“લગે રહો મુન્નાભાઈ (રાહુલબાબા)” એક મીડીયા એનાલીસ્ટ ઉવાચ
એક જુની જોક છે. એક વ્યક્તિ ઉપર ખૂન કરવાનો આ
રોપ આવ્યો. તેણે એક વકીલ રોક્યો. વકીલ સહેબે બહુ સુંદર દલીલો કરી અને ન્યાયધીશ સાહેબે તેને નિર્દોષ છોડી દીધો. પછી વકીલે પોતાના તે અસીલને પૂચ્છ્યું કે “તેં વાસ્તવમાં ખુન કરેલું કે નહીં?” ખુનીએ કહ્યું ” સાહેબ જ્યાં સુધી તમે દલીલો કરી ન હતી ત્યાં સુધી હું માનતો હતો કે મેં ખુન કર્યું છે. પણ તમારી દલીલો સાંભળ્યા પછી લાગ્યું કે મેં આ ખુન કર્યું જ ક્યાં છે?”
(જોકે આપણા ચર્ચિત કટાર લેખક ની વાત એવી પ્રસંશાને પાત્ર નથી, કારણ કે ન્યાયધીશ સાહેબ બેવકુફ હોય તે દર વખતે શક્ય નથી)
એક ગુજરાતી મીડીયા મેન (દિવ્યભાસ્કર દૈનિકના પ્રખર કટાર લેખકશ્રી), નહેરુવંશના પાંચમી પેઢીના ફરજંદથી આકર્ષાયા અને નક્કી કર્યું “ઇદમ્ તૃતીયમ્”ઘણા વિશ્લેષકો કરે છે. તો આપણે “ઈદમ ચતુર્થમ્”કરીએ.
મૂળ વાત છે. ૪૦વર્ષના બાબાની. એક ગુજરાતી નાટકમાં બાવીશવર્ષના બાબાની વાત આવે છે. પણ આ વાત ૪૦વર્ષના બાબાની છે. ઘણા લોકો તેને “રાહુલબાબા” કહે છે. આમ તો પાંચમી પેઢીનું નહેરુવીયન ફરજંદ ૪૦ વર્ષનું છે. પણ તેની બાલીશ હરકતો અને બાલીશ ઉચ્ચારણોના કારણે કદાચ તેનો રાહુલબાબા તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
આમ તો તે રાહુલબાબા ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે.
પણ સમાચાર પત્રોને આંચકા મારે તેવા ઉચ્ચારણો પ્રસારિત કરવામાં “વાચકવર્ગની વૃદ્ધિની રુએ” રસ હોય છે.
નહેરુવંશની પાંચમી જનરેશના આ ફરજંદે એવું ઉચ્ચારણ કર્યું હતું કે ભારતનો હિન્દુ આંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં વધુ ખતરનાક અને ચિંતાપ્રેરક છે. આવી વાત નહેરુવંશની પાંચમી જનરેશના આ ફરજંદે અમેરિકાના ડીપ્લોમેટને ગયા વર્ષે કરી તે વીકીલીકે જાહેર કરી.
જોકે નહેરુવંશજોના સંસ્કાર પ્રમાણે તેઓ આવા બેફામ ઉચ્ચારણો કરે એ કંઈ આશ્ચર્ય ની વાત નથી. કોંગીજનો માટે પણ “વચને કિમ્ દરિદ્રતા” એ મૂદ્રાલેખ છે.
બોલવામાં કશું મોળુ રાખવું નહીં. કાગનો વાઘ કરવો, રાઈનો પર્વત કરવો એવી વાત તો જવા જ દો, અસ્તિત્વ ન ધરાવતી વાતને પણ અસ્તિત્વમાં લાવવી અને ખરી વાતને છૂપાવવી એ કોંગી જનોની અને નહેરુવંશીય ફરજંદોની ખાસીયત છે.
આઝાદી પૂર્વેના કાળમાં નહેરુવંશના ફરજંદોએ દેશને ખાસ નડે તેવા વિવાદો ખડા કર્યા ન હતા. ગાંધી બાપુના સોટાથી બધા ડરતા પણ ખરા.
પણ ગાંધી બાપુ ગયા એટલે નહેરુવાંશના ફરજંદોએ દેશને અતિપાયમાલ કરતું પોત પ્રકાશ્યું, કારણ કે તેમની ઉપર લગામ ન રહી. તિબેટની વાત ન કરીએ તો પણ જવાહરલાલ નહેરુએ ચીન ના લશ્કરની સરહદ ઉપરની દશકા સુધીની ઘુસણખોરી ભારતની પાર્લામેન્ટથી ધરાર છૂપાવેલી.
“ખોટું બોલવું” અને “સાચી વાત છૂપાવવી” પર્યાયવાચી (સમાન અર્થ વાળા) બની શકે છે.
આ ચીની ઘુસણખોરી છૂપાવેલી, છૂપાવેલી એટલું જ નહીં પણ આવી ઘુસણખોરીને ધરાર નકારેલી.
સરહદના સૈન્યના ઉપરી અધિકારીઓ વચ્ચે રુટીન મીટીંગો થતી હોય છે. ભારતીય લશ્કરના અધિકારીઓ ચીની લશ્કરની ઘુસણખોરી વિષે વિરોધ દર્શાવતા. ત્યારે ચીની અધિકારીઓ નહેરુએ પાર્લામેન્ટમાં કરેલા નિવેદનોને ટાંકીને તેને ન કારતા અને રદીયો આપતા.
“લાઇન ઑફ કન્ટ્રોલ”, “લશ્કરી પગલાં” અને અથવા “યુનોને રજુઆત કરવી” એ વિષે નહેરુનું વલણ કેટલું બેવકુફી ભર્યું હતું એ વાત આચાર્ય કૃપલાણીએ તેમની આત્મકથામાં સચોટ રીતે સમજાવી છે. ચીનને આક્રમણ કરવામાં નહેરુએ ઠીક ઠીક સરળતા કરી આપેલી. આનું કારણ કદાચ દેશપ્રેમની ઉપરવટનું એવું સમાજવાદ પ્રત્યેની ભ્રામક ઘેલછા હોઇ શકે.
કહેવાતો સમાજવાદ એ એક તૂત છે એ વાત મહાત્માગાંધી સારી રીતે સમજી શકેલા. અને ગાંધીજીએ નહેરુને આ વાત જણાવેલી પણ ખરી. ગાંધીજીના સર્વોદયની વિચારધારાએ અને તાર્કિક રીતે જોઇએ તો સામ્યવાદ એ એક મહા-મૂડીવાદ છે. અને તેથી જ નહેરુના અને ઇન્દીરા ગાંધીના સમાજવાદ થકી આપણને મૂડીવાદ અને મહામૂડીવાદના (સામ્યવાદના) દુષણો જ મળ્યા છે.
પણ હવે એ વાત જવા દો.
ચીનની ઘુસણ ખોરી છૂપાવીને, સંસદ અને જનતાને ગેરમાર્ગે દોરીને, અને અસંબદ્ધ જવાબો આપીને જવાહરલાલ નહેરુએ રાજકારણમાં અને (કોંગ્રેસમાં પણ) “ખોટું બોલવા”ની નીતિના બીજ વાવેલાં છે. કોંગ્રેસે સંસદ સમક્ષ લીધેલા છેલ્લા શપથ એ હતા કે “જ્યાં સુધી ચીને કબજે કરેલો ભારતીય પ્રદેશ પાછો મેળવીશું નહીં ત્યા સુધી જંપીને બેસીશું નહીં.. (એ .. ય આજની ઘડી ને કાલનો દિ …)”
ઇન્દીરા ગાંધી ના જુઠાણાંઓઃ
કોર્ટમાં તમે કંઈપણ બોલો તે પહેલાં તમારે શપથ લેવાના હોય છે કે ” જે કંઈ પણ કહીશ તે સાચું કહીશ … અને સાચા શિવાય કશું કહીશ નહીં”.
“સમાજવાદ”, “ગરીબી હટાવો”, “અમારું ધ્યેય સૌ સાથે નમ્ર વ્યવહાર”, “કટોકટી એટલે અનુશાસન પર્વ”, “વિપક્ષો પ્રત્યાઘાતી, અરાજકતાવાદી અને સમાજના દુશ્મન છે”
ના ઈન્દીરાઈ અર્થઘટનો બેનમુન અને હંપ્ટી ડંપ્ટી જેવાં છે.
૧૯૬૯-૧૯૭૧ના સમયગાળામાં, પાકિસ્તાનીઓની કરોડોની સંખ્યામાં થયેલી ઘુસણ ખોરી, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં સામાન્ય જનજીવનમાં થયેલી અવ્યવસ્થા અને વ્યાપક પાયમાલી એ બધું લાંબાગાળા સુધી ચાલ્યું.
જયપ્રકાશ નારાયણે કરેલી વિદેશની ખેપો વિદેશી સરકારોને હસ્તક્ષેપ કરાવવા માટે નિસ્ફળ નિવડી. અતિવિલંબ પછી પણ લશ્કરી પગલાં ન લેવાયાં એટલે પાકીસ્તાને ભારતના હવાઈ મથકો ઉપર હુમલા કર્યા. ઈન્દીરા સરકાર માટે લશ્કરી હુમલા શિવાય કોઇ જવાબ બાકી ન રહ્યો. અને લશ્કરને જીત્યા શિવાય છૂટકો ન હતો. કારણકે પકિસ્તાન બંગાળી પૂર્વપાકિસ્તાની મુક્તિસેનાથી અને ભારતીય લશ્કરથી ઘેરાઈ ગયેલું. પશ્ચિમ પાકિસ્તાન સ્થિત લશ્કરને શ્રીલંકા નું ચક્કર લગાવી પૂર્વપાકિસ્તાન આવવું પડે તેમ હતું. ટૂંકમાં સાનુકુળ પરિસ્થિતીને કારણે ભારતીય લશ્કરે જીત મેળવી. આમેય ભારતીય લશ્કર હમેશા જીતતું જ આવ્યું છે. શિવાયકે જવાહર જેવા રાજકારણીએ તેને આવશ્યક સુવિધાઓથી વંચિત રાખ્યું હોય.
આ જીત થકી ઈન્દીરા ગાંધી પાસે “પેકેજ ડીલ” માટેનો શ્રેષ્ઠ સમય હતો. પણ એવું તે કેવું સીમલા કરારમાં ડીલ થયું કે ઈન્દીરા ગાંધીએ દેશને માટેના કોઇ પણ ફાયદા વગર બધો જ જીતેલો મુલ્ક પાછો આપી દીધો? ઈન્દીરા ગાંધીના ભૂટ્ટો સાથે ટેબલ નીચે થયેલા “ડીલ” ની શક્યતાને અવગણી ન શકો.
“અમે ગુન્ડાઓને પકડ્યા છે, અમે કાળાબજારીઓને પકડ્યા છે, અમે દેશદ્રોહીઓને પકડ્યા છે …” એવી ભ્રામક જાહેરાતો થતી હતી. પણ વાસ્તવમાં ઘણું બધું છૂપાવાયું. અને કટોકટીમાં તો કરતૂતો ને છૂપાવવા શિવાય કશું હતું જ નહીં. જુઠાણાની ભરમાર હતી.
ઇન્દીરા ગાંધી વિશે તો એવું અચૂક કહી શકાય કે તેમણે પ્રતિજ્ઞા લીધેલી કે ” જે કંઈ કહીશ તે ખોટું કહીશ અને ખોટા શિવાય કશું કહીશ નહીં.”
વધુ વાંચવા માટે ક્લીક કરો.
http://shirish-dave.sulekha.com/blog/post/2009/05/congress-and-its-allies-call-them-humpty-dumpty.htm |
યુનીયન કાર્બાઈડ જોડે ડીફેક્ટીવ ડીલ કેવી રીતે થયું? કોણે કોણે હાથ સાફ કર્યા? ભોપાલ હોનારત થઇ એના બે વર્ષ પહેલાં તેની ચેતવણી આપવામાં આવેલી. છતાં પણ તેની સામે ઈન્દીરા સરકારે આંખમીંચામણા કેમ કરેલા?
એન્ડરસન ને ભાગી જવા માટે અર્જુનસિંહ અને રાજીવ ગાંધીએ રસ્તો કેમ સાફ કરી આપ્યો હતો? સોનીયા ગાંધી પણ બધું જાણતા હોવાં જ જોઇએ. પણ બધું જ છૂપાવાય છે.
ટેલીકોમ ક્રાંતિને રાજીવગાંધીને નામે ચડાવવી એ એક બાલીશતા છે.
(તેની વિગતમાટે વાંચવા માટે ક્લીક કરો
http://shirish-dave.sulekha.com/blog/post/2009/03/nehruvians-had-prevented-development-on-the-name-of.htm |
દાઉદને કેવીરીતે જવા દેવામાં આવ્યો? નહેરુવીયન ફરજંદોએ અને તેમની કોંગ્રેસે સ્થાપેલી સતર્કતા પ્રણાલી શું કરતી હતી? તેમણે સ્થાપેલી ઇન્ટેલીજન્સી શું કરતી હતી? આવું તો ઘણું બધું નહેરુ વંશના ફરજંદોએ છૂપાવ્યું છે.
નહેરુવંશીઓના રાજકારણીઓની બે મોંઢાની વાતો યેનકેન પ્રકારે સત્તામાં ચાલુ રહેવાની અને “મતો-થકી” ચૂંટણીઓ જીતવાની હોય છે.
નહેરુવીયન કોંગ્રેસે મીડીયા મૂર્ધન્યોના સહકારથી એક એવી હવા ફેલાવી છે કે બીજેપી હિન્દુત્વને પૂરસ્કૃત કરીને મતો મેળવે છે.
નહેરુવીયન કોંગ્રેસે મેળવેલી ચૂંટણીની જીતોને એક એક કરીને ચકાશો તો તે કોમવાદી અને જાતીય વિભાજન થકી મેળવેલી જ જણાય છે. બાકી જો હિન્દુઓ બીજેપીને હિન્દુ તરીકે મતો આપતા હોય તો કોંગ્રેસની તાકાત નથી કે તે એક પણ સીટ જીતી શકે. બીજેપી ને જે મત મળે છે તે એક વિકલ્પ તરીકે ના મત મળે છે. અને હવે વિકાસને નામે મત મળે છે.
નહેરુવીયન કોંગ્રેસ અને તેના સહયોગીઓ તેની વિરુદ્ધ લઘુમતિઓના મતો અંકે કરવા એડીચોટીનું જોર લગાવે છે.
નરેન્દ્ર મોદી આ વાત બરાબર સમજ્યા છે. તેથી નરેન્દ્ર મોદીએ “મતોના રાજકારણ”ની સામે “વિકાસના રાજકારણ”ને અમલમાં મૂક્યું છે.
આમેય કટોકટીના સમયમાં ઘણા અત્યાચારો થયેલા અને ઘણા સરકારી અને ગેરસરકારી (નહેરુના ફરજંદ એવા સંજય ગાંધી તરફથી) ફરમાનો અને વિપક્ષો વિષે ટીકાઓ પ્રસારીત થતી. કટોકટીના અંતિમ દિવસોમાં ચૂંટણી જાહેર થયા પછી મોટાભાગના નેતાઓને જેલમાંથી છોડવામાં આવેલા.
તે વખતે સંજય ગાંધીના એક ઉચ્ચારણ બાબતે શ્રી મોરારજી દેસાઈને પ્રતિક્રીયા આપવા વિષે પત્રકારો દ્વારા પ્રૂચ્છા કરવામાં આવી. ત્યારે મોરારજી દેસાઈએ તેમની લાક્ષણીક મૂદ્રામાં અને ટોનમાં જવાબ આપ્યો “તે (સંજય ગાંધી) જવાબ આપવાને લાયક નથી.” એટલે કે પ્રતિક્રીયા માટે મેળવવા માટે સંજયગાંધીની કોઈ હેસીયત ન હતી.
લગભગ આવો જ પ્રસંગ જયપ્રકાશ નારાયણની પત્રકાર પરિષદમાં ભાવનગર ખાતે કદાચ ૧૯૬૦ની આસપાસમાં થયેલો. તે હતો રજનીશ વિષે.
રજનીશે જાહેર જીવનમાં ગાંધીજીની ટીકાઓ કરીને એન્ટ્રી મારી હતી. ગુજરાતી છાપાઓએ તેમને ઠીક ઠીક પ્રસિદ્ધિ આપી હતી. રજનીશની ટીકાઓ ગાંધીવાદની અને ફિલોસોફી વિષે હતી. તત્કાલિન સમયમાં અને ખાસ કરીને પત્રકાર જગતમાં તત્વજ્ઞાન અને વાદમાં ભેળસેળ હતી. એટલે પત્રકારો રજનીશને તત્વજ્ઞાની માનતા. આજે પણ કદાચ માનતા હશે. તત્વજ્ઞાન અને તર્ક કોને કહેવાય તે બધા વિષે પત્રકારો સુજ્ઞ હોય તે જરુરી નથી.
જયપ્રકાશ નારાયણજીને સવાલ કરવામાં આવ્યો “આચાર્ય રજનીશના તત્વજ્ઞાન વિષે તમે શું માનો છો?”
જયપ્રકાશ નારાયણના શબ્દો હતા “કૌ … ન આ..ચા..ર્ય … રજનીશ ..?”
કહેવાની જરુર નથી કે મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણ ઉપરોક્ત શબ્દો ઉચ્ચારાયા પછી શ્રોતાજનાઓના હાસ્ય અને તાળીઓના ગડગડાટ થયેલા.
હવે આપણા એક બ્રહ્મજ્ઞ કટાર લેખકને થયું કે આપણે “બાબાનો” બચાવ કરીએ.
“બાબા”એ કહ્યું હતું “હિન્દુ આતંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં વધુ ખતરનાક છે. અને નરેન્દ્ર મોદી એમાં સામેલ છે”
ધ્યેયઃ બાબાનો બચાવ
સાધનઃ ભદ્રંભદ્રીય
રચનાઃ વાક્યનું વિભાજન કરો. હિન્દુ આતંકવાદ વધુ ખતરનાક છે. મુસ્લિમ આતંકવાદ. નરેન્દ્ર મોદી ની સામેલગીરી. છેલ્લા બે વાક્યોને બભમ બભમ કરી અપ્રત્યક્ષ કરો.
હિન્દુઆતંકવાદ ને બદલે હિન્દુ જ્ઞાતિવાદ કરો. દા. ત. ભદ્રંભદ્ર અને અંબારામની ગોઠવણને યાદ કરો. સુધારાવાળા ઘોડીયા લગ્નનો (બાળ લગ્નનો) વિરોધ કરે છે. અને તેઓ કહે છે કે ઘોડીયા લગ્ન ને શાસ્ત્રોનું પ્રમાણ નથી. સંસ્કૃતમાં શ્લોક છે. અષ્ટાવર્ષે ભવેત્ ગૌરી. પણ આપણે તેને “અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી” એમ ફેરફાર કરી દો. કોઈને ખબર પડશે નહીં. અને વર્ષાંગે એટલે વર્ષનુ અંગ. એટલે કે માસ. માસ એટલે મહિનો. એટલે કે અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી એટલે કે કન્યા આઠમાસે ગૌરી થઈ ગઈ ગણાય અને એટલે ગૌરી થયે તેનું લગ્ન કરી નાખવું જોઇએ. સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્.
સાબિતીઃ બાબાનું કહેવું એમ છે કે હિન્દુઓનો જ્ઞાતિવાદ ઘણો ભયાનક છે અને તે (ક્રોસબૉર્ડર) આતંકવાદ કરતાં પણ ઘણો ભયંકર છે. અને અમે (કોંગીજનો) ચિંતાશીલ પ્રકૃતિના છીએ તેથી હિન્દુઓના આ આતંકવાદરુપી (જ્ઞાતિવાદ) આતંકવાદથી ઘણા ચિંતિત છીએ. આ એક વર્ગનો બીજા વર્ગ સામેનો તિરસ્કાર છે અને આરએસએસ આવા તિરસ્કાર ફેલાવે છે. નરેન્દ્ર મોદી અને આરએસએસ સમાન છે એટલે નરેન્દ્ર મોદી તિરસ્કાર ફેલાવે છે. નરેન્દ્ર મોદી શક્તિ શાળી છે. અને અમે તેનાથી ડરીએ છીએ. ડરથી અમે ચિંતિત છીએ. એટલે કે અમે નરેન્દ્ર મોદીથી ચિંતિત છીએ. એટલે કે અમે હિન્દુઆતંકવાદથી ચિંતિત છીએ.આમ તો અમે નિડર છીએ. પણ ખતરનાક વસ્તુઓથી બધાએ ચિંતિત રહેવું પડે એટલે અમે આ હિન્દુઆતંકવાદને (ક્રોસબોર્ડર આતંકવાદથી)ખતરનાક માનીએ છીએ. અને અમને (નરેન્દ્ર મોદીતરફની બીકથી ઉત્પન્ન થતી પરિસ્થિતીની) તેની ચિંતા છે.
સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્.
જુઓ સાહેબ આમ તો મારે જ્ઞાતિવાદ વિષે બળાપો કરવો હતો અને છે. અને બાબા નો બચાવ કરવો હતો. આ બાબો ધોળો છે અને રુપાળો છે. “હિન્દુઓનો જ્ઞાતિવાદ” એ અ-હિન્દુઓ માટે ટોણા મારવાનું હાથવગું હથિયાર છે. અને વળી પરમ-આનંદ મેળવવાનું પણ પણ સાધન છે. (હિન્દુ વર્ણવ્યવસ્થા ઉપર ગાંધી બાપુને વાંચીને જ ટીકા કરવી એ જરુરી નથી) . તો હું પણ આ હિન્દુઓના આ જ્ઞાતિવાદને સર્વ અનિષ્ઠોનું મૂળ સ્થાપિત કરી મારી વૈચારિક તાટસ્થ્યની ઘેલછા શા માટે ન સંતુષ્ટ કરુ?
હે સુજ્ઞ જનો, જ્ઞાતિવાદ એ એક વર્ગ વાદ છે. અને તે તેના ગુણધર્મોથી અત્રતત્ર સર્વત્ર વ્યાપ્ત છે. ક્યાંક તે ધર્મિક નેતાઓના સત્તાકલહથી ઉત્પન્ન થયો છે, ક્યાંક તે સમાજઉદ્ધારના તર્કશાસ્ત્રના વિખવાદોથી ઉત્પન્ન થયો છે, ક્યાંક તે હોદ્દાઓ થી ઉત્પન્ન થયેલો છે, ક્યાંક તે ધન અને સંપત્તિની અસમાનતાથી ઉત્પન્ન થયેલો છે. ક્યાંક તે ચામડીના રંગથી ઉત્પન્ન થયેલો છે.
વ્યવસાય: સમાજના સંચાલન માટે વ્યવસાય જરુરી છે. વ્યક્તિએ પોતાનો વ્યવસાય પસંદ કરવાનો છે. વ્યક્તિ પોતાનો વ્યવસાય પોતાની પ્રકૃતિને અનુરુપ કરે છે. આ રીતે સમાજના સંચાલનમાટે જરુરી વ્યવસાયો વ્યક્તિઓએ પોતપોતાની પ્રકૃતિ અનુસાર સ્વિકારેલા છે.
ચાતુર્વર્ણમ્ મયા સૃષ્ટમ્ ગુણકર્મવિભગસઃ (ગીતા)
તેમાં કશું ઊચ-નીચ ન ગણવું.
પણ વર્ગમાં ઉચ નીચના ખ્યાલો મૂર્ધન્યોએ નાખ્યા હોય એવું અર્વાચીન મીડીયા મૂર્ધન્યોના વર્તન ઉપરથી લાગે છે.
“બાબો” કોણ છે?
તેની લાયકાત શું છે?
તેનું વાચન શું છે?
તેની પાસે આર્ષદૃષ્ટિ જેવું કશું છે? તેણે કોઈ તપ કર્યું છે?
તમે તેનું વિવેચન શામાટે કરો છો?
શું તમે પણ તે નહેરુવંશી છે માટે મહત્વ આપીને જ્ઞાતિવાદની પુષ્ટિ કરો છો?
શું મીડીયા મૂર્ધન્યનો આ “વદતઃ વ્યાઘાત્ (વિરોધાભાષી વર્તન)નથી”?
જો કોઈ એક કુટુંબમાં જન્મેલી વ્યક્તિ જ પક્ષમાં નંબરવન બનવાને લાયક ગણાતી હોય અને તમે તેનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અનુમોદન કે બચાવ કરવા કૂદી પડો એટલે તમે જ્ઞાતિપ્રથાને જ અનુમોદન આપ્યું કહેવાય. વળી આ જન્મજાત જ્ઞાતિવાદની ટીકા પણ સાથે સાથે કરો તો તમે કાં તો બેવકુફ છો (વદતઃ વ્યાઘાત થયું ગણાય) કે તમે “ક્રાઈસીસ ઑફ આઇડેન્ટીફીકેશન” થી પીડિત છો (રજનીશ ની જેમ).
શિરીષ મોહનલાલ દવે
ટેગઃ કટારલેખક, મૂર્ધન્ય, ૪૦વર્ષનો બાબો, નહેરુવંશી ફરજંદો, જુઠાણાની આદત, આરએસએસ, નરેન્દ્ર મોદી, વિકાસ, મુસ્લિમ, આતંકવાદ