Feeds:
Posts
Comments

Posts Tagged ‘સ્થાનિક સ્વરાજ’

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ રોકવાના ઉપાયો

આ લેખ અગાઉના લેખના અનુસંધાનમાં છે.

રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર અને રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ બંને અલગ અલગ છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર ડીસ્ટ્રીક્ટ કલેક્ટરની સીમામાં આવે છે.

હાલ આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની વાત કરીશું

કોઓપરેટીવ સંસ્થાઓ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની નીચે આવે છે. એટલે કે કો-ઓપરેટીવ સંસ્થાઓની કાર્યવાહી ઉપર આ રજીસ્ટ્રારે નીગરાની રાખવાની હોય છે.

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીઝ

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીના બધા રેકોર્ડઝ ઓન લાઈન હોવા જોઇએ. તમે તમારી ઓળખ આપીને જે તે સોસાઈટી વિષે માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો છો.

હાલમાં જ્યારે પ્રોપર્ટી ની લે વેચ થાય ત્યારે તલાટી, કોઓપરેટીવ સોસાઈટીની કે કોઈપણ જમીનના ખરીદનાર/વેચનારના હોદ્દાની ખરાઈની તપાસ કરતા નથી. તેમજ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ, સોસાઈટીના કારભાર ઉપર કોઈ નીગરાની રાખતા નથી. તેથી ગોલમાલ ચાલ્યા જ કરેછે.

જોકે સરકાર હવે ખરીદનાર કે વેચનાર પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજો થવા દેતી નથી.

સરકાર હવે ખરીદનાર અને વેચનારને જાતે હાજર રહેવાની ફરજ પાડે છે. તેમના “પાન કાર્ડ” અને ઇન્કમટેક્સ ક્લીઅરન્સ સર્ટીફીકેટ (?) માગે છે. પણ શ્રી દેશબંધુ ગુપ્તા ના કહેવા પ્રમાણે દેશના ૪૦ ટકા પાનકાર્ડ બોગસ છે. તેમના હિસાબે આધારકાર્ડ એક કૌભાન્ડ છે. આ ઉપરાંત આધારકાર્ડ એ નાગરિક-કાર્ડ નથી.

નાગરિકતા માટે અને વ્યક્તિની ખરી ઓળખ માટે પાસપોર્ટ જ ખરી ઓળખ બને છે

રેવન્યુ રજીસ્ટ્રાર અને કો ઓપરેટીવ સોસાઈટીઝના રજીસ્ટ્રાર પાસે દરેક વ્યક્તિના પાસપોર્ટ કે નાગરિકતા કાર્ડ ઓન લાઈન હોવા જોઇએ. જેથી તે બનાવટ કરે છે કે કેમ તે તપાસી શકાય. કેટલાક માણસો જે અસામાજીક તત્વો છે તેમની પાસે એક કરતાં વધુ પાસ પોર્ટ હોઈ શકે છે. પણ સરકાર ધારે તો સરખામણી ના વિશિષ્ઠ પ્રોગ્રામ દ્વારા બનાવટ પકડી શકે.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ તેમની ફરજ બજાવતા નથી, તેથી જ કોઓપરેટીવ્ઝ સોસાઈટીના હોદ્દેદારો ગોલમાલ કરે છે. આમાં બીલ્ડરો કે ડેવેલપરો જે કહો તે, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ અને જનતા દ્વારા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના ક્ષેત્રને લગતી બાબતોમાં તેમજ સામુહિક રીતે સહકાર પૂર્વક ગોલમાલો કરે છે. આમાંના કોઈપણ અસરકારક ફરજો બતાવતા નથી.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝનું મુખ્ય કામ શું છે?

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઓ તેના નિયમો પ્રમાણે કામ કરે.

એટલે કે પ્રમોટરોની ઓળખ, તેઓનું રજીસ્ટ્રેશન, સોસાઈટીનું રજીસ્ટ્રેશન, સભ્યોની નોંધણી, હોદ્દેદારોની ચૂંટણી, કાર્યવાહીઓ, ખરડાઓ, નિયમિત સભાઓ માટેના પત્રવ્યવહારો, સભાના એજન્ડા બનાવવા, તેને સભ્યોમાં યોગ્યરીતે વહેંચવા, સભાની નોટીસ, સભાની કાર્યવાહી, હિસાબો, ઓડીટ, નવા કામો, વિગેરેની નોંધણી, અને તે પછી સભાસદોને તેની વહેંચણી, વિગેરે અનેક પ્રકારની કાર્યવાહીની નોંધણીઓ હિસાબ કિતાબ, વિગેરે કામો કો ઓપરેટીવ સોઆઈટીએ કરવાના હોય છે અને તે સૌની વિગતોના રીપોર્ટો રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝને મોકલી આપવાના હોય છે.

આ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝ, કોઈપણ જાતની નીગરાની રાખતા નથી. વર્ષો સુધી  કોઈપણ જાતના રીપોર્ટ ન મળે તો પણ તેમના પેટનું પાણી હાલતું નથી. એટલું જ નહીં પણ અગર કોઈ રીપોર્ટ મળ્યા હોય તો પણ તેની ખરાઈની ચોકસાઈ કરતા નથી, એટલું જ નહીં પણ તેઓ કોઈપણ રેકોર્ડ જરુર પડે ગુમ પણ કરાવી દે છે.

આ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝને જવાબદાર બનાવવો. એટલું જ પૂરતું નથી, આ રજીસ્ટ્રારનું કાર્યક્ષેત્ર વાસ્તવિક રીતે સક્ષમ અને જનતાગામી બને તે માટે એક ઝોન દીઠ એક રજીસ્ટ્રાર નિયુક્ત કરો.

દરેક કોઓપરેટીવ્ઝ સોસાઈટીના રીપોર્ટોને,  કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રારે, ઓનલાઈન મુકવા જોઇએ. કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રાર જ સોસાઈટીમાં થતા ક્રમબદ્ધ ફેરફારોનો પૂરો ઈતિહાસ રાખશે. અને તેજ અધિકૃત ગણાશે.

રજીસ્ટ્રેશનઃ

એવી કઈ કઈ બાબતો છે જેમાં રજીસ્ટ્રેશન જરુરી છે?

જાહેર જનતા સાથે જે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વ્યવહાર કરતી હોય તેનું રજીસ્ટ્રેશન હોવું જરુરી હોવું જોઇએ.

દુકાનો, ફેક્ટરીઓ, પેઢીઓ, સેવા સંસ્થાઓ, ટ્રસ્ટો, શિક્ષણ સંસ્થાઓ, ઓફિસો, મનોરંજન સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરાંઓ, વાહનો, કોંન્ટ્રાક્ટરો, મંદિરો, વિગેરે. સેવાસંસ્થાઓમાં સરકારી ઓફીસો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને તેની કાર્યવાહીઓ પણ આવી જાય.

જે કોઈ સંસ્થાને લાઈસન્સ આપવામાં આવે અને તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેની પૂરતી માહિતિ તે સરકારી અને તે સંસ્થાની વેબસાઈટ ઉપર હોવી જોઇએ.

દરેક સંસ્થાની પછી ભલે તે વ્યક્તિગત, કૌટુંબિક સંસ્થા હોય, ભાગીદારી, પ્રાઈવેટ લીમીટેડ,  કે  પબ્લીક લીમીટેડ સંસ્થા હોય, તે સૌની વેબસાઈટ ઓન લાઈન હોવી જ જોઇએ.

દરેક વેબસાઈટ ઉપર તે સંસ્થા કઈ જાતની છે અને જનતા તેની વિષે કઈ જાતની માહિતિની અપેક્ષા રાખી શકે તેને અનુરુપ સરકારે તેને ઓછામાં ઓછી જરુરી ગણી વેબસાઈટ ડીઝાઈન કરવી જોઇએ. તે સંસ્થાએ તેમાં માહિતિ અપલોડ કરી સરકારને સીડી આપવી જોઇએ. સરકાર તેને ઓન લાઈન મુકશે.

દાખલા તરીકે એક દુકાન

દુકાનના માલિક કે માલિકોના પૂરા નામ, તેના ફોટા, તેની ઓળખ નગારિક કાર્ડ, મ્યુનીસીપાલીટીના રેકોર્ડ પ્રમાણે (સ્થાનિક લોકસ્વરાજની ઓફિસના રેકોર્ડ પ્રમાણે) તેનું સરનામુ, સંસ્થાનું સરનામું, વ્યક્તિની અને સંસ્થાની પ્રોફાઈલ, ધંધાની વિગત, ફોન નંબરો, ઈમેલ એડ્રેસ, નજીકના ભવિષ્યની (છ માસની અંતર્ગત) યોજનાઓ, ધંધાદારી સંબંધિત સંસ્થાના નામ અને લીંક, ગ્રીવન્સીસ કે મેસેજ બોક્સ, સેલ્સ ટેક્સ, વેટ, આઈ.ટી. એકાઉન્ટનંબર, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાએ આપેલ રજીસ્ટ્રેશન નંબરો, ટ્રેડમાર્ક જેવી માહિતિઓથી સભર એક સ્ટાન્ડર્ડ વેબસાઈટ સરકારે બનાવવી જોઇએ.

આ કેવીરીતે થઈ શકે?

જે અરજી પત્રક હોય તેમાં આ બધી વિગતોની કોલમો હોય અને તેને જ્યારે લાયસન્સ મળે ત્યારે તેની વિગત ભરાઈ જાય. જે તે વ્યક્તિને જે તે માહિતિની જરુર હોય અને સરકારે તેને આપવા યોગ્ય રાખી હોય તે માહિતિ તે વ્યક્તિ ઓન લાઈન દ્વારા લઈ શકે છે. સરકાર પાસે તો બધી જ માહિતિ હોવી જોઇએ.

તો પછી માહિતિ અધિકારીની જરુર શા માટે?

જેમને ઈન્ટરનેટ કનેક્સન ન હોય અને જેમને તેવી આવડત ન હોય, તેઓ માહિતિ અધિકારી પાસેથી માહિતિ માગી શકે. અને કારણ કે માહિતિ અધિકારી એક સુશિક્ષિત અધિકારી છે તે અરજદારો પાસેથી મહેનતની ફી વસુલ કરી અરજદારને અધિકૃત હાર્ડ કોપી આપશે.

વેબસાઈટ ફરજીયાત બનાવોઃ

દરેક દુકાનના સાઈનબોર્ડ ઉપર તેના રજીસ્ટ્રેશન નંબર, વેબસાઈટનું નામ ધ્યાન જાય એ રીતે ફરજીયાત લખેલું હોવું જોઇએ. તેમજ દુકાનના બીલ ઉપર અને લેટરહેડ ઉપર પણ આ બે વિગતો હોવીજ જોઇએ. જ્યારે ક્યારેય પણ આ દુકાન ઓનલાઈન સંવાદ કરે ત્યારે આ વિગતો તેના ઈ-સંવાદના પેજ ઉપર આવવી જોઇએ.

જાહેર જનતા સાથે વ્યવહાર કરતી કોઈપણ સંસ્થા કે વ્યક્તિ ની વેબસાઈટ હોવીજ જોઇએ. તે સિવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર જનતા સાથે વ્યવહાર ન કરી શકે. આમાં પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયા બધાનો સમાવેશ થઈ જાય છે.

પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયાઃ

આ લોકોને કેવીરીતે જમીન માફીયામાં ગણી શકાય?

જેઓ અણહક્કની જમીન ઉપર કબજો જમાવે છે અને જેઓ તેમના તે હક્ક માટે લડે છે તે બધા જમીનના માફીયા જ કહેવાય. આ લોકો ગરીબ હશે પણ તેમને આ હક્ક અપાવનારા કે તે માટેની લડતો ચલાવનારા ગરીબ નથી. વાસ્તવમાં આ લોકો પડદા પાછળ છે અને પૈસા કમાય છે. આ વાત આપણે આગળ કરી ગયા છીએ.

આ લોકોને કેવીરીતે ઠેકાણે પાડવા?

જ્યાં આ લોકો ધંધો કરે છે ત્યાં તેમને ખબર ન પડે તેવા સીસી કેમેરા ગોઠવી દો. અને તેનું છ માસ માટે રેકોર્ડીંગ કરો.

તેઓ જુદો જુદો માલ ક્યાંથી માલ લાવે છે તેની વ્યક્તિ દીઠ તપાસ કરો અને રેકોર્ડ બનાવો.

તેઓ ક્યાં રહે છે, કેટલા વખતથી રહે છે અને પહેલાં ક્યાં ક્યાં રહેતા હતા તેની તપાસ કરો અને રેકોર્ડ બનાવો. જો તેઓ બંગ્લાદેશી કે પાકિસ્તાની હોય તો તેમને અલગ તારવો.

તેઓ કેટલું કમાય છે અને કોને કેટલો હપ્તો ચૂકવે છે અને કોણે તેમને અહીંની જગ્યા અપાવી તેની તપાસ કરો.

આ કામ અઘરું નથી. લોકલ ઈન્ટેલીજન્સ અને એક પ્રાઈવેટ સર્વે એજન્સી જેવી કે તાતા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ બંને ભેગા મળી ડેટા એકઠા કરે તો કેટલા ખરેખર ગરીબ છે અને કેટલા પડદા પાછળના ગુનેગારો છે તે વીડીયો કેમેરામાંની તપાસમાં કેદ થઈ જાય. કયા ગરીબો કેટલી અવડતવાળા છે તે પણ નક્કી થઈજાય. તેમના ઓળખના ડેટા પણ તૈયાર થઈ જાય.

અમદાવાદના કોટ વિસ્તારમાં એવા ઘણા વિસ્તારો છે જેમાં મકાનો પડુ પડુ અવસ્થામાં છે. ત્યાં એ મકાનો કબજે કરાય. અને ત્યાં એક પાર્કીંગ, હોકર્સપાર્ક, શોપીંગ ખાણીપીણી મોલ, અને ઝોંપટ્ટીમાં રહેતા લોકોને થાળે પાડવાના ગાળાઓ આપી શકાય. કોટની અંદરનો જે વિસ્તાર છે તેની કાયાપલટ થઈ જશે.

જુઓ અનુસંધાન લીંકઃ 

ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ

 https://treenetram.wordpress.com/2013/02/20/%E0%AA%9D%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%A1%E0%AA%AA%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

જેઓ વિદેશી ઘુસણખોર છે તેમને મીઠાના અગરોમાં કેદી તરીકેની મજુરીના કામમાં રાખો.

જેઓ પડદા પાછળ હતા તેમની સામે ગેરકાયદેસર કામ કરવા બદલ અથવા તેને પ્રોત્સાહન આપવા બદલ કામ ચલાવો અને તે દ્વારા તેમને કાંતો દંડ કે જેલની સજા જે પસંદ હોય તે કરો અને તેમના ઉપર નીગરાની રાખો.

 જેઓ કોટની બહાર છે અને ફુટપાથ અને રોડ કબજે કરીને અડ્ડો જમાવીને બેઠા છે તેમનો પણ ઉપર પ્રમાણેનો સર્વે અને ડેટા તૈયાર થઈ શકે. જેઓ પૈસાદાર છે તેમને તો દંડ અને સજા જ કરવાના છે. જેઓ ગરીબ છે તેમને પાર્કીંગ કમ હોકર્સ પાર્ક કમ મોલ કમ રહેઠાણ બનાવીને કોટના વિસ્તારની જેમ થાળે પાડી શકાય. કોટવિસ્તારની બહાર પણ ઘણા ગામઠાણ વિસ્તારો અને મેદાનો છે.

જે અમદાવાદ જેવા શહેરમાં કરી શકાય તેમ છે તેવું જ ગામડાઓમાં અને બીજા શહેરોમાં થઈ શકે.

રસ્તા ઉપર થતા પાર્કીંગ અને ગીચતાની સમસ્યા ઉકલી જશે.

મફતમાં માલિકી નહીં

સરકાર કોઈને જે જગ્યા ફાળવશે તે માલિકીની નહીં હોય તેમ જ ફેરબદલની પણ નહીં હોય. આને માટે બાય-લોઝ (પેટા કાયદા ઓ ઘડી શકાય). ભાડા ઉઘરાણીનું અને સુરક્ષાનું વ્યવસ્થિત તંત્ર બનાવી શકાય. કોઈને કશું મફતમાં નહીં.

સ્થાનિક લોકો માટે ૮૦ ટકા આરક્ષણ રહેશે. જેઓ પરપ્રાંતના હશે તેમને ૨૦ ટકામાંથી ફાળાવણી થશે. બાકીનાની, યાતો બીજે ગામના ૨૦ટકા ક્વોટામાં ફાળવણી થશે યાતો તેઓ તેમના ગામ પરત જશે.

જેઓને અહીં ભાડાનું અથવા પોતાનું રહેઠાણ હશે તેઓ જ રહી શકશે. ગેરકાયદેસર જગ્યા કબજે કરી કોઈ રહી શકશે નહીં. કાયદો પણ આજ કહે છે. જેઓ ગુજરાતમાં જન્મ્યા છે અથવા જેઓએ ગુજરાતી સાથે પ્રાથમિક શિક્ષણ લીધું છે તેઓ જ ગુજરાતી કહેવાશે.

નાથીયા તું નાગો થા અને મને પોતડી આપ એવી વાત ન ચલાવી શકાય.    

સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓઃ

માહિતિ અધિકારની સંસ્થા સ્વાયત્ત હોવી જોઇએ

હાલમાં જેતે ખાતાઓમાં જેતે ખાતાના માહિતિ અધિકારીઓ હોય છે. તેથી તેમની વૃત્તિ માહિતિ યેનકેન કારણો આપી છૂપાવવાની કે વિલંબમાં નાખવાની હોય છે. માહિતિ અધિકારીઓ કોઈ ખાતા સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. પણ તેઓ સુપ્રશિક્ષિત હોવા જોઇએ. એક ઝોન દીઠ એક માહિતિ અધિકારી હોવો જોઇએ. આ ઝોન એક ભૌગોલિક વિસ્તાર હશે. અને તે ઝોનમાં રહેતી વ્યક્તિઓની અરજીઓ આ અધિકારી લેશે અને તેની ઉપર આગળની કાર્યવાહી કરશે.

માહિતિનો અધિકારઃ

રાઈટ ટુ ઈન્ફર્મેશન અંતર્ગત, જનતાને માહિતિનો અધિકાર છે. જો આ અધિકાર છે તો તે માહિતિને જ્યાં સુધી કોઈ ન માગે ત્યાં સુધી ખાનગી રાખવાનો કોઈ અર્થ નથી. આ અધિકાર ભારતના નાગરિકને જ મળી શકતો હોવાથી જો તે પોતાની ઓળખાણની સાબિતી આપે તો તે જે માહિતિઓ જાણવા માટે અધિકારી છે તે માહિતિ તેને ઓન લાઈન મળવી જોઇએ.

આ માટે ભારતનો કોઈપણ નાગરિક સક્ષમ અધિકારી પાસે જઈ પોતાની નોંધણી કરાવી દે એટલે તે પોતાના પાસવર્ડનો ઉપયોગ કરી જે તે માહિતિ મેળવી શકે. આમ કરવાથી માહિતિ અધિકારી ઉપરનો બોજ ઘણો ઘટશે. જે વ્યક્તિને અધિકૃત કોપી જોઈતી હોય તે વ્યક્તિ નિશ્ચિત યુઆરએલ બતાવી માહિતિ અધિકારી પાસેથી અધિકૃત કોપી લઈ શકે. અથવા અરજી આપી થોડી વધુ ફી ભરી, માહિતિ અધિકારી પાસેથી અધિકૃત માહિતિ લઈ શકે છે.

રેવન્યુ ડીપાર્ટમેન્ટ ના રેકોર્ડ ઓન લાઈન હોવા જોઈએ. તમે તામારી ઓળખ આપીને જે તે વેબસાઈટ ઉપર માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો.

હાલ ફક્ત ન્યાય તંત્ર એક માત્ર સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. ન્યાયતંત્રને પોતાનો સ્ટાફ છે અને પોતાની સ્વતંત્ર ઓફીસો પણ છે.

ચૂંટણી પંચ અને વસ્તી પંચ સંસ્થાઓ સંપૂર્ણ સ્વતંત્ર નથી. ચૂંટણી પંચને પોતાનો મોટાભાગનો સ્ટાફ ઉછીનો લેવો પડે છે. આવી જ સ્થિતિ વસ્તીગણત્રી પંચની છે. કારણ કે તેમનું કાર્યક્ષેત્ર અને સમય મર્યાદિત રાખ્યો છે.

ચૂંટણી પંચઃ

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઝ, વસ્તી ગણત્રી અને ચૂંટણી, આ ત્રણેયને એક પંચ હેઠળ લાવી દેવું જરુરી છે.

ચૂંટણી પંચ ફક્ત સ્થાનિકસ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિની ચૂંટણી પૂરતું જ પોતાનું કાર્ય ક્ષેત્ર રાખે છે. વાસ્તવમાં કોઈપણ કાયદા અંતર્ગત (સ્ટેચ્યુટરી પ્રોવીઝન હેઠળ) થતી દરેક ચૂંટણીઓ અને સભાઓ, ચૂંટણી પંચની નીગરાની હેઠળ જ થવી જોઇએ.

એટલે કે મઝદુર યુનીયન, કર્મચારી યુનીયનો, અધિકારી યુનીયનો, સહકારી સંસ્થાઓ, ગૃહનિર્માણ સોસાઈટીઓ, તેના સભ્યોની નોંધણી, તેમાં થતા ફેરફારોની નોંધણી, તેના પરિપત્રો, હોદ્દેદારોની ચૂંટણીઓ, કાર્યવાહીઓ અને રેકોર્ડ ચૂંટણી પંચની કડક નીગરાની હેઠળ અને તેના દ્વારા સંચાલિત થવી જોઇએ. જો આમ થાય તો તેમાં થતી ગેરરીતીઓ અટકી જાય કારણકે જો ગેરરીતી થાય તો તરત જ જવાબદારી લાદી શકાય. જાણી લો કે સરકારી વ્યક્તિ જ એક માત્ર એવી વ્યક્તિ છે જેનું એતત્‌કાલિન સ્થાન રેકોર્ડ ઉપર હોય છે અને તેને સોંપેલી જવાબદારી ફીક્સ હોય છે અને અથવા ફીક્સ કરવી સહેલી છે.

હાલ સ્થિતિ એવી છે કે જ્યારે ચૂંટણી આવે તે અગાઉ ચૂંટણી પત્રક્ની કાર્યવાહી આરંભાય છે. વાસ્તવમાં ચૂંટણીપત્રક હમેશા આધુનિક (અપટુડેટ) હોવું જોઇએ.

વસ્તીગણત્રી પંચ અને ચૂંટણી પંચ વાસ્તવમાં ગાઢ રીતે સંકળાયેલા છે.આ બંને કાર્યશાળાને એકઠી કરી દેવી જોઇએ. આ સંસ્થાને સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા બનાવવાની છે.

વસ્તીગણત્રી – ચૂંટણી પંચ ની ઓફિસ અને કર્મચારીગણ તેમના પોતાના હોવા જોઇએ.

ચૂંટણી-વસ્તી પંચઃ આ સંસ્થા કાયમી કાર્યરત બનવાથી દરેક વ્યક્તિની નોંધણી થશે. તેના દરેક સ્થાનોની નોંધ રહેશે, વ્યક્તિ ક્યાં રહે છે અને ક્યાં  વહેવાર કરેછે તે નિશ્ચિત થશે. પરપ્રાંતમાંથી કેટલા આવેલા છે તે સંખ્યા નિશ્ચિત થશે. બેકાર કેટલા છે અને કેટલા ક્યાં નોકરી કરે છે અને શું કરે છે તે પણ નિશ્ચિત થશે.

ચૂંટણીઃ

ચૂંટણીમાંથી પૈસાની બાદબાકી થઈ જશે.

ઝોન દીઠ એક ચૂંટણી અધિકારી હોવો જોઇએ.

મદદનીશ અધિકારી પાંચ કે દશ પોલીંગબુથ દીઠ એક હોવો જોઇએ. આને આપણે મતદાર મંડળ કહી શકીએ.

આ મતદાર મંડળને એટલે કે મદદનીશ ચૂંટણી અધિકારીને પોતાની ઓફીસ હશે અને એક કાયમી સભાખંડ હશે. આ કાયમી સભા ખંડમાં એક પ્લેટફોર્મ ઉપર જ ચૂંટણીના ઉમેદવારો અને મતદારો પોતાનો અવાજ રજુ કરશે. આ સિવાય ક્યાંય સભા કરવાની છૂટ રહેશે નહીં. ટીવી ચેનલો ઉપર તેમને એક જ પ્લૅટફોર્મ ઉપર બોલાવાશે અને તેઓ પોતાનો પક્ષ અને વાત રજુ કરશે. આ બધી વ્યવસ્થા વસ્તી-ચૂંટણી પંચ જ કરશે. જે ઉમેદવારને જનતાને કે સભાસદોને જે કંઈ કહેવું હશે તે આ મંચ ઉપર આવીને જ કહેશે અને તેની નોંધ લેવાશે.

પક્ષને કે ઉમેદવારને જે કંઈ હોર્ડીંગ લગાવવા હશે તે આ ખંડમાં જ લગાવી શકશે. દરેકનો ચૂંટણી ઢંઢેરો અહીં લગાવવામાં આવશે.

પક્ષ કે વ્યક્તિ પોતે જે કોઈ બીલ લાવવા માગતા હોય તેની કોપી તે ચૂંટણી અધિકારીને આપશે અને જો તે ચૂંટાશે તો તે જનતાને ઉપલબ્ધ કરી શકાશે. ચૂંટણી પૂર્વે ચૂંટણી ઢંઢેરામાં ન ઉલ્લેખાયા હોય અને ચૂંટણી પંચને ન આપ્યા હોય તેવા કોઈ પણ બીલ, કોઈ પક્ષ કે વ્યક્તિ ધારાસભામાં રજુકરી કરી શકશે નહીં. જેમકે સંસદ સભ્યોના પગાર વધારા અને તેમના પેન્શનને લગતા બીલ કોઈપણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હતા નહીં તો પણ તે બીલ બનાવીને પસાર કરેલ.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ, ચૂટણી અને વસ્તીગણત્રી એક જ પંચ હેઠળ શા માટે?

સભ્યપદ, મતદાતા, હોદ્દેદારો અને તેની યાદીઓ વિગેરે એક યા બીજા પ્રકારની ચૂંટણી સાથે સંકળાયેલા છે.

સભ્ય અને મતદાતા ની ઓળખ કરવાની એક પ્રક્રીયા હોય છે.

યાદી બનાવવી એ પણ ચૂંટણીની એક પ્રક્રીયા છે.

હોદ્દેદારો ચૂંટાય છે અને તેમને અધિકૃત કરાય છે.

જેઓ દેશમાં રહેછે તેમની વસ્તી ગણત્રી થાય છે, પણ તેઓ બધા મતદારો હોતા નથી.

જેઓ ઘુસણખોરો છે તેઓ પણ વસ્તીગણત્રીમાં તો આવી જ જાય. પણ તેઓ દેશના નાગરિક નથી. પણ તેમના માનવ અધિકારો તો છે જ. એટલે જ્યાં ક્યાંય પણ કાયદેસર યાદી બનતી હોય, મતદાન થતું હોય અને હોદ્દેદારોની ચૂંટણી થતી હોય અને હોદ્દેદારો અધિકૃત થતા હોય. સભાની કાર્યવાહીઓ થતી હોય, કાયદા, પેટા કાયદાઓ વિગેરે થતા હોય અને આ બધું કાયદેસરની પ્રક્રીયામાં આવતું હોય તો ચૂંટણીપંચ, વસ્તીગણત્રીપંચ અને હાલ જેને આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ કહીએ છીએ તે સૌને એક પંચતંત્ર હેઠળ મુકવા જોઇએ. જેથી દરેક જાતના સભ્યપદ, યાદીઓ, સભાઓ, ચૂંટણીઓ, હોદ્દેદારો અને કાર્યવાહી, તેની ચકાસણીઓ એક જ પંચ હેઠળ આવે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સભ્ય, મતદાતા, મતદાર મંડળ, સભા, હોદ્દેદાર, અધિકૃત, અધિકારી, ચૂંટણી, વસ્તી, ગણત્રી, પંચ, વેબ સાઈટ, માહિતિ, રજીસ્ટ્રેશન, નોંધણી, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, સ્વાયત્ત, સ્વતંત્ર, નીગરાની, સ્થાનિક, કોઓપરેટીવ, સોસાઈટી, સંસ્થા, વ્યવહાર, રજીસ્ટ્રાર

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને શિખંડીઓ

convenience for shopping

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આમ તો સીબીઆઇ ના કાર્યક્ષેત્રમાં આવે છે, સીબીઆઈ પોતે આ જાણે છે કે કેમ તે આપણે જાણતા નથી. સીબીઆઈ સહદેવથી એક કદમ આગે છે. સહદેવ બધું જાણતો હોય પણ તે તો તમે પૂછો તો કહે. સહદેવને તમે ન પૂછો તો સહદેવ તમને કંઈ કહે નહીં. સીબીઆઈ તો કેન્દ્ર સરકાર કે ઉચ્ચન્યાયાલય કહે તો જ કામ કરે.

ઓર્ગેનાઝ્ડ ક્રાઈમ એટલે ભેગા મળીને ગુનો/ગુનાઓ કરવા. જેઓ આમાં સંડોવાયેલા હોય કે ન હોય પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ પામ્યા હોય તે સૌ ગુનામાં સામેલ થયેલા ગણાય. આ ગુનાઈત સંડોવણીવાળાઓ જો તપાસ થાય તો તેઓ એક બીજાનો બચાવ કરે છે.

આપણે આની ફિલોસોફીકલ ચર્ચા ન કરીએ પણ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમથી આમ જનતા એટલે કે જેનો હિસ્સો આમાં સંડોવાયેલો નથી તે કેટલી ત્રસ્ત છે તે જોઇએ.

હાલ આપણે જમીનને લગતી બાબતો જ વિચારીએ.

જમીન માફીયાગીરીઃ

કબજો સર્વોપરી છે. શું કામ? કારણ કે જેનો કબજો છે તે તેના જીવનનો આધાર છે. માટે તમે તેને અધારહીન ન કરી શકો. જો કબજાવાળી વ્યક્તિનો કબજો ગેરકાયદેસર હોય તો પણ તેને તમે ખાલી ન કરાવી ન શકો.

તો આમાં સરકાર શું કરે છે?

પહેલાં તો સાબિત કરવું પડે કે કબજો ગેરકાયદેસર છે. આ કામ ન્યાય ખાતાનું છે. એટલે જે કોઈ ત્રસ્ત હોય તેણે મામલતદાર થી શરુ કરી કલેક્ટર લેવલ સુધી તો પોતાનો કેસ લડવો પડે.

ધારો કે જમીનનો કબજો ગેરકાયદેસર છે તેમ સાબિત થઈ ગયું તો જમીનનો કબજો જેનો હક્ક છે તેને સોંપવાનું કામ કલેક્ટર એટલે કે રેવન્યુ ખાતાનું છે. એટલે તે પોલીસને ઓર્ડર આપે અને પોલીસ તમને કબજો અપાવે.

હવે જો સામેવાળા ગુન્ડા હોય તો તેઓ મળતીયા દ્વારા ફરીથી કબજો લઈ લે. તમારો હક્ક હતો. પણ તમારો કબજો તો હતો જ નહીં. હવે તમને કબજો મળ્યો પણ તમે તેનો ઉપયોગ કરવામાં વાર લગાડી અને આવું તો બને જ એટલે કે થોડી વાર તો લાગે જ. તે સમય દરમ્યાન તમારે ફુલ ટાઈમ ચોકીદાર રાખવો પડે. જો ચોકીદારને તમે ત્યાં રહેવાની ગોઠવણ ન કરવા દેવા માગતા હો તો તમારે ચોકીદારો રાખવા પડે. ચોકીદારોને સીફ્ટ ડ્યુટી આપવી પડે. એટલે કે ત્રણ ચોકીદાર રાખવા પડે. આ તો પોષાય નહીં. એટલે એક ચોકીદારને તેના ફેમીલી સાથે રાખવો પડે. ચોકીદાર પણ માણસ છે. એટલે તે ખુલ્લા આકાશ તળે પોતાની ડ્યુટી બજાવી ન શકે તેથી તેને એક કેબીન કરી દેવી પડે. તમે કેબીન કરો કે તંબુ કરો કે તેને એક ઝુંપડું કરવા દો તે બધું એકનું એક છે. તમારો ચોકીદાર એવો તો નજ હોવો જોઈએ કે ગુન્ડાઓ તમારા ચોકીદારને ભગાડી ને તમારી જમીનનો કબજો લઈ લે. એટલે તમારો ચોકીદાર માથાભારે હોવો જોઇએ. ભરવાડ, રબારી, ઠાકોર, વાઘરી કે એવો કોઈ હોય તો ઠીક રહે.

હવે જ્યારે જમીન ઉપરના હક્કવાળા તમે અનેક હો, ત્યારે શું થઈ શકે? જેમકે કોઓપરટીવ હાઉસીંગ સોસાઈટીની જમીન, જેમાં જમીનની માલિકી સોસાઈટીની હોય અને તેના ઉપરનો હક્ક સામુહિક હોય. આવા કિસ્સાઓમાં વધુ તકલીફો ઉત્પન્ન થાય છે. સોસાઈટીના સભ્યો ક્યાંક ને ક્યાંક રહેતા તો હોય જ. કેટલાક તો બહારગામ પણ રહેતા હોય.

આપણે એક વાસ્તવિક દાખલો લઈએ

એક ભાઈને થયું કે આપણે સ્વાર્થ સાથે પરમાર્થ કરીએ. એટલે તેઓએ પોતાના બેત્રણ મિત્રો સાથે હાઉસીંગ સોસાઈટી બનાવવાનો વિચાર કર્યો. મિત્ર મંડળમાંથી સભ્યો બનાવ્યા. પૈસાનું ઉઘરાણું કર્યં. સોસાઈટીને રજીસ્ટર્ડ કરાવી.

જમીનનો સોદો કરવા માટે વચ્ચે એક એજન્સી ઉભી કરી. જે જમીનને ડેવેલપ કરે. સોદામાં અને દસ્તાવેજમાં સાક્ષીભાવે પણ રહે. ટાઈટલ ક્લીયર માટે અમુક દસ્તાવેજો નોંધોની કોપીઓ પણ જોઈએ. તેના પણ સરકારી બાબુભાવ હોય છે.  જમીન તો ખેતીની હતી એટલે તેને બીન ખેતીની કરાવવી પડે. આપણા ઉપરોક્ત ભાઈ કોઈ સરકાર સાથે કામ પાડવાના કામ માટેના ધંધાદારી માણસ હતા નહીં. બીન ખેતીની કરાવવામાં ઠીક ઠીક સમય થયો. માંડ માંડ જમીન બીનખેતીની થઈ. સરકારી બાબુઓ કશું મફત તો કરે જ નહીં. જેવો જેવો ઘરાક તેવા તેવા ભાવ.  પણ સરકાર પોતાનો હાથ ઉપર રાખવા તેને કાયમ માટે બીન ખેતીની ન કરે. બીનખેતીની જમીનમાં અમુક સમયમાં બાંધકામ કરી દેવું પડે. એ વાત જવા દો, પણ સરકાર કોઈની કોઈ સંસ્થા સ્કીમ જાહેર કરે તો તમારી જમીન કબજે કરવાની માગણી કરે. આમાં ઘણા આંટાફેરા અને સિફારિશો થાય. અને બધામાં ખર્ચા.

વળી પાછી જમીન ખેતીની થઈ જાય અને વળી પાછી તે જમીનને બીનખેતીની કરવાની પ્રક્રીયા હાથ ધરવી પડે.  આ બધામાં અમુક કિસ્સાઓમાં વર્ષો પણ વીતે. એક વખત તમારી જમીન પડતર રહી એટલે કોઈ હોંશીયાર ધંધાદારી માફીયાની નજર તમારી જમીન ઉપર પડે જ. તે તમારી જ સોસાઈટીના બનાવટી સભ્યો ઉભા કરી નવું મંડળ ઉભું કરી દે. સોસાઈટીની જમીન ને કોઈ બીજા મળતીયા ગુન્ડાને વેચી દે.

હવે તમે કહેશો કે બધા દસ્તાવેજો તો રજીસ્ટ્રાર પાસે હોય. અને તલાટીના રેકોર્ડ ઉપર પણ હોય તેનું શું? પણ ભાઈઓ, તલાટીના રેકોર્ડ સાથે ખિલવાડ થઈ શકે છે. અને કોઓપરેટીવ હાઉસીંગ સોસાઈટીના રજીસ્ટ્રાર તો સોસાઈટીના રેકોર્ડ ગુમ કરી શકે છે.

તમારે તમારો કોઈપણ દસ્તાવેજ રજીસ્ટર કરાવવો હોય તો તમારે સ્ટેમ્પફી ભરવાની હોય છે. સ્ટેમ્પ ફી ભરીને તમે રજીસ્ટર કરાવી શકો છો. તમે સ્ટેમ્પ ફી ભરો એ જ સરકારની જરુરીયાત છે. જ્યાં સુધી દસ્તાવેજ કરનાર અને કરાવનારને વાંધો ન હોય તો સરકારને શી લેવા દેવા? એટલે કોઈપણ અસુરક્ષિત જમીન ઉપર જો તમે કબજો લઈ લીધો તો તમે કમસે કમ એક પેઢી સુધી તો રંગે ચંગે રહી શકો.

આવા કેસ આમ તો ફોજદારી પણ કહેવાય. પણ જ્યાં સુધી ન્યાયધીશ માઈબાપ કહે નહીં ત્યાં સુધી પોલીસભાઈ આને હાથ ન અડાડે. અત્યારે જમીનની કિમત આસમાને હોય અને તમારી સોસાઈટીના સભ્યો ઠીક ઠીક પૈસા ઉઘરાવી શકતા હોય તો તમારે કેસ ઉચ્ચ ન્યાયાલય સુધી તો તમારો કેસ લડવો જ પડે. દરેક સ્ટેજે વકીલભાઈઓને પૈસા આપવા પડે એટલે અવારનવાર ઉઘરાણું કરવું પડે. આ બધું કામ પણ તમારે નિષ્કામ થઈને કરવું પડે. ઈશ્વર મદદ કરે પણ ખરો અને મદદ ન પણ કરે. ઈશ્વર તો એમ કહીને કે ન કહીને ઉભો રહે કે એમાં હું શું કરું?

ગૌચરની જમીન અને પડતરની સરકારી જમીન

આ વાતની ચર્ચા તો આપણે કરેલી જ છે. ( Ref: https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/)

આવી જમીન ઉપર સરકારે વાડ કે દિવાલો કે ખીલાઓ ઠોક્યા નથી હોતા એટલે નજીકની જમીન માફીયા ખરીદી લે અને પછી કબજો વધારતા જાય. અત્યારે તમે સીજી રોડ ઉપર કે એવા કોઈ રોડ ઉપર ભરવાડો, રબારીઓ, ઠાકોરોના કે પાર્શ્વભૂમિકામાં દાઉદની જાતિના કબજાઓ જુઓ જ છો જેમાં પાર્ટીપ્લોટ કે રેસ્ટોરાંઓ ચાલતી હોય છે. કેટલાક બાવાજીઓ જેવાકે આશારામ જેવાઓના પણ એન્ક્રોચમેન્ટ(દબાણો) હોય છે.

ફૂટપાથો અને લોકવપરાશની જગ્યાઓઃ

મંદિરોઃ

જો નિર્જન રસ્તો હોય તો થોડી ઈંટો મુકી અંદર એકાદી માતજીની છબી મુકી દો અને ધીમે ધીમે જગા વિસ્તારતા જાઓ. અને બીજા ભગવાનની મૂર્તિઓ મુકવા માંડો. અને દેરી મંદિર ચણી નાખો. વ્યાપ વધારતા જાઓ. જ્યારે રસ્તો મેઈન રોડ થઈ જશે ત્યાં સુધીમાં ફર્સ્ટક્લાસ મંદીર કરી શકશો. અમદાવાદના આઈ આઈ એમ પાસે એક હનુમાનજી(?)નું મંદિર, દૂરદર્શન ટાવર ચાર રસ્તા પાસેનું હનમાનજીનું મંદિર, ગુરુદ્વારા એસજીરોડ સામે શંકર ભગવાન અને રામદેવપીરનું કે એવાં મંદિર આના ઉદાહરણો છે, આવા કંઈક મંદિરો છે. આવા મંદિરોને હઠાવવામાં સરકાર ગલાંતલ્લાં કરશે, કારણ કે સર્વોચ્ચ ન્યાયાલયે એક એવો ચૂકાદો આપ્યો છે કે જો મંદિરને તોડવાથી સૂલેહશાંતિનો ભંગ થાય તેમ હોય તો એવા મંદિરો તોડવા નહીં અથવા તેનું આપસી મસલત દ્વારા નિરાકરણ લાવવું.

(વાસ્તવમાં જે મંદિરોનું બાંધકામ વિશ્વકર્માએ શાસ્ત્રમાં નક્કી કરેલા નિયમો પ્રમાણે ન કરવામાં આવ્યું અને તેમાં દેવની સ્થાપના વૈદિક વિધિ પ્રમાણે ન થઈ હોય તે બધા મંદિરને દેવમંદિર કહી જ ન શકાય. અને આવા મંદિરોને તોડીએ તો મંદિર તોડ્યું એમ ન કહેવાય. જો કે ઐતિહાસિક મંદિરોનો આમાં સમાવેશ ન થાય.)

આમ પોલિસ સહિતના સરકારી બાબુઓને કાયમી નિરાંત છે. મંદિરની આડમાં કયા કયા ધંધા ન થઈ શકે? ગુજરાતમાં જે વાત મંદિરોને અને (ક્યાંક ક્યાંક પીરબાપજીઓને) લાગુ પડે, તે જ વાત જ્યાં લઘુમતિ અસરકારક હોય ત્યાં ચર્ચ અને મસ્જીદોને લાગુ પડે છે.

તમે હાઈ વે ઉપર જાઓ, દર બે પાંચ કિલોમીટરે ગુજરાતમાં એક મંદિર/દેરી દેખાશે અને દક્ષિણમાં ચર્ચ દેખાશે.

પાથરણા, લારીઓ, ગલ્લા, ગેરેજો, લાતીઓ, કબાડીઓ અને નજીકના મકાન માલિકોના દબાણોઃ

Footpath kiske Baapki he

તમે અમદાવાદના બીઆરટીએસ રોડનો જ દાખલો લો. (લગભગ બધા જ રોડ બધે જ આવા દબાણોવાળા છે.)

મોટાભાગનો રોડ દબાણોથી ભરપૂર છે. જે લેન સાયકલ વાળા માટે સુનિશ્ચિત કરવામાં આવી છે તે પણ દબાણમાં છે. કોઈ સાયકલ સવાર પોતાની સાઈકલ ત્યાં ચલાવી ન શકે.

આ દબાણ કરવાવાળા બધા જ કંઈ ગરીબ નથી. આ બધાઓમાં લાતીવાળા, કબાડીઓ અને ગેરેજ વાળાઓ અને દુકાનદારો તો લખપતિઓ અને કરોડપતિઓ છે.

તમે કહેશો કે પણ પાથરણા વાળા અને લારીવળા તો ગરીબ જ છે ને? હા એ લોકો જરુર ગરીબ છે પણ તેઓ જે માલ વેચે છે તે તેમનો હોતો નથી. તે કોઈક દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. તેઓ આ લોકોના પગારદાર હોય છે અને અથવા તેઓ તેમના કમીશન ઉપર કામ કરનારા હોય છે.

એક  નવી જાતનું દબાણ પણ છે

આ દબાણ ફુટપાથની જગા ઉપર ટેબલ ખુરસી સહિતની ખાણી પીણી. એટલે કે રેસ્ટોરાંઓ દ્વારા કરવામાં છે

તમે અમદાવાદનો આઈઆઈએમનો રોડ લો. ત્યાં ખાણીપીણીની લારીવાળા, બિન્ધાસ્ત રીતે રોજ ટેબલ ખુરસીઓ ગોઠવી દે છે. કાર્બન ડાઈઓક્સાઈડ અને પેટ્રોલના ધુમાડાથી રોડ તરબર છે. આપણા ભવિષ્યના મેનેજરો એટલે કે એમબીએ (મને બધું આવડે)ના સ્ટુડન્ટ્સની સ્વચ્છતાની સમજણ જુઓ. તમારુ માથું શરમથી ઝૂકી જશે. તેઓ સૌ કોઈ ટપોરીની જેમ ટેબલ ખુરસી ઉપર ગોઠવાઈ જાય છે. અને લહેરથી આરોગે છે. બીજાઓ પણ તેમને સાથ આપે છે. વાસ્તવમાં આ વિદ્યાર્થીઓએ શહેર સુધરાઈને ફરીયાદ કરવી જોઇએ કે આ રોગના કારખાના બંધ કરો અને હેલ્થ અધિકારીને ગુન્હાહિત બેદરકારી બદલ જેલમાં પૂરો.

મોટાભાગના રસ્તાની ફૂટપાથો પર આ ગરીબ લોકો કે જેમની પાર્શ્વ ભૂમિમાં લાખપતિઓ અને કરોડપતિઓ છૂપાયેલા છે એવા લોકોએ કબજો જમાવેલો છે. શું આ બધા મફતમાં જગ્યાનો ઉપયોગ કરે છે?

ના જી. દેશમાં કશું મફત મળતું નથી

આ બધા પાસેથી નિયમિત પૈસા ઉઘરાવાય છે. આમાં પોલીસ, કોર્પોરેશનના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, દુકાનદારો, ફેક્ટરીના માલિકો અને ગુન્ડાઓ સામેલ છે. નામ ગરીબોનું, મહેનત ગરીબોની પણ કામ પૈસાદારોનું. ગરીબો તો ઢાલ (શિખંડી) છે. જે સરકારી જમીન ઉપર ઝોંપડપટ્ટી હોય છે તે મફતમાં હોતી નથી. તેમાં વહીવટ ગુન્ડાઓનો હોય છે. તેની કિમત થોડા દશ હજારોથી લાખો રુપીયા સુધીની હોય છે. સરકાર તેમને બીજી જગ્યાએ ખસેડે તો બીજાઓ ત્યાં આવી જાય અને બીજાઓની જગ્યાએ ત્રીજાઓ કે પહેલાઓ આવી જાય. જે જગ્યા ફાળવી હોય ત્યાં થોડા સમયમાં વળી જુદા જ લોકો રહેતા હોય.

જ્યારે ક્યારેય પણ આવા દબાણકર્તાઓને ખસેડવામાં આવે ત્યારે આ લાખોપતિઓ, કરોડપતિઓ પૈસા વેરી વિરોધ પ્રદર્શનો કરે છે. આમેય આપણી નહેરુવીયન કોંગીનેતાઓ તો પ્રદર્શનપ્રિય છે જ.

મુંબઈમાં તમે રેલ્વેના ક્વાર્ટસ્ર જોયા હશે. તે ક્વાર્ટર્સ રેલ્વેના ચોથા વર્ગના ક્વાર્ટર્સ હોય. તે ક્વાર્ટર્સનો કબજો ૫૦૦૦૦ થી ૧૦૦૦૦ રુપીયામાં વેચાય છે. તેના એજન્ટો હોય છે. જેમના નામે ક્વાર્ટર્સ છે તેમની કે એજન્ટની કોઈ જવાબદારી નહીં. તમે પૈસા આપો અને કબજો લો. જ્યારે તપાસ થાય ત્યારે તમે કબજો ગુમાવો. ત્યાં સુધી તમે બે ત્રણ હજાર ભાડું આપો. જેના નામે ક્વાર્ટર્સ છે તે તો ઝોંપડ પટ્ટીમાં જ રહેવાનું ચાલુ રાખશે. તેને તો આમ રહેવું ગોઠી ગયું છે.

બીલ્ડરો શું કરે છે?

બિલ્ડરો જે બ્રોશુઅર બહાર પાડે છે તે તમારા ભવિષ્યમાં થનારા દસ્તાવજ નો હિસ્સો હોતો નથી. તેને કોર્ટમાં માન્યતા પણ નથી. કારણ કે તેમાં પ્લાનમાં ફેરફાર કરવાના બિલ્ડરને અધિકાર હોય છે. સંડોવાયેલી પાર્ટીઓ એક નહીં પણ અનેક હોય છે. દા.ત. વેચનાર, જમીન માલિક, ખરીદનાર/રાઓ, એજન્ટ કે એજન્સી, કો ઓપરેટીવ હાઉસીંગ સોસાઈટી, મિલ્કતના વિકાસ કરનારાઓ અને આ સૌના પાવર ઑફ એટર્નીઓ. આ સૌના દસ્તાવેજો હોય છે. આમાં ઘણં બધું મભમ હોય છે. હવે જો તમારી ખરીદેલી મિલ્કતમાં તમને લાંબા કે ટૂંકા ગાળે ખબર પડે કે તમને અન્યાય થયો છે તો તમને ખબર પણ ન પડે કે આમાં કારણભૂત કોણ છે.

અત્યારે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનું પ્રકરણ ચાલે છે.

જે બાંધકામ પાર્કીંગનું હતું, ત્યાં ધંધાદારી દુકાનો થઈ ગઈ,

બીલ્ડીંગ આગળની જે હાલવા ચાલવાની કોમન વપરાશની જગ્યા હતી ત્યાં વાહનો પાર્ક થવા લાગ્યા,

જે ફૂટપાથ ચાલવા માટે હતી તે પણ પાર્કીંગમાં વપરાવવા લાગી,

ફૂટપાથ પાસેની રોડની લેન હતી તે કાપીને શહેર સુધરાઈએ પાર્કીંગની જગ્યા બનાવી અને તેના પૈસા લેવા માંડ્યા,

આ પૈસા ઉઘરાવવાના કામ માટે એજન્ટો નીમી દીધા.

આ બધું કામ સરાકારી અધિકારીઓએ હળી મળીને કામ કર્યું. આ બધી જગ્યાઓમાં જ્યાં થોડી જગ્યા બાકી રહી ગઈ ત્યાં લારી ગલ્લાવાળાને ઘૂસ મારવા દીધી જેથી સરકારી અધિકારીઓ (પોલીસ સહિત) ગુન્ડા એજન્ટો મારફત માસીયો કે અઠવાડીયો હપ્તો મેળવી શકે અને સીપાઈ સપરાં છૂટક ઉઘરાણું કરી શકે.

આમાં કશું ખાનગી નથી. તમે એક ગલ્લો બનાવો એટલે બધી ખબર પડશે. આપણા અતિસંવેદનશીલ ટીવી ચેનલોવાળાઓ અને સમાચાર પત્રો આ બાબતમાં કોઈ માહિતિ જાહેર કરશે નહીં. વીડીયો ક્લીપ પણ નહીં ઉતારે. અરે ભાઈ હવે તો છાપાના માલિકોએ પણ બિલ્ડરના ધંધામાં ઝંપલાવ્યું છે. જો ગુન્ડાઓ રાજકારણમાં ઝંપલાવે તો આ લોકોને પાનો તો ચડે જ ને?

આ ગેરકાયદેસર બાંધકામમાં બિલ્ડરો કેવી રીતે પૈસા કમાયા તે આપણે જાણીએ છીએ. લેબર કમીશ્નર સહિતના, સરકારી અમલદારો, કોર્પોરેશના અધિકારીઓ, ન્યાય તંત્રના ખેરખાંઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌએ ભેગા થઈ ખરીદનારાઓને છેતરીને લૂંટ્યા. ગેરકાયદેસર બાંધકામ હાજરા હજુર છે, સરકારી નોકરો હાજરા હજુર છે, બિલ્ડરો હાજરા હજુર છે. જે લૂંટાયા તે પણ પોતાની સાક્ષી આપવા તૈયાર છે. પણ ન્યાયાલયને કોઈ ગુનેગાર દેખાયા નહીં અને કોઈ દસ્તાવેજો દેખાયા નહીં. તેમને ફક્ત જે છેતરાયો એજ દેખાયો. અને તેની ઉપર ઈમ્પેક્ટ ફીનો દંડ ઠોક્યો. અને કહ્યું કે જાઓ, હવે તમારું બધું હવે કાયદેસર થઈ જશે. જે છેતરાયો એને તો સાંભળ્યો પણ નથી.

કાયદાનો ભંગ એ કાયદાનો ભંગ જ છે

બીજાને અગવડ આપીને તમે કાયદાનો ભંગ કર્યો તે ફોજદારી ગુનો જ ગણાય. ગેરકાયદેસર બાંધકામ અને દબાણની અસરો સમાન છે. સરકાર તેને કેવીરીતે કાયદેસર કરી શકે? સરકાર ઈમ્પેક્ટ ફી લગાવીને પણ તેને કાયદેસર કરી ન શકે. જો તમે ખોટી દીશામાં ગાડી ચલાવતા હો તો ટ્રાફિક પોલીસ દંડ જ કરી શકે. તમારી પાસેથી ઈમ્પેક્ટ ફી વસુલ કરીને તમને હમેશમાટે ખોટી દીશામાં ગાડી ચલાવવાની છૂટ આપી ન શકે. ગેરકાયદેસર બાંધકામ એ સતત રહેતું દબાણ છે. આપણા ન્યાયાલયો આ વાત કેમ સમજી શકતા નથી.

રસ્તાઓ આસપાસની જમીન ઉપરના દબાણો

એક ગામને બીજા ગામ સાથે જોડતા રસ્તાઓ ઉપર તમને ગેરકાયદેસર રીતે થયેલા બંધકામ અને લારી ગલ્લાઓ જોવા મળશે. જ્યારે તમે એક ગામડા કે કસ્બા કે શહેરમાંથી પસાર થાઓ ત્યારે પણ તમને રોડને ગામને અને જગ્યાને બદસૂરત કરતા લારી ગલ્લા અને દુકાનો મળશે. આમાં પાન, ચા, ગેરેજ, સ્પેરપાર્ટસ, કબાડી, રેસ્ટોરાં અને શાકભાજીની લારીઓ કે દુકાનો વિગેરે ની હરોળો પણ હશે. બે ગામો વચ્ચે પણ તમને ખાણીપીણીની ગંદી દુકાનો અને વાસમારતી મૂતરડીઓ જોવા મળશે.

રસ્તામાં આવતા પેટ્રોલ પંપો ઉપર તમને ફ્યુએલ સિવાયની કોઈ સ્ટેચ્યુટરી જરુરી સગવડ મળશે નહીં. આ સ્ટેચ્યુટરી સગવડોમાંથી અમુક હશે તો પણ તમે તેને પામી નહીં શકો. નાના બાબલાઓ તમને નોકરી કરતા પણ જોવા મળશે.

આવું શા માટે છે?

આવું એટલા માટે થાય છે કે આરોગ્ય ખાતાના અધિકારીઓ, રોડ એન્ડ બીલ્ડીંગના અધિકારીઓ, લેબર કમીશ્નરના અધિકારીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ સૌ કોઈ પોતાનો ભાગ લઈ ઘરભેગા થાય છે.

આ બધા ઉપરાંત પ્રજા ઉપયોગી રસ્તાઓ અને ફૂટપાથના બાંધકામમાં અનેક ગેરરીતો હોય છે. તમને કોઈ ગામમાં યોગ્ય રીતે બંધાયેલ રસ્તો કે ફુટપાથ જોવા મળશે નહીં. જ્યાં પણ હાથ નાખો ત્યાં તમને પ્રજાના પૈસા ની ગેરકાયદેસર રીતે થયેલી હેરાફેરી જોવા મળશે.

કોન્ટ્રાક્ટર, ગુન્ડાઓ, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત દૂર કરવી તમને અશક્ય લાગશે.

જ્યારે છેતરનારાઓએ વ્યાપક રીતે છેતરપીંડી કરી હોય ત્યારે એક તપાસ પંચ બેસવું જોઇએ. આ છેતરપીંડી માં સાથ આપનારા તો સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે. એટલે આતો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કહેવાય. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હોય અને તેમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોય તો ન્યાયતંત્રે ખાસ અધિકારવળા તપાસપંચની રચના કરવી જોઇએ અને દરેક ગેરકાયદેસર બાંધકામમાં સંડોવાયેલાઓની, જામીન ન મળી શકે તેવા વોરંટ હેઠળ ધરપકડ કરીને જ્યાં સુધી દરેક કેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી તેમને જેલમાં રાખવા જોઇએ.

પણ આ બધું કેવી રીતે થાય અને કોણ કરે? બિલાડી નહીં પણ વાઘોને ગળે ઘંટ કોણ બાંધે? અથવા તો વાઘના દાંત અને નખ કોણ કાપે?

પણ કશું અશક્ય નથી.

નરેન્દ્ર મોદી કહે છે કે પ્રણાલીઓ બદલવી જોઇએ. ટેક્નોલોજી આમાં બહુ સારો ભાગ ભજવી શકે તેમ છે. જે વિકસિત દેશોમાં થઈ શકતું હોય તો ભારતમાં કેમ ન થઈ શકે?

હવે પછીના પ્રકરણમાં જુઓ. આના ઉપાયો અઘરા નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સરકારી અધિકારીઓ, સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ, દબાણ, ગેરકાયદેસર બાંધકામ, બિલ્ડર, ડેવેલપર, પાવર ઓફ એટર્ની, ખરીદનાર, છેતરનાર, દસ્તાવેજ, મીલીભગત, હેરાફેરી, રજીસ્ટ્રાર, કોઓપરેટીવ, હાઉસીંગ, સોસાઈટી

Read Full Post »

ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ

નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પોતે ગરીબો પ્રત્યે કેવી સંવેદનશીલ છે અને તે ગરીબોને મદદ કરવા કેવી સારી સ્કીમો લાવે છે તે વાત આંકડા દ્વારા બતાવવા અર્થહીન સ્કીમો બનાવે છે. ઈન્દીરા આવાસ યોજના, કે સંપાદન કરેલી જમીનોમં પછાત વર્ગ માટે અમુક ટકા હિસ્સો અનામત રાખવો, મનરેગા, વિગેરે પૈસા અને જમીનના વ્યયના ઉત્તમ ઉદાહરણો છે.

જમીનસંપાદનઃ

જમીન સંપાદન કરતી વખતે જે જમીના હિસ્સાઓ ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તે હિસ્સાઓ કેવી રીતે ખમતીધર માણસો કબજે કરી લેછે તેનાથી કંઈ સરકાર માહિતગાર નથી એ વાત સાચી નથી. સરકારને બધી ખબર હોય છે અને સરકારી નોકરો માટે આ એક કમાણીનું સાધન હોય છે. આ કામ માટેના એજન્ટો હોય છે. તેમાં સરકારી કર્મચારીઓ અને રીટાયર્ડ અધિકારીઓ પણ એકબીજાની મીલીભગતમાં સામેલ હોય છે.  આવું જ રાહતોના ખેરાતદ્વારા બંધાયેલા કે બાંધીને રાહત દરે ખેરાત કરેલા મકાનોની દશા થાય છે.

જે ઝુંપડપટ્ટીઓ હોય છે તે ગેરકાયદેસર જ હોય છે અને સરકારી જમીન ઉપર હોય છે. આવી જમીનો ગૌચરની પણ હોય છે.

જમીનના ૧૦૦ બસો વાર ટૂકડા ગરીબોને રાહત દરે ફાળવવા કે જમીન ઉપર રૉ હાઉસ પ્રકારના નાના મકાનો બનાવીને રાહત દરે ખેરાત કરવા એ લાંબે ગાળે અર્થહીન બને છે. આવી જમીનો ગરીબ લોકો વેચી નાખે છે. અને આવા મકાને કાળક્રમે નજીકનું શહેર વિકસે એટલે રાહત દરે મળેલા આ રૉ-હાઉસો પણ આ ગરીબો વેચી નાખે

મકાનો કેવા હોવા જોઇએ?

ગામડાને સુંદર બનાવવા માટે અને જમીનનો વ્યય અટકાવવા માટે ગામડાની અંદર પણ મકાનો સંકુલ (હાઉસીંગ કોંપ્લેક્સ) પ્રકારના હોવા જોઇએ. સરકાર ગરીબોનું ભલું કર્યું છે તે બતાવવા ગામડામાં આવાસ યોજનાઓ હેઠળ મફતમાં કે સબસીડી દ્વારા જે રાહતની ખેરાત કરે છે તે જમીનનો વ્યય છે. આપણા ઘનીષ્ઠ વસ્તી વાળા દેશને આવો જમીનનો વ્યય પોષાય નહીં.

આપણે સમજવું પડશે કે એક માળીયા (જી), કે બે માળીયા (જી+૧), કે ત્રણ કે ચાર માળીયા (જી+૨, જી+૩) પણ જમીનનો વ્યય ગણાશે. વધુ માળવાળા મકાનોની અવગણના કરી શકાશે નહીં. વધુ માળવાળા મકાનો માટે સીમેન્ટ અને લોખંડની જરુર પડશે. જો કે લાકડું (સાગનું), કંઈક અંશે ૪ માળ સુધી સીમેન્ટ અને લોખંડની અવેજીમાં વાપરી શકાય તેથી નાના ગામડાઓ માટે જો આ લાકડું ઉપલબ્ધ કરી શકાતું હોય તો કરવું. પણ એક વાત સમજવા જેવી છે કે લાકડાના મકાનનું આયુષ્ય ટૂંકું હોય છે. અને જો જરુરી લાકડું ટૂંક સમયમાં ઉગાડી શકાતું હોય તો જ આવા લાકડાના મકાનોને સ્વિકારી શકાય.

ગાંધીજીએ એવી વાત કરેલી કે રૂ. ૫૦૦/- માં એક રહેઠાણ પડવું જોઇએ. અને ઘરમાંથી આકાશ દેખાવું જોઇએ. નાના ભૂલકાઓને રમવાની ખુલ્લી જગ્યા હોવી જોઇએ. હવે તેમણે જે વખતે મકાનની કિમત કે જે રૂ. ૫૦૦/- સૂચવેલી તે વખતે ઘી એક રુપીયાનું અઢીશેર મળતું હતું. આજે એટલું ચોક્ખું ઘી કદાચ ૪૦૦ રૂપીયે મળે. એટલે ૫૦૦ ગુણ્યા ૪૦૦ એટલે ૨૦૦૦૦૦ રૂપીયા કિમત થઈ. જો તમે આરસીસીના માળખા જ જો બનાવો તો એક ચોરસવારની કિમત રૂ. ૫૦૦૦/- થાય. જેઓ હાલ તુરત ગરીબ છે તેમને પૃથ્વીની જમીન ઉપર ઘર આપો તો તેમાં જમીનનો વ્યય પણ થાય અને મોંઘું પણ પડે. એટલે ૧૫ ફુટ બાય ૧૫ ફુટ ના ફ્લેટ આપી શકાય. આની અંદર સંડાસ અને રસોડું સામેલ હશે. આ રહેણાકોની રચના વિષે અલગથી વાત કરીશું.

સ્થાનિક સત્તામંડળ મકાનો બનાવીને ભાડે આપશે. મકાનો વહેંચશે કે વેચશે નહીં. તેમજ પેટા ભાડવાત તરીકે આપવા પણ દેશે નહીં.

બધી જમીન આમ તો સરકારી જ ગણાય. સરકાર કાંતો ફાજલ જમીનનો ઉપયોગ કરે છે અથવા જમીન ખરીદીને પ્રાપ્ત કરે છે. આ ખરીદીનો ખર્ચ તે પોતાના બજેટ ફંડમાંથી મેળવે છે.

ઝોંપડ પટ્ટીઓ જો દૂર કરવી હોય તો સરકારે એ જાણવું જોઇએ કે ઝોંપડ પટ્ટીઓમાં કોણ રહે છે.

ઝોંપડપટ્ટીઓમાં મજુરો રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હોય છે કે નોકરી કરતા હોય છે. જેઓ નોકરી કરતા હોય છે તેમને અલગ તારવવા પડશે. આવા લોકોનું ભાડું એમ્પ્લોયર કોન્ટ્રાક્ટ્રરો પાસેથી એડ્વાન્સમાં વસુલ કરવામાં આવશે.

રહેણાક કેવું હશે?

એક ચારમાળના બીલ્ડીંગ બ્લોકમાં ૧૫ બાઈ ૧૫ ફુટના ગાળાઓ હશે. સામસામેના બે ગાળા વચ્ચે ૧૫ ફુટ ની પહોળાઈનો જવા આવવાનો રસ્તો હશે.

એક કુટુંબને એક ગાળો ભાડે આપવામાં આવશે.

૧૫x૧૫=૨૨૫ ચો.ફુટ = ૨૫ ચો.વાર વત્તા ૫૦ ટકા કોમન સ્પેસ=૧૨.૫. એટલે કે ૩૭.૫ વત્તા  ૨.૫ દાદરો = ૪૦ ચોરસવાર થયું.

૨૭.૫ચો.વાર ફ્લેટ જેમાં ૨.૫ દાદરાનો હિસ્સો સામેલ છે. તેમાં ૨.૫ ચો.વાર. પાર્કીંગના ઉમેરો તો એક ગાળાનો ખર્ચ એક કુટુંબ માટે રૂ. ૩૦x6000=180000. આ ખર્ચ, ગાંધીજીએ આપેલીની સીમા પ્રમાણે થાયો કહેવાય. આમાં આપણે જમીનની કિમત ગણી નથી. જો કે આમાં પેસેજ નો વિસ્તાર ઉમેર્યો નથી. તે સરકાર જાળવણી ખર્ચમાં ગણશે. આમ તો વાસ્તવિક ખર્ચ ૨૪૨૫૦૦ થાય છે. પણ સામાન્ય વપરાશનું બાંધકામ કે જગ્યા છે તે સરકારની ગણાશે.

સરકારે કોઈને કશું ફોગટમાં આપવાનું નથી. એટલે કે ભાડું લેવાનું છે.

ભાડાની ગણત્રીઃ

ભાડાની ગણત્રી બે રીતે થઈ શકે મકાનની કિમતના સોમા ભાગનું દર મહિને ભાડું. એટલે કે ૧૮૦૦ રૂપીયા ભાડું. આ ભાડું પોષાય ખરું? ૨૦ ટકા હાઉસરેન્ટ ઓછું કરો. એટલે કે ૧૮૦૦-૩૬૦=૧૪૪૦ રૂપીયા માસિક ભાડું થયું. આ ભાડું પોષણક્ષમ છે. અને જેઓ બેકાર નથી તેઓ આપી જ શકે. જાળવણી ખર્ચ અલગથી વસુલ કરવામાં આવશે. આ હાઉસરેન્ટ ની કપાત જેમને હાઉસરેન્ટ મળતું નથી તેમને જ અપાય.

ભાડા વસુલીની રીત અને જાળવણીઃ

વર્ક ઓર્ડર પર મજુરોને ભાડે આપો. પણ ભાડું એમ્પ્લોયર પાસેથી વસુલ કરવાનું રહેશે. મજુર કાયદાની જોગવાઈઓમાં બીજી સામાન્ય જોગવાઈઓ ઉપરાંત ઘણી જોગવાઈઓ હોય છે.

જે કોન્ટ્રાક્ટરો મજુરો રાખે છે તેમણે મજુરકાયદા પ્રમાણે રહેઠાણની જગ્યા આપવાની હોય છે અને તેમાં સંડાસ પાણી અને વિજળીની સગવડ આપવાની હોય છે.

દરેક કામ વર્કઓર્ડર પ્રમાણે થાય છે.

એટલે વર્ક ઓર્ડરના અધારે અને પ્રમાણે લેબર ઓફીસર લેબર-લાઈસન્સ કાઢી આપે છે.

હાલમાં લેબર કમીશ્નરનો સ્ટાફ ડાબા હાથના પૈસા લઈ લેબર લાઈસન્સ કાઢી આપે છે. અને સાઈટ વીઝીટમાં ફાલતુ નોટીસ આપી પૈસા ઉઘરાવી ઘરભેગા કે ઓફીસ ભેગા થઈ જાય છે.

પણ જો કોન્ટ્રાક્ટરને આ રહેણાકો રાખવાની ફરજ પાડવામાં આવે એટલે કે જો કોઈ રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર કે જાહેર જનતાની જગ્યાનો રહેણાક તરીકે ઉપયોગ કરે તો તેની દબાણ કર્તા તરીકે ધરપકડ કરવી પડશે અને જે તે કોન્ટ્રાક્ટર ને પેનલ્ટી લગાડી ને બ્લેક લીસ્ટ કરવો અને તેનું લાયસન્સ રદ કરવું જોઇએ. કોન્ટ્રાક્ટર પાસેથી એડ્વાન્સમાં ભાડું વસુલ કરવામાં આવશે. જેની રોજગારી/નોકરી કાયમી હશે તેનું ભાડું તેમના પગારમાંથી કાપી લેવામાં આવશે. પણ કોન્ટ્રાક્ટર આ ભાડું એમ્પ્લોયર એડ્વાન્સમાં ભરશે.

આ માટે એક સીસ્ટમ અમલમાં મુકી શકાય.

જેઓ પાર્ટટાઈમ કામ કરે છે તેનું રજીસ્ટ્રેશન એમ્પ્લોયમેન્ટ એજન્સી લેબર કમીશ્નરની ઓફીસમાં કરાવે અને તે પૈસા ભરે. પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા એમ્પ્લોયમેન્ટ એજન્સીને ભરશે. જો આ કામ એમ્લ્પોયમેન્ટ એજન્સીને ન સોંપવું હોય તો સરકાર પોતે પણ આવું એક ખાતું દરેક ગામમાં કે વૉર્ડમાં ચલાવે અને  પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા સરકારી ખાતામાં જમા કરે અને આ ખાતું રોજીનો હિસ્સો ભાડા તરીકે ભરે.

જો મજુર છૂટો થાય કે તેને છૂટો કરવામાં આવે તો અને તે બેકાર થાય તો તેને ટ્રાન્ઝીટ કેમ્પમાં ફક્ત સુવાની સગવડ આપવામાં આવે અને તેની પાસેથી રૂ. ૧૦ વસુલ કરવામાં આવે. તેને સરકાર પરચુરણ કામ આપે. જેમ જેલના કેદીઓ પાસેથી કામ કરાવવામાં આવે છે તેમ તેમની પાસેથી કામ કરાવવામાં આવશે.

જો તે વ્યક્તિ આ કામ નહીં કરવા માગતી હોય તો તે પોતાની બચતમાંથી એડ્વાન્સમાં ઓછામાં ઓછું એક માસનું ભાડું એડ્વાન્સમાં જમા રાખવું પડશે. નહીં તો સરકાર કે સ્થાનિક મંડળ તેને ખાલી કરવાની કાર્યવાહી ચાલુ કરી દેશે.

જેઓને પોતાનું રહેણાક ખરીદવું છે તેઓ કોઈ આ બાંધકામો ખરીદી શકશે નહીં. તેને માટે હાઉસીંગબોર્ડ જુદી ભાડા ખરીદ પદ્ધતિવળી સ્કીમો બનાવશે અને તેમાં જમીનની કિમત ઉમેરવામાં આવશે અને જે હાઉસરેન્ટ ૨૦ટકા બાકાત મળતું હતું તે ઉમેરવામાં આવશે.

ભાડાની માસિક દરની રકમ કેવી રીતે નક્કી કરવી?

 જો મજુરનો રોજ રૂ.૧૦૦ હોય તો માસિક ૩૦૦૦ રૂપીયા આવક થઈ. જો પતિ પત્ની બે જણા કમાતા હોય તો રૂ. ૬૦૦૦ માસિક આવક થઈ. તો  આ ભાડું આવકના ૨૪ ટકા થયું.

હવે જો જમીનની કિમત ગણીએ તો મકાનની બહારની જમીન પણ ગણવી પડે. તેને આટલી જ ગણો. શહેરમાં જમીનનો ભાવ ઘણો જ હોય છે. ગામડામાં ઓછો હોય છે. વળી તે બદલાતો પણ હોય છે. તેથી તેને અનુલક્ષીને ભાડું નક્કી કરવું વાસ્તવિક બનશે નહીં.

જે ભાડું, મકાનના બાંધકામના ખર્ચના આધારે હોય છે અને તે એક વખત થઈ ગયું તેથી તે બાંધકામના ખર્ચ ને અનુલક્ષીને જ સરકારને પોષાય તેવું ભાડું મળવું જોઇએ. જાળવણી ખર્ચ બદલાતો રહેશે. દા.ત. ભાડાના ૫ ટકા જાળવણી ખર્ચ અને ૫ ટકા વહીવટી ખર્ચ એટલે ૧૪૪૦ + ૧૪૪ = ૧૫૮૪ થાય. જેમાં ૧૪૪ છે તે મોંઘવારીના આંકડા સાથે સાંકળવામાં આવશે. 

જાળવણી અને વ્યવસ્થા માટે જવાબદાર એક બીલ્ડીંગ બ્લોક દીઠ એક પોલીસ કર્મચારી રાખવામાં આવશે. આ પોલીસ કર્મચારી ત્યાં જ એક ગાળામાં રહેશે.

પોલીસ કર્મચારીને રાખવાનું કારણ એ છે કે લોકોને ડાઈરેક્ટ પોલીસ એક્સનનો ભય રહે.

જો કોઈ ભાડું ભરવામાં ચૂક કરે તો?

સરકારે ઓછામાં ઓછા એક માસનું ભાડું અગાઉથી લેવાનું હોવાથી જેવું એકમાસ બાકી રહે અને ભાડવાત ભાડા-ચૂકમાં આવે કે તરત તેને નોટીસ જાય કે ફલાણી તારીખે તેના રહેણાંકનો કબજો લઈ લેવામાં આવશે. આ નોટિસ પોલીસ જ આપશે કારણે તેની ડ્યુટી જ આ છે અને તે ત્યાં જ ડ્યુટી કરતો હોવાથી અને રહેતો હોવાથી તેને તત્કાળ નોટીસ બજવી શકશે.

જે ભાડવાત ચૂક કરે છે તેનું શું કરવુ?

આવા ભાડવાતને આશ્રયહીન અને આવકહીન ગણી ટ્રાન્ઝીટ હંગામી રહેણાંકમાં સીફ્ટ કરવો જ્યાં તેને ફક્ત સુવાની જગ્યા હશે અને સ્ત્રી પુરુષ અલગ અલગ રાખવામાં આવશે. આ ટ્રાન્ઝીટ રહેઠાણમાં પણ રૂ.૧૦ રોજના લેવામાં આવશે. જેલના કેદીઓની જેમ તેની પાસે કામ કરાવી પૈસા વસુલ કરવામાં આવશે.

જોકે આ બાબતમાં રાજ્યની સરકારે અને સ્થાનિક સ્વરાજ ની સંસ્થાએ કટીબદ્ધ થવું જોઇએ. કોન્ટ્રાક્ટરે કે એમ્પ્લોયરે ઓળખકાર્ડ ફરજીયાત આપવા પડે. જો કે મજુર કાયદાઓમાં આ જોગવાઈઓ છે જ. પણ લેબર કમીશ્નર, વર્ક ઓર્ડર આપનાર અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતમાં બધું લોલં લોલ ચાલવા દેવામાં આવે છે.

એક વિસ્તાર પૂર્વકના ફાળવણીના, ભોગવટાના,  નીગરાનીના, નોધણીના (રેકૉર્ડઝના), જાળવણીના અને નીરીક્ષણના બાય-લોઝ બનાવવા જોઇએ.

એક બીલ્ડીંગ બ્લોક માં ૧૪૨ કુટુંબોને એક એક ૧૫ ફુટ બાય ૧૫ ફુટનો ગાળા ફાળવી શકાય

માસિક આવક રૂ. ૨૨૪૯૨૮ થાય જેમાં ૨૦૪૪૮ સામેલ છે.

સુવાના ૨૯૬ સીમેન્ટની પથારીઓ છે. જેની રોજની આવક રૂ. ૨૯૬૦ થાય. એક માસની આવક રૂ. ૮૮૮૦૦ થાય.

જો તેઓ ભાડા ભરવામાં ચૂક કરે તો તેમને હંગામી સુવાની જગામાં ખસેડી શકાય.

એક બ્લોક દીઠ આઠ પોલીસ કર્મીઓને નોકરી મળશે. બે સફાઈ કામદારોને રોજી મળશે. સરકારને નહીં નફો નહીં નુકશાનનો ધંધો થશે.

જો વધુ આવક કરવી હશે તો બેઝમેન્ટમાં ૩૦૦ લારી, ગલ્લા અને પાથરણા વાળાને ભાડે જગાની ફાળવણી કરી શકાશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રહેણાંક, સંકુલ, હંગામી, સુવાની જગ્યા, પોલીસ, ગાળા, બાય લૉ, ભાડવાત, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, હાઉસીંગ બૉર્ડ, સરકાર

Drg01

Read Full Post »

%d bloggers like this: