Feeds:
Posts
Comments

Posts Tagged ‘સમાચાર માધ્યમો’

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૨

WE SUPPORT “BREAK INDIA”

Paint02

બુર્ઝવાઓ બધા સમાચાર માધ્યમોમાં ફાટ ફાટ થાય છે.

સામ્યવાદીઓનો સૌથી મોટો દુશ્મન “બુર્ઝવા” લોકો છે. એમ તેઓ કહે છે.

તમે કહેશો કે તો તો પછી સામ્યવાદી લોકો સખત રીતે પરિવર્તનશીલ હોવા જોઇએ.

નાજી. એવું નથી. “બુર્ઝવા”ઓ  વિષેનો સામ્યવાદીઓનો આ ખ્યાલ કોઈ વૈશ્વિક સત્ય નથી. સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ તેમની સામે પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે અથવા તો કરવાના છે તેનો વિરોધ કરનારાઓ માટે બુર્ઝવા શબ્દ વાપરે છે.

નરેન્દ્ર મોદીની બાબતમાં તેમનો દાવ ઉંધો પડે છે.

કારણ કે મોદી તો મહાત્મા ગાંધીની જેમ સામાજિક પરિવર્તન લાવવા માગે છે અને દેશનો સર્વાંગી વિકાસ પણ કરવા માગે છે. એટલે વૈચારિક રીતે તો સામ્યવાદીઓના દાવ ઉંધા જ પડે અને પડવા જ જોઇએ.

નરેન્દ્ર મોદી તો પોતે જ સામાજિક પરિવર્તનનો પુરસ્કર્તા છે. અને અહીં તો સામ્યવાદીઓ પોતે જ  સામાજિક પરિવર્તનનો વિરોધ કરનારા છે. સામ્યવાદીઓએ જે બુર્ઝવા શબ્દ તેમના વિરોધીઓ માટે પ્રયોજેલો તે બુર્ઝવા શબ્દ તો તેમને જ લાગુ પડે છે.

“વિભાજન વાદ”નું શસ્ત્ર બ્રહ્માસ્ત્ર ન બને તો બુમરેંગ બને છે.

નરેન્દ્ર મોદીની સામે નહેરુવીયન કોંગ્રેસીઓએ જાતિવાદ અને કોમવાદનું શસ્ત્ર ઉગામ્યું છે તેને આ સામ્યવાદીઓ પૂરો સહકાર આપે છે. એટલે કે આ સામ્યવાદીઓએ બુર્ઝવા વિશેષણને, વિશેષણને બદલે શસ્ત્ર બનાવી દીધું છે. નહેરુવીયન કોંગ્રેસની પાસે તો પહેલેથી જ એટલે કે જ્યારથી કોંગ્રેસનું કોંગ્રેસ (સંસ્થા) અને કોંગ્રેસ (આઈ)માં ૧૯૬૯માં વિભાજન થયું ત્યારથી આ નહેરુવીયન કોંગ્રેસને [કોંગ્રેસ (આઈ)]ને અસામાજિક તત્ત્વોનો છોછ રહ્યો નથી. નહેરુની ફરજ્જંદ ઈન્દિરા ગાંધીએ બધા જ અસામાજિક તત્ત્વોને ખૂલ્લું આમંત્રણ આપેલું. અને આ તત્ત્વોએ બળ જબરી પૂર્વક કોંગ્રેસ (સંસ્થા)ના કબજામાં રહેલી મિલ્કતનો કબજો લીધેલો. જ્યાં કોંગ્રેસ (સંસ્થા) મજબુત સ્થિતિમાં હતી તેવા ગુજરાતમાં કોંગ્રેસ (આઈ) ફાવી ન હતી.

સામ્યવાદીઓ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી

સામ્યવાદીઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે તેઓ કોઈ સંવિધાનમાં કે કાયદાઓના પાલનમાં માનતા નથી. તેઓ જે તે પરિસ્થિતિને અનુરુપ વર્તે છે. એટલે કે જો કાયદો તરફમાં લાગે, અથવા તો તેનું અર્થઘટન, જાહેર જનતા કે અભણ જનતા માટે વિવાદાસ્પદ કરી શકાય તેમ હોય તો, તેઓ તે કાયદા અને તે ન્યાયાલયને માનીને તેનો સહારો લે છે. જો આમ ન હોય તો “સત્તાધારી પક્ષની અસહિષ્ણુતા, પૂર્વગ્રહ, કોમવાદીપણું, ભ્રષ્ટતા, સરમુખત્યારી વિગેરે” જે કંઈ વિશેષણો હાથવગાં હોય  તે, લાગુ પડતાં હોય કે લાગુ પડતા ન હોય તો પણ વાપર્યાં કરવા એવી તેમની કાર્યશૈલી છે. આ બધું તેઓ કંઈ ઇન્દિરા ગાંધી પાસેથી શિખ્યા નથી. નહેરુવીયન કોંગ્રેસને આ બધું સામ્યવાદીઓ પાસેથી શિખવા મળ્યું તેમ નથી. આ બધું તેમને તેમની વંશવાદી પક્ષીય વારસાગત શૈલીમાંથી મળ્યું છે.

હિટલરને તો એક જ ગોબેલ્સ હતો. સામ્યવાદી વૃક્ષ ઉપર તો ડાળે ડાળે ગોબેલ્સ હોય છે.

હાલ તો ભારતમાં સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ એક ફેજ઼ અને એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. તેઓ સૌ, “બુર્ઝવા” એટલે કે “જૈસે થે વાદી”ઓની ભૂમિકા ભજવે છે. “જૈસે થે વાદી થવું” એ ગુણધર્મને તેમણે આપદ્‍ધર્મ તરીકે સ્વિકાર્યો છે. જો કે તેઓ આ વાત કબૂલ કરશે નહીં.

જ્યારે સામ્યવાદીઓ સત્તામાં ન હોય ત્યારે આ સામ્યવાદીઓ અરાજકતા ફેલાવવામાં માને છે. અને   લોકશાહીમાં તેઓ સમાચાર માધ્યમો દ્વારા અરાજકતા અસ્તિત્વ ધરાવે છે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં માને છે.

શું સમાચાર માધ્યમો  આવી અરાજકતા ફેલાવવાની ઈચ્છા રાખવાવાળાઓને સહયોગ કરશે?

શું સમાચાર માધ્યમોના માલિકો, કટાર લેખકો, વિવેચકો, વિશ્લેષકો ખરીદી શકાય તેવી જણસો છે?

સમાચાર પત્રોના ઘટકો શું છે?

રાજકીય સમાચાર અને દેશમાં બનતી ઘટનાઓના સમાચાર

(૧) સમાચારની પસંદગી અને પસંદ કરેલા સમાચારને કેટલી પ્રાથમિકતા આપવી તે,

(૨) સમાચાર ને કેવીરીતે પ્રગટ કરવા એટલે કે તેના શબ્દોની કેવી રચના કરવી, એટલે કે શું છૂપાવવું અને શું પ્રગટ કરવું છે. જે પ્રગટ કરવું છે તેને લાગણીશીલ (ઈમોશનલ) કેવીરીતે બનાવવું.

(૩) સમાચાર તો બે જાતના હોય છે. એક જે એવા સમાચાર છે કે જે રાજકીય સમાચાર છે. અને બીજા છે તે એવા સમાચાર છે જે સમાજમાં બનતી  અસામાન્ય ઘટનાઓ છે.

આ સામાન્ય ઘટનાઓ ને કેટલી  પ્રગટ કરવી, કેટલી પ્રગટ ન કરવી, કે તદ્દન જ ન પ્રગટ કરવી તે અલગ વેપાર છે.

જો આવી ઘટનાઓમાં કોઈ પક્ષના નેતાની કે કોઈ પક્ષના નેતાના સગાની સંડોવણી હોય કે સંડોવણી વિવાદાસ્પદ રીતે ઉભી કરી શકાય તેમ હોય તો આ સમાચારને રાજકીય  સમાચાર બનાવી શકાય છે. અને તેનો વેપાર પણ વળી પાછો અલગ હોય છે.

શું આવું બધું વાસ્તવમાં હોય છે ખરું?

કેટલીક વાતોની અપ્રત્યક્ષ સાબિતીઓ હોય છે. સમાચારને સીધે સીધા પ્રસિદ્ધ કરવાને બદલે માધ્યમોના માલિકો તે સમાચારોને, પોતાના એજન્ડાને અનુરુપ માન્યતાની રીતે પ્રગટ કરે છે. આવું અવારનવાર થાય એટલે આપણને તેના માલિકના મનોરહસ્યોની જાણ થઈ જાય છે.

“કોઈ એક” કૌભાંડમાં સંબંધિત વિદેશી પાર્ટીએ ૪૦ કરોડ રુપીયા આપ્યા. કારણ? સમાચાર માધ્યમો આ સોદાને બહુ પ્રાધાન્ય ન આપે તે માટે.

આ સમાચાર આપણને જાણવા મળેલા. કોઈ એક સોદો, સમાચાર મધ્યમોંમાં ચગે નહીં તે માટે પૈસા આપવા પડે, એ કંઈ, સમાચાર માધ્યમો માટે નીતિમત્તાનું પ્રમાણ પત્ર નથી.

લાંચની હદ ક્યાં સુધી?

ડૉ.ત્રીવેદી જેઓ કેનેડાથી ભારતમાં સેવા કરવા માટે ખાસ આવેલા અને વહીવટી રીતે ઑટોનોમસ હોસ્પિટલ બનાવવા માગતા હતા. તેઓએ જ્યારે એક મશીન માટે ટેન્ડર મંગાવ્યું અને નેગોશીએશનમાં એક પાર્ટીને ખાનગીમાં પૂછ્યું કે “જુઓ અમે કોઈ કમીશન લેવાના નથી…” તો સામેની પાર્ટીએ પૂછ્યું કે પણ અમારે સરકારમાં તો પૈસા ખવડાવવા જ પડશેને”. ડૉ. ત્રીવેદીએ કહ્યું કે “તમારે સરકારમાં પણ પૈસા ખવડાવવા નહીં પડે. તો તમે તમારો આ મશીન નો ભાવ કેટલો ઘટાડશો?.” આ પછી તે પાર્ટીએ ત્રણ કરોડનો ભાવ, એક કરોડ રુપીયા કરી દીધો. આ તો ઓગણીશોને એંશીના દશકાના પૂર્વાર્ધની વાત છે જ્યારે ઇન્દિરાઈ નહેરુવીયન કોંગ્રેસનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. અને પછી તો ગઠબંધનની સરકાર હોય તો પણ લૂંટમાં કશો વાંધો આવતો નહીં. અને આપણે જોયું જ છે કે કૉમનવેલ્થ  ગેમમાં કેવા પૈસા ખવાયા. આવી વાતો ખાનગી તો રહે જ નહીં.

પણ ખાનગી એટલે શું? તમે છાપે ન ચડો એટલે ખાનગી.

નેવુના દશકાના અંતમાંથી શરુ કરી હવે સોશ્યલ મીડીયા એટલું વિકસિત થયું છે કે સમાચાર પત્રોએ તેની સાથે સ્પર્ધા કરવી પડે છે. ૧૯૮૯-૯૦માં કાશ્મિરી હિન્દુઓની કતલેઆમને, હજારો  હિન્દુ સ્ત્રીઓની આબરુની લૂંટને અને લાખો હિન્દુઓની હિજરતને, અખબારો અને ટીવી ચેનલો છૂપાવી શક્યા હતા, અથવા તો કહી શકાય કે ન ચગાવી શક્યા ન હતા.

આવું હવે થઈ ન શકે. આજે તો જે વાત, જે તે વિસ્તારના પાંચ દશ માણસો જાણે છે તે વાત તેમાંનો એક ફૂટે તો તે અઠવાડીયામાં આખા દેશને  જાણતો કરી દે.

ઘટનાઓ, પછી ભલે તે ઘટનાઓ ફરેબી કે બનાવટી કેમ ન હોય, તેનો પ્રસાર એક મોટું પરિબળ છે. સામ્યવાદીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત સૌથી પહેલાં જાણી ચૂક્યા છે.  જ્યારે નહેરુવીયન કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેઓએ અનેક બ્લોગપોસ્ટને સ્થગિત કરેલી. સૂકા સાથે લીલું પણ બળે છે તેની દરકાર કરી ન હતી. સુલેખા ડૉટ કૉમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.

પણ આપણી મૂળ વાત છે કે શું આપણા બધા જ કટાર લેખકો, મૂર્ધન્યો, વિશ્લેષકો અને એંકરો વેચાણની જણસો છે?

જેમ ૧૦૦ કે ૧૦૦૦ સરકારી અધિકારીઓમાં એકાદો તો માઈનો પૂત નિકળે, કે જે કોઈની દરકાર ન કરે. જેમ કે સુરતના મ્યુનીસીપલ કમીશ્નર એસ આર રાવ, કે ઝોનલ ઓફીસર ખેરનાર, કે ઈલેક્સન કમીશ્નર ટીઆર શેષન. આ શક્યતાનો સિદ્ધાંત બધી જ જગ્યાએ લાગુ પડે છે. લેખકો પણ એવા નિકળે કે જેઓ કોઈની દરકાર ન કરે. પણ આવા લેખકો જે કંઈ લખે તેનાથી તાત્કાલિક  ખાસ ફેર ન પડે. જેમ કે રાજીવ મલહોત્રા, નિસ્સાર હસન, તારેક ફતહ, સલમાન રશદી, તસ્લિમા નસરીન, … વિગેરેના વિચારો આનાથી તદ્‍ન વિરુદ્ધ વિચાર સરણી વાળાઓના સાગરમાં ડૂબી જાય છે.

લેખકોને નડે છે શું?

અમુક માન્યતાઓ તેમને નડે છે.

(૧) ટકી રહેવુંઃ બીજા અર્થમાં જીવતો નર ભદ્રા પામે. જો આપણી આ કોલમ રુપી જાગીર ટકી રહેશે તો આપણે ભદ્રા પામીશું. કટોકટીના સમયમાં ઘણા લેખકોએ આદેશ વગરની, સરકારી શરણાગતી, સ્વિકારી લીધેલી. જો કોલમરુપી જાગીરની દરકાર નહીં કરીએ તો તે બીજો લઈ જશે. માટે આપણી કોલમ બચાવો.

(૨) કિર્તીની ઘેલછા એટલે કે “હુ તો બધાથી જુદો છું”

(૩) હું તટસ્થ છું. હું તો બધાનું જ સારું અને નરસું બધું જ જોઉં છું. આનો બીજો અર્થ એમ થાય કે “ડબલ ઢોલકી”. સારું અને નરસું આમ તો, આ બધું સાપેક્ષ છે. આપણે એ ભૂલી જવું. એટલે કે આપણે પ્રમાણ ભાન રાખ્યા વગર  બંને બાજુ ઢોલકી વગાડવી. મોટા ભાગના લેખકો “ઉંધા ચંબુના (છાલીયાના) શક્યતાના નિયમ પ્રમાણે) કેન્દ્રીય બિન્દુની ડાબી કે જમણી બાજુ પર ગોઠવાઈ જાય છે.

(૪) અમે તો ભાઈ ફોબીયાવાળા. જો કે અમે કબુલ નહીં કરીએ પણ અમે જે કહીએ તે સાચું જ છે.

(૫) વાસ્તવિકતાની નજીકઃ આવા લેખકો પણ છે જ. કે જેઓ વાસ્તવિકતાને સમજે છે. ક્યારેક તેઓ આ વાત પ્રદર્શિત કરે છે પણ તે વાચકોની અપેક્ષાને સંતોષી શકતા નથી. આનો સચોટ  દાખલો  વિનોબા ભાવે હતા. કટોકટી હતી ત્યારે  ઘણા સુજ્ઞ લોકો માનતા હતા કે વિનોબા ભાવે કેમ મૌન છે. કારણકે વિનોબા ભાવેને કેટલાક લોકો ગાંધીજીનો વૈચારિક અવતાર માનતા હતા. તેમણે કહેલું કે કટોકટી એ અનુશાસન પર્વ છે. આનો અર્થ વિનોબા ભાવેના હિસાબે કંઈક હતો અને સરકારે તેનો અર્થ કંઈક જુદો એવો પોતાને સગવડ રુપ કરેલો, જે તદ્દ્‌ન ઉંધો હતો. સરકારનો તો તે વખતે તદ્દન જૂઠું બોલવું એ જ ધર્મ હતો. અને જનતા આ વાત પણ જાણતી હતી. પણ જેમ જૂઠી વાત સતત કહેવામાં આવે તો અંતે તેને બધા સાચી માની લે છે. તેમ વિનોબા ભાવે વિષે પણ માનવામાં આવ્યું. વિનોબા ભાવે એ બોલાવેલા “આચાર્ય સંમેલનમાં”, તેમણે સ્પષ્ટીકરણ પણ કર્યું. પણ કટોકટીમાં તો આવું બધું છાપામાં આવે નહીં. તેથી સુજ્ઞ લોકોએ પોતાની માન્યતા કાયમ રાખી. વિનોબા ભાવે કહ્યું, કે ભાઈ, હું તો મારી રીતે પ્રતિભાવ આપું. તમે તમારા શબ્દો મારા મોઢામાં, મારા શબ્દો તરીકે મુકાવો એ કેમ ચાલે!!  

પણ જ્યારે જેને સુજ્ઞ લેખકો માનવામાં આવે છે તેવા લેખકો જ્યારે આવા અસત્યને સત્ય માની લે ત્યારે આપણને દુઃખ નહીં આઘાત પણ લાગે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

આગ સાથે કોણ રમી રહ્યું છે? ભાગ – ૧

આગ સાથે કોણ રમી રહ્યું છે?

Image result for vadra images

દેશ માટે કોણ ખતરનાક છે?

સમાચાર માધ્યમો ક્યાં જઈને અટકશે?

મૂર્ધન્યો અને કટાર લેખકોને પોતાનું પથભ્રષ્ટપણું ક્યારે દેખાશે?

કોણ જૈસે થે વાદી છે?

દેશને વિનીપાત તરફ લઈ જવા માટે દેશ બહારના પરિબળો અને તત્ત્વો વધુ જવાબદાર છે કે દેશની અંદરના તત્ત્વો?

શું દેશને નુકશાન કરનારા દેશની અંદરના તત્ત્વો દેશનું હિત સમજતા નથી?

ખાટલે મોટી ખોડ કઈ છે?

હાજી, આગ સાથે કોણ રમી રહ્યું છે?

જો તમે જનતાના કોઈ એક ભાગને કોઈ સમાન આધાર લઈને તેને કહો કે;

“તમે આ રીતે તમે તે રીતે બીજા થી જુદા છો … તમને પુરતી તક આપવામાં આવતી નથી … તમને અન્યાય થઈ રહ્યો છે…  તમારા માટે કંઈક વિશેષ કરવું જરુરી છે.

“આમ તો તમે કંઈ જેવા તેવા નથી.

“તમારા કુળમાં અનેક મહાનુભાવો થઈ ગયા. તેઓ સહુ અસામાન્ય હતા.

“આમ તો તમારામાં ઘણા અસામાન્ય હશે. પણ તેમને તક આપવામાં આવતી નથી.

“અથવા કહો કે તેમને એટલે કે તમને જાણી જોઇને તકથી વંચિત રાખવામાં આવ્યા છે.

હાજી આ બધું એક યોજના પૂર્વક કહેવાઈ રહ્યું છે.

“તમને તક આપવામાં આવતી નથી એટલું જ નહીં તમને મદદ પણ કરવામાં આવતી નથી જ્યારે તમારા જેવી જ પરિસ્થિતિ વાળા અન્યોને મદદ કરવામાં આવે છે અને તમને અન્યાય કરવામાં આવે છે.

“ હવે તો તમારા ઉપર થતા અન્યાયોએ હવે હદ વટાવી દીધી છે.

તમે કહેશો કેઃ “હા. તમારી વાત તો ખરી છે પણ તમે જ કહો અમારે શું કરવું જોઇએ?

તેઓ કહેશે કે;

“અરે તમને ખબર નથી? તમે તો અદ્ભૂત છો. તમારી શક્તિનું તમને ભાન નથી. તમે એકવાર તમારી શક્તિનો પરચો સરકારને આપશો એટલે તે સામે થી તમને નમતી આવશે.

તમે કહેશો કે “એ વાત તો ખરી છે. પણ અમારે અમારી શક્તિ કેવી રીતે પ્રદર્શિત કરવી?”

તેઓ કહેશે કે;

”તમારી શક્તિ તમારી એકતામાં છે. તમે એકતાનું પ્રદર્શન કરો … તમે સરઘસો કાઢો … રેલીઓ કરો … તમે રેલ્વેના પાટા ઉખાડો … વાહન વ્યવહાર સ્થગિત કરો … બસો બાળો … પોલીસના અને બીજાઓના વાહનો બાળો … દુકાનો બાળો … એટલે સરકારને તમારી શક્તિનો પરચો થશે અને તમને નમતી આવશે. સમજ્યા? શું સમજ્યા? તમે હવે જાગો … તમે બહુ ઉંઘ્યા … તમે બહુ સહન કર્યું … હવે તો હદ થઈ ગઈ છે. પાણી તમારા માથે આવી ગયું છે… જો તમે હવે જાગશો નહીં તો તમે કદી જાગી શકશો નહીં … અને તમે નષ્ટ પામી જશો … તમારી જ્વલંત વિરાસત ઇતિહાસના પાના ઉપર જ રહી જશે … કદાચ એ પણ ભૂંસી નાખવામાં આવશે.”

તમે કહેશો કે; “પણ અમે જો આવું કરીયે તો તો સરકારી સંપત્તિને નુકશાન કર્યું કહેવાય. અમારા ઉપર કેસ ચાલે અને અમારે કદાચ જેલમાં પણ જવું પડે તેનું શું?”

તેઓ કહેશે કે; “ અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. અમે બહુ હોશિયાર છીએ. અમે કંઈ મફતમાં દેશ ઉપર સાડા છ દાયકા સુધી રાજ ન હોતું કર્યું? અમારી પાસે ખૂટાડ્યા ખૂટે નહીં એટલા પૈસા છે. આ તો અમારા ગ્રહો વાંકા કે કેટલુંક અમારી વિરુદ્ધ આવ્યું, બાકી કોઈની તાકાત છે કે અમને શાસનમાંથી હટાવી શકે? તમે લખી લો …  હાર્યા પછી અમારી જીત થતી જ આવી છે. અમારી પાસે ફક્ત પૈસા જ છે એમ નથી, અમારી પાસે ઘણા સંપર્કો પણ છે. અમે ઘણાને ગેરકાયદેસર માર્ગે ખટવ્યા છે, અસામાજિક તત્ત્વો સાથે તો અમારે ઘરેલુ સંબંધ છે… આ બધું ક્યારે કામ આવશે!! તમારા જુથની કેટલીક વ્યક્તિઓને અમે નેતા બનવા તૈયાર કરી દીધી  છે. તમારે તો ફક્ત તેમને સહકાર જ આપવાનો છે. બીજું બધું તમે અમારા ઉપર છોડી દો. અમને જે લોકો સહકાર આપશે તેમને અમે માલામાલ કરી દઈશું.”

હે વાચકો… તમે જાણો જ છો કે દરેક જુથમાં થોડા ઘણા તો સ્વકેન્દ્રી, સ્વાર્થી, ખ્યાતિ ભૂખ્યા માણસો હોય જ છે. સામાન્ય બુદ્ધિ ન હોવી અને અધીરાઈ હોવી એ સામાન્ય કક્ષાની વ્યક્તિમાં સહજ હોય છે.

તમે કહેશો કે, “કોઈ ઉદાહરણ આપશો?”

અમે કહીશું, “હૉવ…અ.., રસ્તા ઉપરના વાહનવ્યવહારને જ જોઈ લો ને … બધાને આગળ જવાની કેવી ઉતાવળ હોય છે?… બે મીટર આગળ જવા માટે લોકો તમને જમણી બાજુથી પણ ઓવરટેક કરશે … પછી ભલે ને જ્યાં જવું છે ત્યાં થોડીક જ મીનીટ વહેલું પહોંચાય… આવું તો બધું ઘણું છે … જે તમને સામાન્ય કક્ષાની વ્યક્તિની માનસિકતાનો પરિચય આપે છે. …”

સામાન્ય કક્ષામાં મોટા નામો પણ આવી શકે છે જેમાં મૂર્ધન્યો, સમાચાર પત્રના ખેરખાંઓ, કટારીયાઓ અને પોતાની કહેવાતી તટસ્થતા જાળવી રાખવાના ભ્રમ રહેનારાઓનો પણ સમાવેશ થતો હોય છે.

જન્મના આધાર પર જ્ઞાતિઓ

વાસ્તવિક રીતે જોઇએ તો સમાજમાં ફક્ત વ્યવસાયોના આધાર પર જ વિભાગીકરણ હોય છે. ભારતમાં જન્મના આધાર પર ક્યારે જ્ઞાતિઓ દૃઢ બની તે એક સંશોધનનો વિષય છે. વિકેન્દ્રિત ઉત્પાદન, વિકેન્દ્રિત વહેંચણી અને ગ્રામ્ય સમાજમાં વ્યવસાયને પેઢી દર પેઢીએ લાંબા ગાળા સુધી ટકાવી રાખવાથી કદાચ જ્ઞાતિ વ્યવસ્થા દૃઢ થઈ હશે. એ જે કંઈ હોય તે … પણ જન્મજાત જ્ઞાતિ વ્યવસ્થાને ન તો વેદોનું પ્રમાણ છે ન તો ગીતાનું પ્રમાણ છે. એટલે કે ટૂંકમાં જ્ઞાતિપ્રથા અપ્રાકૃતિક છે અને તેથી આવી જન્મજાત જ્ઞાતિપ્રથા ટકાઉ ન જ બની શકે. તેને વહેલું મોડું મરવાનું જ છે. અને તેની શરુઆત તો ક્યારનીય શરુ થઈ ગઈ છે.

આ જન્મ ઉપર આધારિત જાતિવાદને ટકાવી રાખવો એ નહેરુવીયન કોંગ્રેસ માટે જીવન મરણનો સવાલ છે. અને આ જાતિવાદને ટકાવી રાખવા માટે નહેરુવીયન કોંગ્રેસે આરક્ષણનું તૂત ઉભું કર્યું છે. અગણિત મહાનુભાવો આ વાત જાણે છે પણ તેઓ તેની વિરુદ્ધ બોલવા તૈયાર નથી કારણ કે તેમનું ધ્યેય કંઈક બીજું જ છે. બીજેપી અને નરેન્દ્ર મોદી તેમના દાના દુશ્મનો છે. અને તેઓ કોઈ પણ ભોગે તેને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વિભાજન વાદીઓને સહકાર આપે છે અને ઉત્તેજિત પણ કરે છે.

નહેરુવીયન કોંગ્રેસે પોતાના પક્ષે, આ જ્ઞાતિ વાદનો, લાભ દશકાઓ સુધી લીધો અને ચૂંટણીમાં વિજયો પ્રાપ્ત કર્યા. તેથી વી.પી. સિંગ, અને કાંશીરામ જેવાઓની દાઢ સળકી.  અને પછી તો આ ચેપ બધાને જ લાગ્યો. મીડીયા મૂર્ધન્યોને પણ આનો ચેપ લાગ્યો ત્યારે તો હદ થઈ ગઈ એમ જ કહેવાય.

તમે આજે જુઓ છો કે ડી.બી. ભાઈ (દિવ્યભાસ્કર) લો, કે ગુ.સ. (ગુજરાત સમાચાર) લો દેશના કેટલાક બીજેપી-ફોબીયા પીડિત બીજા સમાચાર પત્રો કે ટીવી ચેનલો લો, દરેકને કઈ જ્ઞાતિએ કેટલા લોકો એકઠા કર્યા અને કેટલી શક્તિ બતાવી અને તેથી બીજેપીને કેટલું નુકશાન થશે તેની ચર્ચા કર્યા કરશે.

આ મહાનુભાવો કહો તો મહાનુભાવો, વિશ્લેષકો કહો તો વિશ્લેષકો, કટારીયા કહો તો કટારીયાઓ, મૂર્ધન્યો કહો તો મૂર્ધન્યો, પીળું પત્રકારિત્ત્વ કહો તો પીળું પત્રકારિત્ત્વ, આ સહુ કોઈ નહેરુવીયન કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સહાયકોની જ બ્રીફ પકડીને દોડી રહ્યા છે.

નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા શું છે?

નહેરુવીયન કોંગ્રેસનો એજન્ડા કોઈપણ ભોગે સત્તા પ્રાપ્તિનો છે. જો એક વખત તેના હાથમાં સત્તા આવી જાય તો તેમને વળી પાછા બખ્ખે બખ્ખા થઈ જાય … તેમનો સુવર્ણ યુગ પાછો  આવી જાય અને ખાસ તો નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ અને તેમના વહાલાઓ સામે જે કેસ ચાલે છે તે બધા કેસોનું ઉઠમણું કરી દેવાય.

તમે કહેશો, “અરે એમ કંઈ કોર્ટના કેસોને રફે દફે કરી શકાતા હશે?”

તેઓ કહેશે, “તમે અમને ઓળખતા નથી. પણ જેઓ અમારી વિરુદ્ધ જવા ગયા છે તેઓની અમે શી વલે કરી છે તે વાત તો તેઓ પરલોકમાં તેમની સાથે જ લઈ જાય છે. તમે પ્રણવ મુખર્જીને શું એમ બોલતાં સાંભળ્યા નથી, કે કટોકટીના કેટલાય રહસ્યો હું મરી જઈશ ત્યારે મારી સાથે જ લઈ જઈશ…” “અરે ભાઈ, શાહ કમીશન જેવા આખે આખા રીપોર્ટના શા હાલ થયા તે શું તમે જાણતા નથી …? તેને પુનર્જીવિત કરવાની કોઈ વાત કરી શકે છે ખરા…? અમે એન્ડરશનને અમારી સરકારી કારનો જ ઉપયોગ કરી દેશની બહાર મોકલી દીધો … કોઈ અમારું શું કરી શક્યું..?  આવા તો અમારા અનેક પરાક્રમો છે… અને વળી પાછા અમે તો દાવો કરીએ છીએ કે અમારી કોંગ્રેસ તો દોઢસો વર્ષ ની છે અને અમે કેટકેટલા ભોગ આપ્યા છે… અને તમારા મૂર્ધન્યો અમારી આ વાત કબૂલ પણ રાખે છે…. શું સમજ્યા …? બધી ધરોહર ઉપર અમારો કબજો છે ભલે અમે મહાત્મા ગાંધીવાદીઓને ૧૯૭૫-૧૯૭૭ માં કેદમાં રાખ્યા… અને તો પણ આજે તેમાંના મોટા ભાગના અમારા જ ગીતો ગાય છે. … જેમના બાપાઓને અમે જેલમાં મોકલેલા તેમના સંતાનો પણ અમારા જ ગીતો ગાય છે…. અરે આ તો કંઈ નથી… અમે અમારા વિરોધીઓ ઉપર ખોટા કેસો પણ ઉભા કર્યા છે… તેમને જેલમાં મોકલ્યા છે… અને આવું તો અમે કરતા જ રહીશું… પૈસા અને સત્તા મળે તો અમે શું ન કરીએ …? લોકશાહી અમને નડતી નથી …. અમને તો સત્તાહીનતા જ નડે છે…. પણ તમે જુઓ છો કે અમે સત્તાવગર પણ કેવો કાળો કેર વર્તાવી શકીએ છે….?

“અમે ચારે બાજુથી બીજેપીને ઘેર્યું છે… મુસલમાનો તો ઠીક પણ હિન્દુઓ પણ તેમની સામે પડ્યા છે. ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ ગણાતા ક્ષત્રીયો પણ અમારે શરણે આવ્યા છે… અને મહાજ્ઞાની ગણાતા બ્રાહ્મણોને અમે ભ્રમિત કર્યા છે અને તેઓ પણ હવે તેમના બ્રહ્મ-તેજની શક્તિ, બીજેપીને બતાવવા અમારી શરણે આવ્યા છે. અમે આ પાટીદારોની જેમ આ ક્ષત્રીયોને અને બ્રાહ્મણોને લાંબી ધારે “બ્રેસ્ટ-ફીડીંગ” કરાવીશું…“

ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીશ્રી એ “હેમાવન હૉલ”માં કેટલાક કહેવાતા કે સ્વયં પ્રમાણિત, સર્વોદય વાદીઓએ “લોકશાહી બચાવ” કે એવા કોઈક ઓઠા હેઠળ સભા રાખેલ, તેમાં જણાવેલ કે “નાગાથી સૌ કોઈ ડરે… પણ આ નાગો પણ કોઈક થી તો ડરે જ”. આ જે “નાગા”ની વાત કરતા હતા તે આપણા નરેન્દ્ર ભાઈ મોદીને અનુલક્ષીને કરતા હતા.

હવે તમે જુઓ… “નરેન્દ્ર મોદી” જેમની નજરે “નાગો” છે તેનાથી લાખ ગણી, કે પળે પળે નાગાઈ કરનારી, નહેરુવીયન કોંગ્રેસ વિષે તો તેઓ વાત જ કરતા નથી કે કરશે નહીં.

કારણ શું હોઈ શકે?

“ન કરે નારાયણ, ને કદાચ નહેરુવીયન કોંગ્રેસ જો ગુજરાતમાં કે કેન્દ્રમાં ફરી સત્તા ઉપર આવે તો તો તેઓ આ ભૂત-પૂર્વ મુખ્ય મંત્રીના કપડા જ ઉતારી દે ને?

યાદ કરો … “કાળી દાઢી”એ આમ કહ્યું અને “સફેદ દાઢી”એ આમ કહ્યું એવી કોઈ ફોન ઉપરની વાતના આધારે તો, આ નહેરુવીયન કોંગ્રેસે, કેબીનેટની મીટીંગ બોલાવેલી અને નિર્ણય લીધો હતો કે એક સ્પેશીયલ કમીટી બનાવવામાં આવે અને “એક પૂખ્ત વયની યુવતી ઉપર જાસુસી કરવા’ બદલ “સફેદ દાઢી” એટલે નરેન્દ્ર મોદી અને “કાળી દાઢી” એટલે અમિત શાહ, એમ ગણી એક કેસ ચલાવી શકાય છે કે કેમ તેની તપાસ કરો.”

જો કે તે દિકરીના પિતાએ જ પોલીસ ખાતામાં ભલામણ કરેલી કે તેમની દિકરી ઉપર નજર રાખવામાં આવે. પણ દિકરી તો પુખ્ત વયની છે એટલે તે કન્યાનું જે થવાનું હોય તે થાય, પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર તો કામ ચાલવું જ જોઇએ. આવી છે નહેરુવીયન કોંગ્રેસની પ્રતિશોધયુક્ત માનસિકતા.

સામ્યવાદીઓની એક પ્રસ્થાપિત કરેલી પ્રણાલી પ્રમાણે તમારે જો સત્તા ઉપર આવવું હોય તો પ્રવર્તમાન સરકાર વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવું જોઇએ. આમ કરવા માટે બનાવટી આરોપો બનાવી તેનો ફેલાવો કરવો જોઇએ. સમાચાર માધ્યમો ઉપર કબજો રાખો અથવા તેઓને ખરીદી લો, કારણ કે સામાન્ય રીતે તેઓ ખરીદાવવા તૈયાર જ હોય છે. જનતાને વિભાજિત કરી આંદોલનો ચલાવો, હિંસા ફેલાવો, અરાજકતા ફેલાવો અને પરિણામે જનતા એમજ માનશે કે આ બધું પ્રવર્તમાન સરકારની નિસ્ફળતાને કારણે જ છે. લોકશાહીમાં તમે આવી રીતે વર્તી શકો છો.

નહેરુવીયન કોંગ્રેસે કોને કોને પડખે લીધા છે?

Paint01

   આવ ભાઈ હરખા આપણે સૌ હરખા (સરખા)

પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની આતંકવાદી સંસ્થાઓ તો તાલમેલ સાથે જ કામ કરે છે તે વાત તો હિન્દુસ્તાનનું બચ્ચું પણ જાણે છે. ત્યાંની સરકાર મજબુર છે. આવા સંજોગોમાં નહેરુવીયન કોંગ્રેસના મણીશંકર અય્યર પાકિસ્તાની ટીવી ચેનલની પેનલ ચર્ચામાં મોદીને હટાવવા માટે એમ કહે છે કે “મોદીને તો તમારે જ હટાવવો પડશે.” એટલે કે પાકિસ્તાનના ભારત વિરોધી તત્ત્વો એટલે કે આતંકવાદી સંગઠનો, અસામાજિક તત્ત્વો અને પાકિસ્તાની સેનાનું જે ગઠબંધન છે તેણે જ કંઇક કરવું પડશે. પાકિસ્તાન આવા કામ કેવી રીતે કરે છે તે આપણે ભારતવાસીઓ સારી રીતે જાણીએ છીએ. જેમ “પંચ તંત્ર”માં કહેવાયું છે કે “બધા શિયાળવાં ભેગા થયા અને વિચાર કરવા લાગ્યાં કે આ કર્પુર તિલક નામનો હાથી  કોઈ પણ હિસાબે મરે તો આપણે ચાર માસના ભોજનની નિરાંત થાય” (સર્વે શૃગાલાઃ ચિન્તયામાસઃ, યદિ કેનાપિ ઉપાયેન અયં મ્રિયેત્‌ તર્હી માસચતુષ્ટયં ભોજનં ભવેત્‌),   તેમ આ નહેરુવીયન કોંગ્રેસી અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષોરુપી શિયાળવાંઓ પણ વિચાર કરવા લાગ્યાં છે કે આ નરેન્દ્ર મોદી નામનો હાથી જો કોઈપણ હિસાબે મરે તો આપણને ચાર ટર્મ માટેનું સત્તારુપી ભોજન મળે.

અમેરિકામાં હેડલીએ શું કહ્યું? બિહારની એક દિકરી, માબાપથી છાનીમાની અજાણ્યા પરપ્રાંતીય યુવકો સાથે ભાગી ગયેલી. મા બાપે તેની ફરિયાદ પણ નહોતી નોંધાવેલી. અને આ ગેંગનો પ્લાન નરેન્દ્ર મોદીને મારી નાખવાનો હતો. જે નિસ્ફળ ગયેલો. એ વાતનો ઘટસ્ફોટ થયેલ. જોવાની વાત એ છે કે આ બાબતમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ ગદ્દારીની ભૂમિકા ભજવેલ.

નક્ષલવાદીઓ અને માઓવાદીઓએ તેમના અંતરંગ પત્ર વ્યવહારમાં શું લખ્યું છે?

એ જ કે નહેરુવીયન કોંગ્રેસ પોતે, આ અરાજકતા વાદી જુથોને આર્થિક અને કાયદાકીય સહાય કરવા આતુર છે.

આ તો જુની વાત છે. નહેરુવીયન કોંગ્રેસનું તેના જેવા સાંસ્કૃતિક પક્ષો સાથે તો ગઠબંધન થશે ત્યારે થશે, પણ આ નહેરુવીયન કોંગ્રેસનું ભારતના અને પાકિસ્તાનના અસામાજિક તત્ત્વો  સાથેનું ગઠબંધન હોવું એતો જુનીવાત છે. નહેરુવીયન કોંગ્રેસનું છેલ્લાં કેટલાક વર્ષથી માઓવાદીઓ અને નક્ષલવાદીઓ સાથે તો ગઠબંધન અને જોઈન્ટ વેન્ચર શરુ થઈ જ ગયું છે.

“કાળી દાઢી” અને “ધોળી દાઢી”, ની વાતોના આધારે નરેન્દ્ર મોદીને જેલમાં મુકવાની યોજનાઓ જો આ નહેરુવીયન કોંગ્રેસીઓ ઘડી શકતા હોય, તો હેડલીના નિવેદનના તારતમ્યના આધારે, “ઇસરત જહાંના એનકાઉન્ટર કેસ”માં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ ભજવેલી ભૂમિકા બદલ, અને આવી અગણિત દેશવિરોધી ભૂમિકાઓ ભજવવા બદલ તેમને જેલમાં ખોસી દેવા એતો નરેન્દ્ર મોદી માટે ડાબા હાથનો ખેલ છે.

ભલે પછી કોર્ટ પોતાની ભૂમિકા કોઈ પણ રીતે ભજવે, પણ એક વખત તો આ નહેરુવીયન કોંગી નેતાઓ જેવા કે સોનિયા, રા.ગા., પ્રિયંકા, વાડ્રા, ચિદંબરમ, દીગ્વીજય, રણવીર સુરજેવાલ, મનુ સિંઘવી, મનીશ તીવારી, કપિલ સીબ્બલ, ફારુખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મમતા, માયા અને મુલ્લાયમ, અખિલેશ, ફઝલ ભટ, સઈદ અલી ગીલાની, મીરવાઈઝ ઓમર ફારુખ, યાસીન મલીક બધાને દશકાઓ સુધી જેલની હવા ખવડાવી જ શકાય

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એટલે જનતાએ નક્કી કરવાનું છે કે તમારે “જૈસે થે” વાદીઓ જોઇએ છે કે “વિકાસલક્ષી પરિવર્તન”વાદીઓ? જૈસે થે વાદીઓને બુર્ઝવા કહેવાય છે. પણ અહીં તો સામ્યવાદીઓ પોતે જ તેમની વ્યુહરચના ભાગરુપે બુર્ઝવા બનેલા છે અને કોંગીઓ તો પહેલેથી જ બુર્ઝવા છે. જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું અને ભ્રષ્ટાચાર ચાલુ રાખવો એ “જૈસે થે”વાદીઓની ઓળખાણ છે.

દલિતો અને સવર્ણો વચ્ચેનો આ મીથ્યા વિવાદનું પરિણામ શું આવશે?

{ક્રમશઃ}

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસ બેઠી છેલ્લે પાટલે ભાગ-૩
રાષ્ટ્રવાદીઓની દૃષ્ટિએ રાષ્ટ્ર-વિરોધની વાત સહન કરવાની એક નિશ્ચિત સીમા છે. આવું જ ધર્મ વિષે કહી શકાય અને આવું જ સરકારના વહીવટ વિષે કહી શકાય.

જો કોઈ માણસ ઉંઘતો હોય તો તેને જગાડી શકાય. પણ જો કોઈ ઉંઘવાનો ઢોંગ કરતો હોય તો તેને તમે જગાડી ન શકો. કારણ કે આ ઢોંગી માણસે નક્કી કર્યું છે કે આપણે ઉઠવાનું નથી. ન ઉઠવા પાછળનો તેનો કોઇ હેતુ કે સ્વાર્થ હોય છે.

આપણે થોડી આડવાત કરી લઈએ.

પાશ્ચાત્ય ઇતિહાસકારોના ભણાવેલ ઇતિહાસ અને મોટાભાગના ભારતીયોએ આંખો બંધ કરીને સ્વિકારેલ તે ઇતિહાસ પ્રમાણે, ભારત ૨૨૦૦ ૨૩૦૦ વર્ષથી ગુલામ છે. જો કે કેટલા વર્ષ સુધી ભારત ગુલામ રહ્યું તે માન્યતા વિષે ભીન્ન ભીન્ન સમય ગાળો સમજવામાં આવે છે.

સિકંદરની સામે (૩૨૭ બીસી), મહમ્મદ બીન કાસીમની સામે (૭૧૨), બાબરની સામે (૧૫૨૬), અંગ્રેજોની સામે ૧૭૫૭, ભારત હારી ગયું. એટલે લગભગ ૨૩૦૦ વર્ષથી ભારત ગુલામ છે. આવો ઇતિહાસ ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહારના દેશોમાં પણ ભણાવવામાં આવે છે. આ માન્યતા નરેન્દ્ર મોદીની પણ છે. કારણકે તેઓશ્રી પણ ભારતમાં જ ભણ્યા છે.

કેટલાક શબ્દ એવા છે જેના સમાનાર્થી શબ્દ (ખાસકરીને સંસ્કૃતમાંના શબ્દો)અને સમજણ ભારતની બહારની ભાષાઓમાં નથી. આમાં ધર્મ, ધર્મ નિરપેક્ષ, સંસ્કૃતિ, સંસ્કાર, આતંક, તત્વજ્ઞાન, ઇતિહાસ, ઇશ્વર, કર્મ, અધિકાર, વિકાસ, દેશ, સત્, અસત્, આનંદ, પરતંત્રતા, વિગેરે શબ્દો મુખ્ય છે. પણ પાશ્ચાત્ય વિદ્વાનો આ શબ્દોના અર્થ જે કંઈ સમજ્યા અને આ શબ્દોના જે અર્થો તેમને ગોઠ્યા તે તેમણે કર્યા અને ભારતીય સાક્ષરોએ તેમાં રહેલા વિરોધાભાષોને સમજ્યા વગર અને વિચાર્યા વગર ફક્ત સ્વિકાર્યા નહીં પણ આત્મસાત્ કરી લીધા.

આવું બધું હોવા છતાં પણ “પ્રણાલીગત ધર્મ (પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલ છે તે), એટલે કે હિન્દુ ધર્મ ૨૩૦૦ વર્ષની ગુલામી પછી પણ આપણા દેશમાં જીવતો રહ્યો અને હજી જીવે છે તે પણ ૬૫થી ૮૦ ટકા. આ પૃથ્વી પર ક્યાંય ન બનેલી એક અભૂતપૂર્વ ઘટના છે.

ભારત ઉપરના આક્રમકો આતતાયીઓ હતા. તેઓ લૂટ, અત્યાચાર અને નીતિહીન હતા. પણ જે આક્રમકો ભારતમાં સ્થાયી થયા તે પછી તેઓ કેટલેક અંશે બદલાયા. શક, હુણ, પહલવ તો ભારતીય જ થઈ ગયા. મુસ્લિમોએ પણ ભારતીય પરંપરાઓ મોટા ભાગે સ્વિકારી. શેરશાહ, મોહમદ બેઘડો અને મોટાભાગના મુગલો આનું ઉદાહરણ છે. તેઓએ આ દેશને પોતાનો દેશ માન્યો. જો આવું ન હોત તો બહાદુરશાહ જફર કે જે નામમાત્રનો રાજા હતો તેની નેતાગીરી, ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વિકારાઈ ન હોત. અંગ્રેજો અલગ હતા. તેમણે ભારતીયતા ન સ્વિકારી. એટલે ખરી રાજકીય ગુલામી બહુબહુ તો ૧૮૨૫ થી ચાલુ થઈ જે ૧૯૪૭ સુધી રહી.

ભારતીય સંસ્કૃતિની કે ભારતીય તત્વજ્ઞાનની મથામણ આનંદ પ્રાપ્ત કરવા માટેની છે. જે આનંદ સૌથી વધુ લાંબા ગાળાનો હોય તે

આનંદ કેમ પ્રાપ્ત થાય?

આમાં બે મુખ્ય માન્યતાઓ છે.

શાશ્વત આનંદઃ
શાશ્વત આનંદ એટલે કે મોક્ષ. આ આનંદ આત્માનો જ હોઈ શકે. એક એવી કલ્પના થઈ કે થઈ કે આત્મા એક તત્વ છે અને તે શરીરથી ભીન્ન છે. એટલે જ્યાં સુધી શરીરની સાથે આત્માનું જોડાણ છે ત્યાં સુધી શાશ્વત આનંદ મળશે નહીં કારણ કે શરીરની સાથે દુઃખ તો રહેવાનું જ છે. એટલે એવું ધારો કે શરીરને છોડ્યા પછીના આનંદને

કેવી રીતે પ્રાપ્ત કરવો?

શરીર સાથેનો આનંદઃ

શરીર છોડ્યા પછી શું છે, તે કોઈએ જાણ્યું નથી. માટે શરીરમાં આત્મા હોય ત્યારે પણ આનંદ તો મળવો જ જોઇએ. આ આનંદ ભલે શાશ્વત ન હોય પણ સાપેક્ષે તો સાપેક્ષે પણ આનંદ હોવો તો જોઇએ જ.

વાસ્તવમાં મનુષ્ય જાતિની જ નહીં પણ સજીવ માત્રનું વલણ આનંદ માટેનું હોય છે.

શાશ્વત આનંદ ભલે ગમે તેટલો ઉચ્ચ કક્ષાનો ધારી લીધો હોય પણ શરીર સાથેના આનંદ માટેનું માણસનું વલણ તો રહેવાનું જ. જો કે શાશ્વત આનંદની વાત મનુષ્ય જાતિએ પડતી મુકી નથી.

શારીરિક આનંદની વ્યાખ્યા આપણે “અદ્વૈતની માયાજાળ” અને “નવ્ય સર્વોદયવાદ” માં કરી છે. શરીરનું એકત્વ જાળવી રાખવું અને વિઘટન સામે ઝઝુમવું આ વાત સજીવોમાં સહજ છે.
આપણા હિન્દુધર્મમાં આનંદ મેળવવાની ચાર રીત છે. કર્મદ્વારા, ભક્તિદ્વારા, જ્ઞાન દ્વારા, અને યોગદ્વારા.

કર્મ પ્રત્યેનું વલણ, ભક્તિ પ્રત્યેનું વલણ, જ્ઞાન પ્રત્યેનું વલણ અને યોગ પ્રત્યેનું વલણ સૌનું એક સરખું હોતું નથી. અને આ વલણનું મિશ્રણ બધામાં હોય છે. એકાદું વલણ જે બીજા વલણો ઉપર હામી થતું હોય છે.

પ્રથમ ત્રણ વલણો સામુહિક રીતે પણ થાય અને અંગત રીતે પણ થાય. એક સાથે, કે લય બદ્ધ રીતે લોકો કર્મ કરે, ભક્તિ કરે કે જ્ઞાન મેળવે અને આનંદ મેળવે છે. યોગ એટલે કે શ્વાસની કસરત પણ લોકો સામુહિક રીતે કરે છે. યોગની કસરત શરીરના કોષોને શુદ્ધ કરે છે તેથી કોષો તેમના કાર્યમાં કુશળતા લાવે છે.

કર્મ અને જ્ઞાન એવાં વલણ છે કે જેમાં ફળ (આનંદ) ભવિષ્યમાં મળશે એવી ગોઠવણ સમાજમાં કરવામાં આવી છે.

આનંદ માત્ર શારીરિક છે.

આપણે આનંદને અનેક પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. શારીરિક આનંદ, માનસિક આનંદ અને બૌદ્ધિક આનંદ. આનંદ હમેશા શારીરિક જ હોય છે. મન અને બુદ્ધિ પણ શરીરનો જ હિસ્સો છે. મન અને બુદ્ધિ જુદા નથી. મન એ આપણી પસંદગી તરફનું વલણ હોય છે. બુદ્ધિ એક પ્રક્રિયા છે જે નિર્ણય લેવા પ્રેરે છે. પણ બુદ્ધિનો નિર્ણય હમેશા આપણું મન કબુલ રાખતું નથી. તેવી જ રીતે જે મનને પસંદ પડ્યું તેને જ અનુસરવું તેમ પણ મનુષ્ય હમેશા આચરતો નથી. મનુષ્યનો આચાર મનુષ્યમાં રહેલા રસાયણો ઉપર આધારિત છે. આ રસાયણોનો આધાર સ્મૃતિ, વિચાર, કાર્ય, સામાજિક પરિબળો અને વારસાગત મળેલા વલણોનું મિશ્રણ હોય છે.
હવે આપણે મૂળવાત ઉપર આવીએ.

આનંદ “સ્વ”ની બીજાઓ દ્વારા ઓળખ અને અથવા માન્યતા દ્વારા પણ મળે છે.

“દોડ”ની સ્પર્ધામાં બધાનું ધ્યાન આગળ કોણ છે તેની ઉપર હોય છે. આ “ધ્યાન ખેંચાવા”ની વાત તે વ્યક્તિની ઓળખ અને માન્યતા છે. તેથી દોડવીરને આનંદ આવે છે.

નાટકમાં પ્રેક્ષકોનું ધ્યાન પાત્રો ઉપર હોય છે. આ નાટકના પાત્રની ઓળખ હોય છે.

આગળનું સ્થાન ઓળખ બને છે.

વક્તૃત્વમાં વક્તાની છટા અને તેનું જ્ઞાન તેની ઓળખ અને માન્યતા બને છે.

વ્યક્તિનું ધન, વ્યક્તિનો વંશ અને વ્યક્તિનો હોદ્દો (સત્તા) પણ તેની ઓળખ બને છે.

આવી અનેક વાતો હોય છે.

આધુનિક યુગમાં ધ્યાન આકર્ષવાની રીતો વધી છે.

પશ્ચિમી દેશોમાં (અને હવે ભારત જેવા દેશમાં પણ), નગ્ન થઈ દોડવું, અસંબદ્ધ બોલવું, ચમત્કારિક બોલવું, બીજાને ક્ષોભ જનક સ્થિતિમાં મુકવો આવું બધું કરીને લોકોની નજરમાં આવવું એ એક પ્રણાલી પડી ગઈ છે.

પહેલાંના જમાનામાં જ્ઞાનના તેજ દ્વારા વ્યક્તિની ઓળખ બનતી હતી. હવે એવું છે કે કે પહેલાં પ્રચાર દ્વારા વ્યક્તિને ઓળખ આપો અને પછી વિતંડાવાદ કરી વધુ પ્રચાર કરી તેની ઓળખને માન્ય કરાવો અને તેમ કરવામાં પોતાની પણ એવી જ ઓળખ બનાવો.
સમાજમાં દૃષ્ટિગોચર થતા આવા વલણો બીજી યોગ્ય વ્યક્તિની થતી સુયોગ્ય ઓળખને દબાવી દેવામાં પણ વપરાય છે.

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે જેવી નિમ્નસ્તરની વ્યક્તિઓની ખ્યાતિ આ પ્રકારમાં આવે છે. આ બધાને હવે આપણે “અફઝલ-પ્રેમી ગેંગ” તરીકે ઓળખીશું. આ નામાભિધાન તેને ઝી-ટીવીએ આપેલું છે.

અફઝલની વરસીને દિવસે જીન્ના નહેરુ યુનીવર્સીટીના અને તેની બહારના તેના પ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યા. અને સૂત્રોચ્ચાર કર્યો. તેના વિરોધીઓએ તેની વીડીયો ક્લીપ બનાવી. સોસીયલ મીડીયા ઉપર ને ટીવી ચેનલો ઉપર પ્રદર્શિત થઈ. દેશપ્રેમીઓમાં ખળભળાટ થયો. કારણકે તેમાં “કશ્મિર માગે આઝાદી, કેરલ માગે આઝાદી, બંગાળ માગે આઝાદી, પૂર્વોત્તર રાજ્ય માગે આઝાદી, ગોલીસે લેંગે આઝાદી, ભારત તેરે ટૂકડે હોગે, અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતીલ જીંદા હૈ, હર ઘરસે અફઝલ નિકલેગા, એવા અનેક દેશદ્રોહી સૂત્રો પોકારાયા.

આમ તો ઉપરોક્ત સૂત્રો, માત્ર અને માત્ર સૂત્રો છે. આ સૂત્રો, બોલનારની માનસિકતાનું પ્રદર્શન કરે છે. આ સૂત્રો દેશ પ્રત્યેનો પ્રેમ તો પ્રકટ કરતા નથી જ નથી જ. અફઝલને ભારતના ન્યાય તંત્રે મૃત્યુદંડ બધીજ પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી આપ્યો હતો. તે વખતે નહેરુવીયન કોંગ્રેસની સરકાર હતી. જો સૂત્રોને સરકારની સામેના ગણાવાતા હોય તો જે અફઝલને લગતા સૂત્રો હતા તેતો નહેરુવીયન કોંગ્રેસ સરકારની સામેના હતા એમ ગણાવવું જોઇએ.

સંસદ ઉપર થયેલા આતંકી હુમલામાં અફઝલ સંડોવાયેલો હતો. મોટા ભાગની ન્યાયિક પ્રણાલી નહેરુવીયન કોંગ્રેસની સરકારે પૂરી કરેલ અને સજાની જાહેરાત અને અમલ પણ નહેરુવીયન કોંગ્રેસની સરકારના સમય દરમ્યાન થયેલ. એટલે અગર આ સૂત્રોચ્ચાર અન્વયે કોઈએ જવાબ આપવાનો હોય તો નહેરુવીયન કોંગ્રેસે આપવાનો હતો. પણ સૂત્રો તો દેશ વિરોધી હતા એટલે દેશપ્રેમી જનતા તેને વખોડવા માટે આગળ આવી.

તો બીજેપી-મોદી-ફોબીયા પીડિત ગેંગે શું કર્યું?

તેમણે આ વિવાદને બીજેપી અને નહેરુવીયન કોંગી યુક્ત તેના સાંસ્કૃતિક સાથી વચ્ચેનો ગણાવીને તેને મોળો પાડવાની કોશિસ કરી.

આ નહેરુવીયન કોંગની પ્રણાલીગત જુની પરંપરા છે. તેમને ખબર છે કે તેઓના કબજામાં સમાચાર માધ્યમો છે. સમાચાર માધ્યમો માને છે કે પૈસો મૂખ્ય છે. ચીકન બીર્યાની અને દારુ, નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ જ આપી શકશે. મોદી તો ઘાસપુસ જેવી વેજ વાનગીઓ જ આપશે. કદાચ તે પણ ન આપે.
નહેરુવીયન કોંગ અને તેના સાથીઓને કોઈ વાતનો કશો છોછ હોતો નથી તે પોતાની પત્રકાર પરિષદમાં પૈસાવાળા કવરો પણ આપશે. દેશપ્રેમ અને દેશદ્રોહની વાતો તો બધી ધત્તીંગ છે, કામ ચલાઉ છે. જનતા અભણ છે. જનતાને માથાફોડીની વાતો યાદ રહેતી નથી અને તાર્કિક વાતો પણ માથાફોડીની જ હોય છે. ચૂંટણીના સમયે આપણે દેશપ્રેમના હેડીંગ વાળી અનેક વાતો કરીશું એટલે આપણી આબરુ પાછી આવી જશે. પાંચ ટકા ભણેશરીઓ આગળ આપણી આબરુ જાય તો પણ ક્યાં કશો ફેર પડે છે?

આ ઈન્દિરા ગાંધીએ હજારોને જેલમાં નાખ્યા તો પણ તેના નામે અગણિત યોજનાઓ, બાંધાકામો, સંસ્થાઓ, ઈનામો છે. અરે શું શું નથી તેની વાત કરો? નહેરુએ હિમાલય જેવડી ભૂલો કરી અને લાખો સૈનિકો બેમોત મર્યા, તો પણ નહેરુના નામને ક્યાં કશી આંચ આવી છે.

માટે પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

યસ્યાસ્તિ વિત્તં, સ નરઃ કુલિનઃ સ શ્રુતવાન સ ચ ગુણજ્ઞઃ
સ એવ વક્તા, સ ચ દર્શનીયઃ, સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે

જેની પાસે પૈસા છે, તે કુળવાન છે, તે જ જ્ઞાની છે અને તે જ ગુણોને જાણનારો છે.
તે બોલે તે જ સંભળાય છે, તે જ દર્શન કરવાને યોગ્ય છે. બધા ગુણો સુવર્ણ(સોનું, પૈસા)ના આશ્રયે છે.

01 securedownload

નહેરુવીયન કોંગ્રેસ પાસે તેમના પૈસા અને તેમનો જનતાને બેવકુફ બનાવવાનો અનુભવ છે. સામ્યવાદીઓ પાસે છળ કપટ અને હિંસા છે. પથભ્રષ્ટ મુસલમાનો પાસે આતંકવાદી સંગઠન છે, લાલચુ પત્રકારો અને કટારીયા મૂર્ધન્યો છે. જ્ઞાતિવાદી પક્ષો છે. બધી ગદ્દારીઓ જો ભેગી થઈ જાય તો બીજેપી શી ચીજ છે?

આ લોકોથી દેશને બચાવવાનો ઉપાય શો?

ધારો કે એક સંસ્કૃતિ બુદ્ધિજીવી છે. અને એક સંસ્કૃતિ ભક્તિ માર્ગી (શ્રદ્ધા ઉપર આધાર રાખનારી) છે. કઈ સંસ્કૃતિ લાંબા કાળ સુધી જીવશે?

બુદ્ધિવાદી સંસ્કૃતિ તર્ક ઉપર આધાર રાખતી હોવાથી તે પોતાના જ્ઞાન પ્રાપ્તિના દરવાજા ખૂલ્લા રાખે છે. ભક્તિમાર્ગી સંસ્કૃતિ ફક્ત શ્રદ્ધા ઉપર આધાર રાખતી હોવાથી ચર્ચામાં માનતી નથી.

પણ હવે તમે જુઓ. બુદ્ધિ વ્યક્તિના જ્ઞાન ઉપર આધાર રાખે છે. જ્ઞાન માહિતિ ઉપર આધાર રાખે છે. માહિતિ કાંતો વ્યક્તિને આપવી પડે છે કે કાંતો વ્યક્તિએ પ્રયત્ન પૂર્વક મેળવવી પડે છે. માહિતિ આપનારો ઠગ હોય તો તે બુદ્ધિવાદીઓને યા તો માહિતિ ન આપે યા તો ખોટી માહિતિ પણ આપે. તર્ક શક્તિ એ વિચાર કરવાની વૃત્તિ ઉપર આધાર રાખે છે. આ વૃત્તિ આનુવંશિક હોઈ શકે છે અથવા એ ભૌતિક શાસ્ત્ર ભણવાથી આવે છે.

બુદ્ધિ હોય, માહિતિ હોય, પણ તર્ક શક્તિ ન હોય તો વ્યક્તિ ખોટા નિર્ણયો લે. દાખલા તરીકે પાશ્ચાત્ય ઇતિહાસકારોએ આપણને ખોટો ઇતિહાસ અને ખોટી વ્યાખ્યાઓ ભણાવી. વિરોધાભાષો છૂપાવ્યા. આપણા વિદ્વાનોએ ભારતને આર્યો અને દ્રવિડોની જાતિમાં વિભાજિત કરતી આર્યોના આક્ર્મણ વાળી થીએરી આત્મસાત્ કરી બુદ્ધિજીવીઓ પોતાનાથી ઓછી બુદ્ધિવાળાનો, જો ઓછી બુદ્ધિવાળાઓ પાસે ઓછી માહિતિ હોય તો, તેમનો પરાભવ કરી શકે છે.

જો વ્યક્તિ શ્રદ્ધાના આધારે હોય તો તે તર્કને આધિન થતો નથી. આમ પાશ્ચાત્ય ધર્મગુરુઓએ શ્રદ્ધાવાળો ધર્મ ફેલાવ્યો. પણ તેમણે વિજ્ઞાન અને ધર્મને અલગ રાખ્યા. ધર્મને શ્રદ્ધાનો વિષય બનાવ્યો. એટલે ધર્મની બાબતમાં તર્ક નહીં વાપરવાનો.

વાસ્તવિક રીતે જોઇએ તો સ્વર્ગ, નર્ક, પૂનર્જન્મ અને ઇશ્વરના અવતાર જેવું કશું છે જ નહીં. સારા કામો થી સ્વર્ગ મળે છે અને ખરાબ કામોથી નર્ક મળે છે, એ બધા જુઠ છે.

આત્મા અને શરીર જુદા છે તે પણ એક જુઠ છે. વેદ અને અદ્વૈતની દૃષ્ટિએ પણ આમ જ છે. બ્રહ્માણ્ડ બહુ વિશાળ છે.

હાલની તારીખમાં તે કેવડું છે તે જો પ્રકાશની ગતિના ૯૯.૯૯ ….. ૫૫ નવડા એટલા ટકા થી ગતિ કરીએ તો બ્રહ્માણ્ડના છેડે પહોંચતાં ૫૪ વર્ષ થાય. પણ તે ગતિ કરનારના વર્ષ ગણવાના હોય છે. પૃથ્વી ઉપર તો તે વર્ષ ૧૫ અબજ વર્ષ થી પણ વધુ થાય. આ બ્રહ્માણ્ડ પ્રકાશની ગતિએ (દર સેકંડે એક લાખ છ્યાસી હજાર માઈલ ની ગતિથી) વિકસતુ જ રહે છે.

બ્રમ્હાણ્ડનું ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી. જો ડાર્ક મેટરનું પ્રમાણ વધુ હશે તો તે અમુક હદે પહોંચ્યા પછી આ બ્રહ્માણ્ડ સંકોચાતું જશે. બ્રહ્માણ્ડની બહાર શું છે તે સમજવા માટે “અવકાશ”ની વ્યાખ્યા સમજવી પડે. સમયની વ્યાખ્યા સમજવી પડે. પદાર્થની વ્યાખ્યા સમજવી પડે. પ્રકાશ એ શું છે તે સમજવું પડે, પરિમાણો શું છે તે સમજવું પડે, (આપણા કહેવાતા સજીવો અને સુક્ષ્મ કણોને સમજવા પડે અને આ સુક્ષ્મ કણો ૨૨+૪ ના પરિમાણોમાં અસ્તિત્વ ધરાવે છે જ્યારે આપણે ચાર પરિમાણોમાંની જ અનુભૂતિ કરી શકીએ છીએ), સજીવની વ્યાખ્યા સમજવી પડે. આ બધું સમજ્યા વગર આપણે સ્વર્ગ, નર્ક, આત્મા, અમરતા, પાપ, પૂણ્ય, ઈશ્વર, અવતાર, પેગમ્બર વિગેરેનું દે ધનાધન કરીએ છીએ તે બેવકુફી માત્ર છે.

આપણે આ બેવકુફીને બેવકુફી તરીકે સ્વિકારવી જોઇએ. આપણા અનંદ માટે આપણે આવું બધું માનીએ ત્યાં સુધી ઠીક છે પણ ઈશ્વરની પૂજા સિવાય ઉદ્ધાર નથી, ઇશ્વર દયાળુ છે અને માટે અવતારો કે પેગંબરોની શરણાગતિ સ્વિકારી લો અને તેમને ત્યાં બુદ્ધિને ગીરો મૂકીને તેમણે બતાવ્યા માર્ગે સ્વર્ગ પ્રાપ્ત કરવા આ દૂનિયામાં જીવો … આ બધું ખોટા ભ્રમમાં જીવવા બરાબર છે.

વિજ્ઞાન જ મનુષ્યને સત્ય તરફ લઈ જાય છે પણ સત્ય સુધી પહોંચી શકાતું નથી અને પહોંચી શકાશે નહીં. કારણ કે આ બ્રહ્માણ્ડ અનિર્વચનીય છે. બ્રહ્માણ્ડના સત્યને પામી શકાશે નહીં. પણ જ્ઞાનની દિશા તો એજ રાખવાની છે. જો તમારું વલણ આ દિશામાં ન હોય તો સમાજે તમને તમારું મનપસંદ કામ સોંપ્યું છે તે કરો. આનંદ કરો.

તમને રીંગણા ભાવે તો રીંગણા ખાવ, બટેકા ભાવે તો બટેકા ખાવ, લાડુ ભાવે તો લાડુ ખાઓ, ગુલાબ જાંબુ ભાવે તો ગુલાબ જાંબુ ખાવ. ઈશ્વરને જે રીતે પૂજવામાં આનંદ આવતો હોય તે રીતે પૂજો. ન પૂજવો હોય તો ન પૂજો. ઈશ્વરને તમારી પૂજામાં રસ નથી.

ઈશ્વર કેવો છે તેની કોઈને ખબર નથી. ઈશ્વર પણ અનીર્વચનીય છે. હિન્દુઓ બ્રહ્માણ્ડને સજીવ માને છે. બ્રહ્માણ્ડ ઈશ્વરનું શરીર છે.

“તેન ત્યક્તે ન ભૂંજિથાઃ, મા ગૃધઃ કસ્યશ્ચિત્ ધનમ્”. આ વિશ્વરુપી ઈશ્વરે જે તમારા માટે છોડ્યું છે તેને (તમારી બુદ્ધિનો ઉપયોગ કરી) ત્યાગ પૂર્વક બધું ભોગવો અને બીજાનું પડાવી લો નહીં. જે સમજી શકાય તેવું છે તે આટલું જ છે. ઈશાવાસ્ય વૃત્તિ કેળવો અને આ પૃથ્વી ઉપર આનંદથી કમ કરતાં કરતાં ૧૦૦ વર્ષ જીવો. પરલોક જેવું કશું છે જ નહીં. જે કંઈ છે તે આ બ્રહ્માણ્ડમાં જ છે. તમે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્યની અનુભૂતિ કરી શકો છો ત્યાં સુધી તેમનું અસ્તિત્વ છે. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

સ્વર્ગ અને નર્ક જેવું કશું છે જ નહીં છતાં પણ મૃત્યુ પછીના સુખની કલ્પનાના ઘોડાઓ દોડાવ્યા કરવા એ મૂર્ખતા સિવાય કશું નથી. ઈશ્વર ના ન્યાયના દિવસની કલ્પનાઓ બધી ફરેબી વાતો છે. આજે આવા જ ધર્મો વધુ ફેલાયેલા દેખાય છે. આતંકવાદ ફેલાવવાની માનસિકતામાં આ જ ધર્મો સંડોવાયેલા છે. પ્રાચીન વિકસિત સંસ્કૃતિઓને નષ્ટ કરવામાં અને નર સંહાર કરવામાં આ જ ધર્મો આગળ પડતા છે.

તો શું તર્ક ઉપર આધારિત હિન્દુ ધર્મ નષ્ટ થશે?

ના જી. હિન્દુ ધર્મના ચાર અંગો છે. કર્મ, ભક્તિ, જ્ઞાન અને યોગ. આ બધાનું મિશ્રણ એટલે હિન્દુ ધર્મ. શંકરાચાર્યે અદ્વૈતવાદ જેવા કેવળ તર્ક પર આધારિત વાદનો પ્રચાર કર્યો અને બધા તત્કાલિન ધર્મોને પરાસ્ત કર્યા. શંકરાચાર્યનો અદ્વૈતવાદ, આઈનસ્ટાઇનના સાપેક્ષતાવાદ જેવો છે. તે સમજવાની બધામાં વૃત્તિ અને ક્ષમતા ન હોય. એટલે તેમણે “ભજ ગોવિંદમ”, શિવાષ્ટક, લલિતાસ્તોત્ર જેવા ભક્તિમાર્ગી સ્તોત્ર પણ લખ્યા. તેમણે વાદો વચ્ચે ઘૃણા ન ફેલાવી. એટલે ભારત ઉપર મુસ્લિમોનું આક્રમણ થયું ત્યારે અનેકાનેક ભક્તિમાર્ગી કવિઓ ઉગી નિકળ્યા અને તેમણે હિન્દુ ધર્મની રક્ષા કરી.

એટલે જો તમે સમાચાર માધ્યમો થકી થતા નરેન્દ્ર મોદી, બીજેપી અને દેશ દ્રોહી પ્રચારોમાં ગુંચવાઈ જતા હો તો તમે મોદીના અને દેશના ભક્ત બની જાઓ. જો બુદ્ધિ તમને નહીં બચાવે તો ભક્તિ તમને જરુર બચાવશે. અને દેશ પણ બચશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ, સમાચાર માધ્યમો, કટારીયા, મૂર્ધન્યો, પાશ્ચાત્ય ઇતિહાસકારો, ભારત, ગુલામ, સિકંદર, મહમ્મદ બીન કાસીમ, બાબર, મુગલ, વિરોધાભાષો, આક્રમકો આતતાયીઓ,
શાશ્વત આનંદ, સ્વર્ગ, નર્ક, મોક્ષ, કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગ, સ્વની ઓળખ અને માન્યતા, દેશ વિરોધી સૂત્રો, શંકરાચાર્ય, અદ્વૈત, સાપેક્ષતા

Read Full Post »

શું નરેન્દ્ર મોદી હજી ચાની કીટલી લઈને ફરે છે?

નરેન્દ્ર મોદી એક ભણેલો, વિચારવંત, કુશળ, દેશપ્રેમી અને ભેદભાવરહિત ગુજરાતી નેતા છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, પુરા દેશમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ તે એક માત્ર લોકપ્રિય નેતા છે. હવે જો કાયદેસરની વાત કરીએ તો તેણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ ના ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પોતાની આગવી સુઝબુઝથી અને પરિશ્રમથી જીતીને બતાવી છે.

નરેન્દ્ર મોદીની રાજકીય કુશળતાને ગણનાહીન અને અપ્રસ્તુત્ય કરવામાટે નહેરુવીયન કોંગેસના સામાન્ય કાર્યકરો અશિષ્ટ શબ્દ પ્રયોગ કરે તે સમજી શકાય છે કારણ કે સામાન્ય જનતામાં  સામાન્ય બુદ્ધિનો, સામાન્ય રીતે  અભાવ હોય છે. તેથી તેઓ અશિષ્ટ શબ્દો વાપરે કે આધાર હીન વાતો કરે કે અદ્ધર અદ્ધર વાતો કરે તે સમજી શકાય. પણ જેઓ પોતાને નેતા ગણાવે અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના હોદ્દેદાર પણ હોય, તેઓ પણ જાહેરમાં અશિષ્ટ અને અપમાન જનક ભાષા એક મુખ્ય મંત્રીની માટે ટીકા કરવામાં વાપરે તે અક્ષમ્ય જ ગણાય.

સંચાર માધ્યમોનું કામ લોક જાગૃતિનું અને લોક શિક્ષણનું કામ છે. પૈસા કમાવવાના કાયદેસરના રસ્તાઓ છે. સંચાર માધ્યમાના સંચાલકો કે માલિકો જો એમ જ માનતા હોય કે અમારું કામ ફક્ત પૈસા કમાવાનું છે અને તે માટે લોકોને આંચકાઓવાળા સમાચારો અને અભિપ્રાયો પ્રગટ કરવાનું છે તો તેઓ આ વાત જાહેરમાં કબુલ કરે. જો આટલા સંસ્કાર તેમનામાં ન હોય તો પાળેલા શ્વાન અને તેમનામાં શું ફેર છે?

નહેરુવીયન વંશજોની વાત જવા તો ન જ દેવાય. પણ જે એલ નહેરુ કંઈક તો સભ્ય પુરુષ હતા. વાચન વિશાળ હતું પણ આવતી કાલને સમજવા માટેની સમજણ શક્તિ ઓછી હતી તેથી આવડત ઓછી હતી અને તેમણે હિમાલય જેવડી ભૂલો કરેલી જેનું ફળ અને તેમણે સ્થાપેલા પ્રણાલીગત વ્યવહારો આ જે પણ આપણે ભોગવી રહ્યા છીએ.

તેમની પુત્રીની પાસે કશીજ પાર્શ્વભૂમિ હતી જ નહીં અને બધીરીતે એક સામાન્ય કક્ષાની સ્ત્રી હતી સિવાય કે સત્તા કેવી રીતે મેળવવી, તેને કેવી રીતે  ટકાવી અને પોતાના પક્ષના સભ્યોને કેવીરીતે કાબુમાં રાખવા તે માટેની કળા તે જાનતી હતી. આ આવડત તેણે તેના પિતાજી પાસેથી અને રશિયા પાસેથી શિખી લીધેલી. સાધનશુદ્ધિનો રાજકીય મૂલ્યોનો સદંતર અભાવ હતો. તેણે પણ પોતાના પિતાજી કરતાં પણ બમણી ભૂલો કરેલી જેને સુધારવાની શક્યતા કોઈ એક વ્યક્તિ કરી શકે તે વાત જ અશક્ય બની ગઈ છે. પણ આ બાઈએ એક એવી પણ રાજકીય પ્રણાલી સ્થાપી કે વિરોધીઓને તો બધું જ કહી શકાય. તેઓ ગમે તેટલા મહાન હોય કે ગમે તેટલા શુદ્ધ હોય તો પણ તેમને વિવાદો ઉત્પન્ન કરીને અને આ વિવાદોને રટ રટાવીને તેમને  તેઓ સાચેસાચ એવા જ છે તેવું જનતાના મગજમાં ઠોકી બેસાડી શકાય છે.

ઇન્દીરા ગાંધીના પિતાજીએ, ઈન્દીરા ગાંધીને પોતાના વારસ બનાવવા માટે, સીન્ડીકેટની રચના કરેલી અને આ સિન્ડીકેટે ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદ આપ્યું પણ ખરું. પણ ગરજ પતી એટલે ઈન્દીરા ગાંધીએ તેમને હરાવ્યા અને પ્રચાર એવો કર્યો કે તેઓ તેમને તો શું પણ તેમના પિતાજીને પણ કામ કરવા દેતા ન હતા. મોરારજી દેસાઈ ત્રાગાંઓ કરે છે, તેમના પુત્ર મોરારજી દેસાઈના પદનો ગેરલાભ લે છે, વિરોધ પક્ષ સત્તા લાલચી છે, બહુગુણા, એલ એન મિશ્રા, વીર બહાદુર સિંહ સ્વકેન્દ્રી છે,  વી.પી સિંગ વિદેશી બેંકમાં ખાતુ ધરાવે છે, આવાં તો અગણિત જુઠાણાઓ ફેલાવવાના સંસ્કારો નહેરુવીયન કોંગ્રેસમાં અને સંચાર માધ્યમોમાં ઘુસી ગયેલા. હવે આ સંસ્કારો નિકળવાનું નામ લઈ શકે તેમ નથી. કારણ કે આ નેતાઓ અને મૂર્ધન્યોને માટે શૈક્ષણિક અને વિવેકશીલ ચર્ચા કરવાની લાયકાત, એ તેમની હેસીયત રહી નથી.

રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી અને તેના સુપુત્રની વાત જવા દો, કારણ કે તેઓ તો અતિ સામાન્ય કોટીના જણ જણી છે. તેમની નહેરુવંશના સંબંધી હોવાની અને અઢળક પૈસા વારસામાં મળ્યો એ સિવાયની બીજી કોઈ લાયકાત નથી. સામાન્ય કક્ષા હોવાને કારણે મૌતના સોદાગર અને ગોડસે કહે તે સમજી શકાય છે.

પણ આ નહેરુવીયન કોંગ્રેસના બીજા નેતાઓ વિષે શું છે? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને પણ શું મૂલ્ય હીન બનાવી દીધા છે?  તેમણે તેમના માલિકોને ખુશ કરવા ભાટાઈના એક ભાગ રુપે કે પોતાની સત્તા જાળવી રાખવા શા માટે જુઠાણા ચલાવવા પડે છે? તેઓને એ ખ્યાલ તો છે જ નહીં કે તેમનું પોતાનું અસ્તિત્વ છે અને સ્વયંની સજ્જનતા પણ હોઈ શકે છે.      

મોઢવાડીયા કહે છે,

૨૦મી ડીસેમ્બરે મોદી બીજી દિવાળી ઉજવવાના સપના જુએ છે પણ ૨૦મી ડીસેમ્બરે તો બીજેપીની હોળી હશે.

મોદી તો મુંગેરીલાલ છે. અને તે વડાપ્રધાન થવાના સપના જુએ છે.

દિવાળી કોની થઈ અને હોળી કોની થઈ એ વાત જવા દો, પણ શું નરેન્દ્ર મોદી, મુંગેરીલાલની કક્ષામાં આવે છે? એ વાત સાચી કે તેઓ એક વખત ચાની કીટલી લઈને રેલ્વે પ્લેટફોર્મ ઉપર ફરતા હતા. પણ અત્યારે તેમ નથી.

એમ તો જ્યારે ભારત સુસંસ્કૃત હતું ત્યારે યુરોપીયનો જંગલી અવસ્થામાં અને અસંસ્કૃત હતા. પણ હવે તેઓ તેમ નથી. અત્યારે તેઓ, આપણા આડેધડ બાઈકો અને બીજા વાહનો ચલાવતા તથા રસ્તેચાલતા ગંદકી કરતા ભારતીયો કરતાં હજાર ગણા સુસંસ્કૃત છે.

નરેન્દ્ર મોદીએ પણ ચાની કીટલી ફેરવતાં ફેરવાતાં અને તે પછી ઘણો અભ્યાસ કર્યો છે. ઘણું વાચન કર્યું છે. ઘણું ચિંતન કર્યું છે. અને ઘણો પરસેવો પણ પાડ્યો છે. આત્મબળ અને કાર્ય શક્તિથી આગળ આવ્યા છે. તેમણે કદી કોઈ દિવસ માગણી કરી હોય તેવું કશું રેકોર્ડ ઉપર નથી. રેકોર્ડ ઉપર તો એજ છે કે તેમને જે કામ સોંપવામાં આવ્યું તે તેમણે કર્યું.

તો હવે મુંગેરી લાલ કોણ ઠરે છે? નરેન્દ્ર મોદી કે મોઢવાડીયા પોતે?

જુઓ હજીપણ મોઢવાડીયા નરેન્દ્ર મોદીને અવારનવાર મુંગેરી લાલ કહે છે. આ શબ્દ તેમને તેમના પક્ષના એક કેન્દ્રીય નેતા પાસેથી અધિગત થયો છે. જે પક્ષના દિગ્ગજ નેતાઓને ભ્રષ્ટ થવાનું લખાયું હોય તેના વામણા નેતાઓનું આથી વિશેષ શું ગજું હોય?

શંકર સિંહ શું કહે છેઃ

નરેન્દ્ર મોદીએ જેનો સાથ લઈને તેઓ આગળ આવેલા તેમને તેણે અળગા કરી દીધા. આ શંકરસિંહ કોણ છે? આ એ શંકરસિંહ છે જેઓ એ બીજેપીમાંથી પોતાના સાથીઓને લઈ બળવો કરેલ. અને તેમને ખજુરાહો લઈ ગયેલ. એટલે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે તેમને ખજુરીયા કહેલ. અને જેઓ કેશુભાઈ સાથે રહેલ તેમને આ શંકરસિંહે હજુરીયા કહેલ. એટલે કે બીજેપીમાં જેઓ હજુરીયા ન હતા તેઓ શંકરસિંહ સાથે હતા એવું શ્રી શંકરસિંહ માનતા હતા.  ચૂંટણી પ્રચાર દરમ્યાન જો કે કેશુભાઈ અને શંકરસિંહ સાથે હતા. સુરેશ મહેતાનો એક વખત નંબર લાગ્યો પણ બીજી વખત તેમનો નંબર ન લાગત, જો શંકર સિંહે ૨૦૦૨ સુધી ધિરજ રાખી હોત તો તેઓ અચૂક મુખ્ય મંત્રી બની શકત. કારણ કે વહીવટ ક્ષેત્રે કેશુભાઈ ખાસ અસરકારક કામગીરી બજાવી ન શકેલ.

કેશુભાઈ ની નિસ્ફળતાઓ સમાચાર માધ્યમો યાદ કરતા નથી.

આર એસએસના કેટલાક કાર્યકરો, સરકારી નોકરો પાસેથી લોકોના કામ કરાવવા માટેના એજન્ટો બની ગયેલ. બીજા પેટા ચૂંટણીના પરાજયો ઉપરાંત, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન જેવી મહત્વની ચૂંટણીમાં પણ બીજેપીનો પરાજય થયેલ. તે ઉપરાંત ૨૦૦૧માં આવેલા ધરતીકંપ પછી જે રાહત કામગીરી હતી તે નિભવવામાં કેશુભાઈ સદંતર નિસ્ફળ ગયેલ. કેશુભાઈ એક મજાકનું પાત્ર બની ગયેલ. તે વખતે બીજેપીના મોવડી મંડળ પાસે મોટાગજાનો નેતા હતો નહીં. જો શંકરસિંહે પક્ષ પલ્ટો ન કર્યો હોત અને ધીરજ રાખી હોત તો મોવડી મંડળે તેમની મુખ્ય પ્રધાન પદ માટે જરુર વરણી કરી હોત.

કેશુભાઈને નરેન્દ્ર મોદીએ હટાવ્યા ન હતા.

જ્યારે કેશુભાઈને હટાવાયા અને નરેન્દ્ર મોદીને લવાયા ત્યારે કે તે પહેલાં કોઈ એવા સમાચારો કે વક્તવ્યો જાણવામાં આવ્યા ન હતા કે નરેન્દ્ર મોદીએ મોવડી મંડળમાં જઈને કેશુભાઈની વિરુદ્ધ કાન ભંભેરણી કરેલ અને પોતાનો દાવો રજુ કરેલ. આપણે જાણીએ છીએ કે બીજેપીની છાવણીમાં રહેલી રાઈ જેવડી વાતને પણ સમાચાર માધ્યમો પહાડ બનાવીને પ્રસિદ્ધિ આપે છે અને તે પણ મીઠું મરચું ભભરાવીને અશક્ય ધારણાઓ પણ વહેતી મુકે છે.

મોદીએ મોવડી મંડળનો સંપર્ક પણ કરેલો એવી પણ કોઈ વાત અફવા સ્વરુપે પણ અસ્તિત્વ ધરાવતી ન હતી.  પણ જ્યારે ૨૦૧૨માં કેશુભાઈ રઘવાયા થયા અને એક છેલ્લો ચાન્સ લઈ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે આવી કાનભંભેરણીવાળી વાત વહેતી મુકી. ૨૦૦૧માં પણ કેશુભાઈએ બીજેપીમાં રહીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાન ચલાવેલ. તે વખતે પણ તેમણે ઉપરોક્ત કાનભંભેરણી વાળી વાત કરી ન હતી. તે વખતે પણ જનતાની નજરે નરેન્દ્ર મોદી એક શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા.

શ્રી ગુણવંતભાઈ શાહે સંદેશમાં એક અપીલ બહાર પાડેલી.

સંદેશે પણ એક ફોર્મ છાપેલ કે જનતા પોતાની પસંદગી આપે કે નરેન્દ્ર મોદીની કામગીરી કેવી છે અને તેમણે મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહેવું જોઇએ કે નહીં.

આ ફોર્મ જનતાએ પોતાના ગાંઠના ખર્ચે પોસ્ટ કરવાનું હતું. ૮૭ ટકા જનતાએ તે વખતે પણ નરેન્દ્ર મોદીની ઉપર જ પસંદગી ઉતારેલ. ૨૦૦૨ની ચૂંટણી વખતે પણ કેશુભાઈએ કાનભંભેરણીની વાત કરી ન હતી. આ કેશુભાઈના નવા નવા તુક્કાઓ ઉપર વિશ્વસનીયતા કેવી રીતે રાખી શકાય?

શરદ પવાર શું કહે છે?

શરદ પવાર કહે છે કે મોદી તો ફુગ્ગો છે. ફુગ્ગો જેટલો જલદી ફુલે તેટલો તે જલ્દી ફુટી જાય છે. નરેન્દ્ર મોદીનો ફુગ્ગો પણ જલ્દી ફુટી જશે.

આ શરદ પવાર કોણ છે? માણસ પોતાના દેશ માટે પ્રપંચો કરે તે ક્યારેક ક્ષમ્ય ગણાય છે. પણ જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પ્રપંચો કરે તે ક્ષમ્ય નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે અને તેના કલરફુલ (પીળા) મીડીયાએ આવા પ્રપંચોને પણ ક્ષમ્ય જ નહીં પણ વખાણવા યોગ્ય માની લીધા છે. શરદ પવારે કેટલા પક્ષ બદલ્યા એ ગણાવવા માટે તો તેમને ખુદને પણ આંખો બંધ કરીને ગણત્રી કરવી પડે. અસામાજીક તત્વો, ખાંડના કારખાનાની લોબી અને હાલમાં સિંચાઈના કામોમાં થયેલી ખાયકી ઓમાં થયેલી નહેરુવીયન કોંગ્રેસ સાથેની મીલીભગતની ભગતની અફવાઓ વિશ્વસનીય લાગે છે. શિવસેના વાળા ટકી રહેવા માટે મધ્યમ વર્ગના માણસોને ક્યારેક સ્વેચ્છા પૂર્વક વિનંતિ કરીને કે થોડી ધાકધમકીથી તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે. શરદના માણસો તો મોટા પાયે જમીનના ઝગડાઓ કોર્ટ બહાર જમીન માફીયા રાહે દાઉદના નેટ વર્કના હિસ્સા રુપ બનીને ઉકેલે છે. આ વાત મુંબઈમાં નાનુ બાબલું પણ જાણે છે.

કપિલ સિબ્બલ શું કહે છે? “મોટો ખુલાસો”

કપિલ સિબ્બલે કહેલ કે થોડા વખતમાં અમે નરેન્દ્ર મોદી બાબતમાં મોટો ખુલાસો કરીશું. આ વાત તેમણે એક બે મહિના પહેલાં કરેલી. આ ખુલાશો શું છે? સમાચાર માધ્યમોએ કહેલું કે નરેન્દ્ર મોદીને ૨૦૦૨ ના દંગાઓના કેસમાં ફસાવી દેવામાટે ચોકઠું ગોઠવાઈ ગયું છે. સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં અથવા તો ઇસરત જહાં કેસમાં તેને ફસાવી દેવામાં આવશે.

ક્લીક કરોઃ

 https://www.youtube.com/watch?feature=player_embedded&v=YJudO8FjPj4 Madhu Keshvar on Narendra Modi.

લાલ કૃષ્ણ અડવાણી તેમની માંદગીઃ

અડવાણી મોદીની વિરુદ્ધમાં છે. કારણ કે તેમને હજુ વડાપ્રધાન થવાની ઈચ્છા છે. મોદીની લોકપ્રિયતા તેમને કઠે છે. સમાચાર માધ્યમોએ આ વાતને બહુ ચગાવી છે. એટલી ચગાવી છે કે આપણને જ નહીં પણ અડવાણીને ખુદને એવું લાગે કે તે મોદી લોકપ્રિય બને અને લોકો મોદીને  વડાપ્રધાનપદના દાવેદાર સમજે તે તેમને પસંદ નથી. દરેક વ્યક્તિને પોતાની મહેચ્છાઓ હોય. પણ તે માટે સુજ્ઞ જનો અંતે તો જનતાની ઈચ્છાને જ મહત્વ આપે છે.

નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી નથી.

જ્યારે વ્યક્તિ પોતે, ઈચ્છતો હોય પણ જાહેર કરવા માગતો ન હોય તો તે પોતાની ઈચ્છા તેના સાથીઓ દ્વારા જાહેર કરે છે. (મોરારજી દેસાઈ જેવા પુરુષો વિરલ હોય છે જેઓ પોતાનો હક્ક જાહેર રીતે વ્યક્ત કરે છે), પણ બીજેપીના કોઈ નેતાએ પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવા જોઇએ એવી કોઈ વાત કરી નથી. તો પછી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન થવું છે તે વાત ઉગી કેવી રીતે?

અડવાણી જીન્ના ની કબર ઉપર માથું ટેકવી આવ્યા એટલે આરએસએસ વાળા કંઈક વધારે પડતા નારાજ થયા. જીન્નાની વાત ઉપર તો નહેરુવીયન કોંગ્રેસીઓએ પણ અડવાણી ઉપર માછલા ધોયાં. મીડીયાએ આ વાત ને અતિશય ચગાવી. બીજેપીના નેતા ઉપર કોઈ વિવાદ ઉભો થાય તો મીડીયા વાળા અને કોંગ્રેસી નેતાઓ ઝાલ્યા ન રહે. અને આતો હિન્દુત્વનો સવાલ એટલે આરએસએસવાળા ગાંડાતૂર થયા. ૧૯૫૪માં પાકિસ્તાનના પ્રમુખ ઈસ્કંદર મીર્ઝાએ ભારત અને પાકિસ્તાનનું સમવાય તંત્રની માગણી મુકેલ. જવાહરલાલ નહેરુએ તેમની આ માગણીને તૂચ્છતા પૂર્વક નકારી નાખેલ. અખંડ ભારતની વાતો કરીને મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવનાર અને તેથી કરીને પોતે કેવા પરમ દેશભક્ત છે, તેવા આ  આરએસએસવાળા મહાનુભાવોએ તે વખતે જવાહરલાલ નહેરુ ઉપર તૂટી પડવા જેવું હતું. પોતાનો પરમ દેશપ્રેમ વ્યક્ત કરવાનો આ સુંદર મોકો હતો. પણ તેમના નેતાઓને ખબર છે કે અખંડ ભારતની વાત એક બનાવટ છે વાસ્તવમાં જો આ વાત ચગત તો નહેરુના ચેલકાઓ આરએસએસના દિગ્ગજ નેતાઓ ભાગલાની તરફના હતા તે વાત બહાર લાવી દેત. તેથી બાંધી મુઠ્ઠી લાખની એમ વિચારીને આર એસ એસના નેતાઓ મૌન રહેલ. વિનોબા ભાવેએ ઈસ્કંદર મીર્ઝાની સમવાય તંત્રની વાતને આવકારી હતી. વિનોબા ભાવેએ જવાહરલાલ નહેરુના કારણોને ગેરવાજબી ઠેરવેલ. સમાચાર માધ્યમો તે વખતે પણ નહેરુના પ્રશંસક હતા તેથી તેમણે સમવાય તંત્રની વાતને ચર્ચાના ચગડોળે ચલાવી ન હતી.

આરએસએસ ના નેતાઓનું મુખ્ય ધ્યેય પક્ષ ઉપર પકડ રાખવાનું છે, બીજેપીના નેતાઓને વખતો વખત દબાવવાનું છે. પણ અડવાણીની સ્થિતિ છૂટેલા તીર જેવી હતી. અને આરએસએસવાળા હવે જો અડવાણી ઉપર વિશ્વાસ રાખે તો તેઓ ડબલ કાટલા વાળા થાય એવી વાત સમાચાર માધ્યમો વાળા ફેલાવે ને ફેલાવે જ. એટલે તેમની સ્થિતિ પણ છૂટેલા તીર જેવી હતી.

જશવંત સિંહ પણ જીન્નાની વાતમાં ફસાયેલા છે. જોકે જશવંત સિંઘ અને અડવાણી સાચે સાચ માંદા લાગે જ છે છતાં પણ મીડીયાને તેને પોલીટીકલ માંદગી ખપાવવામાં ખાસ રસ છે. જશવંત સિંઘ એક સારા વહીવટકર્તા છે અને તેઓ આવા પોલીટીક્સમાં પડતા નથી.

સુષ્મા સ્વરાજઃ

તે એવાં શક્તિશાળી નથી. તેઓ જો સોનીયા ગાંધીને ન જીતી શકે તો બીજાને તો જીતાડી જ કેવીરીતે શકે. વળી તેઓ પણ દુશ્મનો ઉપર દયા રાખનારા છે. એક વખત ૨૦૦૦-૨૦૦૪ના અરસામાં નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલયનો ટેલીફોન પૈસા ન ભરવાથી કપાઈ ગયેલ. તે વખતે સુષ્મા સ્વરાજ ટેલીકોમ્યુનીકેશન મીનીસ્ટર હતા. તેમણે તે ટેલીફોન ચાલુ કરાવી દીધેલ. એટલું જ નહીં જે અધિકારીએ તે ટેલીફોન કાપી નાખેલ તેની સામે વળતા પગલાં લીધેલ.વાસ્તવમાં સુષ્માસ્વરાજે નહેરુવીયન કોંગ્રેસની બેદરકારીને ચગાવવા જેવી હતી. પણ સુષ્માસ્વરાજે બાજપેયીવાળી કરી, એટલે કે દયાના દેવી બન્યાં અને વિપક્ષ આગળ ભલાં બન્યાં. આરએસએસ વાળા આવી મહિલાને પસંદ ન જ કરે.

તોગડીયા અને આર એસ એસ

તોગડીયાએ કહ્યું કે વિકાસનો મુદ્દો તો બીજા પણ ઉઠાવી શકે છે અને તેમાં તો વિવાદો પણ ઉત્પન્ન કરી શકાય છે તેથી બીજેપીએ હિન્દુઓના મત લેવા માટે અને હિન્દુઓની એકતા સ્થાપિત કરવા માટે હિન્દુત્વનો જ મુદ્દો જ ઉઠાવવો જોઇએ. એટલે કે નરેન્દ્ર મોદી જે વિકાસનો મુદ્દો ઉઠાવે છે તે બરાબર નથી. જોકે તોગડીયા એ વાત ભૂલી જાય છે કે જનસંઘ હિન્દુત્વના મુદ્દા ઉપર જ ચૂંટણી લડતો હતો. અને ૧૯૮૪ની ચૂંટણીમાં બીજેપીની પાસે હિન્દુત્વ સિવાય મુદ્દો હતો જ નહીં. પણ આપણા આરએસએસના ભાઇઓએ રાજીવ ગાંધીમાં તારણહાર જોયેલો. વિશ્વબંધુ ગુપ્તાના કહેવા પ્રમાણે કેટલાક આરએસએસવાળાઓએ રાજીવ ગાંધીનો પ્રચાર કરેલ. ટૂંકમાં પડઘી વગરના લોટા જેવા આરએસએસવાળાઓનું કહેવું માની નરેન્દ્ર મોદી “આ બૈલ મુઝે માર જેવું તો નજ કરે.”

જો કે આરએસએસવાળા દેશભક્ત છે અને આપત્તિના સમયે સેવાનું સારું કામ કરે છે. તે માટે તેમને સલામ કરવી જોઇએ. પણ તેમણે જ્ઞાન અને માહિતિ માટે બધી દીશાની બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. મુસ્લિમ જનતાએ અને મુસ્લિમ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ સમજેલ અને જેમ બીજા રાજાઓ વર્તેલ તેમ તેઓ પણ વર્તેલ. તેમનો સમય એ દેશની ગુલામીનો સમય હતો તે મનોદશામાંથી તેમણે બહાર આવવું જોઇએ. મુસ્લિમોમાં જે કંઈ દુર્ગુણો દેખાય છે તે બ્રીટીશ રાજ અને નહેરુવીયન કોંગ્રેસ રાજની પેદાશ છે.

આરએસએસને માટે નરેન્દ્ર મોદીને સપોર્ટ કર્યા વગર છૂટકો નથી. જેમ કેટલાક ગાંધીવાદીઓને માટે નહેરુવીયન કોંગ્રેસીઓનો સહારો લેવા સિવાય કે તેમને સહારો આપવા સિવાય છૂટકો નથી, તેમ જ સમજવું.

મીડીયાના ડબલ કાટલા

ઈન્દીરા ગાંધીએ કામકર્યાવગર તેના વિરોધીઓને ભૌતિક રીતે દૂર કરેલ. અને પક્ષ ઉપર બ્લેકમેલ દ્વારા મજબુત પકડ જમાવેલ તે બાઈને આ જ સમાચાર માધ્યમવાળા મજબુત બાઈ તરીકે ઓળખાવતા અને આજની તારીખમાં પણ તેની બુરાઈ કરતા નથી. આનાથી ઉંધું વલણ જુઓ. નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓને કેવા દૂર કર્યા તેમાં બધાના નામ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ કામ કરીને નામના મેળવી છે. નરેન્દ્ર મોદીએ તો કદી તેમનું નામ પણ લીધું નથી. છતાં પણ નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં આવી છે. તમે આજનું (૯મી જુન ૨૦૧૩નું) દિવ્ય ભાસ્કર જોશો તો તમને નરેન્દ્ર મોદીના વિષેની વાતો અને સમાચાર, નરેન્દ્ર મોદીની વિષે નકારાત્મક વાતાવરણ બને એ રીતે જ આપવામાં આવ્યા છે. કેશુભાઈને દૂર કર્યા, શંકરસિંહને દૂર કર્યા, સુરેશ મહેતાને દૂર કર્યા, દીલીપ પરિખને દૂર કર્યા, સંજય જોષીને દૂર કર્યા, નીતિન ગડકરીને દૂર કર્યા અને અડવાણીને દૂર કર્યા. આપણે જાણતા નથી કે નરેન્દ્ર મોદી ક્યારે માંદા પડ્યા અને કઈ મીટીંગમાં માંદગીને કારણે ગેરહાજર રહ્યા. પણ આપણા આ અખબારી આલોચક કહે છે કે મોદી વિરોધીઓએ માંદગીનું મોદીનું શસ્ત્ર મોદી સામે જ વાપર્યું. મોદી કેવા કૃતઘ્ન છે કે તેઓ પોતાને મદદ કરનારાઓનો જ કાંટો કાઢી નાખે છે.

પક્ષના પ્રમુખે નક્કી કરવાનું હતું કે ચૂંટણી માટેની સમિતિનો નેતા કેવો હોવો જોઇએ?

નેતાઓને ગમે એવો કે જનતાને ગમે તેવો?

મોટાભાગના નેતાઓ એવા મતના હતા કે જનતામાં જે લોક પ્રિય હોય તેનો નેતા હોવો જોઇએ. અને જનતા નરેન્દ્ર મોદીને પસંદ કરે છે તે જગ જાણીતી વાત છે. પણ કેટલાક નેતા નરેન્દ્ર મોદીમાં પોતાનું અહિત જોતા હતા કારણ કે અખબારી અફવાઓ પ્રમાણે નરેન્દ્ર મોદીએ કેશુભાઈ, સુરેશ મહેતા, દિલીપ પરિખ અને સંજય જોષી જેવાને રાજકીય રીતે ખતમ કરેલ. કેશુભાઈ વિષે તો ગુજરાતની જનતા જાણે છે કે તેમણે કેવા પરાક્રમો કરેલ. સુરેશ મહેતા, શંકર સિંહ, વિગેરેની અધિરાઈ અને પક્ષ પ્રત્યેની અનિષ્ઠા વિષે પણ જનતા જાણે છે. સંજય જોષી તો અખબારોએ  ઉપજાવેલી મહાન વિભૂતિ છે.

નેતાએ પક્ષને વફાદાર રહેવું જોઇએ અને પોતાના પક્ષના હોદ્દેદારની જાહેરમાં ટીકા ન કરવી જોઇએ. સત્તા માટે ધિરજ ધરવી જોઇએ. સત્તાવગર ઘાંઘાં થવું ન જોઇએ. મોદીએ કોઈને કાપ્યા નથી. પણ અખબારોએ પોતાના પત્રકારત્વના (પીળા) રંગને અનુરુપ આ વાત ચગાવી અને ચાલુ રાખી.     

હવે મોદીએ શું કર્યું અને કેવી રીતે ક્યારે કર્યું તે કશું ક્યારેય આ અખબારી ઉંદરો કાતરી શક્યા નથી. પણ એક અફવા વહેતી મુકી દેવી અને તેને અવાર નવાર કીધા કરવી એટલે તે સત્ય બની જશે.

મીડીયાની માનસિકતાઃ

મીડીયાની માનસિકતા ઉપર નહેરુવીયન કોંગ્રેસ સંસ્કારનો લગભગ ન ભૂંસી શકાય તેવો લાગે એવો પ્રભાવ છે. નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર એવા રહ્યા છે કે નંબર વન સત્તાકેન્દ્ર નહેરુવંશનો જ હોવો જોઇએ. આટલું સ્વિકારો તો જ તમે નહેરુવીયન કોંગ્રેસમાં રહી શકો. આવું જેમણે ન માન્યું તેઓ ને બદનામ કરવાના કવતરાં રચાયા અને દૂર કરાયા. એટલે જ્યારે નહેરુવીયન કોંગ્રેસની વાત કરીએ ત્યારે વિરોધી સૂર સંભળાતા નથી. પહેલા વડાપ્રધાનો પણ નહેરુવંશના આવતા અને તેઓને નંબર વન નો દરજ્જો મળતો. તે પછી વડાપ્રધાનનો દરજ્જો બીજો થઈ ગયો. હવે ત્રીજો થઈ ગયો છે. જેઓ હોદ્દેદારો છે તેઓ એવા છે કે તેમને બ્લેકમેલ કરી શકાય અને જનતામાં તેમના મૂળ નથી.

મીડીયાની એક વિશેષતા એ છે કે પાયાની વાતની ચર્ચા કરવી જ નહીં. જેમકે પ્લાનીંગ કમીશન જેના પ્રમુખ વડાપ્રધાન પોતે છે. તો પછી નેશનલ એડવાઈઝરી બોર્ડની રચના (કે જેના પ્રમુખ સોનીયા ગાંધી છે) શા માટે કરવામાં આવી? આ સવાલ પૂછાયો છે. નહેરુવંશનો કોઈ ફરજંદ આ પ્રશ્નનો ઉત્તર આપે તેવી અપેક્ષા રાખવી એ મીડીયાના સંસ્કારમાં નથી. પણ નહેરુવીયન કોંગ્રેસ ની સરકારના કોઈ હોદ્દેદારને આ પ્રશ્ન પૂછી શકાય તે પણ મીડીયા મૂર્ધન્યોના સંસ્કાર નથી. આવી તો અનેક વાતો છે.

ટૂંકમાં એમ કહી શકાય કે લોકશાહીમાં અનેક સૂર હોઈ શકે અને પછી જ ચર્ચા વિચારણાના અંતે પરિણામી એક સૂર નીકળે અથવા તો બહુમતિનો સૂર માન્ય થાય છે, આ વાત મીડીયા મૂર્ધન્યોના ગળે ઉતરતી નથી. આના ઘણા કારણો હોઈ શકે. અને સુજ્ઞ જનતા આ બધાં કારણો જાણે છે. અમેરિકામાં પણ ઓબામાને પોતાના પક્ષમાંના પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડ્યો હતો. પણ તેનો અર્થ “મહાભારત” એવો કરવામાં આવ્યો ન હતો. કારણ કે ત્યાં આ પ્રક્રીયા ને લોકશાહી પ્રણાલીનો એક ભાગ સમજવામાં આવે છે.

રાજનાથ સિંઘે શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અને તેમના સાથી પક્ષો જેઓ સંસ્કારમાં નહેરુવીયન કોંગ્રેસ ની કાર્બન કોપી જેવા છે તેઓ લોકશાહી નું હાર્દ ન સમજી શકે તે વાત સમજી શકાય છે. પણ ભારતીય મીડીયાના મૂર્ધન્યો પણ લોકશાહીનું હાર્દ સમજી ન શકે તે દુઃખદ, લોકશાહીમાટે ઘાતક અને દેશ માટે હાની કારક છે.

પક્ષના બંધારણમાં કે દેશના બંધારણમાં જે કંઈ લખ્યું હોય તેને જ પવિત્ર માની શકાય એવું નથી હોતું. જનતા સર્વોપરી છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. બંધારણ નહીં. જ્યાં જનતાનો અવાજ સંભળાય અને જનતાના અવાજનો આદર થાય તે લોકશાહીનું હાર્દ છે.

બીજેપી મોવડી મંડળ પાસે બે પસંદગી હતી. જેઓ મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ગણતા હતા તેઓની વાતને માન્ય રાખવી કે અડવાણીને વધુ એક વખત વડાપ્રધાન પદ માટે નંબર વન ગણવા. બંને જુથો લગભગ ૫૦ટકા પ્રમાણમાં વહેંચાઈ ગયેલ. ચર્ચા દરમ્યાન કેટલાક સભ્યોને મોદીનું મહત્વ સમજાયું. અને તેઓ મોદીની તરફેણમાં આવી ગયા. જે કારણસર મોદીની તરફમાં આવી ગયા તેનું પણ એક મહત્વનું કારણ હતું કે વિભીન્ન એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે થી એજ પ્રતિપાદિત થતું હતું કે જો મોદી પ્રચારની ધૂરા સંભાળે અને તે જ વડાપ્રધાન પદનો બીજેપી દ્વારા પ્રસ્તૂત ઉમેદવાર હોય તો વધુ લોકસભાની બેઠકો આવે. સાથી પક્ષોમાં પણ એવા પ્રચ્છન્ન નેતાઓ છે (જેડીયુ સહિત) જેઓ મોદીને પસંદ કરે છે.

સર્વ સંમતિથી નિર્ણય લેવાયો. બે ત્રણ દિવસ લાગ્યા તેને મહાભારત ન કહેવાય. આ પ્રક્રીયાને એક લોકશાહી પ્રક્રીયા ગણવી જોઇએ.

જેઓ નહેરુવીયન કોંગ્રેસના વંશવાદના સંસ્કાર જે માનસિકતા જ્ઞાતિવાદી માનસિકતાથી પણ વધુ પછાત કક્ષાની છે તેઓને બીજેપીની ક્રીયાઓ પસંદ પડશે નહીં. તેઓ બીજેપીને વિભીન્ન મતો વાળી પાર્ટી, અને નરેન્દ્ર મોદીને ગંભીર આરોપોવાળા નેતા તરીકે ઉલ્લેખવાનું ચાલુ રાખશે. ૧૯૭૫માં ભારત દેશ ઉપર કટોકટી સ્થાપીને પોતાની સર્વ ક્ષેત્રીય નિસ્ફળતાનું પ્રદર્શન કરનાર અને તેને તાબે થનાર વ્યક્તિઓ, પક્ષો અને સંસ્થાઓ પાસેથી તમે લોકશાહીના આદરના સંસ્કારની અપેક્ષા ન રાખી શકો.    

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અડવાણીનું ભવિષ્ય શું?

બીજેપી સત્તામાં આવે એટલે તે શાહ કમીશનના રીપોર્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે. કોંગીના જે કોઈ સભ્યો સંડોવાયેલા હોય અને જીવિત હોય તેમની ધરપકડ કરીને જેલમાં મોકલે. પ્રણવ મુખર્જી પણ સંદોવાયેલા છે એટલે તેઓ પદચ્યૂત થાય. અને તેમને સ્થાને અડવાણીની નિમણુંક થાય.

ટેગ્ઝઃ નરેન્દ્ર, મોદી, કેશુભાઈ, શંકર સિંહ, સુરેશ મહેતા, સંજય જોષી, સુષ્મા સ્વરાજ, જશવંત સિંઘ, અડવાણી, અખબારી, ઉંદરો, સમાચાર માધ્યમો, મીડીયા, અફવા, પીળો, જનતા, પસંદ, નેતા, નહેરુવીયન, અશિષ્ટ, બુરાઈ, આરએસએસ, હિન્દુત્વ, નહેરુ, ઈન્દીરા, કટોકટી,

 

 

Read Full Post »

%d bloggers like this: