Feeds:
Posts
Comments

Posts Tagged ‘બિહારી મુસ્લિમ’

નહેરુવીયન કોંગ્રેસનુંકલ્ચર અને કટોકટીનો કાળોકેર-૧

જ્યારેતમેનહેરુવીયનકોંગ્રેસનાપ્રત્યક્ષ કે પ્રચ્છન્ન ચાહકની પાસે કટોકટીની  વાત કરો એટલે તે તૂર્તજ શું કહેશે?

તમે હિન્દુસ્તાનીઓ ભૂતકાળમાં જ જીવ્યા કરો છો.

અથવાતો

એમકહેશે કે આપણા દેશવાસીઓ ક્યાં સુધી ભૂતકાળને યાદ કર્યા કરશે. ભૂતકાળ ભૂલી જાઓ. હવે આગળનું વિચારો. હવે તમારે શું કરવું છે?

ભૂતકાળ ક્યારે ભૂલી જવાય?

બીજીક્ષણઆવેએટલેપહેલીક્ષણભૂતકાળહોયછે. પણઆપણેકદીપહેલીક્ષણભૂલીજતાનથી. શુંકામ?

કારણકે બીજી ક્ષણ ઉપર પહેલી ક્ષણનો પ્રભાવ હોય છેપહેલી ક્ષણ બીજી ક્ષણમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. ગઈકાલનો પ્રભાવ આજ ઉપર હોય છે. અને આજની અંદર ગઈકાલ સમાએલી હોય છે.

તમે ગઈકાલે જે જમ્યાએ ભોજનનો અમુક ભાગજે તમારા શરીર માટે જરુરી ન હતોતે તમારા શરીરે મળદ્વારા આજે સવારે કાઢી નાખ્યો. જે જરુરી હતું તે શરીરે રાખી લીધું અને તમારું જીવન આગળ ચાલ્યું. જો તમે જે જરુરી ન હતું તે શરીરમાંથી બહાર ન કાઢી શકોતો તમારે તેનો ઉપચાર કરવો પડે. અને ન કરો તો તમારું શરીર રોગનું ઘર બની જાય.

કટોકટી લાદવાની માનસિકતા અને વૃત્તિ

ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી? શું કટોકટી લાદવાની વૃત્તિ (આપખુદ બનવાની વૃત્તિકોંગ્રેસનો સ્વભાવ હતો, કે તે ઈન્દીરા ગાંધીના જીનમાં આ વૃત્તિ હતી કે આ વૃત્તિ તેની પોતાની ઊપજ હતી?

સત્તા ભોગવવી સામાન્ય રીતે સૌને ગમે.

જો તમે પૈસે ટકે સુખી હો તો તમને સત્તા ભોગવવી વધુ ગમે.

જો તમે સત્તાધારીના ફરજંદ હો તો તમે સત્તા વગર રહી ન શકો. હોદ્દા અને જવાબદારી વગરની સત્તા ભોગવવાથી પણ તમે તમારી જાતને દૂર રાખી ન શકો.

મોતીલાલ નહેરુ પૈસે ટકે ઠીક ઠીક સુખી હતા. અંગ્રેજ સરકારે સફેદ કોલરવાળાઓનું એક જુથ બનાવ્યું હતું જે ભારતની જનતા અને અંગ્રેજ સરકાર વચ્ચે ઈન્ટરફેસનું કામ કરે. આથી કરીને ભારતની અંગ્રેજ સરકારને અગર ભારતીય જનતાને સમજવા માટે એક મધ્યસ્થી સંસ્થા મળે. આપણા મોતીલાલ નહેરુ આ સફેદ કોલરવાળાની જમાતના એક અગ્રણી સદસ્ય હતા.

વિચારશીલ જનતાને અને ખાસ કરીને ભણેલા ગણેલાઓને અને તે સમયના વળી અંગ્રેજી ભણેલાઓને ચીલાચાલુ  જીંદગી માફક ન આવે તેથી આ કોંગ્રેસી સદસ્યો કંઈકને કંઈક મુદ્દાઓ ઉઠાવીને પોતાના ફલતુ સમયનો ઉપયોગ કર્યા કરતા હતા. તે વખતના અંગ્રેજી અને સ્થાનિક ભાષાના વર્તમાન પત્રોમાં આ ઓકો ચમક્યા કરતા, અને ખુશ થતા. જેઓ વકીલો હતા તેઓ વધુ ખુશ થતા.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોથી જુદો ચીલો ચાતર્યો.

હિન્દુસ્તાનીઓ ગધેડાઓની જેમ એક જ રંગવાળા હોતા નથી. તેઓ ઘોડા અને ગાયની જેમ, કાળા, રાતા, ભૂખરા, સફેદ એમ અનેક રંગવાળા હોય છે. અંગ્રેજો, દક્ષિણ આફ્રિકામાં કાળા કે સ્યામલ એવા ભારતીયોને મજુરી માટે લઈ ગયા. સાથે બીજા લોકો પણ ગયા. વેપારીઓ પણ હતા અને થોડા વધુ ગયા. દક્ષિણ આફિકામાં અંગ્રેજો, કાયદેસર રીતે આ ભારતીયોને કાળા આફ્રિકનોની જેમ અપમાનિત કરતા હતા. ગાંધીજીને આત્મસાત થયું કે ભારતીય મનુષ્યોનું અપમાન થાય છે. તેમણે લડત ચલાવી અને દક્ષિણ આફ્રિકા સ્થિત ભારતીયોના સાથથી ઘણે અંશે સફળ થયા અને ખ્યાતિ પણ પામ્યા. પોતાની આ પાર્શ્વભૂમિકા સાથે ગાંધીજી ભારત આવ્યા અને કોંગ્રેસમાં દાખલ થયા. તેમને અનુભવ હતો કે જો ભણેલા, અભણ, કાળા ધોળા, ગરીબ, તવંગર વિગેરેનો ભેદ રાખ્યા વગર, તેમનો સાથ લઈ સરકાર સામે લડત ચલાવીએ તો સફળ થવાય છે. ગાંધીજીએ કોંગ્રેસના દરવાજા બધા માટે ખોલી નાખ્યા.

ગાંધીજીને ચંપારણના સત્યાગ્રહમાં સફળતા મળી. કમસેકમ સ્થાનિક સ્વરાજ્યનું સ્વપ્ન તો જન્મી જ ચૂક્યું હતું. ગાંધીજીના “સાદું જીવન અને ઉચ્ચ વિચારો”એ ભારતના જનમાનસ ઉપર બેસુમાર અસર કરી.

મોતીલાલે નવરાધૂપ જવાહરને ગાંધીજી સાથે ભેળવ્યા કે જેથી કરીને જવાહરને કોઈ સારો હોદ્દો મળે. જલીયાનવાલા બાગમાં અંગ્રેજ સરકારે જે કતલ ચલાવેલી તે પણ યુવાન જવાહર માટે કોંગ્રેસમાં દાખલ થવાનું કારણ હતું. જનતાનો આક્રોષ મોટો હતો. ૧૯૨૧માં અંગ્રેજ સરકારે કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ ઉપર “બાન” મુક્યો હતો. અને નહેરુ ને જેલવાસ થયેલ. આ જેલવાસમાં તેમણે કાર્લમાર્ક્સને વાંચેલ. જનતાના સહારે સત્તા કેમ મેળવાય તે તેઓ સમજેલ.

અંગ્રેજસરકારનું રાજ “કાયદાનું રાજ” હતું. સરકારી નોકરોને “રોકડી” કરવાની તક હતી નહીં. “લાંચ રુશ્વત” ન હતી પણ દાણાપાણી મફત મળી જતા. પણ જો “દાણા પાણી” વેચીને રોકડી કરવા જાઓ તો બદનામ થાઓ. ખાદ્ય વસ્તુઓ તમે કેટલી ખાઈ શકો?

જવાહરલાલ સરકારી નોકરી કરી શકે તેમ હતા નહીં કારણકે તે ઈન્ડીયન સીવીલ સર્વીસમાં નાપાસ થયેલ. બી.એસસી થયેલ. પણ તે વખતે બીએ ની બોલબાલા હતી. પિતાશ્રી પાસે પૈસા હતા. જન આંદોલનથી ખ્યાતિ મળતી હતી. ખ્યાતિથી સત્તા મળવાના ચાન્સ હતા. તે વખતે જીવન સાદું હતું. અનાજ પાણી મળે તે પૂરતું હતું. નહેરુ દિલના ઉદાર હતા. અને તેમણે પોતાના ઘરને મધ્યમ કક્ષાસુધીના આંદોલન કારીઓ માટે ધર્મશાળા બનાવેલ. તેઓ થોડા વરણાગીયા પણ હતા તેથી  તેઓ યુવાનોમાં લોકપ્રિય હતા. સુભાષબાબુ પણ યુવાનોમાં લોકપ્રિય હતા. સુભાષબાબુ દંભી ન હતા. પણ કોંગ્રેસના સિદ્ધાંતો સાથે સુભાષ બાબુની તીવ્રતાનો મેળ બેસતો ન હતો. જીન્નાને ગાંધીજીના સત્યાગ્રહ અને અસહકારમાં બીજા ઘણા લોકોની જેમ વિશ્વાસ ન હતો. તેથી તેઓ કોમવાદ ઉપર ગયા. અ બાબતને ઈન્દીરા ગાંધીના  જાતિવાદ, ગરીબી-અમીરીભેદ-વાદ અને કટોકટી સાથે સરખાવી શકાય.

ટૂંકમાં ઈન્દીરા ગાંધીની સત્તા લાલસા તેના કૌટૂંબિક જીનમાં હતી. ઈન્દીરા ગાંધીએ ૧૯૫૮માં પણ કેરાલાની સામ્યવાદી સરકારને પદભ્રષ્ટ કરવા અબંધારણીય માર્ગ અપનાવેલ. અને જે મુસ્લિમ લીગને તેના પિતાશ્રી  દુશ્મન નંબર વન માનતા હતા, તે મુસ્લિમ લીગ સાથે, પિતાજીની હયાતીમાં જ તેમની સંમતિ સાથે, ગઠબંધન કરી સીપીઆઈ ને મધ્યવર્તી ચૂંટણીમાં પરાસ્ત કરેલ. જોકે સીપીઆઈની મતની ટકાવારી વધી હતી.

શું ઈન્દીરા ગાંધી કાબેલ હતી?

નાજી. ઈન્દીરા ગાંધી, કાયદાકીય આંટીઘુંટીની સમજણ, કાયદાકીય વહીવટ અને  હાજર જવાબીમાં તે કાબેલ ન હતી. પણ રાજકીય કાવાદાવા અને રાજકીય આંટીઘુંટીમાં કાબેલ હતી. કહેવાય છે કે રશીયાની સામ્યવાદી સરકાર તેમની સલાહકાર હતી. રાજકારણમાં પૈસાની બોલબાલા હોય છે. સત્તા હોય, તમારી પાસે પૈસા હોય અને સંપર્ક હોય તો તમે મોટાભાગના નેતાઓને વશમાં રાખી શકો. અને રાજકારણ સાપેક્ષીય બહુમતિ ચાલે છે.

ઈન્દીરા ગાંધી, કાવાદાવા ગળથુથી માંથી શિખેલ. પક્ષના પૈસાનો વહીવટ તેણે પોતાને હસ્તક લઈ લીધેલ. ઈન્દીરા ગાંધીનું લક્ષ્ય સત્તા અને માત્ર સત્તા હતું. સાધન અશુદ્ધિનો છોછ ન હતો. તેના પિતાશ્રીને સાધન અશુદ્ધિનો છોછ રાખવો પડેલો. કારણ કે સત્તા મેળવા અને તેને ટકાવવા સાધનની અશુદ્ધિ રાખવી એટલે બીન લોકશાહી અને સરમુખત્યારી વલણ કહેવાય. જવાહરલાલ નહેરુએ સ્વરાજ્યના આંદોલન દરમ્યાન લોકશાહીની તરફેણમાં જીભ કચરેલી એટલે જવાહર લાલથી, જે મોઢે હિરા ચગળ્યા હોય તે મોઢે કોલસા કેવી રીતે ચવાય?

પણ ઈન્દીરા ગાંધીને માટે આવું કશું ન હતું. નાગાને નાહવું શું અને નીચોવવું શું?

સીન્ડીકેટને પરાજય આપ્યા પછી તે બેફામ બની. અને રાષ્ટ્રીયકૃત બેંકના પૈસાની લૂંટમ લૂંટ ચાલી. બેંકના કર્મચારીઓ પણ બેફામ બન્યા. તે વખતના સમયમાં રોજના એક કરોડ રુપીયાના ડીડી બોગસ બનતા હતા.

આર્થિક અરાજકતામાં પાકિસ્તાનમાં પણ પ્રશ્નો ઉભા થયા. પૂર્વપાકિસ્તાનનમાંથી એક કરોડ બીન બંગાળી ભાષી મુસ્લિમોએ મોટા પાયે હિજરત કરી.

પાકિસ્તાન અને અમેરિકા ભારતને સમજવામાં

હમેશાં ગોથા ખાય છે.

પાકિસ્તાન સમજ્યું કે ભારતમાં અરાજકતા છે. જનમત ઈન્દીરા સરકારની વિરુદ્ધમાં છે. ઈન્દીરા ગાંધી,  બિહારી (બીન-બંગાળી ભાષી)ઘુસણખોરીની બાબતમાં અનિર્ણાયકતાની કેદી છે. આપણા ઘુસણખોરોની બાબતમાં અમેરિકા આપણી મદદમાં છે. ભારતનું લશ્કર ઈન્દીરા ગાંધી ઉપર પાકિસ્તાન ઉપર આક્રમણ કરવા માટે દબાણ કરી રહ્યું છે. આવા સંજોગોમાં ભારતની હવાઈ પટ્ટીઓ ઉપર આક્રમણ કરી તેના હવાઈ દળની શક્તિને તોડી નાખીશું તો તેની માનસિક અસર બહુ મોટી પડશે. મુજીબુર રહેમાન જે બંગ્લાદેશ માટેની ચળવળ ચલાવતા હતા તેમને પણ રાજકીય રીતે ખતમ કરી શકાશે. આમ વિચારીને પાકિસ્તાને મુજીબુર રહેમાનને વાટોઘાટોમાં વ્યસ્ત રાખ્યા અને ભારતની લશ્કરી હવાઈ પટ્ટીઓને ખતમ કરવા આક્ર્મણ કર્યું.

વડાપ્રધાન મૂર્ખ હોય કે ન હોય. લશ્કર મૂર્ખ હોતું નથી. ભારતીય લશ્કરે તો પૂરી તૈયારી રાખેલ જ. અને લશ્કરી હવાઈ પટ્ટીઓને રંગથી અદૃષ્ય કરી દીધેલ. હવે ઈન્દીરા ગાંધીપાસે, યુદ્ધ સિવાયનો વિકલ્પ ન હતો.

શું આ વિજય ગૌરવ શાળી હતો?

હા અને ના.

“હા” એટલા માટે કે ભારતીય જનતા અને ભારતીય લશ્કર યુદ્ધમાટે થનગનતું હતું. ફક્ત ઈન્દીરા ગાંધીની અનિર્ણાયકતાએ તેને રોકી રાખ્યું હતું અને આ અનિર્ણાયકતાના ફલસ્વરુપ એક કરોડ બંગ્લાદેશી ઘુસણખોરોએ બંગાળ અને પૂર્વોત્તરરાજ્યોમાં સામજીક જીવન અસ્તવ્યસ્ત કરી નાખેલ. પૂર્વોત્તર રાજ્યોમાં અલગતા વાદના બીજ રોપાઈ ગયેલ. જોકે તેની કૂંપળો હજી ફૂટેલ નહીં.

“ના” એટલા માટે કે પાકિસ્તાન માટે કપરાં ચડાણ હતાં. પાકિસ્તાને ધારેલ કે હવાઈ આક્ર્મણ થી ભારતની હવાઈ ક્ષમતા નષ્ટ થશે. પણ તેવું થયું નહીં. ભારતે હવાઈ રસ્તો સીલ કર્યો.

પાકિસ્તાનને બંગ્લાદેશમાં શસ્ત્ર સરંજામ પહોંચાડવા માટે દક્ષિણનો શ્રીલંકાનો આંટો મારવો પડતો હતો. પૂર્વપાકિસ્તાનની બંગાળીભાષી જનતાનો ભારતીય લશ્કરને સપોર્ટ હતો. આજ જનતા પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરને ધૂત્કારતી હતી. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેનો ઝગડો બંગાળી ભાષાને અને બંગાળીઓની અવમાનનાને લગતો લગતો હતો. પૂર્વપાકિસ્તાનની વસ્તી પશ્ચિમ પાકિસ્તાન કરતાં વધુ હતી અને મુજીબુર રહેમાનનો પક્ષ બહુમતિથી ચૂંટાઈ આવેલ છતાં પણ પશ્ચિમ પાકિસ્તાનના પ્રભૂત્વ વાળા લશ્કરી શાસકો મુજીબુર રહેમાનને શાસનનીધૂરા સોંપવામાં અખાડા કરતા હતા. બંગાળીભાષીઓને તેમનો હક્ક જનસંખ્યાના પ્રમાણમાં મળતો ન હતો. બંગાળી મુસ્લિમોના માનવ હક્કોનું હનન થતું હતું. પાકિસ્તાનનું લશ્કર અનેક મોરચે લડતું હતું.

અમેરિકાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. ભારતને અન્યાય થાય  તે બાબતમાં અમેરિકાને કશો વાંધો ન હતો. પૂર્વપાકિસ્તાન આઝાદ થઈ બંગ્લાદેશ બને એમાં અમેરિકાને વાંધો ન હતો. પણ બંગ્લાદેશ બનવામાં ભારત જશ ખાટી જાય તે અમેરિકાને મંજુર ન હતું. આ જશ અમેરિકા પોતે લેવા માગતું હતું. પણ તે દરમ્યાન પાકિસ્તાને ભારત ઉપર આક્ર્મણકરી દીધું. હવે અમેરિકા માટે એજ જોવાનું હતું કે ભારત પશ્ચિમ પાકિસ્તાન ઉપર કબજો ન કરી લે. એટલે અમેરિકાએ તેનો સમૂદ્રી બેડો ભારત તરફ રવાના કર્યો. અમેરિકાને પશ્ચિમ પાકિસ્તાન ગુમાવવું પરવડે તેમ ન હતું.

આમ પ્રતિકુળ સંજોગોમાં, યુદ્ધને રવાડે ચડેલા પાકિસ્તાનના સૈન્યને ભારતે ભરપૂર રીતે હરાવ્યું.

સમજી લો. ભારતનું સૈન્ય કદી હાર્યું નથી.

જો જવાહરલાલે, સરદાર પટેલની ચીનની મનોવિષયક ચેતવણીને લક્ષમાં લીધી હોત અને હિમાલયની સરહદને રેઢી ન મુકી હોત તો ભારતે ૧૯૬૨માં ચીનને પણ હરાવ્યું હોત. આજ થી ૨૩૫૦ વર્ષ પહેલાં વિશ્વવિજેતા સિકંદરને પણ ભારતના એક નાના, પણ શૂરવીર રાજા પર્વતરાજે,  નાની યાદ કરાવી દીધેલ. તેના અનુગામી સેલ્યુકસને ચંદ્રગુપ્ત મૌર્યે ખરાબ રીતે હરાવેલ. વિક્રમાદિત્યે શક અને હુણ વિજેતાઓને હરાવ્યા હતા. વિક્રમાદિત્યનું સામ્રાજ્ય અરબસ્તાન અને ઈરાન સુધી હતું. હર્ષવર્ધન હતો ત્યાં સુધી ભારતનું લશ્કર અજેય હતું.   મુસ્લિમ આક્રમકોને ભારત ઉપર પ્રભૂત્વ જમાવતાં ૬૦૦ વર્ષ લાગેલ. તે દરમ્યાન તેઓ ભારતીય થઈ ગયેલ. હા. દરેક દેશને કાળો યુગ આવે છે. તેમ ભારતને પણ ૧૮૦૦ થી ૧૯૪૭ સુધીનો વિદેશી શાસકોવાળો કાળો યુગ આવ્યો. અને ૧૯૪૭ થી ૨૦૧૪ સુધીનો દેશી શાસકોવાળો કાળો યુગ આવ્યો. ચોક્કસ વચ્ચેના ૧૯૭૭-૧૯૮૦ અને ૧૯૯૯-૨૦૦૪માં સારા દિવસોની ક્ષણો આવેલ જે દરમ્યાન ભારતે લોકશાહીને લગતા પ્રાવધાનો મજબુત કરેલ અને એક સારી માળખાકીય પ્રગતિના શ્રી ગણેશ કરેલ.

જ્યાંસુધી પાકિસ્તાન અને ભારતના ૧૯૭૨ના યુદ્ધની વાત છે, ત્યાં સુધી એક વાત સમજી લો ભારતને સંપૂર્ણ રીતે અનુકુળ પરિસ્થિતિવાળું (અને પાકિસ્તાન માટે પ્રતિકુળ પરિસ્થિતિવાળું)  યુદ્ધ ભારતે જીત્યા સિવાય છૂટકો ન હતો.

ચીન સામે ભારત અત્યંત ખરાબરીતે હાર્યું તો બધો અપયશ વીકે મેનનની ઉપર ઢોળવામાં આવ્યો. જવાહરે ફેસ સેવીંગ ફોર્મ્યૂલા તરીકે સંરક્ષણ મંત્રાલયના બે ભાગ કરી નાખ્યા. અને કામરાજ પ્લાનનું ધત્તિંગ રજુ કરી જનતાનું ધ્યાન બીજે દોર્યું. સમાચાર માધ્યમો પણ કાંતો બેવકુફ હતા કે નહેરુની ઠગવિદ્યાના ભાગરુપ હતા.

આ જીતનો બધો યશ ઈન્દીરા ગાંધીએ લીધો.

જે યશના તમે હકદાર નથી તે યશ તમે લો તો તમે સમજી લો તમારું પતન નિશ્ચિત છે. ૧૯૭૧થી ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વાગતા હતા. સંરક્ષણ મંત્રી જગજીવનરામ હતા. તેમણે સરકારની નીતિ જાહેર કરેલ કે જો આ વખતે યુદ્ધ થશે તો પાકિસ્તાનને એવો પાઠ ભણાવવામાં આવશે કે ભારતસામે આંખ ઉંચી ન કરી શકે. એક પેકેજ ડીલ થશે.

સિમલા કરાર

જે મુલક ભારત જીતશે તે પાકિસ્તાનને પાછો આપવામાં આવશે નહીં.

એક કરોડ મુસ્લિમ ઘુસણખોરો ને પરત લેવા પડશે

પાકિસ્તાનથી ભારત આવેલા નિર્વાસિતોની પાકિસ્તાનમાં રહેલી સંપત્તિનું વળતર આપવું પડશે,

પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓની સુરક્ષાની ખાત્રી આપવી પડશે

ભારત યુદ્ધનો ખર્ચ વસુલ કરશે

ભારત દંડની રકમ વસુલ કરશે

ભારત તેને થયેલી નુકશાની વસુલ કરશે

પાકિસ્તાને પાકિસ્તાનમાં કેદ થયેલ બધા જ કેદીઓને મુક્ત કરવા પડશે

કાશ્મિરનો કાયમી ઉકેલ આવવો પડશે. (જેના કબજામાં જે હિસ્સો છે તે તેનો ગણાશે)

આ પેકેજ માટે જો પાકિસ્તાન કબુલ થશે તો જ ભારત વાટાઘાટો માટે તૈયાર થશે અને ભારત તેણે કબજે કરેલા ૯૦૦૦૦ પાકિસ્તાની યુદ્ધકેદીઓ મુક્ત કરશે.

પણ પછી શું થયું? ઈન્દીરા ગાંધીએ શું કર્યું?

કશું જ વસુલ થયું નહીં.

ભારતે બધા જ પાકિસ્તાની યુદ્ધ કેદીઓને મુક્ત કર્યા.

પાકિસ્તાને પશ્ચિમ પાકિસ્તાનમાં કબજે કરેલા કોઈ કેદીઓને મુક્ત ન કર્યા. આજની તારીખમાં પણ પાકિસ્તાન પાસે ૧૯૭૧ના ૪૦૦ ભારતીય યુદ્ધ કેદીઓ જેલમાં છે.

પાકિસ્તાનના કબજા હેઠળનો કાશ્મિરનો જે હિસ્સો છે તેનો અમુક ભાગ આપણા લશ્કરે કબજે કરેલ. તે પણ ઈન્દીરા ગાંધીએ પરત કરી દીધો.

ઈન્દીરા ગાંધીએ, પાકિસ્તાનના ઝુલ્ફીકાર ભૂટ્ટોને અને તેમની પૂત્રી બેનઝીર ભૂટ્ટો જે “ટીન એજ” માં હતી તેમને માલમલીદા ખવડાવ્યા પીવડાવ્યા, બેનઝીરને શોપીંગ કરાવ્યું અને પરત મોકલ્યા.

એક સ્ટેજ એવું આવ્યું કે ઈન્દીરાને કહેવું પડ્યું કે કમસે કમ કાશ્મિરની સમસ્યા નો હલ નિકળે તો સારું.

તો ઝુલ્ફીકાર ભૂટ્ટોએ કહ્યું. મેડમ તમારે મને પાકિસ્તાનમાં જીવતો રાખવો છે કે નહીં? ધારો કે હું તમારી સાથે આવી સમજુતી કરું અને પાકિસ્તાનમાં મારું ખૂન થઈ જાય તો આ સમજુતીનો શો અર્થ રહેશે?

હવે નહેરુવીયન ફરજંદની બેવકુફી તો જુઓ, કે ઈન્દીરા ગાંધીને આ વાત ગળામાં શીરાની જેમ ઉતરી ગઈ. અંતે એટલું જ નક્કી થયું કે ભારત અને પાકિસ્તાને કોઈની મધ્યસ્થી વગર વાટાઘાટો દ્વારા જ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેવું. વાત પુરી.

બાંગ્લાદેશી ઘુસણખોરોનો પ્રશ્ન તો ભારતની પાકિસ્તાન સાથેની સમસ્યા હતી નહીં. કારણકે તે સમસ્યા તો હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની થઈ ગઈ હતી. મુજીબુર રહેમાન કહે હજી મને તાજો માજો તો થવા દો.

પશ્ચિમ પાકિસ્તાને ગુમાવેલું બધું જ મેળવ્યું. પૂર્વપાકિસ્તાને બંગ્લાદેશ મેળવ્યો. ભૂટ્ટો અને મુજીબુર રહેમાન પોતપોતાના દેશમાં કમોતે મર્યા. ભારતે જીતમાંથી જે મેળવ્યું હતું તે બધું જ ગુમાવ્યું. નવી સમસ્યાઓ મેળવી. સીમાપારનો આતંકવાદ અને વધુ ઘુસણ ઘોરી. હિન્દુઓની હિજરત તે નફામાં.

આટલી નિસ્ફળતાઓ અને સમસ્યાઓ નોંતરનાર ઈન્દીરા ગાંધી સામે જન આંદોલન ફાટી ન નિકળે તો જ આશ્ચર્ય ગણાય

Read Full Post »