Feeds:
Posts
Comments

Archive for November, 2015

NEHRUVIANS INTOLERANCE AND DISRESPECT TOWARD HUMAN RIGHTS

Just to create fake controversies, and to divert the attention of the public from the achievements of BJP Government lead by Narendra Modi the pseudo seculars are making noise.

During this short period of 18 months the BJP government has gained a lot of prestige abroad. It has made remarkable changes on foreign policies and local governance.

Due to this reason the Anti-BJP leaders have become terribly upset. They feel politically insecure. However during the last Bihar Assembly election they could realize that the hope to remain politically alive has not become zero.

They have gained a confidence that they can manufacture even fake controversies and can very well create a negative atmosphere for BJP and Narendra Modi.

It is a matter of research as to how the middle level BJP leaders have not prepared themselves to hit back the controversy manufacturers.

Let us read the records of Nehruvians, as to how much had they tolerated opposite views and given respect to human rights !!

JAWAHARLAL NEHRU:

DISRESPECTS:
(1) 1946-47 None of the provincial Congress Committee had proposed the name of JL Nehru for the post of PM. Despite of this, JL Nehru did not withdraw his candidature. This matter was brought to his notice by Mahatma Gandhi. To avoid partition of Congress party, MK Gandhi had to take assurance from Sardar Patel that he would keep the Congress intact and he would not claim for the PM post.

(2) 1947-50 Nehru did not respect the advice of Sardar Patel on foreign policy with China.

(3) 1948 Nehru had abused Sardar Patel on his action on the matter of Hyderabad issue.

(4) 1948 Nehru did not like to respect democratic procedure of taking a decision only after discussing the matter in Cabinet. He took the issue of Kashmir with UNO, without discussing it with his cabinet.

(5) 1952-1962 Nehru never respected the oppositions’ point raised in the parliament on the military infiltration of China into Indian Territory.

(6) 1950s Nehru did not respect the moral aptitude on Jeep Scandal to protect his beloved VK Menan.

(7) 1956-1959 Nehru did not respect the Congress working committee’s decision on Bombay State.

(8) 1956 Nehru as a PM did not respect the neutrality on the dispute between two states. E.g. Maharashtra and Gujarat.

(9) 1962-64 Nehru did not like to respect the qualification, seniority and genuine right of others to succeed him on the post of PM. He acted, out of way and cunningly to see that Indira Gandhi who was less qualified, less dignified, less learned, less experienced, less honest … become his successor for the post of PM.

(10) 1962 Nehru had no respect towards parliament and towards his own oath. He had taken an oath before the parliament that he would not take any rest till he recapture the lost land of India to China. His oath was simply a fraud.

INTOLERANCE OF NEHRU

(1) 1956-1964 Nehru was highly intolerant towards his competitors. Due to stupid foreign policy and stupid defense policy of JL Nehru, China could achieve a cake walk victory over India. China captured 91000 square miles of Indian land. Nehru was solely responsible for the defeat of India. In respect of his failure and to owe the moral responsibility JL Nehru was supposed to resign. JL Nehru had not own his moral responsibility. Contrary to this when he noticed that Morarji Desai is trying to become his competitor for the post of PM, Nehru could not tolerate Morarji Desai. JL Nehru removed him from his Cabinet.

INDIRA GANDHI:
DISRESPECTS:

(1) 1968 she had no respect towards party’s constitutional procedure. The working committee of her party had approved and recommended the candidature of Sanjiv Reddy for Presidential election.

(2) 1968 she had no respect to her own oath. She signed the candidature form of presidential election in 1969, she made campaign for the opposite to party’s candidate.

(3) 1968 she had no respect for the dignity of her own colleagues. As an understanding with the working committee, Morarji Desai had to be absorbed in Cabinet. But without consulting the party president Indira Gandhi removed Morarji Desai from her cabinet.

(4) 1968 She had no respect towards moral values in politics. There were lot of allegations on her doubtful integrity. But she did not resign.

(5) 1975 She had no respect towards verdicts given by court of law. She ignored the verdict of HC on her disqualification.

(6) 1975-1977 She had no respect towards constitutional provisions, human values and democratic rights of others. She imposed emergency and suspended even natural rights of citizens. Her governments representative told on oath before the court of law that during emergency, government can even kill a person at government’s will.

(7) 1972-75 she had no respect towards truth. When she was making statements before the Allahabad High Court on a case against her unfair practice in election and abuse of power, she told 14 lies on oath before the court.

(8) 1975-1976 She had no respect towards humanity. She had put 60000+ citizens behind the bars even without existence of any offence.

(8.1) 1972 She had nullified the victory achieved through the sacrifice of Indian soldiers and people of India. She, under Simla pact, handed over even the land of POK (Pakistan Occupied Kashmir) to Bhtto. This land was captured by India in the Pak-India war .

(8.2) 1972 She had disrespect towards her own promise of executing a packing deal with Pakistan to resolve all the issues with Pakistan. She had very good and full scope to execute “The Package Deal” with Pakistan. She willfully ignored it.

(8.3) 1972 Indira Gandhi disrespected even the constitution. To hand over a part of India, to the enemy or to any of the other countries, is against the constitution. That is our Indian cnstitutioin does not permit such transaction of land. POK is a part of India as per Indian Constitution, one cannot hand over a part of India to any other country even with an affirmation of the total MPs. To do like this India has to form a new constitution committee and a new parliament.

(8.4) 1980-83 Indira had disrespect towards the nation. She had joined hand with Bhinderanwale. She had supported terrorism and naxalite movement.

(9.1) 1968-1984 Indira had no respect towards her own words and oaths. She had promised to send back the 10000000+ (more than one crore), Bangladeshi infiltrators. But she did nothing. Her oath was simply a fraud.

(9.2) 1967-1984 Indira had no respect for truth. She floated a lot of fraudulent rumors to misguide mass with the help of her government owned media.

INTOLERANCE OF INDIRA GANDHI:

(1) 1968-69 Indira Gandhi had no tolerance to accept the candidature of a person (Sanjiv Reddy), proposed by the working committee of her own party. Resultantly she put up her own candidate viz. VV Giri for presidential election in 1969.

(2) 1972 Indira Gandhi had no tolerance to accept the leader elected by the state legislature party members for the post of CM. Indira always asking to accept a person of her own choice. Viz. 1972 Gujarat Assembly members had proposed Chimanbhai Patel with majority, as CM. But Indira Gandhi rejected him and imposed Ghanshyambhai Oza, who was not even an elected member of the assembly.

(3) 1972-1984 Indira Gandhi had no tolerance even if a leader of her own party, if he takes credit of his good work and good achievement. She can tolerate a leader only and only even if he/she gives credit to herself (Indira Gandhi), what had been achieved. E.g. VP Singh, Hemvatinandan Bahuguna and many others were removed by her from her cabinet for this reason only.

(4.1) 1968-77 Indira Gandhi had no tolerance to opposite view and opposite voice. She abused even veteran Gandhians like Jai Prakash Narain.

(4.2) 1975-1977 Indira had no tolerance to opposite voice and therefore she had imposed emergency for indefinite period.

(4.3) 1975-1977 Indira had no tolerance to opposite voice and Indira put 60000+ persons behind the bar for indefinite period.

(4.4) 1975-1977 Indira had no tolerance to opposite voice and Indira impose censorship on private media too, to suppress them by force.

(4.5) 1975 Indira had no tolerance to opposite voice and she even suppress the High Court judgments which were against her government,

(4.6) 1975-1977 Indira had no tolerance to opposite voice and she asked every type of associations, to pass a resolution in its meeting, that the association had supported emergency.

(4.7) 1978 Indira had no tolerance to remain without political power. She instigated Charan Sing to topple democratically elected government of Morarji Desai. She supported Charan Sing and then she betrayed him.

RAJIV GANDHI

(1) 1984 Rajiv Gandhi had no respect towards democratic procedure. He, without looking into the propriety of the President invitation to take an oath as the PM, he took the oath, without the resolution of the working committee and the cabinet of the party and the government respectively. In fact he should have refused to take the oath in absence of such resolutions.

(2.1) 1984-1989 Rajiv Gandhi had no respect for the human rights. He avoided action against his party lead carnage on Sikhs.

(2.2) 1984 Rajiv Gandhi had no respect for human rights and humanity. He gave a smooth passage to Anderson to runaway safely from India. Anderson was the culprit of Bhopal Gas Hazard.

(3) 1984-89 Rajiv Gandhi had no respect for morality. He was involved in Boffors scam. He had written and forwarded an instruction chit through Madhav Singh Solanki a minister of his cabinet, to Swiss Government to go very slow on the matter of investigation related with Boffor Kickback.

(4) 1986-1988 Rajiv Gandhi had no respect towards nation. He gave a smooth passage to Ottavio Quatrochie to run away safely from India.

SONIA GANDHI, CONGI and ASSOCIATES
i.e. The PSEUDO SECULAR GANG

300

(1)The GANG does not like to respect anybody else as “Number One” in the party. Sitaram Kesri was manually lifted and driven out from the seat of the Congi-President.

(1.1) The GANG does not respect the personality of opposite party.

(1.2) The GANG does not respect the achievement of the government of opposite party,

(1.3) The GANG does not respect the constitutional provisions. The GANG paralyses the functioning of the parliament.

(1.4) The GANG does not respect the very purpose of the parliament which is to discuss the matters and exchange the views to arrive to a decision.

(1.5) The GANG disrespects the natural right of opposite party (BJP leaders) to present their side on the floor of the parliament on the allegations made by the GANG.

(2) The GANG disrespects BJP leaders.

(2.1) The GANG addresses opposite party leaders with abusive words. Like “Maut kaa Sodaagar”, “Godse’s progeny”, Communal, Manav Bhakshi, Pishaach, Chaay Waalaa, Intolerant …

(3) The GANG does not have tolerance to any opposite view to Congi’s governance.

(3.1) The GANG could not tolerate Anna’s agitation. Anna Hazare was abused and alleged by all spokespersons of the Congi

(3.2) The GANG could not tolerate Baba Ramdev’s agitation. Baba Ramdev was also abused and manhandled. A lot fraudulent allegations were made on him. Congi had executed investigations too, but found nothing against Ramdev. Despite of this, Congi never thought of submitting apology.

(3.3) The GANG could not tolerate participants’ personality. Kiran Bedi was also alleged and abused. The investigations were carried out but no guilt was found on making money by Kiran Bedi,

(3.4) The GANG had no tolerance to the functioning of the opposite party. The GANG is in habit to manufacture fake controversies.

(4) The GANG does not have any respect for the human rights of Hindus:

(4.1) The GANG willfully neglected the human rights of Hindus in Kashmir, North East and some pockets of South India.

(4.2) The GANG does not have respect towards the rule of law that everybody is equal before law.

(4.3) The GANG has willfully discriminated the Hindus’ human rights.

(4.4) Kashmiri Hindus had been threatened to be ready for the death unless they adopt Muslim religion. They were told either to adopt Muslim religion or to vacate their houses and leave Kashmir. The threat was announced through loud speakers, from Mosqs, pamphlets pasted on the doors, publications through the news paper, writing on the walls and through every means.

(4.5) The Muslims of Kashmir in joint venture with the GANG, had given a dead line date in advance about the carnage they were going to execute.

(4.6) The GANG had committed cognizable offences, as it kept mum, took no action, done no arrest, registered no FIR, initiated no investigation and no prosecution.

(4.7) The GANG kept total non-transparency on the prolonged carnage. It was a cognizable disrespect of protection of human rights of Hindus of Kashmir.

(4.8) The GANG happily watched the murders of 5000+ Hindus, and the migration of 50000000+ driven out Hindus from their houses.

(4.9) The GANG paid no heed on the issue of the rehabilitation of the Hindus. These Hindus are living in substandard living condition since last 25 years. This is nothing but a continued terrorist attack sponsored by the GANG.

What does this GANG want?

The GANG wants Hindus and pro-BJP inclusive of BJP persons should tolerate as under:

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE all the injustice and discrimination applied upon them inclusive of end of their lives and carnage executed by the GANG.

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE even if the GANG curtails suspends or dismisses their human rights.

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG abused them by any bad name

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG manufactures any fraudulent and fake controversy, rumor or allegation upon them,

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE even if the GANG does not use its sense of proportion and or it does not use its sense of relevance while alleging

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG condemns the views of them on historical events even without material

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG terms the material conclusion of existence of some historical character as fake and fictitious and the GANG avoids discussion

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG insults your Gods and Goddesses,

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG does not talk to the point

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG simply shouts while discussion on TV channels and consumes most of the time

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG simply shouts and disturbs them while they submit their replies

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG openly tries to divide society by caste, religion, language and region,

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE Even if the GANG stops them and abuses them for speaking against Nehruvians’ frauds, blunders, scams, scandals, stupidity or whatsoever,

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE as the GANG persons are not supposed to tolerate any thing whatsoever against them, even if the allegations are proved in Court of Law. This is because the Gang has full liberty to express inclusive of anti-national, derogative to Indian culture or whatsoever.

HINDUS AND PRO-BJP INCLUSIVE OF BJP PERSONS SHOULD TOLERATE as the GANG persons are not supposed to respect any of their right inclusive of human rights or natural rights or constitutional rights whatsoever.

Shirish M. Dave

Tags:

Intolerance, Nehruvians, Nehru, Indira, Rajiv, Sonia, Congi, BJP, Narendra Modi, Emergency, Censorship, Media, Pseudo, Secular

Read Full Post »

ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન – ૨

ગૌ એટલે આમ તો આખી વનસ્પત્યાહારી પશુ સૃષ્ટિ થાય. એટલે ગૌહત્યા બંધીને લગતો કાયદો આ સઘળાં પ્રાણીઓને આવરી લેવાય એવો થવો જોઇએ. ઊંટ થી શરુ કરી, કૂતરાં બિલાડાં સુધીના કોઇને પણ ન મરાય કારણ કે કૂતરાં બિલાડાં પણ માંસ ખાધા વગર જીવી શકે છે. આ બધા પ્રાણીઓને મનુષ્ય પાળે છે અને એક બીજાના આધારે જીવે છે. કૂતરાં પણ લાગ મળે તો માંસ ખાઈ લે છે. તેવું જ બિલાડાં વિષે છે તેથી તેને માંસાહારી ગણી મુસલમાનો અને ખ્રિસ્તીઓ ખાતા નથી. ચીના અને જાપાનીઓ બધું જ ખાય છે. પણ

આપણે ભારત પૂરતી ચર્ચા મર્યાદિત રાખીશું.

શું સરકાર માણસની ખાવાની પસંદગીની બાબતમાં દખલ કરી શકે? ગાયની કતલ વિષે મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો આ સવાલ છે?
જેઓ પોતાને માનવ અધિકારના સંરક્ષકો માને છે તેઓ તેમજ જેઓ પોતાને ધર્મનિરપેક્ષ કે સેક્યુલર માને છે તેઓ એમ કહે છે કે મનુષ્યે શું ખાવું અને શું ન ખાવું, તે તેની અંગત પસંદગી છે એટલે સરકારે તેમાં દખલ ન કરવી જોઇએ. અને પસંદગીની વાનગી ખાવામાંથી કોઇને રોકી ન શકાય. આ હક્કનું હનન થાય તેવો કોઈ કાયદો બનાવી ન શકાય.

“ગાય” શું એક વાનગી છે?

“ગાય” વાનગી નથી. પણ ગાયનું માંસ અમુક વાનગીઓનું એક ઘટક છે. ગાયને કોઈ બટકા ભરતાં ભરતાં ખાતું નથી. એવું જ મરઘી અને મરઘીના બચ્ચાંઓ વિષે છે. મરઘીનાં બચ્ચાંની બનેલી મુખ્ય વાનગીને ચીકન કહેવાય છે. ચીકન, બીજી ઘણી બધી વાનગીઓમાં એક ઘટક પણ હોય છે. ગાયના માંસને બીફ કહેવાય છે. અને આ બીફ પણ ઘણી બધી વાનગીઓમાં એક ઘટક હોય છે. એટલે કે વાનગી જ નહીં પણ વાનગીઓમાં જે ઘટકો છે તે પસંદ કરવાનો પણ માનવનો હક્ક છે.

એટલે કે સરકાર, વાનગીના ઘટકોની પસંદગીમાં પણ દખલ ન કરી શકે. જો સરકાર કાયદા દ્વારા કોઈ ઘટક કે ઘટકોને પ્રતિબંધિત કરે તો તેને માનવ અધિકારના હનનના રુપમાં જોવું જોઇએ.
ચાલો આપણે આ વાત કબુલ રાખીએ. પણ શું સરકાર આ તર્કને માન્ય રાખી તે અનુસાર વર્તે છે? હા કે ના?

ના જી. સરકાર આમ કરતી નથી.

મીઠામાં આયોડીન ફરજીયાત છે.

આપણી ઘણી વાનગીઓમાં મીઠું એક ઘટક છે.

મીઠું વાનગીનું ઘટક ન કહેવાય?

મીઠું ઘટક કહેવાય જ. અને મીઠામાં આયોડીન નાખવું ફરજીયાત હોય તો આયોડીન પણ ઘટક કહેવાય જ.

મીઠામાં આયોડીનનો સ્વાદ ક્યાં હોય છે? મીઠું તો સ્વાદ માટે નખાતું હોય છે? આયોડીન તો તંદુરસ્તીની સુરક્ષા માટે નખાતું હોય છે. સરકારને મનુષ્યોની તંદુરસ્તીની સુરક્ષાનો ખ્યાલ કરવો જ પડે ને.
આરોગ્યની સુરક્ષા માટે સુક્ષ્મ સ્વાદવાળું કહો કે કહો કે સ્વાદ વગરનું કહો, પાણી પણ વાનગીઓની બનાવટમાં એક ઘટક તરીકે વપરાતું હોય છે. મીઠું પણ એક ઘટક છે. અને આયોડીનનો સ્વાદ આવતો હોય કે ન આવતો હોય, તે પણ વાનગીનું એક ઘટક બની જ જાય છે. જો આયોડીન આરોગ્યની સુરક્ષા માટે અનિવાર્ય કરી શકાતું હોય તો આ તર્ક બધે જ લાગુ પાડવો જોઇએ.

આયોડીન શું છે અને તે ક્યાંથી ઉપલબ્ધ થાય છે?

અમને એવું ભણાવવામાં આવેલ કે દરિયા કિનારે અમુક વનસ્પતીઓ આપમેળે ઉગે છે. તેમાંની એક કોઈ એકનું ઓક્સીજનની ગેરહાજરીમાં દહન કરી તે દહન ચેમ્બરની દિવાલો ઉપર આયોડીન, ચોંટેલા સ્વરુપમાં મળે છે. આનો અર્થ એમ થયો કે તે વનસ્પતી દરિયાના પાણીમાંથી જ આયોડીન ગ્રહણ કરે છે. એટલે મીઠામાં આયોડીન તો હોય જ. હવે પ્રશ્ન રહે છે આયોડીનના પ્રમાણનો. ક્લોરીન, બ્રોમીન અને આયોડીન એક જ ગ્રુપના તત્વો છે એટલે એક કાચામાલમાંથી ક્લોરીન મળે તો વધતા ઓછા પ્રમાણમાં બીજા બે તત્વો મળે ને મળે જ. આમ સોડીયમ ક્લોરાઈડ (મીઠું) આ વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે એક ઘટક તરીકે આયોડીન ધરાવતું જ હોય છે. મીઠામાં આયોડીનના હાનિકારક રીતે ઓછા પ્રમાણની વાત, એક ધતીંગ અને પ્રપંચ છે. આયોડીનને ફરજીયાત રીતે મીઠામાં નાખવું એવો કાયદો થઈ જ ન શકે.

આયોડીનનો કાયદો સરકારે જનતાના કોઈપણ આંદોલન વગર કેવી રીતે ઘુસાડી દીધો તે સંશોધનનો નહીં પણ પ્રપંચની તપાસનો વિષય છે. બાજપાઈની સરકારે આ કાયદો રદ કરેલ. પણ નહેરુવીયન સરકારે તેને ફરીથી ઘુસાડી દીધેલ છે. આ કારણથી નહેરુવીયન કોંગ્રેસે ઘુસાડેલું આયોડીન, કાયદેસરની તપાસનો વિષય બને છે.

જે સરકાર નદીમાં છોડાતાં કારખાનાઓના ઝેરી રસાયણોને અટકાવતા કાયદાઓ ઘડવામાં અખાડા અને ગુગુ-છીછી કરે છે

(હાજી. જો તમે આ વાત ન જાણતા હો તો જાણી લો કે સરકારે હિન્દુસ્તાનની નદીઓમાં જ નહીં પણ જમીન ઉપર પણ કારખાનાઓને પોતાના ઝેરી રસાયણો કાયદેસર રીતે છોડવાની પરવાનગી આપેલી છે.) તે સરકાર આરોગ્યના ઓઠા હેઠળ મીઠામાં રહેલા આયોડીનની ફરેબી અછત માટે કાયદો બનાવે છે તે તપાસનો વિષય બનવો જ જોઈએ.

ટૂંકમાં જનસમુદાયના આરોગ્યની સુરક્ષાના કારણસર, સરકાર, ફક્ત વાનગીઓ માટે જ નહીં પણ વાનગીઓમાંના ઘટક રાખવા કે ન રાખવા અને રાખવા તો કેટલા પ્રમાણમાં રાખવા એ નક્કી કરી શકે છે અને તેને લગતા કાયદાઓ બનાવી શકે છે. તેમાં માનવ અધિકારોનું હનન થતું. ઇતિ સિદ્ધમ્.

તો પછી ગાયમાં શું વાંધો પડ્યો છે?

વનસ્પત્યાહારીઃ “ગાયનું દૂધ પણ આરોગ્યપ્રદ છે. ગાયનું છાણ ખેતી માટે અત્યંત ઉપયોગી ખાતર છે. ગાયનું મૂત્ર પણ અનેક રોગો મટાડે છે. ગૌ મૂત્રનો જંતુ નાશક તરીકે પાક ઉપર છંટકાવ કરી શકાય છે. તો પછી આરોગ્યની વૃદ્ધિ માટે આ આરોગ્યપ્રદ ગાયની હત્યા ઉપર પ્રતિબંધ કેમ ન લાવવો જોઇએ?

ગૌ માંસાહારીઃ “અરે ભાઈ, ગૌ મૂત્રની વાત જવા દો. તે વિષે એવો કોઈ વૈજ્ઞાનિક સંસ્થાનો રીપોર્ટ નથી. વાત રહી, છાણની. ગાય એકલીનું છાણ કંઈ થોડું ખાતર તરીકે વાપરી શકાય છે. દરેક પ્રાણીના છાણ ખાતર તરીકે વપરાય છે. એટલે છાણ ને જો ગૌહત્યાબંધીનો હેતુ બનાવીએ તો કોઈપણ પ્રાણી ન મારી શકાય.

વનસ્પત્યાહારીઃ “ઓકે. તો પછી પ્રાણી માત્ર ની હત્યા ઉપર પ્રતિબંધ મુકો.

ગૌ માંસાહારીઃ “એ શક્ય નથી. કારણ કે તો તો સમાજ અસ્તવ્યસ્ત થઈ જાય. ભારતની ૬૦ ટકા વસ્તી માંસાહારી છે. આમેય અનાજની તંગી છે. એમાં વળી જો માંસાહારી લોકો વનસ્પત્યાહારી થઈ જાય તો અનાજ ખૂટી પડે.

વનસ્પત્યાહારીઃ “ જુઓ. ભારતમાં જે પ્રાણીઓનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે તે બધાં દૂધાળાં અને વનસ્પત્યાહારી છે. ભારતના લોકો કીડી, મકોડા, કૂતરાં, બિલાડાં, ગરોળી, ઈયળો, કનડીઓ (કાઠીયાવાડીમાં ભરવાડ), કાકીડા, એરુ, નાગ, ઉંદર વિગેરે ખાતા નથી.

ગૌ માંસાહારીઃ “ જો અમે દુધાળાં ઢોર ન ખાઈએ તો તેમની સંખ્યા વધી જાય અને તેમને નભાવવા માટે તમારે વધુ જમીન જોઇએ. અમે દુધાળાં ઢોર ખાઈને તેને ઓછાં કરીએ છીએ તેનો તમે કેમ વિરોધ કરો છો? વળી તમારે એ સમજવું જોઇએ કે ખાવાની આદતો એમ બદલી શકાતી નથી. માણસ માત્ર આદતથી બંધાયેલો હોય છે. સરકાર માણસની આદત બદલવા ફરજ પાડી ન શકે.

વનસ્પત્યાહારીઃ એક વાત સમજો. જે દુધાળાં ઢોર છે તે પાકની આડપેદાશ ઉપર મોટે ભાગે નભે છે. દુધાળાં પ્રાણીઓને ખાણ ખોળ અને રજકો આપીએ છીએ. રજકા માટે જમીન જોઇએ. પણ બીજી બધી તો આડ પેદાશ છે. આ સૌની સામે ઢોર ખાતર આપે છે જે ખેતી માટે શ્રેષ્ઠ હોય છે. ખાવાની આદતો તો બદલી શકાય છે.

ગૌ માંસાહારીઃ આવું બધું થઈ ન શકે. સરકાર એમ કોઈને ફરજ પાડી ન શકે.

વનસ્પત્યાહારીઃ ફરજ પાડવાની વાત નથી. પણ વિચાર પ્રસારની વાત છે. ચર્ચાની વાત છે.

ગૌ માંસાહારીઃ કરો ને . વિચાર પ્રચાર કરો …. વિચાર પ્રચાર કરવાની કોણ ના પાડે છે… તમે તો માણસોની હત્યા કરો છો. ધર્મને નામે આ બધું કરો છો. તમે તો અસહિષ્ણુતા દાખવો છો.

વનસ્પત્યાહારીઃ એકાદ છૂટા છવાયા ગ્રામીણ બનાવથી તમે એક ધર્મની સમગ્ર જનતાને વગોવી ન શકો. જો આવા વલણોને યોગ્ય માનવામાં આવશે તો તમારા માટે જ તે ખતરનાક સિદ્ધ થશે.

ગૌ માંસાહારીઃ તમે કહેવા શું માગો છો?

વનસ્પત્યાહારીઃ ગૌ હત્યાબંધીના કોઈ ગ્રામીણ સમર્થક, એક અમાનવીય કૃત્ય કરે તો તેનું સમગ્રીકરણ ન થઈ શકે. જો તમે આવું કરવા જાઓ તો કોંગી જમાતના બધા જ નેતાઓ, મુસ્લિમ જમાતના નેતાઓ અને ખ્રિસ્તી નેતાઓ બધા જેલમાં જ જાય. અને તેને લીધે જનતામાં ભયાનક વિભાજન જ થાય એટલું જ નહીં વૈમનસ્ય પણ વધે. એટલે તમારે બેજવાબદારી ભર્યા નિવેદનો કરવા જોઇએ નહીં.

ગૌ માંસાહારીઃ ઓકે તમે ગૌ હત્યાબંધી નો વિચાર પ્રચાર કરો. અમે અમારી વાતનો પ્રચાર કરીશું.

વનસ્પત્યાહારીઃ પણ તમારો વિચાર પ્રચાર બંધારણીય આદેશથી વિપરિત ગણાશે અને અમારો વિચાર પ્રચાર બંધારણીય આદેશના પાલન માટેનો ગણાશે. માટે બહેતર છે તમે માનવીય અધિકારોથી વિપરીત જોગવાઈ વાળા બંધારણના આદેશાત્મક પ્રાવધાનોમાંથી ગૌવધબંધી અને અહિંસા ને દૂર કરો. સાથે સાથે માનવ અધિકારોમાં ડ્રગ્ઝ, અફીણ, ચરસ, ગાંજો, કોકેન, એલ એસ ડી, દારુ વિગેરે લેવાનો સમાવેશ કરવા આંદોલન કરો.

ગૌમાંસાહારીઃ ડ્રગ્ઝ, અફીણ, ચરસ, ગાંજો, કોકેન, એલ એસ ડી, વિગેરેનો માનવ અધિકારમાં સમાવેશ ન થઈ શકે. ડ્રગ્ઝ, અફીણ, ચરસ, ગાંજો, કોકેન, એલ એસ ડી, શરીરના આરોગ્યને હાનિકારક છે. દારુની વાત અલગ છે. તમારી ગૌહત્યાબંધી ધર્મ ઉપર આધારિત છે. લોકશાહીમાં એવી ધર્માંધતાને પોષી ન શકાય. વળી તમારા ઋષિઓ પણ ગાય ખાતા હતા એટલે તમારી ધર્મના આધાર વાળી વાત પણ બોગસ છે.

શું તર્કની વાત અહીં પૂરી થાય છે કે તર્કની વાત અહીંથી શારુ થાય છે?

જે વાત અતિમહત્વની છે તેને તો સ્પર્શવામાં જ આવતી નથી.
વેદોની ભાષાને બહુ ઓછા વિદ્વાનો સમજી શક્યા છે. વેદોના રહસ્યને સમજાવવા કેટલાક ઉપનિષદો રચાયાં. જે વિદ્વાનો વેદને વધુ સારી રીતે સમજ્યા તેઓ એ એ વાત માન્ય રાખી નથી કે ઋષિઓ માંસાહારી હતા કે ગાય ખાતા હતા. કોઈ એક આશ્રમમાં દશરથ અને તેના સૈન્યને જમાડવા માટે પશુઓની હત્યા કરવામાં આવે છે ત્યારે આશ્રમવાસીઓ દશરથની ભરપેટ નિંદા કરે છે.

જુદા જુદા સમયે એક જ શબ્દ જુદા જુદા અર્થમાં પ્રચલિત હોય છે. જેમકે “શિક્ષા” શબ્દ નો ગુજરાતી અર્થ દંડ થાય છે. હિન્દીમાં તેનો અર્થ શિક્ષણ થાય છે. “ઠીક” શબ્દનો અર્થ હિન્દીમાં યોગ્ય એવો થાય છે. ગુજરાતીમાં “સાધારણ” થાય છે. સંસ્કૃતમાં ઇન્દ્રના અનેક અર્થ થાય છે. અશ્વનો અર્થ “ચોખા” થાય છે. ચોખાના છોડમાંથી ડાંગરને છૂટી પાડવા માટે અંગ્રેજી કેપીટલ “વાય” આકારનો “યુપ” જમીન ઉપર ખોડવામાં આવે છે. આ “યુપ” ઉપર ચોખાના છોડને પ્રહારો કરી ડાંગર છૂટી પાડવામાં આવે છે. ડાંગરને અને ચોખાને યજ્ઞમાં હોમવામાં આવે છે. ક્યારેક અંધાકર યુગ આવી ગયો. અને આલાને બદલે માલો થઈ ગયો કે કેમ તે આપણે જાણતા નથી. પણ સાચા અશ્વનું બલિદાન ચાલુ થઈ ગયું કારણ કે લોકો માંસાહારી થઈ ગયા હતા. જે કંઈ કરો એ ભગવાનને નામે કરો તો બધું માફ એવું આજે પણ માનવામાં આવે છે.

આપણા પૂર્વજો જે કંઈ ખાતા હોય તે આપણા આહારનું કારણ ન બનવું જોઇએ.

આપણે આપણી પ્રજ્ઞાદ્વારા નિર્ણય કરવા માટે સક્ષમ હોવા જોઇએ.

બધા દેવોમાં અગ્નિ સૌથી આગળ છે તેથી વેદોમાં તેને પુરોહિત અને મહાદેવ કહેવામાં આવ્યો છે. બ્રહ્મ માંથી સર્વપ્રથમ પોતાની મેળે ઉત્પન્ન થનારો આ દેવ હતો. તેથી તે બ્રાહ્મણ કહેવાયો. આ અગ્નિ કેટલા છે. તે બે છે. તે ત્રણ છે. તે પાંચ છે. તે વિશ્વમાં વ્યાપ્ત છે અને તે વિશ્વદેવનું શરીર છે. આ વિશ્વદેવ ૧૧ નામ રુપે જુદા જુદા આઠ વસુઓમાં રહેલા છે. ટૂંકમાં ભારતીય તત્વજ્ઞાનીઓ વિશ્વને એક જીવતો જાગતો દેવ માને છે. તેના બધાં જ અંગો ઉર્જાવાન છે. તે સર્વવ્યાપી છે. ગીતામાં આ વિશ્વદેવનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણે સૌ માન્ય રાખીએ છીએ. તેથી ઇશ્વરે આપણનેઇશાવાસ્યવૃત્તિ રાખવાનું કહ્યું છે. મનુષ્ય જ એક માત્ર એવો અંશ છે જેમાં ઈશ્વરે વિચાર અને તર્કની પ્રજ્ઞા આપી છે.

સારા વિચારની સાથે ખરાબ વિચારોને પણ શક્યતાના સિદ્ધાંત પ્રમાણે રાખ્યા જેથી માણસની પ્રજ્ઞામાં તર્ક દ્વારા વૃદ્ધિ થાય અને કાળાંતરે તે સમાજ વધુને વધુ સારી રીતે વિશ્વના ઘટકોનાવર્તનને સમજતો થાય. આમ કરવાથી તે વધુ ને વધુ સંવેદનશીલ થતો જાય. અને તેના સમાજનો વ્યાપ વિશાળ અને વિશાળ થતો જાય.

પ્રાણી સૃષ્ટિમાં ગાય સૌથી વધુ પવિત્ર છે. એટલે બધાજ દેવો તેમાં રહેલા છે તેમ બતાવી તેનું મહત્વ સ્થાપવામાં આવ્યું અને તેની ઉપર કૃતજ્ઞતા દર્શાવવામાં આવી. પ્રાણીઓની આખી સૃષ્ટિમાં ગાયને પુરોહિત ગણવામાં આવી. પ્રાણીઓમાં શ્રેષ્ઠ. તેથી જ વૃષભ અગ્નિનું (રુદ્રનું વિશ્વદેવનું) વાહન છે.

cow consists all Gods.

ગૌવધબંધીમાં મુસ્લિમોને વાંધો નથી. કારણ કે મુસ્લિમ રાજાઓએ પણ ગૌવધબંધી રાખેલી. પણ નહેરુવીયન કોંગ ની વિભાજનવાદી નીતિની કોશિશ એ રહી કે મુસ્લિમો હિન્દુઓથી અળગા રહે અને તેઓ ટેશથી ગૌમાંસ ખાય જેથી પોતે હિન્દુઓથી તદન ભીન્ન સંસ્કૃતિ વાળા છે એવું સતત બતાવી શકાય. આ બધું હોવા છતાં પણ અનેક મુસ્લિમ ધર્મગુરુઓએ ગૌહત્યા બંધીની હિમાયત કરી છે. પણ જેઓ અંગ્રેજી શાસનથી માનસિક ગુલામ થઈ ગયા છે અને પોતાને સેક્યુલર હોવાની ઓળખ આપવા માગે છે તેવા હિન્દુઓ અને ખ્રિસ્તીઓ મુસ્લિમોને ફસાવવા તેમને ઉશ્કેરે છે. જે કામ પહેલાં બ્રીટીશ સરકાર કરતી હતી તે કામ કોંગીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ વિતંડાવાદ દ્વારા કરી રહ્યા છે.

જો કોઈપણ ફેરફાર કરવ હોય તો જનમતને તે ફેરફારને સ્વિકારવા માટે તૈયાર કરવો પડેલ. કોંગીનું મુખ્ય ધ્યેય સત્તા મેળવવાનું અને મેળવેલી સત્તા જાળવી રાખવાનું હતું. જો જનમત શાસકની વિરુદ્ધ જાય તો સરમુખત્યાર પણ ગબડી પડે. આવું ન બને તે માટે જો તમે સત્તામાં હો તો અમુક નાની ઘટના ઉપર મેળવેલા વિજયને ખૂબ મોટું સવ્રુપ આપો. તમે એક ઉંદર મારો તો ઉંદરને રાક્ષસ બનાવી દો. તે કેટલો શક્તિશાળી હતો તેનો પ્રચાર કરો. તેના ઉપર આક્ર્મણ કરવામાં તમે કેવી ચાતૂર્ય પૂર્ણ ચાલાકીઓ કરી અને તેને કેવો પરાસ્ત કર્યો તેને મીઠું મરચું ભભરાવીજે લખો. એટલે જનતા તમે આપેલા આંચકાઓ દ્વારા તમે ઘણું બધું કરી રહ્યા છો તેમ માની તે તમારાથી સંતુષ્ટ રહેશે.

જો તમે લોકશાહીમાં હો તો તમે વિરોધીઓ વિષે અદ્ધર અધ્ધર વાતો કરો અને અફવાઓ ફેલાવો. પણ આ માટે તમારી પાસે પૈસા હોવા જોઇએ. કોંગી પાસે પૈસાની કમી નથી.

આ જે અતિ મહત્વની વાત છે તે પર્યાવરણ, ગ્લોબલ વૉર્મીંગ અને તંદુરસ્તી ને લગતી છે.

જો આની ચર્ચા શરુ કરીએ તો એક પુસ્તક પણ ઓછું પડે.

જો તમે વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓના ઉત્પાદનને સ્વિકારો એટલે તે બનાવવા માટે તમારે તેના કારખાનાઓ માટે જમીન ફાળવવી પડે.

વિલાયતી ખાતર બનાવવાના કારખાના અને તેના ઘટકો બનાવવાના કારખાના રસાયણો છોડે અને તે વધુને વધુ જમીન બગાડ્યા કરે.

તેવું જ જંતુનાશક દવા બનાવવાના કારખાનાને લાગુ પડે. દુર્ઘટનાઓની શક્યતા રહે છે.

ખેતીમાં અને આવા કારખાનાઓમાં પાણીનો વપરાશ વધે છે.

જેનેટિક બીયારણની લાલચને પણ આપણે રોકતા નથી. જેનેટિક બીયારણની આડ અસરોનું પરીક્ષણ થતું નથી.

જેઓ માંસાહાર કરે છે તેઓ માટે અનાજ ત્યાજ્ય નથી. માંસાહાર તો એક વધારાની આઈટેમ છે.

આ બધાને પરિણામે માનસિક અને શારીરિક રોગો જેવા કે અસહિષ્ણુતા, અસુરક્ષાની ભાવના, ફ્રસ્ટ્રેશન, ઋણાત્મક માનસિકતા, કેન્સર, ડાયાબીટીસ અને હૃદય રોગનું પ્રમાણ વધે છે.

જો ગૌ સુરક્ષા થાય તો દેશી ખાતર મળે, જમીનની ફળદ્રુપતા વધે, જળસંચય થાય, જમીનનું આયુષ્ય વધે, લાંબા ગાળે ઉત્પાદનમાં ઘટ ન વર્તાય. સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક અનાજ અને ફળો મળે. મનુષ્યનું મગજ સ્વકેન્દ્રી ન બનતાં સાચી દિશામાં વળે. વૈશ્વિક બંધુતા જન્મે.

વધુ માટે આ જ બ્લોગ સાઈટ ઉપર વાંચો “નવ્ય ગાંધીવાદ ભાગ-૧ થી ૭.” અને ગાંધીજીને લગતા લેખો.

સમાજને સમજતાં પહેલાં વિશ્વના ઘટકો કેવીરીતે બનેલા છે અને તેના ગુણધર્મ કેવા છે તે માટે “અદ્વૈતની માયા જાળ” ને પણ સમજવી પડે. જો “ઈશાવાસ્ય વૃત્તિ” ન સમજીએ તો બધું દળી દળીને ઢાંકણીમાં જાય. “પ્રતિલિપિ” બ્લોગસાઈટ માં ઓન લાઈન પુસ્તક “સમસ્યા છે તો ઉપાયો પણ છે” પ્રકરણ- ૧ થી ૧૯. વાંચવાની પણ ભલામણ છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગૌ હત્યાબંધી, ગાય, દુધાળાં, સરકાર, ખ્રિસ્તી, મુસલમાન, માંસાહાર, વનસ્પત્યાહર, વાનગી, ઘટક, આયોડીન, મીઠું, પ્રતિબંધ, બંધારણ, બંધાણીય આદેશ, જમીન, કારખાના, રસાયણો, ગ્લોબલ વૉર્મીંગ, પર્યાવરણ, યુપ, અશ્વ, ચોખા, ડાંગર, માનવ અધિકાર, હનન, કાયદો, મૂત્ર, તંદુરસ્તી

 

 

 

Read Full Post »

ગૌ હત્યા બંધી વિષે દંભીઓનું દે ધનાધન

નહેરુવીયન કોંગ્રેસના સાથીદાર એવા સમાજવાદી પક્ષનું જ્યાં શાસન છે તેવા ઉત્તર પ્રદેશ જેવા બિમારુ રાજમાં કોઈ એક ગામડામાં હિન્દુઓના એક ટોળાએ એક ગરીબ મુસ્લિમના ઘરમાં જઈ ગૌ-માંસ ને સંબંધિત આરોપસર આક્ર્મણ કરી, તે કુટૂંબના વડાની હત્યા કરી. તેનો દિકરો ઘાયલ થયો. જો કે સારવારથી તે બચી ગયો.
આ એક સમાજવાદી પક્ષ શાસિત યુપીના ગ્રામ્યવિસ્તારમાં પ્રવર્તતી કાયદાની પરિસ્થિતિની અને કંઈક અંશે માનસિકતાની સમસ્યા છે. આ ઘટનાને આના પરિપેક્ષ્યમાં મુલવવી જોઇએ. બિમારુ રાજ્ય એટલે શિક્ષણમાં પછાત, ભૌતિક વિકાસમાં પછાત, આર્થિક અવસ્થામાં પછાત, સગવડોમાં પછાત અને પરિણામે, આ બધા પછાતપણાથી માનસિકતાની કક્ષામાં પણ નિમ્નસ્તરે હોય તે સમજી શકાય તેવી વાત છે.

કાયદાએ કાયદાનું કામ કરવું જોઇએ. કાયદાની પાસે સૌ કોઈ સમાન છે. આ બંધારણીય જોગવાઈ છે, વ્યવસ્થા છે અને આદેશ છે. જો આની અવગણના કરીએ તો લોકશાહીનો અનાદર કર્યો કહેવાય અને બંધારણનો પણ અનાદર કર્યો કહેવાય. જો આપણે તાર્કિક ચર્ચામાં માનતા હોઇએ અને સમાજને એક ડગલું આગળ લઈ જવામાં માનતા હોઇએ તો આપણી ચર્ચામાં સંદર્ભ અને પ્રમાણતાની પ્રજ્ઞાનો ઉપયોગ થવો જોઇએ અને એ રીતે પ્રાસ્તુત્ય થવું જોઇએ.

મત મેળવવાના ઓજારોનું અને શસ્ત્રોનું નિર્માણ

શું ચર્ચા કે અને તારવણીઓ તાર્કિક રહે એવું થયું ખરું? નાજી. આ ઘટનાની મુલવણી કરવામાં, ફક્ત તારતમ્યો જ પ્રસારિત કરવામાં આવ્યા. તે પણ એવા પ્રસારિત કરવામાં આવ્યા કે તે “મત મેળવાના ઓજારો બની શકે અને બનાવવામાં આવ્યા પણ ખરા.
કાયદાને હાથમાં લેનારા ગૌ-પ્રેમી હિન્દુઓ હતા. જેના ઉપર કાયદાનું શાસન કરવાની ફરજ છે તેઓ પણ મોટે ભાગે હિન્દુ હતા ખરા પણ આ હિન્દુઓની પ્રાથમિકતા ગૌ-પ્રેમ ન હતી. તેઓના નામની ઓળખમાં સમાજવાદ શબ્દ આવતો હતો. અલબત્ત સમાજવાદ પણ તેમની પ્રાથમિકતા ન હતી. તેમની પ્રાથમિકતા આ ઘટના અને ચર્ચાની મુલવણીમાં શું હતી તે સમજવું થોડું લાંબુ છે. આ પક્ષના સાંસ્કૃતિક સાથીઓ અથવા તો તેઓ જેમના સાંસ્કૃતિક સાથીઓ છે એવા નહેરુવીયન કોંગ્રેસીઓ અને નહેરુવીયન કોંગ્રેસીઓના બિહારના અને દેશના સાંસ્કૃતિક સાથીઓ કેવી રીતે વર્ત્યા તે જોવું પડશે. શું આ એક બિહારની ચૂંટણી જીતવાનો પ્રપંચ હતો?

પક્ષ એટલે આમ તો એક વિચાર છે. એ વિચાર પ્રમાણે આચાર હોય તે જરુરી નથી. ઉંધો આચાર હોય તો પણ સામાન્ય કક્ષાના માણસોને જ નહીં પણ લાલચુ લોકોને પણ પોતાના તરફે કરી શકાય છે. પક્ષનુ કથિત ધ્યેય સમાજને વિકસિત કરવાનું હોય છે, આ ધ્યેય એ પક્ષની પ્રાથમિકતા હોતી નથી. આચારના એજન્ડામાં પણ હોતું નથી. પક્ષની પ્રાથમિકતા, સત્તા મેળવવી અને જો સત્તા પ્રાપ્ત થયેલી હોય તો તેને કેવી રીતે જાળવી રાખવી એ હોય છે. ટૂંકમાં પક્ષનું કે બનાવેલા પક્ષ-સમૂહનું ધ્યેય જનમત, સાપેક્ષરીતે પોતાની તરફમાં કેવીરીતે છે તે માન્ય રીતે સિદ્ધ કરી દેવું એ હોય છે. આ માટે ચૂંટણી પ્રક્રિયા હોય છે.

આ ચૂંટણીઓ જીતવા માટેના ઓજારો, પ્યાદાઓ અને શસ્ત્રો હોય છે. પણ આપ્ણે એ બધી ચર્ચા નહીં કરીએ. આપણે ફક્ત ગૌ અને ગૌહત્યા પૂરતી આપણી ચર્ચા મર્યાદિત રાખીશું.

પ્રલંબિત શાસનની નીપજ

દાદ્રી ગામની ઘટના એ નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ કરેલા તેમના શાસનની અને આચારોની નીપજ હતી. વળી તેમનું શાસન ત્યાં ચાલુ પણ હતું. એટલે દાદ્રી જેવી ઘટના પૂર્વ નિયોજિત હોય તે નકારી ન પણ શકાય. આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી શંકા એટલા માટે ઉત્પન્ન થાય છે કે તેના પછી પૂર્વનિયોજિત રીતે સુનિશ્ચિત લાગતા એવા મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના, સમાચાર માધ્યમોના સહકારથી જે પ્રતિભાવો પ્રસારિત થયા તેના ઉપરથી એવું ચોક્કસ જ લાગે કે આ બધું પૂર્વ નિયજિત હતું અને આ બધા તેમના પ્યાદાઓ હતા.

દંભની પરાકાષ્ટ

૧૯૮૧ થી જે ખૂન, ખરાબા અને આતંકો મોટા પાયા શરુ થયેલ અને ૧૯૯૦માં તે એટલી ચરમ સીમા પર પહોંચી ગયેલ કે ૧૯૯૦માં હજારોની સંખ્યામાં કાશ્મિરી હિન્દુઓની ખૂલ્લે આમ હત્યાઓ કરવામાં આવી, પાંચલાખ હિન્દુઓને તેમના ઘરમાંથી અને રાજ્યમાંથી હાંકી કાઢેલ. આમ કરવામાં નહેરુવીયન કોંગ્રેસ, તેમના કશ્મિરના સાંસ્કૃતિક સાથીઓ, ત્યાંના ધર્માંધ અસહિષ્ણુ નેતાઓ, તેવી જ જનતા અને કહેવાતા આતંકવાદીઓ સાથે હતા. કોઈ પ્રતાડિત મરણાસન્ન હિન્દુને દવાખાનામાં લઈ જવાયેલ નહીં. કોઈ આતંકીની સામે કેસ થયેલ નહીં. કોઈની ધરપકડ થયેલ નહીં. કોઈ તપાસ પંચ નિમાયેલ નહીં. કોઈ કાયદાના રખેવાળને સસ્પેન્ડ કરેલ નહીં. ત્યારે આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓના પેટનું પાણી પણ હાલેલ નહીં.

આ જ મૂર્ધન્યોના, મહાનુભાવોના, નેતાઓના, લેખકોના સમાચાર માધ્યમોના ખેરખાંઓ પોતાના સાંસ્કૃતિક સાથીના રાજમાં બનેલ એક છૂટપૂટ ઘટનાથી દ્રવી ઉઠ્યા અને વારાપ્રમાણે પોતાના, પોતાની જ સાંસ્કૃતિક સાથી સરકારે આપેલ ચંદ્રકો પાછા આપવા માંડ્યાં હતા. કારણ કે કેન્દ્રમાં દોઢેક વર્ષથી તેમની સરકાર ન હતી અને જે બીજેપીની સરકાર હતી તેને વાંકમાં લેવી હતી. કારણકે બિહારની ચૂંટણી જીતવા માટે મુસલમાનોને અલગ તારવવાના ઓજારની જરુર હતી. શિયાળવાં વિચારતા હતા કે જો વૃષભને ઘુસતો અટકાવી શકીશું તો હાથીને મારવો સહેલો પડશે. બિહારમાં બીજેપીને હરાવીશું તો કેન્દ્રમાં બીજેપીને હરાવવું સહેલું પડશે.

ગૌ એટલે શું?

જો આપણે ગૌ, અહિંસા, કાયદો અને તંદુરસ્ત સમાજની ચર્ચા કરવી હોય તો ગાંધીજીની વિચાર-વ્યાખ્યાની મદદ લેવી પડશે.

ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે ગૌ એટલે ગાય, વૃષભ, બળદ, ભેંસ, પાડા, ઘોડા, ગધેડાં, બકરાં, ઘેટાં, ઊંટ, વિગેરે બધાં જ વનસ્પત્યાહારી પ્રાણીઓ ગૌ સૃષ્ટિમાં આવી જાય. મનુષ્ય શારીરિક બંધારણીય રીતે વનસ્પત્યાહારી છે. આ સિદ્ધ કરી શકાય છે. પણ આપણે તેની ચર્ચા નહીં કરીએ. ગૌ-સૃષ્ટિ મનુષ્ય સમાજનું રોજીંદુ એક અભિન્ન અંગ છે. આ બંને એકબીજા ઉપર આધાર રાખે છે. ભારતીયો સાંસ્કૃતિક રીતે માને છે કે આ પ્રાણીઓની સુરક્ષા એ મનુષ્યની ફરજ છે. ગાંધીજી પણ આમ જ માનતા હતા. આ એક મૂંગી સૃષ્ટિ છે તે પોતાના મોઢેથી આપણી પાસે સુરક્ષા માગી શકતી નથી પણ આપણે તેનાથી ઉપકૃત છીએ તેથી જેમ એક માનવશિશુને આપણે સુરક્ષા આપીએ છીએ અને જેમ વૃદ્ધોને સુરક્ષા આપીએ છીએ તેમ આ સૃષ્ટિને પણ આપણે ઉપકારવશ થઈ, તેને સુરક્ષા આપવી જોઇએ. મનુષ્યના મગજમાં પ્રસ્ફુરિત કૃતજ્ઞતાની આ ભાવનાને ઈશ્વરની કૃપા સમજવી જોઇએ. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં આવું ઘણું છે.

ગાંધીજીએ ત્રણ વાત કરી હતી. દારુબંધી, ગૌહત્યા બંધી અને અહિંસક સમાજ.

અહિંસક સમાજ એ બહુ વ્યાપક સમજણનો વિષય છે. જેમને રસ હોય તેઓ આ જ બ્લોગસાઈટ ઉપર આવેલ “અદ્વૈતવાદની માયાજાળ અને નવ્ય સર્વોદયવાદની બ્લોગ શ્રેણીઓ ની મુલાકાત લે તે જરુરી છે.

ગાંધીજીની તીવ્રતા

દારુબંધી વિષે ગાંધીજી એટલા તીવ્ર હતા કે તેમણે કહેલ કે જો મને સિક્કો ઉછાળ જેટલા સમય પૂરતી સરમુખત્યારી મળે તો હું દારુબંધી કરી દઉં.

શું કામ તેમણે આવું કહેવું જોઇએ અને કરવાની ઈચ્છા પગટ કરવી જોઇએ? કોણે શું પીવું અને શું ન પીવું તે શું સરકાર નક્કી કરશે? એવી દલીલ કોઇએ તેમની સામે કેમ ન કરી?

દુનિયામાં અને ભારતમાં પણ પરાપૂર્વથી દારુ પિવાય છે. તો પછી ભારતે પણ કાયદેસર દારુ પીવો. જો કે આ દલીલને આગળ લંબાવી શકાય કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું પણ મનુષ્યના અંગત સ્વાતંત્ર્યની અંતર્ગત ગણવું જોઇએ.

પણ એવું નથી થતું. આ બધું મોંઘું હોય છે. દારુ સસ્તો હોય છે. દારુથી ગરીબ કુટૂંબો પાયમાલ થાય છે. ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન એ બધું તો મોંઘુ હોવાથી, તે પૈસાપાત્રના ફરજંદોને જ પોષાય છે. પૈસાપાત્ર કુટૂંબોની પાયમાલી ન થવી જોઇએ. માટે દારુની સાથે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની સરખામણી નહીં કરવાની. એવી ચર્ચા જ ત્યાજ્ય ગણવાની. દારુથી ગરીબ કુટૂંબો ભલે પાયમાલ થાય. પૈસાપાત્રોની સુરક્ષા માટે વ્યાખ્યા, અર્થઘટનો અને વ્યવહારો ભીન્ન જ હોવા જોઇએ. અને જુઓ તેથી જ “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને કોઈ સરકાર, પક્ષ કે મૂર્ધન્યો અંગત સ્વાતંત્ર્ય સાથે જોડતા નથી. દવા તરીકે તો દારુ પણ વપરાય છે અને ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે પણ વપરાય છે. પણ ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની છૂટ્ટી માટે તમને કોઈ હાથ પણ નહીં મુકવા દે.

“જા બીલ્લી કુત્તેકો માર”

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રબંધોમાં દારુ બંધી, ગૌહત્યા બંધી અને ગાંધીજીના રસ્તે અહિંસક સમાજ છે. ભારતીય જનતંત્ર સમવાય તંત્ર છે. કેન્દ્રની ફરજો જુદી અને રાજ્યની ફરજો જુદી. પણ બંધારણ સમાન છે. બંધારણે દારુબંધી અને ગૌહત્યા બંધી માટે રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ કાયદો બનાવે.

ગાંધીજીની વૈચારિક ધરોહરનો દાવો કરનારી નહેરુવીયન કોંગ્રેસે સૌ પ્રથમ ગાંધીજીની વૈચારિક હત્યા કરી.

ભારતીય બંધારણના આદેશ પ્રમાણે દારુબંધીનો કડક કાયદો અને આચરણ કરવાનું બંધારણનું દિશા સૂચન હતું, તો નહેરુવીયન કોંગ્રેસે ઓગણીસો સાઠના દાયકાના પૂર્વાર્ધમાં મહારાષ્ટમાં આ બાબતમાં ઉંધી દિશા પકડી. દારુબંધીને લગતો કડક કાયદો કરવાનો હતો, તેને બદલે જે હતો તેમાં ફેરફાર કરી તેને હળવો કર્યો. નહેરુવીયન કોંગ્રેસનો દંભ તમે જુઓ કે તેની સરકાર, દારુબંધીને લગતો કાયદો વધુ ને વધુ હળવો કરતી ગઈ.

ગૌહત્યા બંધીમાં શું વાત છે?

મદનમોહન માલવિયા એ નહેરુને ગાય ની હત્યાની બંધી કરવા માટે તાત્કાલિક કશું કરવાની વાત કરી.

નહેરુએ કહ્યું કે મારે મન ગાય, ઘોડો, ગધેડો બધા સરખા છે.
માલવિયાએ કહ્યું. ઓકે હું ગાય થી શરુઆત કરવાની માગણી કરું છું. તમે ગધેડાથી શરુઆત કરજો.

ભારતીય બંધારણમાં ગૌહત્યા બંધ કરવાનો આદેશ છે. પ્રાણીઓ ઉપર ક્રુર આચારણ કરવા ઉપર પણ બંધી છે. ગૌહત્યા બંધી કેટલાક રાજ્યોમાં છે, કેટલાક રાજ્યોમાં આંશિક છે અને કેટલાક રાજ્યોમાં નથી.

સર્વોદય કાર્યકરો યાદ કરેઃ

ઓગણીસો સાઠના ઉત્તરાર્ધમાં અને ઓગણીસો સીત્તેરના દશકામાં ગૌહત્યા બંધીના અમલ માટે મુંબઈમાં દેવનારના કતલખાના સામે આંદોલન ચાલતું હતું. સર્વોદયવાદીઓ એમ તો નહીં જ કહે કે અમે તો આ આંદોલન “ગીનીસ વર્લ્ડ બુકમાં આંદોલનની લંબાઈનો” એક રેકૉર્ડ સ્થાપિત થાય તે માટે કરતા હતા. કટોકટીના કપરા કાળમાં વિનોબા ભાવેએ ગૌહત્યા બંધી માટે આમરણાંત ઉપવાસ ઉપર જવાની નોટીસ કોંગી સરકારને આપેલ. પણ ઇન્દિરા ગાંધીએ તેમને આશ્વાસન આપેલ કે તે જરુર ગૌહત્યા બંધી લાવશે. પછી સચોટ રીતે શું થયું તે ખબર નથી.

આ વાત જાણી લો કે તંદુરસ્ત અને દુધાળી ગાય બળદ વાછરડા ની હત્યા ઉપરની બંધી તો પહેલે થી જ હતી. પણ તે પછી વધુમાં આટલું તો નક્કી થયેલ જ કે (૧) કતલખાનાને વિકસાવાશે નહીં. (૨) નવા કતલખાનાની મંજુરી આપવામાં આવશે નહીં (૩) સરકાર કતલખાનાને પબ્લીક ફંડમાંથી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રાહત આપશે નહીં.

કાયદો અને અમલ એ બંને જુદા છે.

જેમણે “કિસ્સા કુર્સિકા” જોયું હશે તેમને ખબર હશે કે વડાપ્રધાનને અર્ધી રાતે અધિગત થયું કે અનાજની તંગીનું મૂખ્ય કારણ ઉંદરો દ્વારા થતું આનાજનું ભક્ષણ છે. સરકાર ઉંદર મારવા માટે ઈનામની જાહેરાત કરે છે. “એક ઉંદર મારવા માટે” ૨૫૦ રૂપીયાનું ઇનામ હોય છે. ઈનામના પૈસા આપવાવાળો મરેલા ઉંદરને ક્યાંથી રાખી શકે? કારણ કે એનું ડીપાર્ટમેન્ટ તો જુદું છે. માટે બીજા ડીપાર્ટમેન્ટમાં ઉંદર જમા કરવવાના. પણ ઉંદર તો જગ્યા રોકે એટલે ફક્ત પૂંછડી જ જમા કરાવવાની. અને ઉંદર માર્યાનું સર્ટીફીકેટ લેવાનું. સર્ટીફીકેટ આપવા વાળો ૧૦૦ રુપીયાની લાંચ લે અને સર્ટીફીકેટ આપે. આ સર્ટીફીકેટ લઈને ઈનામ લેવા જવાનું એટલે તે ૨૫૦ રુપીયા ઇનામના આપે. તમારે ઉંદર મારવાની કે પૂંછડી આપવાની જરુર નથી. તમારે તો ઉંદરને માર્યાનું સર્ટીફીકેટ રજુ કરવાનું છે. ઈનામ તમને સર્ટીફીકેટ ઉપર મળે છે. સર્ટીફીકેટ ૧૦૦ રુપીયામાં મળે છે. ૧૦૦ રુપીયા આપો. સર્ટીફીકેટ લો અને ઈનામના ૨૫૦ રુપીયા લો. વાત પૂરી.

એક માણસ, સર્ટીફીકેટ આપવાવાળાને કહે છે કે “હું તમને ૩૦૦ રુપીયા આપું તો તમે મને ત્રણ ઉંદર માર્યાનું સર્ટીફીકેટ આપશો?”
સર્ટ્ફીકેટ આપવાવાળો કહે છે;” એક ચૂહા મારા હૈ ઉસ સર્ટીફીકેટકા ૧૦૦ રુપીયા હૈ તો, તીન ચૂહે મારે હૈ ઉસ સર્ટીફીકેટકા ૩૦૦ રુપીયા હોતા હૈ. સીધી બાત હૈ. ૩૦૦ રુપયા દો ઔર તીન ચૂહે મારે હૈ ઐસા સર્ટીફીકેટ લે જાઓ. હમ બેઈમાન થોડે હૈં?

આવું જ દેવનારમાં ગૌ હત્યા માટેના તંદુરસ્તીના સર્ટીફીકેટમાં થતું હતું. આ ઉપરાંત ગૌ હત્યા બંધી બાબતમાં, ઓછામાં ઓછાં જે ત્રણ ખાત્રીવચનો આપેલ તેનો જરાપણ અમલ ન થયો. નહેરુવીયન કોંગ્રેસ ખાત્રી આપે, કે વચન આપે કે પ્રતિજ્ઞાઓ લે તે બધું પાણી ઉપર લખેલા અક્ષરો જેવું છે.

યાદ કરો “સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં, દુર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરમ્.

સજ્જન માણસ જો રમત રમતમાં વચન આપી દે તો પણ તે શિલાલેખની જેમ અફર રહે છે એટલે કે તે તેનું પાલન કરે છે. દુર્જન તો પ્રતિજ્ઞા પૂર્વક વચન આપે તો પણ તેનું વચન પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.

ગૌહત્યાની બંધી છે. પણ ગૌમાંસ ખાવાની છૂટ્ટી છે. એટલે કે ગૌમાંસ આયાત કરવાની છૂટ્ટી છે. એટલે કે દારુની બંધી છે પણ દારુની આયાત કરવાની છૂટ્ટી છે. હોઠપાસે આવેલો પ્યાલો હોઠથી દૂર જ કહેવાય. અરે તમે એક ઘૂંટાડો દારુ મોંઢામાં નાખ્યો તો પણ તે દારુ પીધો ન કહેવાય. કારણ કે તમે તેનો કોગળો કરી નાખો તે શક્યતા પણ નકારી ન શકાય. જ્યાં સુધી તમારા લોહીમાં દારુના ચિન્હો દેખા ન દે ત્યાં સુધી તમે દારુ પીધો ન કહેવાય. તો પછી આ વાત “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેને પણ લાગુ પાડવી જોઇએ. “ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરે કોઈને ત્યાંથી પકડાય તો તે ગુનેગાર કહેવાય તેવો કાયદો ન હોવો જોઇએ.

ભારતીય બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે?

હા જી. બંધારણના આદેશાત્મક પ્રાવધાનો શું બંધારણની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે છે એવું કોંગીનું વલણ રહ્યું છે.

બંધારણમાં પ્રાવધાન હતું કે અંગ્રેજીભાષા કેન્દ્રની વહીવટી ભાષા તરીકે ૧૦ વર્ષ સુધી ચાલુ રહેશે. પછી હિન્દીભાષા તેનું સ્થાન લેશે. આપણી નહેરુવીયન સરકાર દશવર્ષ સુધી હિન્દીભાષાના અમલના પ્રાવધાન પર કુંભકર્ણ કરતાં ૨૦ ગણા સમય વધુ નિદ્રાધિન રહી હતી. બંધારણનું પાલન થાય તે જોવાની રાષ્ટ્રપતિની ફરજ છે. તત્કાલિન ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું આવતી પહેલી એપ્રીલથી અંગ્રેજીનો ઉપયોગ બંધ થશે. એટલે નહેરુજી સફાળા જાગ્યા અને એક અધ્યાદેશ જારી કર્યો. અને પછી એવું પ્રાવધાનનું વિધેયક લાવ્યા કે અનિશ્ચિત કાળ સુધી અંગ્રેજી ચાલુ રહેશે.

જો આવું જ કરવું હતું તો જ્યારે બંધારણ ઘડાયું ત્યારે જ તેમાં એવી જોગવાઈ કેમ ન કરી? અંગ્રેજીને દશવર્ષ ચાલુ રાખવા માટે એક જ વધારાનો મત મળ્યો હતો. કારણ કે તે વખતે ગંગા ચોક્ખી હતી. અને નહેરુના રાજના દશવર્ષમાં ગંગા અને જમનામાં ઘણા પાણી વહી ગયાં અને તે ગંગા જમના ઘણી ગંદી થઈ ગઈ હતી. બીજી નદીઓ પણ ગંદી થઈ હતી. નહેરુએ નવા વિધેયકમાં અંગ્રેજીને ચાલુ રાખવા માટે નવી મુદત ન બાંધી પણ અંગ્રેજીને અનિયત કાળ માટે ચાલુ રાખી. જેમ ઈશ્વરને કાળનું બંધન હોતું નથી તેમ

નહેરુવીયન કોંગ્રેસને પણ કાળનું બંધન હોતું નથી.

જયપ્રકાશ નારાયણને, જવાહરલાલ નહેરુ કેબીનેટમાં લેવા માગતા હતા. જયપ્રકાશ નારાયણ એક સીમાબદ્ધ કાર્યક્રમનું લીસ્ટ લઈને ગયા અને કહ્યું આ માન્ય રાખો. પણ નહેરુને કાળનું બંધન પસંદ ન હતું. પદ ભોગવો, ખાવ પીવો અને મોજ કરો. કોંગીનો આ મુદ્રાલેખ છે.

ગૌ હત્યાબંધીના બંધારણીય આદેશનું શું કરવું જોઇએ?

શું સૌને પોતે શું ખાવું તે નક્કી કરવાનો અધિકાર નથી?

આ અધિકાર જો ખાવાને લાગુ પડતો હોય તો પીવાને પણ લાગુ પડે છે. જો તમે તર્કમાં માનતા હો તો આ વાત પણ સમજવી જોઇએ.
પસંદગીના અધિકારની વાત “પીણાઓને લાગુ ન પાડવી પણ ફક્ત “ખાવા”ને જ લાગુ પાડવી જોઇએ એમાં કોઈ તર્ક છે ખરો? એટલે કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન વિગેરેની બંધી કરવી પણ દારુ અને ગૌમાંસની બંધી ન કરવી.

બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી?

જો સરકારી વલણ અને આચરણ આવું જ હોય તો પછી બંધારણની જોગવાઈઓને રદ શા માટે ન કરવી? જો તમે તમારી ફરેબી સંવેદના અને કરુણાના વ્યાપક પ્રદર્શન દ્વારા આંદોલન કરી શકતા હો તો બંધારણની જોગવાઈઓ રદ કરવા આંદોલન કેમ કરતા નથી? ગૌવધબંધી ની માન્યતાનું થડ, ભારતીય બંધારણ છે. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ માટે શ્રેષ્ઠ એ જ છે કે તેઓ તેમના ગૌવધ અને અહિંસક સમાજને લગતી બંધારણીય જોગવાઈઓ રદ કરવા બીજેપીની કેન્દ્ર સરકાર સામે આંદોલન કરે. આમેય ફરેબી કારણસર પણ આંદોલન કરવા તે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.

કોંગીઓને દંભ સદી ગયો છે.

શું કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ બંધારણીય જોગવાઈઓ રદ કરવા માટે આંદોલન કરશે?

નાજી.

આ લોકોને દંભ સદી ગયો છે અને તેમને તેમાં ફાવટ છે. એટલા માટે તો તેમણે જનતાને અભણ, ગરીબ રાખી છે. સરકારે તેમને ફેંકેલા ટૂકડાઓ ઉપર નભતી કરી દીધી છે.

૬૦ વર્ષના શાસન પછી પણ બંધારણીય જોગવાઈને રદ પણ કરી નથી, તેમજ બંધારણીય જોગવાઈની દિશામાં એક કદમ ભર્યું નથી.
હા એક વાત ચોક્કસ છે કે કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓએ બંધારણે નિર્દેશેલી દીશાથી ઉંધી દિશામાં જરુર પ્રગતિ કરી છે.

જો આમ હોય તો પછી સાચી દિશાના કદમ માટે કેટલા વર્ષ જનતાએ રાહ જોવાની?

કોંગીએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ તેમના આચારો દ્વારા સિદ્ધ કર્યું છે કે “દંભ એટલે શું તે અમે જાણીએ છીએ, પણ તેમાંથી અમે નિવૃત નહીં થઈએ. નિષ્ઠા એટલે શું તે પણ અમે જાણીએ છીએ પણ અમે તેમાં પ્રવૃત્ત નહીં થઈએ.” આવા વલણને કારણે ઉદભવતા પરિણામોને સમજવા માટે મહાભારત વાંચો.

ખાવાની સ્વતંત્રતા, ધર્મ, તર્ક અને તંદુરસ્તી વચ્ચે કંઈ સંબંધ છે?

બધા દેવો

SHIVA04

ગાયની અંદર છે તેનો અર્થ શો?

(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ ગૌ હત્યા, દંભ, કોંગી, નહેરુ, વચન, બંધારણીય પ્રાવધાન, બંધારણીય આદેશ, મત માટેના ઓજાર, પ્યાદા, બિમારુ, તાર્કિક ચર્ચા, હિન્દુ, અહિંસક સમાજ, પ્રલંબિત શાસન, નિપજ, પૂર્વનિયોજિત, કાશ્મિરી હિન્દુઓ, હત્યા, તપાસ પંચ, ગાંધીજી, દારુબંધી, ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન

Read Full Post »

લાંબી ધારે દુગ્ધપાન

હાજી … નહેરુવીયન કોંગ્રેસ એટલે કે કોંગી, અનામતીયા

પાટીદારોને લાંબીધારે દુગ્ધપાન કરાવશે.

આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે.

breast feeding

હાજી આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે. કારણ કે મારે અગણિત પાટીદાર મિત્રો છે અને તેઓ અનામતમાં માનતા નથી. એટલે સામાન્યીકરણ કરી સમગ્ર પાટીદાર જાતિને અપમાનિત ન કરી શકાય.

જે પાટીદારો અનામત મેળવવા માટે બીજેપી ની સામે પડ્યા છે અને ચોર (નહેરુવીયન કોંગ્રેસ)ની વાદે ચણા ખાવાના અભરખા રાખે છે તેઓ બલુન છે. (“ચોરનીવાદે ચણાખાવા” એ એક કાઠીયાવાડી શબ્દપ્રયોગ છે).

બલુનમાં ભેજુ ન હોય. બલુનમાં હવા હોય. નહેરુવીયન કોંગીઓએ હવા ભરી એટલે આ બલુન ઉડ્યાં છે.

જો આ બલુનોમાં ભેજુ હોત તો નહેરુવીયન કોંગીને ચાળે ચડ્યાં ન હોત.

લાંબી ધારે દુગ્ધપાન એટલે શું?

જેઓ તળપદી ગુજરાતીથી અજ્ઞ નથી તેઓ “લાંબી ધારે દુગ્ધપાન” શબ્દ પ્રયોગનો અર્થ સુપેરે જાણે છે. જો કે “દુગ્ધપાન” શબ્દ “સુરુચિનો ભંગ” ન થાય એટલા માટે વાપર્યો છે.

કોંગી એટલે કોંગ્રેસ (આઈ) એટલે કે “ઈન્દિરા કોંગ્રેસ” માટે વપરાતો શબ્દ હતો અને હજી પણ તે માટે વપરાય છે. જો કે કોંગ્રેસના વંશવાદી લક્ષણ ૧૯૫૦ પછી નહેરુ દ્વારા પ્રદર્શિત થયા એટલે “નહેરુવીયન કોંગ્રેસ” શબ્દ વધુ યોગ્ય છે. પક્ષ એટલે પાર્ટી. પક્ષ પુલ્લિંગ છે. પાર્ટી સ્ત્રીલિંગ છે. એટલે દુગ્ધપાન સાથે કોંગી શબ્દનો વધુ મેળ ખાય છે.

બિચારા આ બલુનો ભૂલી ગયા કે કેશુભાઈને કોણે ગબડાવેલા? આ સંકરસિંહ વાઘેલાએ જ તો તેમને ગબડાવેલા. હવે જો શબ્દોની રમત રમવી હોય તો “વાઘેલા” ને બદલે “વા ઘેલા”, કે “વા” ને બદલે “અ” પણ વપરાય. કે “બા” (સોનિયાબા માં પણ બા શબ્દને ઉઠાવાય) પણ વપરાય. પણ જવા દો એવી શબ્દોના પ્રાસથી સત્ય સિદ્ધ થતું નથી. એટલે એ પ્રયોગો આપણા દેશના “રાહુ” કે “અ ધેલા” જેટલી કિમતવાળા લોકો માટે રાખીએ.

કેશુભાઈને કોણે ગબડાવ્યા?

આ સંકરશીંગ જ ઉતાવળ ને ઉતાવળમાં હાથ ધોયા વગર કેશુબાપાને ઉથલાવવામાં પડી ગયેલા. આ સંકરશીંગ જરા પૉરૉ ખાવા પણ ઉભા રહ્યા ન હતા. (ભાઈઓ અને બહેનો, ભૈયાજીભાઈઓ સિંહનો ઉચ્ચાર સીંગ કરે છે. અને આપણા કેટલાક ભાઈઓ “હ્રસ્વ દીર્ઘના ભેદમાં ન માનવું” એવી ચળવળ ચલાવે છે. “શ”, “ષ” અને “સ” ના ભેદમાં પણ ન માનવું, તે પણ, આમ તો તે જ વિચારધારામાં આવે છે. પણ આ વિષે આપણે ચર્ચા નહીં કરીએ. ક્યારેક આપણે તેમની મજાક પણ કરવી જોઇએ.) બિચારા બલુનો ભૂલી ગયા કે આ સંકરશીંગ વાઘેલાએ તેમને “હજુરીયા” કહેલ. આ સંકરશીંગભાઈએ ચિમનભાઈ પટેલ પાસે થી “ચેપ” લીધેલ.

આ “ચેપ” વળી શું છે?

ભાઈઓ અને બહેનો, રાજકારણમાં જેમ પેચ લડાવવાની પ્રણાલી કે ફેશન છે તેમ રાજકારણમાં “ચેપ” લેવાની ફેશન છે. ઘણી જાતના ચેપ હોય છે.

પહેલો ચેપ “પક્ષમાં જ જુથ”

પહેલો “ચેપ” એ હતો કે પક્ષની અંદર જ એક “વહાલું” જુથ બનાવવું જેથી જ્યારે જરુર પડે ત્યારે આપણા આ “વહાલા” જુથના સભ્યો સિવાયના સભ્યોને “દવલા” બનાવી શકાય અને આપણે નવો પક્ષ બનાવવો હોય તો લોકશાહીમાં સરળતા રહે છે. (સામ્યવાદમાં આ શક્ય નથી. ત્યાં તો કાં તો જીતો કાંતો ખતમ થાઓ.)
આ “ચેપ” વિષે જો રોયલ્ટી આપવાની થાય તો તેની રોયલ્ટી નહેરુને મળે. કોંગ્રેસમાં બે જુથો હતાં. જહાલ અને મવાળ. મવાળ જુથ આગળ ચાલ્યું. એ પછી આપણા સમાજવાદી જવાહરલાલ નહેરુએ એક “સમાજવાદી” ગ્રુપ બનાવ્યું. એના બે ભાગ પડ્યા અને એક ભાગ કોંગ્રેસથી જુદો થયો. આ ભાગ પ્રજાસમાજવાદી પક્ષ તરીકે જુદો પક્ષ બન્યો. વાત બહુ લાંબી છે. એટલે એની ચર્ચા નહીં કરીએ.

જવાહર લાલ પોતાને સમાજવાદી માનતા કારણ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદમાં માનવું એ પોતાને “તરવરીયા યુવાન”માં ખપાવવા માટેની એક માન્ય ફેશન હતી !!

જ્યારે સ્વતંત્રતા હાથવેંતમાં આવી ત્યારે પ્રણાલી પ્રમાણે કોંગ્રેસે તેની પ્રાંતોની સમિતિઓ પાસેથી વડાપ્રધાન પદ માટેની ભલામણો માગી. એક પણ પ્રાંતે નહેરુના નામની ભલામણ કરી ન હતી.
નહેરુ લોકપ્રિય હતા તેની ના ન પાડી શકાય. કોઈ એક વ્યક્તિ, પક્ષમાંના યુવાનોમાં લોકપ્રિય હોય અને જનતામાંના યુવાનોમાં લોકપ્રિય હોય એનો અર્થ એવો નથી કે પક્ષના સંગઠનમાં પણ તે વ્યક્તિ એક નંબરનો હોય.

પક્ષના સંગઠનમાં સામુહિક અને અનુભવી નેતાઓનું વર્ચસ્વ હોય છે. કારણ કે દેશ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. તેવીજ રીતે પક્ષ પણ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. યુવાનો ચંચળ મનોવૃત્તિના હોય છે અને તેમને જલ્દી ફસાવી અને ફોસલાવી શકાય છે. જેમકે “નવનિર્માણ” નું આંદોલન, યુવાનોએ ચલાવેલ. આ આંદોલન યુવાનોએ નહેરુવીયન કોંગ્રેસ સામે ચલાવેલ. તેમાંના તે વખતના કેટલાક, આગળ પડતા નેતાઓ, થોડા સમય પછી નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા હતા. અત્યારે પણ નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

નહેરુના સમાજવાદને કોંગ્રેસના મૂર્ધન્ય નેતાઓ સમજી શકતા ન હતા. પણ નહેરુની સમાજવાદની પપુડી વાગ્યા કરતી હતી. જવાહરલાલ નહેરુ ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને જણાવ્યું કે વડાપ્રધાનના પદ માટે, તેમના નામની ભલામણ એક પણ પ્રાંતીય સમિતિએ કરી નથી.

“તેજીને ટકોરો હોય” અને “શાણો માણસ સાનમાં સમજી જાય”. ગાંધીજીનું કહેવું એ હતું કે “હે જવાહર, તું હવે તારી ઉમેદવારી પાછી ખેંચી લે… કારણ કે દેશનો નેતા પ્રાંતીય સમિતિઓની સર્વસંમતિથી થાય એ યોગ્ય રહેશે”.

નહેરુ આ વાત સમજી ન શકે તેવા મૂઢ ન હતા. તેમણે વિચાર્યુ કે પક્ષની અંદરનું મારું સમાજવાદી જુથ તો મારી સાથે છે જ. પક્ષની બહારના અનેક બીજા જુથો મારા જુથમાં ભળી જશે અને મને સહકાર આપશે. જનતામાં પણ હું લોકપ્રિય તો છું જ. પક્ષની અસાધારણ સભા બોલાવવા જેટલા સભ્યો તો મારી પાસે છે જ. એટલે કોંગ્રેસના ભાગલા પાડી નવો પક્ષ સહેલાઈ થી બનાવી શકીશ. નહેરુ માટે ઉપરોક્ત વાત શક્ય હતી.

ગાંધીજીની વાત સાંભળી નહેરુ ખીન્ન તો થયા. નહેરું કશું બોલ્યા વગર ગાંધીજીનો ખંડ છોડીને જતા રહ્યા. ગાંધીજીને એ વાતની ગંધ આવી ગઈ કે નહેરુ કોઈ પરાક્ર્મ કરવા કૃતનિશ્ચયી છે. એટલે કે કોંગ્રેસના ભાગલા કરવા કૃતનિશ્ચયી છે.

સરદાર પટેલ, નહેરુથી એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા

કહેવાતા સમાજવાદી નહેરુના મુખ્ય હરિફ સરદાર પટેલ હતા. નહેરુના સાથીદારો સરદાર પટેલને “મૂડીવાદીઓના પીઠ્ઠુ”, “સ્થાપિત હિતોના પીઠ્ઠુ” “બુર્ઝવા” તરીકે ભાંડતા હતા. આ વાતથી દેશ અજાણ્યો ન હતો એટલે આ વાતની ગાંધીજીને ખબર ન હોય તે બનવા જોગ નથી. એટલે જ ગાંધીજીએ સરદાર પટેલને બોલાવ્યા. પોતાનો ભય બતાવ્યો કે હાલના સંજોગોમાં જો કોંગ્રેસ તૂટશે તો દેશના અનેક ટૂકડા થશે. નહેરુ પોતાને માટે કમસે કમ ઉત્તરાંચલિસ્તાન તો અલગ કરશે. ખાલિસ્તાન, દલિતીસ્તાન, દ્રવિડીસ્તાન અને કેટલાક સ્વતંત્ર રહેવા માગતા રાજાઓ, આ બધી માગણીઓને નહેરુ કે તૂટેલી કોંગ્રેસ નિવારી નહીં શકે. આ બધું નિવારવા માટે આર્ષદૃષ્ટા અને વહીવટી રીતે કુશળ સરદાર પટેલ જ યોગ્ય છે. સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે તે કોંગ્રેસને તૂટવા દેશે નહીં. અને આપણે જોઇએ છીએ કે સરદાર પટેલે બાજી કેવી રીતે સંભાળી લીધી.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે સરદાર પટેલને “કોમ્યુનલ” કહીને હૈદરાબાદમાં ધૂતકારેલ કોણે? ખુદ જવાહર લાલ નહેરુએ.

જે નહેરુવીયન કોંગ્રેસના પાયામાં જ સરદાર પટેલનો અનાદર અને અપમાન હતા, તે જ નહેરુવીયન કોંગ્રેસ જ્યારે (લાંબી ધારે) “દુગ્ધપાન” કરાવવાની લાલચ આપે છે ત્યારે આ અનામતીયા પાટીદારો તેના ખોળામાં બેસવા તૈયાર થઈ ગયા તેને તમે હૈયા ફુટ્યા નહીં કહો તો શું કહેશો?

આ કોઈ હાઈપોથીસીસ નથી. આ વાતની આ રહી સાબિતી. દેશમાં બધું ઠરીને ઠામ થયું. કોંગ્રેસમાં નહેરુ એકચક્રી રાજા થયા અને જ્યારે ચીન સામે ભારતનો કરુણ પરાજય થયો, ત્યારે નહેરુએ “કામરાજ પ્લાન હેઠળ, સરદાર પટેલના વારસદાર મોરારજી દેસાઈને કેવી રીતે બદનામ કર્યા અને મંત્રીમંડળમાં થી હટાવ્યા તે આપણે જાણીએ છીએ. એટલું જ નહીં તેમણે પ્રજાસમાજવાદી પક્ષને પણ પોતાની જોડે કેવો ભેળવી દીધો તે પણ આપણે જાણીએ છીએ.

“આયારામ ગયારામ” ના જનક નહેરુ હતા.

આ ચેપ સૌપ્રથમ ચરણસીંગે યુપીમાં “સંયુક્ત વિધાયક દલ” સ્થાપીને યુપીમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારને ઉથલાવી. પછી તો આ ચેપ ઘણાને લાગ્યો. જેમકે બંસીલાલ, ભજનલાલ, સુખડીયા, ચિમનભાઈ, એનટી રામારાવ, તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુ, જય લલિતા આદિ. આપણા સંકરશીંગે પણ તે ચેપને અપનાવ્યો.

બીજો ચેપઃ “ધરાર ખોટું બોલવું”

નહેરુએ તત્વજ્ઞાની શબ્દો વાપરી વિતંડાવાદ ઉત્પન્ન કરતા અને પોતાના જુઠાણાનો બચાવ કરતા. ગઈ સદીના પચાસના દશકામાં તેમણે ચીનની લશ્કરી ઘુસણ ખોરીનો બચાવ આ રીતે કરેલો, “ચીને કોઈ ઘુસણખોરી કરી નથી (મસ્જીદમાં ગર્યો તો જ કોણ?)…એ પ્રદેશ તો ઉજ્જડ છે. ત્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી… લાઈન ઓફ કન્ટ્રોલની કોઈ વ્યાખ્યા નથી, યુદ્ધથી કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી, યુનોદ્વારા કોઈ પ્રશ્નો ઉકેલાયા નથી…”

તત્વજ્ઞાની વિતંડાવાદ કરવો, ધરાર ખોટું બોલવું અને તારતમ્યોવાળા નિવેદનો કરવા એ વલણ ઈન્દિરા ગાંધીએ પૂરબહારમાં વિકસાવ્યું હતું. “આત્માનો અવાજ, કટોકટી અનુશાસન પર્વ છે, હમારા લક્ષ્ય સબસે નમ્ર વ્યવહાર, જેવા અનેક, સ્લોગનો વહેતા મુકેલા હતા.

નહેરુવીયન કોંગ્રેસનું બીજું ગુજરાતી ભક્ષ્ય “ચિમનભાઈ પટેલ”

ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસને મજબુત કરવામાં ચિમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ૧૯૭૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસને ૧૬૨માંથી ૧૪૦ બેઠક અપાવનાર ચિમનભાઈ પટેલ હતા. તેથી ચિમનભાઈ પટેલ વિધાનસભાના નહેરુવીયન કોંગ્રેસમાં અસાધારણ બહુમતિ ધરાવતા હતા. પણ ચિમનભાઈ આજ્ઞાંકિત ન હતા. ઘનશ્યામભાઈ ઓઝાને હટાવીને ચિમનભાઈ પટેલ ધરાર મુખ્ય મંત્રી થયા.
પણ કોંગીને ખાટલે ખોડ હતી.

કોંગીનું મૂળ ભ્રષ્ટાચારમાં હતું. ભ્રષ્ટાચાર તો કોંગીની ગળથુથીમાં હતો. કોંગીની સામે નવનિર્માણનું આંદોલન થયું અને ચિમનભાઈને કોંગીએ પદભ્રષ્ટ કર્યા. ચિમનભાઈએ પુસ્તિકા લખી કે કોંગીના કુળદેવીએ કેવી રીતે ગુજરાતમાંથી પૈસા ઉઘરાવેલા. કોંગીએ ચિમનભાઈની પક્ષમાંથી હકાલપટ્ટી કરેલી. ચિમનભાઈએ કિસાન-મઝદુર-લોક-પક્ષ સ્થાપ્યો.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે ચિમનભાઈ પટેલની રેવડી દેણેદાણ કોણે કરેલી? ઇન્દિરા ગાંધીએ જ તો તેમને જેલમાં પૂરેલ અને ટોર્ચર કરેલ. એટલે ચિમનભાઈએ તેમના પક્ષ કિમલોપ નો લોપ કરી નહેરુવીયન કોંગ્રેસમાં પોતાની જાતને ભેળવી દીધેલી. અને આ નહેરુવીયન કોંગ્રેસે તેમને તરણું મોઢામાં લેવડાવેલ.

આ બલુનોમાં અક્કલ કે આબરુ કે સ્વમાન જેવું છે જ ક્યાં?

કુતરા અને ગધેડાને તમે મારો તો તેઓ તેની વેદના બીજી ક્ષણે ભૂલી જાય છે. તમે ભક્ષ્ય ધરો એટલે પંછડી પટપટાવતા તમારી પાસે આવી જાય છે. યાદ કરો સંસ્કૃતનો શ્લોકઃ “સારમેય ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્‌ પરતો નાસ્તિ પ્રહાર જનિતા વ્યથા.

ધિક્કાર છે આવા બલુનીયા પાટીદારોને જેઓ “ભારત સર્વ પ્રથમ” ને બદલે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે અને તે માટે મુસલમાન થવા પણ તૈયાર છે.

કોંગીનું ત્રીજું ભક્ષ્ય હતું કેશુભાઈ પટેલ.

કોંગીએ સંકરશીંગને (લાંબી ધારે) દુગ્ધપાન નો વાયદો કરેલ. સંકરશીંગ વાઘેલાએ પહેલાં તો પોતાનું પપુડું વગાડેલ કેશુભાઈને ગબડાવેલ. પછી અસ્તિત્વ ટકાવવા તેઓ કોંગીમાં ભળ્યા. કોંગીએ સંકરશીંગને કેટલું દુગ્ધપાન કરાવ્યું તે આપણે જાણતા નથી.
બીજેપીના પ્રભારી નરેન્દ્ર મોદીએ બીજેપીને જીતાડી કેશુભાઈને પૂનર્ સ્થાપિત કરેલ.
પણ જણનારીમાં જોર ન હોય તો સુયાણી બિચારી શું કરે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી હારવા માંડી. હદ તો ત્યારે થઈ કે ૧૯૭૫માં ઈન્દિરાઈ કટોકટીમાં પણ અમદાવાદની મ્યુનીસીપાલીટીની ચૂંટણીમાં જનતાપાર્ટી જીતી હતી અને કોંગી હારી હતી, તે અમદાવાદની ચૂંટણી ૨૦૦૦માં કોંગી જીતી ગઈ અને બીજેપી હારી ગઈ.

કોંગીનું ચોથું ભક્ષ્ય છે આનંદીબેન પટેલઃ

કોંગી જ્યારે ક્યારેય પણ બહુમતિ ન આવે ત્યારે બીજા પક્ષોનો સાથ લે છે. કેરાલાની સામ્યવાદી સરકારને હરાવવા માટે કોંગીએ ઘોર કોમવાદી મુસ્લિમ લીગની સાથે ૧૯૫૮-૫૯માં જોડાણ કરેલ.
કોંગી માટે જો આવું શક્ય ન હોય તો તે “ચરણશીંગ” ની તલાશ કરે છે. ગુજરાતમાં તો ૧૯૭૬માં ચિમનભાઈ પટેલ હાથવગા હતા. લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપવાની જરુર ન હતી. કટોકટીમાં તો ડંડો જ પૂરતો હતો.

કોંગીએ ૧૯૭૯માં ચરણસીંગને લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપી. ચરણ સીંગે મોરારજી દેસાઈ ની સરકારને ગબડાવી. તે પછી તો ઇન્દિરાએ ભીંદરાનવાલે ને તેવીજ લાલચ આપીને પંજાબમાં મોટાભા બનાવેલ. પણ એમાં થોડી ચૂક થઈ ગઈ અને કોંગ-માઈએ જાન થી હાથ ધોયા.

લાંબી ધારે દુગ્ધપાનની લાલચના મૂળ ઉંડા છે. તે કંઈ ફક્ત સરકારો ઉથલાવવા માટે જ નથી. મત માટે પણ છે. કોંગી માઈએ તેનો ઉપયોગ અનામત માટે ઘણો જ કરેલ છે.

સૌ પ્રથમ તો અનામત ફક્ત અંત્યજો-અસ્પૃશ્યો માટે જ હતી. કારણ કે જેઓ સ્પર્શ માટે પણ લાયક ન હોય તે આર્થિક રીતે કેવી રીતે ઉંચે આવી શકે? એટલે તેમને માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. પણ પછી કોંગીએ જમને પેધો પાડ્યો.

જેને જેને એમ લાગતું હોય કે પોતે પછાત છે તેઓ સૌ કોઈ આવેદન આપે. એમ કરતાં કરતાં બ્રાહ્મણ ક્ષત્રીય અને વૈશ્ય સિવાય બધા અનામતમાં આવવા લાગ્યા. છેલ્લે છેલ્લે વિશ્વકર્માના સંતાનો(જેઓ વાસ્તવમાં બ્રાહ્મણ હતા પણ ભણતા નહીં અને બાપિકો ધંધો ચલાવતા)નો નંબર પણ લાગી ગયો. જેઓ ખેતી કરતા તેઓ વૈશ્ય હતા પણ વેપારને બદલે ઉત્પાદન કરતા તેઓ પાટીદાર કહેવાય. તેઓ ભણવા પણ લાગ્યા અને વેપાર પણ કરવા લાગ્યા.

કોંગીની દાઢ સળકી

કોંગીને રાજસ્થાનના અનુભવે જ્ઞાન લાધ્યું કે તોફાનો કરીને, બસો સળગાવીને, રેલ્વે વ્યવહાર ખોરવીને, બસસ્ટેન્ડોને સળગાવીને, રેલ્વેના પાટા ઉખેડીને અને જાહેરજીવન અસ્તવ્યસ્ત કરીને, સરકારોને ઉથલાવી શકાય છે તો પછી ચરણશીંગને શોધવાની પ્રક્રિયા ચાલુ રાખીને પણ, કોઈ કોમ્યુનીટીને (લાંબી ધારે) દુગ્ધપાનની લાલચ કેમ ન આપવી. એવું પણ બને કે આમ કરતાં કરતાં પણ કોઈ ચરણશીંગ હાથ લાગી પણ જાય.

જો કે હજુ સુધી ગુજરાતમાં કે કેન્દ્રમાં કોંગીને કોઈ ચરણશીંગ હાથ લાગ્યા નથી. એ વાત પછી ક્યારેક કરીશું.

કોંગી માટે એક બીજી પણ મુશ્કેલી છે કે કોંગી અત્યારે બારાજા* છે. દુગ્ધ કન્ટેઈનર એટ્રેક્ટીવ નથી. શરીર સંપત્તિમાં શરીરની અંદર(ચરબી=કાળું લાલ નાણું)ની સંપત્તિની કોઈ ખોટ નથી. શરીરની અંદરની સંપત્તિ કંઈ થોડી અપાય છે? આપણે કંઈ શિબિરાજાના વંશજ નથી.

દુગ્ધપાન એ દુગ્ધપાન છે. લાંબી ધારનું હોય કે ટૂંકી ધારનું (ટૂંકી ધારનું ઔરસ માટે હોય છે) હોય. પણ કોંગી માને છે કે દુગ્ધપાન ની લાલચ તો આપી જ શકાય. આપણું દુગ્ધ કંટેનર કેટલું એટ્રેક્ટીવ છે અને દુગ્ધથી ફાટ ફાટ થાય છે કે નહીં તેની બીજાને ક્યાં ખબર છે? દુગ્ધપાન ભવિષ્યમાં કેવીરીતે કરાવશું, કરાવશું કે નહીં તે પણ આપણી મુનસફ્ફીની વાત છે. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા. અને “ધરાર ખોટું બોલવું”નો આપણને ક્યાં આભડછેટ છે? (અનામતના) લોભીયા હોય ત્યાં ધૂતારા પણ હોય.

શિરીષ મોહનલાલ દવે

*  શુષ્ક પ્રલંબિતસ્તના. વસુકી (મોનો પોઝ) જવાની તૈયારી !!

ઝવેરચંદ મેઘાણીની કોઈ વાર્તામાંથી અધિગત થયેલો શબ્દ છે.

ટેગ્ઝઃ લાંબી ધારે, દુગ્ધપાન, નહેરુવીયન, નહેરુ, કોંગ્રેસ, કોંગી, ઇન્દિરા, અનામતીયા, પાટીદાર, બલુન, સુરુચિ ભંગ, કેશુભાઈ, સંકર, શીંગ, ઘેલા, બા, રાહુ, ચેપ, ભક્ષ્ય, નવનિર્માણ, સમાજવાદ, ફેશન, જુથ, સંગઠન, ગાંધીજી, તેજીને ટકોરો, મુઠ્ઠી ઉંચેરા માનવી, સરદાર પટેલ, આનંદીબેન પટેલ, ચિમનભાઈ

Read Full Post »

ગુજરાતની મહાનગર પાલિકાઓની ચૂંટણી જીતવાનો રાજમાર્ગ

આ લેખ ફક્ત બીજેપીના હિતેચ્છુઓએ જ વાંચવો.

જેઓ જ્ઞાતિવાદ, કોમવાદ, જનવિભાજનવાદ, વંશવાદ, સ્વકેન્દ્રી માનસિકતા, જૈસે થે વાદ, પૂર્વગ્રહી અને દંભમાં જાણ્યે અજાણ્યે માનતા હોય તેમણે આ લેખ વાંચવો નહીં.
એવું સાંભળવામાં આવ્યું છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ તેના મકાનોની નવસંચરના કરવા માગે છે. જો કે આ આધારભૂત સમાચાર નથી. અને ગુજરાત હાઉસીંગ બોર્ડ સરકારી હોવાથી આવા નીતિવિષયક નિર્ણયો જાહેર કરી શકશે નહીં. પણ બીજેપી એક પૂરક ઘોષણા પત્ર દ્વારા જાહેર કરી, એક ટાઉનશીપ બનાવશે એવી જાહેરાત કરી શકે.
કોઈ એક વિસ્તાર પસંદ કરી, તે વિસ્તારમાં આવેલા જુના કે અને જર્જરિત કે અને ઓછા માળવાળા મકાનોને તોડીને તે વિસ્તારને અદ્યતન અને સુવિધાજનક અને સ્માર્ટ કેવી રીતે બનાવવો તે માટેની એક આછી રુપરેખા નીચે દર્શાવેલી લીંક પર ઉપલબ્ધ છે.

નહેરુવીયન કોંગ્રેસકે તેના સાંસ્કૃતિક સાથીઓ આ કામ નહીં કરી શકે
જો બીજેપી નવસંરચના (રીડૅવેલપમેન્ટ)ની યોજના બતાવશે તો આ બાબતમાં નહેરુવીયન કોંગ્રેસ અનેક ભયસ્થાનો બતાવશે. હવનમાં હાડકા નાખવા એ તેના ૧૯૫૦થી ગળથુથીમાં મળેલ સંસ્કાર છે. જો કે નહેરુવીયન કોંગ્રેસ એમ કહેશે કે નવસંરચના કામ તો અમે પણ કરીએ છીએ આને તેથી વધુ સારી રીતે કરી શકીએ. પણ ૬૦ વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના દર્શન પછી તેના ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. મુંબઈ અને મહારાષ્ટ્રમાં, એનસીપી અને નહેરુવીયન કોંગ્રેસના ઠગબંધને નવસંરચનાની બાબતમાં અનેક કૌભાંડો કર્યા છે. અને ગુજરાતમાં પણ ગરીબોને (પછાત વર્ગને) મદદ કરવાને નામે જમીના ટૂકડાઓ, નબળા મકાનો આપવામાં અનેક કૌભાન્ડો કર્યા છે. નહેરુવીયન કોંગ્રેસ હમેશા જૈસે થે વાદી અને સ્વકેન્દ્રી જ રહ્યું છે. નહેરુવીયન કોંગ્રેસે સરકારી નોકરોની આદતો, માનસિકતા અને નૈતિકતા ભ્રષ્ટ કરી છે. તેને ઉજાગર કરવાનું કામ કરવું તે દરેક નાગરિક કે જે “ઈન્ડીયા ફર્સ્ટ” માં માને છે તેની ફરજ છે.

મકાનોની નવ સંરચના કરવામાં સૌથી મોટી સમસ્યાઓ મિલ્કતના કબજેદારોને તૈયાર કરવાની છે. આ કબજેદારોનું નીચે જણાવ્યા પ્રમાણે વર્ગીકરણ કરી શકાયઃ

માલિક, લોનવાળા માલિક, લોનવગરના માલિક, ભાડવાત, ગેરકાયદેસર કબજેદાર, ઝોંપડપટી વાળા કબજેદાર, લારીવાળા કબજેદાર, પાથરણાવાળા કબજેદાર, ગલ્લાવાળા કબજેદાર, પોતે જ એફ એસ આઈનો ભંગ કરેલા કબજે દાર, બિલ્ડરે એફએસઆઈનો ભંગ કરીને મિલ્કત પાધરાવી દીધી હોય તેવા કબજેદાર, કોર્ટમાં મિલ્કતનો કેસ ચાલતા હોય તેવા કબજે દાર, કૌટૂંબિક ઝગડાવાળા કબજેદાર, સામુહિક કબજેદાર, ફ્લેટમાં રહેતા કબજેદાર, ટેનામેન્ટ કે બંગલામાં રહેતા કબજેદાર અને આ બધાનું મિશ્રણ હોય તેવા કબજેદાર.
ગુજરાત હાઉસીંગ બોર્ડના વિસ્તારોની વાત છે તેમાં ઉપરોક્ત વર્ગીકરણમાંથી ઘણા વર્ગની બાદબાકી થઈ જશે. કબજાના હક્કને કેવીરીતે સ્થાનાંતર કરવા તેના સુચારુ રુપે અને માનવીય રીતે નક્કી કરી શકાય.

શાસ્ત્રીનગર વિસ્તારની નવસંચરનાઃ

શાસ્ત્રીનગરની નવસંરચના

શાસ્ત્રીનગર વિસ્તારમાં શાસ્ત્રીનગર, વિજયનગર, પ્રગતિનગર, આદર્શનગર, વિગેરે આવે છે. આ બધા મકાનો જી+૨ અને જી+૩ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમુક એપાર્ટમેન્ટ અને તેના ઉપર બે કે ત્રણ માળ અને તેમાં પણ તેટલા જ એપાર્ટમેન્ટ્સ. કેટલાક ડુપ્લેક્સ પણ છે.

એમ-૫ અને એમ-૪ એ બધા ૨-બી.એચ.કે. છે. એલ-૪ માં હોલ અને રુમ નાના છે. એલ-૫ માં ૧-બી.એચ.કે. છે.

એમ-૪ માં અનિયમિત રીતે હાઉસીંગ બોર્ડે ૧૦ ફૂટ બાંધકામ લંબાવવાની પરવાનગી આપી છે. આ બધી પરવાનગીઓ સ્થાનિક રહેવાસીઓની કાયદેસરની અરજી, એસોસીએસનની નોટીસ, ઠરાવ અને મંજુરી પત્ર વગર આપવામાં આવી છે. આ બધું અવગણવું પડશે. જે કબજેદારોએ (માલિકોએ) આ એક્સ્ટેન્શન કર્યા છે તેમને “એમ-૫ એક્સ્ટેન્શન” એ રીતે ઓળખીશું. અને તેમને એક પ્રકોષ્ઠ વધુ આપવામાં આવશે.

પહેલાં એ સમજી લેવું જોઇએ કે આ બહુમાળી મકાનો પ્રીકાસ્ટેડ(પૂર્વ નિર્મિત) ઘટકોના (કોમ્પોનન્ટ્સના) બનેલા હશે.

પ્રીકાસ્ટેડ શા માટે?

બાંધકામને અતિ ઝડપી કરવા માટે પ્રીકાસ્ટેડ ઘટકો સિવાય ઉદ્ધાર નથી,
બાંધકામમાં પૂર્વનિર્મિત બાંધકામમાં માપમાં સમાનતા લાવીને બાંધકામના ભાવ નીચે લાવી શકાય છે, આથી આપણે ઓછામાં ઓછા ૫ બાય ૫ ચોરસ મીટરના (૨૫ ચોરસમીટરના) જ ખંડ બનાવવા જોઇએ જેથી ખરીદનાર, તેનો વૈવિધ્યતા પૂર્વક પોતાની સગવડતા અનુસાર ઉપયોગ કરી શકે, તેવી જ રીતે પેસેજની પહોળાઈ ૫ મીટર રાખીએ તો મોકળાશ પણ રહે. માપને સ્ટાન્ડર્ડાઈઝ કરવાથી ઈન્વેન્ટરી કન્ટ્રોલ થાય અને તે બધી રીતે સસ્તું પડે,
પૂર્વનિર્મિત ઘટકો દ્વારા બાંધકામ અને ઘટકોમાં ગુણવત્તાની ખામી ન રહેતી નથી. ગણવત્તા ચકાસવા માટે નમૂનાઓના ચયન કરવાના નિયમો હોય છે. આ નિયમો પ્રમાણે ચકાસણી કરવાથી ગુણવત્તા જાળવી શકાય છે. આ બધું પારદર્શી રીતે (સીસી ટીવી કેમેરામાં નોંધાય તે પ્રમાણે કરવામાં આવે તો ગુણવત્તાહીનતાની સમસ્યા નષ્ટ થાય.

બધાં જ નિર્માણ કાર્ય આ રીતે પરિપૂર્ણ રીતે પારદર્શી હોવા જોઇએ એટલે સરકારી નોકરો ગેરરીતિઓ ન કરી શકે એટલે નિર્માણ થયા પછી રખરખાવનો ખર્ચો ઘણો ઓછો થઈ જાય.

બાંધકામ અને બાંધકામના ઘટકો નિશ્ચિત માપના હોવાથી બાંધકામના બીજા પૂરક કામોના ઘટકો પણ નિશ્ચિત માપના થાય છે.

સરવાળે ગુણવત્તા સાથેના નિર્માણ અતિઝડપી અને સસ્તામાં પડે છે. ૨૦૦૦ કુટૂંબને સમાવતો એક સંકુલ વીંગ ૬ મહિનામાં તૈયાર થઈ જાય.

શાસ્ત્રીનગર વિસ્તારમાં ઘણા ભૂમિ ખંડો છે જે આમ તો બગીચા, કોમ્યુનીટી હોલ અને સ્કુલ માટે આરક્ષિત રાખેલા હતા, પણ તે બધા કાં તો ખાલી છે અથવા તો હાઉસીંગબોર્ડે ત્યાં ધંધાદારી મકાનો અને રહેણાકના મકાનો બાંધી શાસ્ત્રીનગર વિસ્તારને, કદરુપો, ભીડભાળવાળો અને ગંદો કરી દીધો છે. એક નમૂના રુપ ટાઉનશીપ બનાવવા માટે શાસ્ત્રીનગર વિસ્તાર અતિઉત્તમ છે.

આબંટન માટે નીચેના વિકલ્પો હશે.

(૧) સામાન્યઃ બાહ્ય દિવાલો અને આંતરિક દિવાલો સહિતનું, ડ્રેનેજ, ઈલેક્ટ્રિક, ગેસ પાઈપ, ટોઈલેટ-બાથરુમ, સ્ટેન્ડીંગ કીચન અને દરેક રુમમાં આર સીસીની અભરાઈઓ વાળું રહેઠાણ. તેવી જ રીતે ડ્રેનેજ, ઈલેક્ટ્રિક, જોડાણવાળું વ્યવસાઈ ખંડ.
(૨) ફિક્સ્ડ ફર્નીચર સ્ટાન્ડર્ડઃ હાઉસીંગ બોર્ડ દિવાલોને બદલે ફીક્સ્ડ ફર્નીચર રાખે. બાહ્ય દિવાલોને બદલે જાળીઓ રાખે. પેસેજ પાસેની દિવાલને વિકલ્પે જાળી રાખે કે આંશિક જાળી રાખે.
(૩) ફિક્સ્ડ ફર્નીચર મરજી મુજબઃ હાઉસીંગ બોર્ડ જ વિકલ્પ વાળું ફેરવી શકાય તેવું ફર્નીચર રાખે. હાઉસીંગ બોર્ડ ડીઝાઈન બનાવે જે પૂર્વનિર્મિત ઘટકોને કુશળ કારીગરો પાસે એસેમ્બલ કરાવીને સસ્તાભાવે ખરીદદારોને આપી શકે.
(૪) ફક્ત કોલાઓ (આરસીસી પીલર અને બીમવાળા જેમાં ખરીદનારની પોતાની ઇચ્છા પ્રમાણે આંતરિક દિવાલો કે ફીક્સ્ડ ફર્નીચર બનાવે.
પેસેજની દિવાલમાં જ જાળી અને દિવાલ વિકલ્પ રુપે છે. બાકીની બાહ્ય દિવાલો હમેશા જાળીવાળી જ રખાશે.. જાળી ઉપરાંત જો તેની અંદરની બાજુએ દિવાલ કરવી હોય તો ખરીદનાર તે કરી શકશે.
(૫) સ્થળાંતરના પૈસા તેમજ જો નાનો આવાસ લીધો હશે તો તેને તે પૈસા જે તે ખરીદ કિમત પ્રમાણે મજરે મળશે. મોટી જગ્યા લેશે તો તેજ ભાવ પ્રમાણે વધુ પૈસા આપવા પડશે.
(૬) જેઓ શાસ્ત્રીનગર વિસ્તારના હાઉસીંગ બોર્ડના વિસ્તારના હાઉસીંગબોર્ડના વિસ્તારમાં રહેતા નથી પણ નારણપુરાના એવા વિસ્તારમાં રહે છે જેનો સમાવેશ આ ટાઉનશીપમાં હાઉસીંગ બોર્ડ કરી શકે છે તેમને હાઉસીંગ બોર્ડ આબંટનના શાસ્ત્રીનગર વિસ્તારના લોકોની શરતોએ નિવાસ અને વ્યવસાઈ મિલ્કત ફાળવી શકશે.
(૭) આ સિવાય અમદાવાદની જે પણ મોટી કો ઓપરેટીવ હાઉસીંગ સોસાઈટીઓ કે જે જી+૪ કે તેથી ઓછા માળવાળી હશે અને જો તેના ઓછામાં ઓછા ૭૦ ટકા માલિકો પોતાની મિલ્કતો હાઉસીંગબોર્ડને આપવા તૈયાર થશે તેને પણ શાસ્ત્રીનગર વિસ્તારના મિલ્કતના માલિકોને લાગુપડતી શરતોએ મિલ્કત આપી શકાશે. આ પ્રમાણે હાઉસીંગબોર્ડ વધુ ને વધુ જમીન સંપાદન કરી શકશે.
(૮) ગૌશાળા યુક્ત કૃષિ સંકુલ પણ સાથે સાથે બનાવી શકાય જેથી નિવાસ-વ્યવસાય સંકુલને અનાજ અને શાકભાજી સસ્તાભાવે પૂરા પાડી શકાય.
(૯) પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને પણ અમુક માળ ફાળવી શકાય, જેથી બાળકોના વાલીઓનો વાહન વ્યવહારનો ખર્ચ બચી જાય.
(૧૦) બે સ્વાવલંબી સંકુલ વચ્ચે એક કિલોમીટરનું અંતર રહેવું જોઇએ. જેથી ફાજલ પડેલી જમીન ઉપર વૃક્ષો વાવી શકાય.
વધુ જાણકારી માટે
स्वावलंबी स्मार्ट संकुल पार्ट- १
https://treenetram.wordpress.com/2015/09/23/%E0%A4%B8%E0%A5%8D%E0%A4%B5%E0%A4%BE%E0%A4%B5%E0%A4%B2%E0%A4%82%E0%A4%AC%E0%A5%80-%E0%A4%B8%E0%A4%82%E0%A4%95%E0%A5%81%E0%A4%B2-%E0%A4%B0%E0%A5%81%E0%A4%B0%E0%A5%8D%E0%A4%AC%E0%A4%A8-%E0%A4%95/
स्बावलंबी स्मार्ट संकुल पार्ट-२
https://treenetram.wordpress.com/2015/09/28/%E0%A4%B8%E0%A5%8D%E0%A4%B5%E0%A4%BE%E0%A4%B5%E0%A4%B2%E0%A4%82%E0%A4%AC%E0%A5%80-%E0%A4%B8%E0%A4%82%E0%A4%95%E0%A5%81%E0%A4%B2-%E0%A4%8F%E0%A4%B5%E0%A4%82-%E0%A4%B8%E0%A5%8D%E0%A4%AE%E0%A4%BE/
અને બીજા લેખો વાંચો.
Hattps://www.treenetram.wordpress.com
Shirish M. Dave

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૩

ઊંટના જેમ અઢારે અંગ વાંકા છે તેમ નહેરુવીયન કોંગ્રેસના અઢારે અંગ વાંકા છે. આપણા ગુજરાતી કવિ દલપતરામે “ઊંટ કહે આ સમામાં …. “ વાળી એક કવિતા લખી હતી. જે અહીં જેટલી યાદ રહી તેટલી નીચે લખી છે.

ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ ને પક્ષીઓ અપાર છે.

બગલાની ડોકવાકીં, પોપટની ચાંચ વાકી,

વાઘના તો નખવાંકા, વારણના શીંગવાંકા,

કુતરાની પૂંછ વાંકી, હાથીની તો સુંઢવાંકી,

ભેંસના તો શીંગવાંકા, શીંગડાનો ભાર છે,

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ,

અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે.

ઊંટભાઈનો તો જરાપણ વાંક નથી. જેમ મનુષ્યો ગધુભાઈની વાત કરે ત્યારે ગધુભાઈનો જરાપણ વાંક હોતો નથી. આ બધી પ્રતિકાત્મક વાતો છે. એટલે ઊંટભાઈઓ અને ગધુભાઈઓ માફ કરે. જોકે ગધુભાઈઓ અને ઊંટભાઈઓએ એવી કોઈ માગણી નથી કરી કે તમે અમારી માફી માગો. તો પણ આપણે માફી માગી લેવી જોઇએ. જેમકે ગૌમાતાએ કદી એવી માગણી કરી નથી કે મને તમે માતા અને માતાજી (દેવી) માનો અને મારી પૂજા કરો. પણ આપણે ભારતીયો થેંકલેસ (કૃતઘ્ન)   નથી કે કોઈ માગણી કરે તો જ બદલો ચૂકવીએ. આપણે તો જે કોઈ આપણને કામ આવે તેની ઉપકારવશ થઈ પૂજા કરીએ. સમૂદ્ર, શસ્ત્રો, ચોપડા, પુસ્તક, ઘર, વિગેરે અનેક વસ્તુઓ છે, જે આપણા કામમાં આવે છે અને આપણે તેની પૂજા કરીએ છીએ. વળી કેટલાક પ્રાણીઓને તો દેવી દેવતાના વાહનો માનીને દેવી દેવતાઓ સાથે તેમને પણ અબીલ, ગુલાલ, કંકુ, ફુલ વિગેરે ચડાવીએ.

પણ આપણી મૂળ વાત નહેરુવીયન કોંગ્રેસી ઉંટની છે. જેના અઢારે અંગ વાંકા છે એટલું જ નહી, એની બુદ્ધિ, મન અને આચાર પણ વાંકા છે.

નહેરુવીયન કોંગ્રેસમાં બુદ્ધિ છે તેમના માનવા પ્રમાણે બુદ્ધિનો ઉપયોગ સર્વ પ્રથમ પોતાને ટકી રહેવા માટે વાપરવાનો અને પછી આપણા વાહલાઓ માટે વાપરવાનો. જો ટકી રહેવા માટે લોકોનું કામ કરવાની જરુર પડે તો તેને વાંકી રીતે જ કરવાનું જેથી કામ કરતાં આપણું હજારગણો વધુ બદલો મળે.

તમે કહેશો કે નહેરુવીયન કોંગ્રેસ સારાકામો પણ વાંકી રીતે કરે છે તેવું શા માટે કહેવાય? પણ આ કંઈ કોઈ સામાન્ય માણસે કરેલી શોધ નથી. ૧૯૭૪માં જયપ્રકાશ નારાયણે જ ઇન્દિરા ગાંધી વિષે કહેલ કે તે સીધા કામ પણ વાંકી રીતે કરે છે. આ તો જયપ્રકાશ નારાયણનું તારણ હતું. પણ જો આપણે માહિતિવગરના તારણને માન્ય ન રાખતા હોઈએ તો તત્કાલિન ઉદાહરણ એ હતું કે “નવનિર્માણના આંદોલન”નો હેતુ ભ્રષ્ટાચાર હટાવવાનો હતો. એટલે પ્રથમ માગણી મુખ્ય મંત્રી (ચિમનભાઈ પટેલને) દૂર કરવાની હતી. બીજી માગણી વિધાનસભાનું વિસર્જન કરવાની હતી. તત્કાલિન વિધાનસભામાંના ૧૬૨ સદસ્યોમાંથી નહેરુવીયન કોંગ્રેસના ૧૪૦ સદસ્યો હતા. મોરારજી દેસાઈના ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસ માટે ૧૪૦ બેઠકો જીતવી લગભગ અશક્ય હતું. પણ ૧૯૭૧નું પાકિસ્તાન સાથેનું જે યુદ્ધ ભારત પોતાની ભૌગોલિક અનુકુળતા અને પાકિસ્તાન પોતાની ભૌગોલિક અને રાજકીય પ્રતિકુળતાને કારણે જીતી ગયેલ તેનો ઇન્દિરાગાંધીએ ભરપૂર લાભ લીધો અને ૧૯૭૨નું ગુજરાતની વિધાનસભામાં ૧૪૦ બેઠકો જીતી ગયેલ. મુખ્ય મંત્રીને હટાવવા પોષાય તેમ હતું કારણકે આમેય તે ઇન્દિરા ગાંધીની પસંદગીના ન હતા પણ બહુમતિ સદસ્યોએ તેમને ચૂંટેલા. એટલે નવ નિર્માણનું આંદોલનનું પ્રથમ ધ્યેય ઇન્દિરા ગાંધીને પણ મન પસંદ હતું. નહેરુવીયન કોંગ્રેસીઓ ૧૯૮૦ પછી એમ પણ કહેતા હતા કે નવનિર્માણનું આંદોલન તો ઇન્દિરા ગાંધીએ જ કરાવેલ. (જો કે આ તો “કહેતા બી દિવાના ઔર સુનતા બી દિવાના” જેવી વાત છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ).

વિધાનસભાનું વિસર્જન ઇન્દિરા ગાંધીને પોષાય તેમ ન હતું. આંદોલન અને માગણી પ્રબળ હતી. મોરારજીભાઈની સંસ્થા કોંગ્રેસ અને બીજા અપક્ષ ધારા સભ્યોએ તો રાજીનામા આપીજ દીધેલ. અત્યારે જેમ પાટીદારના આંદોલનને ગુજરાતના સમાચાર પત્રો અને ટીવી ચેનલો બહોળી પ્રસિદ્ધિ આપે છે તેમ તે વખતે આથી પણ વધુ પ્રસિદ્ધિ સમાચાર પત્રો આપતા હતા. કારણ એ હતું કે તે આંદોલન કોઈ એક કોમની સંકુચિત મનોવૃત્તિને પોષવા માટે ન હતું પણ વ્યાપક હિત માટે હતું. પાટીદારોનું આંદોલન જો તે વખતે થયું હોત તો તે વખતના યુવકો પાટીદારોને વીણી વીણીને મારત.

નહેરુવીયન કોંગી ધારાસભ્યો ઉપર રાજીનામા માટે ધોંસ વધતી જતી હતી એટલે લગભગ ૧/૩ જેટલા ધારા સભ્યોએ રાજીનામું આપી દીધું. કોઈને પણ શંકા ન હતી કે આવી ખંડિત ધારાસભા ચાલી શકે. તો પણ ઇન્દિરા ગાંધી તે વિધાનસભાને વિસર્જિત કરવામાં માનતી ન હતી. તે સમય પસાર કરવા માગતી હતી. એટલે તેણે વિધાન સભા નિલંબિત (સસ્પેન્ડ) કરી દીધી. પણ વિસર્જનની માગણી ચાલુ રહી. મોરારજી દેસાઈ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. ગુજરાતના આંદોલનની મુલાકાત દેશના નેતાઓ લેવા માંડ્યા. ઇન્દિરા ગાંધીએ અંતે વિધાનસભાનું વિસર્જન કર્યું. કદાચ આવા કારણ થી જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધી વિષે કહેલ કે તે સીધા કામ પણ વાંકી રીતે કરે છે.  આ તો આપણે સીધા કામની વાંકી રીતની વાત કરી. વાંકા કામની વાંકી રીતો વાળી, નહેરુવીયન કોંગ્રેસને લગતી  તો અનેક કથાઓ છે.

(૧) મહાગુજરાતનું ૧૯૫૬નું આંદોલનઃ ગાંધીજીએ કહેલ કે ભાષાવાર રાજ્ય રચના કરવી જેથી આમ જનતા પણ પોતાની ભાષામાં સરકાર સાથે સંવાદ કરી શકે. મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં પોતાની ભાષાના રાજ્ય માટે આંદોલન ચાલુ થયાં. તેમ ગુજરાતમાં પણ મહાગુજરાતનું આંદોલન થયું. જો ભાષાવાર રાજ્ય રચના થાય તો ૧૯૫૭માં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવે તેમ હતું.  પોતાનો લાભ જોવામાં નહેરુવીયન કોંગ્રેસે દ્વિભાષી રાજ્ય ( મુંબઈ ઈલાકો એટલે કે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ, મુંબઈ, મહારાષ્ટ્ર અને કર્નાટકનો અમુકભાગ) કર્યું. મુંબઈ શહેરનો પ્રશ્ન ઉભો કરી ગુજરાતી અને મરાઠી લોકોને ઝગડાવ્યા. ઓળઘોળ કરીને બધો વાંક મોરારજી દેસાઈ ઉપર ઢોળ્યો. મોરારજીને મહારાષ્ટ્રમાં બદનામ કર્યા. જેમ ચીન સાથેના યુદ્ધના પરાજયમાં બધો દોષ વીકે મેનન ઉપર ઢોળેલ તેમ. કટોકટીનો દોષ બધો સંજય ગાંધી ઉપર અને સરકારી અધિકારીઓ ઉપર ઢોળેલ.

નહેરુવીયન કોંગ્રેસ પટેલોને કેવી રીતે ફસાવી શકી છે?

પહેલાં એ સમજી લો કે નહેરુવીયન કોંગ્રેસ એક માયાવી રાક્ષસ છે. રાક્ષસ સહેલાઈથી મરતો નથી. તેને એક ઈશ્વર વરદાન આપે તો કોઈ તેને મારી શકતું નથી. શિવ, વિષ્ણુ, ગણેશ, કાર્તિકેય કે માતાજી એ આવવું પડે છે. રાક્ષસનું એક ટીપું ધરતી ઉપર પડવું ન જોઇએ. નહીં તો તેમાંથી વળી રાક્ષસો પેદા થાય. જેમકે નહેરુવીયન કોંગ્રેસ માંથી બીજા તેના જેવા જ સંસ્કારવાળા કેટલા વંશવાદી રાક્ષસો પેદા થયા?

(૨) અમદાવદ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણી ૧૯૫૬ (?)

મહાગુજરાત જનતા પરિષદના આંદોલનમાં કોંગ્રેસ સામે મોટો પડકાર અમદાવાદ શહેરમાં થયો. કોંગ્રેસ માટે ચૂંટણી લડવી મુશ્કેલ હતી.

“સર્વનાશ સમુત્પન્ને અર્ધં ત્યજતિ પંડિતઃ” જો બધું જ ગુમાવવાનુમ આવે તો શાણો માણસ અડધું ત્યજી દે છે. જેમ ઢેઢગરોળી ઉપર આક્રમણ થાય તો ઢેઢગરોળી પોતાની પૂંછડી છોડી દે છે એટલે શિકારીનું ધ્યાન ઢેઢગરોળીની પૂંછડી ઉપર જાય છે અને ઢેઢગરોળી ભાગી જઈને પોતાની જાત બચાવી લે છે.

અહીં શું થયું?

કોંગ્રેસમાંથી એક હિસ્સો છૂટો પડ્યો. એનું નામ બન્યું નાગરિક પક્ષ. એ ચૂંટણી લડ્યો. કોંગ્રેસ ચૂંટણી લડી જ નહીં. તે વખતે શેઠીયાઓ વિશ્વસનીય ગણાતા અને ગરીબ પૈસાદાર વચ્ચે કોઈ સંઘર્ષ ન હતો. અમદાવાદની જનતા સમજી આ તો મહાગુજરાત જનતા પરિષદ જ છે. નાગરિક પક્ષ જીત્યો. બધું થાળે પડ્યું એટલે નાગરિક પક્ષે પોતાનો  કોંગ્રેસમાં વિલય કર્યો.

(૩) ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં હાર મળેલ એટલે નહેરુએ ૧૯૫૦ના દશકામાં છૂટા પડેલ પ્રજાસમાજવાદી પક્ષને પટાવીને કોમ્ગ્રેસમાં ભેળવી દીધેલ.

(૪) ૧૯૭૭માં જનતા પ્રવાહમાં નહેરુવીયન કોંગ્રેસમાંથી તૂટી યશવંતરાવ ચવાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સ્થાપ્યો. અને ૧૯૮૪માં વળી પાછો નહેરુવીયન કોંગ્રેસમાં તેનો વિલય કર્યો.

(૫) ૧૯૭૯માં જગજીવનરામે રીયલ કોંગ્રેસ પક્ષ સ્થાપ્યો અને ૧૯૮૦-૮૧માં તેનો નહેરુવીયન કોંગ્રેસમાં વિલય કર્યો.

(૬) ચરણસીંગે જનતાદલ સ્થાપેલ જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસનો સહયોગી છે.

(૭) જનતાદલ માંથી છેડો પાડી લાલુ યાદવે આરજેડી સ્થાપેલ જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસનો સહયોગી પક્ષ છે.

(૮) દત્તા સામંતના જોરને તોડવા નહેરુવીયન કોંગ્રેસે શિવસેનાને ઉભી કરી. ટેક્ટાઈલ મીલો પણ તોડી અને દત્તા સામંતને પણ તોડ્યો. આ શિવસેનાએ ૧૯૭૫માં, કટોકટીમાં ઇન્દિરાને ટેકો જાહેર કરેલ. ૨૦૧૫માં તાજેતરમાં જ નહેરુવીયન કોંગ્રેસને જીવાડવા શિવસેનાએ બિહારમાં પોતાના સહયોગી પક્ષ બીજેપીનો વિરોધ કર્યો, પોતાના ઉમેદવાર ઉભારાખ્યા અને નીતીશકુમાર જેણે બિહારી – બાહરી જેવા વિભાજનવાદી નિવેદનો આપ્યા તે નીતીશકુમારને આ શિવસેનાએ અભિનંદન આપ્યા અને બીજેપીની નિંદા કરી.

(૯) વાસ્તવમાં મહારાષ્ટ્રમાં જો નોકરી, લારીગલ્લાના અને જાહેર માર્ગો પર થતા અતિક્રમણવાળા વ્યવસાયમાં મરાઠી હિતોને નુકશાન કરતા હોય તો મુંબઈ માટે આ બાહરી લોકો પણ છે. પણ શિવસેના નહેરુવીયન કોંગ્રેસનો સાંસ્કૃતિક હિસ્સો હોવાથી તે કદી નહેરુવીયન કોંગ્રેસને નુકશાન થાય તેવું નહીં કરે. પોતાને ફાયદો થવો જોઇએ અથવા તો નહેરુવીયન કોંગ્રેસને ફાયદો થવો જોઇએ. બીજેપીને નુકશાન થાય તો વાંધો નહીં. આવું શિવસેના માને છે.

(૧૦) પ્રતિભા પાટિલ ના આર્થિક હિતો વિવાદ થી પર ન હતાં, તો પણ આ જ શિવસેનાએ પ્રતિભા પાટિલની પ્રમુખપદની ઉમેદવારીમાં પ્રતિભા પાટિલ નહેરુવીયન કોંગ્રેસની ઉમેદવાર હતી તો પણ તેને ટેકો આપેલ. આમ સાંસ્કૃતિક રીતે શિવસેના કહો કે એમએનએસ કહો, તે નહેરુવીયન કોંગ્રેસની પૂંછડીઓ છે. નહેરુવીયન કોંગ્રેસ એવી ઢેઢગરોળી છે જે પોતાની પૂંછડીઓને અળગી પણ રાખે છે અને જોડે છે પણ ખરી. નહેરુવીયન કોંગ્રેસ સાદી ઢેઢગરોળી નથી. નહેરુવીયન કોંગ્રેસ માયાવી ઢેઢગરોળી છે. (ઢેઢગરોળીમાં વપરાયેલ શબ્દને ઢેઢ શબ્દ સાથે કોઈ લેવા દેવા નથી. જેમ ઉધરસ છે તેમ ઢેઢગરોળી છે. જેમ કાકીડાને કાકી સાથે કોઈ લેવા દેવા નથી. પૂછો રાજકોટના રહેવાસીઓને. છતાં પણ જો કોઈ જાતિને દુઃખ થયું હોય તો ક્ષમા કરે.)

જેમ પાટીદારોની જાતિવાદી માગણીઓને સરદાર પટેલના સિદ્ધાંતો સાથે કશી લેવા દેવા નથી ફક્ત પટેલ શબ્દ સમાન છે. શિવાજીને અને શિવસેનાને કશી લેવા દેવા નથી. ફક્ત શિવ શબ્દ સમાન છે. આવું તો બધું ઘણું છે. નહેરુવીયન કોંગ્રેસને અને ગાંધીજીના સિદ્ધાંતોને સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. ગાંધીજીના સિદ્ધાંતોનું હનન કરવામાં નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસ પ્રારંભથી જ અગ્રેસર રહી છે. ગાંધી ટોપી જ ફક્ત સમાન છે. “આયારામ ગયારામ” ના રાજકારણને “સીતારામ”( સીતાના રામ) ના  સિદ્ધાંતો સાથે કશો સંબંધ નથી. ફક્ત રામ શબ્દ જ સમાન છે.

તો શું નહેરુવીયન કોંગ્રેસ પટેલોને બેવકુફ બનાવી રહી છે?

બધા પટેલો બેવકુફ ન હોય. પણ તેનો અર્થ એવો નથી કે પટેલોમાં બેવકુફ કોઈ હોય જ નહીં.

નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે અમે સત્તામાં હતા ત્યારે અમે પટેલો માટે ઘણું કર્યું છે.

ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા)

૧૯૬૭ની ચૂંટણીમાં ભાઈલાલભાઈ પટેલને મુખ્ય મંત્રી બનવામાં એક વહેંત જેટલું છેટું રહી ગયું. ભાઈલાલભાઈ પટેલ જેવી મહાન હસ્તીને જમીનદારોના અને ગરાસદારોના પીઠ્ઠુ, સત્તા લાલચી, જેવા વિશેષણો થી નવાજી તેમને હલકા ચીતરવામાં નહેરુવીયન કોંગ્રેસે કશું બાકી રાખ્યું ન હતું.

ચિમનભાઈ પટેલ

૧૯૭૨ની ગુજરાત વિધાનસભામાં નહેરુવીયન કોંગ્રેસના બહુમતિ સભ્યો ચિમનભાઈ પટેલના ટેકામાં હતા. તેમને ૧૯૭૨માં ચૂંટાયેલા બહુમતિ ધારાસભ્યોનો સંપૂર્ણ ટેકો હતો. ચિમનભાઈ પટેલ તો નહેરુવીયન કોંગ્રેસના જ હતા. ચિમનભાઈ પટેલ એક જોરદાર નેતા હતા. છતાં પણ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસે તેમને મુખ્ય મંત્રી બનાવવામાં અખાડા કર્યા હતા તે વાત ઇતિહાસને ચોપડે નોંધાયેલી છે. એટલે નહેરુવીયન કોંગ્રેસે આ બાબતમાં ઘણા સવાલોના જવાબો આપવાના છે. કારણ કે ચિમનભાઈ પટેલે, કોંગ્રેસના કુળદેવી ઇન્દિરા ગાંધીને મચક આપેલી નહીં. ચિમનભાઈને નહેરુવીયન કોંગ્રેસમાંથી બરખાસ્ત કરેલ. એટલે ચિમનભાઈ પટેલે, ઇન્દિરાએ તેલીયા રાજાઓ પાસેથી કેવી રીતે પૈસા કેટલા પૈસા ઉઘરાવેલા એ વિષે એક ચોપડી પણ લખેલ. એ ચોપડી કમસે કમ તેમના સુપુત્ર પાસે તો હોવી જ જોઇએ.

આમ નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે અમે સત્તામાં હતા ત્યારે અમે પટેલો માટે ઘણું કર્યું એ નિર્ભેળ જુઠાણું છે. તેથી જ નહેરુવીયન કોંગ્રેસ તે બાબતમાં માહિતિ આપશે નહી. “બોલે તો બે ખાય” ના શબ્દ પ્રયોગના પરિપેક્ષ્યમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ શું શું કર્યું હતું તે તેઓ ફોડ પાડીને કહેવાની સ્થિતિમાં નથી.

સરદાર પટેલ

નહેરુએ સરદાર પટેલને માટે જે શબ્દો હૈદરાબાદમાં વાપરેલા તે ઇતિહાસના પર્ણો ઉપર વિદ્યમાન છે. દેશની એકતા ખાતર અને કટોકટીને સમયે કોંગ્રેસને તૂટતી બચાવવા સરદાર પટેલે પોતાને થયેલા અપમાનોના કડવા ઘૂંટ ગળેલા.  જે પટેલોના પિતાશ્રીઓએ અને દાદાશ્રીઓએ નહેરુવીયન કોંગ્રેસની ગાળો ખાધી, લાઠીઓ ખાધી અને કટોકટીમાં વિનાવાંકે જેલમાં ગોંધાયા, તે પટેલોના સંતાનો આજે નહેરુવીયન કોંગ્રેસના ખોળામાં બેસી ગયા એ તેમના સાંસ્કૃતિક પતનનો સંકેત છે અને વિધિની વક્રતા પણ છે.

નહેરુવીયન કોંગ્રેસે પટેલો માટે શું કર્યું અને કે બીજેપીએ શું ન કર્યું તેનું તેઓ કોઈ લીસ્ટ આપી નહીં શકે. આમેય તર્ક અને માહિતિપૂર્ણ વાત કરવી તે નહેરુવીયન કોંગ્રેસીઓમાં અને તેમના સાંસ્કૃતિક સાથીઓના (જેમાં હવે અમુક પટેલોએ નામ નોંધાવ્યું છે) સંસ્કારમાં નથી.

જ્યારે અમુક પટેલો અનામત માટે મુસ્લિમ થઈ જવાની ઈચ્છા પણ ધરાવતા હોય ત્યારે તેમના પતનને કોણ રોકી શકે? પટેલો કયા મુસ્લિમ થશે? શિયા કે સુન્ની કે અહેમદીયા? સુફી મુસ્લિમ તો નહીં જ થાય. કારણ કે આ સંતાનોને તો તે સંસ્કારથી બારગાઉનું છેટું છે.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ  નહેરુવીયન કોંગ્રેસ, ઊંટ, વાંકા અંગ, ગૌમાતા, પૂજા, જયપ્રકાશ નારાયણ, નવનિર્માણ, આંદોલન, વિધાન સભા, સદસ્ય, વિસર્જન, ચિમનભાઈ પટેલ, મુખ્ય મંત્રી, ૧૪૦ સદસ્ય, ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, મહાગુજરાત જનતા પરિષદ, દ્વિભાષી રાજ્ય, માયાવી રાક્ષસ, ઢેઢગરોળી, પૂંછડી, બિહારી, બાહરી, પ્રતિભા પાટિલ, શિવસેના, શિવાજી, ગાંધી ટોપી, આયારામ ગયારામ. સીતારામ

Read Full Post »

जो भय था वह वास्तविकता बना (बिहारका परिणाम) भाग

दाद्रीकी घटानाको उछालके यह महाठग महाधूर्त महागठबंधन काफी सफल रहा.

सफल होनेका श्रेय, समाचार माध्यम, नहेरुवीयन कोंग्रेस, महा गठबंधन और कुछ दंभी धर्मनिरपेक्ष गेंग, ये चारों चंडाल चौकडीने मिलके जो महाठग बंधन करके जो रणनीति बनायी थी उसको जाता है.

महागठबंधन और महागठबंधनमें क्या भेद है?

महागठबंधन नहेरुवीयन कोंग्रेस, आरजेडी और जेडीयु इन तीनोंने मिलकर एक चूनावी और सत्तामें भागीदारी करने के लिये एक गठबंधन बनाया है वह है. महाठग गठबंधन एक ऐसा गठबंधन है जिनका एक मात्र हेतु बीजेपीको चूनावमें हराना है. और अपने धंधे चालु रखना है. उनके अनेक धंधेमें सत्ताकी प्रत्यक्ष और परोक्ष भागबटाइ, अयोग्य रीतीयोंसे पैसे कमाना और देशकी आम जनताको गुमराह करके गरीबी कायम रखना ताकि आम जनता विभाजित और गरीब ही रहे

महाठगगठबंधनकी पूर्व निश्चित प्रपंचकारी और विघातक योजना

बीजेपीने विकासके मुद्दे पर ही अपना एजन्डा बनाया था. किन्तु यदि परपक्ष, यानी उपरोक्त महाठगोंका गठबंधन, कोमवादका मुद्दा उठावे तो उसको कैसे निपटा जाय, उसके लिये बीजेपी संपूर्ण रीतसे सज्ज  नहीं था. महाठगगठबंधन, दाद्रीकी घटनाको, मीडीया और दंभी धर्मनिरपेक्ष गेंग के सहारे कोमवाद पर ले गया.

जब भी चूनाव आता है और जब हवा नहेरुवीयन कोंग्रेसकी विरुद्धमें होती है तो कोमी भावना भडकाना नहेरुवीयन कोंग्रेसके शासनमें और उसके सांस्कृतिक पक्षके शासनमें एक आम बात है.

आरएस एस, वीएचपी और कुछ बीजेपी नेता भी बेवकुफ बनकर, समाचार माध्यमोंकी हवामें आके उसको हिन्दुमान्यताके परिपेक्ष्यमें आक्रमक बनके प्रत्याघात देने गतें हैं. वास्तवमें बीजेपीको गौवध वाले कोमवादी उस मुद्देको तर्क और अप्रस्तूतताके आधार पर लेजाके उसका खंडन करनेका था. बीजेपी नेतागण उपरोक्त महाठग बंधनी पूर्व निश्चित चाल नहीं समझ पाये. बीजेपी नेतागण को समझना चाहिये कि नहेरुवीयन कोंग्रेस चूनावकी रणनीति बनानेमें उस्ताद है. इसी कारण वह महाभ्रष्ट होनेके बावजूद, भारत जैसी महान और प्राचीन धरोहरवाले देश पर ६० वर्ष जैसे सुदीर्घ समयका शासन कर पाई.

शत्रु को कभी निर्बल समझना नहीं चाहिये.

आरएसएस और वीएचपीमें बेवकूफोंकी कमी नहीं है. ये लोग कई बार सोसीयल मीडीयामें वैसे भी फालतु, असंबद्ध और आधारहीन वार्ताएं लिखा करते हैं, जिससे बीजेपीकी भी विश्वसनीयता पर प्रश्नचिन्ह लग जाते है.

जनताके कई पढे लिखे लोग यह नहीं समझ सकते की आरएसएस और वीएचपी के लोग सिर्फ मतदाता है. यह बात सही कि, वे बीजेपीके निश्चित मतदाता है. हर सुनिश्चित मतदाता अपने मनपसंद पक्षका प्रचार करता है ऐसा नहीं है. इसका अर्थ यह नहीं कि हर सुनिश्चित मान्यतावाला मतदाता अपने पक्षका प्रचार करे ही नहीं. क्यों कि किसी मतदाताको आप प्रचार करनेमेंसे रोक नहीं सकते. यदि वह अपने पक्षका प्रचार करे या तो परपक्षके उठाये गये प्रश्नोंका उत्तर दें तो यह मानना नहीं चाहिये कि उसका अभिप्राय वह पक्षकी विचारधारा है. यदि महाठग गठबंधन आरएसएस या वीएचपी के उच्चारणोंको बीजेपीकी विचारधारा मानता है तो

कोमवादी और आतंकवादी मुस्लिम जो कुछ भी बोले वह युपीएकी विचारधारा है 

जैसे अधिकतर मुसलमान और कुछ अन्य जुथ नहेरुवीयन कोंग्रेस या तो उसके सांस्क्रुतिक पक्षके सुनिश्चित मतदाता है. वे कई बातें अनापसनाप बोलते हैं और कुतर्क भी करते हैं. उनकी बातें भी तो  नहेरुवीयन कोंग्रेस और उसके सांस्क्रुतिक साथीयोंकी विचारधारा है समज़नी चाहिये. समाचार माध्यमको ऐसा ही समज़ना चाहिये. वे दोहरा मापदंड क्यों चलाते है? अकबरुद्दीन ओवैसी, फारुख, ओमर, गीलानी, आजमखान, लालु, पप्पु, अरुन्धती, तित्सा, मेधा, आदि आदि जो भी कोमवादको बढावा देनेवाले उच्चारण करते है वे सब नहेरुवीयन कोंग्रेस और उनके सांस्कृतिक साथी है वे जो कुछभी बोले वह नहेरुवीयन कोंग्रेसकी ही विचार धारा है.

विडंबना और कुतर्क तो यह है कि, नहेरुवीयन कोंग्रेस तो उसके प्रवक्ताओंके भी कई उच्चारणोंको उनकी निजी मान्यता है ऐसा बताती है. यहां तक कि यदि नहेरुवीयन कोंग्रेसका उप प्रमुख, नहेरुवीयन कोंग्रेसके मंत्री मंडलने पारित प्रस्ताव विधेयक को फाडके फैंक तो भी वह इस घटनाका उल्लेख पक्षके  उपप्रमुखका नीजी अभिप्राय बताता है. बादमें उसी प्रस्तावमें संशोधन करता है. वैसा ही इस नहेरुवीयन कोंग्रेसने कोमवादी नेताओंके विरोधी प्रतिभावोंके चलते शाहबानो की न्यायिक घटनाके विषय पर संविधानमें संशोधन किया था. तात्पर्य यह है कि ऐसे सुनिश्चित मतदाता जुथोंके मंतव्य, वास्तविक रुपसे नहेरुवीयन कोंग्रेसकी विचारधारा होती ही है. नहेरुवीयन कोंग्रेसके नेताओंका स्थान आजिवन कारावासमें या फांसीका फंदा ही है. आरएसएस या वीएचपी के लोग तो बीजेपीके शासनके सहयोगी भी नहीं है. दोनोंकी प्राथमिकताए और मान्यताएं भीन्न भीन्न है. तो इनके भी बयान बीजेपीका सरकारी बयान नहीं माने जा सकते.

बिहारमें दंभी धर्मनिरपेक्षोंका विभाजनवादी नग्न नृत्य

बीजेपी एक राष्ट्रीय पक्ष है. अमित शाह, नरेन्द्र मोदी, राजनाथ सिंह, आदि सब भारतके नागरिक है.

महाठगगठबंधनके नेताओं की विभाजनवादी  मानसिकताका अधमाधम प्रदर्शन देखो.

बिहारमेंसे बाहरीको भगाओ

अमित शाह, नरेन्द्र मोदी, राजनाथ सिंह, स्मृति ईरानी, आदि को नीतीशकुमार और उसके साथी बाहरी मानते है. ऐसे बाहरी लोगोंको बिहारमें प्रचारके लिये नहीं आना चाहिये. बिहारमें केवल बिहारी नेताओंको ही चूनाव प्रचारके लिये आना चाहिये.

इसी मानसिकतासे नीतीशकुमार अपनी चूनाव प्रचार सभामें जनताको कहेते थे कि आपको चूनाव प्रचारमें कौन चाहिये, बिहारी या बाहरी?

तात्पर्य यह है कि, बिहारमें चूनाव प्रचारका अधिकार केवल बिहारीयोंका ही है. बाहरी लोगोंका कोई अधिकार मान्य करना नहीं चाहिये. महाठगगठबंधनके किसी नेताने नीतीशकी ये विभाजन वादी मानसिकताका विरोध नहीं किया. इतना ही महाठगगठबंधनके लोगोंने तालीयां बजायी. समाचार माध्यमके विश्लेषकोंने भी इसका विभाजनवादी भयस्थानको उजागर नहीं किया क्यों कि वे हर हालतमें बीजेपीको परास्त करना चाहते थे. महाठगगठबंधनके नेताओंका यह चरित्र है कि देशकी जनता विभाजित हो जाय और देश कभी आबाद बने और वे सत्तामें बने रहें और मालदार बनें.

नहेरुवीयन कोंग्रेस और उसके सांस्कृतिक साथीयोंका ध्येय रहा है कि, देशकी जनता विभाजित होती ही रहे और खुदका हित बना रहे.

बाहरी और बिहारीसे क्या निष्कर्ष निकलता है?

महागठबंधन बिहारकी जनताको यह संदेश देना चाह्ता है कि बिहारमें हमे चूनाव प्रचारमें भी बाहरी लोग नहीं चाहिये. यदि चूनाव प्रचारमें भी बाहरी और बिहारीका भेद करना है तो व्यवसाय और नौकरीमें तो रहेगा ही. जो लोग केवल चूनाव प्रचारके लिये आते है वे तो बिहारीयोंको कोई नुकशान नहीं करते. वे लोग तो उनको भूका मारते है तो उनकी नौकरीकी तकमें कमी करते हैं, नतो उनकी व्यवसायकी तकोंमें कमी करते है तो उनके आवासकी तकोंमे कमी करते हैं, तो भी महाठगगठबंधन बाहरी लोगोंके प्रति एक तिरस्कारकी भावना बिहारी जनतामें स्थापित करनेका भरपूर प्रचार करता है.

बिहारीबाहरी द्वंद्वका क्या असर पड सकता है. यदि बिहारमें बाहरी आवकार्य नहीं है तो जो बिहारके लोग बाहर और वह भी खास करके मुंबई, गुजरात आदि राज्योंमे जाके वहांके लोगोंकी नौकरीकी तकोंमें कमी करते हैं, वहांके लोगोंकी व्यवसायी तकोंमें कमी करते हैं और वहां जाके झोंपडपट्टी बनाके असामाजिक तत्वोंको बढावा देते हैं वहां पर महाठगगठबंधनका यही संदेश जाता है कि बिहारी लोग आपके केवल चूनाव प्रचार करनेके लिये आने वाले चाहे वह देशका प्रधान मंत्री क्यों हो, उसको बहारी समज़ते है और अस्विकार्य बनते है. महाराष्ट्रके नीतिन गडकरी, अमित शाह, राजनाथ सिंह, नरेन्द्र मोदी बाहरी है ऐसा थापा, बिहारकी जनता मारती है, तो बिहारके लोग भी गुजरात, महाराष्ट्र, मुंबई आदिमें बाहरी ही है. ये बिहारके बाहरी लोगोंको नौकरी और व्यवसाय आदिके लिये अस्विकार्य बनाओ. महाठगगठबंधनके नेताओंने यही संदेश दिया है, इस लिये यदि महाराष्ट्र, गुजरात और युपीके लोग बिहारीयोंको बाह्य समज़के उसको नौकरी, व्यवसाय, सेवा आदिके लिये अस्विकार्य करें तो इस आचारकी भर्त्सना करना अब तो बिहारीयोंका हक्क है नतो महाठगगठबंधनके लोगोंका हक्क है.

महाठगगठबंधनने अपने स्वार्थ लिये देशकी जनताको एक विनाशकारी संदेश दिया है, उसके लिये उसमें संमिलित तत्वोंके उपर न्यायिक कार्यवाही होनी चाहिये. उनकी संस्थाकी या और उनके स्थान होद्देकी जो भी बंधारणीय मान्यता हो उसको तत्काल निलंबित करना चाहिये और न्यायिक कार्यवाहीके फलस्वरुप मान्यता रद होनी चाहिये.

यदि ऐसा नहीं होगा तो एक विनाशक प्रणाली स्थापित होगी जो देशकी एकता पर वज्राघात करेगी.

शिरीष मोहनलाल दवे.

टेग्ज़ः  दाद्री, घटना, उछाल, समाचार माध्यम, नहेरुवीयन कोंग्रेस, सुनिश्चित मतदाता, बीजेपी, विचारधारा, विकास, महाठग, गठबंधन, दंभी, धर्मनिरपेक्ष, गौ, संविधान, संदेश, बिहार, चूनाव, बिहारी, गुजरात, युपी, नरेन्द्र मोदी, अमित शाह, राजनाथ सिंह, गजेन्द्र गडकरी, नौकरी, व्यवसाय, आवास, कोमवाद, विभाजन, अस्विकार्य

Read Full Post »

जो भय था वह वास्तविकता बना (बिहारका परिणाम) – 1

क्या  यह सत्य और श्रेयकी जित है?

नहीं. यह सत्यकी जित नहीं है.

सत्य और श्रेय है वह जनताके बहुमतसे सिद्ध नहीं होता है.

हम जिन चूनावी प्रक्रियाओंके आधार पर जनताका अभिप्राय प्राप्त कर रहे है वह हमेशा सत्य को पुरस्कृत नहीं करता.

बहुमत, सत्यका आधार नहीं बन सकता. बिहारकी जनताने जिस गठबंधनको जित दिलाई, इससे यह सिद्ध नहीं होता है कि सत्य, उस गठबंधनके पक्षमें था जो जिता था.

सत्य किसके पक्षमें था?

सत्य बीजेपीके पक्षमें था.

सत्य किसको कहेते हैं?

यहां पर सत्यका अर्थ है,

() ऐसा कोनसा पक्ष है कि जिसके पास भारतकी समस्याओंकी अधिक जानकारी है?

() ऐसा कौनसा पक्ष है जो इस समस्याओंका समाधान सुचारु रुपसे कर सकता है?

() ऐसा कौनसा पक्ष है जिसके पास आर्षदृष्टि है?

() ऐसा कौनसा पक्ष है जिसके पास अपनी कार्यसूचि है और उसके उपर प्रतिबद्ध है?

() ऐसा कौनसा पक्ष है जिसके पास अपनी कार्यसूचिकी प्रणाली भी सुनिश्चित है?

() ऐस कौनसा पक्ष है जो अधिक नीतिवान है?

() ऐसा कौनसा पक्ष है जिसके पास व्यापक संगठन है?

() ऐसा कौनसा पक्ष है जिसके लियेप्रामिकता भारतका हितहै?

 

श्रेय पक्ष बीजेपी ही है

ऐसा पक्ष केवल और केवल बीजेपी ही है जिसके नेता नरेन्द्र मोदी है. इसके उपर यदि किसीको संदेह हो तो इसकी चर्चा हो सकती है. इससे यदि कोई श्रेयतर नेता है तो बताओ.

नीतिओंकी स्पष्टता, आर्षदृष्टि और नीतिमत्ता इनका अभाव, वह जेडीयु है.

हम आरजेडी, नहेरुवीयन कोंग्रेस, एस पी, एनसीपी, आदिकी बातें नहीं करेंगे. इन सबके काले करतूत इतिहासके पन्नोंपर पर विद्यमान है. वे सभी पक्ष, एक दुसरेके अवलंबनके लिये विवश है. ये सभी राजकीय समीकरणों के आधार पर बनाई गई चूनावी गेमके से जिन्दा है. आवश्यकता होने पर एक होते है और आवश्यकता यदि हो तो एक दुसरेके दुश्मन बनते हैं.

बीजेपी भी ऐसे गठबंधनके लिये विवश बनता है. जैसे कि बीजेपी, शिवसेना, एमएनएस, एल जे पी, डी.एम.के. या .डी.एम. के साथ गठबंधन करती है. किन्तु बीजेपीने कभी भ्रष्टाचार के साथ समझौता नहीं किया.

यह बात सही है कि, कोई विस्तारमें अपने अस्तित्वको बनानेके लिये बीजेपीने ऐसे प्रादेशिक संकुचित मानसिकता वाले पक्षोंसे समझौता किया है. यदि प्रमाणभान की प्रज्ञासे देखा जाय तो बीजेपी की मात्रा अन्य पक्षोंकी तरह असीम नहीं है.

जेडीयुने आरजेडी और नहेरुवीयन कोंग्रेससे गठबंधन किया. ये दोनों पक्ष एक समय उसके सैधांतिक आधार पर दुश्मन नंबर एक थे.

नहेरुवीयन कोंग्रेस तो एक स्वकेन्द्री, वंशवादी और देशकी जनताको विभाजित करने वाला सरमुखत्यार शाहीमें मानने वाला पक्ष है. इसके पास स्वकेन्द्रीय सत्ता प्राप्त करनेके अतिरिक्त, कोई अन्य कार्य सूचि नहीं है. इसने ही उच्च न्यायालयकी अवमानना करके जनतंत्रको नष्ट भ्रष्ट करदिया था. महात्मा गांधीके निकटके साथीयों तकको इसने बिना कोई अपराध और बिना कोई न्यायिक प्रक्रिया, कारवासमें अनियतकाल के लिये बंद किया था और मरणासन्न किया था. ये सब बातें एततकालिन इतिहासके पन्नों पर विद्यमान है. तो भी जेडीयुने इस कोंग्रेसके साथ गठबंधन किया. इससे जेडीयुकी मानसिकताका दर्श्न होता है. आरजेडी नेता भी १९७७में जनता पक्षके सदस्य थे और उन्होंने नहेरुवीयन कोंग्रेसको नष्ट करनेका प्रण लिया था. जब जनता पक्ष तूट गया और जनता दल भी तूटा, तो लालु यादवने अपने लिये एक वंशवादी पक्ष बना लिया. इसने केवल सत्ताके लिये ही नहेरुवीयन कोंग्रेसके साथ गठबंधन किया. लालु यादव अपने कौभांडोके कारण कारावाससे बचने के लिये ये सब करते रहे. उनके  शासनकोजंगल राजका प्रमाणपत्र नीतीशकुमार स्वयंने दिया था.

ये तीनोंने मिलके बिहार पर कमसेकम ४० वर्ष राज किया है. तो भी ये पक्ष बिहारका विकास नहीं करपाये. ये सब बिहारको पछात राज्यकी कक्षा की मान्यता मिले ऐसी वार्ताएं करते रहे. तदुपरांत समाजकी विभीन्न जातियोंके लिये शिक्षा और नौकरीमें आरक्षण मिलता ही रहे ऐसी प्रतिक्रिया भी प्रदर्शित करते रहे.

इन तीनों पक्षकी अपेक्षा बीजेपीका व्यवहार व्यवस्थित रहा है. इसलिये बीजेपी की विजय चूनावमें होना अपेक्षित था और श्रेय भी था.

किन्तु बीजेपी और उसके साथी पक्ष बिहार चूनावमें पराजित हुए

बीजेपी एक ऐसा पक्ष है जो भारतकी ऐतिहासिक सांस्कृतिक धरोहर पर गर्व रखता है. उसका स्वदेशीमें विश्वास है. स्वदेशी उत्पादनमें मानता है और स्वदेशी भाषाओं उपर गर्व रखता है. विदेशीओं द्वारा लिखित आधारहीन भारतीय इतिहासमें वह विश्वास नहीं रखता है. तद उपरांत वह परशुराम, राम, कृष्ण आदि पौराणिक या महाकाव्यके पात्रोंको ऐतिहासिक मानता है.

बीजेपी और खास करके नरेन्द्र मोदी मानते है कि सभी समस्याओंका मूल, शिक्षाका अभाव और कामका अभाव है. इसलिये दो प्राथमिकता बननी चाहिये. एक है, शिक्षासे कौशल्य, और दुसरा है भूमिगत संरचना यानी कि, उर्जा, मार्ग, परिवहन, जल संचय, जलवितरण आदिके विकाससे उत्पादनमें वृद्धि. इस प्रकार विकास करनेसे हर समस्याका निवारण हो जायेगा चाहे वह जातिगत हो या आर्थिक हो.

नरेन्द्र मोदीके पास इन सबकी दृष्टिके उपरांत विदेशी संबंधोंके बारेमें और सुरक्षा संबंधित प्रश्नों के बारेमें सुनिश्चित आयोजन है. उत्पादन, कार्य, और प्रबंध के विषयमें नरेन्द्र मोदीके पास निर्धारित और सुनिश्चित प्रणालीयोंका आयोजन है. बीजेपी एक मात्र ऐसा पक्ष है जिसके पास नरेन्द्र मोदी जैसा एक मात्र नेता है जो बिना थके निस्वार्थ भावसे १८ घंटा काम करता है. सुभासचंद्र बोस, दयानंद सरस्वती, विवेकानन्द, महात्मा गांधी और सरदार पटेलके बाद केवल नरेन्द्र मोदी ही एक मात्र नेता भारतको उपलब्ध हुआ है जो अन्य सबसे एक हजार मिल आगे है.

बीजेपीकी पराजयको वक्र दृष्टिसे मुल्यांकन करनेवाले स्वार्थ परायण दल समूहः

जो महाठगबंधनवाले पक्ष थे उनका हित तो स्वयंका विजय पाना हो यह बात तो स्वाभाविक है. किन्तु जो विद्वज्जन अपनेको तटस्थ मानते है और जो दृष्य श्राव्य और वाच्य समाचार माध्यम है उनको चाहिये था कि वे केवल समाचार ही दें, और अपनी तरफसे तारतम्य वाली समाचार शिर्ष पंक्तियां बनावें. जो मूर्धन्य लोग समाचार माध्यममें या तो एंकर है या कोलमीस्ट (कटार लेखक) है वे तर्कबद्धतासे और प्रमाणभानकी प्रज्ञाका उपयोग करके समाचारोंका विश्लेषण करें और मूल्यांकन करनेमें मापदंड भी समान ही रखें.

समाचार माध्यमों द्वारा कौनसी बातें उछाली गई?

बीजेपी नेतागणसे संबंधितः

() शेतानको लालुजीकी जीभ पर बैठने का एड्रेस किसने दिया?

() ‘   ‘-वाले शर्म करो. पहेले अपना ४० सालका हिसाब बताओ.

() मैं क्या बाहरी हुं. मैं क्या पाकिस्तानका प्रधान मंत्री हुं …. …. ?

() अनामत पर पुनर्विचारणा होनी चाहिये

() मैं स्वयं पीछडी जातिका हुं और मुझपर क्या गुजरी है वह मैं जानता हुं..

() लालुजी किस कारणसे चूनावमें प्रत्याशी नहीं बने, इसका कारण तो बताओ लालुजी,

() यदि एनडीए की पराजय हुई तो पटाखे पाकिस्तानमें फूटेंगे

() यह महागठबंधन एक स्वार्थबंधन है. डीएनए चेक करना चाहियेये तीनों पक्षके नेता एक मंच पर क्यों नहीं सकते हैं?

(१०) नीतीश कुमारने जनतंत्रमें मंत्र तंत्रका आश्रय लिया है. यह वीडीयो क्लीप सोसीयल मीडीया पर बहुत चली.

(११) जिनको गोमांस खाना हो वे पाकिस्तान चले जाय.

(१२) यदि यहां गोमांस खाया तो मैं गला काट दूंगा.

महागठबंधन के उच्चारणः

() नीतीशकुमारने २००२ के गुजरातके दंगोंका उल्लेख किया

() बिहारीयोंको बाहरी चाहिये कि बिहारी?

() काला धनके डेढलाख हमारे एकाउन्टमें अभीतक जमा क्यों नहीं हुए,

() मांस खाने वाले असंस्कारी होते है, ऐसा जब मैंने कहा तब मेरी जबानपर शेतान बैठा था.

() गौमांस तो हिन्दु भी खाते है.

() मांस तो मांस ही है चाहे वह गायका हो, घोडेका हो या कुत्तेका हो.

() मुझे शेतान कहा,

() अमित शाह नरभक्षी है, वह नरपिशाच है,

() बीजेपीवालोंने काला जादु करके मुझ पर फैन गिराया. मैं काला जादु जानता हुं औरकाला कबुतरमीर्च मसाले मंत्र पढके उसको भगाउंगा.

(१०) देखो यह फोटो जिसमें नरेन्द्र मोदी अपना हाथ ज्योतीषीको दिखाते है.    

नरेन्द्र मोदीका चूनाव मंत्रविकासथा. लेकिन महागठबंधनके नेता हमेशा जातिवादकी बातें करते थे और आरएसएसके एक नेताने कहा कि अनामतपर पुनर्विचारणा होना चाहिये. यह सुनकर महागठबंधनके नेताओंमे लड्डु फूटने लगे. वैसे भी उनका गठबंधनजातिवादके आधार पर ही हुआ था. और विकासके आधार पर प्रचार करना उनके लिये कठिन था. क्यों कि बिहारके कई विस्तारोमें, मकान, पानी, मार्ग, बीजली और शिक्षासंस्थाओंकी सुविधाएं नहीं है. उद्योग भी इसके कारण अल्प मात्रामें है. बीजेपीको कोमवाद परस्त कह्ना और कोमवादका मुद्दा उठाना यह तो वैसे भी फैशन है.

दाद्रीनामके एक देहातमें जो हुआ, चूं कि वह हिन्दुओंने किया था, ये सब इस बात पर तूट पडे. और उसको गौमांसके साथ, नागरिक स्वतंत्रता और हिन्दुओंकी असहिष्णुता के साथ जोड दिया. इस बातको जिस सीमातक ले गये इससे ऐसा लगता है कि यह एक सोची समझी व्यूहरचना थी जिसको नकारा नही जा सकता.

सियासती महानुभावोंका एवोर्ड वापसीका सीलसीला

इस घटनाको लेके बीजेपीआरएसएस विरोधी और नहेरुवीयन कोंग्रेस परस्त, अभिनेता, कवि, लेखक, विवेचक, समाजसेवी, आदि तथा कथित महानुभावोंने, सरकार तरफसे दिये गये पुरस्कार एक के बाद एक ऐसा करके लौटाने लगे, ताकि, समाचार माध्यम, चूनावप्रचार अंतर्गत समयमें पूरा वातावरण बीजेपीआरएसएस की असहिष्णुताके विरोधमें बना हुआ रख सके.

यदि इस घटनापर विश्लेषण किया जाय तो भूतकालमें ऐसी ही नहीं किन्तु इससे हजारों लाखों दफा बडी कई मानव हनन और मानव अधिकार हननकी घटनाएं घटी तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

नहेरुकी नीतिके कारण और भारतीय सीमाको असुरक्षित रखनेसे और हमारे जवानोंको शस्त्रोंसज्ज करनेके कारण १९६२में हजारों जवानोंको बेमौत शहीद होना पडा. तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

१९७२में सिमला समझौता अंतर्गत इन्दिरा गांधीने भारतकी जितको पराजयमें परिवर्तित करके हजारों शहीदोंके बलिदानोंपर पानी फेर दिया. तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

१९७५१९७६ मे आपतकाल घोषित करके विरोधी आवाजको बंध करने के लिये ६००००+ लोगोंको कारावासमें अनियत कालके लिये बंद कर दिया. समाचार माध्यमों पर सेन्सरशीप डाल दी. तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

इन्दिराने युनीयन कार्बाईडसे क्षतियुक्त डील किया और भोपालगेस दुर्घटना हुई और सेंकडो मौत हुई और हजारों लोग, शरीरसे स्थायी रुपसे अपंग हुए. इन गेसकांड पीडितोंको, क्षतियुक्त डील के कारण मुआवझा नही मिला. तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

इस घटनाके दोषी एन्डरशनको अर्जुनसिंह और राजीवगांधीने भगा दिया. तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

इन्दिरा गांधीने, खालिस्तानी आतंकवादी भींदराणवालेको संत घोषित करके उसको बढावा दिया, इससे खालिस्तानी आतंकवाद और सीमापारके आतंकवादको बढावा मिला. इसी कुकर्मके कारण इन्दिराकी हत्या हुई. इस नहेरुवीयन कोंग्रेसीयोंने हजारों निर्दोष शिखोंका कत्लेआम किया. तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

सीमापारका आतंकवाद कश्मिरमें बढने लगा और जो हिन्दु कश्मिरमें १५% थे उनके उपर अत्याचार होने लगे और हिन्दु जनसंख्या १९८९ तक % हो यी. तब तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

१९९०में खुले आम, वर्तमान पत्रोंमें इस्तिहार देके, मस्जिदोंमेंसे लाऊडस्पीकर द्वारा घोषणा करवाके, दिवारों पर पोस्टरों लगाके,  हिन्दुओंको चेतावनी दी, कि निश्चित दिनांकके अंतर्गत या तो इस्लाम कबुल करो या कश्मिर छोड दो. यदि यह स्विकार्य नहीं है तो मौत के लिये तयार रहो. ६०००+ हिन्दुओंका कत्लेआम हुआ. ५००००० हिन्दुओंको अपना घर और राज्य छोडने पर विवश किया जो आज २५ सालके बाद भी, वे या तो तंबुमें रहेते है या खोलीमें रहेते है. १९९० पहेले भी नहेरुवीयन कोंग्रेस और उनका साथी “एन. एफ” कश्मिर में राज करते थे, और १९९०के बाद नहेरुवीयन कोंग्रेस और उसके साथी पक्षोंने १५ साल राज किया तो भी नहेरुवीयन कोंग्रेस और उनके साथी पक्षोंके कानोंमें जू तक नहीं रेंगी. इन शासकोंने कश्मिरी हिन्दुओंके मानव अधिकारोंके सतत होते हुए हननके विषयमें केवल उपेक्षा की. तो भी इन महानुभावोंकी संवेदनशीलताको जरासी भी हानि नहीं पहोंची. ये लोग नींभर और संवेदनहीन रहे.

और अब देखो यहां क्या हुआ? दाद्री देहातमें एक गरीब मुस्लिमकी हत्या हुई. युपी जो नहेरुवीयन कोंग्रेसके साथी पक्ष द्वारा शासित राज्य है तो उत्तर दायित्वतो उसका ही बनता है, किन्तु इन सियासती महानुभावोंने इस घटनाका उत्तर दायित्व बीजेपी केन्द्रकी बीजेपी सरकार पर डाल दिया. चूं कि मृत व्यक्ति मुस्लिम था और चूं कि मारने वाले हिन्दु थे. यदि मारने वाले हिन्दु है तो बीजेपी को  उत्तरदायी बता दो. क्या इसमें कोई तर्क है? यहा क्या बुद्धिगम्य है?

वास्तवमें महानुभावोंका तारतम्य और प्रतिभाव निरपेक्ष रुपसे एक प्रपंच है और निरपेक्ष रुपसे कोमवादको उकसाना है. ये सभी महानुभाव को कोमवाद फैलाने के आरोप पर न्यायिक कार्यवाही करनी चाहिये. और उनको कारावास में रखना चाहिये.

(क्रमशः)

शिरीष मोहनलाल दवे

टेग्ज़ः बिहार चूनाव, प्रक्रिया, परिणाम, बीजेपी, जय प्रकाश नारायण, भारतीय संविधान, बहुमत, सत्यका आधार, श्रेय, नरेन्द्र मोदी, अमित शाह, आर्षदृष्टा, नीतिवान, प्राथमिकता भारतका हित, कुशल, ठगबंधन, गठबंधन, आरजेडी, लालु, जंगल राज, जेडीयु, नीतीश, नहेरुवीयन कोंग्रेस, नहेरु, इन्दिरा, वंशवादी, स्वकेन्दी, सत्ता, जवान, शहीदी, दाद्री, नहेरुवीयन कोंग्रेसका साथी पक्ष, महानुभाव, एवोर्ड वापसी, सियासत, परस्त, संवेदनहीन , नींभर, कश्मिर, हिन्दु, शिख, भीन्दरानवाले, खालिस्तान, आतंकवाद, कत्लेआम, हिन्दुओंको चेतावनी

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૧

ભૂમિકા આ છે.

કેટલાક મૂર્ધન્યોએ સરકારી કે એવા કોઈ લાગતા એવૉર્ડ પાછા આપ્યા. બચાવમાં કંઈક આવ દાખલો આપ્યો….

કોઈ એક વાત હોય છે કે એક ઊંટ ઉપર ક્રમવાર બોજો વધારવામાં આવતો હોય છે. ઊંટ માટે એક ક્ષણ એવી આવે છે કે એક તણખલું માત્ર મુકવાથી તે ફસકાઈને પડી જાય છે અને કે મરી જાય છે.

પડી જાય છે કે મરી જાય છે તે વિષે સ્પષ્ટ જાણકારી નથી. પણ આપણે માની લઈએ કે તે પડી જાય છે.

આ બનાવ ઉપરથી એવી લોકવાયકા ઉત્પન્ન થાય છે કે એ છેલ્લું તણખલાનો બોજો, કુલ બોજા ઉપર એક એવો બોજો બન્યો કે તેથી ઊંટ પડી ગયું.

શું આને વિષે આપણે આગળ વિચારીશું? તણખલું મુકાયા પહેલાંનો બોજ જ આમ તો ઊંટ માટે અસહ્ય હતો.

જ્યાં સુધી ઊંટ સહ્ય બોજો ઉઠાવતું હતું ત્યાં સુધી તે ઊંટે ચલાવી લીધું. ઊંટે એમ વિચાર્યું હશે કે આ તો સામાન્ય છે. આવું તો હોય જ ને !!

પછી જેમ જેમ બોજો ઉમેરાતો ગયો તેમ તેમ દરેક બોજા વિષે ઊંટ કદાચ વિચારતું હશે કે આ હવે છેલ્લો જ બોજો હશે. માટે ઉઠાવી લો. (પણ બોજો તો વધતો જ ગયો. અને છેલ્લે એક તણખલા જેવો બોજો ઉમેરાયો એનાથી તે બોજ સહન કરવાની ક્ષમતા નષ્ટ થઈ અને ઊંટભાઈ ફસકાઈ પડ્યા. એટલે ટર્નીંગ પોઈન્ટમા જવાબદાર એ તણખલા ભાઈ બન્યા. જો કે તત્વજ્ઞાનીઓએ બધો દોષ તણખલા ભાઈને ન આપ્યો. બધો દોષ, તો જે બોજો વધુપડતો લદાયો, અને ઉંટભાઈના ચલાવનાર માલિકભાઈએ તેની દરકાર ન કરી તેની ઉપર ઢોળાયો.

ઉપરનું ઉદાહરણ જો વૈજ્ઞાનિક રીતે એટલે કે ભૌતિક શાસ્ત્રની રીતે જોઇએ તો અનેક પ્રશ્નો ઉભા કરે છે. પણ આપણે ફક્ત લક્ષ્યાર્થ લઈશું, અને સામાજીક (રાજકીય) પરિપેક્ષ્યમાં જ તેને વિચારીશું.

ઊંટ એટલે શું?

બોજો એટલે શું?

ઊંટ ફસકી ગયું એટલે શું?

છેલ્લું તણખલું?  “કોણ જવાબદાર?” એટલે શું?

આ બધાને અંતે અને પરિણામે શું બનવું જોઇએ?

આ બધાને અંતે શું બન્યું?

દાદ્રી એક નાનું ગામડું છે. તે ઉત્તર પ્રદેશ નામના ભારતના એક મોટા રાજ્યમાં આવેલું છે. ઉત્તર પ્રદેશ એવા રાજ્યોમાંનું એક રાજ્ય છે કે જે વંશવાદ, સગાંવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, મમતવાદ અને  ભ્રષ્ટાચારી એવા અનેક દુષણોથી પરંપરાથી ચાલ્યા કરે છે. આ રાજ્ય  વડાપ્રધાનો પણ આપે છે.

અહી સમાજવાદી પક્ષ રાજ કરે છે જે નહેરુવીયન કોંગ્રેસનો સાંસ્કૃતિક ભાગીદાર પક્ષ છે. અહીં નહેરુવીયન કોંગ્રેસે, માયાવતી અને મુલાયમ જેવા વ્યક્તિવાદી અને વંશવાદી પક્ષોએ રાજ કર્યું  છે. આ પક્ષના નેતાઓનું મુખ્ય ધ્યેય પૈસા, સત્તા અને નામના છે. રાવણના પાત્ર જેવી નામના મળે તો પણ તેનો  તેમને છોછ હોતો નથી. “કાયદો તેમને અડી શકે નહીં એવા પોતે કેવા જોરદાર અને સમર્થ છે” એટલું જો તેમને માટે કહેવાય તો તે તેમને માટે ગર્વની વાત બને છે.

“વચન પાલન?” શું વાત છે? આ તો બેવકુફી જ કહેવાય.   મથુરા, પ્રયાગ, વારાણસી, અયોધ્યા અને છપૈયા પણ અહીં છે. ઝાંસી, લખનૌ અને આગ્રા પણ અહીં છે.

હિંસા દ્વારા અહીં સત્તાનું પ્રદર્શન કરવું એક શોખ ગણવામાં આવે. ભ્રષ્ટાચાર દ્વારા પૈસા ભેગા કરવા એ એક આવડત ગણવામાં આવે છે.

યુપી કેવું છે?

નીચેનો સંવાદ સાંભળો.

“અરે અમે તો આખું કૂટૂંબ લઈને અમેરિકા ગયેલા અને એક અઠવાડીયું ફાઈવસ્ટાર હોટેલમાં રહેલા…”

“અરે અમે તો અમારા કૂટુંબ સાથે જ નહીં મિત્રમંડળના કૂટુંબોને પણ સાથે લઈને અમેરિકા ગયેલા અને ત્રણ મહિના ફાઈવસ્ટાર હોટલોમાં રહેલા…”

——

“મેરે ફુફાજી દરોગા હૈ. હમેં કોઈ ટચ નહીં કર સકતા”

——

“ ‘પ્પુ’ કે પિતાને તો અપને ઘરકે પીછે એક તાલાબ બનવાયા હૈ. ઉસમેં કઈ મગરમચ્છ ભી રખ્ખે હૈ. અરે વહ તો ગડ્ડીકે છત પર ભી મગરમચ્છ લેકે હી ઘુમતા હૈ. જો ઉસકે સામને પડા ઉસકો માર કે મગરમચ્છ કો ખીલા દેતા હૈ. પૂલીસ ભી ક્યા કર પાયેગી? ડેડ બોડી ભી તો મિલના ચાહિયે ન?”

——

વો તો ઠાકુર હૈ ઠાકુર…

એક દફા એક જગહ હોલીકા નાચગાન ચલ રહા થા. ઠાકુરને નાચનારીન જો એક ગીત ગા રહી થી ઉસકો કાટને કે લિયે ૫૦ કા નોટ ફેંકા ઔર અપની પસંદકે ગીતકી ફરમાઈશ કી… નાચનેવાલી વો ગીત ગાને લગી. ઉતનેમેં એક દલિતકા લડકા આયા જો ઉસ ઇલાકેકા, ખલિફા (ગુન્ડા) થા. ઉસને ૧૦૦કા નોટ  ફૈંકા. ઔર  ઉસ ગીતકો કાટકે અપની ફરમાઈશ કી. નાચનારીન ઉસકી ફરમાઈશ પર ગાને લગી. તો ઠાકુરને ૫૦૦કા નોટ ફેંકા ઔર ઉસકે ગીતકો કટવા દિયા. ઔર અપની ફરમાઈશ ચાલુ રખવાઈ.   તો વહ દલિત ગુન્ડેને ૫૦૦કી દો નોટ ફૈંકી ઔર વહ ગીત કટવાયા ઔર અપની ફરમાઈશ ચાલુ રખવાઈ. તો ફિર ઠાકુરને કર દિયા ઉસકો ઢીશુમ ઢીશુમ. ઔર વહાંસે ચલ દિયા. કિસીકી હિમત નહીં કિ કોઈ ઠાકુર કો રોકે. ઐસી હોતી હૈ ઠાકુરકી બાત.

——

“યુપી કે એક પૂલીસ અફસરકો અપને નામકા ડંકા બજાના થા. ઔર એનકાઉન્ટરકા અપના એક રેકોર્ડ બનાના થા. કિસીકો ભી મારના હો, બસ નિયત પૈસે દેદો, નામ ઔર ઠિકાના દેદો. આપકા કામ હો જાયેગા. વજહ બતાનેકી જરુરત નહીં.” આ વાતની આખી વીડીયો ક્લીપ ટીવી ચેનલ ઉપર આવેલી.

———–

યુપીમાં લગ્નમાં ફટાકડા ઉપરાંત બંદુકના ભડાકા પણ એટલા કરવામાં આવે છે. આમ તો ગોળીઓનો હિસાબ રાખવાનો હોય છે પણ કાયદો કોઈને અડે નહીં.

————-

આ યુપીના એક દાદ્રી નામના ગામડામાં એક લઘુમતિ કોમની વ્યક્તિ ગાયનું માંસ લઈને પોતાને ઘરે ગઈ. ગામના હિન્દુઓને થયું કે તે વ્યક્તિએ ગાયને મારી. ગૌમાંસ પણ ખાધું. શું વાત છે એ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. યુપીમાં ગૌ હત્યા પર બંધી છે.

ત્યાંના માંસભક્ષી અ-હિન્દુઓ માને છે કે ગૌ હત્યા ઉપર બંધી છે પણ તેનો અર્થ એવો થતો નથી કે ગૌ માંસ ખાવાની બંધી છે. કારણ કે જે ગૌમાંસ ખાય છે તેણે તો ગાયને મારી  નથી હોતી. ગૌ-માંસ ખાવાની તો  છૂટ્ટી જ છે ને !! આ તર્કને આગળ વધારો .. અને સરખાવો …. “દારુ બનાવવાની બંધી છે” તેનો અર્થ શું થાય? તેનો અર્થ એજ થાય કે દારુ બનાવવાની બંધી છે પણ દારુ પીવાની બંધી નથી.”

હજી આ તર્કને આગળ વધારો … “દારુ પીવાની બંધી છે તેનો અર્થ એવો નથી થતો કે દારુ બનાવવાની પણ બંધી છે. દારુ બનાવવાની તો છૂટ્ટી જ છે.”

હજી આ તર્કને આગળ વધારો. દેશમાં દુકાળ છે? તો ૨૫ માણસથી વધુ કોઈને જમાડવા નહીં. એટલે કે ૨૫ માણસથી વધુ માણસોને જમાડવાની બંધી. પોલીસ આવ્યા અને યજમાનને પકડ્યા, અને પૂછ્યું “આ શું છે ? આ તો ૫૦ માણસોની રસોઈ છે !!” યજમાને કહ્યું “ફોજદાર સાહેબ આ તો કુતરાઓ માટે રસોઈ બનાવી છે. માણસો માટે આ રસોઈ બનાવી નથી. મારે કુતરાઓને શું ખવડાવવું એ મારી મરજીની વાત છે તેમાં સરકારી દખલ ન જોઇએ. વળી સાહેબ તમે એક વાત સમજી લો કે કાયદો ૨૫ માણસોથી વધુ માણસોને નહીં જમાડવાનો છે. રસોઈ મારે કેટલી કરવી તેમાં મારે સરકારી કે કોઈની પણ દખલ ન જોઇએ.

જે છેલ્લી બે વાત કરી તેમાં જે દારુ બનાવવાની વાત મુંબઈના ૧૯૬૦ના દસકાના પૂર્વાર્ધની છે ની વાત છે. અને આ વાત ખુદ નહેરુવીયન કોંગ્રેસના મુખ્ય મંત્રીએ કરેલી. તેમને દારુની ફેક્ટરી નાખવી હતી. તેમને દારુ એક્સપોર્ટ કરવો હતો. દેશને હુંડીયામણ મળે ને એટલે. આની અંદર ઘણી ગહન વાતો છે. જેમાં અમુક જત્થાને રીજેક્ટેડ કરાવવાની ગોઠવણ કરાવવી અને પછી તેને બ્લેકમાં અંદરખાને દેશમાં જ વેચવો એટલે માલામાલ. આ બધી શક્યતાઓને નકારી ન શકાય.

બંધારણમાંની જોગવાઈઓ બ્યુટીફીકેશન માટે નથી

બંધારણ શું કહે છે? બંધારણ સમાજને અહિંસક બનાવવાનું કહે છે. બંધારણ દેશમાં ગૌવધ બંધી કરવાનું કહે છે. બંધારણ ગાંધીવાદી વિચારો અને આચારોને પુરસ્કૃત કરવાનું કહે છે.

“ગૌ” શબ્દનો ભારતીય સાંસ્કૃતિક અને મહાત્મા ગાંધીવાદી અર્થ ગાય, ઘોડા, બકરા ઘેટાં, ભેંસ, ગધેડા વિગેરે શાકાહારી પ્રાણીઓ જે મનુષ્ય સમાજને પોષે છે. મનુષ્ય સમાજે તેમની સુરક્ષા કરવી. બંધારણમાં દેશમાં સંપૂર્ણ દારુબંધી કરવાની પણ વાત છે. આ બધી જોગવાઈઓ બંધારણમાં આદેશાત્મક જોગવાઈઓ તરીકે છે. રાજ્યોએ આ બધાનો અમલ કરવાનો છે. આ બધી જોગવાઈઓ બંધારણમાં બ્યુટીફીકેશન માટે રાખવામાં આવી નથી. રાજ્યોએ તે આદેશોની દિશામાં કામ કરવાનું છે. રાજ્યોએ તે દિશાથી વિરુદ્ધ દિશામાં કામ કરવાનું નથી.

આપણા પ્રસાર માધ્યમના પંડિતો અને કેટલાક કટારીયા મૂર્ધન્યો બંધારણના આદેશાત્મક સિદ્ધાંતોને જાણી જોઇએને સ્પર્શતા જ નથી. જાણે કે તેનું અસ્તિત્વ જ નથી. તેઓ ફક્ત મનુષ્યની ખાવાની અને બોલવાની સ્વતંત્રતાની જ વાત કરે છે.

જો તમે ભડના દિકરા હો તો

જો તમે ભડના દિકરા હો તો બંધારણની વિરુદ્ધ બોલો અને તેને સુધારવા માટે લડત ચલાવો. આના કરતાં સો ગણી મોટી લડત ચલાવો. પણ આવું તો તમે કરતા નથી. તમે આવું કરવાના પણ નથી. માટે મહેરબાની કરી દંભ છોડો અને પારદર્શી બનો.

જ્યારે દેશમાં મૂર્ધન્યોની માનસિકતા જ ભ્રષ્ટ હોય તેવા દેશના ગામડામાં બીજું શું હોઈ શકે? તેમાંય ખાસ કરીને પછાત ગણાતા યુપીમાંના પછાત અને નાના ગામમાં ગૌ હત્યાની અફવાને કારણે કે કોઈપણ કારણે ટોળાએ, એક ગરીબ માણસના ઘરમાં ઘુસીને તેની હત્યા કરી.

કાયદાનો અમલ કરવો, કરાવવો અને ગુનેગારને દંડિત કરવો એ અનુક્રમે સરકારનું અને ન્યાયાલયનું કામ છે. જનતાએ કાયદો હાથમાં લેવો ન જોઇએ. જો કોઈ ટોળું કાયદો હાથમાં લે અને ટોળું પોતે જ ન્યાયધીશ થઈ જાય તો તે બદલ શું કરવું તે સરકારનું કામ છે. જો કોઈ ચર્ચા કરવી હોય તો તે રાજ્ય સરકારે આ બાબતમાં શું કરવું જોઇએ તે પૂરતી જ ચર્ચાને મર્યાદિત રાખવી જોઇએ.

પણ શું આવું થયું?

નાજી.

લાલુએ કોઈ એક વખત કહેલ કે તેમને સ્વપ્નમાં મહાદેવજી આવેલ અને કહેલ કે “માંસ ખાના છોડ દે” અને લાલુજીએ માંસ ખાવું છોડી દીધેલ. તેમની તબિયત સુધરી. અને તેમણે કહ્યું કે “માંસ ખાનારા અસંસ્કારી હોય છે.” આ બધા પછી આ દાદ્રીનો બનાવ બન્યો.  આપણા લાલુભાઈને તો મુસ્લિમોના મત જોઇએ. તેમાં વળી લાલુભાઈની  “માંસ ખાનારા અસંસ્કારી હોય છે.” વાળી વીડીયો ક્લીપ જાહેર થઈ. એટલે લાલુભાઈએ કહ્યું કે “તે વખતે મારી જીભ ઉપર શેતાન બેસી ગયેલો.”

એટલે નરેન્દ્ર ભાઈ મોદીએ રમુજ કરી કે “શેતાનને કોઈની જીભ ઉપર બેસવાનું સરનામું કોણે આપ્યું?

આપણે જાણીએ છીએ કે આપણા મોટાભાગના સમાચાર માધ્યમના પંડિતોની, નહેરુવીયન કોંગ્રેસીઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની વાત જવા દો, પણ આપણા કેટલાક કટારીયા  મૂર્ધન્યોને પણ અધૂરું, જુદું અને ઉંધુ સાંભળવાની ટેવ છે અને પછી તેઓ એવું જ ઑકે છે.

જેમ કે ગાંધીજી પાકિસ્તાનને ૫૫ કરોડ આપવા માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ. વાસ્તવમાં આ એક અસત્ય છે. મહાત્મા ગાંધીની દરેક ક્રિયામાં પારદર્શિતા અને સુસ્થાપિત રીત હતી કે જ્યારે પણ વિરોધ પ્રદર્શન કરવાનું હોય ત્યારે ચર્ચા માટે તૈયાર રહેવું અને વિગતવાર નોટીસ આપવી. અને વિરોધ કરતી વખતે પણ ચર્ચાના દ્વાર ખુલ્લા રાખવા. ગાંધીજીએ દિલ્લીમાં કોમી શાંતિ માટે આમરણાંત ઉપવાસ કરેલા. ૫૫ કરોડ પાકિસ્તાનને આપવા માટે નહીં. આ વાત થોડી લાંબી છે અને અન્યત્ર મારા બ્લોગ સાઈટ ઉપર કરેલી છે. આર એસએસ વાળા અને કટ્ટર હિન્દુવાદીઓએ ગાંધીજીને બદનામ કરવા માટે આ વાત જોડેલી. આમેય તે વખતે, ગાંધીજી, મુસ્લિમોની તરફેણ કરે છે એવી હવા હતી. એટલે લોલં લોલ આવી વાત જોડી દેવામાં આવી. અને આપણા “તડ અને ફડ” વાળા મૂર્ધન્ય જ નહીં પણ બીજા અનેક લોકોએ પોતાની અર્ધદગ્ધતા અને તટસ્થતા પ્રદર્શિત કરવાની ધૂનને કારણે આ વાત સ્વિકારી લીધેલી.

રાજકારણથી ભરપૂર એક વધુ ઉદાહરણવાળું જુઠાણું એ છે કે ૨૦૦૨માં બાજપાઈએ નરેન્દ્ર મોદીને રાજધર્મ ન બજાવવા માટે ઠપકો આપેલ. આ પણ એક નરાતર જુઠાણું છે. પણ આ જુઠાણાનો ભરપૂર લાભ જ્યાં ત્યાં રહેલા મોદી વિરોધીઓ આજ ની તારીખમાં પણ લીધા કરે છે. એટલું જ નહીં પણ  “તડ અને ફડ” વાળા મૂર્ધન્ય જ નહીં પણ બીજા અનેક લોકોએ પોતાની અર્ધદગ્ધતા અને તટસ્થતા પ્રદર્શિત કરવાની ધૂનને કારણે અવાર નવાર આવું જ  કર્યા કરે છે. પોતાને ગાંધીવાદી માનનારા પણ આમાં બકાત નથી.

વાસ્તવમાં વીડીયો ક્લીપ, બાજપેયીને એમ કહેતા દર્શાવે છે કે “શાસકે રાજધર્મ બજાવવો જોઇએ.” બાજુમાં બેઠેલા નરેન્દ્ર મોદી એમ કહે છે કે “અમે રાજધર્મ જ બજાવી રહ્યા છીએ”. અને આ સાંભળીને બાજપાઈ એમ કહે છે કે “ઔર હમે વિશ્વાસ હૈ કિ નરેન્દ્રભાઈ મોદી વહી કર રહે હૈ.”

નરેન્દ્ર મોદીના વિરોધીઓ અને પોતાની તટસ્થતાનું પ્રદર્શન કરવાની ધૂનવાળા મૂર્ધન્યો છેલ્લા બે ઉચ્ચારણો ગુપચાવી દે છે અને પોતાનો રોટલો શેકે છે.

શેતાન જો આવું બોલે તો ઈશ્વર શું બોલશે?

નરેન્દ્ર ભાઈ મોદીએ જે રમુજ કરી કે “શેતાનને કોઈની જીભ ઉપર બેસવાનું સરનામું કોણે આપ્યું?” તે એક હાસ્ય વૃત્તિ છે. આમાં કશું ખોટું નથી. કે આમાં કશી ગાળ નથી. પણ આપણા “ટડ અને ફડ” જેવા મૂર્ધન્યોએ મગજ ચલાવ્યા વગર જ એવો અર્થ કર્યો કે નરેન્દ્ર મોદીએ એમ કહ્યું કે લાલુ પ્રસાદ શેતાન છે. નરેન્દ્ર મોદીએ બોલવામાં ધ્યાન રાખવું જોઇએ વિગેરે વિગેરે…

નરેન્દ્ર મોદી વિષે આવું અનર્થકારી અને વિકૃત અર્થઘટન કંઈ પહેલી વાર નથી થયું. તેમણે એક વાર એવું કહ્યું કે “મનુષ્ય સંવેદન શીલ છે અને જો ગાડાનીચે કુતરું પણ કચરાઈ જાય તો પણ આપણને દુઃખ થાય.” આનો વિકૃત અર્થ એવો કરવામાં આવ્યો કે “નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને કૂતરા કહ્યા. નરેન્દ્ર મોદી મુસ્લિમોને મનુષ્ય માનતા જ નથી.”

“એક છોકરાની મમ્મી પડોશીના છોકરાની મમ્મીને ફરીયાદ કરી કે તમારા છોકરાએ મારા છોકરાને મારવાની ધમકી આપી છે. પડોશીના છોકરાની મમ્મીએ કહ્યું કે મારો છોકરો તો કૂતરાનેય મારે એવો નથી. તો શું પહેલા છોકરાની મમ્મી એમ કહેશે કે “તેં મારા છોકરાને કૂતરો કેમ કહ્યો?”

નરેન્દ્ર મોદીએ તો લાલુભાઈના શબ્દો જ લાલુભાઈને પાછા આપ્યા. નરેન્દ્ર મોદી, તેની ઉપર વધુ ચર્ચા કરી શક્યા હોત કે “લાલુભાઈની જીભ ઉપર શેતાન આવીને એમ કહેવડાવે કે માંસ ખાનારા અસંસ્કારી હોય છે” તો લાલુભાઈની જીભ ઉપર જો ઈશ્વર બેસશે તો તે શું કહેવડાવશે?

શું ઈશ્વર લાલુની જીભ ઉપર બેસીને એમ કહેવડાવશે કે “માંસખાનારા તો અતિ સંવેદનશીલ અને દયાળુ હોય છે?”

લાલુભાઈએ જ્યારે એમ કહ્યું કે “માંસ તો માંસ જ હોય છે. પછી તે ગાયનું હોય ઘોડાનું હોય કે કૂતરાનું હોય…” “કે પછી માણસનું હોય. માણસને શું કામ બાકી રાખવો?.” ત્યારે લાલુભાઈની જીભ ઉપર કોણ બેઠેલું હોઈ શકે?

શેખ આદમ આબુવાલાએ એક બહુ સરસ વાત કરેલી. તે જર્મની હતા. ત્યારે એક જર્મન મિત્રે તેમને કહ્યું કે તમને લોકોને ગાયને ખાવામાં વાંધો શો છે? તમે એને પાળી એને ખોરાક આપ્યો. તેણે તમને દૂધ આપ્યું. તે દૂધ આપતી બંધ થઈ ગઈ. તે નકામી થઈ. હવે તેને ખાઈ જવાની. વોટ ઈસ રોંગ ઇન ઇટ.” શેખ આદમે જવાબ આપ્યો “તારો બાપો પણ હવે નકામો જ થઈ ગયો છે. એને તું ખાઈ જા.”

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ ઊંટ, તણખલું, બોજ, દાદ્રી, સમાજવાદી પક્ષ, મુલાયમ, વંશવાદી, યુપી, મગરમચ્છ, ફરમાઈશ, ૫૦૦કા નોટ, ઢીશુમ, એનકાઉન્ટર, બંદુકના ભડાકા, કટારીયા, મૂર્ધન્યો, કાયદો, માનસિકતા, દારુ, એક્સપોર્ટ, મુંબઈના મુખ્ય પ્રધાન, બંધારણ, ગૌ, અહિંસા, બ્યુટીફીકેશન, મહાત્મા ગાંધીવાદી, ભડના દિકરા, લાલુ, મુસિમ, વોટ, શેતાન, ઈશ્વર, જીભ, નરેન્દ્ર, રાજધર્મ, શેખ આદમ

Read Full Post »