ભાવનગર – તારાપુર રેલ્વે લાઈનઃ
અત્યારે મારી ઉમર ૮૩+ વર્ષની છે. હું જ્યારે ટીન એજર હતો ત્યારનું ભાવનગરીઓનું સ્વપ્ન છે કે આ ભાવનગર –> તારાપુર રેલ્વેનો પ્રોજેક્ટ હાથ ધરાય.
૧૯૫૦ના દશકામાં આ પ્રોજેક્ટ એટલે હદ સુધી શરુ થવાની તૈયારીમાં હતો કે એક વખત તો છાપામાં સમાચાર પણ આવી ગયા હતા કે પાટાના સ્લીપરોના ટેંડર ના ઓર્ડરો પણ અપાઈ ગયા છે.
એ પછી આ પ્રોજેક્ટ કાળ ક્રમે ઓછો થઈ, અદૃશ્ય થઈ ગયો.
જ્યારે મમતાની પાર્ટીના એક ગુજરાતી સદસ્ય શ્રી દિનેશ ત્રીવેદી (૨૦૧૧ – ૧૨) રેલ્વે મંત્રી હતા, ત્યારે ફરી એકવાર બજેટમાં, આ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પણ એ સિવાય કશું જાણવા મળ્યું નથી. આજ ની ઘડી ને કાલનો દી, જેમ એક ન થાય તેમ, આ પ્રોજેક્ટ જીવતો છે કે નહીં તે સોમનાથ દાદા સિવાય કોઈ જાણતું નથી.
પ્રોજેક્ટ કેટલો જુનો છે?
ભાવનગરના બાપુ બધી વાતે પ્રગતિશીલ હતા. તેમણે ઘણી રેલ્વે લાઈનો નાખીને રેલ્વે નો વિકાસ કર્યો હતો. તેમણે સ્થાપેલું રેલવે લાઈન નેટવર્ક અદ્ભૂત હતું. પણ કોંગીની સરકાર તેને સાચવી ન શકી કે અપગ્રેડ પણ ન કરી શકી. મોટાભાગની રેલ્વે લાઈનો તો તેણે ઉખાડી પણ નાખી.
ભાવનગર – તારાપુર, પ્રોજેક્ટ ની પરિકલ્પના તો જ્યારે મહારાજા કૃષ્ણકુમારના સમયના ભાવનગર વાસીઓ દરીયાઈ રસ્તે મુંબઈ જતા હતા ત્યારની છે. કદાચ ભાવેણાના ભરથારે આ પ્રોજેક્ટને પૂરો કરીને ભાવનગર થી મુંબઈ એક્સપ્રેસ ટ્રેનો ચાલુ પણ કરી દીધી હોત.
ભાવેણાના ભરથારે નહીં તો બળવંતરાય મહેતાએ તો તેમનું અધુરું કામ પૂરું કરી જ દીધું હોત. પણ બળવંત રાય મહેતા પછી ના ભાવનગરના બધા નેતાઓ વામણા પાક્યા. બધું ભૂલાઈ ગયું.
ભાવનગરની જનતામાં જેઓ હવે વયોવૃદ્ધ કક્ષાએ પહોંચી ગયા છે તેમના મનમાં આ પ્રોજેક્ટ હજી જિવંત છે એ તદન નકારી ન શકાય.
કલ્પસર મહા પ્રોજેક્ટ
જ્યારથી નરેંદ્રભાઈ મોદીએ “કલ્પસર – મહા પરિકલ્પના”નું સ્વપ્ન જાગૃત કર્યું ત્યારે ભાવનગર – તારાપુર નો વિકલ્પ મળી આવ્યો. આ પ્રોજેક્ટ ની પણ દશા ભાવનગર – તારાપુરના પ્રોજેક્ટ જેવી થવાની ઘડીઓ ગણાઈ રહી હોય તેની શક્યતા નકારી ન શકાય.
કલ્પસરની નવી ડીઝાઈનમાં અગરીયાઓ વિસ્થાપિત થશે. એ કામને તો કદાચ બીજેપીની કેંદ્ર સરકાર પહોંચી વળશે. જોકે પ્રગતિના અવરોધકો એવા લુટ્યેનો ધોળે દિવસે તારા દેખાડશે. પર્યાવરણ વાદીઓ (જેવા કે ‘તા, ‘ધા, … જેવા કેસને સર્વોચ્ચ ન્યાયાલય સુધી ખેંચી જશે) તેમની ટાંગ અડાવશે તો આ પ્રોજેક્ટ પણ સરદાર સરોવરની જેમ ખોરંભે પડી જશે. ભાઈકાકાનું ૧૯૩૦નું સરદાર સરોવરનું સ્વપ્ન, નરેંદ્ર ભાઈ મોદી થકી સાકાર થયું અને તે પણ તેઓ જ્યારે ભારતના મુખ્ય મંત્રી થયા ત્યારે જ ૨૦૧૪ – ૧૫માં પુરું કરી શકાયું.
કલ્પસરના નવા પ્રોજેક્ટમાં મીઠાના અગરીયાઓને વિસ્થાપિત કરવા પડતા નથી. કલ્પસરનો જુનો પ્રોજેક્ટ ઘણો જ મોટો હતો. પણ સહેલો હતો. બંધની ડીઝાઈનમાં જો જમણી બાજુના હિસ્સનો પાણીનો પ્ર્વાહ જે દરીયા તરફનો હતો તેને એક માર્ગી કરી દીધો હોય તો કશો વાંધો ન આવે. આ એક ટેક્નીકલ પ્રોબ્લેમ હતો અને ટેક્નીકલ પ્રોબ્લેમનું નિવારણ કદી અશક્ય નથી હોતું. જુના પ્રોજેક્ટમાં મીઠાપાણીનું સરોવર પણ પૂરતું મોટું બનતું હતું. નર્મદાનું પાણી પણ બંધમાં જ પડતું હતું. બંધની ઉપરથી રેલ્વે લાઈન પસાર કરી શકાય. નર્મદા નદીની નવી કેનાલ પણ દરિયાના કિનારે કિનારે લઈ શકાય.
જો આ પ્રોજેક્ટ, યુદ્ધના ધોરણે હાથ લેવાય તો ૧૦વર્ષમાં પૂરો કરી જ શકાય. આને માટે પૈસાની જરુરત હોય તો મારા જેવા નાગરિકો પણ બોંડ ખરીદીને કે દાનમાં આપીને પણ પોતાનું યોગદાન કરી શકે.
ભાવવાળા ભાવનગરીઓ
ભાવનગર જીલ્લાની જનતા બહુ કૃતજ્ઞ છે. વળી જૈનોની તીર્થ યાત્રા પણ સરળ બને. મુંબઈમાં એવા ઘણા લોકો છે જેઓ દર પૂનમે પાલીતાણા જાય છે.
ભાવનગર એક અદ્ભૂત અને શ્રેષ્ઠ શહેર
જો આ પ્રોજેક્ટ શરુ થશે તો તે પૂરો પણ થશે. ભાવનગર એક બૃહદ ભાવનગર બની જશે અને તે મુંબઈ, દિલ્લી અને બેંગલોર જેવું કે તેથી પણ મોટું મહાનગર બની જશે. આ મહાનગરનું પ્લાનીંગ પણ અત્યારથી જ કરી દેવું જોઇએ. અને આ પ્લાનીંગ ભાવનગરના એક વખતા દિવાન ગંગા શંકર ઓઝાએ કરેલા કૃષ્ણ નગરની પ્લાનીંગની લાઈન ઉપર જ થવું જોઇએ.
કૃષ્ણનગરના પ્લાનીંગની વિશેષતાઓ.
ડબલ રેલ્વે લાઈન ભરુચ –> ઘોઘા (ભાવનગર બ્રાંચ ) –> મહુવા –> પીપાવાવ –> ઉના –> પોરબંદર –> દ્વારકા
બધાજ રસ્તાઓ ૬+૬ લેન પહોળા, બધીજ ફુટપાથો ૧૮ ફુટ પહોળી અને વચ્ચે ૬ ફુટ પહોળી પાકી લેન વ્હીલ ચેર માટે. જેની બંને બાજુ લીલું ઘાસ ઉગાડેલું હશે
દર ૧૦૦૦ મીટરે શોપીંગ સેંટર, પેટ્રોલ પંપ, બસસ્ટૉપ અને મેટ્રો સ્ટેશન, અને બહુમાળી પાર્કીંગ (ઓટોમેટિક), બીજા ચાર રસ્તે બગીચાવાળું રાઉંડ એબાઉટ, રસ્તામાં કોઈ જગ્યાએ દુકાનો નહીં.
વિગતો માટે પ્રતિલિપિ ડોટ કોમ ઉપર “સમાસ્યાઓ છે તો ઉપાયો છે” તે લેખમાળા જુઓ.
ડોમેસ્ટીક અને ઇંટરનેશનલ એર પોર્ટ
ભાવનગર લોકલ એરપોર્ટના ચેક ઈન પોઈંટ ની અંદરથી જ ડબલ ટ્રેક રેલ્વેલાઈન ધોલેરાના ઈંટરનેશનલ એરપોર્ટની ચેકઈન સુધી જશે.
૧૯૫૦ સુધી ભાવનગર સૌરાષ્ટ્રનું એક નંબરનું શહેર હતું. ભાવનગરમાં કલાકારો, વિદ્વાનો, અસાધારણ રાષ્ટ્રીય લેવલના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સાહિત્યકારોથી ધમધમતું હતું. એને પુનઃ એ લેવલ ઉપર લઈ જવાની ભાવનગરના પ્રત્યેક નાગરિકની ફરજ છે. તેમણે સમજવું પડશે કે કશું અશ્કય નથી.
આ પ્રોજેક્ટ થી ૨૦૩૦ સુધીમાં ભારત, દુનિયાની એક નંબરની અર્થ વ્યવસ્થા બની જશે.
શિરીષ મોહનલાલ દવે