Feeds:
Posts
Comments

Posts Tagged ‘સ્વચ્છતા’

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

Paint01

શું ગાંધીજી પ્રસ્તૂત છે?

૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.

વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.

પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.

જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.

તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.

જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.

કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.

સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.

જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.

સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.

ગાંધીજીનું યોગદાન

૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.

ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!

કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક  કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”

ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.

ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.

ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.

અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.

આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).

જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે  સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.

તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.

બ્રીટનમાં અહિંસક માર્ગે  જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.

ગાંધીજી એક બહુમુખી પ્રતિભા

ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..

તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.

આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે.   ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.

કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.

ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.

ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ

અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો  મોટો કોયડો હતો.

ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો,  …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….

આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….

ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?

(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,

(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,

(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,

(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.

(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,

(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.

(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.

(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ

એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.

જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.

(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ  (કર્તવ્ય) છે,

(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ

આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.

શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”

અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.

ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.

હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.

આરોગ્યઃ

ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.

માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.

ઉપવાસ અને કુદરતી ઉપચારઃ

૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.

“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?

એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.

ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.

આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.

“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,

“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે  વિચાર વિમર્શ થઈ શકે,

સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?

સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …  

બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.

સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.

જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?

આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.

જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.

https://wordpress.com/start/account

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્‌

અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ

અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે  (કોઈ એક રોગનું) ઔષધ

ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.

ગાંધીજી આવા યોજક હતા.

તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન  કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં,  નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.

અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.

Read Full Post »

ટ્રાફિક સમસ્યા એ પાન સોપારી કે લાડુનું જમણ – ૨

ટ્રાફિક સમસ્યા પાન સોપારી કે લાડુનું જમણ

આપણે ત્યાં એક આદત છે કે જ્યારે કોઈ એક સમસ્યા પ્રત્યેની જવાબદારી ફીક્સ કરવી હોય અને કમાણી ચાલુ રાખવી હોય તો સમસ્યાને ફીલોસોફીકલ બનાવી દો, સમાસ્યાનું સામાન્યીકરણ કરી જનતાના સપોર્ટની વાત કરી દો અને જેઓ જવાબદાર છે તેને બચાવી લો. જેઓ જવાબદાર છે તેઓ પોતે ઘણું બધું કરી રહ્યા છે તેના આંકડા તૈયાર કરી પ્રદર્શિત કરો.

સ્વચ્છતા અભિયાન

નગર નિગમ, નગરપાલિકા અને ગ્રામ પંચાયત ની પ્રાથમિક જવાબદારી મહાનગરને, નગરને કે ગામને સ્વચ્છ રાખવાની છે.

તો ચાલો આપણે જાહેરાતો કરી દઈએ કે જે ગંદકી કરશે તેનો આટલો આટલો દંડ થશે. તેને માટે ટીવીમાં લગાતાર જાહેરાતો આપો. જાહેરાતના બોર્ડ ઠેર ઠેર લગાવી દો. કેટલીક વ્યક્તિઓને બ્રાંડ એમ્બેસેડર બનાવી દો. વ્યક્તિઓની જાહેરાત માટેની વીડીયો ક્લીપો બનાવી દો. થોડીક રમૂજી થોડીક પ્રત્યાઘાત બતાવતી, થોડીક દંડાત્મક વીડીયો ક્લીપો બનાવો. થોડાક સંમેલનો કરો. ઠેર ઠેર માનવ સાંકળો બનાવો. સફાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સિવાયના બધાં કાર્યો કરો. બધા કાર્યોમાં પૈસા ખર્ચ થશે. જ્યારે પણ પૈસા ખરચ થાય ત્યારે લાગતા વળગતાઓને કટકી મળતી હોય છે.

સરકારી નોકરોના આવા સંસ્ક્રાર નવા નથી.

એક વાત કરવી પડશે.

એક મુરતીયાભાઈ તેમના મિત્રને લઈને એક કન્યા જોવા ગયા. કન્યાના બાપે પૂછ્યુંતમને કંઈ વ્યસન બ્યસન ખરુંએટલે પેલા મિત્રે કહ્યું; “નાજીઆમ તો ખાસ કંઈ વ્યસન નથી. જરા ….  એલચી ખાવાની ટેવ ખરી.”

કન્યાના બાપે કહ્યુંહોય તોપણ કંઈ નહીંને એલચી ખાવાની ટેવ કેમ કરતાં પડી?

મુરતીયાના મિત્રે કહ્યુ; “વાત જાણે એમ છે ને કે આને સિગરેટ પીધા પછી મોઢામાંથી બીજાને વાસ આવે નો ગમે. એટલે ઈને એલચી ખાવા જોવે. એલચી ખાવાથી સિગરેટની વાસ દબાઈ જાય. આવડો સામે વાળાનો બવ ખ્યાલ કરે … !

કન્યાના બાપઃ એટલે શું ભાઈ સિગરેટ પણ પીવે છે?

મુરતીયાનો મિત્રઃના રેના તો મિત્રો જોડે પાનાં (પત્તાં = પ્લેયીંગ કાર્ડ) રમે ને મિત્રોનું માન રાખવા એક બે ફૂંક મારી લ્યે. ભાઈબંદો આગ્રહ કર્યા કરે કે ભલા ભાઈ, બે ફૂંક મારી લે નેજરા કૉંટો (તાજગી) ર્યેશે. અરે તમે નહીં માનો શરુઆતમાં તો આને ફૂંક લે અને ઉધરસ આવે એવું થતુતું. પણ પછી ફાવી ગ્યું તીન પત્તીમાં તો કૉંટો ચડે ત્યાં સુધી મજો આવે, હું કીધું ?

કન્યાનો બાપઃએટલે કે તમે બધા જુગાર પણ રમો છો …?

મુરતીયાનો મિત્રઃના ભાઈ ના …. અમને તો પાના ટીપતાં (ચીપતાં) પણ નોતું આવડતું તો જેલમાં ગયા તો બીજા કેદીઓએ શિખવાડી દીધું….”

કન્યાનો બાપઃએટલે કે તમે તો જેલમાં પણ જઈ આવ્યા છો? “

મુરતીયાનો મિત્રઃનારેનાઆમ તો પકડાય એવો નથ. ભારે દોડબાજ છે. સીપાઈ સપારાંના તો હાથમાંય નો આવેએક સીપાઈને તો આણ્યે ક્યાંય પાડી દીધોતો. પણ મારો વાલીડો ફોજદાર ભારે લોંઠકોએણે જે હડી કાઢી કે અમને બધાને પકડીને ભોં ભેગા કર્યા ને માળાએ ચોરીને બધો માલ પણ પડાવી લીધો …?

કન્યાનો બાપઃએટલે કે તમે ચોરી પણ કરો છો…?

હવે આગળની વાત લખાય એમ નથી.

પણ બધું એલચીની વાંહે વાંહે હાલ્યું આવે .

ઉપરની વાતમાં તો આપણે એક પ્રકારના ચોરની વાત કરી. પણ ચોર તો જાત જાતના હોય છે એટલે કે જાત જાતની ચોરી કરતા હોય છે. કેટલાકને પકડવા્માં આવે છે અને કેટલાકને પકડવામાં આવતા નથી. ફોજદાર તો શું પોલીસ ફોજદારના બાપના બાપના બાપના બાપનો બાપ પણ તેને પકડતો નથી.

પ્રાથમિક ફરજ

સૌ કોઈ જાણે છે કે નગર નિગમ, નગરપાલિકા અને ગ્રામ પંચાયત ની પ્રાથમિક જવાબદારી મહાનગરને, નગરને કે ગામને સ્વચ્છ રાખવાની છે.

સ્વચ્છતા એટલે શું?

સ્વચ્છતા એટલે ફક્ત કચરો હોય, એમ નહીં. (જો કે કચરો પણ ઘણો હોય છે).

સ્વચ્છએટલે રસ્તા ખાડા ટેકરા વગરના હોય અને પાકા હોય. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથો પણ આવી જાય. ફૂટપાથો પણ ચડ ઉતર વગરની હોય, ફુટપાથો રસ્તાથી નિશ્ચિત માપે ઉંચી હોય, ફુટપાથો ભાંગ્યા તૂટ્યા વગરની હોય, ફુટપાથો અડચણ વગરની અને દબાણ વગરનીહોય, ફુટપાથ ઉપર સહેલાઈથી વ્હીલચેર અને સ્ટ્રોલર ચલાવી શકાય તેવી હોય તો રસ્તા સ્વચ્છ કહેવાય.

કર્મચારી લોકોને તેમની દૂંટી ઉપર પગાર ચૂકવવામાં આવે છે

આપણે બધાને એટલે કે સરપંચ, સેક્રેટરી, ચીફ ઓફીસર, મ્યુનીસીપલ કમીશ્નર સુધીના બધાને કમીશ્નર કહીશું કારણ કે તેઓ તેમના કામના અને ઑફીસના ઉપરી છે.. કમીશ્નરોથી ઝાડુવાળી સુધી બધાંને ગ્રામ/ શહેર સુધરાઈની (સફાઈની) ફરજ બજાવવા માટે તેમની દૂંટી ઉપર પગાર ચૂકવામાં આવે છે. દૂંટી ઉપર શા માટૅ? એટલે કે તેમને ખબર પડે કે તેમને જે પગાર મળે છે તેનો સીધો સંબંધ તેમના પેટ સાથે છે.

જો મ્યુનીસીપલ કમીશ્નર એક અઠવાડીયે દશ કિલોમીટરનો એક મેન રોડ ઇન્સ્પેક્શનમાં લે તો એક વર્ષમાં;

૫૪ એક્ઝીક્યુટીવ એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા સિવાયના બાકીના ત્રેપન સુધરે તો.

૨૧૬ આસીસ્ટન્ટ એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા ચાર સિવાયના બાકીના ૨૧૪ સુધરે તો.

અને બધા જુનીયર એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા ચાર સિવાયના બાકીના ૪૨૮ સુધરે તો.

બધા અધિકારીઓ તો પોતાનું દળદર ફીટાવવા માટે નોકરી કરે છે. જો તેમ હોય તો કમીશ્નર જો એક રસ્તાનું ચેકીંગ કરે અને તેમાં રહેલી ખામીઓમાં જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરે તો બધા સીધા થઈ જાય.

આજ પ્રણાલી કમિશ્નર, ગેરકાયદેસર થતા બાંધકામમાં લાગુ પાડી શકે છે.

કમીશ્નર પણ જાણે છે અને વર્તે પણ છે, કે આપણે અહીં (ગુજરાતમાં) દળદર ફીટાવવા આવ્યા છીએ. ગુજરાતને અને તેના લોકોને સુધારવા આવ્યા નથી.

ટ્રાફિકમાં અરાજકતાનું કારણ શું?

ટ્રાફિકની અરાજકતા પેદા કરવામાં ટ્રાફિક પોલીસ, તેના ઉપરી અધિકારીઓ, કમીશ્નર અને તેની સેના, જનતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, બીલ્ડરો, કમીશ્નરના કોંટ્રાક્ટરો, સચિવાયલના સેક્રેટરીઓ, રોડબીલ્ડીંગના મંત્રી અને ન્યાયધીશો સુદ્ધાંની મિલીભગત છે.

દાખલો જુઓઃ

કોઈ એક બીલ્ડીંગ લો.

આપણે એક બહુમાળી મકાન લીધું.

ધારો કે ટીપી સ્કીમ બરાબર છે.

બિલ્ડરભાઈએ પ્લાનમાં કાર પાર્કીંગની વ્યવસ્થા મંજુર થયેલા પ્લાન પ્રમાણે કરી.

બેઝમેંટ પાર્કીંગ, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કીંગ. અને તે પછી રહેણાંક ના એપાર્ટમેન્ટ એમ કંસ્ટ્રક્ષન કર્યું.

પછી બિલ્ડરભાઈએ બેઝમેંટ પાર્કીંગના બધા અથવા અમુક પાર્કીંગ અને ગ્રાઉન્ડફ્લોરના અમુક કે બધા પાર્કીંગ, રહેણાંક વાળાને નહીં પણ બીજાને વેચી દીધા.

જેણે જગ્યા લીધી તેમણેચેન્જ ઓફ યુસેજના આધારે દુકાનો કરી દીધી. કમીશ્નર સાહેબે વિચાર્યું કે ચાલો આપણે તો મ્યુનીસીપાલીટીને વધુ કમાણી કરાવીએ. “કોમર્સીયલયુસેજમાં ટેક્સનો દર વધુ છેતેમણે વધુ દર ઠોકી દીધો અને પોતાની પીઠ થાબડી.

જ્યારે બિલ્ડીંગનો પ્લાન પાસ કરવા મુક્યો હોય ત્યારે પ્લાનમાં પાર્કીંગ હોય તો તે એફ.એસ.આઈ. માં ગણાય. પણ જ્યારે તેનો કોમર્સીયલ ઉપયોગ થાય ત્યારે તેની એફ.એસ.આઈમાં ગણત્રીથાય. એટલે, બાંધકામ ગેરકાયદેસર ગણાઈ જાય. પણ વાતની સામે આંખ આડા કાન કરવામાં આવે છે.

કોઈ દોઢ ડાહ્યા લોકાત્માએ કોર્ટમાં જનહિતની અરજી (પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન) કરી.

લોકાત્માએ કહ્યું કે એપાર્ટમેન્ટના રહેવાસીઓનો પાર્કીંગ ઉપર હક્ક છે.

જનહિતની વિરુદ્ધનો કોઈપણ કાયદો કે જનહિતની વિરુદ્ધનું કોઈ પણ કદમ રદ થાય છે.

હવે થયું શું?

કડદો થયો.

બિલ્ડર ભાઈને જેલની સજા થાય, કમીશ્નરને જેલની સજા થાય. રોડ એન્ડ બીલ્ડીંગના સેક્રેટરીને જેલની સજા થાય. ટ્રાફિક પોલીસ અને તેના સાહેબોને જેલની સજા થાય. જનપ્રતિનિધિઓને જેલની સજા થાય. પણ બધું નક્કી કોણ કરી શકે?

ન્યાયધીશ સાહેબ નક્કી કરી શકે.

judiciary

ન્યાયધીશ સાહેબને કહેવાશેસાહેબ તો બહુ વ્યાપક છે.”

ન્યાયધીશ સાહેબ કહેશેતો શું કરીશું?”

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેકુલડીમાં ગૉળ ભાંગીએ.”

ન્યાયધીશ સાહેબ કહેશેકેવી રીતે?”

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેસાહેબ, સવાલ તો પાર્કીંગ નો છે ને…!! …. બિલ્ડરભાઈ અને પાર્કીંગમાં કરેલી દુકાનવાળાઓ ભેગા થયા. એવું પણ બને કે બિલ્ડર ભાઈ તો કુલા ખંખેરીને કહે કે હું તો પીક્ચરમાં છું નહીં. મેં તો જગ્યા આપી, વાત ખતમ. મ્યુનીસીપાલીટીએ તમારી પાસેથી લાગુ પડતો ટેક્સ લીધો. મને કોઈ નોટીસ આપી નથી. મારી કોઈ જવાબદારી બનતી નથી.

જો કે છેતરપીંડીનો કેસ બને છે.

પણ દેડકાની પાંચશેરી જેવા દુકાનદારો અને રહેવાસીઓના સંજોગો અલગ અલગ હોય છે.

સરકારી અધિકારીઓ મનમોહન સિંગની જેમ રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા છે.

સરકાર જો તપાસ એજન્સી નીમે તો સૌ બિલ્ડર પાસેથી પૈસા ચરકાવી શકાય. પણ સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તો મનમોહન સિંગની જેમ રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા હોય છે. તેથી તેઓ તો આવી કોઈ તપાસ સમિતિ નીમે નહીં. “આવ પથરા પગ ઉપરજેવું તો તેઓ કરે નહીં.

તો મૂળ વાત ઉપર આવીએ

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેસાહેબ, સવાલ તો પાર્કીંગ નો છે ને…!! ….

ન્યાયધીશ સાહેબ કહેશેઃહાસવાલ તો પાર્કીંગ નો છે,”

તો અમે નજીકમાં ક્યાંક ખાલી (ઓપન) પ્લોટ આપી દઈશું.

ખાલી પ્લૉટ ક્યાં …. , કેવીરીતે …. , કેવડો …. , કેવી કંડીશનમાં …. , કોનો પ્લોટ ….. , કેટલા સમય માટે …. , ક્યારે …..  કોને …. વિગેરે બધું બભમ બભમ રાખીશું ….

એટલે કે આજની ઘડીને કાલ દિ ….

યાદ કરો પ્રતિજ્ઞા નહેરુનીજ્યાં સુધી અમે ચીને કબજે કરેલો ભારતીય મુલક, પુનર્પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી જંપીને બેસીશું નહીં … “ તે આજની ઘડીને કાલ નો દિ …“, નહેરુના પૌત્ર ઇન્ડોનેશિયામાં રજા ગાળવા ગયા અને મોટા માછલાને સમૂદ્રમાં સૈર કરતાં કરતાં બચાવ્યું …”

ન્યાયધીશ સાહેબને પોતાના ટેબલ ઉપર પડેલા તેમના ચશ્મા દેખાતા નથી.

કોઈની મિલ્કતનો કબજો કરવો તે ફોજદારી ગુનો બને છે. ફોજદારી ગુનો ગુનો રહે છે. ફોજદારી ગુનાઓમાં ગુનેગાર પોતે માંડવાળ કરી શકે. કદાચ કોઈ પણ કરી શકે. પણ અહીં ન્યાયધીશ સાહેબ, ફરેબી માંડવાળ કરે છે. માંડવાળને માંડવાળ નામ અપાતું નથી.

ટૂંકમાં રહેવાસીઓના વાહનો રસ્તા ઉપર પાર્ક થવા માંડ્યાં. દુકાનોના ગ્રાહકોના વાહનો પણ રોડ ઉપર જગ્યા રોકવા લાગ્યા. મ્યુનીસીપલ બાયલૉઝ પ્રમાણે મકાનની આગળની સાઈડમાં જે ૧૫ ફૂટની જગ્યા અવરજવર માટે ખૂલ્લી રાખવાની હોય છે ત્યાં દુકાનોનો સામાન ખડકવામાં આવ્યો કે રેસ્ટોરાંના ખુરસી ટેબલ બીછાઈ ગયાં, ગલ્લા કે ખૂમચા વાળા આવી ગયા. અને બાઈક, સ્કુટર પાર્ક થાય તે લટકામાં. રોડ ઉપર પાર્કીંગની ડબલ ડબલ લાઈનો થઈ ગઈ. ફૂટપાથ તો ગોતી જડે. “શોભા બેનમાટેનો પાર્કીંગના બોર્ડ પણ લગાવી દીધાં.

ટૂંકમાં ફરીયાદી હાજર છે, ચોર હાજર છે, ચોરીનો માલ હાજર છે, ચોકીદાર હાજર છે, ગુનાની વિગત ઉપલબ્ધ છે, સાક્ષી હાજર છે, પણ ન્યાયધીશ સાહેબને કાયદા રુપી ચશ્મા ટેબલ ઉપર પડ્યા હોવા છતાં પણ પહેરવા ગમતા નથી.

ઈન્દીરાઈ સરકારી સિદ્ધાંતઃ

કોઈ પણ સમસ્યાને એવી રીતે લંબાવ્યા કરો જેથી તે સમસ્યાથી લોકો ટેવાઈ જાય. આથી કરીને સમસ્યા સમસ્યા નહીં રહે. આપણે બાંગ્લાદેશી ઘુસપેઠીઓની વાત નહીં કરીએ. આપણે ઝોંપડ પટ્ટીઓની વાતો કરીશું.

ઉદ્યોગો શહેરોમાં સ્થાપ્યા એટલે શહેરીકરણ થયું ગામડેથી મજુરો આવવા લાગ્યા એટલે ઝોંપડપટ્ટી વધવા લાગી. જો કે કોંટ્રાક્ટરની ફરજ છે કે તે પોતાના મજુરોને રહેવા માટે યોગ્ય રહેણાંકની વ્યવસ્થા કરી આપે. લેબર કમીશ્નરની ફરજ છે કે તે મજુરોના માનવ હક્કના પાલન ઉપર ચોકસાઈ રાખે. પણ લેબર કમીશ્નર સાહેબને તો ટેબલ ઉપર બેસીને કામ કરવું છે. તેઓશ્રી તો કોઈ લખેલી ફરીયાદ આવે તો ચશ્માવડે વાંચી શકે છે. જો વાંચે તો તેમના અધિકારીને મોકલી આપે જેનીલ” (શૂન્ય) રીપોર્ટ લાવે. જો કે ઉઘરાણું કરતો આવે એટલે કમીશ્નર સાહેબને વાંધો શેનો હોય? આમ ઝોંપડ પટ્ટીની સમસ્યાથી રહેવાસીઓ અને જોનારા પણ ટેવાઈ જાય.

પણ કંઈક તો કરવું જોઇએ

હાજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે અમારે અવારનવાર જનતા પાસે ચૂંટાઈ આવવા જવું પડે. એટલે છાપામાં અમારે અમુક આંકડાઓ પ્રસિદ્ધ કરવા પડે.

તો હવે શું કરીશું?

નહેરુવીયન કોંગ્રેસે ખેરાત (દાન ધરમ) અને અનામતનો રસ્તો શોધ્યો. વ્યાજ માફી, કર્જ માફી, મફત ખાતર, મફત અનાજ, જેવી ખેરાતોની જોગવાઈ કરી તેમ શિક્ષણ અને નોકરીઓમાં અનામત રાખી. હવે અનામતનું વિસ્તરણ કરો. અનામતમાં જમીનને પણ સામેલ કરો.

કામ કેવી રીતે કરીશું?

ટાઉનપ્લાનીંગ સ્કીમમાં અમુક પ્લૉટ અનામત રાખો.

ટાઉન પ્લાનીંગ કેવી રીતે કરીશું?

એમ કરો. એક ફૂટ પટ્ટી લો. સળંગ ઉભી અને આડી લાઈનો દોરો. લાઈનોને રસ્તા તરીકેની ઓળખ આપો. બાકી જે જગ્યા બચી તેમાં બીજા ખેતરોની કિનારોનીઓને અકબંધ રાખી નાના નાના વિભાગો પાડો. તેમાં થોડા ચણના દાણા વેરો. જે ચોરસો માં દાણા પડ્યા તેને “(પછાત જાતિઓ) માટે અનામતએમ નિશ્ચિત કરો. થોડા વાલના દાણા લો. તેને પણ વેરો. આનેકોમર્સીયલએમ નામાભિધાન કરો. રુપીયાનો સિક્કો લો. નાનું ગામ હોય તો આઠ આનાનો સિક્કો પણ ચાલશે. જ્યાં રુપીયાનો સિક્કો પડે તેનું સકરડું (ચકરડું) કરોએને નામ આપોગાર્ડન”. પ્લાનીંગ પૂરું.

હવે આપણા સ્ટાફને કામે લગાડી દો કે જે પછાત જાતિઓને ખપ પૂરતી શોધી લાવે. ખમતીધર તો ઑટૉમેટિક આવશે. દશવર્ષ પછી ખમતીધર જમીન પોતાના નામે કરી દેશે. વાત પૂરી. આંકડામાં કહી શકાશે કે અમે ગરીબોને આટલી જમીન વહેંચી.

ઈન્દીરાઈ યોજના પ્રમાણે ૧૦૦ વારના પ્લોટ મફત આપો. કોના બાપની દિવાળી? મકાન બાંધવા માટે સસ્તી લોન ખેરાત કરો. તૂટ્યાફૂટ્યા મકાનો થશે. જે ઝોંપડપટ્ટી સાથે સ્પર્ધા કરશેશહેર ત્યાં પહોંચી જશે. હવે નવી સ્કીમ કરો. એવાં મકાન કરો કે દશ પંદર વર્ષમાં પડીને પાધર થાય. અનુસંધાનઃ સીડકો ટાઈપસી, બ્લોક થી , સીબીડી, બેલાપુર, નવી મુંબઈ. સમય ૧૯૮૬૨૦૦૧. જો કે સ્લમક્લીયરન્સની સ્કીમ હતી. પણ ૧૪૦ એપાર્ટમેન્ટ પડીને પાધર થયા વાત સાચી. એટલે ગરીબોની સ્કીમમાં સમય ગાળો ઓછો હોઈ શકે મુદ્દાની વાત છે.

ભાડવાત કાયદો નહેરુવીયન શાસનની એક માનવ હત્યા કરનારો કાયદો છે. કાયદાએ અત્યારે સુધીમાં લાખો માનવ હત્યાઓ કરી છે.

બધી લાડુના જમણની અને દળદર ફીટાવવા માટેની સ્કીમો છે.

જમીનના ઉપયોગના, ગ્રામ્ય રચનાના, નગર રચનાના અને પશુપાલનના ખ્યાલો અને માનસિકતા બદલવી પડશે.

ઉપાયો અને વિગતો માટે વાંચો “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ” ભાગ ૧ થી ૭ છે.

જે https://treenetramDOTwordpressDOTcom ઉપર ઉપલબ્ધ છે.

ભાગ-૧ નીચેની લીંક ઉપર છે.

https://treenetramDOTwordpressDOTcom/2014/03/16/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87/

અહીં તમારે જ્યાં “DOT“ લખ્યું છે ત્યાં તમારે “.” એટલે કે ટપકું કરી દેવાનું છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જવાબદારી ફીક્સ, ફિલોસોફીકલ, સામાન્યીકરણ, સ્વચ્છતા અભિયાન, નગર નિગમ, નગરપાલિકા, ગ્રામ પંચાયત, પ્રાથમિક જવાબદારી, સ્વચ્છતા, જાહેરાતના બોર્ડ, માનવ સાંકળ, વ્યસન  બ્યસન, ફોજદાર ભારે લોંઠકો, એલચી, ખાડા ટેકરા વગરના, ફૂટપાથો પણ ચડ ઉતર વગરની, ફુટપાથો રસ્તાથી નિશ્ચિત માપે ઉંચી, દબાણ વગર, મ્યુનીસીપલ કમીશ્નર, એક્ઝીક્યુટીવ એન્જીનીયર, લાડુનું જમણ, દળદર ફીટાવવા , ગેરકાયદેસર થતા બાંધકામ, ટ્રાફિકમાં અરાજકતા, ટીપી સ્કીમ, એફ.એસ.આઈ., કોમર્સીયલ, બાંધકામ ગેરકાયદેસર, લોકાત્મા, પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન, કડદો, ન્યાયધીશ સાહેબ, બિલ્ડરભાઈ, કમીશ્નર સેના, જનપ્રતિનિધિ સેના, કુલા ખંખેરી, છેતરપીંડી, રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા, તપાસ એજન્સી, આજની ઘડીને કાલ નો દિ, માંડવાળ, કાયદા રુપી ચશ્મા, ઈન્દીરાઈ સરકારી સિદ્ધાંત, લેબર કમીશ્નર, ઝોંપડ પટ્ટી, ખેરાત, અનામતનું વિસ્તરણ, ટાઉનપ્લાનીંગ, સ્કીમ, સમસ્યાઓનું નિરાકરણ, નવ્ય ગાંધીવાદ

ચમત્કૃતિઃ ધારો કે બોરીવલી થી ચર્ચગેટનું (તળ મુંબઈ)નું અંતર ૩૦ કિ.મી. છેબોરીવલીથી ચર્ચગેટ જતાં અઢી કલાક થાય છે તો તેનો અર્થ એમ થયો કે સરેરાશ ઝડપ ૧૨ કિ.મી.ની થઈ.  જો કોઈ પણ એક સમયે દર ૧૦૦ મીટરમાં ત્રણ લેનમાં કુલ ૧૨ ગાડીઓ છે. તો એક કિ.મી. માં ૧૨૦ ગાડીઓ થઈ. જો સરેરાશ ઝડપ કોઈપણ હિસાબે ૨૪ કિ.મી. ની કરી શકાય તો રસ્તા ઉપર ગાડીની સંખ્યા એટલે કે અડધી થઈ જાયજો ૪૮ કિ.મી. ની ઝડપ કરવામાં આવે તો દર સો મીટરે તમને એક લેન ઉપર એક ગાડી જોવા મળે. આમ સ્પીડ વધવાથી રોડ ઉપર વાહનોની ભીડ ઓછી થાય. પણ ઝડપ ઓછી કેમ થાય છે? કારણો છે દબાણ, ગેરકાયદેસર પાર્કીંગ, ટ્રાફીક સેન્સનો અભાવ, અણઘડ રોડ પ્લાનીંગ અને અણઘડ નગર આયોજન.

ધારો કે તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે એક કિ. મી. ચાલતાં જવું પડે છે. અને ધારો કે કોઈ એક સમયે આવી રીતે ચાલતા જતા લોકોની સંખ્યા ૫૦ છે. જો તમને ૨૫૦ મીટરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ મળી જાય તો રોડ ઉપર ચાલતા માણસોની સંખ્યા ૧૨ થઈ જાય. પેરીસમાં તમને ૨૫૦ મીટરની અંદર કોઈને કોઈ, લોકલ ટ્રેનનું સ્ટેશન મળી જાય છે. મુંબઈમાં તમારે એક કિ.મી. ચાલવું પડે. જો કે દબાણો ને અવગણવા પડે.

Read Full Post »

%d bloggers like this: