ગુજરાતની મહાનગર પાલિકાઓની ચૂંટણી જીતવાનો રાજમાર્ગ
આ લેખ ફક્ત બીજેપીના હિતેચ્છુઓએ જ વાંચવો.
જેઓ જ્ઞાતિવાદ, કોમવાદ, જનવિભાજનવાદ, વંશવાદ, સ્વકેન્દ્રી માનસિકતા, જૈસે થે વાદ, પૂર્વગ્રહી અને દંભમાં જાણ્યે અજાણ્યે માનતા હોય તેમણે આ લેખ વાંચવો નહીં.
એવું સાંભળવામાં આવ્યું છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ તેના મકાનોની નવસંચરના કરવા માગે છે. જો કે આ આધારભૂત સમાચાર નથી. અને ગુજરાત હાઉસીંગ બોર્ડ સરકારી હોવાથી આવા નીતિવિષયક નિર્ણયો જાહેર કરી શકશે નહીં. પણ બીજેપી એક પૂરક ઘોષણા પત્ર દ્વારા જાહેર કરી, એક ટાઉનશીપ બનાવશે એવી જાહેરાત કરી શકે.
કોઈ એક વિસ્તાર પસંદ કરી, તે વિસ્તારમાં આવેલા જુના કે અને જર્જરિત કે અને ઓછા માળવાળા મકાનોને તોડીને તે વિસ્તારને અદ્યતન અને સુવિધાજનક અને સ્માર્ટ કેવી રીતે બનાવવો તે માટેની એક આછી રુપરેખા નીચે દર્શાવેલી લીંક પર ઉપલબ્ધ છે.
નહેરુવીયન કોંગ્રેસકે તેના સાંસ્કૃતિક સાથીઓ આ કામ નહીં કરી શકે
જો બીજેપી નવસંરચના (રીડૅવેલપમેન્ટ)ની યોજના બતાવશે તો આ બાબતમાં નહેરુવીયન કોંગ્રેસ અનેક ભયસ્થાનો બતાવશે. હવનમાં હાડકા નાખવા એ તેના ૧૯૫૦થી ગળથુથીમાં મળેલ સંસ્કાર છે. જો કે નહેરુવીયન કોંગ્રેસ એમ કહેશે કે નવસંરચના કામ તો અમે પણ કરીએ છીએ આને તેથી વધુ સારી રીતે કરી શકીએ. પણ ૬૦ વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના દર્શન પછી તેના ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. મુંબઈ અને મહારાષ્ટ્રમાં, એનસીપી અને નહેરુવીયન કોંગ્રેસના ઠગબંધને નવસંરચનાની બાબતમાં અનેક કૌભાંડો કર્યા છે. અને ગુજરાતમાં પણ ગરીબોને (પછાત વર્ગને) મદદ કરવાને નામે જમીના ટૂકડાઓ, નબળા મકાનો આપવામાં અનેક કૌભાન્ડો કર્યા છે. નહેરુવીયન કોંગ્રેસ હમેશા જૈસે થે વાદી અને સ્વકેન્દ્રી જ રહ્યું છે. નહેરુવીયન કોંગ્રેસે સરકારી નોકરોની આદતો, માનસિકતા અને નૈતિકતા ભ્રષ્ટ કરી છે. તેને ઉજાગર કરવાનું કામ કરવું તે દરેક નાગરિક કે જે “ઈન્ડીયા ફર્સ્ટ” માં માને છે તેની ફરજ છે.
મકાનોની નવ સંરચના કરવામાં સૌથી મોટી સમસ્યાઓ મિલ્કતના કબજેદારોને તૈયાર કરવાની છે. આ કબજેદારોનું નીચે જણાવ્યા પ્રમાણે વર્ગીકરણ કરી શકાયઃ
માલિક, લોનવાળા માલિક, લોનવગરના માલિક, ભાડવાત, ગેરકાયદેસર કબજેદાર, ઝોંપડપટી વાળા કબજેદાર, લારીવાળા કબજેદાર, પાથરણાવાળા કબજેદાર, ગલ્લાવાળા કબજેદાર, પોતે જ એફ એસ આઈનો ભંગ કરેલા કબજે દાર, બિલ્ડરે એફએસઆઈનો ભંગ કરીને મિલ્કત પાધરાવી દીધી હોય તેવા કબજેદાર, કોર્ટમાં મિલ્કતનો કેસ ચાલતા હોય તેવા કબજે દાર, કૌટૂંબિક ઝગડાવાળા કબજેદાર, સામુહિક કબજેદાર, ફ્લેટમાં રહેતા કબજેદાર, ટેનામેન્ટ કે બંગલામાં રહેતા કબજેદાર અને આ બધાનું મિશ્રણ હોય તેવા કબજેદાર.
ગુજરાત હાઉસીંગ બોર્ડના વિસ્તારોની વાત છે તેમાં ઉપરોક્ત વર્ગીકરણમાંથી ઘણા વર્ગની બાદબાકી થઈ જશે. કબજાના હક્કને કેવીરીતે સ્થાનાંતર કરવા તેના સુચારુ રુપે અને માનવીય રીતે નક્કી કરી શકાય.
શાસ્ત્રીનગર વિસ્તારની નવસંચરનાઃ
શાસ્ત્રીનગર વિસ્તારમાં શાસ્ત્રીનગર, વિજયનગર, પ્રગતિનગર, આદર્શનગર, વિગેરે આવે છે. આ બધા મકાનો જી+૨ અને જી+૩ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમુક એપાર્ટમેન્ટ અને તેના ઉપર બે કે ત્રણ માળ અને તેમાં પણ તેટલા જ એપાર્ટમેન્ટ્સ. કેટલાક ડુપ્લેક્સ પણ છે.
એમ-૫ અને એમ-૪ એ બધા ૨-બી.એચ.કે. છે. એલ-૪ માં હોલ અને રુમ નાના છે. એલ-૫ માં ૧-બી.એચ.કે. છે.
એમ-૪ માં અનિયમિત રીતે હાઉસીંગ બોર્ડે ૧૦ ફૂટ બાંધકામ લંબાવવાની પરવાનગી આપી છે. આ બધી પરવાનગીઓ સ્થાનિક રહેવાસીઓની કાયદેસરની અરજી, એસોસીએસનની નોટીસ, ઠરાવ અને મંજુરી પત્ર વગર આપવામાં આવી છે. આ બધું અવગણવું પડશે. જે કબજેદારોએ (માલિકોએ) આ એક્સ્ટેન્શન કર્યા છે તેમને “એમ-૫ એક્સ્ટેન્શન” એ રીતે ઓળખીશું. અને તેમને એક પ્રકોષ્ઠ વધુ આપવામાં આવશે.
પહેલાં એ સમજી લેવું જોઇએ કે આ બહુમાળી મકાનો પ્રીકાસ્ટેડ(પૂર્વ નિર્મિત) ઘટકોના (કોમ્પોનન્ટ્સના) બનેલા હશે.
પ્રીકાસ્ટેડ શા માટે?
બાંધકામને અતિ ઝડપી કરવા માટે પ્રીકાસ્ટેડ ઘટકો સિવાય ઉદ્ધાર નથી,
બાંધકામમાં પૂર્વનિર્મિત બાંધકામમાં માપમાં સમાનતા લાવીને બાંધકામના ભાવ નીચે લાવી શકાય છે, આથી આપણે ઓછામાં ઓછા ૫ બાય ૫ ચોરસ મીટરના (૨૫ ચોરસમીટરના) જ ખંડ બનાવવા જોઇએ જેથી ખરીદનાર, તેનો વૈવિધ્યતા પૂર્વક પોતાની સગવડતા અનુસાર ઉપયોગ કરી શકે, તેવી જ રીતે પેસેજની પહોળાઈ ૫ મીટર રાખીએ તો મોકળાશ પણ રહે. માપને સ્ટાન્ડર્ડાઈઝ કરવાથી ઈન્વેન્ટરી કન્ટ્રોલ થાય અને તે બધી રીતે સસ્તું પડે,
પૂર્વનિર્મિત ઘટકો દ્વારા બાંધકામ અને ઘટકોમાં ગુણવત્તાની ખામી ન રહેતી નથી. ગણવત્તા ચકાસવા માટે નમૂનાઓના ચયન કરવાના નિયમો હોય છે. આ નિયમો પ્રમાણે ચકાસણી કરવાથી ગુણવત્તા જાળવી શકાય છે. આ બધું પારદર્શી રીતે (સીસી ટીવી કેમેરામાં નોંધાય તે પ્રમાણે કરવામાં આવે તો ગુણવત્તાહીનતાની સમસ્યા નષ્ટ થાય.
બધાં જ નિર્માણ કાર્ય આ રીતે પરિપૂર્ણ રીતે પારદર્શી હોવા જોઇએ એટલે સરકારી નોકરો ગેરરીતિઓ ન કરી શકે એટલે નિર્માણ થયા પછી રખરખાવનો ખર્ચો ઘણો ઓછો થઈ જાય.
બાંધકામ અને બાંધકામના ઘટકો નિશ્ચિત માપના હોવાથી બાંધકામના બીજા પૂરક કામોના ઘટકો પણ નિશ્ચિત માપના થાય છે.
સરવાળે ગુણવત્તા સાથેના નિર્માણ અતિઝડપી અને સસ્તામાં પડે છે. ૨૦૦૦ કુટૂંબને સમાવતો એક સંકુલ વીંગ ૬ મહિનામાં તૈયાર થઈ જાય.
શાસ્ત્રીનગર વિસ્તારમાં ઘણા ભૂમિ ખંડો છે જે આમ તો બગીચા, કોમ્યુનીટી હોલ અને સ્કુલ માટે આરક્ષિત રાખેલા હતા, પણ તે બધા કાં તો ખાલી છે અથવા તો હાઉસીંગબોર્ડે ત્યાં ધંધાદારી મકાનો અને રહેણાકના મકાનો બાંધી શાસ્ત્રીનગર વિસ્તારને, કદરુપો, ભીડભાળવાળો અને ગંદો કરી દીધો છે. એક નમૂના રુપ ટાઉનશીપ બનાવવા માટે શાસ્ત્રીનગર વિસ્તાર અતિઉત્તમ છે.