Feeds:
Posts
Comments

Archive for June, 2016

“૨૫મી જુન” ઈન્દિરાઈ કટોકટી એક અધમાધમ કૃત્ય

હાજી, આજનો દિવસ ભારત માટે, ભારતના જનતંત્રીય ઇતિહાસના પ્રકરણોમાં કાળો દિવસ છે.

Emergency

પ્રાચીન ભારતનો ઇતિહાસ “સત્યના આદર” દર્શાવતા અનેક પ્રકરણોથી સુશોભિત છે. મધ્યયુગી કાલીમાઓ થી કલંકિત પણ છે. પણ આ મધ્યયુગી કાલીમાઓમાં પણ સુવર્ણમય પ્રકરણોનો તૂટો નથી.

૧૯૪૭માં નહેરુએ પોતાનું પોત પ્રકાશ્યું. ગાંધીજી સામે ત્રાગુ કર્યું અને ગાંધીજીએ તેમને કામ ચલાઉ સમય માટે વડા પ્રધાન પદ તરીકે સ્થાપવા માટે ભલામણ કરી. લોકશાહીમાં કશું કાયમી હોતું નથી. આ વાત ગાંધીજી પણ જાણતા હતા. પણ ભારતની જનતા અભણ અને અબુધ હોવાના કારણે, નહેરુના એ અપ્રત્યક્ષ પ્રચારમાં આવી ગઈ કે નહેરુને તો  યાવત ચંદ્ર દિવાકરૌ માટે વડા પ્રધાન પદ પર સ્થાપ્યા છે. ભારતના દુર્ભાગ્યે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ વહેલા ગુજરી ગયા અને તે પછી ભારતના મૂર્ધન્યો પણ ઉણા ઉતર્યા.  આમ થવાથી ૧૯૭૫માં ચાલુ થનારી કાળરાત્રીના બીજ વવાયાં.

આમ તો નહેરુએ લોકશાહીના બણગાં બહુ ફૂંકેલા. અયુબખાનના માર્શલ લૉની ભર્ત્સના અને ઇસ્કંદર મીર્ઝાએ પ્રસ્તૂત કરેલા જોડાણનો પ્રસ્તાવ પણ લોકશાહીના મુદ્દા ઉપર જ ઠૂકરાવેલ.

આ બધું નહેરુએ પોતાની સર્વોચ્ચતા જાળવી રાખવા માટેની વ્યુહરચનાના ભાગ રુપે કર્યું હોય તેવું લાગે છે.

જનતંત્રનું હાર્દ

૧૯૬૨માં ચીને ભારત ઉપર જે સરળતાથી વિજય પ્રાપ્ત કરેલ, તે જોતાં અને નહેરુએ તે પરત્વે ઘર આંગણે જે રીતરસમો અપનાવી તે જોતાં નહેરુની નૈતિક જવાબદારી હતી કે તે વડાપ્રધાનપદે થી રાજીનામું આપી દે. જનતંત્રનું આ હાર્દ છે. પણ નહેરુની જનતંત્રની ઓળખ નૈતિકતાના આધાર ઉપર રચાયેલી ન હતી. ભારતના મૂર્ધન્યોની સમજ પણ કેટલાક અંશે તેવી જ હતી. તેથી ૧૯૬૨ના કારમા પરાજય પછી પણ આ મૂર્ધન્યોએ ફક્ત સંરક્ષણ પ્રધાનના રાજીનામાની જ વાત કરેલ. અને તે પણ નહેરુએ નકારેલ અને પોતાની વાત ઉપર અડગ રહેલ.

પણ પછી થયું એવું કે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ રાધાકૃષ્નને નહેરુને ગર્ભિત ધમકી આપી કે તેઓ વડાપ્રધાન બદલી શકે છે ત્યારે નહેરુની શાન ઠેકાણે આવી અને સંરક્ષણખાતાના બે હિસ્સા કરી નાખ્યા. સંરક્ષણનો શસ્ત્રોત્પાદનનો હિસ્સો મેનનને આપ્યો. સંરક્ષણનો વહીવટી હિસ્સો યશવંત રાવ ચવાણને આપ્યો.

નહેરુને ખ્યાલ આવી ગયો કે હવે તેમના વળતા પાણીની શરુઆત થઈ ગઈ છે અને તેમણે કરેલી હિમાલય જેવડી ભૂલોના પાપ છાપરે ચડીને પોકારશે. પોતે શારીરિક રીતે અશક્ત થઈ ગયા હોવાં છતાં પણ તેઓશ્રી આ બધું દબાવવા વડાપ્રધાન પદે ચાલુ રહ્યા. અને એવી ગોઠવણ કરી કે તેમના પછી તેમના અનુગામી તેમના ફરજંદ જ બને. આ બધાં વલણો લોકશાહી મનોવૃત્તિના નથી જ નથી જ.

આ બધી વાતો શું મૃત્યુ પામેલી વાતો (ડેડ ટોપિક) નથી?

આ બધી વાતોને શા માટે યાદ કરવી જોઇએ? આ બધી વાતોની ચર્ચાનો અત્યારે સંદર્ભ શું અને આ બધી વાતોનું પ્રાસ્તૂત્ય શું?

he should not play nuicense

આપણા ભારતની પૌરાણિક વાર્તાઓમાં રાક્ષસ આવતા હોય છે. તેમાં કોઈએક રાક્ષસને વરદાન મળ્યું હોય છે કે તેનું લોહીનું ટીપું જો જમીન ઉપર પડે તો તેમાંથી અનેક રાક્ષસ ઉત્પન્ન થાય.  આમ તો આ બધી વાતો ઇતિહાસને રસપ્રદ બનાવવા માટે હોય છે પણ ક્યારેક રુપકો દ્વારા બોધ પણ હોય છે.

જે રાક્ષસીય વૃત્તિનું વલણ મનમાં પ્રચ્છન્ન રુપે પડેલું હોય છે તે સૌ પ્રથમ શરુઆતમાં અપ્રચ્છન્ન રુપે તે અને બીજા સ્વરુપે આવે. જોકે આ અપ્રચ્છન્ન સ્વરુપ ભવિષ્યમાં આવનાર અઘોર અપ્રચ્છન્ન સ્વરુપનો અણસાર તો આપે જ છે. પણ આ પ્રારંભિક અપ્રચ્છન્ન સ્વરુપ માયાવી હોવાથી કેટાલાક મૂર્ધન્યો ઓળખી શકતા નથી.

જેઓ ૧૯૬૩માં બાબાગાડીથી ચાલતા ન હતા તેઓ નહેરુના “કામરાજ પ્લાન”ને યાદ કરે. નહેરુની આપખુદી મનોવૃત્તિનું આ અપ્રચ્છન્ન સ્વરુપ હતું. પણ તે માયાવી હતું. તેથી કેટાલાક મૂર્ધન્યોએ તાલીઓ પણ પાડેલી. કેટલાકે તેમાં પોતાનો રાજકીય લાભ જોયો, એટલે ખૂશ થયા. કેટલાક મોરારજી દેસાઈને પોતાના રાજકીય શત્રુ માનતા હતા એટલે ખુશ થયા અને તાલીઓ પાડી.

જ્યારે ઇન્દિરા ગાંધીએ રાજાઓના સાલીયાણા અને વિશેષાધિકારો નાબુદ કર્યા ત્યારે આજ લોકોએ તાલીઓ પાડેલી. બેંકોના રાષ્ટ્રીયકરણની પણ આજ લોકોએ તાલીઓ પાડેલ. નહેરુવીયનોમાં પ્રચ્છન્ન રીતે પડેલી આપખુદી મનોવૃત્તિને આપણા મૂર્ધન્યો જાણવા છતાં અજ્ઞ રહ્યા.

૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા અને નહેરુવીયન કોંગ્રેસ ખુલ્લી રીતે “ગાયવાછરડાના ચિન્હ સાથે” બહાર આવી. તેને લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મળી. ૧૯૭૧માં ના રાજ્યોની ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમતિ મળી.

“કેટલાક લોકો અમને કામ કરવા દેતા ન હતા” ઇન્દિરા ઉવાચ

“કેટલાક લોકો (આ ગઢ્ઢા બુઢ્ઢા લોકો) અમને કામ કરવા દેતા ન હતા. આજ લોકો મારા પિતશ્રીને (બાપાને) પણ કામ કરવા દેતા ન હતા. “

ઇન્દિરાના આ બહાનાને મૂર્ધન્યોએ માન્ય રાખ્યું. ૧૯૭૦થી ૧૯૭૫ સુધીનો સમય ઇન્દિરાગાંધી માટે જનસમુદાયને આપેલા વચનો પાળવા માટે રાજકીય રીતે યોગ્ય સમય હતો.

સમસ્યાઓ કઈ હતી?

(૧) ગરીબી, નિરક્ષરતા, બેકારી

(૨) જીવન જરુરી વસ્તુઓની તંગી

(૩) એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોની વાપસી

ઇન્દિરા ગાંધી માટે કોઈ બહાનું ન હતું કે તે પોતાના ઉપરોક્ત આપેલા વચનો આંશિક રીતે પણ પૂરા ન કરી શકે.

પણ થયું તેથી ઉંધું

ગરીબી અને નિરક્ષરતા તો એકબીજા સાથે સંકળાયેલા છે. બેકારી અને અછત પણ એકબીજાના વિરોધાભાષી છે. દૂધ, કોલસા, ગોળ, ખાંડ, અનાજ, સીમેન્ટ, લોખંડ, કાપડ (જાડું કાપડ), વિગેરે જેવી અનેક વસ્તુઓની પારાવાર તંગી હતી. અને તેના કાર્ડ અથવા પરમીટ બનતી હતી. અને આવી પરિસ્થિતિ વધુને વધુ વિકટ થતી જતી હતી. બંગ્લાદેશી ઘુસણખોરોની સંખ્યા તો વધતી જતી હતી. ઇન્દિરાએ પાકિસ્તાનના શરણાર્થી ૯૨૦૦૦+ સૈનિકોને છોડી દીધા હતા. પણ પાકિસ્તાને પૂર્વપાકિસ્તાન સરહદે પકડાયેલા ૪૫૦ ભારતીય સૈનિકોને છોડ્યા નહીં.

આમ આ નહેરુવીયન ફરજંદમાં તેમાં રહેલા સ્વકેન્દ્રીય અને આપખુદી દુર્ગુણો તેના નગ્ન સ્વરુપે પ્રકટ થયા. આ જ દુર્ગુણો નહેરુમાં શરુઆતમાં પ્રચ્છન્ન રીતે રહેલા હતા અને તે પછી તે દુર્ગુણો માયાવી રીતે અપ્રચ્છન્ન થયા હતા.

ભ્રમભરી માન્યતા

આ બધું હોવા છતાં પણ આજની તારીખમાં કેટલાક મૂર્ધન્યો ઇન્દિરાને એક નિડર અને બાહોશ વ્યક્તિમાને છે. તેઓ ઇન્દિરાની આપખુદીને એક બાજુ મુકી દે છે અને કહે છે કે એ બધું ખરું પણ તેણે એક વખત તો પાકિસ્તાનને હરાવી દીધું ને? તેને કેવો પાઠ ભણાવી દીધો?

વાસ્તવમાં આ એક ભ્રમ છે

આ ભ્રમની વિગતવાર ચર્ચા આજ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર વિસ્તારથી બતાવી છે.

પહેલાં તો એ સમજી લેવું જોઇએ કે તત્કાલિન પૂર્વ પાકિસ્તાનની જનતા, પશ્ચિમ પાકિસ્તાનથી અલગ થવા આંદોલન કરતી હતી. તત્કાલિન પાકિસ્તાનનું લશ્કર અનેક મોરચે લડતું હતું. ભારતીય લશ્કરને પૂર્વપાકિસ્તાની જનતાનો સાથ હતો. કોઈ પણ યુદ્ધ જનતાના સાથ વગર જીતી સકાતું નથી. ભારતના લશ્કરને આ યુદ્ધ જીત્યા છૂટકો ન હતો. અને એક વાત લખી લો. ભારતીય લશ્કરને જ્યારે સજ્જ રાખવામાં આવ્યું હોય ત્યારે તે કદી હાર્યું નથી. જેમ ૧૯૬૨નું યુદ્ધ હારવામાં નહેરુની મૂર્ખામી કારણભૂત હતી, તેમ સિમલા કરારમાં ઇન્દિરાની મુર્ખામી કારણભૂત હતી. ઇન્દિરાએ જિતેલા યુદ્ધને સંપૂર્ણ પરાજયમાં ફેરવું નાખ્યું.

સિમલા કરાર

ભુટ્ટો સાથે ઇન્દિરાએ પ્રચ્છન્ન રીતે શી લેવડદેવડ કરી આપણે જાણતા નથી. પણ સિમલા કરાર અગાઉ ઇન્દિરા ગાંધીએ ઘણા ફડાકા માર્યા હતા કે આવખતે તો પેકેજ ડીલ જ કરી શું અને ભારત-પાકિસ્તાન વચ્ચેની દરેક સમસ્યાનો નિવેડો લાવીશું.

આથી વિશેષ પાકિસ્તાનને દબાવવાનો સારો મોકો મળવાનો ન હતો. જો ઇન્દિરાએ ધાર્યું હોત તો પાકિસ્તાન અને ભારત વચ્ચેની દરેક સમસ્યાનું નિવારણ કરી શકાયું હોત. પણ એવું કશું થયું નહીં. પાકિસ્તાનને બધું જ આપી દીધું. એટલી હદ સુધી કે પાકિસ્તાન હસ્તક કાશ્મિરનો જે હિસ્સો ભારતીય લશ્કરે જીત્યો હતો તે પણ પાકિસ્તાનને પરત કર્યો. (વાસ્તવમાં આ ગેરબંધારણીય છે).

ભારતને કશું જ મળ્યું નહી. કાશ્મિરના મુદ્દે પણ સમાધાન ન કર્યું.

ભૂટ્ટોએ કહ્યું “હે ઇન્દિરાબેન, ધારો કે આપણે કાશ્મિરની સમસ્યાનો   નિવેડો લાવતો કરાર કરીએ અને હું પાકિસ્તાન જાઉં તે પછી મારું ખૂન થઈ જાય તો આવા કરારનો અર્થ શો રહેશે?”

ઇન્દિરાના ભેજામાં આ તર્ક શીરાની જેમ ઉતરી ગયો અને એક વ્યંઢ કરાર કર્યો કે “કાશ્મિરનો પ્રશ્ન, ફક્ત દ્વિપક્ષીય વાતચીતથી જ હલ કરીશું”.

ઊંટે કાઢ્યા ઢેકા તો (ઊંટથી વધુ બુદ્ધિશાળી) માણસે કર્યા ટેકા. પાકિસ્તાનના રાજકીય નેતાઓએ ઇન્દિરાની બેવકુફી (જો ટેબલ નીચે ઇન્દિરા ગાંધીએ ભૂટ્ટો પાસેથી કશી લેવડ ન કરી હોય તો ખચિત રીતે આમેય નહેરુવીયન કોંગ્રેસ કે જેના અઢારે અંગ વાંકા છે તે સિદ્ધ થયું)  સિદ્ધ કરી.

પાકિસ્તાને સમય જતાં આતંકવાદ દ્વારા અને ધર્મના નામ દ્વારા કાશ્મિરને અશાંત કર્યું. અત્યારની દરેક સમસ્યાના મૂળ, નહેરુ-ઈન્દિરાનું શાસન છે. પણ કેટલાક મૂર્ધન્યો આ નહીં સમજે કારણકે તેમના માટે પોતાના રાજકીય અસ્તિત્વનો સવાલ છે.

જેઓ કટોકટીના કાળમાં જન્મ્યા ન હતા કે, જેઓ તે સમયે બાબાગાડી ચલાવતા હતા અને ભારતના રાજકારણના અર્વાચીન કાળના ઇતિહાસથી અજ્ઞ રહ્યા તેઓ, અને જેઓ, કટોકટી વખતે ઠીક ઠીક વયસ્ક હતા પણ પોતાના રાજકીય અસ્તિત્વ (પોતાની કટારોના રક્ષણ) માટે દેશને નહેરુવીયન કોંગ્રેસના કાળા કરતૂતોથી અજ્ઞ રાખવા માગે છે તેઓ ઘણા સત્યો છૂપાવશે.

શું કટોકટી સિમલા કરારની બેવકુફીને કારણે લદાઈ હતી?

ના ભાઈ ના. જો આપણા મૂર્ધન્યો એટલા સજાગ હોત તો ૧૯૫૨માં જ નહેરુવીયન કોંગ્રેસનો ખાત્મો થઈ ગયો હોત.

આ કટોકટી સામે લડનારાઓમાં હિરો કોણ કોણ હતા?

આમ તો ગુજરાતના નવનિર્માણના આંદોલનને કટોકટી સાથે ઘનિષ્ટ સંબંધ છે. આ આંદોલનને કારણે જયપ્રકાશ નારાયણ (મહાત્મા ગાંધીના અનુયાયી અને સર્વોદય નેતા) ને લાગ્યું કે જે ગુજરાતમાં થઈ શકે છે તે દેશમાં પણ થઈ શકે છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસનો અશ્વમેઘી પરાજ્ય પણ કારણભૂત છે. પણ સૌથી મોટું કારણ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય દ્વારા ઇન્દિરાની લોકસભાની સદસ્યતા રદ થવી તે અને ઇન્દિરાને છ વર્ષ માટે ચૂંટણી લડવામાટે અયોગ્ય જાહેર કરવી તે હતું.

જે વ્યક્તિની સંસદ સદસ્યતા રદ થઈ હોય અને તે માટે અયોગ્ય જાહેર થઈ હોય તે વ્યક્તિ વડાપ્રધાન પદ ઉપર કે સાદા પ્રધાન પદ ઉપર પણ રહી જ ન શકે. કારણ કે જે વ્યક્તિ સંસદ સદસ્ય બનવાની યોગ્યતા જ ન ધરાવતી હોય તે છ મહિનામાં સંસદ સદસ્યતા પ્રાપ્ત જ ન કરી શકે. કાયદેસર અને નૈતિક રીતે પણ ઇન્દિરા ગાંધીએ વડાપદ છોડવું જ જોઇએ.

નહેરુવીયનોના નૈતિક મૂલ્ય યુકેના નેતાઓથી ઘણા ઉતરતી કોટીના છે.

બ્રીટનના વડાપ્રધાન “યુરોપીયન યુનીયનમાંથી બ્રીટન ખસી જાય” એ મુદ્દા ઉપર જનમત લે અને એ જનમતમાં જો પરિણામ પોતે જેની હિમાયત કરતા હોય તેથી વિરુદ્ધ આવે તો પણ રાજી નામું આપી દે છે. પણ અહીં ભારતમાં તો નહેરુવીયન સંસ્કાર હતા જે કહેવાતા સમાજવાદી સંસ્કાર હતા. અને સમાજવાદીઓ (સામ્યવાદીઓ) કદી શાધનશુદ્ધિમાં માનતા જ નથી. સત્તાપ્રાપ્તિ અને સત્તાની જાળવણી માટે તેઓ ગમે તે હદે જઈ શકે છે. ઇન્દિરા ગાંધીએ તેવું જ કર્યું.   

ઇન્દિરાના ભક્તો ચૂટણી હાર્યા પછી અંદરખાને એવો પ્રચાર કરતા હતા કે “અમારી માઈ તો વડાપ્રધાન પદ છોડવા તૈયાર જ હતી પણ સંજય ગાંધીએ લાફાવાળી કરી એટલે તેને વડાપ્રધાનપદે ચાલુ રહેવું પડ્યું” ઓળઘોળ કરીને બધો દોષનો ટોપલો સંજય ગાંધી ઉપર નાખી દે છે. સંજય ગાંધીના મરી ગયા પછી તો ઇન્દિરા પ્રેમીઓ જાહેરમાં પણ આવી વાતો કરે છે. આવી તો ઘણી ફોગટ વાતો કરે છે જેમકે “અમારી માઈ કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી. તે બહુ દુઃખી દુઃખી રહેતી હતી. રાત્રે સરખી રીતે સુઈ શકતી પણ ન હતી.”

જો કે આ બધાં જુઠાણા છે અને તે અર્થહીન પણ છે. ૬૬૦૦૦+ માણસોને ગુનાવગર જ જેલમાં પૂરી દેવા અને ૬૬૦૦૦ કુટૂંબોના જનજીવનને ખોરંભે પાડી દેવું અને દુઃખી દુઃખી કરી દેવા તેની સજા તો આજીવન કારાવાસ કે દેહાંત દંડ જ હોઈ શકે. પણ આપણા ઘણા મૂર્ધન્યો “દયા … માયા” ની સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરે છે.

નહેરુવીયન કોંગ્રેસીઓ એને એક “ક્ષતિ” માને છે. કેટલાક મૂર્ધન્ય કટોકટીને એક ખરાબ પ્રકરણ માને છે. કેટલાક કહે છે કે માઈએ પોતાના મતવિસ્તારમાં ઘરે ઘરે જઈ માફી માગેલી. “જંગલમેં મોર નાચા … કિસીનેના દેખા… “ જેવી વાત છે.

આપણા ફિદા હુસેન કટોકટીને “એક છીંક” સાથે સરખાવે છે. અરે ભાઈ એવી તે કેવી રાક્ષસી છીંક કે ૬૬૦૦૦+ના જીવન પાયમાલ થઈ જાય, બાજપેયીને કમરમાં દુઃખાવો થઈ જાય અને જયપ્રકાશનારાયણ જેવા મરણાસન્ન થઈ જાય?

શું કટોકટી પાછળ કોઈ સિદ્ધાંત હતો?

દેશના ઉદ્ધારની કોઈ વાત હતી?

જો કે પ્રચાર તો એવો જ હતો.

કટોકટી તેના ભારથી જ તૂટી પડે તેમ બનવા માંડ્યું. ઇન્દિરાગાંધી વિદેશોમાં બહુ બદનામ થવા માંડી. તેના પિતાશ્રીના વખતમાં ઓછામાં ઓછું લોકશાહી તો હતી.

અજ્ઞાની મૂર્ધન્યો અને અજ્ઞાની ટીવી ચેનલો

ઘણા એવું માને છે કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી આપતાં પૂર્વે કટોકટી હટાવી લીધી હતી. આ કાંતો અજ્ઞાન છે અથવા તો તેઓ પોતે બાબાગાડી ચલાવતા હતા એમ દર્શાવવા માગે છે. ઇતિહાસનું જ્ઞાન હોવું આવશ્યક છે.

ઈન્દિરા ગાંધી પોતે પોતાના મતવિસ્તારમાંથી ૫૫૦૦૦+ મતથી ચૂંટણી હાર્યા. સંજય ગાંધી ૮૫૦૦૦+ મતથી ચૂંટણી હાર્યા. આખી નહેરુવીયન કોંગ્રેસ ઉત્તર ભારતમાંથી સાફ થઈ ગઈ. કહેવાય છે કે ઇન્દિરા ગાંધીએ લશ્કરને સત્તા સંભાળી લેવાનું કહ્યું. પણ લશ્કરે ના પાડી દીધી હતી.

ચૂંટણી હાર્યા પછી, ઇન્દિરા ગાંધીએ કટોકટી હટાવી અને કહ્યું કે જો નવી સરકારને યોગ્ય લાગે તો તે કટોકટી ફરીથી લગાવી શકે છે.

જો ઇન્દિરા ગાંધીએ, પોતે અવારનવાર જાહેર કર્યા પ્રમાણે દેશના હિતમાં કટોકટી લાદી હતી તો પોતાના કહેવાતા દેશપ્રેમી સિદ્ધાંત પ્રમાણે, ચૂંટણી પરિણામ આવી ગયા પછી પણ કટોકટી ચાલુ રાખવી જોઇતી હતી. કારણ કે પોતાના સિદ્ધાંતમાં તો બાંધછોડ કરી જ ન શકાય. ઇન્દિરા ગાંધીએ તો એમ કહેવા જેવું હતું કે “મેં તો દેશના હિતમાં કટોકટી લગાવી હતી. હવે જો તમને એમ લાગતું હોય કે કટોકટી દેશના હિતમાં નથી તો તમે હટાવી લેજો”. ટૂંકમાં કટોકટી હટાવવાનો મુદ્દો ઇન્દિરા ગાંધીએ નવી સરકાર પર છોડવા જેવો હતો. પણ ખાટલે ખોડ એ હતી કે ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે જ કટોકટી લાદી હતી.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના ઇન્દિરાઈ સંસ્કાર

લાખ રુપીયાનો સવાલ એ છે કે હાલની નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ, ઇન્દિરાઈ સંસ્કારમાંથી બહાર આવ્યા છે?

ના જી. રજમાત્ર નહીં. નહેરુવીયન કોંગ્રેસની મનોવૃત્તિ હજી ઇન્દિરાઈ જ રહી છે. તેઓ કેટલા વિઘ્નસંતોષી અને કેટલા બધા બદલાની ભાવનાવાળા છે તે આપણે “સીતારામ કેસરી, કિરણ બેદી, બાબા રામદેવ, નરેન્દ્ર મોદી, અમિત શાહ વિગેરેના કિસ્સાઓમાં જોયું જ છે.”

રાક્ષસને જો સાવધાની રાખ્યા વગર મારીએ તો અનેક રાક્ષસો ઉત્પન્ન થાય. નહેરુવીયન કોંગ્રેસે રાજકીય મૂલ્યો, નૈતિક મૂલ્યો અને સામાજિક મૂલ્યોનો એટલી હદ સુધી વિનીપાત કર્યો છે કે આજે સમાજનો મોટો ભાગ આ મૂલ્યોની અવગણના કરતો થઈ ગયો છે. સામ્યવાદીઓની તો વાત છોડો, પણ માયા, મુલાયમ, કરુણા, લાલુ, જયા, મમતા, કેજ્રી … વિગેરે જેવા અનેક રાક્ષસો બિન્ધાસ્ત ફર્યા કરે છે.

નરેન્દ્રમોદીનું કામ સરળ નથી. કારણ કે આ રાક્ષસી ચેપથી બીજેપીના કેટલાક નેતાઓ પણ બકાત નથી.

મોદી-ફોબીયા પીડિત મૂર્ધન્યો “કટોકટી દિન”ને કેવી રીતે મુલવશે?

તેઓ કહેશે;

“બીજેપીને (નરેન્દ્ર મોદીને આજના ૨૫મી જુનના દિને) મરોડ માસ્તરીનો ભરપૂર મોકો મળી રહેશે. “(બીજેપી નેતાઓ ) જેલમાં ગયેલા એટલે તેમની પાસે હક્કસરની સુવિધા છે.

“આમ તો બીજેપી કોંગ્રેસયુક્ત થતો જાય છે પણ તે વાતો કોંગ્રેસ મુક્ત ભારતની કરે છે.

“ભાજપ કટોકટી વિષે બઢીચઢીને બોલશે.

“કોંગ્રેસ મુક્ત ભારત તેનું પ્રિય સુત્ર છે”

“કટ્રોકટીમાં અડવાણીજીએ જેલ બેઠા એક પુસ્તક લખેલું …. હવે એ ઘેરબેઠાં ….”  (કેવો સરસ પ્રાસ છે … હેં …  “જેલબેઠા”    અને “ઘેરબેઠા” એમ વિચારી મોદી/બીજેપી ફોબીયા પીડિતો ખુશ થશે)

બીજેપી ફોબિયા પીડિતો શું કહે છે?

“આમ તો જ્યારે નરેન્દ્રમોદીનું નામોનિશાન ન હતું ત્યારે ૨૦૦૧ સુધી આપણું પ્રથમ ટાર્જેટ અડવાણી હતા. તેમણે યાત્રા કાઢી. બાબરી મસ્જીદ ધ્વસ્ત કરી. હિન્દુ-મુસ્લિમ માહોલ બગાડ્યો વિગેરે વિગેરે એવા આરોપો કરવામાં અને અડવાણીને ભાંડવામાં આપણે વ્યસ્ત રહેતા હતા. જો કે આપણું કમભાગ્ય કે નરેન્દ્રમોદી, બાબરી ધ્વંસ વખતે રાજકારણની સત્તાની ક્ષિતિજ ઉપર કે આમેય ક્યાંય આપણને તો “સબ્જેક્ટ મેટર” તરીકે દેખાતા ન હતા. નહીં તો આપણે બાબરી ધ્વંસ માટે તેમને જ લક્ષ્ય બનાવત.  

જુઓને આ અડવાણી જીન્નાની મજાર ઉપર મસ્તક ટેકવી આવ્યા એટલે જોકે આપણે એમ જરુર કહ્યું કે “મુસ્લિમોને વહાલા થવા … “ આ કર્યું. પણ તે પછી આપણા નહેરુવીયન કોંગ્રેસી નેતાઓએ મોરચો સંભાળી લીધો… (કારણકે નહેરુના જીન્ના નંબર વન દુશ્મન હતા), એટલે અડવાણીની વગોવણીનો ક્વૉટા પૂરો થયો. જેલબેઠા અડવાણીએ બુક લખેલી અને ઘેરબેઠા અડવાણીએ કહેલ કે કાયદો ભલે બદલ્યો પણ કટોકટી ફરીથી આવે તે નકારી ન શકાય. હવે આમ તો આ અડવાણીજીએ નરેદ્ન મોદીનો ચૂંટણીનેતા તરીકે વિરોધ કરી એવો સંદેશો આપેલ કે તેઓશ્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ છે. આ વિરુદ્ધ હોવું એટલે શત્રુ હોવું તે સત્ય છે એમ માનવું જ પડે. શત્રુના શત્રુ મિત્ર. એટલે હવે અડવાણીને આપણે મિત્ર માનવાના છે અને તેમને મોટાભા માનવાના છે. એટલે અડવાણી એમ કહે કે  “કટોકટી ફરીથી આવે તે નકારી ન શકાય” એ ઉચ્ચારણને આપણે મોદી સાથે સાંકળવાનું છે. એટલે “ભરેલી બંદૂક” મોદી સામે તાકો.

“ઇન્દિરાઈ કટોકટીને બાજુ પર મુકી હિટલરને યાદ કરો. અને મોદીને હિટલર સાથે સાંક્ળો. આર એસ એસના એક ધડાએ ઇન્દિરા ગાંધી સાથે (સહકારની) સમજુતી કરી એવું બભમ બભમ લખો. દેવરસને યાદ કરો. સુબ્રહ્મનીયન સ્વામી કેમ ભાગી ગયા તે માટે કંઈક વિતંડાવાદી કે બભમ બભમ લખો. મૂળમાં લખવાનું છે “ઇન્દિરાઈ કટોકટી” વિષે પણ બધા જ ગોદાઓ નરેન્દ્ર મોદી/બીજેપીને જ મારો અને લેખ પૂરો કરો.

હાજી મોદી/બીજેપી ફોબિયા પીડિતો પાસે આવી જ અપેક્ષા અપેક્ષા હતી. અને સાચે સાચ આવું જ થયું.

હવે હે વાચક મિત્રો, તમને થશે કે જેઓ પોતે કટોકટીમાં કારાવાસી થયા હતા તેઓ “ઇન્દિરાઈ કટોકટી” ને આજના કપરમા દિવસે યાદ કરવાને બદલે આ મોદી-ફોબીયા પીડિતો મોદીને અને બીજેપીને કેમ ગોદા મારે છે? શું તેઓ કટોકટીના પ્રહારોને ભૂલી ગયા છે?

ભાઈઓ સંસ્કૃતમાં એક શ્લોક છે.

સારમેય શ્ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્‌ પરતો નાસ્તિ પ્રહારજનિતા વ્યથા

કુતરામાં અને ઘોડામાં અને વધુ પ્રમાણમાં તો ગધેડામાં, તેના ઉપર કરવામાં આવેલા પ્રહારની વ્યથા વધુ ટકતી નથી.

કદાચ દાણાપાણીનું અવયવ (પ્રભાવ ફેક્ટર) કામકરતું હશે?

સૌ પોતપોતાના ડીએનએ-આરએનએ પ્રમાણે વર્તે છે.

શિરીષ મોહનલાલ દવે

 ટેગ્ઝઃ ૨૫મી જુન, ઈન્દિરાઈ કટોકટી, અધમાધમ કૃત્ય, જનતંત્રના ઇતિહાસ, કાળો દિવસ, પ્રચ્છન્ન, માયાવી અપ્રચ્છન્ન, મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ, કાળ રાત્રી, લોકશાહી મનોવૃત્તિ, બાંગ્લાદેશી ઘુસણખોરો, ૯૨૦૦૦ સૈનિકો, આપખુદી દુર્ગુણો, સ્વકેન્દ્રી, પાકિસ્તાનનું લશ્કર, લેવડદેવડ, પેકેજ ડીલ, અર્વાચીન કાળના ઇતિહાસ, સમાજવાદી સંસ્કાર, સત્તાપ્રાપ્તિ અને સત્તાની જાળવણી, દેશના હિતમાં કટોકટી, બાબરી ધ્વંસ, ઇન્દિરાઈ કટોકટી

ચમત્કૃતિઃ

એક કોંગ્રેસી નેતાએ વિદેશમાં ક્યાંકનું ભાષણ ક્યાંક વાંચી નાખ્યું.

 

 

     

 

Read Full Post »

મોદી-બીજેપી ફોબીઆ પીડિતો ઈલાજ નહીં કરાવે? (ભાગ – ૨)

મોદી-બીજેપી ફોબીઆ પીડિત, ડીબીભાઈની પોતાની વાત જવા દો તો પણ તેમના કટારીયા (કોલમીસ્ટ) ભાઈઓ પણ કંઈ કમ નથી.

આમાં આપણા પ્રકાશભાઈ પણ છે. આમ તો તેઓ (કદાચ) મહાત્મા ગાંધીવાદી છે કે હતા. તેઓશ્રીનો વિષય કોઈ પણ હોય તો પણ તેઓશ્રી નરેન્દ્રભાઈ મોદીને ગોદો મારવાનું તેમના લેખમાં ચૂકતા નથી. યુપીના ગામડા દાદ્રીની મુલાયમ વંશના રાજની કાયદા અને વ્યવસ્થાની ઘટના હોય કે કૈરાનાની હિન્દુઓની હિજરતની ઘટના હોય. તેમની દૃષ્ટિએ નરેન્દ્રભાઈ મોદીને ગોદા મારવા જરુરી છે. આમ તો મોદી/બીજેપી ફોબીયા પીડિતોનું મૂખ્ય લક્ષણ “લુઝ ટૉકીંગ” (અધ્ધર અધ્ધર વાતો લખવી) અને મુખ્ય વાત છૂપાવવી એ છે.

૨૦૧૧ની જનગણના પ્રમાણે કૈરાનામાં હિન્દુઓની વસતી ૩૦ ટકા હતી. હવે તે ૮ ટકા થઈ ગઈ. કારણ શું છે?

આમ તો યુપી પરંપરાગત રીતે જંગલ રાજ માટે કુખ્યાત છે. ત્યાંના મુલાયમ અને માયાવતી આ પ્રકારની રાજ્ય વ્યવસ્થાને સ્વિકાર્ય માને છે. એટલે જો ગુન્ડાઓ ધમકી આપે કે મારાપીટ કે ખૂન કરી નાખે તો તેને સામાન્ય બનાવ જ ગણવામાં આવે છે. કૈરાના એક નાનુ ગામ છે. થોડાક હિન્દુઓના ખૂન પણ થયેલ. હિન્દુઓને સુચારુ રુપે ધંધો કરવા માટે મુસ્લિમ ગુન્ડાઓ તરફથી અમુક રકમ જમા કરવા માટે જાસા ચીઠ્ઠી કે ફોન ઉપર ધમકીઓ મળતી હતી. હિન્દુઓ ત્રસ્ત થયા. છેલ્લા બે વર્ષમાં હિન્દુઓની ટકાવારી ૩૦ ટકામાંથી ૮ ટકા થઈ. એટલે કે કુલ વસ્તીમાંથી ૨૨ ટકા હિન્દુઓએ હિજરત કરી.   એટલે કે લગભગ હિન્દુઓની વસ્તીના ૭૫ ટકા હિન્દુઓએ હિજરત કરી એમ કહેવાય.

બીજેપીના એક સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો અને ૪૫૦ જેટલા કુટૂંબોનું એક લીસ્ટ બનાવ્યું અને સરકારી અધિકારીઓને અને સપાના જવાબદારોને આપ્યું.

હવે તમે જાણો છો કે ગુન્ડાગીરીને કારણે જ્યારે મોટા પાયે અને લાંબા ગાળાના અત્યાચારો થાય ત્યારે સુસંસ્કારવાળી સરકારે ધ્યાન આપવું જોઇએ અને તપાસ કરવી જોઇએ. જો આવું ન થાય તો તેમાં સરકારની સામેલગીરી જ ગણાય. એટલે કે સરકાર દ્વારા “આવું તો ચાલ્યા કરે..” એવી મનોવૃત્તિ રાખી ન શકાય.

પણ નરેન્દ્ર મોદી અને તેમના પક્ષના કેટલાક નેતાઓ સિવાયના અને તેમાં પણ બીન બીજેપી પક્ષોના બધા જ નેતાઓ “જૈસે થે” વાદી છે.  યાદ કરો. આજ મુલાયમ ભાઈએ દુષ્કર્મના કેસમાં એમ કહેલ કે. “લડકે હૈ … ગલતીયાં હોતી હૈ..” આ ઉત્કૃષ્ટ ઉદાહરણ થી વિશેષ શું હોઈ શકે?

આ મુલાયમભાઈ વળી આપણા નહેરુવીયન કોંગ્રેસના સહયોગી છે. એટલે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનો ઉમેદવાર હોય તો આ પક્ષના મતદાર નહેરુવીયન કોંગ્રેસને મત આપશે. આમ નહેરુવીયન કોંગ્રેસ અને મુલાયમનો પક્ષ એ એક જ પક્ષ છે.

સામ્યવાદી અને મુસ્લિમ લીગ સિવાયના પક્ષો, બધા એક સમયે નહેરુવીયન કોંગ્રેસને શોભાવતા હતા. સામ્યવાદીઓ નહેરુવીયન કોંગ્રેસ માટે અને આમેય પણ, પડઘી વગરના લોટા જેવા છે.   મુસ્લિમ લીગ જેવા કોમવાદી પક્ષોની વાત જવા દો.

પ્રતિભાવ આપવા જ પડે

બીજેપીના સાંસદ જ્યારે પોતાની ફરિયાદને જનતા સમક્ષ પણ લઈ જાય, વાત મોટા પાયે છાપે ચડે અને ઝી-ટીવી ચેનલવાળા માહિતિ પ્રસાર કરે ત્યારે સરકારમાં બેઠેલા સ્થાનિક અને અસ્થાનિક જનપ્રતિનિધિઓએ પ્રતિભાવ તો આપવા જ પડે.

બીજેપીના સાંસદ કંઈ પણ કહે તો તેનો રેડીમેડ જવાબ તો એજ હોય કે બીજેપી આમાં રાજકારણ રમે છે.  હિન્દુઓએ હિજરત કરી તો તેનો સામો અધ્ધર અધ્ધર જવાબ એ હોય કે હિન્દુઓ ધંધા, નોકરી માટે બીજે ગયા જાય છે. પણ તેઓ એ બાબતમાં મૌન સેવશે કે ૭૫ ટકા હિન્દુઓને જો નોકરી ધંધા માટે કૈરાના છોડવું પડતું હોય તો કમસે કમ ૭૦ ટકા મુસ્લિમોએ પણ ધંધા નોકરી માટે કૈરાના કેમ ન છોડ્યું? આના બે ઉત્તર છે કે કાંતો મુસ્લિમોને પેટ નથી, કાં તો તેઓ ગુંડાગર્દી કરીને પોતાનો ગુજારો કરી લે છે. પણ ત્યાંની સરકાર અને મોદી-ફોબીયા પીડિત નેતાઓ એમ કહે છે કે મુસ્લિમોએ પણ કૈરાના છોડ્યું છે. પણ કેટલા મુસ્લિમોએ વસ્તીના પ્રમાણમાં કૈરાના છોડ્યું તેનો તેઓ ફોડ પાડશે નહીં. પણ અધ્ધર અધ્ધર કહેશે કે મુસ્લિમોએ પણ … મુસ્લિમોએ પણ … કૈરાના છોડ્યુ છે. અને ઓળઘોળ કરીને કહેશે કે બીજેપી નેતાઓ ચૂંટણી આવવાની હોવાથી કોમવાદી રાજકારણ રમે છે. હવે તમે જાણો છો કે ભારતમાં તો ક્યાંકને ક્યાંક ચૂંટણીઓ નજીકમાં હોય છે જ. એટલે ચૂંટણીની વાત બેહુદી લાગે છે અને છે પણ બેહુદી જ. (આમેય ઈન્દિરામાઈના કહેવા પ્રમાણે પ્રતિપક્ષની નબળાઈનો લાભ લેવો તે સ્વપક્ષનું કર્તવ્ય છે) બબ્બે વર્ષ સુધી યુપીમાં ગુન્ડાઓએ શાસનના જનપ્રતિનિધિઓની મીઠ્ઠી નજર નીચે મથુરાના કહેવાતા બાગનો કબજો કરેલ અને સમાંતર સરકાર ચલાવેલ. કોઈ માઈનો લાલ ઉભો થયો અને તેણે પી.આઈ.એલ. કરી.  જ્યાં સુધી ન્યાયાલયે આ પીઆઈએલ હેઠળ, સરાકારને આદેશ ન આપ્યો ત્યાં સુધી સરકાર નિસ્ક્રીય રહી. અને જ્યારે ગુંડાગર્દીનો ઘટસ્ફોટ થયો ત્યારે મોદી-ફોબીયા પીડિત સમાજવાદી સરકારે કહ્યું કે બીજેપી કોમી રાજકારણ રમે છે. તેમના મળતીયાઓ અને તેવીજ માનસિકતાવાળા પણ આવું જ કહે છે. વાસ્ત્વમાં આ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા છે. કાયદો અને વ્યાવસ્થા પ્રત્યે ધ્યાન ન આપવું અને આંખ આડા કાન કરવા કે ભાગીદાર બનવું એ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓની ગળથુથીમાં છે.

વિકાસના રાગનો આલાપ

આપણા પ્રકાશભાઈએ પણ તેમની કોલમમાં કંઈક આવી જ વાત કરી છે.  જો કે શૈલી તેમની આગવી છે. તેમણે નરેન્દ્ર મોદીને ગોદો મારતાં મારતાં એમ કહ્યું કે “નરેન્દ્ર મોદી વિકાસના રાગનો આલાપ કરે છે… પણ તે તો આલાપ જ છે અને મતો એકઠા કરવા માટે તે આલાપ પૂરતો નથી.”

આ પ્રકારના કટારીયાભાઈના વાણી વિલાસમાં સંદેશો એ છે અને ન કહેવાયેલું એ જ છે કે બીજેપીએ કોઈ વિકાસ કર્યો નથી. વિકાસના જે ગાણાં ગાય છે તે ફક્ત નિજાનંદ માટે છે. “રાગ”નો આલાપ નિજાનંદ માટે હોય છે. શ્રેષ્ઠ અને નિયમબધ્ધ સંગીત જો કોઈ હોય તો તે શાસ્ત્રીય સંગીત છે. તેને આપણામાં જિવંત રાખવા માટે તેનો આલાપ કરવો પડે છે. આ આલાપ નિજાનંદ માટે હોય છે.   જો કે બીજેપીએ તેના બે વર્ષના શાસનમાં શું શું કર્યું તેનું પુસ્તક પણ બહાર પાડ્યું છે. કોંગી અને તેના આપણા કટારીયાભાઈ સહિતના સાંસ્કૃતિક સાથીઓ અભણની જેમ આ પુસ્તક વાંચશે નહીં અને તેથી તેની ચર્ચા પણ નહીં કરે. એટલે આપણા કટારીયા ભાઈ “વિકાસના રાગનો આલાપ” કહી મોદીના કામોનો છેદ ઉડાડી દે છે. જો કે મોદી-બીજેપી-ફોબીયા રોગથી પીડિતોને તો તે જ શોભશે.

જેઓ સ્વયંને પક્ષ રહિત અને ધર્મ નિરપેક્ષ માનતા હોય, વળી નહેરુવીયન કોંગીએ તેમને જેલમાં પણ પૂર્યા હોય તેમને મોદી ફોબીયા કેમ કરતાં થઈ જાય છે એ તો આમ તો સંશોધનનો વિષય છે.  પણ કેટલીક વાર એવું બનતું હોય છે કે “જાહેર જનતા”માટે અસ્તિત્વમાં રહેવું તે મુખ્ય હોય છે.

આ બધું ખરું પણ …

jai prakash narayan had no problem with Jan Sangh (BJP)

જય પ્રકાશ નારાયણ અને તેમના સાથીઓ નહેરુવીયનોની અનીતિમત્તા અને કટોકટી માટે લડ્યા તે ખરું …  જયપ્રકાશનારાયણને અને તેમના સાથીઓને જેલમાં પણ પૂર્યા એ પણ ખરું … આપણને (પ્રકાશભાઈને) પણ જેલમાં પુર્યા હતા તે પણ ખરું … કટોકટી દરમ્યાન જેમને જેમને જેલમાં પુર્યા તેમની ઉપર કેસ ન ચલાવ્યો તે પણ ખરું …  જયપ્રકાશ નારાયણને જેલવાસ દરમ્યાન મરણાસન્ન કરી દીધા તે પણ ખરું … જય પ્રકાશ નારાયણે જનસંઘ સાથે ગઠબંધન કરેલો પક્ષ રચ્યો તે પણ ખરું … નહેરુવીયન કોંગીના ફરજંદે ૧૯૮૦માં ફરી સત્તા કબજે કરી અને સર્વોદય કાર્યકર્તા દ્વારા ચાલતા  ટ્રષ્ટો ઉપર તવાઈ લાવી તેમને હેરાન કર્યા તે પણ ખરું … અને હજી પણ જ્યાં સુધી સત્તા હતી ત્યાં સુધી આ નહેરુવીયન કોંગીએ તેના સંસ્કાર બદલ્યા નથી તે પણ ખરું …. તો પણ આપણને (કટારીયા ભાઈને) મોદી-ફોબીયા કેવી રીતે લાગુ પડ્યો તેનો ઉત્તર આપવો પડે કે નહીં? ના જી. આપણે કટારીયા ભાઈ છીએ. કટોકટી દરમ્યાન પણ જેમને કારાવાસમાંથી બચી ગયા હતા તેવા અમે કટારીયા ભાઈઓએ કટોકટી દરમ્યાન પણ કટારો લખવાનો ત્યાગ કર્યો ન હતો અને “માઈ”ની કટૂ નજર અમારા ઉપર ન પડે તે માટે અમે શ્રેષ્ઠ એવી “જાર-બાજરા”ની વાતો કરવા માંડ્યા હતા અને આ રીતે “જાર-બાજરા”ના ખેતરોમાં ખોવાઈ ગયા હતા. જાર-બાજરા અને તેના ભાવ વિષે સૌ કોઈ એ પોત પોતાની રીતે વાતો કરી હતી.

ફિલમી દુનિયાના કટારીયાભાઈ

આમ તો ફિલમના હિરાભાઈઓ અને હિરીબેનો ખ્યાતનામ બની જાય એટલે પોતાને મહામાનવ માનવા માંડે. તેમને પાનો ચડાવવામાં તેમના ખાસ કટારીયા ભાઈઓ પણ હોય છે. હાજી આપણે ડીબીના જયપ્રકાશભાઈની વાત કરીશું.

anupam04

તેમને અનુપમભાઈ અને નસરુદ્દીનભાઈ એ બેમાં નસરુદ્દીનભાઈ વધુ પસંદ હોય તેમાં ડીબીના વાચકોને વાંધો ન પણ હોય. તેમણે જાહેર કર્યું કે નસરુદ્દીનભાઈ આગળ અનુપમભાઈ કોઈ વિસાતમાં નથી. નસરુદ્દીનભાઈ બહુ વિદ્વાન છે અને વિદ્વત્તપૂર્ણ લખે છે. તેઓ વિદ્વત્તા પૂર્ણ લખે છે તેની સાબિતી માટે તેમની સરખામણી ઓક્સફર્ડના પ્રોફેસર સાથે કરી દો.

અરે ભાઈ, પણ આવી બધી પળોજણ શા માટે?

હે વાચકો, કેટલાક વખતથી અનુપમભાઈ પટમાં આવ્યા છે.

આમ તો “કિસ્સા કશ્મિરકા” હૈ.

અનુપમભાઈ પણ કાશ્મિરના છે. તેમનું કાશ્મિરમાં પોતાનું ઘર છે.

જેમ કેટલાક અન્ય પ્રદેશમાંથી જુદાજુદા કારણોથી પોતાના વતનથી દૂર વ્યવસાય માટે આવે તેમ મુંબઈમાં પણ આવે છે.

આપણા અનુપમ ભાઈ પણ વતન છોડી મુંબઈમાં આવ્યા.

નહેરુવીયન કોંગીઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની કોમવાદી અને જાતિવાદી જેવી, સમાજની વિભાજનવાદી મતબેંકોની નીતિને કારણે મુસ્લિમોમાં અલગતાવાદ બહુ વધુ પડતો ફુલોફાલ્યો છે. વળી ૧૯૮૦માં અમેરિકા-રશિયા ના ઠંડા યુદ્ધની સમાપ્તિના કારણે અફઘાનીસ્તાનના આતંકવાદીઓ નવરા પડ્યા. કોમવાદ-જાતિવાદપ્રિય નહેરુવીયન કોંગ્રેસે પોતાનો રાજકીય રોટલો શેકવા, ખાલિસ્તાનની ચળવળના નેતાઓને ઉશ્કેર્યા. ભીંદરાણવાલેને સંત બનાવ્યા. આ ચળવળના નેતાઓને સીમાપારના ઉપરોક્ત આતંકવાદીઓનો સહારો મળ્યો. આ બધી બહુ લાંબી વાત છે તે આપણે નહીં કરીએ.

પણ વાત એવી બની કે;

જમ ઘર ભાળી ગયો.

૧૯૮૯-૯૦માં મુસ્લિમ આતંકવાદીઓએ સ્થાનિક મુસ્લિમોની સહાયથી અને સ્થાનિક સરકારની સહાયથી કાશ્મિરના હિદુઓની કત્લેઆમ કરી અને ૫૦૦૦૦૦+ હિન્દુઓને પોતાના રાજ્યમાંથી ઉચાળા ભરવા વિવશ કર્યા. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસની (નરસિંહરાવ)ની સરકાર અને  સમાચાર માધ્યમોએ આ નરાધમી આતંકવાદ ઉપર અંધકાર પટ રાખ્યો અને અધમરીતે નિસ્ક્રીય રહ્યા.

હિન્દુઓને પણ માનવીય અધિકાર હોય છે તે વાતમાં નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ માનતા નથી.

આ વાત પણ લાંબી છે અને અન્યત્ર કરેલી છે. પણ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની બીજેપીની સરકાર આવી એટલે તેણે કાશ્મિરી હિન્દુઓના પુનર્‌વાસ માટે પગલાં લેવા શરુ કર્યાં. કાશ્મિરના મુસ્લિમોને તો વાંધો પડે જ. કારણ કે હિન્દુઓના માનવ અધિકાર વિષે કશું પણ હકારાત્મક થાય તે તેમને પસંદ ન જ પડે. આ પ્રકારનું તેમનું વલણ, નહેરુવીયન કોંગ્રેસી શાસને કેટલું ઉત્પન્ન કર્યું અને કેટલું તેમની ગળથુથીમાંથી ઉત્પન્ન થયું છે તે સંશોધનનો વિષય છે. કાશ્મિર સિવાયના મુસ્લિમોએ પણ કદી હિન્દુઓના અધિકાર માટે આંદોલન કર્યું નથી.

મુસ્લિમો પાસેથી આવી અપેક્ષા રાખવી તે “આકાશ કુસુમવત” છે.

૨૫ વર્ષથી પોતાના જ દેશમાં નિર્વાસિત થયેલા હિન્દુઓ ત્રસ્ત છે. વાસ્તવમાં ૨૫+ વર્ષો સુધી પોતાના જ દેશમાં નિર્વાસિત રહેવું તે એક સાતત્યપૂર્ણ રીતે મુસ્લિમો દ્વારા થતો આતંકવાદ જ છે. આવા આતંકવાદથી ત્રસ્ત હિન્દુઓની વ્યથાને કોઈ હિન્દુ વાચા આપે તે પણ ભારતની અસામાન્ય મુસ્લિમ જનતાને પસંદ નથી. નસરુદ્દીનશાહ આવો જ સંદેશ આપે છે.

અનુપમ ખેરે કાશ્મિરી હિન્દુઓ ઉપરના આતંકવાદને વાચા આપી. કેટલીક રાષ્ટ્રવાદી ટીવી ચેનલોએ આનું પ્રસારણ કર્યું. એટલે કેટલીક કોમવાદી અને વિભાજન વાદી ટીવી ચેનલોના, આપણા સમાચાર માધ્યમના કેટલાક કટારીયાભાઈઓના પેટમાં નસરુદ્દીનભાઈની જેમ ઉકળતું તેલ રેડાયું.

કટારીયા ભાઈ પાસે હાથવગું હથીયાર કટાર (કોલમ) છે.

તો હવે અનુપમભાઈની બુરાઈ કેવી રીતે કરવી?

નસરુદ્દીનભાઈને તો આપણે મહાન ચિત્રિત કરી દીધા. પણ અનુપમભાઈની બુરાઈ તો કરવી જ પડશે ને!

તો લખો “અનુપમભાઇ બીજેપીના પ્રવક્તા હોય તેમ વર્તે છે.” કારણ શું હોઈ શકે? “તેમના પત્ની સંસદ સદસ્ય છે.” એટલે તેઓશ્રી આપોઆપ બીજેપીના પ્રવક્તા બની જાય છે. એટલે કે તેમને વહેમ છે કે તેઓ પ્રવક્તા છે. તેઓ મોદીના સ્તૂતિગાનમાં લાગેલા છે. અનુપમભાઈનું નિશાન (ધ્યેય પ્રાપ્તિ) કંઈક અલગ જ છે. કદાચ એવૉર્ડ પ્રાપ્તિનું છે. નસરુદ્દીનભાઈ અત્યંત સ્વચ્છ સ્વચ્છ વિચારોવાળા વ્યક્તિ છે. (માટે તારવો કે અનુપમભાઈ તેવા નથી). અભિનય ક્ષેત્રે નસરુદ્દીનભાઈનું પલ્લું ભારે છે. (માહિતિસભર તર્કની જરુર નથી. પણ તારવો કે અનુપમભાઈનું પલ્લું હળવું છે). નસરુદ્દીન સમુદ્ર છે. અનુપમ એક છીપલું શોધે છે. (નસરુદ્દીનભાઈની ઉપર આપણા કટારીયા ભાઈએ કવિતા લખી હોય એવું લાગે છે.)

નસરુદ્દીનભાઈની અભિનયકળા વિષે ચર્ચા કરવાનો આ બ્લોગનો વિષય નથી.

anupam02

અનુપમભાઈ તેમની પચ્ચીશીમાં હતા ત્યારે તેમણે “સારાંશ”માં એક વયોવૃદ્ધનો અભિનય કર્યો હતો.

anupam03

કોઈ વ્યક્તિ ઉમરમાં મોટી હોય અને તે વ્યક્તિને યુવાનનો અભિનય કરવાનો હોય ત્યારે તેની પાસે યુવાન હોવાનો અનુભવ હોય છે. વયસ્ક અને વૃદ્ધ વ્યક્તિ આમેય યુવાનનો અભિનય કરવા માટે થનગનતા હોય છે. જયાભાદુરી-ગુડ્ડી. પહેલાં પણ અને હાલમાં પણ ઘણા જ વયસ્ક અભિનેતાઓ યુવાનનો અભિનય કરવા માટે હિરોની ભૂમિકા ભજવતા હોય છે. કૂદાકૂદ કરવી કોને ન ગમે?

પણ જો વ્યક્તિ નવયુવાન હોય અને વૃદ્ધનું પાત્ર મળ્યું હોય અને તે યુવાન વ્યક્તિ, જ્યારે કાબિલેદાદ “વૃદ્ધ”નો અભિનય કરે ત્યારે તે શ્રેષ્ઠ અભિનેતા ગણાય તેમાં શક નથી.

અભિનેતા કેટલા પ્રમાણમાં મહામાનવ છે કે પછી તે કેટલા પ્રમાણમાં એક વામણા માનવ છે તે સંશોધનનો વિષય છે.

પણ નસરુદ્દીનભાઈએ તેમનું વામણું સ્વરુપ છતું કર્યું છે.

દરેક અભિનેતા એક નાગરિક છે. એટલે તેને પોતાના વિચાર સ્વાતંત્ર્યનો અધિકાર છે. તેને બીજાના માનવ અધિકારની રક્ષા કરવાનો તેમજ તેના ઉપર થતા ત્રાસ અને આતંકને વાચા આપવાનો પણ અધિકાર છે.

નસરુદ્દીનભાઈનો પણ અધિકાર છે કે અનુપમભાઈની ટીકા કરે. પણ નસરુદ્દીનભાઈ પાસે પ્રાસંગિકતાની પ્રજ્ઞા હોવી જોઇએ. વિષય કાશ્મિરી હિન્દુઓ ઉપરના આતંકનો અને તેમના પુનર્‌સ્થાપનનો છે. પણ નસરુદ્દીનભાઈ માટે કાશ્મિરી હિન્દુઓ ઉપરના આતંકની અને તેમના પુનર્‍વસનની વાત મહત્વ રાખતી નથી. તેમને મન અનુપમભાઈ તેની જે રીતે વાત કરે છે તે છે.

– –  – – – – – – – – – – – – –

એક બેનના પતિ ગુજરી ગયા. એક બીજા બેન તે  બેનના ઘરે બેસવા ગયા.

બંને વચ્ચે વાતચીત આમ થઈ.

“ શું થયું હતું તમારા પતિને? તે કેમ કરતાં ગુજરી ગયા?”

“ અરે મેં તો એમને સવારે વાડામાં લીલા મરચાં તોડવા મોકલ્યા. કોણ જાણે કેમ તેઓ મરચું તોડવા ગયા કે તરત જ ઢબ થીને પડી ગયા”

“ઓહ, પછી તમે શું કર્યું?”

“મેં પછી સૂકા મરચાંથી ચલાવ્યું”

– – – – –  – – – – – – – – – – – – – – – –

નસરુદ્દીનભાઈને કાશ્મિરી હિન્દુઓ ઉપર થતા અત્યાચારનો કોઈ શોક નથી. તેમને અનુપમભાઈને ખ્યાતિ મળે તે પસંદ નથી.

પણ નસરુદ્દીનભાઈ અને તેમના ચાહકોને, તેમના જેવા કોમવાદી માનસ ધરાવતા નહેરુવીયન કોંગ્રેસીઓને અને નહેરુવીયન કોંગ્રેસીઓના સાંસ્કૃતિક સાથીઓને આ પસંદ નથી પડતું એવો સંદેશ તેમના પ્રતિભાવો મારફત મળે છે.

આપણે શું જાણીએ છીએ?

આપણે એટલું જાણીએ છીએ કે અનુપમભાઈ અને બીજા કેટલાક, કાશ્મિરી હિન્દુઓની ઉપર સાતત્યપૂર્ણ રીતે, માનવ અધિકારના હનન ને વાચા આપી રહ્યા છે. નસરુદ્દીનભાઈ કહે છે કે અનુપમભાઈ જાણે એવી રીતે બોલે છે કે તેઓ પોતે કાશ્મિરના આતંક પીડીત વ્યક્તિ હોય. તેઓ પોતે તો કાશ્મિરમાં રહેતા નથી કે ૧૯૯૦માં કાશ્મિરમાં રહ્યા નથી તેમ છતાં પણ તેઓ કાશ્મિરી હિન્દુઓના હક્કની વાત કરે છે.

“કાશ્મિરી હિન્દુઓની સમસ્યા વિષે બોલવાનો હક્ક સૌ કોઈને નથી” નસરુદ્દીન ઉવાચ

પહેલાં તો નસરુદ્દીનભાઈએ એ વાતનો ઉત્તર આપવો જોઇએ કે તેઓ માનવ અધિકારમાં માને છે કે નહીં?

તે પછી નસરુદ્દીનભાઈએ ઉત્તર આપવો જોઇએ કે તેઓ હિન્દુઓના માનવ અધિકારની સુરક્ષામાં માને છે કે નહીં?

નસરુદ્દીનભાઈ માનવ અધિકારના હનનને કેવળ અને કેવળ રાજકીય સમસ્યા ગણતા હોય તો તેઓશ્રી રાજકારણમાં છે કે નહીં?

 શું આ બાબતમાં નસરુદ્દીનભાઈ સ્પષ્ટીકરણ કરશે?

શું તેઓ, એ સ્પષ્ટીકરણ વિગતવાર કરશે?

નસરુદ્દીનભાઈ ચર્ચા કરશે?

શું નસરુદ્દીનભાઈ જાહેર કરશે કે દંગા કે આતંવાદથી વિસ્થાપિત થયેલા લોકોની સમસ્યા એ કેવળ અને કેવળ રાજકીય સમસ્યા છે અને પોતે રાજકારણમાં નથી એટલે આવી સમસ્યામાં પડતા નથી?

જો આમ થાય તો શું તેઓ સ્પષ્ટ કરશે કે તેમણે મુસલમાનો ઉપરના સાપેક્ષે નગણ્ય કહેવાય તેવા માનવ અધિકારના હનન વિષે કદી બોલ્યા નથી?

શું નસરુદ્દીનભાઈ એમ માને છે કે કશ્મિરના હક્કની વાત કરવાનો અધિકાર ફક્ત ૧૯૯૦માં વિસ્થાપિત થયેલા કાશ્મિરીઓનો જ છે?

એટલું જ નહીં નસરુદ્દીનભાઈ તો એમ જ માનતા લાગે છે કે જેઓ કાશ્મિરી છે, અને જેમનું કાશ્મિરમાં ઘર પણ છે, તેઓ કદાચ કાશ્મિર જઈ શકતા નહીં હોય તો પણ જો તેઓ ૧૯૯૦ દરમ્યાન મુસ્લિમ આતંકીઓ દ્વારા  વિસ્થાપિત થયા ન હોય તો તેમનો કાશ્મિરી હિન્દુઓની સમસ્યા વિષે બોલવાનો હક્ક નથી. વિસ્થાપિત કાશ્મિરી મુસ્લિમોની સમસ્યા વિષે બોલવાનો હક્ક કેવળ અને કેવળ ૧૯૯૦માં વિસ્થાપિત થયેલા હિન્દુઓનો જ છે.

તમે લખી રાખો કે નસરુદ્દીનભાઈ આવું કશું જ કરશે નહીં. કારણ કે તે આમ કોટીના મુસ્લિમની જેમ હિન્દુઓના માનવ અધિકારની સુરક્ષાને સમર્થન આપતા નથી. તેમનું આ વલણ શું તેમના કોમવાદી માનસનું નગ્ન પ્રદર્શન નથી?

હવે આપણા કટારીયાભાઈ જુઓ. તેઓ વાતને કેવીરીતે આગળ ચલાવે છે? “૧૯૪૭માં ઠેર ઠેર વિસ્થાપિતોના કેમ્પ બન્યા હતા. પણ કાશ્મિરીઓનો કેમ્પ બન્યો હોય તેવું સાંભળવામાં આવ્યું નથી.” આવા કથનનો કંઈ અર્થ ખરો?

આનો કોઈ સંદર્ભ ખરો?

કટારીયાભાઈએ ઇતિહાસના પાના ઉથલાવવા જોઇએ. કાશ્મિર ઉપર પાકિસ્તાને આક્રમણ કરી દીધું હતું. કાશ્મિરના રાજાને સ્વતંત્ર રહેવું હતું. કોઈને ભાગવાનો સવાલ જ ક્યાં હતો? શું મુસલમાનો ભાગીને આક્રમણખોરોના દેશમાં જાય? “કહેતા બી દિવાના ઔર સુનતા ભી દિવાના” જેવી વાત છે.

મૂળમાં કટારીયાભાઈ (કદાચ નસરુદ્દીનભાઈની વહારે ધાવા) કાશ્મિરી હિન્દુઓની સમસ્યાને મોળી પાડી દેવાનો પ્રયત્ન કરે છે.

કટારીયાભાઈ વળી અનુપમભાઈના સંદર્ભમાં આડવાત પણ કરી તેમની પરોક્ષ રીતે બુરાઈ કરે છે. તે વાતને કંઈક આ રીતે પણ વર્ણવી શકાય.

હે અનુપમભાઈ તમે ધીરા પડો. તમે કંઈ બીજેપીમાં જનારાઓમાં પહેલા નથી. તમારા પહેલાં તો પરેશભાઈ રાવલ ગયા છે. એટલે તમે આર્ષદૃષ્ટા છો તેવા ભ્રમમાં ન રહો. વળી એ પણ ન ભૂલો કે નરેન્દ્રભાઈ પ્રધાન મંત્રી બન્યા એ પહેલાં તેઓશ્રી ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને આપણા અમિતાભભાઈ તો ઠેઠ ત્યારથી ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર બન્યા હતા. (તમે તો ક્યાંયના ન હતા). વળી ઠેઠ મોતીલાલ નહેરુના સમય થી અમિતાભભાઈના પિતાશ્રીના પિતાશ્રી, જે એલ નહેરુ અને અમિતાભના પિતાશ્રી ને સંબંધ હતો. ઇન્દિરાગાંધીનો અને તેજી બચ્ચન સાથે ઘરોબો હતો. અમિતાભભાઈ તો ત્યારથી રાજિવ ગાંધીના મિત્ર હતા. (ચમત્કૃતિમાં રમૂજ વાંચો) (એટલે હે અનુપમભાઈ તમારે કૂદવાની જરુર નથી).

કટારીયાભાઈ વળી એમ પણ કહે છે કે કોઈ એક ફિલમમાં અનુપમભાઈ ખલનાયક હતા અને નસરુદ્દીનભાઈ અન્યાય વિરુદ્ધ લડનાર નાયક હતા. (એટલે તમે તારવો કે “અન્યાય વિરુદ્ધ લડવામાં નસરુદ્દીનભાઈ પાછા પડે તેવા નથી જ નથી.” હે અનુપમ ભાઈ તમારા કરતાં તો આ રીતે પણ નસરુદ્દીનભાઈ ચડીયાતા છે.). 

કટારીયાભાઈ મોતીલાલ, નહેરુ, ઈન્દિરા નહેરુ-ગાંધી, હરિવંશરાય, તેજી, અમિતાભ વિગેરેના કૌટૂંબિક સંબંધોની ચાલુ વિષય સાથે અસંબદ્ધ એવી વાતો લખી “પોતે કેવું સુંદર કહ્યું  … હેં.. !!” ઇતિ કરે છે. 

કાશ્મિરના હિન્દુઓના વિસ્થાપનની સમસ્યાને મોળી પાડી દેવા તેનું સામાન્યીકરણ આ રીતે કરવામાં આવ્યું છે. કે કાશ્મિરી પંડિતો તો મોતીલાલના બાપદાદાઓના વખતથી કાશ્મિર છોડીને દેશમાં અન્યત્ર વસવા માંડેલ છે. એટલે ૧૯૯૦ના ૫૦૦૦૦૦+ વિસ્થાપિત કાશ્મિરી હિન્દુઓની વાત કંઈ નવી ઘટના નથી. લો બસ. આને કહેવાય પ્રમાણભાનની પ્રજ્ઞા, કે પ્રજ્ઞાહીનતા?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

“તમે શું કરોછો?

“હું હજામત કરું છું

“તમારા બાપા શું કરતા હતા?

“તેઓ રાવણની હજામત કરતા હતા,

“અને તમારા દાદા … ?

“એ રાવણના બાપાની હજામત કરતા હતા. 

ટેગ્ઝઃ ડીબીભાઈ, મહાત્મા ગાંધીવાદી, નરેન્દ્ર મોદીને ગોદો, કૈરાના, મુલાયમ વંશ, હિન્દુઓની હિજરત, લુઝ ટૉકીંગ, જંગલ રાજ, મુસ્લિમ ગુન્ડાઓ, આવું તો ચાલ્યા કરે, જૈસે થે વાદીઓ, મોદી-ફોબીયા પીડિત, નિજાનંદ, જયપ્રકાશ નાયણને મરણાસન્ન કર્યા, કટોકટી, જાર-બાજરા, અનુપમભાઈ, નસરુદ્દીન, ભીંદરાનવાલેને સંત બનાવ્યા, ૫૦૦૦૦૦+ કાશ્મિરી હિન્દુઓ, નરાધમી આતંકવાદ, હિન્દુઓના માનવ અધિકારોનું હનન, સૂકા મરચાંથી ચલાવ્યું

Read Full Post »

મોદી-બીજેપી ફોબીઆ પીડિતો ઈલાજ નહીં કરાવે? ભાગ-૧

મોદી-બીજેપી ફોબીઆ એક એવો રોગ છે જે દર્દીને પીડા આપતો નથી. પણ જ્યાં સુધી આ રોગના દર્દીઓને પ્રમાણભાન ની પ્રજ્ઞા, પ્રાથમિકતાની પ્રજ્ઞા અને સંદર્ભની પ્રજ્ઞા ન આવે ત્યાં સુધી તેમને આ રોગમાંથી મૂક્તિ મળતી નથી. હા એક વાત ખરી કે જેઓમાં પ્રમાણભાન ની પ્રજ્ઞા, પ્રાથમિકતાની પ્રજ્ઞા અને સંદર્ભની પ્રજ્ઞા છે, તેઓની નજરમાં આવા દર્દીઓ દયાને પાત્ર બને છે.  પણ આ દર્દીઓને તેમની પડી નથી. કારણ કે આ રોગમાં ગ્રસ્ત આવા અનેક દર્દીઓ હોય છે. એક જ માનસિક બીમારી વાળા જ્યારે ટોળામાં હોય ત્યારે તેમને પોતે બહુમતિમાં છે તેવો આભાસ થાય છે. એટલું જ નહીં તેમને સ્વયંની વિદ્વત્તાનો પણ આભાસ થાય છે. એટલે તેઓ બેધડક સામે વાળાને મોદી-ભક્ત કહીને પોતાની પીઠ થપથપાવે છે.

દ્વેષ આધારિત રાજનીતિ

Hatred base politics.

જ્યારે તમે શ્રેયની અવહેલના કરો છો ત્યારે તમે તમારી આદત બગાડો છો. જો આ તમે ન સમજી શકતા હો તો તમારે મહમ્મદલી જીન્નાના વિચારોને જાણી લેવા જોઇએ. જીન્નાનું એક બાહોશ વ્યક્તિત્વ હતું જીન્ના પ્રખર બુદ્ધિશાળી હતા. તે એક રાષ્ટ્રવાદી અને સર્વધર્મ સમભાવ ધરાવનારા વ્યક્તિ હતા. નહેરુ અને જીન્ના વચ્ચે ખટારગ થયો. જો કે એમાં વાંક નહેરુનો વધુ હતો. પણ આપણે તેની માંડીને વાત નહીં કરીએ. નહેરુએ જીન્નાની બુદ્ધિ વિષે અજુગતો શબ્દ પ્રયોગ કર્યો. જીન્નાને કાને આ વાત આવી. તેથી જીન્ના લંડન છોડી ભારતમાં નહેરુ સામે મોરચો માંડવા આવી ગયા.

નહેરુ અને જીન્ના એ બેમાંથી કોઈ પણ કોમવાદી ન હતું. જીન્ના બૌધિકોમાં વધુ લોકપ્રિય હતા. પણ બૌધિકો હમેશા લઘુમતિમાં હોય છે વળી બૌધિકતા સાપેક્ષ હોય છે. નહેરુ યુવાનોમાં લોકપ્રિય હતા. નહેરુ અને જીન્ના વચ્ચે સુમેળ સધાય તે અશક્ય હતું. નહેરુને હઠાવી શકાય તેમ ન હતું. નહેરુને જીન્ના, કોઈ કાળે સ્વિકાર્ય ન હતા. નહેરુ, ગાંધીજીના ખોળામાં બેસવા તૈયાર હતા. જીન્ના કોઈકાળે તેમ કરવા તૈયાર ન હતા.  એક સમય એવો આવ્યો કે ગાંધીજીને, નહેરુ અને જીન્ના વચ્ચે પસંદગી કરવાની ફરજ પડી. તો તેમણે નહેરુને પસંદ કર્યા. જો કે ગાંધીજીને જીન્ના પ્રત્યે ઘણું માન હતું. પણ ગાંધીજીને જીન્નાનું વલણ પસંદ ન હતું. જીન્નાએ જોયું કે અંગ્રેજોનો હેતુ ફક્ત ભારતની જનતામાં વિખવાદ ઉત્પન્ન કરવાનો જ છે એટલું જ નહીં પણ મુસ્લિમોમાં પણ વિખવાદ ઉભો કરવાનો છે.

જીન્નાને એવું પણ લાગ્યું કે મુસ્લિમોમાં વિભાજન કરવામાં ગાંધીજી અંગ્રેજોને સાથ આપી રહ્યા છે. એટલે જો હિન્દુ-મુસ્લિમની વચ્ચે ખાઈ પહોળી કરવામાં હું જો અંગ્રેજ સરકારને મદદ કરું તો અંગ્રેજ સરકાર મને મદદ કરશે. હું નહેરુ સામે લડત આપી શકીશ. જો હું મુસ્લિમ જનતામાં ઐક્ય સાધી શકીશ તો મુસ્લિમોના હિતની રક્ષા માટે અંગ્રેજ સરકાર સાથે સારી રીતે કડદો કરી શકીશ. આ માટે ગાંધીજીને મારે હિન્દુઓના નેતા સિદ્ધ કરવા પડશે અને કોંગ્રેસને હિન્દુઓનો પક્ષ સિદ્ધ કરવો પડશે. જીન્નાએ પોતાની બધી જ તર્ક શક્તિ આ બાબતમાં જ ખર્ચી.

કોંગ્રેસના પ્રત્યેક કદમને જીન્ના, તર્કથી આ રીતે જ મૂલવતા. જો આપણે સ્વાતંત્ર્ય સંગામની ગતિવિધિઓ અને તે વખતની જનતાની નેતાઓ પ્રત્યેની માનસિકતાથી તદ્દન અજાણ હોઈએ તો આપણને જીન્નાની તારવણીઓ અચૂક ગ્રાહ્ય લાગે અથવા તો તેમની વાતો તથ્યહીન ન લાગે.

જો આપણે અભ્યાસ અને જ્ઞાનની બાબતમાં નહેરુની તુલના બાબા સાહેબ આંબેડકરની સાથે કરીએ તો નહેરુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી લાગે. પણ જો નહેરુ ની સત્તા લક્ષી અષ્ટકૂટ નીતિની ક્ષમતાની તુલના, આંબેડકર સાથે કરીએ તો બાબાસાહેબ આંબેડકર સાવ જ નિર્‍ઉપદ્રવી નેતા લાગે. બાબાસાહેબ આંબેડકર આર્ષ દૃષ્ટા હતા. નહેરુ આર્ષદૃષ્ટા નહીં પણ સત્તાકીય ગતિવિધિઓમાં દીર્ઘ દૃષ્ટા હતા. ગાંધીજી આર્ષદૃષ્ટા અને દીર્ઘ દૃષ્ટા પણ હતા.

Gandhi was skillful

ગાંધીજી એટલા સક્ષમ હતા કે તેઓ સાધનશુદ્ધિ રાખી શકતા હતા અને સાથે સાથે પોતાના પ્રત્યેક કદમની તર્કથી ચર્ચા કરી શકતા હતા. નહેરુએ સ્વાતંત્ર્યની ચળવળમાં ગાંધીજીને એક વ્યુહરચનાના ભાગ તરીકે સ્વિકાર્યા હતા. 

સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાની ગતિવિધિઓ એક પવિત્ર ચળવળ હતી. ગાંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળમાં જનભાગીદારીને સામેલ કરી. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને દૂરદૂર સુધી વ્યાપક બનાવ્યું આનો લાભ કોંગ્રેસ આજ સુધી લઈ શકી છે.

જીન્ના અને ભારતની મુસ્લિમ સંસ્થાઓમાં ઐક્ય ન હતું તેમનું સંગઠન પણ વ્યાપક ન હતું. એટલે સ્થાનિક ચૂંટણીઓમાં મુસ્લિમ લીગ કદીય કોંગ્રેસની તુલનામાં આવી શકતી ન હતી. આ બધું હોવા છતાં અંગ્રેજ સરકારના સહકારથી મુસ્લિમ લીગે કાઠુ કાઢ્યું હતું. જીન્નાએ મુસ્લિમોનું રાજકીય અસ્તિત્વ, કોંગ્રેસ પ્રત્યે ઘૃણાના આધાર પર સ્થાપિત કરી દેધેલું. આજે પણ પાકિસ્તાનના રાજકીય પક્ષોનું અસ્તિત્વ ભારત ઉપરના દ્વેષ ઉપર જ આધારિત છે.

અને તમે જુઓ. નહેરુવીયન કોંગ્રેસ સચોટ રીતે જીન્નાના નકશા કદમ પર ચાલે છે. નહેરુવીયન કોંગ્રેસનું અસ્તિત્વ મુસ્લિમોની વૉટ બેંક ઉપર જ આધાર રાખે છે. જેમ સ્વાતંત્ર્ય પહેલાં મુસ્લિમો વિભાજિત હતા તેમ સ્વાતંત્ર્ય મેળવ્યા પછી હિન્દુઓને વિભાજિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં હિન્દુઓને કાંતો મુસ્લિમ બનાવી દીધા છે અથવા તો હિન્દુઓને પાકિસ્તાનની બહાર ખદેડી દીધા છે. એટલે પાકિસ્તાનમાં હિન્દુઓની વૉટ બેંક છે જ નહીં. પણ પાકિસ્તાનના રાજકીય પક્ષોમાં ભારત પ્રત્યેના દ્વેષની સ્પર્ધા ચાલે છે.

ભારતમાં બીજેપી પ્રત્યેના દ્વેષની સ્પર્ધા ચાલે છે. નહેરુવીયન કોંગ્રેસે પ્રારંભ કઈંક આ રીતે કર્યો. હિન્દુઓની જ્ઞાતિ પ્રથાનો લાભ લીધો. તે પછી અલગ અલગ વૉટ બેંકો બનાવી. મુસ્લિમ વૉટ બેંક પણ બનાવી આ માટે તેણે શરુઆતમાં મુસ્લિમ તુષ્ટી કરણ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનશ્ય ઉત્પન્ન કર્યું. ૧૯૬૯માં ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડો કરાવ્યાં. તે પછી સવર્ણ અને અસવર્ણના હુલ્લડો કરાવ્યા. નહેરુવીયન કોંગ્રેસે આવી વ્યુહરચના દ્વારા ભરપુર રાજકીય લાભ લીધો. આ બીમારી બીજા પક્ષોમાં પણ આવી. ૧૯૭૭ સુધી બીજેપીને (જનસંઘને) નહેરુવીયન કોંગ્રેસીઓ સિવાય કોઈ અછૂત માનતા ન હતા.

કટ્ટર સર્વોદયવાદી જયપ્રકાશ નારાયણે પણ આ પક્ષને અછૂત માન્યો ન હતો.

jai prakash narayan had no problem with Jan Sangh (BJP)01

નહેરુવીયન કોંગ્રેસ પાંચમા કતારીયા એવા સામ્યવાદી પક્ષને જ્યારે જરુર પડે ત્યારે ખોળે લઈ શકતી હતી. તેમજ તે જ્યારે જરુર પડે ત્યારે સામ્યવાદી પક્ષના ખોળામાં બેસી શકતી હતી. અરે એટલું જ નહીં પણ આ નહેરુવીયન કોંગ્રેસ કટ્ટર કોમવાદી મુસ્લિમ લીગ કે જેમાં ફક્ત અને ફક્ત મુસ્લિમને જ પ્રવેશ મળી શકતો હતો તેની સાથે પણ કાયમી જોડાણ કરતી હતી. આમ છતાં પણ આ નહેરુવીયન કોંગ્રેસ, સમાચાર માધ્યમોની કૃપાથી પોતાને ધર્મનિરપેક્ષ અને (જનસંઘને) બીજેપીને કોમવાદી તરીકે પ્રચારિત કરી શકતી હતી.

બીજેપીનો “હાઉ” બીજેપી કોમવાદી છે. નરેન્દ્રમોદી સરમુખત્યાર છે. નરેન્દ્ર મોદી ઢોંગી છે. નરેન્દ્ર મોદી નાટકીયો છે. નરેન્દ્ર મોદી જુઠ્ઠો છે. નરેન્દ્ર મોદી વિરોધીઓને દબાવી દે છે. નરેન્દ્ર મોદી અસહિષ્ણુ છે. નરેન્દ્ર મોદી બદલાની ભાવનાથી કામ કરે છે. આમાં આવતા બધા જ વિશેષણો જીન્ના, ગાંધીજી માટે વાપરતા હતા. નહેરુવીયન કોંગ્રેસે તેમાં એક નવું વિશેષણ ઉમેર્યું છે, તે એ કે, નરેન્દ્ર મોદીએ અઘોષિત ઈમર્જન્સી લાગુ કરી છે. જો કે આ બધા જ વિશેષણો નહેરુવીયન કોંગ્રેસને વધુ સચોટ રીતે લાગુ પડતા વિશેષણો છે. અને ઉપરોક્ત વિશેષણોના સમર્થનમાં નહેરુવીયન કોંગ્રેસના અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. અને તે માટે દૂર પણ ન જવું પડે.

નરેન્દ્ર મોદીની તથા કથિત “અઘોષિત ઇમર્જન્સી” ની વિગતો જાણવા મળતી નથી અને કોઈ જણાવતું પણ નથી. પણ નહેરુવીયન કોંગ્રેસની “ઘોષિત ઇમર્જન્સી” ઉપર તો મહાભારતનું કદ પણ અવગણી શકાય તેટલું સાહિત્ય શાહ કમીશને એકઠું કર્યું છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના આવા તથ્યહીન ઉચ્ચારણોને હવા કોણ આપે છે?

અરે ભાઈ “લક્ષ્મી દેખી મૂનીવર ચળે”. (જો કે મૂનીવરો માટે આ કદાચ અર્ધસત્ય છે. લક્ષ્મીને ત્યાગવા વાળી અને જનહિતમાં કામ કરવાવાળી અનેક વ્યક્તિઓ આજની તારીખમાં પણ જોવા મળે છે.) જેઓનો એજન્ડા પૈસા પ્રાપ્ત કરવાનો છે અથવા જેઓનો એજન્ડા ખ્યાતિ મેળવવાનો છે તેવા સમાચાર માધ્યમો, સમાચાર પત્રો, તેમજ તેમના કટારીયા લેખકો (કોલમીસ્ટ), આ ધંધો લઈને બેઠા છે.

૧૯૫૨થી અમે ગુ. સ. વાંચતા હતા. મહારાષ્ટ્રની સાથે રહેવાથી ગુજરાતને અન્યાય થતો હતો તેવી પચાસના દશકામાં, વ્યાપક માન્યતા હતી અને તેમાં તથ્ય પણ હતું. પણ ગુ. સ.માં ગુજરાતને મહારાષ્ટ્રની સરખામણીમાં કેટલો ફાયદો કર્યો છે તેના તંત્રી લેખો આવતા હતા. મહાગુજરાતની ચળવળ વખતે જનસત્તા બહુ આગળ આવી ગયું હતું. વચ્ચે અમે જનસત્તા વાંચવાનું ચાલુ કર્યું પણ ધારાવાહિક કથાઓને લીધે વળી ગુ.સ. ચાલુ થયું. ૧૯૯૬થી શરુ કરી ગુ.સ.એ માઝા મુકી. ગુ.સ.ના એક ગુ.છો. એ ત્રસ્ત કર્યા એટલે અમે ડીબી ચાલુ કર્યું. જો કે અમે ડી.બી.થી પણ ત્રસ્ત છીએ પણ તેમાં આવતા વિનોદભાઈ ભટ્ટ અને ડૉ. ગુણવંતભાઈ શાહ અને ક્યારેક નગીનભાઈ સંઘવીના અને સંજયભાઈ વોરાના અભ્યાસપૂર્ણ લેખોને કારણે ડી.બી.ને ચાલુ રાખીએ છીએ. છેલ્લા બે કટાર લેખકોની તર્કશુદ્ધતા ઉપર અમે પ્રશ્નચિન્હ મુકી દઈએ છીએ. પણ જેમ કાંતિભાઈ ભટ્ટ જ્યાં સુધી મોદીને અને બીજેપીને સ્પર્શતા લેખો ના લખે ત્યાં સુધી અમે તેમના ભારે પ્રશંસક છીએ.

આ ડીબી ભાઈ તેમના માનવા પ્રમાણે અને કહેવા પ્રમાણે “પેઈડ સમાચારો” છાપતા નથી. પણ સુજ્ઞજનો જાણે છે કે વહીવટ હમેશાં રોકડામાં થતો નથી.

જનસત્તા “મહાગુજરાત વાદી”માંથી કોંગ્રેસવાદી કેવી રીતે થઈ ગયું? મોરારજી બાપુએ તેમને “પ્રીંટ”નો વધારાનો ક્વૉટા બાંધી દીધેલ જે ઘટાડી દેવાની પેરવીમાં હતો(!!) કે કેટલાક હપ્તાઓ બાંધી દીધેલ.

કેશુબાપાએ કહેવાય છે પત્રકારો માટે અમદાવાદથી ગાંધીનગરનો “વાહન વ્યવહાર” અને ખાણી અને “પીણી”નો બંદોબસ્ત નિશુલ્ક કરેલ. પણ ૨૦૦૧ના ધરતીકંપ થયા પછી, કેશુભાઈના  મેનેજમેન્ટે જે ધોખો કર્યો અને કંઈક અંશે “ભેંસ પાઘડી ચાવી ગઈ” જેવો ઘાટ થયો કે દૈવ જાણે. એટલે ગાંડો બચાવ તો થઈ શકે તેમ ન રહ્યો.

હવે   “છાપાંવાળા” હાથી જેવા થઈ ગયા છે. હાથીને સતત ભોજન જોઇએ. અને આમાં તો આ હાથીઓને છ દાયકાસુધી એકઠા કરેલા દલ્લાવાળા જ મદદ કરી શકે.

જેમ નહેરુવીયન કોંગ્રેસમાં જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર, કોમવાદ અને જુઠાણું હોય તેમ,

તમે કોઈ પણ તારીખનું છાપું હાથમાં લો. તમને પેઈડ સમાચારથી અલિપ્ત હોય તેવા રાજકીય સમાચાર મળશે જ નહીં. જો તમે અજ્ઞ હો તો તમને મુંઝવણમાં મુકી દે તેવું જ કટારીયાભાઈઓની કટારોમાં જોવા મળશે.

સમાચારોની શિર્ષ રેખાઓ પણ આવી જ જોવા મળશે.

“મોદીએ કરેલું બેને રદ કર્યું.”

“બેન” એટલે આનંદીબેન.

વાત શું છે? સીમેસ્ટર પ્રથા. હાજી સીમેસ્ટર પ્રથા મોદી સાહેબે સ્થાપેલી. જો કે “બેન” તો શિક્ષણમંત્રી હતા. એટલે સીમેસ્ટર પ્રથામાં બેનનો સિંહ ફાળો તો કાયદેસર ગણી જ શકાય.  એટલે જો કલુષિત શિર્ષ રેખા આપવી હોય તો “બેનનો યુ ટર્ન” એવી શિર્ષ રેખા આપી શકાય. પણ ડીબીભાઈને લાગ્યું કે મોદી સાહેબને જ જો નિશાન બનાવીએ તો ઠીક રહેશે. નહેરુવીયન કોંગ્રેસીઓ વધુ ખુશ રહેશે. મોદી ફોબીયા નું આપણું લક્ષણ દેખાય તો ભલે દેખાય.

પાટીદારો વિફર્યા છે. બેન ની ખુરશી જોખમમાં છે. બેનની ખુરશી જોખમમાં છે. બેન જાય છે… બેન જાય છે… બેનનો હવે ફેંસલો થવાનો છે… બેન હવે ફલાણી તારીખે જાય છે…. બેનનો હવે ફેંસલો થઈ ગયો છે…. પણ પછી બેને જ જાહેર કર્યું કે હું ક્યાંય જવાની નથી. “સાલુ આ તો આપણી ફજેતી થઈ ગઈ” ડીબી ભાઈએ મનમાં વિચાર્યું હશે!!

એક બેબીએ સંડાશ ઉપર કવિતા જેવું ભાષણ કર્યું બેબી રડી પડી. બેન પણ રડી પડ્યા. પણ આ સમાચારને “બેનની વિરુદ્ધમાં” કેવી રીતે ગોઠવવા? શિર્ષ રેખા આપી. “કન્યાની સાથે બેન પણ રડ્યા પણ બેને કન્યાને પૂછ્યું નહીં કે બેન તારી શી સમસ્યા છે.” અરે ડીબીભાઈ, વીર વિક્રમ યાની વિક્રમાદિત્ય યાની ચંદ્રગુપ્ત બીજો, પણ, જ્યાં ને ત્યાં જેને પણ મળે તેને તેની સમસ્યાઓ પૂછતો રહેતો ન હતો.

Anandiben03

પાટીદારોને આ ડીબીભાઈએ બહુ ઉશ્કેર્યા. એમના ન દેખાતા આંદોલનના કાર્યક્રમો અને યોજનાઓને માટે તેમના ડીબીમાં પાના નંબર બે અને પાના નંબર ત્રણ અનામત રાખ્યા હતા. જોકે ક્યારેક ક્યારેક તો પહેલા પાને પણ તેમને ચમકાવતા. ફૂંકો ઉપર ફૂંકો મારી. પટેલોના પછાતપણાના આંદોલનને ઝગવવાના અપાર પ્રયત્નો કર્યા. સાલુ મોઢું દુખી ગયું.

આજના છાપામાં ડીબીભાઈએ મોટી શિર્ષ રેખામાં સમાચાર આપ્યા છે કે “બેનના હાથમાંથી તલવાર પડી ગઈ”. આનંદીબેન કોઈક ઉદ્ઘાટન કરવા ગયા હશે. તેના સમાચારમાં ડીબીભાઈને “તલવાર પડી ગઈ” એ વાત બહુ મહત્વની લાગી. અરે ભાઈ આનંદીબેન કંઈ નહેરુવીયન કોંગીનેતા કે તેમના સાંસ્કૃતિક સાથીનેતાઓ જેવા આતંકવાદી થોડા છે? તમે જાણો છો કે સાબરમતી એક્સપ્રેસના ડબાને આગ લગાડવાની યોજનાના મુખ્ય આરોપીભાઈ નહેરુવીયન કોંગ્રેસના જ સ્થાનિક નેતા હતા. અને ૧૯૮૪માં સીખોની કતલ કરનારા પણ નહેરુવીયન કોંગ્રેસીઓ જ હતા. નહેરુવીયન કોંગ્રેસીઓનો રેકૉર્ડ લોહીથી ખરડાએલો છે. એટલે એમના હાથમાંથી તલવાર પડી જાય તો સમાચાર બનવા જોઇએ. બેનના હાથમાંથી તલવાર તો પડી જાય ને!!  બેનના હાથમાંથી ચોપડી પડી જાય તો સમાચાર બનવા જોઇએ. “પેટનો દુખાવો હોય પણ બધા જ પેટના દુખાવા પ્રસુતિની પીડા હોતા નથી. પહેલી વારનું પાટીદારોનું  આંદોલન ચગ્યુ હતું, પણ તે પછી તો અવારનવાર ફુસ જ થઈ જતું હતું. એટલે ડીબીભાઈએ “બેન” સામેની અફવાનો મોરચો ખોલી જોયો. મારા વાલીડા ડીબીભાઈ પોતે જ ફુસ થઈ ગયા. તો પણ હારે એ બીજા. ડીબીભાઈ પોતાના ફોબીયાને વધુ વકરાવશે જ એમાં શક નથી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

મોદી ફોબીયા પીડિત, રોગ, દર્દી, પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા, પ્રાથમિકતાની પ્રજ્ઞા, માનસિક બીમારી, મોદી ભક્ત, દ્વેષ આધારિત રાજનીતિ, શ્રેયની અવગણના, નહેરુ, જીન્ના, આંબેડકર, ગાંધીજી, હિન્દુ-મુસ્લિમ ખાઈ, આર્ષ દૃષ્ટા, દીર્ઘ દૃષ્ટા, ભારત પ્રત્યેના દ્વેષની સ્પર્ધા, અછૂત, કટ્ટર કોમવાદી મુસ્લિમ લીગ, પાંચમી કતારીયા સામ્યવાદીઓ, નહેરુવીયન ઘોષિત કટોકટી, ગુ.સ. , ડીબી, કેશુબાપા, છાપાંવાળા હાથી, બેન

Read Full Post »

જલ વાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ-૪

આપણે જાણીએ છીએ કે ભારતમાં એક બાજુ નદીઓના પૂરથી દર વર્ષે લાખો લોકો બેઘર થાય છે. અબજો રુપીયાનો પાક નષ્ટ થાય છે, ખેડૂતોના દેવાંઓ માફ કરવામાં આવે છે. સરકાર અબજો રુપીયાની ખેરાત કરે છે.  વળી તેજ વર્ષે કેટલીક જગ્યાએ વરસાદની અછતથી દુકાળ પ્રવર્તતો હોય છે. ખેતીના પાણીની વાત તો જવા જ દો, પણ પીવાના પાણીની તંગી પડતી હોય છે. ટેંકરો દ્વારા અધકચરી રીતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પાણી ભરવા માટેની લડાઈઓ થાય છે.

સમાચાર માધ્યમો ભાવવાહી શબ્દ પ્રયોગો દ્વારા ઉપરોક્ત ઘટનાઓનું વિવરણ કરે છે.

૧૯૪૭થી આપણે સ્વતંત્ર થયા. કેન્દ્ર માં એક પક્ષના અને એક કુટૂંબના એક ચક્ક્રી શાસન પાંચથી છ દશકાના  શાસન થયાં. છતાં પણ ભારતમાં એક જ સમયે વિરોધાભાષી પરિસ્થિતિઓ દર વર્ષે જોવા માળે તે વિષે આપણે શું કહીશું?

તમે એક બહોળા કુટૂંબની કલ્પના કરો. આ કુટૂંબ એવું છે કે  જેની પાસે, ગાયો છે. પુરતું ઘાસ છે. પુષ્કળ પ્રમાણમાં દૂધ છે. પણ દહીંની તંગી છે. ઘીની તો વાત જ જવા દો. અને આ કુટૂંબ છ છ દાયકા સુધી “દહીં નથી” …  “દહીં નથી” …  બુમો પાડ્યા કરે છે. અરે એટલુંજ નહીં, અહીં તો ક્યારેક દૂધની પણ તંગી પડતી હતી.

વડીલને આઠ ગાયો હતી. આઠ પુત્રો હતા. કામની વહેંચણી આ પ્રમાણે કરેલી. બે ગાયનો આગળનો ભાગ એક પુત્રને અને એજ બે ગાયોનો પાછળનો ભાગ બીજા પુત્રને વહેંચેલ. જેમને ભાગે આગળનો ભાગ આવેલ તેમનું કર્તવ્ય હતું ગાયને ઘાંસ ખવડાવવાનુ. જેમની ભાગે પાછળનો ભાગ હતો, તેમનું કામ છાણ-મૂત્ર  એકઠું કરવાનું. અને ગાયને દોહવાનું હતું. એક ભાઈ ગાયને દોહવા બેસે એટલે બીજો ભાઈ ગાયના મોઢા ઉપર ફટકા મારે. એટલે પહેલા ભાઈ ગાયને દોહી ન શકે. અને દૂધ ઢોળાઈ જાય. ક્યારેક ગાયને દોહવા વાળા ભાઈ વહેલા ઉઠી જાય અને ઝટપટ ઝટપટ એક ગાયને દોહી નાખે. જો વડીલ હાજર હોય તો દૂધનો ભરાવો થઈ જાય. આ તો અધિકારની વાત હતી. એટલે આમાં વડીલ કાંઈ કરતા નહીં.

આગળ ઘણી લંબાવી શકાય અને ઘણા ઉદાહણો અને ટૂચકાઓ કહી શકાય.

આપણા રાજ્યો પણ આવું જ કરે છે. પાણી માટેના ઝગડા, કોલસા માટેના ઝગડા, વીજળીમાટેના ઝગડા, પ્રકલ્પોમાટેના ઝગડા, નોકરીઓ માટેના ઝગડા ….  આ પ્રકારના જ છે.

ઉપરોક્ત વડીલભાઈ તો બેવકુફ હતા. પણ શું આપણી કોંગી સરકાર બેવકુફ છે? જો એવું જ હોત તો નહેરુવંશી ફરજંદો પણ ભૂખે જ મરતા હોત. પણ તેમની અને તેમના મળતીયાઓ પાસે ૭૧ પેઢીનું જમા છે. ભૂખે મરે છે તો ૭૫ ટકા જનતા જેની આવક મહિને ૫૦૦૦ રુપીયાથી ઓછી છે. તેમની પાસે રહેવા માટે પાકુ મકાન નથી. પીવા માટે ચોક્ખુ પાણી નથી.

ભ્રષ્ટાચાર શું પહેલાં ન હતો?

ભ્રષ્ટાચાર પહેલાં પણ હતો. કદાચ રોબર્ટ ક્લાઈવ અને વોરન હેસ્ટીંગ્ઝ ની પહેલાં પણ હશે. કૌટિલ્યે સરકારી નોકરો ઉપર જાસુસી કરવાનું કહ્યં છે. પણ આંગળી ચીંધીને ભ્રષ્ટાચાર નો ઉલ્લેખ રોબર્ટ ક્લાઈવ અને વોરન હેસ્ટીંગ્ઝના સમય થી થયો છે. આ ભ્રષ્ટાચાર સરકારી નોકરોમાં ચાલુ રહ્યો છે. જો કે સ્વાતંત્ર્યના પહેલા દશકામાં જન પ્રતિનિધિઓ  ભ્રષ્ટ ન હતા અથવા તો જવલ્લે જ ભ્રષ્ટ હતા. ગુજરાતના જનપ્રતિનિધિઓ તો ભ્રષ્ટ ન જ હતા.

નૈતિક ભ્રષ્ટાચાર નહેરુએ ચાલુ કરેલ. એક ભ્રષ્ટાચારને બીજા પ્રકારના ભ્રષ્ટાચારને આવરીલેતાં વાર લાગતી નથી. નહેરુના અનુગામી ફરજંદોમાં હરપ્રકારના ભ્રષ્ટાચારની દુર્ગંધ વ્યાપક પ્રમાણમાં જોવામાં આવે છે.

 ભ્રષ્ટાચાર કયા કયા ક્ષેત્રોમાં થાય છે?

જમીન, બાંધકામનું ક્ષેત્ર, મિલ્કતનો કબજો, સરકારી સેવાઓ, ખાનગી શિક્ષણ, ન્યાયાલય જેવા ક્ષેત્રો  છે.

જમીનઃ

જમીનના કાયદાઓ અટપટા છે. અને પંચાયત, કસ્બા, તાલુકા અને શહેરી જમીન સુધી બધે જ મનમાન્યા નિર્ણયો લેવામાં આવે છે. જમીનની માલિકીનો હક્ક જ નાબુદ થવો જોઈએ. જમીનના ઉપયોગના હક્કોનું સ્થાનાંતર સરકાર દ્વારા જ થવું જોઇએ. એટલે સરકાર જ “પ્રત્યક્ષ કબજો લે” અને “પ્રત્યક્ષ કબજો આપે” એમ થવું જોઇએ.

સરકારી પ્રદુષણ, ક્ષતિ રહિત ત્યારે જ થાય જ્યારે પ્રસ્થાપિત પ્રણાલીઓ દ્વારા જ તેનો અમલ થાય. જમીનના પ્રકારો જેવા કે ખેતીની જમીન,  નવા કરારની જમીન, જુના કરારની જમીન, જંગલની જમીન, રહેણાંકની જમીન, ઉદ્યોગની જમીન,  બીન ખેતીની જમીન વિગેરે … કોઈ પણ પ્રકારની જમીન હોય તે બધી સરકારી જ જમીન કહેવાશે. અને સરકાર જ આયોજન પ્રમાણે ઉપયોગના હક્ક આપશે.

ભરવાડો, ઠાકોરો, પટેલો, રબારીઓ, જમીન માફીયાઓ, બાવાઓ, મૌલવીઓ, પાદરીઓ વિગેરે અનેક લોકો સરકારી જમીન ઉપર કબજો જમાવી દે છે. જેઓ પોતાની માલિકી માન્ય દસ્તાવેજો દ્વારા સિદ્ધ કરી ન શકતા નથી.    

જે જમીનનો કબજો ગેરકાયદેસર હોય છે તેને કાયદેસરનો ગણી ન શકાય. ખાસ કરીને સરકારી જમીનનો  અન્ય દ્વારા કબજો ગેરકાયદેસર જ નહીં પણ ફોજદારી ગુનો ગણાય અને ફોજદારી રાહે જ તેનો નિકાલ થાય. એવું હોવું જોઇએ. આમાં ન્યાયાલયના કે કોઈના પણ આદેશની રાહ જોવાની ન હોય. આ ન્યાય અને વ્યવસ્થાનો પ્રશ્ન છે અને તેનો નિકાલ ત્રણમાસથી ઓછા સમયમાં થઈ જવો જોઇએ.

બાંધકામઃ

જે જમીન ઉપર બાંધકામ થયું હશે તે બાંધાકામના વિસ્તાર પ્રમાણે તેમાં રસ્તાઓએ રોકેલી જમીન પણ ગણત્રીમાં લેવાશે. એટલે કે વૃક્ષો તથા પાણી આચ્છાદિત જમીનના વિસ્તાર અને રહેણાંકનો વિસ્તાર નું પ્રમાણ ૯૬ અને ૪ નું રાખવું પડશે. ઉપયોગમાં આપેલી જમીનની સીમાવર્તી રેખા સાથે બાંધકામના સર્વોચ્ચ સ્તરનો ખૂણો ૩૦ અંશ થી મોટો રાખી શકાશે નહીં. આકૃતિ જુઓ.

paint ૧

એમ કહી શકાય કે દર ચાર મીટરની મકાનની ઉંચાઈ માટે ૭ મીટર દૂર મકાનની કંપાઉન્ડની વંડી રાખવી જોઇએ

એટલે કે

એક માળ માટે ૭ મીટર દૂર,

બે માળ માટે ૧૪ મીટર દૂર,

ત્રણ માળ માટે ૨૧ મીટર દૂર,

.

.

.

.

૨૫ માળ માટે   ૨૨૫ મીટર દૂર મકાનની  વંડી હોવી જોઈએ.

 જો મકાનની પહોળાઈ ૨૫ મીટર હોય અને લંબાઈ ૨૫ મીટર હોય તો

એક માળ માળના આવા મકાન માટે ની ગણત્રી નીચે પ્રમાણે થાય

૭+૭+૨૫ =૩૯ મી લંબાઈ

૭+૭+૨૫ = ૩૯ મી પહોળાઈ

૩૯ * ૩૯ =૧૫૨૧ ચોરસ મીટર નો પ્લૉટ જોઇએ

પણ બાંધકામ ૪ ટકા જ માન્ય છે. એટલે કે ૬૦ ચોરસ મીટર જ માન્ય છે.

એટલે ૨૫*૨૫ = ૬૨૫ ચોરસ મીટર ના બાંધકામ માટે ૧૫૬૨૫ ચો. મી. નો પ્લોટ જોઇએ. એટલે કે ૧૨૫મીટર લાંબો અને  ૧૨૫ મીટર પહોળો પ્લોટ જોઇએ. અને તમને ચારે બાજુ ૧૦૦ મીટર ખુલ્લી જગ્યા મળે છે. એટલે તમે ૧૪ માળનું મકાન બાંધી શકો. તમારા ૧૪ માળની ટોચ તમારી કંપાઉન્ડ વૉલ સાથે ૩૦ ડીગ્રી થી નાનો ખૂણો બનાવે છે.

 એક બીજાને સમાંતર એવી બે હરોળ જ બનાવી શકાય વધુ નહીં. વધુમાટે રહેણાંકના સંકુલની આકૃતિ જુઓ.

બાંધકામના માલ સામાનની ગુણવત્તાના નિયમોઃ

પ્રીકાસ્ટેડ અને પ્રી-ફેબ્રીકેટેડ ઈકાઈઓ (એલીમેન્ટસ)  બનાવતા ઉદ્યોગો જુદા હશે. પ્રીકાસ્ટેડ અને પ્રી-ફેબ્રીકેટેડ એકમોની ગુણવત્તા વિષે તેમાં વપરાતા કાચામાલના પ્રમાણો નક્કી કરી શકાય. ઈકાઈઓ નિશ્ચિત માપોની જ હશે. એટલે બાંધકામના સ્થળ ઉપર તો તેને લગતું માટી કામ અને ઈકાઈઓના  જોડાણ જ થશે. દરેક કામ સીસી ટીવી કેમેરા ઉપર નોંધાશે અને નીગરાની રખાશે. જવાબદારી નક્કી કરાશે.

મિલ્કતનો કબજોઃ

હાલના મિલ્કતના કબજા ને નિયમિત કરવાની કામગીરી ચાલી રહી છે. ન્યાયાલયમાં મોટા ભાગના મુકદ્દમાઓ મિલ્કતને લગતા હોયછે. આવા મુકદ્દમાઓના નિકાલ માટે ન્યાય પ્રણાલી કેવી હોવી જોઇએ તે વિષે આગળ ઉપર જોઇશું.

સરકારી સેવાઓઃ

સરકારી સેવાઓ સંપૂર્ણપણે પારદર્શી હોવી જોઇએ. દરેક ઓફીસની એક વેબ સાઈટ હોવી જ જોઇએ. તે વેબ સાઈટ ઉપર સુનિશ્ચિત માહિતિ ઉપલબ્ધ હોવીજ જોઇએ. જેમકે તેનું કાર્ય ક્ષેત્ર, તેનો ઇતિહાસ, કર્મચારી મંડળની માહિતિ, તેમનો પગાર, દરેકની જવાબદારી,  તેમની પાસે આવેલા કેસોની સંખ્યા, કેટલા કેસો ઉકેલ્યા, કેટલામાં જનતાને સંતોષ થયો, તેમના જુદા જુદા શિર્ષકો અંતર્ગત સરકારી માસિક ખર્ચાઓ, જુદા જુદા શિર્ષકો અંતર્ગત સામુહિક ખર્ચાઓ, નિવિદાઓ (ટેન્ડરો), નિવિદાઓના વિનિર્દેશો (સ્પેસીફીકેશનો), ભાવ તુલના પત્રક, સ્વિકાર પત્ર, (સંવિદા કરાર (કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ), આદેશ પત્ર (વર્ક ઓર્ડર), કાર્યાવધિ સમય, વિલંબ, દંડાત્મક પ્રાવધાનો, ચકાસણી પત્ર અને તેની આવૃત્તિઓ, બીલ, બીલ ભૂગતાન, સીટીઝન ચાર્ટર, નિયમો,  વિગેરે દરેક વિવરણો વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ હોવા જોઇએ. આમ કરવાથી માહિતિ અધિકારીનો કામનો બોજો ઘણો હળવો થશે.

દરેક સરકારી કાર્યાલયમાં સીસી ટીવી કેમેરા હશે. અને દરેક વ્યક્તિ ઓળખ થયા પછી જ પ્રવેશ કરી શકશે. નિવિદાઓના મૂળગત, લેખિત અને પ્રમાણિત નિયમો હોય છે.  કોમનવેલ્થગેમ, ૨-જી, કોલસા કૌભાંડ વિગેરે ખુલ્લી રીતે નિવિદા નિયમોની અવહેલના હતી.

નરેન્દ્ર મોદી સાચી વાત કહે છે કે સરકારી સેવાઓ ભ્રષ્ટાચાર મૂક્ત કરવા માટૅ પ્રણાલીઓમાં ફેરફાર કરવા જોઇએ. અને નરેન્દ્ર મોદી તે કરી રહ્યા છે. તેમણે હાલ તૂર્ત ૩૬૦૦૦ કરોડની થતી વાર્ષિક ખાયકી નિવારી છે.

ન્યાય તંત્રઃ

આપણા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશે ભારતમાં પ્રવર્તમાન જનસંખ્યા અને ન્યાયધીશની સંખ્યાનો ગુણોત્તર દર્શાવી ભારતમાં પ્રવર્તમાન ન્યાયધીશોની તંગીને ઉજાગર કરેલી. અને આંશુ સારેલ.

પણ આપણે એકવાત યાદ રાખવી જોઇએ કે ભારતની ૯૫ ટકા કુટૂંબોની આવક રુ. ૫૦૦૦/- થી ઓછી છે. એટ્લે આપણી વસ્તીના ૯૫ ટકા લોકોને ન્યાયાલયમાં જવાનું પોષાય જ નહીં. વાસ્તવિક રીતે જોઇએ તો માંડ બે ટકા કુટૂંબોને જ ન્યાયાલયમાં ન છૂટકે જવાનું પોષાય. એટલે આપણી પાસે જે ન્યાયાધીશો છે તે માંડ ત્રણ કરોડની વસ્તીને ન્યાય આપવાનું કામ કરે છે. એટલે ન્યાયના વિલંબનું કારણ ન્યાયધીશોની તંગી નહીં પણ ન્યાયિક પ્રક્રિયામાં છે.

આપણા મોટા ભાગના મુકદ્દમાઓ કાંતો સરકાર સામે હોય છે અથવા તો સરકારની તેમાં અગત્યની ભૂમિકા હોય છે. જેમકે સરકારી અધિકારીઓએ સરકારી કર્મચારીને ખૂલ્લો અન્યાય કર્યો હોય છે.

સરકારી અધિકારીઓની મમતઃ

જો સરકારી અધિકારીઓમાં ન્યાય પ્રિયતા હોય તો સરકાર સામેના મોટાભાગના કિસ્સાઓ નિવારી શકાય તેમ હોય છે. મોટેભાગે આવા કિસ્સાઓ ઉપર નિર્ણયો, સરકારી અધિકારીઓએ મમત ઉપર જઈને લીધા હોય છે. “મારી સામે પડ્યો છે તું? તો જોઇ લે હવે તું!! તને હું કેવો હેરાન કરુંછું!! લડી લેજે કૉર્ટમાં જઈને! “

સરકારી અધિકારીઓએ કંઈક આવી મનોવૃત્તિથી નિર્ણયો લીધા હોય છે અને તેથી ન છૂટકે કર્મચારીને કૉર્ટનો આશરો લેવો પડે છે.  જમીનના ઝગડાઓમાં સ્થાનિક સરકારના અધિકારીઓની મનમાની હોય છે. તેઓ સુનિશ્ચિત પ્રણાલી પ્રમાણે વર્તતા નથી. જાણી જોઇએ ને ક્ષતિઓ કરે છે અને પછી કેટલાકને અન્યાય થાય એટલે તે કૉર્ટમાં જાય અને સરકાર કેસ હારી જાય. સરકાર કેસ હારતાં પહેલાં કેસને બહુ લંબાવી દે છે. ન્યાયાધીશો પણ સરકારી અધિકારીઓ ઉપર ન્યાયની અવહેલના કર્યાની ટીકા કરવાનું અને તેમને દંડિત કરવાનું ટાળે છે..

આ ઉપરાંત વકીલો અને જજ સાહેબો પણ મુદતો ઉપર મુદતો પાડે છે. જેટલો સમય મુદતો આપવામાં જાય છે તેટલા સમયમાં તો કેસ ચલાવી શકાય તેમ હોય છે.

ન્યાયાલયમાં કેસ દાખલ કરવાથી માંડી  ચૂકાદો લેવા સુધીના કામ સુધી પૈસા ખવાય છે. દારુબંધીના કાયદાના ભંગના કિસ્સાઓમાં શું ચુકાદાઓ આવે છે તે આપણે જાણતા નથી.

સમસ્યાનું નિવારણઃ

ન્યાયાલયમાં બધીજ પ્રક્રિયાઓ “ઓન લાઈન” કરી શકાય. અરજી “ઓન લાઈન” આપો, પૈસા “ઓન લાઈન ભરો”, કેસની સુનવણી “ઓન લાઈન” કરો. દરેક ન્યાયાલયમાં કેસની સુનવણી “ઓન લાઈન” કરી દેવી જોઇએ. અને રેકોર્ડ કરવી જોઇએ. એટલે જેને ઇચ્છા હોય તે, જે  તે કેસ ઇચ્છે ત્યારે “ઓન લાઈન” જોઈ શકે. જેમકે તમે કોઈ ટીવી ચેનલના પ્રોગ્રામની વીડીયો ક્લીપ ઇચ્છો ત્યારે જોઇ શકો છો.

એકવાત જરુર છે કે ન્યાયાલયે ફરીયાદી પક્ષની નોટીસ, પ્રતિપક્ષોને ટપાલ દ્વારા મોકલવી પડશે. જો કે આ નોટીસ “ઓન લાઈન” પણ ઉપલબ્ધ હશે.

દરેક કોર્ટ કેસ “ઓન લાઈન” હોવાથી વકીલો અને ન્યાયાધીશ અને પોલીસ સાવધ રહેશે અને તેઓ કેસમાં ગોલમાલ કરી શકશે નહીં. અને જો તેઓ ગોલમાલ કરશે તો ટીકાને પાત્ર બનશે અને “દાળમાં કંઈક કાળું  છે” તેની જનતાને ખબર પડશે.

જ્યારે પણ, કોઈ પણ કેસ દાખલ થાય ત્યારે પ્રતિવાદીને નોટીસ આપ્યા પછી અને પ્રથમ મુદતને દિવસે ન્યાયાધીશ, વાદી, પ્રતિવાદી અને તેમના વકીલોને પરસ્પર સંમતિ પૂર્વક ૧૫ દિવસની અંદરની બીજી મુદત નક્કી કરવાનું કહેશે. જો તેઓ નક્કી નહીં કરી શકે તો ન્યાયાધીશ પોતે બીજી મુદતની તારીખ નક્કી કરશે. તે બીજી મુદતને દિવસે યા તો બંને વકીલોએ એટલે કે વાદીઓએ અને પ્રતિવાદીઓએ (દિવાની કેસમાં) સંધિ કરી લેવી પડશે અથવા તો કેસ લડી લેવો પડશે. અસાધારણ સંજોગોમાં જ ત્રીજી મુદત મળશે.

ન્યાયધીશ સમક્ષ જે કંઈ રજુઆત થશે તે બધું “ઓન લાઈન” હશે.

ફોજદારી ગુનાઓમાં પણ કેસનું સંચાલન “ઓન લાઈન” થશે.

ન્યાયાલય જ ન્યાયનો અમલ થયો કે નહીં તેનું ધ્યાન રાખશે અને તેનું સંચાલન કરશે. એટલે જે ન્યાયની અવહેલનાના કેસ બને છે તે બનશે નહીં.

શિક્ષણઃ

શિક્ષણનો ભ્રષ્ટાચાર ગ્રાહક સર્જિત છે. માનવ સંશાધન મંત્રી, બધું જ શિક્ષણ “ઓન લાઈન” ઉપલબ્ધ કરવાના છે. એટલે જેમને ભણવું જ છે અને શિક્ષકોને ભ્રષ્ટાચાર કરવા દેવા નથી તેઓ પોતે મૂક્ત રહી શકશે.

શિક્ષણના અનેક ક્ષેત્રો છે. જે તે ઉદ્યોગોને તે તે ક્ષેત્રો આપી દેવામાં આવે તો તે ક્ષેત્રોનો ભ્રષ્ટાચાર નાબુદ થાય અથવા ઓછો થાય. જો ચિકિત્સાને મફત કરી દેવામાં આવે ચિકિત્સા ક્ષેત્રે થતો ભ્રષ્ટાચાર નાબુદ થઈ જાય. ચિકિત્સાલયોના સીસીટીવી કેમેરા પણ “ઓન લાઈન” કરી દેવા જોઇએ. તેથી ચિકિત્સાલયોના કર્મચારીની વર્તણુંક ઉપર જનતા પણ નજર રાખી શકે. દર્દી સાથે કેવી વર્તણુંક કરવી જોઇએ તેનું શિક્ષણ આપવું જોઇએ. અને તેમાં જો ક્ષતિ દેખાય તો તે કર્મચારી કે ચિકિત્સકને “ગો હોમ” કહી દેવું જોઇએ.

મનુષ્યનું માન કેવી રીતે સાચવવું તેને લગતી નાગરિક સુવ્યવહારની પ્રશિક્ષા, બાળપણમાં પ્રાથમિક કક્ષાએ આપવી જોઇએ.

કેશલેસ ભુગતાન પ્રણાલી વેચાણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર નાબુદ કરી દેશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્જ઼ઃ  નદીઓના પૂર, પાણીની તંગી, બે ઘર લોકો, અબજો રુપીયાની ખેરાત, વિરોધાભાષી પરિસ્થિતિઓ, દૂધનો ભરાવો, ઘીની તંગી, ભ્રષ્ટાચાર પહેલાં પણ હતો, સરકારી નોકરો, નૈતિક ભ્રષ્ટાચાર નહેરુએ ચાલુ કરેલ, જમીન, બાંધકામનું ક્ષેત્ર, મિલ્કતનો કબજો, સરકારી સેવાઓ, ખાનગી શિક્ષણ, ન્યાયાલય, જમીનની માલિકીનો હક્ક, પ્રીકાસ્ટેડ અને પ્રીફેબ્રીકેટેડ ઈકાઈઓ, સરકારી અધિકારીઓની મમત, ન્યાયની અવહેલના, ઓન લાઈન, સીસીટીવી કેમેરા

 

 

 

Read Full Post »