Feeds:
Posts
Comments

Posts Tagged ‘હરિ હરિ’

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

કોણ તોડશે મિલીભગત?

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

સરકારી કાર્યાલયોમાં મોટે ભાગે ગાડી આગળ હોય અને પાછળ ઘોડો હોય છે. આનો અર્થ ફક્ત એટલો છે કે જે કામ પહેલાં કરવાનું હોય તે પહેલાં નહીં કરવાનું પણ જે કામ પહેલાં કરવાનું હોય તે કામ પહેલાં કરવાનું. અને જે કામ પહેલાં કરવાનું હોય તે થોડું ઘણું કરવાનું અને પછી હરિ હરિ. એટલે કે નહીં કરવાનું.

તમને આશ્ચર્ય લાગશે કે ૧૯૮૩ના ચોમાસામાં મુંબઈમાં ભારે વરસાદ પડેલો. હાઈ કોર્ટે દખલ કરેલી કે માસમાં ખાડાઓ પૂરી તો. કામ વીસ વર્ષ સુધી ચાલેલ. જેટલા રસ્તા સીમેંટ કાંકરેટના કર્યા તે ખાડા વગરના થયા. પણ આપણા કમીશ્નરો એવા ડાહ્યા કે ડાબી બાજુની  ફુટપાથ ના એન્ડથી જમણી બાજુની ફુટપાથના એન્ડ સુધી ને રસ્તો ગણ્યો. એટલે મુંબઈને ખાડા વગરનું કરવાની તેમની દાનત નહતી.

આમેય મુંબઈમાં વરસાદ તો ઘણો પડે છે. એટલે જો ક્યારેક દિવસમાં ઘણા કલાક જોરદાર  સતત વરસાદ પડે  તો રસ્તાઓ બંધ થઈ જાય અને રેલ્વે ટ્રેનો પણ બંધ થઈ જાય.

રસ્તાઓ શું કામ બંધ થઈ જાય?

રસ્તાઓ એટલા માટે બંધ થઈ જાય (એટલે કે ગોઠણ જેટલા પાણી ભરાઈ જાય) કારણ કે ગટરો બરાબર સાફ હોય એટલે પાણીને જવાની જગ્યા હોય.

ગટરો શા માટે બંધ થઈ જાય?

કારણ કે ગટરોમાં કચરો હોય.

ગટરોમાં કચરો શા માટે હોય?

કારણ કે રસ્તો સાફ કરવાવાળા અને કચરો ઉપાડવાવાળા ભીન્ન ભીન્ન હોય. રસ્તો સાફ કરવાવાળા/વાળી કચરાની ઢગલીઓ કરે અને કચરો ઊઠાવવા વાળા યોગ્ય સમયે (ફાવે ત્યારે) હાથ લારી લઈને આવે અને કચરો ઉઠાવે.

રસ્તો સાફ કરવાવાળી તો હિરોઈનો જેવી સ્ટાઈલીસ્ટ (અદાઓવાળી)  હોય. તેમની અદાઓથી રસ્તો સાફ કરે. ગટરની નજીકમાં નો કચરો તો જો ઢાંકણું ખુલ્લું હોય અને અથવા ગટર ખુલ્લી હોય તો ગટરમાં નાખે. જેટલી ઢગલીઓ ઓછી બને એટલું સારુંને? આપણા ભાઈઓને એટલી ઓછી ઢગલીઓ ઉપાડવી પડે. આપણા મ્યુનીસીપલ કમીશ્નરો આવી કર્મચારીઓની દગડાઈને કારણે, કચરો ભરેલી ગટરો સાફ કરવા માટે, વધારાના કરોડો રુપીયાની જોગવાઈ કરે છે. અને પોતાની પીઠ થાબડે છે. વધારાનો ખર્ચો તેમની સપ્લીમેન્ટરી ખાયકી થઈ. કોન્ટ્રાક્ટર વળી પાછો આમાંથી પણ પૈસા બનાવે. ગટરોની સફાઈ પણ્ ઢગલીસીસ્ટમ થી થાય છે. ઢગલીઓ કરવાનો સમય અને ઢગલીઓ ઉઠાવવા વચ્ચે નો સમય, કલાકો થી દિવસો સુધીનો હોઈ શકે.

પણ આમાં ઘોડો અને ગાડી ક્યાંથી આવ્યા?

ઉપરોક્ત અફલાતુન પ્રણાલી ફક્ત મુંબઈની વાત નથી. પ્રત્યેક મહાનગર, નગર, ગામ અને  ગામડાં,  બધાની આવી રીતરસમો છે.

રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહે એટલે નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી (અધિકારીઓ સહિત)ને ઘી કેળાં થઈ જાય છે. રસ્તો ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેમાં નબળો બન્યો હોય તો પણ સબળામાં ખપાવી શકાય.

ટેન્ડર ના સ્પેસીફીકેશન એટલા નબળાં અને ક્ષતિપૂર્ણ હોય કે ખાડાઓને અવકાશ રહે . રીસરફેસીંગનું ટેન્ડર પણ રસ્તાની સમગ્ર પહોળાઈને અનુલક્ષીને આવરે. કારણ કે આવું કરે તો કટકી ક્યાંથી મળે? ફુટપાથોને રસ્તાનો હિસ્સો ગણવો તે પણ કટકી માટે આવશ્યક છે. રસ્તાની કિનારીઓ ફુટપાથ સુધી અડાડવાની જરુર નથી. ફુટપાથ રસ્તાનો ભાગ હોવાથી તેને સમતલ કે પાકી કરવાની જરુર નથી. આવી અણઘડતા તો તમને જ્યાં પગ મુકો ત્યાં જોવા મળશે.

એવા અગણિત સ્પોટ હશે કે જ્યાં તમને ખબર પડે કે તમારે બીજા વાહન સવારોની અરાજકતા થી તમારા વાહન ને બચાવવું કે રસ્તાના ખાડાઓથી તમારા વાહનને બચાવવું!

વાહનવ્યવહારને સરકાર નિયંત્રિત કરે તે આવકાર્ય છે. વાહન ચાલકની અનિયંત્રિતતા બદલ તેનો દંડ કરે તે પણ આવકાર્ય છે. દંડ પ્રમાણ અતિ ભારે હોય તે પણ આવકાર્ય છે.

વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરે અને તમે એટલે કે સરકાર માઈબાપ તેનો દંડ વસુલ કરો પહેલાં તમે પોતે વાહનવ્યવહારના તમારે પોતાને પાળવાની જોગવાઈઓનો તો અમલ કરો. તમે કદાચ કહેશો કે અમે કરીએ છીએ પણ શું થાય સાલો વરસાદ બધું બગાડી નાખે છે. જો કે અમે હવે કૃતનિશ્ચયી છીએ અને અમે અઠવાડીયામાં બધું ઠીક કરી દઈશું.

તમારી આદતો જનતા સુપેરે જાણે છે.

જનતાને ખબર છે કે સરકાર % કામ કરશે. બાકીના ૯૫ટકા કામો તો વર્ષો સુધી અધિકારીઓને દેખાશે પણ નહીં. છાપામાં સમાચાર છપાવશે અમે આટલા હજાર ખાડા પૂર્યા. અમે જનજારુતિ માટે આટલા બોર્ડ લગાડ્યા …. આટલી માનવ સાંકળો કરી અને  કરાવડાવીઆટલી મેરેથોન દોડ કરી…. આટલા જનજાગૃતિના સંવાદો ગોઠવ્યા …. આટલી સોસાઈટીઓમાં જઈને લોકોને સમજાવ્યાહે જનતા, અમે તમારે માટે શું શું નથી કરતા …. !!!

હા ભાઈ કમીશ્નર, તમે બધું કરશો , સિવાય કે તમને જે માટે પગાર મળે તે કામ.

મ્યુનીસીપાલીટીનું બીજું નામ છેશહેર સુધરાઈ”. ગામને સાફ સુથરું રાખવામાં સફાઈ, સુધરાઈ, દબાણ હટાવ, ગેરકાયદેસર બાંધકામ થાય, લોકોની તંદુરસ્તી …. બધું આવી જાય.

ભાઈ કમીશ્નર (કમીશ્નર એટલે આખી નગરપાલિકા નો સ્ટાફ), તમારે બીજું કશું કરવાની જરુર નથી. તમે ફક્ત તમને જે માટે ના પગાર મળે છે તે કામ તેના નિયમો અનુસાર કરો તો તે પૂરતું છે.

સરકારી ટ્રાફિક કંટ્રોલની સીસ્ટમ કેવી છે?

શું તમે જે ૧૦૦ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોને ભંગ કર્યો છે તે સોએ સોને દંડિત કરી શકો છો? વાહન ચાલક ગમે ત્યાં હોય, તેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એટલે પકડાયો , એવી સીસ્ટમ તમે ઉત્પન્ન કરી છે? ના જી.

૧૦૦ ટકા અસરકારક સીસ્ટમ ઉભી કરવી અશક્ય છે?

ના જી, અશક્ય તો કશું નથી.

તમે દર અર્ધા કિલોમીટરે અને દરેક ચાર રસ્તે સીસીટીવી કેમેરા મુકી શકો છો? મુક્યા છે? ના જી.

જે વાહન ચલાવવાના નિયમ ભંગ કરે તે પકડાય અને પકડાય તેવી સીસ્ટમ બનાવી શકો છો? હાજી. પણ અમે જાણી જોઈને આવું કરતા નથી. કારણ કે અમારે સરકારી નોકરોને પૈસા ખાવા છે.

અમદાવાદમાં અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. વાહન ચાલકે  સીગ્નલનો ભંગ કર્યો કે તરત સીસ્ટમ દ્બારા આપોઆપ ઉત્પન્ન થયેલો મેમો, વાહન ચાલક્ને મેલ દ્વારા મોકલાઈ જાય. દંડ ભરવાની જવાબદારી વાહન ચાલકની છે. જો તેણે ૧૫ દિવસમાં વિરોધ પણ કર્યો અને પૈસા પણ ભર્યા તો બીજો પેનલ્ટીનો મેમો ઉત્પન્ન થશે.. અને થવો જોઇએ. જો આટલેથી પણ વાહન ચાલક સમજે તો એવી સીસ્ટમ ગોઠવી શકાય કે વાહન ચાલક જ્યારે તે વાહન લઈને રોડ ઉપર નિકળે તો ટ્રાફિક પોલીસના કન્ટ્રોલ રુમમાં એલાર્મ વાગે અને કન્ટ્રોલ રુમના ઓપરેટરને વાહનનું લોકેશન અને નંબરની જાણ કરે.

અમને પૈસા ખાવા દો” 

પણ આવું થયું. કારણ કે જે કંઈ પણ અધકચરી અને મર્આયાદિત ઑટોમેટિક સીસ્ટમ હતી તેને પણ સરકારી અધિકારીઓ નિસ્ફળ બનાવવા માગતા હતા. કારણ કે તેમની ડાબા હાથની કમાઈને ઘાટો પડતો હતો. અમુક વાહન ચાલકોએ પૈસા ભર્યા અને બાકીના વાહન ચાલકોએ પૈસા ભર્યા. ભર્યાનો આંકડો લાખો રુપીયામાં પહોંચી ગયો.

સરકારી અધિકારીઓએ કહ્યું કેવાહન ચાલકો પૈસા નથી ભરતા તો અમે શું કરીએ?” અધિકારીઓના અધિકારીઓને અને મંત્રીઓને વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ.

જૈસા થા વૈસા હી રખ્ખો (જૈસે થે વાદી હોના હમારી પ્રકૃતિ હૈ)”

પહેલાંની જેમ ,  ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દંડ વસુલ કરે એવું ઠેરવ્યું. સાલા વાહન ચાલકો મેલ દ્વારા મોકલેલ મેમો ની કદર નથી કરતા. અમે શું કરીએ? અમે તે કંઈ મરીએ?

ધારો કે,

ધારો કે કોઈ એક ટ્રાફિક પોલીસે એક વાહન ચાલક કે જેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો તેનો મેમો ફાડ્યો. અને તે વાહન ચાલકે તે પૈસા આપવાની ના પાડી. તો તે ટ્રાફિક પોલીસ શું કરશે? તે ટ્રાફિક પોલીસ તે વાહન ચાલકનું વાહન જપ્ત કરશે. અને કહેશે કે તમે પહેલા પૈસા ભરો પછી તમને તમારું જપ્ત કરેલું  વાહન પરત મળશે.

મેમોના કેસમાં પણ આવું થઈ શકે.

સરકારી માણસ (ટ્રાફિક પોલીસકહેશે કે આવા તો લાખો મેમો ફાટ્યા છે. અમે ક્યાં લાખો ઘરો માં જઈએ. અમારી પાસે એટલો સ્ટાફ ક્યાં છે!!!

અરે ભાઈ, મેમોની લાખોની સંખ્યા તો તમારી લાંબા સમયની નિસ્ક્રીયતાને કારણે થઈ. તમે જો બે પાંચના વાહન ચાલકોને ઘરે જઈને વાહનો જપ્ત કર્યા હોત તો બાકીના અચૂક દંડની રકમ ભરી જાત. પણ ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓને આવું કશું કરવું નથી. એટલે તો અરાજકતા વધતીને વધતી જાય છે.

અમારો વટ પડવો જોઇએ ને !!” સરકાર ઉવાચ.

ટ્રાફિક પોલીસ ગુન્હાસ્થળે પૈસા વસુલ કરે તો તેનો વટ પડે. ટ્રાફિક પોલીસને દંડ કરવાની તો ઠીક, પણ દંડ કરવાની પણ સત્તા મળી જાય છે.

ઘમંડી કે માલેતુજાર વાહન ચાલકોનો પણ વટ પડે. “મને તું ઓળખતો નથી? હું કોણ છું ખબર છે? મને કાયદો અડતો નથી. તને ખબર નથી?” 

ટ્રાફિક પોલિસના સાહેબોને પણ નિરાંત. તેઓ ટ્રાફિક પોલીસ ને કહેશે કે તારે આટલા કેસો લાવવાના, આટલા લખવાના અને આટલા અમને રોકડા આપવાના. તારો ટાર્જેટ. જલસા કર બેટા. તારું પણ ભલું અને મારું પણ ભલું અને આપણા સાહેબોનું પણ ભલું.

સ્થાનિક સરકારની ટ્રાફિકના નિયંત્રણ માટે શું ફરજ છે.

સૌ પ્રથમ તો માર્ગને લગતી વ્યાખ્યાઓ બદલોઃ

() રસ્તો એટલે ફુટપાથ સહિતનો રસ્તો. નાનામાં નાની ફુટપાથ પણ પહોળાઈમાં દોઢ મીટરથી નાની હોવી જોઇએ. આટલી  જગ્યા વ્હીલચેર માટે જરુરી છે. ભલે કમીશ્નરના ભેજાની બહારની વસ્તુ હોય.

() મકાન એટલે રહેણાક કે દુકાન, કે સંકુલ કે જેની રોડ સાઈડ તરફ નિયમ અનુસાર પાંચ મીટર ખુલ્લી, પાકી અને ક્લીયર જગા હોય.

() મકાનના નામ, દુકાનના નામ, સંકુલના નામના સાઈન બોર્ડ ની સાઈઝ અને સ્થાન સુનિશ્ચિત કરો. સંકુલ ના નિયમો બનાવો. દરેક સંકુલમાં અને ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં વોશરુમના નિયમો અને  સાઈન બોર્ડ બનાવોમકાનની બહાર પાર્કીંગના બોર્ડ બનાવો જેથી પાર્કીંગ શોધવું પડે.

() દુકાનો કરવાના નિયમો કડક કરો. દુકાન જેટલા ચોરસ ફુટ ની હોય તેના પ્રતિ સો ચોરસફુટના હિસાબે પાંચ વાહન પાર્કીંગની જગ્યા હોય તો તેને દુકાન કરવાની પરમીશન આપોપાર્કીંગની જગ્યા હોવી તે દુકાનદાર માટે આવશ્યક ગણાવવું જોઇએ. વાસ્તવમાં તો કોમર્સીઅલ કોંપ્લેક્સને મંજુરી આપવી જોઇએ. છૂટક દુકાનોને મંજુરી આપવી જોઇએ. મકાનના અમુક માળ પાર્કીંગ માટે હોવા જોઇએ. પાર્કીંગની દીશા બતાવતા સાઈન બોર્ડ હોવા જોઇએ અને સરળતાથી ધ્યાનમાં આવે  એમ રાખવા જોઇએ. રસ્તા ઉપર એક પણ વાહન  કે લારી ગલ્લો કે પાથરણાવાળો હોવો જોઇએ. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથ પણ આવી જાય.

પાર્કીંગની જગ્યા પાકી, અને પાકી  માર્કીંગ લાઈનો વાળી હોવી જોઇએ. રસ્તા ઉપર પાર્કીંગના દિશાસૂચક બોર્ડ હોવા જોઇએ.

() સ્પીડ લીમીટના સાઈન બોર્ડ ઓછામાં ઓછા એક કિલોમીટરે અને દરેક વળાંકે હોવા જોઇએ, પછી રોડ, હાઈવે હોય કે શહેરી રોડ હોય કે ગલીનો રોડ હોય.

() રોડ ઉપર ઝીબ્રા ક્રોસીંગ, સ્ટોપ લાઈન અને લેન માર્કીંગ પાકા હોવા જોઇએ.            

() રોડ ડીવાઈડર એક લેન જેટલાં પહોળાં હોય અને તેના ઉપર ઓછામાં ઓછાં ચાર ફુટ ઉંચા ફુલના છોડ  હોવા જોઇએ. જ્યાં રોડ ડીવાઈડરની જગ્યા એક લેન જેટલી પહોળાઈ રાખવી શક્ય હોય ત્યાં ચાર ફૂટ ઉંચી દિવાલ હોવી જોઇએ.

() આવનારા રોડ અને જગ્યાના નામોના ડીસ્પ્લે બોર્ડ સમાન રીતે અને સુનિશ્ચિત સમાન કદના હોવા જોઇએ. તેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા જોઇએ.

(૧૦) રસ્તા ઉપર વળાંક, રોડ બાઈફર્કેશન, રોડ સીમા, યલો લાઈન, ઓવરટેક બંધીછૂટ્ટીજેવા સાઈન બોર્ડ અને માર્કીંગ અચૂક રાખવા જોઇએ

ટ્રાફિક નિયમોના ભંગ

() બે પૈડા વાળા વાહન ચાલકે અને સાથે બેઠેલાએ  હેલમેટ પહેરવી, અને ચાર પૈડા કે તેથી વધુ પૈડા વાળા વાહન ચાલકે અને પાસે બેઠેલાએ સીટબેલ્ટ બાંધવો.

() મોબાઈલ કાને લગાડવો.

() માન્ય કરતાં વધુ સવારી બેસાડવી,

() અવારનવાર લેન બદલવી,

() સ્પીડ લીમીટનો ભંગ કરવો, અને અથવા વાહન ઉપર સ્ટંટ કરવા

() ખાસ પ્રયોજન વગર, લેનની મધ્યમાં વાહન ચલાવવુ.

() લેનમાં બીજા વાહનને તેની ડાબી બાજુથી ઓવરટેક કરવું

() આગળના વાહન સાથે કે જમણી બાજુના વાહન સાથે ભટકાઈ જવું,

() ખોટી લેનમાં આવી જવું. અને ટ્રાફિકને અડચણ રુપ થવું. દા.. ડાબી બાજુની છેલ્લી લેન ડાબી બાજુના રસ્તે જવા માટે હોય છે. બાઈક અને ગાડીવાળાને સીધા જવું હોય તો પણ જગ્યા રોકી લે છે અને રસ્તો બ્લોક કરી દે છે.

(૧૦) સીગ્નલનો ભંગ કરવો,

(૧૧) ટ્રાફિક સીગ્નલ પાસે, સ્ટોપ માર્કીંગ લાઈનથી આગળ નિકળી જવું

(૧૨ખોટા અવાજવાળા હોર્ન રાખવાં. કેટલાક લોકો બાઈકમાં કારના અવાજવાળા હોર્ન રાખે છે.

(૧૩) આગળના વાહન ચાલકની મજબુરી જાણ્યા વગર હોર્ન વગાડ્યા કરવું.

(૧૪) જ્યાં ટ્રાફિક સીગ્નલ હોય ત્યાં ઝીબ્રાક્રોસીંગ આગળ વાહન રોક્યા વગર અને આજુબાજુ જોયા વગર વાહનને આગળ લઈ જવું,

(૧૫)આગળની બેઠકવાળાઓએ સીટ બેલ્ટ બાંધવો.

(૧૬) એમ્બ્યુલન્સને કે એવા વાહનોને જગા આપવી

(૧૭) ગાડીને પાર્કીંગ પ્લેસની સેન્ટર લાઈન પર પાર્ક કરવી

(૧૮) સીગ્નલ આપવું

 (૧૯) રાત્રે શહેરની અંદર વાહન ચાલકે ફુલલાઈટ અને લોંગ લાઈટ રાખવી,

(૨૦) ફેન્સી નંબર પ્લેટ રાખવી,

(૨૧) સ્ટાન્ડર્ડ નંબર પ્લેટને, ઢાંકવી અને અથવા  ડેમેજ્ડ  કંડીશનમાં રાખવી,

(૨૨) પોતાનું વાહન ગંદુ રાખવું અને પીયુસી ચેક કરાવવું.

(૨૩) વાહનમાં ફર્સ્ટ એઈડના સાધનો રાખવા,

(૨૪) સ્પેર વ્હીલ રાખવું.

(૨૫) ગાડીને ગોબાવાળી અથવા ભાંગી તૂટી રાખવી

હમણાં હમણાં આરટીઓમાં ભીડ શું કામ થાય છે?

અરે ભાઈ કહેવાની જરુર નથી. લાઈસન્સ વગર, વીમા વગર અને પીયુસી વગર ઘણું બધું ચાલતું હતું. જાહેર માર્ગની જમીન ઉપર ઠાઠથી રેસ્ટોરાંઓનો ખાણી પીણીનો ચાલતા ધંધાઓ પણ કમીશ્નરને દેખાતો હોય તો બીજું તો એમને શું દેખાય?

જો સરકારી નોકરો જવાબદાર બનશે તો તેઓ જનતાને સુસંસ્કૃત કરી શકશે. જનતાનો મોટો વર્ગ માને છે કે કાયદાનો ભંગ કરનારાઓને તમે જેલ ની સજા કરો તો પણ ચાલશે.

શિરીષ મોહનલાલ દવે

 

Read Full Post »

સ્માર્ટ સીટીનું બભમ બભમ

“સ્માર્ટ સીટી”ના ગુણધર્મો, વ્યાખ્યા અને વિવરણ આપણને “ઓલ ઈન વન” જેવા લાગશે પણ સમજી લો એ બધું ભ્રામક છે. જે ગુણધર્મો બતાવ્યા છે તે સરકારી શબ્દોમાં છે. સરકારી શબ્દો અને વાક્ય રચના હમેશા અસ્પષ્ટ છે અને ભ્રામક હોય છે.

તમે શી આશા રાખો છો?

જેની માંદગી દૂર થઈ નથી તેવા માંદા માણસને,  તમે દોડવાનું કહી શકશો? જો તે દોડશે તો તે અમદાવાદથી મુંબઈ ક્યારે પહોંચશે? જે વ્યક્તિ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ભદ્ર સુધી દોડી શકતો નથી તે શું મુંબઈ સુધી દોડશે?

જે માણસ અભણ છે અને જે ખેતરનું ક્ષેત્રફળ શોધવા સક્ષમ નથી તેને તમે પૃથ્વિથી ચંદ્રનું અંતર માપવાની રીત શોધવાનું કહી શકશો?

જે ચોર છે તેને તમે તિજોરી સાચવાનું કામ સોંપી શકશો?

આ વાત સમજો.

જેને ત્યાં ચોરી થઈ છે તે ફરીયાદી હાજર છે,

જે ચોકીદાર હતો અને જેની ડ્યુટી હતી રખેવાળી કરવાની તે હાજર છે,

જે ચોર હતો અને ચોરી કરી હતી તે હાજર છે,

ચોરીનો માલ હાજર છે,

જે ન્યાયધીશે ચોરને સજા કરવાની હતી તે પણ હાજર છે.

તો હવે બાકી શું રહ્યું?

સજા કરવાની ક્રિયા બાકી રહી,

તો શું સજા થઈ?

ના જી અને હા જી,

સજા તો થાય છે. પણ કોને?

ચોરને સજા થતી નથી.

જે ચોકીદારે ફરજ ન બજાવી તે ચોકીદારને પણ સજા થતી નથી.

જે ચોરીનો માલ છે તે પણ તેના માલિકને એટલે કે ફરિયાદીને પાછો મળતો નથી.

તે માલ ચોરને જ રાખવાનું કહેવાય છે.

પણ જેનો માલ ચોરાયો હતો તેને સજા થાય છે. તેને એવું કહેવામાં આવે છે કે “તમારી અને ચોર વચ્ચે જે કંઈ બન્યું તેમાં ચોકીદારને નુકશાન થયું છે. આવા તો હજારો લાખો ચોર છે એમાં અમે અમારો સમય બરબાદ કરવામાં માનતા નથી. એટલે આ નુકશાન જેને લૂંટવામાં આવ્યો છે તેણે એટલે કે લૂંટાયેલ વ્યક્તિએ  “ઈમ્પેક્ટ ફી” તરીકે ચોકીદારને અમૂક રકમ આપી દેવી.

ગેરકાયદેસર બાંધકામ, રસ્તાઓ  અને ફૂટપાથો પર ફેરિયાઓ તથા દુકાનદારો દ્વારા દબાણ, માન્ય એફ એસ આઈ કરતાં  વધુ બાંધકામ કરવું, રસ્તાઓ સાંકડા અને ભીડભાડ વાળા થઈ જાય તેવા ગેરકાયદેસર નિર્ણયો લેવા, આ બધું સરકારી નોકરોના અને સ્થાપિત હિતોના સંસ્કાર થઈ ગયા છે. આ વિષયમાં આપણી બ્લોગસાઈટ ઉપર અનેકવાર ચર્ચા થઈ ગઈ છે. તેથી તેની વિગતોમાં ઉતરીશું નહીં. પણ સરકારી નોકરો દ્વારા કામની વ્યાખ્યાઓ કરાવવી અને તેમની દ્વારા જ “સ્કૉપ ઑફ વર્ક” નક્કી કરાવવું એ વ્યર્થ છે. પણ આવું જ થાય છે કારણ કે જરુર પડે સરકારે પોતાનો કેસ ન્યાયાલયમાં સુનિશ્ચિત રીતે હારી જવાની તૈયારીમાં રહેવાનું હોય છે.

મુંબઈના “રીડેવલપમેંટને લગતા કાયદાઓ”  જુઓ, કે અમદાવાદના “સીજી રોડ રોડની દશા” જુઓ, કે પ્રેમચંદનગર રોડની દશા જુઓ કે અમદાવાદના કોઈપણ રોડની દશા જુઓ કે રેસ્ટોરાંમાં પડતા દરોડાઓ જુઓ કે ખાણીપીણીના ખૂમચાઓ, લારીઓ, ગલ્લાઓએ કરેલા દબાણો જુઓ,  બધે જ સરકારી (મ્યુનીસીપાલી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, આરટીઓ, ટ્રાફિક પોલીસ, ન્યાયાલય, ગાંધીનગરનું સચિવાલય અને અસામાજીક તત્વો ની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના કામ માટેની મિલીબહગત છે.

“લૂંટ કરવી એ અમારો હક્ક છે”

કોઈપણ કામ ખરાબ અને ખોટી રીતે કરવું એમાં સરકારી નોકરો નિપૂણ છે. સરકારી નોકરોમાં સાદા કર્મચારીઓ જ નહીં પણ સર્વોચ્ચ અધિકારીઓનો અને મંત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે. ઉચ્ચસ્તર પર બેઠેલા અધિકારીઓ ક્ષતિપૂર્ણ “સ્કૉપ ઑફ વર્ક” બનાવે જેથી નીચેના સ્તરના નોકરો ખાયકી કરી શકે, અને સૌને પોતાનો હિસ્સો મળ્યા કરે.

એક દાખલોઃ

ટ્રાફીક પોલીસને કેમેરા (મોબાઈલ) આપી દો એટલે તે ખોટી રીતે પાર્ક થયેલા વાહનનો ફોટો પાડી દંડ વસુલ કરી શકે. આ દંડની રકમ વાહનના માલિકના ઘરે ટીકીટ મોકલી કે વાહન ચાલક પાસેથી ઓન લાઈન પણ વસુલ કરી શકે. વાહનનો ફોટો પાડવો એ કામ ટ્રાફિક પોલીસને સોંપો એટલે “”કોઈ વાહનનો ફોટો પાડવો કે ન પાડવો” એ ટ્રાફિક પોલીસની મુનસફ્ફી પર નિર્ભર રહે અને તેની ખાયકી ચાલુ રહે.

વધુ એક દાખલોઃ

સરકારે વિચાર્યું કે આપણે જનતાનું સ્વાસ્થ્ય સારું રહે માટે “ફાર્મ ફ્રેશ વેજીટૅબલ માર્કેટ” બનાવીએ. એટલે સરકારે દાખલા તરીકે વસ્ત્રાપુર તળાવ (અમદાવાદ-૧૫) પાસે એક પ્લોટને નક્કી કર્યો. આ પ્લોટ મ્યુનીસીપાલીટીનો હતો.

અમદાવાદની વાત સમજીએ તે પહેલાં આ “ફાર્મફ્રેશ વેજીટેબલ માર્કેટ” વિકસિત દેશોમાં કેવીરીતે ચાલે છે તે આપણે જોઇ લઈએ.

ફાર્મ ફ્રેશ માર્કેટ (અમેરિકા)

farm fresh market 01

કોઈ એક ખુલ્લી જગ્યા તો વિદેશમાં પણ નક્કી થાય છે. પણ ત્યાં જમીનને બરાબર સમતલ અને મજબુત (ક્ઠણ) બનાવવામાં આવે છે. પછી જમીનના આખા પ્લોટ ઉપર ઈન્ટરલોકીંગ સીમેંટની ઈંટો પાથરવામાં આવે છે. ખેડૂતોના માલ અને માલના વાહનના પાર્કીંગ માટે પદ્ધતિસરનું પ્લાનીંગ વાળું દેખી શકાય તેવું સુવ્યવસ્થિત માર્કીંગ કરવામાં આવે છે. જે ગ્રાહકો આવે તેમના વાહનો માટે પણ અલગ રીતે સુવ્યવસ્થિત રીતે દેખી શકાય તેવું માર્કીંગ કરવામાં આવે છે. દરેક સ્ટૉલ પાસે એક સ્વચ્છ અને સુંદર કચરા પેટી હોય છે.

અમદાવાદમાં સરકારે શું કર્યું?

વસ્ત્રાપુર તળાવ સામે એક ખાલી પ્લોટ તો સુનિશ્ચિત કર્યો.

આ એક ખાડા ટેકરા થી ભરપૂર પ્લોટ હતો.

તેને સમતલ કર્યો?

નાજી. હરિ હરિ કરો…

જમીનને મજબુત કરી?

નાજી. હરિ હરિ કરો…

તેના ઉપર ઇન્ટ્રલૉકીંગ ઈંટો પાથરી?

નાજી. હરિ હરિ કરો …

સ્ટોલમાટે માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો …

સ્ટોલના ખેડૂતના વાહન માટે પાર્કીંગનું માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો …

ગ્રાહકોના વાહનના પાર્કીંગ માટે માર્કીંગ કર્યું?

નાજી. હરિ હરિ કરો.

તો પછી કર્યું શું?

“ફાર્મ ફ્રેશ માર્કેટ” માટેનો કોંટ્રાક્ટ આપી દીધો

કોંટ્રાક્ટરે શું કર્યું?

પ્લૉટની અંદર બહારના રોડને સમાંતર એક પાંચેક મીટરની પહોળાઈવાળું અને ૨૫/૩૦મીટરની  લંબાઈમાં લીલુ શણીયા જેવું કપડું સીધે સીધું પાથરી દીધું. તે કપડું ખસી ન જાય તે માટે ફાવે તેમ ખીલાઓ ઠોકી દીધા. ગ્રાહકો અને વેપારી ઉપર તડકો ન આવે તે માટે લાંબા પહોળા શણીયાના ટૂકડાઓ થાંભલાના સહારે બાંધી દીધાં. ભાડું પણ કોંટ્રાક્ટર જ વસુલ કરે.  વાત પૂરી.

એક વાર છાપામાં જાહેરાત પણ આપી દીધી. જેમણે તે દિવસનું જે તે છાપુ વાંચ્યું અને જાહેરાત વાંચી, અને તેમાંથી જેમને રસ હતો તેવા લોકો “ફાર્મ-ફ્રેશ” શાકભાજી ખરીદવા ગયા. આ માર્કેટ ફક્ત શનિ-રવિ માટે જ હતું. શરુઆતમાં પચાસેક લારીઓ હતી. પછી ધીમે ધીમે લારીઓ ઘટતી ગઈ.

લારીઓની કે શાક રાખવા માટેના ટેબલો સંખ્યા લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ. કોંટ્રાક્ટર કહે કે તમે ભલે શનિ-રવિ શાકભાજી વેચો, હું તો અઠવાડીયાના બધા દિવસો લેખે જ ભાડું લઈશ. સરકારે આદત પ્રમાણે કોંટ્રાક્ટરના હિતમાં સુર પૂરાવ્યો. એવું કહેવાય છે કે સર્વોચ્ચ સાહેબ બદલાઈ ગયા. (નવા વહેવારની ચર્ચા કોઈએ કરવી કે નહીં?) વાતની વિગતમાં આપણે નહીં જઈએ. પણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં ખેડૂતોએ ત્યાં શાક વેચવાનું બંધ કર્યું. ખેડૂતો વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ પર આવી ગયા. ગયે શનિવારે અમે શાકલેવા ગયા ત્યારે ખેડૂતો રસ્તા ઉપર શાક વેચતા હતા. એક વાત નોંધવા જેવી છે કે આ “ફાર્મ-ફ્રેશ” શાક-ભાજીની ગુણવત્તા બીજા લારી વાળાઓ કરતાં સારી હોય છે. શાકભાજીનો  ભાવ પણ યથા યોગ્ય હોય છે.

અમારા જેવા ગ્રાહકો ખુશ હતા કે ચાલો અમદાવાદમાં એક વિશ્વસનીય માર્કેટ તો થયું. પણ સરકારી અધિકારીઓની અધકચરી નીતિને કારણે “ફાર્મ-ફ્રેશ” માર્કેટ મૃત્યુને આરે આવી ગયું.

વસ્ત્રાપુર તળાવની ફૂટપાથ ઉપર આ માર્કેટ ચાલુ રહેશે?

આ માટે તો જ્યોતિષશાસ્ત્રીઓને પૂછવું પડશે.

આમ તો બપોરથી શરુ કરી રાત્રીના ૧૦/૧૧ વાગ્યા સુધી અહીં ખૂમચાવાળાઓ, લારીવાળાઓ સહિત ફૂટપાથીયા ખાણીપીણીના ટેબલ ખૂરસીઓ રસ્તાની બંને બાજુએ ગોઠવાઈ જાય છે. ગુન્ડાઓને કોણ વધુ ભાડું આપશે તેના ઉપર પણ આધાર હોઈ શકે છે(!!). ભાઈ, કશું મફત થતું નથી.

જે સરકારી અધિકારીઓ એક સુવ્યવસ્થિત “ફાર્મ-ફ્રેશ વેજીટેબલ માર્કેટ” ન બનાવી શકે તેઓ આખા નગરને સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે?

જે સરકારી અધિકારીઓમાં દબાણો અને ગેરકાયદેસર બાંધકામો અટકાવવાની પહોંચ નથી તેઓ સ્માર્ટ સીટી કેવી રીતે બનાવી શકશે? નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે “જેઓમાં પાદવાની પહોંચ નથી, તેઓના નામ તમે તોપખાનામાં નોંધાવી ન શકો.”

અથવા તો પછી એવું થશે કે જેમ મનમોહન સિંહે જાહેર કરેલ કે “અમે ગઈ ચૂંટણીમાં જે કંઈ વચનો આપેલાં તે બધાં પૂરા કરી દીધા છે.” વચનો તો બધા બભમ બભમ હોય છે. વચનોમાં વચન જેવું કશું હોતું નથી. ઈન્દિરાએ કહ્યું (૧૯૭૦) ”હું કહું છું ગરીબી હટાવો તેઓ કહે છે ઈન્દિરા હટાવો.” તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૨૫+ વર્ષ રાજ કર્યું પણ ગરીબી તો ન જ હટી. અને મનમોહને કહ્યું કે અમે બધા વચનો પૂરા કરી દીધા છે. કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના.

જો રસ્તા ઉપરથી ઢોર હટાવવાની વાત હોય તો સરકારી નોકરો કહેશે કે અમે આ વરસમાં અત્યાર સુધીમાં “આટલા” ઢોર હટાવેલ અને “આટલો” દંડ વસુલ કરેલ. “આટલા” કૂતરા પકડેલ અને “આટલા” કૂતરાને ખસી કરેલ અને “આટલી” કૂતરીઓને કોપર ટી મૂકેલ. અમે સ્વચ્છતા માટે “આટલી” માનવ સાંકળો રચેલ અને “આટલી” જન જાગૃતિની મીટીંગો કરેલ. “આટલી” જગ્યાઓ ઉપર અમે કચરા પેટી મૂકેલ અને “આટલા” ટન કચરાનું સ્થળાંતર કરેલ.

અરે ભાઈ તમે કોઈ પણ એક દિવસ, વીડિયો કેમેરા લઈને નિકળો અને જુઓ કે કેટલા ઢોર રસ્તા ઉપર છે, કેટલા કૂતરાઓ રસ્તા ઉપર છે, કેટલો કચરો રસ્તા ઉપર છે …. રસ્તાની હાલત તો વાત જ જવા દો.

“ … કોઈની તાકાત નથી ….” નરેન્દ્ર મોદી

“જો દેશનો દરેક નાગરિક નક્કી કરશે કે પોતે રસ્તા ઉપર કચરો નહીં નાખે તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તે ભારતને સ્વચ્છ થતું રોકી શકે” આ આખી વાત જ હાસ્યાસ્પદ છે. નરેન્દ્ર મોદીનું ઉચ્ચારણ એમ હોવું જોઇએ કે “જે સરકારી નોકરોને જે કામ કરવા માટે વેતન મળે છે તે કામ જો તેઓ નહીં કરે તો તત્કાલ તેઓ અચૂક ઘર ભેગા થશે. અને ખાલી પડેલી જગ્યા ઉપર જેઓ વેઈટીંગ લીસ્ટ ઉપર છે તેઓને તત્કાલ નોકરી માટે લેવામાં આવશે. મોટો ચમરબંધી અધિકારી હશે તેની પણ આવી જ દશા થશે.” જો આવું થશે તો જનતા જ કહેશે કે “ભારત સ્વચ્છ થયું છે.”

જેઓને કામ કરવાની સામે વેતન મળે છે તેને દંડિત કરો

જે પ્રાણીઓને પાળવામાં આવે છે તેઓ જન્મે કે તરત જ તેમનું રજીસ્ટ્રેશન થવું જોઇએ. જો વાહનોનું રજીસ્ટ્રેશન થતુ હોય તો જે હળનું વહન કરે છે, જે દૂધનું વહન કરે છે, જે માલનું વહન કરે છે, જે મનુષ્યનું વહન કરે છે તે સૌને રજીસ્ટ્રેશન નંબર આપવા જોઇએ. આમ કરવાથી  તે કતલ ખાને પણ જશે નહીં અને રસ્તાઓ ઉપર અડ્ડો પણ જમાવી શકશે નહીં.

જોકે પ્રાણીઓને રજીસ્ટ્રેશન નંબર આપવાથી કેટલાક પંચાતિયા લોકો અનેક પ્રશ્નો ઉભા કરશે.

જેમકે નંબર ક્યાં લગાવવો?

સમાચાર માધ્યમોને, કેટલાક કટારીયા લેખકોને, એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને અનેક વાંધા પડશે. જો તમે પશુનો રજીસ્ટ્રેશન નંબર ઓઈલપેન્ટથી લખશો તો તે ભૂસાઈ જશે, જો તેને ડામ દઈને લખશો તો એનજીઓને અને એનીમલ-ક્ર્યુએલ્ટી પ્રીવેન્ટર્સના હિમાયતીઓને વાંધા પડશે. જો તમે પશુના ગળે નંબર પ્લેટ બાંધશો તો તે ક્યાંક ભરાઈ જવાના બનાવટી પ્રસંગો બનશે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના જેવા “જૈસે થે” માનસિકતા વાળા રસ્તા ઉપર આવી જશે. પણ આ બધાનો સામનો કરવા માટે સરકારે તૈયાર રહેવું પડશે.

ગુનો કર્યો એટલે દંડાયો જ

રોડ ટ્રાફિકને સીસીટીવી કેમેરાની પ્રોગ્રામ્ડ સીસ્ટમ દ્વારા મોનીટર કરી શકાય છે, આ સીસ્ટમ દ્વારા જ, મારામાર (પૂરપાટ) બાઈક ચલાવનારા, બાઈક ઉપર સ્ટંટ કરનારા, અવારનવાર લેવા દેવા વગર લેન ચેન્જ કરનારા, ખોટી દિશામાંથી ઓવરટેક કરનારા, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ઓવર લોડ કરનારા, સીગ્નલને તોડનારા, સીગ્નલ પાસે ડાબી બાજુની લેનને બ્લોક કરનારા, સ્પીડ લીમીટ થી ૧૦ટકા વધુ સ્પીડથી ગાડી ચલાવનારા, આડેધડ પાર્કીંગ કરનારા, સફાઈ કોન્ટ્રાક્ટરોના ગાર્બેજ ટ્ર્કને ઓવર લોડ કરનારા અને રસ્તા ઉપર કચરો વેરનારા, દબાણ કરનારા, ચોરી કરનારા  સૌને ૧૦૦ ટકા દંડિત કરી શકાય છે. ગુનો કર્યો એટલે દંડાયો જ, એવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે. પણ સરકારને કરવી નથી. (નોકરો કહે છે અમે લૂંટીશું કેવી રીતે?)

જો આમ કરવામાં આવશે તો જ લોકોમાં રહેલી અરાજકતા અને અસામાજીક વર્તણુક દૂર થશે. જનતા કાયદાનું પાલન કરે તે જોવાની જેમની ડ્યુટી છે અને જેમને તે માટે પૈસા ચૂકવવામાં આવે છે તેમને જ્યાં સુધી દંડવામાં નહીં આવે ત્યાં સુધી “જનતાએ સુધરવું જોઇએ” એવી વાતો કરવી એ સરકારી નોકરોને છાવરવાની વાત છે.

કામનો બોજો કર્મચારીને બહાનાખોર બનાવે છે

જો તમે કામ ન કરો અથવા તો તમારા બોસે ચીંધેલુ જ કામ કરો અને બીજું તમારી ફરજમાં આવતું તમારું કામ ન કરો અથવા તો આરામથી કરો તો કામનો બોજ વધ્યા કરે છે અને તેથી કામનો ભાર લાગવા માંડે છે. જ્યારે કામ બોજા રુપ થઈ જાય ત્યારે તમારા કામમાં ક્ષતિઓ આવવાની છે. એટલે તમે કામ ઓછું કરવાના કે ન કરવાના બહાના શોધો છો. તમે ફરીયાદી થઈ જાઓ છો. તમારી વિચાર શક્તિ ઘટે છે અને તમારી કુશળતા પણ ઘટે છે. સરકારી નોકરોને સરકારે આવા કરી દીધા છે. આમાં ન્યાયાધિશો પણ આવી જાય છે.

તમે દારુની મહેફિલમાં મજા માણતા પકડાયેલા માલેતુજારોને લગતા સમાચારો વાંચ્યા હશે. પણ તમે તેના કેસ કેવી રીતે ચાલે છે, કેસની કૉર્ટની કાર્યવાહી કેવીરીતે ચાલે છે, તેના વાર્તાલાપો, દલીલો અને ન્યાયાધીશના ચૂકાદાઓની વિગતો તમને સમાચાર માધ્યમો દ્વારા જાણવા નહીં મળે. આ બધું બાંધી મુઠ્ઠીમાં રહેશે. ભાઈ કશું મફત થતું નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સ્માર્ટ સીટી, ગુણધર્મો, પાદવાની પહોંચ, તોપખાનુ, ચોર, ચોકીદાર, માલિક, ન્યાયાધીશ, ચોરીનો માલ, સજા, ઇમ્પેક્ટ ફી, રીડેવેલપમેન્ટ, અમદાવાદ, મુંબઈ, ખાણી પીણી, ગલ્લા, ખૂમચા, દબાણ, ગેરકાયદેસર, પ્રેમચંદનગર રોડ, સીજી રોડ, એસ જી રોડ, ટ્રાફિક પોલીસ, મોબાઈલ, સચિવાલય, સરકારી નોકરો, વાહન, પશુ, વસ્ત્રાપુર, ફાર્મ ફ્રેશ વેજીટેબલ માર્કેટ, ઈંટરલોકીંગ ઈંટો, ખેડૂત, પાર્કીંગ, સુવ્યવસ્થિત, હરિ હરિ, શાકભાજી

Read Full Post »

%d bloggers like this: