Feeds:
Posts
Comments

Posts Tagged ‘સાયણાચાર્ય’

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

ભારતરત્ન

શું આ સળગતી સમસ્યા છે?

“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.

“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.

પણ આપણને શો ફેર પડે?

“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્‌.

“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.

“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.

 “ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?

જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.

પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?

ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.

આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.

બારીઓ વિષે શું છે?

બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા

ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,

બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.

બારીઓમાંથી માહિતિઓ આવે છે.

દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.

હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!

કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.

આ એક ફરેબી વાત છે.

દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.

“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.

ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.

તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)

પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.

વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્‌” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.

આ એક સુક્ષ્મ ભેદ હતો.

આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.

દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.

ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને  સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?

ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.

અંગ્રેજોના બે ધ્યેય હતા.

(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.

આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.

ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.

ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.

ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.

અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.

ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.

ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી

પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.

આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.

આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).

ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.

પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.

કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે  થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ  સમાજનું ચારિત્ર્ય ઘડે છે.

ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.

રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.

લોકશાહીને કોણે જીવતી રાખી?

ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.

લોકશાહીની વ્યાખ્યા શી?

પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?

આનો સીધો અર્થ બહુમતિ જ થાય.

આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.

પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી

“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”

પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.       

એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.

પણ સાક્ષર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.

તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?

આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.

નિડર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ

“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.

કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.

૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.

પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.

નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?

નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …

સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.

તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …

પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ

ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ

 ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?

બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.

તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.

બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.

નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.   

નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે  કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.

અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.

નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.

જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.

રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.

નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.

મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.

ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.

બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.

અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.

હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.

 પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો. 

સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

https://www.treenetram.wordpress.com

 

Read Full Post »

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ …. (૨)

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ ….  ()

આપણે આગળ જોયું કે બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને, સતત શિષ્યોની ભરતી માટે પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

વાખ્યા બરાબર છે અને આપણે માન્ય રાખીએ છીએ.

એટલે આમ તો આદિ બાવાજી પ્રોટોટાઈપ શિવજી એટલે કે રુદ્ર, અગ્નિ એટલે કે વિશ્વદેવ પોતે છે. પણ એમની મશ્કરી થાય. એટલે મધુચ્છંદા ઋષિ કે ભૃગુ ઋષિ કહીએ કે સપ્તર્ષિઓને બાવાજી કહીએ તો ચાલે. તે પછી દત્તાત્રેય થયા. બધાની પણ મશ્કરી થાય.

તો પછી શરુઆત ક્યાંથી કરીશું?

જે કાળને પાશ્ચાત્ય લોકો ભારતમાં ઐતિહાસિક કાળની શરુઆત માને છે તે મહાવીર સ્વામીથી શરુઆત થઈ શકે.

મહાવીર સ્વામી પહેલા ગુરુ થયા. પછી બુદ્ધ ગુરુ થયા. શંકરાચાર્ય થયા. મધ્ય યુગમાં માધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, જ્ઞાનેશ્વર જેવા વૈષ્ણવાચાર્ય અને સાયણાચાર્ય શૈવાચાર્ય ઉત્તરના અને દક્ષિણના અનુક્રમે વેદજ્ઞાતાઓ થયા.

આપણે અર્વાચીન યુગથી શરુઆત કરીએ. તો બાવાજીઓમાં, સહ્જાનંદ સ્વામી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, વિવેકાનંદ, શ્રી મોટા, સાંઈબાબા થયા જેઓ ઓગણીશમી સદીના પૂર્વાર્ધથી શરુ કરી વીસમી સદીના પૂર્વાર્ધ સુધીમાં થયા. બધા બાવાજીઓ આમ તો નિરુપદ્રવી હતા. બીજા બાવાઓ ઉપદ્રવ કરતા પણ બાવાજીઓ ઉપદ્રવ કરતા હતા. કેટલાક બાવાઓ અભણ હતા તો કેટલાક વેદોમાં પારંગત હતા.

પણ ખરા બાવાઓ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા એટલે કે ૧૯૫૧થી થયા અને ખાસ કરીને ઈન્દીરા યુગથી તો બાવાજીઓના દબદબાના યુગનો સુવર્ણકાળ શરુ થયો.

તમે કહેશો કે, શું પ્રાચીન ભારતમાં જે સતયુગ કે જે ઋષિયુગ કહેવાતો હતો તેમાં બાવાઓનો દબદબો હતો? અરે ભાઈ યુગને પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરી મળી નથી. એટલે તેને તો દંતકથા યુગ માની લેવાનો. સ્વતંત્રતા મળ્યા પછી જે બાવાઓ ઉદ્ભવ્યા તેમને વિષે આપણે કાયદેસર રીતે પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરીની જરુર રહી નથી.

ધીરેન્દ્ર બ્રહ્મચારી, મહેશ યોગી, દાદા લેખરાજ કૃપલાની (પ્રજા પિતા બ્રહ્માકુમારીઝ), આનંદમયી મા, આચાર્યભગવાનઓશોસંતરજનીશમલ, સત્ય સાઈબાબા, ઓશો આસારામ, આઠવલેજીનિર્મલબાબા, રાધેમા, શ્રી શ્રી શ્રી રવિશંકર, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, રામરહિમ અને બીજા અગણિતબાવાઓવિચરી રહ્યા હતા/છે. બધા બાવાઓમાં કેટલાક પાસે શિષ્યધન (શિષ્યોરુપી ધન અને શિષ્યો થકી ધન) ફાટ ફાટ થતું હતું અથવા અને ફાટ ફાટ  થાય છે.

બધા મોડર્ન બાવાઓ છે. તેમની પૂર્વેના બાવાઓને કદાચ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય કે પણ થયો હોય. પણ સહુ મોડર્ન બાવાઓને તો થયો છે. જો કે આમાંના કેટલાક બાવાઓ જેલના સળીયા ગણી રહ્યા છે કે જેલના સળીયા ગણવાની તૈયારીમાં છે કે ઈશ્વરે/કે સેતાને  તેમને વહેલા પોતાની પાસે બોલાવી લીધા એટલે જેલના સળીયા ગણવામાંથી બચી ગયા છે.

પણ તેથી શું?

શ્રી કૃષ્ણ જેવા યોગેશ્વરે પણ જન્મતાંની સાથે જેલના સળીયા ગણવા માંડેલા. તેમના પિતાશ્રી તેમને પોતાના મિત્ર નંદ પાસે મૂકી આવ્યા એટલે બાકીના સળીયા ગણવાનું બાકી રહી ગયેલ.

મોડર્ન બાવા એટલે શું?

મોડર્ન બાવાજી એટલે કે, એવા બાવાજી કે જેમને અંગ્રેજી પણ આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેમને અંગ્રેજી આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેઓ સરકારી અમલદારો (કારણ કોઈ પણ હોઈ શકે છે) હોય અથવા અને, ડૉક્ટરો વકીલો, રાજકારણીઓ હોય. હાજી આવી પરંપરા નહેરુવીયન ફરજંદ ઈન્દિરા ગાંધીએ ચાલુ કરેલી જેમના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીજી હતા.

આ બધા બાવાજીઓ, યોગ, ધ્યાન કે સમાધી કે બ્રહ્મ સાધનામાં કાં તો સિદ્ધ છે કે પ્રયત્નશીલ છે. જીવનના રહસ્યોના જાણકાર છે. તેઓ સૌ તેમના શિષ્યોને કોઈપણ જાતની મદદ કરવા સક્ષમ છે.

બાવાજીઓએ શું શું ધ્યાનમાં રાખવાનું હોય છે? અહીં ધ્યાનનો અર્થ છે લક્ષ. એટલે કે ખ્યાલ રાખવાનો હોય છે કે “આપણું લક્ષ્ય જનતાને (ખાસ કરીને પૈસાપાત્ર જનતાને)  લક્ષ્યવેધ બનાવવાનું છે.

Untitled

તો આ માટે શું અનિવાર્ય છે.

એક તો કૃષ્ણ ભગવાન છે. આ ભગવાન ઑલ ઈન વન છે. બાલકૃષ્ણથી શરુ કરી, રોમેંટીક રાધારમણ થઈ, ઈવટીઝર થઈ, કંસને મારનાર યોદ્ધા થઈ, દ્વારિકેશ થઈ, ગીતાના યોગેશ્વર અને વિશ્વરુપ પરમ પરમેશ્વર છે. તમને જે પસંદ પડે તે રુપને તમે અપનાવી લો. અને પછી તમારા રુપમાં એવી ભેળસેળ કરી દો કે જેથી તમારું શિષ્યગણ (શિષ્યાઓ સહિત) તમારામાં ખોવાઈ જાય.

તમે સમજી લો કે આવું કરનારા તમે પહેલા નથી. પુરાણકાળથી ચાલી આવતી પરંપરા છે. કમસે કમ ઇશ્વીસન પૂર્વે ૮૦૦ થી  શરુ કરી ઇશુની પંદરમી/સોળમી સદીથી વત્તે ઓછે અંશે ચાલી આવતી પરંપરા છે. કૃષ્ણ ભગવાન એક આમ આદમી થી શરુ કરી પરમેશ્વર સુધીના સૌને પોતાનામાં આત્મસાત્‌ કરે છે. જ્ઞાનની વાત કરવી હોય તો તેમના ગીતાબેનની વાતો કરો, અને પ્રેમની વાત કરવી હોય તો રાધાબેનની વાતો કરો. તમારામાં વાકચાતુર્ય હોવું જોઇએ એટલે કે તમારા શ્રોતાઓને તમે હતઃપ્રભ કરી શકો.

બીજું કંઈ?

કૃષ્ણભગવાન પૂરતા નથી. વાણીયાઓમાં જૈન પણ હોય છે. એટલે ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, પ્રેમ, અહિંસાની જ્યારે જ્યારે વાતો કરો ત્યારે અચૂક મહાવીર સ્વામીને યાદ કરો અને શ્રોતાગણને તેમની યાદ દેવડાવો. તેમની માતા              ને આવેલા         સ્વપ્નોના ગુઢાર્થોનું તમારી વાક્‌શક્તિ અનુસાર અર્થઘટન કરો અને તારતમ્યો કાઢો.

બીજું કંઈ?

જો તમારે આંતર્‌રાષ્ટ્રીય બાવા બનવું હોય તો બુદ્ધ ભગવાનને પણ ઉદ્‌ધૃત કરતા રહેવું જોઇએ.

કામભોગમાં રાચવું એ એક છેડો છે. દેહદમન કરવું તે બીજો છેડો છે. મધ્ય-માર્ગ યોગ્ય માર્ગ છે.

થોડા ઝેનના ચમત્કૃત વાક્યો બોલો.

વૃત્તિઓનું વિશ્લેષણ કરો, તેનું વિભાગીકરણ કરો.

વચ્ચે વચ્ચે ટૂચકાઓ મૂકો.

“ગુરુજી, આ વર્ષે મેં જીવનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

 “ભો … શિષ્ય તેં શું  શું કર્યું ?

“ગુરુજી મેં સમૂદ્રમાં ડૂબકીઓ મારી, જંગલમાં ફર્યો, રણમાં ફર્યો, પર્વત ઉપર કૂદકા માર્યા …,

“ભો ભો શિષ્ય … એ બધું ખરું પણ આ બધું કરતાં તે જીવનનો આનંદ ક્યારે ઉઠાવ્યો .. ?

   ————————————- શિષ્યભાઈ મૌન ———————————

એક સાધુની ઝૂંપડીમાં ચોર ઘુસ્યો. કશું મળ્યું નહીં. સાધુને થયું … આ તો ઠીક નહીં …. સાધુએ પોતાના કપડા ઉતારી ચોરને આપી દીધા. સાધુ નગ્ન થઈને બેઠા. રાત હતી. નગ્ન સાધુએ આકાશમાં જોયું. ચંદ્ર દેખાયો. સાધુને થયું કે “ … કાશ … હું તેને ચંદ્ર આપી શક્યો હોત!”

 ——————-(શ્રોતાઓ મૌન, ચંદ્ર મૌન, કથાકાર બાવાજી મલક્યા) ——————————–

  એક વ્યક્તિ સામાન્ય હતી. તે સામાન્ય વ્યક્તિ પ્રયત્ન પૂર્વક મહાનુભાવ થઈ ગઈ. તે ગુરુ પાસે ગઈ. ગુરુએ પૂછ્યું …. “તું શું કામ મારી પાસે આવી છે?” વ્યક્તિએ કહ્યું કે “ મારે હવે સામાન્ય વ્યક્તિ થઈ જવું છે …”

  —————————- (આપણે કહીશું … “ગુરુજી મૌન” ?) ——————————–

ગાંધીજી પાસે એક વ્યક્તિ ગઈ …. તેણે કહ્યું “હું આટલું આટલું ભણેલો છું …. મારે આશ્રમમાં રહેવું છે. … મને કંઈક કામ આપો…”

ગાંધીજી એ કહ્યું … “ પેલું ઝાડું લઈ લો અને પાછળના વાડાની સફાઈ કરી નાખો… “

   ————————————— (કોણ મૌન ?) ———————————————-

“ગુરુજી કંઈક શિખામણ આપો …”

“હે જીજ્ઞાસુ !! તેં ખીચડી ખાધી ?

“જી, ગુરુજી … મેં ખીચડી ખાધી …!!!”

“તો હે જાતક , તું તે પ્લેટને ધોઈ નાખ …”

  ——————————— (સાધક જાતકને બોધ પ્રાપ્તિ થઈ ગઈ) ——————–

બેકાબુ બનેલા ઘોડા ઉપર બેઠેલા અસવારને કોઈએ પૂછ્યું … “ભાઈ …. ક્યાં જાઓ છે …?”

ઘોડેસવારે કહ્યું “ …. મને નહીં … ઘોડાને પૂછો” ….

ટ્રેનમાં સંતા સરદારજી ને ટ્રેનમાં ઉપલી બર્થ મળી …  બંતા સરદારજીને નીચેની બર્થ મળી. સંતાજીએ બંતાજીને પૂછ્યું … “કહાં જા રહે હો સરદારજી …?”

સંતાજીએ કહ્યું … “મૈં તો અમૃતસર જા રહા હું… આપ … !”

બંતાજી એ કહ્યું …”મૈં તો દિલ્લી જા રહા હું … “

સંતાજી બોલ્યા .. “સાયન્સકી ક્યા કમાલ હૈ !!! ઉપરકી બર્થ અમૃતસર જા રહી હૈ … ઔર નીચેકી બર્થ દિલ્લી જા રહી હૈ …”

 ————— (ખીડકીકે પાસ બૈઠે મોનાજી બોલે … “એન્જીનકો પૂછના પડેગા”) ———

શિષ્ય ગુરુપાસે ગયો. કહ્યું … “ગુરુજી …, મારી બાર વર્ષની અથાક મહેનત પછી મને યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે હવે હું પાણી પર ચાલી શકું છું … હવે હું પેલી નદીના પાણી ઉપર ચાલીને સામે પાર જઈ શકું છું. … મારી આ યોગસિદ્ધિનું મૂલ્ય શું? ”

ગુરુએ કહ્યું “ તારી યોગસિદ્ધિનું મૂલ્ય “બે આના”…. પેલા હોડીવાળાને બે આના આપીને નદી પાર કરી શકાય છે. …” 

  ————————————– (પ્રશ્નકર્તા મૌન) ————————————

 ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી.  એક વેશ્યા એક યુવકના ઘરસામે ઉપવાસ કરવા બેઠી. મને પરણ ને પરણ જ. નહીં તો હું અહીં ઉપવાસ કરીને પ્રાણ ત્યાગીશ.

સાચી અહિંસા તો પેલા પાદરીની હતી કે જેણે દૂર રહ્યે રહ્યે પોતાની સાધનાથી એક માણસનું હૃદય પરિવર્તન કર્યું ….

  ————————— (જંગલમેં મોર નાચા કિસીને ના દેખા) ————————-

પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ આસન કયું?

દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે. કારણ કે તેમાં ગાયને દોહતી વખતે આંચળ ઉપર હાથ હોય છે. પગના બે સાથળ વચ્ચે બોઘરણું હોય છે. અને બધો ભાર બે પગના બે અંગુઠા ઉપર હોય છે. ધરતીમાતા ઉપર બે અંગુઠા જ હોય છે. એટલે ધરતીમાતા ઉપર ઓછામાં ઓછો ભાર હોય છે. તેથી આ દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે.

 ———– (એક દયાળુ કઠિયારાએ લાકડાની ભારી પોતાના માથે રાખી અને પછી ગધેડા ઉપર બેઠો જેથી લાકડાની ભારીનું વજન ગધુભાઈને ન લાગે) ———————————————–

“ અરે વાહ શું સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ હતા …

“પણ તેં શું ચાર દિવસના ઉપવાસ કરીને રોટલો અને મરચાના સ્વાદને માણ્યો છે?

   ——————————————————————————————–

“ બૂલેટ ટ્રેનમાં શું મજા આવી … શું મજા આવી …

“પણ તેં શું ગોધરાથી લુણાવાડાની નેરોગેજ ટ્રેનમાં ચાલતી ગાડીએ ઉતરી જંગલમાં પડતા પહેલા વરસાદની સુગંધ માણી છે?

    —————————————————————————————— 

“એ.સી. ફર્સ્ટ ક્લાસમાં જે મુસાફરીની મજા છે તે ક્યાંય નથી … 

“શું તેં ભાવનગર મહુવાની નેરોગેજ ટ્રેનમાં એંજીનમાં ઉભા રહી મુસાફરીની મજા માણી છે?

    ——————————————————————————————–

ઉપરોક્ત ચૂટકલાઓમાં સોડા, રાસ્પબરી અને લેમન મિક્સ છે. જેને જે અર્થ ઘટન કરવું હોય તે કરે અને જે બોધ લેવો હોય તે લે.

જો તમારે બાવા થવું હોય તો આવું આવું બોલ્યા કરવું.

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો ભાસ થાય છે કે તેને હવે બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. બુદ્ધ ભગવાનને પણ આવું જ થયું હતું. હવે શિષ્યોની જરુર છે. કે જેથી તે પોતાનું જ્ઞાન તેમની સાથે શેર કરી શકે. પણ કેટલીક વ્યક્તિઓમાં બ્રહ્મજ્ઞાન ફાટફાટ થતું હોય છે. વળી કેટલાકને “પીણા”ની ટેવ પડી ગઈ હોય છે. તેથી ગુરુપદ માટેની તીવ્ર-વૃત્તિ હોય છે. અમુક પીણા એવા હોય છે કે જે પીધા પછી અને પીવડાવ્યા પછી બંને ક્રીડાકર્તાઓને સંત-રજનીશમલના આસનમાં ( ‘ભોગાસન)માં બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય તેવું લાગે છે. અમુક રાધાઓ સંત રજનીશમલ કે ઓશો-આસારામ પાછળ શું કામ ઘેલી થતી હતી તે ઉપર સંશોધન થવું જોઇએ તો ડ્રગ્ઝના ક્ષેત્રમાં બાવાઓના સંશોધન અને પ્રયોગો વિષે વધુ માહિતિ મળી શકે.

જો કે એક વાત સાચી છે કે જ્યારે મગજમાં લોહી અને ઓક્સીજનનું પ્રમાણ ઘટે ત્યારે “શૂન્યમનસ્કતા”નો ભાસ થાય છે. હિમાલયમાં ઉંચાઈ ઉપર આવો અનુભવ થતો હોય છે.

સંત રજનીશમલ કહે છે કે “વિવેકાનંદ મહાન હતા, … જ્ઞાની હતા … વિચારક હતા, …. ચિંતક હતા, … અભ્યાસી હતા, … મહેનતુ હતા, …. આકર્ષક હતા, ….  ઘણુ બધું હતા, … પણ … પણ … તેઓ સમાધિ અવસ્થામાં પહોંચી શક્યા ન હતા …  તેમણે પોતે જ આ વાત કબુલ કરી છે …. “

સંત રજનીશમલને પૂછવું પડશે … “બાવાજી તમે ‘યોયો’થી રમવાનો આનંદ લીધો છે? ગરીયો (ભમરડો) ફેરવવા કરતાં તે સહેલો છે”

   ——————————————————————-

 “અરે તમે રજનીશને છોડીને “ એક્સ એક્સ એક્સ”માં ક્યાં ગયા.

“મહાનુભાવ, તમે તો ભૂતમાં માનતા ન હતા અને પલિતમાં કેવીરીતે માનવા લાગ્ય?

   ———————————————————————–

“અરે ભાઈ, (અર્વાચીન) રામ રહીમ  કહો કે સંત કહો બધા  એક જ વહાણના મુસાફર છે.

મોરારજી દેસાઈએ કહેલ કે પોંડીચેરીના આશ્રમમાં પણ વ્યક્તિની પાત્રતા પ્રમાણે (આર્થિક દાન આપવાની ક્ષમતા પ્રમાણે) સુવિધા અને વ્યવહાર થાય છે.

રુપીયા તો રુપીયા છે. તે લાલ, કાળા કે શ્વેત હોતા નથી. ફક્ત તે પ્રાપ્ત કરવાના રસ્તા જ લાલ, કાળા અથવા શ્વેત હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઓગણવીસ સ્ત્રીઓ સ્નાનાર્થે સરયુ નદીએ ગઈ, વીસ પાછી આવી અને ઓગણને વાઘ ખાઈ ગયો.

Read Full Post »

%d bloggers like this: