Feeds:
Posts
Comments

Posts Tagged ‘સરકારી અધિકારી’

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

કોણ તોડશે મિલીભગત?

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

સરકારી કાર્યાલયોમાં મોટે ભાગે ગાડી આગળ હોય અને પાછળ ઘોડો હોય છે. આનો અર્થ ફક્ત એટલો છે કે જે કામ પહેલાં કરવાનું હોય તે પહેલાં નહીં કરવાનું પણ જે કામ પહેલાં કરવાનું હોય તે કામ પહેલાં કરવાનું. અને જે કામ પહેલાં કરવાનું હોય તે થોડું ઘણું કરવાનું અને પછી હરિ હરિ. એટલે કે નહીં કરવાનું.

તમને આશ્ચર્ય લાગશે કે ૧૯૮૩ના ચોમાસામાં મુંબઈમાં ભારે વરસાદ પડેલો. હાઈ કોર્ટે દખલ કરેલી કે માસમાં ખાડાઓ પૂરી તો. કામ વીસ વર્ષ સુધી ચાલેલ. જેટલા રસ્તા સીમેંટ કાંકરેટના કર્યા તે ખાડા વગરના થયા. પણ આપણા કમીશ્નરો એવા ડાહ્યા કે ડાબી બાજુની  ફુટપાથ ના એન્ડથી જમણી બાજુની ફુટપાથના એન્ડ સુધી ને રસ્તો ગણ્યો. એટલે મુંબઈને ખાડા વગરનું કરવાની તેમની દાનત નહતી.

આમેય મુંબઈમાં વરસાદ તો ઘણો પડે છે. એટલે જો ક્યારેક દિવસમાં ઘણા કલાક જોરદાર  સતત વરસાદ પડે  તો રસ્તાઓ બંધ થઈ જાય અને રેલ્વે ટ્રેનો પણ બંધ થઈ જાય.

રસ્તાઓ શું કામ બંધ થઈ જાય?

રસ્તાઓ એટલા માટે બંધ થઈ જાય (એટલે કે ગોઠણ જેટલા પાણી ભરાઈ જાય) કારણ કે ગટરો બરાબર સાફ હોય એટલે પાણીને જવાની જગ્યા હોય.

ગટરો શા માટે બંધ થઈ જાય?

કારણ કે ગટરોમાં કચરો હોય.

ગટરોમાં કચરો શા માટે હોય?

કારણ કે રસ્તો સાફ કરવાવાળા અને કચરો ઉપાડવાવાળા ભીન્ન ભીન્ન હોય. રસ્તો સાફ કરવાવાળા/વાળી કચરાની ઢગલીઓ કરે અને કચરો ઊઠાવવા વાળા યોગ્ય સમયે (ફાવે ત્યારે) હાથ લારી લઈને આવે અને કચરો ઉઠાવે.

રસ્તો સાફ કરવાવાળી તો હિરોઈનો જેવી સ્ટાઈલીસ્ટ (અદાઓવાળી)  હોય. તેમની અદાઓથી રસ્તો સાફ કરે. ગટરની નજીકમાં નો કચરો તો જો ઢાંકણું ખુલ્લું હોય અને અથવા ગટર ખુલ્લી હોય તો ગટરમાં નાખે. જેટલી ઢગલીઓ ઓછી બને એટલું સારુંને? આપણા ભાઈઓને એટલી ઓછી ઢગલીઓ ઉપાડવી પડે. આપણા મ્યુનીસીપલ કમીશ્નરો આવી કર્મચારીઓની દગડાઈને કારણે, કચરો ભરેલી ગટરો સાફ કરવા માટે, વધારાના કરોડો રુપીયાની જોગવાઈ કરે છે. અને પોતાની પીઠ થાબડે છે. વધારાનો ખર્ચો તેમની સપ્લીમેન્ટરી ખાયકી થઈ. કોન્ટ્રાક્ટર વળી પાછો આમાંથી પણ પૈસા બનાવે. ગટરોની સફાઈ પણ્ ઢગલીસીસ્ટમ થી થાય છે. ઢગલીઓ કરવાનો સમય અને ઢગલીઓ ઉઠાવવા વચ્ચે નો સમય, કલાકો થી દિવસો સુધીનો હોઈ શકે.

પણ આમાં ઘોડો અને ગાડી ક્યાંથી આવ્યા?

ઉપરોક્ત અફલાતુન પ્રણાલી ફક્ત મુંબઈની વાત નથી. પ્રત્યેક મહાનગર, નગર, ગામ અને  ગામડાં,  બધાની આવી રીતરસમો છે.

રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહે એટલે નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી (અધિકારીઓ સહિત)ને ઘી કેળાં થઈ જાય છે. રસ્તો ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેમાં નબળો બન્યો હોય તો પણ સબળામાં ખપાવી શકાય.

ટેન્ડર ના સ્પેસીફીકેશન એટલા નબળાં અને ક્ષતિપૂર્ણ હોય કે ખાડાઓને અવકાશ રહે . રીસરફેસીંગનું ટેન્ડર પણ રસ્તાની સમગ્ર પહોળાઈને અનુલક્ષીને આવરે. કારણ કે આવું કરે તો કટકી ક્યાંથી મળે? ફુટપાથોને રસ્તાનો હિસ્સો ગણવો તે પણ કટકી માટે આવશ્યક છે. રસ્તાની કિનારીઓ ફુટપાથ સુધી અડાડવાની જરુર નથી. ફુટપાથ રસ્તાનો ભાગ હોવાથી તેને સમતલ કે પાકી કરવાની જરુર નથી. આવી અણઘડતા તો તમને જ્યાં પગ મુકો ત્યાં જોવા મળશે.

એવા અગણિત સ્પોટ હશે કે જ્યાં તમને ખબર પડે કે તમારે બીજા વાહન સવારોની અરાજકતા થી તમારા વાહન ને બચાવવું કે રસ્તાના ખાડાઓથી તમારા વાહનને બચાવવું!

વાહનવ્યવહારને સરકાર નિયંત્રિત કરે તે આવકાર્ય છે. વાહન ચાલકની અનિયંત્રિતતા બદલ તેનો દંડ કરે તે પણ આવકાર્ય છે. દંડ પ્રમાણ અતિ ભારે હોય તે પણ આવકાર્ય છે.

વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરે અને તમે એટલે કે સરકાર માઈબાપ તેનો દંડ વસુલ કરો પહેલાં તમે પોતે વાહનવ્યવહારના તમારે પોતાને પાળવાની જોગવાઈઓનો તો અમલ કરો. તમે કદાચ કહેશો કે અમે કરીએ છીએ પણ શું થાય સાલો વરસાદ બધું બગાડી નાખે છે. જો કે અમે હવે કૃતનિશ્ચયી છીએ અને અમે અઠવાડીયામાં બધું ઠીક કરી દઈશું.

તમારી આદતો જનતા સુપેરે જાણે છે.

જનતાને ખબર છે કે સરકાર % કામ કરશે. બાકીના ૯૫ટકા કામો તો વર્ષો સુધી અધિકારીઓને દેખાશે પણ નહીં. છાપામાં સમાચાર છપાવશે અમે આટલા હજાર ખાડા પૂર્યા. અમે જનજારુતિ માટે આટલા બોર્ડ લગાડ્યા …. આટલી માનવ સાંકળો કરી અને  કરાવડાવીઆટલી મેરેથોન દોડ કરી…. આટલા જનજાગૃતિના સંવાદો ગોઠવ્યા …. આટલી સોસાઈટીઓમાં જઈને લોકોને સમજાવ્યાહે જનતા, અમે તમારે માટે શું શું નથી કરતા …. !!!

હા ભાઈ કમીશ્નર, તમે બધું કરશો , સિવાય કે તમને જે માટે પગાર મળે તે કામ.

મ્યુનીસીપાલીટીનું બીજું નામ છેશહેર સુધરાઈ”. ગામને સાફ સુથરું રાખવામાં સફાઈ, સુધરાઈ, દબાણ હટાવ, ગેરકાયદેસર બાંધકામ થાય, લોકોની તંદુરસ્તી …. બધું આવી જાય.

ભાઈ કમીશ્નર (કમીશ્નર એટલે આખી નગરપાલિકા નો સ્ટાફ), તમારે બીજું કશું કરવાની જરુર નથી. તમે ફક્ત તમને જે માટે ના પગાર મળે છે તે કામ તેના નિયમો અનુસાર કરો તો તે પૂરતું છે.

સરકારી ટ્રાફિક કંટ્રોલની સીસ્ટમ કેવી છે?

શું તમે જે ૧૦૦ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોને ભંગ કર્યો છે તે સોએ સોને દંડિત કરી શકો છો? વાહન ચાલક ગમે ત્યાં હોય, તેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એટલે પકડાયો , એવી સીસ્ટમ તમે ઉત્પન્ન કરી છે? ના જી.

૧૦૦ ટકા અસરકારક સીસ્ટમ ઉભી કરવી અશક્ય છે?

ના જી, અશક્ય તો કશું નથી.

તમે દર અર્ધા કિલોમીટરે અને દરેક ચાર રસ્તે સીસીટીવી કેમેરા મુકી શકો છો? મુક્યા છે? ના જી.

જે વાહન ચલાવવાના નિયમ ભંગ કરે તે પકડાય અને પકડાય તેવી સીસ્ટમ બનાવી શકો છો? હાજી. પણ અમે જાણી જોઈને આવું કરતા નથી. કારણ કે અમારે સરકારી નોકરોને પૈસા ખાવા છે.

અમદાવાદમાં અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. વાહન ચાલકે  સીગ્નલનો ભંગ કર્યો કે તરત સીસ્ટમ દ્બારા આપોઆપ ઉત્પન્ન થયેલો મેમો, વાહન ચાલક્ને મેલ દ્વારા મોકલાઈ જાય. દંડ ભરવાની જવાબદારી વાહન ચાલકની છે. જો તેણે ૧૫ દિવસમાં વિરોધ પણ કર્યો અને પૈસા પણ ભર્યા તો બીજો પેનલ્ટીનો મેમો ઉત્પન્ન થશે.. અને થવો જોઇએ. જો આટલેથી પણ વાહન ચાલક સમજે તો એવી સીસ્ટમ ગોઠવી શકાય કે વાહન ચાલક જ્યારે તે વાહન લઈને રોડ ઉપર નિકળે તો ટ્રાફિક પોલીસના કન્ટ્રોલ રુમમાં એલાર્મ વાગે અને કન્ટ્રોલ રુમના ઓપરેટરને વાહનનું લોકેશન અને નંબરની જાણ કરે.

અમને પૈસા ખાવા દો” 

પણ આવું થયું. કારણ કે જે કંઈ પણ અધકચરી અને મર્આયાદિત ઑટોમેટિક સીસ્ટમ હતી તેને પણ સરકારી અધિકારીઓ નિસ્ફળ બનાવવા માગતા હતા. કારણ કે તેમની ડાબા હાથની કમાઈને ઘાટો પડતો હતો. અમુક વાહન ચાલકોએ પૈસા ભર્યા અને બાકીના વાહન ચાલકોએ પૈસા ભર્યા. ભર્યાનો આંકડો લાખો રુપીયામાં પહોંચી ગયો.

સરકારી અધિકારીઓએ કહ્યું કેવાહન ચાલકો પૈસા નથી ભરતા તો અમે શું કરીએ?” અધિકારીઓના અધિકારીઓને અને મંત્રીઓને વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ.

જૈસા થા વૈસા હી રખ્ખો (જૈસે થે વાદી હોના હમારી પ્રકૃતિ હૈ)”

પહેલાંની જેમ ,  ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દંડ વસુલ કરે એવું ઠેરવ્યું. સાલા વાહન ચાલકો મેલ દ્વારા મોકલેલ મેમો ની કદર નથી કરતા. અમે શું કરીએ? અમે તે કંઈ મરીએ?

ધારો કે,

ધારો કે કોઈ એક ટ્રાફિક પોલીસે એક વાહન ચાલક કે જેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો તેનો મેમો ફાડ્યો. અને તે વાહન ચાલકે તે પૈસા આપવાની ના પાડી. તો તે ટ્રાફિક પોલીસ શું કરશે? તે ટ્રાફિક પોલીસ તે વાહન ચાલકનું વાહન જપ્ત કરશે. અને કહેશે કે તમે પહેલા પૈસા ભરો પછી તમને તમારું જપ્ત કરેલું  વાહન પરત મળશે.

મેમોના કેસમાં પણ આવું થઈ શકે.

સરકારી માણસ (ટ્રાફિક પોલીસકહેશે કે આવા તો લાખો મેમો ફાટ્યા છે. અમે ક્યાં લાખો ઘરો માં જઈએ. અમારી પાસે એટલો સ્ટાફ ક્યાં છે!!!

અરે ભાઈ, મેમોની લાખોની સંખ્યા તો તમારી લાંબા સમયની નિસ્ક્રીયતાને કારણે થઈ. તમે જો બે પાંચના વાહન ચાલકોને ઘરે જઈને વાહનો જપ્ત કર્યા હોત તો બાકીના અચૂક દંડની રકમ ભરી જાત. પણ ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓને આવું કશું કરવું નથી. એટલે તો અરાજકતા વધતીને વધતી જાય છે.

અમારો વટ પડવો જોઇએ ને !!” સરકાર ઉવાચ.

ટ્રાફિક પોલીસ ગુન્હાસ્થળે પૈસા વસુલ કરે તો તેનો વટ પડે. ટ્રાફિક પોલીસને દંડ કરવાની તો ઠીક, પણ દંડ કરવાની પણ સત્તા મળી જાય છે.

ઘમંડી કે માલેતુજાર વાહન ચાલકોનો પણ વટ પડે. “મને તું ઓળખતો નથી? હું કોણ છું ખબર છે? મને કાયદો અડતો નથી. તને ખબર નથી?” 

ટ્રાફિક પોલિસના સાહેબોને પણ નિરાંત. તેઓ ટ્રાફિક પોલીસ ને કહેશે કે તારે આટલા કેસો લાવવાના, આટલા લખવાના અને આટલા અમને રોકડા આપવાના. તારો ટાર્જેટ. જલસા કર બેટા. તારું પણ ભલું અને મારું પણ ભલું અને આપણા સાહેબોનું પણ ભલું.

સ્થાનિક સરકારની ટ્રાફિકના નિયંત્રણ માટે શું ફરજ છે.

સૌ પ્રથમ તો માર્ગને લગતી વ્યાખ્યાઓ બદલોઃ

() રસ્તો એટલે ફુટપાથ સહિતનો રસ્તો. નાનામાં નાની ફુટપાથ પણ પહોળાઈમાં દોઢ મીટરથી નાની હોવી જોઇએ. આટલી  જગ્યા વ્હીલચેર માટે જરુરી છે. ભલે કમીશ્નરના ભેજાની બહારની વસ્તુ હોય.

() મકાન એટલે રહેણાક કે દુકાન, કે સંકુલ કે જેની રોડ સાઈડ તરફ નિયમ અનુસાર પાંચ મીટર ખુલ્લી, પાકી અને ક્લીયર જગા હોય.

() મકાનના નામ, દુકાનના નામ, સંકુલના નામના સાઈન બોર્ડ ની સાઈઝ અને સ્થાન સુનિશ્ચિત કરો. સંકુલ ના નિયમો બનાવો. દરેક સંકુલમાં અને ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં વોશરુમના નિયમો અને  સાઈન બોર્ડ બનાવોમકાનની બહાર પાર્કીંગના બોર્ડ બનાવો જેથી પાર્કીંગ શોધવું પડે.

() દુકાનો કરવાના નિયમો કડક કરો. દુકાન જેટલા ચોરસ ફુટ ની હોય તેના પ્રતિ સો ચોરસફુટના હિસાબે પાંચ વાહન પાર્કીંગની જગ્યા હોય તો તેને દુકાન કરવાની પરમીશન આપોપાર્કીંગની જગ્યા હોવી તે દુકાનદાર માટે આવશ્યક ગણાવવું જોઇએ. વાસ્તવમાં તો કોમર્સીઅલ કોંપ્લેક્સને મંજુરી આપવી જોઇએ. છૂટક દુકાનોને મંજુરી આપવી જોઇએ. મકાનના અમુક માળ પાર્કીંગ માટે હોવા જોઇએ. પાર્કીંગની દીશા બતાવતા સાઈન બોર્ડ હોવા જોઇએ અને સરળતાથી ધ્યાનમાં આવે  એમ રાખવા જોઇએ. રસ્તા ઉપર એક પણ વાહન  કે લારી ગલ્લો કે પાથરણાવાળો હોવો જોઇએ. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથ પણ આવી જાય.

પાર્કીંગની જગ્યા પાકી, અને પાકી  માર્કીંગ લાઈનો વાળી હોવી જોઇએ. રસ્તા ઉપર પાર્કીંગના દિશાસૂચક બોર્ડ હોવા જોઇએ.

() સ્પીડ લીમીટના સાઈન બોર્ડ ઓછામાં ઓછા એક કિલોમીટરે અને દરેક વળાંકે હોવા જોઇએ, પછી રોડ, હાઈવે હોય કે શહેરી રોડ હોય કે ગલીનો રોડ હોય.

() રોડ ઉપર ઝીબ્રા ક્રોસીંગ, સ્ટોપ લાઈન અને લેન માર્કીંગ પાકા હોવા જોઇએ.            

() રોડ ડીવાઈડર એક લેન જેટલાં પહોળાં હોય અને તેના ઉપર ઓછામાં ઓછાં ચાર ફુટ ઉંચા ફુલના છોડ  હોવા જોઇએ. જ્યાં રોડ ડીવાઈડરની જગ્યા એક લેન જેટલી પહોળાઈ રાખવી શક્ય હોય ત્યાં ચાર ફૂટ ઉંચી દિવાલ હોવી જોઇએ.

() આવનારા રોડ અને જગ્યાના નામોના ડીસ્પ્લે બોર્ડ સમાન રીતે અને સુનિશ્ચિત સમાન કદના હોવા જોઇએ. તેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા જોઇએ.

(૧૦) રસ્તા ઉપર વળાંક, રોડ બાઈફર્કેશન, રોડ સીમા, યલો લાઈન, ઓવરટેક બંધીછૂટ્ટીજેવા સાઈન બોર્ડ અને માર્કીંગ અચૂક રાખવા જોઇએ

ટ્રાફિક નિયમોના ભંગ

() બે પૈડા વાળા વાહન ચાલકે અને સાથે બેઠેલાએ  હેલમેટ પહેરવી, અને ચાર પૈડા કે તેથી વધુ પૈડા વાળા વાહન ચાલકે અને પાસે બેઠેલાએ સીટબેલ્ટ બાંધવો.

() મોબાઈલ કાને લગાડવો.

() માન્ય કરતાં વધુ સવારી બેસાડવી,

() અવારનવાર લેન બદલવી,

() સ્પીડ લીમીટનો ભંગ કરવો, અને અથવા વાહન ઉપર સ્ટંટ કરવા

() ખાસ પ્રયોજન વગર, લેનની મધ્યમાં વાહન ચલાવવુ.

() લેનમાં બીજા વાહનને તેની ડાબી બાજુથી ઓવરટેક કરવું

() આગળના વાહન સાથે કે જમણી બાજુના વાહન સાથે ભટકાઈ જવું,

() ખોટી લેનમાં આવી જવું. અને ટ્રાફિકને અડચણ રુપ થવું. દા.. ડાબી બાજુની છેલ્લી લેન ડાબી બાજુના રસ્તે જવા માટે હોય છે. બાઈક અને ગાડીવાળાને સીધા જવું હોય તો પણ જગ્યા રોકી લે છે અને રસ્તો બ્લોક કરી દે છે.

(૧૦) સીગ્નલનો ભંગ કરવો,

(૧૧) ટ્રાફિક સીગ્નલ પાસે, સ્ટોપ માર્કીંગ લાઈનથી આગળ નિકળી જવું

(૧૨ખોટા અવાજવાળા હોર્ન રાખવાં. કેટલાક લોકો બાઈકમાં કારના અવાજવાળા હોર્ન રાખે છે.

(૧૩) આગળના વાહન ચાલકની મજબુરી જાણ્યા વગર હોર્ન વગાડ્યા કરવું.

(૧૪) જ્યાં ટ્રાફિક સીગ્નલ હોય ત્યાં ઝીબ્રાક્રોસીંગ આગળ વાહન રોક્યા વગર અને આજુબાજુ જોયા વગર વાહનને આગળ લઈ જવું,

(૧૫)આગળની બેઠકવાળાઓએ સીટ બેલ્ટ બાંધવો.

(૧૬) એમ્બ્યુલન્સને કે એવા વાહનોને જગા આપવી

(૧૭) ગાડીને પાર્કીંગ પ્લેસની સેન્ટર લાઈન પર પાર્ક કરવી

(૧૮) સીગ્નલ આપવું

 (૧૯) રાત્રે શહેરની અંદર વાહન ચાલકે ફુલલાઈટ અને લોંગ લાઈટ રાખવી,

(૨૦) ફેન્સી નંબર પ્લેટ રાખવી,

(૨૧) સ્ટાન્ડર્ડ નંબર પ્લેટને, ઢાંકવી અને અથવા  ડેમેજ્ડ  કંડીશનમાં રાખવી,

(૨૨) પોતાનું વાહન ગંદુ રાખવું અને પીયુસી ચેક કરાવવું.

(૨૩) વાહનમાં ફર્સ્ટ એઈડના સાધનો રાખવા,

(૨૪) સ્પેર વ્હીલ રાખવું.

(૨૫) ગાડીને ગોબાવાળી અથવા ભાંગી તૂટી રાખવી

હમણાં હમણાં આરટીઓમાં ભીડ શું કામ થાય છે?

અરે ભાઈ કહેવાની જરુર નથી. લાઈસન્સ વગર, વીમા વગર અને પીયુસી વગર ઘણું બધું ચાલતું હતું. જાહેર માર્ગની જમીન ઉપર ઠાઠથી રેસ્ટોરાંઓનો ખાણી પીણીનો ચાલતા ધંધાઓ પણ કમીશ્નરને દેખાતો હોય તો બીજું તો એમને શું દેખાય?

જો સરકારી નોકરો જવાબદાર બનશે તો તેઓ જનતાને સુસંસ્કૃત કરી શકશે. જનતાનો મોટો વર્ગ માને છે કે કાયદાનો ભંગ કરનારાઓને તમે જેલ ની સજા કરો તો પણ ચાલશે.

શિરીષ મોહનલાલ દવે

 

Read Full Post »

%d bloggers like this: