Feeds:
Posts
Comments

Archive for May, 2012

ભયભીત ભૂતપૂર્વ હોદ્દેદારો અને સમાચાર માધ્યમો.

 

 

વાત તો કેશુભાઈની અને તેમના મળતીયાઓની જ હોય ને!

કેશુભાઈનું ડરાઉં ડરાઉં

ચોમાસું બેસવાનું હોય અને એકાદ ઝાપટું પડે એટલે દેડકાઓની “ડરાઉં ડરાઉં” ની મોસમ ચાલુ થાય. વાદળનો ગડગડાટ થાય એટલે મોર ભાઇઓ પણ “મેઆવ મેઆવ” ના ટહૂકા કરે. આ તો કુદરતની કરામત અને સૌંદર્ય છે. સૌ કોઈ એનો આનંદ માણે છે. 

ગુજરાત માટે વિધાનસભાની ચૂંટણીની મોસમ નવેમ્બર ડીસેમ્બરમાં આવશે. થોડી વચગાળાની ચૂંટણીઓ થઈ તેમાં ગુજ્જુ કોંગી દેડકાઓએ પેટ ફુલાવ્યા. પણ બળદ જેવડું કદ તો ન જ થયું. પણ ખાસીયત પ્રમાણે “મીયાં પડ્યા પણ તંગડી ઉંચી” (મીયાં ભાઈઓ માફ કરે), કોંગીઓએ પ્રદર્શનપ્રિયતા ચાલુ રાખી. કોંગી મહાજનોના વિદેશી ખાતાઓના પૈસા ક્યારે કામ લાગશે? વાપરો ભાઈ વાપરો. છાપાવાળા કહેશે લાવો ભાઈ લાવો. તમે કહેશો તે અને તેમ છાપીશું. તમારો ટકલો મુંઝાતો હશે તો અમે અમારા ટકલાને કામે લગાડીશું.

બીજેપીવાળાને વગોવવા અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીને વિકૃત રીતે રજુ કરવા એ તો અમને ગોઠી ગયું છે. શબ્દોની ગોઠવણમાં અમે પાવરધા છીએ. અને તમે જોજો અમે કેટલાક મૂર્ધન્યોને પણ અમારી લાઈનમાં લાવવાની કોશીશ કરીશું.

કથા સંજયભાઈ જોશીની

એક ભાઈ છે જે સંજય જોશી નામે ઓળખાય છે. જોકે કદીય અખબારોમાં કે સામાન્ય કાર્યકરોને મુખેથી તેમનું નામ સીડી પ્રકરણ પહેલાં સંભળાયું ન હતું. પણ એ વાત જવા દઈએ. તેઓશ્રી બીજેપી, આરએસએસમાં મોટા લીડ હતા. અને એક જાતીય સંબંધને લગતી સીડી માં કેદ થયેલ. એ સીડી ફરતી થઈ. હવે ગુજરાતમાં કંઈપણ થાય એટલે નરેન્દ્રભાઇને તો લપેટમાં લેવા જ પડે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને આ બનાવ સાથે કંઈ લેવા દેવા નહીં. પણ પ્રસંગનો (ગેર)લાભ ન લઈએ તો ખોળીયું લાજે. માટે  બનાવ સાથે જોડો નરેન્દ્ર ભાઈ મોદીનું નામ.

જો કે નહેરુવીયન કોંગ્રેસીઓને બદલે હવે કોંગી એમ કહીશું. કોંગ + ઈ = કોંગી. આ શબ્દ ૧૯૬૯થી પ્રચલિત હતો અને હજી પણ પ્રચલિત છે.

તો હવે નરેન્દ્રભાઇ મોદીને કેવીરીતે આ સીડી પ્રકરણ સાથે જોડીશું? સર્વે મીડીયા મૂર્ધન્યો અને ગુજ્જુ કોંગીબંધુઓ વિચાર કરવા લાગ્યા.  “કહોને કે, સીડીને લગતી આદિથી અંત સુધીની પ્રક્રીયામાં નરેન્દ્ર ભાઈ જ પ્રોડ્યુસર, ડાઈરેક્ટર, ફોટોગ્રાફર અને ડીસ્ટ્રીબ્યુટર છે.  ફક્ત હીરો હિરોઈન જ બીજા છે.”

જો કે ગઈ ચૂંટણી વખતે ટીવીની એક ચેનલ ઉપર કુંવારા નરેન્દ્ર ભાઇની, નરેન્દ્રભાઈને પરિણિત સ્ત્રીએ દેખા દીધેલી. એ વાત ચાર આંખવાળા પ્રસારણ માધ્યમના ખેરખાંઓએ કેમ કરીને આગળ ન વધારી તે સંશોધનનો વિષય છે.

જોશીભાઈને તો બીજેપીમાંથી ફારેગ કર્યા અને તપાસ ચલાવી. સીડી બનાવટી જાહેર થઈ.

કોંગીવાળા બોલે તો બે ખાય

કોંગી નેતાઓ આ વિવાદથી અળગા રહ્યા. કારણ કે તેમનામાંના કેટલાક મહાજન નેતાઓ જાતિય કૌભાન્ડોમાં બીજેપીના કોઈપણ નેતાને અભડાવે એવા છે. આ બાબતમાં જગજીવન રામના સુપૂત્રના પ્રસિદ્ધ થયેલા ફોટાઓ અને હાલમાંના કોંગી મહાજન અભિષેક સીંઘવીની જાતીય સીડીના બનાવ હાજરા હજુર છે. જો તેઓ જોશીભાઈની સીડીના મુદ્દાને હથીયાર બનાવે તો બીજેપીવાળા તેને બૂમરેન્ગ બનાવી દે. માટે તેમને થયું કે તત્કાલ પૂરતા મૂંગા રહો. જો નરેન્દ્ર મોદી, સંજય જોશી જોડે સંબંધ રાખશે તો આપણે એ મુદ્દાને ચગાવીશું કે જુઓ, ગુજરાતના મુખ્ય મંત્રી કેવા દુરાચારીઓ સાથે સંબંધ રાખે છે! એટલે હાલ પૂરતું તો, સંજય જોશીના મુદ્દા વિષે સમાચાર માધ્યમોને સીડીએ(દાદરે) ચડવા દો.

ટૂંકમાં નરેન્દ્રભાઈ, સંજય જોશી સાથે સંબંધ રાખે તો બે ખાય અને ન રાખે તો તો પણ અધધધ ખાય. એમ કહેવાય કે જુઓ નરેન્દ્રભાઈ મિત્રોને કેવા આઘાતો આપે છે, આવી વાતોને મીર્ચ મસાલા સાથે ચગાવી શકાય.

સંજયભાઈતો નિર્દોષ ઠર્યા. જો કે આ બીજેપીની અંદરની વાત છે. પણ નિર્દોષ ઠર્યા અને બીજેપીમાં હોદ્દા ઉપર પાછા આવ્યા તો એ વાતને ચગાવો કે હવે નરેન્દ્રભાઈનું આવી બન્યું છે.

યુપીની ચૂંટણીમાં સંજયભાઈ પ્રભારી હતા. યુપીમાં જો બીજેપી પ્રમાણમાં સારો દેખાવ કરે તો એમ કહેવું કે; નરેન્દ્રભાઈ તમે શું એમ માનો છો કે કૂકડો નહીં હોય તો શું વહાણું (સવાર, પ્રભાત, સૂર્યોદય) નહીં વા? છાપો …. નરેન્દ્રભાઈનો ગર્વ ચકનાચૂર. નરેન્દ્રભાઈને તો ઘણું યુપીમાં જવું હતું, પણ તેમના ગર્વિષ્ઠપણાએ તેમને રોક્યા. તેમને એમ કે કુકડો હશે તો જ વહાણુ વાશે. પણ જુઓ સંજય જોશી અને ઉમાભારતીએ કેવું નરેન્દ્રમોદીના ગર્વનું ખંડન કર્યું!

પણ ધારોકે નરેન્દ્ર મોદી યુપી ગયા હોત અને જો ખરાબ પરિણામો આવ્યા હોત તો? તો તો કોંગી, ધર્મનિરપેક્ષીઓને અને સમાચાર માધ્યમોને ગોળના ગાડાં મળી જાત.

સંજય જોશીની નરેન્દ્ર મોદી સાથેની મિત્રતાની કે મિત્રદ્રોહની વાતને શું કામ ચગાવવી?

શંકરભાઈ, સુરેશભાઈ અને કેશુભાઈ શું હતા? અરે કેશુભાઈ તો નરેન્દ્રભાઇ મોદીના ગુરુ હતા.  શંકરભાઈ તો અધિરા થયા અને પૉરો ખાધા વગર દુશ્મનપક્ષમાં પોતાની ખજુરાહો-સુશોભિત  ભજનમંડળી સાથે  ઘુસી ગયા.  શંકરભાઈએ, કેશુભાઈને કોંગીનો સાથ લઈ સત્તા ઉપરથી ઉથલાવી દીધેલ. પણ પછીની ચૂંટણીમાં ગુજ્જુભાઈઓએ કેશુભાઈને ઉભા કર્યા અને તેમને રાજગાદી ઉપર પૂનર્‌સ્થાપિત કર્યા. કારણ કે તેમને ગુજ્જુદ્રોહી કોંગીઓ તો ખપે જ શેના? પછી કોંગીએ પોતાની આદત પ્રમાણે શંકરભાઈને વેતર્યા.

કેશુભાઈની સરકાર અને વહીવટના વહીવટદારો

કેશુભાઈ મુખ્યમંત્રી તરીકે કેવા હતા? કેશુભાઈ પાસે સ્વપ્નો હતાં. તેમણે તે સ્વપ્નોને સાકાર કરવાના પ્રયત્નો કરેલા. પણ સ્વપ્ન હોવાં અને વહીવટ કરવાવાળાઓ ઉપર બધું છોડી દેવું એ બરાબર તો ન જ કહેવાય. જ્યારે પ્રસંગો અને તેને લગતી પ્રણાલીઓ પૂર્વ નિર્ધારિત હોય તો થોડો સમય બધું થોડું ઘણું સમુસૂતરું ચાલે પણ પછી સરકારી નોકરોની અને આડતીયાઓની (આડતીયાઓમાં પક્ષના કાર્યકરો પણ હોય.) આદતો બગડે જ.

મોટાભાગના સરકારી નોકરો તો પોતાની આદતો બગાડવા માટે એવરરેડી જ હોય. આ બધાના પરિણામે અમદાવદની કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો. આ પરાજય આમ તો બીજેપી મોવડીમાંડળ માટે અગમચેતી હતી. પણ કેશુભાઈને ચાલુ રખાયા. તે પછી કુદરતી આફત આવી દરિયાઈ વાવાઝોડા આવ્યાં. વહીવટી તંત્ર અસફળ રહ્યું. ૨૦૦૧માં ભિષણ ધરતીકંપ આવ્યો અને વહીવટી તંત્ર તદન નિસ્ફળ ગયું. કેશુભાઈ મજાકનું પાત્ર બની ગયા. કેશુભાઈના દરેક ઉચ્ચારણોની મજાક થવા માંડી. સરકારી નોકરોની ખાયકીમાં પૂર આવ્યું. દાનમાં મળેલા તંબુઓ સરકારી નોકરોએ ઠાંગી લીધા. દાનના લેબલ લાગેલા ખાદ્ય પદાર્થો લેબલ સાથે બજારમાં ખૂલ્લેઆમ વેચાવા લાગેલા. ભ્રષ્ટ વહીવટની જાણે પરાકાષ્ઠા હોય એવું લાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં ૨૦૦૨માં ચૂંટણી આવવાની હતી. જો આ ચૂંટણી જીતવી હોય તો કાબેલ મુખ્ય મંત્રીની જરુર હતી. ઈશ્વરનું કરવું કે બીજેપી મોવડી મંડળને સદબુદ્ધિ સુઝી અને નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. આ નરેન્દ્ર મોદીએ બઘેડાટી બોલાવી. ખાઉકડ સરકારી અમલદારોમાંથી જેટલા પકડાયા તેમના ઉપર તવાઈ આવી અને કામગીરી ચાલુ થઈ.

ગોધરા રેલ્વેસ્ટેશન કાંડમાટે નરેન્દ્ર મોદી જવાબદાર

બધું ઠીકઠાક ચાલતું હતું અને નરેન્દ્રભાઈ એ એક ઉચ્ચારણ કર્યું કે “બીજેપી ના શાસનમાં કોમી દંગાઓનું નામોનિશાન મટી ગયું છે.” આ સાંભળી દંગાખ્યાત એવા ગુજ્જુ કોંગીઓના પેટમાં તેલ રેડાયું. ગોધરાના એક કોંગીલીંકવાળા નેતાથી સહન ન થયું અને યોજનાબદ્ધરીતે સાબરમતી એક્ષપ્રેસને સળગાવવાનું કાવત્રું થયું. પણ તે ટ્રેન મોડી પડતાં ફક્ત તેનો એક જ ડબ્બો સળગાવી શકાયો. કોંગી નેતા બોલ્યા કે નરેન્દ્ર મોદીએ “બીજેપી ના શાસનમાં દંગાઓનું નામ નિશાન મટી ગયું છે.” એવું કહીને અમારા મુસ્લિમભાઈઓને પરોક્ષ રીતે દંગા કરવા ઉશ્કેર્યા હતા. મોદી એવું બોલ્યા જ શું કામ?

હા ભાઇ, વાંક તો નરેન્દ્રભાઈ મોદીનો જ ગણાવો જોઇએ. અમે કોંગીઓએ અમારા પચાસ વર્ષના શાસનમાં ભલે અમારા મુસ્લિમભાઈઓને ગરીબ, અભણ અને બેકાર રાખ્યા. પણ આ બાબતમાં તો અમે હિન્દુઓને પણ ક્યાં બકાત રાખ્યા છે? પણ અમે મુસ્લિમભાઈઓનું ઘણું ભલું કર્યું છે અને તે એ કે અમે તેમને ધર્મ બાબતમાં સંવેદનશીલ (આળા) બનાવ્યા છે. એટલે ૧૯૯૨માં બનેલા બાબરી મસ્જિદ ધ્વંશના બનાવની સંવેદના દશવર્ષ પછી પ્રગટ કરે તો ખરા જ ને! તમે કહેશો કે શું સંવેદના પ્રગટ કરવાનું મુહૂર્ત દશ વર્ષે આવ્યું? અરે ભાઈ,

દરેક કાર્ય કરવાના કોંગીભાઈઓ માટે મૂહુર્ત હોય છે. (ચૂંટણી પણ એક મુહૂર્ત છે). 

હવે તમે વિચારો કે કુદરતી આફતોમાં મળેલી વહીવટી નિસ્ફળતા અને બદનામી પછી પણ જો કેશુભાઈ મુખ્યપ્રધાન પદે રહ્યા હોત તો ગુજરાતમાં તો યુપી કરતાંય બદતર રીતે બીજેપીનું નામું નંખાઈ જાત.

નરેન્દ્ર મોદી જ આવે સમયે ગુજરાતને તારી શક્યા તે માટે ઈશ્વરનો આભાર માનો.

પણ સમાચાર માધ્યમના મૂર્ધન્યોની યાદદાસ્ત સામાન્ય માણસની યાદદાસ્ત કરતાં પણ બેહદ ઉણી હોય એવું લાગે છે. તેમની કેશુભાઈ પરસ્તી અને નરેન્દ્રમોદી-વિરોધી પરસ્તી જોતાં આવું લાગે છે. પણ સાચી વાત એ છે કે સમાચાર માધ્યમના મૂર્ધન્યો પોતાનો ઉલ્લુ સીધો કરવામાં પડ્યા છે. ઉંઘતાને જગાડી શકાય પણ જાગતાને ન જગાડી શકાય. તેવી રીતે જે ભૂલી ગયો હોય તેને તમે યાદ કરાવી શકો પણ જે પોતાને બહુશ્રુત માનતા હોય પણ હેતુ દુષિત હોય તે જનતાને આડે માર્ગે જ દોરેને!

દુષિત વિસ્મૃતિ

સમાચાર માધ્યમોનું પણ આવું જ છે. તેઓ જ વાવાઝોડા અને ભૂકંપ વખતે કેશુભાઈની મજાક ઉડાવતા હતા અને ભાંડતા હતા અને અત્યારે કેશુભાઈ પરત્વેની ચાપલુસીમાંથી ઉંચા આવતા નથી.

વરમરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

શું કેશુભાઈ ગુજરાતમાં યુપી-બિહાર-રાજસ્થાન મત-કલ્ચર લાવવા માગે છે? એટલે કે શું ગુજરાતની જનતાએ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને મતદાન કરવું? દુઃખની વાત એ છે કે સમાચાર માધ્યમો પણ કેશુભાઈના ઉચ્ચારણોને અને જ્ઞાતિવાદને ઉત્તેજન મળે તેવા સમાચારોને ચગાવે છે. આ એક ગુનો ગણાવવો જોઇએ. નરેન્દ્ર મોદી કદી જ્ઞાતિવાદી સભામાં જ્ઞાતિવાદી મતોનું રાજકારણ ચલાવતા નથી. આ બંને વલણોમાં રહેલા ભેદને સુજ્ઞજનોએ સમજવો જોઇએ. અને તે રીતે તેઓને મુલવવા જોઇએ.

ભૂત(પૂર્વ)ની ભ્રમિત ભયની ભૂતાવળ

કડવા-લેઉઆ પાટીદારોના સમ્મેલનો ભરાયા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈએ કહ્યું આપણા ભાઈઓ ભયભીત છે. જે જ્ઞાતિએ વલ્લભભાઈ જેવા વીર અને અભય પુરુષ પેદા કર્યા તે જ્ઞાતિજનો શામાટે ભયભીત છે? ભય ખંખેરી નાખો. નિડર બનો. વિગેરે વિગેરે.

કોઈએ બાબલાને રાત્રે કહ્યું કે જા રસોડામાંથી પાણી લઈ આવ. તો બાબલાએ કહ્યું ના હું એકલો નહીં જાઉં. મને બીક લાગે છે. મા એ પહેલો સવાલ એ જ કર્યો કે “બીક શાની લાગે છે? બાબલાએ કહ્યું અંધારાની બીક લાગે છે. મા એ બીજો સવાલ કર્યો કે અંધારાની બીક શા માટે લાગે છે? બાબલાએ કહ્યું ભૂતની બીક લાગે છે. માએ કહ્યું તો રામનું નામ લે. ભૂત ભાગી જશે. આ બાબલો એ બીજું કોઈ નહીં પણ ગાંધી બાપુ હતા. તેમની માતા ખાસ ભણેલાં નહીં પણ લખી વાંચી શકે ખરાં.

હવે મૂળ વાત પર આવીએ. પાટીદાર ભાઈઓ શું મોરીદાર છે? જો તેમ હોત તો તેઓ આફ્રિકા, અમેરિકા અને યુકેમાં પોતાનો ડંકો કેવીરીતે વગાડત? અરે હજી પણ તેઓના નામના ડંકા અમેરિકામાં વાગે છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવામાં પણ હિંમતતો જોઇએ જ. સામાન્ય કક્ષાનું ભણેલા અને લગભગ અભણ પટેલો પણ અમેરિકામાં ડંકા વગાડે છે. અંકલ સામ કદાચ આ પોટેલો થી ડરતા હોય તે વાત નકારી ન શકાય. એટલે પટેલ ભાઇઓ ભયભીત હોય તે વાત તો ગળે ઉતરે તેવી નથી.

સહી શબ્દોંકા પ્રયોગ

તો પછી કેશુભાઈએ ભય અને ભયભીત શબ્દો કેમ વાપર્યા? શું તેઓ શબ્દના અર્થોને સમજી શકતા નથી? શું તેમનામાં “સહી શબ્દોંકા પ્રયોગ કરેં” ની અક્કલ નથી?

કદાચ તેમને ભય શબ્દ અસરકારક કે વિદ્વત્તાપૂર્ણ લાગ્યો. આવું ઘણી વખત બને છે. પચાસના દાયકાની વાત છે. એક વિદેશી ડીપ્લોમેટનું દિલ્લીમાં આગમન થયું. વિમાન મથકે તેમનું સ્વાગત થયું. ગુજરાતના તે વખતના ખ્યાતનામ ગુજ્જુ સમાચાર દૈનિકે શિર્ષરેખા આપી .. ” ‘ ___ ‘ નું દિલ્લીમાં થયેલું અવસાન”. સમાચારની વિગતમાં અવસાન કે તેની વિગત વિષે કશો ઉલ્લેખ નહીં. પછી બીજે દિવસે માફી સમાચાર આવ્યા કે સ્વાગતને બદલે અવસાન શબ્દ વપરાઈ ગયો હતો. મેં મારા પિતાજીને પૂછ્યું સ્વાગત અને અવસાન વચ્ચે કશો મેળ નથી. આવી ભૂલ કેવી રીતે થઈ શકે? તો મને જવાબ મળ્યો કે “શબ્દ સારો લાગ્યો એટલે વાપરી નાખ્યો હશે. ઘણા લોકોને શબ્દના અર્થની બરાબર ખબર હોતી નથી. આકર્ષક લાગે તો વાપરી નાખે.”  

આપણા કેશુભાઈને પણ કદાચ “ભય અને ભયભીત” શબ્દો આકર્ષક લાગ્યા હશે. પણ અર્થને કેવીરીતે જોડશો? આપણા સમાચાર માધ્યમના મૂર્ધન્યો તો વિદ્વાન અને તર્કજ્ઞ છે. તેઓએ સર્વ પ્રથમ સવાલ કેશુભાઇને એજ કરવો જોઇએ કે “કોનો ભય લાગે છે અને શા માટે ભય લાગે છે?”

જો કેશુભાઈ અને સમાચાર માધ્યમોના મૂર્ધન્યોની મથરાવટી મેલી હોય તો અર્થ અને સવાલો કરવાની ઝંઝટમાં શાના પડે! પણ આશ્ચર્ય એ વાતનું છે કે કોઈબી માઈનો પૂત ન તો મૂર્ધન્યોમાં નિકળ્યો કે ન તો કટાર લેખકોમાં નિકળ્યો કે જે “શેનો ભય અને શા માટે ભય” વિષે પ્રૂચ્છા કરે.

આપણા સમાચાર માધ્યમના વિદ્વાનોની આવી આદતો કંઈ નવી નથી. અમૂક વ્યક્તિઓ એવી છે જ કે જેમને અમૂક સવાલો પૂછાય જ નહીં. જોકે આ બાબત અત્યાર સુધી નહેરુવંશના ફરજંદો પૂરતી અને તેમના કેટલાક સંલગ્ન મળતીયાઓ સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. તેની પાછળ સમાચાર માધ્યમના, ટીવી ચેનલોના અંગત કાળા-પીળા હિતો હોય છે. કેશુભાઈને ખાસ સવાલો ન પૂછાય તે તો નવિન પ્રણાલી છે.

અધ્યાહારની અકળ લીલા

જે વાત ખાસ કહેવી છે તેને અધ્યાહાર (અનુલ્લેખિત) રાખો. એટલે સૌ કોઈ ભળતા શબ્દો, મુકી શકે. અને વાતને ચગાવી શકાય.

કેશુભાઈએ કહ્યું પાટીદારો જ નહીં, મોરીદાર, તીખીદાર, કરવીદાર, છરેરીદાર, છર્યાવગરની દાર, બધી જ ગુજ્જુદારો ભયભીત છે.

 ભયભીત કેશુભાઈ

હે કેશુભાઈ, પણ ફોર તો પારો કે કોનાથી ભયભીત છે અને શામાટે ભયભીત છે?

કેશુભાઈ શું કામ વિગતે બોલતા નથી? શું તેઓ તે માટે પણ ભયભીત છે? તો પછી જે ખુદ ભયભીત છે તે બીજાને કેવીરીતે ભયમૂક્ત થવાની શિખામણ આપી શકે? આ તો “ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે” એવી વાત થઈ.

સામાન્ય માણસ અંદાજ મુકે છે કે કેશુભાઈ અને સમાચાર માધ્યમોનું નિશાન કોણ છે અને  આ બધું શા માટે, આ રીતે શા માટે થાય છે?

નિશાન નરેન્દ્ર મોદી છે

સમાચાર માધ્યમો, કોંગીઓ અને કેશુભાઈ અને તેમના મળતીયાઓનું નિશાન, નરેન્દ્ર મોદી છે. આ બધો પ્રપંચ નરેન્દ્ર મોદીના રાજકીય કે કોઈપણ જાતના મૃત્યુ માટે થાય છે. અને આરીતે એટલે કે વિગતો આપ્યા વગર એટલા માટે થાય છે કે જો વિગતો આપે તો નરેન્દ્ર મોદી સણસણતો એવો જવાબ આપે કે આ બધા મોદી-વિરોધીઓ ભોંયભેગા થઈ જાય. સોનીયા ગાંધીએ નામ દીધાવગર ગુજરાતીઓને ગોડસેને ચૂંટનાર અને નરેન્દ્ર મોદીને નામ દીધા વગર મૌતકા સૌદાગર કહ્યા હતા. તો નરેન્દ્ર મોદીએ તેમના શબ્દોને એવા બૂમરેંગ કર્યા કે ચૂંટણીમાં કોંગીઓ ચત્તાપાટ પડ્યા. એટલે હવે નરેન્દ્રમોદીના વિરોધીઓ વિગતો આપવામાં માનતા નથી. આવ પથરા પગ ઉપર કે “આ બૈલ મુઝે માર” એવું કોણ કરે. એના બદલે ભય, ભયભિત, હાંસીયામાં, ઉદ્યોગપતિઓને ખેરાત, ખેડૂતોની અવગણના, ગૌચર એવું એવું બોલે રાખો અને સાર્વત્રિક અસંતોષ પ્રવર્તે છે એવું વાતાવરણ તૈયાર કરો. આપણા તડમાં લાડુ આપોઆપ પડશે.

વાસ્તવમાં નરેન્દ્ર મોદી થકી અસંતુષ્ટ કે ભયભીત શિયાળવાંઓ કોણ છે? એક તો કેશુભાઈ પોતે જ છે. બીજા સુરેશ મહેતા છે. થોડા ઘણા કેશુભાઈસાથે નવરા પડેલા આરએસએસના એવા કાર્યકરો કે જેઓ સરકારી નોકરો સાથે વહીવટ ગોઠવનારા હતા તેઓ છે, સમાચાર માધ્યમોના વહેતા મુકેલા ગુબ્બારા પ્રમાણે સંજય જોશી પણ હોઈ શકે છે. એટલે સમાચાર માધ્યમો સંજય જોશીના અઘ્યા-પાદ્યાના સમાચારો ચમકાવ્યા કરે છે.

દાખલા તરીકે, સંજય જોશીએ ભલે રાજીનામું આપ્યું પણ તેઓ ઘણા લોકપ્રિય છે. અને તેઓ રેલ્વે રસ્તે દિલ્લી જશે જેથી તેમના અનુયાઈઓ સાગમટે તેમનું સ્ટેશને સ્ટેશને સ્વાગત કરશે. તેથી નરેન્દ્ર મોદીના પેટમાં તેલ રેડાશે.

પણ થયું એવું કે સંજયભાઈનું હવાઈ માર્ગે દિલ્લી જવાનું નક્કી કર્યું. તેથી આપણા સમાચાર માધ્યમે થુંકેલું ગળીને વાત ફેરવી તોળી કે બીજેપીના મોવડી મંડળે વિવાદ ન વકરે તેમાટે સંજયભાઈને હવાઈ ટીકીટ આપી દીધી. આ તો એવો ઘાટ થયો કે “મનમાં ને મનમાં પરણ્યા અને મનમાં ને મનમાં રાંડ્યા.”

બારદાનની અગત્ય

એક મિત્રે મને કહ્યું કે તો સરકારી નોકરો ભયભીત છે. અને કેશુભાઈ સરકારી નોકરોને પડખે લેવા માગે છે. હા સરકારી નોકર એક એવું “બારદાન” (પેકીંગ, ખોખું) છે, જે બરાબર ન હોય તો તમારી પ્રોડક્ટને હતી ન હતી કરી નાખે. એટલે જો એક વખત સરકારી નોકરો ખીસ્સામાં આવી જાય તો નરેન્દ્ર મોદીને ચીત કરી શકાય.

સરાકરી નોકરોમાં તો એક, બે, ત્રણ અને ચાર વર્ગના કર્મચારીઓ આવે. ચાર વર્ગના કર્મચારીને તો અનસ્કીલ્ડ કામ કરવાનું હોય છે. તેઓને કોઈ ભય હોઈ શકે નહીં. શિવાય કે કામમાં દગડાઈ કરે. બે અને ત્રણ વર્ગના કર્મચારીઓ અફસરો/અધિકારીઓ અને બાબુઓ કહેવાય છે. એક અને બે વર્ગના અફસરો નક્કી કરેછે કે ત્રણ વર્ગની જવાબદારી કેટલી! બે અને ત્રણ વર્ગના કર્મચારીઓ મોટા સાહેબો (વર્ગ એક) થી ડરતા હોય છે. પણ જો તેઓ નીતિમાન હોય તો તેમણે ડરવાની જરુર હોતી નથી. ખાસ કરીને ત્રીજા વર્ગના કર્મચારીઓ આડતીયા થવાનું બંધ કરે તો તેઓ ડરથી મૂક્ત થઈ શકે.

પ્રથમ વર્ગમાં બે કક્ષા હોય છે. જુનીયર એડમીનીસ્ટ્રેટીવ   અને સીનીયર એડમીનીસ્ટ્રેટીવ. વર્ગના બીજા વર્ગના કર્મચારીઓ અને જુનીયર એડમીનીસ્ટ્રેટીવમાંના કેટલાક  કરોડ રજ્જુ સમાન હોય છે. આમાં ઘણું પોલીટીક્સ ચાલતું હોય છે.

પણ સુજ્ઞજનોએ સમજવું જોઇએ કે કાયદો કાયદાનું કામ કરશે. સૌને કાયદાનું રક્ષણ છે અને તેમને તેમની જવાબદારી નભાવવાનું મહેનતાણું મળે છે. અધિકારીવર્ગના મોટાભાગે ઘણી લાલીયા વાડી ચલાવી છે. ઘણા હજી પણ ચલાવતા હશે. જો તેમની પૂંછડી પકડીને કાબુમાં રાખવામાં નહી આવે તો તેઓ વધુ વકરી શકે છે. આ વિશે લખવા બેસીયે તો મહાભારત જેવડું પુસ્તક લખાય. જો થોડા અફસરો જેઓ નીતિમાન રહી શક્યા તેઓ જો ભેગા થઈને તટસ્થ રહીને લખે તો મહાભારત પણ સર્જાય.

 

પણ ટૂંકમાં કાયદામાં એવી જોગવાઈ છે કે સરકારી નોકરો પોતાને થયેલા અન્યાય માટે ચૂંટાયેલા સભ્યો પાસે જઈને કે તેમની મારફત ન્યાયની માગણી ન કરી શકે. તેઓ ન્યાયિક અદાલતમાં જરુર જઈ શકે છે.

કોંગી જનોને તેમના પક્ષના કુદરતી મોત તરફ જવા દો. તેને સુધારવાની જરુર નથી. જેણે અર્ધી સદી ઉપરાંત દેશનું સૂકાન અને અબાધિત અધિકારો આપ્યા છતાં ન સુધર્યા અને દેશને પાયમાલ કર્યો, તેને તક આપવામાં બેવકુફી છે. કેશુભાઈ અને તેમના મળતીયાઓએ

તથા સમાચાર માધ્યમના વિદ્વાનોએ કમસે કમ તર્ક અને મુદ્દા આધારિત ચર્ચા કરવી જોઇએ.

તેઓ કોણ છે તે અમે જાણતા નથી”

સંસ્કૃતમાં એક શ્લોક છે કે;

૧ “એ લોકો સજ્જન છે જેઓ પોતે પોતાનું હિત ત્યજીને બીજાનું હિત કરે છે.”

૨ “એ લોકો સામાન્યજન છે જે બીજાને નુકશાન ન થાય તે પ્રમાણે વર્તીને પોતાનું હિત સાધે છે”

૩ “એ લોકો માનવરાક્ષસ છે જેઓ બીજાને નુકશાન કરીને પોતાનું હિત સાધે છે”

૪ “પણ જેઓ કોઈ કારણ વગર જ બીજાનું અહિત કરે છે તેઓ કોણ છે તે અમે જાણતા નથી.”

કેશુભાઈ, તેમના મળતીયાઓ અને અખબારી મૂર્ધન્યોએ જ પોતાની કક્ષા ત્રણ નંબરની છે કે ચાર તે નક્કી કરવાનું છે. જનતા તો તેમને તેમનું સ્થાન બતાવતી જ રહી છે.

કોંગીજનોને જવા દો. તેઓ તો “ગૉન કેસ” છે.

 

શિરીષ મોહનલાલ દવે

 

ટેગઃ ભય, ભયભિત, ભૂતપૂર્વ, કેશુભાઈ, શંકરભાઈ, કોંગીભાઈ, બૂમરેનંગ, માનવરાક્ષસ, સરાકારી નોકર, અફસર, અધિકારી, બારદાન       

Read Full Post »

શ્રી સામ પીત્રોડાજી એ કોમ્યુનીકેશનને લગતી જે વાત કરી તે અધુરી લાગે છે.

નહેરુવીયનોને અને ખાસ કરીને ઈન્દીરા ગાંધીને  ટેલીકોમ્યુનીકેશનમાં રસ નહતો. ટેલીકોમ્યુનીકેશનમાં કેવી રીતે નહેરૂવીયનોએ મારેલી બ્રેક દૂર થઈ તે માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો. અને જરુર વાંચો.

http://theindians.co/profiles/blogs/3499594:BlogPost:294973

 

ધર્મ એટલે શું, એ સમજવામાં શ્રી પીત્રોડાજીએ ભૂલ કરી છે. જોકે આ નવાઈની વાત નથી. જેઓ માનતા હોય કે તેમનો અને તેમની વિચાર શૈલીનો ઉછેર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં થયો છે તેઓ આવી ભૂલ કરે તો તે ક્ષમ્ય છે. પણ જેઓ પોતાને દેશી માનતા હોય તેઓ પણ આવી ભૂલ કરે છે. તેને ક્ષમ્ય ગણવું કે ન ગણવું તે વાત જવા દઈએ પણ તેને અપરિપક્વ કે અધુરી સમજણ કે ગેરસમજણ ગણવી જોઇએ. અને તેમાં પણ જો તેઓ ધર્મની કચાશ ગણે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો વિઘટનવાદી ભેદ ગણે તો તેને અક્ષમ્ય જ ગણી જ શકાય.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુધર્મ એક જીવનશૈલી છે. પોતાની જાતને સમજવી, સમાજને સમજવો,પોતાનું સમાજ પ્રત્યેનું કર્તવ્ય સમજવું, ઈશ્વર અને આત્માને સમજવા અને તે સૌના પરસ્પર સંબંધને સમજવા. હિંદુસાહિત્યમાં આ બધા વિષે સાર્વત્રિક અને મુક્ત આલેખન  છે. આમાં સંવાદ અને ચર્ચાને પૂરો અવકાશ છે અને આવકાર્ય ગણાયો છે. જેમ વિજ્ઞાનમાં છે તેવું જ આમાં છે.

ઈશ્વર અને પૂજાઃ

હિન્દુઓમાં શું છે?

શંકરાચાર્ય, તે અગાઉના આચાર્યો અને તે પછીના આચાર્યોએ આ બાબતમાં અનેક ચર્ચાઓ અને તે ચર્ચાઓ માટે યાત્રાઓ કરી છે.

વેદોના સમયમાં અગ્નિની ઉપાસના થતી, યજ્ઞો થતા. તે પછી રુદ્ર અને શિવલિંગની, શાલીગ્રામ લિંગ અને  મૂર્તિમાન પ્રતિકોની પૂજા થવા માંડી. અવતારો આવ્યા, અને અવતારી પુરુષોની મૂર્તિઓ બનવા માંડી અને પૂજા થવા માંડી. અગાઉની પૂજાઓ પણ ચાલતી અને નવું પણ ચાલતું. વિવાદો પણ થતા. સંઘર્ષ તો દૂર્ભાગ્યે  અને ક્વચિત જ થતો. સૂર્યની પૂજા થઈ. તો સૂર્યની પાછળ રહેલા અદૃશ્ય દેવ વિષ્ણુની પણ પૂજા થઈ. કૃષ્ણની થઈ અને રામની પણ થઈ. આ સૌની અને બધાની પૂજા ચાલુ રહી. જેને જે ગમ્યું તે કર્યું. ન થયો કોઈ વિરોધ કે કંકાશ. તે પછી પરમ બ્રહ્મ સહજાનંદ સ્વામી આવ્યા. અને સાંઈબાબા પણ આવ્યા. સત્યસાંઈ બાબા પણ આવ્યા. કોઈ વિસંવાદ કે વિખવાદ કે જુદાઈ નહીં.

તમે તમારી રુચિ પ્રમાણે ઈશ્વરના જે સ્વરુપને પૂજવું હોય તેને પૂજો. કારણકે ઈશ્વર તો “નેતિ નેતિ” છે. તે નિર્ગુણ નિરાકાર છે. એટલે કે તે કોઈની ઉપર ઉપકાર કરતો નથી. તેણે એવી ગોઠવણ કરી છે કે કર્મના ફળ મળે. કર્મ ફળ મનુષ્યયુક્ત સમાજને મળે અને સમાજયુક્ત મનુષ્યને મળે. માનવું હોય તો માનો. ન માનવું હોય તો ન માનો.

ઋણં કૃત્વા ઘતં પિબેત, (દેવું કરીને પઠ્ઠા થાઓ) કે ઘૃષ્ટં ઘૃષ્ટં પુનઃ અપિ પુનઃ ચંદનં ચારુ ગંધં. ચંદનની જેમ ઘસાઈ ઘસાઈને સુવાસિત બનો. રવિશંકર મહારાજના શબ્દોમાં કહી તો ઘસાઈને ઉજળા થાઓ. એટલે કે ભોગ આપીને બીજાને સુખી કરો.   

બીજા ધર્મોમાં શું છે?

જ્યારે બીજા ધર્મોમાં જુઓ. યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોના ઈશ્વર તો એક જ છે.  યહોવાહને (ઈશ્વરને) સૌ કોઈ માને છે. પણ યહુદીઓ ઈશુને ઈશ્વરના પૂત્ર ન માને. અને આ બાબતનો મોટો ઝ્ગડો છે, અને પરિણામે યુદ્ધો અને કતલો પણ છે. મુસ્લિમો ઈશુને પયગંબર માને પણ ઈશ્વરના પૂત્ર ન માને. તે ઉપરાંત મુસ્લિમો, મોહમ્મ્દ સાહેબને છેલ્લા પયગંબર માને. ખ્રીસ્તીઓ મોહમ્મદ સાહેબને પયગંબર ન માને અને કુરાનને પણ ન માને. આ ત્રણ મુદ્દાઓ ઉપર વિખવાદ, યુદ્ધો અને કતલો થઈ. આ બધાનું કારણ શું? કારણકે તેમના ધર્મની વ્યાખ્યા ભારતીયોની વ્યાખ્યા કરતાં જુદી જ છે. પાશ્ચાત્યની ધર્મની વ્યાખ્યા ધર્મમાં ભેદ પાડે છે.

આ ધર્મોમાં ઈશ્વર “આવો અને આવો જ છે” આ માનશો તો જ ઈશ્વર ખુશ થશે. અને જો ઈશ્વરને ખુશમાં રાખશો તો તે તમારું બધું માફ કરી દેશે. કારણ કે તે નહેરુવીયન કોંગ્રેસી અને તેમના મળતીયા અને રાજકારણીઓની જેમ દયાળુ છે. તે તમારી સાત પેઢીને તારી દેશે. ઈશ્વર કંઈ કૌટિલ્યની જેવો જડ નથી કે પોરસરાજા જેવા રાષ્ટ્રભક્ત રાજાના દિકરાને દગો કરવા બદલતેના બાપની શેહ શરમ રાખ્યા વગર, હાથીના પગ નીચે કચડાવી નાખે. 

પૂજા પદ્ધતિઓ

હવે બીજી એકવાત. પૂજા પદ્ધતિઓ પણ બદલાતી રહી. પહેલાં કુદરતી તત્વો અને વિશ્વદેવના,વિશ્વ હિતના જ યજ્ઞો થતા. પછી જનહિત ના યજ્ઞો થવા લાગ્યા. પછી સ્વ હિતના યજ્ઞો થવા લાગ્યા. જનહિતના યજ્ઞોને, સ્વહિતના યજ્ઞો કરવાવાળાઓ જ્યારે ધ્વંશ કરવા માંડ્યા ત્યારે સંઘર્ષો થયા. પણ પછી સંધિ સમાધાન થયાં. અને અત્યારે કોઈ તે બાબતનો ઝગડો ઉભો કરતું નથી. એટલું જ નહીં, પણ આ વાત કોઈને યાદ પણ નથી.

જ્યોતિષીઓ જ કહે છે કે તમારી યોની રાક્ષસ છે અને તમારી યક્ષ છે. તમારી દેવ યોની છે અને તમારી ગાંધર્વ છે. અને તેમાં કોઈને ખોટું પણ લાગતું નથી. આમ તો મનુસ્મૃતિ માન્ય ગણાય છે. પણ કોઈ એ પ્રમાણે વર્તતું નથી. એક કાળે ઋષિઓ મનુને પૂછવા ગયા કે માંસ ખવાય કે નહીં?મનુએ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમાય અને તે ઋષિઓથી ખવાય? પછી આ મનુને ઈશ્વરની વઢ ખાવી પડી. ઈશ્વરની વઢ ઋષિઓએ  પણ ખાધી કારણ કે તેમણે અયોગ્ય વ્યક્તિને પૂછ્યું. આ વઢની જેમને ખબર પડી તેમણે માંસ છોડ્યું અને બાકીનાએ ચાલુ રાખ્યું. વાત પૂરી. જોકે નોન વેજ ખાવું કે ન ખાવું તેની ચર્ચા આજે પણ ચાલે છે. પણ તલવારો ખેંચાતી નથી.

તોરાટ, બાયબલ અને કુરાન વિષે આમ નથી. કંઈક વાંકુ પડ્યું એટલે તમે કોણ અને અમે કોણ?તમે જુદા અને અમે જુદા. તલવારો હબોહબ ખેંચાણી હતી અને કતલો થઈ હતી. આજે પણ બોંબ ફુટે છે અને ફૂટશે.

ધર્મનો અર્થ

હવે જો તમે પાશ્ચાત્ય સંસ્કારોમાં ઉછર્યા હો એટલે ધર્મનો અર્થ તેઓના સંસ્કાર પ્રમાણે કરો અને તેને વળી  યુનીવર્સલ ગણો. યુનીવર્સલ (સર્વવ્યાપક) ગણો અને વળી હિન્દુધર્મને પણ ઉંડાણમાં ઉતર્યા વગર લપેટમાં લઈ લો તે અન્યાય જ નહીં, અનાચાર જ નહીં પણ દુરાચાર પણ ગણાવી શકાય.

હાલ જોકે હિન્દુઓમાં બાબાઓએ વાડાઓ કર્યા છે અને એકબીજાને જુદા પાડે છે પણ કોઈ ધર્મિક વૈચારિક સંઘર્ષ થતા નથી. સંપત્તિની બાબતમાં થાય છે. પણ તે કંઈ હિન્દુ ધર્મના સંસ્કારમાં ન આવે.

હિન્દુધર્મ  લયબદ્ધ કરે છે

હિન્દુધર્મ એ તત્વજ્ઞાન, જગતની પ્રકૃતિ અને ઈતિહાસનો સમન્વય છે. જેમ પદ્ય એ સંવાદને લયબદ્ધ કરેછે, તેમ હિન્દુ સંસ્કાર કહો તો સંસ્કાર અને ધર્મ કહો તો ધર્મ, સમાજને લયબદ્ધ કરે છે. હાલની બ્રીટીશ – નહેરુવીયન કોંગ્રેસે સર્જેલી ભારતની પરિસ્થિતિ પરોઠના પગલાં જેવી છે તે વાત જુદી છે. તેનું મૂખ્ય કારણ નિરક્ષરતા (ભણેલાઓની નિરક્ષરતા પણ આવી જાય), ગરીબી,અને પરિસ્થિતિજન્ય સ્વકેન્દ્રીપણું છે.

જ્યારે મોટા નામવાળા જાણે-અજાણે અધૂરપ રાખે કે અર્ધદગ્ધતા રાખે કે અપૂર્ણતા રાખે ત્યારે ખોટો સંદેશ જાય છે.

જોકે ધર્મ એ દરેક વ્યક્તિનો વિષય નથી. પણ ધર્મને નામે ઘણા અત્યાચારો થયા છે અને ધર્મ ઉપર પણ અત્યાચાર થયા છે.

વિદ્યા (ટેક્નોલોજી) અને વિજ્ઞાનશાસ્ત્ર (ક્લાસીક્લ સાયન્સ)) જુદા છે જરુર છે પણ વિદ્યા એ વિજ્ઞાનશાસ્ત્રથી સાવ સ્વતંત્ર નથી. વળી શાસ્ત્ર તો સર્વવ્યાપક છે. તે ઉપરાંત શાસ્ત્ર અને તત્વજ્ઞાનને ઘનિષ્ઠ સંબંધ છે. તેથી જ વિજ્ઞાનમાં જ્યારે કંઈપણ કહેવામાં આવે ત્યારે વિશિષ્ઠ શબ્દોની વ્યાખ્યા કરવામાં આવે છે જેથી અભ્યાસુઓને ગેરસમજુતી ન થાય. જોકે આવી પ્રણાલી દરેક ક્ષેત્રમાં રાખવી જોઇએ.

આવા પરિપેક્ષ્યમાં આ પ્રતિભાવ લખવામાં આવ્યો છે. શ્રી સામ પિત્રોડા એક માનનીય વ્યક્તિ છે. પણ માનનીયતા અલગ અલગ ક્ષેત્રોની મર્યાદામાં આવે છે. તેથી સુજ્ઞજનોએ કે અજ્ઞજનોએ પણ આવા પ્રતિભાવોથી ખોટું ન લગાડવું.

શિરીષ મોહનલાલ દવે

તા.ક. પોતાના ક્ષેત્રોમાં સુજ્ઞ, પણ બીજા અને ખાસ કરીને સામાજીકશાસ્ત્રમાંના ક્ષેત્રમાં  અલ્પજ્ઞ અને તેમાં પણ ભારતીય મૂળના સ્વદેશની સેવાના લક્ષ્ય સાથે ભારતમાં આગમન કરે ત્યારે તેમને અંગ્રેજોએ અને તે પછી નહેરુવીયન સરકારે ફટવેલા સરકારી અફસરોને ઝેલવા પડે છે. લાધેલી ઉંચી ખુરસીઓના ગર્વથી મોઢા ફુલાવીને વર્તતા અફસરો રુપી આ શખ્સો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમાં પણ પ્રધાનો અને વડાપ્રધાનો આગળ     ત..ત  …  પ..પ    થતા હોય છે. એટલે ખાસ કરીને જનતા સાથે મૃદુભાષી એવા વડાપ્રધાનના વ્યક્તિત્વથી તેઓ  અભિભાવુક થાય તે સામાન્ય વાત છે. કીડનીના રોગોના નિષ્ણાત શ્રી એચ કે ત્રીવેદીએ પણ સરકારી ખરી, પણ “સર્વરીતે સંપૂર્ણ સ્વતંત્ર” એવી કીડની હોસ્પીટલ માટેના પ્રસ્તાવ ની મંજુરી માટે ઈન્દીરા ગાંધીની મુલાકત લીધેલી. ઈન્દીરા ગાંધીએ તેમના અફસરોને સવાલ કરેલો કે શું સરકારે આવી સંપૂર્ણ સ્વતંત્રતા આપી હોય એવો દાખલો કોઈ દાખલો છે ખરો? અને આવી સ્વતંત્રતા આપી શકાય ખરી? જોકે સરકારી અફસરો પાસે દરેક પ્રશ્નોના ઉત્તર હોવા જ જોઇએ. પણ ઈન્દીરા ગાંધીના વહીવટી તંત્રે એવી પ્રણાલી પાડી જ નહતી. તેથી તેઓએ તપાસ કરી આપવાની વાત કરી અને પરોક્ષરીતે શ્રી ત્રીવેદીને ભગાડી દીધા એટલે કે મુલાકાત પૂરી થઈ. પછી એક આવા યુનીટને પ્રાયોગિક રીતે મંજુરી આપવી કે એવું કંઈક નક્કી થયું. અને પછી એ મંજુરી દક્ષિણ ભારતમાં આપવામાં આવી. ઈન્દીરા ગાંધીને કશી ખબર પણ ન પડી. છતાં શ્રી ત્રીવેદી, શ્રીમતી ઈન્દીરા ગાંધીથી અભિભાવુક થયા હતા. આવા વિશાળ દેશના વડા પ્રધાન સાથે એક મુલાકાત ગોઠવાય તે જ એક પૂણ્યશાળી પ્રસંગ સમજવો જોઇએ. એટલી વાતથી ઘણા સંતુષ્ટ થઈ જાય છે.

 

Tags: ઈશુઈશ્વરઋષિઓકર્મફળકુરાનખ્રીસ્તી,તોરાટદયાળુધર્મબાયબલMore…

Read Full Post »

ONE AND ONLY FUNDAMENTAL ENTITY WITH ONE AND ONLY ONE FUNDAMENTAL PROPERTY

ONE AND ONLY FUNDAMENTAL ENTITY WITH ONE AND ONLY ONE FUNDAMENTAL PROPERTY

NOT EVEN TWO. ONE AND ONE ONLY

As per Hindu Philosophy of “Adwait” formulated by Vedas and explained by Shankaracharya “Every thing is living thing”. There is nothing like non-living.

“He she it” the Soul is smallest of small, and “he she it” the God is largest, biggest and greatest of all, is the Cosmos. “He she it” the Fire (Rudra) came out of SAT (स‌‌‌त्)‌ alias Brahma (ब्रह्म ) in the form of Cosmos, some 15 billion years back. “He she it” is the living entity.

MICRO AND MACRO

We the Humans and all other so-called living are made of cells. All are living entities. The Cells are formed, sustained and died and get disintegrated. They are replaced by similar ones and “We are sustained as an unique and we remain as an alive being”.

In due course we too die and get disintegrated. But Cosmos remains as the one that one is unique. “He she it” the God alias Brahma alias the SAT (Shiva) remains unchanged but no body knows what it is.

The SAT has produced Cosmos from within. The Cosmos the God has been termed as Vishva Murthi (विश्वमूर्ति). This is a name of Rudra-Shiva, the lord-God Shiva.

He is devils, he is deva-s, he is each and he is all. He is the subject as “eater”, he is the object as “food” and he is the verb as “to eat”. This is the same for every subject, object and verb. He is the power, he is the field of strength and he is the force. He is the matter, he is the property and he is the space and he is beyond all these and beyond sensation of our body. 

I AM THE TRINITY

I AM THE TRINITY

BORN, SAUSTAINED AND VANISHED (PRODUCES, SUSTAINS & VANISHES)

You, all others and I have come, will live and will get vanished. But we are as souls are not different. We feel, we are separate. But that is because, our body separates us from others.

It is like this. Space is the same, one and only one, but we find different space in a Jar covered with a lid. When we open the lid, the space becomes one, that is, it looks unified and merged with the space out side or so to say space of Cosmos.

The ignorance is the lid. The knowledge of Cosmos opens up the lid. Then we realize that we all are one and one only as a part and parcel of Vishva-Murthi (विश्वमूर्ति).

Therefore to have bitterness against anybody, spoils our mind and that becomes a sin. This bitterness is due to ignorance.  

NO BODY KNOWS WHAT IS SALVATION

As many have understood the aim of our life, is to attain ultimate, eternal and absolute pleasure i.e. Salvation (ब्रह्मानन्द or मोक्ष).

There are some ways to achieve salvation.

Our religion and Hindu philosophy says, the Salvation is the status of eternal absolute pleasure.

To attain Salvation or to unify our self with God, there are four ways:

DEPENDING UPON YOUR NATURE, HAVE YOUR CHOICE: WORSHIP TO ANY ONE, GOES TO ME, LIKE WATER GOES TO OCEAN

DEPENDING UPON YOUR NATURE, HAVE YOUR CHOICE: WORSHIP TO ANY ONE, GOES TO ME, LIKE WATER GOES TO OCEAN

By devotion (भक्ति-योग),

By work as duty with sincerity (कर्म-योग)

By Yoga (राज योग)

By knowledge (જ્ઞાન  योग ) related with God (परमात्मा), Soul(आत्मा) and Cosmos (ब्रह्माण्ड) universe (जगत).

PLEASURE THROUGH KNOWLEDGE

It is the only human being which makes efforts to understand the universe:

As per Shankaracharya to attain pleasure through Knowledge is supreme.

UNIFIED THEORIES OF FIELD AND ENTITY

There is a proposed hypothesis on “Unified Field Theory” of Einstein, which can explain and combine all the fields (Electromagnetic, inter-nuclear strong field, nuclear radiation, Gravitational field) into one single field formula.

No body was successful in formulating the unified field theory till the end of last century. But very recently scientists have re-discovered and worked on what had been proposed by Ramanujam an Indian mathematician in early decades of last century about a Matrix formula of 22+4 dimensions.

As to what physicists understand to localize a spot in the universe we need four co-ordinates viz. X axis, Y-axis, Z-axis and a T (Time)-Axis.

But this is not universal. This is not for every object. Subatomic entities live in many other dimensions too. There are other 22 dimensions which are perpendicular to each other like X, Y and Z. We are not physically aware of them, as for us their values are very small. Further due to our mental limitation, status and physical tools (measuring /understanding instruments /equipments) we are unable to feel them experimentally. We can present the other dimensions mathematically only.

 ATOMIC MODEL THEN STANDARD MODEL OF QUARKS AND GLUONS:

Earlier there was “multiple-particle theory” on fundamental particles VIZ Atoms. But experiments carried by physicists went on discovering more and more fundamental particles. There was no end to the discovery of new fundamental particles. This was turned into to be much more than the number of new science graduates per year. Then the physicists formulated standard model of quarks, gluons, leptons . This resolved the problems of fundamental particles. But this could not formulate unification of all the four forces.

Scientists concentrated on single fundamental entity of which the Cosmos is made of. Say supper particle or super-string which spins or vibrates. The latter produces attraction or repulsion depending upon the relative positions of more than one of each.

SHANKARACHARYA STARTS FROM THIS STAGE

According to Shankaracharya there cannot be several fundamental entities. Because different entities cannot have any action and interactions among them. i.e. They cannot have any function to affect on others.

The Cosmos (ब्रह्माण्ड) is made of one main entity (आत्मा=प्राणः).  It appears made of many entities, but it is made of single fundamental entity (आत्मा=प्राणः).

This entity combines and recombines with each and other combination, under combination & permutation principle.

A combination when gets a body of sensation, it is termed as living organism. Or we say it a living organism. In fact every thing is living thing from super-string to Cosmos.

LIVING THING CANNOT BE PRODUCED FROM NON-LIVING

This is because, it is next to impossible to create a living thing by combinations of non-living things. There is no way whatsoever, to produce living thing from non-living things.

Traditionally called living organisms are made of cells (say fundamental entities of body). Every ONE of these living cells maintains its uniqueness. It has a flow of energy within it. Product of oxidation. We too as a unique entity maintain our “one-ness” due to the flow of energy within us. Our cells remains alive and can do their functions under specific range of temperature. 

Cells are formed in our body, cells perform their respective functions and in due course they get decomposed. But the cells reproduce their types. The old ones are replaced in our body and we remain as a unique entity. We have feeling of one-ness. That is though we are made of many living cells we feel that we are one and only one only.

Similarly Cosmos is made of traditionally called  a lot living non-living things. We are formed, we perform functions, we reproduce off-springs to replace us in due course, but the Cosmos (societies, earths, Solar systems, milky ways/star-systems, clusters) remains with their uniqueness.

e.g. We have water cycle including blood, Air cycle, Food cycle, flow of electromagnetic  waves in cells. We live for 100 years. Earth too, is a living organism. It has energy cycles. Water cycle, air cycle, magnetic cycle, temperature control, animal and plant cycle.  Earth was born some 5 billions year back. Still it is alive and would remain alive. Similar is the case with Sun and solar system and galaxy. Ultimately it has been extended to our space time universe where the Planks’ constant has a specific value. There are many other space time universes with different value of Planks’ constant. (What is Plank’s constant? Energy E, associated with a vibration V. i.e. E=h.V Here “h” has a fixed value universally.

The philosophy of Shankaracharya is extensive. But the difference is that though we say “This is my self (I am) (अह‌म्‌) ” we do not know anything about our self, whereas the cosmos knows everything.

WE SEE ONLY COSMOS: WE ARE BLIND IN OUR BODY

Though we are in our body, we are blind in our body. We cannot pin-point our location within our body. We neither can pin-point the constituents of our body within our body, neither we can have any control on their functions. We cannot move within our body. We know nothing, we see nothing inside our body.

There are more than millions of functions in our body. These functions are performed by our constituent limbs and cells. We hardly control a single digit functions of those millions.

Then who controls the millions of million of functions in the universe? Is it not Super soul परमात्मा?.

IT IS NOT BY CHANCE

Our body functions so much selectively, preventively, defensively, progressively, correctively and aggressively that we cannot say that all these is by chance. This is the case with all including Earth and others.

That is why we cannot discard the existence of God.  God has made laws and left the Cosmos to obey. No exception, no divine obligation.     

THERE IS A CAUSE FOR EVERY ACTION

Shankaracharya says there is a cause for every action. There is only one action whose cause is not known. That one is as to why the Brahma (ब्रह्म) created Cosmos (ब्रह्माण्ड)?

What is Shiva ? Shiva is  ब्रह्म.

What is Brahmana ब्राह्मण ? Brahaman means product of Brahma ब्रह्म  And as per Vedas Fire (अग्नि )  is Brahmana ब्राह्मण.

What is Fire (अग्नि ) ? Fire is body of Rudra (रुद्र).

What is Rudra? Rudra is Cosmos  (ब्रह्माण्ड).

What is Shiva-lingam? It is a symbol of Cosmos in the form of a live Fire Flame ज्योतिर्‌ लिंगम्‌.

Why it is called sexual male symbol? It is false. It is the symbol of a Flame. ज्योतिर्‌ लिंगम्‌ . Because the Cosmic God has produced Jagat it is termed as producer.

वाम मार्गी took the meaning other symbol as producer. Non-Hindus want to take pleasure and fun by interpreting  लिंगम्‌ as sexual symbol. 

What is jagat जगत? The inter-relative activities of feeling in the Cosmos is called Jagat.

Whether Jagat is Sat (स‌‌‌त्) or Asat (असत्).? Jagat is neither Sat nor Asat. It is illusion माया. It cannot be interpreted (अनिर्वचनीयम्‌).

How does Jagat function?

ईश्वरः सर्वभूतानां ऋदेशेर्जुन तिष्ठति,

भ्रामयन्ति सर्वभूतानि यंत्रारुढेन मायया

Shiva resides at the brain (of living organisms) and governs all (activities) by his created illusion.

What is the conclusion?

   ईशावास्यं ईदं सर्वं यत्किंचित्‌ जगत्यांजगत्‌

तेन त्यक्तेन भूंजिथाः मा गृध कस्यस्चि‌त्‌ धनं

Shiva dwells everywhere whatsoever.

Therefore avail what has been left by him for you. Do not pluck that belongs to somebody else.

 

Shirish Mohanlal Dave

Read Full Post »