“એન. આર. આઇ. ઓ અને તેમના સંબંધીઓની સમસ્યા” રાહુલ ગાંધી જવાબ આપે
“ એન. આર. આઈ.ઓની સમસ્યા? અરે ભાઈ, એન. આર. આઈ. ઓને સમસ્યા હોય તો તેઓ , જે તે દેશના દૂતાવાસ ને લખે, કે ભારતા વિદેશ મંત્રી શિવ શંકરને લખે, કે નરેંદ્ર મોદીને લખે, કે ન્યાયાલયમાં એક પી. એલ. આઇ દાખલ કરે. રાહુલ ગાંધી ને શા માટે કષ્ટ આપે? આવી બાબતોમાં રાહુલ ગાંધીને શું લાગે વળગે?
“ જુઓ. રાહુલ ગાંધી જી ની અટક ગાંધી છે, અને જેમ પ્રિયંકા ગાંધી પોતાની “ઈશ્વર દત્ત નાસિકા, ઈંદીરા ગાંધી જેવી હોવાથી, પોતે વડા પ્રધાન બનવાની યોગ્યતા ધરાવે છે એમ માને છે, તેમ રા.ગા. જી પણ પોતાની અટક ગાંધી હોવાને કારણે પોતાનામાં મહાત્મા ગાંધીના બધા ગુણો છે અને પોતે પોતાને સવાઈ વડા પ્રધાન માને છે (સવાઈ વડા પ્રધાન એટલે વન પોઈંટ ટુ ફાઈવ ૧.૨૫ વડા પ્રધાન માને છે) આ વાત તમે સમજો.
તમે આ જુઓ;
જ્યારે કોંગીની નેતાગીરીનું શાસન હતું ત્યારે સંવિધાન પ્રમાણિત વડા પ્રધાન શ્રી મનમોહન સિંહ ના મંત્રી મંડળે પસાર કરેલા સંવિધાનને લગતા એક પ્રાવધાનના અધ્યાદેશના પ્રારુપ (ડ્રાફ્ટ)ના, રા.ગા.જી એ, લીરે લીરા કરી દીધેલા, અને મનમોહન સિંહે તેનો કશો વિરોધ પણ કર્યો ન હતો. એટલું જ નહીં પણ રા.ગા. જી ની ઈચ્છાને માન આપ્યું હતું. આ ઉપરાંત, મનમોહન સિંહ જી એ એમ પણ કહ્યું હતું કે રા.ગા. જી, જો આદેશ કરે તો હું રા.ગા.જી માટે (ઝાડુ લગાવવા નહીં પણ) વડાપ્રધાન પદ ખાલી કરવા પણ તૈયાર છું. જો કે તે સમયે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી હતાં, તે છતાં પણ રા.ગા. જી પોતાનું મંતવ્ય આ રીતે પ્રદર્શિત કરી રહ્યા હતા. આ તેમનો મોરલ – પાવર હતો અને છે. અરે સોનિયા જી પણ કશો વિરોધ કરી શક્યા ન હતા. જો કે આ બાબત અંગે જુદા જુદા મંતવ્યો અસ્તિત્વ ધરાવે છે. કેટલાક કહે છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જી ની આ અદા ઉપર વારી ગયેલા. કેટલાક કહે છે કે સોનિયા ગાંધીએ તે સમયે રા.ગા. જીને બીજા રુમમાં લઈ જઈ, “બટ” ઉપર ચીંટીયો ભરી દિધેલો. કેટલાક કહે છે કે અધ્યાદેશ ને ફાડી નાખવાની ઘટના ને દિવસે ચીંટીયો ભર્યો ન હતો પણ જ્યારે વર્તમાન પત્રોમાં આ ઘટના ચગી કે ચગાવવામાં આવી, તે પછી સોનિયાજીએ રા.ગા.જી ને ચીંટીયો ભર્યો હતો. આપણા હેલ્પેશભાઈને આ વિષે જાણ નથી. પણ એટલું ખરું કે આ બાબતમાં કંઈક તો મહાત્મા ગાંધી અને રા.ગા. જી વચ્ચે સમાનતા છે. એ ખરુ કે ગાંધીજી જે કંઈ કરતા તે સૌમ્ય રીતે કરતા. જ્યારે રા.ગા. જી પોતાને શોભે એ રીતે કરે છે.
“ અરે ભૈય્યાજી તમે તો આડી વાત ઉપર ઉતરી ગયા. અને વળી પાછા કોઈની વક્ર-નાસિકાનો ઉલ્લેખ કરી તેણીની વડા-પ્રધાન પદ ની દાવેદારીને સાંકળવા લાગ્યા. આ તે કંઈ રીત છે? તેણીએ કદી વડા પ્રધાન પદની દાવે દારી કરી નથી.
“ અરે મહાશય, તમે રાજકારણને સમજવામાં ઢબુ પૈસાના ઢ છો. રાજકારણમાં કદી સીધે સીધી દાવેદારી કરાતી નથી. દાવે દારી કંઈ સીતાનો, કે દ્રૌપદીનો કે દમયંતીનો સ્વયંવર નથી કે સૌ કોઈ ફોર્મલ રીતે લાઈનસર બેસી જાય. અહીં તો પહેલાં “દાણો ચાંપી” જોવાનો. અને આ દાણો ચાંપવાની ક્રિયા પણ બીજા મારફત કરાવવાની. આથી પણ વિશેષ તો એ કે થોડાક કમીટેડ ભક્તો રાખવાના, કે જેઓ આપણી પ્રચ્છન મહેચ્છાઓને, સ્વયં પ્રજ્ઞાથી જાણી જાય અને દાણો ચાંપી જુએ. તમને ખબર નથી, આપણા ગુજરાતમાં એક કાંતિ ભટ્ટ નામે કરીને એક લેખક હતા તેમણે પ્રિયંકા વાંઈદરા માટે દાણો ચાંપી જોયો હતો કે હવે દેશને …
“ તમે આ બધું શું કરો છો …યાર … ? ગાડીને આડે પાટે કેમ ચડાવો છૉ? અને વળી પાછા “પ્રિયંકા વાડ્રા”ને બદલે ‘પ્રિયંકા વાંઈદરા’ બોલો છો … યાર … આપણી વાત હતી કે ‘એન. આર. આઈ. ઓની સમસ્યા ન ઉકેલવા બદલ રા.ગા.જી ઉત્તર આપે … એની વાત કરો ને?
“જુઓ ભાઈ … અમે રહ્યા કાઠીયાવાડી. અમે તો આવી જ રીતે ઉચ્ચારો કરીએ. તમે કહો “કટકો” અમે તે જ શબ્દને “કઈટક્યો” એમ જ કહીએ. ક્યારેક અમારામાં કુદરતી ઉચ્ચારણ આવી જ જાય ને?… તમે કેમ ક્યારેક ‘હા’ ને બદલે ‘હૉવ…અ …’ એમ બોલી નાખો છો તેનું શું??
“મુકોને પૈડ … હવે લાઈન ઉપર આવો …
“જુઓ … વાત જાણે એમ છે કે આપણે જે પ્રભાવશાળી શબ્દનો ઉપયોગ કરવાના હોઈએ, તે શબ્દની આપણે વ્યાખ્યા એટલે કે પરિભાષા આપવી જોઇએ.
“ હા … ઓકે … તો શું?
“રાહુલ ગાંધીજી એ કહ્યું કે; આપણી સ્વાતંત્ર્યની લડતમાં બધા “એન. આર. આઈ.” ઓએ જ મહત્વનો ભાગ ભજવેલ. મહાત્મા ગાંધી “એન. આર. આઈ.” હતા, વલ્લભભાઈ પટેલ “એન. આર. આઈ.” હતા, સરોજીની નાયડુ “એન. આર. આઈ.” હતાં, લોકમાન્ય ટીળક “એન. આર. આઈ.” હતા, આંબેડકર “એન. આર. આઈ.” હતા. ઇંદિરા ગાંધી “એન. આર. આઈ.” હતાં. … બધા જ “એન. આર. આઈ.” હતા.
“તમે કહેવા શું માગો છો?
“તો પછી તેનો અર્થ એમ જ થયો કે “એન. આર. આઈ.” જ વડા પ્રધાન થઈ શકે. જેમ કે “ હું “… જો “એન. આર. આઈ.” સ્વાતંત્ર્યની લડત સફળતા પૂર્વક ચાલાવી શકે તો “એન. આર. આઈ.” જ સફળ વડા પ્રધાન બની શકે. “ચા વાળા”ની કોઈ હેસીયત છે?
“હે ભગવાન … તમારી “એન. આર. આઈ.” ની વ્યાખ્યાને શું કહેવું … ? “એન. આર. આઈ.” એટલે નોન રેસીડંટ ઈંડીયન. “એન. આર. આઈ.” એટલે ‘વિદેશ વસતા ભારતીય’. વિદેશથી પરત આવેલા ભારતીય નહીં. વિદેશથી ભણીને કે ભણ્યા વગર આવેલા ભારતીય ને ફોરીન રીટર્ન્ડ ઈંડીયન એટલે કે એફ. આર. આઈ. એમ કહેવાય. જેમકે ઈંદીરા …ગાં ..
“ એ જે હોય તે. અમારા રા.ગા.જી એ કહ્યું એટલે અમારે માનવું પડે.
“જેવી તમારી મરજી … પણ “એન. આર. આઈ.”ઓની સમસ્યાના ઉકેલ માટે રા.ગા.જી જ ઉત્તર આપે. ઓ કે. પહેલાં સમસ્યા સમજો.
વાત એમ છે કે અમેરિકામાં (યુ. એસ. એ. માં) ચાર ચાર તો સ્ટાંડર્ડ ટાઈમ છે. આ વળી પાછું અધુરું હોય તેમ તેઓ વર્ષમાં બબ્બેવાર ટાઈમ આગળ પાછળ કરે. ઘણા એન. આર. આઈ. ઓ અને તેમના ભારતમાં રહેતા સંબંધીઓ મુંઝવણમાં મુકાઈ જાય છે. જેમ કે ક્યારે ફોન કરવો?
“ હા … એ વાત ખરી
“પહેલાં વિલાયત વાળાઓએ આપણી ઉપર રાજ કર્યું. એટલે તેમણે લંબાઈના માપ દંડો ના એકમો આપણા ઉપર ઠોક્યા. લંબાઈના માપદંડો એટલે કે માઈલ, ફર્લાંગ, વા’ર, ઈંચ, દોરા ના માપદંડોમાં આપણા ઉપર ઠોકી દીધા . એતો ઠીકછે કે તેમણે ઉંચાઈ અને પહોળાઈ માટે પણ તે જ માપ દંડોના એકમો રાખ્યા. નહીં તો તેમનું તો ભલું પૂછવું. તેના માપ દંડના એકમો પણ અલગ રાખે. પણ એ વાત જવા દો. પણ કાલ ખંડ ના એકમો ને કલાક અને મીનીટ અને સેકંડમાં રાખ્યા. અને તે પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા વાગે. જેમ કે ભારતમાં સૂરજ ઉગે એટલે ભારતમાં પાંચ વાગે અને વિલાયતમાં શૂન્ય વાગે. ચાલો એ તો આપણે સમજ્યા કે ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલી પ્રમાણે સુરજ ઉગે એટલે નવો દિવસ ચાલુ થાય. પણ ભારતમાં શૂન્ય વાગવાને બદલે પાંચ શા માટે વાગે? ચાલો એ પણ માફ. પણ અમેરિકાવાળા ઘાણી કરે છે. તેમણે તો ચાર ચાર ટાઈમ રાખ્યા છે. એટલે કે અમેરિકાની અંદર જ જુદી જુદી જગ્યાએ જુદા જુદા વાગ્યા હોય. એટલે એન. આર. આઈ. ઓ ને ભારતમાં તેમના સંબંધીઓને ફોન કરવા હોય તો “ભારતમાં અત્યારે દિવસ/રાત ના કેટલા વાગ્યા હશે” તેની ગણત્રી કરવી પડે. આ જ સમસ્યા ભારતમાં રહેતા “એન. આર. આઈ.”ઓના સંબધીઓને અમેરિકામાં રહેતા “એન. આર. આઈ.”ઓને ફોન કરવામાં “અમેરિકામાં અત્યારે કેટલા વાગ્યા હશે” એની ગણત્રી કરવામાં નડે.
“પણ તે તો બધુ નક્કી છે કે દિવસ અને રાત ઉલટ સુલટ હોય. કારણ કે પૃથ્વી ગોળ છે.
“અરે પૃથ્વી ગોળ છે અને પૃથ્વી સૂર્યની આસ પાસ ફરે છે. આપણે પૃથ્વી ઉપર છીએ તેથી આપણને સૂર્ય, પૃથ્વીનું ચક્કર લગાવે છે એમ લાગે છે. એટલે કે ઉગે છે , માથા ઉપર આવે છે અને આથમે છે. એટલે સાંજ પડીને રાત શરુ થાય છે. આ બધું તો સમજ્યા. પણ સમય શા માટે જુદા રાખ્યા?
“જુઓ, અંગ્રેજોનું વિશાળ સામ્રાજ્ય હતું. તેમને પોતાના તાબાના દેશોના વહીવટ માટે ટાઈમ ટેબલ બનાવવાનું હતું. એટલે કે છ વાગે ઉઠવું, આઠ વાગ્યા સુધીમાં કુદરતી કાર્યો પતાવી લેવા, નવ ની આસપાર બ્રેકફાસ્ટ કરવો અને ૧૦ વાગ્યા પહેલાં તૈયાર થઈ ઓફીસ પહોંચવું. અને દશ વાગે ઓફીસનું કામ ચાલું કરવું. તેમના તાબાના જુદા જુદા દેશોમાં સૂર્ય તો જુદે જુદે સમયે ઉગે એટલે અંગ્રેજોને જુદા જુદા દેશો માટે જુદા જુદા સમય પત્રક બનાવવા પડે. અને જો તેઓ એવું કરવા જાય, આ તો કાહટી કરવી કરવી પડે. પોતે જ ગુંચવાઈ જાય. તેમને જ ખબર ન હોય કે કયો દેશ ક્યાં છે? એટલે તેમણે દરેક દેશ માટે સ્ટાંડર્ડ ટાઈમ નક્કી કર્યા. પહેલાં વિલાયતવાળા અંકલ સેમ હતા. હવે અમેરિકાવાળા અંકલ સેમ છે.
“અરે ભાઈ, પણ આ સમયને વર્ષમાં બે વાર આઘો પાછો કરવો એ શું કરવા? વર્ષના અમુક દિવસથી ઘડિયાળના કાંટાને એક કલાક આગળ કરો અને અમુક દિવસથી વળી પાછા એક કલાક પાછા કરી દો. વળી અમેરિકામાં તો ચાર ચાર ટાઈમ. આ ચાર ચાર ટાઈમને વર્ષમાં બે વાર આગળ પાછળ કરવાના. એટલે આઠ વાર સમયના ગોટા કરવાના. આપણે ભારતમાં જુઓ. ભારતમાં પણ સૂર્ય જુદી જુદી જગ્યાઓએ જુદે જુદે સમયે ઉગે છે. જેમકે નોર્થ – ઈસ્ટના રાજ્યોમાં સૂર્ય માં પાંચ વાગે ઉગે અને ધોળાવીરામાં સાત વાગે ઉગે. ઓફીસ જવાનો સમય તો એક જ. દા.ત. ૧૦ વાગ્યાનો. મેઘાલયમાં તમે ૧૦ વાગે પોસ્ટ ઑફિસમાં જાઓ તો પ્રવેશ દ્વાર ઉપર તાળું જોવા મળે. સૂર્ય વહેલો ઉગ્યો તો શું થઈ ગયું? અમે તો ૧૧ વાગે જ ઑફિસ ખોલીશું. સૌરાષ્ટ્રમાં તમને ઑફીસોમાં બપોરે એક વાગ્યા થી ચાર વાગ્યા સુધી કાગડા ઉડતા જોવા મળે. જો કે પોસ્ટ ઑફિસમાં એવું ન હોય. આ તો ભાઈ સ્થાનિક આદતોની વાત છે. તમે પણ સમય જતાં ટેવાઈ જાઓ. પણ તમે એ સમજો. કે હવે તો પૃથ્વી એક ગામડું બની ગયું છે. હવે બધા એક જગ્યાએ રહેતા હોય તેવું નથી.
“ તમે શું એમ માનો છો કે અમેરિકાના માણસોને આ ખબર નથી?
“એમને ખબર છે કે નહીં તેથી અમને કંઈ ફેર પડતો નથી. પણ અમને કઠે છે તેનું શું? અમારા સર પ્રભાશંકર પટ્ટણી ઇંસ્ટિટ્યુટ ઓફ સાયંસ ભાવનગર , ના હેડ ઓફ ધ ફીઝીક્સ ડીપાર્ટમેંટ, કે. એલ. નરસિંહમ સાહેબ કહેતા હતા કે, અંગ્રેજોનો સમય, શૂન્યકાળ થી શરુ થાય. એટલે કે ૦, ૧, ૨, ૩, ૪, એ રીતે ચાલુ થાય છે. એટલે કે જો ઓફીસનો ટાઈમ ૧૦ વાગ્યાનો હોય તો ૧૦ને ટકોરે તમે ઓફીસમાં હોવા જોઇએ.
ઈંડિયાનો સમય શૂન્ય વત્તા અડધો કલાક કે એક કલાકથી શરુ થાય. એટલે કે તમે ૧૧ = ૩૦, કે ૧૨ વાગે ઓફીસમાં હોવા જોઇએ. તમે ઘરેથી નિકળો એટલે તમે ડ્યુટી પર ચડી ગયા એમ સમજવાનું
પણ ભારતનો સમય (ભારતનો સાંસ્કૃતિક સમય), માઈનસ થી શરુ થાય. એટલે કે ૧.૫, -૧, ૦, ૧, ૨, ૩, ૪, … બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્ય ઉગે તે પહેલાંના દોઢ કલાકથી શરુ થાય. આ અંગ્રેજોએ પોતાની જનરેટ કરેલી સીસ્ટમો તો અમારા ઉપર ઠોકી, પણ તેઓ જે બીજાની સીસ્ટમોનો અમલ કરતા હતા તે પણ અમારા ઉપર ઠોકી.
“ ચાલો એ બધું સ્વિકાર્યું. પણ રાહુલ ગાંધી આમાં શું કરે?
“ કેમ વળી રાહુલ ગાંધી જવાબ આપે કે આવું કેમ કર્યું?
“પણ રાહુલ ગાંધીએ ક્યાં આ કર્યું છે?
“તેથી શું થઈ ગયુ? જવાબ તો આપવો જ પડે ને?
“ ગજબના છો તમે તો …?
“અથવા તો એ જાહેરમાં જાહેર કરે કે તે યુ.કે, ના નાગરિક નથી. નાગરિક તરીકે તેમની ફરજ ખરી કે નહીં?
“અરે પણ તમારી ફરિયાદ તો અમેરિકા સામે છે. રાહુલ ગાંધી યુ. કે.ના નાગરિક હોય તો પણ અમેરિકાએ ઉભી કરેલી સમસ્યા માટે રાહુલ ગાંધીને શા માટે જવાબદાર ગણી શકાય?
“ અરે વાહ ! રાહુલ ગાંધી, કોઈ એક ત્રાહિત વ્યક્તિનું સ્વમાન ઘવાય, તેની આખી કોમ્યુનીટીને ચોર જાહેર. તેના પરિણામ સ્વરુપ તે વ્યક્તિ રાહુ;લ ગાંધી ઉપર ન્યાયાલયમાં કેસ કરે, ન્યાયાલય રાહુલ ગાંધીને પોતાનો પક્ષ રજુ કરવા પૂરતો સમય આપે, સજા નો આદેશ આપતાં પહેલાં રાહુલ ગાંધીને માફી માગવાનું કહે, રાહુલ ગાંધી માફીની ધરાર ના પાડે, એટલે ન્યાયાધીશ રાહુલ ગાંધીને સજા કરે, એટલે રાહુલ ગાંધી અને તેમના પક્ષના સદસ્યો નરેંદ્ર મોદીની સામે પ્રદર્શન કરે, અને કહે કે નરેંદ્ર મોદી જવાબ આપે. સજા કરવામાં નરેંદ્ર મોદી કેવીરીતે આવે? મારા ભાઈ.
“ તેથી શું થઈ ગયું? નરેંદ્ર મોદીએ જવાબ આપવો જ જોઇએ. રાહુલ ગાંધીએ અદાણી ઉપર આક્ષેપ કર્યા તેના પરિણામે જ નરેંદ્ર મોદીએ રાહુલ ગાંધીને સજા અપાવી.
“તો તમે ન્યાયાલયમાં જાઓ અને સાબિત કરો. તમને કોણે રોક્યા છે?
“અમે શું કામ જઈએ? નરેંદ્ર મોદી જાય ને! અમે તો અમારું શાસન હતું અને સર્વોચ્ચ અદાલતે સજા કરી હતી તો પણ અમારા અપ્રચ્છન્ન મિત્રો એમ કહેતા હતા “ અફઝલ હમ શર્મીંદા હૈ તુમ્હારે કાતિલ જિંદા હૈ.” અમે તો, તેઓ અમારા સાંસ્કૃતિક સાથીઓ હોવાને નાતે, તેમની પાસે જઈને તેમની પીઠ થાબડતા હતા. અને અમે તેમને કહેતા હતા કે “તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.” બોલો હવે કંઈ કહેવું છે? અમે તો તેમને વિધાન સભાની તો શું, સંસદની પણ ટીકીટ પણ આપીએ. અમારી તો આ વારસા ગત સંસ્કૃતિ છે. ઈંદિરા ગાંધીએ પણ વિમાનનું અપહર કરનારાઓને ટીકીટ આપી હતી ને. તેમને જીતાડ્યા પણ હતા. તમે જાણો છો કે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું છડે ચોક ખૂન કરીએ છીએ, છતાં પણ અમે એવો વર્ગ ઉભો કર્યો કે જે અમારી અટક માત્ર ગાંધી હોવાને કારણે અમને મત આપે છે. સિદ્ધાંતોને કોણ ગણે છે? અમારા મીડીયાની કમાલ જુઓ છો ને ! હમ હૈ લુટ્યેન ગેંગ વાલે. હોની કો અનહોની કર દે, અનહોની કો હોની, હમ જૂઠ બોલે, કૌઆ આપકો કાટે, ક્યોં કિ કૌઆ ભી તો હમ હૈ.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
दुनिया में तीन काम बहुत ही मुश्किल है …पहला हाथी को गोद में उठाना दूसरा चींटी को नहलाना तीसरा जो सबसे मुश्किल है कांग्रेसीयो को समझाना ….. 🤣🤣
इसे समझिये अपशब्द राहुल गाँधी ने बोले, केस OBC समाज ने किया, सजा कोर्ट ने दी, संसद सदस्यता कांग्रेस।द्वारा बनाये कानून से खत्म हुई । पर इन सबका जिम्मेदार कौन ? मोदी । है ना आश्चर्य ?