Feeds:
Posts
Comments

Posts Tagged ‘હાઈકૉર્ટ’

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

કોણ તોડશે મિલીભગત?

ઘોડો ગાડીની પાછળ લાગે કે આગળ?

સરકારી કાર્યાલયોમાં મોટે ભાગે ગાડી આગળ હોય અને પાછળ ઘોડો હોય છે. આનો અર્થ ફક્ત એટલો છે કે જે કામ પહેલાં કરવાનું હોય તે પહેલાં નહીં કરવાનું પણ જે કામ પહેલાં કરવાનું હોય તે કામ પહેલાં કરવાનું. અને જે કામ પહેલાં કરવાનું હોય તે થોડું ઘણું કરવાનું અને પછી હરિ હરિ. એટલે કે નહીં કરવાનું.

તમને આશ્ચર્ય લાગશે કે ૧૯૮૩ના ચોમાસામાં મુંબઈમાં ભારે વરસાદ પડેલો. હાઈ કોર્ટે દખલ કરેલી કે માસમાં ખાડાઓ પૂરી તો. કામ વીસ વર્ષ સુધી ચાલેલ. જેટલા રસ્તા સીમેંટ કાંકરેટના કર્યા તે ખાડા વગરના થયા. પણ આપણા કમીશ્નરો એવા ડાહ્યા કે ડાબી બાજુની  ફુટપાથ ના એન્ડથી જમણી બાજુની ફુટપાથના એન્ડ સુધી ને રસ્તો ગણ્યો. એટલે મુંબઈને ખાડા વગરનું કરવાની તેમની દાનત નહતી.

આમેય મુંબઈમાં વરસાદ તો ઘણો પડે છે. એટલે જો ક્યારેક દિવસમાં ઘણા કલાક જોરદાર  સતત વરસાદ પડે  તો રસ્તાઓ બંધ થઈ જાય અને રેલ્વે ટ્રેનો પણ બંધ થઈ જાય.

રસ્તાઓ શું કામ બંધ થઈ જાય?

રસ્તાઓ એટલા માટે બંધ થઈ જાય (એટલે કે ગોઠણ જેટલા પાણી ભરાઈ જાય) કારણ કે ગટરો બરાબર સાફ હોય એટલે પાણીને જવાની જગ્યા હોય.

ગટરો શા માટે બંધ થઈ જાય?

કારણ કે ગટરોમાં કચરો હોય.

ગટરોમાં કચરો શા માટે હોય?

કારણ કે રસ્તો સાફ કરવાવાળા અને કચરો ઉપાડવાવાળા ભીન્ન ભીન્ન હોય. રસ્તો સાફ કરવાવાળા/વાળી કચરાની ઢગલીઓ કરે અને કચરો ઊઠાવવા વાળા યોગ્ય સમયે (ફાવે ત્યારે) હાથ લારી લઈને આવે અને કચરો ઉઠાવે.

રસ્તો સાફ કરવાવાળી તો હિરોઈનો જેવી સ્ટાઈલીસ્ટ (અદાઓવાળી)  હોય. તેમની અદાઓથી રસ્તો સાફ કરે. ગટરની નજીકમાં નો કચરો તો જો ઢાંકણું ખુલ્લું હોય અને અથવા ગટર ખુલ્લી હોય તો ગટરમાં નાખે. જેટલી ઢગલીઓ ઓછી બને એટલું સારુંને? આપણા ભાઈઓને એટલી ઓછી ઢગલીઓ ઉપાડવી પડે. આપણા મ્યુનીસીપલ કમીશ્નરો આવી કર્મચારીઓની દગડાઈને કારણે, કચરો ભરેલી ગટરો સાફ કરવા માટે, વધારાના કરોડો રુપીયાની જોગવાઈ કરે છે. અને પોતાની પીઠ થાબડે છે. વધારાનો ખર્ચો તેમની સપ્લીમેન્ટરી ખાયકી થઈ. કોન્ટ્રાક્ટર વળી પાછો આમાંથી પણ પૈસા બનાવે. ગટરોની સફાઈ પણ્ ઢગલીસીસ્ટમ થી થાય છે. ઢગલીઓ કરવાનો સમય અને ઢગલીઓ ઉઠાવવા વચ્ચે નો સમય, કલાકો થી દિવસો સુધીનો હોઈ શકે.

પણ આમાં ઘોડો અને ગાડી ક્યાંથી આવ્યા?

ઉપરોક્ત અફલાતુન પ્રણાલી ફક્ત મુંબઈની વાત નથી. પ્રત્યેક મહાનગર, નગર, ગામ અને  ગામડાં,  બધાની આવી રીતરસમો છે.

રસ્તાઓ ઉપર પાણી ભરાઈ રહે એટલે નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી (અધિકારીઓ સહિત)ને ઘી કેળાં થઈ જાય છે. રસ્તો ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેમાં નબળો બન્યો હોય તો પણ સબળામાં ખપાવી શકાય.

ટેન્ડર ના સ્પેસીફીકેશન એટલા નબળાં અને ક્ષતિપૂર્ણ હોય કે ખાડાઓને અવકાશ રહે . રીસરફેસીંગનું ટેન્ડર પણ રસ્તાની સમગ્ર પહોળાઈને અનુલક્ષીને આવરે. કારણ કે આવું કરે તો કટકી ક્યાંથી મળે? ફુટપાથોને રસ્તાનો હિસ્સો ગણવો તે પણ કટકી માટે આવશ્યક છે. રસ્તાની કિનારીઓ ફુટપાથ સુધી અડાડવાની જરુર નથી. ફુટપાથ રસ્તાનો ભાગ હોવાથી તેને સમતલ કે પાકી કરવાની જરુર નથી. આવી અણઘડતા તો તમને જ્યાં પગ મુકો ત્યાં જોવા મળશે.

એવા અગણિત સ્પોટ હશે કે જ્યાં તમને ખબર પડે કે તમારે બીજા વાહન સવારોની અરાજકતા થી તમારા વાહન ને બચાવવું કે રસ્તાના ખાડાઓથી તમારા વાહનને બચાવવું!

વાહનવ્યવહારને સરકાર નિયંત્રિત કરે તે આવકાર્ય છે. વાહન ચાલકની અનિયંત્રિતતા બદલ તેનો દંડ કરે તે પણ આવકાર્ય છે. દંડ પ્રમાણ અતિ ભારે હોય તે પણ આવકાર્ય છે.

વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરે અને તમે એટલે કે સરકાર માઈબાપ તેનો દંડ વસુલ કરો પહેલાં તમે પોતે વાહનવ્યવહારના તમારે પોતાને પાળવાની જોગવાઈઓનો તો અમલ કરો. તમે કદાચ કહેશો કે અમે કરીએ છીએ પણ શું થાય સાલો વરસાદ બધું બગાડી નાખે છે. જો કે અમે હવે કૃતનિશ્ચયી છીએ અને અમે અઠવાડીયામાં બધું ઠીક કરી દઈશું.

તમારી આદતો જનતા સુપેરે જાણે છે.

જનતાને ખબર છે કે સરકાર % કામ કરશે. બાકીના ૯૫ટકા કામો તો વર્ષો સુધી અધિકારીઓને દેખાશે પણ નહીં. છાપામાં સમાચાર છપાવશે અમે આટલા હજાર ખાડા પૂર્યા. અમે જનજારુતિ માટે આટલા બોર્ડ લગાડ્યા …. આટલી માનવ સાંકળો કરી અને  કરાવડાવીઆટલી મેરેથોન દોડ કરી…. આટલા જનજાગૃતિના સંવાદો ગોઠવ્યા …. આટલી સોસાઈટીઓમાં જઈને લોકોને સમજાવ્યાહે જનતા, અમે તમારે માટે શું શું નથી કરતા …. !!!

હા ભાઈ કમીશ્નર, તમે બધું કરશો , સિવાય કે તમને જે માટે પગાર મળે તે કામ.

મ્યુનીસીપાલીટીનું બીજું નામ છેશહેર સુધરાઈ”. ગામને સાફ સુથરું રાખવામાં સફાઈ, સુધરાઈ, દબાણ હટાવ, ગેરકાયદેસર બાંધકામ થાય, લોકોની તંદુરસ્તી …. બધું આવી જાય.

ભાઈ કમીશ્નર (કમીશ્નર એટલે આખી નગરપાલિકા નો સ્ટાફ), તમારે બીજું કશું કરવાની જરુર નથી. તમે ફક્ત તમને જે માટે ના પગાર મળે છે તે કામ તેના નિયમો અનુસાર કરો તો તે પૂરતું છે.

સરકારી ટ્રાફિક કંટ્રોલની સીસ્ટમ કેવી છે?

શું તમે જે ૧૦૦ વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોને ભંગ કર્યો છે તે સોએ સોને દંડિત કરી શકો છો? વાહન ચાલક ગમે ત્યાં હોય, તેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એટલે પકડાયો , એવી સીસ્ટમ તમે ઉત્પન્ન કરી છે? ના જી.

૧૦૦ ટકા અસરકારક સીસ્ટમ ઉભી કરવી અશક્ય છે?

ના જી, અશક્ય તો કશું નથી.

તમે દર અર્ધા કિલોમીટરે અને દરેક ચાર રસ્તે સીસીટીવી કેમેરા મુકી શકો છો? મુક્યા છે? ના જી.

જે વાહન ચલાવવાના નિયમ ભંગ કરે તે પકડાય અને પકડાય તેવી સીસ્ટમ બનાવી શકો છો? હાજી. પણ અમે જાણી જોઈને આવું કરતા નથી. કારણ કે અમારે સરકારી નોકરોને પૈસા ખાવા છે.

અમદાવાદમાં અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. વાહન ચાલકે  સીગ્નલનો ભંગ કર્યો કે તરત સીસ્ટમ દ્બારા આપોઆપ ઉત્પન્ન થયેલો મેમો, વાહન ચાલક્ને મેલ દ્વારા મોકલાઈ જાય. દંડ ભરવાની જવાબદારી વાહન ચાલકની છે. જો તેણે ૧૫ દિવસમાં વિરોધ પણ કર્યો અને પૈસા પણ ભર્યા તો બીજો પેનલ્ટીનો મેમો ઉત્પન્ન થશે.. અને થવો જોઇએ. જો આટલેથી પણ વાહન ચાલક સમજે તો એવી સીસ્ટમ ગોઠવી શકાય કે વાહન ચાલક જ્યારે તે વાહન લઈને રોડ ઉપર નિકળે તો ટ્રાફિક પોલીસના કન્ટ્રોલ રુમમાં એલાર્મ વાગે અને કન્ટ્રોલ રુમના ઓપરેટરને વાહનનું લોકેશન અને નંબરની જાણ કરે.

અમને પૈસા ખાવા દો” 

પણ આવું થયું. કારણ કે જે કંઈ પણ અધકચરી અને મર્આયાદિત ઑટોમેટિક સીસ્ટમ હતી તેને પણ સરકારી અધિકારીઓ નિસ્ફળ બનાવવા માગતા હતા. કારણ કે તેમની ડાબા હાથની કમાઈને ઘાટો પડતો હતો. અમુક વાહન ચાલકોએ પૈસા ભર્યા અને બાકીના વાહન ચાલકોએ પૈસા ભર્યા. ભર્યાનો આંકડો લાખો રુપીયામાં પહોંચી ગયો.

સરકારી અધિકારીઓએ કહ્યું કેવાહન ચાલકો પૈસા નથી ભરતા તો અમે શું કરીએ?” અધિકારીઓના અધિકારીઓને અને મંત્રીઓને વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ.

જૈસા થા વૈસા હી રખ્ખો (જૈસે થે વાદી હોના હમારી પ્રકૃતિ હૈ)”

પહેલાંની જેમ ,  ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દંડ વસુલ કરે એવું ઠેરવ્યું. સાલા વાહન ચાલકો મેલ દ્વારા મોકલેલ મેમો ની કદર નથી કરતા. અમે શું કરીએ? અમે તે કંઈ મરીએ?

ધારો કે,

ધારો કે કોઈ એક ટ્રાફિક પોલીસે એક વાહન ચાલક કે જેણે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો તેનો મેમો ફાડ્યો. અને તે વાહન ચાલકે તે પૈસા આપવાની ના પાડી. તો તે ટ્રાફિક પોલીસ શું કરશે? તે ટ્રાફિક પોલીસ તે વાહન ચાલકનું વાહન જપ્ત કરશે. અને કહેશે કે તમે પહેલા પૈસા ભરો પછી તમને તમારું જપ્ત કરેલું  વાહન પરત મળશે.

મેમોના કેસમાં પણ આવું થઈ શકે.

સરકારી માણસ (ટ્રાફિક પોલીસકહેશે કે આવા તો લાખો મેમો ફાટ્યા છે. અમે ક્યાં લાખો ઘરો માં જઈએ. અમારી પાસે એટલો સ્ટાફ ક્યાં છે!!!

અરે ભાઈ, મેમોની લાખોની સંખ્યા તો તમારી લાંબા સમયની નિસ્ક્રીયતાને કારણે થઈ. તમે જો બે પાંચના વાહન ચાલકોને ઘરે જઈને વાહનો જપ્ત કર્યા હોત તો બાકીના અચૂક દંડની રકમ ભરી જાત. પણ ટ્રાફિક પોલીસ ખાતાના અધિકારીઓને આવું કશું કરવું નથી. એટલે તો અરાજકતા વધતીને વધતી જાય છે.

અમારો વટ પડવો જોઇએ ને !!” સરકાર ઉવાચ.

ટ્રાફિક પોલીસ ગુન્હાસ્થળે પૈસા વસુલ કરે તો તેનો વટ પડે. ટ્રાફિક પોલીસને દંડ કરવાની તો ઠીક, પણ દંડ કરવાની પણ સત્તા મળી જાય છે.

ઘમંડી કે માલેતુજાર વાહન ચાલકોનો પણ વટ પડે. “મને તું ઓળખતો નથી? હું કોણ છું ખબર છે? મને કાયદો અડતો નથી. તને ખબર નથી?” 

ટ્રાફિક પોલિસના સાહેબોને પણ નિરાંત. તેઓ ટ્રાફિક પોલીસ ને કહેશે કે તારે આટલા કેસો લાવવાના, આટલા લખવાના અને આટલા અમને રોકડા આપવાના. તારો ટાર્જેટ. જલસા કર બેટા. તારું પણ ભલું અને મારું પણ ભલું અને આપણા સાહેબોનું પણ ભલું.

સ્થાનિક સરકારની ટ્રાફિકના નિયંત્રણ માટે શું ફરજ છે.

સૌ પ્રથમ તો માર્ગને લગતી વ્યાખ્યાઓ બદલોઃ

() રસ્તો એટલે ફુટપાથ સહિતનો રસ્તો. નાનામાં નાની ફુટપાથ પણ પહોળાઈમાં દોઢ મીટરથી નાની હોવી જોઇએ. આટલી  જગ્યા વ્હીલચેર માટે જરુરી છે. ભલે કમીશ્નરના ભેજાની બહારની વસ્તુ હોય.

() મકાન એટલે રહેણાક કે દુકાન, કે સંકુલ કે જેની રોડ સાઈડ તરફ નિયમ અનુસાર પાંચ મીટર ખુલ્લી, પાકી અને ક્લીયર જગા હોય.

() મકાનના નામ, દુકાનના નામ, સંકુલના નામના સાઈન બોર્ડ ની સાઈઝ અને સ્થાન સુનિશ્ચિત કરો. સંકુલ ના નિયમો બનાવો. દરેક સંકુલમાં અને ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં વોશરુમના નિયમો અને  સાઈન બોર્ડ બનાવોમકાનની બહાર પાર્કીંગના બોર્ડ બનાવો જેથી પાર્કીંગ શોધવું પડે.

() દુકાનો કરવાના નિયમો કડક કરો. દુકાન જેટલા ચોરસ ફુટ ની હોય તેના પ્રતિ સો ચોરસફુટના હિસાબે પાંચ વાહન પાર્કીંગની જગ્યા હોય તો તેને દુકાન કરવાની પરમીશન આપોપાર્કીંગની જગ્યા હોવી તે દુકાનદાર માટે આવશ્યક ગણાવવું જોઇએ. વાસ્તવમાં તો કોમર્સીઅલ કોંપ્લેક્સને મંજુરી આપવી જોઇએ. છૂટક દુકાનોને મંજુરી આપવી જોઇએ. મકાનના અમુક માળ પાર્કીંગ માટે હોવા જોઇએ. પાર્કીંગની દીશા બતાવતા સાઈન બોર્ડ હોવા જોઇએ અને સરળતાથી ધ્યાનમાં આવે  એમ રાખવા જોઇએ. રસ્તા ઉપર એક પણ વાહન  કે લારી ગલ્લો કે પાથરણાવાળો હોવો જોઇએ. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથ પણ આવી જાય.

પાર્કીંગની જગ્યા પાકી, અને પાકી  માર્કીંગ લાઈનો વાળી હોવી જોઇએ. રસ્તા ઉપર પાર્કીંગના દિશાસૂચક બોર્ડ હોવા જોઇએ.

() સ્પીડ લીમીટના સાઈન બોર્ડ ઓછામાં ઓછા એક કિલોમીટરે અને દરેક વળાંકે હોવા જોઇએ, પછી રોડ, હાઈવે હોય કે શહેરી રોડ હોય કે ગલીનો રોડ હોય.

() રોડ ઉપર ઝીબ્રા ક્રોસીંગ, સ્ટોપ લાઈન અને લેન માર્કીંગ પાકા હોવા જોઇએ.            

() રોડ ડીવાઈડર એક લેન જેટલાં પહોળાં હોય અને તેના ઉપર ઓછામાં ઓછાં ચાર ફુટ ઉંચા ફુલના છોડ  હોવા જોઇએ. જ્યાં રોડ ડીવાઈડરની જગ્યા એક લેન જેટલી પહોળાઈ રાખવી શક્ય હોય ત્યાં ચાર ફૂટ ઉંચી દિવાલ હોવી જોઇએ.

() આવનારા રોડ અને જગ્યાના નામોના ડીસ્પ્લે બોર્ડ સમાન રીતે અને સુનિશ્ચિત સમાન કદના હોવા જોઇએ. તેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા જોઇએ.

(૧૦) રસ્તા ઉપર વળાંક, રોડ બાઈફર્કેશન, રોડ સીમા, યલો લાઈન, ઓવરટેક બંધીછૂટ્ટીજેવા સાઈન બોર્ડ અને માર્કીંગ અચૂક રાખવા જોઇએ

ટ્રાફિક નિયમોના ભંગ

() બે પૈડા વાળા વાહન ચાલકે અને સાથે બેઠેલાએ  હેલમેટ પહેરવી, અને ચાર પૈડા કે તેથી વધુ પૈડા વાળા વાહન ચાલકે અને પાસે બેઠેલાએ સીટબેલ્ટ બાંધવો.

() મોબાઈલ કાને લગાડવો.

() માન્ય કરતાં વધુ સવારી બેસાડવી,

() અવારનવાર લેન બદલવી,

() સ્પીડ લીમીટનો ભંગ કરવો, અને અથવા વાહન ઉપર સ્ટંટ કરવા

() ખાસ પ્રયોજન વગર, લેનની મધ્યમાં વાહન ચલાવવુ.

() લેનમાં બીજા વાહનને તેની ડાબી બાજુથી ઓવરટેક કરવું

() આગળના વાહન સાથે કે જમણી બાજુના વાહન સાથે ભટકાઈ જવું,

() ખોટી લેનમાં આવી જવું. અને ટ્રાફિકને અડચણ રુપ થવું. દા.. ડાબી બાજુની છેલ્લી લેન ડાબી બાજુના રસ્તે જવા માટે હોય છે. બાઈક અને ગાડીવાળાને સીધા જવું હોય તો પણ જગ્યા રોકી લે છે અને રસ્તો બ્લોક કરી દે છે.

(૧૦) સીગ્નલનો ભંગ કરવો,

(૧૧) ટ્રાફિક સીગ્નલ પાસે, સ્ટોપ માર્કીંગ લાઈનથી આગળ નિકળી જવું

(૧૨ખોટા અવાજવાળા હોર્ન રાખવાં. કેટલાક લોકો બાઈકમાં કારના અવાજવાળા હોર્ન રાખે છે.

(૧૩) આગળના વાહન ચાલકની મજબુરી જાણ્યા વગર હોર્ન વગાડ્યા કરવું.

(૧૪) જ્યાં ટ્રાફિક સીગ્નલ હોય ત્યાં ઝીબ્રાક્રોસીંગ આગળ વાહન રોક્યા વગર અને આજુબાજુ જોયા વગર વાહનને આગળ લઈ જવું,

(૧૫)આગળની બેઠકવાળાઓએ સીટ બેલ્ટ બાંધવો.

(૧૬) એમ્બ્યુલન્સને કે એવા વાહનોને જગા આપવી

(૧૭) ગાડીને પાર્કીંગ પ્લેસની સેન્ટર લાઈન પર પાર્ક કરવી

(૧૮) સીગ્નલ આપવું

 (૧૯) રાત્રે શહેરની અંદર વાહન ચાલકે ફુલલાઈટ અને લોંગ લાઈટ રાખવી,

(૨૦) ફેન્સી નંબર પ્લેટ રાખવી,

(૨૧) સ્ટાન્ડર્ડ નંબર પ્લેટને, ઢાંકવી અને અથવા  ડેમેજ્ડ  કંડીશનમાં રાખવી,

(૨૨) પોતાનું વાહન ગંદુ રાખવું અને પીયુસી ચેક કરાવવું.

(૨૩) વાહનમાં ફર્સ્ટ એઈડના સાધનો રાખવા,

(૨૪) સ્પેર વ્હીલ રાખવું.

(૨૫) ગાડીને ગોબાવાળી અથવા ભાંગી તૂટી રાખવી

હમણાં હમણાં આરટીઓમાં ભીડ શું કામ થાય છે?

અરે ભાઈ કહેવાની જરુર નથી. લાઈસન્સ વગર, વીમા વગર અને પીયુસી વગર ઘણું બધું ચાલતું હતું. જાહેર માર્ગની જમીન ઉપર ઠાઠથી રેસ્ટોરાંઓનો ખાણી પીણીનો ચાલતા ધંધાઓ પણ કમીશ્નરને દેખાતો હોય તો બીજું તો એમને શું દેખાય?

જો સરકારી નોકરો જવાબદાર બનશે તો તેઓ જનતાને સુસંસ્કૃત કરી શકશે. જનતાનો મોટો વર્ગ માને છે કે કાયદાનો ભંગ કરનારાઓને તમે જેલ ની સજા કરો તો પણ ચાલશે.

શિરીષ મોહનલાલ દવે

 

Read Full Post »

આદિ ગાંધી દંભી ગાંધી અને નવા ગાંધી
  
મહાત્મા ગાંધી, ઈન્દીરા નહેરુ ઘાન્ડી અને નરેન્દ્ર મોદી
  
ઓળખની અટક અને અટકની ઓળખ

For CongI leaders Real Gandhi is a doubtful entity

For CongI leaders Real Gandhi is a doubtful entity

  

એટલે કે મોહનદાસ ગાંધી જેમના પિતાશ્રીના પિતાશ્રીની અટક ગાંધી હતી. એટલે કે તેમને કરીયાણાની દુકાન હતી તેથી તેવા લોકોની વ્યાવસાયિક ઓળખાણ અને તેથી અટક ગાંધી હોય છે.
  
ઈન્દીરા ગાંધી ની ગાંધી અટક વિષે આમ છે. વાસ્તવમાં ઇન્દીરાના પતિશ્રીની અટક ઘાન્ડી હતી. પણ કેટલાકની માન્યતા પ્રમાણે ઇન્દીરા સાથેના લગ્ન પછી મહાત્મા ગાંધીની સલાહને કારણે ઘાન્ડી અટકને ગાંધીમાં પરિવર્તિત કરેલી.
  
પણ આ વાતના કોઈ પૂરાવા નથી. મહાત્મા ગાંધીને નહેરુ પ્રિય હતા. “હવે મારી ભાષા નહેરુ બોલશે” એવા મહાત્મા ગાંધીના ઉચ્ચરણોનો અર્થ કરી અમૂક લોકોએ મહાત્મા ગાંધી નહેરુને પોતાના વરસદાર કરવા મગતા હતા એવો કરે છે. અને આ વાતના પરિપેક્ષ્યમાં “ઘાન્ડી”માંથી “ગાંધી” ના પરિવર્તનને જોડે છે. પણ જે લોકો ગાંધીજીને ઓળખે છે તેઓ આ વાતને માન્યતા આપતા નથી. “ઘાન્ડી”માથી “ગાંધી”ની નીપજ નહેરુ અથવા ઇન્દીરાગાંધીની પોતાની હોઈ શકે. ઇન્દીરા ગાંધી આવો લાભ લેવામાં પાછીપાની નકરે તે તમના સ્વભાવને અનુરુપ હતું.
 
ઇન્દીરા ગાંધી પરદેશમાં જ્યારે લાગમળે ત્યારે એવો આભાસ ઉત્પન્ન કરતા કે તેઓ ગાંધીજીના અંતેવાસી હતા. “અમારે ગાંધીજીના આશ્રમમાં … અમારે આવું કરવું પડતું …” એવી વાતો તેઓ કરતા. મોટા ભાગના વિદેશીઓ આજની તારીખમાં પણ ઇન્દીરા ગાંધીને મહાત્મા ગાંધીના પૂત્રી માને છે. આ વાતનો સ્વાનુભવ મને ૧૯૮૩માં મારા વિદેશી સહકાર્યકરોસાથેની વાતચીતમાં જાણવા મળેલું.
 
વળી જવાહરલાલ નહેરુની પૂત્રી છે એ વાતની મતદારોને ખબર રહે તે માટે તેમણે પોતાનું ઉમેદવારી નામ “ઇન્દીરા નહેરુ ગાંધી” એમ રાખેલું.
 
 
નરેન્દ્ર મોદીના પિતાશ્રીનું નામ મોટા ભાગના એટલે કે ૭૫ ટકા લોકો જાણતા નથી. અને તેઓ તૈલી છે તે વાત પણ મોટા ભાગના લોકો જાણતા નથી.
 
 
કૌટુંબિક સ્થિતીઃ
 
મહાત્મા ગાંધીના દાદા ખરા અર્થમાં કિરાણાની દુકાન ચલાવતા. પણ તેમના પિતાશ્રી દિવાન હતા. એટલે ખાધેપીધે સુખી હતા. તેમને એક કાયમી નોકરાણી પણ હતી. ગાંધીજી ઉપર તેમની માતા અને આ નોકરાણીની અમીટ અસર હતી. તેમના પિતાશ્રીની દ્રઢતા, પ્રચ્છન્ન કરુણા અને નીતિમત્તાના જીન ગાંધીજીમાં ઉતરી આવ્યા હશે એવું લાગે છે.
 
 
ઈન્દીરા ગાંધીના દાદા શ્રી મોતીલાલ નહેરુ બ્રાહ્મણ કહેવાતા હતા. અને કાશ્મિરી પન્ડિત તરીકે ઓળખાતા. ઉત્તરભારત અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં જમીનદારોની આજની તારીખમાં પણ બોલબાલા હોય છે. અને તેઓમાં કૌટુંબિક ઝગડાઓ હોય એ સ્વાભાવિક છે. મોતીલાલાજી વકીલ હતા.  જમીનો અને સંપત્તિઓને લગતા કેસ લડતા હતા. તેઓ ઘણા પૈસાદાર હતા. અને તે એટલા બધા પૈસાદાર હતા કે તેમના કુટુંબીઓના કે જવાહરલાલના કપડાં પેરીસ ધોવા મોકલાતાં હતાં. આ વાતની સત્યતાની આપણને ખબર નથી. આ અતિશયોક્તિ પણ હોઈ શકે. કદાચ કોઈ ખાસ વસ્ત્રો કદીક ગયા પણ હોય.
 
પૈસાદાર હોવું અને લગ્નેતર સંબંધો હોવા એ વાતને ઉત્તરભારતમાં ખાસકરીને યુપી-બિહારમાં આજની તારીખમાં પણ ક્વૉલીફીકેશન ગણવામાં આવે છે. અને તેથી મોતીલાલ અને જવાહર વિષે અને તેથી કરીને ઇન્દીરા ગાંધી વિષે પણ આવી વાતો પ્રચલિત છે.
 
 
નરેન્દ્ર મોદી અપરિણિત છે. પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે તેમને પત્નિ હોવા વિષેની અને તે પત્નિને સંતાન હોવા વિષેની વાતને અને તે સ્ત્રીના બળાપાને એકવખત સરકારી ટીવી ચેનલ ઉપર પણ ચગાવવાની કોશિશ કરવામાં આવેલી. પણ ટીવી ઉપર આવતો પ્રચાર એટલો વ્યાપક બનતો નથી. અને નરેન્દ્ર ભાઈ મોદીના કુંવારાપણાના મુદ્દાને આંચ આવી નહીં. જો નરેન્દ્ર ભાઈ મોદી સાચેસાચ જ કુંવારા ન હોય તો નરેન્દ્ર મોદીને ચાર આંખે જોતા કોંગી ભાઇઓ અને સમાચાર માધ્યમો આ વિષે કેમ મૌન રહે છે તે સંશોધનનો વિષય છે.
 
 
ભણતર અને વિદ્યા
 
મહાત્મા ગાંધી ભણવામાં સામાન્ય હતા. પણ પૈસાપાત્ર હોવાને નાતે અને સસ્તાઈને કારણે ઈંગ્લેન્ડ વધુ અભ્યાસ અર્થે ખાસ કરીને બેરીસ્ટર થવા માટે જઇ શકેલા.
 
ઈંગ્લેન્ડ ગયા પછી થોડી ભાષાકીય મુશ્કેલીઓ પડ્યા પછી તેઓએ અંગ્રેજી સુધારવા માટે લેટીનનો અભ્યાસ કરેલો. અને મહેનત કરીને બીજા પ્રયાસે બેરીસ્ટર થઈ ગયેલા. તેમણે કથા વાર્તા શિવાયના પુસ્તકોનું ખુબ વાચન કરેલું. અને તે તેમણે ચાલુ જ રાખેલું.
 
જવાહરલાલ નહેરુ આઇ સી એસ માં નાપાસ થયા. એટલે “છોકરાને ઠેકાણે પાડો” એ હિસાબે મોતીલાલજીએ મહાત્મા ગાંધીને ભલામણ કરી.
 
મહાત્માગાંધીમાં સમન્વયકારી વલણ અદભૂત હતું અને તેઓ વ્યક્તિની શક્તિઓને ઉજાગર કરી શકતા હતા. વળી જવાહરલાલ નહેરુનું વાચન ઠીક ઠીક હતું. તેમણે “ડીસ્કવરી ઑફ ઈન્ડિયા” પુસ્તક પણ લખેલું. જોકે તેમાં કોઈ ઐતિહાસિક ડીસ્કવરી (શોધ) દેખાતી નથી. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલ ભારતના ઇતિહાસની પુનરાવૃત્તિ જ હતી. જોકે તેઓ એક વાતથી વાકેફ હતા કે શંકરાચાર્યના “માયાવાદ”માં  આઈન્સ્ટાઇનનો સાપેક્ષવાદ પ્રચ્છન્ન રીતે સમાયેલો છે. જો તેમણે એક જ વાક્યમાં આ વાતનો ઉલ્લેખ કરવાને બદલે તેનો એક અલગ અધ્યાય લખ્યો હોત તો કંઈક ડીસ્કવરી જેવું લાગત.
 
 
ઇન્દીરા ગાંધીના ભણતર વિષે કોઈ ખાસ જાણતું નથી. તેઓશ્રી પેરીસ ગયેલા. શાંતિ નિકેતનમાં પણ તેમને ભણવા મુકેલાં. એક વિશ્વસનીય અફવા પ્રમાણે તેમને “અભદ્ર” હરકતોને કારણે કાઢી મુકવામાં આવેલા.
 
તેમનું ભાષાકીય જ્ઞાન સીમિત હતું એવું લાગે છે. જ્યારે મુંબઈ રાજ્યના “વિભાજન” વિષે વાતો ચાલતી ત્યારે તેમણે કારોબારીમાં પ્રશ્ન કરેલો કે “વિભાજન નો અર્થ શું થાય છે?”. એટલે કે “વિભાજન” શબ્દના અર્થથી તેઓ અજ્ઞાત હતા તેનો અર્થ એ જ કે સામાન્ય વપરાશમાં ગણાતા સંસ્કૃતશબ્દોના અર્થથી તેઓ પરિચિત ન હતા. આ  કારણથી તેઓ ભારતીય સાહિત્યથી અળગા હતા એવું લાગે છે.
 
 
નરેન્દ્ર ભાઈ મોદી વિનયનના (આર્ટ્સ કોલેજના) વિદ્યાર્થી બનેલા. અને ડીગ્રીઓ મેળવેલી છે. સમાજશાસ્ત્ર જેમાં રાજકારણ પણ આવી જાય એ તેમના વિષય રહ્યા હતા. આર્ટસ કોલેજના અભ્યાસક્રમો સામાન્યરીતે સસ્તા હોય છે. અને સહેલાઈથી ડીગ્રી મળી જાય છે. પણ ડીગ્રી લેવી અને તેનો લાભ જીંદગીમાં લેવો એ બંને અલગ અલગ વાત છે. વકીલાતની ડીગ્રી લીધેલા બધા જ સફળ વકીલ બની શકતા નથી. તેમ આર્ટસની ડીગ્રી લીધેલા બધા જ સફળ સાહિત્યકાર, વિવેચક કે તત્વજ્ઞાની બની શકતા નથી. પણ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહિત્યકાર અને સમાજશાસ્ત્રી પણ છે. તેમને આમ તો રાજકારણી માનવામાં આવે છે.
 
 
કારકીર્દીઃ

મહાત્મા ગાંધી એટલે મૂલ્યોનું રાજકારણ અને મુલ્યો થકી ક્રાંતિ.
મહાત્મા ગાંધી એ સમાજસેવાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવેલું. મહાત્માગાંધી માટે સાધન શુદ્ધિ અને નિષ્ઠા એ મહત્વના હતા. મહાત્મા ગાંધીએ સમાજસેવાને વ્યાપક અર્થમાં લીધેલી અને તેથી તેમાં આખા સમાજશાસ્ત્રનો સમાવેશ થઈ જતો હતો. મહાત્માગાંધી પોતાના પિતાશ્રીના ખભાઉપર બેસીને કે તેમના ધોતીયાનો છેડો પકડીને પ્રગતિના પંથે ડગભર્યાં ન હતાં. તેમના વિચારો ઉપર ટોલ્સટોયની અને ભારતીય સંસ્કૃતિની ઘેરી અસર હતી. મહાત્મા ગાંધીની રજુઆત સરળ, મુદ્દાવાર, તર્કબદ્ધ અને કડવાશ-સ્વાર્થ વગરની હતી. તેથી તેમના વિરોધીઓ પણ કાંતો ધ્વસ્ત થતા હતા અથવા તેઓ તેમની સામે ચર્ચા કરવાનું ટાળતા.
 

 
ઈન્દીરા ગાંધી એટલે સત્તાનો પ્રેમ અને આ પ્રેમમાં મુલ્યોનો હ્રાસ.

ઈન્દીરા ગાંધી તેમના પિતાશ્રીના કારણે પ્રગતિના પંથે પડેલા. તેઓ આમ તો આંદોલન પ્રિય હતા. પણ સ્વરાજ્ય આવ્યા પછી સત્તાપક્ષના આંદોલનો અપ્રસ્તુત હતાં. પણ કેરાલાની નાંબુદ્રીપાદની પ્રથમ સરકાર સામે તેમણે તે સરકારને બરતરફ કરવામાટે  આંદોલન ચલાવેલું. અને કેન્દ્રમાં તેમના પિતાશ્રી સત્તા સ્થાને હતા અને સામ્યવાદીઓ પાંચમીકતારીયા કહેવાતા તેથી અને “એક સરકારી સાહિત્યનો મુદ્રક સામ્યવાદી હોદ્દેદાર હતો” તે વાત નીતિહીનતા ગણાય” તે આધારે સરકારને બરતરફ કરવામાં આવેલી.

 
આવા કોંટ્રાક્ટ જોકે કોંગી રાજ્યોમાં સ્વાભાવિક હતા. પણ નહેરુવીયનોના માપદંડો સમાન હોતા નથી તે વાતનું આ એક ઉદાહરણ હતું. કેરલની સામ્યવાદી સરકારને અને વિધાનસભાને બરખાસ્ત કર્યા પછી કેરલમાં જે ચૂંટણી થઈ તેમાં સામ્યવાદીઓની મતની ટકાવારી વધી, પણ મતોનું રાજકારણ અને ગણિત અલગ હોય છે તે કારણસર સામ્યવાદીઓ બહુમતિ બેઠકો જીતી ન શક્યા.
 
ઈન્દીરા ગાંધી નહેરુની કેબીનેટમાં પ્રસારણ પ્રધાન બનેલા. પણ તેમાં કોઇ આગવી ભાત પાડી શકેલા નહીં. તેવું જ કોંગ્રેસ પ્રમુખપદ ના તેમના હોદ્દા વિષે જાણવું.
 
ચીને ભારતને કારમો પરાજય આપ્યો અને તેમાટે સંપૂર્ણરીતે નહેરુ જવાબદાર હતા તેથી કોંગ્રેસના ઘણા નેતાઓ તેમની વિરુદ્ધ થઇ ગયેલા. નહેરુને ભય હતો કે તેમની કીર્તિ ઉપર એક ઐતિહાસિક કાલીમા છવાઈ જશે. તેઓ તેમની પૂત્રીને પોતાના અનુગામી બનાવવા માગતા હતા. તેમણે તેમના વિશ્વાસુઓની એક સીંડીકેટ બનાવી જે ખ્યાલ રાખે કે ઈન્દીરા ગાંધી જ અનુગામી બને.
 
આ વાત નેતાગણ જાણતું હતું. પણ લાલબહાદુરશાસ્ત્રી અને મોરારજી દેસાઈ વડાપ્રધાનપદના ઉમેદવાર હતા. ગોલ્ડ કન્ટ્રોલથી ઉભી થતી માનવીય વિટંબણાઓનો દોષનો ટોપલો મોરારજી દેસાઈ ઉપર ઢોળ્યો. મોરારજી દેસાઈને કામરાજ પ્લાન હેઠળ દૂર કર્યા. અને ગુલઝારીલાલ નંદાને ડેપ્યુટી પ્રાઈમમીનીસ્ટર બનાવ્યા.
જવાહરલાલ નહેરુ ઘણાજ મુત્સદ્દી અને અઠંગ હતા. તેમણે ટાઢાપાણીએ ખસ કાઢી. પોતાના વિરોધીઓને પક્ષને તોડ્યાવગર, પક્ષને નુકશાન કર્યા વગર દૂર કરેલા. નહેરુના મૃત્યુ પછી પણ અમુક સમય સુધી નહેરુની વગ ચાલુ રહી.
 
સીન્ડીકેટે  લાલબહાદુર શાસ્ત્રી અઘોષિત એવા મધ્યકાલિન વ્યવસ્થા તરીકે વડાપ્રધાન બનાવ્યા. લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી ઈન્દીરાગાંધીને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય સીન્ડીકેટે લીધો. પ્રતિસ્પર્ધી મોરારજી દેસાઈ ને સીન્ડીકેટ સ્પર્ધા માંથી રોકી શકી નહીં. તેઓ સત્તાથી દૂર હતા તો પણ ૧૬૯ મત લઈ આવ્યા. પ્રધાનમાંડળમાં તેઓ ન જોડાયા.
 
શરુઆતમાં ઈન્દીરાગાંધી સીન્ડીકેટના હજુરીયણ તરીકે વર્ત્યા. મોરારજી દેસાઈને વડાપ્રધાન પદથી ઓછું કશું ખપતું નહતું. તેઓ પ્રધાનમાંડળની બહાર રહ્યા.
 
વડાપ્રધાન પદ ભોગવવું અને વહીવટ કરવો એ અલગ અલગ છે. કોંગ્રેસની આબરુ ઘટવા લાગી. ૧૯૬૭ની ચૂંટણીઓમાં કોંગ્રેસની બહુમતિ સાવ જ પાતળી થઈ ગઈ. મોરારજી દેસાઈ મજબુત બન્યા. પણ સીન્ડીકેટ ઈન્દીરા ગાંધીને જ વડાપ્રધાન બનાવવા માગતી હતી. અને સ્પર્ધા થાય તો મોરારજી દેસાઈ જીતી પણ જાય તેવો ભય હતો. તેથી મોરારજીદેસાઈને ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર બનાવીને મનાવી લીધા. જો તમારો સહયોગી તમારાથી વહીવટ (એડમીનીસ્ટ્રેશન)માં વધુ આવડત વાળો હોય તો તમારી મહત્તા જોખમાય. એટલે ઈન્દીરા ગાંધીએ કોમ્યુનીસ્ટો સાથે મસલતો કરી અને તેમને પટાવ્યા.
 
કોમ્યુનીસ્ટોને મનાવવામાં રશીયાએ ભાગ ભજવ્યો હશે.
 
સમાજવાદની હવા ફેલાવવામાં આવી. રાજાઓના વિશેષ અધિકારો નાબુદ કર્યા. અને બેંકોનું રાષ્ટ્રીય કરણ કર્યું. મોરારજી દેસાઈ ને પ્રધાનમાંડળમાંથી દૂર કર્યા.
 
પ્રમુખપદની ચૂંટણીમાં પક્ષની ઉપરવટ જઈ સંજીવ રેડ્ડીની સામે પોતાના ઉમેદવાર તરીકે વીવી ગીરીને  ઉભા રાખ્યા. સમાજવાદને અવગણશે તેનો ભૂકો થઈ જશે. ગરીબોની અવજ્ઞા કરશે તેને અમે ભોંયભેગા કરી દઈશું …  અંતરાત્માના અવાજ થકી મત આપો … તે ઉપરાંત સંજીવ રેડ્ડી વિરુદ્ધ બિભત્સ પત્રીકાઓ વહેંચીને પોતાના ઉમેદવારને સામ્યવાદીઓના સહકારથી જીતાડી દીધો.
 
જો જીતા વહ સિકંદર  એ ન્યાયે સમાચાર માધ્યમોએ ઇન્દીરાગાંધીનો જયજય કાર કર્યો.
 
પણ સરવાળે સીન્ડીકેટ તેમની વિરુદ્ધ થઈ ગઈ. એટલે ઇન્દીરા ગાંધીએ રેગ્યુલર મહાસભા ૬ મહીના પછી આવવાની હોવા છતાં અસાધરણ સભા બોલાવી અને કોંગ્રેસના બે ભાગ કર્યા. કોંગ્રેસ (આઈ-ઈન્ડીકેટ) અને કોંગ્રેસ (સંસ્થા – સીન્ડીકેટ).
 
સામ્યવાદી સ્ટાઈલના પ્રચાર થકી ઇન્દીરા ગાંધીની કોંગ્રેસને પ્રચંડ બહુમતિ મળી.

મતોનું રાજકારણ અને પક્ષીય રાજકારણ લગભગ એક સરખું હોય છે. પણ વહીવટનું રાજકારણ અલગ હોય છે. મતોના રાજકારણમાં તમે લોકોને પ્રચારમાં જુવાળને ઉભો કરી, લોકોમાં ભેદ ઉભા કરી, વચનો આપી, અફવાઓ ફેલાવી, વિપક્ષના મતોને તોડાવી વહેંચાવી ચૂંટણી જીતી શકો છો.

 

BLACK MONEY IN SWISS BANK CONGRESS SAYS USE OF BLACK MONEY IS FOR GIVING CLEAN GOVERNMENT

BLACK MONEY IN SWISS BANK CONGRESS SAYS USE OF BLACK MONEY IS FOR GIVING CLEAN GOVERNMENT

પક્ષીય રાજકારણમાં વગદારોને કામચલાઉ મહત્વ આપીને કે સામ દામ ભેદ અને દંડ થકી સફળ થઈ શકો છો. આ બંને રાજકારણમાં શબ્દોની ભેળસેળ અને શબ્દોના અર્થો મહત્વના હોતા નથી.
 
 
પણ વહીવટી રાજકારણ જુદું છે. વહીવટ કાયદાઓ થકી ચાલે છે. અને ત્યાં શબ્દોના નિશ્ચિત અર્થ હોય છે. વહીવટ કરવો એટલે કર્મચારીઓને કામ કરતા કરવા. તે માટે તમારામાં કામની સમજ, આવડત અને દીર્ધ દૃષ્ટિ જરુરી હોય છે.

No problem in taking help but I am against dynasty

No problem in taking help but I am against dynasty

 

વહીવટમાં તો નહેરુ પણ નિસ્ફળ ગયેલા તો પછી ઈન્દીરા ગાંધી તો સફળ થાય જ કેવી રીતે?
 

For Indira Gandhi others were non-democratic

For Indira Gandhi others were non-democratic

ઇન્દીરા ગાંધી પ્રચંડ બહુમતિ પછી પણ વહીવટી ક્ષેત્રે તે તદન નિસ્ફળ ગયેલાં. સર્વત્ર જરુરી વસ્તુઓની અછત પ્રવર્તતી હતી. ભ્રષ્ટાચારે માઝા મુકી હતી. તેમાં ઇન્દીરા ગાંધી ખુદ શંકાથી પર ન હતાં. અને તેથી લોક આંદોલનો થયા હતા અને કૉર્ટમાં કેસ થયેલા. ઇન્દીરા ગાંધીને હાઈકોર્ટે પાર્લામેન્ટના સભ્ય પદને ગેરલાયક ઠેરવેલ. પરિણામે કટોકટી આવેલી અને સમાચાર માધ્યમો ઉપર સેન્સરશીપ આવેલી.
 
સેવાદળની વાત કરીએ તો સેવાદળ તો નહેરુના સમયથી જ ગુજરાત અને મહારાષ્ટ્ર શિવાય ભારતભરમાં લગભગ નામશેષ થયેલું.
 
બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે કોંગીની સ્થાનિક નેતાઓની  ભલામણથી ગરીબ કારીગરોને “પાછી નથી આપવાની એવી સમજણ સાથે” નાની નાની લોનો આપવામાં આવેલ અને તેમાં નેતાઓની કટકી રહેતી. તેથી મુલ્યોનું ઠેઠ નીચેના સ્તરસુધી અધઃપતન થયેલું.
 
આજની તારિખમાં તે કેટલું બધું વરવું બન્યું છે તે આપણે જોઇએ છીએ.
 
 
નરેન્દ્ર મોદી એટલે વિકાસની રાજનીતિ

નરેન્દ્ર મોદી આમ તો ખાસ જાણીતા ન હતા. સંઘમાં તેમણે શું કર્યું તે આમજનતા જાણતી નથી. તેઓ બીજેપીમાં મહામંત્રી બન્યા હતા. તેઓ બીજેપીના પ્રવક્તા બન્યા હતા. તેઓ પ્રભારી પણ બન્યા હતા. તે પછી તેમની કારકીર્દીમાં રહેલી નિપૂણતા જોઇને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હશે તેવું આપણે માની શકીએ.

 
હવે તમે જુઓ. તેઓ જ્યારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે ભૂકંપના ભોગ બનેલા ગુજરાતમાં ભ્રષ્ટાચારની ફરીયાદો વ્યાપક અને આંખે ઉડીને વળગે તેવી હતી.
 
બીજેપીની લોકપ્રિયતા તળીયે હતી. પણ નરેન્દ્ર મોદીએ લીધેલા ભ્રષ્ટાચાર વિરોધી સુદ્રઢ પગલાંથી તેઓ લોકપ્રિય બનેલા.
 
ત્યાં વળી સ્થાનિક કોંગીનેતા સંડોવાયા હોય તેવી સાબરમતી  ટ્રેનના ડબ્બાને સળગાવવાની ઘટના બની. તેના પ્રત્યાઘાતમાં કોમી હુલ્લડો ફાટી નિકળ્યા.
 
કોઈપણ જાતના પ્રત્યાઘાતી કારણના અભાવમાં પણ કોંગી શાસન દરમ્યાન આથી પણ વધુ ખુનામરકી વાળા હુલ્લડો થયેલાં. પણ આ હુલ્લડ વિષે કોંગ્રેસીઓએ અને મીડીયાએ તેને અપ્રમાણ અને અપ્રામાણિકરીતે વધુ, નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવાની કોશિશ કરી અને આ વાતને અપ્રમાણ અને અપ્રામાણિકરીતે વધુ પ્રસિદ્ધિ આપી.
 
આ જાતનું વલણ કોંગી માટે બુમરેન્ગ અને મીડીયામાટે અવિશ્વસનીય સાબિત થયું.
 
તેથી લોકોમાં નરેન્દ્ર મોદીની પ્રતિમા વધુ ઉજ્જ્વળ બની. નરેન્દ્ર મોદી માટે આ એક કટોકટીનો સમય હતો. તેમના પક્ષમાં પણ તેમને એકલા પાડી દેવામાં આવ્યા હતા. પણ અડવાણીએ જોયું કે જનતામાં તેમની પ્રતિષ્ઠા વધી છે. અને આજ વસ્તુ બીજેપીને રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે બચાવી શકશે. અને તેમજ થયું.
 
તે પછીની ચૂંટાણીઓમાં નરેન્દ્ર મોદીને સફળતા મળતી રહી. તેઓએ પોતાની આવડતનો  વહીવટી કુશળતામાં ઉપયોગ કર્યો. તેમણે ધાર્યું હોત તો પોતાને માટે મિલ્કત સર્જી શક્યા હોત. પણ તેમણે મૃતપ્રાય બનેલી યોજનાઓને અને નવી યોજનાઓને જનતાને દેખાય એ રીતે અમલમાં મૂકી ગુજરાતની જનતાને જ નહીં પણ દેશ પરદેશમાં ગુજરાતની આબરુ અને વિકાસને ચાર ચાંદ લગાવ્યા.
 
ગુજરાતના આરએસએસ ની વાત કરીએ તો બીજેપી સત્તા ઉપર આવ્યો એટલે તેના સભ્યો લોકોના કામ કરવા માંડ્યા હતા. પણ લોકોના કામો બે જાતના હોય છે. કાયદેસરના કામો અને ગેર કાયદેસરના કામો.
 
સરકારી બાબુઓ પાસે તમે અવારનવાર જાઓ અને તેમનો ભાગ રાખો એટલે તમે ગમે તે હો, તેઓ તમારો ખ્યાલ રાખે જ. તેમને તો એજન્ટની જરુરત હોય.
 
ગેરકાયદેસરના કામો તમે કરાવી આપો તો સેવક તરીકે તમારી આબરુ વધે. પણ તમારું અને તમારા પક્ષની નીતિમત્તા ભ્રષ્ટ થઈ ગણાય અને પક્ષનું અવમુલ્યન થયું ગણાય.ટૂંકી દ્રષ્ટિવાળા આ વાત ન સમજી શકે તે સ્વાભાવિક છે.
 
એક રીતે જોઇએ તો સરકારી કામોમાં એજન્ટની જરુર જ ન હોવી જોઇએ. કારણ કે સરકારે તો કાયદા પ્રમાણે જ વર્તવાનું છે. સરકારી કામકાજ પારદર્શક હોવું જરુરી છે અને એમજ હોવું જોઇએ.
 
નરેન્દ્ર મોદીએ આ અપ્રચ્છન્ન રીતે પ્રચ્છન્ન આરએસેસના સેવકોની એજન્ટ-પ્રથા બંધ કરી. કર્મચારી અને અધિકારીઓને શિક્ષણ આપ્યું કે તેઓ જનતાને આવકારે અને લોકાભિમુખ વહીવટ કરે.
 
આ વસ્તુ હવે રાજ્યના સરકારી વહીવટમાં ઠીક ઠીક દ્રષ્ટિગોચર થાય. નરેન્દ્ર મોદીએ જાહેર માહિતિ અધિકારની બાબતમાં સરકારી અધિકારીઓને ઠીક ઠીક દંડ્યા છે.
 
કેન્દ્રમાં તો તમે ધંધો ધાપો મુકીને આદુ ખાઇને પાછળ પડો તો માંડ માંડ થોડા સફળ થાઓ. બાકી ત્યાં તો તમને કોઈ ગાંઠે જ નહીં.
 
નરેન્દ્ર મોદીની કાર્ય પ્રણાલીને ઈન્દીરાની કટોકટી કે સેન્સરશીપ સાથે જો કોઇ સરખાવે તો તે વિષે એમ જ કહી શકાય કે કાં તો ઈન્દીરાઇ કટોકટી વખતે તેઓશ્રી બાબાગાડી ચલાવતા હશે એટલે કે ચાલતા પણ શિખ્યા નહીં હોય. અથવા તો તેમનામાં ઇતિહાસનું ભારોભાર અજ્ઞાન હશે અથવા તો તેમના ઉચ્ચારણો રાજકારણ પ્રેરીત હશે અથવા તો તેઓ વાણીનો વિલાસ કરી શબ્દોના અર્થો ઉપર અત્યાચાર કરે છે.
 
 
કટોકટીમાં મનુષ્યના માનવ અધિકારો નષ્ટ કરવામાં આવેલા. જેલમાં મોકલવા માટે ગુનાનું અસ્તિત્વ હોવું જરુરી ન હતું. પોલીસ માટે કથિત ગુન્હેગારને શા માટે જેલમાં પુરવામાં આવે છે તે કારણ દર્શાવવાનું જરુરી ન હતું.
 
સેન્સરશીપ એવી હતી કે કોઈપણ પ્રેસને કારણ આપ્યા વગર બંધ કરી શકાતું હતું. હાઈકૉર્ટનું જજમેન્ટ પણ જો પરોક્ષરીતે એવું લાગે કે કોંગ્રેસ વિષે નુકશાનકારક છે કે બની શકે છે કે એવો ભય છે તો તેને પણ પ્રકાશિત થતું અટકાવી શકાતું હતું. બીજા સમાચારોની તો વાત જ ક્યાં છે?
 
અને તમે જુઓ. નરેન્દ્ર મોદી વિષે તમે આજની તારીખે પણ ઢંગ ધડા વગરનું અને માહિતિહીન બોલી શકો છો અને છાપી શકો છો.
 
 
રાજીવગાંધી તો સરકારના ગરીબ માટે ૧૦૦ પૈસામાંથી ૫ પૈસા જ ગરીબ પાસે પહોંચે છે એમ કહીને બેઠા રહેલા. પણ નરેન્દ્ર મોદીએ ગરીબોને શોધવાની જવાબદારી સરકારી અધિકારીઓ ઉપર નાખી અને ગરીબોને ફાળવેલા પૈસામાંથી તેમને ઉપયોગી વસ્તુઓ પહોંચતી કરી. તેવું જ તેમણે ગરીબ ખેડૂતો માટે કર્યું. આને કહેવાય  સુયોગ્ય દ્રષ્ટિ અને સુયોગ્ય વહીવટ.
 
નરેન્દ્ર મોદીમાં દીર્ઘ દ્રષ્ટિ, રાજકીયપટુતા, નીતિમત્તા, સંકલન શક્તિ અને આપત્તિને અવસરમાં પલટાવવાની ક્ષમતા છે. અને સૌથી વિશેષ તો એ વાત છે કે તેઓ સતાભિમુખતા માટે ઈન્દીરા ગાંધીની જેમ વલખાં મારતા નથી કે ગાંડા કાઢતા નથી.
 
નરેન્દ્ર મોદીને તેમના વિકાસ કામો વિજય અપાવે છે. નરેન્દ્ર મોદી જ્ઞાતિઓમાં કે ધર્મોમાં ફાટફુટ પડાવીને મતોનું રાજકારણ રમતા નથી. તેઓ કહે છે કે “આવો આપણે બધા પક્ષો વિકાસમાં સ્પર્ધા કરીએ”.
 
આવા ચીફ મીનીસ્ટર હોય એ ગુજરાતની પ્રજાનું સ્વપ્ન છે. સ્વપ્નાના સીએમ નરેન્દ્ર મોદીને ઈન્દીરાગાંધી જેવી દંભી, સત્તાભિમુખ અને સમાજીકમુલ્યોનું પતન નોંતરનારી સ્ત્રી સાથે કદી જ સરખાવી ન શકાય.
 
મહાત્માગાંધી પોતાના દુશ્મનોને પણ દોસ્ત કરી શકતા હતા. નરેન્દ્ર મોદી દોસ્તોને સુધરવાની તક આપે છે. તેઓ ન સુધરે તો હું ભલો અને તમે ભલા.
 
ઇન્દીરા ગાંધીને તેમના પ્રલંબ અને અવિચારી પગલાંને કારણે જે વ્યક્તિની તેમનું રક્ષણ કરવાની જવાબદારી હતી તેણે જ તેમનું ખુન કર્યું. આથી વિરુદ્ધ માહાત્મા ગાંધી જ્યારે આફ્રિકાની જેલમાં હતા ત્યારે તેમનો ચોકીદાર કે જે હબ્સી હતો અને તેને મહાત્મા ગાંધીની ભાષા પણ આવડતી ન હતી. તે શરુઆતમાં તેમની પ્રત્યે બહુ કડક અને તોછડો હતો. પણ પછી તેમનો ભક્ત બની ગયેલો.
ગાંધી ગાંધીમાં ફેર હોય છે.

A man with wisdom and will

A man with wisdom and will

 
નેતા નેતામાં ફેર હોય છે. વિખ્યાતિ અને સુખ્યાતિ માં ફેર હોય છે.
 
શિરીષ મોહનલાલ દવે
 
ટેગઃ મહાત્માગાંધી, ઈન્દીરા ઘાંડી, હાઈકૉર્ટ, ગેરલાયક, કટોકટી, દંભ અને સતા પ્રેમ, નરેન્દ્ર મોદી, નવા ગાંધી, શૂન્યમાંથી સર્જન, લોકાભિમુખ વહીવટ
 
(દિવ્ય ભાસ્કર ૨૧-૧૧-૨૦૧૦ રવીવાર “સમુદ્ર મંથન” ઉપરથી તેના અઘાત રુપે સ્ફુરેલું) 

Read Full Post »