Feeds:
Posts
Comments

Posts Tagged ‘સુઘડ’

અમદાવાદને બેનમુન હેરીટેજ સીટી બનાવવું છે?

કોઈપણ શહેરને પ્રવાસન સ્થળ બનાવવું હોય તો તેને સર્વપ્રથમ સ્વચ્છ, સુઘડ, અને મોકળાશવાળું બનાવવું જોઇએ.

માણસ ચાર પ્રકારના હોય છે.

મૂર્ખ, સામાન્ય, ઉત્તમ અને ઉત્તમોત્તમ.

મૂર્ખ માણસોને તમે સલાહ ન આપી શકો. એ બાબતમાં પંચતંત્રમાં કાગડા ને વાંદરાઓની વાત એક વાર્તા છે.

ચણોઠીઓનો રંગ લાલ હોય છે. અંગારાનો રંગ પણ લાલ હોય છે.

શિયાળાનો સમય હતો. એટલે વાંદરાઓનો એક સમૂહ ચણોઠીઓના એક ઢગલા ઉપર તે ઢગલાને અગ્નિ સમજીને તાપતો હતો. તેઓ થર થર ધ્રુજતા હતા. એક કાગડાને આ વાંદરાઓની દયા આવી. તેણે વાંદરાઓને કહ્યં કે “ફલાણી જગ્યાએ તમે જાઓ ત્યાં માણસો તાપણું કરી તાપતા હતા તેઓ હમણાં જ તેને છોડીને કામ ઉપર ગયા છે. તાપણું હજી ઝગે છે. તમે અહીં જે તાપો છો તે તાપણું નથી. તે તો ચણોઠીનો ઢગલે છે. તમે પેલા તાપણે જાઓ. કાગડાએ બે ત્રણ વાર કહ્યું પણ વાંદારોએ માન્યું નહીં. કાગડાએ થોડો વધુ આગ્રહ કર્યો એટલે વાંદારોએ તે કાગડાને પકડીને તેને મારી નાખ્યો. પંચતંત્રની આ વાર્તામાં પછી સાર આપ્યો કે મૂર્ખ માણસને બહુ સલાહ ન આપવી. મૂર્ખ માણસ પોતાના અનુભવમાંથી પણ શિખતો નથી.

મધ્યમ કક્ષાનો માણસ પ્રવાહ પ્રમાણે કામ કરે.  તે પોતાના અનુભવમાંથી શિખે છે.

ઉત્તમ માણસ બીજાના અનુભવમાંથી શિખે છે.

અને ઉત્તમોત્તમ માણસ બીજાના અનુભવમાંથી તો શિખે જ છે પણ તે કલ્પનાશીલ હોવાના કારણે  કોઈ પણ અનુભવ વગર આવનારી મુસીબતોને ટાળી શકે છે.

તો શું તમે એવું કહેવા માગો છે કે આપણા આઈ.એ.એસ. અધિકારીઓ મૂર્ખ છે? આપણા આઈ.પી.એસ. અધિકારીઓ મૂર્ખ છે?

આ સંશોધનનો વિષય છે.

પણ એક વાત ચોક્કસ કે કાં તો તેઓ મૂર્ખ છે અથવા તો ઠગ છે.

અમદાવાદનો દાખલો લઈએ.

અમદાવાદને સ્વચ્છ અને સુઘડ(વ્યવસ્થિત) બનાવી શકાય તેમ છે?

પણ કમિશ્નરમાં એ આવડત છે?

ભારતમાં કચરા ગાડી

દાખલો જોઇએ છે?

બહુમાળી ટાવરના બે બ્લોકવાળી અમારી હાઉસીંગ સોસાઈટી છે. કુલ ૮૦ એપાર્ટમેન્ટ છે. આ ૮૦ કુટુંબોનો કચરો મ્યુનીસીપાલીટીએ એકઠો કરવાનો છે.

કમીશ્નરે શું કર્યું?

૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા તૈયાર કરાવ્યા. અલબત્ત આના ટેન્ડર કર્યા જ હશે. આવા ડબ્બા શા માટે? કારણ કે રસ્તા સાફ કરવાવાળા તેને ઉપાડી શકે. તેમજ કચરા ગાડીવાળા કોંટ્રાક્ટરના માણસો આ ડબ્બા ઉપાડી શકે એટલે કે ઉપાડીને કચરો કચરા ગાડીમાં ઠાલવી શકે. એક ડબ્બામાં તો માય નહીં એટલે દરેક સોસાઈટી દીઠ છ થી નવ ડબ્બા કરવાવ્યા.

રોજગારનું જેમ વધુ ક્લાસીફીકેશન તેમ રોજગારી વધુ.

રસ્તા ઉપરથી કચરો વાળવો અને તેની ઢગલીઓ કરવી

ઢગલીનોનો કચરો ઉઠાવવો અને તેને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખવાના પાંજરા સુધી લઈ જવો. પાંજરા શા માટે તે પછી જોઇશું.

કચરો વાળવાવાળી/વાળો અને કચરો ભેગો કરવાવાળી/વાળો જુદા રાખો. મ્યુનીસીપલ કમીશ્નર માને છે કે સફાઈ જલ્દી થઈ જવી જોઇએ. એટલે કચરો વાળવાવાળા/વાળી એ ફક્ત કચરો વાળવાનું કામ જ કરવાનું. વાળેલા કચરાની ઢગલીઓ કરવાની. કચારાની ઢગલીઓ ઉઠાવવાનું કામ બીજા ભાઈ/બેન કરશે. આ ભાઈ/બેન  ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા ઉઠાવી ઉઠાવીને ક્યાં ફરે ! એટલે તેમને એક હાથલારી આપો જેથી એમાં તેઓશ્રી ચારેક ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખી પાંજરા સુધી લઈ જઈ શકે.

સોસાઈટીવાળાને એક કચરા ડ્રમ પણ આપો. એ ડ્રમ થોડું મોટું આપો. કારણ કે ૪૦+૪૦ કુટુંબોનો ભેગો કરેલો કચરો સોસાઈટીના સફાઈવાળા સોસાઈટીના આ ડ્રમમાં નાખે તે પછી સોસાઈટીના સફાઈવાળા/વાળી તેને ઉપાડી/ખસેડીને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખવા માટેના પાંજરા સુધી લઈ જઈ શકે. આ ડ્રમ કમસે કમ બે જણા  ઉપાડી શકાય તેવા તો હોવા જ જોઇએ, ડ્રમ સોસાઈટીની અંદર મૂકવાના. જો વધુ કચરો હોય તો સોસાઈટીના સફાઈવાળા બે આંટા વધુ ખાય. અને જે કંઈ કચરો ભેગો થાય તે સોસાઈટીની બહાર રાખેલા ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બામાં નાખે. સોસાઈટીના ડ્રમનું ધ્યાન સોસાઈટીના ચોકીદાર રાખે.

પણ સોસાઈટીની બહાર રાખેલા ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા તૈયાર કરાવ્યા છે તેનું ધ્યાન કોણ રાખે? આ ડબ્બા ઉપાડી શકાય તેવા હોવાથી ચોરાઈ પણ જાય.

એટલે કમિશ્નર સાહેબે શું કર્યું?

સોસાઈટીના દરવાજા પાસે એક લોખંડના જાડા સળીયાની જાળીવાળુ અને પાંજરું કરાવ્યું. પાંજરામાં આ ડબ્બાઓ રાખવાના. પાંજરાને ખૂલ્લું તો રખાય નહીં. તેથી દરવાજા પણ રાખવા પડે. જો દરવાજાને તાળું ન મારીએ તો કોઈ દરવાજો ખોલીને ડબ્બા ચોરી જાય. એટલે દરવાજાને તાળું પણ મારવું પડે. હવે તાળું હોય તો ચાવી પણ જોઇએ. ચાવીઓ તો ખોવાઈ પણ જઈ શકે. પણ એ વાત જવા દો.

જો કચરા ગાડીની ડીઝાઈન જ જો કચરા ગાડી માટેની હોય તો મોટી કચરા પેટીઓ રાખી શકાય. પણ કમીશ્નર સહેબનો એજન્ડા અલગ છે.

આ વાત ઉપર તો કદાચ એક પુસ્તક લખી શકાય. મ્યુનીસીપાલીટીનું પ્રાથમિક કામ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાનું છે.

હવે જો કમિશ્નર સાહેબ/સાહેબાન (જે લાગુ પડે તે), એમ પણ વિચારે કે આ સફાઈ કામને થોડું કસ વાળું બનાવવું જોઇએ. રસ્તો સાફ કરવો તે તો આપણા કર્મચારીઓ કરશે. તેઓ રસ્તા ઉપરનો કચરો વાળશે. આ કચરાની ઢગલીઓ કરશે. બીજો કર્મચારી તે ઢગલીઓને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બામાં ભરી હાથ લારી દ્વારા લોખંડના પાંજરા સુધી લઈ જશે. હવે જો આ કચરાને ગાર્બેજ ટ્રકમાં નાખવાનું કામ પણ જો આપણા કર્મચારીઓ દ્વારા કરાવીશું તો આપણે ગાર્બેજ ટ્રક, તેના ક્લીનર, ડ્રાઈવર, કચરો ભરવાના મજુરો, ટ્ર્ક બગડે તો મ્યુનીસીપાલીટીનું અલગ ગેરેજ બનાવવું પડશે એટલે કે એક નવું નેટવર્ક જ તૈયાર કરવું પડશે. આ નવું નેટવર્ક કરવામાં વાંધો નથી પણ તેમાંથી કર્મચારીઓના જે પ્રોબ્લેમો જેવા કે શિસ્તપાલનના, હિસાબ મેન્ટેઇન કરવાના, રજાના, સીનીયોરીટીના, પ્રમોશનના …. વિગેરે, ઉભા થશે, તેના નિવારણમાં આપણે ભેજું ચલાવવું પડશે. આપણે તો આરામની નોકરી કરવી છે. ગાડી, બંગલા, ડ્રાઈવર, નોકર, વિગેરે સગવડો મળે તેમાં આપણને વાંધો નથી પણ મગજને તસ્દી આપવી પડે તેવું ન હોવું જોઇએ.

માટે હવે એવું કરીએ કે કચરો ઉઠાવવાનું કામનો કોંન્ટ્રાક્ટ આપી દઈએ. એટલે ટેન્ડરમાં પણ આપણને લાભ થાય, કંઈક ફરીયાદ આવે તો ઓળઘોળ કરીને જવાબદારી કોન્ટ્રાક્ટર ઉપર ઢોળી શકાય. કોન્ટ્રાક્ટર ઉપર કામ ચલાવવું એમાં તો બેય હાથમાં લાડુ છે મારા ભાઈ. તેને હગેવગે કરવામાં પણ લાભ થાય.

તો કરો કોન્ટ્રાક્ટ. ટેન્ડર પાડો બહાર.

કોઈ પણ કેરીયર ચાલશે

પણ પહેલાં ઉભા રહો. ટેન્ડર સ્પર્ધાત્મક હોવું જોઇએ. જેમ વધુ માણસો ટેન્ડર ભરે તેમ સ્પર્ધા વધુ. માટે ટેન્ડરરની યોગ્યતાને બહુ મહત્વ ન આપો. કચરાવાહકનું સ્પેસીફીકેશન (વિગતવાર વર્ણન) થોડું ઢીલું રાખો. વાહનના સ્ટોરેજ કેપેસીટીની ક્ષમતા કદમાં લખો. ભાવ માટે કચરા ઉઠવવાના વિસ્તારથી ડમ્પીંગ સ્ટેશન સુધી ના સંખ્યાને એકમ ઠેરવો કે વજનને એકમ ઠેરવો. કંઈપણ કરો પણ કોન્ટ્રાક્ટર આપણી સાથે કંઈક ધંધોપાણી કરી શકે તેવું રાખો. અરે ભાઈ કોન્ટ્રાક્ટર પણ ધંધો કરવા બેઠો છે. અને વળી આપણે પણ ધંધોપાણી કરવાના છે. ભલે બિચારો કોન્ટ્રાક્ટર તેનું ભારવાહક ઓવરલોડ કરે.

ટૂંકમાં જે કમિશ્નર સાહેબ શહેરને સુઘડ અને સ્વચ્છ રાખવા માગે છે તેઓ કાંતો ભેજું ચલાવવામાં માનતા નથી કે ભેજું ચલાવી શકતા નથી. સરવાળે જો શહેર ગંદુ જ રહેતું હોય કમિશ્નર સાહેબનું નેટવર્ક જ ક્ષતિપૂર્ણ છે અથવા તો ભ્રષ્ટ છે.

કચરા ગાડી અને કચરા પેટી

શું આવી કચરા ગાડીઓ સ્પેસીફાય ન કરી શકાય?

જ્યારે અરાજકતા વ્યાપક હોય તો કમિશ્નર સાહેબ જ દોષિત ઠરે.

રસ્તા, ફુટપાથ અને જાહેર વપરાશની જગ્યાઓ કેવા દબાણવાળી છે તે આપણે જોયું જ છે. અમદાવાદ જેવા મહાનગરમાં પણ તમને ૫૦૦મીટરની લંબાઈનો રોડ, ફુટપાથ કે જાહેર વપરાશનો પટ્ટો અક્ષત નહીં મળે. આના કારણો અને ઉપાયો આપણે સ્માર્ટ સીટીના બ્લોગ પોસ્ટમાં જોઈ લીધા છે. એટલે તેની ચર્ચા નહીં કરીએ.

શહેરમાં મોકળાશ કેવી રીતે ઉત્પન્ન કરવી?

મોકળાશ એટલે વપરાશ માટેની ઉપયોગી જગ્યાનો વધારો. જો કે તમે દબાણ હઠાવો એટલે જે મોકળાશ શક્ય છે તેની ૭૦ ટકા મોકળાશ તો તમને મળી જ જાય.

મોકળાશનો વિરુદ્ધ શબ્દ છે ભીડ.

ભીડ શાથી થાય છે અને ભીડ કોણ કરે છે?

ભીડ મ્યુનીસીપલ કમીશ્નરનું નગર રચનાનું અણઘડ પ્લાનીંગ, કમિશ્નરની વહીવટી અક્ષમતા તથા સરકારી અધિકારીઓની મીલીભગતથી થાય છે. એસ જી રોડ આનો શ્રેષ્ઠ દાખલો છે. જો તમે કોઈ રોડ ઉપર પાર્કીંગને માન્યતા આપી જ હોય, પછી ભલે તે “પેઈડ પાર્કીંગ” હોય કે “ફ્રી પાર્કીંગ” હોય, પાર્કીંગ હમેશા માર્કીંગવાળું હોવું જોઇએ એટલું જ નહીં તે સમતલ અને પાકું હોવું જોઇએ. જે કમિશ્નર રસ્તાઓ અને ફૂટપાથ સમતલ અને અખંડિત આપી શકતા ન હોય તે કમિશ્નર શું પાર્કીંગની જગ્યા સ્વચ્છ, સમતલ, પાકી અને માર્કીંગવાળી આપી શકશે? ભીડ, વાહનોના આડેધડ અને ઈરેગ્યુલર પાર્કીંગથી પણ થાય છે.

રસ્તા ઉપર ચાલતા વાહનો અને માણસોની વધુ પડતી સંખ્યાથી પણ ભીડ થાય છે. વાહનોની ભીડ કંઈક અંશે વાહન ચલાવવામાં પ્રદર્શિત થતી અસંસ્કારિતા, અરાજકતા અને રસ્તાઓના અણઘડ આયોજનને કારણે હોય છે. આના ઉપાયો આપણે આજ બ્લોગસાઈટ ઉપર ચર્ચ્યા છે.

આપણી પાસે ચાર અમદાવાદ છે. મણીનગર વિસ્તાર, રાખીયાલ વિસ્તાર, એલીસબ્રીજ વિસ્તાર (પશ્ચિમ વિસ્તાર) અને કોટ વિસ્તાર. પહેલા ત્રણ વિસ્તારો ઝડપથી અરાજકતા અને ન સુધારી શકાય તેવા મુંબઈ તરફ જઈ રહ્યા છે.

કોટની અંદરનો વિસ્તાર એટલે કે “જુનું અમદાવાદ” સુધારી શકાય તેમ છે. જો કે કોઈપણ શહેરને સુધારવું હોય તો અરાજક્તાને તો દૂર કરવી જ રહી.

(૧) કોટની અંદરના વિસ્તારની ભીડને કેવી રીતે દૂર કરી શકાય?

કોટની અંદર મધ્યયુગના ઘણા જોવાલાયક સ્થળો છે. આ બધા જ સ્થળોને દબાણોએ ઢાંકી દીધા છે.

(૧.૧) કોટની અંદરના વિસ્તારને દબાણ મુક્ત કરવો પડશે. જો મ્યુનીસીપાલીટીના અધિકારીઓ, ટ્રાફિક પોલિસોના અને ન્યાયાલયના ન્યાયધીશો જો આની અવગણના કરશે તો તેમને તમારે ભ્રષ્ટતાનું લેબલ લગાવી દેવું જ પડશે. કારણ કે જે જગ્યા ઉપર તમારો એકાધિકાર નથી તેના ઉપર દબાણ કરવું તે ફોજદારી ગુનો છે અને આ વાત જો આ મહાનુભાવો સમજી ન શકે તો તેમને ભ્રષ્ટ જ કહેવાય અને તેમનું સ્થાન જેલમાં જ હોય. 

અમદાવાદની પોળોની રચના ને અને તેમાંના કેટલાક મકાનોને પણ જોવા લાયક સ્થળોમાં આવરી લઈ શકાય.

કોટના વિસ્તારની બહાર પણ એક દોઢ કિલોમીટરના અંતરમાં કેટલાક જોવા લાયક સ્થળો છે.

(૧.૨) કોટની અંદરના વિસ્તારમાં વાહનોમાટે બંધી કરવી પડશે. વાહનો એટલે સ્કુટરો, હાથલારીઓ, રીક્ષાઓ, કારો, બસો, ટેમ્પાઓ, ટ્રકો, પશુથી ચાલતા વાહનો …. વિગેરે જે કંઈ દેખાય છે કે નથી દેખાતા … તે બધાં બંધ કરવાં પડશે. જુના પેરીસ શહેરમાં વાહનોની બંધી છે.

(૧.૩) જુના ખખડધજ મકાનો તોડી પાડવા પડશે. જુના ભાડવાતો કારણે આવા મકાનો રીપેર કરી શકાતા નથી. આ પરિસ્થિતિ બદલવી પડશે. આવા મકાનોનો કબજો સરકારે હસ્તગત કરવો પડશે અને ત્યાં નિમ્ન લિખિત આયોજન પ્રમાણે ઉપયોગ કરવો પડશે.

(૧.૪) જે મકાનોનો કબજો લીધો તેને તોડી પાડી, તેમાંના અમુકનો ઉપયોગ “સાયકલ-રીક્ષા” સ્ટેન્ડ અને “સાયકલ” સ્ટેન્ડ બનાવવા માટે કરવો પડશે.

(૧.૫) જે જગ્યાએ દુકાનો છે તે જો કોઈપણ મોન્યુમેન્ટની નજીકમાં એટલે કે (રેડીયલ ડીસ્ટંટ) ૫૦૦મીટરની અંદર હશે તો તેને તોડી પાડવામાં આવશે.

(૧.૬) જે દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નહીં હોય તેને ખાલી કરવામાં આવશે.

(૨) કોટ વિસ્તારની અંદર વાહન વ્યવહારની વ્યવસ્થા શી હશે?

(૨.૧) દરેક પોળમાં જાહેર જનતા માટે સાયકલ સ્ટેન્ડ હશે. સાયકલનો ઉપયોગ પોળની બહાર જવા માટે કરવામાં આવશે. કોટ વિસ્તારની અંદર, માંદી અને અશક્ત વ્યક્તિઓ સાયકલ રીક્ષા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. સામાનની હેરફેર ફક્ત રાત્રીના સમય ૧૨ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી જ કરવા દેવામાં આવશે. આ હેરફેર હાથલારી દ્વારા જ કરવા દેવામાં આવશે.

(૨.૨) રસ્તાના દરેક વળાંક ઉપર, બ્રાંચ રોડ અને ક્રોસ રોડ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

(૨.૩) ફક્ત એમ્બ્યુલન્સ અને પોલીસવાન જ રસ્તા ઉપર ફરી શકશે.

(૩) ભૂગર્ભ ટ્રેનઃ

(૩.૧) કોટની અંદરના વિસ્તાર માટે ભૂગર્ભ રેલ્વે બનાવવામાં આવશે. આ ટ્રેન  તે (૧+૧)X૮ એટલે કે ૧૬ સીટેડ હશે. કોટ વિસ્તારની અંદર હાલ જે બધા મેઈન રોડ છે તેની નીચે જ ૨૫ નીચે જ ડબલ ટ્રેક વાળી ભૂગર્ભ રેલ્વે બનાવવામાં આવશે. આ ટ્રેન બે થી ચાર ડબા વાળી હશે. “રશ અવર્સ”માં ચાર ડાબાવાળી ટ્રેન ચાલશે. જેમ રશ ઓછો થતો જશે તેમ ડબાની સંખ્યા ઘટતી જશે. ભૂગર્ભ ટ્રેન ૨૪ કલાક દોડશે. ટ્રેનની ફ્રીક્વન્સી “રશ અવર્સ”માં  દર ત્રણ મીનીટ કે તેથી ઓછી રહેશે. “સ્લૅક અવર્સ”માં ૩૦મીનીટની ફ્રીક્વન્સી રહેશે. ટ્રેનમાં એક જ હેન્ડ બેગેજ જ લઈ જવા દેવામાં આવશે. હેન્ડ બેગેજનું કદ અને વજન નિશ્ચિત કરવામાં આવશે.

(૩.૨) અનુક્રમે આવતા બે સ્ટેશનો વચ્ચે સામાન્ય રીતે ૪૦૦ મીટરથી વધુ ન હોય તે અંતરે સ્ટેશન રાખવામાં આવશે. આ માટે મેઈન રોડ ઉપર જ્યાંથી પોળ કે ગલી ચાલુ થાય છે તેની નજીક હશે.

(૩.૩) ટ્રેનની ઝડપ ૧૨ થી ૨૦ કીલોમીટરની હશે. કોટની રાંગે રાંગે હાલ રોડ છે આ  રોડની નીચે પણ એક ભૂગર્ભ સર્ક્યુલર ટ્રેન હશે. કોટની અંદર ચાલતી ટ્રેન અને આ સર્ક્યુલર ટ્રેનનું એક નેટવર્ક બનશે. કોટની બહાર એક રીંગરોડ છે. ત્યાં ૪૦૦ થી વધુ નહીં એવા અંતરે સ્ટેશનો રાખવામાં આવશે.

(૩.૪) રીંગ રોડ ઉપરના આ સ્ટેશનો ઉપર ક્લોક રુમ હશે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર હશે જ્યાં ઑડ સાઈઝનો પેસેન્જરનો સામાન રાત્રી દરમ્યાન લાવીને રાખી શકાશે એટલે જેમને બહારગામ જવું હોય તેમને અસુવિધા ન થાય.

(૩.૫) સ્ટેશનની અંદર પ્રવેશ સ્કેનીંગ થયા પછી અને ટીકીટ દ્વારા થશે.

રોડ સફાઈના કામ ૧૯૪૦ના દશકામાં રાત્રે થતા હતા. એ પ્રમાણે જ સફાઈ કામ થશે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ – ૩

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ

નૈતિક પ્રદુષણ, છેલ્લા શતકમાં જલવાયુ પ્રદુષણ ઉપર હામી થયું છે.

“અમે ગરીબોના બેલી છીએ. ગરીબોની સેવા માટે અમે પ્રતિબદ્ધ છીએ”

દેશ ઉપર છ દશકા સુધી શાસન કરનાર અને હજી શાસન કરવા માટે ની ઇચ્છા અને પ્રયત્નો કરનાર નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ આ પ્રમાણે ઉચ્ચારણો કરતા આવ્યા છે.

છ દશકા એટલે ચાર પેઢીઓ એવું માની શકાય.  અગાઉ કહ્યા પ્રમાણે એક વૃક્ષને મોટું થતાં વધુમાં વધુ ૧૫ વર્ષ લાગે છે.

કોઈ પણ એક પરિકલ્પના (પ્રોજેક્ટ) પૂરી કરવા માટે પાંચ વર્ષ જોઇએ.  એક બંધને બાંધવામાં  માટેની પરિકલ્પના પણ પાંચ વર્ષમાં પૂરી કરવી જોઇએ.

પણ ખીસ્સા ભરવા માટે અને રાજકીય લાભ લેતા રહેવા માટે કોઈ પણ એક પરિકલ્પના (દાખલા તરીકે બંધ બાંધવા માટેનો પ્રોજેક્ટ)  પૂરી કરવા માટે નહેરુવીયન કોંગ્રેસ પ્રણાલી અને સાંસ્કૃતિક ધરોહર, દશથી અનંત વર્ષો લે છે.

આપણે ગુજરાતની જ વાત કરીએ.

નર્મદા ની પરિકલ્પના ભાઈલાલભાઈ પટેલની હતી. આ પરિકલ્પના ૧૯૩૦ના દશકાની છે. અંગ્રેજો આ પરિકલ્પના પૂરી ન કરે તે આપણે સમજી શકીએ છીએ, પણ નહેરુવીયન કોંગ્રેસને આમાં રાજકીય લાભ દેખાયો. આ યોજના ક્યારે પૂરી થશે તે વિષે આગાહી કરવામાં જ્યોતિષ શાસ્ત્રીઓ પણ ડરતા હતા.

ભાવનગર તારાપુર ની રેલ્વે લાઈનની પરિકલ્પના ૧૯૫૦ના પૂર્વાર્ધની છે તે ક્યારે પૂરી થશે તે ભૃગુ ઋષિ જીવતા હોત તો પણ ન કહી શકત.

કલ્પસર ની પરિકલ્પના પણ ભાવનગર તારાપુર રેલ્વે ની પરિકલ્પના જેટલી જ જુની છે.

ભાવનગરમાં મશીન ટુલ્સના મુખ્ય કારખાનાની પરિકલ્પના પણ  એટલી જ જુની છે.

આવી તો અનેક વાતો છે કે તમે સમસ્યા અને પરિકલ્પનાને એટલી હદ સુધી અવગણો કે તે આપોઆપ મૃત્યુ પામે.

આના અનેક દાખલાઓ છે.

જેમકે;

કાશ્મિરના લાખો હિન્દુઓની યાતનાઓ

૧૯૮૯-૯૦માં ઉઘાડે છોગ હજારો હિન્દુઓની કતલ કરી. લાખો હિન્દુઓને અનેક પ્રકારે ધમકીઓ આપીને તેમને નિર્વાસિત કર્યા.

નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ વ્યાપક રીતે મુસ્લિમોની માનસિકતાને વકરાવી તેમને બેફામ આચારણ કરતા કરી દીધા. આજે તે વાતને ત્રણ દશકા થવા આવ્યા. અનુપમ ખેર જેવા કશ્મિરી હિન્દુઓના પુનર્‍ વસન માટે બળાપો કરે છે તો, નસરુદ્દીન જેવા એમ કહે કે અનુપમ ખેર કશ્મિરમાં તો રહેતા નથી અને શેના બળાપો કરે છે?

નસરુદ્દીન અને તેમના પ્રત્યે અહોભાવ રાખનારાઓ કેવો વિતંડાવાદ કરે છે? તે પણ જાણી લો. તેઓ કહે છે કે કાશ્મિરમાંથી હિન્દુઓનું બહાર જવું નહેરુના પરદાદાઓથી ચાલુ થયેલું છે. આપણા એક ડીબીના સંક્ષિપ્તનામે ઓળખાતા ગુજરાતી સમાચાર પત્રના એક કટારીયા ભાઈ  અનુપમ ખેર અને નસરુદ્દીન શાહની જન્મોત્રી અને ખ્યાતિની માંડીને વાત કરે છે. આવા વ્યક્તિગત અભિપ્રાય ના આધારે તેઓશ્રી તારવે છે કે અનુપમભાઈ કેટલા કનિષ્ઠ છે અને નસરુદ્દીનભાઈ કેટલા મહાન છે. તેઓશ્રી  તારવણીની આ વાતને સ્વયં સિદ્ધ માને છે.  આવી માનસિકતા પાછળ તેમનો આપવા લાયક સંદેશો એ જ કે કાશ્મિરના હિન્દુઓની સમસ્યાને પ્રમાણહીન રીતે મોળી પાડી દેવી કારણ કે નસરુદ્દીનભાઈ તો કેવા મહાન છે. તેમનો તો બચાવ કરવો જ જોઇએને.

આપણે આ વાતની ચર્ચા નહીં કરીએ. પણ તમે સમસ્યાને એટલી હદ સુધી અવગણો કે તેનું આપોઆપ મોત થઈ જાય. તમે વિસ્થાપિતોને તંબુમાં રાખો કે એક રુમમાં બે ત્રણ કુટૂંબને રાખો તો શું તેઓ અનેક દશકાઓ સુધી તેવી જ સ્થિતિમાં રહ્યા કરશે? તેઓ તેમનો રસ્તો જાતે શોધી લેશે. અને તે પછી સમસ્યા મરી જશે. કોમવાદીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કહેશે “સમસ્યા છે જ ક્યાં?”

પરિકલ્પનાઓના અમલમાં પણ આવું જ થાય છે. આ એક નૈતિક પ્રદુષણ છે.

નદીઓ ઉપર બંધ બાંધવા જરુરી છે?

ઉત્તર છે ના, અને હા.

નદી ઉપર બંધ બાંધવાનો અને તેની કેનાલો બાંધવાનો ખર્ચ કેટલો થશે, વિસ્થાપિતોના પુનર્‍ વસનનો કેટલો ખર્ચ થશે, અને કેટલા સમયમાં આ કામ પુરું થશે તેની ગણત્રી કરો. કેટલી જમીન ગુમાવશો, કેટલી જમીનની સિંચાઈ કરશો અને અન્ય લાભ શું થશે તેની ગણત્રી કરો. જો સરવાળે ફાયદો થાય તેમ હોય તો જ આવા પ્રોજેક્ટો કરવા જોઇએ.

વૃક્ષો પણ એક નાના બંધનું કામ આપે છે. એક વૃક્ષ ઉગાડવા વધુમાં વધુ ૧૫ વર્ષ જોઇએ.

વૃક્ષો કેવી રીતે અને ક્યાં ઉગાડાય?

Plantation of tree

જ્યાં સુધી આપણે અન્ન ઉત્પાદન માટે કૃષિ સંકુલ નો ઉપયોગ ન કરીએ (કારણ કે આ કામ હાલની વ્યવસ્થાને ખોરવ્યા વગર અને તબક્કાવાર જ કરી શકાય છે.) ત્યાં સુધી જમીન નો ઉપયોગ અન્ન ઉત્પાદન માટે થતો રહેશે.

કૃષિ ક્ષેત્ર અને વૃક્ષો

ખેતરોને બની શકે તેટલા મોટા રાખો, કે જેથી ટ્રેક્ટર તેને બરાબર ખેડી શકે. જો કે કેટલાક ગાંધી વાદીઓ કહેશે કે ગાંધીજી તો બળદથી ખેડવામાં જ માનતા હતા. ખેતરને ટ્રેક્ટરથી ખેડી જ કેવીરીતે શકાય? આનો ઉત્તર એ છે કે આપણે બળદ (સાંઢ) કે પાડાનો બીજા ઉપયોગો પણ કરીએ છીએ. જેમકે તેલ ઘાણી, ઉર્જા ઉત્પાદન, માલગાડી, સિંચાઈ વિગેરે. ટ્રેક્ટર એક વિકલ્પ છે. જો  બળદો કે પાડાઓ ફાજલ હોય તો ટેક્ટર નો ઉપયોગ ન કરવો. કારણ કે ટ્રેક્ટર પોદળો મુકતું નથી અને કુદરતે આપેલા રીપ્રોડક્ટીવ ટ્રેક્ટરો (બળદો કે પાડાઓ) ફાજલ છે.

ખેતરનું પાણી વહી ન જાય તે માટે તેની ચારે બાજુ વૃક્ષોની ત્રણ કે વધુ હરોળો બનાવો. મોટા વૃક્ષોની હરોળો  પૂર્વથી પશ્ચિમ રાખો અને નાના વૃક્ષોની હરોળો ઉત્તરથી દક્ષિણ રાખો.

નદીઓ અને સરોવરોના કિનારાઓ

બંધ બાંધવાને બદલે નદીઓ અને સરોવરોને વિકસિત કરવા વધુ જરુરી છે. ફાયદા કારક પણ આ જ છે.

બંધ બાંધવા હોય તો પહાડો ઉપર નદીના પ્રવાહને રોકનારા બંધોને બદલે સમુદ્ર પાસે નદીના પાણીને રોકો. સમુદ્ર પાસે નદીના કિનારા ઉપર રીવરફ્રંટ બનાવો. નદીઓમાંથી જેટલી રેતી અને પત્થરો ઉઠાવવા હોય તેટલા ઉઠાવો અને નદીઓને ઉંડી કરો. નદીઓને સમગ્ર રીતે પૂરી લંબાઈમાં રીવર ફ્રંટ બનાવવા હોય તો બનાવો.

નદીઓને જોડવાના કામોને પ્રાથમિકતા આપો. યુદ્ધના ધોરણે આ કામ કરો.

સરોવરોને પૂરવાના કામ બંધ કરો. સરોવરો વિકસાવી શકાય તેમ છે. ભારતની પ્રાચીન સભ્યતાએ આપણને દરેક ગામડે એક એક તળાવ આપ્યા છે. આ બધા તળાવોને ડમ્પીંગ ગ્રાઉન્ડ બનાવવાને બદલે તેના કિનારાઓને વિકસાવી શકાય છે. દરેક તળાવની ચારે તરફ ૨૫૦ મીટર દૂર રહેણાંકના સંકુલ બનાવી શકાય છે.  આ સંકુલનું ડ્રેનેજનું પાણી શુદ્ધ કરી આ તળાવમાં ઠાલવી શકાય છે.

નદી અને તળાવના કિનારાના ૨૫૦ મીટરના પટામાં વૃક્ષોદ્વારા અચ્છાદિત માર્ગ અને બગીચાઓ બનાવી શકાય છે.  તળાવોના કિનારાઓ અને નદીઓના કિનારાઓ વિકાસના બહુમોટા સ્રોત છે.  તેને પ્રદુષિત કરવાને બદલે તેના વિકાસ દ્વારા સમસ્યાઓના હલ નીપજાવી શકાય છે.

ફાજલ જમીનઃ

કેટલીક જમીનો એવી હોય છે કે તે વપરાયા વગરની પડી હોય છે કારણ કે તે બીલ્ડરોએ ખરીદી રાખી હોય છે, અથવા સંસ્થાઓની હોય છે, અથવા સરકારી હોય છે. ક્યારેક આવી જમીનનો ઉપયોગ, વેચાણના પ્રદર્શનો કે આનંદ મેળાઓ યોજવામાં થાય છે.

કેટલીક જમીનો એવી હોય છે કે તે શહેરી કે ગામના રસ્તાની બંને બાજુ ખૂલ્લી પડી હોય છે.  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે રાજ્યની સરકારો આવી જમીનની દરકાર કરતી નથી. જો આ જમીન સરકારી હોય તો ત્યાં લારી, ગલ્લા, કબાડી, ગેરેજવાળા અને ધાબા ટાઈપ હોટલવાળા કબજો કરી લે છે. આ રીતે આ દબાણો, સરકારી નોકરો માટે આડે હાથની કમાણીનું સાધન બને છે.

આવી જમીનોનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કામ ચલાઉ કબજો લઈ લેવો જોઇએ. આવી જમીનને સમતલ કરી આ જમીનનો ઉપયોગ શાકભાજી અને ઘાસના ઉત્પાદન માટે થવો જોઇએ. જો આવી જમીન ખાનગી સંસ્થાઓ કે ખાનગી માલિકીની હોય તો પણ તેનો કબજો લઈ લેવો જોઇએ. આવી જમીનને પણ સમતલ કરી તેનો ઉપયોગ શાકભાજી અને ઘાસ ઉગાડવા માટે થવો જોઇએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાએ આવી  જમીનોનો કામ ચલાઉ કબજો લીધા પછી ત્રણ મહિના માટે શાકભાજી ઉગાડવા વાળાઓને ભાડે આપવો જોઇએ. દર ત્રણ માહિને આ કરાર રીન્યુ કરવો જોઇએ. ૮૦ ટકા ભાડું માલિકને આપવું અને ૨૦ ટકા ભાડું સરકારમાં જમા કરાવવું. આ કામની વ્યવસ્થા ગોઠવી શકાય.

એવું પણ જોવા મળ્યું છે કે શાકભાજી વેચવા વાળા રસ્તાઓ ઉપર લારી રાખી રસ્તાઓ ઉપર દબાણ કરે છે. દા.ત. અમદાવદમાં માનસી ચાર રસ્તા, શાસ્ત્રી નગર ત્રણ રસ્તા, ગુરુકુલ રોડ જેવા અનેક રસ્તાઓ છે કે જ્યાં ખાલી જમીનો પડી છે છતાં પણ રોડ ઉપર શાકભાજીવાળાઓનો કબજો હોય છે.

સુઘડ રીતે કામ કરવું તે સરકારી નોકરોના લોહીમાં નથી

વસ્ત્રાપુર તળાવ પાસે એક સરકારી ખાલી પ્લોટમાં ગુજરાત સરકારે ઓર્ગેનિક શાક માર્કેટ કામચલાઉ ધોરણે બે હરોળમાં શનિ-રવિ પૂરતી, ઓર્ગેનિક  શાક માર્કેટ બનાવી છે. આમાં સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અણઘડતા દેખાઈ આવે છે. એવું લાગે છે કે જે કંઈ કરવું તે ગંદી રીતે કરવું. જમીનને સમતલ કરી નથી. મંડપના લીરેલીરા ઉખડી ગયા છે. ચાલવા માટે ઈંટર લોક ટાઈલ્સ નથી. સુઘડ રીતે કામ કરવું તે સરકારી નોકરોના લોહીમાં નથી. કામ ચલાઉ વેચાણ પ્રદર્શનોમાં અને આનંદ મેળાઓમાં પણ આ જ હાલ હોય છે. જવાબદારી જો નિશ્ચિત કરવામાં આવે તો આ બધું નિવારી શકાય.

કામ ચલાઉ રસ્તાઓ ઈન્ટર-લોકીંગ સીમેન્ટ ટાઈલ્સથી બનાવી શકાય. ઈન્ટર લોકીંગ ટાઈલ્સની ગુણવત્તા નક્કી કરી શકાય. પણ સરકારી નોકરો મહાત્મા મંદિરમાં પણ આવું નથી કરી શકતા તો અમદાવાદમાં તો કરે જ ક્યાંથી?

સરકારી નોકરો બારદાન છે.

બારદાન એટલે પેકેજીંગ.  તમે એક ઉત્કૃષ્ટ ઉત્પાદન કર્યું. પણ તેનું પેકેજીંગ નબળું હોય તો ગ્રાહકને તૂટ્યો ફુટ્યો માલ મળે. નરેન્દ્ર મોદી કે જે તે સરકારો આયોજન પૂર્વક ગમે તેવી સારી યોજના બનાવે પણ સરકારી નોકરો તેને બગાડી નાખવામાં નિષ્ણાત હોય છે.

દા.ત.

ગાંધીનગરમાં  સરકારે ચીપ શોપીંગ સેન્ટર બનાવેલ. કોણ જાણે કેમ, પણ આ શોપીંગ સેન્ટરોમાં અમુક કે બધી દુકાનો  ખાલી રહેતી. અને બાજુના રસ્તા ઉપર લારીવાળાઓનો કબજો રહેતો હતો. હજી પણ આવું જ હશે.

ગુજરાત હાઈકૉર્ટમાં કેન્ટીન છે. પણ તેની અંદરના ખુલ્લા પ્લૉટની  જગ્યામાં ખાણીપીણી વાળા રીસેસમાં કબજો કરી લે છે. કેન્ટીનના કોન્ટ્રાક્ટનો નિવેડો લાવવામાં આવ્યો ન હતો.

નવી મુંબઈમાં પણ સરકારે શાકમાર્કેટના મકાનો બનાવેલ. પણ આ મકાનોમાં દુકાનોનો કબજો ઢોર ઢાંખર પાસે રહેતો. એટલે કે ઢોર ઢાંખર ના આશ્રય સ્થાન બનતા અને શાકભાજીની લારીઓ રસ્તા ઉપર વેચાણ કરતી. આનું કારણ એ કે જો રસ્તા ઉપર વેચાણ કરો તો સરકારી ગુંડાઓ પૈસા ઉઘરાવી શકે છે.

વિકસિત દેશોમાં કોઈપણ ખુલ્લી જગ્યા ઉપર યાતો ઘાસ ઉગાડવામાં આવતું હોય છે અથવા તો વૃક્ષો ઉગાડેલા હોય છે.

SAM_0836

રસ્તાઓ બંને બાજુના અંતસુધી પાકા હોય છે અને ફુટપાથો વ્યવસ્થિત રીતે બંધાયેલી હોય છે.

SAM_0832

જો આ પ્રમાણે હોય તો તમે વાતાવરણનું ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી જેટલું નીચું લાવી શકો. કારણ કે ઘાસ ઉગાડેલી જમીન ગરમ થતી નથી. હવામાં ધૂળના રજકણો પ્રમાણમાં સાવ જ ઓછાં હોય છે. એટલે હવા ઓછી ગરમ થાય છે.

આ બધું શું આપણા દેશમાં શક્ય નથી?

કશું અશક્ય નથી. મ્યુનીસીપલ કમીશ્નરમાં (આઈ એ એસ અધિકારીઓમાં) પોતાના શહેરની પ્રત્યે પ્રેમ અને કામ કરવાની નિષ્ઠા બતાવવાની તાલાવેલી હોવી જોઇએ. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓમાં પણ સરકારી અધિકારોને દંડવાની તાકાત જોઇએ નહીં કે “હું પૈસા નહીં બનાવું તો કોઈ બીજો બનાવશે, તો પછી હું જ શા માટે પૈસા ન બનાવું?” વાળું વલણ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્જ઼ઃ નૈતિક પ્રદુષણ, જલવાયુ પ્રદુષણ, ગરીબોની સેવા, નહેરુવીયન કોંગ્રેસ, રાજકીય લાભ, પરિકલ્પના, પ્રોજેક્ટ, ભાવનગર તારાપુર રેલ્વે લાઈન, નર્મદા યોજના, ભાઈલાલભાઈ પટેલ, કલ્પસર, કાશ્મિરના હિન્દુઓની યાતનાઓ, નસરુદ્દીન, અનુપમ ખેર, નદીઓ ઉપર બંધ, બળદ (સાંઢ), પાડો, ટ્રેક્ટર, ઉર્જા, વૃક્ષોની હરોળ, નદીઓ અને સરોવરના કિનારાઓ, રીવર ફ્રંટ, ફાજલ જમીન, લારી ગલ્લા ગેરેજ ધાબા હોટેલ, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થા, મ્યુનીસીપલ કમીશ્નર, શાકભાજી, માનસી ચાર રસ્તા, શાસ્ત્રી નગર ત્રણ રસ્તા, ગુરુકુલ રો, સુઘડ, સરકારી નોકરો, બારદાન, ચીપ શોપીંગ સેન્ટર

Read Full Post »

શું ખાદીના વસ્ત્રો પહેરવાં અવગડ ભર્યાં છે?

khadi bhandar

ઉત્તરઃ “અવગડ ભર્યા છે અને નથી.”

પણ પહેલાં સમજી લઈએ ખાદી એટલે શું?

કપાસ ઉગે છે ખેતરમાં.

ખેતર એટલે શું?

ખેતર એટલે પ્રણાલીગત રીતે જેને આપણે ભૂમિ કહીએ છીએ તે, જેમાં આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ. વનસ્પતિ પુનઃ પુનઃ ઉત્પાદિત (રીપ્રોડક્ટીવ) છે.

કપાસમાંથી આપણે રૂ કાઢીને તેના તાર કાઢીને તારને વણીને કાપડ બનાવીએ છીએ. કામો જો આપણે રેંટીયા અને હાથશાળથી કરીએ તો તેને ખાદીનું કાપડ કહેવાય.

જો કામ ઘરમાં કરીએ તો તો તે ગૃહઉદ્યોગ કહેવાય.

ત્રણ ફેઝ વાળી વિજળી નહીં વાપરાવાની એવું મનાય છે.  જો ગામમાં કાંતણ કેન્દ્ર હોય અને ત્યાં કોઈ કામ કરવા જાય તો પણ તેને ગૃહઉદ્યોગ જ કહેવાય છે.

જો કે કાર્લ માર્ક્સ થોડો જુદો પડે. વાત  અર્થશાસ્ત્રીઓને વિચારવા દો.

વ્યક્તિએ કાંતણવણાટ કેન્દ્રમાં, જે જત્થામાં સુતર કાત્યું હોય કે કાપડ વણ્યું હોય, અને ધારો કે તે સુતર તેણે  ઘરે કાંત્યું હોત કે વણ્યું હોત અને તેને શ્રમના જે પૈસા અનુક્રમે મળ્યા કે મળે તે બંનેમાં નહીંવત ફેર હોય તો પણ તેને ખાદી કહેવાય.

હા એક વાત ખરી કે જે સરંજામ હતો, તેની માલિકી, જેણે શ્રમ આપ્યો તેની હતી. પણ વાત તો જો શ્રમકરનાર વ્યક્તિએ, શ્રમ ઘરે કર્યો હોય તો પણ એવું બની શકે કે સરંજામની માલિકી તેની પણ હોય.

ટૂંકમાં જે ઉત્પાદન થાય છે તેના યંત્રો તેના તેજ રહે છે અને કોઈ બેકાર તું નથી. કેન્દ્રમાં જઈને શ્રમ કરે તો શ્રમજીવીને સમય બદ્ધ રીતે શ્રમ કરવો પડે અથવા તો એવી ગોઠવ અને સમજુતીઓ કરવી પડે. જો જુદી જુદી પાળીઓમાં શ્રમજીવીઓને કામ કરવા બોલાવવામાં આવે તો યંત્રો ઓછા જોઇએ. પણ આવી પ્રણાલીમાં વ્યક્તિગત અનુકુળતા અને લયતાને હાનિ પહોંચે. કારણ કે માણસ માટે ઉત્પાદન છે. ઉત્પાદન માટે માણસ નથી.

પણ આપણે તેનું સુક્ષ્મ વિશ્લેષણ નહીં કરીએ. કાપડને પણ ખાદી કહીશું. પણ વિકેન્દ્રિત ઉત્પાદન કહેવાશે અને ગૃહ ઉદ્યોગ પણ કહેવાશે કારણ કે યંત્રો તેના તે જ રહ્યા.

વિકેન્દ્રિત ઉત્પાદન શ્રેય કે કેન્દ્રિત ઉત્પાદન શ્રેય?

આનો જવાબ એવો સહેલો નથી. તમે શું ઉત્પાદન કરો છો અને તેની માંગ/વપરાશ કઈ જાતનો છે તેના ઉપર આધાર રાખે છે.

આમ તો ઈશ્વરે બધું વિકેન્દ્રિત કર્યું છે. પ્રકૃતિ વિકેન્દ્રીકરણમાં માને છે. પણ જ્યારે મનુષ્ય સ્વકેન્દ્રી બને છે ત્યારે શોષણ થાય છે. વરસાદ, વનસ્પતિ, ખાડા ટેકરાઓ, અને પ્રાણીમાત્ર વિકેન્દ્રિત હોય છે. મનુષ્ય ભલે ઘરને બદલે પ્રસૂતિગૃહમાં જન્મે, કુલ જન્મની કુલ સંખ્યામાં તે કારણથી ફેર પડતો નથી. એટલે આમ સજીવ માત્ર ગૃહ ઉદ્યોગ કહેવાય. મનુષ્ય પોતે પ્રકૃતિનો હિસ્સો છે એટલે મનુષ્ય જે કંઈ પણ કરે તે પ્રાકૃતિક જ કહેવાય. વાસ્તવમાં સાનુકુળતા અને પ્રાકૃતિક સંતુલન સુચારુ છે તે જોવું જોઇએ.

રેંટીયામાં સુધારા થયા. અંબર ચરખો આવ્યો. તેથી માણસને શ્રમમાં રાહત મળી અને ઉત્પાદન વધ્યું. હાથશાળમાં પણ સંશોધન થયા અને વણાટમાં પણ સુઘડતા આવી.

હવે સ્થિતિ એવી છે કે ખાદી અને મિલના (અતિ મોંઘા કાપડને અવગણીએ તો) ચાલુ કાપડમાં ખાસ ફેર નથી. પોલીયેસ્ટર કાપડની વાત જુદી છે. તેને શરીર માટે નુકશાન વગરનું બનાવવા માટે તેમાં રૂનું મિશ્રણ કરવું પડે છે.

ખાદીના કાપડની અવગડતાઓ

() ખાદીનું કાપડ સામાન્ય મિલના કાપડ કરતાં મોંઘું છે?

મિલને કયા ભાવે વિજળી મળે છે?

મિલને કયા ભાવે પાણી મળે છે?

મિલ પોતાનો કચરો કેવી રીતે અને ક્યાં ઠાલવે છે?

મિલ કેટલું પાણી બગાડે છે અને કેટલી મીન બગાડે છે?

મિલ કેટલી હવા બગાડે છે?

નુકશાનમાં થી સરકાર તેને માફી આપે છે.

પ્રદુષિત વાતાવરણ, મીન અને પાણી, આસપાસના વિસ્તારની જનતાની તંદુરસ્તીને હાનિકારક થાય છે. બધી નુકશાનીઓ મિલો ભરપાઈ કરતી નથી. તેથી મિલનું કાપડ સસ્તું પડે છે. આવી હજાર વાતો છે. મેં સાઈટ ઉપર અત્ર તત્ર આપેલી છે.

સચોટ ઉદાહરણ “ગંગા શુદ્ધીકરણ” માટે ની પરિકલ્પનાઓ છે. નહેરુવીયન કોંગ્રેસે ઉદ્યોગો સામે એવા ક્ષતિયુક્ત કાયદાઓ ઘડ્યા કે ઉદ્યોગ જમીન બગાડે, હવા બગાડે, ભૂગર્ભ જળ બગાડે, નદી તળાવનું પાણી બગાડે, તો ભલે બગાડે. માણસો રોગિષ્ટ બને અને પીડાય તો ભલે પીડાય. કાચી ઉમરે મરે તો ભલે મરે. નહેરુવીયન કોંગ્રેસને મોડે ખબર પડી કે ઘણું બધું બગડે છે. જોકે આમાં તેણે બુદ્ધિ ચલાવી નથી. એને માટે આંદોલનો થયા છે. અને ન્યાયાલયે કમને આદેશો આપ્યા કે કાયદાઓ કરો. જો કે આવા ચૂકાદાઓ આપવા એ ન્યાયતંત્રના ખેરખાંઓનો દંભ હતો.

હાનિ પહોંચાડવી કે હાનિની પૂર્ણ શક્યતા ઉભી કરવી એ ફોજદારી ગુનો છે. પણ ન્યાયાધીશો, કારખાનાઓની બાબતમાં આવું સુયોગ્ય માનવીય અર્થઘટન કરે એ વાતમાં માલ નથી. ન્યાયધીશ કહેશે; સરકારે “બગાડના સુધાર માટે” પ્રણાલી બનાવવી જોઈએ અને તકનિકી સહાય આપવી જોઇએ. વાત પૂરી.

ગંગા શુદ્ધીકરણ માટે પરાર્ધો રુપીયા ખર્ચાયા. નહેરુવીયન કોંગ્રેસના અનેક નેતાઓ, બીજા પક્ષોના નેતાઓ, ન્યાયધીશો અને સરકારી અધિકારીઓ માલદાર થયા. બહુ વખત પહેલાં કેલિકો મિલનું ગંદુ પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હતું. તેની તીવ્ર દુર્ગંધ કિનારે વસતા લોકોને આવતી. પાણી, હવા અને નદી ત્રણે બગડતાં હતા.   ઉદ્યોગોને બધી છૂટ.  

બધું હોવા છતાં ખાદી એટલી મોંઘી નથી.

ખાદી ગરમીમાં ઠંડક અને ઠંડીમાં રક્ષણ આપે છે.

મિલના કાપડના વસ્ત્રોમાં સ્પર્ધા છે. તમે ૧૫૦૦૦ નો સુટ પહેર્યો છે તો બીજાએ જેણે ૫૦૦૦૦ નો

સુટ પહેર્યો છે તેની આગળ તમે ઝાંખા લાગશો.

પણ ખાદી સાદાઈનું પ્રતિક છે એટલે આવી ઝાંખપ આવતી નથી. ખાદી એટલે ખાદી.

ખાદીના કપડાને કાંજી અને ઈસ્ત્રી કરવાથી સુઘડતા વધે છે.

(૨) ખાદીનો નિભાવ ખર્ચ વધુ હોય છે.

 જો આરોગ્યનો ખ્યાલ કરીએ તો કોઈપણ વસ્ત્ર બે ત્રણ દિવસથી વધુ વખત પહેરાય. એટલે ખાદી અને ખાદી બંને ના વસ્ત્રો ધોવાતો પડે .

ખાદીના વસ્ત્રો સહેલાઈથી સાફ થાય છે અને સાબુ જલ્દી નિકળી જાય છે. તમારી પાસેઓન્લી વૉશવાળું વોશીંગ મશીન હોય તો તે પણ ચાલશે. આ મશીન સસ્તું આવે છે.

જો તમે અફલાતુન ખાદી વસ્ત્રો પહેરતા હો તો તેમાં રોકાણ કિમત વધુ હોય છે. જો તમને રોકાણ કિમત પોષાતી હોય તો ખાદી ખરીદો અને વધારાના પૈસા ઈસ્ત્રીવાળાને આપો. ઇસ્ત્રીવાળા ને વધુ રોજી મળશે.

ખાદીના કપડાને કાંજી કરો તે વધુ આકર્ષક લાગશે. આમેય ત્રણ દિવસે તો તમારે કોઈપણ કપડા ધોવા પડતા હોય છે.

બહાર પહેરવાના કપડાં તમે જુના થયે ઘરમાં પહેરી શકશો, કારણ કે ખાદીનું કાપડ ધોવું સરળ છે. ખાદીના કાપડને લગાડેલો સાબુ જલ્દી નિકળી જાય છે. ઘરમાં આમેય તમે ક્યાં કાંજીઇસ્ત્રીવાળા કપડા પહેરો છો.

સરવાળે ખાદી સસ્તી પડશે. તે ઉપરાંત ગરીબોને રોજી મળશે.

ખાદીને સસ્તી કેવી રીતે કરી શકાય?

જો તમે ગરીબ છો કે તમને લાગે છે કે ખાદી પોષાતી નથી, તો તમે હાથે કાંતો અને તેના બદલામાં ખાદીનું કાપડ લો. ખાદીનું કાપડ ઘણું સસ્તું નહીં પણ લગભગ મફત પડશે. વધુ કાંતશો તો કમાણી પણ થશે.

વૈદિક જીવન વિષે સોસીયલ નેટવર્કમાં ભરપૂર લખાણો આવે છે. જો કે એ બધું અગમ નિમગ કે અગડં બગડં જેવું લાગે છે. પણ જો “વેદ”નો અર્થ જાણવું કરીએ તો જાણવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને જ્ઞાન વધવાથી બુદ્ધિ વધે છે. બુદ્ધિ વધે તો સુયોગ્ય તકનિકીનો ઉપયોગ કરી શકાય. આ બધું વૈદિક જ કહેવાય.

માંધાતા, રામચંદ્ર, રાવણ, કૃષ્ણ, ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, કૃષણદેવરાય, અકબર, ઔરંગઝેબ, શિવાજી, તાત્યા ટોપે, ઝાંસીની રાણી, નાના ફડનવીશ … સૌ કોઈ ખાદી જ પહેરતા હતા.

ગાંધીજી એ ખાદી તરફ ધ્યાન દોર્યું.

ગાંધીજી ખાદી પહેરતા હતા. આ એક વૈચારિક ક્રાંતિ હતી. છેલ્લી વૈચારિક ક્રાંતિ ૧૯૭૭માં આવેલી. આ ક્રાંતિના નેતા જયપ્રકાશ નારાયણ પણ ખાદી જ પહેરતા હતા.

૨૦૧૪ના ક્રાંતિવીર નરેન્દ્ર મોદી ખાદીને પુરસ્કૃત કરે છે. પણ તેમને કોઈ ભેટ આપે તો અ-ખાદી પણ કામચલાઉ પહેરી લે છે અને પછી તેને હરાજીમાં મુકી ૧૦ થી ૧૦૦ ગણા પૈસા ગરીબોના હિત માટે ફાળવે છે. અ-ખાદી પ્રત્યે કડવાશ રાખવાની જરુર નથી.

એ વાત ખરી કે બધા પોતાના વસ્ત્રો હરાજીમાં ન વેચી શકે. પ્યાલા-બરણીવાળી પણ ખાદીના વસ્ત્રો લેતી નથી. પણ ખાદીના વસ્ત્રો જુના થાય એટલે ઘરમાં પહેરવા. ઘરના વસ્ત્રો ફાટી જાય એટલે તેને “પોતાં” તરીકે વાપરવા.

અંગ્રેજોનું રાજ આવ્યું એ પહેલાં ભારતનું ઉત્પાદન વૈશ્વિક ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો ધરાવતું હતું. અત્યારે ૨ થી ૫ ટકા હિસ્સો ધરાવે છે. જો ભારત સંપૂર્ણ સ્વાવલંબી થઈ જાય તો ૨૦ ટકા તો આમ જ થઈ જાય.

વિનોબા ભાવે એ કહ્યું છે કે અત્યારે યંત્રો કે ગૃહ ઉદ્યોગ કે સામ્યવાદ કે મૂડીવાદ વિષે ચર્ચા કરવાની જરુર જ નથી. જે વસ્તુ ઉત્પન્ન કરવી હોય તેને શ્રેષ્ઠ રીતે, કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે વિષે બુદ્ધિનો ઉપયોગ કરો. કાચો માલ+ વિજ્ઞાન + માનવીય તકનિકી = વિકાસ.

વટ પાડવા માટે વસ્ત્રો એકલા જરુરી નથી. જો આપણી સુઘડતા, વસ્ત્રો, વાણી અને વર્તન ત્રણેમાં હોય તો કામ ચાલ્યું જાય છે. બહુ તૃષ્ણાઓ રાખવી નહી. આનંદ મુખ્ય છે.

બદલાની આશા રાખ્યા વગર કામ કરવાનો આનંદ ખરો આનંદ હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ખાદી, સ્વાવંબન, સ્વદેશી, યંત્ર, ગૃહ ઉદ્યોગ, સરંજામ, સામ્યવાદ, મૂડીવાદ, મોઘું, અગવડ, ઈસ્ત્રી, સાબુ, સુઘડ

Read Full Post »