાગરિકને જ મળી શકતો હોવાથી જો તે પોતાની ઓળખાણની સાબિતી આપે તો તે જે માહિતિઓ જાણવા માટે અધિકારી છે તે માહિતિ તેને ઓન લાઈન મળવી જોઇએ.
આ માટે ભારતનો કોઈપણ નાગરિક સક્ષમ અધિકારી પાસે જઈ પોતાની નોંધણી કરાવી દે એટલે તે પોતાના પાસવર્ડનો ઉપયોગ કરી જે તે માહિતિ મેળવી શકે. આમ કરવાથી માહિતિ અધિકારી ઉપરનો બોજ ઘણો ઘટશે. જે વ્યક્તિને અધિકૃત કોપી જોઈતી હોય તે વ્યક્તિ નિશ્ચિત યુઆરએલ બતાવી માહિતિ અધિકારી પાસેથી અધિકૃત કોપી લઈ શકે. અથવા અરજી આપી થોડી વધુ ફી ભરી, માહિતિ અધિકારી પાસેથી અધિકૃત માહિતિ લઈ શકે છે.
રેવન્યુ ડીપાર્ટમેન્ટ ના રેકોર્ડ ઓન લાઈન હોવા જોઈએ. તમે તામારી ઓળખ આપીને જે તે વેબસાઈટ ઉપર માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો.
હાલ ફક્ત ન્યાય તંત્ર એક માત્ર સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. ન્યાયતંત્રને પોતાનો સ્ટાફ છે અને પોતાની સ્વતંત્ર ઓફીસો પણ છે.
ચૂંટણી પંચ અને વસ્તી પંચ સંસ્થાઓ સંપૂર્ણ સ્વતંત્ર નથી. ચૂંટણી પંચને પોતાનો મોટાભાગનો સ્ટાફ ઉછીનો લેવો પડે છે. આવી જ સ્થિતિ વસ્તીગણત્રી પંચની છે. કારણ કે તેમનું કાર્યક્ષેત્ર અને સમય મર્યાદિત રાખ્યો છે.
ચૂંટણી પંચઃ
કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઝ, વસ્તી ગણત્રી અને ચૂંટણી, આ ત્રણેયને એક પંચ હેઠળ લાવી દેવું જરુરી છે.
ચૂંટણી પંચ ફક્ત સ્થાનિકસ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિની ચૂંટણી પૂરતું જ પોતાનું કાર્ય ક્ષેત્ર રાખે છે. વાસ્તવમાં કોઈપણ કાયદા અંતર્ગત (સ્ટેચ્યુટરી પ્રોવીઝન હેઠળ) થતી દરેક ચૂંટણીઓ અને સભાઓ, ચૂંટણી પંચની નીગરાની હેઠળ જ થવી જોઇએ.
એટલે કે મઝદુર યુનીયન, કર્મચારી યુનીયનો, અધિકારી યુનીયનો, સહકારી સંસ્થાઓ, ગૃહનિર્માણ સોસાઈટીઓ, તેના સભ્યોની નોંધણી, તેમાં થતા ફેરફારોની નોંધણી, તેના પરિપત્રો, હોદ્દેદારોની ચૂંટણીઓ, કાર્યવાહીઓ અને રેકોર્ડ ચૂંટણી પંચની કડક નીગરાની હેઠળ અને તેના દ્વારા સંચાલિત થવી જોઇએ. જો આમ થાય તો તેમાં થતી ગેરરીતીઓ અટકી જાય કારણકે જો ગેરરીતી થાય તો તરત જ જવાબદારી લાદી શકાય. જાણી લો કે સરકારી વ્યક્તિ જ એક માત્ર એવી વ્યક્તિ છે જેનું એતત્કાલિન સ્થાન રેકોર્ડ ઉપર હોય છે અને તેને સોંપેલી જવાબદારી ફીક્સ હોય છે અને અથવા ફીક્સ કરવી સહેલી છે.
હાલ સ્થિતિ એવી છે કે જ્યારે ચૂંટણી આવે તે અગાઉ ચૂંટણી પત્રક્ની કાર્યવાહી આરંભાય છે. વાસ્તવમાં ચૂંટણીપત્રક હમેશા આધુનિક (અપટુડેટ) હોવું જોઇએ.
વસ્તીગણત્રી પંચ અને ચૂંટણી પંચ વાસ્તવમાં ગાઢ રીતે સંકળાયેલા છે.આ બંને કાર્યશાળાને એકઠી કરી દેવી જોઇએ. આ સંસ્થાને સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા બનાવવાની છે.
વસ્તીગણત્રી – ચૂંટણી પંચ ની ઓફિસ અને કર્મચારીગણ તેમના પોતાના હોવા જોઇએ.
ચૂંટણી-વસ્તી પંચઃ આ સંસ્થા કાયમી કાર્યરત બનવાથી દરેક વ્યક્તિની નોંધણી થશે. તેના દરેક સ્થાનોની નોંધ રહેશે, વ્યક્તિ ક્યાં રહે છે અને ક્યાં વહેવાર કરેછે તે નિશ્ચિત થશે. પરપ્રાંતમાંથી કેટલા આવેલા છે તે સંખ્યા નિશ્ચિત થશે. બેકાર કેટલા છે અને કેટલા ક્યાં નોકરી કરે છે અને શું કરે છે તે પણ નિશ્ચિત થશે.
ચૂંટણીઃ
ચૂંટણીમાંથી પૈસાની બાદબાકી થઈ જશે.
ઝોન દીઠ એક ચૂંટણી અધિકારી હોવો જોઇએ.
મદદનીશ અધિકારી પાંચ કે દશ પોલીંગબુથ દીઠ એક હોવો જોઇએ. આને આપણે મતદાર મંડળ કહી શકીએ.
આ મતદાર મંડળને એટલે કે મદદનીશ ચૂંટણી અધિકારીને પોતાની ઓફીસ હશે અને એક કાયમી સભાખંડ હશે. આ કાયમી સભા ખંડમાં એક પ્લેટફોર્મ ઉપર જ ચૂંટણીના ઉમેદવારો અને મતદારો પોતાનો અવાજ રજુ કરશે. આ સિવાય ક્યાંય સભા કરવાની છૂટ રહેશે નહીં. ટીવી ચેનલો ઉપર તેમને એક જ પ્લૅટફોર્મ ઉપર બોલાવાશે અને તેઓ પોતાનો પક્ષ અને વાત રજુ કરશે. આ બધી વ્યવસ્થા વસ્તી-ચૂંટણી પંચ જ કરશે. જે ઉમેદવારને જનતાને કે સભાસદોને જે કંઈ કહેવું હશે તે આ મંચ ઉપર આવીને જ કહેશે અને તેની નોંધ લેવાશે.
પક્ષને કે ઉમેદવારને જે કંઈ હોર્ડીંગ લગાવવા હશે તે આ ખંડમાં જ લગાવી શકશે. દરેકનો ચૂંટણી ઢંઢેરો અહીં લગાવવામાં આવશે.
પક્ષ કે વ્યક્તિ પોતે જે કોઈ બીલ લાવવા માગતા હોય તેની કોપી તે ચૂંટણી અધિકારીને આપશે અને જો તે ચૂંટાશે તો તે જનતાને ઉપલબ્ધ કરી શકાશે. ચૂંટણી પૂર્વે ચૂંટણી ઢંઢેરામાં ન ઉલ્લેખાયા હોય અને ચૂંટણી પંચને ન આપ્યા હોય તેવા કોઈ પણ બીલ, કોઈ પક્ષ કે વ્યક્તિ ધારાસભામાં રજુકરી કરી શકશે નહીં. જેમકે સંસદ સભ્યોના પગાર વધારા અને તેમના પેન્શનને લગતા બીલ કોઈપણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હતા નહીં તો પણ તે બીલ બનાવીને પસાર કરેલ.
રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ, ચૂટણી અને વસ્તીગણત્રી એક જ પંચ હેઠળ શા માટે?
સભ્યપદ, મતદાતા, હોદ્દેદારો અને તેની યાદીઓ વિગેરે એક યા બીજા પ્રકારની ચૂંટણી સાથે સંકળાયેલા છે.
સભ્ય અને મતદાતા ની ઓળખ કરવાની એક પ્રક્રીયા હોય છે.
યાદી બનાવવી એ પણ ચૂંટણીની એક પ્રક્રીયા છે.
હોદ્દેદારો ચૂંટાય છે અને તેમને અધિકૃત કરાય છે.
જેઓ દેશમાં રહેછે તેમની વસ્તી ગણત્રી થાય છે, પણ તેઓ બધા મતદારો હોતા નથી.
જેઓ ઘુસણખોરો છે તેઓ પણ વસ્તીગણત્રીમાં તો આવી જ જાય. પણ તેઓ દેશના નાગરિક નથી. પણ તેમના માનવ અધિકારો તો છે જ. એટલે જ્યાં ક્યાંય પણ કાયદેસર યાદી બનતી હોય, મતદાન થતું હોય અને હોદ્દેદારોની ચૂંટણી થતી હોય અને હોદ્દેદારો અધિકૃત થતા હોય. સભાની કાર્યવાહીઓ થતી હોય, કાયદા, પેટા કાયદાઓ વિગેરે થતા હોય અને આ બધું કાયદેસરની પ્રક્રીયામાં આવતું હોય તો ચૂંટણીપંચ, વસ્તીગણત્રીપંચ અને હાલ જેને આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ કહીએ છીએ તે સૌને એક પંચતંત્ર હેઠળ મુકવા જોઇએ. જેથી દરેક જાતના સભ્યપદ, યાદીઓ, સભાઓ, ચૂંટણીઓ, હોદ્દેદારો અને કાર્યવાહી, તેની ચકાસણીઓ એક જ પંચ હેઠળ આવે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ સભ્ય, મતદાતા, મતદાર મંડળ, સભા, હોદ્દેદાર, અધિકૃત, અધિકારી, ચૂંટણી, વસ્તી, ગણત્રી, પંચ, વેબ સાઈટ, માહિતિ, રજીસ્ટ્રેશન, નોંધણી, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, સ્વાયત્ત, સ્વતંત્ર, નીગરાની, સ્થાનિક, કોઓપરેટીવ, સોસાઈટી, સંસ્થા, વ્યવહાર, રજીસ્ટ્રાર
ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ
Posted in માનવીય સમસ્યાઓ, tagged ગાળા, પોલીસ, બાય લૉ, ભાડવાત, રહેણાંક, સંકુલ, સંસ્થા, સરકાર, સુવાની જગ્યા, સ્થાનિક સ્વરાજ, હંગામી, હાઉસીંગ બૉર્ડ on February 20, 2013| 1 Comment »
ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ
નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પોતે ગરીબો પ્રત્યે કેવી સંવેદનશીલ છે અને તે ગરીબોને મદદ કરવા કેવી સારી સ્કીમો લાવે છે તે વાત આંકડા દ્વારા બતાવવા અર્થહીન સ્કીમો બનાવે છે. ઈન્દીરા આવાસ યોજના, કે સંપાદન કરેલી જમીનોમં પછાત વર્ગ માટે અમુક ટકા હિસ્સો અનામત રાખવો, મનરેગા, વિગેરે પૈસા અને જમીનના વ્યયના ઉત્તમ ઉદાહરણો છે.
જમીનસંપાદનઃ
જમીન સંપાદન કરતી વખતે જે જમીના હિસ્સાઓ ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તે હિસ્સાઓ કેવી રીતે ખમતીધર માણસો કબજે કરી લેછે તેનાથી કંઈ સરકાર માહિતગાર નથી એ વાત સાચી નથી. સરકારને બધી ખબર હોય છે અને સરકારી નોકરો માટે આ એક કમાણીનું સાધન હોય છે. આ કામ માટેના એજન્ટો હોય છે. તેમાં સરકારી કર્મચારીઓ અને રીટાયર્ડ અધિકારીઓ પણ એકબીજાની મીલીભગતમાં સામેલ હોય છે. આવું જ રાહતોના ખેરાતદ્વારા બંધાયેલા કે બાંધીને રાહત દરે ખેરાત કરેલા મકાનોની દશા થાય છે.
જે ઝુંપડપટ્ટીઓ હોય છે તે ગેરકાયદેસર જ હોય છે અને સરકારી જમીન ઉપર હોય છે. આવી જમીનો ગૌચરની પણ હોય છે.
જમીનના ૧૦૦ બસો વાર ટૂકડા ગરીબોને રાહત દરે ફાળવવા કે જમીન ઉપર રૉ હાઉસ પ્રકારના નાના મકાનો બનાવીને રાહત દરે ખેરાત કરવા એ લાંબે ગાળે અર્થહીન બને છે. આવી જમીનો ગરીબ લોકો વેચી નાખે છે. અને આવા મકાને કાળક્રમે નજીકનું શહેર વિકસે એટલે રાહત દરે મળેલા આ રૉ-હાઉસો પણ આ ગરીબો વેચી નાખે
મકાનો કેવા હોવા જોઇએ?
ગામડાને સુંદર બનાવવા માટે અને જમીનનો વ્યય અટકાવવા માટે ગામડાની અંદર પણ મકાનો સંકુલ (હાઉસીંગ કોંપ્લેક્સ) પ્રકારના હોવા જોઇએ. સરકાર ગરીબોનું ભલું કર્યું છે તે બતાવવા ગામડામાં આવાસ યોજનાઓ હેઠળ મફતમાં કે સબસીડી દ્વારા જે રાહતની ખેરાત કરે છે તે જમીનનો વ્યય છે. આપણા ઘનીષ્ઠ વસ્તી વાળા દેશને આવો જમીનનો વ્યય પોષાય નહીં.
આપણે સમજવું પડશે કે એક માળીયા (જી), કે બે માળીયા (જી+૧), કે ત્રણ કે ચાર માળીયા (જી+૨, જી+૩) પણ જમીનનો વ્યય ગણાશે. વધુ માળવાળા મકાનોની અવગણના કરી શકાશે નહીં. વધુ માળવાળા મકાનો માટે સીમેન્ટ અને લોખંડની જરુર પડશે. જો કે લાકડું (સાગનું), કંઈક અંશે ૪ માળ સુધી સીમેન્ટ અને લોખંડની અવેજીમાં વાપરી શકાય તેથી નાના ગામડાઓ માટે જો આ લાકડું ઉપલબ્ધ કરી શકાતું હોય તો કરવું. પણ એક વાત સમજવા જેવી છે કે લાકડાના મકાનનું આયુષ્ય ટૂંકું હોય છે. અને જો જરુરી લાકડું ટૂંક સમયમાં ઉગાડી શકાતું હોય તો જ આવા લાકડાના મકાનોને સ્વિકારી શકાય.
ગાંધીજીએ એવી વાત કરેલી કે રૂ. ૫૦૦/- માં એક રહેઠાણ પડવું જોઇએ. અને ઘરમાંથી આકાશ દેખાવું જોઇએ. નાના ભૂલકાઓને રમવાની ખુલ્લી જગ્યા હોવી જોઇએ. હવે તેમણે જે વખતે મકાનની કિમત કે જે રૂ. ૫૦૦/- સૂચવેલી તે વખતે ઘી એક રુપીયાનું અઢીશેર મળતું હતું. આજે એટલું ચોક્ખું ઘી કદાચ ૪૦૦ રૂપીયે મળે. એટલે ૫૦૦ ગુણ્યા ૪૦૦ એટલે ૨૦૦૦૦૦ રૂપીયા કિમત થઈ. જો તમે આરસીસીના માળખા જ જો બનાવો તો એક ચોરસવારની કિમત રૂ. ૫૦૦૦/- થાય. જેઓ હાલ તુરત ગરીબ છે તેમને પૃથ્વીની જમીન ઉપર ઘર આપો તો તેમાં જમીનનો વ્યય પણ થાય અને મોંઘું પણ પડે. એટલે ૧૫ ફુટ બાય ૧૫ ફુટ ના ફ્લેટ આપી શકાય. આની અંદર સંડાસ અને રસોડું સામેલ હશે. આ રહેણાકોની રચના વિષે અલગથી વાત કરીશું.
સ્થાનિક સત્તામંડળ મકાનો બનાવીને ભાડે આપશે. મકાનો વહેંચશે કે વેચશે નહીં. તેમજ પેટા ભાડવાત તરીકે આપવા પણ દેશે નહીં.
બધી જમીન આમ તો સરકારી જ ગણાય. સરકાર કાંતો ફાજલ જમીનનો ઉપયોગ કરે છે અથવા જમીન ખરીદીને પ્રાપ્ત કરે છે. આ ખરીદીનો ખર્ચ તે પોતાના બજેટ ફંડમાંથી મેળવે છે.
ઝોંપડ પટ્ટીઓ જો દૂર કરવી હોય તો સરકારે એ જાણવું જોઇએ કે ઝોંપડ પટ્ટીઓમાં કોણ રહે છે.
ઝોંપડપટ્ટીઓમાં મજુરો રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હોય છે કે નોકરી કરતા હોય છે. જેઓ નોકરી કરતા હોય છે તેમને અલગ તારવવા પડશે. આવા લોકોનું ભાડું એમ્પ્લોયર કોન્ટ્રાક્ટ્રરો પાસેથી એડ્વાન્સમાં વસુલ કરવામાં આવશે.
રહેણાક કેવું હશે?
એક ચારમાળના બીલ્ડીંગ બ્લોકમાં ૧૫ બાઈ ૧૫ ફુટના ગાળાઓ હશે. સામસામેના બે ગાળા વચ્ચે ૧૫ ફુટ ની પહોળાઈનો જવા આવવાનો રસ્તો હશે.
એક કુટુંબને એક ગાળો ભાડે આપવામાં આવશે.
૧૫x૧૫=૨૨૫ ચો.ફુટ = ૨૫ ચો.વાર વત્તા ૫૦ ટકા કોમન સ્પેસ=૧૨.૫. એટલે કે ૩૭.૫ વત્તા ૨.૫ દાદરો = ૪૦ ચોરસવાર થયું.
૨૭.૫ચો.વાર ફ્લેટ જેમાં ૨.૫ દાદરાનો હિસ્સો સામેલ છે. તેમાં ૨.૫ ચો.વાર. પાર્કીંગના ઉમેરો તો એક ગાળાનો ખર્ચ એક કુટુંબ માટે રૂ. ૩૦x6000=180000. આ ખર્ચ, ગાંધીજીએ આપેલીની સીમા પ્રમાણે થાયો કહેવાય. આમાં આપણે જમીનની કિમત ગણી નથી. જો કે આમાં પેસેજ નો વિસ્તાર ઉમેર્યો નથી. તે સરકાર જાળવણી ખર્ચમાં ગણશે. આમ તો વાસ્તવિક ખર્ચ ૨૪૨૫૦૦ થાય છે. પણ સામાન્ય વપરાશનું બાંધકામ કે જગ્યા છે તે સરકારની ગણાશે.
સરકારે કોઈને કશું ફોગટમાં આપવાનું નથી. એટલે કે ભાડું લેવાનું છે.
ભાડાની ગણત્રીઃ
ભાડાની ગણત્રી બે રીતે થઈ શકે મકાનની કિમતના સોમા ભાગનું દર મહિને ભાડું. એટલે કે ૧૮૦૦ રૂપીયા ભાડું. આ ભાડું પોષાય ખરું? ૨૦ ટકા હાઉસરેન્ટ ઓછું કરો. એટલે કે ૧૮૦૦-૩૬૦=૧૪૪૦ રૂપીયા માસિક ભાડું થયું. આ ભાડું પોષણક્ષમ છે. અને જેઓ બેકાર નથી તેઓ આપી જ શકે. જાળવણી ખર્ચ અલગથી વસુલ કરવામાં આવશે. આ હાઉસરેન્ટ ની કપાત જેમને હાઉસરેન્ટ મળતું નથી તેમને જ અપાય.
ભાડા વસુલીની રીત અને જાળવણીઃ
વર્ક ઓર્ડર પર મજુરોને ભાડે આપો. પણ ભાડું એમ્પ્લોયર પાસેથી વસુલ કરવાનું રહેશે. મજુર કાયદાની જોગવાઈઓમાં બીજી સામાન્ય જોગવાઈઓ ઉપરાંત ઘણી જોગવાઈઓ હોય છે.
જે કોન્ટ્રાક્ટરો મજુરો રાખે છે તેમણે મજુરકાયદા પ્રમાણે રહેઠાણની જગ્યા આપવાની હોય છે અને તેમાં સંડાસ પાણી અને વિજળીની સગવડ આપવાની હોય છે.
દરેક કામ વર્કઓર્ડર પ્રમાણે થાય છે.
એટલે વર્ક ઓર્ડરના અધારે અને પ્રમાણે લેબર ઓફીસર લેબર-લાઈસન્સ કાઢી આપે છે.
હાલમાં લેબર કમીશ્નરનો સ્ટાફ ડાબા હાથના પૈસા લઈ લેબર લાઈસન્સ કાઢી આપે છે. અને સાઈટ વીઝીટમાં ફાલતુ નોટીસ આપી પૈસા ઉઘરાવી ઘરભેગા કે ઓફીસ ભેગા થઈ જાય છે.
પણ જો કોન્ટ્રાક્ટરને આ રહેણાકો રાખવાની ફરજ પાડવામાં આવે એટલે કે જો કોઈ રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર કે જાહેર જનતાની જગ્યાનો રહેણાક તરીકે ઉપયોગ કરે તો તેની દબાણ કર્તા તરીકે ધરપકડ કરવી પડશે અને જે તે કોન્ટ્રાક્ટર ને પેનલ્ટી લગાડી ને બ્લેક લીસ્ટ કરવો અને તેનું લાયસન્સ રદ કરવું જોઇએ. કોન્ટ્રાક્ટર પાસેથી એડ્વાન્સમાં ભાડું વસુલ કરવામાં આવશે. જેની રોજગારી/નોકરી કાયમી હશે તેનું ભાડું તેમના પગારમાંથી કાપી લેવામાં આવશે. પણ કોન્ટ્રાક્ટર આ ભાડું એમ્પ્લોયર એડ્વાન્સમાં ભરશે.
આ માટે એક સીસ્ટમ અમલમાં મુકી શકાય.
જેઓ પાર્ટટાઈમ કામ કરે છે તેનું રજીસ્ટ્રેશન એમ્પ્લોયમેન્ટ એજન્સી લેબર કમીશ્નરની ઓફીસમાં કરાવે અને તે પૈસા ભરે. પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા એમ્પ્લોયમેન્ટ એજન્સીને ભરશે. જો આ કામ એમ્લ્પોયમેન્ટ એજન્સીને ન સોંપવું હોય તો સરકાર પોતે પણ આવું એક ખાતું દરેક ગામમાં કે વૉર્ડમાં ચલાવે અને પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા સરકારી ખાતામાં જમા કરે અને આ ખાતું રોજીનો હિસ્સો ભાડા તરીકે ભરે.
જો મજુર છૂટો થાય કે તેને છૂટો કરવામાં આવે તો અને તે બેકાર થાય તો તેને ટ્રાન્ઝીટ કેમ્પમાં ફક્ત સુવાની સગવડ આપવામાં આવે અને તેની પાસેથી રૂ. ૧૦ વસુલ કરવામાં આવે. તેને સરકાર પરચુરણ કામ આપે. જેમ જેલના કેદીઓ પાસેથી કામ કરાવવામાં આવે છે તેમ તેમની પાસેથી કામ કરાવવામાં આવશે.
જો તે વ્યક્તિ આ કામ નહીં કરવા માગતી હોય તો તે પોતાની બચતમાંથી એડ્વાન્સમાં ઓછામાં ઓછું એક માસનું ભાડું એડ્વાન્સમાં જમા રાખવું પડશે. નહીં તો સરકાર કે સ્થાનિક મંડળ તેને ખાલી કરવાની કાર્યવાહી ચાલુ કરી દેશે.
જેઓને પોતાનું રહેણાક ખરીદવું છે તેઓ કોઈ આ બાંધકામો ખરીદી શકશે નહીં. તેને માટે હાઉસીંગબોર્ડ જુદી ભાડા ખરીદ પદ્ધતિવળી સ્કીમો બનાવશે અને તેમાં જમીનની કિમત ઉમેરવામાં આવશે અને જે હાઉસરેન્ટ ૨૦ટકા બાકાત મળતું હતું તે ઉમેરવામાં આવશે.
ભાડાની માસિક દરની રકમ કેવી રીતે નક્કી કરવી?
જો મજુરનો રોજ રૂ.૧૦૦ હોય તો માસિક ૩૦૦૦ રૂપીયા આવક થઈ. જો પતિ પત્ની બે જણા કમાતા હોય તો રૂ. ૬૦૦૦ માસિક આવક થઈ. તો આ ભાડું આવકના ૨૪ ટકા થયું.
હવે જો જમીનની કિમત ગણીએ તો મકાનની બહારની જમીન પણ ગણવી પડે. તેને આટલી જ ગણો. શહેરમાં જમીનનો ભાવ ઘણો જ હોય છે. ગામડામાં ઓછો હોય છે. વળી તે બદલાતો પણ હોય છે. તેથી તેને અનુલક્ષીને ભાડું નક્કી કરવું વાસ્તવિક બનશે નહીં.
જે ભાડું, મકાનના બાંધકામના ખર્ચના આધારે હોય છે અને તે એક વખત થઈ ગયું તેથી તે બાંધકામના ખર્ચ ને અનુલક્ષીને જ સરકારને પોષાય તેવું ભાડું મળવું જોઇએ. જાળવણી ખર્ચ બદલાતો રહેશે. દા.ત. ભાડાના ૫ ટકા જાળવણી ખર્ચ અને ૫ ટકા વહીવટી ખર્ચ એટલે ૧૪૪૦ + ૧૪૪ = ૧૫૮૪ થાય. જેમાં ૧૪૪ છે તે મોંઘવારીના આંકડા સાથે સાંકળવામાં આવશે.
જાળવણી અને વ્યવસ્થા માટે જવાબદાર એક બીલ્ડીંગ બ્લોક દીઠ એક પોલીસ કર્મચારી રાખવામાં આવશે. આ પોલીસ કર્મચારી ત્યાં જ એક ગાળામાં રહેશે.
પોલીસ કર્મચારીને રાખવાનું કારણ એ છે કે લોકોને ડાઈરેક્ટ પોલીસ એક્સનનો ભય રહે.
જો કોઈ ભાડું ભરવામાં ચૂક કરે તો?
સરકારે ઓછામાં ઓછા એક માસનું ભાડું અગાઉથી લેવાનું હોવાથી જેવું એકમાસ બાકી રહે અને ભાડવાત ભાડા-ચૂકમાં આવે કે તરત તેને નોટીસ જાય કે ફલાણી તારીખે તેના રહેણાંકનો કબજો લઈ લેવામાં આવશે. આ નોટિસ પોલીસ જ આપશે કારણે તેની ડ્યુટી જ આ છે અને તે ત્યાં જ ડ્યુટી કરતો હોવાથી અને રહેતો હોવાથી તેને તત્કાળ નોટીસ બજવી શકશે.
જે ભાડવાત ચૂક કરે છે તેનું શું કરવુ?
આવા ભાડવાતને આશ્રયહીન અને આવકહીન ગણી ટ્રાન્ઝીટ હંગામી રહેણાંકમાં સીફ્ટ કરવો જ્યાં તેને ફક્ત સુવાની જગ્યા હશે અને સ્ત્રી પુરુષ અલગ અલગ રાખવામાં આવશે. આ ટ્રાન્ઝીટ રહેઠાણમાં પણ રૂ.૧૦ રોજના લેવામાં આવશે. જેલના કેદીઓની જેમ તેની પાસે કામ કરાવી પૈસા વસુલ કરવામાં આવશે.
જોકે આ બાબતમાં રાજ્યની સરકારે અને સ્થાનિક સ્વરાજ ની સંસ્થાએ કટીબદ્ધ થવું જોઇએ. કોન્ટ્રાક્ટરે કે એમ્પ્લોયરે ઓળખકાર્ડ ફરજીયાત આપવા પડે. જો કે મજુર કાયદાઓમાં આ જોગવાઈઓ છે જ. પણ લેબર કમીશ્નર, વર્ક ઓર્ડર આપનાર અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતમાં બધું લોલં લોલ ચાલવા દેવામાં આવે છે.
એક વિસ્તાર પૂર્વકના ફાળવણીના, ભોગવટાના, નીગરાનીના, નોધણીના (રેકૉર્ડઝના), જાળવણીના અને નીરીક્ષણના બાય-લોઝ બનાવવા જોઇએ.
એક બીલ્ડીંગ બ્લોક માં ૧૪૨ કુટુંબોને એક એક ૧૫ ફુટ બાય ૧૫ ફુટનો ગાળા ફાળવી શકાય
માસિક આવક રૂ. ૨૨૪૯૨૮ થાય જેમાં ૨૦૪૪૮ સામેલ છે.
સુવાના ૨૯૬ સીમેન્ટની પથારીઓ છે. જેની રોજની આવક રૂ. ૨૯૬૦ થાય. એક માસની આવક રૂ. ૮૮૮૦૦ થાય.
જો તેઓ ભાડા ભરવામાં ચૂક કરે તો તેમને હંગામી સુવાની જગામાં ખસેડી શકાય.
એક બ્લોક દીઠ આઠ પોલીસ કર્મીઓને નોકરી મળશે. બે સફાઈ કામદારોને રોજી મળશે. સરકારને નહીં નફો નહીં નુકશાનનો ધંધો થશે.
જો વધુ આવક કરવી હશે તો બેઝમેન્ટમાં ૩૦૦ લારી, ગલ્લા અને પાથરણા વાળાને ભાડે જગાની ફાળવણી કરી શકાશે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ રહેણાંક, સંકુલ, હંગામી, સુવાની જગ્યા, પોલીસ, ગાળા, બાય લૉ, ભાડવાત, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, હાઉસીંગ બૉર્ડ, સરકાર
કોણ હડતાલ ઉપર ન જઈ શકે?
Posted in માનવીય સમસ્યાઓ, tagged અન્યાય, ઉપવાસ, ગણ, ઘેરાવ, જનતાના પ્રતિનિધિ, ડોક્ટર, તંદુરસ્ત સમાજ, ધરણા, ન્યાય, ન્યાયધીશ, પોલીસ, માલિક, લેબર લમીશ્નર, લેબરકોર્ટ, વકીલ, વિવાદ, સંસ્થા, સરઘસ, હડતાલ on April 4, 2012| 9 Comments »
કોણ હડતાલ ઉપર ન જઈ શકે?
સરકારના કે કોઈના પણ અન્યાયકારી વ્યવહાર કે વર્તન સામે અહિંસક માર્ગે પ્રતિકાર કરી પ્રતિભાવ આપવો એ લોકશાહીમાં માન્ય પ્રણાલી છે.
આપણે સરકારની સામે વ્યક્ત કરવામાં આવતા પ્રતિભાવોની અને તે પણ “હડતાલ” દ્વારા વ્યક્ત થતા વિરોધ વિષે જ વાત કરીશું.
આમ તો સરકાર વિષે વાત કરીએ ત્યારે આપણે આપણી વિષે જ કે દેશ હિત વિષે જ વાત કરીએ છીએ તેમ માની શકાય. અને જો સરકારના અંગો બરાબર કામકરતા હોય તો વિરોધની તો વાત જ ન થાય. બહુબહુ તો સંવાદ અને ચર્ચા થાય જેથી સરકારના અંગોની કાર્યદક્ષતા અને ચર્ચામાં ભાગલેનારા અને ચર્ચાને લક્ષમાં લેનારાઓના જ્ઞાન વધે.
અન્યાય એટલે શું?
મૂળભૂત રીતે જોઇએ તો કોઈ વ્યક્તિને તેના સમૂહને પૂરતા લક્ષમાં ન લેવો તેને તેની ઉપર અન્યાય કર્યો છે એમ કહેવાય. પણ કોઈ વ્યક્તિને આપણે લક્ષમાં ક્યારે લઈએ છીએ?
વ્યક્તિની ઓળખ તેના કામથી થાય છે. આ કામ તેને સોંપેલું અને અથવા તેણે સ્વિકારેલું હોય અને પુરસ્કાર રુપે, બદલારુપે, કે ભાવનાત્મક રીતે કે સ્થૂળ રીતે જે કંઈ આપવામાં આવે અને તેનાથી જો તે વ્યક્તિને સંતોષ થાય કે તેની “યોગ્ય કદર થઈ છે” એમ તેને લાગે તો તેને ન્યાય થયો છે. આમાં જો કોઈ નકારાત્મક ક્ષતિ આવે તો તેને અન્યાય થયો છે તેમ લાગે તો અને અથવા તેને અન્યાય થયો કહેવાય.
સરકારના અંગોમાં જે વ્યક્તિઓ કામ કરતી હોય છે તેને ભાવનાત્મક બદલા રુપે અને વિભાગીકરણ અર્થે નામ પાડેલા હોદ્દાઓ અને વેતનો આપવામાં આવે છે. તેઓ કામ સરળતાથી કરી શકે શકે તે માટે સગવડો આપવામાં આવે છે. આમાં ક્યારેક કર્મચારીઓને કોઈપણ જગ્યાએ કોઈ કારણસર અસંતોષ થાય તો અન્યાયની ભાવના ઉભી થાય છે. સરકારને પણ જો એમ લાગે કે કર્મચારીનું કામ બરાબર થતું નથી તો તેનામાં પણ અન્યાયની ભાવના ઉભી થાય છે. અન્યાયની ભાવના બન્ને તરફ હોય છે.
સરકારનું કામ સ્વસ્થ સમાજ બનાવવાનું છે.
તેમાટે અને સૌને માટે નિયમો બનાવ્યા હોય છે. કામ કરવાના નિયમો અને સરકારી પ્રતિભાવોના (સજાના) નિયમો. કર્મચારી માટે કામકરવાની પદ્ધતિના નિયમો, અને પ્રતિભાવ (આવેદન પત્ર, હડતાલ વિગેરે) વ્યક્ત કરવાની પદ્ધતિના નિયમો.
સરકારના અંગો ઘણા છે. તેમાં આપણે ફક્ત ન્યાયતંત્રના વકિલો, પોલીસ અને સરકારી સુશ્રુષા રુગ્ણાલયોના કાર્મિકો જેવા કે ચિકિત્સકો.
જ્યાં ક્યાંય અને જ્યારે ક્યારેય ક્યાંય અન્યાય થાય ત્યારે તે અને તેનું પ્રમાણ નક્કી કરવાનું આખરી કામ ન્યાયતંત્ર કરે. આમાં નિયમોને સમજવામાં જેમને નિષ્ણાત સમજવામાં આવ્યા છે એવા હોદ્દાનામ ધારી ન્યાયધીશ હોય અને રજુઆત કરનાર વકીલ હોય.
સરકારી દ્રષ્ટિએ સમાજની સ્વસ્થતા અને આમ જનતાની સગવડો માટે જે નિયમો બનાવ્યા છે તેનો બરાબર અમલથાય તે માટે અલગ અલગ હોદ્દાનામ ધારી કર્મચારી ગણ હોય છે. સ્વસ્થ સમાજ માટે વ્યક્તિએ શરીરનું અને પોતાની અર્જિત સગવડોનું (મિલ્કતનું) પણ રક્ષણ કરવાનું હોય છે તે માટે પોલીસ તંત્ર હોય છે.
જનતાના પ્રતિનિધિઓઃ
આ અમલ કરનારા ગણ ઉપર નિરક્ષણ કરવાનું અને જરુર પડે નવા કાયદાઓ અને પદ્ધતિઓ બનાવવાનું કામ આમ જનતાના પ્રતિનિધિઓ ને સોંપેલું હોય છે.
વ્યક્તિને અન્યાય બે રીતે થાય. કાયદાના ખોટા અર્થ ઘટન થી અન્યાય થાય. અને કોઈ કાયદાના અભાવથી અન્યાય થાય.
કાયદાના યોગ્ય અર્થ ઘટનની રજુઆત કરવાનું કામ વકીલોનું છે.
ન્યાયધીશોનું કામ તેની ઉપર નિર્ણય કરવાનું છે. જો કાયદો જ અન્યાયકારી હોય તેવી રજુઆત ન્યાયધીશને યોગ્ય લાગે તો તે તેને રદ જાહેર કરી શકે અથવા તો તેને યોગ્યરીતે સુધારવાનો સરકારને આદેશ આપી શકે. અથવા નવો કાયદો બનાવવાનો આદેશ આપી શકે. જો સરકાર કાયદો ન બનાવે તો? તો જનતા તેના પ્રતિનિધિઓને બીજી વખત પ્રતિનિધિ ન બનાવે.
સૌ પ્રથમ વકીલ ની વાત કરીએ.
વકીલભાઈઓ તો કાયદાના જાણકાર અને યોગ્ય અર્થઘટન માટ્ટે રજુઆત કરનારા હોય છે. એટલે જો તેમને અન્યાય થાય તો તેઓ તો તૂર્ત જ પોતે પોતાનો કેસ ન્યાયાલયમાં રજુ કરી ન્યાય મેળવી શકે અથવા જરુરી આદેશ મેળવી શકે. જો કાયદાનો અભાવ હોય તો ન્યાયાલય જરુરી આદેશ સરકારને અપાવી આપી શકે. (આપણે કોઈ દિવસ કાયદાના અભાવને લીધે વકીલો હડતાલ ઉપર ગયા હોય એવું સાંભળ્યું નથી. પણ વકીલભાઇઓને “વહીવટ”માં પડેલી મુશ્કેલીઓને ન્યાયખંડની બહાર હડતાલ રુપી શસ્ત્રથી દબાણ ઉભું કરી વહીવટી નિર્ણયો કરાવવાના પ્રયત્નો કરે છે)
જો આ રીતે વકીલભાઈઓ હડતાલ ઉપર જાય તો જેઓને તેમની ઉપર થયેલા અન્યાય સામે વકીલભાઈઓ થકી ન્યાયાલયમાં ગયેલા છે તેમના કામ અટકી પડે છે. તેથી ન્યાયનું કામકાજ અટકી પડે. એટલે કે ન્યાયિક પ્રક્રીયા જ અટકી પડે. વકીલભાઈઓએ તો જો તેમને કોઈપણ જાતનો અન્યાય થયો હોય તો તેઓએ તો ન્યાય મેળવવા માટે ન્યાય તંત્રનો આશરો લેવો જોઇએ. તેઓ તો પોતે જ વકીલ હોય છે. એટલે વગર પૈસે જ રજુઆત કરી શકે.
ન્યાયધીશોએ કદીય પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ હડતાલનો માર્ગ અપનાવ્યો હોય એવું સાંભળ્યું નથી. જો તેઓ હડતાલ ઉપર જાય તો તેમને માટે પણ આજ વાત લાગુ પડે છે.
પોલિસ તંત્ર
પોલિસ તંત્રનું કામ લોકોના જાનમાલનું રક્ષણ કરવાનું હોય છે. જો તેઓ હડતાલ ઉપર જાય તો આમપ્રજાના જાનમાલ જોખમમાં આવે જ. મનુષ્યનો કુદરતી અધિકાર એ જીવવાનો અધિકાર છે. જો પોલીસો હડતાલ ઉપર જાય તો મનુષ્યના આ અધિકારને હાની થાય છે. આ અધિકારનું હનન કદી ભરપાઈ થઈ ન શકે. આ કારણસર પોલિસગણ પણ હડતાલ ઉપર ન જઈ શકે.
ડોક્ટર ભાઈઓનું કામ લોકોના રોગોને દૂર કરવાનું છે. એટલે કે દર્દીની ચિકિત્સા કરવાનું છે. જો ડોક્ટરો હડતાલ ઉપર જાય અને ચિકિત્સા કરવાનું બંધ કરે તો, દર્દીની ઉપર જાનનું જોખમ આવી જાય એટલું જ નહીં ઘણા દર્દીઓનો જાન જતો પણ રહે. જો કોઈ ડોક્ટર દર્દીની જાણી જોઈને ચિકિત્સા ન કરે અને તે દર્દી મરી જાય તો આ તો ખુન જ ગણાય. એટલે ડોક્ટરો અને સંલગ્નગણ પણ હડતાલ ઉપર ન જઈ શકે.
વકીલો અને ન્યાયધીશોને જ્યાં લાગે વળગે છે ત્યાં તેઓ તો ન્યાય માટે ખુદ લડી શકે છે. ન્યાયમાં ઝડપ વધારવી કે ઘટાડવી તેને માટે તેઓ ખુદ જવાબદાર છે.
તો પછી હડતાલનું શસ્ત્ર કોણ ઉગામી શકે?
કારણ કે દરેક કર્મચારીગણ એક યા બીજી રીતે આમ જનતાના જાનમાલના રક્ષણ માટે જવાબદાર છે. પણ પોલીસ તંત્ર અને ડોક્ટરો નિરપેક્ષરીતે સીધાજ જવાબદાર છે. તેથી ન્યાય મેળવવા માટે તેઓ પોતાની સુખાકારી માટે બીજા મનુષ્યોના પ્રાણની આહુતિ આપી ન શકે.
આમ જનતા કે જે તમને થતા અન્યાય માટે જવાબદાર નથી તેને બાનમાં લઈ તેને નુકશાન થાય તે રીતે કોઈ હડતાલ ઉપર ન જ જઈ શકે.
કામ નહીં તો દામ નહીં
એટલે કે કામ નહીં તો વેતન નહીં. આવું અર્થઘટન સર્વોચ્ચ ન્યાયાલયે કરેલું છે. તેનું અર્થઘટન કે તારવણી એ પણ થઈ શકે કે વેતન નહીં તો કામ નહીં. એટલે કે જો તમને વેતન ન આપવામાં આવે તો તમે કામ બંધ કરી શકો. લેબર કમીશ્નર સામે ચાલીને વેતન નહીં આપવા બદલ માલિકને દંડિત કરી શકે છે.
અપ્રમાણ વેતનની એવી તારવણી થઈ શકે કે વેતનમાં અપૂર્ણતા હોય કે અવાસ્તવિક હોય એટલે કે અન્યાયકારી હોય તો તેને અનુરુપ પ્રમાણમાં કામ કરી શકાય. પણ આ વિષે કોણ નક્કી કરી શકે? ન્યાયાલય જ કરી શકે. જો કે આ માટે લેબર કમીશ્નરો હોય છે. અને વિશેષ ટ્રીબ્યુનલો રચી શકાય. વાસ્તવિકરીતે હડતાલ ઉપર જવાની જરુર પડતી નથી.
એવું સાંભળવા મળેલ કે જાપાનમાં વાસ્તવિક રુપે હડતાલ ઉપર જવાતું નથી. જ્યારે વિવાદ ઉત્પન્ન થાય ત્યારે કર્મચારી ગણ નોટીસ આપી પોતાનો કેસ રજુ કરે અને પછી હડતાલની નોટીસ આપે. અને પછી હડતાલ જાહેર કરે. આ હડતાલમાં કામ તો કરવાનું જ. પણ “હું હડતાલ ઉપર છું એવી પટ્ટી લગાવવાની. ટ્રીબ્યુનલ ચૂકાદો આપે ત્યારે તેનો પાછલી તારીખથી અમલ કરવાનો. ભારતમાં પણ આવી રસમ અપનાવી શકાય.
વાસ્તવિક રીતે પડતી હડતાલમાં હિંસા રહેલી છે. હડતાલ અને બંધ સમગ્ર જનતા જ પાડી શકે અને તેમાં પણ આવશ્યક સેવાઓ તો ચાલુ જ રાખવી પડે. કોઈ એક જુથ પોતાની સુખાકારી કે કહેવાતા અન્યાયને દૂર કરવા માટે હડતાલ કે બંધ પાડી કે પડાવી ન શકે. તે માટે તો ન્યાયાલયો છે. અને કાયદાનો અભાવ હોય તો કાયદો ઘડવા માટે જનપ્રતિનિધિઓ છે,
પણ જો સરકાર કે સંસ્થા દાદ ન આપે તો શું? આવી બાબતમાં લેબર કમીશ્નરે પોતાની ફરજ સમજવી જોઇએ. અને જો કોઈ સરકારી સેવાની ક્ષતિને કારણે કે સંસ્થાની ક્ષતિને કારણે અન્યાય પામે તો લેબર કમીશ્નરે ખુદ ન્યાયાલય પાસે જવું જોઇએ.
સરઘસ, દેખાવો, ધરણા, ઉપવાસ અને સંવાદઃ
લોકજાગૃતિ માટે કામબંધ રાખ્યાવગર અને સંવાદ ચાલુ રાખીને આ બધું થઈ શકે. પણ લેબર કમીશ્નરની ફરજ છે કે આવા પ્રસંગો એટલે કે સરઘસ, દેખાવો અને ધરણા એ પણ હિંસા છે અને આમજનતાને અવગડરુપ બને છે. ઉપવાસ એ ગંભીર અન્યાય સામેનું શસ્ત્ર છે. અને જો કોઇને આનો સહારો લેવો પડે તો જવાબદાર સંસ્થાને યોગ્ય સજા થવી જોઇએ.
જનતાના માહિતિના અધિકારનું જો યોગ્ય પાલન કરવામાં આવે તો અને જવાબદાર કર્મચારી ને ક્ષતિ કરવા બદલ યોગ્ય નશ્યત કરવામાં આવે તો વ્યક્તિગત રીતે કોઈને અન્યાય ન થાય.
મોટા ભાગના અન્યાયો આર્થિક અન્યાયો હોય છે. શિક્ષણ અને આરોગ્ય મફત હોય અને સૌને માટે સુવાધાઓ સુલભ હોય તો હડતાલોને ટાળી શકાય. આ અશક્ય નથી.
પણ હાલતૂર્ત તો વકીલ, ડોક્ટર અને પોલીસ ગણની હડતાલ ઉપર કાયદેસર બંધી હોવી જોઇએ.
શિરીષ મોહનલાલ દવે
Tags:
અન્યાય, ઉપવાસ, ગણ, ઘેરાવ, જનતાના,ડોક્ટર, તંદુરસ્ત, ધરણા, ન્યાય, ન્યાયધીશ,