Feeds:
Posts
Comments

Archive for May, 2013

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને કોન્ટ્રાક્ટ સીસ્ટમ

તમે કહેશો કે સરકાર પોતાના કામના ટેન્ડરો બહાર પાડે અને જેણે ઓછામાં ઓછો ભાવ ભર્યો હોય તેને કામ આપે તો એમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કેવી રીતે થાય?

સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો

સર્વોચ્ચ ન્યાયાલયનો એક ચૂકાદો હતો. સરકાર જે કામ પોતે પોતાના માણસો દ્વારા કરતી હોય અને તે કામ તે કોન્ટ્રાક્ટ દ્વારા કરાવે તો તેથી મજુરોના હિતને નુકશાન થાય છે. તેથી તે એવા કામો કોન્ટ્રાક્ટ મારફત ન કરાવી શકે. પણ જો કામ સાતત્ય વાળું ન હોય એટલે કે કામચલાઉ હોય તો તે એવાં કામ કોન્ટ્રાક્ટ મારફત કરાવી શકે.

દા.ત. કે સરકારના એક વિભાગ પાસે કોઈ એક ગામમાં એક મકાન છે અને તેનું મોટું સમારકામ કરાવવાનું છે. સરકાર પાસે કડીયો છે, સુતાર છે, મજુરો છે, સરંજામ તે ખરીદી શકે છે, પણ તે આ કામ કરી શકશે નહીં. કારણ કે સરકાર પોતાના સ્ટાફ પાસે જો કામ કરવે તો તે સ્ટાફ પોતાનું રોજ બરોજનું કામ કરી શકશે નહીં. જો તે નવી નિમણુંકો કરશે તો તે કામ પૂર્ણ થયા પછી આ નવો સ્ટાફ ફાજલ પડશે. પણ જો તે કારીગરો ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે હશે તો કોન્ટ્રાક્ટર તેઓને તેના બીજા કામોમાં ગોઠવી શકશે. એટલે આ તર્ક ઉપર સરકાર નવી નિમણુંકો ન કરે અને કોન્ટ્રાક્ટરો પાસે આવા કામ કરાવે. આવું તારણ સામાન્ય રીતે વ્યાજબી લાગે.

છીડાં શોધી શકાય

ધારો કે એક મોટું શહેર છે. એક સરકારી ખાતાને આ શહેરમાં ઘણી બધી ઓફિસો છે એટલે કે ઘણા બધા મકાનો છે. ધારોકે કોઈ એક સમયે તે ખાતા પાસે ઓછી ઓફીસો હતી. આ ઓફિસોમાં સફાઈ માટે મજુરો રાખેલ. એક કડીયો પણ હતો. એક સુતાર પણ હતો. એક ઈલેક્ટ્રીસીયન  પણ હતો. તેઓ રોજબરોજની સફાઈ અને રોજબરોજનું સમારકામ કરતા હતા. હવે ધારોકે એક નવી ઓફિસ શરુ થઈ. એક ઓફીસ માટે ફુલટાઈમ લેબર સ્ટાફ પરવડે નહીં. તેથી  આ કામ માટે પાર્ટ ટાઈમ સ્ટાફ રાખ્યો. હવે પાર્ટ ટાઈમ સ્ટાફમાં સફાઈવાળા સિવાય કોઈને કંઈ રોજ રોજ બોલાવાય નહીં. એટલે જ્યારે કામ હોય ત્યારે જ બોલાવાય. સફાઈવાળાની કલાકોના કામ લેખે હિસાબ થવો જોઇએ. તેની કામની વિગતો સાથે નોંધ રાખવી પડે. તેવી જ રીતે બીજા પાર્ટટાઈમ કારીગરોની પણ વર્ક ડાયરી રાખવી પડે. વળી આ બધાને એક દિવસના રોજ પ્રમાણે ચૂકવણું થઈ ન શકે અને કલાકના હિસાબે ત્રીરાશી માંડીને પણ ચૂકવણું થઈ ન શકે. એટલે જો અડધા રોજ થી ઓછૂં કામ હોય તો પણ અડધા રોજનું ચુકવણું કરવું જ પડે. અને અડધા રોજથી થોડું વધારે હોય તો આખા રોજનું ચુકવણું કરવું પડે. વળી ધારો કે બીજી એક બે પાર્ટ ટાઈમ કામવાળી ઓફીસ ચાલુ થઈ. તો જો આજ મજુરોને તેમની ફાજલ મજુરીનો લાભ લેવા માટે નવી જગ્યાએ મોકલીએ તો રોજ રોજ તેમને જવા આવવાનું ભાડું આપવું પડે. એટલે કે ટ્રાવેલીંગ આલાઉન્સ અને ડેઈલી આલાઉન્સ આપવું પડે.  આ બધું તો સરકાર માઈબાપને મોંઘું પડે. વળી ૨૫૦ દિવસ જો કોઈ મજુરને રાખ્યો હોય તો જ્યારે ક્યારેય ક્યાંય પણ જગ્યા પડે ત્યારે તેનો કાયમી થવાનો હક્ક બને.

રોજમદાર નોકરને કાયમી કરો એટલે ઉપાધીને આમંત્રણ

તમે રોજ ઉપરના મજુરને કાયમી કરો એટલે ઘણી રોજીંદી ક્રિયાઓ કરવી પડે. તેને કાયમી કરો તો તે એકલો તો હોય નહીં. અને આવા બીજા પણ કેસ હોય જે બીજા ગામમાંના પણ હોઈ શકે તો સીનીયોરીટીના સવાલો પણ ઉત્પન્ન થાય. અત્યાર સુધી તો તે ફક્ત મસ્ટર રોલના ચોપાનીયા ઉપર દેખાતો હતો. હવે તે હાજરી પત્રકના રજીસ્ટરમાં દેખાશે. તેનો હાજરી/ગેરહાજરીનો રીપોર્ટ લેખાધિકારીને દર મહિને મોકલવો પડશે. જાત જાતની રજાઓ અને વર્તણુંકની નોંધો, સરકારે નક્કી કરેલી પ્રણાલિગત ફોર્મોમાં નોંધવી પડશે. જો નોકરે કામમાં કે વર્તનમાં ક્ષતિ કરી હોય તો તેની ઉપર નિયમપ્રમાણે કાર્યવહી કરવી પડે. તેમ કરવામાં તેને એક લેખિત જાણ કરવા માટે અને જવાબ માટે યોગ્ય અધિકારી તરફથી એક પત્ર આપવો પડશે. તેનો જવાબ આપવા માટે તેને પૂરતો સમય આપવો પડે. અને તેનો જવાબ મળ્યા પછી તેના ઉપર ગુણવત્તાના આધારે વિવેક બુદ્ધિ વાપરીને નિર્ણય લેવાવો જોઇએ. આમાં તેના ઉપર જે આરોપ મુકવામાં આવ્યા હોય તેની સાબિતીઓ પણ આપવી પડે.

નોકરીઓમાં બઢતીના પણ કેસો ઉભા થાય. સીનીયોરીટીના કેસો ઉભા થાય. તે વિષે નોકર દ્વારા મુદ્દાઓ ઉભા કરવામાં આવે. આ બધાનો અભ્યાસ કરવો પડે. જ્યાં સુધી કેસ ન્યાયાલયમાં ન જાય ત્યાં સુધી અધિકારી સાહેબે પોતે જ પોતાનું મગજ ચલાવવું પડે. જો કેસ ન્યાયાલયમાં જાય તો તો અધિકારી સાહેબને ટાઢા પાણી એ ખસ જાય એવું પણ સાવ નથી હોતું પણ તેમને વકીલ સાહેબને આપવાના પેપર તો તૈયાર કરવા પડે. ખાસ કરીને વર્તણુંકને લગતા કેસોમાં તો અધિકારી સાહેબ જ વાંકમાં આવતા હોય છે.

અધિકારીને મફતમાં મગજ ચલાવવું ગમતું નથી

તમે જાણો છો કે સરકારી અધિકારીઓને લખા પટ્ટી ગમતી નથી. તેમાં પણ નિયમિત પણે પત્રવ્યવહાર તો તેમણે કર્યો જ ન હોય. ટૂંકમાં અધિકારી સાહેબોને તસ્દી લેવી કે મગજ ચલાવવું ગમતું નથી. એટલે અધિકારી સાહેબને પોતાનો સ્ટાફ વધે તે તેમને ગમતું નથી.

તો આનો ઉપાય શું?

નીચલા અધિકારીનો સ્ટાફ વધારવો?

નીચલી પાયરીના અધિકારીનો? જો આવું કરવામાં આવે તો શું થાય? એટલે કે કે વર્તણુંકની બાબતમાં કે કામમાંની બાબતમાં જે અશિસ્ત ના કેસો ઉભા થયા હોય તો, તેની અપીલો બધી આ અધિકારી પાસે આવે. વળી આ એટલું સહેલું નથી. અમુક પ્રકારના કેસો તો તેમણે જ ચલાવવા પડે.

કારણકે ભારતીય બંધારણ દ્વારા સૂચિત સર્વીસરુલ પ્રમાણે જે અધિકારો રાષ્ટ્રપતિએ જે કક્ષાના અધિકારીને અધિકૃત કર્યો હોય તે અધિકારો તે અધિકારી પોતાની નીચલી પાયરીના અધિકારીને સોંપી ન શકે. (ડેલીગેટેડ પાવર કેન નોટ બી ડેલીગેટેડ ફરધર).

વર્તણુંક અને સીનીરીટીના (અગ્રતાક્રમના)ના કિસ્સાઓ નીચલા ક્રમના ક્લાસ-૨ અને ક્લાસ-૩ના સૌથી વધુ હોય છે. ક્લાસ-૪ના પણ થોડા હોય છે.

મગજમારીને ઓછી કરવા માટે આ કોન્ટ્રાક્ટ સીસ્ટમ દાખલ કરવામાં આવી છે?

જોકે આ કારણ જ એક માત્ર કારણ હોતું નથી. કોન્ટ્રાક્ટ સીસ્ટમ લાગુ પડવાથી અનેકને માટે કમાણી નો એક વધુ સ્રોત બને છે.

ધારો કે કોઈપણ એક કામ છે. જેના તમારી પાસે માણસો છે પણ તમારે તેમની પાસે કરાવવું નથી.

અધિકારી સાહેબ ટેન્ડર કોન્ટ્રાક્ટ બનાવે છે

જોકે જે તે જાણીતા કામના ટેન્ડર કોન્ટ્રાક્ટની ફોર્મેટ તૈયાર હોય છે. વધારાની શરતો માટે અધિકારી સાહેબોએ મગજ ચલાવવું પડે છે, જે બનતા સુધી તેઓ ઓછામાં ઓછું ચલાવે છે.

ટેન્ડર ભરનારની લાયકાત અને ગુણવતાના ધોરણ નક્કી કરાય છે. આમાં અધિકારી સાહેબ થોડી ઘણી ઘાલમેલ કરી શકે, કારણ કે લાયકાતનું ધોરણ એવું રખાય કે જેમાં તમારા વહાલા આવી શકે અને દવલા ન આવી શકે.

વર્તમાન પત્રોમાં નોટીસ અપાય છે.

ટેન્ડર ફી લઈ ટેન્ડર ફોર્મ વહેંચાય છે,

અર્નેસ્ટ મની ભરાવવામાં આવે છે,

અમુક તારીખ સુધીમાં વૈકલ્પિક સૂચનો મગાય છે,

સૂચનો ગ્રાહ્ય લાગે તો તેને સામેલ કરાય છે. સામાન્ય રીતે જ્યારે આમાં અંગત લાભ મેળવવાના હોય, એટલે કે અણગમતા કોન્ટ્રાક્ટરને હેરાન કરવાનો હોય તો, આવા સૂચિત ફેરફારને અવગણવામાં આવે છે. એટલે કે કોઈ એક કોન્ટ્રાક્ટર દ્વારા જે ફેરફાર સૂચિત થયા હોય તેને અવગણવામાં આવે છે. આંખ આડાકાન કરવામાં અવે છે. આમાં અધિકારી સાહેબને કોન્ટ્રાક્ટરને હેરાન કરી કમાણીનો કરવાનો ઈરાદો હોય છે.

સામાન્ય રીતે તો આવા સૂચનોનો અભ્યાસ કરવો જોઇએ ચર્ચા કરવી જોઇએ અને તેની ઉપર નિર્ણય કરી તે નિર્ણય બધાને જણાવવો જોઇએ,

કેટલીક પાર્ટીઓ એક કરતાં વધુ પેઢીઓ પોતાના સગાઓનાં નામે ચલાવતી હોય છે. તેઓ અનેક ટેન્ડરો ભરે છે.

ટેન્ડરોને ખોલો,

ભાવોનું મૂલ્યાંકન થાય છે, આ મુલ્યાંકનમાં રમતો રમી શકાય છે.

પાર્ટીઓના ભાવો પ્રમાણે અનુક્રમમાં ગોઠવાય છે. તેમની પાસેથી સીક્યોરીટી ડીપોઝીટ લેવાય છે.

જો એક જ કામ હોય તો સામાન્યરીતે પ્રથમક્રમની માન્ય પાર્ટીને કામ સોંપવામાં આવે છે.

જો રેટરનીંગ (નાના નાના કામો કે જે હમેશા ચાલુ જ રહેતા હોય છે તેનો આખા વર્ષ માટેનો કે સીવીલ, ઈલેક્ટ્રીક સમારકામનો એક વર્ષ માટેનો હોઈ શકે છે. નાના નાના કામો પણ મોટા સાહેબના અધિકૃત વિસ્તારમાં ફેલાયેલા હોય, તો આવા કામોને ૫૦.૩૦.૨૦ કે એવા જ પ્રમાણમાં ત્રણે પાર્ટીઓને એરિયા પ્રમાણે વહેંચી દેવાય અથવા તો ક્ષેત્રીય અધિકારીઓને કહી દેવાય કે તમે આ પ્રમાણે તમારા કામ વહેંચજો. ક્ષેત્રીય ધિકારીઓ પોતાની મનપસંદરીતે વર્તે. કોન્ટ્રાક્ટર કશો ઝગડો ન કરે. કારણ કે તેમને કામ કરવું હોય છે.

વહીવટ ક્યાં ક્યાં થાય

ટેન્ડર મંજુરીનો લેટર આપવામાં ટેન્ડર અધિકારી વહીવટ કરે.

ટેન્ડર ઉપર પોતાને કામ વહેંચાય તે માટે કોન્ટ્રાક્ટર ક્ષેત્રીય અધિકારી સાથે વહીવટ કરે,

કામની ચકાસણી માટેની બાબતમાં કોન્ટ્રાક્ટરે અધિકારીઓ સાઈટ ઉપર આવે ત્યારે તેમની સાથે વહીવટ કરે,

જો જ્યારે ક્યારેય અગર કોંટ્રાક્ટર સાથે કોઈ અધિકારીને વાંધો પડ્યો તો બીલ વીજીલન્સને જાય. એટલે વીજીલન્સનો પણ લાગો ઉમેરાય. એક ટેલીકોમ જીલ્લામાં તો એવી પ્રેક્ટીસ હતી કે બધા જ બીલ વીજીલન્સને મોકલવામાં આવે. એટલે વીજીલન્સનો લાગો પૂરો થયા પછી બીલ લેખા અધિકારી પાસે જાય.

કામના બીલને ધક્કો મારવામાં અધિકારીઓ અને તેમના  સ્ટાફ સાથે વહીવટ કરવો પડે,

કામના ફંડની ફાળવણી માટે કોન્ટ્રાક્ટરને જે ફાળવણી મહા લેખા અધિકારી હોય તેથી તેની સાથે વહીવટ કરવો પડે,

ફંડ ફાળવાયા પછી એકાઉન્ટ ઓફીસરો વળી તેને ઈન્ટર્નલ ઓડીટમાં મોકલે, ક્યારેક ત્યાં પણ લાગો લાગુ પડે. લેખાધિકારી બીલ ઉપર ચૂકવણીનો સીક્કો મારે તે માટે કોન્ટ્રાક્ટરને તેમની સાથે વહીવટ કરવો પડે,

ચેક લેવા માટે કોન્ટ્રાક્ટરને જે તે લેખા અધિકારી નકદ(કેશ) અને તેનો કનિષ્ઠ લેખા અધિકારી નકદ સાથે પણ વહીવટ કરવો પડે,

કામ પુરું થયા પછી અને કોન્ટ્રાક્ટનો સમય પુરો થયા પછી સીક્યોરીટી ડીપોઝીટ છોડાવવા માટે વળી પાછો વહીવટ કરવો પડે.

હવે તમે કહેશો કે જો કોન્ટ્રાક્ટરને આટલા બધા સાથે વહીવટ કરવો પડતો હોય તો કોન્ટ્રાક્ટરને નફો કેવીરીતે રહે?

નફો રહે. કારણ કે કોન્ટ્રાક્ટરના કામમાં ગુણવત્તા જ ન જળવાઈ હોય. કામ સમયસર પુરું ન થાય અને કદાચ કાયમ માટે અધુરું રહે તો પણ તેને કશું ન થાય.

એક દાખલો જુઓ?

એક જગ્યાએ એક પ્લેટફોર્મ જે ચાર ફુટ ઉંચું, અને દશ બાય દશ ફુટ લાંબુ પહોળું કરવાનું હતું. સીવીલ વીંગને એસ્ટીમેટ બનાવવા અને કામ કરવા કહેવામાં આવ્યું. સીવીલ વીંગે રૂ. ૨૦,૦૦૦/- જેવો એસ્ટીમેટ બનાવ્યો. સ્પેસીફીકેશન બહુ ઉંચા બનાવ્યા. આ એવો સમય હતો કે જ્યારે રૂ.૨૦,૦૦૦/- માં એક નાનું મકાન બની શકે. (ધારોકે આ કામ સીવીલ વીંગને કરવાનું કહેવામાં આવ્યું હોત તો શું થાત?

ટેન્ડરમાં ભાવ કેવી રીતે માગવામાં આવે છે? ટેન્ડરમાં કામની કિમતના કેટલા ટકા વધારે કે કેટલા ટકા ઓછાએ કામ કરી દેવામાં આવશે એ જ લખવાનું હોય છે. ધારો કે કોઈ કોન્ટ્રાક્ટરે ૨૫ ટકા ઓછા ભાવે કામ કરી દેવાનું લખ્યું અને તેનું ટેન્ડર મંજુર થયું. તો શું થશે?

વાસ્તવમાં સ્પેસીફીકેશન (ગુણવત્તાનું ધોરણ) એટલું મજબુત કરવાની જરુર ન હતી. પણ મજબુત કર્યું.

કામ જ્યારે થાત ત્યારે ગુણવતાના ધોરણ જાણી જોઇને ન જળવાત. કામ કોન્ટ્રાક્ટરના ૮ ટકાના નફા સાથે આ આશરે ૪૦૦૦ થી ૫૦૦૦ પતી જાત. અને ઉપરના પૈસા સાહેબો અને કોન્ટ્રાક્ટર વહેંચી લેત.

તમે જુઓ, જ્યારે પણ નવા રસ્તાના ડાઈવર્ઝન રોડ બને છે તેમાં અડધા ઉપર પૈસા ખવાઈ જતા હોય તો આશ્ચર્ય ન જ પામશો.

મજુર કાયદો? એને કોણ ગણે છે?

કોન્ટ્રાક્ટર મજુર કાયદાનું કદી પાલન ન કરે.

કોન્ટ્રાક્ટર પોતાનું કામ બીજાને આપી દે,

અગર લેબર કમીશ્નરનો કોઈ ઈંસ્પેક્ટર કોન્ટ્રાક્ટરના કામના સાઈટ ઉપર આવે તો તેને કોઈ જવાબદાર વ્યક્તિ ન મળે. અને કોન્ટ્રાક્ટરના નામની પણ તેને ખબર ન પડે. પણ તેણે ખફા થવું ન પડે. કારણ કે મુકાદમને સૂચના આપી દે કે કામનો માલિક તેને ઓફિસમાં મળી આવે.  માલિક મળી આવે એટલે કેસ જો રેકોર્ડ કર્યો હોય તો જરુરી રીમાર્કો લાગી જાય અને વાત પુરી થાય.

કોન્ટ્રાક્ટ પ્રણાલીમાં બધાને ફાયદો ને ફાયદો જ છે. સિવાય કે પ્રજાના પૈસા ચવાઈ જાય.

પણ આનો શું ઉપાય નથી?

ઉપાય તો છે જ

બીગ ઈઝ બ્યુટીફુલ એટલે મજુર કાયદાનું પાલન સહેલુ

મજુર કાયદાનું પાલન ત્યારે વધુ   સરળ બને જ્યારે કામ ઘણું મોટું હોય, કોન્ટ્રાક્ટર પણ ઘણો મોટો હોય અને મોટો કોન્ટ્રાક્ટર તેના કાયમી સ્ટાફ દ્વારા જ કામ કરે.

મોટો કોન્ટ્રાક્ટર એક રજીસ્ટર્ડ થયેલી કંપની હોવી જોઇએ. કંપનીએ તેના નોકરોને મજુરકાયદા પ્રમાણે સગવડ આપવી જ જોઇએ.

જાહેર જનતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમાં ચકાસણી કરી શકે તે માટે કોઈપણ કામ થતું હોય ત્યાં, વર્ક ઓર્ડર નંબર, કામ આપનાર સંસ્થાનું નામ, તેની વેબસાઈટ, ટેન્ડરની યુઆરએલ, કામ ચાલુ થાયાની તારીખ અને કામ પુરું કરવાની મુદત લખેલું બોર્ડ કામની દરેક જગ્યાના છેડે અને અથવા ગેટ પાસે લગાવવાં જોઇએ. આમ કરવાથી જનતાના હિતમાં વિચારતી સંસ્થાઓ કે વ્યક્તિઓ વેબ સાઈટ ઉપર જઈ કામ વિષેની માહિતિ અને ગુણવત્તા ના ધોરણો વિષે ચકાસણી કરી શકે.

વિદેશોમાં કેટલીક જગ્યાએ કામ ના બીલ સાથે કોન્ટ્રાક્ટરે પોતાના સંપૂર્ણ કામની સૂચિત ફોર્મેટમાં સીડી બનાવીને આપવી પડે છે. આ પ્રણાલી ભારતમાં પણ રાખી શકાય.

કોન્ટ્રાક્ટ સીસ્ટમમાં સરકાર પ્રારંભમાં પૈસા બચાવે છે. કારણ કે કામ કે તેનો એક હિસ્સો પુરો ન થાય ત્યાં સુધી સરકાર પાસે કામના પૈસા બચે છે. પણ જ્યારે ચુકવણું થાય ત્યારે વ્યાજ અને કોન્ટ્રાક્ટરના નફા સાથે (લાગાઓ સહિત), વપરાય છે.

पैसे पेडो पर नहीं उगते है ईसलिये घोटाले करने पडते हैं हमें

કાર્ટુનીસ્ટનો આભાર

પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ

નરેન્દ્ર મોદીએ પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ ની વાત કરી છે. આ એક સારી વાત છે. કારણ કે તેમાં સરકારી પૈસા બચે છે અને કોન્ટ્રાક્ટર ટોલ દ્વારા પૈસા દશ વર્ષે વસુલ કરે છે. પણ આ બાબતમાં પણ ઘણી બાબતો જેવી કે કામની ગુણવતા, નિભાવ (મેન્ટેનન્સ)ની ગુણવત્તા, શ્રમ નું મૂલ્ય, કંપનીની વિશ્વસનીયતા અને સરકારની પોતાની સક્રીયતા ઉપર પણ ઘણો આધાર રાખે છે. દા.ત. “વિશાલા” પાસે બંધાયેલ સાબરમતી નદીના બ્રીજ ઉપરનો ટોલ ટેક્ષ બે પેઢી (૩૦ વર્ષ) સુધી ચાલ્યો છે. આ એક સંશોધનનો વિષય છે.

જો સરકારનો જે તે ખાતાનો ઉચ્ચ અધિકારી કે મંત્રી કૃતનિશ્ચયી હોય તો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ઘણાં કામો સરકાર પોતાના પૈસા જોડ્યાવગર કરી શકે. જો કે પ્રોજેક્ટના પ્લાનીંગ અને પ્રોજેક્ટના અમલમાં સરકારે સાચા અર્થમાં એક પાર્ટનર તરીકે અને પ્રજાના વાસ્તવિક પ્રતિનિધિ તરીકે ફરજ બજાવવી પડે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ કોન્ટ્રાક્ટર, કામ, ગુણવત્તા, માહિતિ, અધિકાર, અધિકારી, ખાતું, લાગો, લેખા અધિકારી, ટેન્ડર, મૂલ્યાંકન, અર્નેસ્ટ મની, સીક્યોરીટી ડીપોઝીટ, પ્રોજેક્ટ, પ્રાઈવેટ, પબ્લીક, પાર્ટનર, મજુર, કાયદો

Read Full Post »

ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો 

રોગો અને તેના ઉપચારો ને લગતો આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં શું હોય છે તેનાથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે.

કોઈવ્યક્તિ માંદો પડે એટલે શું થાય?

તે ડોક્ટર પાસે જાય,

ડૉક્ટર દવાઓ લખી આપે, કેટલીક વાર દવા એવી હોય કે તે ડૉક્ટરની નજીકના મેડિકલ સ્ટોરમાં જ મળે. ડૉક્ટરને અમુક ટકા કમીશન મળે.

દરદી સાજો થયો તો વાત પૂરી. ન થયો તો ડૉક્ટર દવા બદલે અથવા અમુક ટેસ્ટ કરાવે. ક્યા ટેસ્ટ જરુરી છે કે નહીં તે વાત જવા દો. કેટલીક વાર ડોક્ટર લેબોરેટરીની પણ ભલામણ કરે.

દરદી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે. ડોક્ટરનું કમીશન ચડે.

ડૉક્ટર ટેસ્ટ રીપોર્ટ જુએ. અને રોગને પારખે અને દવાઓનો નવો કોર્સ લખી આપે. દરદી હવે આ રોગની દવાઓનો કોર્સ કરે. જે કદાચ એક સપ્તાહ થી ત્રણ માસ સુધી ચાલે.

જો દરદી સાજો થઈ ગયો તો દરદીએ ડોક્ટર અને ઈશ્વરનો ઉપકાર ગણવાનો.

જો તમે ઉચ્ચ વર્ગના કે ઉચ્ચ મધ્યમ વર્ગના હો કે અતિ માલેતુજાર હો તો આ ચિકિત્સા પ્રણાલી બહુ નડશે નહીં. કારણકે તમે ખમતીધર છો અને મેડીક્લેમ પણ હશે. જો ડોક્ટર જાણીતો હશે તો તમને થોડા વધુ ખર્ચા કરવાશે પણ તમને સાજા કરી દેશે. પણ જો તમે અજાણ્યા ડોક્ટર પાસે જશો તો જોખમ મોટું તો હોઈ શકે છે. તમે સારી ભલામણ લઈને જાવ તો જરા જોખમ ઓછું. પણ તમે ઈશ્વર પર ભરોસો રાખશો.

આ બધી વાતો જનરલ ફીઝીસીયનના સ્ટેજ સુધીની થઈ. જો રોગ મોટો છે અને બહુ વખત સુધી ગણકાર્યો નહીં અને પછી સ્પે્શીયાલીસ્ટ પાસે ગયા એટલે તમારે છ માસથી શરુ કરી પાંચ વર્ષ સુધીનો દવાના ટેસ્ટ રીપોર્ટો સાથેનો કોર્સ તો તમારે લમણે લખાઈ ગયો એ સમજી લેવાનું. એમાં પણ જો તમારે રુગ્ણાલય (હોસ્પીટલ)માં જવાનું થયું તો પચાસ હજાર થી શરુ કરી પાંચ લાખ જ નહીં પણ આકાશ એ સીમા છે.

સરકારી હોસ્પીટલોમાં સ્થિતિ એટલી હદે લૂંટી લેવાની નથી. પણ ડોક્ટર, નર્સ અને મહેતરાણીઓ પોતું કરવાવાળીઓ સ્ટોર કીપરો એ બધાની સેવા લેવા માટે તમારે આંટા ફેરા કરવાના. જોકે આ સ્થિતિ કેટલેક અંશે ખાનગી એવા મહા-ઋગ્ણાલયોમાં પણ હોય છે.

ડોક્ટરોમાં અને રુગ્ણાલયોમાં વાસ્તવમાં કેવા કરાર હોય છે તે આપણને ખબર નથી. પણ ડોક્ટરને તેની ભલામણથી દાખલ થયેલા કે દર્દીએ પસંદ કરેલા કે રુણાલયે સૂચવેલા ડોક્ટરની વીઝીટના પૈસા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભોગવા પડે છે. આનું સારું પાસુ એ છે કે દર્દીને જે તે ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ મળી શકે છે. જો ઓપરેશનની સંડોવણી હોય તો સર્જનને હોસ્પીટલ તરફથી સામાન્યરીતે નિશ્ચિત કરેલી રકમ મળે છે. અને ઘણી વખત એક કરતાં વધુ ઓપરેશનો પણ કરવામાં આવે છે.

જો દર્દીને ગંભીર બિમારી હોય તો ડોક્ટરોની અને હોસ્પીટલની દાઢ સળકે છે. દર્દીને રીતસર ચીરી જ નાખવામાં આવે છે. જ્યારે દર્દી મૃત્યુની નજીક જ હોય દર્દીના સગાં પણ જાણતા હોય કે દર્દ બહુ ગંભીર છે અને સાજા થવા વિષે કશું કહી શકાય તેમ નથી અને જો તમે હોસ્પીટલ માટે અજાણ્યા હો અથવા તો હોસ્પીટલ તમારે માટે અજાણી હોય તો તમને હોસ્પીટલ ચૂસી લેશે. જે દર્દી તમારી સાથે વાતો કરતો કરતો હોસ્પિટલમાં દાખલ થયેલો તે સ્ટ્રેચરમાં હોસ્પિટલમાંથી બહાર નિકળશે.

ધારોકે તમારા દર્દીને ઓપરેશન કરવવું પડશે તેવું નક્કી થયું

તમારો દર્દી હોસ્પીટલમાં દાખલ થાય તે પહેલાં કેટલાક ટેસ્ટ તમારે ફરીથી કરાવવા પડશે. તેમાંના કેટલાક કે બધા જ ટેસ્ટ તમે અગાઉ કરાવ્યા હશે તો પણ તમારે તે ફરીથી કરાવવા પડશે અને હવે તે બધા તમારે હોસ્પીટલ વાળા કહે તે લેબોરેટરીમાં કરાવવા પડશે. કારણ કે હોસ્પીટલ ને બીજી લેબોરેટરીઓ ઉપર વિશ્વાસ નથી હોતો. અમુક ટેસ્ટ હોસ્પીટલ જાતે પોતાની લેબોરેટરીમાં કરશે. ભલુ હશે તો હોસ્પીટલ વાળા તમને ઓપરેશના એક દિવસ અગાઉ તમારા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી દેવાનું કહેશે. તો વળી કેટલીક હોસ્પીટલો તમને તમારા દર્દીને તાત્કાલિક જ દાખલ કરી દેવાનું કહેશે.

હોસ્પીટલ વાળા તમને ક્યારે ક્યારે કેટલા પૈસા જમા કરાવો એ અને બીજું બધું, શું શું કહેશે તે બધી વાત જવા દો.

હોસ્પીટલવાળા તમારી પાસે રુમ ચાર્જ લેશે, દવાનો ચાર્જ લેશે, ડ્રેસીંગનો ચાર્જ લેશે, ડોક્ટરનો ચાર્જ લેશે, ઓપરેશન હૉલનો ચાર્જ લેશે, ઓપરેશનનો ચાર્જ લેશે, ઓપરેશના શસ્ત્ર-અસ્ત્રોનો ચાર્જ લેશે, એનેસ્થેસીયાનો ચાર્જ લેશે, ઓપરેશન પછી દર્દીને આઈ.સી.યુ.માં રાખશે એટલે તેનો પણ ચાર્જ લેશે. દર્દીને તેના રુમમાંથી ઓપરેશન માટે બહાર કાઢ્યા પછી અને ઓપરેશ બાદ વાયા આઈ.સી.યુ. ફરીથી દર્દીની રુમમાં લાવ્યા સુધીનો (જો જીવતો રહ્યો હોય તો) રુમનો ચાર્જ લેશે. જો દર્દી ઉપરનું ઓપરેશન સફળ થયું હોય તો તેને થોડા દિવસ વધુ (કેટલીક વાર બીજો નવો બકરો ન આવે ત્યાં સુધી) રુમમાં રાખવામાં આવશે. અને તેનો પણ અગાઉના જેટલો જ ચાર્જ લેશે.

હવે જો ડોક્ટર દયાળુ હશે તો તમને સાચી વાત કહેશે. જોખમની સમજણ આપશે. અને બધું તમારા ઉપર છોડશે. જો આમ ન હોય તો દર્દીને હોસ્પીટલામાં ક્યાં સુધી રાખશે તે ભલભલા જ્યોતિષશાસ્ત્રીઓ પણ કહી શકશે નહીં. એવું પણ જાણવા મળ્યું છે કે વેન્ટીલેટર નામનું ઉપકરણ હોસ્પીટલોને ઠીક ઠીક કમાણી કરાવે છે.

મેડીકલ કાઉન્સીલ

મેડીકલ કાઉન્સીલનો આમ તો ધારે તો ઈલેક્સન કમીશ્નર જેવો રોલ કરી શકે છે. શેષન જેવો કોઈ ધૂની ઈલેક્સન કમીશ્નર પાકી શકે છે પણ તેના જેવો ક્રાંતિકારી મેડીકલ કાઉન્સીલનો ચેરમેન પાકી શકતો નથી. દવાઓ યોગ્યરીતે બનાવાય છે કે નહીં, યોગ્યરીતે પ્રદર્શિત કરાય છે કે નહીં, યોગ્ય ભાવે વેચાય છે કે નહીં વિગેરે ઉપર તેણે નજર રાખવાની હોય છે. હવે જો સરકાર જ જો જાણી જોઇને આંખ આડાકાન કરતી હોય તો મેડીકલ કાઉન્સીલ શું કામ લૂંટમાં સામેલ ન થાય? આ બાબતમાં બાબુભાઈનો એક કેસ આર્ટીકલ વાંચી લેવો. URL https://treenetram.wordpress.com/2011/11/19/babubhai-thakkar-submits-application-to-prosecute-man-mohan-singh/

મેડીકલ કાઉન્સીલમાંના એક હોદ્દેદાર થવા જે કરોડ રુપીયાનો લાંચનો કિસ્સો વર્તમાનપત્રોમાં આવેલ એજ બતાવે છે કે મેડીકલકાઉન્સીલમાં કેટલા ઘી કેળાં છે.

ટૂંકમાં આજના સમયમાં માંદા પડવું એ એક મોટો ગુનો છે.

આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને  રોકવાનો ઉપાય શું?

આમાં મુખ્ય કઈ કઈ બાબતો છે જેને લક્ષમાં લેવી જોઇએ.

રોગ લાગુ પડવાના કારણો કયા કયા છે?

૧ વાઈરસ થી થતા રોગોઃ આમાં શરીરની અંદર કાયમ રહેતા વાઈરસને આપણી પ્રતિકારત્મક શક્તિ નુકશાનકારક રીતે વધુ સક્રીય થતા રોકી રાખે છે. બીજા વાયરસ બહારના વાતાવરણમાંથી આપણા શરીરમાં પ્રવેશે છે. જોકે તે કેટલા શક્તિશાળી છે તે આપણે સમજી શકતા નથી. જો આપણે માંદા પડીયે તો સમજી લેવું કે તે વાયરસ સામે આપણી પ્રતિકારાત્મક શક્તિ હારી ગઈ. એટલે આપણે તેનો ઉપચાર કરવો પડશે.

૨ જંતુ જન્ય રોગોઃ જોકે આનાથી થતા આક્રમણની સામે પણ આપણી પ્રતિકારત્મક શક્તિ રક્ષણ આપે છે. પણ આમાં પણ હાર અને જીત હોય છે. આ રોગ પણ આમ તો વાયરસ જેવો ગણાય. પણ આ ગંદકીને લીધે અને અશુદ્ધિને લીધે થાય છે.

૩ ખરાબ આદતોથી થતા રોગોઃ ખરાબ આદતો જેવી કે દારુ, રોગીષ્ઠ નોનવેજ, તમાકુ, ઘરની અશુદ્ધિ, અતિ-આહાર, અકુદરતી આહાર વિગેરેથી પણ માંદા પડાય છે.

૪ વારસાગત રોગોઃ આ રોગો આમ તો નંબર ૧ સાથે સરખાવી શકાય. પણ કુદરતી આહાર દ્વારા તેને નબળા પાડી શકાય એવી એક માન્યતા છે.

૫ ખોટા ઈલાજોથી થતા રોગોઃ આપણા એક માનનીય કાંતિભાઈ ભટ્ટે આ બાબતમાં દિવ્યભાસ્કરમાં એક સારો લેખ લખ્યો છે. તેઓ અભિનંદનને પાત્ર છે. આ લેખ બધાએ જરુર વાંચવો. જેમાંનું એક તારણ છે કે ૯૫ ટકા દવાઓ ખોટી દવાઓ છે. એટલે ટૂંકામાં સમજી જાઓ કે મેડીકલ ક્ષેત્રે કેટલી જાહોજલાલી છે.

આ સિવાય રોગ થવાના બીજાં કારણો કયા છે?

ખોરાકની જગ્યાની અસ્વચ્છતા અને હવાની અસ્વચ્છતાઃ

તમે જાહેર શૌચાલયો જોયા જ હશે. દુર્ગંધથી તમારું માથૂં ફાટી જશે.આજગ્યાની હવાના જંતુઓ હવા દ્વારા દૂરદૂર જવાના જ. અસ્વચ્છતા માટે સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થા જવાબદાર છે. બંનેના આરોગ્યખાતાંઓ ફક્ત મોટી રેસ્ટોરાંઓ ઉપર પૈસા આપવાથી કે ઉપરી અધિકારીના કહેવાથી રેડ પાડે છે. મેં વિશ્વસ્ત સ્રોતો તરફથી સાંભળ્યું છે કે રુપીયા પાંચ હજાર આપો અને મ્યુનીસીપાલીટી વાળા પાસે રેડ પડાવો. જોકે આ ભાવ પાંચ વર્ષ પહેલાંનો હતો અને અમદાવાદનો હતો. રેડ પડ્યા પછી તમારે જોવાનું નહીં કે પછી સ્થાનિકસ્વરાજ વાળા શું કરશે.

ગામના રસ્તાઓ ઉપર, ફૂટપાથો ઉપર, પાર્કીંગની જગ્યાઓ ઉપર લારી, મારુતીવાન રાખીને થતા, ખુરશી ટેબલ સાથે કે ખૂરશી ટેબલ વગર વેચાતા અને ત્યાંજ ટેસથી ખવાતા ફાસ્ટફુડ કે જેઓ આવા ધંધા દ્વારા લખપતિઓ થયા તે તો આરોગ્ય ખાતાઓને દેખાતા જ નથી. જાણીતા ખુમચા વાળા પણ લખપતિ થયા છે. અને અજાણ્યા ખુમચાવાળા પણ લખપતિ થવાની લ્હાયમાં છે. આરોગ્યખાતાવાળા તો કરોડપતિ થઈ ગયા છે અને હવે તેમને ડબલ ફીગરના કરોડમાં આવવું છે. જ્યારે હેપીટાઈટીસ કે કમળો ફાટી નિકળશે ત્યારે આ સરકારી બારદાનો આ રોગોના કારખાનાઓને કામચલાઉ બંધ કરાવશે અને મોટા હોર્ડીંગો બનાવી લોકોને આરોગ્ય જાળવવાના ઉપદેશો આપશે અને સુકા રસ્તાઓ ઉપર પણ ડીડીટીનો (રામજાણે આ પાવડર કેટલો શુદ્ધ હશે) પાવડર છાંટશે.

ઉપાય

ઉપાય એજ છે કે જે કોઈ કોમર્સીઅલ કોંપ્લેક્ષ હોય તેમાં આવા લોકો માટે જગ્યા અનામત રાખવી જોઇએ. અહીં પણ સ્વચ્છતાના નિયમો ઘડી, સીસીકેમેરા ગોઠવવા જોઇએ. રસ્તા, ફુટપાથ અને અન-અધિકૃત જગ્યાઓ ઉપર કોઈ ખાણી પીણી વેચવાની છૂટ જ ન હોવી જોઇએ. મોદીકાકાની સરકાર રસ્તાઓ ઉપર સીસીકેમેરાને ગોઠવવાની યોજના બનાવી રહી છે. પણ આ યોજના સરકારી બારદાની અધિકારીઓ કેવીરીતે અમલમાં મુકશે તે જોવાનું છે. ખોરાકમાં વપરાતું રૉ-મટીરીયલ પેક્ડ અને સ્ટન્ડર્ડ કંપનીનું જ હોવું જોઇએ.

જેનેટિક બિયારણ અને પાકોઃ

સર્વોદયવાદીઓએ આ અકુદરતી ખાતરોના ઉપયોગ, જંતુનાશક દવાઓના  ઉપયોગ અને હાઈબ્રીડ બીયારણોના ઉપયોગ વિષે ઘણું લખ્યું છે. લોકોને કેન્સર, થાઈરોઈડ જેવા રોગ  થવામાં આ વસ્તુઓ ભાગ ભજવે છે તે નકારી ન શકાય.

જમીન અને જગ્યાઃ

જનતાને રોગગ્રસ્ત કરવામાં સરકારી અધિકારીઓ જવાબદાર છે. લોકો પોતાના ઘર તો મોટે ભાગે સ્વચ્છ રાખે છે પણ તેજ લોકો સામાન્ય વપરાશની જગ્યાઓ એટલે કે લીફ્ટ, પેસેજની જગ્યા, ગલીઓ, રસ્તાઓ, ફૂટપાથો ઉપર થૂકે છે, પાન-તમાકુની પીચકારીઓ કરે છે, પાણી રેડે છે, કચરો નાખે છે અને ખાદ્ય પદાર્થો પણ નાખે છે. આનું કારણ એજ છે કે તેમને કોઈ દંડતું નથી. સીસી કેમેરા ગોઠવી તેમને દંડો અને આ દંડ માટે તેમને ઉધારની પાવતી (ટીકીટ) પકડાવી દો. જો ત્રણ માસમાં ન ભરે તો તે વર્ષના  તેમના હાઉસ ટેક્ષમાં દંડ અને બાંધી મૂદતમાં ન ભરવા બદલની પેનલ્ટી તરીકે ઉમેરી દો. હાઉસીંગ સોસાઈટીઓને પણ તેમના ક્ષેત્રમાં ચોક્ખાઈનો અમલ કરવાનું આ રીતે જ કહી દો.

સ્વચ્છ પાણીઃ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બંધારણીય ફરજ છે કે પીવાનું પાણી સ્વચ્છ હોય. ચૂટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે કે તેઓ નિયમિત રીતે પોતાના વિસ્તારને મળતું પાણી શુદ્ધ છે તેની લેબોરેટરી દ્વારા આરોગ્ય ખાતાએ ટેસ્ટ કર્યું છે કે નહીં તેની ચકાસણી કરે. અને જો ક્યારેય પણ એવું સાબિત થાય કે ફલાણા દિવસે પાણીનો ટેસ્ટ રીપોર્ટ બરાબર ન હતો, તો કન્ઝ્યુમર કોર્ટ સ્થાનિક સ્વરાજ સંસ્થાનો દંડ કરે. જરુરી નથી કે કોઈ માણસ માંદો પડે અને તે સિદ્ધ કરે કે તે અશુદ્ધ પાણીથી જ માંદો પડ્યો છે. પણ ધારો કે જો એવું સાબિત થાય તો સ્થાનિક સ્વરાજની સંસ્થા નુકશાની પણ ભોગવે.

શાકભાજીનું વેચાણ

શાકભાજી વેચવા વાળા રોડ ઉપર લારીમાં શાક વેચતા હોય છે. આ બંધ થવું જોઇએ. કારણ કે અગાઉ આપણે જોઇએ ગયા તેમ રોડ ઉપર વેચવું એજ ગુનો છે (આ ગુનો આમ તો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ છે). એક દાખલો રસપ્રદ છેઃ

અમદાવાદમાં અંકુર થી રન્નાપાર્ક ના રસ્તા ઉપર શાસ્ત્રીનગર પાસે રસ્તા ઉપર સાંજે શાકભાજીની વાળાની લારીઓને કાયદેસર કે ગેરકાયદેસર રીતે ધંધો કરવાની છૂટ આપેલી છે. હવે જો આવી મર્યાદિત સમય પુરતી છૂટ આપવામાં આવી હોય તો તેને માટે રોડ ઉપરની જગ્યા જ શા માટે રાખી? શાસ્ત્રીનગરમાં જ ત્રણ મેદાનો છે. એટલું જ નહીં પણ શાસ્ત્રીનગરની સામે જ સરકારી પડતર જમીન પડી છે. ત્યાં શું કામ શાકભાજીની લારીઓ વાળા માટે ગોઠવણ ન થઈ શકે? શહેર સુધરાઈવાળા તેને કામ ચાલાઉ ધોરણે ભાડે લઈ શકે અને શાકભાજીની લારીઓ વાળા પાસેથી ભાડું વસુલ કરી શકે. ખાલી જમીનના માલિકને પણ કમાણી થાય, શહેર સુધરાઈને પણ કમાણી થાય અને લારીવાળા પણ રળી શકે. હાજી પણ ગુન્ડા અને સરકારી સેવકોના હપ્તા બંધ થઈ જાય.

આથી પણ વિચિત્ર વાત નવી મુંબઈના સીડાકોની ટાઉનશીપ (બેલાપુર)ની છે. અહીં સેક્ટર ૯-૧૦માં સીડકોએ શાકમાર્કેટ કરી છે. પણ શાકમાર્કેટમાં ઢોર રખાય છે. અને શાકભાજીની લારીવાળા બહાર રોડ ઉપર શાકભાજી વેચે છે. આવું કેવી રીતે છે? કારણ કે દુકાનોના કૉલાઓનું ભાડું જે કંઈ હોય તેના કરતાં હપ્તાની રકમ ઓછી હોય રાખવામાં આવી હોય છે. વળી આપણા દેશમાં ઢોરોના માલિકોને ઢોર રખડતા મુકી દેવાની અલિખિત છૂટ છે. તેથી ગોપાલો આનો લાભ શા માટે ન લે?

આવું જ આપણા ગાંધીનગરના કેટલાક ચીપ શોપીંગ સેન્ટરોમાં જોયેલું છે. જેમાં ચીપ શોપીંગ સેન્ટરોની દુકાનો ખાલી રહે અને બહાર લારી ગલ્લા વાળા ધંધો કરે.

અમદાવાદ ના નવા હાઈકોર્ટ સંકુલમાં પણ કંઈક આવું જ હતું. કેન્ટિન ખાલી હતી અને તેના વચ્ચેના ચોગાનમાં રીસેસમાં ખૂમચાવાળા ખાણી પીણીનો ધંધો કરતા હતા. કદાચ આ કામ ચલાઉ હશે. પણ તે ક્ષમ્ય નથી.

સરકાર શું કરી શકે?

મેડીકલ તો મફત જ હોવું જોઇએ. મેડિકલટ્રીટમેન્ટના વીમાવાળી વાત એક એજન્સી વધારવાની વાત છે. એટલે કે જમવામાં એક સંસ્થાનો ઉમેરો. મેડીક્લેમની જોગવાઈએ હોસ્પીટલોના બીલ આસમાને પહોંચાડી દીધા છે અને ખાયકી વધારી દીધી છે.

દરેક વ્યક્તિનો મેડીકલ ઈતિહાસ ફરજીયાત હોવો જોઇએ. અને જેમ ઈન્કમ ટેક્સ વાળા પાન-કાર્ડ દ્વારા અને ઈન્કમટેક્સ રીટર્ન દ્વારા જનતાના અને કંપનીઓના નફા ઉપર નજર રાખે છે તેમ દર્દીને થયેલી ચિકિત્સાની બધી જ વિગત ઉપચારો, દવાઓ, ચિકિત્સકો, રૂપીયા આના પાઈ અને વિડીયો ક્લીપ સહિત  કેન્દ્રસ્થ રહેવી જોઇએ. જે કોઈ ચિકિત્સક જે કંઈ ચિકિત્સા કરે જે કંઈ ચાર્જ કરે તે બધું જ તેણે અપલોડ કરવું જોઇએ. આને માટે એક સોફ્ટવેર અને પ્રણાલી બનાવી શકાય. મેડીકલ કાઉન્સીલ આનું અમુક ટકામાં અવલોકન કરે. અને અથવા જો દર્દીને કે તેના સંડોવાયેલા સગાંને ચિકિત્સાની યોગ્યતા, ગુણવત્તા અને ચાર્જ વિષે ચેક કરવા જેવું લાગે તો મેડીકલ કાઉન્સીલનો અભિપ્રાય માગી શકે. મેડીકલ કાઉન્સીલ તેનો ચાર્જ લઈ અભિપ્રાય આપે અને જો તેમાં ક્ષતિ લાગે તો તે ચિકિત્સાલય અને ચિક્તિત્સકને દંડી શકે.     

આપણે પોતે શું કરી શકીએ?

રોગ ન આવે તેવી જીવન શૈલી રાખો. આ તો શિખામણ થઈ. આ કેવી રીતે પળાય?

હવાઃ ડમરો વાવો. તુલસી વાવો. અને કડવા લીમડાનો ધુમાડો થોડો કરો.

પાણીઃ પાણી થી જ મોટા ભાગના રોગ થાય છે. જાડા કપડાથી ગાળેલા પાણીમાં ફટકડી ફેરવો. જંતુ થકી થતા રોગો સામે રક્ષણ મળશે. પાણીને ઉકાળો અને ઠરવા દો. કેટલાક ક્ષાર અદ્રાવ્ય થશે અને નીચે બેસી જશે. ક્ષાર હશે તો પથરી સામે રક્ષણ મળશે નહીં. તે માટે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો પણ છે. લીંબુના ટીપાં, મધના ટીપાં અને કકોણું પાણી ના મિશ્રણમાં તજનો પાવડર એક નાની ચમચી નાખો અને તેનું નીત્ય સેવન કરો.

પાણી દિવસ દરમ્યાન ચાર લીટર તો પીવું જ જોઇએ. સવારે ઉઠીને તૂર્ત જ ચાર કપ પાણી પીવો. અર્ધા કલાક પછી ચા કે ગરમ દૂધ પીવો. કલાક પછી બીજા ત્રણી ચાર કપ પાણી પીવો. સવારે ચાલવા જાવ કે કસરત કરો. દર બે કલાકે બે કપ પાણી પીવો.

કુદરતી આહારઃ જુના જમાનામાં કોઈ બહારનું જમતા નહીં. સૌ કોઈ ભાથું લઈને જતા. આજે પણ ઘણા લોકો ટીફીન-ડબ્બો લઈને જાય છે. ઘરે જ રાંધેલું જમો. જો તમે એકલા હો કે બેકલા રાધવાનું શીખી લો. ખીચડી, ભાખરી અને શાક એ સહેલી વાનગીઓ છે અને પૌષ્ટિક પણ છે. જો આ વાનગીઓ ન ભાવતી હોય તો ભૂખ્યા રહો. જ્યારે ખૂબ ભૂખ લાગે અને જ્યારે એવું લાગે કે હવે તો જમ્યા વગર રહેવાશે જ ત્યારે આ ખીચડી, ભાખરી અને શાક ખાવ. ભૂખ્યા થાવ અને ખાવ. બધી ટેવ પડશે.

શ્રેષ્ઠ શાકઃ કોઈપણ શાક લો. તેના કટકા કરો. છાલ કાઢવી હોય તો કાઢો અને ન કાઢવી હોય તો ન કાઢો. તેને સોલર કુકરમાં પાણીમાં બાફો. પછી તેમાં થોડું મીઠું નાખો અથવા ન નાખો. એક વાનગી તરીકે સવારે કામે જતી વખતે ખાવ અથવા લંચમાં ખાવ. ટેવ પડશે તો તેના વગર ચાલશે નહીં.

ફળાહારઃ જો ડાયબીટીસ ન હોય તો બધાં જ ફળો ખાઈ શકાય. સવારે બ્રેકફાસ્ટમાં ૫૦ થી ૧૦૦ ગ્રામ ફળ ખાવ. મનુષ્યનો ખોરાક વાસ્તવમાં અનાજ છે જ નહીં. માંસાહાર ની તો વાત જ ન કરશો. કારણ કે મનુષ્યનું શરીર જેમકે નખ, દાંત અને હોજરીની રચના માંસાહારી પ્રાણીઓથી અલગ છે. આમ તો અનાજ પણ મનુષ્ય માટે નથી. અનાજ ઢોર માટે છે. મનુષ્ય બહુ બહુ તો પોંક ખાઈ શકે. રસાદાર ફળો અને મેવા સીંગદાણા, બદામ, આલુ, અખરોટ, તલ, વિગેરે જેવા પોચાં ઉત્પાદનો મનુષ્ય માટે યોગ્ય છે. મનુષ્યને દાઢો આપી હોવાથી તે ખૂબ ચાવીને આ બધું કાચું જ પચાવી શકે છે. અનાજ અને ફળ વચ્ચે ભેદ પાડવાનો હેતુ જ એ છે કે અનાજ અકુદરતી આહાર છે. પણ અગ્નિનો ઉપયોગ મનુષ્યને આવડ્યો એટલે તે અનાજને પાચ્ય બનાવી શક્યો છે. આ જ વાત માંસને લાગુ પડે છે. પણ આ બંને વગર મનુષ્ય ચલાવી શકે. અને કામ કરતાં કરતાં સો વર્ષ જીવી શકે. (કુર્વન્નેવ હિ કર્માણી જીજીવિષેત્‌ શતંસમા – ઈશાવાસ્ય ઉપનિષ‌ત્‌).

શાક ભાજી અને ફળાહાર દ્વારા રોગમુક્તિના ઘણા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે.

કાન્તિભાઈ શાહ દ્વારા લિખિત કુદરતી ઉપચારનું પુસ્તક પણ ઉપલબ્ધ છે.

ઉપવાસ અકસીર ઈલાજ છે.

ધારો કે માંદા પડ્યા. તો બે થી ચાર નકોરડા ઉપવાસ કરી નાખો. કુદરતી ઉપચાર કરો. ગાંધીજીએ પાણી અને માટીના ઉપચારો સૂચવ્યા છે. કાન્તિભાઈ શાહે કુદરતી ઉપચારો સૂચવ્યા છે. આયુર્વેદે જડીબુટ્ટીના ઔષધો સુચવ્યા છે.

જો થોડા સમયમાં રોગ ન મટે તો પછી એલોપથીના ડોક્ટરકાકા તો છે જ.

મનુષ્યનું આયુષ્ય લગભગ નિશ્ચિત છે. આ આયુષ્ય તમારા માતાપિતાના આયુષ્યથી પાંચ થી પંદર વર્ષ આઘું પાછું થઈ શકે છે. જો ખરાબ આદતો હોય તો આયુષ્ય ઘટે.

એક વાત સમજવાની છે કે આપણું શરીર શું છે? તે સમજીને તેની કાળજી લો.

બાહ્ય અંગોઃ બાહ્ય અંગો જેમકે ચામડી, આંખ, કાન, નાક અને દાંત. તેની સ્વચ્છતાની કાળજી લો.

પાચન તંત્રઃ કુદરતી આહાર, ઉપવાસ અને પાણી દ્વારા તેને સ્વચ્છ રાખો

લોહી અને કીડનીઃ સ્વચ્છ, પૂરતું પાણી અને લીલી હળદર લોહીને સ્વચ્છ રાખે છે.

માંસપેશીઓ અને નસોઃ વ્યાયામ અને શ્રમ નસોને તંદુરસ્ત રાખે છે.

ફેફસાં અને લોહીની નળીઓઃ કફ અને કોલેસ્ટ્રલ ન થાય તેવો આહાર લેવો. પ્રાણાયમ કરવાથી ફેફસાં ચોક્ખાં રહે છે.

ન્યુરોન અને જ્ઞાન તંતુઓઃ મગજને સક્રીય રાખવાથી એટલે કે જ્ઞાન પ્રાપ્તિથી તેઓ પણ તંદુરસ્ત રહે છે.

સમગ્ર શરીર કોષોનું બનેલું છે. આ બધા કોષ તેમને મળતા પ્રાણવાયુને કારણે જીવિત રહે છે. લોહી, દરેક કોષને પ્રાણ વાયુ પહોંચાડે છે. પ્રાણાયમ એ શ્વાસ-ઉચ્છવાસની કસરત છે. જો તમે લાંબો ઉચ્છવાસ કરો તો તમે લાંબો શ્વાસ પણ લઈ શકશો. લાંબા શ્વાસોચ્છવાસ દરેક કોષને વધુ ઓક્સીજન પહોંચાડે છે. તેથી કોષ સક્રીય રહે છે. આ કારણથી શરીરની દરેક ક્રીયાઓની કાર્ય શક્તિ વધે છે. એટલે જ પાતંજલીએ સૌ પ્રથમ શ્લોક એમ આપ્યો છે કે “યોગઃ કર્મષુ કૌશલમ્‌”. આપણું સમગ્ર શરીર કોષોનું બનેલું હોય છે. બધા જ કાર્યો જાતજાતના કોષોના સમૂહો કરતા હોય છે. એટલે યોગ કરવાથી સૌ કોષો પોતાનું કામ સારી રીતે કરી શકે છે અને તેથી કાર્યમાં કુશળતા આવે છે.

યોગ વિષે બીજી અફવાઓમાં પડવું નહીં. યોગ કરવાથી ચમત્કારો થઈ શકે છે તે બધા ગપગોળા છે. જીવન આનંદ માટે છે. એટલે બીજાને કાયદેસર નુકશાન કર્યા વગર આનંદ થી જીવો.

વિચારો, મન અને બુદ્ધિઃ આપણને જે ગમે તે મન અને એ ગમાડવામાં આપણે જે નિર્ણય લઈએ અને સ્વિકારીએ તે સ્મૃતિ અને મગજ. આ સૌ કોષોનું બનેલું છે. વારંવાર (અભ્યાસ દ્વારા) કરવા થી તેને કેળવી શકાય. આમ તો આપણું શરીર કોષોનું બનેલું છે અને કોષો રસાયણના બનેલા છે. આ રસાયણોમાં થતા ફેરફારો આપણા વિચારો અને ખોરાક ઉપર આધાર રાખે છે અને રસાયણો પણ આપણા મન અને વિચારો ઉપર અસર કરેછે. આ અરસ પરસનો સંબધ છે.

તમે કહેશો કે આમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ક્યાં આવ્યો?

બીજા ક્રાઈમોમાં આપણો હિસ્સો કે જવાબદારી ચાર ટકા થી વધુ હોતી નથી. જોકે ઘણા નિરાશાવાદીઓ તેમાં પણ જનતાનો વાંક જુએ છે. પણ એ બધા ગુનાઓ તો સરકાર પોતાની ફરજ બજાવીને આપણને સુધારી શકે પણ આપણી તંદુરસ્તી માટે આપણે કમસે કમ ૨૫ ટકા થી ૭૫ ટકા તેથી વધુ ગુનેગાર છીએ. એટલે કે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં આપણે આપણી બેવકુફીથી સામેલ છીએ. જેમકે લોટરી ની ટીકીટ ખરીદવી કે ન ખરીદવી તે માટે આપણે ૧૦૦ ટકા જવાબદાર છીએ. તેમ આપણે આપણી તંદુરસ્તી માટે તો કમસે કમ ૨૫ટકા જવાબદાર છીએ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ મેડીકલ કાઉન્સીલ, આરોગ્ય, ખાણીપીણી, લારી, ગલ્લા, ખૂમચા, શાકભાજી, હપ્તા, સરકારી, ગંદકી, હવા, પાણી, ખોરાક, શ્વાસોચ્છવાસ, યોગ, કુશળતા, કોષ, શોપીંગ, સંકુલ, વિચાર, મન, બુદ્ધિ, જવાબદાર       

Read Full Post »

Hypocrite Spineless Nehruvian Congress derogates Narendra Modi

if you attack

Very recently when Narendra Modi pointed out the failure of foreign policy of Nehruvian Congress, Kapil Sibbal miserably failed to reply Narendra Modi. Kapil Sibbal had once again exposed his party’s low level culture. Kapil Sibbal has no logical material to defend the allegation made on foreign policy of Nehruvians and its Congress till date. To hide his government’s  folly and self-centeredness of Nehruvian Congress, he diverted the point of discussion to some irrelevant episode related with Narendra Modi. In fact in Narendra Modi’s case also, actually Nehruvian Congress itself is at fault. That case too, exhibits the failure of foreign policy of Nehruvian Congress.

This is about the statement Kapil Sibbal where he himself is a part and parcel of Nehruvian Congress and the government led by its own party.

Kapil Sibbal asked Narendra Modi to first obtain US VISA, before telling about the failure of his party’s foreign policy.

It was the responsibility of Nehruvian Congress

Who is responsible for the denial of the US Administration on issue of US VISA to Narendra Modi?

It is Nehruvian Congress who is absolutely responsible for this failure.

One must know that the US administration is always working in the interest of its Nation. It could be a short term also. As a part of its policy it opted to balance the Muslim Lobby against the hatred prevailing against Muslims in the USA. The US administration picked up an opportunity when the Nehruvian Congress lead government of India applied for the VISA for Narendra Modi.

The US diplomacy knows very well that Nehruvian Congress party is spineless and self centered too.

The US administration knows very well that the Nehruvian Congress will get pleased instead of protesting severely for showing disrespect of Indian Constitution and Indian judiciary. The US administration knows very well that Nehruvian Congress will never react against the denial of the VISA. Instead of this, it would try to take political mileage. The US administration proved correct in its assumption, as the Nehruvian Congress and its allies shamelessly are trying to derogate Narendra Modi on this episode. Nehruvian Congress leaders miserably failed to understand that the US Administration is not bothered on democratic values when matter is related with other countries irrespective the other country is a democratic one or autocrat. Pakistan which was generally remained under martial law, was favored out of way by the USA against India. All the US Military aids had been utilized by Pakistan against India and the USA had kept mum.  

What should be the stand of Nehruvian Congress Government?

Before the ground of denial of VISA is accepted by Nehruvian Congress leaders, they are supposed to know the inherent assumptions of the US administration about India. This can be  logically derived by our government.

1          What are the comments of Nehruvian Congress leaders, on the points which could be raised, consequent to the denial of VISA? Had they any comment at all?

2          Whether the election of Narendra Modi had been challenged in any court of law of India?

3          Whether the post held by Narendra Modi was constitutional or not?

4          Does this Nehruvian Congress want to protect the dignity of Indian Constitution or not?  

5          Whether the Nehruvian Congress believes that the constitution of India is authentic or not?

6          Whether the parliament that had passed the constitution of India was lawful or not?

7          Whether the Indian Constitution is democratic or not?

8          Whether India is a republic or not?

9          Whether all the governments elected by people of India were constitutionally authentic or not?

10        Whether the election commission of India is a constitutional authority or not?

11        Whether the judiciary of India is constitutional authority of India or not?

12        Whether any FIR has been lodged against Narendra Modi or not?

13        Whether the Nehruvian Congress lead Government had applied for the US VISA for Narendra Modi or not?

14        Whether the election of Narendra Modi had been challenged in any court of law of India?

15        Whether the Nehruvian Congress has submitted any protest against the US administration that distrusted the Indian constitution and insulted the nation and its constitutional authenticity?

16        Whether the Nehruvian Congress has taken any type of diplomatic action to maintain the dignity of people of India or not?

Any reply of Nehruvian Congress leaders would prove their hypocrisy. Nehruvian Congress from the very initial stage, has not only avoided democratic values but it has also avoided national interest and dignity, for achieving personal benefits.

Look at the failures of Nehruvian Congress

Nehru under his folly of 1950 to 1962, allowed China to have a cake walk victory to occupy Indian land of 92000 square miles, though Sardar Patel had warned Nehru in 1950.

We would never know the truth kept hidden by the Nehruvians on the demise of LB Shastri.

Nehruvian have executed defective contract deeds irrespective of trade, production or diplomatic.

Punchsheel with China: We are the looser.

This has caused to irreparable harms to India facing till date,

Indira lost all the gains achieved by the military in 1971 war with Pakistan, under Simla pact in 1972.

Indira Gandhi had an uncalled treaty with the USSR before the Indo-Pak war 1971, that both would have mutual consultation on internal and external issues.

What information Indira got on disintegration of USSR?

Was she consulted at all by USSR when the latter was under disintegration? No. Nothing. She was no consulted at all. She was kept in dark in toto.

Union Carbide Deal: Generated Bhopal Gas hazard. Victims got nothing meaningful compensation due to weak deed with Union Carbide.

Safe passage of Anderson, Quatrochie, Daud and what not?

Nehruvian Congress failed to influence

Nehruvian Congress failed miserably to dominate by its influence on neighboring countries as small as even Ceylon and Maldives.  Ceylon can ignore India and Tamilians, leave aside domination.

Not only this, but many small neighbors are controlling Indian market and currency through introducing fake currency notes and money laundering.

Indira had designated Bhindaranvale as a saint who had organized terrorists network with the help Pakistan who latter flourished its network in India.

Even Burma which was a part of India in early decade of last century had driven out all Indians from Burma in fifties. Contrary to this, under Nehruvian Congress rule, of the order of 5 crores infiltrators in numbers from terrorist countries entered and settled in India during the period from 1969 to till date. Many of them got Unique Identification Card as Indian Resident.

Indira Government had released 90000 (ninety thousands)  POWs (Prisoners of War) of 1971, within in one year, whereas she and her successor Nehruvian Congress failed miserably even to get release of 500 soldiers (POWs with Pakistan) from Pakistan, even after a lapse of 40years.

Nehruvian Congress leaders have no capacity to execute diplomatic reactions.

Very recent example is Nuclear Deal.

Wikileaks had leaked a communication. A Nehruvian Congi Minister had assured an US Diplomat in India that his government had kept several crores of rupees ready to bribe MPs to vote in favor of Nuclear Bill. The Indian further said that he would like to show the money if the US diplomat wanted to convince himself of the arrangement made by Nehruvian Congress. The US Diplomat had communicated this position to the US foreign affairs. This communication was leaked out by wikileaks.

Now there are two possibilities.

Either the US Diplomat told lie to the US foreign affairs or he told the truth.

Nehruvian Congress had said that it was a lie.

If it was a lie, then what action had been taken by the Nehruvian Congress with the US?

If Nehruvian Congress is of the opinion that Wikileaks had lied, then it should tell the people of India as to on what ground it assumed it to be a lie?

If Nehruvian Congress has no ground and otherwise also it should ask the US foreign affairs that they should clarify and confirm that it was a lie.

If the US does not say anything then the Nehruvian Congress should say to the people of India that the US does not reply. It should also initiate diplomatic reaction against the US administration on this issue.

If the US Foreign Affairs says it was on their record as to what the US Diplomat in India had conveyed was a truth, then either Nehruvian Congress should take severe diplomatic reactive action against the US administration as the US Diplomat in India was a responsible person. This is because Nehruvian Congress has already declared it was a lie.

Now if the Nehruvian Congress does not act at all, then it means that it is a spineless government and has no guts to take diplomatic action against the USA.

Thereby under all the circumstances Nehruvian Congress led Government gets proved a spineless, coward and inefficient government with all round failures.

ATT00001 (1)

Shirish Mohanlal Dave

Tags: Nehruvian Congress, minister, Foreign policy, US, Diplomat, wikileaks, Narendra Modi, US VISA, denial, report, reactive, action, spineless, coward, inefficient, failure, government

 

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ભાગ-૨

ગેરકાયદેસર બાંધકામ, દબાણ, ટ્રાફીક ડીપાર્ટમેન્ટની અને શહેર સુધરાઈનું અણઘડપણું અને ખાયકી જનતાને અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન બનાવે છે.

ટ્રાફિક નિયમોના ભંગ કરનાર જનતાને અશિક્ષિત, અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન કહેવું સહેલું છે. પણ તેના મૂળમાં શહેરસુધરાઈના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓનું અણઘડપણું, અજ્ઞાનતા, ખુદના સફાઈના નીચા ધોરણો અને ખાયકી જવાબદાર છે.

પહેલાં તો આપણે એ જાણી લેવું પડે કે કઈ જાતનું અણઘડઆપણું અને અસંસ્કારિતા

સરકારમાં છે અને ચલાવી લેવામાં આવેછે.

હવે ધારોકે ૩ + ૩ લેનનો રસ્તો છે.

સેન્ટર લાઈન સાતત્ય વાળી હોવી જોઇએ. અથવા રોડ ડીવાઈડર હોવો જોઇએ.

લેન ની ગણત્રી સેન્ટરલાઈનથી ફૂટપાથ તરફની ગણીએ તો ૧, ૨ અને ૩ એમ થાય. ૧ નંબર ની લેન ફાસ્ટ લેન છે.

શહેરની અંદર મેન રોડ ઉપર સ્પીડ લીમીટ ૪૦ કીલો મીટરથી વધુ ન હોઈ શકે. એટલે સ્પીડ લીમીટનું બોર્ડ હોવું જોઇએ.

બે લેન વચ્ચે ધોળા પટ્ટાની ત્રૂટક લાઈન હોવી જોઇએ. બીજી લેનની સ્પીડ લીમીટ ટ્રાફીક પ્રમાણે એટલેકે ૪૦ કિ.મિ. થી તો ઓછી જ હોય છે.

જો તમે ૪૦ની સ્પીડથી લેન-૧ પર જતા હો તો પાછળ વાળાએ તમને હોર્ન મારવું ન જોઇએ.

જ્યારે પણ ટર્નીંગ માટેની ગલી કે રોડ ક્રોસ આવે તેના કમસે કમ ૨૦૦મીટર  અગાઉ તમારે તમારી લેન પકડી લેવી જોઇએ. જો વાહન દ્વી ચક્રી કે ત્રી ચક્રી હોય તો તેને લેનના ડાબા હિસ્સામાં અને જો વાહન ચતુસ્ચક્રી હોય તો હમેશાં લેનના મધ્યભાગમાં ચલાવવું જોઇએ. આ રીતે જો તમે વાહન ન ચલાવો તો તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય અને તે દંડને પાત્ર થાય.

તમે છેલ્લી ઘડીએ લેન-૩ કે લેન-૨ માંથી ડાબી બાજુ વળવા માટે  લેન-૧ ઉપર જઈ ન શકો. સીધા જવું હોય તો તમારે લેન-૨ પકડવી પડે અને જમણી બાજુ વળવું હોય તો લેન-૩ પકડી લેવી જોઇએ.

ઝીબ્રાક્રોસીંગ અગાઉ એક પટ્ટો હોય છે. જો લાલ લાઈટ હોય તો તમે તેથી આગળ જઈ ન શકો.

જો ટ્રાફીક સીગ્નલ ન હોય તો તમારે રોડ ક્રોસીંગ ના ૨૦૦ મીટર અગાઉ (ટ્રાફીક હોય કે નહોય તો પણ) તમારા વાહનને પહેલા ગીયરમાં જ લાવી દેવું જોઇએ, અને સ્પીડ ડેડ સ્લો કરી દેવી  જોઇએ. જમણી બાજુથી આવનારા જેઓએ તેમની તરફનો ઝીબ્રાક્રોસીંગ આગળનો પટ્ટો ક્રોસ કરી દીધો હોય અને તેમની પાછળના જે કોઈ વાહનો એકબીજા વચ્ચે ૨૦ મીટરથી ઓછા અંતરે હોય તે સૌ વાહનોને પહેલાં જવા દેવા પડે. 

સામાન્ય ૨+૨ લેનનો નમૂનો ડાયાગ્રામમાં આપેલો  છે.

Road Crossing

 

ટ્રાફીક માર્કીંગ હોતા નથી.

સામાન્ય રીતે રસ્તા ઉપર પાર્કીંગની પરવાનગી હોતી નથી. પણ જો પાર્કીંગની પરવાનગી હોય તો ત્યાં પાર્કીંગ ની સીમાઓ અને ગાળાઓ માર્ક થયેલા હોવા જોઇએ. જો ગાળાના સેન્ટરમાં વાહન પાર્ક થયું ન હોય તો તે અવ્યવસ્થિત પાર્કીંગ થયું કહેવાય. અવ્યવસ્થિત પાર્કીંગ પણ દંડને પાત્ર છે.  

ખોટી લેન ઉપર વાહન ચલાવવું

જો તમારે ડાબી બાજુ વળવાનું હોય તો તમારે સીગ્નલ આપી, સામેના મીરરમાં અને ડાબી બાજુના મીરરમાં પાછળનો ટ્રાફીક જોઇ લેન-૩ ઉપર આવી જવું જોઇએ.

કારણ વગર લેન બદલવી એ અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય. તે દંડને પાત્ર છે.

અણઘડપણું:

ટ્રાફીક માટેના માર્કીંગઃ

લેન માર્કીંગઃ લેના માર્કીંગ ઘણી જાગ્યાએ હોતા જ નથીં તો કેટલીક જગ્યાએ ઝાંખા હોય છે અને કેટલીક જગ્યાએ ખોટા હોય છે.

તમે કહેશો કે ખોટા માર્કીંગ કેવીરીતે હોઈ શકે?

સ્ટોપ લાઈન એ જગ્યાએ હોવી જોઇએ કે ડાબી બાજુ જે વાહનને વળવું છે તેને પૂરતી જગ્યા મળે અને તેનો પાછલો ભાગ તેની ડાબી બાજુની લેન ઉપર સીધા જનાર વાહનને ભટકાય નહીં.

વાસ્તવમાં અનેક વાર પરિસ્થિતિ એવી બને છે કે સીધા જનારા વાહનો ડાબી બાજુ જનારા વાહન માટે જગ્યા રાખતા જ નથી. ડાબી બાજુ વાળા માટે ગ્રીન સીગ્નલ હોવા છતાં ડાબી બાજુ જવાવાળા જઈ શકતા નથી. ખોટી જગ્યાએ વાહનને ઉભું રાખવું પણ દંડને પાત્ર બને છે.

આ બધા દંડ શા માટે વસુલ થતા નથી?

ટ્રાફીક પોલીસને બે જાતના ક્વોટા હોય છે. દંડની વસુલાતની પરચીનો ક્વોટા અને હપ્તાનો ક્વોટા. હપ્તાનો ક્વોટા તેઓ દબાણ વાળા, છકડાવાળા અને શેર-એ-રીક્ષાવાળા પાસેથી વસુલ કરી લે છે. વધારાની તસ્દી શા માટે લેવી.

ટ્રાફિક સંસ્કાર કેવીરીતે લાવી શકાય?

જો વાહનવાળાઓની અરાજકતા વ્યાપક અને જત્થાબંધ હોય તો ટ્રાફીક પોલીસ વાહનોને અટકાવી પરચી ફાડી દંડ વસુલ ન કરી શકે. ધારોકે તે આમ કરવા જાય તો ટ્રાફીક જામ થઈ જાય. અને કેટલાક માલેતુજાર કે અસામાજીક વાહકો પોલીસ સાથે ચર્ચામાં ઉતરે છે અને ટ્રાફિક પોલીસની તાકાત નથી કે તે દરેકને સરકારી કામમાં રુકાવટ કરવા બદલ અને ટ્રાફિકને અડચણ કરવા સબબ ફોજદારી સબબ ગુન્હો દાખલ કરે.

સીસી કેમેરાઓઃ

સીસી કેમેરા દરેક રોડ ઉપર અમુક અંતરે અને રોડ ક્રોસીંગ ઉપર લગાવી દેવા જોઇએ. કન્ટ્રોલ રુમમાં જ તેની ઉપર નિરીક્ષણ અને રેકોર્ડીંગ થયા કરવું જોઇએ. સોફ્ટવેર એવું હોવું જોઇએ કે દરેક વાહનની ઓવરસ્પીડ, વાહનના નંબર, અવ્યવસ્થિત ગતિ, વિગેરે દરેક જાતના ટ્રાફિક નિયમના ભંગ રજીસ્ટર થાય અને પ્રીન્ટ-પ્રીવ્યુ રેકોર્ડ થાય.

આ બધાની સાથે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર ઉપરથી તે માલિક ઉપર ચલાન બને, સ્પીડ પોસ્ટનું પોસ્ટેજ કવર એડ્રેસ સાથે તેની સાથે પ્રીન્ટ થઈને બહાર આવે. ચલાનમાં ચલાન નંબર આરટીઓ એકાઉન્ટ નંબર અને ચેક અથવા કેશ સ્વિકારનારી બેંકોના નામનું લીસ્ટ પણ હોય, ટાઈમ લીમીટ પણ હોય અને જો નિયમભંગની સાબિતી જોઇતી હોય તો પ્રીન્ટ આઉટ રીપોર્ટ લેવા માટે કેટલા વધારાના પૈસા ભરવા પડશે તે પણ લખ્યું હોય.  જો વાહન માલિકે ઈમેલ એડ્રેસ આરટીઓમાના રેકોર્ડમાં રજીસ્ટર ન કરાવ્યું હોય તો  આરટીઓ સ્પીડ પોસ્ટનો પોસ્ટલ ચાર્જ પણ વસુલ કરી શકે.

એક વાહન બીજા વાહન સાથે ભટકાયું હોય તો તે ગુનો પણ નોંધાય અને તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ બદલ તેનું ચલન પણ વાહન માલિકને પહોંચતું થાય. નુકશાની વીમા કંપની પાસેથી જે તે વ્યક્તિ વસુલ કરી લેશે. પણ પોલીસ તો દંડ કરશે જ.

ધારોકે કોઈ ગુન્હાઈત વાહન માલિકે દંડ ન ભર્યો હોય તો ૧૫ દિવસ પછી વધુ દંડની રકમ સાથેનું ચલાન વાહન માલિકને પહોંચતું થાય. ૧૫ દિવસની ત્રણ મુદતમાં જો દંડની રકમ ભરવામાં ન આવે તો તેનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થાય. સોફ્ટવેર જ આને રજીસ્ટર કરે અને જ્યારે આ વાહન રોડ ઉપર આવે ત્યારે તેને ઓળખે અને પકડી પાડે અને જે પોલીસવાન પેટ્રોલીંગ કરતી હોય તેને વાહના લોકેશનો સાથેનો વોઈસ મેસેજ આપે.

આ ઉપરાંત આડ ફાયદાઓ પણ થશે જે દબાણો, ગેરકાયદેસર બાંધકામ અને ચોરી ને લગતા હશે. આ સીસી કેમેરા ઠીક ઠીક રીઝોલ્યુશન વાળા અને આછા પ્રકાશમાં પણ કામ આપી શકે તેવા હોવા જોઇશે.

આ પ્રકારની ગોઠવણનો ફાયદો એ થશે કે મોટો ચમર બંધી પણ કાયદાનો ભંગ કરી શકશે નહીં. આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ) હેઠળ કોઈ પણ નાગરિક કોઈપણ રોડ ઉપરની ફૂટેજ માગી શકશે અને ટાફીક પોલીસની પાસે તેને કરેલા અને તેણે ભરેલા દંડની વિગતો માગી શકશે. કારણ કે ગુનો, ન્યાય અને દંડની પ્રક્રીયા સાર્વજનિક માહિતિનો વિષય છે. સરકાર તેને છૂપાવી શકે નહીં.

આ બધું જ શક્ય છે. પણ સરકારી અમલદારો આવું સોફ્ટવેર બનવા દેવડાવશે નહીં. તેઓ સીસી કેમેરા ગોઠવશે તે પણ સાદા અને ફુલપ્રુફ ન હોય તેવા સોફ્ટવેર રાખશે જેમાં મોટાભાગનો માનવીય કંટ્રોલ રહેશે. આથી કરીને ચાર રસ્તાઓ ઉપર તમને ગપાટા મારતા અને તમાકુ ચાવતા ટ્રાફીક પોલીસો જોવા મળશે.

આનું કારણ શું?

કારણમાં તો હપ્તાઓની કમાઈનો અભાવ, ટૂંકી દૃષ્ટિ અને અણઘડપણું જ છે.

ફુટપાથો, રોડ રીસરફેસીંગ અને સફાઈના કામોમાં કમાઈ

અમદાવાદમાં જે હશે તે બીજે પણ હશે જ. એટલે આપણે અમદાવાદની જ વાત કરીએ.

અંગ્રેજીમાં મુહાવરું છે કે સ્મોલ ઈઝ બ્યુટીફુલ. પણ જ્યારે તમે લાર્જસ્કેલ ઉપર જાવ ત્યારે સ્મોલ ઈઝ અગ્લી એ બંધબેસતું થાય છે.

શહેર સુધરાઈનું મુખ્ય કામ શહેરને સ્વચ્છ રાખવાનું છે. આ જ તેની પ્રાથમિકતા છે. પણ કમીશ્નર સાહેબો આ કામ ને અંતિમ નંબર આપે છે.

જો શહેરને સ્વચ્છ રાખવું હોય તો શહેરના રસ્તાઓ સમતલ હોવા જોઇએ.

ફુટપાથો પણ સમતલ અને દબાણ રહિત હોવી જોઇએ જેથી

સ્ટ્રોલર (બાબાગાડી) અને વ્હીલચેર ચલાવી શકાય. 

અમદાવાદમાં શું છે? તમને ૨૦૦ મીટરની પણ સળંગ ફૂટપાથ મળશે નહીં. જો ગલી હશે તો ગેટ ઉપર ગેટ આવશે અને દરેક ગેટ પાસે ફૂટપાથનો અભાવ રાખવામાં આવશે. એકેએક સોસાઈટી વાળા બે થી ત્રણ ગેટ તો રાખશે જ. વિકસિત દેશોમાં આવું હોતું નથી. ધારો કે ગેટ આવે તો પણ ફૂટપાથ તો અકબંધ જ રહે છે. ફૂટપાથ ફક્ત ક્રોસ રોડ પાસે જ બ્રેક થાય છે. તેમાં પણ સ્ટ્રોલર અને વ્હીલચેર માટે ઢાળ આપવામાં આવે છે.

જો તમે દુકાનદારોને કે લારી ગલ્લાવાળાને ધંધો કરવાની મંજુરી આપી હોય તો તેમણે સ્વચ્છતા જાતે જાળવવી જોઇએ.  જો ફૂટપાથો અને ગલીઓના રોડ સમતલ ન હોય તો રોડ યોગ્ય રીતે સફાઈદાર ન થાય.

શહેર સુધરાઈ આવું શા માટે ચાલવા દે છે?

ગલીઓના અને ફૂટપાથના નાના નાના ટેન્ડરો બનાવવામાં આવે છે. નાનું ટેન્ડર એટલે રકમ પણ ઓછી. રકમ ઓછી એટલે મંજુરી પણ નાના અધિકારીના અધિકાર ક્ષેત્રમાં આવી જાય. મોટા અધિકારીઓ મોટા કામમાં ભાગબટાઈ કરે. નાના અધિકારીઓ નાના કામમાં થી કમાણી કરે. નાના કામોની સંખ્યા વધે એટલી મોટા અધિકારીની જવાબદારી ઘટે. એટલી સર્વોચ્ચ અધિકારીઓની જવાબદારી પણ ઘટે.

કાયદેસર રીતે જોકે આવું નથી. જ્યારે કામ સફાઈદાર ન હોય અને આ વાત વ્યાપક હોય તો બધા જ અધિકારીઓ જવાબદાર બને છે. જેની પ્રાથમિક જવાબદારી છે તેને તો સસ્પેન્ડ કરીને કામ ચલાવીને પાણીચું જ આપવું જોઇએ. તેના ઉપરી  અધિકારીને નીચી પાયરીએ ઉતારી દેવો જોઇએ અને તેની પરના અધિકારીના અનિયત કાળમાટે ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ, અને તેની ઉપરના અધિકારીના ત્રણ ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ અને સર્વોચ્ચ અધિકારીને ચેતવણી આપીને પ્રણાલીમાં કેવો ફેરફાર કરીને આનું પુનરાવર્તન અટકાવશે તે જવાબ માગવો જોઇએ.  

શહેર સુધારાઈવાળા સફાઈના કામના કોન્ટ્રાક્ટ આપે છે. ટ્રેક્ટર ટ્રેલરવાળા અડધો કચરો ભરે ન ભરે એવું કરે છે. ટ્રેલરને ઓવરફ્લો કરે એટલું જ નહીં, ટ્રેલરના બહારની બાજુના હુક ઉપર પણ થેલાઓ લટકાવે. આવું કરવા પાછળ તેમનો હેતુ મોટેભાગે તેમણે વધુ ફેરા કર્યા છે એમ બતાવી શકાય. જ્યાં શોપીંગ છે ત્યાં તેઓ સફાઈ કરતા નથી. કારણ કે આ જગ્યા તો શોપીંગ રોની સોસાઈટીની માલિકીની હોય છે. ફુટપાથ અને શોપીંગ રો વચ્ચે દિવાલ તો રાખી જ નથી હોતી. એટલે શોપીંગવાળાને દબાણની સુવીધા રહે છે. પાણીપૂરીના લારીવાળા અને પાન તમાકુના ગલ્લાવાળા ને પણ સુવીધા રહે છે. એટલે ગંદકી માટે કોઈની જવાબદારી છે એવું કમીશ્નર સાહેબ જોતા નથી. પણ ગુન્ડા તત્વો અને અધિકારીઓના હપ્તા તો ચાલુ જ રહે છે.  

ગલીઓના રસ્તાનું રીસર્ફેસીંગ પણ સફાઈદાર હોતું નથી. તે પણ ગુણવત્તા વગરનું હોય છે. ગલીઓના રી-સરફેસીંગના કોંટ્રાક્ટ પણ નાના હોય છે. તેઓ ફક્ત નામપૂરતી ડામરવાળી કપચી ભભરાવી ગલીનું રીસરફેસીંગ કરી દીધું માને છે. એટલે ખાયકી તો આમાં પણ ફૂટપાથ જેવી જ હોય છે. ગલીની કિનારીઓ અને ગટરના ઢાંકણાવાળી જગ્યા તો તમારા ટાયરને ફાડી નાખે તેમ હોય છે. વચ્ચે જો ટેલીફોન કેબલવાળા કેબલ ફોલ્ટ શોધવા માટે ખાડા કરી ગયા તો તે તમારા સ્કુટરને સ્લીપ કરવા તૈયાર રહે છે. રોડ ઉપર પાઈપ લાઈન ના ખોદાણ કર્યા પછી તેનું રીસરફેસીંગ પણ એવું જ ગુણવત્તા વગરનું અને તે પણ અતિ-વિલંબને અંતે થાય છે.

આ બધાનો શું ઉપાય છે?

હાજી, સીસી કેમેરાઓની જોગવાઈના સોફ્ટવેરમાં એવી જોગવાઈ પણ કરી શકાય કે જે આ બધા સીવીલ કામનું નિરીક્ષણ થાય અને રેકોર્ડ પણ થાય. કોન્ટ્રાક્ટરના કામના બીલ સાથે આની ક્લીપ પણ અધિકારી એટેચ કરે જેમાં સ્પેસીફીકેશન, વર્ક ઓર્ડર, કામચાલુ કર્યાની તારીખ, કામ પુરું કર્યાની તારીખ, અને  ચૂકવણા વિષેની માહિતિ આપે. આ બધું શહેર સુધરાઈની વેબસાઈટ ઉપર ઓટોમેટિક આવે. જે નાગરિકને જોવું હોય તે જોઇ લે અને અધિકૃત કોપી જોઇતી હોય તો આરટીઆઈ હેઠળ અરજી કરીને માગે. જો તેને વેબસાઈટ અને અધિકૃત કોપીમાં ફેરલાગે તો તે આ વાત કમીશ્નરને જણાવે અને કમીશ્નર સાહેબ અધિકારી અને કોંટ્રાક્ટરને દંડિત કરે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શહેર સુધરાઈ, કમીશ્નર, ગલી, રસ્તા, ગેટ, ફૂટપાથ, ગટર, રી-સરફેસીંગ, અધિકારી, હપ્તા, ક્વોટા, કોંન્ટ્રાક્ટર, ગુણવત્તા, સીસી કેમેરા, સોફ્ટવેર, પોલીસ, ટ્રાફીક, ગુન્ડા, દબાણ 

Read Full Post »