Feeds:
Posts
Comments

Posts Tagged ‘પ્રત્યક્ષ’

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૧

ભૂતભાઈ અને ભૂતબેન એ બંને ને માટે આપણે ભૂતભાઈ શબ્દ જ વાપરીશું. જેમ કે મનુષ્ય શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થઈ જાય છે તેમ ભૂતભાઈમાં પણ ભૂતબેનનો સમાવેશ સમજી લેવો.

તમે કહેશો કે તો પછી “ભૂત” જ કહો ને. ભૂતભાઈ શા માટે કહેવું?

અમે કાઠીયાવાડીઓ બધાને માનથી જ બોલાવીએ. એટલે અમે ભૂતભાઈનું પણ માન રાખીએ. ભલે તેમના અસ્તિત્વ વિષે શંકા કરીએ પણ માન તો રાખવું જ પડે. કાલે ઉઠીને વૈજ્ઞાનિકો સાબિત કરે (કે ના કરે), પણ ભૂત ભાઈનો જો અમને ભેટો થઈ જાય તો અમે તેમને માનથી બોલાવતા હતા તેની યાદ અપાવીને, એટલે તે ભૂતભાઈ તેમને સહજ એવો તેમનો કોપ અમારા ઉપર ન કરે. આવો પણ અમારો હેતુ હોઈ શકે તેવું તમે માની શકો છો.

કોઈપણ વસ્તુનું હોવું એટલે શું?

વસ્તુના અસ્તિત્વની સાબિતી એટલે તેનું પ્રત્યક્ષ પ્રમાણ.

પ્રત્યક્ષ એટલે શું?

આમ તો પ્રતિ+અક્ષ એટલે કે આંખોની સામે દેખાય તે. એટલે કે આંખો વડે જોઈ શકાય તે. અને લક્ષ્યાર્થમાં લઈએ તો આપણી ઈન્દ્રીયો દ્વારા જેની અનુભૂતિ થાય અને તેનું અસ્તિત્વ સમજાઈ જાય તે.

ઈન્દ્રિયો એટલે કાનથી સંભળાય, ચામડીથી સ્પર્શની અનુભૂતિ થાય, નાકથી સુંગંધની અનુભૂતિ થાય, મોઢાથી ખવાય, આંખોથી જોવાય અને મગજથી આ બધાનો સમન્વય કરી સ્વિકારાય તેને પ્રત્યક્ષ કહેવાય. હાજી મગજ તો ચલાવવું જ પડે.

મગજને શા માટે લક્ષમાં લેવું?

આપણને સ્વપ્નમાં પણ ઘણું બધું દેખાય છે, સ્પર્શાય છે, સંભળાય છે, ક્યારેક સુગંધાય છે છતાં પણ જ્યારે તેના ઉપર શંકા કરીએ ત્યારે તેનું સાતત્ય જળવાતું નથી અને સ્વપ્ન નષ્ટ પામી જાય છે કે બદલાઈ જાય છે. એટલે આપણે જ્યારે શુદ્ધ બુદ્ધિરૂપમાં આવીએ ત્યારે તેની સત્યતાને નકારી કાઢીએ છીએ. બનાવના અસ્તિત્વ માટે બનાવનું સાતત્ય કે પુનરાવૃત્તિ પણ અનિવાર્ય છે.

ભૂતભાઈની વ્યાખ્યા શું છે?

ghost

(૧) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો આત્મા છે.

(૨) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો અતૃપ્ત આત્મા છે.

ક્યારેક પ્રાણીઓના ભૂત પણ હોય છે તેવી માન્યતા પણ ઘણા લોકો ધરાવતા હોય છે.

(૩) ભૂતભાઈની અલગ યોની હોય છે. યોની એટલે કે પ્રજાતિ.

પણ આ બધી કંઈ ભૂતભાઈની વ્યાખ્યા ન થઈ. આ તો થીયેરી થઈ.

વ્યાખ્યા એટલે શું?

વ્યાખ્યા એટલે ગુણધર્મનું વર્ણન.  એટલે કે ભૂતભાઈની ભાષા કઈ હોય છે અને તેઓશ્રી શાં શાં કામો કરે છે … તેનું વર્ણન એટલે ભૂતભાઈની વ્યાખ્યા થઈ કહેવાય.

ભૂતભાઈના ગુણધર્મોનું વર્ણનઃ

(૧) જો તમે ભૂતભાઈના પ્રભાવિત ક્ષેત્રમાં સાયકલ ઉપર જતા હો તો ભૂતભાઈને જો મનમાં સ્ફુરે તો તેઓશ્રી તમારી સાયકલના કેરીયર ઉપર બેસી જાય અને તમને સાયકલ ભારે લાગે. ભૂતભાઈના પ્રભાવવાળો વિસ્તાર પૂરો થાય એટલે ભુતભાઈ ઉતરી જાય. અને તમારી સાયકલ હળવી થાય.

(૨) ભૂતભાઈની મરજી હોય તો તે દુર્વાસ કે સુવાસ છોડે.

(૩)  ભૂતભાઈની ઈચ્છા હોય તો તેઓ તમને બીકલાગે તેવા રડવા સહિતના અનેક અવાજો કરે.

(૪) ભૂતભાઈ તમારી સાથે જો તેમની ઈચ્છા હોય તો તમારી ભાષામાં વાતો કરે,

(૫) ભૂતભાઈ સામાન્ય રીતે રાતના જ દર્શન આપે.

ghost01

(૬) ભૂતબેન સુંદર સ્ત્રીના સ્વરુપમાં આવે કે બિહામણા રૂપમાં આવે કે સાદી સ્ત્રીના રૂપમાં આવે.

ghost02

(૭) ભૂતભાઈને પડછાયો ન હોય (તેવું માનવામાં આવે છે)

(૮) ભૂતભાઈ અચાનક અદૃષ્ય થઈ જાય

(૯) ભૂતભાઈ ભડકો થઈને અદૃષ્ય થઈ જાય.

(૧૦) ભૂતભાઈ સુનિશ્ચિત વૃક્ષોમાં વાસ કરે

(૧૧) ભૂતભાઈ ક્યારેક ટોળામાં પણ હોય (ભૂતાવળ)

(૧૨) ભૂતભાઈ ક્યારેક આમ તો  ન દેખાય પણ ક્યારેક જો તમે કોઈનો ફોટો લેતા હો તો તેઓશ્રી ફોટામાં આવી જાય.

(૧૩) ભૂતભાઈઓના પ્રકાર હોય છે. જેમકે પ્રેત, પિશાચ, જીન, ખવીસ, બ્રહ્મરાક્ષસ, ડાકણ, વંત્રી … કેટલાક ભૂત અશરીરી હોય છે અને તેઓ મનુષ્યના શરીરમાં પેસી જાય છે અને તેનો ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે કે જો તમે ક્યારેક ભૂતના પ્રભાવી ક્ષેત્રમાં આવો અને બોલો કે “ચાલ … “ તો આવા ભૂતભાઈ તમારી સાથે થઈ જાય અને તમારા શરીરમાં પેસી જાય.

ghost03

(૧૪) ભૂતભાઈને અમૂક લોકો સાધી શકે છે એટલે કે વશ કરી શકે છે અને કોઈના શરીરમાં પેઠું હોય તો અમૂક લોકો તેને કાઢી શકે છે. આ વાત શરતોને આધિન છે.

(૧૫) ભૂતભાઈ ખુશ થઈ શકે છે.ભૂતભાઈ બદલો લઈ શકે છે. ભૂતભાઈ દુઃખી થઈ શકે છે.

(૧૬) ભૂતભાઈ તમારું કામ કરી શકે છે. જેમકે તમે ઈચ્છો તેવા ખાદ્ય પદાર્થો થળી સહિત લાવી શકે છે. એટલે કે શૂન્યમાંથી સર્જન કરી શકે છે અથવા તો પલકવારમાં બીજે ક્યાંકથી લાવી તમને આપી શકે છે.

(૧૭) ભૂતભાઈને પેશાબવાળી માટી, વિષ્ટા (હંગ) અને કેટલાક લોકોના માનવા પ્રમાણે મનુષ્યનું માંસ ખાવું પડે છે.

(૧૮) ભૂતભાઈ મનુષ્યનો ભોગ લેતા હોય છે.

(૧૯) ભૂતભાઈ માંદા પડતા નથી.

(૨૦) ભૂતભાઈ ઉંઘી શકે છે કે કેમ તે આપણે જાણતા નથી.

(૨૧) ભૂતભાઈ આર્થિક વ્યવહાર કરતા નથી. પણ કેટલાક લોકો માને છે કે ભૂતભાઈ ખજાનો આપી શકે છે.

ટૂંકમાં ભૂતભાઈ મનુષ્ય કરે તે બધા કાર્યો કરી શકે છે.

જેમકે

(૧) સાંભળવું, સ્પર્શવું, બોલવું, જોવું, વિચારવું, ખાવું અને બળવાપરવાનું કામ કરવું

(૨) આ ઉપરાંત ભૂતભાઈ જે કામ બીજા સજીવો નથી કરી શકતા તેવા કામ પણ કરે છે. જેમકે અદૃષ્ય થવું, અચાનક પ્રગટ થવું, શૂન્યમાંથી સર્જન કરવું, પોતાના આકારો બદલવા, પરકાયા પ્રવેશ કરવો અને ભૌતિક શાસ્ત્રના નિયમોથી પર રહેવું. એટલે કે ભૂતભાઈને ભૌતિકશાસ્ત્રના નિયમો લાગુ પડતા નથી.

(૩) ભૂતભાઈ પ્રજોત્પત્તિ કરી શકે છે કે કેમ તે આપણે સાંભળ્યું નથી.

(૪) ભૂતભાઈને મનુષ્યની જેમ શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા …. વિગેરે જેવું હોતું નથી. જે અવસ્થામાં મનુષ્ય ગુજરી ગયો હોય તે અવસ્થામાં તે સામાન્ય રીતે હોય છે. પણ તે પોતાના રૂપ બદલી શકે છે એટલે આપણે તેની અવસ્થા વિષે ન કહી શકીએ. મોટાભાગના ધર્મોમાં ભૂતભાઈના અસ્તિત્વને સ્વિકારવામાં આવ્યું છે. પણ હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન શાસ્ત્રમાં ભૂતભાઈના અસ્તિત્વ વિષે મૌન છે.

(૫) ભૂતભાઈને ઉત્સર્જનના અવયવો કે કોઈપણ આંતરિક અવયવો હોય છે કે કેમ તે વિષે આપણે જાણતા નથી. એટલે કે ભૂતભાઈની આંતરિક શરીર રચના વિષે આપણે કશું જાણતા નથી.

૧૯૬૨ના અરસામાં મારે એક સાઉથ ઈન્ડીયન પ્રોફેસરને પૂછ્યું કે ભૂત હોય કે નહીં?

તો તે પ્રોફેસરે કહ્યું કે ભૂત હોય છે.

ભૂતના ગુણધર્મો વિષે ચર્ચા થઈ.

મેં પૂછ્યું કે તો પછી ભૂતનું વજન શું હોય?

પ્રોફેસરે કહ્યું  કે તમને સુખ દુઃખ થાય તેનું શું વજન હોય છે?

મેં કહ્યું કે સુખ દુઃખ એ તો માનસિક અનુભૂતિ છે. તો શું ભૂત પણ શું એક મેન્ટલ કન્સેપ્શન છે? જો ભૂત એક મેન્ટલ કન્સેપ્શન હોય તો તેનો અર્થ એમ થયો કે ભૂતનું ફીઝીકલી અસ્તિત્વ નથી. એટલે તે કોઈ ભૌતિક કામ ન કરી શકે.

પ્રોફેસર સાહેબ અનુત્તર થઈ ગયા. કારણ કે કદાચ તેમણે “ડૉ. આઈન્સ્ટાઈન અને યુનીવર્સ ” વાંચ્યું નહીં હોય. એટલે મેન્ટલ કન્સેપ્શન શબ્દ ભૂલથી વાપર્યો હશે.

ક્રમશઃ

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસના જુઠાણા ભાગ – ૧

જુઠાણાઓ ઉપર કરો આક્રમણ
આક્રમણ એજ કલ્યાણ

હાજી કોંગ્રેસના જુઠાણાઓ ઉપર કરો શાબ્દિક અને પ્રદર્શનીય આક્ર્મણ

પહેલાં સમજી લો કોંગ્રેસ એટલે કોણ?

કોંગ્રેસ એટલે ફક્ત નહેરુવીયન કોંગ્રેસ એકલી જ નહી.

કોંગ્રેસ એટલે જે પક્ષો, જે સંસ્થાઓ, જે સમાચાર માધ્યમો અને જે વ્યક્તિઓ દેશના હિતને નુકશાન થાય તે રીતે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિવેદનો આપે છે તેમને કોંગ્રેસીઓ ગણો.

દાખલા તરીકેઃ

(૧) નહેરુવીયન કોંગ્રેસ (૨) જે પક્ષોએ નહેરુવીયન કોંગ્રેસને ભૂતકાળમાં એટલે કે સરદાર પટેલે નહેરુને શિખામણો આપી અને નહેરુએ ન માનવાની શરુઆત કરી ત્યારથી, વૈચારિક રીતે કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી નહેરુની, તેના ફરજંદોની અને તેના પક્ષની સાથે જોડાણો કર્યા તે સઘળા પક્ષો. (૩) સમાચાર માધ્યમો એટલે કે ટીવી ચેનલોના અને સમાચાર પત્રો ના માલિકો, તંત્રીઓ, સંપાદકો, એંકરો, કોલમીસ્ટો (કટારીયાઓ) જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર મુદ્દાઓને ચગાવ્યા કરે છે (૪) મહાનુભાવો (સેલીબ્રીટીઓ), હોદ્દેદારો, સાહિત્યકારો, જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુદ્દાઓને ચગાવ્યા કરે છે. આ સૌને કોંગ્રેસી ગણો

આ સમજવા માટે તાજેતરમાં ચગાવેલા અને ચગાવાઈ રહેલા મુદાઓ જુઓ.

“બાહ્ય અને બિહારી”

(૧) બિહારમાં ચૂંટણી વખતે બીજેપીના નેતાઓના પ્રચારની અસરને નાબુદ કરવાના પ્રયાસ રુપે બીજેપીના જે નેતાઓ બિહારના ન હતા તેમને પ્રચાર કરતા રોકવા માટે નીતીશકુમારે તેમને “બાહરી” તરીકે ઓળખાવ્યા હતા. આ એક ઘૃણાસ્પદ, દેશ માટે વિભાજનવાદી અને નિંદનીય પ્રચાર હતો.
દેશના એક રાજ્યનો નાગરિક બીજા પ્રાંતમાં જાય તો તેનો વિરોધ કરવો અને તેવો પ્રચાર કરવો તે, દેશની એકતા માટે ઘાતક છે.

દેશની એકતા ઉપર આઘાત પહોચાડનારનું બહુમાન કરવું કે તેની ટીકા ન કરવી તે કૃત્ય પણ દેશ દ્રોહની કક્ષામાં જ આવે. સમાચાર માધ્યમો પણ આ જ કક્ષામાં આવ્યા છે.

જો એક રાજ્યના નાગરિકના વાણી સ્વાતંત્ર્ય હક્કને બીજા રાજ્યમાં નકારવામાં આવે કે તે માટે જનતાને ઉશ્કેરવામાં અને એવો પ્રચાર કરવામાં આવે તો તેમાંથી ઘણું અભિપ્રેત થાય છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યના હિતનો વિરોધી છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં કોઈ અધિકાર ધરાવતો નથી.

એક રાજ્યના નાગરિકનું જો બીજા રાજ્યમાં બોલવાનું પણ જો આવકાર્ય ન હોય એવો પ્રચાર કરવામાં આવે તો તેનો અર્થ એમજ થાય કે તે બીજા રાજ્યનો હિતૈષી નથી.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં જો બોલવાનો અધિકાર ગુમાવે તો તે આપોઆપ તે બીજા રાજ્યમાં નોકરી અને વ્યવસાયનો અધિકાર પણ ગુમાવે છે. સંદેશો આને બોધ તો આજ જાય છે.

આ જાતનો પ્રચાર, ભારતીય બંધારણને બદલાવવાનું સૂચન કર્યા વગર, કરવો તે બંધારણનું અપમાન છે. એટલું જ નહીં પણ આને અરાજકતા ફેલાવવાનો દુરાચાર જ કહેવાય.

અરાજકતા ફેલાવવી એ દેશદ્રોહ જ કહેવાય. જ્યારે કોઈ એક નેતા અને સત્તાના હોદ્દેદાર દ્વારા જો આવો અરાજકતાને ઉશ્કેરવાનો આચાર પ્રચાર કરવામાં આવે તો તેને પદચ્યૂત કરી તેની નાગરિકતા રદ કરવી જોઇએ.

એક નાગરિકને, બીજા રાજ્યમાં “બાહરી” રાજ્યનો જો ગણવામાં આવે તો તે બીજા રાજ્યમાં મિલ્કત ધરાવવાનો અધિકાર પણ ગુમાવે જ છે. એટલે કાંતો તેણે ભાડે રહેવું પડે કે તેણે હોટેલમાં રહેવું પડે. જો બોલવાનો અધિકાર પણ ન હોય તો તેને નોકરી કરવાનો અધિકાર તો હોય જ નહીં તેથી ક્વાર્ટર્સ ફાળવવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી.

એક રાજ્યના નાગરિકને બીજા રાજ્યમા ગુનો કરવાનો અધિકાર તો હોઈ જ ન શકે. તેથી તે બીજા રાજ્યમાં જઈ જાહેર કે ખાનગી મિલ્કત એટલે ફુટપાથ, રસ્તા, જાહેર જમીન વિગેરે ઉપર લારી, ગલ્લા, કે પાથરણા પાથરી દબાણ પણ ન કરી શકે. તેટલું જ નહીં તે એવી માગણી કે હક્ક પણ ન જ કરી શકે. કારણે કે તેનું બોલવું આવકાર્ય જ નથી

હવે નીતીશકુમાર જેવા નેતાઓએ મુંબઈ મહારાષ્ટ્રમાંથી ઉચાળા ભરવા જોઇએ. નીતીશ કુમારે નૈતિકરીતે બિહારની બહાર નોકરી ધંધા અને દબાણ કરતા બધા જ બિહારીઓને બિહારમાં પાછા બોલાવી લેવા જોઇએ. નીતીશકુમાર પોતે સત્તાનો હોદ્દો ધરાવે છે. તેથી કાંતો બિહારની બહાર “બાહરી ગણાતા” બિહારીઓને બિહારમાં જ રાખવા જોઇએ અથવા તો નીતીશકુમારે પોતે દેશ છોડીને જતા રહેવું જોઇએ. જો તેઓ આમ ન કરે તો તેમની ઉપર કામ ચલાવી તેમને કાળાપાણીની સજા કરવી જોઇએ.

આતંકવાદને પ્રોત્સાહન આપવાના ગુનાઇત કૃત્ય પછીનું દેશદ્રોહનું કૃત્ય, નાગરિકોમાં “બાહ્ય અને બિહારી”ના આધાર પર ત્યાજ્ય ગણવા, તે જ છે.

તમે વિચારો, જો બધા જ રાજ્યના લોકો નીતીશકુમારના આ વિઘાતકવાદી મન્તવ્યને આચરે તો દેશની શી દશા થાય? દેશ આખો જીલ્લા અને તાલુકા સુધી વિભાજિત થઈ જાય. કારણ કે એક વખત જો રાજ્ય કક્ષાએ વિભાજનવાદી મનોવૃત્તિને પ્રોત્સાહન મળે તો તે વૃત્તિને જીલ્લાસ્તરે અને તેને તે પછી તાલુકા કક્ષાએ પહોંચતા વાર ન લાગે. જો આવી રીતે ભારતીય નાગરિકોને વિભાજિત કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે તો ધર્માંધતામાં રાચતા પક્ષો અને જુથો બળવત્તર બને અંતે ધર્માંધતા અને પોતાના ધર્મને પ્રસારવાની મનોવૃત્તિ વાળા જુથો આતંકતા વાદ તરફ વળે

(૨) મુસ્લિમ લીગ એક હળાહળ અને હાડોહાડ કોમવાદી સંસ્થા છે. કોઈ પણ બીન મુસ્લિમ વ્યક્તિ મુસ્લિમ લીગનો સદસ્ય બની શકતો નથી. મુસ્લિમ લીગનો એજન્ડા એ જ છે જે સ્વતંત્રતા પૂર્વે હતો. મુસ્લિમ લીગ ભારતીય બંધારણ પ્રમાણે પણ એક કોમવાદી સંસ્થા છે. આ મુસ્લિમ લીગ નહેરુવીયન કોંગ્રેસનો સહભાગી સહયોગી પક્ષ છે. આ બધું હોવા છતાં પણ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પોતાને ધર્મનિરપેક્ષ માને છે એટલું જ નહીં પણ તેઓ બીજેપીને કોમવાદી પક્ષ માને છે. જ્યારે જ્યારે જરુર પડે અને લાગ આવે ત્યારે તેઓ કોમવાદ અને બીજેપીને એકબીજા સાથે સાંકળી બીજેપીની ભર્ત્સના કરે છે. આમ જુઓ તો બીજેપીના દ્વાર બધા જ ધર્મીઓ માટે ખૂલ્લા છે.

બીજેપીના દ્વાર બધા માટે ખૂલ્લા હોવા છતાં પણ,

બીજેપીમાં અહિન્દુઓ હોવા છતાં પણ,

તેમજ અહિન્દુઓ બીજેપી સરકારમાં હોદ્દાઓ ભોગવતા હોવા છતાં પણ,

અહિન્દુઓને જે વિશેષ લાભો મળતા ચાલુ રહ્યા હોવા છતાં પણ,

બીજેપીને જે મોટા ઉપાડે કોમવાદી પક્ષ કહેવાનું વરણાગીયાપણું કેટલાક દંભી ધર્મનિરપેક્ષીયોએ રાખ્યું છે તે “વદતઃ વ્યાઘાત” જેવું છે.

બીજેપીને કોમવાદી કહેવાનો આધાર આ વરણાગીયા દંભીઓ માટે કયો છે?
આરએસએસ અને વીએચપીવાળા બીજેપીનો પ્રચાર કરે છે એ કારણસર બીજેપીને કોમવાદી કહી શકાય? ના જી. એવું તો ન જ તારવી શકાય. કારણ કે જો આ રીતે તારવણીઓ કરીએ તો નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તો આતંકવાદી અને અસામાજિક તત્વો જ કહેવાય.

યાદ કરો:
૨૦૦૧ના અરસામાં નરેન્દ્ર મોદીએ એક જગ્યાએ ભાષણમાં કહેલ કે ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે. કારણકે બીજેપી કોમી દંગાઓને પ્રોત્સાહન આપતો નથી.

આ સમાચાર જાહેર થયા પછી સાબરમતી એક્સપ્રેસનો હિન્દુઓથી ભરેલો ડબ્બો ૨૦૦૨માં ફેબ્રુઆરીમાં ગોધરામાં મુસ્લિમો દ્વારા પૂર્વ આયોજન પૂર્વક સળગાવી દેવામાં આવ્યો અને ૫૯ મુસાફરોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ બનાવની વિષે નહેરુવીયન કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ “ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે” એવું કહીને મુસ્લિમોને દંગા કરવા ઉશ્કેર્યા હતા.

હવે સમજી લો કે આ પ્રમાણેનું મુસ્લિમોનું માનસ ઘડવા માટે કોણ જવાબદાર ગણાય? ખચિત રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસકો જ ગણાય. અને તેથી જ્યારે નહેરુવીયન કોંગ્રેસના નેતા આવી રીતે મુસ્લિમો દ્વારા પ્રાયોજિત હિન્દુ સંહારનો બચાવ કરે ત્યારે તો તેમની બેજવાબદારી સિદ્ધ થઈ જાય છે. એટલું જ નહીં નહેરુવીયન કોંગ્રેસના નેતાગણ ખુદ નરાતર કોમવાદી છે તે પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના એક વખતના મંત્રી શશી થરુર શું બોલેલા ખબર છે?

હાજી આ શશી થરુર પાકિસ્તાની ચેનલના વાર્તા-ચર્ચા આલાપમાં જે બોલેલા તે ચોંકાવનારું છે. કાશ્મિરના હિન્દુઓની જે કત્લેઆમ થયેલી અને કાશ્મિરના હિન્દુઓની તેમના ઘરમાંથી હકાલ પટ્ટી કરવામાં આવેલી તે વિષે આ શશી થરુરે કહેલ કે “આ પ્રક્રિયા આરએસએસના પ્લાન પ્રમાણે થયેલી.”

હાલમાં જ નહેરુવીયન કોંગ્રેસના એક પૂર્વ મંત્રીએ પાકિસ્તાની એક ચેનલના ચર્ચા-વાર્તાલાપમાં પાકિસ્તાનીઓને કહેલ કે “પાકિસ્તાન અને ભારત વચ્ચે ના સંબંધો સુધારવા હોય તો તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે”.

આ નહેરુવીયન કોંગ્રેસની માનસિકતા કેવી છે? પાકિસ્તાનની સરકારની પાસે આ નહેરુવીયન કોંગ્રેસના સરકારી મંત્રી, નરેન્દ્ર મોદીની સરકારને હટાવવા પાકિસ્તાનની મદદ માગે છે.

પાકિસ્તાનની આઇએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર એ બંને પાકિસ્તાનની સરકારનો હિસ્સો છે. આઈએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભારતમાં ત્રાસવાદ દ્વારા ખૂના મરકી કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ આ હકિકતથી અજાણ નથી અને નથી જ. હવે જ્યારે આ કોંગ્રેસ પાકિસ્તાનને એમ કહે કે “નરેન્દ્ર મોદીને તમે હટાવો” તો તેનો અર્થ એમ જ થાય કે તમે ભારતમાં આતંકવાદ એ હદે ફેલાવો કે ભારતની જનતા ત્રાહીમામ ત્રાહીમામ થઈ જાય અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વાતાવરણ તૈયાર થાય જેથી નરેન્દ્ર મોદીની સરકારનું પતન થાય.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની આ માનસિકતા છે. આને તમે કોમવાદી નહીં કહો તો શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના કોમવાદી માનસનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં મુસ્લિમ કોમવાદ અને પ્રત્યેક પ્રકારના આતંકવાદના મૂળ નહેરુવીયન કોંગ્રેસમાં છે. આ વિષે મોટાં પુસ્તકો લખી શકાય તેમ છે અને લખાયાં પણ છે.

૧૦૬૨માં જ્યારે ભારત ઉપર ચીને આક્રમણ કરેલ ત્યારે પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓએ ચીનની સેનાને “મૂક્તિ-સેના” તરીકે ઓળખાવી હતી. તેના સ્વાગત માટે તેઓ બેનરો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ સામ્યવાદીઓની સાથે રાજકીય ગઠબંધન નહેરુવીયન કોંગ્રેસે અનેક વાર કર્યું છે. શું આપણા દેશ ઉપર આક્રમણ કરનારી દુશ્મનની સેનાને આવકારવી એ દેશદ્રોહી કામ નથી? દુશ્મનની સેનાને આવકારનાર પક્ષની સાથે ગઠબંધન કરવું એ પણ દેશદ્રોહી કામ જ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ એ હદ સુધી અને એટલા બધા પ્રમાણમાં સામાજિક અને બંધારણીય રીતે ભ્રષ્ટ છે કે તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને તેમની ભ્રષ્ટતા નજરે પડશે. આ કારણથી તેમના ઉપર આક્રમણ કરવું સાવ જ સરળ છે.

(3) વ્યર્થ વિવાદોના જનક એટલે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ બિહારની ચૂંટણીને લક્ષમાં રાખીને અનામત અને અસહિષ્ણુતાનો મીથ્યા વિવાદ ચગાવેલો.

બિહારની ચૂંટણીમાં આ ઠગ ગઠબંધાનને સફળતા મળી છે.

06 COME ON - IT CANNOT GO WRONG EVERY TIME

અનામતના મુદ્દાને ગુજરાતના પટેલો માટે ચગાવીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમને આંશિક સફળતા મળી છે. તેથી તેઓ તેને હજુ ચગાવી રહ્યા છે. હવે તેઓ રામ મંદિરનો વિવાદ પણ ચગાવવા માટે સજ્જ થયા છે.

આ બધા જ મુદ્દાઓ ઉપર આ ઠગ મંડળ ઉપર વૈચારિક આક્રમણ કરી શકાય તેમ છે.

બીજેપી નેતાઓએ અને દેશના હિતેચ્છુઓએ આને એક ચેલેન્જ તરીકે અને દેશ પ્રત્યેની ફરજ તરીકે સમજીને પ્રત્યાઘાતો આપવા બેહદ જરુરી છે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ ઉપર પ્રહાર કરવા માટેના શસ્ત્રો માટે તમારે એતતકાલિન સમયના બનાવોને જ મદદમાં લેવા જરુરી નથી. કારણ કે નહેરુવીયન કોંગ્રેસનો જન્મ નહેરુએ વડાપ્રધાન થવા માટે મમત રાખી ત્યારથી થયો છે. તમે નહેરુવીયનોના કુકર્મોનો આધાર તે સમયથી લઈ શકો.

શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, જુઠાણા, આક્ર્મણ, કટારીયા, સમાચાર માધ્યમ, કોલમીસ્ટ, સંદર્ભ, મુદ્દા, પ્રત્યક્ષ, પરોક્ષ, બિહાર, ચૂંટણી, નાગરિક, અધિકાર, ઘૃણાસ્પદ, દેશદ્રોહ, વિભાજનવાદી, વિઘાતક, પ્રાંત, રાજ્ય, સ્વાતંત્ર્ય, નોકરી, વ્યવસાય, અરાજકતા, આતંક, હિન્દુ સંહાર, બાહરી, નીતીશકુમાર, મુસ્લિમ લીગ, કોમવાદ, દંગા, નરેન્દ્ર મોદી, મૂક્તિસેના, સ્વાગત, બીજેપી

Read Full Post »