Feeds:
Posts
Comments

Archive for July, 2018

TV Anchor, Parliament Speaker and Nehruvian Congress

शंकास्पद या खराब, अकुशल और घटिया, प्रपंची और दुराचारी = टीवी चेनलका एंकर, संसदका अध्यक्ष और नहेरुवीयन कोंग्र्स

 टीवी चेनलका एंकरः

anchor

टीवी एंकरका काम है कि कोई एक विषय उपरकी  चर्चा के लिये, चर्चाके विषय पर निष्णातोंमें कोई एक या अधिक व्यक्तिको आमंत्रित करना, तथा यदि विषय सियासती है तो सियासती पक्षोंके संबंधित प्रतिनिधिको  अपने सियासती पक्षकी नीतियोंसे अनुसार अपना पक्ष प्रस्तुत करें  और इस प्रकार चर्चा सुचारु रुप से चले.

चर्चाके अंतमें जनताको यदि कुछ निष्कर्ष  निकालना हो तो निकाल सके.

मान लिजिये विषय हैराहुल गांधीका नरेन्द्र मोदीसे गले लगना

इसमें चर्चाके मुद्दे क्या हो सकते हैं?

() क्या राहुल गांधीका नरेन्द्र मोदीसे गले मिलना एक नाटक था.

हाँ या ना

(.) यदि नाटक था तो यह नाटक कितना उचित था?

(.) यदि नाटक नहीं था तो राहुल गांधीका गले मिलनेका हेतु क्या हो सकता है?

(2) क्या राहुल गांधीका गले मिलना अपने पक्षकी परंपराके अनुसार था?

यदि एंकरको चर्चा सुचारु रुपसे चलानी है तोः

() एंकरको चर्चाके नियम सभी वक्ताओंको समज़ा देना चाहिये, जैसे कि प्रारंभमें वक्ताको अपना पक्ष रखनेके लिये मीनट मिलेगी. बादमें प्र्त्युतर के लिये दो मीनट मिलेगी और उपसंहारके लिये ३० सेकंड मीलेगा. अवरोध पैदा करने के लिये एक पूर्व सूचनाका एक पेनल्टी पोईन्ट और माईक पुनरावरोध (बंद करने के लिये)के कारण दो पेनल्टी पोईन्ट मिलेंगे.  

() यदि नियमका भंग किया तो क्या किया जायेगा वह भी वक्ताओंको बता देना चाहिये,

() एंकरको एक एक पोईन्ट पर सुनिश्चित समय देना चाहिये.

() “सुचारु रुप सेसभी व्यक्तियोंको पहेले तो मुद्दा स्पष्ट करवाना चाहिये.

() यह स्पष्टता कर देनेके बाद एंकरको योग्य और समान समय देना चाहिये

() जो व्यक्ति बोलता है वह यदि मुद्देको बाजु पर रख कर अन्य मुद्दे पर बोलने लगे  एक बार उसके ध्यान पर लाना चाहिये कि वह मुद्देसे हट रहा है.

()  वक्ताको सूचित करने पर भी यदि वक्ता बोलता रहेता है, तो उसको आगे बोलने देना चाहिये, लेकिन उसके बोलनेके बाद एंकरको जनताको बताना चाहिये कि उस वक्ताने मुद्देकी बात नहीं की. उसने मुद्देसे हटके बात की है.

() यदि कोई वक्ता अन्य कोई वक्ता बोलता है तब उसके साथ बोलने लगता है, या तो उसके बोलनेमें अवरोध पैदा करता है तो उस अवरोधक वक्ता (व्यक्ति) को चेतावनी (पूर्व सूचना वॉर्नींग) देना चाहिये,

() यदि पूर्वसूचनाके बाद भी वह अवरोध चालु रखता है तो उसका माईक बंद कर देना चाहिये.

() सभी वक्ताओंको कितनी पूर्व सूचना दी गई थी और किसने पूर्व सूचनाके बावजूद अवरोध चालु रखा था तो उसके पेनल्टी पोइन्ट कितने हुए यह बात एंकरको दर्शकोंको अंतमें बताना चाहिये.

अभी तो क्या होता है, कभी कभी एंकर अपनी मनमानी करके कभी वक्ता को अवरोध करने पर  रोकता है या तो नहीं रोकता है. कभी एंकर खुद चिल्लने लगता है. क्या एंकर अवरोध करने वाले वक्ता का माईक बंद नहीं कर सकता? यह काम  उपलब्ध संचालित तकनिकी से हो सकता है, यदि एंकर बिना गतिरोध चर्चा चलाना चाह्ता है तो.

संसदका अध्यक्षः

sheaker

संसदके अध्यक्षका भी उपरोक्त ही उत्तरदायित्व बनता है. उसके अतिरिक्त उसके पास तो विशेष अधिकार भी है कि वह सदस्यको दंडित भी कर सकता है.

संसदमें सामान्यतः माना जाता है कि सदस्योंको अपनी प्रतिक्रिया प्रस्तूत करनेका अधिकार है.

सदस्यको अपनी प्रतिक्रिया प्रकट करनेका सुयोग्य तरिका होना आवश्यक है.

सदस्य जब अपना क्रम आवे तो वह बोल सकता है. किन्तु यदि;

सदस्य अपना स्थान पर खडा होके सूत्रोच्चार करे, या और, अन्य वक्ताकी प्रस्तूति पर अवरोध करे, या और, अपना स्थान   छोडके अध्यक्षके पास जाय, या और, अध्यक्षके सामने  प्रदर्शन करें तो इससे संसदकी कार्यवाही में गति रोध पैदा होता है.

ऐसा होने पर अध्यक्षको चाहिये कि वह एक बार, उस अवरोधक सदस्यको पूर्वसूचना दें और यदि सदस्य माने तो उसको,

बीचमें बोलने के लिये एक दिनके लिये निलंबित करें,

अपना स्थान छोडने के लिये दो दिनके लिये निलंबित करें

सूत्रोच्चार करने के लिये तीन दिनके लिये निलंबित करें

अध्यक्षके पास जाने के लिये एक सप्ताह के लिये निलंबित करें

यदि एक ही सत्रमें वह अपनी हरकतें तीन बार करता है तो उसको पूरे सत्रके लिये निलंबित करें

यदि मत देने की आवश्यकता पडी तो उसको सिर्फ मत देने की अनुमति मिल सकेगी.

जितने दिन सदस्यको निलंबित किया है उन दिनोंका भत्ता एवं वेतन काट दिया जायेगा.

नहेरुवीयन कोंग्रेसके नेता कहेते हैं कि संसद चलाना सत्तारुढ पार्टीका कर्तव्य है तो  

अध्यक्षका कर्तव्य है कि वह इस प्रकार अपना कर्तव्य अदा करें

संसदके बाहर प्रदर्शन करनाः

कहीं भी प्रदर्शन करना हो तो उसकी एक कार्यवाही है.

आप एक प्रार्थना पत्र में मुद्देका विवरण करो, प्रदर्शन का कारण बताओ, क्या आपने यथा योग्य अंतिम अधिकार क्षेत्रकी व्यक्तिसे वार्तालाप लिया? वार्तालापमें आप किस कारणसे संतुष्ट नहीं है? वार्तालाप अभी चालु है? यदि हाँ तो किस कारणसे प्रदर्शन करना है? क्या आपके उपर हो रहा अन्याय न्यायालयके क्षेत्रमें नहीं आता है? यदि इन सबका उत्तर हकारात्म नहीं है तो प्रदर्शनकी अनुमति नहीं दी जायेगी और सरकारी (जनहितकी कार्यवाहीमें) अवरोध करने कारण आपकी गिरफ्तारी होगी और न्यायिक कार्यवाही होगी.

नहेरुवीयन कोंग्रेस और उसके सांस्कृतिक साथी पक्षः

lok sabha noise

रा.गा.ने पहेले ही कहा था कि हम हर हालतमें संसदको चलने ही नहीं देंगे.

नहेरुवीयन कोंगी लोग ऐसा कहेते है कि जब वे शासनमें थे और बीजेपी जब विपक्षमें था तो वह भी ऐसा ही करता था. लेकिन यदि विपक्ष ऐसा करता था तो वह बोलने देने पर करता था. यदि ऐसा नहीं था तो नहेरुवीयन कोंग्रेसीयोंको चाहिये कि वे उसकी चर्चा टीवी चेनलोंके द्वारा समाचार पत्रोंद्वारा  अपना पक्ष, प्रसंगोका संदर्भ देके जनताके सामने रखें.

चालु सत्रमें आपने देखा होगा कि जब प्रधान मंत्री प्रश्नोंका उतार दे रहे थे तब उनको रोकने के लिये नहेरुवीयन कोंगी नेताएं सातत्य पूर्वक अवरोध कर रहे थे. प्रधान मंत्रीका भाषण ज्यादातर सूत्रोचारसे ही अवरुद्ध रहा था. यह संसदकी, नहेरुवीयन कोंगीयों द्वारा लगातार हो रही अवमानना है.

नरेन्द्र मोदीको गले मिलना एक नाटक था

नरेन्द्र मोदीको गले मिलना एक नाटक था क्योंकि नहेरुवीयन कोंग्रेसकी यह परंपरा नहीं है. यदि नरेन्द्र मोदीके परिपेक्ष्यमें नहेरुवीयन कोंग्रेसकी बात की जाय, तो, नरेन्द्र मोदी के बारेमें उनके नेताओंके बयान क्या थे वह रेकर्ड पर है. उतना ही नहीं नरेन्द्र मोदी, जब गुजरातके मुख्य मंत्री थे तब गुजरातकी सुरक्षा अधिकारीयोंने, उनके मिलेइनपुटके आधार पर कडी सुरक्षाकी मांग की थी. उसके उपर केन्द्रीय गृह विभाग चपट्ट बैठ गया था और सुरक्षा प्रदान नहीं किया था. केन्द्रके पासभी इनपुट थे, तो भी उसने कुछ नहीं किया था. जब नरेन्द्र मोदी अपने अधिकारिक सुरक्षा वर्तुलसे बाहर आये तो बिहारमें ४५ मीनटके लिये बिलकुल सुरक्षा हीन थे.

इसके अलावा नहेरुवीयन कोंग्रेस, अपने विरोधीयोंपर कैसा अत्याचार करती है उसका इतिहास गवाह है. आपातकालमें मीडीया पर सेन्सरशीप लगाना, जयप्रकाश नारायणको मरणासन्न करना, हजारोंको कारावासमें धकेलना वह भी बिना गुनाह, विरोधीयोंके बारेमें गलत अफवाहें फैलाना जैसे कि, मोरारजी देसाई, वीपी सींग, नरसिंह राव, देव गौडा, अन्ना हजारे, बाबा रामदेव, किरण बेदी ….    

और अंतमें रा.गाने आँख मारके उसके साथीयोंको संदेश दिया कि मैंने कैसा इन लोगोंको बेवकुफ बनाया.

इससे नहेरुवीयन कोंग्रेसके नेतागण घटिया प्रपंची और दुराचारी सिद्ध होते है.

शिरीष मोहनलाल दवे

Read Full Post »

સરકારી નોકરો કામ કેવીરીતે કરે છે?

beaurocrat 02

we have to employ some worker

સરકારી નોકરોના દરજ્જા

(૧) શ્રમિકઃ શારીરિક શ્રમ કરનાર

(૨) કારકુન અને તેમની ઉપર સુપરવીઝન કરનાર હેડ કારકુન

(૩) કનિષ્ઠ અધિકારી (ઇન્સેક્ટર સુપરવાઈઝર), આ ભાઈ-બહેનો સીધી ભરતીવાળા અથવા ખાતાની પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈને આ હોદ્દા ઉપર આવ્યા હોય છે.

(૪) અધિકારી

(૫) વરીષ્ઠ અધિકારી,

(૬) અતિ વરીષ્ઠ અધિકારી

(૭) વિભાગીય ઉત્તરદાયી અધિકારી

ચાર નંબર અને ચાર અને ચારથી ઉપરના રાજપત્રિત (ગેઝેટેડ) અધિકારી કહેવાય છે. તેઓ જે કંઇ કહે તે સાચું માનવામાં આવે છે. તેઓ જો ખોટૂં બોલે છે એવું સાબિત થાય તો તેમને કડક સજા એટલે કે પાણીચુ આપવાની સજા થઈ શકે છે. આઈ એ એસ અધિકારીનું હંગામી પોસ્ટીંગ આ હોદ્દા ઉપર થાય. જો કે તેઓની પોસ્ટ વગદાર હોવાથી તેઓ આવે ત્યારથી જ સગવડો ભોગવવાને પ્રાથમિકતા આપે છે .  

સરકારી કર્મચારીઓનો સર્વસામાન્ય ગુણઃ

એટલે કે તેમના સર્વ સામાન્ય ઉચ્ચારણો, ભલે પછી તે કર્મચારી કોઈ પણ હોદ્દા પર હોય…

(૧) મારું સેક્સન બહુ ઇમ્પોર્ટન્ટ સેક્સન છે.

(૨) મારે બહુ કામ છે એટલે કે મારો વર્કલોડ બહુ છે. મારી પાસે સમય નથી,

(૩) એ કામ મારું નથી,

(૪) એ તો બહુ જુનો કેસ છે. મારે જોવું પડશે.

(૫) ફાઈલ જડતી નથી

૯૯ ટકા કર્મચારીઓ, નંબર (૨) થી શરુ કરીને નંબર (૭) સુધીના અધિકારીઓ આવું માને છે અને કહેતા રહેતા પણ હોય છે.

નંબર (૧) વાળા જેમાં પટાવાળાનો સમાવેષ થાય છે તેઓ પણ જો તમને બીજો પટાવાળો ગેરહાજર હોય તો અને ક્યારેક ન હોય તો પણ આવું જ કહેતા હોયછે.

એક વાત છે કે જો તેઓ ક્લાર્ક થવા માટેની લઘુતમ લાયકાત ધરાવતા હોય તો આ લોકો પણ ખાતાની પરીક્ષા આપી ક્લાર્કની પોસ્ટ ઉપર આવી શકે છે.

સફાઈવાળાને સામાન્ય રીતે હંગામી (રોજમદાર) તરીકે રાખતા હોય છે તેથી તેઓ ચૂપચાપ કામ કરે છે. જો કે આમાં મોટા ભાગે તેમની વર્કમેનશીપ બરાબર હોતી નથી. પણ મોટે ભાગે તે ચલાવી લેવામાં આવે છે.  ખાસ કરીને સ્કેવેન્જર (સંડાસ સાફ કરવા વાળા) કે અકુશળ કર્મચારીઓ આમાં આવે છે. પણ તેઓ તેમના ઉપરીની માનસિકતા ઉપર આધાર રાખે છે. આમ તો જો કે દરેક કર્મચારીની કુશળતા તેના ઉપરી ઉપર નિર્ભર હોય છે પણ આ સ્થિતિ બધે સરખી હોતી નથી.

 જો કે હવે કોન્ટ્રાક્ટ નો જમાનો આવ્યો છે તેની ચર્ચા પણ કરીશું. એટલે હવે આ બધા અનસ્કીલ્ડ કર્મચારીઓ હવે કોન્ટ્રાક્ટરના હાથ નીચે આવે છે તેથી સાહેબોને રાહત અને ફાયદાઓ થયા છે. જો તમારે કઈ ઓફીસ કેવી ચાલે છે તે જોવું હોય તો તે ઓફીસના સંડાશ અને પેશાબ ખાના જોઇ લેવા. કેટલીક જગ્યાએ સાહેબો પોતાના પેશાબ અને મળ કર્મચારીઓના પેશાબ અને મળ સાથે ન ભળી જાય તે માટે પોતાનું અલગ સંડાસ રાખે છે. જો કે આ તો એક મજાક છે પણ તેમનો હેતુ એવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે કે તેમનો સમય બચે.

 beaurocrat 0૩

(૨) ટપાલઃ સ્ફલિત અને અસ્ફલિત સ્પર્મઃ

જેમ અફલિત અંડમાં સ્પર્મ જાય અને સજીવ તૈયાર થાય, તેમ સરકારી ઓફીસમાં ટપાલ એટલે કે પત્ર આવે એટલે મેટર/કેસ ફાઈલની શરુઆત થાય છે. જેમ સ્પર્મ ની સંખ્યા એક થી અગણિત હોય તેમાંથી જે સદ્ભાગી હોય તેનું જ ફલીકરણ થાય. કયા સ્પર્મનો ઉપયોગ ગર્ભ ધાન માટે કરવો તે શક્યતાના સિદ્ધાંત ઉપર આધારિત છે.

 પણ સરકારી ઓફીસમાં સાવ આવું હોતું નથી. અહીં કઈ ટપાલને આગળ ધપાવવા માટે પસંદ કરવી તે અધિકારી દ્વારા નક્કી થાય.

ચાર જાતની ટપાલો આવે છે.

ફલિત કેસને આગળ ધપાવનારી ટપાલ, જેની ફાઈલ બની ગઈ હોય છે, અને આ ટપાલ, તે ફાઈલનો વિકાસ કરે છે,

બીન સરકારી સ્રોત તરફતી આવી હોય છે તે અથવા બીજા ખાતા તરફથી આવેલી ટપાલ,

બીન સરકારી સ્રોત તરફતી આવેલી નવા કેસ માટેની ટપાલ,

ઉપરના દરજ્જેથી આવેલી નવા કેસ માટેની ટપાલ અને ઉપરના દરજ્જેથી આવેલી જુના કેસની ટપાલ.

ઓફિસના હેડ સાહેબની હાજરીમાં બધી ટપાલોના પરબીડીયા (કવર) ખોલી, ટપાલને પરબીડીયા સાથે સ્ટીચ કરી ફોલ્ડરમાં મુકી સૌ પ્રથમ ટપાલ ઉપર જે તે ઓફિસનો ગોળાકાર રબરસ્ટેમ્પ મારવામાં આવે છે. બધી ટપાલોને એક રજીસ્ટરમાં અનુક્રમ આપી નોંધવામાં આવે છે. એક ફોલ્ડર ફાઈલમાં આ બધી જ ટપાલ રજીસ્ટર સાથે જે તે ઓફીસના હેડ સમક્ષ મુકવામાં આવે છે. ક્યાંક સાહેબ બધી જ ટપાલો, રજીસ્ટર થાય તે પહેલાં સહુ પ્રથમ પોતાની પાસે મુકવામાં આવે તેવો આગ્રહ રાખે છે. તે હેતુ ઉમદા હોઈ શકે અથવા તે હેતુ ઉમદા ન પણ હોઈ શકે. ઉમદા હેતુ એ માટે કે સાહેબ બહુ મહત્વ ધરાવતી ટપાલ પોતાની પાસે રાખી શકે અથવા તાત્કાલિક ઉત્તર આપી શકે. અથવા તો તેને ફાડીને કચરા ટોપલીમાં ફેંકી શકે. જો કે આવું બહુ ઓછું બનતું હોય છે.

સાહેબ તે દરેક ટપાલ ઉપર જે તે હેડ ક્લાર્કને/અધિકારીને સૂચિત/માર્ક કરે છે. ક્લાર્ક તે પ્રમાણે દરેક અંકિત થયેલી ટપાલને તેની કોલમમાં સાહેબ/હેડક્લાર્ક નું નામ લખી તેને જે તે પધરાવે છે અને દરેકની સામે તેની સહી લે છે.

ફાઈલનો જન્મ અથવા વિકસતી ફાઈલ

હેડક્લાર્ક દરેક ક્લાર્કને તેની ડાયરી સાથે બોલાવી તેમાં રજીસ્ટર કરાવે છે. જનરલ રજીસ્ટર હેડક્લાર્ક પાસે રહેતું હોય છે. ક્લાર્ક પાસે પોતાની ડાયરી રહેતી હોય છે.

જે તે ટપાલ તેની ફાઈલમાં જાય છે. દરેક ફાઈલના બે હિસ્સા હોય છે. ડાબી બાજુ નોટ-શીટ જમણી બાજુ ટપાલ ફાઈલીંગ.

ક્લાર્ક જો કેસ નવો હોય તો હેડક્લાર્કની સૂચના પ્રમાણે નવી ફાઈલ ખોલે છે અને તેને ઓફીસની સીસ્ટમ પ્રમાણે નામ અને નંબર આપે છે. ફાઈલ રજીસ્ટરમાં તેના નામ અને નંબરની નોંધણી થાય છે. ફાઈલ રજીસ્ટર હેડક્લાર્ક પાસે રહે છે.

ટપાલને નોટ-શીટમાં નોંધ્યા પછી જો તેને અગાઉની કોઈ ટપાલ સાથે સંબંધ હોય તો નોટ-શીટની નોંધમાં તે દર્શાવવામાં આવે છે. તે માટે તે સંદર્ભ ફાઈલનું નામ, અને સંદર્ભ ફાઈલમાં તે કાગળનો ફાઈલમાંનો ક્રમ નંબર લખવામાં આવે છે. જો તે ફાઈલ એક અલગ ફાઈલ હોય તો તેને પ્રસ્તુત કરતી વખતે સાથે જોડવામાં આવે છે. હાલ જે ટપાલ ફાઈલમાં જોડી તેનના ફાઈલમાં રહેલા જે તે સંદર્ભો પણ ટપાલ ઉપર લખવામાં આવે છે. આ બધું સ્પષ્ટ રીતે નોટ શીટમાં લખવામાં આવે છે. આ બધું કામ ક્લાર્ક કરે છે. તેમાં તે હેડક્લાર્કના સલાહ સૂચન લે છે. દરેક સંદર્ભ કાગળને ફ્લેગ કરવામાં આવે છે અને ફ્લેગ ઉપર તેનો ફાઈલમાં રહેલો તેનો ક્રમનંબર લખવામાં આવે છે.

આવું બધું કરીને હેડક્લાર્ક પાસે મુકવામાં આવે છે. જો ક્લાર્કભાઈ હોંશિયાર હોય તો તેઓશ્રી ટપાલનો ઉત્તર પણ પૂર્વલેખ (ડ્રાફ્ટ) પણ મુકે છે. જો આવું ન હોય તો હેડક્લાર્ક સાહેબના કહેવા પ્રમાણે ડ્રાફ્ટ મુકે છે. જો કોઈ કાયદો, પ્રણાલી કે સર્ક્યુલર નો સંદર્ભ આપવાનો હોય તો તે બુક કે ફાઈલ પણ સાથે જોડે છે. આ બધું નોટશીટમાં લખવામાં આવે છે. જ્યારે ફાઈલ કે ફાઈલનો સમૂહ સાહેબ પાસે મુકવામાં આવે ત્યારે સાહેબ તે બધું જુએ છે. વધુ માહિતિ જોઇએ તો તેઓશ્રી નોટ-શીટમાં સ્પષ્ટ રીતે લખે છે. જો બીજા સાહેબની રીમાર્કની જરુર હોય તો તેમને માર્ક કરે છે. અથવા તેમને કાગળ લખવાની સૂચના આપે છે. આ પ્રમાણે કેસ આગળ ચાલે છે. અને ફાઈલ અને કેસ આગળ ચાલે છે. ઘણી વખત જો કેસ નાનો હોય તો એક સરખા અથવા મળતા/ભળતા કેસોની ફાઈલ સમાન રાખવામાં આવે છે.

બધા જ કેસો આવી રીતે આગળ વધે છે. જે સાહેબો નાના હોય કે મોટા કેસ તાત્કાલીક પૂરો કરવાનો હોય તેવી ફાઈલો લઈને મોટા સાહેબ કે બીજા સાહેબો પાસે જાય છે. પણ જો બીજા સાહેબની ઓફીસ દૂર હોય કે બીજા ગામમાં હોય તો કાગળ લખી તેમનો રીપોર્ટ-જવાબ મંગાવવામાં આવે છે. હવે આવાં જ કામ ઓનલાઈન દ્વારા થતાં હશે.

પણ ઓન લાઈન કરવામાં ઓફીસ ઓટોમેશન નો પ્રોગ્રામ જોઇએ.

ખાટલે ખોડ ક્યાં છે?

ઉપર લખેલી પ્રણાલી વિષે વધુ ઘણું વિવરણ થઈ શકે. આ એક ફુલપ્રુફ પ્રણાલી ગણી શકાય. પણ આ પ્રમાણે ન વર્તવામાં આવે તો?

અને એમ જ થાય છે.

ઘણી ટપાલો ક્યાંય નોંધાય નહીં. કવરો સચવાય નહીં. ટપાલ ઉપર તારીખ લખાય નહીં. ક્યારેક ટપાલ સીધી સાહેબ પાસે આવે અને ક્યારેક ન પણ આવે. ટપાલ આવે તો એક્નોલેજમેન્ટ ઉપર સહી ન થાય. પ્રેષકને જવાબ જ ન અપાય. મોટે ભાગે બધું બભમમાં જાય. ઉપલા અધિકારી પાસેથી આવતી ટપાલનો જ આદર થાય. અને તે પણ જો ઉપલા અધિકારીએ સાદી રીતે મોકલી આપી હોય તો તેના ઉપર જવાબી કાર્યવાહી થાય અને ન પણ થાય. અને તે પણ સાહેબ સાથે જ પણ એવું થાય. સાહેબને ઉઠા પણ ભણાવાય. અને સાહેબ પણ તેને ગંભીરતાથી ન લે, કારણ કે સાહેબ પણ તેમના ઉપરી સાહેબની સાથે અમુક કિસાઓમાં આવું જ કરતા હોય છે. સાહેબનો રીમાઈન્ડર આવે તો વળી તેને થોડો ગંભીરતાથી લેવામાં આવે અને કાર્યવાહીની શરુઆત થાય.

beaurocrat

એટલે ટૂંકમાં ક્લાર્કભાઈ ડાયરી રાખે નહીં. હેડક્ર્લાર્ક ભાઈ કશો સંદર્ભ આપે નહીં. સાહેબ ઉપર દબાણ હોય તો તે જાતે બધું શોધે અથવા તો ક્લાર્ક હૅડક્લાર્કને સંદર્ભ શોધવાનું કહે અને તે શોધે પણ ખરા.

સરકારી કર્મચારીઓને અઘરું કામ કરવું ન ગમે.

સાહેબ સહિતના બધા જ કર્મચારીઓને અઘરું કામ કરવું ન ગમે.

નિમ્ન લિખિત કામો અઘરા ગણાય

કાયદો વાંચવો,

જનતાના પ્રશ્નોના ઉત્તર આપવા.

કોન્ટ્રાક્ટરને કામને રેકોર્ડ ઉપર લાવવું, અને એ બાબતમાં લખવું કે સ્મૃતિપત્ર લખવો,

બીજા ખાતાને સમસ્યા વિષે ધ્યાન દોરતો અને નિવારણ માટે પત્ર લખવો,

બીજા ખાતાને વધુ વિગત માટે સ્મૃતિપત્ર લખવો,

કોઈ સમસ્યાના ઉકેલ માટે પાછળ પડી જવું,

હાથ નીચેના કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી,

હાથ નીચેના કર્મચારી ઉપર આરોપનામુ તૈયાર કરવું

કર્મચારી જવાબ આપે તો તેની ઉપર હુકમનામુ તૈયાર કરવું

બીજા ખાતા ઉપર કે ઉપરી સાહેબ સાથે સંવાદ કરી પ્રશ્નનો ઉકેલ લાવવો

જુના કેસને ઉખેળવો અને આગળ ધપાવવો

ટૂંકમાં સરકારી કર્મચારીઓને કાગળ ઉપર લેવું એટલે કે રેકોર્ડ ઉપર લેવું ન ગમે. ધારો કે લેવું પડે તેમ હોય તો તેઓ એવું અસ્પષ્ટ લખે કે જેથી તેઓ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓની જેમ ભળતા અર્થ ઘટનો કરી શકે.

સરકારી જવાબો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ ન કરે

હવે ધારોકે તમે તેમને ફરીયાદ કરી. અને તેમને ઉત્તર આપ્યા વગર છૂટકો નથી. તો તેઓ લખશે કે તમારી ફરીયાદ લક્ષ્યમાં લેવામાં આવી છે અને “તમને સંબંધિત ખાતા તરફથી ઉત્તર પાઠવવામાં આવશે.” સહી. અધિકૃત અધિકારી.

ઉત્તર ન આવવાને કારણે તમે તે જ અધિકારીને લખો તો તમને બીજા કોઈ અધિકારી તરફથી ઉત્તર મળશે કે “તમારે ઓફિસ રેકોર્ડ પ્રમાણે ₹ એક્સવાયઝેડ ભરવાના થાય છે” સહી સક્ષમ અધિકારી.

સંબંધિત ખાતાનું નામ અધ્યાહાર. તમારી અરજી ક્યારે મોકલી તે પણ અધ્યાહાર, કોણે સહી કરી તે નામ પણ અધ્યાહાર. જે ઓફીસે જવાબ આપ્યો તે અધિકારીનું નામ પણ અધ્યાહાર, તેના હોદ્દાનું નામ પણ અધ્યાહાર, ક્યો રેકર્ડ તપાસ્યો તે પણ અધ્યાહાર, કઈ તારીખ થી કઈ તારીખ સુધીનો રેકર્ડ તપાસ્યો તે પણ અધ્યાહાર ….

હવે ધારોકે તમે પર્સનલ ગ્રીવન્સીસ સેલને કોઈ ફરીયાદ કરી હોય તો જે તે ખાતું કઈ પણ ઉત્તર આપે તેની કોપી તે ખાતું પર્સનગ્રીવન્સીસ સેલને પણ મોકલી આપે. ને આ ખાતું તે જવાબને વાંચ્યા વગર જ તમને લખી નાખે કે તમારી ફરીયાદનો ઉકેલ આવી ગયો છે. પછી તમને એક લીંક પણ આપે કે “તમને આ ઉત્તરથી સંતોષ થયો કે નહીં? જો તમે ના લખો તો પણ તે તમારી વધુ સંવાદ કરે નહીં કે આગળ કાર્યવાહી નહીં કરે.

સરકાર કોર્ટમાં પોતાના કેસ હારી શા માટે જાય છે?

ધારો કે કોઈ અધિકારીએ પરચુરણ આઈટૅમની ખરીદીનું ટેન્ડર બહાર પાડ્યું. તો તેમાં વસ્તુનું સુનિશ્ચિત નામ વિવરણ લખે. તેનું બંધારણ ન લખે.  ધારો કે નમૂના મંગાવ્યા હોય તો પાર્ટીએ નમૂનાને  “ફલાણી પાર્ટીએ ફલાણો નમૂનો આપ્યો છે તેની ઓળખ માટે અને સિદ્ધ કરવા માટે સાબિતી ન રાખે. જો સાહેબનો સાહેબ ભળેલો હોય તો સબસ્ટાન્ડર્ડ માલ ચાલે એવો છે કે કેમ તેનો રીપોર્ટ ફીલ્ડ ટ્રાયલમાટે મોકલી આપે.  પાર્ટી સાહેબના સાહેબ સાથે કે તેના સાહેબના સાહેબના સાહેબ સાથે ભળેલી હોય તો તે ધરાર માલ પાછો ન લે. અને કેસ લવાદીમાં નાખે. લવાદી તો સાહેબના સાહેબના સાહેબ જ હોય એટલે તે કેસમાં રહેલી ક્ષતિઓ શોધીને માલ પાસ કરાવી દે.

કોર્ટમાં પણ આમ જ થાય. કારણ કે સરકારમાં તો જ્યાં હાથ નાખો ત્યાં પોલં પોલ હોય.

એક કોમ્પ્યુટર પ્રોગ્રામ નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. જનરલ મેનેજર સાહેબને જ ખબર ન હોય કે તેમના ખાતાને શું સગવડ જોઇએ છે. જે પાર્ટીઓ ટેન્ડર ભરવાની છે તેમાંની જ કોઈ પાર્ટી કે જેનું ટેન્ડર પાસ કરવાની ગોઠવણ આગાઉથી થઈ ગઈ છે તેને જ કહેવામાં આવે કે તેજ “સ્કોપ ઑફ વર્ક” બનાવે. અને પછી ટેન્ડર ચીલા ચાલુ રીતે પાસ થઈ જાય. દા.ત. કોમર્સીયલ સેક્સનને કોમ્પ્યુટરાઈઝ કરવો છે. તો હવે એવું થાય કે એક ફોર્મ બનાવવામાં આવે. એ ફોર્મની વિગતો ભરવામાં આવે એટલે કોમર્સીયલ સેક્સનનું કોમ્પ્યુટરાઈઝેશન થઈ ગયું એમ ગણાવાનું.

જે ખાતાને ફીલ્ડમાં કામ કરવાનું છે તેમની પાસે સ્ટેટમેન્ટો મગાવવામાં આવે. જો ફોર્મના ફિલ્ડના એકમેક સાથેના સંબંધો કોમ્પ્યુટરાઈઝેશનમાં સ્થાપિત કરવામાં આવ્યા હોય તો સ્ટેટમેંટ ઓટોમેટિક જ સાહેબના સાહેબના સાહેબને જ્યારે જોઇએ ત્યારે મળી શકે. પણ સાહેબના સાહેબના સાહેબ જેનું નામ, તેમને તો સ્ટૅટમેન્ટ ભૌતિક રીતે જોઇએ. તેઓશ્રી પોતાના ટેબલ ઉપર શોભાબેન માટે કોમ્પ્યુટર રાખે ખરા પણ એને એક ફર્નીચર આઈટેમ તરીકે જ રાખે.

આનાથી પણ ઘણી વિચિત્ર અને હાસ્યાસ્પદ વાતો સાહેબ, સાહેબના સાહેબ અને સાહેબના સાહેબના સાહેબ વિષે હોઈ શકે છે.

જો કે આ વાત તો જુની છે. કદાચ હવે આવું ન પણ હોય. પણ તમે બેંકમાં જાઓ, પોસ્ટ ઓફિસમાં જાઓ કે સરકારી ટેલીફોન ખાતામાં જાઓ, રેલ્વે ઓફીસમાં માં જાઓ, ક્યાંક કયાંક તો આવું જોવા મળશે જ.

તો સરકારી ઓફિસમાંથી આપણે કામ કેવીરીતે કઢાવવું?

તમને કદાચ ખબર નહીં હોય પણ આ સમસ્યા જનતાની જ નથી પણ એકબીજા વચ્ચેની કામગીરીમાં  સરકારી ઓફિસના ખાતાઓની પણ છે.

એક સરકારી ઓફીસને તેની કોર્પોરેટ ઓફીસમાંથી અમુક કામ કઢાવવું છે. કોર્પોરેટ ઓફીસના સામાન્ય કર્મચારીઓ પણ પોતાને નીચેની ઓફિસોના સાહેબ માને. નિમ્ન કક્ષાના ઓફિસરોને તે ગાંઠે જ નહીં. નીચેની ઓફિસના મધ્યમ કક્ષાના ઓફિસરોને ઉઠાં ભણાવે કે તેવો પ્રયત્ન કરે. પણ આ મધ્યમ કક્ષાના ઓફિસર ઉપર ઓફીસની કાર્ય કુશળતા અવલંબતી હોય છે. મધ્યમકક્ષાના ઓફીસરનો ઉપરી  ઓફિસરનો ઉપરી ઓફીસર જો આવા કેસો હાથમાં લે તો કદાચ કામ થાય પણ ખરું પણ તો તો તે ઉંચો જ ન આવે. કારણ કે તે તો તેના નીચેના અધિકારી ઉપર જ ડીપેન્ડન્ટ હોય છે. તેને તો કેસની ખબર પણ ન હોય અને તે જો વાત કરે તો તો તે કંઈક ઉંધું જ મારે. તો હવે કરવું શું?

દરેક ઓફીસમાં એક ઉપયોગી માણસ હોય છે. તે ક્લાર્ક પણ હોઈ શકે કે કનીષ્ઠ ઓફીસર હોઈ શકે, કે તે મધ્યમ કક્ષાનો ઓફીસર પણ હોઈ શકે. તે બંદોબસ્ત (પોલીસવાળાના અર્થમાં બંદોબસ્ત નહીં) કરવા વાળો હોઈ શકે, કે તે મદદ કરવાની વૃત્તિ વાળો હોઈ શકે, કે તે યુનીયન લીડર પણ હોઈ શકે, કે તે મહેનતુ પણ હોઈ શકે, કે તે વહીવટ કરવા વાળો પણ હોઈ શકે. તમારે તેને શોધી કાઢવાનો હોય છે. જો તેને તમારું મહત્વ કે ઉપયોગીતા સમજાય તો તે તમારું કામ કરી દેશે. કારણ કે ભવિષ્યમાં તેને પણ તમારું કામ પડશે તો તમે કામ આવશો એમ તમારે તેને લગાડવું પડશે.

કર્મચારીઓના (અધિકારી સહિતના) પ્રકારઃ

કામ ન કરનારા, જેમાં બંદોબસ્ત, વહીવટ કરનારા કર્મચારીઓ આવી જાય છે, પોતાનું કામ બીજા પાસે કરાવનારા, યુનીયન લીડર …

beaurocrat 01

ચીંધ્યુ કામ કરનારા,

ઉપરના સાહેબ કહે તેટલું જ કામ કરનારા તે સિવાય દરબાર ભરીને તડાકા મારનારા,

પોતે વાંકમાં ન આવે તેટલું જ કામ કરનારા,

કાયદેસર અને સચોટ કામ કરનારા,

ઉત્સાહ પૂર્વક કામ કરનારા, 

TH CHAUDHARY

કામ કરવામાં સમયની પરવા ન કરનારા,

આમાં ઈનોવેશન કરવાવાળા પણ આવી જાય છે.

છેલ્લા ત્રણને લીધે સરકારો ચાલે છે.

To the best of my knowledge so far I have come across only one ITS officer who brought revolution in the telephone services of Ahmedabad.

e.g. Dr T. Hanuman Chaudhary one out of 10000 ITS officers

શિરીષ મોહનલાલ દવે.

કાંઈ પૂછવું હોય તો બ્લોગસાઈટ ઉપર આવી પૂછશો જેથી જે ઉત્તર આપું તે બધા જાણી શકે.

Read Full Post »