Feeds:
Posts
Comments

Posts Tagged ‘સમસ્યા’

“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?

“બાર પુરબિયા અને તેર ચૉકા” તેરમો ચૉકો કોનો?

ગુજરાતીમાં કહેવત છે “બાર પુરબિયા અને તેર ચૉકા”.

કેટલાક લોકોને ખબર ન પણ હોય કે આનો અર્થ શું?

પુરબિયા એટલે ભૈયાજી. ભૈયાજી એટલે હિન્દીભાષી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો જેઓ કામ ધંધા માટે ગુજરાતમાં આવે છે. તેમની પત્નીઓ યુપી-બિહારમાં પ્રોષિત ભર્તૃકા તરીકે રહેતી હોય છે. આ ભૈયાજીઓ આ કારણથી છડે છડા હોય છે (છડે છડા એટલે કે પત્ની સાથે ન હોય તેવા એકલા પુરુષો).

ગુજરાતી પુરુષો પણ કામધંધા માટે (મિયાંની દોડ મસ્જીદ સુધી એ નાતે) મુંબઈ જતા. તેઓ પણ છડે છડા જતા. એક ઓરડી ભાડે રાખીને રહેતા. મુંબઈમાં તેઓ પોતાની જ્ઞાતિની હોટલોમાં જમતા.

ગુજરાતમાં આવતા છડે છડા ભૈયાજીઓ જો સાથે રહેતા હોય તો તેઓ પોતે જ રાંધીને ખાય. હવે ધારો કે એક રુમમાં બાર ભૈયાજીઓ રહેતા હોય તો તેમના ચૉકા (ચૂલા) અલગ અલગ હોય. શા માટે અલગ અલગ હોય તે જાણવા મળ્યું નથી. કદાચ એમ હોય કે પેટા જ્ઞાતિઓ વચ્ચે પણ ભેદભાવ હોય અને આ પેટા જ્ઞાતિઓ વચ્ચે એક બીજાનું રાંધેલું જમવાની બંધી હોય.

એ જે હોય તે. એક વાત તો સમજી શકાય તેમ છે કે  બાર ભૈયાજીઓ જો એક રુમમાં પોત પોતાનું જુદા જુદા ચૂલા ઉપર રાંધીને ખાતા હોય તો બાર પુરબિયાના બાર ચૂલા હોય. પણ બાર પુરબિયાના તેર ચૉકા કેવી રીતે થાય? આ તેરમો ચૉકો ક્યાંથી આવ્યો? આ તેરમો ચૉકો કોનો?

મારા માતુશ્રીને મેં આ સવાલ કરેલો. મારા માતુશ્રી પાસે કહેવતોનો અને વાક્ય પ્રયોગોનો ભંડાર હતો. જો કે તે સમયની બધી સ્ત્રીઓ અને અને બધા જ પુરુષો પાસે કહેવતો અને વાક્ય પ્રયોગોનો ભંડાર રહેતો હતો. અને હમેશા કહેવતો અને વાક્ય પ્રયોગોનો ઉપયોગ થતો રહેતો હતો. તેથી નવી જનરેશન  પણ આ વારસો જાળવી શકતી હતી. ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ હતી. પણ એ વાત અહીં નહીં કરીએ. મારાં માતુશ્રી પાસેથી મારા પ્રશ્નનો જવાબ મળી શકેલ નહીં પણ સમય જતાં હું અનેક ભૈયાજીઓના ઠીક ઠીક સંપર્કમાં આવ્યો. અને મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તે કદાચ ખોટો પણ હોઈ શકે. જેમને સાચા ઉત્તરની ખબર હોય તો તેઓ જણાવે.

ગુજરાતીભાઈઓમાં રાંધતા આવડતું હોય તેવા ગુજરાતીઓ બહુ ઓછા હોય. તેનાથી ઉલટું ભૈયાજીઓમાં જેમને રાંધતા ન આવડતું હોય તેવા ભૈયાજીઓ તદ્દન ઓછા હોય. ભૈયાજીઓ પણ રૂઢીચૂસ્ત હોય છે. હવે આપણે જે બાર પુરબિયા અને તેર ચૉકાની વાત કરતા હતા અને તેમાં જે તેરમો ચૉકો કોનો એ જે પ્રશ્ન હતો તેનો ઉત્તર એ છે કે આ બાર પુરબિયામાં એક એવો માઈનો લાલ નિકળે જેમની કોમ્યુનીટીમાં સવારે જે ચૂલા ઉપર રાંધ્યુ હોય તે ચૂલા ઉપર સાંજે ન રંધાય. આ પ્રમાણે બાર ભૈયાજીઓમાંથી એક ભૈયાજી એવા નિકળે જેમને બે ચૂલાની જરુર પડે.

બાર પુરબીયાના તેર ચૉકા ભલે હોય પણ તેથી કંઈ કોઈ ભૈયાજી ભૂખ્યા ન રહે. પણ જ્યારે સમસ્યા એક હોય અને પુરબિયા જેવા બાર વિદ્વાનો તેના તેર ઉપાયો સૂચવે અને વળી દરેક વિદ્વાન પણ  બારમા ભૈયાજી જેવા હોય ત્યારે સમસ્યા વધુ જ ગૂંચવાય.

કાશ્મિરની સમસ્યા વિષે પણ કંઈક આવું જ છે.

જો આપણે કાશ્મિરની સમસ્યાનું સમાધાન જોઇતું હોય તો તેના અનેક પાસાંઓ છે. સમસ્યા કાશ્મિરની છે કે જમ્મુ – કાશ્મિરની છે? ભારતની છે કે પાકિસ્તાનની છે કે બંનેની છે કે વિશ્વની છે? કશ્મિર સમસ્યા એ રાજકીય સમસ્યા છે કે સામાજીક સમસ્યા છે. સામાજીક સમસ્યા એટલે કે કાશ્મિરના લોકોની સમસ્યા એમ સમજવું.

વાસ્તવિક પરિસ્થિતિ શું છે?

જમ્મુ – કાશ્મિર ના રાજાએ પોતાના રાજ્યનું ભારત સાથે જોડાણ કરેલ,

(૧) યુનોનો ઠરાવ છે કે પાકિસ્તાને પોતાના સુરક્ષા દળો પીઓકેમાંથી હટાવી લેવા.

(૨) જ્યાં સુધી જમ્મુ-કાશ્મિર નો જનમત ન લેવાય ત્યાં સુધી આ રાજ્યને જીવન જરુરીયાતોની ચિજવસ્તુઓનો પુરવઠો પુરો પાડતા રહેવું.

(૩) પૂરા જમ્મુ-કાશ્મિર રાજ્યમાં (પીઓકે સહિતના રાજ્યમાં) ભારત પોતાના સુરક્ષા દળો રાખી શકશે જેથી કરીને ત્યાં જનમત લઈ શકાય.

(૪) પાકિસ્તાને કોઈપણ લશ્કરી કાર્યવાહી આ વિસ્તારમાં ન કરવી.

ભારતે પોતાના કબજા હેઠળના જમ્મુ-કાશ્મિરમાં લોકશાહી ઢબે લોકમત લઈ લીધો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સર્વાનુમતે જમ્મુ-કાશ્મિરના રાજાએ કરેલ ભારત સાથેના જોડાણને માન્ય રાખ્યું છે. પીઓકેમાં આવું કશું થઈ શક્યું નથી.

પાકિસ્તાને યુનાના ઠરાવના બધા જ પ્ર્રાવધાનોનો છડે ચોક ભંગ જ કર્યો છે. આ બધું જ રેકોર્ડ ઉપર છે. પાકિસ્તાનને હવે જનમત માગવાનો કે કોઈપણ માગણી મુકવાનો હક્ક નથી અને આધાર નથી.

એક નહીં અનેક

નહેરુવીયન કોંગ્રેસે એક નહીં હજાર હિમાલય જેવડી ભૂલો કરી છે. “સિમલા કરાર” એક હિમાલય જેવડી ભૂલ છે. ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ હતી નહીં. ૧૯૭૧નું યુદ્ધ આપણું સૈન્ય જીત્યું. પાકિસ્તાનની બેવકુફી અને તેની તે વખતના યુદ્ધમાં ભૌગોલિક પરિસ્થિતિઓ જોતાં આ યુદ્ધ, ભારતે જીત્યા સિવાય છૂટકો પણ ન હતો.

ભારત માટે પાકિસ્તાન-ભારત વચ્ચેની બધી જ સમસ્યાઓના ભારત તરફી ઉકેલો માટે આ સમય એક શ્રેષ્ઠ સમય હતો. પણ ઇન્દિરા ગાંધીમાં લાંબી બુદ્ધિ ન હોવાથી તેણે બધું જ ગુમાવ્યું. કાશ્મિરનો મુદ્દો તો ઉકેલાઈ જ ગયો હોત. તે વખતે કલમ ૩૫એ, કે કલમ ૩૭૦ કે તેથી પણ કંઈક વધુ મેળવી શકાયું હોત. ટૂંકમાં આપણે વંશવાદના અને એક હથ્થુ શાસનના બધા જ ગેરફાયદાઓ મેળવ્યા.

ભારત – પાકિસ્તાન વચ્ચે સિમલાની સમજૂતી કે જે પરસ્પર વાટાઘાટોની છે, તે કેટલી કારગત નિવડશે કે વ્યંઢ અને નિસ્ફળ જશે તેની સમજ એક રાજકીય વ્યક્તિ તરીકે ઇન્દિરા ગાંધીમાં હોવી જોઇએ તે ન હતી. પાકિસ્તાનની રચના જૂઠ અને હિંસાના સહારે થઈ છે તે વાત જે ન જાણતા હોય તે લોકોએ રાજકારણમાં રહેવું ન જોઇએ કે તેની વાત પણ ન કરવી જોઇએ.

ભારતની દૃષ્ટિએ ભારત-પાકિસ્તાન વચ્ચેની કાશ્મિર સમસ્યા ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મિર છે અને એમ જ હોવું જોઇએ.

એક વાત સમજવી જોઇએ કે અખંડ ભારતના બે ભાગ પડ્યા નથી. પણ કાયદેસર રીતે બ્રીટીશ ઈન્ડીયામાંથી બ્રીટીશે સૌ પ્રથમ પાકિસ્તાનનો પ્રદેશ સ્વતંત્રતા આપવા માટે છૂટો કર્યો. અને તેને સ્વતંત્રતા આપી. તે પછી ભારતને સ્વતંત્રતા આપી. જમ્મુ-કાશ્મિર રાજ્ય ભારતનો હિસ્સો છે. અને આ નિર્ણયને જમ્મુ-કાશ્મિર રાજ્યની જનતાની મંજૂરી છે. આ હકિકતને ઉવેખી ન શકાય. કાશ્મિર સાંસ્કૃતિક રીતે કે સામાજીક રીતે કે રાજકીય રીતે ભારતથી અલગ નથી. આ બાબતની પુષ્ટિ આપતા અનેક પુરાવાઓ છે.

ભારતના ભાગલા ધર્મને આધારે થયા હતા તેનો કોઈ કાયદાનો આધાર નથી. સુફી, શિયા, સુન્ની અને વહાબી … આ બધામાં આભ જમીનનો ફેર છે અને તેમને ઉભા રહ્યે ન બને જો તેમને એક જ પ્રદેશમાં રાખ્યા હોય તો.

કાશ્મિર સમસ્યા વિષે આપણા અમુક કટારીયા લેખકો તટસ્થના “ક્રેઝ”માં કશ્મિરમાં જે અશાંતિ છે તેને સામાજીક એટલે કે કાશ્મિરની જનતાની ભારત વિરોધી ભાવના તરીકે ઓળખાવે છે. આ બાબતની ચર્ચા આપણે “સુજ્ઞ લોકોની કાશ્મિર વિષેની ભ્રમણાઓ” ના બ્લોગમાં આજ બ્લોગ સાઈટ ઉપર જોયું છે. તેથી જેમને શંકા હોય તેઓ તે બ્લોગ વાંચી જાય.

આ બધું તો ઠીક પણ કાશ્મિરની એટલે કે જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં જે અશાંતિ છે તે સમસ્યાનું નિવારણ શું?

નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે કાશ્મિરની અશાંતિ બીજેપી સરકારે અપનાવેલી નીતિ છે.

નહેરુવીયન કોંગ્રેસના કહેવા પ્રમાણે વાટાઘાટો દ્વારા કાશ્મિર સમસ્યાનું નિવારણ થઈ શકે.

નહેરુવીયન કોંગ્રેસ આતંકવાદી હુમલાઓ બાબતમાં મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસ, આતંકવાદીઓને પાકિસ્તાનમાંથી મળતા  ફંડ વિષે મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતા કાશ્મિરમાં રહેલા અલગતાવાદીઓ કાશ્મિરના યુવાનોને ઉશ્કેરે છે તે પ્રત્યે મૌન  છે.

નહેરુવીયન કોંગ્રેસ, જે કાશ્મિરીનેતાઓ હિંસાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉત્તેજે છે તે વિષે મૌન છે.

નહેરુવીયન કોંગ્રેસનું એક માત્ર રટણ એ છે કે નરેન્દ્ર મોદીની નીતિઓએ કાશ્મિરની અશાંતિ ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ કાશ્મિરના અલગતાવાદીઓ અને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી જોઇએ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કાશ્મિરના અલગતાવાદી નેતાઓ સાથે “ઠહાકા મારીને” શી ચર્ચાઓ કરી હશે તે વિષે તેમણે ફોડ પાડ્યો નથી.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ટીવી ચેનલ ઉપર “અમારી જ્યારે સરકાર હતી ત્યારે અમે વાટાઘાટો કરતા હતા. તે વખતે કાશ્મિરમાં શાંતિ હતી. (જો શાંતિ લાવવી હોય તો) તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે..” એવું કહે છે.

ચાલો. આ બધું જવા દો. પણ શું નહેરુવીયન કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી ખરી?

ધારો કે માની લઈએ કે કાશ્મિરમાં શાંતિ હતી તો નહેરુવીયન કોંગ્રેસે કાશ્મિરી હિન્દુઓનું પુનર્વસન કેમ ન કર્યું?

FARUKH CULTURE

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસ માટે કાશ્મિરની સમસ્યાનું કશું નિવારણ છે જ નહીં. તેને તેમાં રસ જ નથી. તેમાં તેનો અને કાશ્મિરના સહયોગીઓનો સ્વાર્થ છે. પણ આવી સ્થિતિ સ્વપ્રમાણિત તટસ્થ મીડીયા મૂર્ધન્યોની ન હોવી જોઇએ જો તેમના મનમાં દેશનું હિત હોય તો..

પણ આમાં “બાર પુરબિયા અને તેર ચૉકા” ક્યાં આવ્યા?

અરે ભાઈ પ્રશ્ન એ છે કે “બાર પુરબિયા ને તેર ચૉકા”માં તેરમો ચૉકો કોનો?

નહેરુવીયન કોંગ્રેસ અત્યારે બાજપાઈની નીતિને અનુમોદન આપે છે. પણ જ્યારે બાજપાઈનું રાજ હતું ત્યારે બાજપાઈને સમર્થન આપ્યું ન હતું.

બાજપાઈની નીતિ હતી “ઇન્સાનિયત, કાશ્મિરીયત અને જંબુરીયત”

પ્રાસ સારો છે. વિચાર પણ સારો છે. પાડો તાલીઓ.

પણ શું કાશ્મિરમાં પ્રત્યક્ષ કે અને પરોક્ષરીતે અશાંતિ ફેલાવનારાઓને આ લાગુ પડે છે? તેમણે આ બાબતમાં કોઈ કદમ ઉઠાવ્યાં ખરા?

ઈન્સાનિયતઃ

સુરક્ષા દળો કે જેઓ આતંકવાદીઓ સાથે લડતા હોય તેમના કામમાં રુકાવટ કરવા અને તેમને ઈજા કરવા પત્થર મારો કરવો અને પેટ્રોલ બોંબ ફેંકવા, તે શું ઇન્સાનીયત છે?

કાશ્મિરી મુસ્લિમોએ ઉઘાડે છોગ, લાઉડસ્પીકરવાળા વાહનો ફેરવી ઘોષણાઓ દ્વારા, મસ્જીદોના લાઉડસ્પીકરોમાંથી ઘોષણાઓ દ્વારા, સમાચાર પત્રોમાં આવી જાહેરાતો દ્વારા, દિવાલો ઉપર અને દરેક હિન્દુ ઘરો ઉપર આવા પોસ્ટરો દ્વારા. હિન્દુઓને ધમકીઓ આપી કે સુનિશ્ચિત તારીખ સુધીમાં કાં તો મુસલમાન બનો અથવા તો ઘર છોડી ચાલ્યા જાવ. જો આવું નહીં કરો તો  તમારી કતલ થશે. પછી આ કાશ્મિરી મુસ્લિમોએ ૩૦૦૦+ હિન્દુઓને શોધી શોધીને. સીમાપારના આતંકીઓને ભરપૂર સાથ આપ્યો. આ બધા કુકર્મો શું ઈન્સાનિયત છે?

કાશ્મિરીયતઃ

કાશ્મિર શેના માટે પ્રખ્યાત હતું? કાશ્મિર તેની હિન્દુ સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્ય અને સુફી મત માટે પ્રખ્યાત હતું. હિન્દુઓને તો બેઘર કર્યા. જે ન ગયા તેમની કતલ કરી. એટલે હિન્દુઓ તો રહ્યા નહીં. તેમના અવશેષોને ધરાશાયી કર્યા. આ કંઈ સુફીવાદનું આવું લક્ષણ તો છે જ નહીં. એટલે સુફીવાદ તો રહ્યો જ નથી. અમરનાથ યાત્રીઓ ઉપર આતંકી હુમલાઓ કરવા એ શું કાશ્મિરીયત છે?

શું હિન્દુઓ ભારતમાં હજ ઉપર જતા યાત્રીઓ ઉપર હુમલાઓ કરે છે? હિન્દુઓ તો ઇન્સાનીયત અને દીનદારીયત જાળવતા રહ્યા. પણ કાશ્મિરી મુસ્લિમોની ઇન્સાનીયત અને દીનદારીયત ક્યાં રહી? તેમનામાં કાશ્મિરીયત રહી જ ક્યાં છે? પોતાના ગુન્હાઓની અને ભૂલોની સજાઓ ભોગવાની વાત તો જવા દો,  પણ પોતાના ગુનાઈત કુકર્મો  ઉપર પસ્તાવો પણ કરતા નથી. કાશ્મિરી હિન્દુઓના પુનર્વાસની તો વાત કરતા નથી. 

જંબુરીયતઃ

જંબુરીયત એટલે સુશાસન.

કાશ્મિરમાં અબજો રુપીયા ભારત સરકારે હોમ્યા. પૈસાદાર કોણ થયું? ફારુખ અબ્દુલા અને ઓમર અબ્દુલ્લા પૈસાદાર થયા. આજ ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાના શાસનમાં આતંકવાદ અને અલગતાવાદ ફુલ્યો ફાલ્યો. ફારુખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, એ નહેરુવીયન કોંગ્રેસનું ઔરસ/અનૌરસ અને વૈચારિક ફરજંદ છે. એટલે જ્યારે ફારુખ અબ્દુલ્લાની વાત કરીએ ત્યારે નહેરુવીયન કોંગ્રેસને સંલગ્ન ગણી લેવી.

આ ફારુખ અબ્દુલ્લા પોતાને નેતા (અહિંસક વ્યાખ્યા પ્રમાણે નેતા એટલે જનસેવક) માને છે. જનસેવક જો સત્તા ઉપર હોય તો તેનું કામ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાનું અને તેની સુરક્ષા કરવાનું હોય છે. જનસેવક જો સત્તા ઉપર ન હોય તો તેનું કામ જનતાની સમસ્યાઓને વાચા આપવાનું હોય છે.

પણ આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું?

૧૯૮૯ સુધી અલગતાવાદી બળોને નાથ્યા નહીં. તેઓ બળવત્તર બન્યા અને અસીમ રીતે હિંસક બન્યા ત્યારે આ ફારુખ અબ્દુલ્લાએ ગડગડતી મુકી અને  “યુ.કે.” જતા રહ્યા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે પાછા આવ્યા અને સત્તા સંભાળી. આ ફારુખ અબ્દુલ્લાએ હિન્દુઓના પુનર્વસન વિષે કશું જ ન કર્યું. ન કોઈ ગુનેગારની ઉપર કાયદેસર કામ ચલાવ્યું.

આ ફારુખ અબ્દુલ્લાએ શું કર્યું? અમરનાથ શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાની બાબત કે જેમાં અમરનાથ યાત્રીઓની યાત્રા સુવિધાજનક કરવાની હતી. હેડ ઓફ ધ સ્ટેશની રુએ જમીનની માલિકી કાશ્મિરના ગવર્નરની રહે તે સહજ હતું. “હેડ ઓફ ધ સ્ટેટ” હિન્દુ કે કાશ્મિરી ન પણ હોઈ શકે. કારણ કે ગવર્નર તો બદલાતા રહે. આ આખી વાત ક્ષુલ્લક હતી. પણ આ ફારુખ અબ્દુલ્લાએ આ ક્ષુલ્લક બાબત ઉપર જંગ છેડ્યો હતો. કૂદી કૂદીને તેની વિરુદ્ધ બોલતો હતો.

કાશ્મિરની સુરક્ષાની જેના માથે જવાબદારી છે તે સુરક્ષા દળ જો એક પત્થરબાજને જીપ સાથે બાંધે તો કાશ્મિરના મુસ્લિમોને ધરતી રસાતાળ થતી લાગે છે. તેઓ હિન્દુઓના માનવીય હક્કો ની સદંતર અવગણના કરે છે. તેમને મન કાશ્મિરના હિન્દુઓની કતલેઆમ, હિન્દુઓને નિરાશ્રિત કરી પાયમાલ કરી, તેમના પુનર્વસનની સમસ્યા ઉપર ગુન્હાઈત અવગણના પચીસ પચીસ વર્ષ સુધી પણ કર્યા કર્યા કરવી એવી રાજપ્રેરિત અમાનવીયતા કરતાં એક મુસ્લિમ પત્થરબાજને જીપ સાથે બાંધ્યો તે વધુ અમાનવીય લાગે છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની માનસિકતા અને વલણને ફારુખ અને ઓમરની માનસિકતા સાથે ગણી લેવી.

કાશ્મિરમાં સીમાપારના આતંકવાદી મૂળીયાં નાખનાર નહેરુવીયન કોંગ્રેસની ફરજંદ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી સહિતની ઉચ્ચ નેતાગીરી અને તેમની ટૂંકી દૃષ્ટિ જવાબદાર છે. આ જવાબદારીમાંથી તેઓ કદી છટકી ન શકે.

તેરમો ચૉકો નહેરુવીયન કોંગ્રેસનો છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ નવરા ધૂપ છે. લૂલીને છૂટ્ટી મુકી દો. “નાગે કુલે ફત્તેહખાં.”

આ બધું તો ખરું પણ કાશ્મિર સમસ્યાનો ઉકેલ શો?

જેઓ પોતાને રાષ્ટ્રવાદી માને છે તેમણે અલગતાવાદી નેતાઓને કાશ્મિરની સમસ્યા ઉપર હાથ જ મુકવા ન દેવો. જ્યારે તેઓ કંઈપણ ઉચ્ચારણ કરે, કે ન કરે ત્યારે પણ, તેમના ઉપર તેમના ઉપરોક્ત વર્ણિત ગુન્હાઈત કાર્યોને ઉજાગર કરતા રહેવું. આજ આપણો ધર્મ છે.

કાશ્મિરની સમસ્યા નરેન્દ્ર મોદી પોતાની રીતે ઉકેલશે.

પણ આ નહેરુવીયન કોંગી અને તેમના સાંસ્કૃતિક સાથીઓ જેમાં કેટલાક મીડીયા મૂર્ધન્યો પણ સમાવિષ્ઠ થઈ જાય છે તેમની ઉપર હમેશા વૈચારિક પ્રહારો કરતા રહેવું એ સુજ્ઞ લોકોનો ધર્મ છ

કાશ્મિર સમસ્યા વાસ્તવમાં કાશ્મિરના હિન્દુઓને પુનર્‍ સ્થાપિત કરી તેમના ઉપર અત્યાચાર કરનારાઓને જેલમાં પુરી કાયદેસર કામ ચલાવવું એ છે. જેઓએ આ કામ ન કર્યું તેમનો જવાબ માગતા રહેવું પડશે.

બાજપાઈ

બાજપાઈએ એવું માન્યું હતું કે ગુનેગારને ફુલ લઈને વધાવીશું તો તેનામાં સારપ ઉગી નિકળશે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી અગમ્ય હતા. તેઓ પોતાની રમતના પાના (પત્તાં) ખુલ્લા રાખતા હતા. પણ તેમના પાનાને કોઈ ઓળખી શકતું ન હતું. ગાધીજીનું દરેક પાનુ હુકમનો એક્કો બનતું હતું. કોંગ્રેસને આમજનતા માટે ખુલ્લી કરવાના પ્રસ્તાવને તે વખતના શિર્ષ નેતાઓ સમજી શક્યા ન હતા. સ્વદેશી અને સવિનય કાનૂનભંગને રવિન્દ્ર ટાગોર સહિતના મોટા નેતાઓ સમજી શક્યા ન હતા. અહિંસક માર્ગે આંદોલનને હજી સુધી નહેરુવીયન કોંગ્રેસ સહિત કોઈ સમજી શક્યું નથી.

નરેન્દ્ર મોદીઃ

જે સમસ્યા છે તેના અનેક પાસાં છે. આતંકવાદીઓ, ઘરના દુશ્મનો, કાશ્મિરની આર્થિક સમસ્યાઓ અને લઘુમતિ કે સ્થાનિક કક્ષાએ બહુમતિમાં હોય ત્યારે તેનામાં રહેતી માનસિક વૃત્તિની સામે કેવું વલણ અપનાવવું આવી અનેક મોરચાની આ લડાઇઓ છે.

નરેન્દ્ર મોદીમાં ગાંધીજી અને કૌટીલ્યનું મિશ્રણ છે. નરેન્દ્ર મોદીના પાનાંને સમજવા ભારતીય મુર્ધન્યો સક્ષમ નથી. જેણે સ્વકેન્દ્રી કેશુભાઈ અને રાજનીતિના ભિષ્મ ગણાતા અડવાણીને લડ્યાવગર જ પરાસ્ત કર્યા તેના શાસનના છૂટક છૂટક બનાવોને આઈસોલેશનમાં લઈ ટીકા કરવી અને તારવણીઓ કરવી સહેલી છે. પણ આવી તારવણી કરવાવાળા ઉંધા માથે પટકાયા છે.

MODI CUTS FARUKH

સુજ્ઞજનો માટે શ્રેય શું છે?

શ્રેય એ જ છે કે જેઓ કોમવાદી, જ્ઞાતિવાદી અને સ્વકેન્દ્રી છે તેમને ઉઘાડા પાડતા રહીએ.

હવે વિરોધપક્ષ રહ્યો નથી અને વિરોધ પક્ષ વગરનો શાસક પક્ષ સરમુખત્યાર થઈ જશે અથવા થઈ રહ્યો છે એવી ધારણાઓ કે એવા ફંફોળા કરી, જે કોઈ હાથવગો હોય તેને બિરદાવો એવા તારણ ઉપર આવવું એ આત્મઘાતી નિવડશે. મનમાંને મનમાં પરણવું અને મનમાં ને મનમાં રાંડવાનું બંધ કરવું પડશે.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક પક્ષો, તેના શિર્ષનેતાઓ સહિત, સિદ્ધ થયેલા ભ્રષ્ટ પક્ષો છે. નહેરુવીયન કોંગ્રેસે છ દાયકા રાજ્ય કર્યું. તો હાલના પક્ષને બે ટર્મ તો રાજ કરવા દો.

વડા પ્રધાનના સંતાન થયા એટલે વડા પ્રધાન તરીકેની આવડત આવી ગઈ, ખ્યાતિ મળી એટલે પક્ષ ચલાવવાની આવડત આવી ગઈ, આ રીતે સુંઠના ગાંગડે ગાંધી થવાતું નથી. વિરોધ પક્ષ કાળાંતરે આપોઆપ પેદા થશે.

પૉરો ખાવ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ બાર પુરબિયા અને તેર ચૉકા, હિન્દીભાષી, ભૈયાજી, પ્રોષિત ભર્તૃકા, મિયાંની દોડ, કહેવત, વાક્ય પ્રયોગ, ગુજરાતી ભાષા સમૃદ્ધ, કાશ્મિર, સમસ્યા, મુસ્લિમ, પાકિસ્તાન, યુનોનો ઠરાવ, સિમલા સમજુતિ, જનમત, લશ્કરી કાર્યવાહી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, હિમાલય જેવડી ભૂલ, ઇન્દિરા ગાંધી, લાંબી બુદ્ધિ, કલમ ૩૫એ, કલમ ૩૭૦, જમ્મુ-કાશ્મિર રાજ્ય, નહેરુવીયન કોંગ્રેસ, મૌન, ગુન્હાઈત, નરેન્દ્ર મોદીની નીતિ, શાંતિ, પુનર્વસન, ઇન્સાનીયત, કાશ્મિરીયત, જંબુરીયત, સુફી, વહાબી, સુન્ની, શિયા, ભ્રષ્ટ, જનસેવક, ફારુખ, ઓમર, સુરક્ષા, અમરનાથ શ્રાઈન બોર્ડ, સાંસ્કૃતિક સાથીઓ

Read Full Post »

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

મોટેરો ઘોડે અસવાર

આમ તો ઝવેરચંદ મેઘાણીની “ભેટે ઝુલે છે તલવાર” કંઈક આ પ્રમાણે છે.

ભેટે ઝુલે છે તલવાર વીરાજી કેરી ભેટે ઝુલે છે,

મોટો ઝુલે છે રોજ હાથી અંબાડીએ, નાનેરો ઘોડે અસવાર,

વીરાજી કેરી ભેટે ઝુલે છે.”

આમાં બે ભાઈઓની વાત છે.

એક નાનો અને એક મોટો એમ વાત છે.

ગુણોની અદલા બદલીઃ

ભારત આપણી માતા છે અને તેના સંતાનો એકબીજાના ભાઈ થાય. એ હિસાબે થતા બે ભાઈઓની આપણે વાત કરીશું.

Self made

એક નરેન્દ્ર મોદી છે. એક નહેરુવીયન વંશજ રાહુલ ગાંધી છે.

ઝવેરચંદ મેઘાણીની કવિતામાં નાનેરો સદ્‌ગુણો ને વરેલો છે. મોટેરો દુર્ગુણોને વરેલો છે.

ગુણોની અદલાબદલી થઈ ગઈ છે

સદ્‍ગુણઃ ભણતર, નીતિમત્તા, દેશહિતની સમજણ, વ્યસન હીનતા, પ્રજા હિતની સમજણ, સમાજના દરેક સ્તરની જીવનની અનુભૂતિઓ, અથાક પરિશ્રમ, સ્વાવલંબન, રાજકીય અને આર્થિક સ્વતંત્રતા, આર્ષદૃષ્ટિ, …

દુર્ગુણઃ બાપિકા પૈસે તાગડ ધીન્ના, નિમ્નસ્તરનું ભણતર, વ્યસનો અને ચારિત્ર વિષે અફવાઓનું અસ્તિત્વ, શંકાસ્પદ વર્તનો, અધુરું વાચન, કલ્પનાનો અભાવ, અસંવેદન શીલતા, સ્વાર્થ અને દંભ, પરતંત્રતાનું વળગણ…

સદ્‍ગુણ ધરાવતા ભાઈ ઉંમરમાં મોટા છે. દુર્ગુણ ધરાવનારા ભાઈ ઉમરમાં નાના છે.

હવે આપણો દેશ તો લોકશાહી છે એટલે મોટાભાગના શત્રુઓ તો આપણા દેશમાં જ હોવાના. એટલે જે લડવાનું છે તે તો મોટેભાગે દેશને ગર્તામાં ધકેલનારાઓ સામે જ લડવાનું છે. આ દેશના દુશ્મનો એ આપણી સમસ્યાઓના ભાગરુપે છે. એટલે કે તેમને પણ સમસ્યાઓમાં ગણી લો.

સમસ્યાને કેવીરીતે ઉકેલવી તે વિષે કંઈ ફોડ પાડો.

મોટાભાઈએ સમસ્યાના પડકારો ને ઝીલી લીધા અને તેની સામે યુદ્ધ શરુ કર્યું.

નાના ભાઈ, ચૂંટણી આવે એટલે સક્રીય થાય અને દેશમાં સફરજન બને. એ સિવાય વિદેશોની ખેપો કરે અને શાને માટે ખેપો કરી તે બધું ખાનગી. તેમના નામ અને ધર્મ પણ ખાનગી. તેમના હિસાબો ખાનગી … એવી શંકાઓ ઉપર સ્પષ્ટીકરણનો જાણીબુઝીને અભાવ …

હવે ચૂંટણીઓ નજીક આવી.  કેટલાક રાજ્યોની વિધાનસભાઓની અને તે પછી લોકસભાની

કેન્દ્રમાં નાનાભાઈનું શાસન ચાલુ છે

ગુજરાતમાં મોટાભાઈનું શાસન ચાલુછે.

ઝાઝા રસોઈયા રસોઈ બગાડે

ચૂટણીઓ આવે એટલે સમાચાર માધ્યમોને ગરમાગરમ મસાલેદાર વાનગીઓ રાંધવાનો મોકો મળી જાય છે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે અને જનતાની તબિયત બગડે. જનતાની તબિયતનું ધ્યાન શા માટે રાખવાનું? જનતાની તબિયત તો બગડેલી જ રાખવાની. જનતાની તબિયત  બગડેલી હોય તો જ આપણે તેના ઉપર ઉપચારો કરીને કમાણી કરી શકીએ ને? જનતાની તબિયત બગાડવાનું તો આપણું ધ્યેય છે. એમ સમાચાર પત્રો માને છે. એટલે કેટલાક એવી શંકા સેવે છે કે કાં તો આ સમાચાર પત્રો મૂર્ખ છે અથવા તો નાના ભાઈ સાથે ભળી ગયા છે.

હમણાં હમણાં સમાચાર માધ્યમો પરોક્ષ રીતે નરેન્દ્ર મોદીને વગોવવામાં મચી પડ્યા છે.

સમાચાર માધ્યમો બે નેતાઓ વચ્ચે વડાપ્રધાન પદ માટે સ્પર્ધા ચાલી રહી છે એ વાતને બહુ ચગાવી રહ્યા છે. આવું કરવામાં તેઓ તેમની આદત પ્રમાણે નરેન્દ્ર મોદી ના દરેક વક્તવ્યોને આ વાતના અનુસંધાનમાં વિશ્લેષી રહ્યા છે. મોટે ભાગે તેઓ શાસ્ત્રીય ચર્ચા ને બદલે નરેન્દ્ર મોદીને અપમાન જનક અને અથવા મજાકીયા શબ્દોમાં નવાજી રહ્યા હોય છે.

નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરે તે તો સમજી શકાય તેવું છે. કારણ કે તેઓને પોતાનો અંત નજીક દેખાય છે તેથી હવાતીયા મારે તે કદાચ આપણે ક્ષમ્ય ગણીએ, પણ પ્રસાર માધ્યમો વિકૃત બને અને આમ જનતાની ઈચ્છાઓને પ્રતિબિંબિત ન કરે ત્યારે તેઓ વિશ્વસનીય રહેતા નથી. આ સમાચાર માધ્યમો તો જ્યારે આધારહીન માહિતિઓ આપે ત્યારે દેશના ભવિષ્ય વિષે ચિંતા ઉત્પન્ન થાય જ.

મોટાભાઈ પાસે તો આમેય પોતાના રાજ્યની જવાબદારી છે. નાના ભાઈને પણ અમુક રાજ્યોની વિધાન સભાની ચૂંટણી સમયે પ્રચારનું માળખું વ્યવસ્થિત કરવાની અને પ્રચારની જવાબદારી સોંપેલી. વિશાળ સૈન્ય અને ભાટચારણોનો કાફલા હોવા છતાં પણ આ નાનાભાઈને પરાજય મળ્યો.  વ્યવસ્થા શક્તિ અને વૈચારિક આવડત ન હોય તો બીજું શું થાય?

ભાટ ચારણ ભાઈઓ માફ કરે. આ શબ્દો વટના કટકા એવા સાચા ભાટચારણ માટે પ્રયોજાયેલા નહી. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો માટે પ્રયોજાયેલા છે. ઉત્તર ભારતમાં અમુક માલેતુજાર લોકો કેટલાક લોકોને સેવકો તરીકે જીંદગીભરના બંધન સાથે સેવા માટે રાખે છે. તેઓ બંધવા મઝદુર તરીકે ઓળખાય છે. નહેરુવંશના પક્ષના નેતાઓ પણ આ બંધવા મઝદુર જેવી પ્રકૃતિ ધરાવે છે.

નાનકાએ શું કર્યું?

મૂળવાત પર આવીએ. આ નાના ભાઈએ તો પરાજય સ્વિકારી લીધો. પણ બંધવા ગુલામોએ અને તેના કુટુંબીજનોને આ પરાજય પચ્યો નહીં. ભાટ ચારણોએ આ પરાજયોને ચગાવ્યા નહી, કારણ કે આવકનો શ્રોત જ બંધ પડી જાય તે તેમને પરવડે તેમ ન હતું.

“મસ્જીદમાં ગર્યો તો જ કોણ?” એટલે કે આ નાનકાને કોઈ જવાબદારી સોંપવામાં જ આવી ન હતી. તેથી પરાજય અને નિસ્ફળતાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. આ નાનકો તો સાક્ષીભાવે જ યુદ્ધમાં ગયેલ. અમારો આ નાનકો તો જવાબદારીથી જરાય ડરે તેવો નથી.

અમારો આ નાનકો કોઈપણ જવાબદારી માટે સજ્જ છે. અમે તે કોઈ મોટી જવાબદારી સ્વિકારે તે માટે આતુર છીએ. આવી વાત ભાટચારણોએ, બંધવા ગુલામોએ અને કુટૂંબીજનોએ, તેમની મશ્કરી શરુ થઈ જાય તેટલા ઠીક ઠીક સમય સુધી ચલાવી. તે પછી તેને પક્ષનો ઉપપ્રમુખ બનાવી એક મહાપરાક્રમ કર્યાનો નિંરાતનો શ્વાસ લીધો.

ભાઈ, અમારો નાનકો કંઈ જેવો તેવો નથી.  તમે તેનો તરવરાટ જુઓ .. તમે તેની લાગણી શીલતા જુઓ, તેનું નિરાભિમાન જુઓ, તે કેવો ગરીબો સાથે જમવા બેસી જાય છે, કેવું પ્લાસ્ટિકનું તગારું ઉચકવાની મજુરી કરવા તૈયાર થઈ જાય છે, તમે તેનું વૈવિધ્ય જુઓ, તે કેવો ક્યારેક દાઢી વધારે છે, તે કેવો ક્યારેક દાઢી ક્લીન સફાચટ એટલે કે ક્લીન શેવ્ડ ચહેરો રાખે છે, તમે તેના ચહેરા ઉપર  ની  તાઝગી જુઓ,  તેના હાવભાવ જુઓ, તે કેવો ચાલે છે, તે કેવો દોડે છે … (ઘોડો જો .. ઘોડો જો .. ઘોડાની કેશવાળી જો .. ઘોડાની ડોક જો … ઘોડાની પીઠ જો .. ઘોડો કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો હણ હણે છે …  ઘોડો જો ઘોડો જો .. આવો એક પાઠ બચપણમાં અમારે આવતો હતો)

હવે સામાજીક સમસ્યાઓનું આ નાનકાએ અશ્વાવલોકન કર્યું અને તેને લાધ્યું કે શું મારે આ બધું ઉકેલવાનું છે? ભારે કરી…. મને તો એમ કે મારે મારી મમ્મીની જેમ જાહોજલાલી ભોગવાની છે. જે કંઈ પરિણામ આવે તેને માથા ફોડ કરી હકારાત્મક બનાવી આપણા ભાટચારણો દ્વારા સફળતામાં ખપાવી દેવું અને તેનો જશ લઈ લેવો એજ પ્રણાલી ચાલુ રાખવાની છે. અને જો આ અઘરું પડે અને અશક્ય લાગે તો તો તે નિસ્ફળતાને માટે બીજાને બલીનો બકરો બનાવી દેવો. નહેરુકુલ રીતિ સદાચલી આયી, પ્રાણ જાઈ ઔર બચન સબ જાઈ.  જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. કારણ કે ગામના છોકરા ગારાના અને નહેરુવંશના સોનાના.

અત્યાર સુધી તો આ ચતુર પુરુષ રસબસતા ચૂરમાના લાડુ ખાઈને એય આરામથી હિંડોળે બેસી પાન ચાવતા હતા અને હવાફેર માટે દેશ વિદેશની ટ્રીપો મારતા હતા.   જરુર પડે ત્યારે કોઈ ગરીબને ત્યાં બે કોળીયા ગળચીને ગરીબની સેવા કર્યાની ફરજ બજાવી એમ માનતા હતા.  પણ આતો સાચે સાચ ઉપાધી આવી. આપણને પક્ષના ઉપપ્રમુખ બનાવી દીધા. અને સર્વત્ર એવી જાહેરાત કરી દીધીકે હવે યુવરાજને જવાબદારી ભર્યું સ્થાન આપ્યું છે.

નાનકાને એ પણ લાધ્યું કે તેના પૂર્વજોએ પણ આ સમસ્યાઓનું ગર્દભાવલોકન કરેલ અને સુખેથી સત્તા ભોગવતા ભોગવતા જીવન જીવેલ. મારા પ્રદાદાએ હિમાલયન બ્લન્ડરો કરેલી. દાદી પણ ભૂલો કરવામાં કે ફ્રૉડ કરવામાં કમ ન હતા એમણે તો પ્રદાદા કરતાં પણ વધુ ભૂલો કરેલ. પણ મોટા વારસાની જોગવાઈ કરી ગયેલ, એવા બંધવા ગુલામ સહાયકો બનાવીને મુકી ગયેલ કે જેઓ હમેશા આપણા ઉપર આધાર રાખતા રહે અને જો ડહાપણ કરવા જાય તો તેમને જેલના સળીયા ગણતા કરી શકાય. પપ્પા પણ એવા બનવા માંડેલ પણ અકાળે ભગવાને બોલાવી લીધા. બહેનીએ આ ભાર ઉઠાવી લીધો હોત તો સારું. પણ એ બીચારી પણ શું કરે? જીજાજીએ ઓછી આફતો ઉભી કરી છે?

નાનકાએ વિચાર્યું કે વંશની પ્રકૃતિને જાળવા માટે મારે સમસ્યા વિષે શું કશુંક કહેવું જોઇએ? તત્વજ્ઞાન ભરડવું જોઇએ. જેમ મારા પ્રદાદા અને દાદી સમસ્યા ઉજાગર કરી ફીલોસોફી ભરડતા કે ફલાણી સમસ્યા ઘણી જુની છે અને અત્ર તત્ર સર્વત્ર વિશ્વવ્યાપી છે. ગરીબી હટાવો. અમે આ ગરીબીને ઉકેલવા કટીબદ્ધ છીએ. પછી કહેવું કે અમુક સમસ્યાઓ વિષે તો જાણે કે એવું છે ને કે અમને તમુક લોકો કામ કરવા દેતા નથી … મારા પપ્પાને પણ અમુક લોકોએ કામ કરવા દીધું ન હતું, બાકી અમે કુટુંબીઓ તો ઘણા શાણા અને શકરા છીએ. અમારા વિરોધીઓ જ પાજી હતા…  વિગેરે વિગેરે. ભાટ ચારણો આ બધાની વિગતોમાં ઉતરીને જનતાને માહિતિપ્રદ બનવાને બદલે ઉપરોક્ત વંશના ફરજંદના તારણોને જ વધુને વધુ પ્રસિદ્ધિ આપવાનું ચાલુ રાખતા હતા.

હવે શું કરવું?

ભાટચારણોએ અને બંધવા લોકોએ મોટાભાઈને મોટા પાયા ઉપર ભાંડવાનું ચાલુ કરી દીધું.

નરેન્દ્ર મોદીનો ડોળો દિલ્લીની ગાદી ઉપર છે.

મોદી વડાપ્રધાન પદ માટે રઘવાયા થયા છે.

મોદી ચલે દીલ્લી કો.

ક્યા મોદીકા મેજીક ચલેગા?

ક્યા મોદી અપના દાગ ધો પાયેગા?

ક્યા મોદીકા મોડલ દેશ પર ચલેગા?

ક્યા મોદી આત્મશ્લાઘાસે દીલ્લીકા રાસ્તા તય કર પાયેગા?

ક્યા મોદીકા દિલ્લીકા રાસ્તા ઈતના સરલ હૈ?

ક્યા મોદી સર્વસ્વિકૃત બન પાયેગા?

ક્યા મોદીકો, એનડીએ કે ઘટક પક્ષ સ્વિકારેંગે? 

ક્યા મોદી અપને ખુદકે પક્ષમેં સર્વમાન્ય હૈ?

ક્યા મોદી સબકો સાથ લે કે ચલ સકતા હૈ?

નાનકાએ કહ્યું, દેશ સમસ્યાઓથી ભરપુર છે. જનતાએ સમજવું જોઇએ કે કોઈ એક માણસ ઘોડા ઉપર આવશે અને બધી સમસ્યાઓથી છૂટકારો મળી જ જશે એવું નહીં બની શકે. સમસ્યાઓમાં જનતાએ પોતે જ પ્રયત્નો કરવા પડશે. એક વ્યક્તિ કશું કરી ન શકે.

મોટા ભાઈ તો જવાબદારી વાળા હતા. અને પોતે કઈ સમસ્યા બાબતમાં કેવું વિચાર્યું અને શું કર્યું અને શાં પરિણામો આવ્યા …  વિગેરે વિગેરે લોકોમાં જાહેર કરવા લાગ્યા.

એટલે બંધવા ગુલામોના પેટમાં તેલ રેડાવા લાગ્યું. તે લોકો કહેવા લાગ્યા કે મોદી આત્મશ્લાઘા કરે છે. મોદી પોતાને પીએમ સમજવા લાગ્યો છે. મોદી ગુજરાતને દેશ માને છે. મોદી તો યમરાજ છે. ટૂંકમાં મોદી વિરોધીઓને હવે યમરાજ દેખાવવા લાગ્યા છે જાણે તેમના દિવસો પૂરા થયા.

મોદીએ કહ્યું મેં તો જનતાના સહકારથી કર્યું છે. મારે તો ઘણું કરવાનું બાકી છે. મેં તો હજુ નહેરુવંશી સરકારોએ કરેલા ખાડાઓ જ પૂર્યા છે. મારા સ્વપ્નની ઈમારત તો હજી બાકી છે.

બંધવા લોકો કહેવા લાગ્યા કે મોદીએ તો ખીણ ખોદી છે. એ કોણ પૂરશે? મોદી વિરોધીઓને મોદી-ફોબીઆ છે. તેઓ દરેક વાતે ૨૦૦૨ના રમખાણો જનતાને યાદ કરાવવા માગે છે. મોદીએ ગુજરાતની જનતાને તો ૨૦૦૨ના રમખાણો ભૂલાવી દીધા છે. પણ બંધવા ગુલામો અને ભાટચારણો ગુજરાત બહાર ૨૦૦૨નો લાભ લેવા માગે છે. એટલે કે ૨૦૦૨ના રમખાણો અને મોદી ફોબીયાની ખીણમાંથી તેઓ બહાર નિકળવા માગતા નથી. એટલું જ નહીં પણ આખા દેશની જનતાને ખીણમાં પાડવા માગે છે.

નાનકાએ કહ્યું દેશ તો મધપુડો છે. નાનકાનું કહેવું એમ હતું કે જનતાએ ભેગા મળીને કામ કરવું પડશે.

મોદીએ કહ્યું ભારત દેશ તો આપણી માતા છે. આપણે દેશને માતા તરીકે જોઇએ છીએ.  માતાને મધપુડો ન કહેવાય.

નાનકાએ રામ ભરોસે દેશની મધપુડા સાથે સરખામણી કરી હતી. મોદીકાકાએ તેના ઉપર એક કટાક્ષ કર્યો. જવાબ બહુ બહુ તો નાનકાએ આપવો જોઇએ. પણ નાનકાનું મગજ જરા “સ્લો ટુ ઓપરેટ” એટલે કે જલ્દી ન ચાલે તેવું છે. મોદીના કટાક્ષનો જવાબ તો તૂર્ત જ આપવો જોઇએ. નહીં તો હવા ઠંડી પડી જાય. તેવે વખતે જવાબ આપીએ તો મૂર્ખમાં ખપીએ. એટલે બંધવા ગુલામો એક પછી એક જવાબ આપવા માંડ્યા.   બંધવા ગુલામોએ કહ્યું, મોદીમાં અક્કલ નથી. મધપુડો એક શિસ્તબદ્ધ રીતે થયેલી સંરચના છે. મોદીમાં શિસ્ત જેવું અને સભ્યતા જેવું કશું નથી.

શું આ કટાક્ષ વિષે આગળ ચર્ચા કરી શકાય. રમૂજ તો કરી શકાય કે મધપુડામાં રાણી જ સર્વેસર્વા હોય છે. એટલે રાણીના ઘરને જ વળગીને કામ કરવું જોઇએ. રાણી કે રાજા થવાની કોઈએ આકાંક્ષાઓ રાખવી ન જોઇએ. બધાએ વ્યંઢળની જેમ જ વર્તવું જોઇએ. હવે આ ટોપી કોને માથે બંધ બેસતી થશે?

મોટાભાઈની વાતો અને મીડીયાગીરી

મોદીકાકા ઔદ્યોગિક ગ્રુપની બહેનોની સભામાં કંઇક બોલવા માટે આમંત્રાયા. અગાઉ એક સભામાં નાનકાએ **વતીબેનનો દાખલો આપેલ કે જેમના પતિ આત્મહત્યા કરી અવસાન પામેલ. તેથી **વતી બેનને અમુકલાખ રુપીયાની મદદ કરવામાં આવેલ. તેમની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ. આપણા મોદીકાકાએ જશુબેનનો દાખલો આપ્યો. કે તેઓએ વિધવા થયા પછી આત્મસુઝ અને વ્યવસ્થિત કારભારથી કેવી રીતે પીઝાનો ધંધો ઉભો કર્યો અને મલ્ટી નેશનલ વિદેશી બનાવટને ટક્કર આપીને વિકસાવ્યો.  બહેનોમાં અસાધારણ વ્યવસ્થા શક્તિ હોય છે. તેઓ પોતાના ઉત્પાદનને કેવા કેવા ઉચ્ચ સ્તરે પહોંચાડી શકે છે. આ વાતના સર્વગ્રાહી ઉદાહરણો તેમણે ઈન્દુબેન ખાખરા વાળા, લીજ્જત પાપડ અને અમૂલ દુધના આપ્યા. ગુજરાતમાં બહેનો સખીમંડળ બનાવીને કરોડો રુપીયાનો વહીવટ કેવો સક્ષમ રીતે કરી શકે છે તેનો પણ દાખલો આપ્યો. જો કે મોદીકાકાએ, નહેરુવંશના ભાટ ચારણો ઉપર થોડી રમૂજ પણ કરી લીધી. સાથે સાથે ભ્રૂણ હત્યા વિષે થોડા ભાવુક પણ બન્યા. આ વાતને આપણા ગુજ્જુ *ઢવાડીયાજીએ પકડી લીધી અને તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના આંસુ મગરના આંસુ છે. ફલાણી ફલાણી બહેનો જ્યારે કમોતે મરી ગઈ ત્યારે મોદી સાહેબ ક્યાં હતા?

નહેરુવંશના ભાટચારણોએ કહ્યું કે મોદીએ તેમને પૂછેલા ખાસ પ્રશ્નોનો સીધો ઉત્તર આવ્યો નથી. જેમકે બહેનો માટેના ૩૦ટકા અનામત બેઠકો વિષે તેમણે ફોડ પાડીને પોતાનો મત પ્રદર્શિત કર્યો નથી. જો કે મોદીએ કહ્યું કે તેમણે તો બહેનો માટે ૫૦ ટકા બેઠકો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત રાખવાનો ઠરાવ બનાવીને વિધાન સભામાં પસાર કરાવીને રાજપાલની મંજુરી માટે મોકલી આપ્યો છે. અને તે હજી ત્યાં જ પડ્યો છે. વળી તેમના પક્ષે કદી ૩૦ટકા બહેનો માટે અનામત રાખવાનો વિરોધ કર્યો નથી. હવે જો મધપુડો એટલે સામુહિક કર્મ એવું અર્થઘટન નહેરુવંશીઓ, તેમના બંધવા સેવકો અને ભાટચારણો કરી શકતા હોય તો નરેન્દ્ર મોદીના વલણનો તેમને ખ્યાલ આવી જ જવો જોઇએ. મોદીએ અને તેમના પક્ષે બહેનો માટે જે અનામતો પુરસ્કૃત કરી હોય તેના ઉપરથી નરેન્દ્ર મોદીના જવાબ મળી જ જાય છે. પણ આપણા આ ભાટચારણો તો એવું ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઈલમાં જવાબ ન આપે. પ્રસાર માધ્યમો જે શબ્દોમાં જવાબ માગે છે તે જ શબ્દોમાં જવાબ આપે. ઈન્દીરા માઈએ લાદેલી કટોકટી વખતે વિનોબા ભાવે વિષે પણ આવું જ થયેલ. વિનોબા ભાવેએ કહેલ કે હું મારો જવાબ મારા શબ્દોમાં આપું, પણ કેટલાક લોકો એવું ઈચ્છે છે કે હું તેમના નક્કી કરેલા શબ્દોમાં મારો જવાબ આપું.

નરેન્દ્ર મોદી તો લોકોને સાથે લઈને જ ચાલે છે તે માટે તેમણે એક નવી પ્રણાલી પ્રસ્તૂત કરી છે જેમાં સ્થાનિક લોકો, જનતા, પ્રાઈવેટ પાર્ટી અને સરકાર સઘળા સામેલ હોય.

મોદીની વિકાસ માટેની કાર્યશૈલીને “મોદી મોડેલ” એ નામ થી પ્રસાર માધ્યમોએ ઓળખાવવી શરુ કરી છે. નરેન્દ્ર મોદી આમ તો દાખલાઓ આપીને જ બધી વાતો કરે છે. પણ પ્રસાર માધ્યમો એવી માહિતિઓ ઉપર ચર્ચા કરાવતા નથી. કારણ કે જો ચર્ચા એ રીતે ચાલે તો મોદીનો વિરોધ કરવાનો અને મોદીને વગોવવાનો અવકાશ ન રહે. પ્રસાર માધ્યમોને અદ્ધર અદ્ધર વાતો કરવામાં જ વધુ રસ છે.

એક ટીવી ચેનલે ચર્ચાનું નામ આપ્યું

 “મોદી ચલે દીલ્લીકો

બીજી ચેનલે ચર્ચાનું નામ આપ્યું

 “ફેંકુ બનામ પપ્પુ

ફેંકુ વિશેષણ નરેન્દ્ર મોદી વિષે વાપરવામાં આવ્યું છે.

“પપ્પુ” શબ્દ રાહુલ માટે છે.

પપ્પુ શબ્દ આમ તો નિર્દોષ શબ્દ છે.

પણ ફેંકુ શબ્દ તો હલકો, જુઠ્ઠા બોલો અને ચારસોવીસ નો પર્યાય થાય. નરેન્દ્ર મોદી એક લોકપ્રિય નેતા છે. એક રાજ્યના મુખ્ય મંત્રી છે. ભારે બહુમતિથી ચૂંટાઈને આવેલા છે. તેમને માટે ફેંકુ શબ્દ ન વપરાય. ચેનલે આવા અપમાન જનક શબ્દો ન વાપરવા જોઇએ. પણ આ બનાવ ચેનલના સંસ્ક્રાર બતાવે છે. સુજ્ઞ લોકોએ તેને તે રીતે મુલવવી જોઇએ.

“મોદી મોડેલ” આ શબ્દ રાજકીય બનાવી દેવાયો છે. છતાં ગુજરાતમાં જે રીતે વિકાસ થયો તેના અનુસંધાનમાં જો જોવામાં આવે તો તેને ફેંકી દેવાનુ કહેનારા જ ફેંકુ છે.

દરેક રાજ્ય પાસે અનેક સંપદાઓ તો હોય છે જ

દરિયા કિનારો, પહાડ, રણ, ખારોપાટ, ખેતરાઉ જમીન, પડતર જમીન, જંગલ, પવન, તડકો, ખનીજ સંપત્તિ, પાણીનો ઉગ્ર પ્રવાહ, નદીઓ, ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્મારકો, પશુધન, માનવ શક્તિ. આ માનવ શક્તિને અન્ય શક્તિઓ સાથે જોડીને વિકાસ કરી શકાય છે. નરેન્દ્ર મોદીએ માળખાકીય સગવડો કરી. એટલે કે સડકો અને વિજળી. પાણીનો શ્રોત ફક્ત નર્મદા અને તાપી છે. તો તેમણે નર્મદાને સરસ્વતી સાથે જોડી. નર્મદાના કામમાં ઘણા રાજકીય રોડાઓ આવ્યાં છે. પણ તેની વાત નહીં કરીએ. ખેતીમાં ડબલ ફીગરમાં વિકાસ કર્યો. શિક્ષણનો વિકાસ કર્યો. જે પહેલાં ૬૦ ટકાથી નીચે હતું તેને ૮૦ ટકા કર્યું. પવન ઉર્જાનો વિકાસ કર્યો. સોલર પાવરનો વિકાસ કર્યો. પર્યટન ક્ષેત્રે વૃદ્ધિ થઈ. શહેરી વિકાસ શહેરો શોભી ઉઠે તેવો થયો. ગામડાંનો પણ વિકાસ થયો અને ગામડામાંથી શહેરો તરફ થતો ધસારો નબળો પડ્યો. સખીમંડળો અને મેળાઓ દ્વારા ગ્રામોદ્યોગ ને પ્રોત્સાહન આપ્યું અને શહેરોમાં તેના પ્રદર્શનોને વેગવંતા બનાવ્યા. તહેવારોની સામુહિક ઉજવણી, આનંદ બજારો, ખાદી મેળાઓ, કૃષી મેળાઓ, રમત ગમત અને મનોરંજન કાર્યક્રમો દ્વારા સંવાદ અને લોકભાગીદારી વિકસાવી. ઈન્ટરનેટથી વહીવટી તંત્રને પ્રજા સાથે જોડ્યું. સરકારી નોકરોના કલ્ચરને સુધારવા પ્રશિક્ષણના વર્ગો ચલાવ્યા. ટૂંકમાં લોકો સાથેનો સરકારનો સંવાદ વધ્યો.

નરેન્દ્ર મોદી શું કહે છે?

ગુજરાતનું વિકાસનું મોડેલ જ બધે ફીટ કરવું જોઇએ તેમ સમજવાની જરુર નથી. પણ ગુજરાત મોડેલમાં મોડીફીકેશન કરીને જે તે રાજ્યમાં તેને અનુરુપ મોડેલ બનાવી શકાય. મીડીયાવાળા આ મોડીફીકેશનનો અર્થ સમજવા છતાં પણ સમજશે નહીં. પણ તેને તેઓ મોડીફીકેશનને બદલે “મોદીફીકેશન” કહી નિરર્થક વિવાદો સર્જશે.

નરેન્દ્ર મોદી પાસે ચિંતન છે અને નવા વિચારો છે. તેને જનતાને ચાલતી અને દોડતી કરતાં આવડે છે. નરેન્દ્ર મોદી સંવાદ કરે છે. તેના સંવાદ ઉંડાણ અને માહિતિ સભર હોય છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ફક્ત વાણી વિલાસ કરે છે. તે કોઈ માહિતિ આપી શકતો નથી. ચાલો માની લઈએ આપણો દેશ મધપુડો છે. મધ તો બહુ પવિત્ર અને શ્રેષ્ઠ દવા અને વાનગી પણ છે. આટલી બધી માખીઓ પણ હાજર છે. અપાર સંપદાઓ પણ છે. તમારા બાપદાદાઓએ છ દાયકા સુધી રાજ કર્યું તો પણ લોકો અભણ, બેકાર અને ગરીબ કેમ રહ્યાં? મનીનું હની કોણે બનાવ્યું? વિદેશી બેંકોના ખાતાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં કઈ માખીઓ આડે આવે છે? શું તમે તમારા વડવાઓથી વધુ હોંશીયાર અને આવડતવાળા છે? દશાકાઓ તેમને અંધારે ગયા, તમે આવા શાણા ક્યાંથી થયા?

મોટાભાગની સમસ્યાનું મૂળ નિરક્ષરતા, બેકારી અને ગરીબી છે   

તે માટે વિકાસ અને ગુડગવર્નન્સ જોઇએ.

દિલ્લીનું, બીજા રાજ્યોનું અને સાથે સાથે મીડીયાનું કલ્ચર ગુજરાતની જનતાના કલ્ચરથી અલગ છે. પણ બીજા રાજ્યોની જનતા અને ગુજરાતની જનતામાં વિકાસના મુદ્દે આભ જમીનનો ફેર નથી.

જ્યારે જનતાની આકાંક્ષાઓ સમાન ધરી પર આવે છે અને તે એક નેતાને પસંદ કરે છે ત્યારે નાત, જાત, ધર્મ અને ભાષાના ભેદ ગૌણ બની જાય છે.

મોરારજી દેસાઈ એક ઉચ્ચ કક્ષાના નેતા અને વડાપ્રધાન હતા. જનતાને પસંદ હતા પણ જનતા તે વખતે સ્થાનિક રાજકારણની રાજરમતથી મુક્ત બની ન હતી અને બની શકે તેમ ન હતી. તેથી જનતા પક્ષ ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ચૂંટાઈ આવી ન શક્યો. જો તે વખતે મીડીયા મૂર્ધન્યોએ આમ જનતાને સાચી દોરવણી આપી હોત તો નહેરુવીયન કોંગ્રેસનો ફરીથી ઉદય થઈ શક્યો ન હોત. મોરારજી દેસાઈના નેતૃત્વમાં વિકાસની નીતિ સારી રીતે અમલમાં આવી શકી હોત. લોકો વિકાસની નીતિને સમજી શક્યા હોત.

નરેન્દ્ર મોદી, ભૂતકાળના નેતામંડળની ભૂલોને સમજી શક્યા છે. અને પોતાની વાત એક વ્યુહ રચના બનાવીને જનતાને સમજાવી શક્યા છે. જ્યારે જનતા સમજી જાય છે ત્યારે ભલભલા ભૂપતિઓ ભોંય ભેગા થઈ જાય છે.  એટલે બહારના અને અંદરના કયા નેતાઓને નરેન્દ્ર મોદી આવકાર્ય છે અને કયા નેતાઓને આવકાર્ય નથી, એ બધી વાતો ગૌણ બની જાય છે. મીડીયા મૂર્ધન્યો આ વાત સમજવા માગતા નથી. મોટાભાગના નેતાઓ અને મીડીયા મૂર્ધન્યો પોતાના અંગત સ્વાર્થ ફુલે ફાલે તે માટે જૈસે થે સ્થિતિ જ રાખવામાં માને છે.  

નિશ્ચિત મોડેલ કે વાદ જેવું કશું હોતું નથી

મુડીવાદ, સમાજવાદ, સામ્યવાદ વિગેરે ધત્તીંગ છે. વિનોબા ભાવે કહે છે કે આ યુગ જ્ઞાન વિજ્ઞાન અને ટેક્નોલોજીનો છે. તેમનું પ્રયોજેલું સમીકરણ છેઃ

માનવ શક્તિ + માનવતા + ટેક્નોલોજી = વિકાસ

વિકાસની સીમાઓ અનંત છે, અને કુદરતી શ્રોતો પણ અનંત છે. માણસની સુખસગવડો સાચવવા માટે કુદરતમાં અખૂટ છે. પણ માણસના લોભને સંતુષ્ટ કરવા માટે કુદરત તૈયાર નથી (મહાત્મા ગાંધી) 

નરેન્દ્ર મોદી પણ કંઈક આવી જ વાત કરે છે. પણ નરેન્દ્ર મોદીના વિરોધીઓ નરેન્દ્ર મોદીના શબ્દો ઉપર વાણીવિલાસ કરે છે અને તેના શબ્દો ઉપર બળાત્કાર કરે છે.

શિરીષ મોહનલાલ દવે

વૈચારિક ચેતનાનો વિકાસ અને નવસર્જનઃ

એક પતંગ બનાવવાના કામમાં કેટલા કાર્ય ઘટક કાર્યો કરે છે? એક પતંગ તૈયાર કરવામાં કેટલી ઘટક વસ્તુઓ વપરાય છે? વાંસ ક્યાંથી આવે છે? વાંસ આસામથી કેમ આવે છે? ડાંગના વાંસનો ઉપયોગ કેમ કરતા નથી? આસામના વાંસમાં બે ગાંઠો વચ્ચે વધુ અંતર હોય છે. તેથી લાંબા અંતરે ગાંઠ હોય તેવા વાંસના સારા અને મોટા પતંગો પણ બનાવી શકાય છે. તો આપણે તેવા વાંસ ઉગાડો.

શેરડીના સાંઠાને પણ ગાંઠો હોય છે. જો વાંસની ગાંઠો વચ્ચેના અંતરને વધારી શકાય છે તો શેરડીના સાંઠામાં પણ આ થઈ શકતું હશે. અને તેવું થયું પણ ખરું. લાંબા અંતરે ગાંઠો હોય તેવી શેરડીએ ૨૦ ટકા વધુ રસ આપ્યો.

આ તો એક જ વૈચારિક ચેતનાનો વિકાસ અને નવસર્જનની વાત કરી. પણ આવું તો નરેન્દ્ર મોદી એ ઘણી બાબતોમાં માનવશક્તિની વૈચારિક ચેતનાને વિકાસ સાથે જોડવાનું કામ કર્યું છે.

ટેગ્ઝઃ ગુજરાત મોડલ, વિકાસ, મોદી, મોદીફીકેશન, મધપુડો, ભારતમાતા, વિપક્ષ, નહેરુવંશી, સમસ્યા, માનવશક્તિ, દિલ્લી, નેતા

Read Full Post »

%d bloggers like this: