Feeds:
Posts
Comments

Archive for December, 2012

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 17,000 views in 2012. If each view were a film, this blog would power 4 Film Festivals

Click here to see the complete report.

Read Full Post »

એક અગ્રગણ્ય ગુજરાતી દૈનિકમાં ચુનીભાઈ વૈદ્ય નો એક લેખ છપાયો છે. ચુનીભાઈ વૈદ્ય એક માનનીય વ્યક્તિ છે. તેઓ મહાત્મા ગાંધીના આદર્શોને મનસા વાચા અને કર્મને વરેલા એક માન્ય વ્યક્તિ છે. ઉપરોક્ત લેખ આ ચૂંટણીને સમયે છાપવામાં એમની સંમતિ લીધી હશે કે કેમ તે એક શંકાનો વિષય છે. કદાચ તેમણે સંમતિ આપી હોય અને ન પણ આપી હોય. કદાચ તેમને ખબર પણ ન હોય. આ પ્રશ્ન ઉઠવા માટેનું કારણ પણ છે. શ્રી ચૂનીભાઈ વૈદ્ય રાજકારણ થી અલિપ્ત છે. અને તેઓ એવું ન જ ઈચ્છતા હોય કે કોઇ એક બદતર પક્ષ  (નહેરુવીયન કોંગ્રેસ જ તો) તેમનો લાભ ઉઠાવે.

માર્કાવાળો માલ

ચૂનીભાઈ રાજકારણ થી અલિપ્ત છે એનો અર્થ એ છે કે પક્ષીય અને સત્તાના રાજકારણ થી તેઓશ્રી અલિપ્ત છે. ગાંધીજીના માર્ગે તેઓ પ્રજાકારણનું કામ તો કરી જ રહ્યા છે. પણ આ પ્રજાકારણના તેમના યજ્ઞમાં આપણા કોંગી જનો “ઘુસ” મારે છે. અને આ તો અમારું પ્રજાકારણ છે અને ચુનીભાઈ અમારી સાથે છે એવો આભાસ ઉભો કરે છે. આમેય નહેરુવીયન કોંગી જનો જ્યારે વિપક્ષે હોય ત્યારે વિરોધ, પ્રદર્શનો, ઘેરાવો, સરઘસો અને લાગ મળે ત્યારે ચુનીભાઈ જેવાના કાર્યક્રમોમાં પોતાના ફોટા પડાવી લે છે. માર્કા વાળા માલની કિંમત વધે તેમ આ નહેરુવીયન કોંગી જનો પોતાના ઉપર મહાત્મા ગાંધીવાળાનો માર્કો લાગે તો પોતાની કિમત વધે એ લાભ મેળવવા આતુર રહેતા હોય છે. ગાંધીવાદીમાંના કેટલાકને બાદ કરતા બાકીના કોઈને અછૂત માનતા નથી. કેટલાક આરએસએસને તેથી કરીને બીજેપીને પણ અછૂત માને છે તે વાત જુદી છે. જોકે આ વાત તેમનામાં (ગાંધીવાદીઓમાં) રહેલી ગાંધીવાદપણાની કચાશ છે.

ચૂનીભાઈ વૈદ્યનો લેખ શું હતો?

આ લેખમાં ચુનીભાઈએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ખેતીની જમીન અને  ગૌચરની જમીન ઉદ્યોગ પતિઓને આપી દેવાની સરકારી તજવીજો સામે અવાજ ઉઠાવેલ અને આંદોલન ચલાવેલ અને વિજયો પણ મેળવેલ તેની ગાથાઓ હતી. કેટલીક જગ્યાએ ખેડૂતોના હિત ની રક્ષા માટે ગ્રામપંચાયતોની સામે પણ લડત આપવી પડતી તેવી વાતોનો પણ ઉલ્લેખ છે.

મારા આ લેખને તમે “ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન” લીંક  https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

અને “ચોક્ખું ઘી અને હાથી”ની લીંક

https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80/

ના સંદર્ભમાં અચૂક વાંચવા.

ગાંધીજીએ પ્રબોધેલું દેશનું મોડેલ શ્રેષ્ઠ છે

આ મોડેલ આજની તારીખમાં પણ પ્રસ્તુત છે. પણ તે એક દિશા છે. તેમાં રહેલા માનવીય મૂલ્યોને સિદ્ધાંતના સ્વરુપમાં સ્વિકારવા જોઇએ.

નહેરુવીયન કોંગીઓ દ્વારા અને પ્રતિ-મોદીઓ દ્વારા એવું માનવા મનાવવામાં આવે છે કે મોદી, ગરીબ, ગ્રામ્યપ્રજાના અને ખેડૂતોને ભોગે, ઉદ્યોગપતિઓને  વધુ પડતી મદદ કરે છે. આવું કરવામાં ખેતીની ફળદ્રુપ જમીન અને ગૌચરની જમીનનો પણ ભોગ લેવાય છે. જોકે આજ વલણ, અથવા તો આ જ દીશામાં અતિ વરવું એવું વલણ મહારાષ્ટ્રમાં અને અન્યત્ર, કોંગી બંધુઓ અને ત્યાંના સ્થાનિક મળતીયા નેતાઓ અપનાવે છે અને ધૂમ કમાણી, પોતાના ખિસ્સા ભેગી કરે છે. પણ આ વાત આપણે જવા દઈએ અને સૈધાંતિક અને શૈક્ષણિક ચર્ચા કરીએ.

જ્યારે તમે શહેરોને તોડવા તૈયાર નથી ત્યારેઃ  

પચાસ કે સો વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં જે વસ્તી હતી, જે ગામડા હતા તે હવે નથી તે આપણે સમજવું જોઇએ. આપણે કેવા ફેરફારો કરવા તૈયાર છીએ તેની આપણી પાસે બ્લ્યુ પ્રીંટ હોવી જોઇએ. આ જો ન હોય અને આપણે ફક્ત ખેડૂતો, ગ્રામ્ય પ્રજા અને ગૌચરને નામે દેકારો કર્યા કરીએ, રુકાવટ લાવ્યા કરીએ તેથી કોઈ મૂલ્યોનું રક્ષણ થતું નથી.

ભારતની વસ્તી સવા અબજ છે. તે કેટલા સમયમાં દોઢ બે અબજને પહોંચી જશે? આપણે તેને કેવી રીતે નહીં પહોંચવા દઈએ? આ માટે આપણી પાસે કોઈ ક્ષતિવગરનું અને અથવા ખાત્રી પૂર્વકનું કે ખાત્રી વગરનું પણ આયોજન નથી. આ વાત જવા દઈએ તો પણ હાલની વસ્તી પણ કોઈ નાની સૂની નથી. ભારત આઝાદ થયું ત્યારે આજની જ જમીન ઉપર ૩૫ કરોડ માનવ વસ્તી હતી. આજે એજ જમીન ઉપર અઢી ગણી વધારાની વસ્તીનો ઉમેરો થયો છે. એટલે કે લગભગ સાડાત્રણ ગણી વસ્તી થઈ ગઈ છે. જ્યારે વસ્તી ૩૫ કરોડની હતી ત્યારે પણ મોટાભાગની તો ગરીબ જ હતી. ૮૦ ટકા વસ્તી તો ખેતી ઉપર જ નભતી હતી. જે જંગલો સપાટ જમીન ઉપર હતા તે બધાં તો મોટે ભાગે કપાઈને ખેતરો થઈ ગયાં છે. પણ ખેતી લાયક જમીન કેટલી વધી તે સંશોધનનો વિષય છે. તમે જંગલ કાપીને ખેતર બનાવો એથી કંઈ જમીનની પેદાશ વધતી નથી. આ તો તમે આંબા કાપીને ઘઉં પેદા કરો એના જેવી કે તેનાથી પણ ખરાબ વાત છે. જ્યારે જંગલ હતું ત્યારે ઝાડ હતા અને તેના ઉપરનું ઉત્પાદન મલ્ટીલેયરનું હતું. (વનવાસીઓ નભતા હતા. જોકે ગરીબ હતા). ઘઉં કે તમાકુ વાવ્યું તો ઉત્પાદન એક લેયર નું થઈ ગયું. પર્યાવરણ ની વાત જવા દો તો પણ કુદરતી દ્રષ્ટિએ તો જમીન પાસેથી તમે ઓછું જ ઉત્પાદન લીધું.

ખરાબાની જમીન જો તમે નવ સાધ્ય કરો તો જમીન વધે. નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન ૩૩ લાખ હેક્ટર ખરાબાની જમીન નવ સાધ્ય થઈ તે વાતને જેઓ પોતાને તટસ્થ વિચારધારા વાળા માનતા હોય તેમણે અને ગાંધી વાદીઓએ પણ વધાવવી જોઇએ. જો તમે આવું ન કરો તો એવો જ અર્થ થાય કે તમે વરવું અને મૂલ્યહીન રાજકારણ ખેલવા માગો છો. તમારું ધ્યેય કાં તો સત્તાનું છે કે લાઈમલાઈટમાં રહેવાનું છે.

મૂળ વાત પર આવીએ.

આપણે ખેડૂતોને ક્યા લેવલ ઉપર લઈ જવા છે?

ખેતરની જમીન શું નરેન્દ્ર મોદીના સમયથી જ ઉદ્યોગોને આપવાનું શરુ થયું છે?

યાદ કરો. ૧૯૫૬ થી ૧૯૬૭ નો સમય. મનુભાઈ શાહે જીલ્લે જીલ્લે અને મોટાભાગના તાલુકે તાલુકે ગુજરાકેત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન (જી.આ્ઈ.ડી.સી.). સૌરાષ્ટ્રના શહેરો સહિત, અમદાવદથી ઉમરગામ સુધીનો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવા માંડેલ. ૧૯૫૫ના અરસામાં લુણેજમાંથી ઓએનજીસીએ તેલની શોધ કરેલ. આ બધી જમીનો શું ખેતીની ન હતી? આ ખેતીની જમીન જે ઉદ્યોગો માટે વપરાઈ તેનો હિસાબ માંડો. પછી નરેન્દ્ર મોદીની વાત કરો. નરેન્દ્ર મોદીની વાત કરો ત્યારે એ પણ જાણો કે નરેદ્ન્ર મોદીએ ખરાબાની કેટલી જમીન ખેતીમાટે નવ સાધ્ય કરી, અને કેટલો ખારો પાટ અને રણ પ્રદેશ ઉદ્યોગોને ફાળવ્યો.

મૂળવાત છે માનવ સંસાધનના ઉપયોગની. તમે ખેતીમાં ઉપજ કરવા માટે કેટલા માનવોનો ઉપયોગ કરવા માગો છો? જો તમે ખેતી ઉપર માનવોનું ભારણ વધારશો તો માનવો ગરીબ જ રહેશે. ભારતની વસ્તી સવા અબજની છે. શું તમારે તેને ખેતી ઉપર જ નભતી રાખવી છે?

આવી જ વાત ગૌચરની છેઃ

આમ તો સંસ્કૃતમાં ગૌ એટલે ગાય, બળદ, ભેંસ, ઘોડા, અને જમીન ખૂદ નો સમાવેશ થઈ જાય છે.

પણ આપણે ગૌનો ચીલાચાલુ અર્થ કરીશું. અલબત, ભેંસને તો ગાયમાં ગણીશું જ.

શું આપણે ગાયોને રામ ભરોસે, ગૌચરની જમીન ઉપર જ નભતી રાખવી છે?

ખરેખર ગાયો ગૌચર ઉપર નભે છે ખરી? નભે છે તો કેટલી નભે છે? ગૌચરની હાલત તમે જોઇ છે? ન જોઇ હોય તો બાવળા અને કાવિઠાની વચ્ચે આવેલા રાસમ ગામની ગૌચરની જમીન જુઓ. તેવા જ હાલ બધી ગૌચરની જમીનના છે. ગૌચરની જમીનની વરવી વાતો ઉપરોક્ત લેખમાં (“ગૌચરની જમીન કોંગીનું દે ધનાધન”) છે.

જેટલી ગાયો ગૌચર ઉપર નભે છે કદાચ તેટલી જ શહેર અને કસ્બા અને ગામડાની શેરીઓ માં ઘુમતી ઘુમતી આચરકુચર ખાતી નભે છે. ગૌચર કરતાં ગાયો માટે શેરીઓ વધુ મોટાં ખોરાકના સ્થળ છે. આ સ્થળોને ગાયો માટેના વૉકીંગ માટેના સ્થળો ગણવા વધુ યોગ્ય ગણાશે.

જુના જમાનામાં ભારતનો સમાજ ગ્રામ્ય સમાજ હતો. તે ખેતી અને ગૃહ ઉદ્યોગો ઉપર નભતો હતો. ઇસ્ટઈન્ડીયા કંપનીએ ભારતનો કબજો લીધો અને કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગોને નષ્ટ કર્યા.. બીજા ગૃહ ઉદ્યોગો ચાલુ રહ્યા એટલે ગ્રામ્ય સંસ્કૃતી ચાલુ રહી પણ ગરીબી તો આવી જ હતી. લોકો ઘરે ગાય રાખતા. ખેડૂતો બળદ રાખતા. સૌના ઘર જમીન ઉપર હતા એટલે ગાય અને બળદને રાખવું પોષાઈ શકે તેમ હતું. હવે તો રસ્તા ઉપર પણ ગાય, બળદ, ભેંસ વિગેરે રાખી શકાય તેમ નથી. કારણ કે જમીનની તંગી છે.

સુયોગ્ય સમજ કેળવવી પડશે

જમીનની તંગીનો પ્રશ્ન હજી પણ વિકટ બનશે. જમીનને ઘાસ માટે, ગૌચર અને દેશની ધરોહર નામે ખુલ્લી રાખવી એ જમીનનો વ્યય છે. આ સમજ કેળવવી જ પડશે. ઘાસ ઉગાડવા માટેની મલ્ટીલેયર તરકીબો શોધવી પડશે. જો કે શોધ ખોળો તો ઘણી થઈ છે. પણ જો મફતમાં જમીન મળતી હોય અને ઢોરોને રખડતા મુકી શકાતા હોય, વળી આવી સ્થિતિ ચાલુ રાખવા માટે આંદોલનો સ્વિકારવા જનતા તૈયાર હોય, સમાચાર માધ્યમો પણ કવરેજ આપવા તૈયાર હોય તો આપણે ખ્યાતિ મેળવવી જ જોઇએ, એવું કોંગી જનો માને છે.

વિકલ્પ વગરનો વિચાર, વિકલ્પ વગરનો વિરોધ અને વિકલ્પ વગરનું આંદોલન ક્ષમ્ય ન ગણાવવા જોઇએ.

ગૌચરની જમીનનો વિકલ્પ શો?

ગૌશાળાઓનું આયોજન એ ગૌચરની જમીન નો વિકલ્પ છે. જેમ સીમેન્ટ ના કારખાન છે, જેમ ઈંટોની ફેક્ટરીઓ છે, જેમ નળીયાના કારખાના છે, જેમ પાણીના તળાવો છે તેમ ગૌસૃષ્ટિના સંસાધન માટે ગૌશાળાઓનું આયોજન કરવું પડશે. તેમાં મલ્ટી લેયર ઘાસ/રજકો ઉગાડવો પડશે. ખાતર, ગૌમૂત્ર અને ગેસ તેની આડ પેદાશ માટેનું આયોજન પણ કરીશું તો પશુ-સંસાધનનો નિપૂણતા પૂર્વકનો ઉપયોગ થઈ શકશે.

નરેન્દ્ર મોદીએ વૈકલ્પિક ઉર્જાનો પણ વિકાસ કર્યો છે. તેને બિરદાવવો જોઇએ. હજી મોટે પાયે આ ઉર્જાનો વિકાસ કરવો પડશે.

 ગામડાની રચના બદલવી પડશે. ચીને આવું કર્યું જ છે. આપણે વધુ સારી રીતે કરી શકીશું.

નહેરુવીયન કોંગ્રેસની તો દૃષ્ટિ જ ટૂંકી છે. તે મહિલાઓને ૧૦૦ વાર જમીન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરે છે. આ જમીન નો ગુન્હાઈત વ્યય છે.

જો તમે ૫૬+ વર્ષ એક ચક્રી રાજ કર્યું હોય અને મોટા ભાગની જનતા ગરીબ રહી હોય અને તમારે તેમને મફત આપવાની અને તેમને મફત લેવાની મજબુરી થતી હોય તો તમારી એક પક્ષ તરીકેની ગેરલાયકાત  છે. તમે આટલા વર્ષોને અંતે પણ જનતાને પગભર ન કરી. તો તમારે ડૂબી મરવું જોઇએ.

કશું મફત મળવું ન જોઇએ

ન તો ઘાસ, ન તો અનાજ ન તો જમીન મફત મળવી જોઇએ અને ન તો ઘર મફત મળવું જોઇએ. સૌને રોજી આપો અને કિમત વસુલ કરો. બહુ બહુ તો ન નફો ન નુકશાન એવી પ્રણાલી સ્થાપો. મકાનો ન આપો પણ ફ્લેટ આપો અને મફત ન આપો પણ ભાડે કે ભાડા ખરીદ પદ્ધતિ થી આપો. દરેક સમસ્યાનું નિવારણ છે. ફક્ત શુદ્ધ બુદ્ધિ જોઇએ.

શિરીષ મોહન લાલ દવે

ટેગ્ઝઃ ચુનીભાઈ, ગાંધીવાદી, ગ્રામ, ખેતી, ઉત્પાદન, ઉપજ, વૃક્ષ, જમીન, વ્યય, આયોજન, વૈકલ્પિક ઉર્જા, રણ, ખરાબાની જમીન, ખારોપાટ, ખેતીની જમીન, ઉદ્યોગો, જીઆઈડીસી, મનુભાઈ શાહ, મફત

Read Full Post »

  

નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે.  સરક્રીક એક રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે.

નહેરુવીયન કોંગ્રેસે સ્પષ્ટ જવાબ આપવો જોઇએ.

છાડ બેટ અને સરક્રીક ના મુદ્દાઓ અને સમસ્યાઓ એક જ છે કે જુદા?

એક જાણીતા અખબારી તંત્રીશ્રી એવું જણાવવા માગે છે કે સરક્રીક અને છાડબેટ એક જ છે.

તેઓશ્રી એમ પણ કહે છે કે ૧૯૬૮માં લવાદે ચુકાદો આપેલ; કે ૯૦ ટકા છાડબેટ નો હિસ્સો ભારતને મળે અને ૧૦ ટકા પાકિસ્તાન ને મળે. પાકિસ્તાને આ ચૂકાદો મંજુર રાખેલ નહીં..

તંત્રીશ્રી કદાચ માહિતિ ધરાવતા નથી.

તાસ્કંદ કરાર હેઠળ એવું નક્કી થયેલ કે વાટા ઘાટો દ્વારા સીમારેખાના પ્રશ્નો ઉકેલવા. છાડ બેટ કે જે એક વિસ્તાર છે અને તે કચ્છના રણ થી ઘેરાયેલો છે. ૧૯૪૭ પહેલાં અને તે પછી પણ રણ અને બેટ ની કોઈ નિર્ધારિત વ્યાખ્યા ન હતી. બેટ પણ રણમાં જ આવી જતા હતા. અને જો અખાતની બંને બાજુ રણ હોય તો તે અખાત પણ રણ નો જ હિસ્સો ગણાય અને તેને પણ રણ વિસ્તારમાં જ ગણી લેવાનું. આમાં કશું ખોટું પણ ન હતું.

કચ્છ અને સિંધ વચ્ચે સરહદી સમસ્યા પરાપૂર્વ થી હતી. પણ બ્રીટીશ ઈન્ડીયામાં સિંધ બ્રીટીશ એજ્ન્સીમાં આવતો અને કચ્છ તેના રાજાની હકુમતમાં આવતું હતુ. કચ્છનું રણ પણ કચ્છના રાજાની હકુમતમાં આવતું હતું. છાડબેટ વાળા રણપ્રદેશ ઉપર પણ કચ્છના રાજાનો કબજો હતો. જોકે પાકિસ્તાનના કહેવા પ્રમાણે તે વિવાદી વાત હતી. પણ ૧૯૫૬ અને જ્યાં સુધી ટ્રીબ્યુનલનો ચૂકાદો અમલમાં ન આવ્યો ત્યાં સુધી સમગ્ર રણ ઉપર સંપૂર્ણ કબજો ભારત સરકારને હસ્તક હતો.

જેમ આગેસે ચલી આતી હૈ અને બધું રામ કરશે એ આશ્રયે ચાલતી નહેરુવીયન કોંગ્રેસ સરકારે ટ્રીબ્યુનલ માન્ય રાખી અને પુરતા દસ્તાવેજો રજુ ન કરી શકી.

બીજી બાજુ પાકિસ્તાનની સરકાર નબળા તો નબળા પણ દસ્તાવેજો છાડ બેટની સિંધની માલિકીને લગતા રજુ કરી શકી.

પાકિસ્તાનની સરકાર, રણની માલિકીને લગતા સિંધના દસ્તાવેજો ટ્રીબ્યુનલને સંતોષ થાય તેવા ન આપી શકી તેથી ટ્રીબ્યુનલે ભારતને શંકાનો લાભ કરી રણ આપ્યું અને પાકિસ્તાનને છાડ બેટ આપ્યો.

સરક્રીક નો મુદ્દો સીમાંકનમાં ટ્રીબ્યુનલ પાસે હતો જ નહીં. તેથી સરક્રીક અને છાડબેટ એ એક જ સમસ્યાના બે નામો છે એ વાત બરાબર લાગતી નથી. તંત્રીશ્રી જે સરક્રીક અને છાડબેટ ને એક ફલિત કરાવવા માગે છે તેનાથી જનતા સમજવામાં ગુમરાહ થઈ શકે છે.

છાડ બેટ શું છે? અને તેને ઘેરેલું રણ શું છે? ચોમાસામાં છાડ બેટ જમીન તરીકે રહે છે. અને રણ પ્રદેશ પાણીમાં ડૂબી જાય છે. રણ પ્રદેશ ને વિકસિત કરી ઉપજાઉ બનાવી શકાય તેમ છે. છાડ બેટનો ૧૦ટકા વિસ્તાર છે અને તેના રણ વિભાગનો ૯૦ ટકા હિસ્સો છે. આ વાત ફક્ત છાડબેટના પાકિસ્તાનની દષ્ટિએ રહેલા વિવાદિત સીમા પ્રદેશની વાત છે.  

છાડ બેટ એટલે કે માત્ર બેટ એ એવો વ્યુહાત્મક સ્થળે આવેલો છે કે જો ઈન્દ્ર રાજા ન રુઠ્યા હોત તો ૧૯૬૫માં ભારત પશ્ચિમની કચ્છ-સિંધ સરહદ ઉપર પાકિસ્તાનનો ઘણો પ્રદેશ જીતી શક્યું હોત. વરસાદ અને પાણીના પ્રવાહને લીધે પાકિસ્તાન અને ભારત વધુ આગળ વધી શક્યા ન હતા. પણ પાકિસ્તાનને એ વાતનું મનથી પાક્કું કરી લીધું કે જો છાડ બેટ મળી જાય તો વ્યુહાત્મક રીતે કચ્છની તે સીમા રેખા ઉપર સબળ થઈ જવાય તેમ છે. આમેય તેનો દાવો તો હતો જ.

આ કારણ થી પાકિસ્તાને તાસ્કંદ કરાર અંતર્ગત, વાટોઘાટો માટે ભારત સરકારને તૈયાર કરી.

વાટાઘાટો નિસ્ફળ જાય જ. એટલે ટ્રીબ્યુનલની આવશ્યકતા બને અને ટ્રીબ્યુનલમાં કેસ રજુ કરી શકાય.

પાકિસ્તાન માટે તો આ “લાગે તો તીર નહીં તો તુક્કો” એવી વાત હતી. કબજો અને હક્ક બંને ભારતના હતા. હક્ક એટલા માટે કે ભારતના વિભાજનમાં બ્રીટીશ ભારતમાંથી પાકિસ્તાનને એક હિસ્સો કે જ્યાં ત્યાંની જનતાની બહુમતિએ પાકિસ્તાન સાથે જોડાણમાં સંમતિ આપી હતી, તે હિસ્સો જુદો કરીને આપવામાં આવ્યો હતો.

ભારતના વિભાજનની વાત એવી ન હતી કે બ્રીટીશ ભારતને, હિંદુ મુસ્લિમ વસ્તીને ધોરણે બે ભાગ કરી દો.

એટલે જો કોઈ કે જે તે સીમા ઉપરના ગામના લોકોના જો મત જ ન માગવામાં આવ્યા હોય તો તે ગામ પ્રદેશ તો ભારતમાં જ રહે. અને કબજો પણ ભારતનો જ રહે. વળી આ પ્રદેશમાં કચ્છના રાણાનું જ શાસન ગણાતું અને તે ટેક્ષ પણ પોતાની હોતી હૈ ચલતી હૈ એ રાહે વસુલ કરતો. જો કે બ્રીટીશ એજન્સીએ એક વાર તેને રદબાતલ કરેલ. પણ રાજા ને તે વાત માન્ય ન હતી અને તે પોતાના હક્ક ઉપર કાયમ હતો. તે હક્ક ભોગવે કે ન ભોગવે કે બ્રીટીશ સરકાર ન ભોગવવા દે તે વાત અલગ હતી. એમ તો આ હિસ્સો બ્રીટીશ રાજના કયા પોલીસ સ્ટેશન ની હદમાં આવતો તે પણ બ્રીટીશ સરકાર કે પાકિસ્તાનની સિંધ સરકારને ખબર ન હતી.

છાડબેટના ઉપરના ચૂકાદાને પાકિસ્તાને માન્ય નથી રાખ્યો તે તો આ અખબારી તંત્રીશ્રી તરફથી જ આવ્યું છે. મનમોહનશ્રીએ આવી કોઈ પૂષ્ટિ કરી નથી, કે છાડ બેટ અને સરક્રીક બંને એક જ સમસ્યા હતી અને છે અને પાકિસ્તાને છાડબેટનો ટ્રીબ્યુનલનો ચૂકાદો માન્ય રાખ્યો ન હતો. ન તો આવા કોઈ સમાચાર ૧૯૬૮માં કે ન તો તે પછી ક્યારેય આવ્યા છે.

એથી ઉલ્ટું, લવાદના આ ચૂકાદાના અમલ સામે એક પીટીશન થઈ હતી કે ભારત સરકાર આ ચૂકાદાનો અમલ ન કરાવી શકે કારણ કે રાષ્ટ્રની સીમા ઉપરનો કબજો અને તેની સુરક્ષા એક ભારતીય નાગરિકનો બંધારણીય હક્ક છે. પાર્લામેન્ટની ૨/૩ બહુમતિ બંધારણીય ફેરફાર કરાવ્યા વગર ભારત સરકાર ટ્રીબ્યુનલના ચૂકાદાનો અમલ ન કરી શકે. પણ ભારત સરકાર અમલ કરવા પ્રતિબદ્ધ હતી અને તેણે પોતાની દલીલો કરેલી અને ટેક્નીકલ ગ્રાઉન્ડ એટલે કે અરજદાર દ્વારા રજુ કરાયેલા (એટલે કે ન રજુકરાયેલા) દસ્તાવેજોના આધારે પીટીશન કાઢીનાખેલ. (Shiv Kumar Sharma vs Union Of India And Ors. on 14 May, 1968)

પણ સરક્રીક એ જુદી જ વાત છે. નરેન્દ્ર મોદી મુદ્દાની જ વાત કરે છે.  નહેરુવીયન કોંગ્રેસે સ્પષ્ટ જવાબ આપવો જોઇએ.

૧૯૬૩ માં જેમ નહેરુવીયન સરકારે સંસદ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે ચીને ૬૦ હજાર ચોરસ માઈલ કબજે કરેલો ભારતીય પ્રદેશ જ્યાં સુધી અમે પાછો મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. તે પછી નહેરુવીયન કોંગ્રેસે ૪૦ વરસ કે તેથી વધુ સ્મય રાજ કર્યું અને કરે છે. અને હવે વર્તન તો એવું છે કે “મસ્જીદમાં ગર્યો  તો જ કોણ?” યા તો “કહેતા બી દિવાના ઔર સૂનતા બી દિવાના”.

અનેકાનેક મુંબઈ બ્લાસ્ટ થયા પછી પણ દર બ્લાસ્ટ વખતે, નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પાકિસ્તાન વિષે એવી જ વાત કરેલ કે જ્યાં સુધી પાકિસ્તાન, આતંકવાદી કેંપ બંધ નહીં કરે અને ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં આશરો લઈ રહેલ આતંકવાદીઓને પાકિસ્તાન, ભારત સરકારને સોંપશે નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાટાઘાટો કરવામાં આવશે નહીં.

પાકિસ્તાન સરકાર તો એજ ગાણું ગાય છે કે અમને સંતોષ થાય તેવી સાબિતીઓ આપો તો અમે બધા જ આતંકવાદીઓ તમને સોંપી દેશું. અમને કંઈ આતંકવાદીઓ પ્રત્યે પ્રેમ નથી.

આપણી નહેરુવીયન સરકાર વિષે તો એવું જ લાગે છે કે આપણી આ સરકારની આતંકવાદીઓને લેવાની દાનત જ નથી દાઉદ વિષે શું એવું જ છે? શું તેના વિષે પણ સાબિતીઓ નથી? તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.

કોઈ પાકો નિર્ણય ન કરો,

ફાવે એમ બોલો.,

ફાવે એવા નિર્ણયો ઘોષિત કરો,

નિર્ણયો કે ઘોષણાઓના પાલનની ઐસી તૈસી,

સમય પાસ કરો,

 નવા ઈસ્યુ ઉભા કરો,

બધા જ ઈસ્યુ જુના કરો,

એવા માઈના લાલોનો તૂટો નથી કે જે એમ ન કહે કે “જુની વાતો ક્યાં લગી વાગોળશો”,

નહેરુવીયન કોંગ્રેસીઓ તમે તમારા સાથીઓ સહિત લીલા લહેર કરો,

તમને બચાવવા અમે સમાચાર માધ્યમો તૈયાર છીએ,

વિતંડાવાદમાં અમે પણ તમારાથી કમ નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ છાડબેટ, કચ્છ, રણ, ક્રીક, સિંધ, બ્રીટીશ, એજન્સી સરકાર, ટ્રીબ્યુનલ, લવાદ, ૧૯૬૫, ૧૯૬૮, ૧૯૬૨, પાકિસ્તાન, ભારત, સરકાર 

 

Read Full Post »

નરેન્દ્ર મોદી એટલે મોરારજી પછી દિલ્લીની સલ્તનત સામે થનાર એક માત્ર ગુજરાતી સિંહ

૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં ખાસ જાણીતા ન હતા

નરેન્દ્ર મોદી અમુક દશકાઓ પહેલાં જનતામાં તો શૂન્યની બરાબર જ હતા.
સંજય જોષી, તેમના સીડી પ્રકરણ થકી અને નરેન્દ્ર મોદીને વગોવવાના એક હથીયાર તરીકે અખબારો થકી પ્રસિદ્ધિ પામ્યા.

ગુજરાતના પૂણ્ય તપતાં હશે તેથી બીજેપીના મોવડી મંડળે નરેન્દ્ર મોદીની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરી હશે. નરેન્દ્ર મોદી આયોજનમાં અને વ્યુહરચનામાં નિષ્ણાત હોય તેમ લાગે છે. મુંગા રહેવાનું હોય ત્યાં મુંગા રહે છે અને બોલવાનું હોય ત્યાં બોલે છે.

નરેન્દ્ર મોદી સાવ નીચલા સ્તરના માણસની માનસિકતા પણ જાણે છે અને સર્વોચ્ચસ્થાને બેઠેલા માણસની માનસિકતા પણ જાણે છે. સરકારી નોકરોના કારભારને પણ જાણે છે અને તેમની શૈલીને પણ જાણે છે. નરેન્દ્ર મોદી અનુભવસિદ્ધ પુરુષ છે. તેમની ધારણાઓ ઘડતર વાળી અને સ્પષ્ટ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓનું વલણઃ
નહેરુવિયન સરકારના નેતાઓ એવા હતા કે જ્યારે આગ છેલ્લે મજલે પહોંચે અને આગમાં ફસાયેલા લોકો બુમબરાડા પાડે ત્યારે જ તેમને ખબર પડે કે આગ લાગી છે. તેમને લાગે કે હવે મુંગા રહીશું તો આપણને જ તકલીફ થશે ત્યારે તેઓ કબુલ કરે કે મકાનમાં આગ લાગી છે. મકાન ભસ્મ થઈ જાય પછી તેને ઓલવવાના પ્રયત્નો ચાલુ કરે અને પછી નવી ઇમારત બાંધવાની વાતો કરે. અને આમ કરવામાં પેઢીઓ પસાર થઈ જાય. આના સંખ્યાબંધ ઉદાહરણો છે.
કાશ્મિરના હિન્દુ વિસ્થાપિતોની સમસ્યા આનો શ્રેષ્ઠ દાખલો છે. આવા તો ઘણાજ દાખલાઓ છે. પણ તેની વાતો પછી કરીશું.

નરેન્દ્ર મોદીની વાત જુદી છે.
નરેન્દ્ર મોદી આર્ષ દૃષ્ટા છે. તે આવતી કાલનું નહીં પણ આવતા પરમ દિવસનું પણ જોઇ શકે છે અને તે પ્રમાણે વિચારે છે, તે પ્રમાણે આયોજન કરે છે. કોંગીએ લગાવેલી જુની આગોને ઓલવે પણ છે અને વિકાસ પણ કરે છે.

આ વિકાસ વિષે શંકાઓ કરાય છે અને નકારાય પણ છે. વિકાસ એ એવી વસ્તુ છે જે માટે આંકડાઓની જરુર પડતી નથી. વિકાસના આંકડાઓથી વિકાસ સિદ્ધ પણ થાય અને તેના આંકડાઓને જુદી અને આડીઅવળી રીતે ગોઠવીને નકારાય પણ ખરો.

દાખલા તરીકે જી.ડી.પી. (સામાન્ય ઘરેલુ વપરાશની વસ્તુઓનું ઉત્પાદન)

જો તમે ઉત્પાદક કરતાં ધંધાદારી વધુ હો તો તમે કમાવ ઘણું. તમારો જીડીપી નીચો હોય. તમે ઘર વપરાશની ચીજો ઓછી ઉત્પાદન કરતા હો તો અથવા તો ખેતીમાં ઉત્પાદન ઓછું હોય તો પણ જીડીપી નીચો હોય. મોંઘવારી વધી હોય તો પણ જીડીપી ના આંકડાઓ છે તરે છે. જીડીપીના વધઘટના દરની  વાતો તો વધુ છેતરામણી હોય છે. જીડીપી કરતાં જીડીસી (ઘરેલુ ઉત્પાદનની વપરાશ) ના આંકડા કોઈ એક વિસ્તારનું વધુ સાચું પ્રતિબિંબ આપી શકે છે.

કોંગી ભાઈઓ અને તેમના સહાયક બંધુઓમાં, આઈડેન્ટીફીકેશન ક્રાઈસીસ કોમ્પ્લેક્સ હોય છે. એટલે કે આ લોકો સ્વ ઓળખની ઘેલછાના રોગવાળા છે. આ મહાનુભાવો આંકડાઓની ગોઠવણીઓની રમત કરીને નરેન્દ્ર મોદીએ કરેલા ગુજરાતના વિકાસને નકારી પણ દે છે.

આદિ શંકરાચાર્યનો તર્ક ઉપયોગમાં લોઃ
શંકરાચાર્યની એક વાત યાદ કરવા જેવી છે. તે છે પ્રત્યક્ષ પ્રમાણ. જો કે પ્રત્યક્ષ પ્રમાણ વિષે પણ વિતંડાવાદ ઉભો કરી શકાય. પણ પહેલાં સમજી લઈએ કે પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું?

અનુભવ એટલે પ્રત્યક્ષ પ્રમાણ.

સાચું શું?
ગીતા અને વેદ કહે તે સાચું.
પણ ધારો કે વેદ અને ગીતામાં ભેદ હોય તો શું?
તો વેદ કહે તે સાચું. પણ ધારોકે વેદ એમ કહે કે અગ્નિ શિતળ છે તો?
જો એમ હોય તો અનુભવ કહે તે સાચું.
અનુભવ પ્રત્યક્ષ પ્રમાણ છે.

 

યાદ કરો
યાદ કરો એક લાંબો સમય એવો હતો કે ઓછા વોલ્ટેજને કારણે ભાવનગર અમદાવાદ સિવાયના ગામોમાં ટ્યુબ લાઈટો સળગતી ન હતી. દિલ્લી કે જેને નહેરુ આપણા દેશનું મોઢું કહેતા હતા અને તેની પાછળ અઢળક પૈસા ખર્ચાતા હતા અને ખર્ચાય છે અને ખવાય છે જેને લીધે આજની તારીખમાં પણ ત્યાં ઈન્વર્ટરોનો ધંધો પુસ્કળ ફુલ્યો ફાલ્યો છે. ઈન્વર્ટરોનો ધંધો ત્યાં જ ફુલે ફાલે જ્યાં વિજળી અનિયમિત હોય. એટલે કે વારંવાર બંધ થઈ જતી હોય. આવી દિલ્લી કે જે દેશનું મુખારવિન્દ છે તેના કરતાં પણ આપણું ગુજરાત વિજળી શક્તિની બાબતમાં આગળ છે એટલું જ નહીં ગુજરાત પોતાની વધારાની વિજળી બીજા રાજ્યોને આપે છે.

 

રસ્તા અને નહેરો
રસ્તા અને નહેરોનોની પણ સારી જોગવાઈ છે. આ વાત તમે પડાણામાં જાઓ અને ત્યાં પૂછો.
અક્ષર જ્ઞાન વધ્યું છે અને ડ્રૉપ આઉટ સાવ જ ઘટી ગયો છે તે તમે રાજપીપળાના દૂર સુદૂરના અંતરિયાળ પ્રદેશમાં જાઓ એટલે ખબર પડે.

નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશની ૧૦૦ રોજગારીમાં ગુજરાતે ૭૨ રોજગારી આપી છે. આ આંકડાને કોઈએ નકાર્યો નથી.

આ તો આંકડાની વાત થઈ. પણ જો તમે બીજા રાજ્યોમાંથી આવતા માણસોના જથ્થાને લક્ષમાં લો તો ખબર પડે કે તેઓ શા માટે આવે છે?

કાં તો તેઓ ચોરી લુંટફાટ કરવા આવે છે કાં તો નોકરી કરવા આવે છે.

શહેરોમાં જે ડુંગરપુરીયા ઘરકામ માટે મળતા હતા તેમાંના ઘણા હવે ફેક્ટરીઓમાં કે બીજી નોકરીઓમાં લાગી ગયા છે.
રબારીભાઈઓ ડ્રાઈવર થઈ ગયા છે એટલે ચોકીદારો મળતા નથી.
વૉચમેનો પણ મળતા નથી.
હવે રબારણો ઘરકામમાં મોં માગ્યા ભાવ લે છે અને સરકારી નોકરો કરતાં વધુ રજાઓ પાળે છે.
દેશી કારીગરોની તંગી છે અને ભૈયાજીઓ તમારાં કલર પૉલીસના કામો બગાડીને અનુભવ મેળવી તૈયાર થઈ જાય છે.

 

સ્ત્રી-પુરુષના ઘટતા પ્રમાણની વાત

જો કે ગુજરાતના શહેરોમાં પહેલેથી જ પરરાજ્યના લોકો નોકરી કરવા આવતા હતા.
પણ છેલ્લા દશ વર્ષમાં આ પ્રમાણ એટલું વધી ગયું છે કે જો પરરાજ્યો પોતાનો પૂરતો વિકાસ નહીં કરે તો ગુજરતના શહેરોમાં ગુજરાતીઓ લઘુમતીમાં આવી જશે. હાલ ગામડાઓમાં પણ રાજસ્થાની મજુરોનું પ્રમાણ વધી ગયું છે. ગામડાઓમાં દેશી મજુરો મળતા પણ નથી.
કેટલાક વિદ્વાનો ગુજરાતમાં સ્ત્રી-પુરુષના ઘટતા પ્રમાણની વાત કરે છે. યુપી, બિહાર, રાજસ્થાન, કર્નાટક, કેરાલાથી જેઓ ગુજરાતમાં નોકરી કરવા આવે છે તેઓ શરુઆતમાં છડે છડા એટલે કે પોતાની પત્નીને પ્રોષિત ભર્તૃકા બનાવીને આવે છે.

રાજસ્થાન, યુપી, બિહાર અને ઓરીસ્સાથી વધુ લોકો ગુજરાતમાં આવે છે

એટલે તમે યુપી, બિહાર રાજસ્થાન જતી ટ્રેનોમાં વધારો થતો જોતા હશો, હવે આ લોકો પણ ગણત્રીમાં લેવાય તો ખબર પડે કે ગુજરાતમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનું વાસ્તવિક પ્રમાણ શું છે.
નરેન્દ્ર મોદીના વિરોધીઓને પણ વિકાસ તો દેખાય જ છે. પણ જે ગુજરાતમાં ૧૯૭૧થી નહેરુવંશીય કોંગ્રેસની બોલબાલા હતી તેને નરેન્દ્ર મોદી શાસને એવો ઝાટકો માર્યો છે કે તેઓ શુદ્ધબુદ્ધિ ખોઈ બેઠા છે. તેમણે જીભને મુક્ત કરી દીધી છે. તેમણે પોતાની જીભનો મગજ સાથેનો સંબંધ તોડી નાખ્યો છે.

 

તેઓ રેકર્ડ ચલાવ્યા કરેછે કેઃ
મોદી પૈસાદારોને લહાણી કરે છે,
મોદી પ્રજાના પૈસે ઉત્સવો કરે છે,
મોદી પૈસાનો બગાડ કરેછે,
મોદીના રાજમાં મોદી સિવાય કોઈ સુરક્ષિત નથી,
મોદી વાંદરો છે,
મોદી ઉંદર છે,
મોદી રાક્ષસ છે,
મોદી લોહી પીનારો છે,
મોદી ઢોગી છે,
મોદી જુઠ્ઠો છે,
મોદી હિટલર છે,
મોદી ચંગીઝખાન છે,
મોદી દ્રોહી છે,
મોદી કિન્નખોર છે,
મોદી આપખુદ છે,
મોદીથી બધા ભયભીત છે,
મોદી લબાડ છે વિગેરે વિગેરે.

કોઈ પણ નિમ્ન કક્ષાનો કે ઉચ્ચ કક્ષાનો આદમી મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ઉચ્ચારણ કરે એટલે તેને પ્રસિદ્ધિ મળી જ સમજો. પછી ભલે તે કોઇ પણ એક કક્ષાનો અમલદાર હોય, કોઈ પીડિત સ્ત્રી કે પુરુષ હોય તેને અખબારો પ્રસિદ્ધિ આપવા આતુર રહેવાના જ.

મોદીએ કેન્દ્રની ગુજરાત પ્રત્યેની ગેસની નીતિની ટીકા કરી. નરેન્દ્ર મોદીએ સાથે સાથે નહેરુવીયન કોંગ્રેસી સભ્યે પાર્લામેન્ટમાં કરેલા શશિ થરુરની પ્રેમિકા/પત્ની ની સંપત્તિને લગતા ઉચ્ચારણનું પુનઃઉચ્ચારણ કર્યું. તો બધા આજની તારીખ સુધી મૂળ કોંગ્રેસીના ઉચ્ચારણને અળગું રાખી, મોદીને ગાળો આપે છે. કેન્દ્રની ગુજરાત પ્રત્યેની દ્વેષવૃત્તિની બાબતમાં કશું સ્પષ્ટિકરણ આપતા જ નથી. નહેરુવીયન કોંગ્રેસમાં સેન્સ ઓફ હ્યુમર ન હોય તે સમજી શકાય તેમ છે. પણ પ્રમાણભાન વગરની સત્વહીન બદબોઈ એ કોઈ સારી નીતિ તો ન જ કહેવાય.

મોદી વિષે કપોળ કલ્પિત અફવાઓ પણ ફેલાવાય છે

મોદી વિરુદ્ધ અડવાણી, મોદી વિરુદ્ધ અમિત શાહ, મોદી વિરુદ્ધ સંજય, મોદી વિરુદ્ધ જશવંત, મોદી વિરુદ્ધ સુષ્મા. હાલની લેટેસ્ટ અફવા મોદી વિરુદ્ધ નીતિન ગડકરીની છે. એક ટીવી ચેનલે આ વિષે કહ્યુ કે “હવે અમે તમને આ બાબત વિષે મોદીનો ચહેરો ખુલ્લો પાડીશું. … મોદીએ આ કારસ્તાન રામ જેઠમલાણી મારફત કર્યું છે.”

કારણ?

હવે કારણમાં આ ચેનલ રામ જેઠમલાણી કોણ છે તેના સંતાનો કોણ છે અને શું કરે છે, તેની વિગતો આપે છે. આ વિગતો સાથે મોદીને કશી લેવા દેવા  નથી. તે જ પ્રમાણે નીતિન ગડકરી ના સંતાનો અને તેઓ શું કરે છે તેની વિગતો આપે છે. આની સાથે પણ મોદીને કશો સંબંધ છે. તે વિગતોનું કશું બંધબેસતું નથી. પછી ચેનલ કહે છે કે સંજય જોષી આરએસએસ ના છે. વૈદ્ય પણ આરએસએસ ના છે. સંજય અને નરેન્દ્ર મોદીને બનતું નથી. નરેન્દ્ર મોદીએ જોષીની કરકીર્દી ને ખતમ કરવા માટે સીડી બનાવેલી (એક અફવા). આમાં કશો મેળ બેસતો નથી. નરેન્દ્ર મોદી અને ગડકરીને ન બનતું હોય તેવું કોઈ તથ્ય બહાર પડ્યું નથી. પણ વૈદ્ય આર એસએસ ના છે. સંજય જોષી આરએસએસના છે. જેઠમલાણી મોદીના વખાણ કરે છે. વૈદ્ય ની વાતને ચગાવવા મોદીને લપેટમાં લીધા. વૈદ્યને મોદી ગમે કે ન ગમે તે વૈદ્યની મુનસફ્ફીની વાત છે. પણ ચેનલે જે વિગતો આપી તેને તો કહેવાતી મોદી-ક્રીડાની ધડ માથા વગરની જ લાગે.

 

મોદી રોયાઃ
અગાઉ એક ચેનલે લગાતાર વીડીયો ક્લીપ અને ટૉપ અને બોટમ ન્યુઝ લાઈનો નીચે પ્રમાણે કમસે કમ ૪૫ મીનીટ સુધી આપેલી.
મોદી ક્યું રોયે?
મોદીકી આંખોમેં આંસુ..
મોદી રો પડે,..
મોદી ક્યોં રો પડે ..
મોદી કે આંખોમેં આંસુ આ ગયે,..
મોદી ક્યોં રોને લગે?
નીતીશ કે બિહારમેં મોદી રોને લગે ..
મોદી બિહારમેં રો પડે …
પત્થરકા જવાબ ઈંટસે દેને વાલે મોદી રો પડે
મોદી ક્યોં રો પડે?
મોદી બિહારમેં ક્યોં ગયે?
મોદીકો બિહારમેં ક્યું રોના પડા?
નીતીશકે બિહારમેં મોદીકો ક્યોં રોના પડા?
મોદી કે આંખમેં ક્યોં આંસુ આ ગયે?

દેખીયે આજ રાત ૯=૩૦.

આની આજ ન્યુઝ લાઈનો બોટમમાં તો લગાતાર ૪૫ મીનીટ સુધી બતાવ્યા કરી તો ખરી જ, પણ વીડીયો ક્લીપ બતાવે ત્યારે ટૉપમાં પણ આજ લાઈનો બતાવે. વીડીયો ક્લીપમાં મોદી કાં તો ચશ્માની નીચે આંખો સાફ કરતા હોય અથવા ભીની આંખે જોતા હોય છે. મોદી ગાડીમાંથી ઉતરતા હોય, મોદી ચાલતા હોય .. વિગેરે વિગેરે.

પછી ૯=૩૦ વાગે ઉપરની બધી ક્લીપો વીડીયો ક્લીપ સાથે રીપીટ થયા કરી. (મોદીનો ફક્ત એક કે એક મીનીટનો પરિચય આપ્યો. આ પરિચય જોકે પ્રત્યક્ષ રીતે બહુ નકારાત્મક ન હતો પણ મોદી આત્મશ્લાઘા કરે છે તેમ તારણ કાઢી શકાય. જોકે આપણે મોદીને એ વાતોનો ઉલ્લેખ કરતા સાંભળ્યા નથી.) અને ટીવી ચેનલે સમય પૂરો કર્યો. એક મીનીટના પરિચયને મોદીના આંસુ સાથે કોઈ સંબંધ ન હતો અને મેળ પણ બેસતો નહતો. ૪૫ મીનીટકે હોજસે બીગડી, એક બુંદ સે ધો નહીં સકતે.

 

ગુજરાતના શક્તિશાળી નેતાઓ અને ગુજ્જુ વિદ્વાનો

ગુજરાતના શક્તિશાળી નેતાઓ પ્રત્યે નહેરુવંશીય ચાહકોનું વળગણ વિશિષ્ઠ પ્રકારનું અને કદીક નિર્લજ પ્રકારનું વર્તન રહ્યું છે. તેમને ખબર છે કે જો ગુજરાતી નેતા એક વખત ચીટકી જશે તો આપણી દુકાનો બંધ થઈ જશે.

ગુજ્જુ વિદ્વાનો ખુદ, ગુજ્જુનેતાઓની બુરાઈ કરવામાં પાછા પડ્યા નથી. દુઃખ આ વાતનું છે.
દુઃખદ વાત એ છે કે સરદાર પટેલને બાદ કરતાં ગાંધીજીથી શરુ કરી નરેન્દ્ર મોદી સુધીના બધા જ શક્તિશાળી નેતાઓની બુરાઈ કરવામાં ગુજ્જુઓ ખુદ પાછા પડ્યા નથી.

સામાન્ય આરએસએસનો નેતા “અવાચન” અને ગેરસમજણને હિસાબે ગાંધીજીનો વિરોધ કરે છે. તેમજ પ્રમાણભાન ની પ્રજ્ઞાના અભાવના કારણસર તે મોરારજી દેસાઈનો અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે. જેઓ પોતાને પ્રજ્ઞાવાન અને વિશ્લેષક માને છે તેવા મુર્ધન્યોએ છેલ્લા બે નેતાઓની બુરાઈ અને મજાક કરવામાં કચાશ રાખી નથી. ગુજ્જુ અખબારી મૂર્ધન્યો તો આદુ ખાઈને મોદીની પાછળ પડ્યા છે.

આપણે જોઇએ કે કયા કયા ગુજ્જુએ ગુજરાતના સક્ષમ નેતાના ટાંટીયા ખેંચીને હેઠા પાડવાની પ્રયત્નો કરેલ.

જીવરાજ મહેતાનું ગ્રુપઃ

મોરારજી દેસાઈના ટાંટીયા ખેંચવામાં ગુજરાતમાંના નહેરુના ટેકેદારોએ મોટો ભાગ ભજવેલ. જેમાં જીવરાજ મહેતાનું ગ્રુપ આગળ પડતું હતું.

૧૯૬૯માં જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે આજ ગ્રુપના નેતાઓ ઈન્દીરાઈ કોંગ્રેસમાં કુદ્યા હતા.

૧૯૬૯માં પ્રજા સમાજવાદી પાર્ટી (પીએસપી)

પીએસપી ગ્રુપમાંથી છબીલદાસ મહેતા અને અમુક નેતાઓએ પાટલી બદલી અને ઇંદીરા કોંગ્રેસમાં કુદ્યા.

૧૯૭૦માં ઈંદીરા ગાંધીના જ્વલંત વિજય પછી પીએસપી ગ્રુપના બાકીના બધા જ નેતાઓ ઇંદીરા કોંગ્રેસમાં કુદી પડ્યા હતા.

 

હિતેન્દ્ર દેસાઈએ હજુ મોરારજીનો એટલે કે કોંગ્રેસ (સંસ્થા)નો સાથ છોડ્યો ન હતો.

 

૧૯૬૯માં કોંગ્રેસના વિભાજન પછી થોડા સમયમાં અમદાવાદમાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડ થયેલ. તે હુલ્લડ કેવી રીતે થયું એ એક સંશોધનનો વિષય છે. સ્વતંત્રપક્ષ,  હિતેન્દ્ર દેસાઈની સરકાર બચાવવા તત્પર હતો. જોકે ભાઈકાકા ગુજરી ગયા હતા એટલે સ્વતંત્ર પાર્ટીમાં પણ ભંગાણ પડી ગયું હતું.

 

મોટાભાગના નેતાઓ ખાઉધરા ઉંદર

૧૯૭૦માં ઈન્દીરાને લોકસભામાં બહુમતિ મળી એટલે મોટાભાગના નેતાઓ ખાઉધરા ઉંદરની જેમ ઈન્દીરાઈ કોંગ્રેસમાં દોડી ગયા હતા. ૧૯૭૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈન્દીરાઈ કોંગ્રેસે ૧૬૨ માંથી ૧૪૦ સીટો નો ભવ્ય વિજય મેળવ્યો અને ગુજરાતની પડતી શરુ થઈ.

કોમી રખમાણો થયા. નયી ઈન્દીરાની રોશનીમાં દેશના અને ગુજરાતના ઘણા જ મુર્ધન્યોએ પોતાના મોઢાં કાળા કરેલા.

સૌનો ભ્રમ ભાંગ્યો. નવનિર્માણ થયું. પણ તે દરમ્યાન ઈન્દીરા ગાંધીએ સવર્ણ અને અસવર્ણ વચ્ચે રાજકીય દ્વેષ ઉભો કરી દીધેલો. એટલે ઘણા હકારાત્મક ગુણો જનતા મોરચામાં હોવા છતાં તે ઈન્દીરાઇ કોંગ્રેસને ૧૯૭૫માં કારમી હાર ન આપી શક્યો. ફક્ત પાતળી હાર આપી.

૧૯૭૫ માં ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદી. ૧૯૭૬માં જનતા મોરચાની બાબુભાઈ જશભાઈ પટેલની સરકારને ઈન્દીરા ગાંધીએ પક્ષપલ્ટુઓ દ્વારા ઉથલાવી.

૧૯૭૭માં વળી જનતા મોરચાની સરકાર પાછી આવી જે ૧૯૮૦માં ફરીથી તૂટી પડી.

ગુજરાતમાં જ ગુજરાતીઓની કિમત ન રહીઃ

આ સીલસીલો ૧૯૯૫ સુધી તો ચાલ્યો જ ચાલ્યો. કેશુભાઈના પગ ખેંચનારા ગુજરાતીઓ પણ જન્મ્યા જ હતા. શંકરસિંહે તેમને પછાડ્યા અને તેઓ પણ પછડાયા. કેશુભાઈને જનતાએ ફરીથી જીતાડ્યા હતા.

કેશુભાઈ વહીવટમાં નિસ્ફળ
કેશુભાઈ વહીવટીમાં નિસ્ફળ ગયેલ હતા ખાસ કરીને ભૂકંપના રાહત કાર્યોમાં અરાજકતા અને ખાઉકડગીરી હદબહારની વધી ગઈ હતી. ભૂકંપ પીડીતોને મળેલી વસ્તુઓ ખૂલ્લેઆમ વેચાતી હતી. ભૂકંપ પહેલાં પણ ચૂંટણીમાં બીજેપીનો પરાજય થવા માંડ્યો હતો.

અમદાવાદ જેવું અમદાવાદ પણ બીજેપીએ ગુમાવ્યું હતું.

કેશુભાઈ ને અખબાર તંત્રે મજાકનું પાત્ર બનાવી દીધા હતા. ૨૦૦૨ની વિધાનસભાની ચૂટાણીમાં બીજેપીનો પરાજય નિશ્ચિત હતો.

 

જો કે ગુજરાતમાં જે આફતો આવી અને જે થયું એવું બીજા રાજ્યોમાં થાય એ તો સામાન્ય વાત જ ગણાય છે.

પણ આ તો ગુજરાતમાં થયું અને વળી બીજેપીના રાજમાં થયું એટલે તેની ટીકા તો પેટ ભરાઈ જાય એટલી નહીં પણ પેટ ફાટી જાય એટલી બધી ટીકાઓ થવી જ જોઇ એવું નહેરુવંશી પાર્ટીના નેતાઓ અને અ-ગુજ્જુ સમાચાર માધ્યમો માને છે.

આ લોલં લોલમાં ગુજ્જુ મૂર્ધન્યો પણ લાબું વિચાર્યા વગર કૂદી પડે છે.

ઈશ્વરની બુદ્ધિને સુઝ્યું અને તેમણે બીજેપી મોવડી મંડળને સદ્‌બુદ્ધિ આપી કે જેથી મુખ્ય મંત્રી બદલાયા અને નરેન્દ્ર મોદી રખાયા. નરેન્દ્ર મોદીએ ખાઉકડ અમલદારોને સસ્પેન્ડ કર્યા અને સારો વહીવટ ચલાવ્યો.

 

યોગાનુયોગ એક વાર નરેન્દ્ર મોદીથી બોલાઇ ગયું કે બીજેપીના રાજકાળમાં ગુજરાતમાં કોમી દંગાઓ બંધ થઈ ગયા છે.

 

આ વાતથી નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું હશે. અને ૨૦૦૨માં ગોધરા સ્ટેશને ડબ્બો સળગ્યો. આ કાવતરામાં સામેલ સ્થાનિક કોંગી નેતા પાકિસ્તાન ભાગી ગયા છે.  વળી એક કોંગી નેતાથી બોલી પણ જવાયું કે મોદીએ  “બીજેપીના રાજકાળ માં ગુજરાતમાં કોમી દંગાઓ બંધ થઈ ગયા છે” એવું કહીને કેમ મુસ્લિમોને ઉશ્કેર્યા?

ટૂંકમાં ગુજરાતી નેતાઓને કોઈપણ રીતે વાંકમાં લેવા એ ગુજ્જુ કોંગ્રેસીઓના સંસ્કાર છે.

અખબારી મૂર્ધન્યો પણ ક્યાં પાછળ રહી ગયા છે?

જ્ઞાતિવાદી સમીકરણો બનાવીને, તેને ઉછાળીને તેને લગાતાર પ્રસિદ્ધિઓ આપીને વાગોળીને આ અખબારી મૂર્ધન્યોએ ગુજરાતમાં બીજા રાજ્યો જેવો જ્ઞાતિવાદ ઉભો કરવાની અથાગ કોશિસ કરી છે. જાણે કે ગુજરાતનો નબળો જ્ઞાતિવાદ તેમને કણાની જેમ ખૂંચતો ન હોય?

 

“પટેલોએ ઘણું સહન કર્યું… હવે સહન કરી શકાય તેમ નથી. હવે અમે પાછા પડીશું નહીં….”

“નરેન્દ્ર મોદીના રાજમાં હવે બ્રાહ્મણ વાણીયા કેબીનેટ પ્રધાન બનશે નહીં..”,

“સરકારી નોકરો હવે મોદીશાહી થી તંગ આવી ગયા છે.. તેઓ મોદીને પોતાનું બળ બતાવી દેશે..”,

“માલધારીઓ હવે અન્યાય સહન કરશે નહીં..”

“નરેન્દ્ર મોદીએ બ્રહ્મતેજ જોયું નથી..”

હા જી …  આ બધી જ્ઞાતિઓ જ છે. જ્ઞાતિવાદને ઉત્તેજન આપવું એટલે દેશને વધુને વધુને ખાડે નાખવો એ જ અર્થ થાય. અખબારોએ તો ખાસ સમજવું જોઇએ. સૌએ એક માણસ તરીકે કાયદાનું પાલન કરવાનું છે. જો કાયદો અન્યાય કારી હોય તો તે કેવો હોવો જોઇએ તેની વાત કરો. પણ એક જ્ઞાતિ તરીકે ભેદભાવ ઉભો ન કરો.

 

રાજસ્થાનમાંના જ્ઞાતિવાદી દંગાઓ

રાજસ્થાન માં ગઈ ચૂંટણીમાં જ્ઞાતિવાદી દંગાઓ અને પ્રદર્શનો થયા હતા. આ ગુજ્જર, નીનામા, બકેરવાલ વિગેરેના જાતિવાદી આંદોલનો ચલાવીને નહેરુવીયન કોંગ્રેસે રાજસ્થાન કબજે કરેલ.

તેવીજ રીતે ગઈ લોકસભાની ચૂંટણીમાં કેશુભાઈએ જ્ઞાતિવાદી સુર ચલાવી બીજેપીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટો ઘાટો કરેલ.

નહેરુવીયન કોંગ્રેસ અને તેના જેવી સંસ્કૃતિવાળા સમજે છે કે નરેન્દ્ર મોદીની આગેકૂચ રોકવી હોય અને તેના મતોને વિખેરી નાખીને પોતે લાભ લેવો હોય તો જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશવાદ ઉભો કરવો જ પડશે.

એક બાજુ મોદીના વિકાસને નકારો અને બીજીબાજુ જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશવાદના આધાર ઉપર જનતાને બહેકાવો.

તમે તાજેતરના અખબારો ઉપર નજર કરશો તો એક વાત ઉડીને આંખે વળગશે કે એક અગ્રગણ્ય અખબાર દિવ્યભાસ્કર જ્ઞાતિવાદ ના આધારે મત પડવાના હોય તે રીતે ઉમેદવારોના ભાવીનું વિશ્લેષણ રોજ રોજ આપ્યા કરે છે.

 

સફેદ જુઠ

આમ તો અખબારો દાવો કરે છે કે અમે પેઈડ સમાચારો છાપતા નથી.

પેઈડ સમાચારો એટલે કે પૈસા લઈને સમાચારો છાપવા. અને તે માટે એક જાહેરાત પણ લખે છે કે જો કોઈ પૈસા લઈને સમાચાર છાપી આપવાની વાત કરતો હોય તો ફલાણા ફલાણા નંબર ઉપર ફોન કરવો. પણ આતો કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવી વાત છે. તમે સમાચારની હેડલાઈન જુઓ. તમને સમાચારની હેડલાઈન ઉપરથી અને તેમાં ગોઠવેલા વાક્ય પ્રયોગ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે પૈસા કોણે આપ્યા હશે, કોણે લીધા હશે અને કયા લેવલ ઉપર પૈસાની લેવડ દેવડ થઈ હશે.

 

થોડી અખબારી હેડ લાઈનોઃ

“આ વખતની ગુજરાતની ચૂંટણી લાયકાત અને લોકપ્રિયતાની વચ્ચેની છે.”
કોની લાયકાત?
કોની લોકપ્રિયતા?
શું જે લાયકાત વાળો છે તે લોકપ્રિય નથી?
શું જે લોકપ્રિય છે તે લાયકાત વાળો નથી?
સમાચાર પત્રમાં આ વિષે કશો ફોડ પાડવામાં આવશે નહીં. મોદીને જો લાયકાત વાળો સમજો તો તે લોકપ્રિય નથી એમ સમજવું પડશે તેવો સંદેશ છે. અથવા જો તે લોકપ્રિય છે તો તે લાયકાત વગરનો છે તેવો સંદેશ છે.

“સોણીયા ગાંધીએ બીજેપીને સાણસે ભીડાવ્યું”

“સાણસે ભીડાવ્યું” એ શબ્દ પ્રયોગ સોનીયા ગાંધીની ચાપલુસી જેવો જ લાગે છે. કારણ કે સાણસે ભીડાવવું એટલે “છટકી ન શકાય તેવો મોતનો સકંજો” એવો જ થાય છે. પણ તમે જો સોનીયા ગાંધીના ઉચ્ચારણોની વિગતમાં જશો તો સોનીયા ગાંધીએ પોતાનું  “મોઢું ખાલી કરવા” સિવાય કશું નથી”.

તેનાથી ઉલ્ટુ નરેન્દ્ર મોદી જે જવાબ આપે છે તે માહિતિપ્રદ છે.

કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી ટોલ ટેક્ષ ઉઘરાવે છે પણ ગુજરાતના રસ્તાઓના વિકાસ માટે કશું પણ આપતી નથી. કેન્દ્ર કહે છે કે ગુજરાતમાં રસ્તાઓ વિકસિત છે. જ્યારે હેલીકોપ્ટરમાં બેસીને રસ્તા જોનારી સોનીયા ગાંધી કહે છે કે ગુજરાતના રસ્તાઓ ની હાલત સારી નથી. નરેન્દ્ર મોદી આવો જવાબ આપે છે. આ જવાબ એવો છે કે સોનીયા ગાંધી જ સાણસામાં આવે છે. પણ જે સમાચાર પત્ર પોતાને “અન પેઈડ” સમાચારો છાપનારું જણાવે છે તે નરેન્દ્ર મોદીનો આ સોનીયા ગાંધીને સાણસામાં લેતો જવાબ છાપતું જ નથી. એટલે કાંતો આ સમાચાર પત્ર બેવકુફ છે અથવા તો ઠગ છે. આ સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી.

સમાચાર પત્રો, સોનીયા ગાંધીના ઉચ્ચારણોને એટલેકે નહેરુવીયન કોંગી નેતાઓના ઉચ્ચારણોને ગ્લોરીફાય કરે છે. “અહો રુપં અહો ધ્વનિ” ના શિયાળની જેમ સમાચાર પત્રો, મુખ્ય પાનાઓ ઉપર મુખ્ય જગ્યાઓ ઉપર મોટા અક્ષરો સાથે સોનીયાને ચમકાવવાની પ્રણાલી પાડે છે.

સોનીયા ગાંધી ભલે કોઈ જવાબદારી વાળો પ્રજાકીય હોદ્દો ન ધરાવતા હોય, અને નરેન્દ્ર મોદી ભલે ગુજરાતના મુખ્ય પ્રધાન હોય, પણ તે બીજેપીના છે, ગુજરાતી છે અને વળી નહેરુવીયન કોંગ્રેસની સામે પડેલા છે એટલે તેમણે આપેલા જવાબો ન છાપો તો પણ ચાલે. જો કદાચ આત્મા નો ડંખ વધુ જોર કરતો હોય તો નરેન્દ્ર મોદીની વાતને ક્યાંક નાની કટારમાં અર્ધી પડધી નાના અક્ષરોમાં છાપો.

આમ તો આ સમચાર પત્રો, નરેન્દ્ર મોદીના વિજયને સાવ નકારી કાઢતા નથી. તો એનો અર્થ એવો થયો કે તેઓ એટલું તો સમજે જ છે કે બીજેપીને ઠીક ઠીક બેઠકો મળવાની તો છે જ. તો પછી તેઓ જનતાની વાસ્તવિક લાગણીઓને પ્રતિબિંબિત કરવામાં કેમ ઉણા ઉતરે છે?
અરે ભાઈ, આ ગુજરાતી ભાઈ, નરેન્દ્ર ભાઈ ને તો ઉગતો જ ડામી દો. તે આપણી દુકાન બંધ કરી દેશે. આપણે તો નહેરુવીયન કોંગ્રેસ જ સારી. લુંટો અને લુંટવા દો. ગુજ્જુ નેતાઓને તો ઉગતા જ દાબી દો. દિલ્લીકી સરકારકે સામને સર ઉઠાકે, ઉંચી આવાજસે બોલતા હૈ? તો ઉસકો હર હાલતમેં ખતમ કરો.

કોંગી નીતિઃ અભિમન્યુ રુપી આ ગુજરાતીને (નરેન્દ્ર ને) એકલો પાડી દો અને ખતમ કરો.

આપણે સૌ ગુજરાતીઓ (ગુજરાતીઓ એટલે સૌ કોઈ જેઓ ગુજરાતને અને દેશને ચાહે છે) એક થઈ નવા અભિમન્યુ, નવા દયાનંદ, નવા વિવેકાનંદ, નવા સરદાર અને નવા મહાત્મા ગાંધીરુપ આપણા સ્વપ્નના ગુજરાતના મુખ્ય મંત્રીને રાક્ષસોથી બચાવીએ.

ગુજરાતીઓની ઓળખઃ

૧૯૪૭ અને પછી વિદેશમાં;-  ઓહ તમે ગાંધીના ઈન્ડીયામાંથી આવો છો?
૧૯૪૭ અને પછી દેશમાં;- ઓહ તમે ગાંધીના ગુજરાતમાં થી આવો છો?
૧૯૭૩ અને પછી દેશમાં;- ઓહ તમે મોરારજી દેસાઈના ગુજરાતમાંથી આવો છો?

૨૦૦૫ અને પછી દેશ અને વિદેશમાં;- ઓહ તમે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં થી આવો છો? આવો આવો… કેમ છો? 

 

શિરીષ મોહનલાલ દવે

  • ટેગ્સઃ મોદી, નરેન્દ્ર, પેઈડ સમાચારો, ગુજ્જુ નેતાઓ, સમાચાર પત્રો, બીજેપી, અભિમન્યુ, દયાનંદ, વેવેકાનંદ, સરદાર, મહાત્મા ગાંધી, રાક્ષસો, લુંટો અને લુંટવા દો, નહેરુવીયન, સોનીયા, સાણસામાં

Read Full Post »

નહેરુવીયનો દ્વારા થતા ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય

ગુજરાતાને ગુજરાતીઓને થતા અન્યાય ની વાત નવી નથી. પણ આ સમસ્યા, વલ્લભભાઈ પટેલના મૃત્યુ પછી વકરી.

રાજકીય વ્યક્તિઓના રાજકારણમાં આવવાના હેતુઓઃ

રાજકીય વ્યક્તિઓના રાજકારણમાં આવવાના આમ તો બે હેતુઓ હોવા જોઇએ. પણ નહેરુવીયન શાસનમાં અને ખાસ કરીને નહેરુવંશીઓ અને તેમના પૂજારીઓમાં ત્રણ હેતુઓ થયા હતા.

ગાંધીજીનો રાજકારણમાં આવવાનો હેતુ ફક્ત સમાજ સેવા હતો.

વલ્લભભાઈ પટેલનો હેતુ દેશની એકતા અને દેશની સેવા એમ હતો. દેશની એકતા અને તે માટે યોગ્ય વહીવટ જો સત્તા હોય તો સરળ અને ઝડપી બને. તેથી વલ્લભભાઈ પટેલે સત્તા સ્વિકારેલી. એટલે એમ કહી શકાય કે વલ્લભભાઈ પટેલનો રાજકારણમાં રહેવાનો હેતુ દેશની સેવા અને તે માટે સત્તા એમ હતો.

મોરારજી દેસાઈ નો હેતુ પણ દેશની સેવા અને તે માટે સત્તા એમ હતો.

જવાહર લાલ નહેરુનો હેતુ સર્વોચ્ચ સત્તા અને દેશ સેવા એમ હતો. એટલે કે વલ્લભભાઈ પટેલ અને નહેરુ ના હેતુઓ બાબતમાં પ્રાથમિકતા અલગ અલગ હતી.

આમાં ગુજરાતને અને ગુજરાતીઓને અન્યાય થવાની વાત ક્યાં આવી?

નહેરુ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ અને તેમના વલણોઃ 

૧૯૪૭ પહેલાં તો દેશ માં રજવાડા હતા અને તે સિવાયના ભારત ઉપર એજન્સી સરકારનું રાજ હતું. એટલે જે વિકાસ થતો તે દેશી રજવાડાઓને હિસાબે થતો હતો. અંગ્રેજોની એજન્સી સરકાર જેટલો તેમના લાભમાં હોય તેટલો વિકાસ પોતાના પ્રત્યક્ષ તાબા હેઠળના પ્રદેશોમાં કરતી.

તે વખતના સ્વાતંત્ર્ય સેનાનીઓને હજી સત્તાનો નશો અને મદ ચડ્યા ન હતા અને સૌ કોઈ ગાંધીજીના વ્યક્તિત્વ અને “સાદાઈ” પ્રત્યે અને “દેશ પ્રથમ” એ ભાવના પ્રત્યે જણે અજાણે સકારાત્મક વલણ અપનાવતા હતા. પણ જેવી સ્વતંત્રતા પ્રાપ્તિ નજીકમાં દેખાઈ એટલે કેટલાકની અને ખાસ કરીને નહેરુની પ્રાથમિકતા બદલાઈ. આમ પણ કોંગ્રેસમાં જુથવાદ તો હતો પણ તે વૈચારિક વધુ અને હોદ્દા પ્રાપ્તિ માટે પ્રમાણમાં ઓછો એ પ્રમાણે હતો. કારણ કે ગાંધીજીની આંખની શરમ તેમને નડતી હતી. સૌથી ઓછી આ આંખની શરમ નહેરુને નડતી હતી. તેથી જેવી સ્વતંત્રતા નજીક આવી કે તૂર્ત જ નહેરુએ વડપ્રધાન પદની દાવેદારી કરી.

આ અગાઉ પણ સરદાર પટેલની ઉપર “તેઓ મૂડી વાદીઓના પીઠ્ઠુ છે” તેવી વાતો પણ નહેરુના અનુયાયીઓ દ્વારા ફેલાવામાં આવતી. પણ વલ્લભભઈ પટેલનું વ્યક્તિત્વ વિશિષ્ઠ અને ઉચ્ચ હતું તેથી વલ્લભભાઈ પટેલના સપોર્ટર વધુ હતા.

વડાપ્રધાન પદ માટે નહેરુના નામની કોઈપણ પ્રદેશ સમિતિએ ભલામણ કરી ન હતી.

વલ્લભભાઈ પટેલના નામની ભલામણો થઈ હતી.

નહેરુ જ્યારે ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીએ આ વાત નહેરુને કરી. હવે જો નહેરુ નિરપેક્ષ અને નૈતિક રીતે લોકશાહીવાદી હોત તો તેમણે કહેવું જરુરી હતું કે “હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું.” પણ નહેરુ એવું કશું જ ન બોલ્યા. પણ તેમણે પોતાનું મોઢું તંગ કર્યું હતું.

કેટલાકનું  માનવું છે કે નહેરુએ ગાંધીજીને ધમકી આપી કે તેઓ કોંગ્રેસનું વિભાજન કરશે. આ વાત સાચી હોય અને સાચી ન પણ હોય. પણ ગાંધીજી વિચક્ષણ હતા તે વાત નકારી ન શકાય. તેઓ નહેરુના ચહેરા ઉપરથી કશુંક અમંગળ બને તેવી શક્યતા પામી શક્યા હોય. ગાંધીજીને લાગ્યું કે હાલ તૂર્ત કોંગ્રેસના ભાગલા પડે તો દેશ પણ અનેક ભાગોમાં વિભક્ત થઈ જાય. એક વખત બધું ઠરી ઠામ થઈ જાય અને કમસે કમ પાકિસ્તાન રહિત ભારત તો પાકિસ્તાન રહિત ભારત પણ, જો અકબંધ રહે તો સારું.

જુઓ આ લીંકઃ

http://www.youtube.com/watch?v=94LGke-lFKc&feature=related

Rajiv Dixit on Mahatma Gandhi

ગાંધીજી એ આમ એટલા માટે વિચાર્યું કે જ્યારે બંધારણ ઘડાશે અને ચૂંટણીઓ થશે ત્યારે પ્રજા જે ઈચ્છશે તે જ વડાપ્રધાન થશે.

હાલનો નિર્ણય તો કામચલાઉ છે.

લોકશાહીમાં તો લોકોનો નિર્ણય જ સર્વોપરી રહેશે.

વળી ગૃહપ્રધાન પદ માટે તો વલ્લભભાઈ પટેલ અનિવાર્ય જ છે.

વલ્લભભાઈ પટેલની તબિયત પણ વિદેશી પ્રવાસો માટે અનુકુળ ન હતી.

તે વખતના સંજોગોના સંદર્ભમાં ગાંધીજીનો નિર્ણય બરાબર હોઈ શકે.

ધારો કે વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન થયા હોત તો નહેરુને ગૃહખાતું આપવું પડ્યું હોત. નહેરુ પાસે એવી આર્ષ દૃષ્ટિ ન હતી અને વહીવટી નિપૂણતા પણ ન હતી. નહેરુની સમસ્યા કહો તો સમસ્યા, માનસિકતા કહો તો માનસિકતા અને સ્વભાવ કહો તો સ્વભાવ, સમસ્યાઓના નિવારણને પ્રલંબિત અવસ્થામાં રાખી દેવાનો હતો. આવી વૃત્તિ નવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને મૂળ સમસ્યા તો ઉભી રહે છે જ

વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા અને વહીવટી નિષ્ણાત હતા. દેશના હિતમાટે સત્તાને તેઓ અછૂત માનતા ન હતા. બધા પ્રશ્નો લોકજાગૃતિની વિચાર ધારા વડે ઉકેલી શકાતા નથી તે વાત તેઓ ગાંધીજી જેટલા જ પ્રમાણમાં કે તેથી વધુ પ્રમાણમાં જાણતા હતા તેથી તેઓ ગૃહપ્રધાનપદ અને નાયબવડાપ્રધાન પદ સ્વિકારવા તૈયાર થયા.

વલ્લભભાઈ પટેલને વડાપ્રધાનપદ ન મળે એ વાત વલ્લભભાઈ પટેલના અનુયાયીઓને ન ગમે તે સ્વાભાવિક છે. અને આ વાતથી નહેરુ માહિતગાર હતા. તેથી નહેરુ “સર્વોદયવાદી સમાજવાદ” ની વાતો કરતા હતા. આ વાત વાસ્તવમાં નહેરુની એક ચાલ હતી કે જેથી વલ્લભભાઈ પટેલના અનુયાયીઓમાં અને ગાંધીવાદીઓમાં ભ્રમ ઉભો કરી શકાય અને તેમને કમસે કમ દહીં દૂધમાં રાખી શકાય.

દેશના કમનસીબે વલ્લભભાઈ પટેલ ૧૯૫૦માં ખરાબ તબિયતને કારણે અવસાન પામ્યા. તેથી નહેરુનો મુખ્ય પ્રતિસ્પર્ધી દૂર થયો. તે પછી જે પ્રતિસ્પર્ધી રહ્યા તેમને દૂર કરવા તે નહેરુ માટે ડાબા હાથનો ખેલ હતો. નહેરુના દેશી અને વિદેશી સંપર્કો સૌથી વધુ હતા. સ્વાતંત્ર્યની લડત દરમ્યાન સેનાનીઓનું આશ્રયસ્થાન નહેરુનું નિવાસસ્થાન રહેતું હતું. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી હોદ્દાની રુએ સુખસગવડની જોગવાઈ, અનુમતિ અને તે માટેના રાજકીય પ્રમાણ પત્રની અપેક્ષા નહેરુ જ સંતોષી શકે. નહેરુએ જયપ્રકાશ નારાયણ અને રાજાજીને (ચક્રવર્તી રાજગોપાલાચારીને) અનુક્રમે વેદીયા અને જુનવાણી ઠેરવી દૂર કર્યા. મૌલાના આઝાદ, ગોવિંદવલ્લભ પંત, મદનમોહન માલવીયા વિગેરેને સર્વોચ્ચ પદની અપેક્ષા ન હતી. તેઓ કાળક્રમે ટાઈમસર પ્રભુને પ્યારા થયા. 

તમે કહેશો કે નહેરુ અને વલ્લભભાઈ વચ્ચેનો વિખવાદ તો વૈચારિક હતો. એમાં ગુજરાત અને ગુજરાતીઓ ક્યાં આવ્યા? વળી મહાત્માગાંધી તો ગુજરાતી હતા, અને નહેરુ તો મહાત્મા ગાંધીનું નામ લેતા થાકતા ન હતા. તો પછી નહેરુને ગુજરાતી દ્વેષી કેમ કહેવાય?

નહેરુનો રાજકારણમાં મુખ્ય હેતુ સત્તા અને સર્વોચ્ચ પદ હતો. દેશની સેવા એક આડ પેદાશ તરીકે હતી. તેમની ખુરસી સર્વોચ્ચ હોય અને આ ખુરસી સલામત રહે તે માટે તેમનું મગજ ક્રિયાશીલ રહેતું. પ્રસાર માધ્યમો તેમને આધિન રહેતા. તેમનું વ્યક્તિત્વ જ નાટકીય હતું. તેઓ વાંચ્યા વગર શબ્દોની રમત રમી શકતા હતા. જેમને બદનામ કરવા હોય તેમને બદનામ કરાવી શકતા હતા કે કરી શકતા હતા.

ગાંધીજીની સાદગી, સર્વોદયવાદ અને શાસકીય અહિંસા પરત્વે નહેરુનું વલણ સકારાત્મક ન હતું. એટલે વિરોધીઓને પછાડવામાં તેઓ વ્યુહરચના કરી શકતા હતા. ગાંધીજીના દેશી અને વિદેશી સંપર્કો નહેરુ કરતાં વિશાળ હતા. ગાંધીજીના કદ આગળ નહેરુ તો વામન હતા, તેથી તેમનો દ્વેષ કરવો નહેરુને પોષાય તેમ ન હતો. તેથી ન છૂટકે તેઓ ગાંધીજી પાસે ચૂમાઈને ચૂપ રહેતા. ગાંધીજીની સાદગી વિષે તેમના અનુયાયીયો અફવા ફેલાવતા “ગાંધીજીની સાદગી નભાવવા સરકારને લાખો રુપીયાનો ખર્ચ થાય છે. જો કે આ નો દાખલો ફક્ત એક જ અવારનવાર દોહરાવવામાં આવે છે જે “અંગ્રેજ સરકારે ગાંધીજીને વટોઘાટો માટે તેડવા માટે સ્પેસીયલ ટ્રેન દોડાવેલી. ટ્રેન એટલે એન્જીન અને ડબ્બો. એક બનાવ બન્યો. તેમાં થયેલ ખર્ચને કોઈ આધાર વગર અને ગણત્રીહીન રીતે  તમે “લાખ રુપીયા” ઠેરવી દીધો. અને પછી “લાખ”ના કર્યા “લાખો”.   એક જુઠ સો વાર બોલો એટલે તે અવાર નવાર બન્યું હશે તેમ ગણાઈ જાય.

“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.

નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુ ની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાન મંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાન મંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાન નો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્‌ધૃત]

તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.

મહાત્મા ગાંધીની બકરીની બદામ અને ઈન્દીરા ગાંધી.

સાદાઈની વાતો થતી હતી ત્યારે ઈન્દીરા ગાંધીએ ગાંધીજીની સાદાઈની મજાક ઉડાવેલી. તેમણે કહેલ કે ગાંધીજીની બકરીને બદામ ખવડાવવામાં આવતી હતી.એટલે કે ગાંધીજી બદામ ખાધેલી બકરીનું દુધ પીતા હતા. આ વાત સમાચાર પત્રોની હેડલાઈનો બનેલા. ગાંધીજીની સાદાઈ નભાવવા માટે સરકારને લાખો રુપીયાનો ખર્ચ થાય છે. અને ગાંધીજી ની બકરીનો ખોરાક બદામ હોય. આ બીજી વાત તો “બકરીકી તીન ટાંગ” જેવી હતી. પણ સમાચાર પત્રોની હેડ લાઈન ઉપર ચમકી એટલે એક ગાંધીવાદી તંત્રીશ્રીએ ખુલ્લો પ્રશ્ન કર્યો કે આ વાત માન્યામાં આવે તેમ નથી . પણ જો આ સત્ય હોય તો  કોઈ ગાંધીજીનો અંતેવાસી આ વાત વિષે સ્પષ્ટીકરણ કરે. એક અંતેવાસીએ સ્પષ્ટતા કરેલ, કે એક વખત ગાંધીજીની બકરી માંદી પડેલ. એટલે એક વૈદ્યે કે ડૉક્ટરે, તેને એક બે દિવસ દવા તરીકે બદામ ખવડાવવાનું સૂચવેલ. ગાંધીજીની બકરીને આ સિવાય ક્યારેય બદામ ખવડાવવામાં આવી ન હતી.  એક વાત સમજવાની   છે. જ્યારે કોઈ ઉચ્ચસ્થાને બેઠેલી વ્યક્તિ એક વાત ( જે આંચકો આપે તેવી હોય અને તેવું જુઠાણું પણ હોય) ફેલાવે ત્યારે તેને વ્યાપક પ્રસિદ્ધિ મળે. પણ તે જુઠ્ઠી વાતની સચ્ચાઈ જ્યારે કોઈ નાનો માણસ બતાવે ત્યારે તેની સચ્ચાઈને એવી પ્રસિદ્ધિ મળતી નથી. ગાંધીજીની સાદાઈની વાતને નહેરુવંશીઓએ મજાક બનાવેલી છે. જે નુકશાન કરવાનું હતું તે થઈ જ ગયું છે.

સરદાર પટેલ તરફનું નહેરુનું અસભ્ય વર્તનઃ

સરદાર પટેલ ની પ્રતિભા નહેરુને ખૂંચતી હતી. અને તેમણે સરદાર પટેલની સાથે અનેક વાર એવી કઢંગી રીતે વર્તેલા કે તે પછી સરદાર પટેલે તેમને મળવાનું ટાળેલ. આ બનાવનો ઉલ્લેખ એમ કે કે નાયર જેઓ સરદાર પટેલ અને વીપી મેનન બંનેની ખાસ નજીકના અને ૧૯૪૭ આઇએએસ કેડરના અધિકારી હતા.

કેબીનેટમીટીંગમાં વાત શી હતી અને નહેરુ શું બોલ્યા હતા?

વાત હતી હૈદરાબાદની. અને તેને કબજે લેવા માટેના પોલીસ એક્સનની હતી. નહેરુ, સરદાર પટેલ ને ઉંચા અવાજે તાડૂક્યા; તમે પૂરેપૂરા કોમવાદી છો. અને હું તમારા સૂચનો અને ભલામણ માં ભાગીદાર નહીં બનું.” આના પ્રતિભાવમાં સરદાર પટેલ ચોંકી ગયા હતા અને પ્રતિકારમાં સરદાર પટેલ કંઈપણ બોલ્યા વગર,  કાગળો લઈ કેબીનેટની બહાર નિકળી ગયા હતા. જોકે નાયરે આ બનાવનો દિવસ બતાવ્યો નથી. પણ મોટેભાગે આ કેબીનેટ મીટીંગ હૈદરાબાદની મુક્તિ પહેલાના એક અઠવાડીયા પૂર્વેની હશે. સરદાર પટેલ હૈદરાબાદના અંગત સૈન્ય રઝાકારોનો જો સામનો કરવો પડે તો તે સામનો પલીસ એક્સન દ્વારા અને જરુર પડે તો સૈન્યદ્વારા કરવા માગતા હતા. જ્યારે નહેરુ આ સમસ્યા યુનો મારફતે હલ કરવાના મુડમાં હતા.

સરદાર પટેલની સળંગ સફળતાઓથી નહેરુ, મનોમન ગુજરાતીઓના દ્વેષી બની ગયા હતા. તેઓ આ કારણને લીધે ગાંધીવાદીઓથી પણ નારાજ હતા. વલ્લભભાઈ પટેલ મૃત્યુ પામ્યા એટલે નહેરુની ઘાત ગઈ. નહેરુનો સરદાર પટેલ તરફનો દ્વેષ ૧૫મી ડીસેમ્બર ૧૯૫૦ના રોજ છતો થયો જ્યારે સરદાર પટેલે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. નહેરુએ તત્‌કાલીન મુંબઈપ્રાંતના કેબીનેટ સેક્રેટરી વીપી મેનનને બે નોંધ મોકલી. એક નોંધમાં સરદાર પટેલની કાર પરત કરવી. અને બીજી નોંધ માં એ સૂચન હતું કે જે અફસરો સરદાર પટેલની સ્મશાન યાત્રામાં જવા માગતા હોય તેમણે પોતાને ખર્ચે જવું. નાયર આગળ લખે છે કે વીપી મેનને બધા અફસરોની મીટીંગ બોલાવી અને જેઓ સરદાર પટેલની અંતેષ્ટીમાં જવા ઈચ્છતા હતા તેમનું એક લીસ્ટ બનાવ્યું. વીપી મેનને એ જાહેર ન કર્યું કે સૌએ પોતાના ખર્ચે જવાનું છે. પણ તેમણે સૌની એર ટીકીટ ખરીદી અને તે સૌની ચૂકવણી તેમણે પોતાના ખીસ્સાના પૈસે કરી. નહેરુ ગુજરાતીઓની વિરુદ્ધમાં હતા તે માટે વિશેષ પુરાવાઓની જરુર રહેતી નથી. પણ પુરાવા વધુ પણ મળશે. સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં ગાંધીજીનું અને સરદાર પટેલનું  જ્યાં સુધી કોંગ્રેસ ઉપર વર્ચસ્વ હતું અને નહેરુ તેમના આશ્રિત હતા ત્યાં સુધી ગુજરાતી નેતાઓ ની આવડત પ્રતિષ્ઠા પામતી પણ જેવા તેઓ અવસાન પામ્યા, તેમને હમેશા અમુક હદે રોકવામાં આવ્યા છે. 

નહેરુવીયનો અને મોરારજી દેસાઈઃ     

સરદાર પટેલ પછી ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ મોરારજી દેસાઈ બન્યા. કોંગ્રેસની વિદેશ નીતિ વિવાદાસ્પદ હતી અને ઘણાને પસંદ ન હતી. તેમાં મોરારજી દેસાઈ એક હતા. પણ મોરારજી દેસાઈ શિસ્તમાં માનતા અને મોવડીમંડળ જે સૈદ્ધાંતિક નિર્ણય લે તેને વળગી રહેવું અને તેનો બચાવ પણ કરવો તેમને શિસ્તમાટે જરુરી લાગતું હતું. કોંગ્રેસની એક સિદ્ધાંત નીતિ એ પણ હતી કે ભાષાવાર પ્રાંત રચના કરવી. અને તે પછી જે તે પ્રાંતની ભાષામાં વહીવટ કરવો. કોંગ્રેસ પ્રદેશ સમિતિઓની રચના પણ આ પ્રમાણે જ ક્યારનીય કરવામાં આવેલી.

મુંબઈનો વિશિષ્ઠ દરજ્જો હતો. મુંબઈ ગુજરાતીઓએ વસાવેલ. અને તેનો વિકાસ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી ૨૦થી ૨૫ ટકા, પ્રોપર્ટી ૭૦ ટકા અને ઔદ્યોગિક માલિકી ૯૦ ટકા હતી.

મુંબઈ કોંગ્રેસ પ્રદેશ સમિતિ અલગ હતી. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ અલગ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિ પણ હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર અલગ રાજ્યો હતા. મુંબઈ આવકનું સાધન હતું ગ્રામ્યવિસ્તારોમં મરાઠી બહુમતી હતી. અને મુંબઈમાં પણ મરાઠી લોકો ૪૦થી ૪૫ ટકા હતા. કોંગ્રેસે શરુઆતમાં મધ્યમાર્ગ અપનાવ્યો અને 1956ના અંત ભાગે દ્વીભાષી રાજ્ય કર્યું.

૧૯૫૫-૫૬માં આંદોલનો થયાં હતા. મરાઠી જનતા અને નેતાઓને સંતોષ ન થયો. એટલે તેમણે આંદોલન ઉપાડ્યું હતું અને તેનો પડઘો ૧૯૫૭માં પડવાનો હતો. એવો પ્રચાર થયો કે ગુજરાતીઓ મુંબઈ મહારાષ્ટ્રને મળે તે બાબતમાં આડખીલી રુપ છે. સીડી દેશમુ્ખે રાજીનામું પણ આપેલ. (જો કે સીડી દેશમુખ એક વિવાદાસ્પદ વ્યક્તિ હતા. તેમને વિષે ઘણા વિવાદો અને વિસંવાદો છે)  દ્વીભાષી રાજ્ય થયું અને ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચલાવ્યું. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતને કારણે કોંગ્રેસની સત્તા દ્વીભાષી મુંબઈમાં ટકી ગઈ. ખરી રીતે નહેરુએ મોરારજી દેસાઈનો આભાર માનવો જોઇએ. પણ મોરારજી દેસાઈ ને જનતાના રોષ નો ભોગ બનાવાયા. જે મરાઠી અને ગુજરાતી પ્રજા સેંકડો વર્ષોથી હળી મળીને રહેતી હતી તેમની વચ્ચે વિખવાદ ઉત્પન્ન કરાયો.

વડાપ્રધાન પદને ન શોભે તેવા નહેરુના ઉચ્ચારણો નીચે પ્રમાણે હતા. “મરાઠી ભાઈઓ તમે શું કામ દ્વીભાષી મુંબઈ રાજ્યથી નાખુશ છો. તમને તો અમે ગુજરાતીઓ ઉપર રાજ કરવાની તક આપી છે.”

“મરાઠી ભાઈઓને જો મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો હું ખુશ થઈશ.”

 ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થઈ. નહેરુની કેન્દ્ર સરકારે ગુજરાતમાં સરકારી નોકરોનું પગાર ધોરણ સુધરવા ગ્રાન્ટ આપેલ. જીવરાજ મહેતાએ નહેરુને વહાલા થવા માટે તે પરત કરેલ. જો જીવરાજ મહેતાએ તે વખતે જ સરકારી નોકરોના પગાર ધોરણો સુધારી નાખ્યા હોત તો ઘણા જ નોકરો લાંચ રુસ્વત ની બદીથી અળગા રહી શક્યા હોત. વિદેશોમાં સરકારી નોકરો યાતના ભર્યું કૌટુંબિક જીવન જીવતા હોતા નથી. તેમના પગાર સારા હોય છે. આપણે ત્યાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવો ઘાટ હોય છે.

મોરારજી દેસાઈ કાયદાના રાજમાં માનતા હતા. મુંબઈમાં ગુજરાતીઓ ઉપર હુમલાઓ થતા. અને ગુજરાતીઓએ હિજરત કરવી પડેલી. ગુજરાતી મરાઠી વૈમનસ્ય નહેરુએ ઉત્પન્ન કરેલ. મોરારજી દેસાઈને મહારાષ્ટ્રમાં મરાઠીઓ ધિક્કારતા હતા. મોરારજી દેસાઈને કેન્દ્રમાં લેવામાં આવેલ અને નાંણા ખાતું આપેલ. નહેરુને મોરારજી દેસાઈની આર્થિક નીતિ પસંદ ન હતી. નહેરુની આગાહીઓ ખોટી પડતી હતી. અને મોરારજીની આગાહીઓ સાચી પડતી હતી. આ બાબતો ખાસ કરીને જાહેર સાહસો બાબતે હતી. ખાનગી ક્ષેત્રોને કારણે દેશ પ્રગતિને પંથે હતો. પણ લાંબો પંથ કાપવાનો હતો. ચીનની ઘુસણખોરીથી દેશ ત્રસ્ત હતો. ૧૯૬૨માં ચીને આક્રમણ કરી આસાન વિજય પ્રાપ્ત કર્યો અને ૭૪૦૦૦ ચોરસ માઈલ ભરતીય જમીન કબજે કરી. આ બાબત તેણે ઉભી કરેલી માગણી કરતાં ૧૨૦૦૦ ચોરસ માઇલ વધુ હતી. ચીને તે ૧૨૦૦૦ ચોરસ માઈલ જમીન ખાલી પણ કરી. વિનોબા ભાવેએ ચીનને વધાઈ આપી કે ચીન એક એવો એક માત્ર દેશ છે જે જીતેલી જમીન પાછી આપી રહેલો છે. પણ નહેરુએ અગાઉ એવી ફીશીયારી મારેલ કે ચીનને આગળ વધતું આપણે અટકાવીશું ત્યારે જ અટકશે. આપણા સમાચાર પત્રોએ એવી હેડ લાઈન  છાપેલ કે “ચીની લશ્કર પાછું જઈ રહ્યું છે”  જાણે કે સંદેશ એવો હોય કે ભારતીય લશ્કર ચીની દળોને હટાવી રહ્યું છે. આ બધી વાતો બહુ લાંબી છે. પણ મોરારજી દેસાઈ નહેરુના એક નવા ગુજરાતી પ્રતિસ્પર્ધી બની ગયા હતા.

૧૯૬૨માં ગુજરાતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો. અવિભાજીત મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. અને તેઓ નહેરુના ખાસ માનીતા હતા. એટલે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચાલુ રખાયા. ગુજરાતમાં મોરારજી દેસાઈની શક્તિને કાપવા માટે તેમણે મોરારજી દેસાઈને કામરાજપ્લાન હેઠળ દૂર કર્યા. પણ ગુજરાત મોવડીમંડળ ઉપર મોરારજી દેસાઈનો પ્રભાવ ચાલુ રહ્યો. નહેરુ એક બીજો દાવ પણ ખેલ્યા તે “લોકશાહી વાદી સમાજવાદી સમાજ રચના. અને આ ઓઠા હેઠળ તેમણે પ્રજાસમાજવાદી પક્ષના સભ્યોનો પક્ષ પલ્ટો કરાવ્યો. તેમની ધારણા હતી કે ગમે ત્યારે આ નેતાઓની મારે નહીં તો મારી દિકરીને જરુર પડશે.

ગુજરાત મોવડી મંડળે ૧૯૬૨માં મુખ્યમંત્રીને સૂચના આપેલ કે જે નેતાઓ વિષે વિવાદો છે તેમને મંત્રી મંડળમાં ન લેવા. પણ જીવરાજ મહેતાએ રસિકલાલ પરીખ ગ્રુપને મંત્રી મંડળમાં લીધું અને તેથી મોરારજી દેસાઈએ ચિમનભઈ પટેલ મારફત જીવરાજ મહેતાની સરકાર પાસે રાજીનામુ અપાવ્યું અને બળવંતરાય મહેતા મુખ્ય મંત્રી બન્યા. આ બધી બાબતોથી નહેરુ નારાજ હતા. નહેરુએ ગોઠવણ કરેલી કે પોતાના અનુગામી તરીકે મોરારજી ન આવે પણ પોતાની દિકરી જ આવે જેથી નહેરુની ક્ષતિઓ બહાર ન આવે.

મોરારજી દેસાઈને ખુબ ખુબ બદનામ કરવામાં આવતા હતા. મોરારજી જીદ્દી છે, મોરારજી રાક્ષસ છે, વડાપ્રધાન થવાના સ્વપ્ના જુએ છે. મોરારજી સત્તા ભૂખ્યા છે. અર્થ તંત્રને શિર્ષાસન કરાવેલ. સમાચાર પત્રો મોરારજી દેસાઈની ઠેકડી ઉડાડવામાં આગળપડતા રહેતા હતા. છતાં ગુજરાત મોવડી મંડળમાં મોરારજી દેસાઈનું પ્રભૂત્વ રહ્યું હતું. જ્યારે નહેરુ અવસાન પામ્યા ત્યારે તૂર્ત જ એવા સમાચાર પ્રગટ થયા કે વડાપ્રધાનની ખુરસી ઉપર મોરારજી દેસાઈએ પહેલી પોતાની હૅટ ફેંકી. નહેરુના મૃતદેહને બે દિવસ જનતાના દર્શન માટે રાખી મુકવામાં આવેલ. તમે એક અશક્ત, માંદા અને વૃદ્ધ વ્યક્તિના કુદરતી મ્રૂત્યુ પછી સોગીયું મોઢું સતત ન રાખી શકો.

પત્રકારો, કેટાલાક પત્રકારો સતત મોરારજી ને સકંજામાં લેવાને આતુર રહેતા હતા. એક વાર તેઓ કોઈ કોંગી બંધુએ કરેલી રમૂજ પર હસ્યા. તૂર્ત જ કોઈ એક પત્રકારે કેમેરાની ચાંપ દબાવી દીધી, અને તે હસતા ચહેરાને નહેરુના મૃતદેહ સાથે જોડાયેલો રાખ્યો. જનતાને મેસેજ આપ્યો કે કે “જુઓ આ મોરારજી દેસાઈ જેઓ લોકલાડીલા માનવંતા વડાપ્રધાનના મૃતદેહની પણ આમન્યા રાખતા નથી અને હંસી મજાક કરી રહ્યા છે. ગુજરાતી અખબારોમાં પણ આ ફોટો છપાએલ. ટૂંકમાં મોરારજી દેસાઇને યેનકેન પ્રકારેણ બદનામ કરવાની એક પણ તક ન જાય તેનું ઘણા અખબારો અને નહેરુના મળતીયાઓ બારીકાઇથી ધ્યાન રાખતા હતા.

નહેરુની વ્યુહરચના પ્રમાણે તેમના મૃત્યુ પછી ઇન્દીરા ગાંધીને વડપ્રધાન બનાવવાના હતા. પણ લાલબહાદુર શાસ્ત્રી સીનીયર હતા અને તેમના ખુદના શબ્દો પ્રમાણે “મૈં સાધુ નહીં હું.” એમ કહી પોતાનો દાવો અસ્તિત્વમાં છે એમ કહી ચૂકેલા. નહેરુએ રચેલી સીન્ડીકેટે તેમને પ્રધાન મંત્રી બનાવેલ. મોરારજીને અળગા રાખેલ.

લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક મોત પછી ફરીથી મોરારજી દેસાઈનો વડાપ્રધાન માટેનો દાવો અસ્તિત્વમાં આવતો હતો. પહેલાંની જેમજ તેમની સામે મજકના સૂર રેલાયા હતા. મોરારજી દેસાઈનો દાવો એ કારણ થી હતો કે તેઓ સીનીયર હતા. પણ અખબારી મૂધ્યન્યો એ એમ કહ્યું કે ઈન્દીરા ગાંધી સીનીયર છે. કારણ કે ઈન્દીરાની હેઠળ મોરારજી દેસાઈએ કામ કર્યું છે. પણ ઈન્દીરાએ કદી પણ મોરારજી દેસાઈની હેઠળ કામ કર્યું નથી. એક સમયે ઈન્દીરા ગાંધી કોંગ્રેસ પ્રમુખ હતા, તેથી દરેક કોંગ્રેસીએ ઇન્દીરા ગાંધી હેઠળ કામ કર્યું કહેવાય. એટલે મોરારજી દેસાઈએ પણ ઇન્દીરા હેઠળ કામ કર્યું કહેવાય. જો આ માપદંડ ને લંબાવીએ તો ઢેબરભાઈ અને લાલબહાદુર શાસ્ત્રી પણ કોંગ્રેસ પ્રમુખ હતા. જવાહરલાલ નહેરુએ પણ ઇન્દીરા સહિત આ બધાની હેઠળ કામ કર્યું કહેવાય. પણ નહેરુવંશના આશકોના માપદંડ રબરના હોય છે અને તેને લાંબા ટૂંકા કરી શકાય છે. આમ મોરારજી દેસાઇને ફરીથી નકારાયા અને તેમના દાવાને અર્થહીન ગણાવાયો. તેમને સત્તાથી વિમુખ કરાયા.

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં ઈન્દીરાઈ નેતૃત્વવાળી આ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કેટલાક રાજ્યોમાં તેણે સત્તા ગુમાવી. ગુજરાતમાં પાતળી બહુમતી મળી. કોંગ્રેસ મોવડી મંડળની આંખ ઉઘડી. તેમને થયું કે આતો ઈન્દીરાને મદદ કરવામાં આપણે ક્યાંયનાય નહીં રહીએ. એટલે મોરારજી દેસાઈને લાવો.

મોરારજી દેસાઈ ની વાત કરીએ તો તેઓ ઈન્દીરા ગાંધી કરતાં બધી જ રીતે ઉચ્ચ કક્ષાના હતા. તેઓ બધી રીતે ગાંધીવાદી હતા. જે સાચું હોય તે જ કહેતા. મૂલ્યોના ભોગે કશું મેળવવામાં માનતા નહીં. કડવા ઘુંટડા પી જતા હતા. દેશ હિતનો ખ્યાલ રાખતા. તે નિડર હતા. નિપુણ વહિવટ કર્તા હતા. આઈ સી એસ અધિકારી હતા પણ દેશસેવા માટે તેનો ત્યાગ કરી રાજકારણમાં જોડાયા હતા. આની સામે ઇન્દીરા ગાંધી બધી જરીતે શૂન્ય હતા. તેમના બધા જ માર્ક્સ તે નહેરુનું સંતાન હતા એ વાતમાં આવતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી નો વડાપ્રધાન પદ માટે નંબર લાગી શકે પણ મોરારજી દેસાઈનો નંબર ન લાગે કારણ કે તેઓ ગુજરાતી હતા.

મોરારજી દેસાઈના બધા જ ગુણોને તેમની ગેરલાયકાત તરીકે જોવામાં આવતા હતા.

તેમની દૃઢતાને તેમની જીદ સમજવામાં આવતી.

તેમના સિદ્ધાંતને તેમનું વેદીયાપણું ગણવામાં આવતું,

તેમના મૂલ્યનિષ્ઠ પ્રતિભાવોને/પ્રતિકારોને નાટક ગણવામાં આવતું.

તેમના વર્તનોમાં સંદર્ભોને અવગણવામાં આવતા અને વિરોધાભાસ તરીકે તેને ચગાવવામાં આવતા હતા.

તેમની વહીવટી કુશળતાને કઠોરપણું સમજવામાં આવતું હતું.

તેમની આર્ષ દૃષ્ટિને નકારવામાં આવતી અને મજાક પણ કરવામાં આવતી હતી.

તેમની અગમચેતીને નકારવામાં આવતી અને બંધછોડ કરવા કહેવામાં આવતું હતું.

તેમના અનુભવને બીન જરુરી માનવામાં આવતો હતો.

તેમની તંદુરસ્તી અને ચપળતાને કશું સ્થાન ન હતું, પણ તેમની ઉંમરને વૃદ્ધત્વ ગણવામાં આવતું હતું,

તેમના સામુહિક રીતે લેવાયેલા નિર્ણયોને અને તેમાં બીજાઓએ દાખવેલી વહીવટી કચાસને મોરારજીને માથે દોષનો ટોપલો ઢોળવામાં આવતો હતો,

તેમની કાર્યકુશળતા થી મળતા પરિણામોમાં બીજા ભ્રષ્ટ નેતાઓનું ભાવી અંધકારમય થતું હતું, તેથી પણ મોરારજી દેસાઈનો પ્રગતિનો પથ બીજા નેતાઓને ખૂંચતો હતો. જો મોરારજી દેસાઈ એક વખત સર્વોચ્ચ સત્તા સ્થાને આવી જાય તો તેમને હઠાવવા મુશ્કેલ હતા. નહેરુ અને ઈન્દીરા ગાંધી જેવા નેતાઓ જો સર્વોચ્ચ પદે આવે તો, બીન-ગુજરાતી નેતાઓને ચાલી શકે કારણ કે કમસે કમ તેમની દુકાનો બંધ થતી ન હતી. પણ જો એક વખત મોરારજી દેસાઈ સર્વોચ્ચ સ્થાને આવી જાય તો તો તેમની દુકાનો જ બંધ થઈ જાય. ગુજરાતીઓ વિષે સામાન્ય ખ્યાલ આવો છે.

ગુજરાતના બીજા નેતાઓ પણ હતા. ઢેબરભાઈને એક વખત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવેલ. ઢેબરભાઈ શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા. તેઓ ગાંધીવાદી હતા. તેઓ કેમ આગળ ન આવ્યા તે એક સંશોધનનો વિષય છે. મનુભાઈ શાહ એક કુશળ અને કુશાગ્રબુદ્ધિવાળા નેતા હતા. મનુભાઈ શાહનું મહત્વ જ્યાં સુધી મોરારજી દેસાઈ કેન્દ્રમાં હતા ત્યાં સુધી રહેલ. બળવંતરાય મહેતાનું કસમયે મૃત્યુ થયેલ. ચિમનભાઈ પટેલ એક ભડના દિકરા હતા. કેન્દ્રની કોંગીમાં કોઈની સાડીબારી ન રાખે તેવા અને અઠંગ સંયોજક હતા. પણ ખાટલે ખોડ એ હતી કે તેઓ વિવાદાસ્પદ હતા અને તેમનો વહીવટ સાફસુથરો ન હતો. તેથી તેઓ જનતામાં પણ બદનામ થયેલ. તેઓ પાટલી બદલુ હતા તે તેમનો મોટો માઈનસ પોઈન્ટ હતો. જો કે આવા તો અનેક નેતાઓ બીન ગુજરાતી રાજ્યોમાં હોય છે. પણ આતો ગુજરાતી હતા એટલે જો આડા ફાટે તો વગોવવા જ રહ્યા એવું નહેરુવંશીઓ માનતા.

હવે ગુજરાતને મળ્યા છે નરેન્દ્ર મોદી. અને તમે જુઓ છો કે તેમના હાલ નહેરુવીયનો જ નહીં પણ આપણા ગુજ્જુ  સમાચારપત્રો ના ધુરંધરો  અને મોટાભાગના જાણ્યા અને અજાણ્યા કટાર લેખકો કેવા આદુખાઈને પડ્યા છે.

મમતા બેનરજી અને બંગાળી

મમતા બેનરજી, બંગાળ, અને બંગાળીઓના હિત માટે બધાજ કોંગી નેતાઓના બધા જ ગુનાઓ પછી ભલે તે ક્રીમીનલ કક્ષાના હોય તો પણ પ્રણવ મુખરજીને તેઓ બંગબંધુ હોવાના નાતે સપોર્ટ કરેછે.

આ દંભી મમતાને ઓળખો. આ જ મમતા બેનરજી ૧૯૭૪માં જયપ્રકાશ નારાયણે ઈંદીરા કોંગ્રેસ સામે શરુ કરેલ આંદોલન વખતે જયપ્રકાશ નારાયણ પક્ષે આંદોલનમાં ઝુકાવ્યું હતું. જયપ્રકાશ નારાયણ ની જીપ ઉપર તેઓ નાચ્યાં હતાં. ૧૯૭૫માં ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદીને સૌને કોઈપણ ગુનાના અસ્ત્વિત્વ વગર જેલમાં પૂરેલ. ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી અને તેમાં થયેલા કેટલાક અત્યાચારોમાં પ્રણવ મુખરજી સહભાગી મદદગાર હતા. આ વાત કાયદેસરના રેકોર્ડ ઉપર છે. છતાં પણ જ્યારે આ પ્રણવ મુખરજીને દેશના રાષ્ટ્ર પ્રમુખ કરવાની વાત આવી ત્યારે આ મમતાએ ઓળઘોળ કરીને પ્રણવ મુખરજીને તેમના પક્ષના મત અપાવ્યા અને પોતે પણ પ્રણવ મુખરજીને જ મત આપ્યો.

પ્રતિભા પાટિલ અને મરાઠી માણુસ

આવી કથા મરાઠીમાણુસ પ્રતિભા પાટિલ ની પણ છે. પોતાને કોંગીના જાની દુશ્મન ગણાવતા શિવસેનાના પ્રમુખ અને મરાઠી માણુસ બાલાસાહેબ ઠાકરેએ પણ પોતાના પક્ષના મતો કોંગીની પ્રતિભા પાટિલને જ અપાવેલ.

આપણા હૈયા ફુટ્યા ગુજ્જુ નેતાઓ અને વિદ્વાનો વિષે આગળ વાત કરીશું

(ચાલુ)

 

શિરીષ મોહનલાલ દવે

ટેગ્સઃ નહેરુ, નહેરુવીયન, નહેરુવંશી, મહાત્માગાંધી, સરદાર પટેલ, સમાજવાદ, સર્વોદયવાદ, લોકશાહી સમાજવાદ, મોરારજી દેસાઈ, ગુજરાતી,  દ્વીભાષી મુંબઈ, મહારાષ્ટ્ર, મરાઠી, પ્રદેશ કોંગ્રેસ સમિતિ

Read Full Post »