Feeds:
Posts
Comments

Archive for December, 2010

“લગે રહો મુન્નાભાઈ (રાહુલબાબા)” એક મીડીયા એનાલીસ્ટ ઉવાચ

 

એક જુની જોક છે. એક વ્યક્તિ ઉપર ખૂન કરવાનો આ

 

રોપ આવ્યો. તેણે એક વકીલ રોક્યો. વકીલ સહેબે બહુ સુંદર દલીલો કરી અને ન્યાયધીશ સાહેબે તેને નિર્દોષ છોડી દીધો. પછી વકીલે પોતાના તે અસીલને પૂચ્છ્યું કે “તેં વાસ્તવમાં ખુન કરેલું કે નહીં?” ખુનીએ કહ્યું ” સાહેબ જ્યાં સુધી તમે દલીલો કરી ન હતી ત્યાં સુધી હું માનતો હતો કે મેં ખુન કર્યું છે. પણ તમારી દલીલો સાંભળ્યા પછી લાગ્યું કે મેં આ ખુન કર્યું જ ક્યાં છે?”

 

(જોકે આપણા ચર્ચિત કટાર લેખક ની વાત એવી પ્રસંશાને પાત્ર નથી, કારણ કે ન્યાયધીશ સાહેબ બેવકુફ હોય તે દર વખતે શક્ય નથી)

 

એક ગુજરાતી મીડીયા મેન (દિવ્યભાસ્કર દૈનિકના  પ્રખર કટાર લેખકશ્રી), નહેરુવંશના પાંચમી પેઢીના ફરજંદથી આકર્ષાયા અને નક્કી કર્યું “ઇદમ્ તૃતીયમ્”ઘણા વિશ્લેષકો કરે છે. તો આપણે “ઈદમ ચતુર્થમ્”કરીએ.

 

મૂળ વાત છે. ૪૦વર્ષના બાબાની. એક ગુજરાતી નાટકમાં બાવીશવર્ષના બાબાની વાત આવે છે. પણ આ વાત ૪૦વર્ષના બાબાની છે. ઘણા લોકો તેને “રાહુલબાબા” કહે છે. આમ તો પાંચમી પેઢીનું નહેરુવીયન ફરજંદ ૪૦ વર્ષનું છે. પણ તેની બાલીશ હરકતો અને બાલીશ ઉચ્ચારણોના કારણે કદાચ તેનો રાહુલબાબા તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

 

આમ તો તે રાહુલબાબા ઉલ્લેખવાને લાયક છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે.

 

પણ સમાચાર પત્રોને આંચકા મારે તેવા ઉચ્ચારણો પ્રસારિત કરવામાં “વાચકવર્ગની વૃદ્ધિની રુએ” રસ હોય છે.

 

નહેરુવંશની પાંચમી જનરેશના આ ફરજંદે એવું ઉચ્ચારણ કર્યું હતું કે ભારતનો હિન્દુ આંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં વધુ ખતરનાક અને ચિંતાપ્રેરક છે. આવી વાત નહેરુવંશની પાંચમી જનરેશના આ ફરજંદે અમેરિકાના ડીપ્લોમેટને ગયા વર્ષે કરી તે વીકીલીકે જાહેર કરી.

 

જોકે નહેરુવંશજોના સંસ્કાર પ્રમાણે તેઓ આવા બેફામ ઉચ્ચારણો કરે એ કંઈ આશ્ચર્ય ની વાત નથી. કોંગીજનો માટે પણ “વચને કિમ્ દરિદ્રતા” એ મૂદ્રાલેખ છે.

 

બોલવામાં કશું મોળુ રાખવું નહીં. કાગનો વાઘ કરવો, રાઈનો પર્વત કરવો એવી વાત તો જવા જ દો, અસ્તિત્વ ન ધરાવતી વાતને પણ અસ્તિત્વમાં લાવવી અને ખરી વાતને છૂપાવવી એ કોંગી જનોની અને નહેરુવંશીય ફરજંદોની ખાસીયત છે.

 

આઝાદી પૂર્વેના કાળમાં નહેરુવંશના ફરજંદોએ દેશને ખાસ નડે તેવા વિવાદો ખડા કર્યા ન હતા. ગાંધી બાપુના સોટાથી બધા ડરતા પણ ખરા.

 

પણ ગાંધી બાપુ ગયા એટલે નહેરુવાંશના ફરજંદોએ દેશને અતિપાયમાલ કરતું પોત પ્રકાશ્યું, કારણ કે તેમની ઉપર લગામ ન રહી. તિબેટની વાત ન કરીએ તો પણ જવાહરલાલ નહેરુએ ચીન ના લશ્કરની સરહદ ઉપરની દશકા સુધીની ઘુસણખોરી ભારતની પાર્લામેન્ટથી ધરાર છૂપાવેલી.

 

“ખોટું બોલવું” અને “સાચી વાત છૂપાવવી” પર્યાયવાચી (સમાન અર્થ વાળા) બની શકે છે.

 

આ ચીની ઘુસણખોરી છૂપાવેલી, છૂપાવેલી એટલું જ નહીં પણ આવી ઘુસણખોરીને ધરાર નકારેલી.

 

સરહદના સૈન્યના ઉપરી અધિકારીઓ વચ્ચે રુટીન મીટીંગો થતી હોય છે. ભારતીય લશ્કરના અધિકારીઓ ચીની લશ્કરની ઘુસણખોરી વિષે વિરોધ દર્શાવતા. ત્યારે ચીની અધિકારીઓ નહેરુએ પાર્લામેન્ટમાં કરેલા નિવેદનોને ટાંકીને તેને ન કારતા અને રદીયો આપતા.

 

“લાઇન ઑફ કન્ટ્રોલ”, “લશ્કરી પગલાં” અને અથવા “યુનોને રજુઆત કરવી” એ વિષે નહેરુનું વલણ કેટલું બેવકુફી ભર્યું હતું એ વાત આચાર્ય કૃપલાણીએ તેમની આત્મકથામાં સચોટ રીતે સમજાવી છે. ચીનને આક્રમણ કરવામાં નહેરુએ ઠીક ઠીક સરળતા કરી આપેલી. આનું કારણ કદાચ દેશપ્રેમની ઉપરવટનું એવું સમાજવાદ પ્રત્યેની ભ્રામક ઘેલછા હોઇ શકે.

 

કહેવાતો સમાજવાદ એ એક તૂત છે એ વાત મહાત્માગાંધી સારી રીતે સમજી શકેલા. અને ગાંધીજીએ નહેરુને આ વાત જણાવેલી પણ ખરી. ગાંધીજીના સર્વોદયની વિચારધારાએ અને તાર્કિક રીતે જોઇએ તો સામ્યવાદ એ એક મહા-મૂડીવાદ છે. અને તેથી જ નહેરુના અને ઇન્દીરા ગાંધીના સમાજવાદ થકી આપણને મૂડીવાદ અને મહામૂડીવાદના (સામ્યવાદના) દુષણો જ મળ્યા છે.

 

પણ હવે એ વાત જવા દો.

 

ચીનની ઘુસણ ખોરી છૂપાવીને, સંસદ અને જનતાને ગેરમાર્ગે દોરીને, અને અસંબદ્ધ જવાબો આપીને જવાહરલાલ નહેરુએ રાજકારણમાં અને (કોંગ્રેસમાં પણ) “ખોટું બોલવા”ની નીતિના બીજ વાવેલાં છે. કોંગ્રેસે સંસદ સમક્ષ લીધેલા છેલ્લા શપથ એ હતા કે “જ્યાં સુધી ચીને કબજે કરેલો ભારતીય પ્રદેશ પાછો મેળવીશું નહીં ત્યા સુધી જંપીને બેસીશું નહીં.. (એ .. ય આજની ઘડી ને કાલનો દિ …)”

 

ઇન્દીરા ગાંધી ના જુઠાણાંઓઃ

કોર્ટમાં તમે કંઈપણ બોલો તે પહેલાં તમારે શપથ લેવાના હોય છે કે ” જે કંઈ પણ કહીશ તે સાચું કહીશ … અને સાચા શિવાય કશું કહીશ નહીં”.

 

“સમાજવાદ”, “ગરીબી હટાવો”, “અમારું ધ્યેય સૌ સાથે નમ્ર વ્યવહાર”, “કટોકટી એટલે અનુશાસન પર્વ”, “વિપક્ષો પ્રત્યાઘાતી, અરાજકતાવાદી અને સમાજના દુશ્મન છે”

ના ઈન્દીરાઈ અર્થઘટનો  બેનમુન અને હંપ્ટી ડંપ્ટી જેવાં છે.

 

૧૯૬૯-૧૯૭૧ના સમયગાળામાં,  પાકિસ્તાનીઓની કરોડોની સંખ્યામાં થયેલી ઘુસણ ખોરી, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં સામાન્ય જનજીવનમાં થયેલી અવ્યવસ્થા અને વ્યાપક પાયમાલી એ બધું લાંબાગાળા સુધી ચાલ્યું.

 

જયપ્રકાશ નારાયણે કરેલી વિદેશની ખેપો વિદેશી સરકારોને હસ્તક્ષેપ કરાવવા માટે નિસ્ફળ નિવડી. અતિવિલંબ પછી પણ લશ્કરી પગલાં ન લેવાયાં એટલે પાકીસ્તાને ભારતના હવાઈ મથકો ઉપર હુમલા કર્યા. ઈન્દીરા સરકાર માટે લશ્કરી હુમલા શિવાય કોઇ જવાબ બાકી ન રહ્યો. અને લશ્કરને જીત્યા શિવાય છૂટકો ન હતો. કારણકે પકિસ્તાન બંગાળી પૂર્વપાકિસ્તાની મુક્તિસેનાથી  અને ભારતીય લશ્કરથી ઘેરાઈ ગયેલું. પશ્ચિમ પાકિસ્તાન સ્થિત લશ્કરને શ્રીલંકા નું ચક્કર લગાવી પૂર્વપાકિસ્તાન આવવું પડે તેમ હતું. ટૂંકમાં સાનુકુળ પરિસ્થિતીને કારણે ભારતીય લશ્કરે જીત મેળવી. આમેય ભારતીય લશ્કર હમેશા જીતતું જ આવ્યું છે. શિવાયકે જવાહર જેવા રાજકારણીએ  તેને આવશ્યક સુવિધાઓથી વંચિત રાખ્યું હોય.

 

આ જીત થકી ઈન્દીરા ગાંધી પાસે “પેકેજ ડીલ” માટેનો શ્રેષ્ઠ સમય હતો. પણ એવું તે કેવું સીમલા કરારમાં ડીલ થયું કે ઈન્દીરા ગાંધીએ દેશને માટેના કોઇ પણ ફાયદા વગર બધો જ જીતેલો મુલ્ક પાછો આપી દીધો? ઈન્દીરા ગાંધીના ભૂટ્ટો સાથે ટેબલ નીચે થયેલા “ડીલ” ની શક્યતાને અવગણી ન શકો.

 

“અમે ગુન્ડાઓને પકડ્યા છે, અમે કાળાબજારીઓને પકડ્યા છે, અમે દેશદ્રોહીઓને પકડ્યા છે …”  એવી ભ્રામક જાહેરાતો થતી હતી. પણ વાસ્તવમાં  ઘણું બધું છૂપાવાયું. અને કટોકટીમાં તો કરતૂતો ને છૂપાવવા શિવાય કશું હતું જ નહીં. જુઠાણાની ભરમાર હતી.

INDIRA GANDHI SAID "JAIPRAKASH NARAYAN IS CREATING CHAOS"

INDIRA GANDHI SAID "JAIPRAKASH NARAYAN IS CREATING CHAOS"

ઇન્દીરા ગાંધી વિશે તો એવું અચૂક કહી શકાય કે તેમણે પ્રતિજ્ઞા લીધેલી કે ” જે કંઈ કહીશ તે ખોટું કહીશ અને ખોટા શિવાય કશું કહીશ નહીં.”

 

વધુ વાંચવા માટે ક્લીક કરો.

http://shirish-dave.sulekha.com/blog/post/2009/05/congress-and-its-allies-call-them-humpty-dumpty.htm

યુનીયન કાર્બાઈડ જોડે ડીફેક્ટીવ ડીલ કેવી રીતે થયું? કોણે કોણે હાથ સાફ કર્યા? ભોપાલ હોનારત થઇ એના બે વર્ષ પહેલાં તેની ચેતવણી આપવામાં આવેલી. છતાં પણ તેની સામે ઈન્દીરા સરકારે આંખમીંચામણા કેમ  કરેલા?

 

 

એન્ડરસન ને ભાગી જવા માટે અર્જુનસિંહ અને રાજીવ ગાંધીએ રસ્તો કેમ સાફ કરી આપ્યો હતો? સોનીયા ગાંધી પણ બધું જાણતા હોવાં જ જોઇએ. પણ બધું જ છૂપાવાય છે.

 

ટેલીકોમ ક્રાંતિને રાજીવગાંધીને નામે ચડાવવી એ એક બાલીશતા છે.

 

(તેની વિગતમાટે વાંચવા માટે ક્લીક કરો

 

http://shirish-dave.sulekha.com/blog/post/2009/03/nehruvians-had-prevented-development-on-the-name-of.htm

દાઉદને કેવીરીતે જવા દેવામાં આવ્યો? નહેરુવીયન ફરજંદોએ અને તેમની કોંગ્રેસે સ્થાપેલી સતર્કતા પ્રણાલી શું કરતી હતી? તેમણે સ્થાપેલી ઇન્ટેલીજન્સી શું કરતી હતી? આવું તો ઘણું બધું નહેરુ વંશના ફરજંદોએ છૂપાવ્યું છે.

 

નહેરુવંશીઓના રાજકારણીઓની બે મોંઢાની વાતો યેનકેન પ્રકારે સત્તામાં ચાલુ રહેવાની અને “મતો-થકી” ચૂંટણીઓ જીતવાની હોય છે.

 

નહેરુવીયન કોંગ્રેસે મીડીયા મૂર્ધન્યોના સહકારથી એક એવી હવા ફેલાવી છે કે બીજેપી હિન્દુત્વને પૂરસ્કૃત કરીને મતો મેળવે છે.

 

નહેરુવીયન કોંગ્રેસે મેળવેલી ચૂંટણીની જીતોને એક એક કરીને ચકાશો તો તે કોમવાદી અને જાતીય વિભાજન થકી મેળવેલી જ જણાય છે. બાકી જો હિન્દુઓ બીજેપીને હિન્દુ તરીકે મતો આપતા હોય તો કોંગ્રેસની તાકાત નથી કે તે એક પણ સીટ જીતી શકે. બીજેપી ને જે મત મળે છે તે એક વિકલ્પ તરીકે ના મત મળે છે. અને હવે વિકાસને નામે મત મળે છે.

 

નહેરુવીયન કોંગ્રેસ અને તેના સહયોગીઓ તેની વિરુદ્ધ લઘુમતિઓના મતો અંકે કરવા એડીચોટીનું જોર લગાવે છે.

 

 

નરેન્દ્ર મોદી આ વાત બરાબર સમજ્યા છે. તેથી નરેન્દ્ર મોદીએ “મતોના રાજકારણ”ની સામે “વિકાસના રાજકારણ”ને અમલમાં મૂક્યું છે.

 

આમેય કટોકટીના સમયમાં ઘણા અત્યાચારો થયેલા અને ઘણા સરકારી અને ગેરસરકારી (નહેરુના ફરજંદ એવા સંજય ગાંધી તરફથી) ફરમાનો અને વિપક્ષો વિષે ટીકાઓ પ્રસારીત થતી. કટોકટીના અંતિમ દિવસોમાં ચૂંટણી જાહેર થયા પછી મોટાભાગના નેતાઓને જેલમાંથી છોડવામાં આવેલા.

 

તે વખતે સંજય ગાંધીના એક ઉચ્ચારણ બાબતે શ્રી મોરારજી દેસાઈને પ્રતિક્રીયા આપવા વિષે પત્રકારો દ્વારા પ્રૂચ્છા કરવામાં આવી. ત્યારે મોરારજી દેસાઈએ તેમની લાક્ષણીક મૂદ્રામાં અને ટોનમાં જવાબ આપ્યો “તે (સંજય ગાંધી) જવાબ આપવાને લાયક નથી.” એટલે કે પ્રતિક્રીયા માટે મેળવવા માટે સંજયગાંધીની કોઈ હેસીયત ન હતી.

 

લગભગ આવો જ પ્રસંગ જયપ્રકાશ નારાયણની પત્રકાર પરિષદમાં ભાવનગર ખાતે કદાચ ૧૯૬૦ની આસપાસમાં થયેલો. તે હતો રજનીશ વિષે.

 

રજનીશે જાહેર જીવનમાં ગાંધીજીની ટીકાઓ કરીને એન્ટ્રી મારી હતી. ગુજરાતી છાપાઓએ તેમને ઠીક ઠીક પ્રસિદ્ધિ આપી હતી. રજનીશની ટીકાઓ ગાંધીવાદની અને ફિલોસોફી વિષે હતી. તત્કાલિન સમયમાં અને ખાસ કરીને પત્રકાર જગતમાં તત્વજ્ઞાન અને વાદમાં ભેળસેળ હતી. એટલે પત્રકારો રજનીશને તત્વજ્ઞાની માનતા. આજે પણ કદાચ માનતા હશે. તત્વજ્ઞાન અને તર્ક કોને કહેવાય તે બધા વિષે પત્રકારો સુજ્ઞ હોય તે જરુરી નથી.

 

જયપ્રકાશ નારાયણજીને સવાલ કરવામાં આવ્યો “આચાર્ય રજનીશના તત્વજ્ઞાન વિષે તમે શું માનો છો?”

જયપ્રકાશ નારાયણના શબ્દો હતા “કૌ … ન     આ..ચા..ર્ય … રજનીશ ..?”

 

કહેવાની જરુર નથી કે મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણ ઉપરોક્ત શબ્દો ઉચ્ચારાયા પછી શ્રોતાજનાઓના હાસ્ય અને તાળીઓના ગડગડાટ થયેલા.

 

હવે આપણા એક બ્રહ્મજ્ઞ કટાર લેખકને થયું કે આપણે “બાબાનો” બચાવ કરીએ.

 

“બાબા”એ કહ્યું હતું “હિન્દુ આતંકવાદ મુસ્લિમ આતંકવાદ કરતાં  વધુ ખતરનાક છે. અને નરેન્દ્ર મોદી એમાં સામેલ છે”

 

ધ્યેયઃ બાબાનો બચાવ

 

સાધનઃ ભદ્રંભદ્રીય

 

રચનાઃ વાક્યનું વિભાજન કરો. હિન્દુ આતંકવાદ વધુ ખતરનાક છે. મુસ્લિમ આતંકવાદ. નરેન્દ્ર મોદી ની સામેલગીરી. છેલ્લા બે વાક્યોને બભમ બભમ કરી અપ્રત્યક્ષ કરો.

 

હિન્દુઆતંકવાદ ને બદલે હિન્દુ જ્ઞાતિવાદ કરો. દા. ત. ભદ્રંભદ્ર અને અંબારામની ગોઠવણને યાદ કરો. સુધારાવાળા ઘોડીયા લગ્નનો (બાળ લગ્નનો)  વિરોધ કરે છે. અને તેઓ કહે છે કે ઘોડીયા લગ્ન ને શાસ્ત્રોનું પ્રમાણ નથી. સંસ્કૃતમાં શ્લોક છે. અષ્ટાવર્ષે ભવેત્ ગૌરી. પણ આપણે તેને “અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી” એમ ફેરફાર કરી દો. કોઈને ખબર પડશે નહીં. અને વર્ષાંગે એટલે વર્ષનુ અંગ. એટલે કે માસ. માસ એટલે મહિનો. એટલે કે અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી એટલે કે કન્યા આઠમાસે ગૌરી થઈ ગઈ ગણાય અને એટલે ગૌરી થયે તેનું લગ્ન કરી નાખવું જોઇએ. સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્.

 

સાબિતીઃ બાબાનું કહેવું એમ છે કે હિન્દુઓનો જ્ઞાતિવાદ ઘણો ભયાનક છે અને તે (ક્રોસબૉર્ડર) આતંકવાદ કરતાં પણ ઘણો ભયંકર છે. અને અમે (કોંગીજનો) ચિંતાશીલ પ્રકૃતિના છીએ તેથી હિન્દુઓના આ આતંકવાદરુપી (જ્ઞાતિવાદ) આતંકવાદથી ઘણા ચિંતિત છીએ. આ એક વર્ગનો બીજા વર્ગ સામેનો તિરસ્કાર છે અને આરએસએસ આવા તિરસ્કાર ફેલાવે છે. નરેન્દ્ર મોદી અને આરએસએસ સમાન છે એટલે નરેન્દ્ર મોદી તિરસ્કાર ફેલાવે છે. નરેન્દ્ર મોદી શક્તિ શાળી છે. અને અમે તેનાથી ડરીએ છીએ. ડરથી અમે ચિંતિત છીએ. એટલે કે અમે નરેન્દ્ર મોદીથી ચિંતિત છીએ. એટલે કે અમે હિન્દુઆતંકવાદથી ચિંતિત છીએ.આમ તો અમે નિડર છીએ. પણ ખતરનાક વસ્તુઓથી બધાએ ચિંતિત રહેવું પડે એટલે અમે આ હિન્દુઆતંકવાદને (ક્રોસબોર્ડર આતંકવાદથી)ખતરનાક માનીએ છીએ. અને અમને (નરેન્દ્ર મોદીતરફની બીકથી ઉત્પન્ન થતી પરિસ્થિતીની) તેની ચિંતા છે.

સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્.

 

જુઓ સાહેબ આમ તો મારે જ્ઞાતિવાદ વિષે બળાપો કરવો હતો અને છે. અને બાબા નો બચાવ કરવો હતો. આ બાબો ધોળો છે અને રુપાળો છે. “હિન્દુઓનો જ્ઞાતિવાદ” એ અ-હિન્દુઓ માટે ટોણા મારવાનું હાથવગું હથિયાર છે. અને વળી પરમ-આનંદ મેળવવાનું પણ પણ સાધન છે. (હિન્દુ વર્ણવ્યવસ્થા ઉપર ગાંધી બાપુને વાંચીને જ ટીકા કરવી એ જરુરી નથી) . તો હું પણ આ હિન્દુઓના આ જ્ઞાતિવાદને સર્વ અનિષ્ઠોનું મૂળ સ્થાપિત કરી મારી વૈચારિક તાટસ્થ્યની ઘેલછા શા માટે ન સંતુષ્ટ કરુ?

 

હે સુજ્ઞ જનો, જ્ઞાતિવાદ એ એક વર્ગ વાદ છે. અને તે તેના ગુણધર્મોથી અત્રતત્ર સર્વત્ર વ્યાપ્ત છે. ક્યાંક તે ધર્મિક નેતાઓના સત્તાકલહથી ઉત્પન્ન થયો છે, ક્યાંક તે સમાજઉદ્ધારના તર્કશાસ્ત્રના વિખવાદોથી ઉત્પન્ન થયો છે, ક્યાંક તે હોદ્દાઓ થી ઉત્પન્ન થયેલો છે, ક્યાંક તે ધન અને સંપત્તિની અસમાનતાથી ઉત્પન્ન થયેલો છે. ક્યાંક તે ચામડીના રંગથી ઉત્પન્ન થયેલો છે.

 

વ્યવસાય: સમાજના સંચાલન માટે વ્યવસાય જરુરી છે. વ્યક્તિએ પોતાનો વ્યવસાય પસંદ કરવાનો છે. વ્યક્તિ પોતાનો વ્યવસાય પોતાની પ્રકૃતિને અનુરુપ કરે છે. આ રીતે સમાજના સંચાલનમાટે જરુરી વ્યવસાયો વ્યક્તિઓએ પોતપોતાની પ્રકૃતિ અનુસાર સ્વિકારેલા છે.

 

ચાતુર્વર્ણમ્ મયા સૃષ્ટમ્ ગુણકર્મવિભગસઃ (ગીતા)

તેમાં કશું ઊચ-નીચ ન ગણવું.

 

પણ વર્ગમાં ઉચ નીચના ખ્યાલો મૂર્ધન્યોએ નાખ્યા હોય એવું અર્વાચીન મીડીયા મૂર્ધન્યોના વર્તન ઉપરથી લાગે છે.

 

“બાબો” કોણ છે?

 

તેની લાયકાત શું છે?

 

તેનું વાચન શું છે?

 

તેની પાસે આર્ષદૃષ્ટિ જેવું કશું છે? તેણે કોઈ તપ કર્યું છે?

 

તમે તેનું વિવેચન શામાટે કરો છો?

 

શું તમે પણ તે નહેરુવંશી છે માટે મહત્વ આપીને જ્ઞાતિવાદની પુષ્ટિ કરો છો?

 

શું મીડીયા મૂર્ધન્યનો આ “વદતઃ વ્યાઘાત્ (વિરોધાભાષી વર્તન)નથી”?

 

જો કોઈ એક કુટુંબમાં જન્મેલી વ્યક્તિ જ પક્ષમાં નંબરવન બનવાને લાયક ગણાતી હોય અને તમે તેનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અનુમોદન કે બચાવ કરવા કૂદી પડો એટલે તમે જ્ઞાતિપ્રથાને જ અનુમોદન આપ્યું કહેવાય. વળી આ જન્મજાત જ્ઞાતિવાદની ટીકા પણ સાથે સાથે કરો તો તમે કાં તો બેવકુફ છો (વદતઃ વ્યાઘાત થયું ગણાય) કે તમે “ક્રાઈસીસ ઑફ આઇડેન્ટીફીકેશન” થી પીડિત છો (રજનીશ ની જેમ).

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ કટારલેખક, મૂર્ધન્ય, ૪૦વર્ષનો બાબો, નહેરુવંશી ફરજંદો, જુઠાણાની આદત, આરએસએસ, નરેન્દ્ર મોદી, વિકાસ, મુસ્લિમ, આતંકવાદ

 

Read Full Post »

CORRUPTED AND PERVERTED

MIND OF NEHRUVIAN CONGRESS

A top Nehruvian progeny produced one more evidential proof of his traditional and inherited culture of playing vote politics. It is not possible for people of CongI to even hide it from foreign diplomats.

This fifth generation dynasty progeny is otherwise also in habit of spelling out rash and immature statements. The people of the country were not aware of his real set of real mindset. The behind the curtain statements of this progeny that too before a diplomat of a country like USA which is determined to help Pakistan by all means, though Pakistan is our most notorious and mafia-mullah-military controlled country Pakistan. This fact is very well known to the USA intelligence including its diplomats.

It is the USA, which is ready to praise Pakistan even a controversial microscopic tiny efforts of Pakistan against terrorism. Besides this the USA is ever ready to condemn microscopic evil of fundamentalist of Hindu. Not only this he would directly or indirectly insult any democratic high level leader on flimsy ground at its airport. But our CongI progeny has no sense of dignity and self-respect. He is blind and crazy on vote politics. He has no sense of maturity and modesty as to in what way the internal matters of India should be discussed with a foreign diplomat.

WE ARE HOLIER THAN OTHERS

Probably he is under impression that the first priority with the USA is to show them that we the Nehruvians are not power hungry but we are secular, holier and frank. And thereby we the CongI men ever ready to criticize Hindus even without material.

IS THERE A REAL CONTROVERSY?

No there is no proof as such that any Hindu organization has any terrorists group. There is nothing like this on record or existance. There exist Islamic terrorists groups in minimum three digits. This is on records of Indian as well on the records of US intelligence.

DOES THIS NEHRUVIAN PROGENY RUN A SUPER INTELLIGENCE?

Then why he has not disclosed these secrets and shared the information with UPA government? Why did he give a hint to the USA diplomat only?

Is this progeny of the pay roll of the US intelligence?

Or does he wants that the US intelligence should concentrate on Hindu leaders because the UPA lead government’s intelligence is not having caliber to fabricate serious controversy against BJP leaders?

DO NOT RULE OUT

One cannot rule out that this Nehruvian Progeny a Son of Robert wants to show his soft corner towards Christianity and wants help from the US so that Pop’s Christian agenda can work by creating hatred against Hindus in Christian community.

What did spell out by this Nehruvian Progeny is simply not under humiliation only. In reality he has showed his arrogance on Hinduism. He carries an impression that the diplomats of USA are ignorant of the political situations prevailing in India. They are not aware as to how do the politics of votes by divisions work in India.

The progeny though matured in age but heavily immature in politics is not aware of the fact that the US intelligence is more powerful and more extensive than the internal intelligence of India set up by his forefathers and foremothers in India during their 56 years of absolute rule. This progeny is also not aware of the fact that the US wants some reasons to help Pakistan in every field, and also wants some reason to ill treat Indian diplomats as and when they arrive at the US airports.

Is it not a matter of research as how has he linked Narendra Modi to his so-called terrorism being faced by India?

THIS IS HIGHLY OBJECTIONABLE AND TANTAMOUNT TO BE A TRAITOR’S ACT.

This is not the first time where Nehruvians have acted as traitors for the nation.

Go back. Recall the post independence history.

JAWAHARLAL NEHRU TOLD ABSOLUTE LIES

In fifties of the last century Jawaharlal Nehru had praised China and condemned Jan Sangh for nothing.

Not only this, he had hidden the fact that Chinese military was infiltrating in India early and late fifties. The military officers of India, under their routine meetings were raising this point with Chinese military personnels. However Chinese military personals used to quote the replies of Jawaharlal Nehru’s statements made in Indian Parliament that there were no intrusions. And based on this they used to deny the Chinese military intrusions all the time. For more details read autobiography of J B Kriplani.

Nehru went on denying the fact of Chinese military intrusion in Indian territories. He also did not care to put adequate military for defense on LOC with China. Jawaharlal Nehru did all this willfully and knowingly. This was simply he had crazy inclination towards ideology of Communism. He had no wisdom to realize though he was warned not only Sardar Patel only but also by Mahatma Gandhi, that the so-called socialism of Communists is not any way anti-capitalism, but it is super capitalism of autocrats.

INDIRA GANDHI TOLD LIES AND LIES ONLY AND NOTHING BUT A LIE:

Indira failed at all levels

Absolute majority

You can write a book as bulky as the epic Mahabharat on the lies spelled by Indira Gandhi. She spoke lies 16 times before the court of law as evidently pointed out by Raja Narayan well before Indira Gandhi imposed emergency.

Indira Gandhi during post-emergency period designated Bhindranvale as a Saint who was the founder of cross border terrorism in India.

Indira Gandhi, during the period of emergency, spoke lies and lies nothing but lies. Indira’s absolute lie is that she posed Jai Prakash Narayan as creating chaos and instigating military to revolt.

Indira Gandhi was the biggest evil and mother of all evils in Indian politics. Her under table deal with Bhutto cannot be ruled out in Simla Pact. She nullified the victory and handed over the land to Bhutto. This land and this victory were achieved through sacrifice of Indian people and the Indian military.

Indira executed the defective deed with Union Carbide where till date the victimize people are not able to get compensation.

LIES OF ROBERT:

Robert Gandhi: He uncalled poked his nose in Shri Lanka’s internal matter.

He allowed Anderson to flee from India. Was it free of charge?

Who was seized at an US airport with a huge amount of cash?

Who was involved in Boffors deal?

Do all these acts suit to a nationalist’s act?

LIES OF MAINO SONIA:

Hide and lie are the synonyms

Sonia Maino was a party with Ottavio Quatrochie. She was a witness as to how Anderson was allowed to flee away from India.

She has hidden her reality and gave false affidavits before EC.

She is supposed to be a party with Raja in 2G scam as Swami Subrahmanium has wrote a letter to the PM in Rubber stamp to investigate about the money received in thousand crores by Maino’s two sisters.

Maino designated Narendra Modi as Merchant of Death. On the contrary Narendra Modi controlled the riots in three days. Muslims have voted to Narendra Modi. The Chief Ministers belonged to CongI failed to control the riots took place during their period for even months together. CongI lost Muslim votes too.

THE FIFTH PROGENY LIES:

Earlier he put RSS organization en-par with Simi. The latter is a recognized terrorists organization on the records of his own government, whereas RSS is not.

Contrary to this, RSS has been a recognized missionary organization with reputed records.

This fifth progeny had been failed in parliamentary elections in UP last time. The CongI, which was once upon a time strong in UP, could secure only 25 percent seats in last parliamentary elections. But this fifth progeny asked media to twist the failure in victory by way of presenting it as the CongI had got few more seats than what was got previous elections.

In Bihar this fifth progeny was failed miserably. He lost 239 seats out of 243 contested. This was an unparallel defeat of CongI. It was a bigger defeat and failure than even a failure and defeat of the tiny LJP of Ram Vilas Paswan who fought for lesser seats and secured more seats than CongI.

MEDIA NOT WATCHDOG

MEDIA PET DOG

Media does not like to act as watchdog. Media is always ready to act as pet dog of Nehruvians Congress. Media is generalizing the Corruption. Now it is submitting suggestions as to how the CongI should and would improve. Media would not like to discuss the points going against Nehruvians.

Narendra Modi has given proper reply that the statements of Nehruvian progeny encouraging the US to help Pakistan by its all mean.

DOES THIS NEHRUVIAN PROGENY WANT THE US TO TAKE HIM AS A FUNNY CHAP?

shirish mohanlal dave

Tags: Perverted Nehruvians, Fifth Progeny, Corruptions, frauds, hypocrite, traditional culture, autocrat

Read Full Post »

કમીશ્નર સાહેબોને, ચૂંટાયેલા નિરીક્ષકોને અને જજ સાહેબોને બેવકુફ કહીશું કે ઠગ કહીશું?

નરેન્દ્રભાઈ મોદી ભલે ગુજરાતને યુરોપીયન દેશોની હરોળમાં લઇ જવાના સ્વપ્ના જોતા હોય પણ મ્યુનીસીપલ કમીશ્નર સાહેબો અને ચૂંટાયેલા સભ્યો, તેમના સ્વપ્નોને અચૂક રોળી નાખશે.

સૌપ્રથમ તો કમીશ્નર સાહેબોની એ પ્રાથમિકતા જ નથી કે શહેરની સુખાકારી તરફ ધ્યાન આપવું, શહેરના પ્રશ્નો સમજવા અને નવા પ્રશ્નો ન થવા દેવા.

મ્યુનીસીપાલીટી શામાટે છે?

મ્યુનીસીપાલીટીનું એક ગુજરાતી નામ છે “શહેર સુધરાઈ”

પણ સુધરાઈ એટલે શું?

શહેર સુધરાઈ એટલે શહેરને સાફ સુથરું રાખનારી સંસ્થા.

હાજી. એ વાત ખરી.

અમે ક્યાં સીધા છીએ! અમે તો વાંકા છીએઃ

કમિશ્નર સાહેબ કહેછે કે શહેરને કેવીરીતે સાફ સુથરું રાખવું એ બાબતમાં અમે સીધી રીતે કામ નહીં કરીએ. અમારી એટલે કે સરકારી અધિકારીની રુએ અમે કોઇ કામ સીધી રીતે કરતા નથી. અમે હમેશા વક્રગામી અને ઉંધી દીશામાં જ ગતિ કરીએ છીએ.

તમે જુઓ, અમારા પૂર્વજો મતલબ કે પૂર્વગામીઓ એટલે કે અગાઉના કમીશ્નરો રાત્રે રસ્તાઓને પાણી થી ધોવડાવતા હતા. અમે એ કરતા નથી. અગાઉ પોળોમાં જે પીવાના પાણીના નળ આપેલા તે નળનું પાણી ચોકડીની બહાર જાય અને બહાર ભીનું કરે તો અમે તરત તેનો દંડ કરતા. પોળ ચોક્ખી ચણાક રખાતી. હવે અમે એવું બધું કરવામાં માનતા નથી.

અરે હવે તો અમે ગેરકાયદેસર રીતે મોટા મોટા ટાવરો બંધાઈ જાય અને વેચાઈ પણ જાય તો પણ અમારા પેટના પાણીને અમે હલવા દેતા નથી. સાહેબ તમે અમને સમજો છો શુ?

અમારું સર્વ પ્રથમ કર્તવ્ય છે કે કશી સફાઈ કરવી જ નહીં. એટલે જનતા ગંદકીથી ટેવાઇ જાય.

ધારો કે અમે એક ટીપી સ્કીમ બનાવી

તો અમે અમારી આ ટી.પી. સ્કીમમા શાકમાર્કેટ, કે દવાખાના, પેટ્રોલ પંપ, કે મોટર સ્કુટર ગેરેજ, કે રીક્ષા પાર્કીંગ, કે વાહન પાર્કીંગ, કે રેસ્ટોરાં, કે બેંકો, કે નાના ધંધાદારીઓ જેવા કે ચાની કિટલી વાળા, પંચર રીપેરર, મોચી, કે બુટપોલીસ કરનારા, રફુકરનારા, કપડાને ઈસ્ત્રી કરનારા, કપડાને રફુ કરનારા, માટીના ઘડા વેચનારા, વાળકાપનારા, કે પરબવાળા,   જાહેર પેશાબ-સંડાસ, કે પીંજારા,   કે કોન્ટ્રાક્ટરોના મજુરોના રહેણાકમાટે કે એવા કોઇપણ માટે કશું અનામત રાખતા નથી કે કશી જુદી જોગવાઈ પણ રાખતા નથી. ગુજરાત હાઉસીંગ બૉર્ડ નામની સંસ્થા સાથે એવીકોઈ સગવડ માટે વાટાઘાટો કરી શહેર સુંદર અને ઝોંપડ પટ્ટી વગરનું ફુટપાથો દબાણ વગરની રહે તે માટે કોઇજાતની તસ્દી લેવામાં માનતા નથી, કે એવા કોઇપણ માટે કશું અનામત રાખતા નથી કે કશી જુદી જોગવાઈ પણ રાખતા નથી. અમે ફક્ત એટલું કરીએ. બધાને વ્યવસાયવાળા ગણીએ. એટલે અમે કોમર્સીયલ અને રહેણાક એમ બે જ ભાગ પાડીએ.

તમે જાણોજ છો કે ધારોકે અમે ટીપી સ્કિમમાં એક રસ્તો બનાવ્યો હોય . હવે એ જગ્યા તો ઉજ્જડ જ છે. એટલે તેને પાકો કરવાની જરુર જ નથી. ગટર અને ફુટપાથની પણ જરુર નથી.

અમે હાથી છીએ અને અમારે સતત આરોગવા જોઇએ

વિજળીના કેબલોમાટેની પાઇપો કે બીજી યુટીલીટી સર્વીસીસ જેમકે ટેલીફોન કેબલ, ગેસ પાઈપ કે ડ્રેનેજ માટેની પાઇપો અગાઉથી અને તે પણ અમે પોતે શુંકામ નાખીએ? હા એ વાત ખરી જો આવું બધું અમે કર્યું હોય તો અમે તેને લાગતી વળગતી કંપનીઓને ભાડે આપી શકીએ અને મ્યુનીસીપાલીટીને કમાણી કરાવી આપી શકીએ અને જનતાને અવારનવાર થતા ખોદકામો થકી થતી ચાલવામાં થતી અને વાહનો ચલાવવામાં થતી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવી શકીએ. પણ ભાઈ અમને અવારનવાર થતા ખોદકામોની પરમીશનો આપવામાં થતી આવકો અને તેને અવારનવાર રીસરફેસ કર્યા ન હોય તો પણ કરેલા છે તેવું રેકોર્ડ ઉપર બતાવીને થતી ટેબલ નીચેની મબલખ કમાણીનું શું?

અને સાહેબ જો બધા રસ્તાઓ વ્યવસ્થિત હોય, ફુટપાથો પણ સમતલ, સળંગ અને યોગ્ય પહોળાઈની હોય તો પછી જોગીંગ પાર્કના અમારા પ્રોજેક્ટોનું શું થશે? જો બધુ સુષ્ઠુ સુષ્ઠુ હોય તો રસ્તા અને ફુટપાથની સફાઇ સરખી રીતે થાય એ અમે જાણીએ છીએ. પણ સાહેબ “જેમસંસ્કાર જાડા એમ જીવન સરળ” એ મુહાવરાનું શું થશે?

સાહેબ જો બધું ચોક્ખું હોય અને અમે ફુટપાથો અને રસ્તાઓ ઉપર ખાણી પીણીની લારીઓ, ગલાઓ કે ઓપન એર રેસ્ટોરાંઓ ન કરવા દઈએ તો સાહેબ લાખો રુપીયા ખર્ચીને ડૉક્ટર થયેલા માણસોનું શું? સાહેબ અમારે તો બધાનો ખ્યાલ કરવો પડે. હા એવાત જુદી કે જ્યારે હેપીટાઈટીસ જેવો રોગચાળો ફાટી નીકળે ત્યારે અમે કામચલાઉ બધું બંધ કરાવી દઈએ અને મોટા મોટા પોસ્ટરો જનતાને જણાવીએ કે ખુલ્લું અને ગંદીરીતે તૈયાર થયેલું આ બધું આરોગ્ય માટે કેટલું બધું હાનીકારક છે. સાહેબ આવી મહામારી ફાટી નિકળે ત્યારે અમારે અને ડૉક્ટરસાહેબોને કમાણીમાં તડાકો પડે છે.

તમે જાણો જ છો કે જ્યાં સુધી જનહિતના કામોને અને અમારી ડ્યુટીના કામોને લાગેવળગે છે ત્યાંસુધી તો અમે અમારું ભેજુ તો અમારા ઘરના બગીચાના ઝાડ ઉપર જ મુકી રાખીએ છીએ. સફાઈની વાત હોય તો અમારા ખ્યાલ ઉચ્ચ છે. પણ આ ખ્યાલો અમે અમારા પોતાના, મેયર સાહેબો, હાઈકૉર્ટ ના જજસાહેબોના ક્વાર્ટર્સના   ઘરના કંપાઉન્ડની બહારની ફુટપાથ અને રસ્તા સુધી જ અમલમાં મુકીએ છીએ. અમે અમારા ખ્યાલો અમારા કર્મચારી ભાઇઓ ઉપર કે કોન્ટ્રાક્ટરો ઉપર લાદવા મગતા નથી.

કોઇના  જમીનના બધા ફાઈનલ પ્લોટ કર્યા અને અમે ૪૦ ટકા લેખે જમીન મેળવી કે પૈસા મેળવ્યા એટલે બીલ્ડરભાઈઓ સાથે અમારા અંગત ધંધાપાણીને લગતો વહીવટ પણ કર્યો.

અમે કોઇએક ફાઇનલ પ્લોટ કેવા ઉપયોગ માટે લેવો તે પણ નક્કી કરી છીએ.

જેમકે રહેણાંક માટે નો પ્લોટ, વ્યવસાય માટેનો પ્લોટ.

વળી અમે ડૉક્ટર સાહેબો માટે અને ચિકિત્સાલયો માટે છૂટછાટ આપીએ છીએ.

અમે દરકાર કરતા નથી

પૂરતું પાર્કીંગ કોને કહેવાય, વાહનોની અવરજવર માટે અને માણસોની અવરજવર માટે કેટલી જગ્યા હોવી જોઇએ તેની અમે દરકાર કરતા નથી.

બિલ્ડરભાઈ કમ્પાઉન્ડ વોલને ગમે તેટલા દરવાજા રાખે તેનો અમને છોછ નથી. કમ્પાઉન્ડવોલ રાખે કે ન રાખે તે પણ બિલ્ડરભાઈ નીમુનસફ્ફીની વાત છે

ફાઇનલપ્લોટની અંદરની જગ્યા કે જ્યાં બાંધકામ થયું હોય તો પણ અમે તેને બાંધકામની વ્યાખ્યામાં લેતા નથી.

અમે અમારી ફરજોનું પણ પાલન નથી કરતા તો બિલ્ડરભાઈઓના બાંધકામને લગતી ફરજોની શી વાત કરો છો સાહેબ તમે! અમને એવા વેદીયાવેડા ન ફાવે.

ફાઇનલપ્લોટની અંદરની જગ્યા કે જે સમગ્ર સભ્યોની અને મુલાકાતીઓની અવરજવર માટે હોય છે ત્યાં રેસ્ટોરાંનો માલિક ખૂરસી ટેબલો ગોઠવી દે અને ગ્રાહકોને અવનવી વાનગીઓ ખવડાવે તેનો અમને કશો વાંધો નથી. અરે સાહેબ જ્યારે અમે ફુટપાથ ઉપર પણ લારી ગલ્લાવાળઓને ટેબલ ખુરસીઓ ગોઠવવાની અને ચા, ભાજીયા, સેવ ઉસળ, ભેળ વિગેરેની સામે અમે અને અમારું આરોગ્યખાતું ગાંધીબાપુના મંકીઓની જેમ આંખો મીંચી દેવામાં માનતું હોય તો કંપાન્ડવોલની અંદરની જગ્યાનો ઉપયોગ તો શું ચીજ છે? અરે સાહેબ અમે તો સી.જી રોડ ના પર્કીંગ ઉપર પણ મારુતી-વાન રેસ્ટોરેન્ટ ચલાવવાની છૂટ આપીએ છીએ. પાર્કીંગની જગ્યા છે એટલે મારુતીવાન પાર્ક તો કરે જ ને. પછી એ તે મારુતિવાનમાં રસોડું ચલાવે તેમાં અમારે શું?

અને સાહેબ અમે કેટલા બધા સીલ માર્યા ખબર છે? રોજ રોજ અમે ત્રણ આંકડામાં સીલ મારતા. અને નૉટીસો ફટકારી એ તો સાહેબ ચાર આંકડામાં. સાહેબ અમે પાંચ, છ, સાત અને આઠ આંકડામાં વહીવટ કર્યો હોય તો બે આંકડામાં અને ત્રણ આંકડામાં તો કંઇક કરવું જ પડે છે ને? એટલે હે (જનતા)સાહેબ, અમે સીલમારવા જેવાં અને નોટીસો આપવાના કામો ત્રણ અને ચાર આંકડામાં કર્યા છે.

સાહેબ કદાચ અમે એક આંકડામાં અમારા કોઈ ચમચાને બલીનો બકરો પણ બનાવીશું જેથી રેકોર્ડ ઉપર રહે કે અમે અમારા માણસો ઉપર પણ કામ ચલાવ્યું છે. કદાચ જજસાહેબો અમને પૂછે તો અમારે તેમને કંઈક જવાબ આપવો તો પડે જ ને. સાવ ઘરની ધોરાજી તો ન જ ચલાવાયને?

કુતરા અને સિંહ વચ્ચે શો ફેર?

સાહેબ, તમને પેલા કુતરા અને સિંહના સ્વભાવની તો ખબર જ હશે. જો તમે તેને પત્થર મારો તો સિંહ પત્થરના ઉદગમસ્થાન એટલે કે મારનાર તરફ દોડશે. કુતરો પત્થર તરફ દોડશે.

અમે પણ જજ સહેબો, જનતા અને લોકોએ ચૂંટેલા સભ્યો કુતરા જેવું વર્તે એવું કશુંક કરીશું.

જુઓ સાહેબ અમે એવા બાંધકામોને સીલ કર્યા છે કે જ્યાં શેઠીયાઓ કારીગરો પાસે કામ કરાવતા હોય. દાખલા તરીકે હિરાઘસુઓ. હવે અમે આવા કારખાનાઓને સીલ મારીએ એટલે આ બધા બેકાર થાય. તેમની રોજી રોટી ખોરવાઈ જાય. એટલે આ એક જાતનો લૉકઆઉટ થયો ગણાય.

લેબર કમીશ્નર સાહેબ આમાં માથું નહીં મારે

લેબર કમીશ્નર માટે કાયદાની જોગવાઈ હાથ વગી નથી. આ કેસમાં કોની પાસેથી ડાબે હાથે પૈસા લેવા તેમાં તેમનો ટકલો કદાચ મુંઝાય છે.

મ્યુનીસીપાલીટી વાળા તો પૈસા આપે જ નહીં. મજુરો તો આપે જ ક્યાંથી? શેઠીયા ઓ તો હાથ ઉંચાકરી દીધા છે. કાયદામાં શું જોગવાઈ છે? તે જોવાની તો મહેનત કરવી પડે!! અને વળી કોઈ કંપ્લેન તો આવી નથી! માટે આંખ જ બંધ કરી દો.

ચૂંટાયેલા મેયર સાહેબ અને સભ્યો કહે છે કે મ્યુનીસીપલ કમીશ્નોરોની તરફ તો જોવાય જ કેમ? પત્થર તો મજુરો ઉપર ફેંકાયો છે માટે મજુર તરફ દોડો. હિરાઘસુઓ એકલાજ કંઈ  મજુરો નથી. મજુરમાં તો ગુમાસ્તાઓ પણ આવી જાય. એટલે મજુરોના હિતની રક્ષા કરવાનો મુદ્દો ઉભો કરવાનો આ મુદ્દાને માનવીય ચળકાટ આપો.

બીલ્ડરભાઇઓએ છેતરપીંડી ભર્યું વેચાણ કર્યું છે કે, ગેરકાયદેસર બાંધકામમાં શેઠીયાઓએ ધંધો સ્થાપ્યો છે કે, આપણા કમીશ્નર સાહેબે ગાંધીબાપુના મંકીની જેમ આંખ મીંચામણા કર્યા છે અને પત્થર આ લોકોએ ફેંક્યો છે એવી વાતોમાં પડાય જ નહીં. એ લોકો તો આપણા ખરા અન્નદાતા છે. સરકાર આપણને શું બાંધી આપે છે. સરકાર જે આપે છે તે તો પાનબીડી છે.

ચૂંટાયેલા મહાનુભાવો શું કહેછે?

મહામહિમ ઉવાચ  “જુઓ. વાસ્તવમાં તો અમારે બિલ્ડર ભાઈઓના હિતની રક્ષા અને અમે જેમના ધંધાપાણીમાં ભાગીદાર છીએ એવા કમીશ્નર સાહેબોના હિતની રક્ષા કરવાની છે. પણ અમે આ બાબતને મજુરોના હિતની રક્ષાના વાઘા પહેરાવશું. એટલે અમે નીચે પ્રમાણે કરીશું

ગેરકાયદેસ બાંધકામઃ

અમે ગેરકાયદેસર બાંધકામ ને “ઈમ્પેક્ટ ફી” જેવી એક “ફી” ઉભી કરી તેને મિલ્કતના કબ્જેદારો પાસેથી વસુલ કરીશું. એટલે હિરાઘસુ જેવા મજુરભાઇઓની રોજીરોટી કાયમ રહે. જોકે શેઠીયાઓને પણ લાભ થશે. પણ સાહેબ હજાર જણને લાભ કરીએ તો થોડા શેઠીયાઓને પણ લાભ થાય તો તે ક્ષમ્ય છે. તે હવે તમે એવું ન પૂછશો કે કહેશો કે “ઈમ્પેક્ટ ફી”ને બદલે “ઈમ્પેક્ટ કર કેમ નહીં? સાહેબ, ઈમ્પેક્ટ કર નાખીએ તો અમારે તેને દર વરસે વસુલ કરવો પડે. અને અમારે ઘણો બધો સર્વે કરવો પડે અમારી પાસે સ્ટાફ જ ક્યાં છે?

પાર્કીંગની જગ્યાનો ધંધાકીય ઉપયોગ

આ બાબતમાં અમે નામદાર કૉર્ટ સાહેબને એવા ઉઠાં ભણાવીશું કે સાહેબ જ્યાં જ્યાં પણ વાહન પાર્કીંગનો પ્રશ્ન ઉભો થતો હશે ત્યાં ત્યાં અમે માલિકો સાથે “વહીવટ” અને “ધંધાપાણી” ના ટેબલનીચેના પ્રાથમિક અને પુનરાવર્તિત દરો નક્કી કરી વાટાઘાટો આગળ ચલાવીશું. વાહન પાર્કીંગનો પ્રશ્ન “હલકર્યા વગર”,  “હલ કર્યો છે” એ કેવીરીતે બતાવી શકાય, એ બાબતમાં આ જુની સમસ્યાને હલ કરવા લાંબાગાળાની મુદત માગીશું.

અને એ … ય પછી “આજની ઘડી અને કાલ નો દિ …”

સાહેબ તમને ખબર તો છે કે અમે જ્યાં ભવિષ્યમાં જ્યાં આવા પ્રશ્નો ઉભા થવાના છે તે જગ્યાએ જે સહેલું છે છતાં પણ અમે ત્યાં તકેદારીનાં પગલાં લેતા નથી, તો વળી અમે આવા અઘરા પ્રશ્નોને શેના ગંભીરતાથી હાથમાં લઈએ!

ભલે થઇ જાય “આજની ઘડી અને કાલ નો દિ …”

સરકારીની માલિકીની જમીન ઉપરનાં બાંધકામઃ

ચૂંટાયેલા મહામહિમ ઉવાચઃ હા અમે હવે આવા બાંધકામ તો સાંખી નહીં જ લઇએ! શું કહો છો કમીશ્નર સાહેબ? બોલો બોલો કેમ બોલતા નથી? કંઇક હોંકારો તો ભણો!

કમીશ્નરસાહેબ બોલ્યા” હા હા સાહેબ. એમાં ના કેમ કહેવાય? સરકારી જમીન શું તેમના બાપની છે? સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર બાંધકામ તો હટાવવા જ પડશે.

હે જનતા બંધુ … ચાલો આપણે જોઇએ કમીશ્નર સાહેબ શું કરે છે. એક જગ્યાની મુલાકાત લઈએ.

“આ શું છે?” કમીશ્નર સાહેબ બોલ્યા.

” સાહેબ, આતો મંદીર છે” કમીશ્નર સાહેબનો એક સેનાની બોલ્યો.

“પણ આટલું બધું બાંધકામ થયું કેવી રીતે?”  કમીશ્નર સાહેબ બોલ્યા.

“સાહેબ, પહેલાં તો અહીં થોડી આડી ઉભી ઈંટો ગોઠવીને મેલડી માની છબી જ મુકેલી હતી. અમને એમ કે ગોપબંધુઓના બાબલાઓ મંદીર મંદીર રમે છે. પણ પછી એક રાત્રે તેમણે તેના ઉપર સીમેન્ટીંગ કરી દીધું. અને પછી રાત્રે રાત્રે નાનકડી પાકી દેરી કરી. રાત્રે રાત્રે બધું કરે તો આપણે શું કરી શકીએ સાહેબ?” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.

“પણ તમે પોલીસને કેમ રીપોર્ટ ન કર્યો?”  કમીશ્નર સાહેબ બોલ્યા.

“સાહેબ, વાઘેલા સાહેબે કહ્યું કે આ રસ્તા ઉપર જ ટ્રાફિક જ ક્યાં છે? અને આ તો ઝાડનીચે વટેમાર્ગુઓ થોડો પૉરૉ ખાય અને રાત હોય તો થોડો છાંટો પાણી કરે. ચોળીને ચીકણૂં શું કામ કરવું? એમ કરતાં કરતાં દેરી મોટી ને મોટી થતી ગઈ અને ઓટલો થયો અને ઓટલો લાંબોને લાંબો થતો ગયો. પછી બીજા ભગવાનો પણ આવવા માંડ્યા. ભગવાનને કંઈ થોડા રોકાય છે સાહેબ? લાંબા ઓટલા ઉપર ચણતર થઈ ગયું બાંકડા થઇ ગયા, દિવાલો થઇ, બારીઓ થઈ અને છાપરાં થયાં. હવે તો સાહેબ યુપી બિહારના બાવાઓએ કબજો લઈ લીધો છે અને રાત્રે ચોરેલા માલની વહેંચણીઓ પણ થતી હશે. હવે જો આપણે તોડવા જઈશું તો ધમાલ થશે. કોંગી ભાઇઓ આને રાજકીય મુદ્દો બનાવશે અને બેનરો લઈ દેખાવો કરશે. ટૂંકમાં લૉ એન્ડ ઑર્ડર ના પ્રશ્નો ઉભા થશે. અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ છે કે લૉ એન્ડ ઑર્ડર જોખમમાં ન આવે તેવાં જ ધાર્મિક સ્થાનો દૂર કરવાં.” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.

“હા હૉ … એ ખરું !!” કમીશ્નર સાહેબ બોલ્યા. “ચાલો … આગળ..”

.

.

.

“આ શું છે?”કમીશ્નર સાહેબ બોલ્યા.

” સહેબ આતો કાચી ઈંટોનું ચણતર છે. છાપરા ઉપર અને છપરાનીચે કબાડીનો સામાન છે… આ તો બાંધકામની વ્યાખ્યામાં નહીં આવે!! “કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો

.

.

.

“આ શું છે? “કમીશ્નર સાહેબ બોલ્યા.

” સાહેબ આ તો ટાયરો છે. અને કોઈકની ગાડીઓ પડી છે. હા અમુક ગાડીઓ ખખડધજ .. અમુક રીપેરમાં લાગે છે. આ તો કોંપ્રેસર પડ્યું છે… અને આતો ઈલેક્ટ્રીક બોર્ડ છે. હેં સાહેબ આ ઇલેક્ટ્રીક બોર્ડ બાંધકામમાં ગણાય કે નહીં?” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.

“પણ આ ગેરેજવાળાને ઈલેક્ટ્રિક કનેક્સન કોણે આપ્યું?” કમીશ્નર સાહેબ બોલ્યા.

“સાહેબ, ઈલીક્ટ્રીસીટી વાળા આપણી અંડરમાં આવતા નથી.” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો. “એમને એમનો રોટલો રળવા દો.”

.

.

.

” આ શું છે?” કમીશ્નર સાહેબ બોલ્યા.

” સાહેબ, આ તો માટીની ઝુંપડીઓ છે અને કોક ભરવાડ રબારીના ઢોર છે. અને ફરતી ફેન્સીંગ છે. બાંધકામ તો ન જ ગણાય. કદાચ ગ્રીન બેલ્ટમાં છે. અથવા તો સોસાઇટી પડી ભાંગી અને ઈસ્માઇલ ભાઈએ કબજો લઈ લીધો હશે. અને આને ચોકીદાર રાખ્યો હશે. હા અહીં રોટલા પાણી અને કદાચ છાંટો પાણી મળે ખરા” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.” સાહેબ! તપાસ કરવી પડે? આ જે ‘ગામડું’ એમ લખેલું બોર્ડ છે તે કદાચ કોઇ મુકી ગયું હશે.”

“ઓ કે … ઓ કે … ઝગતું ઝગતું આપણી પાસે આવશે ત્યારે જોઇશું”  કમીશ્નર સાહેબ બોલ્યા.

.

.

.

.

“આ શું છે?” કમીશ્નર સાહેબ બોલ્યા.

” ધાબો ચાલે છે.  આ તો સાહેબ ઔડામાં છે.” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.” ઔડામાં આપણે ક્યાં પડીએ છીએ?

“પણ ઔડાના કમીશ્નર તો કહે છે કે તમારામાં છે … “કમીશ્નર સાહેબ બોલ્યા.

” સાહેબ ઝગડો ચાલવા દો ને … આપણું શું જાય છે?” કમીશ્નર સાહેબનો સેનાની બોલ્યો.

.

.

.

“ચાલો આજે તો બહુ થઈ ગયું… આટલામાં કોઈ સારી હોટેલ રેસ્ટોરાં છે?” કમીશ્નર સાહેબ બોલ્યા.

નોંધઃ “કમીશ્નર સાહેબ” માં એક વચન, બહુવચન, ડેપ્યુટી, કલેક્ટર, જોઇન્ટ, સેક્રેટરી વિગેરે બધાને ગણી લેવા. ટૂંકમાં ઈન્ડીયન સર્વીસીસના સમગ્ર અધિકારીગણને ગણી લેવા. જજ સાહેબોને પણ ગણવા હોય તો ગણવા. તેમને મદદ કરતા વકિલગણને પણ ગણવાની છૂટ છે.

 

Read Full Post »